________________
[ ૨૧ ]
જીવન પર અસર
લેાકાને એ પણ એક જિજ્ઞાસા હોય છે કે ઉક્ત સંધમાં સામેલ થયા બાદ એકત્રિત થયેલી વ્યકિતઓના જીવન પર શું અસર થાય છે ? એનો સીધા ઉત્તર એ છે કે વ્યાપાર કરનારાએએ આ સંધમાં આવીને કાળાબાર કરવાનાં છેડી દીધાં છે, રાજ્યાધિકારીઓએ લાંચ-રૂશ્વત લેવાનું છેડી દીધુ છે. અને વિવિધ વ્યસનવાલા લેાકાએ પોતાના લખા સમયના વ્યસનોને છોડી દીધા છે. એથી વધારે અસર શુ' થઈ શકે? તેમણે બધા જ નિયમ। રીતસર પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા છે. તેમાં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે કેટલીયે વ્યકિતઓએ હજારાની સભા સમક્ષ પોતાના જીવનનું સિંહાવલાકન કર્યું છે અને કરેલા પાપોનો પશ્ચાત્તાપ કર્યાં છે.
સંખ્યા
હવે કેટલાક એવા આંકડાઓ આપવામાં આવે છે, કે જેનાથી -અણુવ્રતી-સંધની વ્યાપકતા તથા સાર્વજનિકતાનો પરિચય મળી જશે.
સભ્યોની કુલ સંખ્યા—૫૦૮ તેમાં પુરુષ--૨૯૩ સ્ત્રીઓ——૨૧૫
પ્રાંતવાર જોઇએ તે આ સંધમાં નીચેના પ્રાંતાની વ્યકિતએ સામેલ છે:
પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસા, બંગાળ, રાજસ્થાન, મધ્યભારત અને મુંબઈ
ધર્મ અને સ"પ્રદાયની ષ્ટિએ જોઈએ તે આ સંધમાં નીચેનો ધર્મ કે સોંપ્રદાય માનનારાઓ સામેલ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com