Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 41
________________ આબાદ હિંદુસ્તાન! જ્યારે આ બધા માલને હિંદુસ્તાનને વેપાર બિલકુલ પડી ભાગે, ત્યારે જ તેને ઉપરને જકાતને આ ભારે બે દૂર કરવામાં આવ્યા. પરિણામે આખી દુનિયા જ્યારે જોરથી ચાલતા ઉદ્યોગધંધા અને કારખાનાંથી ગાજી રહી છે, ત્યારે એક વાર આખી દુનિયાને પિતાના ઉદ્યોગહુન્નરથી ભાત કરનાર હિંદુસ્તાન માત્ર પોતાનાં ભૂખે મરતાં સંતાનોની કરુણુ ચીસથી જ છવાઈ રહ્યો છે. અને હિંદુસ્તાન એટલે દુનિયાની કુલ વસ્તીના ૨ ભાગની વસ્તીવાળા દેશ. સરકારી નોકરીઓ સો વર્ષ પહેલાં હિંદુસ્તાનના દેશી રાજાઓના સેંકડો દરબારમાં દેશના કેટલાય શક્તિશાળી લોકોને પ્રતિષ્ઠા, મે, લાગવગ અને સમૃદ્ધિ આપનારી નોકરી મળતી, તથા એ રીતે દેશના હજારો લોકોની વિવિધ શક્તિઓને યોગ્ય ક્ષેત્ર મળી રહેતું. મેરેડીથ ટાઉનસેન્ડ લખે છે : “ અત્યારના સાધારણ અંગ્રેજને તો એ વાત સમજાવવી જ મુશ્કેલ છે કે, તેઓએ હિંદુસ્તાનમાં પગ મૂક્યો તે પહેલાં તે દેશના લોકોનું જીવન કેવું આનંદપૂર્ણ હતું. વીસમી સદીની શરૂઆતમાં કોઈ પણ સાહસિક કે મહત્ત્વાકાંક્ષી માણસને પોતાની શક્તિઓ વડે કોઈ પણ પ્રકારની ઉન્નતિ પ્રાપ્ત કરવાનું તે વખતે શક્ય હતું. તેવા માણસને પિતાનું સામર્થ્ય વાપરી બતાવવા માટે આખો દેશ ખુલ્લો હતો. . . શિવાજી જેવો બહારવટિયો મેટ સમ્રાટ થઈ શકત; ગાયકવાડ જે ભરવાડ વડોદરાની રાજગાદી લઈ શકત; રાજાને સામાન્ય હજૂરિય સિંધિયાને રાજવંશ સ્થાપી શકત; એક નાની પલટણને સૂબેદાર મૈસુર જેવા મોટા રાજ્યને સ્વતંત્ર રાજા બની શકત; પહેલે નિઝામ બાદશાહને એક અમલદાર જ હતા. ટૂંકામાં હજારો લોકો સ્વતંત્ર રાજા બની શકતા કે તેમના પ્રતિસ્પર્ધી થઈ શકતા. ઘણુ માણસે નવા ઊભા થતા રાજાને મદદ કરી, મેટા મેટા જાગીરદાર બની શકતા. એમાંને દરેક, યુરોપમાં હવે કોઈને ન મળી શકે તેવી – ભારવાની કે જિવાડવાની, અમીર બનાવવાની કે ભિખારી બનાવવાની, સારામાં સારું કામ કરવાની કે ખરાબમાં ખરાબ કામ કરવાની – ટૂંકામાં કોઈ પણ જાતના કાયદાથી પર થઈને મરજીમાં આવે તે કામ કરવાની અદ્ભુત સત્તા માણવાને શક્તિમાન થતું. . . . લોકોનું જીવન અભુત પરાક્રમ અને વિવિધ પરિવર્તનથી રસયુક્ત હતું. કેઈ પણ સાહસિક માણસ એક નાનકડી ટોળો ઊભી કરી. કાંઈક બહાદુરીભર્યું કામ કરી બતાવી, રાજ્યને વડે જાગીરદાર બનવાની તક મેળવી શકતે. કઈ પણ મહત્ત્વાકાંક્ષી માણસ પોતાની શક્તિ, કળા કે હુન્નર વડે કાઈ મહાન માણસને પ્રસન્ન કરી, એક જ કૂદકે માન, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકત. . . . રાજ્ય માટે ૧. આથી સ્થિતિ કેવી થઈ ગઈ? અંગ્રેજી રાજ્ય પહેલાં હિંદુસ્તાન પાકો માલ પરદેશ મોકલતું, તેને બદલે કાચો માલ પરદેશ મોકલતું થયું અને પરદેશથી પાકા માલની આયાત વધી. હવે નિકાસ વેપારમાં ૭૪ ટકા કાચો માલ પરદેશ ચડે છે, ત્યારે આયાત વેપારમાં ૭૫ ટકા પાક માલ પરદેશથી આવે છે. (૧૯૩૪-૩૫). Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134