Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 60
________________ [ ૭૩ ] જીવનની મહાનતા પ્રત્યે લઈ જનારા વ્યાપક ગુણ છે. આચાર્યશ્રીને મારી પ્રાર્થના છે કે અમને આ વાતને સ્વીકાર કરો અને આશિર્વાદ આપે કે જેથી અમે તેને જીવનમાં પૂરા ઉતારી શકીએ. એ રીતે મહિલાઓ તરફથી શ્રીમતી ભાગીરથીદેવી દસાણીએ નિવેદન કર્યું. આચાર્યશ્રીએ અણુવ્રત ગ્રહણ કરનારાં સ્ત્રી-પુરુષને અન્તર્મુખ થઈને ધ્યાન ધરવાને આદેશ આપ્યો. કેટલીક મિનિટની પૂર્ણ નિસ્તબ્ધતા અને શાંતિ પછી મુનિ શ્રી નગરાજજી સ્વામીએ અહિંસા, સત્ય, અસ્તેય, - બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને લગતી પ્રતિજ્ઞાઓનું ક્રમશ: વાંચન કર્યું અને હાજર રહેલા અણુવ્રતીઓએ પાંચે વાર ઉભા થઈને તે પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરી, આચાર્યશ્રીએ પાંચે વાર તેમને ગ્રહણ કરાવવાની મહાન કૃપા કરી. એ સુંદર, મનોહર અને હૃદયગ્રાહી દશ્યને ખ્યાલ તે નજરે જેનારને જ આવી શકે. હાજર રહેલા નર-નારીઓ મંત્રમુગ્ધ થઈને -આ બધું દશ્ય જોઈ રહ્યા હતા. પછી બીજાં ભાષણ થયાં. બીજા ભાષણ (૧) જીવનનું નૈતિક માપ સુપ્રસિદ્ધ વિચારક, લેખક અને કથાકાર શ્રી જેન્દ્રજીએ પોતાના મનનીય મહત્વપૂર્ણ ભાષણમાં કહ્યું કે આ પ્રસંગે બોલતાં મને લજજાનો અનુભવ થાય છે, લજા સાથે ઈર્ષાનો પણ અણુવતી-સંધમાં મારું નામ આપી શક્યો નથી. આપી શક્યો હતો તે સારું થાત. તેમના ભાગ્યની હું પ્રશંસા કરું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108