Book Title: Dharm Sangraha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 232
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ૨૧૧ પરીક્ષા કરે અને કષછેદ-તાપશુદ્ધ એવા ધૃતધર્મને સ્વીકારે અને સ્વીકાર્યા પછી તેનો પારમાર્થિક બોધ કરીને સર્વ કલ્યાણની પ્રાપ્તિ કરે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઘણા શ્રતધર્મો ઉપલબ્ધ છે. તેથી કયો શ્રતધર્મ આદેય છે ? તેવી શ્રોતાને આશંકા થાય. તેથી ઉપદેશકે શ્રોતાને શ્રુતધર્મની પરીક્ષામાં અવતાર કરવો જોઈએ. કઈ રીતે શ્રોતાએ શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઈએ? એ પ્રકારની જિજ્ઞાસામાં ગ્રંથકારશ્રી કહે છે – જેમ સુવર્ણની ત્રણ પ્રકારની પરીક્ષા થાય છે તેમ શ્રતધર્મની પણ ત્રણ પ્રકારની પરીક્ષા થાય છે. આમ શ્રોતાને જણાવીને ઉપદેશકે શ્રુત વિષયક કષ-છેદ-તાપનું સ્વરૂપ બતાવવું જોઈએ. * આ રીતે ઉપદેશકના વચન દ્વારા શ્રતવિષયક ત્રણ પરીક્ષાનું સ્વરૂપ જાણ્યા પછી વિચારકને પ્રશ્ન થાય કે આ ત્રણ પરીક્ષામાંથી કઈ પરીક્ષા બલવાન છે ? કઈ પરીક્ષા અબલવાન છે ? તે ઉપદેશકે શ્રોતાને ' બતાવવું જોઈએ. '. આ માટે ઉપદેશકે શું કહેવું જોઈએ ? તે બતાવતાં કહે છે – કષ-છેદ-તાપરૂપ આ ત્રણ પરીક્ષામાં પરસ્પર અંતર બતાવવું જોઈએ=સમર્થ-અસમર્થરૂપ વિશેષ બતાવવું જોઈએ. કયા પ્રકારનું સમર્થ-અસમર્થરૂપ વિશેષ બતાવવું જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે – કષ-છેદમાં અયત્ન કરવો જોઈએ, પરંતુ તાપમાં જ યત્ન કરવો જોઈએ. કેમ તાપમાં જ યત્ન કરવો જોઈએ ? તેથી કહે છે – કોઈ શ્રતધર્મ કષ-છેદથી શુદ્ધ હોય આમ છતાં તાપથી શુદ્ધ ન હોય તો તે શ્રતધર્મ આદરણીય બને નહિ. જેમ સુવર્ણની પરીક્ષામાં કોઈક વ્યક્તિ દ્વારા લાવેલા સુવર્ણની પરીક્ષા કરનાર વ્યક્તિ પરીક્ષા કરે અને તે સુવર્ણ કષથી શુદ્ધ પ્રાપ્ત ન થાય તો તે સુવર્ણ સુવર્ણકાર સુવર્ણરૂપે સ્વીકારતા નથી અને જો કષ-છેદની પરીક્ષા કર્યા વગર પણ તાપની પરીક્ષાથી સુવર્ણ શુદ્ધ છે તેમ નક્કી થાય તો તે સુવર્ણને સુવર્ણકાર સુવર્ણરૂપે સ્વીકારે છે. અને કષ-છેદની પરીક્ષા કર્યા વગર પણ તાપની પરીક્ષાથી આ સુવર્ણ અશુદ્ધ છે તેમ નક્કી થાય તો તે સુવર્ણકાર તે સુવર્ણને કષથી કે છેદથી પણ પરીક્ષા કરવા યત્ન કરતો નથી, પરંતુ કહે છે કે આ સુવર્ણ, સુવર્ણ નથી. તેમ જે શાસ્ત્ર તાપની પરીક્ષામાંથી પસાર થઈને શુદ્ધ થતું ન હોય તે શાસ્ત્રની કષથી કે છેદથી પરીક્ષા કરવામાં યત્ન કરવાની આવશ્યકતા રહેતી નથી આનાથી એ ફલિત થાય કે તે-તે દર્શનનાં શ્રુતવચનો જુદાં જુદાં ઉપલબ્ધ થાય છે અને ઉપદેશક શ્રોતાને કહે કે શ્રત વચનાનુસાર કરાયેલી સર્વ પ્રવૃત્તિ જ કલ્યાણની પરંપરાનું કારણ છે, અન્ય નહિ. તેથી વિચારક શ્રોતાને પ્રશ્ન થાય કે ભિન્ન ભિન્ન દર્શનનાં ભિન્ન ભિન્ન ઋતવચનો મળે છે. માટે કયા વચનથી પ્રવૃત્તિ કરવાથી મારું હિત થશે ? તેના નિવારણ માટે ઉપદેશકના વચનથી ત્રણ પ્રકારની પરીક્ષાનું જ્ઞાન થયા પછી તે શ્રોતા વિચારે કે આત્માદિને કર્યું દર્શન પરિણામી સ્વીકારે છે ? અને કયું દર્શન પરિણામી સ્વીકારતું

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276