Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 103
________________ ૧૮૨ આબાદ હિંદુસ્તાન! રાયબરેલીને ડેપ્યુટી કમિશ્નર મિ. ઇર્વિન જણાવે છે: ૨૦ કે ૩૦ વર્ષ પહેલાં એકર દીઠ જેટલો પાક ઊતરત હતું, તેટલે હવે નથી જ ઊતરતો, એ વાત ઉપર અત્યારે બધા જ પ્રમાણભૂત માણસો એકમત છે. તેનાં ખાસ કારણો: એકને એક ખેતરમાંથી વારંવાર લેવામાં આવતા એકને એક પાક; જંગલોમાંથી લાકડાં ભળતાં બંધ થવાથી લોકોએ બાળવા માંડેલું ખાતર; ખેડાણ જમીન વધવાથી અને ગૌચર જમીન ઘટવાથી ઢોરની વધી ગયેલી કિંમત; તેમની સંખ્યામાં થયેલો ઘટાડે અને તે કારણે ઓછું અને મધું થયેલું ખાતર –એ છે. હવે ગરીબ લોકોને પેટભરીને ખાવાનું મળે છે કે નહિ, તે સવાલના જવાબમાં જણાવવાનું કે, તેમાંના ઘણા મેટા ભાગને સારાં વર્ષો દરમ્યાન, દિવસમાં એક વાર તો ખાવાનું મળે છે. તેમને પેટપૂરતું ખાવાનું મળે છે એમ હું કહી શકતો નથી. જેમ જેમ આપણે હિદી ખેડૂત અને મજૂરની સ્થિતિ વિષે વધુ વિચાર કરીએ છીએ, તેમ તેમ આપણને ચોકકસ ખાતરી થયા વિના નથી જ રહેતી કે, તેમની અને ભૂખમરા વચ્ચે વધુ લાંબુ અંતર નથી....... મેટી મટી જમીનવાળા ખેડૂતે કદાચ, બીજા ધંધાની મદદથી, સારાં વર્ષોમાં તંગી નહિ વેઠતા હોય. પણ નાના નાના ખેડૂતો કે જેમની સંખ્યા ખાસ કરીને માટી છે, તેઓ હંમેશાં ભૂખમરાની અણી ઉપર જ રહે છે... શાહુકાર પાસે કરેલું દેવું જ તેમને તેમાં ગબડી પડતાં બચાવે છે. વાઈસરૉય સાહેબ વિદ્યા ૧૮૩ મેં કરેલી તપાસને પરિણામે જણાવ્યું છે કે, એક ગામમાં ૧૭૩ ભાણસે વચ્ચે ૧૦ કામળા, ૧૬ રજાઈ અને ૨૪ ગોદડીઓ હતી. એટલે કે તેમાંથી પિણ્ ભાગ જેટલા લોકે પાસે શિયાળાની કડકડતી ટાઢમાં સામાન્ય ચાદર સિવાય બીજું કશું એાઢવાનું સાધન હતું નહિ. જોકે મિ. ગાર્ટલને કરેલી તપાસમાં તે ૭૧ માણસ વચ્ચે આઠ કામળા, બે રજાઈ અને ૫ ગોદડીઓ જ માલૂમ પડ્યાં હતાં. બિચારાં ઢોરને તે દાણ દેખવાને જ મળતો નથી. બળદોને પણ દાણ કેમ નથી મળતું એમ મને પૂછો, તે તેને જવાબ એક જ છે કે, “માણસોને જ પૂરતા દાણા નથી મળતા, તો પછી ઢોરને તે ક્યાંથી મળે?” ” ત્યાર બાદ તેમણે ૩૦ ખેડૂતોની આવક અને દેવાના વિગતવાર આંકડા આપ્યા છે. તેમનો સાર નીચે મુજબ છે : ૩૦માંથી માત્ર ૮ ને જ દેવું નથી. બાકીના ૨૦ને ૭૯૪ રૂપિયાનું દેવું છે. તેના ઉપર તેમને ૨૦૨ રૂપિયા એટલે કે ૨૫ થી ૨૬ ટકા લેખે વ્યાજ ભરવું પડે છે. એટલે કે, દરેકને સરેરાશ ૩૬ રૂપિયાનું દેવું છે અને તેના ઉપર ૯ રૂપિયા વ્યાજ ભરવાનું છે. દરેક કુટુંબની આવક ૬૦ રૂપિયા છે. અને માથાદીઠ આવક ૧૦ રૂપિયા છે. ઢોરની સંખ્યા ઘટતી જવાનું કારણ બતાવતાં તે લખે છે. “પશુઓની સંખ્યામાં મેટે ઘટાડો થવાનું તથા તેમની જાત ઊતરતી જવાનું કારણ, દર વર્ષે સતત ઘટતી જતી ગોચર જમીન છે. લેકેની વધતી જતી વસ્તીને Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134