Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02 Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta Publisher: Mahavir Jain Vidyalay Catalog link: https://jainqq.org/explore/034352/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત શ્રી યોગદષ્ટિસમુચ્ચય યો: શત્પતિ સવિવેચન શ્રેષ્ઠ:, ચોશિંતામUિT: પર: | શ્રી હરિભદ્રસૂરિ ( ભાગ - ૨) : વિવેચન કર્તા: ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા : પ્રકાશક: શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. મૂલ્ય રૂપિયા ૨૫૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગરચંદ ગઢેચા માનદ્ મંત્રીશ્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. Email: headoffice@smjv.org પ્રાપ્તિ સ્થાનો ઃ (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. ફોન નં. ૦૨૨-૨૬૭૧૮૬૪૧ Email: headoffice@smjv.org (૨) શ્રી મહાવીર જૈન વિદ્યાલય હીલ ડ્રાઈવ, તળાજા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨. ફોન નં. ૦૨૭૮-૨૫૬૩૯૬૯, Email: bhavnagar@smjv.org પહેલી આવૃત્તિ ઃ ઈ.સં. ૧૯૫૦ – વિ.સં. ૨૦૦૬ વીર નિર્વાણ સંવત ઃ ૨૪૭૫ દ્વિતીય આવૃત્તિ ઃ ઈ.સં. ૧૯૭૮ – વિ.સં. ૨૦૩૪ વીર નિર્વાણ સંવત : ૨૫૦૩ તૃતીય આવૃત્તિ : ભાગ - ૨ ઈ.સં. ૨૦૧૮ – વિ.સં. ૨૦૭૪ વીર નિર્વાણ સંવત : ૨૫૪૩ કિંમત ઃ ૨૫૦ નકલ : ૫૦૦ મુદ્રક : વિનાયક પ્રિન્ટર્સ વિજ્ઞાપન ભવન, તાર ઑફિસ સામે, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. (મો.) ૯૯૭૯૨૦૬૦૬૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિધાતીર્થ વિધાલય - શ્રી મહાવીર જૈન વિદ્યાલય પંજાબ કેસરી આચાર્યશ્રી પ.પૂ. વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશિષ સહ આજથી ૧૦૦ વર્ષ પૂર્વે વિ.સ. ૧૯૭૦, ફાગણ સુદી પાંચમને સોમવાર, તા. ૦૨/૦૩/૧૯૧૪ના શુભ દિવસે "શ્રી મહાવીર જૈન વિદ્યાલય”ની મંગલ સ્થાપના કરવામાં આવી. પૂ. ગુરુદેવે જોયું કે ગુજરાતના નાના ગામો અને શહેરોમાં યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત ન હતી. ઉચ્ચ અભ્યાસની તીવ્ર ધગશવાળા ઉચ્ચ ગુણાંક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ લક્ષમાં લઈને આપણા સમાજના યુવાધનના ઉચ્ચ અભ્યાસની સગવડતા ઉભી કરવાના ધ્યેય સાથે પૂ. ગુરુદેવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી. પૂ. ગુરુદેવના મનમાં ઉચ્ચ અભ્યાસ માત્ર બૌધિક વિકાસ માટે જ નહી પરંતુ વિદ્યાપિપાસુના સર્વગ્રાહી વિકાસનું કારણ બને તેજ વિચારોથી પૂ. ગુરુદેવે ઉચ્ચ વ્યવાહરિક અભ્યાસ સાથે ધાર્મિક સંસ્કારના સિંચનના અભ્યાસને સંલગ્ન કર્યા. સંસ્થાની સ્થાપના સમયે ત્રણ મૂળભૂત મુદ્દાઓ વિચારવામાં આવ્યા હતા. રાત્રિભોજન નિષેધ, અભક્ષ્યનો ત્યાગ અને જિનપૂજા સાથે ધાર્મિક અભ્યાસ વિગેરે ધ્યાનમાં રાખીને પંદર વિદ્યાર્થીઓ સાથે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” ૧૯૧૫માં ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું. જે આજે વટવૃક્ષરૂપી ગુજરાત-મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનનાં મુખ્ય શહેરોમાં ૧૨ શાખાઓ, ૧૬૦૦ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓથી અધિક અભ્યાસ કરી શકે તેવી અદ્યત્તન સુવિધાઓ સાથેના વિદ્યાર્થીગૃહો | કન્યા છાત્રાલયો કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા વિદ્યાલયે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન નામનું નવું ટ્રસ્ટ રચી વડોદરા મુકામે એમ.બી.એ. કોલેજ શરૂ કરેલ છે. આપણા સમાજના યુવાધન ઉચ્ચ પ્રોફેશનલ શિક્ષણથી આર્થિક કારણોસર વંચિત ન રહે તે માટે વગર વ્યાજની લોન સહાય યોજના ચાલુ છે. આ યોજના હેઠળ વિદ્યાલય દ્વારા ભારત અને પરદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે. જૈન સાહિત્ય અને પ્રકાશનને ઉત્તેજન :(૧) સંસ્થા દ્વારા જૈન ધર્મના પુસ્તકોના પ્રકાશનને ઉત્તેજન મળે તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા આગમના ગ્રંથો તૈયાર કરવામાં આવે છે. તેમજ અન્ય પુસ્તકોનું પ્રકાશન પણ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. સાદી અને સરળ ભાષામાં વિવેચનાત્મક અને સંશોધનાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પ્રકટ કરવાની સમયદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અને સંસ્થાના અનેકમુખ ઉત્કર્ષના પૂરસ્કર્તા સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાની ભાવના હતી અને આ માટે સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાએ ગ્રંથમાળાના સંપાદન કાર્યની શરૂઆત કરી અને આજદિન સુધીમાં ૯ પુસ્તકો તથા શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ (સંગ્રાહક અને સંપાદક) ગ્રંથમાળાના જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૧૦ અને અન્ય સાત પુસ્તકો તથા મુનિશ્રી નંદિઘોષ વિજયજી પ્રકાશિત બે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. (૨) જૈન સાહિત્યનો પ્રસાર, પ્રચાર અને ઉત્તેજન મળે તે માટે આજ દિન સુધીમાં ૨૩ જૈન સાહિત્ય સમારોહનું જુદા જુદા સ્થળે આયોજન કરવામાં આવેલ છે. વિધાલયની શાખાઓ : મ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં. ઈ-મેઈલ આઈ.ડી ૧૯૨૫ ૧૫ વિદ્યાર્થીઓ સાથે સને ૧૯૧૫માં શરૂ થયેલા શ્રી મહાવીર જૈન At present under વિદ્યાલય, ગોવાલિયા ટેન્ક પર સંસ્થાના મકાનમાં ભાવનગર રાજ્યના redevelopment દીવાન સર પ્રભાશંકર પટનીના શુભ હસ્તે તા. ૩૧/૧૦/૧૯૨૫ “શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ” ૧૯૪૬ શ્રી ભોળાભાઈ જેસીંગભાઈ વિધાર્થીગૃહ, પાલડી બસ સ્ટેન્ડ સામે, પાલડી,| ahmedabad@smiv.org અમદાવાદ-૩૮૦૦૦૬. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૫૭૯૯૫૩, ૨૬૫૮૪૩૫૨. ૧૯૪૭ શ્રી મહાવીર જૈન વિદ્યાલય | શ્રી ભારત જેન વિધાલય pune@smjv.org આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧૦૦૪. ટેલિફોનઃ (૦૨૦) ૨૫૫૧૨૨૬. ૧૯૫૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગૃહ, આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, | vadodara smiv.org વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૩૨૪૬૮. ૧૯૬૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગણ, પંચાયત કાર્યાલય નજીક, vidyanagar@smjv.org વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦. ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૦૨૧૧. ૧૯૭૦ શ્રી મણીલાલ દુર્લભજી વિધાર્થીગૃહ, હીલ ડ્રાઈવ, તળાજા રોડ, bhavnagar@smjv.org ભાવનગર-૩૬૪૦૦૨. ટેલિફોનઃ (૦૨૭૮) ૨૫૬૩૯૬૯. ૧૯૭૨ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી વિધાર્થીગૃહ andheri @smjv.org જુહુ લેન, વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ટેલિફોનઃ (૦૨૨) ૨૬૭૧૮૬૪૧, ૨૬ ૨૪૧૪પ૭. Page #4 -------------------------------------------------------------------------- ________________ ક્રમ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં. ઈ-મેઈલ આઈ.ડી. ૧૯૯૪ શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા કન્યા છાત્રાલય ahmedabad@smjv.org શ્રી નિકેતન, દશા પોરવાડ સોસાયટી, આયંબિલ ભવન પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦0૭. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૬૫૧૬૨૭. ૯ | ૨001 ડો. યાવન્તરાજ પુનમચંદજી અને શ્રીમતી સંપૂણ જેન વિધાર્થીગૃહ | udaipur@smjv.org ચિત્રકૂટ નગર, ભુવાણા, પ્રતાપનગર બાયપાસ, ઉદયપુર-૩૧૩001, (રાજસ્થાન). ટેલિફોનઃ (૦૨૯૪) ૨૪૪૦૩૭૭. ૨00૪ શ્રી વાડીલાલ સારાભાઈ વિધાર્થીગૃહ – સેન્ડહર્ટ રોડ શાખા sandhurst @smjv.org C/o. શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન વાડી, ૪થા માળે, ૯૯/૧૦૧, કેશવજી નાયક રોડ, ચીંચ બંદર, મુંબઈ-૪૦૦૦0૯. ટેલિફોનઃ (૦૨૨) ૨૩૭૭૮૧ ૨૪ ૨૦૦૫ શ્રીમતી નલિનીબેન પ્રવીણચંદ્ર જમનાદાસ ચાંગાણી કન્યા છાત્રાલય |vidyanagarko@smjv.org પો.બો. નં. ૨૫, પંચાયત કાર્યાલય નજીક, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦. ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૨૪૫૫ ૨૦૦૬ સૌ. શોભાબેન રસિકલાલ ધારીવાલ કન્યા છાત્રાલય punekc@smjv.org આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧00૪. ટેલિફોનઃ (૦૨૦) ૨૫૬૬ ૧૮૯૫. ૨૦૦૯ શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન cksvim@gmail.com શ્રી સી. કે. શાહ વિજાપુરવાળા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, Website : www.eksvim.edu.in આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૮૩૨૮/૨૯, ૦૮000૬૩૧૫૧૭/૧૮૧૯ ૨૦૧૭ શ્રીમતી ચન્દ્રકાબેન પ્રવિણભાઈ મહેતા, હીરાબા કન્યા છાત્રાલય vadodara @smjv.org આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૪૨૯૯ ઉદ્દેશો અને અમલીકરણ તેમજ એકવીસમી સદી તરફ પ્રયાણ : શરૂઆતમાં જે મૂળભૂત નિયમો ઘડવામાં આવ્યા હતા તે અનુસાર આજ રીતે આજે દશ દાયકાથી સંસ્થા મક્કમપણે એકવીસમી સદી તરફ આગળ વધી રહી છે. જેમાં નીચેના મૂળભૂત નિયમો અમલમાં છે. (૧) દરેક શાખામાં વિદ્યાર્થીઓ નિયમિત જિનપૂજા કરી શકે તે માટે મુંબઈ, અંધેરી, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, ઉદેપુર, ભાવનગર તેમજ પૂના મુકામે શિખરબંધી દેરાસરજી બનાવેલ છે. જ્યારે સેન્ડહર્ટ રોડ શાખામાં ઘર દેરાસર છે. અમદાવાદ તથા વડોદરા મુકામે વિદ્યાર્થીગૃહનું નવનિર્માણની શરૂઆત થયેલ છે. આ બંને જગ્યાએ નૂતન જિનાલય નિર્માણાધીન છે. (૨) ધાર્મિક અભ્યાસક્રમ માટે દરેક શાખામાં ધાર્મિક શિક્ષકો દ્વારા ધાર્મિક અભ્યાસના વર્ગો ચલાવવામાં આવે છે. નિયમિત ધાર્મિક પરિક્ષાઓ લેવામાં આવે છે અને પ્રોત્સાહનરૂપે વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવે છે. (૩) વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવાસ, ડેવલપમેન્ટ શિબીરો, ઉગ્ર તપશ્ચર્યાઓને પ્રોત્સાહન માટે સુવિધાઓ આપવામાં આવે છે. (૪) વિદ્યાર્થીઓના વ્યકિતગત અને વ્યકિતત્વના વિકાસ માટે સ્પર્ધાઓ, રમત-ગમત તેમજ વ્યાયામના સાધનો ઉપલબ્ધ હોય છે અને સેમીનારો ગોઠવવવામાં આવે છે. (૫) શાખાના વિદ્યાર્થીઓ દ્વારા “આંતર શાખા હરિફાઈ યોજવામાં આવે છે. અને પ્રોત્સાહન રૂપે ઈનામો આપવામાં આવે છે. (૬) વિદ્યાર્થીઓને “જનરલ નોલેજ માટે શાખાઓમાં ન્યુઝ પેપર્સ, મેગેજીન રેફરન્સ બુકસ સારા પુસ્તકો તેમજ લાઈબ્રેરીઓ સ્થાપવામાં આવી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ૧૦૨ વર્ષ દરમ્યાન, સમાજના અંદાજે ૨૦000 વિદ્યાર્થીઓને વિદ્યાના અમૃતનું પાન કરાવી કાર્યદક્ષ અને સ્વાશ્રયી બનાવ્યા અને તેમના જીવનને સેવાભાવના, ધાર્મિકતા તેમજ સંસ્કારિતાથી સુવાસિત બનાવ્યા. ઉછરતી પેઢીને વિદ્યાનું અને પ્રેરણાનું પાન કરાવીને સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સંસ્કારી બનાવનારી વિદ્યાલયની આ મહાપરબ અત્યારે પણ અવિરતપણે ચાલી રહી છે. સમાજના કલ્યાણબંધુ મહાનુભાવો અને પૂણ્યમાર્ગના પ્રવાસીઓ ! ઉદાર આર્થિક સહકારરૂપી આપની ભાવનાનાં નીર આ મહાપરબમાં નિરંતર ઉમેરતા રહેશો! આપની ઉદારતા આપને ધન્ય બનાવશે અને સમાજને સમૃદ્ધ બનાવશે. આવો બેવડો લાભ લેવાનું રખે કોઈ ચુકતા ! જ્ઞાન પ્રસાર દ્વારા સમજણને વિસ્તારવાનો જે પુરૂષાર્થ કરે તે જગતનો મોટો ઉપકારી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આવા પુરૂષાર્થ દ્વારા સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સુખી બનાવવાનું વિનમ્ર જીવન વ્રત સ્વીકાર્યું છે એ વ્રત પાલનમાં સહાયક થશે તે કૃતકૃત્ય થવાની સાથે સમાજ કલ્યાણના સહભાગી બનશે. સૌને સથવારે આપણે તન, મન અને ધનથી વિદ્યાલયની સેવામાં અહર્નિશ ઉભા રહીએ અને યુગપુરૂષના આશિષસહ, ભવ્ય ભૂતકાળના સહારે સુંદર વર્તમાનની કેડી પર કદમ મિલાવી ઉત્કૃષ્ટ ભવિષ્યનું સ્વપ્ન સિધ્ધ કરીએ એજ અભ્યર્થના... Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જિનશાસન અનુસાર જીવનું મુખ્ય લક્ષ્ય પરમાનંદસ્વરૂપ મોક્ષ પામવાનું છે. આ પદ પામવા મુમુક્ષુઓએ યોગ અને અધ્યાત્મની સાધનાના માર્ગે વિકાસ સાધવાનો છે. જ્ઞાન સંપાદનની સાધના વિરલ ગ્રંથોના અધ્યયન અને યોગથી જ થાય છે. આ માટે આચાર્ય પ્રવરોએ અનુગ્રહ કરી સ્વાધ્યાય માટે અનેક ગ્રંથો આપ્યા છે. પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી રચિત યોગદૃષ્ટિસમુચ્ચય એ સૌમાં શિરમોર સમાન છે. આત્માના ક્રમિક વિકાસની કેડી આ ગ્રંથ દ્વારા મુમુક્ષુઓના લાભાર્થે ચીંધવામાં આવી છે. સાધકવર્ગ આ ગ્રંથના મર્મને પામે એ માટે વર્ષો અગાઉ માનનીય સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાએ સુંદર વિવેચન કર્યું હતું. આને શેઠશ્રી મનઃસુખભાઈ તારાચંદ મહેતાએ સ્વ. શ્રીમતી લીલાવતીબહેનના સ્મરણાર્થે ગ્રંથ સ્વરૂપે વર્ષ ૧૯૫૦માં (પ્રથમ આવૃત્તિ) પ્રકાશિત કર્યું. વિવેચક સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાના પિરવારમાં હાલ કોઈ નથી. પ્રકાશક સ્વ. શેઠશ્રી મનઃસુખભાઈ તારાચંદ મહેતાના પિરવારમાં તેમના સુપુત્રી કોકિલાબહેન વિ. પારેખ તથા શ્રીમતી અરૂણાબહેને શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ધાર્મિક દૃષ્ટિએ મહત્તા જાણી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એને ફરીથી પ્રકાશિત કરવાની ઉદાર ભાવના સાથે સંમતિ આપેલ છે. જેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી, શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. આ ઉમદા કાર્ય માટે શ્રી સંઘના અમે અત્યંત આભારી છીએ. શ્રી ગીતાર્થ ગંગાના અનેક ગ્રંથોના વિવેચનકર્તા પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર મોતાજીનો આભાર માનીએ છીએ કે એમણે એમના પ્રકાશિત ગ્રંથમાંથી “ભેદ પ્રભેદ વૃક્ષ” કોષ્ટક આ પ્રકાશનમાં છાપવાની અનુમતિ આપી છે. પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહના અને પ્રુફ રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણીકભાઈ કીર્તિભાઈ શાહના ઋણિ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. જિનશાસનની પ્રભાવનાના કાર્ય રૂપે જિનાગમો તેમજ જૈન તત્ત્વજ્ઞાનને લગતાં અનેક પુસ્તકોનું પ્રકાશન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય જ્ઞાન પ્રસારનું કાર્ય કરે છે. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ત્રીજી આવૃત્તિ પ્રકાશન કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોના જીવનમાં આ ગ્રંથ કલ્યાણનું કારણ બને, આધ્યાત્મિક મુમુક્ષુઓનો વિકાસ થાય અને આંતરપ્રકૃત્તિ વિકસાવી સૌ સમતા પ્રાપ્ત કરે એવી શ્રધ્ધા સહ... સ્થળ : મુંબઈ. તા. ૨૯/૦૩/૨૦૧૮ શ્રી મહાવીરસ્વામી જન્મકલ્યાણક દિન લિ. ભવદીય હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગરચંદ ગઢેચા માનદ્ મંત્રીશ્રીઓ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ વિવેચનકારનું મંગલાચરણ યોગદૃષ્ટિ કળશકાવ્ય માલિની જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનું, ગણધર-હર શીર્ષે ઊર્ધ્વ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેવ્ય સુરો નરોને, ભગવતા શ્રુતગંગા રક્ષકો તે અમોને ! પ્રશમરસ ઝરંતી આત્મબ્રાંતિ હરતી, જગત હિત કરતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવસુખ જનની તે વંદું જૈનેન્દ્ર વાણી અનુષ્ટપુ અનંતા સંતમાં એક, વિલસતતી સંતતા; સુધાસિંધુ સમી તેને, મનોગંદન વંદના. | ઉપજાતિ ઊંચા ચિદાકાશ વિષે ઉડતા, હે હંસ ! હેજાત્મ સ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો, | મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના, રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મતણા ગુણોના, યોગી તમે આત્મ અનુભવોના. હદે સ્મરી સદ્ગુરુરાજ એવા, શ્રીમદ્ હરિભદ્રસૂરીંદ્ર દેવા; સવૃત્તિ તેની અનુવર્તવાને, ઇચ્છી વિવેચું કંઈ એક સ્થાને. સલ્ફાસ્ત્ર વિવેચનકારિણી આ, ટીકા કરું સુમનનંદની આ, ને યોગદષ્ટિ કળશો કરું છું, યોગામૃત સંભૂત તે ધરું છું. ६अ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્લોક નં. ૮૬ ૮૭ ૮૮-૮૯ ૯૦ ૯૧-૯૨ ૯૩-૯૪ 6-2-h-2 ૯૮ 22 ૧૦૨-૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭-૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૦૦-૧૦૧ અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિનો ઉપાય : ૧૧૧-૧૧૨ ૧૧૩-૧૧૪ ૧૧૫ ૧૧૬-૧૧૭ ૧૧૮ અનુક્રમણિકા વિષય ૧૧૯ ૧૨૦ ૧૨૧-૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ અવેદ્યસંવેદ્યપદ જિતાયું છે તેના લિંગો કુતર્કનું સ્વરૂપ અવેદ્યસંવેદ્યપદને જીતવાનો ઉપાય કુતર્કની અસારતા કુતર્કનું સ્વરૂપ કુતર્કમાં પ્રવર્તતા અનુચિત વિકલ્પો દેષ્ટાન્તમાત્રના આલંબનથી કુતર્કની પ્રવૃત્તિ શુષ્ક તર્કથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિ આગમથી અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિ આગમ, અનુમાન અને યોગનો અભ્યાસ સર્વજ્ઞના વિષયમાં ૫૨માર્થથી સર્વજ્ઞના ભિન્ન અભિપ્રાયનો અભાવ અને મોહથી સર્વજ્ઞના ભેદનું આશ્રયણ સામાન્યથી સર્વ દર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક વિશેષથી છદ્મસ્થને સર્વજ્ઞનો અનિર્ણય સામાન્યથી સર્વજ્ઞના ઉપાસકનું સ્વરૂપ સર્વ દર્શનકારો દુરાસન્ન ભેદથી એક સર્વજ્ઞના ઉપાસક બુદ્ધ-કપિલાદિ નામભેદ હોવા છતાં સર્વજ્ઞમાં ભેદનો અભાવ દેવવિષયક ચિત્રભક્તિ અને અચિત્રભક્તિનું સ્વરૂપ ચિત્રભક્તિ અને અચિત્રભક્તિ કરનારા જીવોના ભેદ અને સ્વરૂપ સંસારી દેવોમાં ચિત્રભક્તિ થવાનું કારણ ઈષ્ટાપૂર્ત કર્મોમાં લોકોના જુદા-જુદા પ્રકારના અધ્યવસાય ઈષ્ટકર્મ અને પૂર્તકર્મનું સ્વરૂપ સમાન પણ અનુષ્ઠાનમાં અધ્યવસાયના ભેદથી ફળભેદ અને ફળપ્રાપ્તિ પ્રત્યે અધ્યવસાયની પ્રધાનતા અનુષ્ઠાનમાં અધ્યવસાયનો ભેદ થવાનુ કારણ સમાન પણ અનુષ્ઠાનમાં બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહથી ફળભેદ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનું સ્વરૂપ અને ભેદમાં દૃષ્ટાંત સદનુષ્ઠાનનું લક્ષણ બુદ્ધિપૂર્વકના કરાયેલા ધર્માનુષ્ઠાનથી સંસારફળની પ્રાપ્તિ જ્ઞાનપૂર્વકના કરાયેલા ધર્માનુષ્ઠાનથી મોક્ષફળની પ્રાપ્તિ અસંમોહપૂર્વક કરાયેલા ધર્માનુષ્ઠાનથી શીઘ્ર મોક્ષફળની પ્રાપ્તિ અસંમોહપૂર્વક ધર્માનુષ્ઠાન કરનારા જીવોનું સ્વરૂપ ભવથી અતીત માર્ગમાં જનારા સર્વ દર્શનકારોનો એક શમપરાયણ માર્ગ પાના નં. ૩૨૩ ૩૨૫ ૩૨૯ ૩૩૩ ૩૩૪ ૩૩૯ ૩૪૧ ૩૪૫ ૩૪૮ ૩૪૯ ૩૫૩ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૬૦ ૩૬૨ ૩૬૫ ૩૬૬ ૩૬૮ ૩૭૧ ૩૭૨ ૩૭૫ ૩૭૬ ૩૭૮ ३७८ ૩૮૧ ૩૮૫ ૩૮૬ ૩૮૯ ૩૯૨ ૩૯૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૩૯૮ ૪૦૫ ४०८ ૪૧૪ ૪૧૮ ૪૨૧ ૪૨૪ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ શ્લોક નં. વિષય ૧૨૯ થી ૧૩૧ પરતત્ત્વનું સ્વરૂપ, એને કહેનારા ભિન્ન-ભિન્ન દર્શનોનાં નામો અને એના લક્ષણ ૧૩૨-૧૩૩ સર્વ દર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ - તેનો સ્વીકારના કારણો ૧૩૪-૧૩૫ કપિલ અને સુગત સર્વજ્ઞ હોવા છતાં દેશનાભેદનું કારણ ૧૩૬-૧૩૭ તીર્થંકરની એક દેશનાથી શ્રોતાના ભેદથી બોધનો ભેદ ૧૩૮ નયભેદથી કપિલ-સુગત આદિ ઋષિઓની દેશનાનો ભેદ ૧૩૯ અન્ય દર્શનકારોના દેશનાભેદના પરમાર્થને જાણ્યા વગર તેના નિરાકરણમાં દોષપ્રાપ્તિની યુક્તિ ૧૪૦-૧૪૨ કોઈપણ દર્શનકારના કથનના અભિપ્રાયને જાણ્ય વગર તેના નિરાકરણમાં દોષપ્રાપ્તિના કારણો ૧૪૩ અતીન્દ્રિય પદાર્થ વિષયમાં છમના વિવાદમાં અનર્થકારિતા ૧૪૪ અનુમાનથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિ ૧૪૫ અનુમાનથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિમાં ભર્તુહરીની દલીલ ૧૪૬ હેતુવાદથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિના કારણો ૧૪૭-૧૮૮ મુમુક્ષુ માટે શુષ્ક તર્ક ત્યાજ્ય અને એના સ્વીકારના કારણો ૧૪૯-૧૫૨ ધર્મના વિષયમાં શુષ્ક તર્કને છોડીને બુદ્ધિમાનોએ કરવા યોગ્ય ઉચિત પ્રવૃત્તિઓ ૧૫૩ દીપ્રા દૃષ્ટિનો ઉપસંહાર શ્લોક ૧૫૪ થી ૧૬૧ સુધી સ્થિરા દૃષ્ટિનું નિરૂપણ ૧૫૪ સ્થિરા દષ્ટિનું સ્વરૂપ ૧૫૫-૧૫૭ ગ્રન્થિભેદથી દેખાતું ભવનું અને મોક્ષનું સ્વરૂપ ૧૫૮ સમ્યગૃષ્ટિ જીવનો વિવેકપૂર્વકનો પ્રત્યાહાર ૧૫૯-૧૬૧ સમ્યગુષ્ટિ જીવોનું ઉત્તમ શ્રુતપ્રધાન આલોચનનું સ્વરૂપ શ્લોક ૧૬૨ થી ૧૬૯ સુધી કાન્તાદેષ્ટિનું નિરૂપણ ૧૬૨-૧૬૩ કાન્તાદૃષ્ટિનું સ્વરૂપ ૧૬૪ આક્ષેપક જ્ઞાનના કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને ભોગો પણ ભવના અહેતુ ૧૬૫-૧૬૬ ભોગકાળમાં પણ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓની અસંગ પ્રવૃત્તિનું સ્વરૂપ ૧૬૭-૧૬૮ ભોગમાં પરમાર્થ બુદ્ધિવાળા જીવોને ધર્મની પ્રવૃત્તિથી પણ મોક્ષમાર્ગની અપ્રાપ્તિ ૧૬૯ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓની મીમાંસાથી સદા હિતની પ્રાપ્તિ શ્લોક ૧૦૦ થી ૧૦૦ સુધી પ્રભાષ્ટિનું સ્વરૂપ ૧૭) પ્રભાષ્ટિનું સ્વરૂપ ૧૭૧ તત્ત્વપ્રતિપત્તિ ૪૩૭ ૪૪૨ ૪૫૩ ૪૬૧ ४८७ ૪૯૫ ૫૧૩ ૫૨૬ ૫૩૧ ૫૩૮ પ૪૬ પપપ ૫૬૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્લોક નં. ૧૭૨ ૧૭૩-૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧-૧૮૨ ૧૮૩-૧૮૪ ૧૮૫-૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦-૧૯૧ ૧૯૨-૧૯૭ ૧૯૮-૨૦૩ ૨૦૪-૨૦૬ ૨૦૭-૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫-૨૧૮ ૨૧૯-૨૨૧ ૨૨૨ ૨૨૩–૨૨૪ ૨૨૫ ૨૨૬-૨૨૭ ૨૨૮ વિષય સુખ-દુઃખનું તાત્ત્વિક લક્ષણ પુણ્યના સુખની અનિત્યતા અને ધ્યાનના સુખની નિત્યતા અસંગ અનુષ્ઠાનમાં સત્ પ્રવૃત્તિપદ અસંગ અનુષ્ઠાનોના જુદા-જુદા દર્શનકારોના નામો ઉપસંહાર શ્લોક ૧૦૮ થી ૧૮૬ સુધી પરાર્દષ્ટિનું નિરૂપણ પરાર્દષ્ટિનું સ્વરૂપ પરાદષ્ટિમાં રહેલા યોગીઓના નિરાચારપદનું સ્વરૂપ અન્ય દષ્ટિવાળા અને પરાક્રષ્ટિવાળા યોગીઓના ભિક્ષાટનાદિમાં આચારભેદ અસંગભાવથી ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ દૃષ્ટાન્તથી જીવનું, જીવના જ્ઞાનનું અને કર્મના આવરણનું સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી યોગનિરોધ દ્વારા ભવક્ષય મુક્તાત્માનું સ્વરૂપ ભવરૂપ મહાવ્યાધિનું સ્વરૂપ નિરુપચરિત ભવ વ્યાધિના સ્વીકારના કારણો ભવ વ્યાધિથી મુક્તને મુક્તરૂપે સ્વીકારની યુક્તિ ક્ષણિકવાદમાં મોક્ષના અસંભવના કારણો એકાન્ત નિત્યપક્ષમાં મોક્ષની અસંગતિના કારણો વ્યાધિ મુક્તતાના કારણો ગ્રન્થ રચનાનું પ્રયોજન આ ગ્રન્થના અધિકારીનું સ્વરૂપ કુલયોગી અને ગોત્રયોગીનું સ્વરૂપ કુલયોગીનું વિશેષ લક્ષણ પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ આદ્ય અવંચકયોગી આ ગ્રન્થના અધિકારી અહિંસાદિ પાંચ યમોનું સ્વરૂપ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમનું સ્વરૂપ યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકયોગનું સ્વરૂપ આ ગ્રન્થથી કુલાદિ યોગીઓને થતા ઉપકારનું સ્વરૂપ તત્ત્વનો પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ વચ્ચેનું અંતર યોગ્ય જીવોની ગ્રન્થશ્રવણમાં સ્વાભાવિક પ્રવૃત્તિ અયોગ્ય જીવને પ્રસ્તુત ગ્રન્થ ન આપવાના કારણો યોગ્ય જીવને વિધિપૂર્વક પ્રસ્તુત ગ્રન્થ આપવાની વિધિ 卐卐卐 પાના નં. ૫૭૩ ૫૭૫ ૫૭૯ ૫૮૪ ૫૮૬ ૧૯૦ ૫૯૫ ૫૯૯ ૬૦૩ ૬૦૭ ૬૧૩ ૬૨૮ ૬૩૧ ૬૩૮ ૬૪૨ ૬૪૬ ૬૫૪ ૬૬૪ ૬૭૧ ૬૮૧ ૬૮૪ ૬૯૨ ૭૦૩ ૭૦૮ ૭૧૧ ૭૧૭ ૭૩૨ ૭૪૩ ૭૪૫ ૭૪૯ ૭૫૦ ૭૫૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ યો: ઋત્પતિ: શ્રેષ્ઠ:, યોગશ્ચિતામળિ: પર: | યો: પ્રધાન થHTT, યો: સિદ્ધ સ્વયંપ્રદ - શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગબિન્દુ अहो ! अनन्तवीर्याऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्वेव ध्यानशक्तिप्रभावतः ॥ - શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત જ્ઞાનાર્ણવ યોગ કલ્પતરુ શ્રેષ્ઠ છે, ચિન્તામણિ પર યોગ; યોગ પ્રધાન જ ધર્મમાં, સિદ્ધિ સ્વયંવર યોગ અહો ! અનંતવીર્ય આ, આત્મા વિશ્વ પ્રકાશતો; ધ્યાનશક્તિ પ્રભાવે જે, ત્રલોક્યને ચળાવતો. Page #11 -------------------------------------------------------------------------- ________________ દીમાઃિ અઘસવે કુતર્કથહ નિવૃત્તિ (૩ર૩) વિષમ કુતર્કગ્રહ નિદા અધિકાર એટલા માટે જયલિંગે (જયના ચિહ્નો) કહે છે– जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥८६॥ એહ છંતાતાં નિયમથી, તત્વથી નરને સાવ સ્વયં નિવર્સે ગ્રહ સામે, વિષમ કુતર્ક ભાવ, ૮૬. અર્થ—અને આ અવેવસવેદ્યપદનો જય કરાતાં નિયમથી મનુષ્યને કુતર્ક વિષમ ગ્રહ તત્વથી અત્યંતપણે આપોઆપ નિવૃત્ત થાય છે–ટળે છે. વિવેચન તે છતે સહેજે ટળેજ, વિષમ કુતક પ્રકાર; દર નિકટ હાથી હણેજી, કરે એ બઠર વિચાર...મનમોહન”—શ્રી. એ દ. સ. ૪-૧૧ અને આ અદ્યસંવેદ્યપદ કે જે મહામિથ્યાત્વનું કારણ છે, અને પશુપણા આદિ શબ્દથી વાચ-ઓળખાવા યેચું છે, તે જ્યારે છતાતું જાય છે ત્યારે પરમાર્થથી પુરુષને વિષમ કુતર્કરૂપ ગ્રહ પોતાની મેળે જ ચેકસ નિતી જાય છે. ઉપમહામિથ્યાત્વ રમાં અત્યંત વિસ્તારથી અવેધસંવેદ્યપદનું વર્ણન કર્યું, તે ઉપરથી નિબંધન સ્પષ્ટ છે કે મહામિથ્યાત્વનું કારણ જે કઈ હોય, તે તે અવેદ્ય સંવેદ્યપદ જ છે. તેના પ્રભાવથી જ જીવ અનાત્મજ્ઞ હોય છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ધરે છે, સ્વ-પરને એકત્વ અધ્યાસ કરે છે, દેહને જ આત્મા માની આત્માનું ભાન ભૂલી જાય છે, સને અસત્ અને અસત્ સત્ ચિંતવે છે. ઈત્યાદિ પ્રકારે ગાઢ મિથ્યાપણાનું-અસત્પણાનું કારણ આ અદ્યસંવેદ્ય પદ છે. અને આવા અબૂઝપણાને લીધે જ એને પશુપણું, ગમારપણું, અબૂઝપણું, મૂઢપણું ઇત્યાદિ નામ છાજે છે. કારણ કે “પશુ જેવા અબૂઝનું જ્ઞાન બાહ્ય પદાર્થોથી સર્વથા પીવાઈ જાય છે ને નિજ દ્રવ્યક્તિ અર્થાત્ સ્વસ્વરૂપનું પ્રગટપણું છોડી દીધાથી ખાલી થતું જાય છે. આમ પર રૂપમાં જ વૃત્તિ-ગીયમને જ નિયમતસ્મિન–અને આ અસંવેદ્ય પદ નિયમથી છતાતાં; એટલે કે આ મહામિથ્યાત્વના નિબંધનરૂપ, પશુત્ર આદિ શબ્દથી વાય એવું અદ્ય પદ છતાતી વેળાએ, Rવર:-તરવથી, પરમાર્થથી, ઝૂનાં-નરોને, પુરુષોને, નિરવર્તતે થતદ-સ્વત: નિતે છે, આત્માથી જ પોતાની મેળે જ, પરના ઉપદેશ વિના નિવ' છે. ટળી જાય છે-નિમિત્તના અભાવે નૈમિત્તિકના અભાવને લીધે. અત્યંતં-અત્યંતપણે, સમજ્ઞાનયોગને લીધે, આગમ પ્રામાણ્યના જાણપણું થકી. જીતપિનાક-કતકરૂ૫ વિષમ ગ્રહ -દષ્ટ એવા અપાય હેતુપણાથકી. ( અપાય હતપણું પ્રગટ દીઠામાં આવતું હોવાથી. ) ગ્રહ જેવો ગ્રહ (ગ્રહ સૂર્ય ચંદ્રાદિ, અથવા ભૂત-પિશાચ, અથવા મગર.) Page #12 -------------------------------------------------------------------------- ________________ (૩૨૪) થાગદષ્ટિસમુરચય વિશ્રાંત થયેલું પશુનું જ્ઞાન તરફથી સદાય છે. પણ જે ત–તે છે, તે તત્ અહી સ્વરૂપથી છે, એવું સ્વાદુવાદીનું જ્ઞાન તે અત્યંત-ઉન્મગ્ન ઉપર તરી આવતા ઘન સ્વભાવભરથી પૂર્ણ થઈ સમુન્સજજન પામે છે, ઉલસી આવી–ઉપર તરતું રહે છે.” આવું અબૂઝ-ગમાર પશુપણા જેવું મિથ્યાત્વકારણ અવેવસંવેદ્યપદ જેમ જેમ છતાય છે, તેમ તેમ તે મિથ્યાત્વને આધીન–તે મિથ્યાત્વથી જ ઉદ્ભવતા એવા વિષમ કતકરૂપ ગ્રહે પોતાની મેળે જ નિવતી જાય છે, દૂર થાય છે, કારણ મિથ્યાત્વજયે કે નિમિત્તનો અભાવ થાય એટલે નિમિત્તિકને અભાવ થાય જ એવો નિયમ કુતર્ક ગ્રહ છે. કુતર્કોનું જન્મસ્થાન મિથ્યાત્વ છે. એટલે જેવું મિથ્યાત્વ દૂર થાય, નિવૃત્તિ કે તેની સાથોસાથ જ કુતર્ક પણ ચાલ્યો જાય છે, કારણ કે મૂળ કારણ નિમૂલ થતાં ઉત્તર કારણ નિમૂલ નિરાધાર થાય છે. મુખ્ય આધાર સ્થંભ તૂટી પડતાં જેમ મકાન જમીનદોસ્ત થાય છે, તેમ મિથ્યાત્વનો આધાર તૂટી પડતાં કુતકની ઈમારત એકદમ તૂટી પડે છે. કુતર્કના હવાઈ કિલા (Castles in the air) ઝપાટાબંધ ઊડી જાય છે. જેમ રાજા છતાઈ જતાં આખી સેના છતાઈ જાય છે, તેમ મિથ્યાત્વને જય થતાં તેના પરિવારરૂપ કુતક–સેના પણ જીતાઈ જાય છે. અને આમ આ કુતર્ક નષ્ટ થાય છે તે આપોઆપ જ, પિતાની મેળે જ; એમાં પછી બીજાના ઉપદેશની પણ જરૂર રહેતી નથી. કુતર્ક એટલે કુત્સિત તર્ક, અસત્-બેટા તક, જે સ્વરૂપથી પોતે જ દુષ્ટ છે, ખોટા છે, અસત્ છે, મિથ્યા છે તે કુતર્ક. આ કુતકને ગ્રહ એટલે કુટિલ આવેશરૂપ પકડ, અભિનિવેશ “વિષમ' કહ્યો તે યથાર્થ છે. કારણ કે તે ખરેખર વસમો છે. જીવને હેરાન હેરાન કરી મૂકે છે; વળી તે કુતર્કનું કોઈ જાતનું ઠેકાણું નથી, ઢંગધડો નથી, આમ પણ કૂદે ને તેમ પણ કુદે, વાણીઆની પાઘડી જેમ ગમે તેમ ફેરવાય ! બેટાનું સાચું ને સાચાનું ખોટું કરવું એ એનું કામ છે. ઇત્યાદિ પ્રકારે કુતર્કનું વિષમપણું પ્રગટ છે. આવા કુતકને વિષમ “ગ્રહ ની ઉપમા અનેક પ્રકારે ઘટે છે:–(૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી વસમો થઈ પડે છે, નડે છે, તેમ કુતરૂપ દુષ્ટ ગ્રહ મનુષ્યને હેરાન વિષમ “ગ્રહ’ હેરાન કરી નાંખી વસમો પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા જે કુતર્ક રાહુ જે પાપગ્રહ જેમ ચંદ્રને ગ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ કુતકરૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને ગ્રસી લઇ તેને અત્યંત + "बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्वितिं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनતૂરોન્મ નાગનાથમવમાતઃ પૂર્ણ સમુન્ન જ્ઞાતિ ”—શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસારગ્લશ, Page #13 -------------------------------------------------------------------------- ________________ દીમારિ: વિષમ કુતર્કગ્રહ–ચિત્તને ભાવશત્રુ (૩૨૫) તાપ પમાડે છે. આમ તે ભારે “વસ” ગ્રહ છે. (૨) અથવા “ગ્રહ’ એટલે ભૂતપિશાચ-ઝોડ. જેમ કેઈને વસમું ભૂત, પિશાચ કે છોડ વળગ્યું હોય, તે તેને કેડે ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાન પરેશાન કરી નાખે, તેમ આ કુતકરૂપ ભૂત, પિશાચ કે છોડ જીવને જે વળગ્યું હોય, તો તે તેને કેડે મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતકરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે! આમ પણ કુતર્ક વિષમ ગ્રહ” છે. (૩) અથવા “ગ્રહ’ એટલે મગર. મગર જે કઈને ગ્રહે, પકડે, તો તેની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ-વસમું છે, તેમ કુતકરૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયે, તેની દાઢમાં જે ભીડા, તેને પણ તેના સકંજામાંથી છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ કુતક ખરેખર ! વિષમ ગ્રહ છે.-આમ દુષ્ટ ગ્રહ, ભૂત, કે મગરએમ ગ્રહના કેઈ પણ અર્થમાં કુતકને “ગ્રહ નામ આપ્યું તે યથાર્થ છે, અને તે પણ “વિષમ ગ્રહ છે. વસમ-શમા વિકટ, સમ કરે-સીધે પાંસ કર દુર્ઘટ એ છે. આવો જીવને ગ્રહી રાખનારો, પકડી–જકડી રાખનારે કુતર્કરૂપ પાપગ્રહ, અથવા ભૂત, અથવા મગરમચ્છ, અસંવેદ્યપદન૪ જય થતાં, આપોઆપ પોતાની પકડ મૂકી છે. જેમ ગ્રહશાંતિના પાઠથી પાપગ્રહને ઉપદ્રવ વિરામ પામે છે, જેમ ભુવાના મંત્રપાઠથી ભૂત આવેશ-ઝોડ ઉતરી જાય છે, જેમ મર્મસ્થળમાં પ્રહાર આદિથી મગરની પકડ છૂટી જાય છે; તેમ અઘસવેદ્યપદના જયરૂપ ગ્રહશાંતિથી, મંત્રપાઠથી, શસ્ત્રપ્રહારથી કુતરૂપ વિષમ ગ્રહ (યથાસંભવ ત્રણે અર્થમાં) પિતાને ગ્રહ–પકડ આપોઆપ છેડી દે છે આ કુતક કે વિશિષ્ટ છે? તે માટે કહે છે – बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ॥८७॥ વૃત્તિ:-ઘોષોન:-બાપને રાગરૂપ,-તે યથાવસ્થિતના ઉપઘાત ભાવને લીધે, રમાય –મને અપાયરૂપ-હાનિ કરનાર,-અસદુ અભિનિવેશના જનકપણ થકી. શ્રદ્ધામ:-શ્રદ્ધાભંગરૂ૫,-આગમ અર્થની અપ્રતિપત્તિને લીધે, અમિમનછા-અભિમાન કરનાર મિથ્યાભિમાનના જનકપણાથી. એમ x “जीयमानेऽत्र राज्ञीव चमचरपरिच्छदः । નિવર્તિતે તત: શીર્ઘ વિષમકઃ ”—ી યશો કૃત દ્વા, ઢા, “નૃપતિ જીતતાં છતિએ દળ પુર ને અધિકાર.”—શ્રી ક્ષમાળા. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૩૨૬) ધરોગ શમહાણ ને, શ્રદ્ધાભંગ મકાર; કુતર્ક ભાવરિપુ ચિત્તના, પ્રગટ અનેક પ્રકાર, ૮૭ યોગ સિમુચ્ચય અ:-મેષને રાગરૂપ, શમને અપાયરૂપ, શ્રદ્ધાને ભંગરૂપ, અને અભિમાન કરનારા એવા કુતર્ક વ્યક્તપણે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે. વિવેચન આ વિષમ કુતર્ક ગ્રહ જે કહ્યો, તે કેવા અહી' કહ્યું છે. આ કુતર્ક (૧) મેષ પ્રત્યે રાગ છે, (૩) શ્રદ્ધાના ભંગ કરનારા છે, (૪) અને અનેક પ્રકારે ચિત્તનેા ભાવશત્રુ-પરમારિપુ છે. ચિત્તનેા ભાવશત્રુ કુતર્ક અનિષ્ટ ને દુષ્ટ છે, તેનું વિશેષ સ્વરૂપ જેવા છે, (૨) શમને અપાયરૂપ-હાનિરૂપ અભિમાનને ઉપજાવનારા છે. આમ તે ૧. માધરાગ—આ કુતર્ક ગ્રહ બેષ પ્રત્યે-સમ્યગ્ જ્ઞાન પ્રત્યે રાગરૂપ છે, કારણ કે યથાવસ્થિત મેધના–સાચી સમજણના તે ઉપઘાત કરે છે. રાગ જેમ શરીરને હાનિ પહાંચાડે છે, નિર્બલ કરે છે, તેમ કુતર્ક પણ યથાર્થ એધને નુકશાન પહોંચાડી નખળા બનાવે છે. જેમ રાગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે, અંગેાપાંગ ઢીલા પડી જાય છે, ને શરીર કૃશ થઈ જાય છે, તેમ કુતર્કથી મનની ચિંતનશક્તિ કુફ્તિ થવાથી બેધની શક્તિ ક્ષીણ થાય છે, ખાધ શિથિલ-ઢીલા-પોચા અને છે, ને કૃશ થાય છે—મળેા પડી જાય છે. આમ કુતર્કથી એધ ‘માંદા’ પડે છે. એટલે માંદા માણસ જેમ ભારી ખારાક પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, તેમ કુતર્ક ગ્રહરૂપ રાગ જેને લાગુ પડયો છે એવા કુતકી જીવ ઉત્તમ શ્રુતજ્ઞાનરૂપ પરમાન્ન પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, ઊલટુ' તેનાથી તે તેને અપચા ગ્રહવ’ત અજીણું થાય છે ! એટલા માટે જ્ઞાની સત્પુરુષા કહે છે કે- જેના ધ અપાત્ર અસગૃહ નાશ પામ્યા નથી, એવાને શ્રુતજ્ઞાન આપવું. વખાણવા લાયક નથી,જેમ ખાડખાંપણવાળાને મેટી રાજ્યલક્ષ્મી આપવી યેાગ્ય નથી તેમ. કાચા ઘડામાં રાખેલું પાણી જેમ પેાતાના અને ઘડાનેા નાશ કરે છે, તેમ અસગ્રહવતને આપવામાં આવેલું શ્રુત તે બન્નેના નાશ કરે છે. અસહુથી ગ્રસાચેલને જે વિમૂઢ હિતેાપદેશ આપવા જાય છે, તે મહાઉપકારી (!) કૂતરીના શરીર પર કસ્તૂરીને લેપ કરે છે ! કષ્ટથી પ્રાપ્ત થયેલ આગમ અર્થ જે અસગ્રહથી દૂષિતને ત: તક,-આગમનિરપેક્ષ એવા એમ અથ છે. તે શું ? તો કે-જેતલ:-ચિત્તના, અંતઃકરણના,વ્યવસઁવ્યક્તપણે, -માત્રર૩:-ભાવશત્રુ, પરમા'રિપુ, અનેષા–અનેક પ્રકારે, આના અપવાદ આદિ કારણુવડે કરીને. Page #15 -------------------------------------------------------------------------- ________________ દીમાદદિઃ કુતકથી બે રેગ–શમાપાય આદિ (૩૨૭) આપે છે, તે સેંકડો યત્નથી મેળવેલું બીજ ઊખર ભૂમિમાં વાવતાં ખેદ પામે છે! કારણ કે અસરગ્રહવાન ગુરુ પાસેથી શાસ્ત્રો સાંભળે છે, પણ તેમની આજ્ઞા કદી પાળતો નથી, અને તે અસારગ્રાહી ચાલણીની જેમ પોતાનું વિવેચકપણું માને છે!” જેમ ચાલણી અસાર એવા કાંકરા પકડી રાખે છે, તેમ આ અસગ્રહવાન્ કાંકરા જેવા અસાર દેષ પકડી રાખે છે! ને ઉલટું તેનું અભિમાન રાખે છે કે હું કે વિવેચક છું ! “ આમ તેની ચતુરાઈ પણ દંભને માટે હોય છે. શાસ્ત્રજ્ઞાન પણ પાપને માટે હોય છે, પ્રતિભાસંપનપણું પણ પ્રતારણા માટે-છેતરપીંડીને માટે હોય છે, ધીરપણું પણ ગર્વને માટે હેય છે! અહો ! અસદુગ્રહવંતના ગુણેની વિપરીત સૃષ્ટિ હોય છે !' એટલા માટે જ અસદુગ્રહવંત રોગી બેધરૂપ દૂધપાક પચાવવાને ગ્ય નથી. * ૨, શમાપાય-કુતક શમને એટલે આત્મશાંતિને અપાયરૂપ-હાનિરૂપ થાય છે, ખલેલ પહોંચાડે છે, કારણ કે તે અસત્ અભિનિવેશ-કદાગ્રહ જન્માવે છે, ખોટા ખોટા મનના તરંગે કે તુરંગે ઉપજાવે છે, તેથી તે ચિત્તની શાંતિને ડોળી નાંખે છે, ખળભળાવી મૂકે છે, ને જીવને વિશ્વમ દિશામાં પાડી નાંખે છે, હાવરો-હાવરો બનાવી દે છે. “શમરૂપ સુંદર ને શીતલ બાગને આ કુતરૂપ આગની જવાલા બાળી નાખે છે, ને ઉજજડ વેરાન કરી મૂકે છે. આવા અસગ્રહરૂ૫૪ અગ્નિથી જેનું અંતર્ બળી ગયું છે, ત્યાં તત્ત્વનિશ્ચયરૂપ વેલી ક્યાંથી ઊગે? તે પછી પ્રશાંતિ-પુષ્પ અને હિતોપદેશ-લે તે બીજે જ શોધી લેવા ! આ અસદુગ્રહથી જેની મતિ છવાઈ ગઈ છે એવો મનુષ્ય કુતકરૂપ દાતરડાવડે તત્વવલ્લીને કાપી નાંખે છે, રસથી દષવૃક્ષને સિંચે છે, ને શમરૂપ સ્વાદિષ્ટ ફલને નીચે ફેંકી દે છે!” ૩. શ્રદ્ધાભંગકુતક શ્રદ્ધાને ભંગ કરે છે, કારણ કે તેથી આગમ અર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે, સશાસ્ત્રની આસ્થામાં ભંગાણ પડે છે, આસ્થા ટૂટે છે. કુતર્કરૂપ શલ્ય હોય છે, ત્યાં લગી હૃદયમાં શ્રદ્ધા ચુંટતી નથી. જેમ પત્થરવાળી ભૂમિમાં પાણી પ્રવેશતું નથી ને અંકુર ફૂટ નથી, તેમ અસદુગ્રહરૂપ પત્થરમય ચિત્તમાં સદ્* " असद्ग्रहो यस्य गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः । અ ત્રત્તમોત્તવૈવ, કૃતાત્માકુમોર્વિનાશઃ ” ઇત્યાદિ, (વિશેષ આધાર માટે જુઓ) –શ્રી યશ૦ કૃત, શ્રી અધ્યાત્મસાર, + "असद्ग्रहाग्निज्वलितं यदंतः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशांतिषुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु । कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्ली रसात्सिंचति दोषवृक्षम् । પિચુપ ચાતુર્ણ રામાશ્રમનછન્નમતિર્મનુષ્યઃ ”—શ્રી અધ્યાત્મસાર, Page #16 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ગદરિસમુચિય ભાવ રસનો પ્રવેશ થતો નથી, ને વિશુદ્ધ બોધરૂપ અંકુરે ઉગતે નથી, એમાં સિદ્ધાંત વાણીને શો અપરાધ વારુ? વ્રત આચરે, તપ પણ તપે, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ કરે, તે પણ નિવોને ફળ નથી મળતું, તે અસદુગ્રહને જ અપરાધ છે, કારણ કે તેઓને શ્રદ્ધા નથી.” થાળીમાં લાડવા પીરસ્યા હોય, પણ કોઈ ગળું દબાવે તે કેમ ખાઈ શકાય ? તેમ “સ્વબુદ્ધિરૂપ થાળી છે, તેમાં સદ્દગુરુરૂપ પીરસનારે કઈ બોધરૂપ માદક પીરસ્યા છે, પણ અસદુગ્રહરૂપ કે એ દુષ્ટ ગળચી દબાવનાર છે કે તે ગળે ઉતરવા દેતો જ નથી!” એટલે કે શ્રદ્ધા ઉપજવા દેતું જ નથી. * ૪. અભિમાનકાર–કુતર્ક અભિમાન કરનાર છે, મિથ્યાભિમાન ઉપજાવે છે. તે આગમથી નિરપેક્ષ એ હોય છે. કુતર્ક કરનારને પોતાની કુતર્કશક્તિનું અભિમાન ઉપજે છે કે હું કે બડો હોશિયાર છું, કે ડાહ્યો (દોઢ) છું, આગમમાં કહેલી વાતને પણ હું મહારા તર્કબળથી કેવી બેટી પાડું છું ! ઈત્યાદિ પ્રકારે તે પેટે ફાકે રાખી આગમશાસ્ત્રની પણ પરવા કરતો નથી પણ આ બધું તેનું મિથ્યા-ખોટું અભિમાન છે. કારણ કેઝ “કાંઈક ભણીને ને કાંઈક સાંભળીને અસદુગ્રહથી જે પંડિતમાની–પિતાને પંડિત માને છે, તે ભલે વાણીનું મુખ ચુંબે, પણ તેનું લીલારહસ્ય તે અવગાહત નથી.” આમ આ વિષમ કુતર્ક-ગ્રહ બોધને રોગ ઉપજાવનાર, આત્મશાંતિમાં ખલેલ પહોંચાડનાર, શ્રદ્ધાને ભાંગનારે, અને મિથ્યાભિમાનને જન્માવનારે હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – "शमारामानलबाला हिमानी ज्ञानपङ्कजे । શ્રદ્ધા રાન્ચે સ્પોટ્ટાણઃ કુતરું: યુનારા ” શ્રી યશોવિજયજીતકુ, દ્વા. દ્વા. ૨૩ અર્થાતુ-કુતક શમરૂપ બગીચા પ્રત્યે અગ્નિવાલા છે, જ્ઞાનરૂપ કમળને કરમાવવામાં હિમ જેવો છે, શ્રદ્ધાને શૂળરૂપ છે, ગર્વના ઉલ્લાસરૂપ છે, ને સુનય પ્રત્યે આગળીઆરૂપ છે. અને આમ છે એટલા માટે જ આ કુતક ચિત્તને-અંત:કરણને અનેક પ્રકારે * " असद्ग्रहनावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः । इहांकुरश्चित्तविशुद्धबोधः, सिद्धांतवाचां बत कोऽपराधः ॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली । રાસ રોડ છે હીતા, તથાપિ મોવડુ ન વરાતિ સુદઃ ”—શ્રી અધ્યાત્મસાર. x “अधीत्य किंचिच्च निशम्य किंचिदसद्ग्रहात्पंडितमानिनो ये। મુર્ણ સુર્ય વિષમતુ પારો સીટાડ્યું તુ તેર્નાદે ”—શ્રી અધ્યાત્મસાર, Page #17 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ કુતકમાં અભિનિવેશ મુમુક્ષુને અયુક્ત (૩૨૯) ભાવશત્રુ છે, પરમાર્થરિપુ છે. બાહ્ય શત્રુ જેમ ભૂંડું કરે છે, અહિત કરે છે, તેમ આ ભાવશત્રુ જીવનું અકલ્યાણ કરવામાં કાંઇ બાકી રાખતું નથી, કારણ કુતર્ક ચિત્તને કે એના કારણે આર્ય પરમપૂજ્ય એવા પુરુષ-સદાગમ આદિને પ્રગટ ભાવશત્રુ અનાદર થાય છે, આશાતના-અવિનય–અપવાદ વગેરે નીપજે છે, અને તેથી જીવનું ભારી અકલ્યાણ થાય છે. શત્રુ જેમ સર્વનાશ કરવામાં સદા તત્પર હોય છે, તેમ જીવને આ ભાવશત્રુરૂપ કુતર્ક સદાય ચિત્તશક્તિને હાસ કરતે રહી, સર્વનાશ કરવા સદાય તત્પર રહ્યા કરે છે. એટલે જે કુતર્ક કરે છે, તે પિતે પિતાના દુશ્મનનું કામ કરે છે! પોતે પિતાને વૈરી બને છે! અને કારણ કે એમ છે, તેથી શું ? તે માટે કહે છે – कुतर्केऽभिनिवेशस्तम्न युको मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ।। ८८॥ તકે અભિનિવેશ ના, મુક્તિવાદીને યુક્ત; પણ કૃત શીલ સમાધિમાં, મહાત્માને એ યુક્ત ૮૮ અર્થ–તેથી કરીને મુક્તિવાદીઓને-મુમુક્ષુઓને કુતકમાં અભિનિવેશ કર યુક્ત નથી; પણ થતમાં, શીલમાં અને સમાધિમાં અભિનિવેશ કરે એ મહાત્માઓને યુક્ત છે. વિવેચન આવા જે ઉપરમાં કહ્યા તે લક્ષણવાળા કુતર્કમાં અભિનિવેશ કરે તે મુક્તિવાદીએને–સંન્યાસીઓને-મુમુક્ષુઓને કોઈ પણ રીતે યુક્ત નથી, કારણ કે યુક્તિમાં મતિને ન જોડવીઝ અને મતિમાં યુક્તિને પરાણે જેડવી એ અસહરૂપ અભિત્તિ -ઇત–ઉક્ત લક્ષણવાળા કુતમાં, મિશિ :-અભિનિવેશ, તેવા પ્રકારે તેના પ્રહરૂ૫. શું ? તો કે-ન ચૂ:-યુક્ત નથી. કોને ? તે કે-કુત્તિરસાલીના-મુક્તિવાદીઓને, સંન્યાસીઓને. ગુજ: પુના-૫ણુ યુક્ત છે, શ્રતે-શ્રુતમાં, આગમ, શીરે-શીલમાં, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાં, સનાથી -અને સમાધિમાં, કાનના ફલસૂત સમાધિમાં, માત્મનામ-મહાત્માઓને, મુક્તિવાદીઓને અભિનિવેશ યુક્ત છે. x “नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं मतौ यः प्रसभं नियुक्ते । સાહાર જ્ઞાથોડાફે ઘટાડોપામાધાનઃ ”—શ્રી અધ્યાત્મસાર, “આગ્રહી રત નિનીષત્તિ જિં, તત્ર ત્ર તિરસ્ય નિવિદા THવાતતિ તુ શુત્તિર્યંત્ર તત્ર તિતિ નિવેશે ”—શ્રી હરિભદ્રાચાર્યજી "मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । તામતિ પુષ્કર તુછામન:વિ: ”—શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ, Page #18 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય મુમુક્ષુને કુતર્ક નિવેશનું લક્ષણ છે, અને તે પાણી ન હોય ત્યાં ઘડે નાંખવા જેવું અયુક્ત હાસ્યાસ્પદ છે ! “મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછડુ યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે-યુક્તિને અનુસરે છે, પણ તુચ્છ આગ્રહનું મનરૂપી વાંદરું તે યુક્તિરૂપી ગાયને પુંછડાથી ખેંચે છે !'—યુક્તિની ખેંચતાણ કરે છે ! આ તુચ્છ આગ્રહરૂપ અભિનિવેશ મુમુક્ષુ જીવે કરવા યોગ્ય નથી, કારણ કે મુમુક્ષુ તો માત્ર મોક્ષનો જ અભિલાષી હોય છે, આત્માર્થ સિવાય બીજી કઈ ઈચ્છા કે મનરેગ તેને હોતું નથી. “કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ.” શ્રીમદ્ રાજચંદ્રજી અને આ કુતકને અભિનિવેશ તે મોક્ષ પ્રતિપક્ષી ને આત્માર્થ વિધી છેબાધક છે, કારણ કે મુમુક્ષુ જીવ સબંધને ઈચ્છે છે, ને કુતર્ક તે બેધને રોગરૂપ થઈ પડી તેને હાસ અથવા દવંસ કરે છે. મુમુક્ષુ શમને–આત્મશાંતિને કુતર્ક સંતિમાને ઝંખે છે, ને કુતર્ક તે શમને અપાયરૂપ હોઈ હાનિ મુક્તિવિધી પહોંચાડે છે. મુમુક્ષુ જીવ શ્રદ્ધાને સન્માર્ગનું પ્રથમ પગથીયું માની તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, ને કુતક તે શ્રદ્ધા ભંગ કરાવી તેને ડગમગાવી મૂકે છે. મુમુક્ષુ તે કાળા ધમો શાળા તવો” “આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ’ એમ જાણી અત્યંત નમ્રપણે સદા આજ્ઞાપ્રધાન રહેવા મથે છે ને કુતર્ક તે સ્વછંદપ્રધાન હોઈ જીવને મિથ્યાભિમાન ઉપજાવે છે. આમ કુતર્ક અનેક પ્રકારે જીવને ભાવશત્રુ છે. એટલે મુમુક્ષુપણાને ને કુતર્કને કયારેય પણ કોઈ પણ પ્રકારની કંઈ પણ મળતી પણ આવતી નથી, બન્નેમાં આકાશ-પાતાલનું અંતર છે, પ્રકાશ-અંધકાર જેવો પ્રગટ ભેદ છે, એ બન્નેને કેઈ કાળે મેળ ખાય એમ નથી. માટે સાચો મુમુક્ષુ હોય તે પિતાના ઈષ્ટ પ્રજનમાં વિજ્ઞકર્તા એવા કુતકને કેમ ગ્રહણ કરે વારુ? અને ગ્રહણ ન કરે-દૂરથી પણ ન સ્પશે, તે પછી તેમાં અભિનિવેશઆગ્રહરૂપ પકડ તે કેમ જ કરે? ખરેખર! સાચો મોક્ષાભિલાષી હોય, તે તે કુતકરૂપ અસદુગ્રહને આત્મચંદ્ર પ્રત્યે રાહુરૂપ જાણતે હેઈ, તે કુતર્ક-ગ્રહણને ગ્રહવા ઇછે જ નહિં; કુતર્કગ્રહને ભૂત પિશાચરૂપ બલાને વળગાડ જાણતે હેઇ, તે બલાને વળગવા ઈચછે જ નહિં; કુતર્કગ્રહને ગ્રાહરૂપ-મગરરૂપ જાણતો હોઈ, તેનાથી ગ્રહાવા–તેના સકજામાં આવવા ઈચછે જ નહિ. તે તે તે કુતર્કબલાથી સદા દૂર જ ભાગે, કદી પણ તેમાં અભિનિવેશ કરે જ નહિં. અને એમ જ કરવું મુમુક્ષુને યુક્ત છે, કારણ કે યોગમાર્ગના જ્ઞાતાપુરુષોએ ભાવિકાળના યોગીજના હિત અર્થે મેહધકાર પ્રત્યે આ લાલબત્તીરૂપ વચન કહ્યું છે કે- તેવા તેવા પ્રકારે વાદી x અને પ્રતિવાદો કરતાં તત્ત્વનો અંત પમાતે x “वादश्च प्रतिवादाश्च वदन्तो निश्चितांस्तथा । તરવાજો નૈવ જજછત્તિ નિરવીરતૌ ” શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિંદુ, Page #19 -------------------------------------------------------------------------- ________________ દોમાદષ્ટિ : શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત (૩૩૧) નથી,–ઘાણીના બેલની જેમ.” આંખે પાટા બાંધેલ ઘાણીને બેલ આખો વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલે તેનું તેને ભાન નથી હોતું; તેમ પોતપોતાના પક્ષના અભિનિવેશથી અંધ થયેલા વાદીઓ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં બેલાઈ રહેલા તત્ત્વને તે તેઓ પામતા નથી ! “તર્ક વિચારે રે વાદપરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. ...પંથડો નિહાળું રે બીજા જિનત.” શ્રી આનંદઘનજી એટલા માટે મુમુક્ષુ જીવે કુતર્ક માં બીલકુલ અભિનિવેશ કરવા યોગ્ય નથી. પણ આ મહાત્મા મુમુક્ષુઓને જે કયાંય પણ અભિનિવેશ કરવો યોગ્ય હોય, તે તે શ્રતમાં– સદાગમમાં કરવો યોગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાંશીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કરવો યોગ્ય છે, અને ધ્યાનના ફલરૂપ સમાધિમાં કરવો અભિનિવેશ યોગ્ય છે. કારણ કે શ્રત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરે એટલે કે અંતઃપ્રવેશ કર, દઢ આગ્રહ ધરે, દઢતાથી વળગી રહેવું, મજબૂત પકડ કરવી –એ આત્માથી મુમુક્ષુને હિતાવહ હોઈ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હેઈ સર્વત્ર વજર્ય જ-ત્યાગવા યોગ્ય જ છે, તે પણ અત્રે જે શ્રત આદિમાં અભિનિવેશ કહ્યો, તે કદાગ્રહના અર્થમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થમાં છે; અત્રે અભિનિવેશ એટલે અત્યંત અંતઃપ્રવેશ એમ અર્થ ઘટે છે. આમ શ્રતમાં અભિનિવેશ કરવો એટલે શ્રતને દઢ ભક્તિથી આરાધવું, શ્રત સાગરમાં ઊંડે પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરવો એટલે શીલને-શુદ્ધ ચારિત્રને દઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવું, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરે એટલે દઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષેભ રહેવું, “ઘરx પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જે,”—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી. આમ પ્રશસ્ત અર્થમાં–શ્રત, શીલ ને સમાધિની દઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રુત–શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરે તે મુમુક્ષુને સર્વથા યોગ્ય છે; કારણ કે તે શ્રત–શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મેક્ષરૂપ ઈષ્ટ પ્રજનની સિદ્ધિને ઉત્તમ સાધન છે. માટે તેની દઢ લગનીરૂપ આરાધના કરવી, ૨ઢ લગાડીને તેની પાછળ મંડી પડવું, તેમાં અભિનિવેશ-અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત ગ્ય છે. ૪ જુઓ શ્રીમદ્ રાજચંદ્રજીત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય. Page #20 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨) ગદષ્ટિસમુરચય बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् । परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ॥८९ ।। આનું બીજ સહુ ગિને, સિદ્ધ અવંધ્ય પ્રધાન; પરોપકાર પરિશુદ્ધ જે, એથી એહ આ સ્થાન, ૮૯ અર્થ—અને આ કૃત આદિનું બીજ, પરમ એવું સર્વ યોગીઓને સિદ્ધ અવધ્યઅચૂક ફલ દેનારું પરિશુદ્ધ પરાર્થકરણ (પરોપકાર ) છે, એટલા માટે અત્રે પણ અભિનિવેશ કરવો યુક્ત છે. વિવેચન પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.”–શ્રીમદ્ રાજચંદ્રજી અને આ ઉપરમાં જે અભિનિવેશ કરવા ગ્ય-લગની લગાડવા યોગ્ય, એવા શ્રુત, શીલ ને સમાધિ કહ્યા, તેનું પણ સર્વ યેગીઓને સિદ્ધ થયેલું-પ્રતિષ્ઠિત થયેલું પરમ કારણ શું છે? તે અહીં પ્રગટ કર્યું છે -એ શ્રુતાદિનું પણ પરમ બીજરૂપ પ્રધાન કારણ પરાર્થકરણ છે, એટલે કે પર પ્રયોજનના પરોપકારમાં નિષ્પાદનરૂપ પરોપકાર છે. એમ કુલગી વગેરે સર્વ યેગીઓએ અભિનિવેશ સંમત કરેલું છે, પ્રતિષ્ઠિત કરેલું છે. અને આ પરોપકારરૂપ બીજ શ્રુતાદિની પ્રાપ્તિરૂપ અમેઘ-અચૂક ફલ આપનારું છે. આ પરોપકાર કાર્યમાં અન્ય કોઈને ઉપઘાત ન થવો જોઈએ, બીજા કેઈને બાધા ન ઉપજવી જોઈએ, એવું તે સર્વથા પરિશુદ્ધ હોવું જોઈએ. આવા પરિશુદ્ધ પરોપકારમાં અભિનિવેશ કરવો, લગની લગાડવી, તે મુમુક્ષુ મહાત્માઓને યુક્ત છે, કારણ કે આ પરોપકાર શ્રેતાદિ કારણનું પણ કારણ છે. એટલા માટે મુમુક્ષુએ પોપકારી થવું, પરેપકાર કાર્યના વ્યસની થવું, એમ સત્પુરુષને ઉપદેશ છે. શ્રી વ્યાસજીએ ભાગવતમાં કહ્યું છે કે –“રે પાર પુષ્કાય વાવાય પાપીરનમ્ !' એટલે મેક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પિતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ કૃત્તિ-વીનં રા–અને આનું-શ્રતાદિનું બીજ, પરં સિદ્ગ-પરમ સિદ્ધ, પ્રધાન પ્રતિષ્ઠિત, અવરબ્ધ-અવંધ્ય, નિયત ફલદાયી, ચક્કસ ફલ આપનારું, સર્વનામ-સર્વયોગીઓને, કલયોગી પ્રમુખ સર્વ યોગીઓને. તે શું ? તે માટે કહ્યું-પાર્થ –પરાર્થકરણ, પરપ્રજનનું નિષ્પાદન, (પરોપકાર) શેર-જેથી, જે કારણથી, પશુ-પરિશુદ્ધ, અન્યના અનુપઘાતથી, બીજાને ઉપધાત નહિં કરવા થકી, તો-આથી, આ કારણ થકી, સત્ર ૨-અત્રે પણ, આ પરાર્થકરણમાં ( પપકારમાં) પણ અભિનિવેશ યુક્ત છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ દોમદષ્ટિ : અવિદ્યાસંગત વિક૯૫, તેનો યજક કુતક (૩૩૩) અન્ય જીવોના ઉપકારને અર્થે ખર્ચવી એજ ઉચિત છે. પોતાના શરીરને તે પિતાનાથી બને તેટલી પર સેવા કાર્યમાં અર્પણ કરે, પોતાના મનને તે પરહિતતન, મન, ધનથી ચિંતાના કાર્યમાં વ્યાકૃત કરે, પિતાના વચનને તે પરનું ભલું થાય પોપકાર એવા સત્ પ્રજનમાં પ્રયુક્ત કરે, પોતાના ધનને તે દીન-દુઃખીના દુ:ખદલનમાં વિનિયોજિત કરે, અને જનકલ્યાણના ઉત્કર્ષરૂપ સેવાકાર્યમાં પોતાને બનતે ફાળો આપે, કારણ કે સંતજનોની વિભૂતિઓ પરોપકારાર્થ હોય છે. “પમા સ વિમૂતયઃા અને આવું જે પરોપકાર કૃત્ય છે તે પરિશુદ્ધ” અર્થાત્ સર્વથા શુદ્ધ હોવું જોઈએ. એટલે આમાં બીજા જીવને ઉપઘાત ન થાય, એકના ભેગે બીજાને ઉપકાર ન થાય, એ ખાસ જોવું જોઈએ. કોઈ પણ જીવને કંઈપણ દુ:ખકિલામણા ઉપજાવ્યા વિના જે કરવામાં આવે તે જ પરિશુદ્ધ પરોપકાર છે. તેમજ આ પાપકાર કૃત્યમાં આ લેક-પરલેક સંબંધી કંઈ પણ ફલ અપેક્ષા ન જ હોવી જોઈએ, પરોપકાર કૃત્ય સર્વથા નિષ્કામ જ હોવું જોઈએ, અને તે જ તે “પરિશુદ્ધ ગણાય. કુતર્કની અસારતા જ બતાવવા માટે કહે છે – अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ॥९० ॥ અવિદ્યાસંગત પ્રાય તે, હાય વિકલ્પ તમામ; તસ યોજકજ કુતર્ક આ, તેથી એનું શું કામ ૯૦ અ –ઘણું કરીને સર્વેય વિકલ્પ અવિદ્યાસંયુક્ત હોય છે, અને તે વિકલ્પના જનરૂપ આ કુતર્ક છે. તેથી કરીને આ કુતકથી શું ? વિવેચન “જહાં કલપના જલપના, તહાં માને દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.”—શ્રીમદ રાજચંદ્રજી સર્વે વિક-શબ્દવિક ને અર્થવિક પ્રાયે કરીને અવિદ્યાસંગત હોય કૃતિવિરાસંતા-અવિદ્યાસંગત, જ્ઞાનાવરણીય આદિથી સંસ્કૃત-સંયુક્ત, પ્ર-પ્રાયે, માહત્યથી, જિ: સર્વ ઇન્ન-વિક સં૫-શબ્દવિક, અને અર્ધવિકલ્પ, ચા-કારણ કે, તોડનાર-અને તેને પેજનાત્મક, તે વિકપનો યોજનામક, ઉઆ, ગોમ-પાસ આદિ વિક૯પ કરવાવડે કરીને, ગુર:- કતક-ઉક્ત-લક્ષવાળા છે. મિનેન તન-તેથી કરીને એનાથી શું? એનું શું કામ છે? કંઈ નહિં, એમ અર્થ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૩૩૪) ગદષ્ટિસમુચ્ચય છે, એટલે કે જ્ઞાનાવરણીય આદિથી સંપૂક્ત-સંયુક્ત હોય છે. જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ત્યાં તેની સાથે અવિદ્યા અવશ્ય જાય જ છે, ને ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનાવરણીય વિકલ્પને આદિને ઉદય હોય જ છે. અને તે અવિદ્યાસંગત વિકલ્પોને જક કુતર્ક પેજક–જનાર–ગોઠવનારો આ કુતર્ક છે. આ છાણ છે તે દૂધ કેમ નહિં? આ દૂધ છે તે છાણ કેમ નહિ? ઈત્યાદિ પ્રકારના અસમંજસ વિકલ્પને ઉત્પાદક કુતર્ક જ છે. અવિદ્યારૂપ૪ શિલ્પી-કડીઓ વિકલ્પરૂપ કલ્પનાની શિલા ઘડે છે! અને કુતર્ક તે કલ્પનાની શિલાની યોજના કરે છે, ગોઠવે છે, એક બીજા સાથે સલાડે છે! એટલે મૂળ શિલ્પકાર જ ! તેનું શિલ્પ–ઘડતર પણ ક૫નારૂપ, બધુંય હવામાં! હવાઈ કિલ્લા જેવું ! Castles in the air! ને તે હવાઈ કિલાની શિલાને સલાડનારો પાછે કુતક ! એટલે પછી બધુંય ચણતર ખોટામાં ખોટું કલ્પિત ને હવાઈ જ હોય ને! અને તે બાંધવા જાય તેના પણ ભાંગીને ભુક્કા જ થાય કે બીજું કાંઈ? મૂરખ જીવ ધરે ચિત્તમેં કહા, જલ્પ વિકલ્પ સદા દુ:ખદાયી; ધ્યાવહુ બ્રહ્મ સદા અતિ ઉજજવલ, દૂર તો સબ સેજ પરાઈ.” શ્રી દેવચંદ્રજીકૃત દ્રવ્યપ્રકાશ તે પછી આવા અવિદ્યાપ્રેરિત વિકલ્પને ગોઠવનારા કુતર્કનું શું કામ છે? શું પ્રયોજન છે ? કંઈ જ નહિં. વિકલપનું મૂળ અવિદ્યા છે ને તેને પોષનારે કુતક છે, તે પછી આવા દુષ્ટ અનિષ્ટ અનર્થકારક ને હળાહળ ખોટા કુતર્કને કર્યો વિબુધ ભજે વારુ ? અવિદ્યાજન્ય વિકલ્પથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે, તે પછી સંસારને અંત ઈચ્છનારે મુમુક્ષુ વિકલ્પને આશ્રય કેમ કરે ? સમસ્ત તત્ત્વજ્ઞાનના ઉત્તમ નિષ્કર્ષરૂપનિચોડરૂપ અત્યંત સમર્થ અનુભવવચન તાવિકશેખર શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉચ્ચાર્યા છે કે ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અલક્તાં, વિલય થતાં નહિં વાર.” તેમજ— जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥९१॥ તત્તિપાતિકારશ્ચ-અને જાતિપ્રાય, દૂષણુભાસપ્રધાન, સડયં-આ સર્વે કુતર્ક, કતીતિજાધિરઃ-પ્રતીતિ-ફલથી બાધિત છે એટલા માટે. એ જ કહે છે સુરતી થાપત્યુૌ – હાથી મારી નાંખશે એવું વચન મહાવતે કહ્યું,-કોની જેમ ? તે માટે કહ્યું –ગાતાકાત વિઠપવત-માતઅપ્રાપ્તના વિકલ્પની જેમ. * ““વિકરાવદરાના શિલ્પ બાયોગવિદ્યાવિનિમિતy I તોનનામયશ્ચત્ર કુતઃ વિક્રમનેન તન્ –દ્વા. દ્વા, Page #23 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : કુતર્ક દૂષણુાભાસપ્રધાન પ્રતીતિ–ફલ બાધિત આ, જાતિપ્રાય સહુ જ૫; જ્યમ ‘હાથી હણો' કન્ને, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. ૯૧. (૩૩૫) અઃ—અને પ્રતીતિફલથી બાધિત એવા આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–દૂષણાભાસપ્રધાન છે. ‘હાથી મારી નાંખશે' એવુ કહ્યુ, હાથી પામેલાને-પાસે રહેલાને હશે ? કે નહિ પામેલાને-દૂર રહેલાને હણશે ?-એવા વિકલ્પની જેમ. વિવેચન અને જે આ સ કૃત છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણાભાસપ્રધાન છે. જ્યાં હોય ત્યાં દૂષણાભાસ શેાધી કાઢવું એ એનું કામ છે ! દૂષણુ નહિ–પણ દૂષણ જેવા આભાસ આપતું, દૂષણ જેવું દેખાતુ કઇ પણ છિદ્ર શેાધી કાઢવું એ કુતર્કનું કામ છે ! દૂધમાંથી પેારા કાઢવા' જેવુ... છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેાધી કાઢવું એ ખલ કુતર્કનું કુશલપણુ છે! t वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् । દૂષળ નિયે તુ દૂધળામાસનામમ્ ॥” શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ન્યાયાવતાર ૪ આવો આ કુતર્ક પ્રતીતિથી અને ફૂલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્કથી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતા નથી, સદા સશયાત્મકતા રહે છે. ને ‘સંશયાત્મા વિનતિ' સ ́થયી જીવ વિનાશ પામે છે. કુતર્ક પ્રતીતિ- તેમજ તેથી કાંઈ ફૂલ પ્રત્યેાજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાફ્ટ બાધિત ફોડ થાય છે. એ માટે અત્રે રમૂજી દાંત રજૂ કયુ" છે કે—હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યુ, હાથી પાસે રહેલાને હણે ? કે દૂર રહેલાને હશે ? એવો વિકલ્પ જેમ કોઇ ખાર–જડ કરે, તેની જેમ અત્રે સમજવાનું છે. નિકટ હાથી હગ્રેજી, જ્યમ એ મઠર વિચાર.' આ દૃષ્ટાંતને સાર આ પ્રમાણે: દૂર કાઇ તૈયાયિક છાત્ર ( વિદ્યાથી ) કયાંકથી આવ્યા. અવશ—નિરંકુશ થઇ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કાઇએ બૂમ મારી અરે ! અરે ! જલ્દી દૂર ખસી ન! ( નહિં તે ) હાથી મારી નાંખશે. ’ એટલે તેવા પ્રકારે જેને ન્યાયશાસ્ત્ર પરિણત ન્હાતુ –જે ભણ્યા પણુ ગણ્યા ન્હોતા એવા તેણે કહ્યું- ૨૨ ! બહેર ! આમ યુક્તિબાહ્ય કેમ પ્રલપે છે ? કારણ કે, શું આ પ્રાપ્તને હણે છે ? કે અપ્રાપ્તને ? આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિને ( મરણના ) પ્રસંગ છે, પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે, ત્યાં તા તેને હાથીએ દ્યો-પકડ્યો. તેને માંડ માંડ મ્હાવતે મૂકાવ્યા. જાતિપ્રાયતા । સત્ર ભિન્ન અ`ગ્રહણુ સ્વભાવવાળા સંવેદનના વેદનમાં હોય છે; તદ્ભુત ( તેમાં પ્રાપ્ત થતા ) આકારરૂપ વિકલ્પનના એવં પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચર્ચવામાં આવ્યું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ (૩૩૬) ગદષ્ટિસમુચ્ચય કોઈ એક તૈયાયિક-ન્યાયશાસ્ત્રને વિદ્યાર્થી ક્યાંકથી આવી ચઢ્યો. ત્યાં રસ્તામાં નિરંકુશ ગાંડા થયેલા હાથી પર ચઢેલા મહાવતે બૂમ મારી–અરે અરે ! જલદી દૂર હઠી જા ! દૂર હટી જા ! નહિં તે હાથી મારી નાંખશે. એટલે ભણે પણ ગણે નહિ એવો તે વેદીએ દોઢચતુર દોઢડહાપણ કરી, પોતે ભણેલા ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ ન્યાયને પ્રયોગ કરવા લાગ્યું કે-રે રે મૂર્ખ ! આમ તું યુક્તિબાહ્ય-યુક્તિ વગરનું શું બકે છે? કારણ કે આ હાથી શું પામેલાને–પાસે આવેલાને હણે? કે નહિં પામેલાને હણે ? પામેલાને હણે એમ કહે તે તને જ હશે,-એમ જ્યાં તે હજુ પોતાનું સંભાષણ આગળ ચલાવે છે, ત્યાં તો હાથી પાસે આવી પહોંચે, ને તેને પકડ્યો. પછી મહાવતે તેને માંડમાંડ છેડા. તેમ તેવા પ્રકારે વિકલ્પ કરનારે એવો તે તે દર્શનમાં સ્થિત જીવ પણ કુતક-હસ્તીથી ગ્રહાયેલ હોય છે, તે સદ્ગુસ–મહાવતથી જ મૂકાવાય છે. આના જેવું બીજું રમૂજી દષ્ટાંત-કૃતાધારે પાત્ર ઉઠવા પાત્રાધાર વૃતમ્ ! ઘીના આધારે પાત્ર છે ? કે પાત્રના આધારે ઘી છે? એ પ્રયોગસિદ્ધ કરવા માટે વેદી પંડિતે પાત્ર ઊંધું વાળ્યું એટલે ઘી ઢોળાઈ ગયું ! આમ સર્વત્ર જુદો જ અર્થ ગ્રહણ કરવાના સ્વભાવવાળું સંવેદન જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં જાતિપ્રાયતા હોય છે. એટલે કે કહેવાના આશયથી-મતલબથી જુદો જ અવળે જ આશય ગ્રહણ કરવો, “એડનું ચોડ વેતરવું” તે જાતિપ્રાયતા છે, દૂષણભાસપ્રધાનતા છે. અને તે સંબંધી વિક૯પ કરવો તે પણ તદ્રુપ હોવાથી તેવા પ્રકારનો જાતિપ્રાય-દૂષણભાસપ્રધાન હોય છે. ‘નાત ટૂષurrમાસાઃ પક્ષાવિહૂર્ત ન ચૈ: ” તાત્પર્ય કે જે વાત કહેવા માગતા હોય, તેનાથી ઊલટે જ-ઊધે જ અર્થ પકડવો અને તેવો વિક્લપ કરવો તે જાતિ અથવા દૂષણભાસ કહેવાય છે. અંગ્રેજી કહેવત પ્રમાણે Chalk ને બદલે Cheese સમજવી, તેની જેમ. “હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનેજી, એ તે વચન પ્રકાર...મન.”–શ્રી કે. દ. સઝાય. ૪-૧૨ તેમજ વળી– स्वभावोत्तरपर्यन्त एषोऽसावपि तत्त्वतः । नार्वाग्दृग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ॥ ९२ ॥ કૃત્તિઃ-૩માવોત્તપર્યન્ત gg:- આ કુતક પય તે સ્વભાવ ઉત્તરવાળા હોય છે, છેવટે “સ્વભાવ” એ જ તકને ઉત્તર હોય છે. અને અત્રે “વતુમાંવૈરાં વચ્ચે વસ્તુસ્વભાવો વડે કરીને ઉત્તર કહેવા યોગ્ય છે, એ વચન ઉપરથી. આમ અગ્નિ રહે છે, પાણી ભીંજવે છે. એ એનો સ્વભાવ છે. બાવષિ-આ ભાવ ૫ણુ, તત્ત્વતઃ-તત્ત્વથી, પરમાર્થથી, -નાર્વાદ - અર્વાદગ્રેચર નથી, છાસ્થનો વિષય નથી; વાયા-ન્યાયથકી, પરપ્રસિદ્ધ એવા ન્યાયથી. કેવા પ્રકારનો હોઈને ! Page #25 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિઃ કુતકને છેવટને જવાબ “સ્વભાવ' (૩૩૭) સ્વભાવ આવી ઉભું રહે છેવટને જ જવાબ; કુતર્ક એ હેય એ, એવી એહની છાપ, એ સ્વભાવ પણ તરવથી, છદ્મસ્થાચર નોય; કારણ ન્યાયથી અન્યથા, અન્યથી કલ્પિત હોય, ૯૨, અર્થ :–સ્વભાવ જ જ્યાં છેવટનો જવાબ છે એવો આ કુતર્ક છે; અને આ સ્વભાવ પણ તત્ત્વથી અગદષ્ટિવાળાને-છદ્મસ્થને ગોચર હેત નથી, કારણ કે ન્યાયથી એ બીજાથી બીજા પ્રકારે કપવામાં આવે છે. વિવેચન આ જે કુતક કહ્યો, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે–આ કુતર્ક એવો હોય છે કે તેમાં છેવટનો જવાબ “સ્વભાવ હોય છે. જ્યારે બીજી કઈ પણ દલીલ કે યુક્તિ ન ચાલે, ત્યારે છેલ્લે એમ કહેવાય કે આ તે આ વસ્તુને સ્વભાવ છે. કહ્યું છે કેવતુસ્ત્રમાણ્વત્તાં વાળે” “વસ્તુસ્વભાવથી ઉત્તર કહેવો.’ આમ અગ્નિ બાળે છે–દઝાડે છે, પાણી ભીંજાવે છે, કારણ કે એવો એને સ્વભાવ છે. અને તે સ્વભાવ પણ તત્વથી–પરમાર્થથી અર્વાદષ્ટિને એટલે કે છદ્મસ્થને ગોચર નથી. અમુક વસ્તુને સ્વભાવ શું છે? તે તત્વથી જાણવું એ છદ્મસ્થને એટલે કે જ્ઞાના વરણવંતનો વિષય નથી. જેને સંપૂર્ણ છજ્ઞાનાવરણ ટળ્યું નથી, તે છઘસ્થની તે જાણી શકવાને સમર્થ નથી. શાથી? પર દર્શનીઓને પ્રસિદ્ધ એવા અન્યથા કલપના ન્યાયથી. કેવા પ્રકારે ? તે કે-અન્ય વાદીથી તે અન્યથા-બીજા જ પ્રકારે કલ્પવામાં આવે છે. કોઈ અમુક પ્રકારે વસ્તુસ્વભાવની કલ્પના કરે, તે તે માટે કહ્યું-અન્યથા–અન્યથા, પ્રકારાન્તરથી જુદા જ પ્રકારે, અન્યન-અન્યથી, બીજા વાદીથી, પિત્ત-કલ્પિત હેઈ, કલ્પવામાં આવેલ હાઈ. દાખલા તરીકે-“વરતવમાāરત્તાં વાચં વસ્તુ સ્વભાવ પરથી ઉત્તર કહેવો, એમ સર્વત્ર જ તથા પ્રકારે તેની તેની સિદ્ધિમાં કહી શકાય છે. કેવા પ્રકારે -જેના વડે તેને અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે, તેના વડે તે અર્થીક્રિયા કરે છે, નહિં કે ક્ષણિ તાથી. કારણ કે તેને ( અર્થરિયાન) સર્વ ભાવોમાં જ સ્વીકાર છે તેટલા માટે. કારણ કે ગમે ત્યાંથી તેના અર્થ ક્રિયાભાવના પ્રસંગથી તેના કારણને અવિશેષ હોય છે, તફાવત હોતી નથી, તેથી. આમ અગ્નિ, જલની સંનિધિમાં (નિકટ હોજરીમાં) ભીંજવે છે,-તથા પ્રકારના સ્વભાવપણાને લીધે. તથા જલ અનિની સંનિધિમાં દહે છે,–તથા પ્રકારના સ્વભાવપણાને લીધે જ-સ્વભાવના વૈચિયથીવિચિત્રપણાને લીધે. તેમાં પણ લેકબાધા શિવાય વળી બીજે સ્વભાવ હોય છે, દૃષ્ટાંતમાત્રનું સર્વત્ર સુલભપણું હેય છે. તેથી એમ કુતર્ક અસમંજસકારી (અયુક્ત) છે. એમ અદંપર્ય છે, આ કહેવાનું તાત્પર્ય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) ગદષ્ટિસમુચ્ચય વળી બીજે વાદી પ્રકારતરથી–જુદા જ પ્રકારથી તેની કલ્પના કરે છે. આમ જેનું જ્ઞાનાવરણ ટળ્યું નથી એવા છદ્મસ્થનું જ્ઞાન કલ્પનારૂપ (Imaginary) હોવાથી, છસ્થાની ચિત્રવિચિત્ર કલ્પનાને મેળ ખાતે નથી ! ને “મુંડે મુંડે મતિર્મિન્ના' “મગજે મગજે જુદી મતિ’ જેવું થાય છે! એક કલ્પના કરશે ઉત્તરની, તો બીજે કરશે દક્ષિણની ! Diametrically Opposite ! છદ્મસ્થને પ્રત્યક્ષ જ્ઞાન તે છે નહિં, એટલે તેને બધે આધાર વિકલ્પરૂપ કલ્પના ઉપર રાખવો પડે છે, અને કલ્પિત જ્ઞાનથી અનેક કલ્પિત કલ્પનાતરંગે ઊઠયા કરે છે; કારણ કે “વસ્તુસ્વભાવો ઉપરથી ઉત્તર કહેવો,' એ સૂત્ર પ્રમાણે સર્વત્ર જ તેવા પ્રકારે તેની સિદ્ધિ કહી શકાય છે. તે આ પ્રકારે–જેના વડે કરીને તેને અર્થ ક્રિયા કરવાને સ્વભાવ છે, તેના વડે તે અર્થયિા કરે છે,-નહિં કે ક્ષણિકતાથી. અને કોઈ પણ અર્થ ક્રિયા તેવા પ્રકારના તે વસ્તુના સ્વભાવથી થાય છે. આ અWક્રિયાને સર્વ ભાવોમાં જ સ્વીકાર કરાય છે, અને ગમે ત્યાંથી તેવી અર્થ ક્રિયાને પ્રસંગ ઉભું કરી શકાય છે, કારણ કે તેના કારણમાં કઈ તફાવત નથી. આમ કઈ કહેશે કે અગ્નિ, પાણીની નિકટ હાજરીમાં, ભીજાવે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે! તથા પાણી, અગ્નિની નિકટ હાજરીમાં, બાળે છે–દઝાડે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે ! અથવા તે સ્વભાવનું વિચિત્રપણું હેવાથી, લેકબાધા ન ઉપજે એવા બીજા પ્રકારના પણ તથાસ્વભાવપણાની વિચિત્ર કલ્પના કરી શકાય છે! કારણ કે તેવા તેવા સ્વભાવને પુષ્ટ કરે એવા દષ્ટાંત માત્રનું સર્વત્ર સુલભપણું હોય છે! ગમે ત્યાંથી તેવું અનુકૂળ દૃષ્ટાંત મેળવવું હેલું છે ! આવા પ્રકારે કુતર્ક કરનાર પિતાના મંતવ્યની–પિતાની કલ્પનાની સિદ્ધિ માટે હંમેશાં વસ્તુસ્વભાવનો આશ્રય લે છે, અને આ વસ્તુસ્વભાવ છે એમ છેવટને જવાબ આપી સામા માણસને નિરુત્તર કરવાને-મુખ બંધ કરવાનો પ્રયાસ દૃષ્ટાંતનો કરે છે ! અને ચેન ન કરે-ગમે તે પ્રકારથી કયાંયથી પણ તેને તોટો નથી પોતાની કલપનાને અનુકૂળ એવો સ્વભાવ મળી પણ આવે છે ! કારણ કે સ્વભાવનું વિચિત્રપણું હોય છે, અને તેને બંધબેસતું દષ્ટાંત મેળવવું પણ બધેય સુલભ હોય છે! તે મેળવતાં ઝાઝી તકલીફ પડતી નથી ! દાખલા તરીકેઅગ્નિ તે મૂળ ઉષ્ણસ્વભાવી હેઈ દઝાડનાર છે એમ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયાસ કરશે કે જુઓ! અગ્નિને સ્વભાવ પાણીની હાજરીમાં ભીંજાવવાનો છે, કારણ કે ઉલ્લું પાણી ભીંજાવે પણ છે ! તેમજ પાણીને મૂળ સ્વભાવ, શીતલ હોઈ ભીજાવવાને છે, છતાં કુતર્ક કરનાર એવી દલીલ કરશે કે-પાણીને સ્વભાવ, અગ્નિની હાજરીમાં દઝાડવાને છે, કારણ કે ઉડું પાણી દઝાડે છે ! એ પ્રત્યક્ષ અનુભવ છે. કારણ કે તે તેને સ્વભાવ છે. આ રીતે વસ્તુસ્વભાવના ઓઠા હેઠળ કુતર્ક કરનાર મારી મચડીને પિતાને મનફાવતે અર્થ બંધ બેસાડે છે ! આમ દષ્ટાંતને તોટો નથી ને Page #27 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : છઘસ્થ કહ૫નારૂપ કુતર્કનું અસમંજસપણું (૩૩૯) કુતર્કને આરો નથી ! માટે આવો કુતક સર્વથા અસમંજસ, અયોગ્ય, અનુચિત છે, ઢંગધડા વિનાનો-ઠામઠેકાણા વિનાનો છે, એમ તાત્પર્ય છે. અને એટલા માટે જ આત્માર્થી મુમુક્ષુ જોગીજને તેને સર્વથા દૂરથી પરિત્યાગ કરવો ગ્ય છે. આ જ અર્થને વિશેષથી કહી દેખાડવા કહે છે – अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च । अम्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।। ९३ ॥ એથ જલ સન્નિધાનમાં, અનલ ભજવે વાહ! સન્નિધાનમાં અનલના, જલ ઉપજાવે દાહ, એમ તે બન્ને તણા, તથા સ્વભાવે થાય; એમ કઇ વાદિ થકી, જ્યારે કથન કરાય; ૯૩. અર્થ :–એટલા માટે પાણીની હાજરીમાં અગ્નિ ભીંજવે છે, ને અગ્નિની હાજરીમાં પાણી દઝાડે છે,-એમ તે બને તેવા સ્વભાવપણાને લીધે થાય છે, એવું કેઈથી જ્યારે કથવામાં આવે ત્યારે – વિવેચન ઉપરમાં કહેલી વાતને વિશેષથી કહી દેખાડે છેઃ–પ્રસ્તુત વસ્તુસ્વભાવ અવગદષ્ટિછદ્રસ્થને ગોચર નથી, છદ્મસ્થ તે સ્વભાવને યથાર્થ જાણી શકતું નથી. એટલા માટે જ અગ્નિ, પાણીની સંનિધિમાં–નિકટ હાજરીમાં, ભીંજવે છે; અથવા પાણી, અગ્નિની સંનિધિમાં-નિકટ હાજરીમાં દઝાડે છે; કારણ કે અગ્નિનો ને પાણીને તેવો તેવો સ્વભાવ છે,–એમ કઈ વાદી જ્યારે દલીલ કરે છે. ત્યારે શું? તેનું અનુસંધાન નીચેના લેકમાં કહ્યું છે. અગ્નિને અસલ સ્વભાવ ઉષ્ણ છે, અને તેથી દઝાય છે એમ આબાલવૃદ્ધ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનારે કહેશે કે-અગ્નિને સ્વભાવ ભીંજવવાનો છે, કારણ કે અગ્નિ પાણીની હાજરીમાં ભીંજવે છે, ઉણ જલ ભીજવે છે, એ પ્રત્યક્ષ દેખાય છે. કૃત્તિઃ કારણ કે અધિકૃત–પ્રસ્તુત સ્વભાવ અર્વાગદોયર-છદ્રસ્થની દૃષ્ટિને ગોચર નથી, અતો-એથી કરીને, એ કારણથી, મરિન રિ–અગ્નિ ભીંજવે છે; પ્રત્યક્ષ વિરોધના પરિવાર અર્થે કહ્યું કે-અન્નિધૌ-જલની સંનિધિમાં, નિકટ હાજરીમાં. હરિ વા–અથવા પાણી દઝાડે છે. પ્રતીતિબાધા નથી એટલા માટે કહ્યું કે-અવિનસંનિધૌ-અગ્નિની સંનિધિમાં ( અગ્નિની નિકટ હાજરીમાં) આ એમ કેમ છે? તે માટે કહ્યું સામાથાયોઃ -તે બન્નેને તે સ્વાભાવપણાને લીધે. અગ્નિને તે પાણીને તેવો સ્વભાવ છે તેથી કરીને, હિતે-પરવાદીથી કહેવામાં આવ્યા.-એમ એમ જ્યારે કોઈ પરવાદી કહે છે ત્યારે Page #28 -------------------------------------------------------------------------- ________________ (૩૪૦) યોગદષ્ટિસમુચ્ચય તેમજ જલ મૂળ શીતલ સ્વભાવી છે, અને તેથી ભીંજાવાય છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયત્ન કરશે કે–પાણીને સ્વભાવ દઝાડવાને છે, કારણ કે પાણી અગ્નિની હાજરીમાં દઝાડે છે, ઉષ્ણ જલ દઝાડે છે, એ પ્રત્યક્ષ અનુભવ છે. આમ વસ્તુસ્વભાવના એઠા નીચે કુતર્ક કરનાર પિતાને મનફાવતો અર્થ એક જ વાતમાંથી ઉતારી શકે છે ! શું? તે કહે છે कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः। विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकद्दश्यते यतः ॥ ९४ ॥ કેશપાન વિના બીજ, હેય ન જ્ઞાન ઉપાય; એવું પણ યુક્તિ થકી, અત્રે સ્થાપિત થાય! કારણ દૂર રહ્યો છતાં, લેહચુંબ પાષાણ; સ્વાર્થ કાર્ય કરત સદા, દેખાયે આ ઠાણ, ૯૪ અર્થ-અત્રે યુક્તિથી કોશપાન સિવાય જ્ઞાન ઉપાય છે નહિ; કારણ કે વિપ્રકૃષ્ટ ( દૂર રહેલો) લેહચુંબક પણ સ્વાર્થ કરનારે (પિતાનું કાર્ય કરનારે) દેખાય છે. વિવેચન ત્યારે કોઈ વળી એમ કહેશે કે કેશપાન (શબ્દકેષ પી જ–ગોખી જ તે) સિવાય જ્ઞાનને બીજો ઉપાય નથી ! એમ અત્રે સ્વભાવના પ્રસંગમાં શુષ્ક તની યુક્તિથી સ્થાપિત થઈ શકશે. જે સ્વભાવની જ વાત કર્યા કરશે, તે કઈ વળી એ જ સ્વભાવની યુક્તિ આગળ ધરીને ઉપર પ્રમાણે દલીલ કરશે. તેમાં વળી કઈ વિપ્રકર્ષને (Far-letched argument) એટલે દૂરપણાન–છેટાપણાને વાંધો લેશે, તે તે પણ આ લેહચુંબક દૃષ્ટાંતથી દૂર કરી શકાશેઃ-દૂર રહેલે અયસ્કાંત-લેહચુંબક પત્થર પણ સ્વાર્થ સાધે છે, અર્થાત્ લેઢાનું આકર્ષણ વગેરે પિતાનું કાર્ય કરવાને સ્વભાવ ધરાવતે દેખાય છે. કૃત્તિ-જોરાપાના તે કોશપાન સિવાય, જ્ઞાનોપા નાસ્થત્ર-જ્ઞાનઉપાય અ-સ્વભાવ વ્યતિકરમાં (પ્રસંગમાં ) છે નહિં, પુતિઃ યુક્તિથી, શુષ્ક તર્ક યુક્તિથી, કોઈ બીજું દષ્ટાંત પણ આ અર્થનું સમર્થક એવું વિદ્યમાન છે જ, એટલા માટે કહ્યું -વિલોડરદાન્તઃ-વિપ્રકૃષ્ટ-દૂર રહેલો એવો અયસ્કાંત-લેહાકર્ષક પત્થરવિશેષ, સ્વાર્થ-સ્વાર્થ કરનારો, લેહાકર્ષણ આદિ સ્વકાર્ય કરણરૂપ સ્વભાવવાળો, દફતે ચતા –કારણ કે દેખાય છે. પર તે જ વિપ્રકૃષ્ટ જ-દૂર રહેલે જ એવો સંનિકૃષ્ટ લોહને જ, નહિં કે તામ્રાદિને, આકર્ષે જ છે, નહિ કે કાપે છે. તેથી આમ આની જેમ અગ્નિ આદિનું તથાસ્વભાવ કપન કોનાથી બાધિત થાય ? કેઈથી નહિં, એમ ભાવવા યોગ્ય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ દીમા િ: દૃષ્ટાંતપ્રધાન કુત'ના ચુંથણુાં ! (૩૪૧ ) કારણ કે તે દૂર રહ્યો રહ્યો જ લાઢાને ખેચે છે, નજીક હોય તેા નહિ'; સ'નિકૃષ્ટ-નિકટ લેહાને જ ખેચે છે, તાંબા વગેરેને નહિ; લેઢાને ખેંચે જ છે, કાપતા નથી. કારણ કે લેાહચુંબકના તેવે જ સ્વભાવ છે. તેથી આમ આની પેઠે અગ્નિ વગેરેના તથાસ્ત્રભાવનું કલ્પન કાનાથી ખાધી શકાય વારુ ? કેાઈથી નહિ, એમ ભાવવા ચેાગ્ય છે. ગમે તેવા સ્વભાવ કુયુક્તિથી ને દૃષ્ટાંતખલથી સ્થાપિત કરી શકાય એમ છે, માટે એવા કુતર્કના ચુથણા કરવામાં કાંઇ સાર નથી, કઇ માલ નથી. તત્ત્વગવેષક મુમુક્ષુએ તે આ દુષ્ટ કુતર્કને નવ ગજના નમસ્કાર જ કરવા ચેાગ્ય છે. ! ઉપસ'હાર કરતાં કહે છે दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोद्यते यम् ।। ९५ । એમ દૃષ્ટાંતમાત્ર અહી, સર્વત્ર સુલભ જોય; તપ્રધાન આ કોણથી, સ્વનીતિથી માત્રિત હોય? ૯૫ અઃ- :~આમ પૃથ્વીમાં સર્વત્ર દૃષ્ટાંતમાત્ર સુલભ છે. તેટલા માટે એ દૃષ્ટાંતપ્રધાન એવા આ કુતર્ક કાનાથી પેાતાની નીતિ વડે કરીને બાધિત થઈ શકે વારું ? વિવેચન આમ ઉપરમાં જે કહ્યુ તે પ્રમાણે આ પૃથ્વીમાં સવિશેષપણે સ કેાઈ સ્થળે સત્ર દૃષ્ટાંતમાત્ર સુલભ છે; કાઈ પણ સાધ્ય વસ્તુ વિષે, લેાક-પ્રતીતિથી બાધિત એવુ', દૃષ્ટાંત મેળવવુ હેલું છે. પાતાના સાધ્યને અનુકૂળ-અ'ધબેસ્તુ' એવું દૃષ્ટાંત મળી આવવું મુશ્કેલ નથી. પછી ભલેને તે લેાકને પ્રતીત ન થાય એવુ, માન્યામાં ન આવી શકે એવુ હાય ! ગમે તેમ મારી મચરડીને, તાણી ખેંચીને, પેાતાની માન્યતાની ડાબી ખધ બેસાડવા ખાતર ઊભું કરેલુ હાય ! માટે આવું દૃષ્ટાંત જ્યાં પ્રધાન છે, આવા દૃષ્ટાંત પર જ જેનેા ધેા મદાર છે, આવા દૃષ્ટાંતના પેાલા થાંભલા પર જ જેની હવાઇ ઇમારત અદ્ધર ઉભી છે, એવા આ કુતર્કને કેણુ પાતાની નીતિથી વારી શકે ? કેણુ બાધિત કરી શકે વારું ? કેઇ નહિ.... દુષ્ટાંતપ્રધાન કુંત વૃત્તિ:-દષ્ટાંતમાત્ર-દૃષ્ટાંતમાત્ર, સાધ્ય વસ્તુમાં, લેાક-પ્રતીતિથી ખાધિત એવું, સયંત્ર-સર્વાંત્ર અવિશેષથી ચત્રમ્ કારણ કે એમ, ઉક્ત નીતિથી, ગુરુમં-સુલભ, ક્ષિતૌ-પૃથ્વીમાં છે. તબંધાનેડચ-એ દૃષ્ટાંતપ્રધાન આ કુતર્ક, જૈનવેદ્યતે–કાનાથી દૂર કરાય-બાધિત થાય? કેઇનાથી સ્વનીતિના વિરોધને લીધે, એમ અર્થા છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ (૩૪ર ) યોગદષ્ટિસમુરચય કદાચ કઈ એમ કહેશે કે કલ્પનાગૌરવ આદિથી આ કુતર્કને બાધા પહોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીને દાહ સ્વભાવ કપ તેમાં કલ્પનાગૌરવ (Monstrous imagination) છે, ઘણું ભારી કલ્પના છે, તે ગળે ઉતરે એમ નથી; કલ્પના માટે તે બાધક છે. એમ કોઈ કહેશે તે તેને ઉત્તર એ છે કે યુક્તિથી ગૌરવાદિ સિદ્ધ સ્વભાવના બાપનમાં કપના ગૌરવાદિક સમર્થ નથી, કારણ કે બાધક નથી હજારો ક૯૫નાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવું શક્ય નથી. એટલા માટે જ ક૫નાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કલ્પો શક્ય નથી, એમ સમજી લેવું. ગૌરવ છતાં અપ્રામાણિક હોય તે તેનું દુર્ગહપણું છે; અને પ્રામાણિક હેય તે ગૌરવાદિ થકી પણ અદોષપણું છે. તાત્પર્ય કે કલ્પનાગૌરવ હોય કે ક૯૫નાલાઘવ હોય, તેથી કાંઈ કુતર્કને બાધા પહોંચતી નથી; માટે આવો આ દષ્ટાંતપ્રધાન* કુતર્ક સર્વથા પરિત્યાગ કરવા યોગ્ય જ છે એમ નિશ્ચિત થયું. અહીં જ દૃષ્ટાંત કહે છે – द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः। निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥९६ ।। દ્વિચંદ્ર સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ બલ દાવ; જ્યમ સહુ જ્ઞાનની સાધતે, નિરાલંબતા સાવ, ૯૬ અર્થ-જેમ બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ બલથી ઊઠતે એ આ કુતર્ક, સર્વ જ્ઞાનની નિરાલંબનતા સાધતે સતે, જેનાથી બાધિત થાય વારુ ? વિવેચન ઉપરમાં કુતકની દષ્ટાંતપ્રધાનતા કહી, ને આવા દૃષ્ટાંતપ્રધાન કુતકને કેણ બાધિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દૃષ્ટાંત રજૂ કર્યું છે – ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે બે દેખાય છે સ્વપ્ન મિથ્યા છે-બેટું છે, છતાં તેનું વિજ્ઞાન-જાણપણું થાય છે. આમ બે ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, બેટા વૃત્તિ-વિજૂર્વદરવિજ્ઞાનનિનપસ્થિર–બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના નિદર્શનનાઉદાહરણના બલથી-સામર્થ્યથી ઊઠેલે–ઉપજેલો એવો કુતક, નિરાહાનતા-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાનામ-સર્વ જ્ઞાની, મૃગતૃષ્ણ આદિ ગોયર સર્વ જ્ઞાનની, -અવિશેષથી, સામાન્ય કરીને, સાધન્યથા-સાધતો સતો જેમ, –આવો કુતક કેનાથી બાધી શકાય વારુ ? * “દારતમાત્રૌમ્ય રહ્યું ન વાધ્યતાના રામાવવાધને નારું વનાળીયાટ્રિમ્ ” દ્વા દ્વા. ૨૨-૧૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ દીમાતૃષ્ટિ : આવા દુષ્ટ કુત થી સયુ ! ( ૩૪૩) છે, આલંબન વિનાના, આધાર વિનાના, નિમૂળ છે. આ દૃષ્ટાંતના સામર્થ્યથી, આ દૃષ્ટાંત આગળ ધરીને કોઈ એમ કુતર્ક કરે કે જેમ આ જ્ઞાન નિરાલ બન હાઇ મિથ્યા-ખેાટા છે, તેમ મૃગતૃષ્ણાદિ ગેાચર ખીજા બધા જ્ઞાન નિરાલંબન હાઇ મિથ્યા-ખાટા છે. ઝાંઝવાના જલ નિરાલખન છે, વાસ્તવિક છે નહિ, પણ મિથ્યા આભાસરૂપ દેખાય છે, તેમ સર્વ જ્ઞાના નિરાલંબન હાઇ મિથ્યા છે. આમ કુતર્ક કરી દૃષ્ટાંતના ખલે કરીને સર્વ જ્ઞાનેનુ નિરાલ’ખનપણું, નિરાધારપણું, નિ`ળપણું કેઇ સાખિત કરવા જાય, તે તેને કેણુ બાધિત કરી શકે વારુ ? કાઈ નહિં. કુતક કઇ રીતે ખાધિત કરવો શકય નથી, એનું આ ઉદાહરણૢ માત્ર રજૂ કર્યું; માટે આવા ઉંધા રવાડે ચડાવી દેનાર, ઉન્માગે લઈ જનાર, ઉત્પથે દોરી જનાર કુતર્કના કયા વિવેકી પુરુષ આશ્રય કરે ? ⭑ અને એમ તત્ત્વસિદ્ધિ નથી એટલા માટે કહે છે सर्व सर्वत्र चाप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥ ९७ ॥ એથી અસમંજસ બધું, પ્રાપ્ત થાય સત્ર; પ્રતીતિ બાધિત લાકમાં, એથી કાંઈ ન અત્ર, ૯૭ અર્થ :—કારણ કે આ કુતર્ક થકી સર્વ સત્ર પ્રાપ્ત થાય છે, કે જે અસમજસ ( અયથાર્થ ) અને લેાકમાં પ્રતીતિથી ખાષિત તેટલા માટે આ કુતર્કથી કાંઈ નથી, એનુ કાંઇ પ્રત્યેાજન નથી. એવું હેાય છે. વિવેચન આ અને આમ કુતર્ક કરવા થકી કેઇ પ્રકારે તત્ત્વસિદ્ધિ થતી નથી, કારણુ કુતર્કથી તા સ સત્ર પ્રાપ્ત થાય છે, ગમે ત્યાં ગમે તે કાંઇ સાધ્ય થઇ શકે છે. કોઇ એક અમુક દૃષ્ટાંતના ખલથી અમુક વાત સિદ્ધ કરી, કુતર્કથી તે દૃષ્ટાંત સર્વત્ર લાગુ પાડવામાં આવે છે! એક લાકડીએ બધાયને હાંકવામાં આવે છે! આ અતિપ્રસંગરૂપ હોઇ અસમંજસ છે, અયથાર્થ છે, અયેાગ્ય છે. વળી આ કુતર્ક તા લાકમાં પણ પ્રતીતિથી બાધિત દુષ્ટ કૃતથી સત વૃત્તિ:—સર્વે-સ†, નવશેષ સાધ્યુ એમ પ્રક્રમ છે, સર્વત્ર ૨-સત્ર વળી, સર્વત્ર જ વસ્તુમાં પ્રાપ્તેતિ-પ્રાપ્ત થાય છે, ચચસ્માત્—જો આ કુતર્ક થકી, અસમંગહ્રમ્-અસમંજસ, ( અયથાય),— અતિપ્રસંગને લીધે. પ્રતીતિાષિત સ્રો-લાકમાં પ્રતીતિથી ખાષિત થતુ એવુ, તેવા પ્રકારના દૃષ્ટાંતમાત્ર સારવ'તપણાથી, તનેેન ન ચિન-તેથી આથી-આ તકથી કાંપ્ત નથી, ( એનું કષ્કિં કામ નથી.) Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩૪૪) વેબદુષ્ટિસમુચ્ચય થાય છે, એટલે કે લોકમાં પણ તે માટે પ્રતીતિ ઉપજતી નથી, ખાત્રી થતી નથી. કુતર્કથી સિદ્ધ કરાતી વાત લોકોને પણ માન્યામાં આવતી નથી. કારણ કે તેમાં માત્ર દષ્ટાંત સિવાય બીજો કાંઈ સાર હોતો નથી આમ સર્વથા આવા નિઃસાર તુચ્છ કુતર્કથી કાંઈ નથી, એમાં કાંઈ માલ નથી. એટલે આવા અસમંજસકારી લોકપ્રતીતિથી બાધિત કુતર્કથી સયું! “તતા પર્યાસિસ%ાળા અતીન્દ્રિયાર્થસિદ્ઘાર્થ નીવારોડથ કુરિ I દ્વા. ઢા, ૨૩-૨. માટે જે સત્યતત્ત્વનો જિજ્ઞાસુ છે એવા તત્ત્વગષક આત્માથીએ તો ક્યારેય પણ, કોઈ પણ પ્રકારના કંઈ પણ કુતર્કને બીલકુલ કેડું આપવા ગ્ય નથી જ, એમ તાત્પર્ય છે. આ અંગે પ્રત્યેક મુમુક્ષુએ પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટકેલ્કીર્ણ વચન હૃદયમાં સદા કેરી રાખવા યોગ્ય છે– છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિક૯૫; કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.”—શ્રી આત્મસિદ્ધિ કુતર્ક નિંદાનો સારાંશ અને આ વચનને જાણે પ્રતિધ્વનિ કરતા હેય-પડઘો પાડતા હોય, એમ ભગવાન શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીએ આ કુતકરૂપ વિષમ ગ્રહના ત્યાગ પર આટલે બધે ભાર મૂક્યો છે, સર્વ પ્રકારના આગ્રહ-અભિનિવેશને અત્યંત નિષેધ કર્યો છે. કારણ કે આ કુતર્ક વિષમ ગ્રહની ખૂબ નિંદા કરતાં, તેઓશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું કે-આ કુતર્ક, (૧) બોધ પ્રત્યે રંગરૂપ છે, (૨) શમને-આત્મશાંતિને અપાયરૂપ છે, (૩) શ્રદ્ધાને ભંગ કરનાર છે, (૪) મિથ્યા અભિમાન ઉપજાવનાર છે, અને (૫) આમ તે ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ-પરમાર્થરિપુ છે, માટે તેમાં અભિનિવેશ કરવો મુમુક્ષુને યોગ્ય નથી. (૬) સર્વ વિકલ અવિદ્યાસંગત છે, અને તેની યોજના-ગોઠવણી કરનાર આ કુતર્ક છે, માટે તેથી શું કામ છે ? (૭) આ સર્વ કુતર્ક જાતિપ્રાય એટલે દૂષણભાસપ્રધાન છે, પ્રતીતિથી અને ફલથી બાધિત છે. દૂર રહેલાને હાથી હણે ? કે નિકટ રહેલાને? તેના જેવા વેદિયાડાની જેમ. (૮) વળી આ કુતર્કમાં છેવટને જવાબ સ્વભાવ” છે. અને આ સ્વભાવ તે તત્ત્વથી છદ્મસ્થાને ગોચર નથી, કારણ કે અન્યથી તે અન્ય પ્રકારે ક૯પવામાં આવે છે. જેમકે અગ્નિ ભીંજવે છે, પાણી બાળે છે, ઈત્યાદિ. (૯) આમ સર્વત્ર લેકપ્રતીતિથી બાધિત એવું દૃષ્ટાંત સુલભ છે, તે પછી આવા દૃષ્ટાંતપ્રધાન કુતર્કને કણ વારી શકે ? જેમકે-બે ચંદ્ર ને સ્વમવિજ્ઞાનના ઉદાહરણના બલ ઉપરથી ઊઠતે કુતર્ક સર્વ જ્ઞાનનું નિરાલંબનપણું સાધે છે! (૧૦) આમ લેકપ્રતીતિથી બાધિત એવું સર્વ કાંઈ પણ અસમંજસ કુતર્કથી સર્વત્ર પ્રાપ્ત થાય છે. કુતર્કથી ગમે તેવું અગડંબગડે ગમે ત્યાં સાબીત થઈ શકે છે ! તે પછી આવા અનિષ્ટ દુષ્ટ કુતર્કનું શું પ્રજન છે? Page #33 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : અતીન્દ્રિય અથ શુક તને અવિષય (૩૪૫) માટે આવા કુતકગ્રહનો-કદાગ્રહને તુણની જેમ ત્યાગ કર એ જ ઉદારદ્ધિ મુમુક્ષુજનને ઉચિત છે, અને એમ જે કરે છે, “તેને પતિવ્રતા કુલીન સ્ત્રીની જેમ ગુણાનુરક્ત યશલક્ષ્મી કદી છેડતી નથી. અને આ સિંઘ આ દુષ્ટ, અનિષ્ટ, અસત્ એ કુતર્ક વિષમ ગ્રહ, અત્રે આ દષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદનો જય થતાં આપોઆપ ટળે છે. । इति कुतर्कविषमग्रनिन्दाधिकारः। અતીન્દ્રિય અર્થસિદ્ધિઉપાય અને અહીં આ એમ છે, એટલા માટે કહે છે – अतीन्द्रियार्थसिद्धयर्थ यथालोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ॥ ९८ ॥ સિદ્ધયર્થ અતીન્દ્રિયાર્થીની, પ્રેક્ષાવંત પ્રયાસ; ને તે ગોચર કયાંય ના, શુષ્ક તર્કને ખાસ ૦૮ અર્થ –ોઈ વિચારીને વર્તનારા પ્રેક્ષાવત જનને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ તે કવચિત્ પણ શુષ્ક તકને ગોચર (વિષય) હેત નથી. વિવેચન જે પ્રેક્ષાવંત વિચારવાનું જ છે, તે વિવેકીઓને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે. ધર્મ, આત્મા આદિ અતીન્દ્રિય અર્થ છે, એટલે કે ઇન્દ્રિયને અગોચર છે, ઇંદ્રિયજ્ઞાનવડે જાણી શકતા નથી. ત્યાં ગો–ચર નથી, અર્થાત્ ગો એટલે ઇંદ્રિય, તેને ચર-સંચાર નથી, ગતિપ્રસર નથી. આવા અતીન્દ્રિય, ઇંદ્રિયજ્ઞાનથી પર એવા ધર્મ–આત્મા આદિ અર્થનું સ્વરૂપ વાસ્તવિક રીતે કેવું છે ? તે જાણવા માટે, સમજવા માટે ને સિદ્ધ કરવા માટે વિચારવંત વિવેકી પુરુષો સતત પ્રયત્નશીલ રહે છે, જૂત્તિઃ–અતીનિવાર્થસિદ્ભયર્થ-અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અથે, ધમ આદિની સિદ્ધિ અર્થે એમ અર્થ છે, થોતિરિણા-યથાલેચિતકારીઓને. પ્રેક્ષાવતને, પ્રચાર-પ્રયાસ, પ્રવૃત્તિ-ઉત્કર્ષ હોય છે. શુદત્તરા-અધિકૃત શુષ્ક તર્કને, ન વાલી-અને નથી હતો તે અતીન્દ્રિય અર્થ, જોર -ગોચર, વિષય, વિત્ત-કવસ્તિ , કર્યાય પણ. + “ વિવંતામુવા વૃદ્ધિારું વસ્તૃવજ્ઞાતિ ગણાતિ તૈને ગુરુવ રાષટુ ગુણાનુર સ્થિત યાશ્રી: II – શ્રી અધ્યાત્મસાર, Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬) યોગદસિમુચ્ચય મથે છે. અને એમ કરતાં તેઓને આત્મા–ધર્મ આદિ પદાર્થના અતીન્દ્રિયપણાની વિશેષ પ્રતીતિ થાય છે. તે આ પ્રકારે – ઈદ્રિય” એટલે ઇંદ્ર સંબંધિની. ઇદ્ર એટલે આત્મા જેને સ્વામી છે તે ઇદ્રિય. અથવા જે પોતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિન્દ્રની જેમ સર્વસત્તાધીશ થઈને વતે છે તે ઇંદ્રિય. તેના ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં ઇટ્રિયેને ઈંદ્ર તેનું કંઈ ચાલતું નથી. પિતપોતાની ક્ષેત્રમર્યાદાની બહાર કઈ ઇંદ્રિયની આત્મા સત્તા ચાલતી નથી. જેમકે-આંખ દેખવાનું જ કામ કરી શકે છે, કાન સાંભળવાનું જ કામ કરી શકે છે. આંખથી સંભળાતું નથી, કે કાનથી દેખાતું નથી. આમ પ્રત્યેક ઇંદ્રિયની સત્તા નાના ઠાકરડાની પેઠે પિતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. આવી સર્વ ઇદ્રિયની સત્તાથી જે પર છે, તે ઇન્દ્રિયોને પણ જે ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે, તે “આત્મા” નામથી ઓળખાતી વસ્તુ છે. અત્રે કઈ એમ શંકા કરે કે–આત્મા જેવી કઈ વસ્તુ જ નથી કારણ કે તે દૃષ્ટિમાં આવતું નથી–નજરે ચડતું નથી, તેનું કોઈ પણ રૂપ જણાતું નથી, તેમજ તેને બીજે કઈ પણ અનુભવ થતું નથી. માટે જીવનું સ્વરૂપ છે જ નહિં. અથવા નથી દષ્ટિમાં દેહ જ આત્મા છે, અથવા ઇંદ્રિય-પ્રાણ એ આત્મા છે, આત્મા જુદો આવત’ માનવ એ મિથ્યા છે, કારણ તેનું એંધાણ નથી. વળી જે તે આત્મા હોય તે તે કેમ જણાતું નથી ? જે તે હોય તે ઘટ-પટ વગેરેની જેમ જણાવો જોઈએ, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી. અને તે પછી મોક્ષને ઉપાય પણ મિથ્યા છે-ફેગટ છે. નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહિં, તેથી ન છવસ્વરૂપ. અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જૂદો માન, નહિં જૂહું એંધાણ વળી જે આત્મા હોય તે, જણાય તે નહિં કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. માટે છે નહિં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણે, સમજાવો સદુપાય.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ આમ કઈ દેહાત્મવાદી કે જડવાદી દલીલ કરે તે કેટલી બધી પિકળ છે, એ ઉપર કહેલા ઇંદ્રિયના સ્વરૂપ પરથી સહેજે સમજી શકાય છે. કારણ કે જે દ્રષ્ટિને પણ દ્રષ્ટા Page #35 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ આત્માદિ અતીન્દ્રિય અથ આગમચર (૩૪૭) છે, જે રૂપને જાણનારે છે, તેને દૃષ્ટિ કેમ દેખી શકશે વારુ? સવ “જે દ્રષ્ટા છે ઇંદ્રિયથી પર એવો અબાધ્ય અનુભવ જે બાકી રહે છે, તે જ જીવનું દ્રષ્ટિનો” સ્વરૂપ છે. પ્રત્યેક ઇંદ્રિયને તે પોતપોતાના વિષય પૂરતું જ જ્ઞાન હોય છે, પણ આત્માને તે પાંચ ઇંદ્રિયના વિષયનું ભાન હોય છે. દેહ તે આત્માને જાણતું નથી, ઇંદ્રિય કે પ્રાણ તેને જાણતા નથી, પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે દેહ ઇંદ્રિય ને પ્રાણ પોતપોતાના નિયત કાર્યમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યંત્રને ચલાવનારો યંત્રવાહક છે. આમ સર્વ અવસ્થામાં જે સદાય ન્યારો–જુદો જ જણાય છે, જુદો જ તરી આવે છે, જે પ્રગટરૂપે ચિતન્યમય છે, તે આત્મા છે; અને એ જ એનું સદાય એધાણ છે–એળખવાની નીશાની છે. બાકી દેહાધ્યાસને લીધે આત્મા દેહ સમાન ભાસે છે, પણ તે બન્ને પ્રગટ લક્ષણ ઉપરથી ભિન્ન છે,–“જેમ અસિ ને મ્યાન’ ભિન્ન છે–જુદા છે તેમ. “જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પંચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, આમ આત્માદિ અર્થનું અતીન્દ્રિયપણું સાબિત થાય છે. અને તે અતીન્દ્રિય પદાર્થ તે કવચિત્ પણ પ્રસ્તુત શુષ્ક તર્કને વિષય નથી હેતે. સુક્કા, નીરસ, વિતંડાવાદ જેવા કોરાધાકડ તર્કથી કદી પણ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ થતી નથી. માટે એવા અપ્રજનભૂત, ઇષ્ટ સિદ્ધિને નહિં સાધનારા, અને ઉલટા આત્માર્થને હાનિરૂપબાધારૂપ થઈ વ્યાસેહ ઉપજાવનારા શુષ્ક તર્કને કર્યો વિચારવંત આત્માથી પુરુષ સેવે ? આદરે? કઈ વિચારવાન વિવેકી જીવ તે તેને દૂરથી પણ સ્પશે જ નહિં. Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૪૮) ગદષ્ટિસમુચ્ચય गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः। चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ॥ ९९ ॥ પણ અતીન્દ્રિય અર્થ તે, આગમ ગોચર હોય; તેહ થકી તે અર્થની, ઉપલબ્ધિ અહિં જોય; ચંદ્ર-સૂર્ય ગ્રહણાદિને મળતું આવે છે; એવા આગમદર્શને હોય નહિ સંદેહ, ૯૯ અર્થ–પરંતુ તે અતીન્દ્રિય અર્થ આગમને જ ગોચર હોય છે,–તેના થકી તે અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિ (જાણપણું) થાય છે તેટલા માટે. કારણ કે ચંદ્ર-સૂર્યના ગ્રહણ વગેરેને સંવાદી-મળતા આવતા આગમનું દર્શન થાય છે. વિવેચન ઉક્ત અતીન્દ્રિય અર્થ કેઈને પણ ગોચર હોય તો તે આગમને જ છે. કારણ કે અતીન્દ્રિય એટલે કે ઇંદ્રિયેને અગમ્ય એવા વિષયનું જાણપણું આગમથી થાય છે. જેમકે આગમ દ્વારા એમ જાણવામાં આવે છે કે અમુક દિવસે, અમુક વખતે અતીન્દ્રિય અર્થ ચંદ્રગ્રહણ થશે, સૂર્યગ્રહણ થશે, ઈત્યાદિ. અને તે જ આગમવાણી આગમગોચર પ્રમાણે તેને મળતા આવતા જ સમયે ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ (Eclipse) આદિ પ્રત્યક્ષ દેખાય છે. આમ આગમકથનનો પ્રત્યક્ષ સાથે સંવાદ આવે છે, મેળ ખાય છે. એટલે આ સ્થૂલ દષ્ટાંત ઉપરથી અતીન્દ્રિય અર્થની વાત એ આગમને વિષય છે, એમ સિદ્ધ થાય છે. જો કે આ ચંદ્રગ્રહણાદિ લૌકિક અર્થ છે, એમ ભાવવા યોગ્ય છે; છતાં અતીન્દ્રિય હોઈ દષ્ટાંતરૂપે અત્રે રજૂ કરેલ છે. જે જે વિષયમાં નિષ્ણાત હોય તે વિષયમાં તેનું વચન જ પ્રમાણભૂત ગણાય, તે સામાન્ય નિયમ પ્રમાણે અતીન્દ્રિય વિષયમાં અતીન્દ્રિય જ્ઞાની એવા આસ પુરુષ પ્રમાણ ભૂત હેઇ, તેનું જ વચન પ્રમાણે છે. અને આપ્ત પુરુષનું વચન તેનું નામ જ “આગમ છે. તેની પ્રત્યક્ષ પ્રતીતિ આપે એવું ગ્રહણનું દષ્ટાંત અત્ર આપ્યું છે. પણ આ તે લૌકિક પદાર્થ છે. પણ અલૌકિક એવા અતીન્દ્રિય આત્મપદાર્થના સંબંધમાં પણ આ આપ્ત જ પ્રમાણભૂત છે. કારણ કે તે યોગીશ્વરે આત્મસ્વરૂપનું સાક્ષાત્ દર્શન કરી તેની પ્રાપ્તિ કરી વૃત્તિ -નોરત-પણુ ગોચર તે, આજનચૈત્ર-આગમને જ, અતીન્દ્રિય અર્થ તે આગમને જ ગોચર હોય છે. કયાંથી ? તે માટે કહ્યું –તત તદુપટ્ઝધિત –તેના થકી-આગમ થકી તે અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિને લીધે. એ જ કહે છે-ચન્દ્રસૂર્યોrriરિસંવાઘાજમાર્શના7-ચંદ્ર-સૂર્યના ઉપરાગ (ગ્રહણ) આદિને સંવાદી–બરાબર મળતા આવતા એવા આગમના દર્શન ઉપરથી. આ લૌકિક અર્થ છે એમ ભાવવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : અતીન્દ્રિય અથ સતશ્રાદ્ધ શીલવાન યોગી જાણે (૩૪૯) છે, અને તથારૂપ અનુભવ કરી પોતે સહજ આત્મસ્વરૂપ એવા સાક્ષાત્ “પ્રભુ” બન્યા છે. અને જેવું આત્મસ્વરૂપ તેમણે દીઠું તેવું યથાર્થપણે તેમણે કહી દેખાડયું છે. એટલે આવા આ આત્મદ્રષ્ટા નિર્દોષ આત્માનુભવી પ્રાપ્ત પુરુષ આ બાબતમાં પ્રમાણભૂત છે, પ્રકૃષ્ટ આપ્ત છે, પરમ વિશ્વાસ કરવા યોગ્ય છે. લેકવ્યવહારમાં પણ જેમ કઈ સાચા પ્રમાણિક મનુષ્યનો લેકે વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખે, તેમ પરમાર્થ માં પણ આ સાચા પ્રમાણિક સપુરુષ વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખવા યંગ્ય છે, “તહત્તિ” કરવા છે. પરમ તત્ત્વદા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાખ્યું છે કે “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને તે જેણે અનુભવ્યું.”—મેક્ષમાળા પાઠ ૬૭ અને આત પણ તે જ કે જેના દેષ* ને આવરણ કન્યા હોય. જેના રાગ-દ્વેષમહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ “આપ્ત” હવા યોગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન આત કણ?અસત્ય પણ હોય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિ. અને રાગ દ્વેષ-મહાદિ હોય છે તેથી પણ અસત્ય વદવાનો પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હોઈ વિશ્વાસપાત્ર હોય-આપ્યું હોય. એટલે જે કંઈ સર્વજ્ઞ વીતરાગ હોય તે જ આપ્ત છે, ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હોઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. ઉપસંહાર કરતાં કહે છે – एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानर्था स्तथा चाह महामतिः ॥ १०॥ વૃત્તિ -ઇતત્પધાન –આ આગમપ્રધાન, સદ્નાર્દો:-સત શ્રાદ્ધ, સશ્રદ્ધાવંત પ્રાજ્ઞ, શરવાન–શીલવાન, પરદ્રોહથી વિરતિમાન, યોગતત્વ:–ગતત્પર. સદા તેમાં અભિયુક્ત-તત્પર, એવા પ્રકારનો હોઈ, નાનાચતથિનર્થોન-અતીન્દ્રિય અર્થોને, ધર્માદિને જાણે છે, તથા જાદુ મહામત્તિ –અને તેવા પ્રકારે મહામતિએ-પતંજલિએ કહ્યું છે – * "दोषावरणया निनिःशेषास्त्यतिशायनात् । જાથિથા હેતુઓ વક્રિાન્તર્મક્ષચઃ ” –શ્રી સમંતભદ્રાચાર્યજીકૃત આસમીમાંસા, Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૫૦) ગદષ્ટિસમુચ્ચય શ્રુતપ્રધાન સતશ્રાદ્ધ ને ગપર શીલવાન; અર્થ અતીન્દ્રિય જાણત-કહે મહામતિમાન:- ૧૦૦ અર્થ –આ આગમપ્રધાન, સતુશ્રાદ્ધ (સતશ્રદ્ધાવંત), શીલવાન એ ગતત્પર પુરુષ, અતીન્દ્રિય અર્થોને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિએ (પતંજલિએ) કહ્યું છે – વિવેચન આ આગમપ્રધાન એટલે કે આગમ જેને મન પ્રધાન–મુખ્ય છે, એ સતશ્રાદ્ધ શીલવાન ને યોગતત્પર થઈ અતીન્દ્રિય અને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે. ઉપરમાં અતીન્દ્રિય વિષયમાં પ્રમાણભૂત અતીદ્રિય અર્થો એવું જે આગમ અર્થાત્ આપ્તવચન કહ્યું, તે જેને મન પ્રધાન છે, મુખ્ય કેણુ જાણે છે, સર્વોપરિ છે, એવો પુરુષ સશ્રાદ્ધ અથવા સતુશ્રદ્ધાવંત કહેવાય છે. એ સહ્યાદ્ધ શીલવાનું થાય છે એટલે કે પરદ્રોહથી વિરામ પામે છે, અને યોગસાધનામાં તત્પર રહી ધર્મ–આત્મા આદિ અતીન્દ્રિય અને જાણે છે. આગલા લેકમાં અતીન્દ્રિય વિષયની બાબતમાં ગ્રહણના દષ્ટાંત ઉપરથી આગમનું– આપ્ત વચનનું પ્રમાણભૂતપણું બતાવ્યું. આવું આગમવચન જેને મન પ્રધાન છે, તે આજ્ઞા પ્રધાન પુરુષ સત્ શ્રાદ્ધ કહેવાય છે. કારણ કે તે સત્ વચન પ્રત્યે આજ્ઞાપ્રધાન સત્ શ્રદ્ધા-દઢ વિશ્વાસ-સ્થિર આસ્થા ધરાવે છે, અને સર્વત્ર સતશ્રાદ્ધ પુરુષના વચનને આગળ કરી પ્રવર્તાવાની ઉત્કટ ઇચ્છા ધરાવે છે. આમ આત્મકલ્યાણને ઈચ્છનાર મુમુક્ષુએ સૌથી પ્રથમ “આજ્ઞાપ્રધાન થવું જોઈએ, કારણ કે “આજ્ઞાથી ધર્મ અને આજ્ઞાથી તપ _એમ શાસ્ત્રવચન છે. સપુરુષની આજ્ઞા વિનાની આ જીવની દાન-તપ-શીલ આદિ ક્રિયા પણ જીવને બાધક થઈ ઉલટી ભવઉપાધિ કરે છે, માટે અત્રે શાસ્ત્રકાર મહર્ષિએ આજ્ઞાપ્રધાનપણા ગુણને સૌથી પ્રથમ મૂક્યો છે. આ આજ્ઞાપ્રધાન હોય તે જ “સત્ શ્રાદ્ધ ’–સત્ શ્રદ્ધાળુ થઈ શકે છે. પ્રભુ આણુ ભકતે લીન, તિણે દેવચંદ્ર પદ કીન.” આણે રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીધ્ર વરીજે.”—શ્રી દેવચંદ્રજી. આ જે સહ્યાદ્ધ હોય છે તે પછી યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે ચાલવા તત્પર બને છે. અને આગમની મુખ્ય આજ્ઞા તે “શીલ” સેવવાની છે. “શીલ” એટલે આત્મસ્વભાવ; પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરવાથી–વ્યભિચાર કરવાથી શીલસેવન તે શીલને ભંગ થાય છે, માટે પરભાવ-વિભાવ પ્રત્યે વ્યભિચારથી શીલ ભંગ ન કરતાં, આત્મસ્વભાવમાં રહી “શીલ” પાળવું એવી મુખ્ય શાસ્ત્ર આજ્ઞા છે. અને તેવા શીલન પાલન માટે અહિંસા-સત્ય આદિ પંચ શીલ પરમ Page #39 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : તવ માસિના આગમાદિ ત્રિવિધ ઉપાય (૩૫૧ ) ઉપકારી છે, માટે તેનું પાલન કરવું એવી શાસ્રઆજ્ઞા છે. આ આજ્ઞાને અનુસરીને સત્શ્રાદ્ધ મુમુક્ષુ પુરુષ યથાશક્તિ અહિંસા-સત્યાદિ શીલના પાલનમાં તત્પર બને છે, અને જેમ બને તેમ પરભાવ-વિભાવના ત્યાગ કરી આત્મસ્વભાવમાં રહેવા પ્રયત્નશીલ અને છે. આમ તે શીલવાન' હાય છે. અને આમ જે સશ્રાદ્ધ શીલવાન—સંચમી હેાય છે, તે પછી ચેગને અધિકારી બની ચેાગતત્પર હોય છે, આત્મસ્વભાવ સાથે યુજનરૂપ યોગને સાધવા પ્રવર્તે છે. અને તેમ યેાગતત્પર થતાં તેને દિવ્ય ચેાગીજ્ઞાનની પ્રાપ્તિથી અતીન્દ્રિય અર્થાંનું જ્ઞાન થાય છે, સાક્ષાત્કાર થાય છે. શું? તે કે— आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्रमुत्तमम् ॥ १०१ ॥ આગમથી અનુમાનથી, ચાગાભ્યાસ રસે ય; પ્રજ્ઞા ત્રિવિધે યાજતાં, ઉત્તમ તત્ત્વ લહે ય. ૧૦૧ અ:—ભગમથી, અનુમાનથી અને ચેાગાભ્યાસના રસથી,-એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પતાં–પ્રયેાજતાં ઉત્તમ તત્ત્વને પામે છે, વિવેચન મુનિ પત'જલિ કહે છે કે- ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રયેાજતાં થાય છેઃ (૧) આગમથી, (૨) અનુમાનથી, અને (૩) યેાગાભ્યાસના રસથી.’ પ્રજ્ઞાનેબુદ્ધિને આગમમાં યાજવાથી, આપ્ત પુરુષના વચનમાં જોડવાથી ઉત્તમ ઉત્તમ તત્ત્વ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. અનુમાન એટલે લિંગ ઉપરથી લિંગીનુ પ્રાપ્તિ ત્રણ જ્ઞાન, તેમાં પણ પ્રજ્ઞાને પ્રયાજતાં ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. અને પ્રકારે ચેાગાભ્યાસ એટલે વિહિત અનુષ્ઠાનના અભ્યાસરસમાં પણ પ્રજ્ઞાને પ્રત્યેાજિત કરતાં ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આમ ત્રણ પ્રકારે આગમથી, અનુમાનથી અને યેાગાભ્યાસરસથી,-એ ઉક્ત અનુક્રમે જ પ્રજ્ઞાને પ્રયાજતાં વૃત્તિ:—બાળમેન-આગમથી, આપ્તવચનરૂપ લક્ષણુવાળા માગમથી, અનુમાનેન-મનુમાનથી, લિંગ ઉપરથી લિંગીના જ્ઞાનરૂપ અનુમાનથી, ચેળાસલેન 7-અને યાગાભ્યાસના રસથી, વિહિત અનુષ્ઠાનરૂપ યેાગાભ્યાસના રસથી, ત્રિધા યન્ત્રજ્ઞા ત્રણ પ્રકારે પ્રજ્ઞામે પ્રકલ્પતા, ઉક્ત મે જ, કાણુ કે અન્યથા તે પ્રવૃત્તિની અસિદ્ધિ છે, તેથી કરીને. તે। શું ? તે કે–મતે તત્રમુત્તમમ્–ઉત્તમ તત્ત્વ પામે છે,–પાપસમાહની નિવૃત્તિને લીધે શ્રુતાદિ ભેદે કરીને. Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૫૨) યોગદષ્ટિ સમુચ્ચય ઉત્તમ તત્વને પામે છે, એટલે કે પાપ-સંમેહની નિવૃત્તિ થકી કૃતાદિના ભેદે કરીને ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. ૧. અત્રે તસ્વપ્રાપ્તિને સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દર્શન જેણે કર્યું છે એવા આત્માનુભવી પુરુષનું વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવત તત્વષ્ટાના વચનામૃતમાં બુદ્ધિને જવાથી અર્થાત્ સપુરુષના વચનની બુદ્ધિપૂર્વક–સમજણપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ જરૂર થાય. ૨. તત્ત્વપ્રાપ્તિને બીજો ઉપાય અનુમાન અર્થાત્ સન્યાયસંપન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાન પ્રયોગ કરવાથી અર્થાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસોટીમાંથી પાર ઉતરતાં તત્વની અત્યંત દઢતા થાય છે, સન્મતિતર્કનું યથાયોગ્ય સમાધાન થતાં તત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસંપન્ન હોવો જોઈએ. જેમ ન્યાયમૂત્તિ નિષ્પક્ષપાતપણે–નિરાગ્રહપણે-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તેલ, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વને તેલ કરી, સન્યાયસંપન યુક્તિયુક્ત પક્ષને જ મુક્ત કંઠે સ્વીકાર કરવો જોઈએ,–જેમ આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હરિ ભદ્રસૂરિજીએ કહી દેખાડ્યું છે ને કરી દેખાડયું છે તેમ; અથવા મેક્ષમાળા નામક મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યું છે તેમ. “પક્ષપાતો ન કે વીરે : પિરારિપુ. ગુવતમવનં યા તા થાઃ પરિપ્રદ્દઃ ”શ્રી હરિભદ્રાચાર્યજી. તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હોવો જોઈએ, પણ અવિરુદ્ધ હોવો જોઈએ, આગમને અનુકૂળ હવે જોઈએ. કારણ આગમ એ સાક્ષાત્ તત્વષ્ટા પુરુષનું વચન હેઈ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાન કરવામાં બાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર બાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે. ૩. તથા તત્ત્વપ્રાપ્તિનો ત્રીજો ઉપાય ચોગાભ્યાસ રસ છે. સતશાસ્ત્રમાં જે યોગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે યોગસાધન અર્થાત્ ધર્મવ્યાપાર વિધાન બતાવ્યા છે, તેના પુનઃ પુનઃ આસેવનરૂપ અભ્યાસમાં રસ લઈ મતિ જેડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિર્મલ બને છે, તેથી તત્ત્વના ચમત્કાર તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે “રસ’ શબ્દથી યોગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચવ્યું છે. આ ગાભ્યાસનું સ્થાન અત્રે Page #41 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સર્વજ્ઞામાં ભેદ નથી, છતાં અતિભકતાના મેહ ! (૩૫૩) ત્રીજુ મૂકયુ છે, તેનું કારણ આ યાગાભ્યાસ શાસ્રઆજ્ઞા પ્રમાણે તેમાં બતાવેલ વિધિ અનુસાર હાવા જોઈએ; તેમજ આગમને અનુકૂળ યુક્તિથી યુક્ત એવા હાવા જોઈએ, સ્વછંદ પ્રમાણે ન હેાવે! જોઇએ. આમ તત્ત્વપ્રાપ્તિમાં આ ત્રણ ઉપાયનુ ઉક્ત અનુક્રમે પૂર્વાપર પ્રધાનપણુ છેઃ પ્રથમ સ્થાન આગમનું, પછી અનુમાનનુ, અને પછી યેાગાભ્યાસરસનું છે, કારણ કે આગળ આગળનું સ્થાન હેાય તેા જ પાઠ્ઠુ શેાલે છે. માટે મુમુક્ષુ આગમવચનને દૃઢ શ્રદ્ધાથી માન્ય કરી, યુક્તિથી તેની ચકાસણી કરી બુદ્ધિપૂર્વક ખરાખર સમજીને, તદનુસાર જો રસપૂર્વક યેાગાભ્યાસ કરે તે તેને અવશ્ય ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય, એમ તાત્પ છે. પહેલાં શ્રદ્ધા, પછી બુદ્ધિ, અને પછી રસપૂર્વક પ્રવૃત્તિ,-આ અનુક્રમે ત્રણે મળે, તા તત્ત્વકાની સિદ્ધિ સાંપડે । इति अतींद्रियार्थसिद्धयुपायाधिकारः । LI સજ્ઞ તત્ત્વ અભેદઃ સર્વજ્ઞવાદી અભેદ અધિકાર આ જ અથ કહે છે न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ॥ १०२ ॥ સર્વજ્ઞ। બહુ તત્ત્વથી, નથી ભિન્ન મતવાસ; ભેદ્ર માનવા માહુ છે, અતિભક્તોના તાસ, ૧૦૨ અઃ—કારણ કે ઘણા સર્વજ્ઞાતત્ત્વથી ભિન્ન મતવાળા નથી; તેથી કરીને તેના ભેદના આશ્રય કરવા તે તેના અતિભક્તોનેા-દાસેાના મેહ છે. વૃત્તિ:— ન તત્ત્વત:—ન તત્ત્વથી, પરમા'થી, મિન્નમતાઃ-ભિન્ન મતવાળા, ભિન્ન અભિપ્રાયવાળા, સર્વજ્ઞા વો યત: કારણ કે બહુ સર્વા, મોન્તષિમુદ્દીનાં-મેહ છે તેના અતિભક્તોના, સર્વાતિશય શ્રાદ્ધના, તોલાયળ-ડેના ભેદના આશ્રય કરવા તે સર્વજ્ઞના ભેનું અંગીકરણ, તત:તેથી કરીને. આ દીપ્રાદષ્ટિનુ વણુન અનેક હૃદયંગમ ગ્રાીય ચર્ચાવાળું ઘણું લાંબું હાઇ, વિષયની વિશદતા અને વાંચકની સુગમતા અથે` અત્રે આ મુખ્ય અધિકારા અને તેના અંતરાધિકારાના વિસાગની ચૈાજના મે પ્રયાજી છે. —ભગવાનદાસ, Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) યોગદષ્ટિસમુચ્ચય વિવેચન “નહિં સર્વ જજઆજી, તેહના વળી દાસ.”—. ૬. સજઝા. ૪-૧૪. ઉપરમાં આગમની અથવા શાસ્ત્રની પ્રધાનતા અને તેની શ્રદ્ધા પર ખાસ ભાર મૂકે, તે પછી ક્યા શાસ્ત્રની શ્રદ્ધા કરવી ? કારણ કે શાનું પણ ભિન્નપણું છે, એમ સ્વાભાવિક પ્રશ્ન ઉઠવાને સંભવ છે. તેને અત્રે ઉત્તર આપ્યો છે કે તત્વથી ધર્મવાદની અપેક્ષાએ જોઈએ તે શાસ્ત્રને ભેદ પણ નથી, કારણ કે તેના શાસ્તામાં ભેદ નથી. પણ સ્કૂલબુદ્ધિ જનેને તેના ભેદનું અભિમાન થાય છે, તે તે તે તે નયની અપેક્ષાએ દેશનાભેદને લીધે જ છે. આમ તે તે ધર્મ-શાસ્ત્રના પ્રણેતા જે સર્વજ્ઞ ભેદ અનેક સર્વજ્ઞ છે, તે તત્વથી–પરમાર્થથી વિચારતાં કાંઈ ભિન્ન મતવાળા, કલપના અતિ ભિન્ન અભિપ્રાયવાળા નથી, તેમાં કોઈ પણ જાતને મતભેદ કિવા ભકતને મેહ અભિપ્રાયભેદ નથી. એટલા માટે તે તે સર્વને ભજનારા જે સર્વજ્ઞ ભક્તો છે, શ્રદ્ધાળુ શ્રાદ્ધજને છે, તે સર્વમાં કઈ પણ પ્રકારના મતભેદને અવકાશ રહેતું નથી. છતાં પણ તે તે સર્વજ્ઞના કેઈ અતિભક્તિ-અતિશ્રદ્ધાળુઓ જે તે સર્વમાં ભેદની કલ્પના કરે, ભિન્નતા-જૂદાઈ માને, તે તે કેવલ તે અતિભકતોને મેહ જ-અજ્ઞાન જ છે, એમ કહેવું પડશે. કારણ કે તેઓ ભક્તિના અતિરેકમાં ને શ્રદ્ધાની અધતામાં ધર્મઝનૂનના આવેશથી વિવેક ભૂલી જઈ તેવા પ્રકારે મિથ્યા કલ્પના કરે છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તે અનંત સર્વજ્ઞો પણ એક અભિન્ન સ્વરૂપ છે. માટે તેમાં ભિન્નતા* કલ્પવી તે માત્ર મહિને વિલાસ છે, કેવલ બ્રાંતિ જ છે. માટે જે આરાધ્ય–ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી, તે પછી આરાધક એવા સર્વજ્ઞભક્તોમાં પણ કઈ ભેદ હવે ઘટતો નથી. પિતાના આરાધ્ય-પૂજ્ય પુરુષને સર્વજ્ઞ ને સત્કૃષ્ટ માનવાને માનવસ્વભાવ છે, માનવસુલભ નબળાઈ છે. એટલે પિતે માનેલા સર્વજ્ઞનું સ્થાન બીજા બધાથી ચઢીયાતું છે એમ સાબિત કરવા ઇચ્છતે તે તેનું ભિન્નપણું કલ્પવાને સહેજે લલચાય છે, અને પોતાના ઈષ્ટ દેવ પ્રત્યેના દૃષ્ટિરાગથી અંધ થઈ તથા પ્રકારે ભિન્ન કલ્પનાનો આગ્રહ કરે છે. આ દષ્ટિરાગમાંથી શ્રદ્ધા-ભક્તિના અતિરેકને લીધે વધારે પડતા ઉત્સાહી અતિભક્તોને આંધળું ધાર્મિક ઝનૂન પ્રગટે છે; અને તેથી ધર્મને નામે નાના પ્રકારના ઝઘડા ઉત્પન્ન થાય છે. આમ આ ભેદક૯૫ના અનિષ્ટપરંપરાનું મૂલ થઈ પડે છે. અભિનંદન જિન દરિશણ તરસિએ, દરિશણુ દુર્લભ દેવ; મત મત ભેદે રે જે જઈ પૂછિયે, સૌ થાપે અહમેવ.” –શ્રી આનંદઘનજી. તરત બ્રમે ન શાખામેરા મોત્તષિમુવતીનાં તાકથi તરઃ | શ્રી યશોવિજ્યજીકૃત દ્વા દ્વા. ર૩-૧૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાતૃષ્ટિ : પારમાર્થિક સગ વ્યક્તિભેદ છતાં એક જ કેવી રીતે ? તે માટે કહે છે— सर्वज्ञो नाम यः कश्वित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तच्चतः ॥ १०३ ॥ સર્વજ્ઞ નામે જેહુ કો, પારમાર્થિક જ અત્ર; વ્યક્તિ ભેદ્દે પણ તત્ત્વથી, તે એકજ સત્ર. ૧૦૩ (૩૫૫) અઃ— સર્વાંગ ' નામનેા જે કઇ પારમાર્થિક જ એવા છે, તે વ્યક્તિભેદ છતાં, તત્ત્વથી સત્ર એક જ છે. વિવેચન ઉપરમાં કહ્યું કે સામાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણુ કર્યુ છે:— સજ્ઞ' નામથી ઓળખાતા જે કોઈ પશુ પારમાર્થિક જ, સાચેસાચા, નિરુપચરિત સર્વજ્ઞ હેાય, તે વ્યક્તિભેદ છતાં તત્ત્વથી સત્ર એક જ છે. વ્યક્તિભેદ છતાં તે સાચા પારમાર્થિક સ`જ્ઞને ભલે પછી અર્હત્, જિન, બુદ્ધ, શિવ, સજ્ઞ અભેદ શકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યું હાય, છતાં તન્ત્રથી સર્વ જ્ઞપણાએ કરીને તે સત્ર એક જ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હેાય, તેાપણુ પારમાર્થિ ક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઇએ તે તે તત્ત્વથી જાતિની અપેક્ષાએ સર્વ સ્થળે એક જ છે, તેમાં ભેદના અવકાશ છેજ નહિ'. "मुक्तो बुद्धोऽन्वापि यदैश्वर्येण समन्वितः । સરીશ્વ: સ વ સ્વાતંજ્ઞામેોડત્ર નમ્ ।” —શ્રી હરિભદ્રસૂરિજીકૃત શ્રી યાગબિન્દુ, “ શિવ શકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન....લલના, જિન અરિહા તીર્થંક, જ્યોતિસરૂપ અસમાન....લલના. શ્રી સુપાર્જિન વંદીએ. ’ —શ્રી આનંદૅઘનજી. પરમા સત્ સજ્ઞપણુ અનંત કેવલજ્ઞાનીના પણુ નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે હાય, પણ સાચું' હાય, તે અનંત સર્વના પશુ એક સ્વરૂપ છે. આમ વૃત્તિ-સર્વજ્ઞો નામ ચ: TMશ્ચન– સજ્ઞ નામે જે કાઇ અત્ આદિ પારમાર્થિક પત્ર દ્િ—પારમયિક જ છે, નિરુપચરિતજ છે, સ વ સર્વત્ર-તે સત્ર એકજ છે,-સપ્તપણા થકી, ર્યાત્તમેડ્રેપિ હું વત્ત –મતિભેદ છતાં -તથી, ઋષભાદિરૂપ વ્યક્તિભેદ છતાં Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૫૬) ગદષ્ટિસમુચય કેવલજ્ઞાનસ્વરૂપમાં ભેદ નથી, કારણકે કેવલજ્ઞાની સર્વજ્ઞ સર્વ કાંઈ જાણે છે. તેના અસંખ્ય પ્રદેશાત્મક આત્મક્ષેત્રમાં અનંત પર્યાયનું સ્થાન છે, અને તેની અશેષ–સંપૂર્ણ જ્ઞાયક શક્તિ પૂર્ણ કક્ષાએ પ્રગટી છે, તેથી તે સર્વ કાંઈ વિશેષ જાણે છે, સર્વ પ્રમેયપ્રમાણ તેનું કેવલજ્ઞાન હોય છે. “ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણુગ શક્તિ અશેષ, તેહથી જાણેરે કાંઈ સકલ વિશેષ રે.... જિગંદા તેરા નામથી મન ભીને. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણુ પહાણ તિણે કેવલનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે....જિમુંદા.” –શ્રી દેવચંદ્રજી. प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ॥ १०४ ॥ તેથી પ્રતિપત્તિ તેહની, જેહની સામાન્ય જ; તે સર્વ આશ્રિત તેહને, પરા ન્યાયગતિ એ જ, ૧૪. અર્થ –તેથી કરીને તે મુખ્ય સર્વજ્ઞની જેટલાઓને સામાન્યથી જ પ્રતિપતિ (માન્યતા ) છે, તે સર્વેય તેને આશ્રિત છે, એમ પરા ન્યાયગતિ છે. વિવેચન આમ વ્યક્તિભેદ છતાં સર્વજ્ઞ એક જ છે, તેથી કરીને આ સર્વજ્ઞને સામાન્યથી જ જેટલા સ્વીકાર કરતા હોય, તે સર્વે તે સર્વને જ આપન્ન છે, આશ્રિત છે, એવી ચાયની પરા ગતિ છે. કારણ કે જેમ મનુષ્ય લક્ષણ જેના જેનામાં હોય, મુખ્ય સર્વજ્ઞને તેને તેને સામાન્યથી જ “મનુષ્ય” તરીકે સ્વીકાર કરે એ ન્યાયની ભક્ત અભેદ પદ્ધતિ છે; તેમ સર્વજ્ઞનું લક્ષણ જેના જેનામાં હોય, તેને તેને સામા ન્યથી “સર્વજ્ઞ” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની રીતિ છે. અને આમ જેટલા જેટલા ભિન્ન ભિન્ન મતવાદીઓ-દાર્શનિકે સામાન્યપણથી જ તે સર્વજ્ઞને સ્વીકાર કરતા હોય, માન્યતા ધરાવતા હોય, તે સર્વેય મુખ્યજ-પારમાર્થિક જ એવા તે - વૃત્ત – પ્રતિપત્તિઃ તતઃ– તેથી કરીને પ્રતિપત્તિ, તરંથ-તેની, સર્વજીની, સામાન્ચનૈવ સામાન્યથી જ, જીલાની, જેટલા તંત્રાન્તરીની (અન્ય અન્ય દેશની એની) પણ, તે સર્વેકવિ-તે સય. તમન્ન-તે મુખ્ય સર્વગ્નને જ આપન્ન-આશ્રિત છે, હૃત્તિ ચાયત્તિ: - એવી પરા નાયગતિ છે,–તે શિવાય તેની પ્રતિષત્તિની અસિદ્ધિ છે માટે. Page #45 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સામાન્યથી સવજ્ઞને માનનારા અભેદ (૩૫૭) એક સર્વજ્ઞને જ માન્ય કરે છે, માને છે, એમ ન્યાયથી સાબિત થાય છે. માટે સર્વજ્ઞને માનનારા જુદા જુદા દર્શનવાદીઓ પણ સર્વ કઈ એક સ્વરૂપ જ છે, અભેદ સ્વરૂપ જ છે. આમ સર્વજ્ઞને ભજનારા ભક્તોમાં પણ ભેદ હોવો સંભવતો જ નથી. विशेषस्तु पुनस्तस्य कात्स्न्ये नासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥ અસર્વદર્શી સર્વને, વિશેષ પણ તેને ય; પૂર્ણ જણાય ન-તે થકી, તેને પ્રાપ્ત ન કેય, ૧૦૫ અર્થ-અને તે સર્વજ્ઞ વિશેષ-ભેદ તે સંપૂર્ણપણે સર્વ અસર્વદશી"એને જાણવામાં આવતા નથી, તેથી કરીને તે સર્વને પ્રાપ્ત થયેલે એવો કઈ (અસર્વદશી) છે નહિ. વિવેચન ઉપરમાં સામાન્યથી સર્વજ્ઞનું એકપણું કહ્યું. હવે કોઈ કહેશે કે વિશેષથી તેમાં ભેદ હશે. તેને ઉત્તર અત્રે કહે છે તે સર્વજ્ઞ વિશેષ–ભેદ તો અસર્વદશી એવા સર્વ પ્રમાતૃઓને જાણવામાં સંપૂર્ણપણે આવી શકતો નથી. કારણ કે તે પોતે અસર્વદર્શી અસર્વદર્શી અસર્વજ્ઞ હોવાથી, તેનું સર્વ દર્શન તેઓને થતું નથી, વિશેષ સંપૂર્ણ એટલે તે સર્વજ્ઞના વિશેષનું-ભેદનું જ્ઞાન તેઓને કેમ થઈ શકે? અને કેમ જાણે? સામાન્ય એવું દર્શન થતું હોય તે પણ વિશેષ એવા તેના જ્ઞાનમાં તેઓની ગતિ હોતી નથી. આમ સર્વજ્ઞનું સ્વરૂપ ચિંતવનારા સર્વ અસર્વદશીને તેના સંપૂર્ણ વિશેષ સ્વરૂપનું ભાન થવું સંભવતું નથી. કારણ કે સંપૂર્ણને સંપૂર્ણ ને ખ્યાલ આવી શકે, પણ અપૂર્ણને સંપૂર્ણને ખ્યાલ કેમ આવી શકે? એટલે તે તે દર્શન પ્રમાણે આ સર્વજ્ઞ સંબંધી જે ભેદ કલ્પના કરવામાં આવે છે, તે પણ નિરર્થક છે. જેમકેશવ લોકો તેને અનાદિશુદ્ધ ને સર્વગત કહે છે, જેને સાદિ ને અસર્વગત કહે છે, બૌદ્ધો પ્રતિક્ષણ ભંગુર કહે છે, ઈત્યાદિ જે ભેટ કપાય છે તે નકામે છે. કારણ કે-(૧) તેના વિશેષનું પરિજ્ઞાન એટલે કે સર્વથા સર્વ પ્રકારે જ્ઞાન છદ્મસ્થને થઈ શકતું નથી. (૨) યુક્તિઓના જાતિવાદને લીધે પ્રાયે વિરોધ હોય છે, વૃત્તિઃ—વિરોષતુ-વિશેષ તો, ભેદ તે પુન-વળી, તસ્ય-તે સર્વાન, ચૈન-કાર્યથી, સંપૂર્ણપણે અર્વશિમિડ-અસદશ પ્રમાતૃઓથી સર્વે-સર્વથી, ન જ્ઞાનથી જાણવામાં આવતે - તેના આદર્શનને લીધે દર્શન સતે પણ તેના જ્ઞાનની અગતિને લીધે, દર્શન હોય તો પણ તેના જ્ઞાન પ્રત્યે ગતિ હોતી નથી તેથી કરીને, તેન-તે કારણથી, તં-તે સર્વને, આઘન્ન-પ્રતિપન, પ્રાપ્ત થયેલે, ન 7કોઈ અસર્વદશ નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૫૮) ગદષ્ટિસમુચય એટલે અનુમાનરૂપ યુક્તિઓના પરસ્પર વિરુદ્ધપણાથી એક બીજાનું ખંડન કરે છે. સાંખ્ય ને શૈવ બૌદ્ધનું ખંડન કરે છે, તે બૌદ્ધ સાંખ્ય ને શિવનું પ્રતિખંડન કરે છે. આમ ખંડનમંડન પરંપરા ચાલ્યા કરે છે, ને આ પ્રશ્નને નિવેડો કઈ રીતે આવતું નથી, અને ઘાણીને બેલ જ્યાંને ત્યાં પડ્યો રહે છે ! (૩) અને ભાવથી ફલનો અભેદ છે. એટલે કે પરમાર્થથી ફળમાં ભેદ પડતું નથી.૪ કારણ કે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ ગમે તે હો, પણ તે ગુણપ્રકરૂપ સર્વજ્ઞની આરાધનાનું સાધ્ય ફળ તે એક જ છે, અને તે કલેક્ષયરૂપ મેક્ષફલ છે. એટલે તે સર્વજ્ઞ ભગવાન પ્રત્યેના બહુમાનનું જ ફલદાયકપણું હેવાથી જે કઈ પણ તે સર્વજ્ઞની સાચા ભાવથી ભક્તિ કરશે તેને જ તે ફળ મળશે, માટે તે સર્વજ્ઞના વિશેષ સ્વરૂપ સંબંધી મિથ્યા વાદવિવાદ શો? નકામે ઝગડો શો? આમ વિશેષથી તે સર્વજ્ઞને પ્રતિપન્ન થયેલે-પામેલ એ કોઈ પણ અસર્વદશી છે નહિ, તે પછી સર્વજ્ઞમાં ભેદ છે એમ કેણ દેખી–જાણી શકે વારુ ? માટે તેની એકતા જે સિદ્ધ છે તે માન્ય કરી, વિશેષની વાત હાલી જતી કરવી, એ જ સર્વ અસર્વ દશી છઘસ્થાને સાંપ્રત ને શ્રેયસ્કર છે, અને પરમાર્થથી આત્માથી મુમુક્ષુ જોગીજનને તેમજ કરવું ઉચિત છે. तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि ।। निजि तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६ ॥ (તેથી) સામાન્યથી પણ એહને, માને અદંભ જે; તે અંશે જ ધીમંતને, તુલ્ય જ હોયે તેહ, ૧૦૬ અર્થ:–તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે નિર્ચાજપ-સાચેસાચી રીતે માન્ય કરે છે, તે તેટલા અંશે કરીને જ મતિમ તેને મન તુલ્ય જ-સરખે જ છે. વિવેચન તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે કંઈ પણ માને છે, સ્વીકારે છે, તે તે ત્તિ:-તwારસામાચરોડબેન–તેથી કરીને સામાન્યથી પણ આ સત્તને, અમ્યુપૈતિ ચ શ્વ દિ-જે કોઈ અસવંદશી માન્ય કરે છે, નિર્ચાન-નિવ્યાજ પણે (સાચેસાચી રીતે), ઔચિત્ય યુગથી તેણે કહેલના પાલનમાં તત્પર થઈને, તુરક વાતૌ-તે લયજ છે. તેનાંશન-તે સર્વ પ્રતિપત્તિ લક્ષણ અંશથી, ધીનતામ-ધીમે તેને, અનુપડત બુદ્ધિવંતને, એમ અર્થ છે. x “अनादिशुद्ध इत्या दिर्यश्च भेदोऽस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सेोऽपि निरर्थकः ।। विशेषस्यापरिज्ञानाद्यक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધ જામેલા% માવતઃ ”—શ્રી હરિભદ્રસૂરિછકૃત શ્રી યોગબિન્દુ, Page #47 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : રાજસેવકવત સવભક્તો અભેદ (૩૫૯) માન્યતા પૂરતા અંશથી ધીમોને મન સરખા જ છે. એટલે કે નિર્ચાજપણે, નિદભાણે, નિષ્કપટપણે, સાચેસાચી રીતે તે સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં યથોચિતપણે તત્પર થઈ, તેને જે કઈ માન્ય કરે છે, તે સર્વજ્ઞ માન્યતારૂપ સામાન્ય અંશે કરીને બુદ્ધિમાન પ્રાજ્ઞજનોને મન તુલ્ય જ છે, સમાન જ છે,–પછી તે ભલે ગમે તે મતને, સંપ્રદાયને કે દર્શનને અનુયાયી હોય. અને સર્વજ્ઞને માનવું, એટલે નિષ્કપટ, નિર્દભપણે તેની ભાખેલી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર રહેવું, એમ અર્થ સ્પષ્ટ કર્યો છે. કારણ કે મુખેથી માન્યપણે કહીએ, પણ આજ્ઞા આરાધન ન કરીએ, તે તે માન્યપણાની મશ્કરી વા વિડબના કરવા બરાબર છે ! એ તે “ચાકર તેરા, કહ્યા નહિં કરું !”—એના જેવો ઘાટ થયે ! માટે અહિંસા, સત્ય આદિના પાલન સંબંધી એની આજ્ઞાનું પાલનમાં સદા ઉઘુક્ત રહેવું, એજ એ સર્વજ્ઞ ભગનાનની આરાધનાનો શ્રેષ્ઠ ઉપાય છે. અને તેવા પ્રકારે શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં કહ્યું છે + “સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતિ કરતાં. સહેજે નાથ નિવાજે. સેવા સાર રે જિનની મન સચે”—શ્રી દેવચંદ્રજી. તાત્પર્ય કે-જે કોઈપણ સર્વજ્ઞ તત્વને, સ્વીકારી, નિદભપણે-નિષ્કપટપણે, સાચા ભાવથી તેની આજ્ઞાના આરાધનમાં તત્પર હોય છે, તે સર્વ તેટલી માન્યતા પૂરતા સમાન અંશથીઝ તુલ્ય જ છે, સમાન જ છે. ચાહે તે જૈન હોય કે અજૈન સર્વ ભક્તોને હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હોય, સાંખ્ય અભેદ હોય કે નૈયાયિક હોય, વેદાંતી હોય કે સિદ્ધાંતી હોય, ઈસ્લામી હોય કે ઇસાઈ હોય, ગમે તે મત સંપ્રદાયને અનુસખ્ત હોય, પણ જે તે સર્વશને (omniscient) માનતો હોય તો તે એકરૂપ-અભેદરૂપ જ છે. આમ સર્વને સામાન્ય એવી સર્વજ્ઞ માન્યતા જગતના સમસ્ત સંપ્રદાયનું એક અનુપમ મિલનસ્થાન છે, માટે એક અભેદસ્વરૂપ સર્વજ્ઞને માનનારા સેવક ભક્તજનમાં કોઈ પણ ભેદ ઘટતો નથી, એમ સિદ્ધ થયું. આ જ અર્થ નિદર્શનગર્ભપણે કહે છે – + “વસ્થ રાનાધનોવાયઃ સાચ્ચાસ વ . यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ।।" x"सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामल्या धिया । निर्व्याजं तुल्यता भाव्या सर्वतंत्रेषु योगिनाम् || २३-१७ Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩૬૦) यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरसन्नादिभेदेऽपि तद्भृत्याः सर्व एव ते ।। १०७ ॥ જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય; દૂર-નિકટ ભેદૈય તે, તસ સેવક સઘળાય. ૧૦૭ યોગદૃષ્ટિસમુચ્ચય અઃ—જેમ કોઇ એક રાજાના ઘણાય આશ્રિતા હાય, પણ દૂ-નિકટ આદિને ભેદ છતાં, તેએ સવેય તેના ભૃત્ય-સેવકે છે; વિવેચન ઉપરમાં સુયુક્તિથી જે સજ્ઞભક્તોનુ અભેદપણું ઘટાળ્યું, તેનું અહીં લેાકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યુ” છેઃ-જેમ કેઇ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષા હાય તે આશ્રિતમાં કોઇ રાજાની નિકટના સેવક હાય, કાઈ દૂરના હાય, કોઈ પ્રધાન હોય, તે કાઇ મંત્રી હાય; કોઈ સરદાર હાય તા કેાઈ સીપાઇ હાય; કાઇ કારકુન હોય, તેા કેાઈ પટાવાળા હાય. ઇત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાનેા ભેદ હેાય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષા તે એક જ રાજાના મૃત્યા તે છે જ, સેવકો તે છે જ. તેના ભૃત્યપણામાં–સેવકપણામાં કાંઇ ભેદ પડતાં નથી. કાઇના હેદ્દો ઊંચા તા કેઇનેા નીચેા, પણ તે બધાયની ગણત્રી ભૃત્યવગ માં જ-દાસવČમાં જ થાય છે. તે સર્વ એક વર્ગ તરીકે રાજસેવક (Government Servant) કહેવાય છે. * દતિક ચેાજન કહે છે— सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे aail ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥ વૃત્તિ:- ચૈવસ્ય નૃપતેઃ—જેમ કાઇ એક વિવક્ષિત રાજાના, વડજિ સમાશ્રિતા:-ધણાય સમાશ્રિત પુરુષા, તૂરાસન્નામેિરેષિ-દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિયોગ ભેદ (નીમણુંકના ભેદ) કરવામાં આવ્યે પણુ, સટ્ટા-તે વિક્ષિત રાજાના ભૃત્યા–સેવા, સર્વ પત્ર તે-તે સમાશ્રિત સર્વેષ હોય છે. વૃત્તિ:-સર્વજ્ઞતવા મેફેન-મથેાક્ત નીતિથી હેતુભૂત એવા સર્વાંત્તતત્ત્વના અભેદથી, તથા—તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત મહુ પુરુષોની જેમ, સર્વજ્ઞવિનઃ સર્વે-સર્વે સત્તવાદી, જિન આદિ મતભેદ અવલ’બીએ, તત્તવ:-તે સત્તતત્ત્વગામી, જ્ઞેયા:-જાણવા, મિન્નાવા સ્થિતા પિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી. Page #49 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ : સર્વ સતવાદી અભેદ સર્વજ્ઞતત્ત્વ અભેદથી, સજ્ઞવાદી બધાય; સર્વજ્ઞતત્ત્વગ જાણવા, ભિન્નાચાર છતાંય. ૧૦૮ (૩૬૧) અઃ—તેમ સ་જ્ઞ તત્ત્વના અભેદથી, સજ્ઞવાદીએ સર્વે, ભિન્ન આચારમાં સ્થિત છતાં, તે સર્વજ્ઞ તત્ત્વગામી જાણવા. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે, એટલે કે ઉક્ત દૃષ્ટાંત અનુસાર એક રાજાના આશ્રયે રહેલા ઘણા પુરુષાની જેમ, સવૈય સર્વાંગવાદીએ તે સર્વીસતત્ત્વ પ્રત્યે જનારા–ગમન કરનારા છે; કારણકે સર્વાંગ તત્ત્વના ઉપરમાં કહ્યા પ્રમાણે અભેદ છે. તેમ સ સજ્ઞ- પછી ભલે તે સÖનવાદીએ તેવા તેવા પ્રકારના અધિકારભેદે ભિન્ન વાદી અભેદ ભિન્ન આચારમાં સ્થિત હાય. તાત્પર્યં કે–જેમ એક રાજાના આશ્રિત એવા ઘણા પુરુષા હાય, તેએ પેાતાતાની ચાગ્યતા અનુસાર નાના માટા ભિન્ન ભિન્ન અધિકાર ધરાવતા હાય, ઊંચા નીચા હૈાદ્દા સાંભાળતા હાય, પણ તે એક જ રાજાના આશ્રિત રાજસેવક ગણાય છે, તેએના દાસભાવમાં ભેઢ પડતા નથી; તેમ ભગવાન્ સ નદેવના આશ્રય કરનારા, સર્વજ્ઞને માનનારા-ભજનારા જૈન કે જૈનેતર બધાય સજ્ઞવાદીએ તે એક સČજ્ઞતત્ત્વ પ્રત્યે ગમન કરનારા હાઈ, સજ્ઞના આશ્રિત સેવક ભક્ત છે. પછી તે સર્વજ્ઞ તત્ત્વને સ્વીકાર કરનારા ભલે જૈન હાય કે બૌદ્ધ હોય, શૈવ હાય કે વૈષ્ણવ હાય, પારસી હાય કે ખ્રીસ્તી હાય, અને ભલે તે પાતપોતાની ચાગ્યતા પ્રમાણે અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચારમાં વત્તતા હાય, ઉંચી દશાવાળા હાય કે નીચી દશાવાળા હાય, ઉત્તમ કોટિના હોય કે અધમ કેપિટના હાય, ગમે તેમ હાય, પણ તે સર્વેય એક જ આરાધ્ય સજ્ઞને ભજનારા આરાધકે-ભક્તો છે, સજ્ઞસેવકા જ છે એના દાસભાવમાં કાઈ જાતને ભેદ નથી, તે બધાય સર્વજ્ઞ ભગવાન દાસ છે. આ સજ્ઞના સાચા સેવક ભક્ત પણ કાણુ કહેવાય ? તે ઉપર સ્પષ્ટ કર્યુ છે, તે અહીં નૃપસેવકના દૃષ્ટાંતથી વિશેષ દૃઢ કર્યું” છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ રાજસેવક હાય તેણે રાજાની આજ્ઞા ઊઠાવવામાં સદા તત્પર રહેવું જોઈએ, એવી સેવક ભક્ત રીતિ છે, તેા પછી આ તે લેાકેાત્તર દેવ સર્વજ્ઞ મહારાજની આજ્ઞાના આજ્ઞા પાલક પાલનમાં સાચા સેવકને કેટલા તત્પર રહેવુ જોઇએ, તે સહેજે સમજી શકાય એમ છે. અને તેની સેવાભક્તિ કરતાં સાચા સેવક ભક્તજને સેવાળની આશા પણ ન રાખવી જોઇએ, ને તે જ તે સાચી ભક્તિ કહી શકાય; નહિ' તા તેની જ આશા રાખવામાં આવે તે તે ભક્તિ નહિ, પણ ભાડુતી કામ જેવું થયું ! Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૬૨) “ સેવા સારજ્યે। રે જિનની મન સાચે, પણ મત માગેા ભાઇ ! મહિનતના ફળ માગી લેતાં, દાસભાવ સવિ જાઇ....સેવા૦ ભક્તિ નહિ તે તેા ભાડાયત, જે સેવા ફળ જાચે; દાસ તિર્ક જે ઘન ભરિ નિરખી, કેકીની પરે નાચે....સેવા ’-શ્રી દેવચ'દ્રજી અને આસન દેવના આવા જે સાચા સેવક ભક્તજને હેાય, તેએ સમાનસી હાવાથી, સર્વય સાધર્મિક છે. એટલે તેને એક બીજા પ્રત્યે પરમ વાત્સલ્ય હાવું જોઈએ, પરમ પ્રેમ સ્ફુરવા જોઈએ, વિશ્વમંત્વની (Universal Brotherhood) ભાવના દઢપણે વિકસવી જોઇએ, એમ આ ઉપરથી સહેજે ફલિત થાય છે. અને આમ છે તા પછી એકબીજા પ્રત્યે કાઇ પણ પ્રકારના દ્વેષને, મત્સરને કે અસહિષ્ણુતાને ઉદ્ભવવાનુ સ્થાન પણ કયાં રહે છે ? ઉપસંહાર કરતાં કહે છે— न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥ ચગદષ્ટિસમુચ્ચય મહાત્મા સર્જા તા, તત્ત્વથી ભેદ જ નાય; નામાદિ ભેય આ, ભાવ્ય સુજ્ઞને હોય. ૧૦૯ અ — મહાત્મા સર્વજ્ઞાના તત્ત્વથી ભેદ જ નથી,-તેવા પ્રકારે નામ વગેરેના ભેદ છતાં પણુ,આ મહાત્માઓએ ભાવવુ. યેાગ્ય છે. વિવેચન “રામ કહેા રહેમાન કહેા કાઉ, કાન કહે। મહાદેવરી. ”—શ્રી આનદઘનજી “ ઇશ્વર અલ્લા તેરે નામ, સખકે સન્મતિ દે ભગવાન !” ઉપરમાં જે સર્વીના સબધી વિવરણ કર્યું, તેનેા ઉપસંહાર કરતાં મહાનુભાવ મહાત્મા શાસ્રકાર મહર્ષિ કહે છે કે તત્ત્વથી-પરમાથથી જોઇએ તા મહાત્મા સર્વજ્ઞામાં એટલે કે ખરેખરા ભાવ સર્વનામાં ભેદ જ નથી. ભલે તેવા તેવા પ્રકારે ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિ:-ન મેક્ વ-ભેદ જ નથી, તવેનતત્ત્વથી, પરમાર્થથી, સર્વજ્ઞામાં મહાત્મનામ્સર્વૈજ્ઞ મહાત્માતા, ભાવ સર્વજ્ઞાને એમ અથ` છે, તથા–તેવા પ્રકારે, નામાવિમેંટેડજિ- ઇષ્ટઅનિષ્ટ નામ આદિ ભેદ છતાં, માન્યમતન્માત્મમિઃ આ મહાત્માઓએ ભાવવું યાગ્ય છે,-શ્રુતમેધા–અસમાઠુસાર પ્રજ્ઞાવડે કરીને. Page #51 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : નામાદિ ભેદ છતાં તત્ત્વથી સર્વશ અભેદ (૩૬૩) નામ વગેરેને ભેદ હોય, તે પણ તત્વથી તે તેમાં કંઈ પણ ભેદને અભાવ છે. આમ મહાત્મા જનેએ કૃતથી, મેધાથી ને અસંહથી સાર-પ્રધાન એવી પ્રજ્ઞાવડે ભાવવા એગ્ય છે. કારણકે પરમાર્થ દષ્ટિથી વિચારતાં, સાચા ખરેખરા ભાવ–સર્વમાં કેઈપણ જાતને ભેદ સંભવ નથી, એમ બુધજનેને સ્પષ્ટ જણાય છે. “સર્વ જાણે તે સર્વજ્ઞ” એમ તેની વ્યાખ્યા પરથી આ યુક્તિસિદ્ધપણે પ્રતીત થાય છે. ભલે પછી નામભેદ ભલે હે એ સર્વજ્ઞને મત-સંપ્રદાય આદિના ભેદે કરીને પોતપોતાના ઈષ્ટ એવા ભિન્ન ભિન્ન નામ આપવામાં આવતા હોય, ભિન્ન ભિન્નપણે તેનું સ્વરૂપ વર્ણવવામાં આવતું હોય, ભિન્ન ભિન્નપણે તેને મહિમા ગવાતે હેય, ભિન્ન ભિન્ન પણે તેનું ચરિત્ર સંકીર્તન કરાતું હોય, પણ તેના સર્વરૂપણરૂપ લક્ષણમાં ભેદ પડતું નથી. કેઈ તેને જિન કહે કે શિવ કહે, કેઈ બુદ્ધ કહે કે અહંત કહે, કઈ વિષ્ણુ કહે કે બ્રહ્મા કહે, કેઈ ઈશ્વર કહે કે ખુદા કહે, કોઈ રામ કહે કે રહેમાન કહે, કઈ પરમાત્મા કહે કે સર્વશક્તિમાન “ગેડ” (God Almighty) કહે, ઈત્યાદિ ગમે તે ઈષ્ટ દેવના નામે તેને સર્વ કે ભજતા હોય, પણ તેમાં નામભેદથી અર્થભેદ નથી. જેમ ગંગાનદીને કેઈ સુરનદી કહે, કઈ ભાગીરથી કહે, કેઈ વિપથગા કહે, કેઈ મંદાકિની કહે, પણ ગંગા નદી તે એક જ છે, તેમાં ફેર પડતો નથી, તેમ એકસ્વરૂપ સર્વના અપેક્ષાભેદે ભલે જુદા જુદા નામ આપવામાં આવે, પણ તેના તાવિક સ્વરૂપની એકતામાં ફેર પડત. નથી. સર્વજ્ઞતા તે પરમાર્થથી એક ને અભિન્ન જ છે, એવું બુધજનેએ મેધાથી, મૃતથી ને અસંમેહથી પાવન એવી પ્રજ્ઞાવડે ભાવન કરવા યોગ્ય છે, પુનઃ પુનઃ ચિંતન કરવા ગ્ય છે. અને આવા આ એક સ્વરૂપ સર્વજ્ઞને જે વિવિધ નામ આપવામાં આવ્યા છે, તે પણ તેના વિવિધ ગુણના વાચક છે, અને જુદી જુદી અપેક્ષાએ તેના અપૂર્વ અચિંત્ય મહિમાને વર્ણવતા હેઈ સાર્થક છે. જેમકે–તે “ અહં” એટલે ગુણનિ૫ન પૂજાહે–પૂજાને યોગ્ય, જગતુપૂજ્ય, વિશ્વવંદ્ય છે. કર્મશત્રુને નાશ નામની કરવાથી તે “જિન–વીતરાગ છે. અધિદેવપણાથી તે “મહાદેવ છે. અવિરુદ્ધતા સુખાવહપણાથી એટલે કે ત્રણે ભુવનના શંકરપણાથી તે “શંકર છે. બ્રહ્મજ્ઞપણાથી–આત્મજ્ઞપણાથી તે “બ્રહ્મા” છે. દુઃખ હરવાથી તે હરિ છે. વિબુધોથી તેને બુદ્ધિધ અર્ચાય છે, માટે તે “બુદ્ધી છે. શિવમાર્ગની વિધિનું વિધાન કરવાથી તે “વિધાતા છે. આવા હેવાથી તે વ્યક્તપણે પ્રગટ પુરુષોત્તમ છે. ઈત્યાદિ અનેક નામ ધરાવતાં છતાં તે સ્વલક્ષણથી અનેક નથી, કારણકે અનંત ગુણાત્મક એક આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે. એટલે વિવિધ ગુણ અપેક્ષાએ વિવિધ નામ પરસ્પર વિરુદ્ધ નથી, પણ એક જ અર્થના-સ્વરૂપના દ્યોતક હોઈ, એકબીજાના પૂરક પોષક છે, અને એક જ તત્ત્વસ્વરૂપની પુષ્ટિ કરે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩૬૪) “ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન....લલના૦ જિન અરિહા તીથ કરૂ, જ્યેાતિસરૂપ અસમાન....લલના શ્રી સુપાસ॰ ”ઇત્યાદિ. યોગદષ્ટિસમુચ્ચય “ એમ અનેક અભિધાx ધરે રે, અનુભવગમ્ય વિચાર....લલના૦ જે જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર રે લલના. શ્રી સુપાસ॰ શ્રી આનઘનજી. “ શબ્દભેદ ઝઘડો કશ્યા, જે પરમારથ એક; કહા ગંગા કહે। સુરનદીજી, વસ્તુ કરે નહિ. છેક. મનમેાહુન॰ ” ( આમ સ`જ્ઞ પરમાત્માના અનેક અભિધાન છે, અને તેનેા વિચાર અનુભવગમ્ય છે. જે તેને પરમાથી જાણે છે, તેનું યથાર્થ સ્વરૂપ એળખે છે, તેને તે આનંદઘન અવતાર' કરે છે, તરૂપ સર્વજ્ઞપદની પ્રાપ્તિ કરાવે છે. અને આ એક ઇષ્ટ પરમા હેતુની સિદ્ધિને અર્થે, આ સર્વજ્ઞ ભગવાનને ગમે તે નામે ભજવામાં આવે, તેમાં વિરાધ શે!? જો પરમા એક છે, તેા શબ્દભેદના ઝઘડા શે ? x" अर्हन्निति जगत्पूज्यो जिनः कर्मारिशातनात् । महादेवोधिदेवत्वाच्छङ्करोऽपि सुखावहात् ॥ विष्णुर्ज्ञानेन सर्वार्थविस्तृतत्वात् कथंचन । ब्रह्म ब्रह्मज्ञरूपत्वाद्धरिर्दुःखापनोदनात् ॥ इत्याद्यनेकनामापि नाने कोऽस्ति स्वलक्षणात् । यतोऽनन्तगुणात्मैकद्रव्यं स्यात् सिद्धसाधनात् ॥ " "" ચા॰ સજ્ઝાય. ૪-૨૧. અને આવા આ સર્વજ્ઞને ભજનારા ભક્ત જોગીજના તે પ્રભુથી દૂર* હાય કે નિકટ હાય, તાપણુ સર્વેય તે સર્વજ્ઞના સેવક-ઉપાસક જ છે. પછી ભલે તે ઉપાસકે પેાત —શ્રી અમ્રુતચદ્રાચાર્ય છ (?) પ્રણીત પંચાધ્યાયી. "बुद्धस्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन्पुरुषोत्तमोऽसि ॥ " —શ્રી ભક્તામરસ્તાત્ર. 66 'निर्मलः शाश्वतो शुद्धः निर्विकल्पो निरामयः । निःशरीरो नियतंको सिद्धः सूक्ष्मो निरंजनः ॥ महादेवो महावीरो महामोह विनाशकः । महाभावो महादर्श: महामुक्तिप्रदायकः ।। " શ્રી ભદ્રબાહુસ્વામીકૃત જિનલલ્લુસહસ્રનામ, *“ दूशसन्नादिभेदोऽपि तद्भृत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ॥ શ્રી યાવિજયકૃત દ્વાર દ્વ. ૨૩-૧૮, Page #53 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિત્ર (૩૬૫) પિતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હોય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પિતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હોય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જે એક જ છે તે તેના ઉપાસકે–આરાધકે પણ એક રૂપ જ છે. ચિત્ર અચિત્ર દેવભક્તિ વિભાગ શાઅગભ જ (શાસ્ત્રમાં કહેલ) બીજી ઉપપત્તિ-યુક્તિ કહે છે – चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११०॥ ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જેહ; સદ્યોગ શા વર્ણવી, તેથી પણ સ્થિત એહ, ૧૧૦ અર્થ –અને દેવ પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ બે વિભાગથી સગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે,–તે ઉપરથી પણ આ (જે કહ્યું તે) એમ જ સ્થિત છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે સર્વજ્ઞનું એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રોક્ત બીજી યુક્તિ અહીં કહી છે–અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સગશામાં વર્ણવવામાં આવ્યું છે કે-કપાલ, મુક્ત વગેરે દેવની ભક્તિના બે સ્પષ્ટ વિભાગ પડે છે:-(૧) ચિત્ર એટલે ભિન્ન, જુદા જુદા પ્રકારની, (૨) અચિત્ર એટલે અભિન્ન અથવા જુદા જુદા પ્રકારની નહિં તે. આ સતુશાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સર્વજ્ઞ ને તેના ભકતની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સંસિદ્ધ થાય છે. “નહિં સર્વ જજુઆ, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ હીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ...મન.” –. સઝાય ૪-૧૪ આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છેઃ વૃત્તિ:- નિત્રાવિત્રવિમોન-ચિત્ર-અચિત્ર વિભાગથી – જેનું લક્ષણ કહેવામાં આવશે, ચાઅને જે, સેવે વર્ણિતા-દે પ્રત્યે લોકપાલ-મુક્ત આદિ દેવ પ્રત્યે વર્ણવવામાં આવી છે, મતિ:ભક્તિ, સોનાપુ-સમશાસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તાવતે કારણ થકી પણ, શનિ સ્થિતમ-આ પ્રસ્તુત એમ સ્થિત છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ १११ ॥ સંસારી દેવે પ્રતિ, ભક્તિ નિશ્ચયે જોય; તે સંસારી દેવના, કાયગામિની હેય. સંસારાતીત તવમાં, ભક્તિ પરંતુ સેય; સંસારાતીત અર્થમાં, ગમનકારીની હોય. ૧૧૧ અર્થ-કારણકે સંસારી દે પ્રત્યે, તે કાયમાં જનારાઓની ભક્તિ હોય છે; પણ તે સંસારથી અતીત–પર એવા તત્વ પ્રત્યે, સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓની ભક્તિ હોય છે. વિવેચન કેની કેની ભક્તિ કેવા કેવા દેવ પ્રત્યે હોય છે, તેને સ્પષ્ટ વિભાગ અત્રે કર્યો છે? (૧) લેકપાલ વગેરે જે સંસારી દે છે, તેના પ્રત્યેની ભક્તિ તે સંસારી દેવની કાયમાં જનારાઓને હોય છે, તે તે સંસારી દેવની ગતિમાં જે ગમન સુકાના ભક્ત કરનારા છે–જવાવાળા છે, તેવાઓ તે સંસારી દેના ભક્ત–સેવક મુમુક્ષુ હોય છે, તેઓ જ તેને ભજે છે.* (૨) પરંતુ તે સંસારથી અતીત પર તત્ત્વ પ્રત્યેની ભક્તિ તે સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓને હોય છે. સંસારથી અતીત-પર એવા રોગમાર્ગે જે ગમન કરનારા છે, એવા યોગીજનની ભક્તિ તે સંસારથી અતીત, સંસારને પાર પામેલા, એવા પર તત્ત્વમાં જ હોય છે. આમ સંસારી દેના ભક્ત, સંસારગામી સંસારી જીવ હોય છે; અને મુક્ત સર્વજ્ઞ દેવના ભક્ત મુક્તિગામી મુમુક્ષુ જોગીજને હોય છે. કારણકે “યાદશી માવના તાદશી તિદ્ધિ જેવી ભાવના તેવી સિદ્ધિ, અથવા ચણા મતિ તથા જત્તિઃ જેવી મતિ - કૃત્તિ-સંપારિપુ હિ તેપુ-કારણકે સંસારી દેવામાં, લોકપાલ આદિ દેવો પ્રયે, મત્તિભક્તિ સેવા, તથાનિનામ-તે કાયગામીઓની, એટલે કે તે સંસારી દેવની કાયમાં જનારાઓની, (ાય છે), તરતીતે પુન:-પણું તેથી અતીત, સંસારથી અતીત–પર, તરેરે તત્વમાં, તત્વ પ્રત્યે, તીરાઈનાજિનાં–તેનાથી અતીત અર્થગામીઓની, તેનાથી અતીત -પર અર્થ પ્રત્યે જનારાઓની. એટલે કે સંસારાતીત માગે જનારા યોગીઓની ભક્તિ હોય છે. “વનાં ગર્ભના મને જ્ઞાનવાત્મા કપૂરે | वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ कामैस्तैस्तैर्हतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः । સં સં નિયમન થાય ત્યા નિયતાઃ 4થા | p—ગીતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ સંસારી દેવની ભકિત ચિત્ર-સુક્તની ભક્તિ અચિત્ર (૩૬૭) તેવી ગતિ જે જેને ભજે તે તે થાય. સંસારને ભજે તે સંસારી થાય, મુકતને ભજે તે મુક્ત થાય. આ પરિણામી આત્મા જેવા જેવા ભાવે પરિણમવા ઈચછે, તેવા તેવા ભાવે તે પરિણમી શકે છે. ઈયલ ભમરીનું ધ્યાન ધરતાં, પોતે ભમરી બને છે. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે....ષદર્શન” શ્રી આનંદઘનજી. આ બેને વિશેષ કહે છે चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता ।। अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ॥ ११२ ॥ તસ રાગ પર દ્વેષથી, ભક્તિ આઘમાં ચિત્ર; શમસારા એ ચરમમાં હોય સમસ્ત અચિત્ર. ૧૧૨ અર્થ અને તેમાં પહેલા તે સંસારી દેવ પ્રત્યેની ભક્તિ, તેના પ્રત્યેના રાગથી ને તેનાથી અન્ય પ્રત્યેના દ્વેષથી સંગત હોઈ, ચિત્ર (ભિન્ન) હોય છે. અને છેલ્લા-તે સંસારાતીત તત્વ પ્રત્યેની જે ભક્તિ તે બધીય શમસાર (શમપ્રધાન) હેઈ, અચિત્ર ( અભિન) હોય છે. વિવેચન ઉપરમાં જે બે પ્રકારના દેવના ભક્તના બે વિભાગ પાડવા, તેની ભક્તિમાં પણ તેવા બે ભેદ પડે છે, તે અહી બતાવ્યું છે –તેમાં પ્રથમ જે લોકપાલ વિગેરે સાંસારિક દે છે, તેઓ પ્રત્યેની ભક્તિ ચિત્ર એટલે નાના પ્રકારની હોય છે; અને સંસારી દેવની મેહગર્ભપણને લીધે તે પોતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગવાળી ને અનિષ્ટ ભક્તિ ચિત્ર દેવ પ્રત્યે દ્વેષવાળી હોય છે. જેમકે કે હનુમાનને, કે શંકરને, કે વિષ્ણુને, કે સૂર્યને, કે વરુણને, કે અન્યને ભક્ત હોય, તે તેવા પ્રકારના મેહભાવને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ રાખી, ઇતર પ્રત્યે દ્વેષ રાખે છે. આમ તે ભક્તિ જુદા જુદા દેવને અપેક્ષીને જુદા જુદા પ્રકારની ને રાગ-દ્વેષવાળી હોય છે. એમાં સહિષ્ણુતાને પ્રાયઃ અભાવ હોય છે, અને હું માનું છું તે જ દેવ સાચા ને બાકી બીજા બધા ખેટા, એવી માન્યતા મુખ્યપણે હોય છે. વૃત્તિ –જિત્રા -અને ચિત્ર, નાના પ્રકારની, થેપુ-આaોમાં, સાંસારિક દેવે પ્રત્યે, રાગત વસતા-પિતાના અભીષ્ટ દેવતાના રાગથી અને અનભીષ્ટના દ્વેષથી સંયુક્ત એવી હેય છે,-મેહગર્ભ પણાને લીધે. જિત્રા-અચિત્ર, એકાકાર, એક પ્રકારની, રમે સુ-પણ ચરમમાં એટલે કે તદતીત-સંસારાતીત તત્વમાં, ઘણા-આ ભક્તિ; અને તે, રામપારા-શમસાર-મપ્રધાન, મહિસૈવ દિ અખિલ જ હોય છે -તેવા પ્રકારના સંમેહના અભાવને લીધે. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૩૬૮) યોગદૃષ્ટિસમુચ્ચય અને બીજું જે સંસારાતીત–સ'સારથી પર એવું મુક્ત તત્ત્વ કહ્યું, તેના પ્રત્યેની જે ભક્તિ તે તે અચિત્ર એટલે કે એકાકાર જ હેાય છે, એક જ પ્રકારની હાય છે; કારણ કે તે પરતત્ત્વનું એકપણું-અભેદપણું ઉપરમાં સિદ્ધ કરાઇ ચૂકયુ છે. મુક્ત તત્ત્વની અને આ એકસ્વરૂપ પરતત્ત્વની ભક્તિ શમસાર-શમપ્રધાન હોય છે. ભક્તિ અચિત્ર તેમાં એક પ્રત્યે રાગ ને ખીજા પ્રત્યે દ્વેષ, એમ હેાતું નથી; પણુ સત્ર રાગદ્વેષરહિત એવા સમભાવ હાય છે, અને અખડ શાંતરસને પ્રવાહ વહે છે, એટલે દ્વેષ-અસહિષ્ણુતા આદિ દુષ્ટ ભાવાના ઉદ્ભવના અસંભવ છે, કારણ કે સમાહને અત્ર અભાવ હાય છે. આમ અનેક એવા સ'સારી દેવેાની ભક્તિ વિચિત્ર અને એક એવા સંસારાતીત પર તત્ત્વની ભક્તિ અચિત્ર હાય છે. દેવ સ'સારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર...મન૰ '—યા. ૬. સાય. ૪-૧૫ ★ અત્રે જ હેતુ કહે છે संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ સ્થાન સસારિ દેવના, ચિત્ર અનેક પ્રકાર; સ્થિતિ ઐશ્વર્યાક્રિકથી, પ્રતિશાસને આધાર. ૧૧૩ અ:—કારણુ કે સંસારી દેવાના સ્થાને સ્થિતિ—ઐશ્વય –પ્રભાવ વગેરે વડે કરીને, પ્રત્યેક શાસનમાં, અનેક પ્રકારે ચિત્ર ( જૂદા જૂદા ) હોય છે. વિવેચન સસારી દેવા ચિત્ર-જાતજાતના અને તેની ભક્તિ પણ ચિત્ર હોય છે એમ કહ્યું, તેનું કારણ આ પ્રમાણે:-ઊર્ધ્વ, મધ્ય ને અધેાલેાકરૂપ આ ત્રિવિધ બ્રહ્માંડમાં જે સંસારી દેવા છે, તેઓના સ્થાને પ્રત્યેક શાસનમાં અનેક પ્રકારે ચિત્ર એટલે સ'સારી દેવાના નાના પ્રકારના–જાત જાતના કહ્યા છે. કારણ કે તેઓની સ્થિતિ, અશ્વ, ચિત્ર સ્થાન પ્રભાવ, સહજ રૂપ વગેરેથી તેએના વિમાન આદિ સ્થાનેામાં જાત જાતના તફાવત-ભેદ હેાય છે. જેમકે (૧) હિંદુ ધર્માંમાં બ્રહ્મા, વિષ્ણુ, વૃત્તિ:-સંસાળિાં ફ્રિ રેવાનાં કારણુ કે સ ંસારી દેવાના-લેાકપાલ આદિના ચશ્માજ્જિત્રાનિ કારણ કે ચિત્ર-અનેક આકારવાળા, નેપા–અનેક પ્રકારે,–કાના વડે ? કયા ? તે માટે કહ્યુંસ્થિરઐશ્વર્ય માવા ધૈ:સ્થિતિ, ઐશ્વમ, પ્રભાવ આદિ વડે કરીને, અદ્દેિ શબ્દથી સહજ રૂપ આદિનુ ગ્રહણ છે, સ્થાનાનિ-સ્થાન, વિમાન આદિ, વૃતિશાસન-પ્રતિશાસને, પ્રત્યેક શાસનમાં,-બ્રહ્માણ્ડના વૈવિષ્યના અનુભેદથી, Page #57 -------------------------------------------------------------------------- ________________ દીમા દષ્ટિ: તે ચિત્ર દેવસ્થાનેને સાધન ઉપાય ચિત્ર (૩૬) મહેશ, ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વરુણ વગેરે દેવ ગણાય છે. તેઓના સ્વાભાવિક સ્વરૂપ, સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ, સામ વગેરેમાં તે તે યક્ત વર્ણન પ્રમાણે ભેદ હોય છે. (૨) જૈન ધર્મમાં ચાર પ્રકારના સંસારી દેવનિકાય કહ્યા છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. તેઓના વળી અનેક પ્રતિભેદ વિરતારથી વર્ણવ્યા છે. તેમાં કોઇની સ્થિતિ ઓછી હોય છે, કોઈની વધારે હોય છે. કેઈનું ઐશ્વર્ય અધિક હોય છે, કેઈનું ન્યૂન હોય છે. કોઈને પ્રભાવ મંદ હોય છે, કેઈને ઉગ્રતેજસ્વી હોય છે. કેઈનું સહજ રૂપ આકર્ષક હોય છે, કેઈનું અનાકર્ષક હોય છે. આમ રૂપ, રસ, ગંધ, વર્ણના વિભિન્ન ભેદે કરીને તરતમતાના અનેક પ્રકાર હોય છે. (૩) બૌદ્ધ ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં, અને બીજા ધર્મોમાં પણ પિતાપિતાની માન્યતા અનુસાર સંસારી દેવેનું વર્ણન કર્યું છે. આમ પ્રત્યેક શાસનની અપેક્ષાએ સંસારી દેના સ્થાને-વિમાન આદિ પણ ચિત્ર પ્રકારના હોય છે. કારણ કે એમ છે – तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥ (તેથી) સાધન ઉપાય તેહને, નિયમથી ચિત્ર જ હોય; કદી ભિન્ન નગર તણે, મારગ એક જ નય. ૧૧૪ અર્થ –તેથી કરીને તે દેના સ્થાનની સાધનાને ઉપાય, નિયમથી જ, ચિત્રજુદા જુદા પ્રકારને હેય છે, કારણકે ભિન્ન નગન માગ કદી પણ એક હેય નહિં. વિવેચન અને આમ તે તે સંસારી દેના સ્થાને ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે, એટલા માટે તે તે દેવસ્થાનની સાધનાને જે ઉપાય છે, તે પણ નિયમથી ચિત્ર હોય છે, ભિન્ન-જૂદા જુદા પ્રકારનું હોય છે. આ માટે અત્રે લેકમાં જાણીતું દષ્ટાંત આપ્યું છે કે જૂદા જૂદા નગરે પ્રત્યે જવાને માર્ગ કદી પણ એક હેય નહિં. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી વગેરે જુદી જુદી દિશામાં આવેલા શહેરે ભણું જવું હોય, તે તેને રસ્તે પણ જુદી જુદી દિશામાં જતે હેય, એક ન હોય. નહિ તે તે તે નગરનું ભિન્નપણું ઘટે વૃત્તિ –તસ્મા–તે કારણ થકી, તરસાધનાપા :-તેના સાધનને ઉપાય, તે સંસારી દેવના સ્થાનના સાધનને ઉપાય. નિયાચિત્ર ઈશ્વ હિ-નિયમથી ચિત્ર જ હોય છે. આ જ વસ્તુ લેપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા કહે છે-7 મિન્નનળrળ ચાટુ-ભિન્ન નગરોને ન હોય, પ. વર્ષ વાવનએક માર્ગ કદી પણ,–તેવા પ્રકારે તેના ભેદની અનુપસિને લીધે. Page #58 -------------------------------------------------------------------------- ________________ (૩૭૦) યોગદરિસમુચ્ચય નહિ. આમ સાદી સમજથી ભિન્ન નગરના માર્ગ પણ ભિન્ન છે, તેમ ભિન્ન સંસારી દેવસ્થાનના સાધને પાય પણ ભિન્ન છે. એટલે ચિત્ર દેવની ભક્તિ ચિત્ર પ્રકારની છે એમ સાબિત થયું. આકૃતિ ૧૧ દિલ્હી 1 ઉત્તર મુંબઈ-- પશ્ચિમ | કલકત્તા પૂર્વ કાસ ચિત્રાચિન ભક્તિનું કેટકઃ ૮. ચિત્ર ભકિત અચિત્ર ભક્તિ લા લક્ષણ ચિત્રાચિત્રતા કારણ લોકપાલાદિ સંસારી દેવ મુક્ત પરમાત્મા સંસારી દેવ કામગામી, ભવાભિનંદી, સંસારાતીત અર્થગામી, ભવભાગસંસારસિદ્ધ વિરત મુમુક્ષુ મેહગર્ભપણાને લીધે ઇષ્ટદેવમાં રાગ, | અસંમેહભાવને લીધે શમસારપણુંઅનિષ્ટમાં દ્વેષ સમભાવ ) સંસારિ દેવના ચિત્રસ્થાનના સાધન સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધમા આદિ ઉપાય ચિત્ર નામભેદ છતાં નિર્વાણુતત્વનું-પર પનું અભેદપણ ૨) ચિત્ર આશયથી ચિત્રકલભેદ સંસાર ક્ષ મેક્ષ [ રિ વિવિમર્શતાપિવગર]. == = Page #59 -------------------------------------------------------------------------- ________________ દીમાદિ : ઈછનું સ્વરૂપની આત્માપણુ ભાવના (૩૭૧) ઈચ્છાપૂર્તિ કર્મ અને આશયભેદે ફલ. તથા इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसंधितः । नानाफलानि सर्वाणि दृष्टव्यानि विचक्षणैः ॥ ११५ ॥ કે ચિત્ર અભિસંધિથી, ક ઈચ્છાપૂ;િ વિચક્ષણે સહુ દેખવા, નાના ફલથી યુક્ત ૧૧૫ અર્થ –જે ઈષ્ટાપૂર્ત કર્યો છે, તે સર્વેય લોકમાં ચિત્ર (જૂદા જૂદા) અભિસંધિને લીધે–અભિપ્રાયને લીધે, નાના પ્રકારના ફલવાળા છે, એમ વિચક્ષણએ દેખવા ગ્ય છે. વિવેચન ઉપરમાં તે તે દેના સ્થાનનું ચિત્રપણું અને તેના સાધનોપાયનું પણ ચિત્રપણું કહ્યું, તેનું વળી પ્રકારતરથી સમર્થન કરવા માટે અહી બીજી યુક્તિ રજુ કરી છે–ઈચ્છાપૂત વગેરે કર્મો જે લેકમાં કરવામાં આવે છે, તેમાં પણ જુદા જુદા પ્રાણીઓને અભિપ્રાથભેદે જુદો જુદો અભિસંધિ-અભિપ્રાય હોય છે, આશયવિશેષ હોય છે. ફ્લભેદ અને તેથી તે સર્વના ફલ પણ જુદા જુદા હોય છે, એમ વિચક્ષણ પુરુષોએ-ડાહા વિજજનેએ જાણવું યેચ છે. જેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે એવા ઈચ્છાપૂર્ત વગેરે કર્મો કરવામાં જે જે અભિપ્રાયભેદ હોય છે, તે તે તેને ફલભેદ પણ પ્રાપ્ત થાય છે, એ વાત બુધજનેને સાવ સ્પષ્ટ ભાસે છે. જેવી મતલબ-ઇરાદે (Intention) તેવું ફલ, “જેવી ભાવના તેવી સિદ્ધિ'. ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહે છે– ऋत्विग्भिमैत्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वेद्यां हि यदत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ કૃત્તિ-વૃત્તનિ રજિ -ઈચ્છાપૂત કર્મો-જેનું લક્ષણ કહેવામાં આવશે, તે ઈછાપૂર્ત કર્મો, રો-લોકમાં, પ્રાણિગણુમાં, જિત્રામિણંધિત-ચિત્ર અભિસંધિથી અભિપ્રાયરૂપ કારણથી. શું ? તે કેનાનાાનિ-નાના પ્રકારના ફલવાળા, ચિત્ર ઉલવાળા છે એમ, સર્વાળિ-સ', દુષ્ટથાનિ-દેખવા યોગ છે,-હેતભેદને લીધે. જેનાથી ? તે માટે કહ્યું-નિરક્ષૌ વિચક્ષણોથી, વિદ્વાનોથી. વૃત્તિ-શ્રુત્તિમયમાં અધિકૃત એવા ઋવિગેથી, મંત્રરં –કરણભૂત એવા મંત્રસંસ્કારો વડે કરીને, ગ્રાહાળાનાં સાત-બ્રાહ્મણની સમક્ષમાં, તેનાથી અન્યને, અત્તર્વેદ્યાં–વેદીની અંદર, હિ-સ્પષ્ટપણે, નિશ્ચયે, વારં-જે હિર૫ (સુવર્ણ) આદિ દેવામાં આવે છે, તમિત્તે તે “ઈષ્ટ કહેવાય છે,–વિશેષ લક્ષણના વેગને લીધે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૨) ગદષ્ટિસમુચ્ચય બ્રાહ્મણ સમક્ષ વિગે કરી મંત્ર સંસ્કાર; વેદમાંહિ દેવાય જે, ઇષ્ટ તેહ અવધાર, ૧૧૬ અર્થ –કત્વિો દ્વારા, મંત્ર સંસ્કાર વડે કરીને, બ્રાહ્મણની સમક્ષમાં, વેઢીની અંદર, જે આપી દેવામાં આવે, તે “ઈષ્ટ’ કહેવાય છે. વિવેચન | ઈચ્છાપૂર્તિમાં “ઈષ્ટ ” એટલે શું? તેનું સ્વરૂપ અહીં કહ્યું છે-યજ્ઞમાં જે અધિકૃત -અધિકારી બ્રાહ્મણે હોય, તે “ઋત્વિગ” કહેવાય છે. એવા ઋત્વિો દ્વારા, બીજા બ્રાહ્મણોની હાજરીમાં, વેદીની અંદર મંત્રસંસ્કારો વડે વિધિપૂર્વક જે સુવર્ણ વગેરેનું દાન આપવામાં આવે, તે “ઈષ્ટ' કહેવાય છે. કારણ કે તેમાં “ઈષ્ટ' શબ્દનો અર્થ બરાબર ઘટે છે. “હું અમુક દાન દેવા ઈચ્છું છું” એવા ઈષ્ટ સંકલ્પપૂર્વક યજ્ઞમાં દાન દેવાને વિધિ હોવાથી, તેને ઈષ્ટ” નામ આપવામાં આવ્યું છે. આમાં મહાજનની સમક્ષ ઈષ્ટ દાનની ગંભીર પ્રતિજ્ઞા લેવામાં આવે છે, માટે આ “ઈષ્ટ” છે. અત્રે બાહ્ય યજ્ઞમાં જે વિધિ પ્રચલિત છે તેને અનુસરીને કહ્યું છે. યજ્ઞ શબ્દ “યજ' ધાતુ પરથી નીકળ્યો છે. એને મૂળ અર્થ “યજ” એટલે યજવું-પૂજવું, એ ઉપરથી યજ્ઞ એટલે ઈષ્ટ દેવનું યજન, પૂજન કરવું તે છે; અને તે પૂજનમાં અર્પણ યજ્ઞની ભાવનાઃ કરવાની–હોમી દેવાની ભાવના હોય છે, એટલે હેમી દેવું, અર્પણ કરવું બ્રહ્મયજ્ઞ એ બીજો અર્થ પણ થાય છે. અર્થાત્ સ્વાર્પણ બુદ્ધિથી દાનાદિ સદનુષ્ઠાન કરવું તે યજ્ઞ. પિતાપણાની-મમત્વની બુદ્ધિ હોમી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિઃસ્વાર્થ પણે-નિષ્કામપણે જે કંઈ આત્મભોગ (Self-sacrifice) આપવામાં આવે, જે કાંઈ ઈષ્ટ સંકલ્પિત દાનાદિ દેવામાં આવે, તે યજ્ઞ ને તે જ ઇષ્ટ;નહિં કે અન્ય પશુ આદિને ભેગ આપવામાં આવે તે યજ્ઞ, તે તે યજ્ઞની વિકૃતિ ને વિડંબના છે. પોતાને ને પિતાની વસ્તુને ભેગ-બલિદાન આપવાની વાત જ અત્ર મુખ્ય છે. મમત્વ વિસર્જનરૂપ-આત્માર્પણ ભાવરૂપ સાચે સ્વાર્થ ત્યાગ એજ યજ્ઞની પાછળની પ્રશસ્ત ભાવના છે. વર્તામાનમાં પણ અપેક્ષાએ કંઈક ઉપમારૂપ તુલના કરીએ તે શિષ્ટ જનની (બ્રાહ્મણે) સભા સમક્ષ, દાતા સગૃહસ્થ (ઋત્વિો ), વ્યાસપીઠ (વેદી) પરથી, ગંભીર પ્રતિજ્ઞાવિધિરૂપ જાહેરાતથી (મંત્રસંસ્કારેથી) જે પિતાના ઈષ્ટ દાનને સંકલ્પ જાહેર કરે છે (announcement), તે સમસ્ત વિધિ પણ એક પ્રકારે ઉક્ત યજ્ઞવિધિને કંઇક અંશે મળતો આવે છે, તે જાણે તેની ન્હાનકડી આવૃત્તિ સમ લાગે છે ! અસ્તુ! આ તે બાહા યજ્ઞની વાત થઈ. બાકી ખરે પારમાર્થિક યજ્ઞ તે આંતરિક છે, Page #61 -------------------------------------------------------------------------- ________________ મણિ શાય-આધ્યાત્મિક ભાવયા (૩૭૩) અધ્યાત્મ યજ્ઞ છે, બ્રહ્મXય છે, અને તે જ પ્રશસ્ત હોઈ સર્વ સપુરુષોને સંમત છે. મહાત્મા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે– હે પાથ ! એવી રીતે કે પોતાના સર્વ દેનું ક્ષાલન કરી નાખે છે, કેઈ હૃદયરૂપી અરણીમાં વિચારરૂપ મંથન કરીને, અને તેને પૈયરૂપ ભારથી દાબીને, તથા શાંતિરૂપ દોરીથી હચમચાવીને ગુરુવાક્યરૂપ મંત્રવડે મંથન કરે છે. એવી રીતે સર્વ વૃત્તિઓનું શક્ય કરીને મંથન કરવાથી ત્યાં તત્કાળ કાર્યસિદ્ધિ થાય છે. તે કાર્યસિદ્ધિ એ કે, ત્યાં તરત જ્ઞાનરૂપી અગ્નિ પ્રજવલિત થાય છે. અર્થાત્ પ્રથમ અદ્ધિસિદ્ધિના મોહરૂપ ઉત્પન્ન થયેલા ધૂમાડાને લેપ થતાં અગ્નિની સૂમ ચિનગારી ઉત્પન્ન થાય છે. એ પછી યમ-નિયમના ગે સહજ તૈયાર થયેલા મનરૂપ કયલાની સહાયતાથી તે અગ્નિને સળગાવવામાં આવે છે. એની સહાયથી મોટી જવાળા ઉત્પન્ન થાય છે. ત્યારપછી વાસનારૂપ સમિધેને અનેક પ્રકારના મેહરૂપ ધૃતનું લેપન કરીને તેમને બાળી નાંખવામાં આવે છે. ત્યારપછી જીવરૂપ દીક્ષિત, પ્રદીપ્ત કરેલા જ્ઞાનરૂપ અગ્નિમાં ઇંદ્રિય-કર્મોની આહુતિ આપી દે છે. અંતે પ્રાણુકર્મના “સુવા' નામક યજ્ઞપાત્રની સહાયથી અગ્નિમાં પૂર્ણ આહુતિ કર્યા પછી એજ્યબેધરૂપ અવભૂથ સ્નાનને લાભ પ્રાપ્ત થાય છે, અને સંયમાગ્નિમાં ઇંદ્રિય આદિક હોમદ્રવ્યોનું હવન કરી દીધા પછી બાકી રહેલા આત્મસુખને પુરેડાશ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. ? પ્રથમ વૈરાગ્યરૂપ ઈધનની પૂર્ણતાથી ઇન્દ્રિયરૂપ અગ્નિને પ્રજવલિત કરીને તેમાં વિષયરૂપ દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે, ત્યાર પછી વાસનરૂપ ભૂમિકાને શુદ્ધ કરીને તેની ઉપર મૂળબંધ મુદ્રાને એટલે બાંધવામાં આવે છે, અને તેની ઉપર શરીરરૂપ મંડપ ઉભે કરાય છે. તે સ્થાને ઇંદ્રિયનિગ્રહરૂપ અગ્નિના કુંડમાં ઇંદ્રિયરૂપ હેમદ્રવ્યો અપીને યોગમંત્રવડે હવન કરાય છે. એ પછી મન અને પ્રાણના નિગ્રહરૂપ હોમદ્રવ્યોની તૈયારીથી ધૂમાડા વિના જ નિર્દોષ જ્ઞાનાગ્નિને સંતુષ્ટ કરવામાં આવે છે. એવી રીતે એ સાહિત્યને જ્ઞાનમાં અર્પણ કરીને, પછી તે જ્ઞાન પિતે બ્રહ્મમાં લય પામે છે, અર્થાત્ x"ब्रह्मार्पणं ब्रह्म हविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ सर्वाणींद्रियकर्माणि प्राणकर्माणि चापरे । आत्मसंयमयोगाग्नौ जुह्यति ज्ञानदीपिते ॥ શ્રેયાર મચાવલા જ્ઞાનયજ્ઞ પરંતર સર્વ વિ પાર્થ જ્ઞાને પરિણાવ્યો ”—ગીતા. અથત–(૧) જે બ્રહ્મને અર્પણ કરવામાં આવે છે, તે બ્રહ્મરૂપ હવિ (હોમ દ્રવ્ય ), બ્રહ્મ અનિમાં, બ્રધથી હોમવામાં આવે છે; અને બ્રહ્મ કમ સમાધિથી તેને બ્રહ્મ પ્રત્યે જ જવાનું છે, બ્રહ્મને જ પામવાનું છે. (૨) બીજાઓને વળી સર્વ ઇદ્રિય અને પ્રાણુકર્મોને જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ ગ–અગ્નિમાં હોમી દે છે. (૩) હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસકર છે. હે પાર્થ ! સઘળુંય સર્વ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ (૩૭૪) ગદરિસમુચ્ચય એમ થતાં તે કેવલ, એકલું બ્રા અને બ્રહ્મ જ અવશિષ્ટ રહે છે. એને જ અધિયજ્ઞ એટલે બ્રહ્મ માનવામાં આવે છે.”—જ્ઞાનેશ્વરી ગીતા. | શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૨ મા અધ્યયનમાં પણ સંક્ષેપથી આ જ શ્રી જ્ઞાને. શ્વરજીને મળતે ભાવ બતાવે છે. બ્રાહ્મણે જન્મથી ચંડાલ એવા હરિકેશિબલ મુનિને પૂછે છે # – હે મુનિ ! તમારી તિ (અગ્નિ) શું છે? તમારું આધ્યાત્મિક જ્યોતિસ્થાન–અગ્નિસ્થાન શું છે? તમારી સુવા (કડછી) કઈ છે ? તમારા ભાવયજ્ઞ ઇંધન (છાણાં-લાકડાં) કયા છે? તમારા સમિધે કયા છે? ક્યા હમથી તમે તિને હોમો છે? મુનિ જવાબ આપે છે-“તપ મારી તિ (અગ્નિ) છે, જીવ મહારૂં તિસ્થાન છે, યુગો મહારી સુવા (કડછી) છે, શરીર મહારૂં ધન (છાણાં-લાકડાં) છે. કર્મ મહારા સમિધ છે, સંજમ જોગ શાંતિ છે, ઋષિ સંબંધી એ પ્રશસ્ત હોમ હું હસું છું.” મહર્ષિ હરિભદ્રાચાર્યજી પણ અગ્નિકારિકા” અષ્ટકમાં વદે છે કે-“કર્મઈબ્ધનને આશ્રય કરીને જેમાં સદ્ભાવનાની આહુતિ આપવામાં આવે છે, એવી દઢ અગ્નિકારિકા ધર્મધ્યાનરૂપ અગ્નિવડે દીક્ષિતે કરવી.” "कर्मेन्धनं समाश्रित्य दृढा सद्भावना हुतिः। धर्मध्याग्निना कार्या दीक्षितेनाग्निकारिका ॥" આમ સાચો પ્રશસ્ત યજ્ઞ તે ભાવયજ્ઞ જ છે, અધ્યાત્મ યજ્ઞ જ છે, બ્રહ્મયજ્ઞ જ છે. બાકી જે બાહ્ય યજ્ઞ-ઈષ્ટ છે, તે તે સકામને હોય છે, તે મોક્ષના અંગરૂપ નથી. અકામ મુમુક્ષુને તે ઉપરમાં કહેલી અગ્નિકારિકા જ ન્યાચ્ય છે, એને તે એવી જ “ધૂણી” સદાય ધખાવવી ઘટે છે. તથા— वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्त तत्त्वविदो विदुः ॥ ११७ ॥ કૃત્તિ –સાવીષત્તરાનિ-વાવ, કૂવા, તળાવો લોકપ્રસિદ્ધજ છે, તેવતાનાનિ -અને દેવાયતને, વસતિકા આદિ. તથા શાળાનં અન્નદાન (લૌકિકજ) છે. અને આવા પ્રકારનું તે શું ? તે માટે કહ્યું કે-પૂર્વ તરવવિદો વિદુ-પૂરૂં ' પરિભાષાથી તત્ત્વવિદે જાણે છે. "के ते जोइ किं व ते जोइठाणं १ का ते सुआ किं व ते कारिसंगं ? एहा य ते कयरा संति भिक्खू ! कयरेण होमेण हुणासि जोइं ?" મુનિ ઉત્તર આપે છે"तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंग ।। कम्मे एहा संजमजोग संती, होमं हुणामि इसिणं पसत्थं ॥" x “ईष्टापूर्त न मोक्षाङ्गं सकामस्योपवर्णितम् ।। કામથ પુનર્યોwા શૈવ ચાગ્યાનિIિ II”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક Page #63 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સમ અનુષ્ઠાનમાં પણ આશયભેદે કુલભેદ (૩૭૫) વાવ તળાવ કૂવા અને, દેવસ્થાન અન્નદાન; એહ સર્વને પૂર્ણ તે, જાણે તાવ સુજાણ, ૧૧૭ _અર્થ – વાવ, કૂવા, તળાવ અને દેવાયતને-દેવમંદિરે, તથા અન્નપ્રદાન-આને તત્વવિદો “પૂત્ત' કહે છે. વિવેચન વાવે કરાવવી, કૂવા ખોદાવવા, તળાવ બંધાવવા, દેવમંદિર ચણાવવા, અન્નદાન આપવું, એ બધા પૂર્તકર્મ છે, એમ ત્તની પરિભાષા ઉપરથી તત્ત્વવેત્તાઓ જાણે છે. (૧) વાવ વગેરે જલાય કરાવવા, એ સાર્વજનિક લોકકલ્યાણના કેઈ અપેક્ષાએ ઉપયોગી સુકૃત્ય છે. કઈ પણ તરસ્યા ત્યાં આવીને પોતાની તરસ બુઝાવે ને પોતાની આંતરડી ઠરતાં જલાશય કરાવનારને અંતરના આશીર્વાદ આપે, તેથી કઈ રીતે કંઈ પુણ્યબંધ સંભવે છે. જો કે તેમાં હિંસા આદિ દોષ પણ છે, તથાપિ જલ વિના જીવન ટકતું નથી, એટલે તેની જ્યાં ઓટ હોય ત્યાં તે પૂરી પાડવી, તે લોકોપયોગી “ પૂર્ત કર્મ ” છે. (૨) તેમજ ભૂખ્યાને અન્નદાન દેવું, તે માટે જ્યાં જરૂર હોય ત્યાં દાનશાલાઓ કરાવવી, સદાવ્રતે ખેલવા, ઈત્યાદિ સુકૃત પણ જનસેવાના પ્રકારે છે. અને વિના જીવી શકાતું નથી, તેથી દીન-દુઃખી-દરિદ્રીને પિટને ખાડે પૂરવા માટે અન્નપ્રદાનનો પ્રબંધ કરવો તે પુણ્ય એવું “પૂત્ત કર્મ છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વગેરે ભયંકર પ્રસંગોમાં જનતાની રાહત માટે યથાશક્તિ રાહતકેન્દ્રો ખેલી અન્નની ત્રુટિની પૂત્તિ” કરવી તે પણ પૂર્ણ કર્મને પ્રકાર છે. (૩) તે જ પ્રકારે ઉપલક્ષણથી ઔષધદાન દેવું, રોગીઓની સારામાં સારી માવજત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઇસ્પિતાલે બંધાવવી, ઔષધાલયેદવાખાનાં ખોલવાં, અનાથાલયે-અપંગાલ ખોલવાં, તે પણ પૂર્ણ કર્મના પ્રકાર છે. આમ જનતાના ઈહલૌકિક કલ્યાણ માટેના સાધનોની જ્યાં ઊણપ હોય, ત્યાં તેની પૂત્તિ કરવી તે “પૂત્ત' કર્મ છે. (૪) તેમજ લેકના પારલૌકિક કલ્યાણ માટેના સાધનની પણ જ્યાં જ્યાં ઊણપ હોય, ત્યાં ત્યાં તેની વૃત્તિ કરવી, તે પૂરા પાડવા, તે પણ પૂર્ણ કર્મ. જેમકે-દેવમંદિરો કરાવવા, ધર્મશાળાઓ કરાવવી, સ્વાધ્યાયગૃહો-પૌષધાલા-ઉપાશ્રયે કરાવવા વગેરે. આન્તરહેતુને અધિકૃત કરી (મુખ્ય કરીને) કહે છે – अभिसंधः फलं भिन्नमनुष्टाने समेऽपि हि । परमोतः स एवेह वारीव कृषिकर्मणि ॥११८॥ વૃત્તિ -અમિસંથે –તથા પ્રકારના આશયરૂપ લક્ષણવાળા અભિસંધિ થકી-અભિપ્રાય થકી. શું ? તે કેન્દઢ મિનિં-કુલ ભિન્ન છે. સંસારી દેવને સ્થાનાદિરૂપ ફળ ભિન્ન છે, જાણીને તમેડપિ દિઇષ્ટ આદિ અનુદાન સમ ( સરખું ) છતાં, ઘામ -પરમ, પ્રધાન, રાત:-આ કારણથ, સ gવ-તે જ, અભિસંધિ જ, શ્રદ-અહીં, કુલસિદ્ધિ માં, કેની જેમ ? તે માટે કહ્યું કે-વાતવ કૃષિવમળ-કવિકર્મમાં–ખેતીમાં જલની જેમ. એમ કરૂઢિથી પરમ દૃષ્ટાંત છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩૭૬) ગદષ્ટિસમુદાય ફલ ભિન્ન અભિસંધિથી, સમ અનુષ્ઠાન છતાંય; એથી તે જ પરમ અહીં, જલ જેમ કૃષિમાંય. ૧૧૮, અથ:–અનુષ્ઠાન સમાન છતાં, અભિસંધિને (આશયને લીધે ફળ ભિન્ન હોય છે. તેથી કરીને તે અભિસંધિ જ અહીં ફલસિદ્ધિમાં પરમ (કારણુ) છે,–જેમ કૃષિકર્મમાં જલ છે તેમ. વિવેચન ઉપરમાં જે ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહ્યું, તે અનુષ્ઠાન સમાન–એકસરખું હોવા છતાં, અભિસંધિ પ્રમાણે આશય અનુસાર તેનું ફલ ભિન્ન હોય છે, જુદું જુદું હોય છે. દાખલા તરીકે કોઈ પાંચ મનુષ્ય એકસરખી યજ્ઞ-દાનાદિ ક્રિયા કરે, અભિસંધિ અથવા વાવ-કૂવા વગેરે કરાવે, પણ તે પ્રત્યેકને જે જે આશયપ્રમાણે ફેલભેદ વિશેષ હોય છે, જે જે અંતર પરિણામ હોય છે, તે તે ફલામાં પણ ભેદ પડે છે. આમ અભિસંધિ-આશયવિશેષ પ્રમાણે ફલદ હોય છે, એટલા માટે આ અભિસંધિ જ અહીં ફલસિદ્ધિ બાબતમાં પરમ છે, પ્રધાન છે, મુખ્ય છે. અત્રે લેકરૂઢિથી પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમ કૃષિકર્મમાં, ખેતીવામાં પાણી જ મુખ્ય કારણ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. યોગ્ય જમીન હોય, સારા બીજ વાવ્યા હોય, સારી પેઠે ખેડવામાં આવેલ હોય, પણ પાણી જ ન હોય, તે એ બધા ફોગટ છે, પાણીનો જોગ હોય તો જ એ બધા સફળ છે. તે જ પ્રકારે યજ્ઞ-દાનાદિ સમાન અનુષ્ઠાનમાં-ક્રિયામાં પણ સર્વત્ર અભિસંધિનું-આશયનું પ્રધાનપણું છે. અભિસંધિના–આશયના ભેદના કારણે કહે છે– रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः ॥ ११९ ।। ચિત્ર લગી લેકને, રાગાદિથી આ એમ; બહુ પ્રકારે ભિન્ન અહિં, બુદ્ધયાદિ ભેરે તેમ ૧૧૯, અર્થ અને રાગ આદિ વડે કરીને આ અભિસંધિ (આશય) નાના પ્રકારના ફલના ઉપભોક્તા નરેને તથા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન હોય છે. કૂત્તે – કિમિ -રાગાદિ દેથી, અર્થે ર–આ અભિસંધિ વળી, દુ-આ લોકમાં, મિડને નામ-મનુષ્યોને-અનેક પ્રકારે ભેદ પામે છે, તેના મૃદુ, મધ્ય, અધિમાત્ર ભેદે કરીને. કેવા વિશિષ્ટ મનુને ? તે માટે કહ્યું-નાનાટોમોri-નાના પ્રકારના ફલના ઉપલેતા એવા મનુષ્યોને, તથા યુદ્ધકાર્ભિવતઃ–તેવા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ( કહેવામાં આવનારા ) અભિસંધિ ભેદ પામે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ : શગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ વિવેચન અને આ આશયમાં પણ ભેદ પડે છે, તેનું કારણ શું ? તેના અહી. ખુલાસા કર્યાં છે કે-રાગાદિ પ્રમાણે તેવા ભેદ પડે છે. જેવા જેવા રાગ, દ્વેષ, મેહ આદિ પરિણામ હાય છે, તેવા તેવો આશયર્વિશેષ-અભિસંધિ નીપજે છે. એટલે કાઇના રાગાદિ પરિણામ મંદ-મેાળા હાય, કોઈના મધ્યમ પ્રકારના હાય, કાઇના વધારે પડતી માત્રાવાળા-અધિમાત્ર તીવ્ર હાય. આમ એક સરખી ક્રિયા કરવામાં પણ રાગાદિની તરતમતા પ્રમાણે આશયના ભેદ પડે છે; અને આશય પ્રમાણે ફળમાં પણ ભેદ પડે છે, જેવા આશય તેવુ ફળ મળે છે. રાગાદિથી આશયભેદ દાખલા તરીકે—કેાઈ ત્રણ ગૃહસ્થા છે, ને તે દરેક એકસરખી રકમનું ધર્માંદા દાન કરે છે, અથવા ધર્મસ્થાનક કે હોસ્પીટલ ખંધાવે છે; પણ તેમાંને એક કીત્તિના લાલચુ છે, નામના ભૂખ્યા છે, ને લેાકેા મ્હારી વાહવાહ કરશે, મ્હારા નામની તખ્તી ચેાડશે, મ્હારું પૂતળુ' બેસાડશે, એમ સમજીને દાનાદિ કરે છે. બીજો કઇક કીર્ત્તિલેાભી છે, પણ સાથે સાથે સેવાભાવનાથી પ્રેરાઈને તેમ કરે છે. ત્રીજો એકાંત પરીપકાર અર્થે કેવળ પરમાથ પ્રેમથી પ્રેરિત થઇને તે જ કાર્ય કરે છે. આમ એક જ કાય માં ત્રણેના રાગાદિ પરિણામ જૂદા છે, તેથી આશય જૂદા છે, અને તેથી ફળ પણ જૂદા છે. પહેલાને કીર્ત્તિ તેા મળે છે, પણુ ફળ તેથી આગળ વધતુ નથી; ખીજાને કીર્ત્તિ સાથે કઇ વિશેષ પુણ્ય ફળ પણ મળે છે; ત્રીજાને પરમ પુણ્યરાશિને સચય થાય છે, અને જારની પાછળ સાંઠા તા હાય જ, તેમ આનુષ ંગિક કીર્ત્તિ આદિ પણ મળે છે, પણ તેની તેવા મહાનુભાવ શુદ્ધ સેવાભાવીને પરવા પણ હેાતી નથી. તેમજ બુદ્ધિ વગેરેના ભેદથી આશયમાં ભેદ પડે છે. જેવા જેવા જેના આધ હાય છે, તેવા તેવા તેના આશય હાય છે તે બુદ્ધિ આદિ ભેનું સ્વરૂપ નીચે કહ્યું છે. આકૃતિ ૧૨ →આશયભેદ મદ રાગાદિ←મધ્મય { 1 તીવ્ર [ । इति इष्टापूर्तान्तर्गत आशयभेदे फलभेदान्तराधिकारः । ] } 5 (૩૭૭ ) બુદ્ધિ જ્ઞાન માધ અસમાહ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૩૭૮) યોગદષ્ટિસમુચય બુદ્ધિ, જ્ઞાન અને અસહ કર્મ અધિકાર. આ જ કહે છે – बुद्धिर्ज्ञानमसंमोहस्विविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ બુદ્ધિ જ્ઞાન અસમાહ એ, બેધ ત્રિવિધ કથાય; સર્વ દેહિના કર્મ સહુ, તસ ભેદે ભેદાય. ૧૨૦. અર્થ–બુદ્ધિ, જ્ઞાન ને અસંહ, એમ ત્રણ પ્રકારને બંધ કહ્યો છે, અને તેના ભેદથકી સર્વ પ્રાણીઓના સર્વ કર્મો ભેદ પામે છે. - વિવેચન શાસ્ત્રમાં બોધ ત્રણ પ્રકારને કહ્યો છે – (૧) બુદ્ધિરૂપ બેધ, (૨) જ્ઞાનરૂપ બેધ, (૩) અસંમેહરૂપ બેધ. આ ત્રણેનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. આ બુદ્ધિ આદિરૂપ બેધના ભેદને લીધે સર્વ દેહધારી પ્રાણીઓના ઈષ્ટ આદિ સર્વ કર્મોમાં પણ ભેદ પડે છે. જે જે જેને બેધ, જેવી જેવી જેની સમજણ, તે તે તેના કર્મમાં ભેદ હોય છે; કારણ કે હેતભેદ હોય તે ફલભેદ પણ હોય, એ ન્યાયની રીતિ છે. કારણ જુદું, તે કાર્ય પણ જુદુ હોય જ, એ ન્યાય પ્રસિદ્ધ છે. આમ એક જ કર્મમાં, બોધની તરતમતા પ્રમાણે, કમની તરતમતાના ભેદ પડે છે. તેમાં– इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥ બુદ્ધિ ઇંહિયાર્થાશ્રયી, આગમપૂર્વક જ્ઞાન, સદનુષ્ઠાનવત્ શાનનું, અસંહ અભિધાન, ૧૨૧ કૃત્તિ –કુદ્ધિ-બુદ્ધિ, જેનું લક્ષણ કહેવામાં આવશે, જ્ઞાન-જ્ઞાન પણ એમ જ, અર્ણોદ્દાઅસંમોહ પણ એમ, ત્રિવિધ વોલ-ત્રણ પ્રકારનો બેધ, સુષ્યન્ત-શાસ્ત્રોમાં કહ્યો છે, તવા-તે દ્ધિ આદિના ભેદ ઉપરથી, સર્વજનિ-ઈષ્ટ આદિ સર્વ કર્મો, મિત્તે-ભેદ પામે છે, સર્વહિનામસર્વ દેહધારીઓના, પ્રાણીઓના -તેના હેતુભેદ થકી ફેલભેદ હોય છે એટલા માટે. વૃત્તિઃ–$ક્રિયાશી વૃદ્ધિઃ-ઈદ્રિય અર્થને આશ્રય કરે તે બુદ્ધિ છે,-તીર્થયાત્રાળનું દર્શન થતાં જેમ ત્યાં જવાની બુદ્ધિ થાય તેમ; જ્ઞાનં સ્વામિપૂર્વ-અને જ્ઞાન આગમપૂર્વક હોય છે – તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાનની જેમ સનુનવચૈતન્ન- અને સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન, શું ? તે કે કોહોમિપી-અસંમેહ કહેવાય છે, બોધરાજ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : બુદ્ધિ જ્ઞાન અને અસહ કર્મ-રત્ન દષ્ટાંત (૩૭૯) અર્થ-ઈદ્રિય અર્થને આશ્રય કરે તે “બુદ્ધિ' છે, આગમપૂર્વક (કૃતપૂર્વક) હોય તે “જ્ઞાન” છે, અને સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન તે “અસંમોહ” કહેવાય છે. વિવેચન તેમાં (૧) જે બુદ્ધિ છે તે ઇંદ્રિય અર્થને આશ્રય કરનારી છે. ઇંદ્રિયદ્વારા જણને પદાર્થ તે બુદ્ધિને વિષય છે ઇંદ્રિય થકી જે જાણપણું થાય છે, તે બુદ્ધિરૂપ બાધ છે. જેમકે-કેઈ તીર્થયાત્રાળુને દેખીને તીર્થગમનની બુદ્ધિ ઉપજે, તે બુદ્ધિજન્ય બોધ છે. આમાં તીથના સ્વરૂપની ગતાગમ નથી, માત્ર અન્યને તીર્થે જતે દેખી, ત્યાં તીર્થે જઈએ તે કેવું સારું? એવી પિતાને બુદ્ધિ ઉપજે છે. (૨) જ્ઞાન જે છે તે આગમપૂર્વક છે. શાસ્ત્ર અથવા મૃતદ્વારા જે બેધ ઉપજે છે, જે જાણપણું થાય છે, જે સમજણ આવે છે, તે જ્ઞાનરૂ૫ બોધ છે. જેમકે–તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન આગમ દ્વારા થાય છે. તીર્થ એટલે શું ? તીર્થ સ્વરૂપ શું ? તીર્થયાત્રા કેમ કરવી? એ વગેરે વિધિ બાબત શાસ્ત્રથકી જણાય છે. ભવસાગરથી તારે તે તીર્થ. તેના વળી દ્રવ્યતીર્થ, ક્ષેત્રતીર્થ, કાળતીર્થ ને ભાવતીર્થ એવા ભેદ છે. તે પ્રત્યે કેવા વિનય, વિવેક, ભક્તિ, આદર, બહુમાન આદિ દાખવવા જોઈએ, એ બધી વિધિ શાસ્ત્ર વિસ્તારથી બતાવે છે. (૩) અને સદનુષ્ઠાનવાળું આ જે જ્ઞાન તે અસમેહ અથવા “બેધરાજ' કહેવાય છે. આગમ દ્વારા જે જાણ્યુંસમજાયું તે જ્ઞાન થયું. તદનુસાર તે જ્ઞાનસહિતપણે તથારૂપ સત્ પ્રવૃત્તિ-આચરણ કરવું તે, બંધમાં શિરોમણિ, બોધરાજ, એ અસંમેહરૂપ બંધ છે. આમ બુદ્ધિમાં ઈદ્રિયદ્વારા રક જાણપણું છે, જ્ઞાનમાં શાસ્ત્રથકી જાણપણું છે, અને અસંમેહમાં જ્ઞાન સહિત સઆચરણપણું છે. અને તેથી કરીને તેના ફલમાં પણ ભેદપણું છે. ઇઢિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન તે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફલભેદ સંકેત મન.”—શ્રી યે દ. સ. ૪–૧૬. એમ એઓનું લક્ષણ વ્યવસ્થિત સતે, લેકસિદ્ધ ઉદાહરણ કહે છે— रत्नोपलम्भतज्ज्ञानतत्प्रायादि यथाक्रमम् । इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥ १२२ ॥ વૃત્તિ:- સ્નેપસ્ટમ-રત્નનું સામાન્યથી જાણપણ તે ઈદ્રિય અર્થના આશ્રમવાળી બુદ્ધિ છે, તડજ્ઞાન- આગમપૂર્વક તે રત્નનું તે જ્ઞાન રત્નજ્ઞાન છે. તબEયાદ્ધિ-તેની પ્રાપ્તિ આદિ તે અસંમેહ છે–એના બોધગર્ભપણાને લીધે, યથામH-આમ યથાક્રમે, ઉક્ત અનુક્રમે, અહીં, બુદ્ધિ વિષયમાં, -ઉદાહરણ, સાધુ-સાધુ છે, (સમ્યફ છે ),-ઈષ્ટ અર્થને સાધકપણાને લીધે. એટલા માટે જ કહ્યું–શૈકં યુદ્ધવાલિસિદ્ધયે-બુદ્ધિ, જ્ઞાન, ને અસંમેહની સિદ્ધિ અર્થે જાણવું. Page #68 -------------------------------------------------------------------------- ________________ (૩૮૦) યોગદિસમુચ્ચય રત્ન તણા ઉપલભ ને, તેહુ તણુ' વળી જ્ઞાન ; પ્રાપ્તિ આદિ પણ એહના, જેમ હોય આ સ્થાન; એહુ ક્રમ અનુસારથી, ઉદાહરણ અહી જાણ; બુદ્ધિ આદિની સિદ્ધિને, કાજે સાધુ પ્રમાણ, ૧૨૨ અર્થ:—રત્નની જાણ ( ખખર ) થવી, તેનુ' જ્ઞાન થવું, અને તેની પ્રાપ્તિ વગેરે થવી,-એમ અનુક્રમે અહીં બુદ્ધિ વગેરેની સિદ્ધિ અર્થે સાધુ ( સમ્યક્-સાધક ) ઉદાહરણ જાણવુ', વિવેચન રત્નના ઉપલ’ભ એટલે કે આંખથી દેખીને આ રત્ન છે એવી સામાન્યથી ખબર પડવી, તે ઇંદ્રિય અર્થાંના આશ્રય કરતી બુદ્ધિ છે. તેનું જ્ઞાન એટલે કે આગમપૂર્વક તે રત્નનુ જાણપણું થવું તે જ્ઞાન છે. અને તે રત્નની પ્રાપ્તિ આદિ તે રત્નનુ દૃષ્ટાંત મેધગર્ભ પણાને લીધે અસમાહ છે. આમ અનુક્રમે અહી બુદ્ધિ આદિ પરત્વે સાધુ–સમ્યક્ ઉદાહરણ છે; કારણ કે તે અભિપ્રેત-ઇષ્ટ અનુ. ખરાખર સાધક છે, એટલા માટે જ બુદ્ધિ, જ્ઞાન, અસ'માહુનું ખરાખર સચાટ સ્વરૂપ સમજવા માટે અત્રે આ લૌકિક રત્નનુ દૃષ્ટાંત રજુ કર્યુ છે: (૧) જેમ કાઇ એક રત્ન હાય, તેને દેખી સામાન્યથી ચક્ષુઇંદ્રિયના વિષયથી · આ રત્ન છે' એવુ' જે જાણુપણ”, તે બુદ્ધિરૂપ આધ છે. (૨) અને રત્નના લક્ષણ દર્શાવનારા પ્રતિપાદક શાસ્ત્ર દ્વારા, તેના આધારે, તે રત્ન સ`ખ'ધી લક્ષણનું વિશેષ જાણપણું, તે જ્ઞાનરૂપ મેધ છે. (૩) અને તે રત્નનું નિશ્ચિત સ્વરૂપ જાણી, તેને તથાસ્વરૂપે એળખી, તે રત્નની પ્રાપ્તિ વગેરે થવી, તે અસમેાહરૂપ બેધ છે. અસ’મેહમાં તથારૂપ જ્ઞાન । અંતર્ભૂત હાય જ છે, કારણપણે તથારૂપ યથાર્થ જ્ઞાન ન હેાય તે। અસ માહ કેમ ઉપજે ? એળખ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના ગ્રહણ કેમ કરે ? એટલે સમ્યપણે એળખી, સાક્ષાત્ પ્રાપ્તિ આદિ જ્યાં હાય, ત્યાં સમાહ કયાંથી હાય ? અસંમાહુ જ હાય. ⭑ સદનુષ્ઠાનનું લક્ષણ કહે છે— आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ વૃતિઃ—માત્ર:-આદર, યત્નતિશય ( અતિશય મન ), રત્ને-ષ્ટ આદિ કરણમાં–ક્રિયામાં, પ્રીતિ:-પ્રીતિ, અભિધ્વંગરૂપ પ્રીતિ ( પ્રેમ, ગાઢ સ્નેહ), વિન્ન:-અવિદ્મ,−તેના કરણમાં જ, તે ઈષ્ટ આદિ કરવામાં અવિઘ્ર-અદૃષ્ટના સામર્થ્યને લીધે, સંપવામ-સંપદ્ આગમ, સંપત્તિની પ્રાપ્તિ,—તેથી કરીને જ શુભભાવરૂપ પુણ્યસિદ્ધિને લીધે, નિજ્ઞાઢા-જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, ઈષ્ટ આદિ વિષયની જ જિજ્ઞાસા, તાલેવા ૨-અને તનની—તેના જાણકાર જ્ઞાતા પુરુષની સેવા, ઇષ્ટ ઉચિત સેવા, ૬— શબ્દ ઉપરથી અનુગ્રહનું ગ્રહણ છે, સનુષ્ઠાનક્ષળમ્— આ સનુષ્ઠાનનું લક્ષણુ છે. કારણ કે એનુ અનુબંધસારપણ છે ( અનુબંધપ્રધાનપણું છે, પરંપરાએ એને ઉત્તરાત્તર શુભ અનુભધ થયા કરે છે). Page #69 -------------------------------------------------------------------------- ________________ દીકાદ : સત અનુષ્ઠાનનું લક્ષણ (૩૮૧) આદર પ્રીતિ અવિધ ને, સંપદ પ્રાપ્તિ તેમ; જિજ્ઞાસા તજજ્ઞ સેવના, સત કૃતિ લક્ષણ એમ. ૧૨૩ અર્થ:–ક્રિયાને વિષે આદર, પ્રીતિ, અવિખ, સંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા અને તજુની-તેના જ્ઞાતા પુરુષની સેવના-આ સત્ અનુષ્ઠાનનું ( ક્રિયાનું) લક્ષણ છે. વિવેચન ઉપરમાં જે સદનુષ્ઠાન કહ્યું, તેનું લક્ષણ અહીં બતાવ્યું છેઃ (૧) ક્રિયામાં આદર, (૨) પ્રીતિ, (૩) અવિખ, (૪) સંપત્તિ પ્રાપ્તિ, (૫) જિજ્ઞાસા, (૬ ) તજજ્ઞસેવા, (૭) તેને અનુગ્રહ. સનુષ્ઠાનનું લક્ષણ ૧. ક્રિયા આદર –ઈસ્ટ આદિ કરવામાં આદર એટલે કે યત્નાતિશય હેય; જે ઈષ્ટ વગેરે ક્રિયા કરવામાં આવે તે બહુમાનપૂર્વક, અત્યંત આદરથી, અતિશય યત્નથી કરવામાં આવે, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. ક્રિયામાં વેઠ નહિ કાઢતાં ખૂબ જાળવીને, ઉપયોગજાગૃતિપૂર્વક ક્રિયા કરવી, તે સદનુષ્ઠાન સૂચવે છે. દાખલા તરીકે ભક્તિ કાર્યમાં– સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે...સુવિધિ દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈએ રે.સુવિધિ” શ્રી આનંદઘનજી ૨. પ્રીતિ–તે ક્રિયા-અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ, અંતરંગ પ્રેમ, અભિળંગ-રનેહરૂપ પ્રીતિ હોવી તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. કઈ પણ ક્રિયામાં અંતરની પ્રીતિ-પ્રેમ-ઉમળકે જ્યાં લગી ન હોય, ત્યાં લગી તે ક્રિયા નીરસ, ફીક્કી, ને લુખી લાગે છે, વેઠ કાઢવારૂપ થઈ પડે છે. જ્યારે તેના પ્રત્યે અંતરને પ્રેમ-ઉલ્લાસ પ્રગટે છે, ત્યારે તે જ ક્રિયા અત્યંત સરસ, આહલાદક ને રોમાંચક નિવડે છે, ત્યારે આત્મા તેમાં તન્મય થઈ એકરસ બને છે. દાખલા તરીકે-પ્રભુભક્તિ કરવામાં આવે, તેમાં પ્રીતિની પ્રથમ આવશ્યકતા છે. પ્રભુ પ્રત્યે પર પ્રેમ પ્રવાહ પ્રગટે, અનન્ય પ્રીતિ જાગે, ત્યારે જ પ્રભુ ભક્તિની ઓર મજાહ-લીજજત અનુભવાય છે, ત્યારે જ જીવ પ્રભુભક્તિમાં તન્મય થઈ એકરસપણું–એક્તાનપણું અનુભવે છે. “અજિત નિણંદ શું પ્રીતડી, મને ન ગમે તો બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે...અજિત Page #70 -------------------------------------------------------------------------- ________________ (૩૮૨) ગદષ્ઠિસમુચ્ચય કેકિલ કલ કૃજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઊંછા તરુવર નવિ ગમે, ગિરુઆ શું હોયે ગુણને પ્યાર કે... અજિત કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદ શું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે....અજિત તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું છે નવિ આવે દાય કે શ્રી નયવિજય વિબુધ તણ, વાચક જય હો નિત નિત ગુણ ગાય કે..અજિત.” શ્રી યશોવિજયજી સ્વામી સ્વયંપ્રભને જાઉ ભામણે, હરખે વાર હાર; વસ્તુ ધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કૃપા કિરતાર.–સ્વામી”—શ્રી દેવચંદ્રજી ૩. અવિન્ન-ક્રિયામાં અવિશ્ન-નિર્વિઘપણું એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આ નિર્વિઘપણું અદષ્ટ એવા પૂર્વોપાર્જિત શુભ કર્મના સામર્થ્યથી ઉપજે છે. નિવિંદને સદનુષ્ઠાન થાય તે પૂર્વ પુષ્યને પસાય છે. જેમકે-પ્રભુભક્તિથી સર્વ વિજ્ઞ દૂર નાસે છે. શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂર નાસે છે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે છે. ”—શ્રી યશોવિજયજી ૪. સંપદાગમ-સંપદુનું આવવું, સંપત્તિની પ્રાપ્તિ થવી એ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સંપત્તિ પણ શુભભાવથી ઉપાજેલા પુણ્યકર્મથી આવી મળે છે. કોઈ કિયા ફલ વિનાની હોતી નથી, તેમ સક્રિયા પણ સફલ વિનાની હોતી નથી. એટલે સક્રિયાના ફલ પરિણામે દ્રવ્ય-ભાવ સંપત્તિની પ્રાપ્તિ થાય એમાં કાંઈ નવાઈ નથી. દ્રવ્યસંપત્તિ એટલે અર્થ-વૈભવ વગેરે લૌકિક સંપત્તિ, અને ભાવસંપત્તિ એટલે વિદ્યા-વિય-વિવેકવૈરાગ્ય-વિજ્ઞાન વગેરે સગુણોની આધ્યાત્મિક સંપત્તિ. આવી સંપત્તિની પ્રાપ્તિ દેખાય, તે આ સદનુષ્ઠાનનું ફલ છે એમ સમજવું. દાખલા તરીકેપ્રભુભક્તિ અંગે કવિવર યશોવિજયજી કહે છે – “ચંદ્ર કિરણ ઉવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપે જી; જે પ્રભુભક્તિ કરે નિત વિનય, તે અરિયણ બહુ પ્રતાપી ઝપે છે. શ્રી નમિ. મંગલ માલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગે જી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, કહે લહીએ સુખ પ્રેમ અંગે છે. શ્રી નમિ. ” ૫. જિજ્ઞાસા–તે તે ક્રિયા સંબંધી જાણવાની તીવ્ર ઇચ્છા, ઉત્કંઠા, ઉત્સુકતા થવી, ભક્તિ આદિ સદનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજવાની તાલાવેલી લાગવી, તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ: પાંચ પ્રકારનું અનુષ્ઠાન (૩૮૩) ૬. તજજ્ઞ સેવા–તજજ્ઞ એટલે તેના જ્ઞાતા પુરુષની-જાણકારની સેવા તે પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. જે સાચો જિજ્ઞાસુ-તત્ત્વપિપાસુ હોય છે, જેને તત્વ જાણવાની તરસ લાગી છે, ને તે તરસ બુઝાવવાને જે ઈચ્છે છે, તે તેના જાણકાર જ્ઞાતા પુરુષને શોધે છે, ને નિખાલસપણે નિર્માનીપણે તેની પાસેથી પોતાની જિજ્ઞાસા સંતોષવા ઇચ્છે છે, એટલે તે તજની સેવા-ઉપાસના કરે છે, તેમના ચરણકમલ પ્રત્યે “ઉપનિષદ” (સમીપ–પાસે બેસવું તે) કરે છે, જેથી તેને “ ઉપનિષદ –રહાયભૂત જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે જ્ઞાની સપુરુષની સેવા–પર્યું પાસના કરવી તે સદનુષ્ઠાનનું સૂચક લક્ષણ છે. સેવે સંગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ”–શ્રીમદ્ રાજચંદ્રજી ૭. તજજ્ઞ અનુગ્રહ–તેના જ્ઞાતા પુરુષનો અનુગ્રહ-કૃપાપ્રસાદ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. તજજ્ઞની સેવા કરતાં, તે પ્રસન્ન થાય છે, અને તેથી તેને અનુગ્રહ ઉપજે છે. જો કે જ્ઞાની પુરુષ તેવી સેવાના બીલકુલ અભિલાષી હોતા જ નથી, પણ જિજ્ઞાસુને તેથી આત્મલાભ થાય છે, તેથી તેવી યાચિત સેવા કરવી એ તેના પિતાના જ હિતની વાત છે. એટલે જ્ઞાનીની સેવાથી જિજ્ઞાસા સંતોષાવારૂપ અનુગ્રહ હોય છે, અને આમ જ્ઞાનીની કૃપાદૃષ્ટિની વૃષ્ટિથી જીવના સર્વ અર્થની સિદ્ધિ થાય છે. આમ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આદર કિરિયા રતિ ઘણી જી, વિઘન ટળે મિલે લચ્છી; જિજ્ઞાસા બુધ સેવના છે, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યેષ્ઠી.મન –એ. ૬. સ. ૪-૧૭ આને “સદનુષ્ઠાન” કહેવાનું કારણ એ કે તેનું અનુબંધસારપણું છે, અનુબંધપ્રધાનપણું છે. તેથી ઉત્તરોત્તર શુભ અનુબંધપરંપરા થયા કરે છે, અને ઉત્તરોત્તર પુણ્યાનુબંધ પુણ્યની માત્રા વધતી જાય છે. અત્રે સદનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે અનુષ્ઠાનના પ્રકાર સમજવા યોગ્ય છે, કારણ કે એક જ અનુષ્ઠાનમાં કત્તના ભેદથી ભેદ પડે છે,–જેમ રોગી અને નીરોગી ભક્તાના ભેદથી ભોજનાદિ બાબતમાં ભેદ પડે છે તેમ; રોગીને અમુક ભોજન પાંચ પ્રકારનું વગેરે રોગવૃદ્ધિનો હેતુ થાય છે, અને નીરોગીને તે જ ભોજનાદિ અનુષ્ઠાન બપચયનું-પુષ્ટિનું કારણ થાય છે તેમ. આમ આ અનુષ્ઠાન સામાન્યથી પાંચ પ્રકારનું કહ્યું છે –(૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તદ્ધતુ, (૫) અમૃત.-ગુરુ આદિના પૂજાનુષ્ઠાનમાં અપેક્ષાદિ વિધાનથી આમ ભેદ પડે છે. તેમાં (૧) આ લેકમાં લબ્ધિ-કીર્તિ આદિની અપેક્ષાથી જે કરવામાં આવે છે તે વિષ અનુષ્ઠાન છે. કારણ કે આ સચ્ચિત્તને મારી નાખે છે અને મહતું એવા અનુષ્ઠાનનું અલેપ સ્પૃહણથી લઘુત્ર સંપાદન કરે છે. તેથી આ ખરેખર વિષ છે. ૨) દિવ્ય ભોગના અભિછે લાથી જે કરવામાં આવે છે તે “ગર’ અનુષ્ઠાન છે. કારણ ઉપરમાં કહી તે જ નીતિથી Page #72 -------------------------------------------------------------------------- ________________ (૩૮૪) યોગદૃષ્ટિસમુરાય આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાંખે છે, ભવાન્તરમાં અનથ સપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર ‘ગર' અનુષ્ઠાન× છે. (૩) અનાભોગવંતનુ –એખખરનું જે સ’મૂર્ચ્છનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન છે, તે અનનુષ્ઠાન છે, કર્યું" ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુખ્ય છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી-બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવના શ્રેય હેતુ હાવાથી ‘ તદ્વેતુ' અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશના યાગ છે. (૫) આ જિનેાક્ત છે એમ જાણી કરવામાં આવતુ. એવુ' ભાવસાર જે અત્યંત સ`વેગગ અનુષ્ઠાન છે, તેને મુનિપુ’ગવા ‘અમૃત ’ અનુષ્ઠાન કહે છે. 66 ܕ " जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ॥ " શ્રી યોગદુિ જિનગુણુ અમૃતપાનથી રે....મન૦ અમૃત ક્રિયાને પસાય. રે ભવિ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે....મન૦ આતમ અમૃત થાય રે ભવિ॰”—શ્રી દેવચ`દ્રજી આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,-અસત્ છે, હેય છે; ચેાથુ' કઇક અંશે પ્રશસ્ત-સત્ છે; અને છેલ્લુ* અમૃત અનુષ્ઠાન તા પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે. તેમાં— बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसार फलदान्येव विपाक विरसत्वतः ॥ १२४ ॥ વૃત્તિ:-બુદ્ધિપૂર્વાંગિ પોળિ સર્વાર્થેવ-સામાન્યથી સર્વે'ય બુદ્ધિપૂર્વક કર્યાં, ફદ્દ–અહી લાકમાં, વૈહિનામ્— દેહધારીઓના, પ્રાણીઓના. શુ' ? તેા કે—સંભારવાન્યેવ-સંસારફલદાયક જ છે, કારણ કે તેનું શાસ્ત્રપૂવ કપણ નથી, ( એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમજ કહે છે—વિવાહવિસત્યત:—તેઓનુ નિયામથી જ-નિયમથી જ વિપાકવિરસપણ છે તેથી કરીને, વિપાકમાં–પરિણામે તેઓનું વિરસપણું છે તેટલા માટે. ★ " विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चिन्त्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः । કૂિતિનીચૈવ જાન્તરનિપાતનાત્ ।”—શ્રી યાગબિંદુ k * “ अनाभोगवतश्च तदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति तत तद्यथोदितम् ॥ एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावशयोगतः ॥ " શ્રી યામિ દુ Page #73 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : બુદ્ધિ કસ વિષાકવિરસ-ફલ સસાર બુદ્ધિપૂર્વક ક સહુ, દેહધારીના આંહિ; વિપાક વિસપણા થકી, સંસારલાયિ. ૧૨૪. અર્થ :—અહી પ્રાણીઓના જે બુદ્ધિપૂર્વક કર્યાં છે તે સવેય, વિપાક વિરસપણાને લીધે, સંસારફલ જ દેનારા છે. ઇંદ્રિયપ્રવૃત્તિ અને સ્મૃતિ સસ્કાર (૩૮૫) વિવેચન આ લેાકમાં દેહધારી પ્રાણીઓના સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્યાં વિપાકવિરસપણાએ કરીને સંસારલ જ આપનારા હોય છે. ? અત્ર સામાન્યથી જોઇએ તે પ્રાણીએ સવેય કર્માં બુદ્ધિપૂર્વક એટલે કે ઇંદ્રિયજન્ય મેષ દ્વારા કરે છે; આંખથી, કાનથી, નાકથી, જીભથી કે ત્વચાથી જે કાંઈ જાણવામાં આવે છે, તેનાથી પ્રેરાઈને તેઓ સમસ્ત પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે– આંખથી કોઈ પદાથ દેખવામાં આવ્યા, જાણવામાં આવ્યા, તે પદા ઈષ્ટ લાગતાં તે ગ્રહણ કરવાનું મન થાય છે, અનિષ્ટ લાગતાં ત્યજવાનું મન થાય છે અને પછી તેવા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આંખના સંદેશા મગજને પહોંચ્યા, મગજે બુદ્ધિને પહોંચાડવો, અને બુદ્ધિએ પગને હુકમ કર્યો કે આ લેવા તું જા', તથા હાથને આદેશ દીધા કે આ તું લે'. આ અધી સૂક્ષ્મ પ્રક્રિયા આંખના પલકારામાં બની જાય છે. વળી તે ઇષ્ટાનિષ્ટ પદાર્થ સખી સ્મૃતિસંસ્કાર–ધારણા પણુ રહી જાય છે. જેથી આગામી કાળે તેની ગ્રહણ-ત્યાગરૂપ પ્રવૃત્તિના નિર્ણય થાય છે. તે જ પ્રકારે કાન વગેરે બીજી ઇંદ્રિયા દ્વારા ઉપજતા બુદ્ધિરૂપ ખાધથી તે તે પ્રકારનુ` ઇષ્ટ-અનિષ્ટપણું જણાય છે, અને પછી મનથી તેનું મનન થતાં તેના ગ્રહણુ–ત્યાગ કરાય છે, તથા ભાવિકાળે પણ તેના રહી ગયેલા સ્મૃતિસંસ્કારની વાસનાથી તથાપ્રકારે પ્રવૃત્તિ થાય છે. આમ ઇંદ્રિયજન્ય મેધથી પ્રાણીઓના સામાન્યપણે સકર્મીની ઘટમાળ ચાલ્યા કરે છે. ખાવું, પીવું, દેખવું, સાંભળવું, સુંઘવુ, ચાખવું, સ્પર્શવુ, લેવું, મૂકવુ. એ વગેરે વિષયોગ પ્રવૃત્તિ, વગર શિખવ્યે પણુ, પ્રાણીએ કર્યાં કરે છે. એમાં કાંઈ નવી નવાઈ નથી. અને આ વિષયભાગ પ્રવૃત્તિરૂપ જે બુદ્ધિજન્ય કર્યાં છે, તેનું વિપાક વિસપણુ’ છે, વિપાકે—પરિણામે તે અવશ્ય વરસ નીવડે છે. જે વિષયેા પ્રથમ સરસ લાગે છે, તે જ પરિણામે વિરસ-રસહીન–લૂખા લાગે છે. જે વિષયે પ્રારંભમાં મીઠા ને આકષક ભાસે છે, તે જ પ્રાંતે તેને માહુ ઉતરી જતાં કડવા ને અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલાના રૂપ-રસ-ગધ-સ્પર્શી પ્રથમ સરસ ને મનેજ્ઞ હતા, તે જ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં વિષયનું વિપાક વિસપણું Page #74 -------------------------------------------------------------------------- ________________ (૩૮૬) યોગદષ્ટિ સમુચમ્ય વિરસ થઈ જતાં અમને–અકારા લાગે છે. કારણ કે પૂરાવું ને ગળવું જ્યાં નિરંતર થયા કરે છે તે મુદ્દગલ છે, અને સડવા-વિધ્વંસ પામવાને તેને સ્વભાવ છે. આવા પુદ્ગલરૂ૫ વિષયે ભગવતાં તે પ્રારંભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા દુર્ગતિકારણ થાય છે, એટલે તેનું વિપાક વિરસપણું છે. કિપાફલઈદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાધા પછી શીધ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયે ભેગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વિરસ થઈ પડે છે. જ્ઞાનીઓએ આ “ભેગોને ભુજંગના ભેગ જેવા-સાપની ફણા જેવા કહ્યા છે, તે શીધ્ર પ્રાણ હરે છે, ને તે ભેગવતાં દેને પણ સંસારમાં રખડવું પડે છે.” આમ આ વિષયસેવનરૂપ બુદ્ધિપૂર્વક કર્મોનું વિપાકવિરતપણું છે. " हृषीकार्थसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे । सुखे कृत्वा रति मूढ विनष्टं भुवनत्रयम् । भोगा भुजङ्ग भोगाभाः सद्यः प्राणापहारिणः । सेव्यमामा प्रजायन्ते संसारे त्रिदशैरपि ।।" શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી શાનાર્ણવ, અને આવા આ વિપાકવિરસ બુદ્ધિપૂર્વક કર્યો સંસારરેલ જ આપે છે, કારણ કે તે કર્મો શાસપૂર્વક નથી, શાસ્ત્રને-આપ્તવચનને આગળ કરી તે કરવામાં આવતા નથી, શાસ્ત્રજ્ઞાને અનુસરી કરાતા નથી, એટલે તેનું ફલ-પરિણામ એકાંત ભવભ્રમણરૂપ સંસાર જ છે. સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે.”—શ્રી આનંદઘનજી. ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥ १२५ ।। મુક્તિ અંગ કુલગિને, જ્ઞાનપૂર્વ તે કર્મ; શ્રતશક્તિ સમાવેશથી અનુબંધે શિવ શર્મ. ૧૨૫. અર્થ-જ્ઞાનપૂર્વક એવા તે જ કર્મો કુલગીઓને મુક્તિના અંગરૂપ હોય છે કારણ કે એમાં શ્રુતશક્તિનો સમાવેશને લીધે અનુબંધફલપણું હોય છે. કૃત્તિ –ાનપૂર્વાળિ-જ્ઞાનપૂર્વક, યક્ત જ્ઞાન-નિબંધનવાળા, (ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનરૂપ કારણુવાળા). તાજે-તે જ કર્મો. શું ? તે કે-મુક્યä-મુક્તિનું અંગ હોય છે, યુસ્ટનનાકલગીએને,જેનું લક્ષણ કહેવામાં આવશે. કુલગીઓનું ગ્રહણુ, અન્યને અસંભવ જણાવવા માટે છે. શા કારણથી ? તે કે-શ્રતશકિતશાત-શ્રુત શક્તિના સમાવેશરૂપ હેતુથી, આ (શ્રુતશક્તિ) અમૃત શક્તિ જેવી છે. એના અભાવે મુખ્ય એવું કલયોગી પડ્યું હોતું નથી. એટલા માટે જ કહ્યું કેબાબરાજત્વા:-અનુબંધફલપણા થકી-મુક્તિ અંગની સિદ્ધિમાં તાવિક અનુબંધના એવંભૂતપણાને લીધે. (મુક્તિના અંગરૂપ થાય તે જ તાત્ત્વિક અનુબંધનું સ્વરૂપ છે એટલા માટે ). Page #75 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ જ્ઞાનકમ મુક્તિ અંગ, શ્રત અમૃત શક્તિ (૩૮૭) વિવેચન જે જ્ઞાનપૂર્વક કર્મે છે, તે મુકિત અંગરૂપ છે, અને તે કુલયોગીઓને જ હોય છે, કારણ કે શ્રુતશક્તિના સમાવેશથી તેઓને અનુબંધફલપણું હોય છે. જ્ઞાનપૂર્વક કર્મ એટલે આગમપૂર્વક જે કર્મો કરવામાં આવે છે. શાસ્ત્ર આજ્ઞાને આગળ કરી–અનુસરી જે કર્મો કરવામાં આવે છે, તે મુક્તિના અંગરૂપ છે, મેક્ષના કારણરૂપ થઈ પડે છે. કારણ કે આપ્ત અર્થાત્ પ્રમાણભૂત પુરુષની આજ્ઞાને અનુસરવું તે મેક્ષને પ્રધાન હેતુ છે, માક્ષને ધોરી રસ્તેરાજમાર્ગ છે. એટલે તથારૂપ આસ પુરુષથી પ્રણીત શાસ્ત્ર-આજ્ઞાનું પ્રમાણ માની, શિરસાવંઘ ગણી, માથે ચઢાવી, જે કઈ સતકર્મ કરે છે, તે મોક્ષમાર્ગ સાધે છે. “ તુમ આણા હે આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણે.” “આણું રંગે ચિત્ત ધરી, દેવચંદ્ર પદ શીઘ વરી જે.”–શ્રી દેવચંદ્રજી આમ જેમાં આપ્ત આજ્ઞાનું અનુસરણ મુખ્ય છે એવા આ મુક્તિ અંગરૂપ જ્ઞાનપૂર્વક કર્મો કુલગીઓને જ હોય છે,–બીજાને નહિં. આ કુલગીનું લક્ષણ આગળ ઉપર કહેવામાં આવશે. આ કુલગીઓને જ આ જ્ઞાનપૂર્વક કર્મોને સંભવ અમૃત સતી કહ્યો, તેનું કારણ એ છે કે તેથી હેડલી અવસ્થામાં બુદ્ધિપૂર્વક કર્મો શ્રુતશક્તિ હોય છે, ને ઉપલી અવસ્થામાં અસંમેહરૂપ કર્મો હોય છે. એટલે કુલ યોગી સિવાય અન્યને આ જ્ઞાનપૂર્વક કર્મોને અસંભવ કહ્યો. અને કુલયોગીઓને આનો સંભવ કહ્યો, તેનું કારણ પણ તેઓને શ્રુતશક્તિને સમાવેશ હોય છે, અને તેથી કરીને અનુબંધફલપણું હોય છે, તે છે. આ શ્રુતશક્તિ અમૃતશક્તિ જેવી છે. એ ન હોય તે મુખ્ય એવું કુલગીપણું હોતું નથી. અમૃત જેમ મરેલાને કે મૂર્શિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ પણ મહામહથી મૃતપ્રાય અથવા મૂચ્છિત બનેલા જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવ-જીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે. આ સંજીવની જેવી પરમ અમૃતસ્વરૂપ શ્રુતશક્તિનો સમાવેશથી અર્થાત્ સમ્યક અંતઃપ્રવેશથી, દઢ ભાવરંગથી મુખ્ય એવું કુલગીપણું પ્રાપ્ત થાય છે. “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે, દ્રવ્ય ભાવ આશ્રવ પરહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે....પ્રભુ અંતરજામી.” શ્રી દેવચંદ્રજી વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી Page #76 -------------------------------------------------------------------------- ________________ (૩૮૮) ગદષ્ટિસમુચ્ચય અને આવી આ અમૃત સમાણી શ્રુતશક્તિના મહાપ્રભાવથી અનુબંધ ફ્લ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉત્તરોત્તર અધિકાધિક શુભ ફલપરંપરા સાંપડે છે; એક શુભ ફલ બીજા વધારે શુભ ફલનું કારણ થાય છે, એમ ને એમ શુભ ફલની સંકલના અતૂટપણે– અખંડપણે ચાલ્યા કરે છે, યાવત્ પરમ ભક્ષફળ પ્રાપ્ત થાય છે. આમ શ્રુતશક્તિના પ્રભાવે કુલોગીઓને તાત્વિક અનુબંધ થયા કરે છે, તેથી જ આ જ્ઞાનપૂર્વક કર્મો તેઓને મુક્તિઅંગરૂપ થઈ પડે છે. આમ કુલગીઓનું અનુષ્ઠાન અનુબંધ ફલવાળું હોય છે, કારણ કે તે અનુબંધશુદ્ધ હોય છે. આ બરાબર સમજવા માટે ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. અનુષ્ઠાન ત્રણ પ્રકારનું કહ્યું છેઃ (૧) વિષયશુદ્ધ, (૨) ત્રિવિધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ, (૩) અનુબંધ શુદ્ધ. આ ત્રણ અનુષ્ઠાનનું ઉત્તરોત્તર અને તેનું ફલ પ્રધાનપણું છે. (૧) તેમાં મુક્તિને અર્થે–મને મુક્તિ મળશે એમ મુગ્ધપણે-ભોળા ભાવે માનીને જે ભૃગુપત આદિ પણ કરવામાં આવે છે, તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અને તે મુક્તિના લેશ ઉપાદેયભાવથી શુભ કહ્યું છે, પણ અત્યંત સાવદ્યરૂપ૫ણને (પાપરૂપ પણાને) લીધે તે સ્વરૂપથી શુદ્ધ નથી. (૨) સ્વરૂપ. શુદ્ધ અનુષ્ઠાન તે કદષ્ટિથી વ્યવસ્થિત એવા યાદિ જ છે, અર્થાત્ તાત્વિક સ્વરૂપ સમજ્યા વિના જે અહિંસા-સત્ય વગેરે યમ આદિ લૌકિક રીતે-શૂલ લેકરૂઢિ પ્રમાણે કરવામાં આવે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. પણ તે યથાશાસ્ત્ર નથી, શાસ્ત્ર અનુસાર નથી, કારણ કે સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન આદિને અભાવ છે. આ અનુષ્ઠાન સ્વરૂપથી તે શુદ્ધ છે, પણ વિધિથી શુદ્ધ નથી. (૩) જે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે તે આ યાદિ જ છે, પણ તે તત્વસંવેદનથી અનુગત હોય છે, સમ્યક્ તત્વપરિજ્ઞાનથી યુક્ત હોય છે, તત્ત્વની બરાબર સમજણવાળું હોય છે, તથા પ્રશાંત-નિષ્કષાય વૃત્તિવડે કરીને તે સર્વત્ર અત્યંતપણે ઉત્સુકતા રહિત હોય છે. આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપથી અને વિધિથી પણ શુદ્ધ હોય છે. "तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । પ્રશાંતવૃા સર્વત્ર દઢપૌટુર્નતમ્ ” –શ્રી ગબિંદુ આ ત્રણેનું ફળ અનુક્રમે આ પ્રમાણે છેઃ- (૧) વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દષવિરામ થતો નથી, અર્થાત્ મોક્ષલાભને બાધક એ દેષ દૂર થતું નથી. કારણ કે તમસનુંઅજ્ઞાન અંધકારનું બાહુલ્ય-પ્રબલપણું છે, તેથી જ આવી આત્મઘાતરૂપ કુમતિ સૂઝે છે. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી દોષ દૂર તે થાય છે, પણ એકાંત અનુબંધથી દૂર થતો નથી. ભસ્મ કરાયેલા દેડકાના ચૂર્ણને જે નાશ કરવામાં આવ્યું હોય તે તેમાંથી દેડકાની ઉત્પત્તિ ન થાય, પણ અત્રે તો તેની જેમ દોષનો સાનુબંધ નાશ થતું નથી કે જેથી બીજા ભાવિ Page #77 -------------------------------------------------------------------------- ________________ રોપ્રાદષ્ટિઃ વિવિધ અનુષ્ઠાન અને તેનું ફલ (૩૮૯) દેષ ન ઉપજે. દોષ દૂર તે થાય છે, પણ તે દૂર થવાની પરંપરા ચાલુ રહેતી નથી. એક દેષ દૂર થાય ત્યાં બીજા ઉભા જ છે. “આંધળો વણે ને પાડો ચાવે” એના જેવી પરિસ્થિતિ થાય છે ! કારણ કે તેમાં ગુલાઘવ-ચિંતાદિ નિયમથી દેતા નથી; અર્થાત ગુણ–દેષના ગુરુલઘુભાવના પ્રમાણનું ભાન અત્ર હેતું નથી. એટલે આર્યજને એને બાહ્ય-અપ્રધાન માને છે, કારણ કે તે અંદરખાનેથી મેલું છે, મલિન છે, અને દુષ્ટ રાજાના પુરને સુંદર કિલ્લાના યત્ન જેવું તે છે. કિલ્લાથી બહારના આક્રમણ સામે રક્ષણ મળે છે, પણ અંદરખાનેથી રાજા જ પિતે પ્રજાને લૂંટીને પીડે છે ! ત્યાંની પ્રજાની આબાદી કેમ થાય ? તેમ આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહ્ય દેશને અભાવ છતાં, અંદરખાનેથી આ કુરાજા જેવા તત્ત્વજ્ઞાનરહિત પુરુષના અજ્ઞાન દોષને લીધે ગુણવૃદ્ધિ થતી નથી. (૩) ત્રીજાથી દોષનિગમ થાય છે, દોષ દૂર થાય છે, અને નિયમથી તે સાનુબંધ હોય છે, અર્થાત્ દેષ દૂર થવાની પરંપરા ચાલ્યા કરે છે, એક પછી એક દોષ દૂર થવાનું અનુસંધાન ચાલુ રહે છે. આ દોષવિગમને ઘરની આદ્ય ભૂમિકાના આરંભ સાથે સરખાવવામાં આવ્યું છે. ઘરને પાયે મજબૂત હોય, તે તેના ઉપર માળના માળ ઉપરાઉપરિ ચણી શકાય છે, તેમ આ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર દેષ દૂર થવાને અનુબંધ થયા જ કરે છે. આવું આ અનુષ્ઠાન ગુલાઘવ ચિંતાથી યુક્ત હેઈ, ગુણદોષના પ્રમાણને બરાબર ભાનવાળું હેઈ, તેવું અનુબંધવાળું ઉદાર ફલ આપે છે. જેથી કરીને અત્રે એય પ્રવૃત્તિ સંદેવ મહોદયવાળી હોય છે. આવું આ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન કુલગીઓને હોવાથી તેઓને સાનુબંધ ક્ષ્ય પ્રાપ્તિ હોય છે. असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥ १२६ ॥ એકાંતે પરિશુદ્ધિથી, અસમેહરૂ૫ કર્મ; ભવાતીત અર્થગામિને, શીધ્ર દીએ શિવશર્મ. ૧૨૬. કૃત્તિ:-સંકોતમસ્થાનિ–અસંમેહથી ઉદ્ભવેલા, યથાક્ત અસ મેહરૂપ નિબંધન-કારણવાળા, તે જ કમેં તુ-તે, વળી, પાત્ત પરિશુદ્ધતા–એકાંત પરિશુદ્ધિરૂપ કારણથી,-પરિપાક વશે કરીને; શું ? તે કે-નિર્વાણાન્યા-શીધ્ર નિર્વાણ ફલ દેનારા છે. કેને ? તે માટે કહ્યું-વાતીતાર્થાધિના-સંસારાતીત અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, એટલે સમ્પફ પરતવડીઓને–પર તત્ત્વ જાણનારાઓને એમ અર્થ છે. * " तृतीयादोषविगमः सानुबंघो नियोगतः । गृहाद्यभूमिका पाततुल्यः कैश्चिदुदाहृतः ॥ एतध्ध्युदग्रफलदं गुरुलाघवचिंतया । अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया" ॥ –(આધાર માટે જુએ) યોગબિંદુ Page #78 -------------------------------------------------------------------------- ________________ (૩૯૦) ગિદરિસસુચ્ચય અર્થ – અને અસહથી ઉપજતા એવા તે જ કર્મો, એકાંત પરિશુદ્ધિને લીધે, સંસારાતીત-પર અર્થ પ્રત્યે ગમન કરનારાઓને (પરતત્વવેદીને) શીધ્ર નિર્વાણ ફલ દેનારા હોય છે. વિવેચન અસમેહથી ઉપજેલા એવા કર્મો, એકાંત પરિશુદ્ધિને લીધે. ભવાતીત-સંસારતીત અર્થગામીઓને શીધ્ર નિર્વાણ ફલ આપનાર એવા હોય છે. ઉપરમાં કહ્યા પ્રમાણે સહુઅનુષ્ઠાન સહિત જે જ્ઞાન તે અસંમોહ કહેવાય છે. એવા અસંમેહથી એટલે કે સદ્અનુષ્ઠાનયુક્ત જ્ઞાનથી જે કર્મો કરવામાં આવે છે, તે શીધ્ર નિવણફલ આપે છે; એમાં કાળક્ષેપ કે વિલંબ થતો નથી, કારણ અસંમેહ કર્મ કે અત્રે એકાંત પરિશુદ્ધિ હોય છે, પરિપાકવશે કરીને સર્વથા શુદ્ધિ શીધ્ર મોક્ષદાયી હોય છે જેમ સુવર્ણને અગ્નિથી તપાવતાં તપાવતાં મેલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે ને છેવટે પરિપાક થતાં શુદ્ધ સુવર્ણ ઉત્તીર્ણ થાય છે. તેમ અત્રે પણ ગાનલથી તપાવતાં તપાવતાં આત્માની કમમલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે, અને છેવટે શુદ્ધિનો પરિપાક થતાં શુદ્ધ આત્મારૂપ સુવર્ણ જ નિષ્પન્ન થાય છે. અને આમ જ્યારે આત્માની એકાંત પરિશુદ્ધિ થઈ, એટલે પછી મેક્ષફલને આવતાં વાર શી? આત્મા શુદ્ધોપગવંત થયે એટલે મોક્ષ હથેળીમાં જ છે, કારણ કે “જેશુદ્ધોપગવંત છે તેના આવરણ–અંતરાય ને મેહરજ દૂર થઈ જતાં, તે સ્વયમેવ પ્રગટ આત્મારૂપ-સ્વયંભૂ થઈ, યમાત્રના પારને પામે છે, અર્થાત્ કેવલજ્ઞાન પામે છે.” તે આ પ્રકારે –“જે ચૈતન્યપરિણામરૂપ લક્ષણવાળા ઉપયોગ વડે કરીને યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે, તેની વિશિષ્ટ વિશુદ્ધિ શક્તિ પદે પદે ઉભેદ પામતી જાય છે–ખૂલતી જાય છે. એટલે તેની અનાદિની બંધાયેલી અતિ દઢ મોહગ્રંથિ ઉગ્રંથિત થાય છે–ઉકેલાઈ જાય છે, અને તે અત્યંત નિર્વિકાર ચૈતન્યરૂપ થાય છે. એટલે પછી તેને સમસ્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને અંતરાય સર્વથા દૂર થાય છે. અને આમ નિપ્રતિઘ–અપ્રતિહત આત્મશક્તિ ઉલ્લસિત થતાં, સ્વયમેવ પ્રગટ આત્મારૂપ થઈ ફેયમાત્રના અંતને પામે છે, * કેવલજ્ઞાન પામે છે. આમ ઉપયોગની એકાંત પરિશુદ્ધિ થકી યાવત મોક્ષ પ્રાપ્ત થાય છે. * “ વાવિયુદ્ધો નો વિજયવંતથિનોહરો | મૂહો સયમેવા કારિ પ ળ મૂવાળું ” શ્રી કુંદકુંદાચાર્યજીકૃત પ્રવચનસાર, * “यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपदमुद्भिद्यमानविशिष्टविशुद्धिशक्तिरुग्द्रन्थितासंसारबद्धदृढतरमोहप्रन्थितयात्यन्तनिर्विकारचैतन्यो निरस्तमस्तज्ञानदर्शनावरणान्तरायो निःप्रतिविम्भितात्मशक्तिश्च स्वयमेव भूतो ज्ञेयत्वमापन्नाना मन्तमवाप्नोति।" --શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારવૃત્તિ Page #79 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ: અસહ કનુ' ફલ શીધ્ર મોક્ષ (૩૧) આવા શીધ્ર મિક્ષફલ આપનાર અસંમેહ કર્મો કોને હોય છે? તે માટે અત્રે કહ્યું કે-ભવાતીત અર્થગામીઓને, એટલે સંસારથી અતીત–પર એવા અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, સમ્યક પર તત્ત્વને જાણનારા પર તત્વવેદીઓને આ અસંહ કર્મો હોય છે એમ તાત્પર્ય છે. જેને આ પર તત્વની ગમ-સમજણ પડે છે, તેઓ જ આ પર તત્વ પ્રત્યે ગમન કરનારા હોય છે. આમ અનુક્રમે બુદ્ધિકિયાનું ફલ સંસાર છે, જ્ઞાનક્રિયાનું ફલ મુક્તિના અંગરૂપ છેપરંપરાએ મુક્તિ છે, અને અસંમોહ ક્રિયાનું ફલ શીધ્ર અવિલંબ પણે મોક્ષ છે, અનંતર મુક્તિ છે. બુદ્ધિક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમેહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ. મન.”–શ્રી . ઇ. સ. ૪-૧૮ ત્રિવિધ બેધનો સાર સંક્ષેપ આશયના–અભિપ્રાયના ભેદે કરીને ફલમાં ભેદ પડે છે. અને આશયને ભેદ રાગાદિની તરતમતાથી, તેમજ બુદ્ધિ-જ્ઞાન-અસમેહરૂપ બંધના કારણભેદથી પડે છે. બે ત્રણ પ્રકારના હોય છે-બુદ્ધિરૂપ, જ્ઞાનરૂપ અને અસંમોહરૂપ. આ બોધના ભેદથી સર્વ જીવોના સર્વ કર્મોના પ્રકારમાં ભેદ પડે છે. (૧) ઇંદ્રિયના આલંબને ઉપજતો બેધ તે બુદ્ધિ” કહેવાય છે (૨) શ્રતના-શાસ્ત્રના આધારે ઉપજ બોધ તે “જ્ઞાન” કહેવાય છે. (૩) અને સદનુષ્ઠાનયુક્ત જ્ઞાન તે “અસંમેહ' રૂપ બેધ કહેવાય છે તે બધા જ સર્વોત્કૃષ્ટ હોઈ “બોધરાજ' કહેવાય છે. જેમકે યાત્રાળુને દેખી તીર્થે જવાની બુદ્ધિ થાય, તે બુદ્ધિ છે; તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન, તે જ્ઞાન છે અને તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાન પ્રમાણે તીર્થગમન તીથફરસણ તે અસમેહ છે. “આ રત્ન છે” એવું રત્નનું સામાન્ય જાણપણું તે બુદ્ધિનું ઉદાહરણ છે; આગમ આધારે આ રત્નનું આ સ્વરૂપ છે એમ જાણવું તે જ્ઞાનનું ઉદાહરણ છે, અને તે જ્ઞાનગર્ભિતપણે જ્ઞાનથી તે રત્નનું સ્વરૂપ એળખી તે રત્નની પ્રાપ્તિ આદિ થવી તે અસંમેહનું સમ્યફ સાધક ઉદાહરણ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિન, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, અને તજજ્ઞસેવા તજજ્ઞ અનુગ્રહ-એ સદનુષ્ઠાનના લક્ષણ છે. તેમાં (૧) પ્રાણીઓના સામાન્યપણે સર્વે બુદ્ધિપૂર્વક કર્મો- ઇદ્રિયજન્ય બેધવાળા કર્મો તે વિપાકવિરસ હોઈ તેનું ફલ પરિણામ સંસાર છે. (૨) કુલગીઓના સર્વ કર્મો જ્ઞાનપૂર્વક એટલે કે શ્રુત-શાસ્ત્રને અનુસરનારા હોય છે, અને શાસ્ત્રનું સામર્થ્ય અમૃત જેવું છે, તેથી ઉત્તરોત્તર ઉત્તમ ફલપરંપરા સાંપડે છે. માટે શાસ્ત્રાનુગામી એવા કુલયોગીઓના કર્મ મુક્તિના અંગરૂપ છે, પરંપરાએ મુક્તિને કારણરૂપ થઈ પડે છે. (૩) અને સંસારાતીત Page #80 -------------------------------------------------------------------------- ________________ (૩૯૨) ગિદષ્ટિસમુચ્ચય સંસારથી પર એવા પર તત્વ પ્રત્યે ગમન કરનારા પરમાર્થવેત્તાઓના જે કર્મો છે તે અમેહિજન્ય હોય છે. એટલે એકાંતે-નિર્ભેળપણે પરિશુદ્ધિવાળા હેઈ, તેઓનું ફલ શીધ્રઅવિલંબે મુક્તિ છે, અનંતર મુક્તિ છે. વિવિધ બેધનું કેષ્ટક : ૯ સાન અસંમોહ લક્ષણ ઈદ્રિય આશ્રયી આગમપૂર્વક સરનુષ્ઠાન યુક્ત જ્ઞાન. ક્રિયા આદર, પ્રીતિ, અવિળ, સંપત્તિ પ્રાપ્તિ, જિજ્ઞાસા, તજઇ સેવા, તેના અનુગ્રહ રત્નની પ્રાપ્તિ આદિ ઉદાહરણ રત્નનું સામાન્ય જાણપણું આગમથી રત્નનું જ્ઞાન પાત્ર કુલ યોગીઓ સવો ભવાતીત અથગામી. * સામાન્યથી સર્વ પ્રાણી. વિપાકવિરસપણે એકાંત પરિશુદ્ધિ, વિરિષ્ટ પરિણામ અમૃતસમી શ્રુતશકિતથી સાનુબંધ ફલપણું મુક્તિ અંગ–પરંપરાએ કુલ સંસાર શીઘ મુકિત-અનંતર મોક્ષ [ રૂતિ ગુદ્ધિજ્ઞાનાર્જમોવર્માન્તરાધિ: ] પરંતસ્વગામીને એક જ શમપરાયણુ માર્ગ એઓનું જ (ભવાતીત અર્થગામીનું ) લક્ષણ કહે છે– प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ॥ १२७ ॥ વૃત્તિઃ–પ્રોવિ૬ માપુ-અહીં પ્રાકૃતભાવો પ્રત્યે, બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવમાં, (આ શબ્દાદિ ભાવો છેવટે બુદિમાં સમાય છે, અદ્ધિજન્મ ભાવો છે તેમાં ), ચેષાં રેતો નિકરણw-જેએનું ચિત્ત નિરુત્સુક છે,-નિ:સંગતાના સમાવેશને લીધે, મામો વિવારેભવભેગથી વિરક્ત એવા તેઓ, સંસારના ભેગથી વિરક્ત એ સ્વરૂપવાળા (એવંભૂત) તે જીવ મુક્ત જેવા, માનીતાર્થથરિન - “ ભવાતીતઅર્થગામી ” કહેવાય છે,-ભવમાં ચિત્તના અસંસ્પર્શને લીધે. (સંસારમાં તેનું ચિત્ત સ્પર્શતું નથી–લેપાતું નથી, તેથી કરીને). Page #81 -------------------------------------------------------------------------- ________________ દાહરિ: “ ભવાતીત અથગામી” ભવભાગવિરક્ત (૩૯૩) પ્રાકૃત ભાવોમાં અહીં, નિરુત્સુક સ ચિત્ત; ભવાતીત અર્થગામિ તે, ભવભેગમાં વિરક્ત. ૧૨૭ અર્થ:–અહીં પ્રાકૃત ભાવે પ્રત્યે જેએનું ચિત્ત નિરુત્સુક (ઉત્સુકતા રહિત) હોય છે, તે વિભાગથી વિરક્ત થયેલાઓ, ભવાતીત અર્થગામી છે. વિવેચન ઉપરમાં ભવાતીત અર્થગામી એવા મહામુમુક્ષુ કહ્યા, તે કોણ ને કેવા હોય ? તેનું લક્ષણ અહીં સ્પષ્ટ કહ્યું છે. અહીં શબ્દાદિ વિષયરૂપ પ્રાકૃત ભામાં જેઓનું ચિત્ત ઉત્સુક્તા રહિત હોય છે, તે સાંસારિક ભેગથી વિરક્ત જને ભવાતીતઅર્થગામી છે. પ્રાકૃત ભાવે એટલે બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવે. પ્રાકૃત એટલે પ્રકૃતિને વિકાર, પુદ્ગલને વિકાર. શબ્દાદિ વિષયે પ્રાકૃત ભાવ છે અર્થાત્ જડ પ્રકૃતિના વિકારરૂપ છે, પુદ્ગલના વિકારરૂપ છે; અને તે બુદ્ધિમાં પર્યમુમુક્ષુ ભવભોગ વસાન પામે છે, છેવટે બુદ્ધિમાં સમાય છે, અર્થાત્ બુદ્ધિગમ્ય ભાવ છે. વિરક્ત આવા આ શબ્દાદિ વિષરૂપ પ્રાકૃત ભાવોમાં જેએનું ચિત્ત અના સક્તપણાને લીધે ઉત્સુકતા વિનાનું હોય છે, તે ભવભેગથી વિરક્ત થયેલા જને “ભવાતીત અર્થગામી' કહેવાય છે. શબ્દાદિ વિષયોમાં તેઓ રાચતા નથી, આસક્ત થતા નથી, વિષયોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું છે, સાંસારિક ભેગ તેઓને દીઠા ગમતા નથી, એટલે ભવભોગથી વિરક્ત-સાચો અંતરંગ વૈરાગ્ય પામેલા આ જીવે ખરેખરા “ભવાતીત અર્થગામી” છે. કારણ કે તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત ભવમાં-સંસારમાં સ્પર્ધાતું નથી, લેપતું નથી, અસ્કૃષ્ટ રહે છે, જળ-કમળવત્ અલિપ્ત રહે છે. વિવિધ સ્વપ્ન-ઇંદ્રજાલ જેવી પુદ્ગલરચના તેઓને કારમી-અકારી લાગે છે, અને જગતની એઠરૂપ તે પુદ્ગલ વિષયનું સેવન કરવું તે તેવા પરમ વૈરાગ્યવંત સાચા સંગરંગી મહાત્માઓને આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અત્યંત, અસહ્યા લાગે છે. દાખલા તરીકે પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાના સ્વાનુભવદુગાર કાઢયા છે કે જોકે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજણ પણુ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે x x કારણકે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૧૩ (૩૮૫) Page #82 -------------------------------------------------------------------------- ________________ (૩૯૪) યોગદષ્ટિસમુચય આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરંગી સાચા પરિણત–ભાવિતાત્માઓ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયમાં-પ્રાકૃત ભાવોમાં કેમ રાચે ? આ પ્રાકૃત ભાવમાં તે સામાન્ય પ્રાકૃત જને જ રાચે, પુદ્ગલાનંદી ભવાભિનંદી છ જ આસક્ત થાય; પણ સાચા અંતરંગ વૈરાગ્યવાન મુમુક્ષુ છે કદી પણ ઉત્કંઠા ધરાવે નહિ, આસક્ત થાય નહિં. આવા વૈરાગ્યવાસિત આત્મા, સાચા “વૈરાગીઓ” જ સંસારથી પર એવા અર્થ—તત્વ પ્રત્યે ગમન કરનારા છે, પર તત્ત્વને જાણનારા ને પામનારા હોય છે. કારણકે સંસારમાં રહ્યા છતાં, તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવોને-વાસનાને લેશમાત્ર સ્પર્શતું નથી. તેથી તેઓ મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણ પામેલા છે, જીવન્મુક્ત છે. “ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત તે કહિયે જ્ઞાની દશા, બાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાનિદશા, બાકી વાચાજ્ઞાન.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥ એક જ હોય તેહને, પ્રશમપરાયણ માર્ગ અવસ્થાભેદ છતાં યથા, સાગરમાં તીરમાર્ગ, ૧૨૮. અર્થ—અને તેઓને શમપરાયણ માગ પણ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સમુદ્રમાં તીરમાગની કાંઠાના માર્ગની જેમ. વિવેચન અને એવા તે ભવાતીતઅર્થગામીઓને એટલે કે પરમતત્ત્વવેદીઓનો માર્ગ પણ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સાગરમાં તીરમાગની-કાંઠાના માર્ગની પેઠે. ઉપરમાં જેનું સ્પષ્ટ લક્ષણ કહ્યું, એવા સાચા ભવવિરક્ત વૈરાગ્યવાસિત સંવેગી કૃત્તિ–% વ તુ માડજિ-અને માર્ગ પણ એક જ, ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળા માર્ગ પણ એક જ છે, તેષાંતેઓને, એટલે કે, ભવાતીત અર્થગામીઓને, રામપરાયણઃ-શમપરાયણ, શમનિક, અવમેડિજિ-અવસ્થાભેદને ભેદ છતાં, ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ, (તેમની દશાને ભેદ છતાં), ધૌ તીભાવતુ-સમુદ્રની બાબતમાં તીરમાગની જેમ, એ દષ્ટાંત છે. અને અહીં તે સમદ્રથી દર-નિકટપણુ આદિના ભેથી અવસ્થાભેર હોય છે. ( સમુદ્રના કાંઠાના માર્ગ તે તીરમાર્ગ છે. તેમાં કાઈ દૂર હોય, કેઈ નિકટ હોય, એમ ભેદ છતાં તે બધાય “તીરભાગ જ છે.) Page #83 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : મુમુક્ષુને એક જ શમપરાયણ શાંતિમાગ (૩૫) મુમુક્ષનો મુમુક્ષુ આત્માઓ ભવાતીત અર્થગામી અથવા પરતત્વવેદી કહેવાય છે. માર્ગ એક જ અને તેઓને ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે, કેઈપણ પ્રકારે ચિત્તવિશુદ્ધિ કરી, આત્માને શુદ્ધ કરે, એ જ માર્ગ છે. અને તે એક જ છે, તેમાં કઈ પણ ભેદ નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું કોકીર્ણ વચનામૃત છે કે – મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માગ નિગ્રંથ.”–શ્રી આત્મસિદ્ધિ મેક્ષને એક જ શમપરાયણુ માર્ગ-શાંતિમાર્ગ અને આ માગ શમપરાયણ છે–શમનિષ્ઠ છેઃ (૧) શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષ રહિતપણું, સમભાવ. “મેહ-ક્ષેભરહિત જે આત્માને પરિણામ તે સમઝ કહેવાય છે.” આ માર્ગમાં શમની પ્રાપ્તિ કરવી, શમપરાયણ થવું, એ જ એક નિષ્ઠા છે-છેવટની નિતાંત સ્થિતિ છે, એ જ અંતિમ સાધ્ય છે. (૨) અથવા શમ એટલે સામ્ય; યથાવસ્થિત આત્મગુણને પામવું-જેમ છે તેમ આત્મગુણની સમાન થવું તે સામ્ય છે. જે સામ્ય છે તે ધર્મ છે, અને “વત્થરણાવો છો એ લક્ષણ પ્રમાણે વસ્તુનો સ્વભાવ તે ધમ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને ચારિત્ર એટલે “ હરે વારિત્ર' એ લક્ષણ પ્રમાણે સ્વરૂપમાં ચરવું, આત્મસ્વરૂપમાં વત્તવું, તે ચારિત્ર છે. આમ ચારિત્ર ધર્મ, સામ્ય, સમ, શમ એ શબ્દો સમાનાર્થવાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા તત્પર થવું એ જ શમનિષ્ઠ માર્ગ છે. (૩) અથવા શમ એટલે શાંતિ. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ આદિની શાંતિ થવી તે શમ છે. પરભાવથી વિરામ પામી આત્મભાવમાં આવવું તેનું નામ શાંતિ છે, અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિ માર્ગ છે. આ શાંતિમાર્ગનું શાંતિમાર્ગ અત્યંત હૃદયંગમ સ્વરૂપ મહાજ્ઞાની યોગીશ્વર શ્રીમાન આનંદઘનજીએ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સંક્ષેપમાં પ્રદર્શિત કર્યું છે. તેમાં શ્રી આનંદઘનજી ભગવાનને સાક્ષાત્ હાજરાહજૂર દેખતા હોય એમ તેમની સાથે ગોષ્ઠિવાર્તાલાપ કરતાં પૂછે છે – શાંતિજિન ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે, શાંતિ સ્વરૂપ કિમ જાણીએ? કહે કિમ મન પરખાય રે ?..શાંતિ.” x “ નહિરં હિન્દુ ધર્મો નો કો સો સોરિ વિહો ! मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो॥" –શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત શ્રી પ્રવચનસાર Page #84 -------------------------------------------------------------------------- ________________ વાગપ્ટિસમુચ્ચય ત્યારે ભગવાન તેને જવાબ આપે છે કે જેને આવા પ્રશ્નનો અવકાશ છે એવા હે આનંદઘન ! હારા આત્માને ધન્ય છે ! તું મનમાં ધીરજ ધરીને સાંભળ! હું તને શાંતિસ્વરૂપ જેમ પ્રતિભાસ્યું છે તેમ કહું છું: “ધન્ય તું આતમ જેહને, એ પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે...શાંતિ.” ૧. અવિશુદ્ધ ને સુવિશુદ્ધ જે જે ભાવો ભગવાન જિનવરે-પરમ વીતરાગદેવે કહ્યા છે, તે તેમજ અતિથ્ય અથવું અત્યંત સાચા જાણીને સહે, શ્રદ્ધ, દઢ આત્મપ્રતીતિથી માન્ય કરે, તે શાંતિપદની પ્રથમ સેવા છે, શાંતિમાર્ગનું પ્રથમ પદ-પગથિયું છે. ૨, અને આગમના પરમાર્થ રહસ્યને ધારણ કરનારા, સમ્યકત્વવત અર્થાત્ આત્મજ્ઞાની, સારભૂત એવી સંવર કિયા કરનારા, જ્ઞાનીઓના સનાતન મોક્ષમાર્ગના સંપ્રદાયને અનુસરનારા, સદાય અવંચક, સર્વથા આજુ-સરલ, અને શુદ્ધ આત્માનુભવના આધારરૂપ, એવા સદગુરુનું જે સેવન તે શાંતિપદની સેવાનું પરમ અવલંબન છે. તેમજ અન્ય પણ શુદ્ધ આલંબન આદરવા ને બીજી બધી જ જાલ છોડી દેવી, તથા સર્વ તામસી વૃત્તિઓ પરિહરી સુંદર સાત્વિકી વૃત્તિઓ ભજવી એ શાંતિ સ્વરૂપને પામવાને માર્ગ છે. “ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિત સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે..શાંતિ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે....શાંતિ શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલ રે...શાંતિ.” ૩. તેમજ જેમાં ફલને વિસંવાદ છે નહિ, અચૂકપણે જે ઈષ્ટ મિક્ષફલ આપે જ છે, જેમાં શબ્દ છે તે બરાબર અર્થ સાથે સંબંધ-સુમેળ ધરાવે છે, અર્થાત્ શબ્દનયે ખરેખર પરમાર્થ અર્થમાં તે તે સત્ સાધન સેવાય છે–પ્રયે જાય છે, અને જેમાં સકલ નયવાદ વ્યાપી રહે છે, અર્થાત્ સર્વ નય જેમાં અવિરેધી–અવિસંવાદીપણે એક પરમાર્થ સાધકપણે પ્રવર્તે છે, એવા શિવસાધનની-સમ્યગદર્શનાદિ મોક્ષસાધનની સંધિ કરવી, એવા સમ્યક મક્ષસાધન જોડવા-પ્રજવા, તે શિવસ્વરૂપ-મોક્ષસ્વરૂપ પરમ શાંતિમાર્ગને શ્રેષ્ઠ ઉપાય છે. ફલ વિસંવાદ જેહમાં નહિ, શબ્દ તે અર્થ સંબંધી રે, સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે....શાંતિ. ” ૪. આત્મપદાર્થને વિરોધ ન આવે એ વિધિ-પ્રતિષેધ કરી, મહાજને રહેલે એ આત્માનો ગ્રહણવિધિ આદરવો,-એ આગમમાં કહેલો શાંતિમાર્ગને બધ-ઉપદેશ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ : મેણના શાંતિમાગ એક જ (૩૯૭ ) ૫. દુષ્ટ જનની સંગતિ છેડી દઇ, સુગુરુના સંતાનની સંગત કરવી, અને મુક્તિના હેતુરૂપ ચેગ-સમાધિમય ચિત્તભાવને ભજવુ, એ શાંતિના સમાગ છે. “ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇક્ષ્ચા આગમે મેષ રે... શાંતિ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સતાન રે; યેાગ સમાધિ ચિત્ત ભાવ જે, ભજે ર મુગતિનિદાન રૈ....શાંતિ॰ ' 95 ૬. માન-અપમાનને સમાન જાણે, વંદૅક-નિકને સમ ગણે, કનક-પાષાણને સરખા માને, સં જગત'તુને સમ ગણે, તૃણુ–મણિને તુલ્ય જાણે, મુક્તિ-સંસારને સમ ગણે,આ ભવસાગર તરવા માટે નૌકા સમાન શાંતિમાગ છે. “ માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુ રે; 'કનિક સમ ગણે, ઇશ્યેા હાય તું જાણુ રે....શાંતિ સર્વ જગજ'તુને સમ ગણે, સમ ગણે તૃણુ મણિ ભાવ રે; મુક્તિ સ`સાર એહુ સમ ગણે, મુને ભવજલનિધિ નાવ રે....શાંતિ ૭. તેમજ-આપણા આત્મભાવ જે શુદ્ધ ચેતનાધાર છે, તે જ નિજ પરિકર ( પરિવાર ) ખીજા બધા સાથસયાગ કરતાં સાર છે, માટે તે શુદ્ધ આત્મભાવમાં આવી તેમાં શમાઇ જવું, એ જ શાંતિસ્વરૂપ પામવાના શ્રેષ્ઠ ઉપાય છે. "" આપણા આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; અવર વિ સાથ સચેાગથી, એ નિજ પરિકર સાર રે....શાંતિ॰ ” ઇત્યાદિ પ્રકારે આ શમપરાયણ માનું-શાંતિ માર્ગનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવ્યુ છે. “ કૈાધાદિક કષાયેાનું શમાઈ જવુ, ઉદય આવેલા કષાયામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિએ શમાઇ જવી તે શમ.' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨ (૧૩૫) 6 સ મુમુક્ષુએ તે જ એક શાંતિમાને પામવાને ઈચ્છે છે, એટલે તે સર્વને મા એક જ છે. જેમ સાગરકાંઠાના સ માગ તીમા` ' છે, માટે તે એક જ સ્વરૂપ છે, તેમ આ સર્વ મુમુક્ષુએના માગ પણ ‘ ભવ-તીરમાગ ’–મે ક્ષમાગ માક્ષના શાંતિ- છે, માટે તે એક જ છે. પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કાઈ તે મા એક જ માગની નિકટ હાય ને કેઈ દૂર હોય. જેમ સાગરમાં કોઇ તીરમાગ કાંઠાની નિકટ હાય, ને કાઇ દૂર હાય, પણ તે - તીરમા ’ જ છે; Page #86 -------------------------------------------------------------------------- ________________ (૩૯૮) ગદષ્ટિસમ્રચય તેમ કઈ મુમુક્ષુ વસમુદ્રના તીરની-ભવપારની–મેક્ષની અત્યંત નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે સર્વનો માર્ગ તે એક જ “મેક્ષમાગ' છે. આમ ગુણસ્થાનકની અપેક્ષાએ દશાવિશેષ પ્રમાણે ભલે તેઓમાં દૂર-નિકટપણને ભેદ હોય, તે પણ મેક્ષમાર્ગનો તે અભેદ જ છે. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધક-ઉપાસકો છે, સાધર્મિક બંધુઓ છે. મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે. અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે. એ માર્ગના મને પામ્યા વિના કે ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહી. શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તો સફળ છે, અને એ માગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશ ગ્રહણ થાય તે તે સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પામશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે.” ઈત્યાદિ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨ (૫૪) પર તત્ત્વના સ્થાનની ઇચ્છાથી કહે છે– संसारातीततत्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥ ભવાતીત પર તવ તે, નિર્વાણ કહેવાય; તત્વથી એક જ તેહ છે, શબ્દ ભેદ છતાંય. ૧૨૯ વૃત્તિ –સંતાયાતીતતત્ત્વ તુ-અને સંસારાતીત તત્વ તે, શું ? તે કે--૫ર, પ્રધાન, નિર્ચાળણણિતમનનિર્વાણ નામનું છે, નિર્વાણ સંજ્ઞા એની ઉપજી છે એટલા માટે. ત નેવ-તે નિશ્ચયે એક જ સામાન્યથી છે, નિયમ-નિયમથી, નિયમે કરીને, રામેડજિ-શબ્દભેદ (જેનું લક્ષણ કહેવામાં આવે છે.) છતાં, તવતતત્ત્વથી, પરમાર્થથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ પરંતત્વ તિર્થી ને તેના અન્યૂથ નામ (૩૯) અર્થ –અને સંસારાતીત તવ તે “નિર્વાણ' સંજ્ઞાથી ઓળખાતું એવું પર તત્ત્વ છે અને તે તે શબ્દભેદ છતાં તત્વથી નિયમે કરીને એક જ છે. વિવેચન ઉપરમાં જે સંસારાતીત-સંસારથી પર એવું પર તત્ત્વ કહ્યું, તે શું ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે-તે પર તત્વ નિર્વાણુ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. અને તે તે સામાન્યથી નિયમે કરીને એક જ છે. નીચે કહેવામાં આવે છે એ શબ્દભેદ છતાં તત્વથી–પરમાર્થથી તે નિર્વાણ તત્વ એક જ છે. ગમે તે નામે ઓળખવામાં આવે, પણ પરમ એવા તે નિર્વાણ તત્વમાં કઈ ભેદ છે જ નહિં. તે તત્વથી પર કઈ છે નહિં ને સર્વથી પર તે છે, તેટલા માટે તે “પરં તત્ત્વ છે. કર્મરૂપ તેલ ખૂટી જવાથી સંસારરૂપ દી ત્યાં બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે, તેટલા માટે તે તત્વને નિર્વાણુ નામ ઘટે છે. सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥१३० ॥ સદાશિવ પર બ્રહ્મ ને, સિદ્ધાત્મ તથાતા ય; આદિ શબ્દ અવર્થથી, એક જ તેહ કથાય, ૧૩૦ અર્થ-સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, ઈત્યાદિ શબ્દોથી તે ઓળખાય છે; તે અન્વર્થથી (શબ્દના બરાબર અથે પ્રમાણે) એક જ છે. વૃત્તિઃ-સારવ –સદાશિવ, એટલે સર્વકાળ શિવ, કદી ૫ણ અશિવ નહિં તે,-ત્રિકાલ પરિદ્ધિ થકી સર્વ અશિવના અભાવને લીધે -પરમ, પ્રધાન, ત્રહ્મ-બ્રહ્મ તથા પ્રકારે બુહા અને બૂકવડે કરીને સદ્ભાવનું અવલંબનપણું હોવાથી, સિદ્ધારમા-સિદ્ધ આત્મા, કૃતકૃત્ય આત્મા, નિષ્ઠિતા એમ અર્થ છે, તથતિ જ-અને તથાતા, આકાલ એટલે સર્વકાલ તથાભાવથી, સદાકાલ તેવા પ્રકારને ભાવ હોવાને લીધે, “તથાતા' કહેવાય છે. કહ્યું છે કે " उपादाननिमित्ताभ्यामधि कारित्वता ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥ विसंयोगात्मिका चेयं त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं भूतार्थफलदेति च ॥ અથાત–ઉપાદાન ને નિમિત્તથી તેના અધિકારિત્વતા ધ્રુવ છે, અને સર્વકાલ તથાભાવને લીધે તે “તથાતા” એમ કહેવાય છે અને આ અધિકારિત્વતા તથાતા વિસંગસ્વરૂપ ને ત્રણ પ્રકારના દુઃખથી પરિવર્જિત-સર્વથા રહિત એવી છે; તે પરા ભૂતકેટિ છે, અને અત્યંત ભૂતાથ ફૂલ દેનારી છે. ઈત્યાદિ શ.–શબ્દથી, તત્ત-તે નિર્વાણ, ઉત્તે-કહેવાય છે, ઓળખાય છે, અવત-અન્તર્થથી, અર્થને અનુસરતા, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, ઉક્ત નીતિથી, મેવ-તે એક જ હોઈ, વાણિમિઃએ આદિ શ્રબ્દોથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ (૪૦૦) 64 યાગષ્વિસસુમાય વિવેચન શબ્દ ભેદ ઝઘડો કશ્યાજી, જો પરમારથ એક; કહા ગંગા કહા સુરનદીજી, વસ્તુ ફ઼િરે નહિ' છેક....મનમાહુન॰ ”–શ્રીયા. ૯. સ. ૪-૨૧ ' તે પરમ ‘નિર્વાણુ ’ નામના તત્ત્વને જે જૂદે જુદે નામે એળખવામાં આવે છે, તેને પરમા જોતાં કાંઈ અભેદ નથી. તે ભિન્ન ભિન્ન નામેામાંથી કેટલાક અત્ર બતાવ્યા છે : (૧) સદાશિવ, (૨) પરબ્રહ્મ, ( ૩) સિદ્ધાત્મા (૪) તથાતા. પરમાર્થથી તે નામેાનુ એકપણું આ પ્રકારે— 6 સદાશિવ—કેઇ તેને સદાશિવ કહે છે. આ ‘સદાશિવ' એટલે સદાય શિવ, સવકાળ શિવ, કદી પણ · અશિવ નહિ તે ત્રણે કાળને વિષે સર્વથા પરિશુદ્ધિ વડે કરીને સર્વ અશિવના—અકલ્યાણના અભાવને લીધે આને સદાશિવ' નામ ખરાખર ઘટે છે. કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપ હેાવાથી, આ ‘નિર્વાણુ' સદા શિવસ્વરૂપ-કલ્યાણુસ્વરૂપમંગલસ્વરૂપ છે, સવ કલ્યાણનુ –મંગલનું ધામ છે, શકર સ્વરૂપ અર્થાત્ શમ-આત્મસુખકર સ્વરૂપ છે. “ શિવશંકર જગદીશ્વરૂ રૅ, ચિદાનંદ ભગવાન....લલના॰ ”—શ્રી આન’દઘનજી પરબ્રહ્મ વળી એ ‘પરબ્રહ્મ' નામથી એળખાય છે. પરં એટલે પરમ, પ્રધાન. અને તથા પ્રકારે બૃહત્ત્વ—બૃંહકત્વથી સદ્ભાવ અવલ'અનપણાને લીધે તે ‘ બ્રહ્મ ' છે. બૃહત્ત્વ એટલે જગમાં અન્ય કાઇ પણ વસ્તુ કરતાં જેનું ગૃહપણું-મહત્ત્પણું છે તે બ્રહ્મ. અથવા ગૃહકત્વ એટલે આત્મગુણુનુ અત્યંત વૃદ્ધિંગતપણુ-અત્યંત પુષ્ટપણું જ્યાં વર્તે છે તે બ્રહ્મ. આવા બૃહત્ત્વ-ગૃહકત્ત્વ વડે કરીને જ્યાં આત્મસ્વરૂપના સદ્ભાવનું અવલંબન છે, અર્થાત્ જ્યાં શુદ્ધ સહજાત્મસ્વરૂપનું વિદ્યમાનપણું વતે છે, જે સહજાત્મસ્વરૂપ છે, તે ‘પર બ્રહ્મ’ છે. “ બ્રહ્મ શબ્દ વૃદ્-વૃદ્ધો ( વધવુ, to grow ) એ ઉપરથી થયા છે, એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિને, વિશ્વના વિકાસના જેથી ખુલાસા થઈ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ · બ્રહ્મ' છે. x x x પણ બ્રહ્મ શબ્દની એક બીજી વ્યુત્પત્તિ-જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે—તે વિચારતાં નિવિશેષ સ્વરૂપ પણ ફલિત થઇ શકે છે. અતિ પ્રાચીન સમયથી—ઋક્ સહિતાના સમયથી–વૃત્તૂ શબ્દ વિશાળ, મ્હાટુ, અનવચ્છિન્ન એ અથમાં વપરાય છે, અને એ શબ્દ મા શબ્દના સહેાદર છે, તેથી ત્રણ એટલે અનવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે. ” —પ્રો. આનંદૅશંકર આપુભાઈ ધ્રુવ Page #89 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : એક નિર્વાણ તત્વના અન્વયાર્થી નામ (૪૦૧) સિદ્ધાત્મા–તેને સિદ્ધાત્મા નામ પણ આપવામાં આવ્યું છે. જેને આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેને આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઈ કર્તવ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિષ્કિતાર્થ છે અર્થાત્ જેના સર્વ અર્થની નિષ્ઠા-છેવટની હદ પ્રાપ્ત થઈ છે. એટલે કે જેના સર્વ અર્થ–પ્રયજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યું છે, નિષ્પન્ન કર્યું છે, એવા સહજાન્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચિતન્યમૂત્તિ તે સિદ્ધાત્મા છે. "येनात्माबुध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥" -શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક, સકળ પ્રદેશે હે કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હે જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ ...સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. અચળ અબાધિત જે નિઃસંગતા, પરમાતમ ચિપ; આતમભેગી હો રમતા નિજ પદે, સિદ્ધ રમણ એ રૂપ સ્વામી –શ્રી દેવચંદ્રજી. તથાતા–વળી કોઈ તેને “તથાતા” નામથી ઓળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથા પ્રકારને ભાવ હોવાને લીધે તે “તથાતા’ છે. જેનું શુદ્ધ સહજાન્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વત્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યું છે કે ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્વતા ધ્રુવ છે-નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પણ શુદ્ધ આત્મા જ છે. એટલે તેનું સ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કદી ન ફરે એવું છે. શુદ્ધ સહજાન્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે. આ “ તથાતા’ વિસંગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુઃખથી પરિવજિત છે. સર્વ અન્ય ભાવને જ્યાં વિસગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવને જ્યાં વિગ થયેલ છે, વિશ્લેષ થયો છે, પરમાણુ માત્ર પણ કર્મને જ્યાં સ્પર્શ રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્મા જ જ્યાં વર્તે છે, એવી આ તથાતા વિસયેગાત્મિકા છે-વિસરયોગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુઃખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ વિવિધ Page #90 -------------------------------------------------------------------------- ________________ (૪૨) યોગદરિસરાય તાપથી, અથવા આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક એ ત્રિવિધ દુખથી તે પરિવિજિત છે, સર્વથા રહિત છે. સગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ.” – શ્રી દેવચંદ્રજી. વળી આ તથાતા પરા ભૂતકેટિ છે, અને અત્યંતપણે ભૂતાર્થ ફલ દેનારી છે. પ્રાણીએની-ભૂતની પરમ કેટિરૂપ—ઉચ્ચતમ વર્ગરૂપ જે છે તે પરા ભૂતકેટિ છે, અર્થાત જે પરમાત્મસ્વરૂપ છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે, ઉત્કૃષ્ટ કેટિના આત્મા છે, તે તથાતા છે, “જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ. સુગ્યાની ! સુમતિ ચરણકજ આતમ અરપણ.”-શ્રી આનંદઘનજી અને તે ભૂતાર્થ ફલ–પરમાર્થ ફલ આપનાર છે, અર્થાત્ ખરેખરૂં સત્ય ફલ, મેક્ષરૂપ પરમાર્થ સત ફલ આપે છે. તથાતાની અર્થાત્ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમ પ્રભુજીનીપરમાત્માની સેવા-ભક્તિ તથાતારૂપ નિર્વાણ ફલ અવશ્ય આપનારી છે. આમ તથાતાનું સ્વરૂપ અન્યત્ર કહ્યું છે, તે શ્લોક શ્રી હરિભદ્રસૂરિજીએ પણ વૃત્તિમાં ટાંકેલ છે, તેને ભાવાર્થ અત્ર કંઈક વિચાર્યું છે. - ઈત્યાદિ શબ્દોથી તે નિર્વાણને અન્યથથી એટલે કે શબ્દને બરાબર અનુસરતા અર્થ પ્રમાણે તે તે નામ આપેલ છે. એ આદિ શબ્દોથી ઓળખાતું તે નિર્વાણ તત્વ એક જ છે, નામભેદ માત્ર છે, અર્થભેદ નથી. કારણ કે શુદ્ધ સહજાત્મનિર્વાણુતત્વ સ્વરૂપ એવું તે નિર્વાણ, આપણે જોયું તેમ, સદા શિવસ્વરૂપ હેવાથી એક જ સદાશિવ છે, પરમ આત્મસ્વરૂપ હોવાથી પરબ્રહ્મ છે, શુદ્ધ આત્મ સિદ્ધિના નિષ્પન્નપણથી સિદ્ધાત્મા છે, સહજાત્મસ્વરૂપપણે શાશ્વત સ્થિતિથી તથાતા છે. ઈત્યાદિ અને અનુસરતા અન્ય અન્ય નામથી પણ તેનું અભેદ સ્વરૂપ જ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે તેને પરમાર્થ જે સમજે, તે આનંદઘન અવતારને પામે છે. એમ અનેક અભિધા ધરે રે, અનુભવગમ્ય વિચાર-લલના જે જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર...લલના”–શ્રી આનંદઘનજી, તે કેવું છે? તે કહે છે – Page #91 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદિ : નિશખાધ નિરામય નિષ્ક્રિય પરતત્વ तल्लक्षणा विसंवादा निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययेोगतः ॥ १३१ ॥ લક્ષણ અવિસંવાદથી, નિરુબાધ નીરોગ; ને નિષ્ક્રય પર તત્ત્વ તે, જન્માદિને અયાગ. ૧૩૧ (૪૦૩) અ:—તે નિર્વાણુના લક્ષણના અવૅિસવાદને લીધે, તે પરમ તત્ત્વ નિરાખાધ, નિરામય અને નિષ્ક્રિય એવુ` છે; કારણ કે જન્મ આદિના અયાગ છે. વિવેચન “ અન્યાયાધ અગાધ, આતમસુખ સગ્રહે। હા લાલ. ’—શ્રી દેવચ’જી ઉપરમાં જે નિર્વાણુ તત્ત્વ કહ્યું, અને તેના વાચક જે વિવિધ નામ કહ્યા, તેના લક્ષણુમાં અવિસ’વાદ છે, સવાદ-મળતાપણું છે, તેમાં વિસંવાદ-ખસુરાપણું નથી, તેથી કરીને તે એકસ્વરૂપ છે. કારણ કે નિર્વાણુ એટલે શું ? (૧) નિર્વાણુ સ્વરૂપ નિર્વાણુ એટલે બૂઝાઈ જવુ, શાંત થઈ જવુ, નિવૃત્તિ પામવી તે. જેમ તેલ હોય ત્યાંસુધી દીવા મળે છે, તેલ ખૂટી જાય એટલે તે તરત ખૂઝાઈ જાય છે–નિર્વાણુ પામે છે; તેમ જ્યાંસુધી કર્માંરૂપ તેલ ઢાય ત્યાંસુધી સંસારના દીવા મળ્યા કરે છે, પણ જેવુ ક રૂપ તેલ છૂટયું કે તરત તે સંસાર–દીપક બૂઝાઈ જાય છે, હાલવાઇ જાય છે, નિર્વાણુ પામે છે. આમ જ્યાં 'સાર–દીપક મૂઝાઈ જાય છેનિર્વાણુ પામે છે, તે પદ નિર્વાણપદ છે. (૨) અથવા નિર્વાણુ એટલે શાંતિ, શાંત થઈ જવું તે. જ્યાં સ` સંસારભાવ શાંત થઇ જાય છે, સવ પરભાવ-વિભાવ વિરામ પામ છે, તે નિર્વાણુ છે. આત્મા જ્યાં સ્વ સ્વભાવમાં વિશ્રાંત થાય છે, નિસ્તર ́ગ સમુદ્રની જેમ પરમ શાંત થઇ સ્વ સહજાત્મસ્વરૂપમાં શમાઇ જાય છે, તે પરમ શાંતિસ્વરૂપ એવું પદ તે નિર્વાણુ છે. (૩) અથવા જ્યાં સર્વ વૃત્તિએના સક્ષય થયા છે, અર્થાત સવાઁ સ`સારવૃત્તિએ જ્યાં નિવૃત્ત થઇ છે, નિવૃત્તિ પામી ગઇ છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વભાવમાં જ વનારૂપ વૃત્તિ જ્યાં વત્ત છે, અર્થાત્ શુદ્ધ આત્મપદરૂપ સ્વયંભૂરમણ સમુદ્રમાં નિરંતર રમણુતા છે,-તે નિવૃત્તિપદ અથવા નિર્વાણુ છે. અને ઉપરમાં જે સદાશિવ વગેરે શબ્દને પરમા દર્શાવવામાં આાવ્યો, તે તત્ત્વથી વિચારતાં, જેવા નિર્વાણુના અથ છે, તેવાજ તે તે શબ્દના વૃત્તિ:-તકાળ વિસંવાાત્-તેના–નિર્વાણના લક્ષણના અવિસંવાદને લીધે. એ જ કહે છે-પાર્જનિરાબાધ, નિતિ વાધામ્યઃ '—આખાધાએામાંથી નિગત-ખ્તાર નીકળી ગયેલ. ( લેશ પણ ભાષા માં નથી એવું ), ગન્નાય–અનામય, જ્યાં દ્રવ્ય-ભાવ રેગ અવિદ્યમાન છે એવું, નિષ્ક્રિયં ૨-અને નિષ્ક્રમ છે, નિષ ધનના—કારણના અભાવે કત્તષના અભાવથકી નિષ્ક્રિય છે. પદું તત્ત્વ-એવભૂત તે પર તત્ત્વ, ચત્તો જે કારણુ થકી, નમાયોત:-જન્મ, જરા, મરણુના અયાગ થકી. Page #92 -------------------------------------------------------------------------- ________________ (૪૦૪) યોગદષ્ટિસમુચય અર્થ છે, માટે નિર્વાણને લક્ષણમાં અને સદાશિવ આદિના લક્ષણમાં વિસંવાદ નથી, અવિસંવાદરૂપ એકતા છે. અર્થાત્ નિર્વાણ, સદાશિવ આદિ એકસ્વરૂપ છે, એક જ છે, એમ અત્યંત પ્રસિદ્ધ થયું. અને આમ એક એવું આ નિર્વાણુતત્ત્વ કેવું છે? તે કે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું તે પરમ તત્ત્વ છે. તે આ પ્રકારે-(૧) નિરાબાધ–સર્વ આબાધાઓમાંથી તે બહાર નીકળી ગયેલું છે; આબાધા અર્થાત લેશમાત્ર બાધાથી પણ તે રહિત છે, અવ્યાબાધ સ્વરૂપ છે. અને આવું અવ્યાબાધ સ્વરૂપ તે પદ હેવાથી, ત્યાં એકાંતિક, આત્યંતિક, સહજ, સ્વાધીન એવું અનુપમ અવ્યાબાધ આત્મસુખ નિરંતર અનુભવાય છે. (૨) નિરામય-આમય એટલે કેઈપણ જાતના દ્રવ્ય-ભાવરોગને ત્યાં અભાવ છે. દેહને અભાવ છે, એટલે શરીર સંબંધી કઈ પણ દ્રવ્ય રેગને ત્યાં સંભવ જ નથી. અને આત્માની અત્યંત પરિશુદ્ધિ વર્તે છે, એટલે રાગ-દ્વેષ-મહ આદિ ભાવ રોગને પણ બીલકુલ અભાવ છે. આમ દ્રવ્યથી ને ભાવથી આ પદ નિરામય, નીરોગી છે, અને અત્રે આત્માનું પરમ ભાવ આરોગ્ય, સ્વરૂપસ્થિતિરૂપ પરમ સ્વાથ્ય વર્તે છે. (૩) નિષ્ક્રિય છે. નિબંધનને-કારણનો અભાવ છે, એટલે કાર્યને અભાવ છે. અત્રે સર્વ કમને નિઃશેષ નાશ થઈ ગયું હોવાથી કમરૂપ પ્રેરક કારણ નથી, એટલે કાંઈ કર્તવ્ય પણ રહ્યું નથી. કારણ હોય તે કાર્ય હાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય, એ સનાતન સામાન્ય નિયમ છે. આમ તે નિષ્ક્રિય છે. એકાંતિક આત્યંતિક સહજ અમૃત સ્વાધીન હો જિનજી! નિરુપચરિત નિદ્ધ% સુખ, અન્ય અહેતુક પીન હે જિનજી! “શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધે.”—શ્રી દેવચંદ્રજી દેહાદિક સંયોગને, આત્યંતિક વિગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ.”–શ્રીમદ્ રાજચંદ્રજીકૃત આત્મસિદ્ધિ. આવું નિરાબાધ, નિરામય, ને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે, કારણ કે જન્મ જરા-મરણને ત્યાં અાગ છે, સર્વથા અભાવ છે. એટલે સર્વ દુઃખનો ત્યાં આત્યંતિક અભાવ છે, કારણ કે “જન્મ-જરા ને મૃત્યુ” એ જ “મુખ્ય દુઃખના હેતુ” છે. અને “કારણ તેના બે કહ્યા, “રાગ દ્વેષ અણુહેતુ. પણ અત્રે તે મુખ્ય દુ:ખહેતુ આ જન્માદિ નથી, અને તેના કારણે રાગદ્વેષને પણ સર્વથા અભાવ છે. એટલે જ આ નિર્વાણરૂપ પરમ પદમાં કઈ પણ પ્રકારની બાધાનો, રેગને અને સંસરણરૂપ ક્રિયાનેસંસારને સર્વથા અસંભવ જ છે. ઍપ (તાત્પર્ય) કહે છે— Page #93 -------------------------------------------------------------------------- ________________ દામોદષ્ટિ : અભેદ પરંતત્વવેદીને વિવાદ ન ઘટે (૪૦૫) ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ १३२ ॥ અસંમોહથી તાવથી, જાણે તવ આ ઉક્ત; તસ ભક્તિમાં વિવાદ ના, બુદ્ધિવંતને યુક્ત, ૧૩૨ અર્થ– આ નિર્વાણ તત્વ અસંમોહે કરીને તત્વથી જાણવામાં આવ્યું, પ્રેક્ષાવંતેને (બુદ્ધિવને-વિચારવાને) તેની ભક્તિ બાબતમાં વિવાદ ઘટતું નથી. વિવેચન આવું જે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું પરમ નિવૃતવ ઉપરમાં વર્ણવ્યું, તેનું સ્વરૂપ અસંમેહ બોધવડે તવથી-પરમાર્થથી જાણવામાં આવ્યું, સમ્યક પરિચછેદ કરવામાં આવ્યું, વિચારવાન જીવોને તેની ભક્તિના તદ્દષ્ટિને વિષયમાં વિવાદ ઘટતું નથી, કારણ કે તત્વજ્ઞાનમાં ભેદને અભાવ છે. વિવાદ ન ઘટે નહિ તે જ વિવાદ કરવામાં આવે તે પ્રેક્ષાવંતપણાને-વિચારવંતપણાને વિરોધ આવે. જે સુજ્ઞ વિચારક જ છે, તે તે નિરંતર તત્વ ભણી જ દષ્ટિ રાખે છે. તત્વ જે અભેદ હોય તે પછી તેની ભક્તિ-આરાધના વિધિમાં ગમે તેટલે ભેદ હોય, તે પણ તેની તેઓ બીલકુલ પરવા કરતા નથી. સાધ્ય જે એક છે, તે તેના સાધક સાધન ગમે તે હોય, તેના પ્રત્યે તેઓ દુર્લક્ષ્ય કરે છે, અર્થાત્ ઈષ્ટ સાધ્યરૂપ મધ્યબિંદુ પ્રત્યે જ દેરી જતા વિવિધ સાધનમાર્ગો પ્રત્યે તેઓ કટાક્ષદષ્ટિએ જોતા નથી. દાખલા તરીકે-નાગપુર જવું હોય, તે જુદી જુદી દિશામાં આવેલા મુંબઈ, દિહી, મદ્રાસ વગેરે શહેરથી ભિન્ન ભિન્ન માગે ત્યાં પહોંચી શકાય, પણ ઈષ્ટ મધ્યબિંદુ એક જ છે તેમ ભિન્ન ભિન્ન દર્શન સંપ્રદાયવાળાઓ નિર્વાણ તત્વને માન્ય કરી ભલે તેને ભિન્ન ભિન્ન પ્રકારે આરાધતા હોય, પણ તેઓનું ઈષ્ટ લક્ષ્ય સ્થાન જો એક જ છે, તે પછી તેની ભક્તિ બાબતમાં કઈ વિવાદને અવકાશ રહેતો નથી. એટલે તત્વગ્રાહી દષ્ટિવાળા સુજ્ઞજનો તે તે સાધનધર્મના મિથ્યા ઝઘડામાં પડતા નથી. કારણ કે સાચા તત્ત્વજ્ઞાનીઓ કે જેઓને નિર્વાણ તત્ત્વનું પૂરેપૂરું ભાન છે, તેઓ તે કદી પરસ્પર ઝઘડે જ નહિં; એટલું જ નહિ, પણ પિતાના પરમ આરાધ્ય એવા તે ઈષ્ટ નિર્વાણ પદને જે અન્ય કોઈ ભક્તિથી આરાધતા હોય, તે સર્વને પોતાના સાધર્મિક જ માને, સ્વધર્મબંધુ જ ગણે. પણ નિર્વાણુતત્ત્વનું જેને ભાન નથી, એવા અજ્ઞાનીઓ પોતે તેથી અત્યંત દૂર છતાં, તે - જૂરિ–zતે-પરિચ્છિન્ન થયે, નિર્ધાતરવેડમિન -આ એવંભૂત નિર્વાણ તત્વ, સંતોનઅસંમોહરૂપ બેધથી, તરવતઃ–પરમાર્થથી. શું ? તે કે-ક્ષાવતાં-પ્રેક્ષાવંતેને-બુદ્ધિમ તેને, ન તતનથી તેની ભક્તિમાં, નિવણ તરવની સેવા બાબતમાં, શું ? તે કે વિવાર ૩૫૬-વિવાદ ઘટતોતત્વજ્ઞાનમાં ભેદના અભાવને લીધે,-નહિં તે પ્રેક્ષાવંતપણુને વિરોધ આવે, એટલા માટે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ગિદષ્ટિસમુચય નિર્વાણુ તત્વની આરાધના બાબત પરસ્પર ઝઘડે છે, એ મહાઆશ્ચર્ય છે! એમાં તત્વજ્ઞાનની શૂન્યતાને જ દોષ છે. મહાસમર્થ તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ મહાદશન-પ્રભાવક શ્રી મેક્ષમાળા ગ્રંથમાં અત્યંત મનનીય એવું પરમ સત્ય જ ભાખ્યું છે કે મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શેપમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દેઢ અબજની ગણાઈ છે, તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પડનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરુષે પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડ્યાં છે. એક લૌકિક કથન છે કે “સ શાણે એક મત,” તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી, માટે તત્તાવધ પરમ આવશ્યક છે.”–શ્રી મેક્ષમાળા. ઉપરમાં જે વિવર્યું, તે ઉપરથી આટલું તાત્પર્ય ફલિત થાય છે કે તે નિર્વાણુતત્વને સમ્યફપણે જાણનારા વિવેકી વિવાદ કરે નહિ, અને વિવાદ કરે તે વિવેકી નહિં. સુષ કિં બહુના? । इति परंतत्त्वाभेदमार्गान्तराधिकारः । सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यस्थितम् । आसनोऽयमृजुर्मागस्त दस्तत्कथं भवेत् ॥ १३३ ॥ સર્વાપૂર્વક આ વળી, નિયમથી જ છે સ્થિત; નિકટ આ ઋજુ માર્ગ , તેનો ભેદ શી રીત? ૧૩૩ અર્થ – અને કારણ કે આ નિર્વાણ તત્વ સર્વ પૂર્વક નિયમથી જ સ્થિત છે. અને નિર્વાણને સમીપ એ આ સર્વજ્ઞરૂપ માર્ગ કાજુ-સરલ છે, તે પછી તેને ભેદ કેમ હોય? વૃત્તિ – સર્વજ્ઞપૂર્વ ચૈતંદું-અને સર્વત્તપૂર્વક આ-નિર્વાણ નામનું અધિકૃત તત્વ, નિરમા અત્ત સ્થિતમૂ-કારણ કે નિયમથી જ સ્થિત છે,સર્વને નિર્વાણની અનુપત્તિને લીધે આસોડાનિર્વાણુને આસન-સમીપને, આ સર્વત લક્ષણવાળો, ગુર્મા-ઋજુ-અવક્ર માર્ગ–પંથ, તમે:-સર્વજ્ઞ ભેદ, મતભેદરૂપ લક્ષણવાળે, તત તેથી, મત-કેમ હોય? ન જ હોય. Page #95 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સવજ્ઞyવક નિર્વાણ-સર્વજ્ઞ અભેદ (૪૦૭) વિવેચન “ભિન્ન ભિન્ન મત દેખોયે, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેડ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને આ પ્રસ્તુત નિર્વાણ તવ નિયમથી જ સર્વ પૂર્વક હોય, એમ સ્થિતિ છે, કારણ કે અર્વજ્ઞને કદી નિર્વાણ ઘટે જ નહિં, અર્થાત્ સર્વજ્ઞ થયા વિના નિર્વાણ પામે જ નહિં એવો નિયમ છે. એટલે સર્વજ્ઞપણું એ નિર્વાણ પૂર્વેની અવિનાસર્વજ્ઞપૂર્વક ભાવી આવશ્યક સ્થિતિ છે, સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણ પામે, એ નિર્વાણ નિયમમાં ત્રણે કાળમાં ફેરફાર થાય એમ નથી, એ નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે. આમ આ સર્વજ્ઞપણું નિર્વાણને અત્યંત નિકટની સ્થિતિરૂપ માર્ગ છે, અને તે માર્ગ કાજુ છે, સરલ-સીધે છે, વક-વાંકાચૂકે નથી, એટલે તે એકરૂપ જ છે. આવા અભેદરૂપ સર્વજ્ઞ માર્ગમાં મતભેદરૂપ સર્વજ્ઞભેદ કેમ હોય વા? ન જ હોય, ન જ હોય. અને સર્વજ્ઞમાં ભેદ જે નથી જ, તે પછી તેના આરાધક ભક્તોમાં કેમ ભેદ હોઈ શકે? ન જ હોય, ન જ હેય, એ આ ઉપરથી વિશેષ કરીને પૂરવાર થયું, સંસિદ્ધ થયું. તાત્પર્ય કે સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણપદની પ્રાપ્તિ થાય, એમ નિયમથી સિદ્ધ છે. એટલે નિર્વાણુને નિકટમાં નિકટ જે કઈ હોય તે તે સર્વજ્ઞ છે, અને મેક્ષનો નિકટમાં નિકટ જે કઈ માગ હોય તે તે સર્વજ્ઞદશા છે, આ માર્ગ કાજુતે સર્વજ્ઞ સરલ છે, સીધે છે, વાંકેચૂકે નથી, અને જે સીધે સરલ માગ હોય ભામાં ભેદ તે એક જ હોય; કારણ કે કોઈ અમુક સ્થળે જવાને સીધે-સીધી કેમ? લીંટીએ જત (Straight-line) માર્ગ એક જ હોય, વાંકાચૂકા–આડા અવળા માર્ગ અનેક હોય, એ પ્રત્યક્ષસિદ્ધ છે; તેમ મોક્ષ પ્રત્યે સીધો લઈ જતો આ સર્વજ્ઞતારૂપ માર્ગ એક જ છે. આવા નિર્વાણને નિકટમાં નિકટના સરલ સર્વજ્ઞમાર્ગને ભજવું, તે નિર્વાણને નિકટતમ માગે છે, અને તેમાં કોઈ પણ ભેદ નથી. તો પછી તેને ભજનારા સાચા આરાધક ભક્ત જનમાં કેમ ભેદ હોઈ શકે વારુ ? “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કોય.” શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રી આત્મસિદ્ધિ. સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા-સારાંશ. સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા બાબત અત્રે જે યુક્તિઓ-દલીલો બતાવી, તેને સાર આ પ્રમાણે-(૧) પારમાર્થિક સર્વજ્ઞ વ્યક્તિભેદ છતાં સામાન્યથી સર્વત્ર Page #96 -------------------------------------------------------------------------- ________________ (૪૦૮) ગદષ્ટિસમુચય તત્ત્વથી એક છે; અને તેને વિશેષ સંપૂર્ણપણે અસર્વદશીને ગમ્ય નથી. એટલે સામાન્યથી તે સર્વજ્ઞને નિર્દભપણે યથાશક્તિ તેના આજ્ઞાપાલનપૂર્વક જે કઈ માનતા હોય તે સર્વ તુલ્ય જ છે, અર્થાત્ સર્વજ્ઞભક્તો એક જ છે.-જેમ એક રાજાના અનેક સેવકો તેના એક ભૂલ્યવર્ગમાં જ ગણાય છે. તેમ. (૨) દેવની ભક્તિ ચિત્ર-અચિત્ર બે પ્રકારની છે. તેમાં સંસારી દેવ પ્રત્યેની ભક્તિ ચિત્ર, અને સંસારાતીત અર્થ–પર તત્વ–મુક્ત દેવની ભક્તિ અચિત્ર છે. એટલે તે એક મુક્ત તત્વ પ્રત્યે ગમન ઈચ્છનારા મુમુક્ષુ જોગીજનોને માર્ગ એક જ છે. (૩) તે મુમુક્ષુઓને માર્ગ એક જ-શમપરાયણ એવો છે, અને તે સાગરમાં કાંઠાના માર્ગની પેઠે અવસ્થાભેદનો ભેદ છતાં એક જ છે. (૪) નિર્વાણ નામનું પરં તત્ત્વ નામભેદ છતાં એકજ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ યથાર્થ નામથી ઓળખાતું તે નિર્વાણ તત્ત્વ સ્વરૂપથી એક જ છે. આવું નિર્વાણ તત્ત્વ નિરાબાધ, નિરામય, નિષ્ક્રિય ને જન્મમરણાદિ રહિત એવું એક સ્વરૂપ છે. આ નિર્વાણુતત્વને જાણનારા ને માનનારા મુમુક્ષુ યોગીઓ વિવાદ કેમ કરે ? (૫) આ નિર્વાણુતત્વને સર્વજ્ઞપૂર્વક છે. સર્વજ્ઞત્વ જ એને પામવાને કાજુ અને નિકટ એ એક જ માગે છે, તેના વિના તેની પ્રાપ્તિ નથી થતી. આમ એકસ્વરૂપ નિર્વાણને સર્વજ્ઞત્વરૂપ માર્ગ પણ એક જ છે, તે પછી સર્વજ્ઞમાં ભેદ કેમ હોય ? અને તેમાં ભેદ ન હોય તે તે સર્વજ્ઞના સાચા ભક્ત એવા મુમુક્ષુ જોગીજનોમાં પણ ભેદ કેમ હોય? । इति सर्वज्ञतत्वाभेदप्रतिष्ठापको महाधिकारः । " ભિન્ન સર્વશદેશના અભેદ અધિકાર દેશનાભેદ કેમ છે? એમ આશકીને કહે છે – चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ વૃત્તિ–વિત્રા તુ-વળી ચિત્ર, નાના પ્રકારની, તેરાના-દેશના, “આત્મા નિત્ય છે, અને અનિત્ય છે,' ઇત્યાદિરૂપે તેષાં-એએની -કપિલ, સુગત આદિ સર્વજ્ઞોની, યાહૂ-હેય, વિજોયાનુToga:તથા પ્રકારના વિયેના-શિષ્યના આનુપુરથી-અનુકૂળપણાને લીધે. કાલાન્તર અપાયથી ભી એવા શિષ્યને આશ્રીને પર્યાવને ઉપસર્જન-ગૌણ કરતી એવી દ્રવ્યપ્રધાન નિત્ય દેશના; અને ભેગઆસ્થાવંતને આશ્રીને દ્રવ્યને ઉપસર્જન કરતી એવી પર્યાયપ્રધાન અનિત્ય દેશના. અને તેઓ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુના જાણનારા ન હોય એમ નથી, કારણ કે તે તે સર્વજ્ઞ૫ણુની અનુપત્તિ વનપણ ઘટે નહિ), એવા પ્રકારે દેયના ત તથાપ્રકારે ગુણદર્શનથી અદષ્ટ જ છે--નિર્દોષ જ છે. તે માટે કહ્યું-જમતે મારમાનઃ-કારણ કે આ મહાત્માઓ, સર્વ. શું ? તો કે-મર્વવ્યાધિમિષ૪૧૪:-ભવવ્યાધિના ભિષગવરો છે. સંસારયાધિના વિલોમ પ્રધાન છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાણિ: શિષ્યહિતાર્થે દ્રવ્યપ્રધાન-પર્યાયપ્રધાન દેશના ચિત્ર દેશના એહની, શિષ્ય આનુનુષ્ય કાજ; કારણ એહું મહાત્મ તા, ભવવ્યાધિ વૈદ્યરાજ ૧૩૪ અથ—પરંતુ એએની ચિત્ર-જૂદા જૂદા પ્રકારની દેશના તા શિષ્યાના આનુગુણ્યથી— અનુકૂળપણાથી હાય; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષવા છે. વિવેચન • જે ગાયા તે સઘળે એક’ (૪૯) “ જે ગાયા તે સઘળે એક, સકલદને એજ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ’—શ્રીમદ્ રાજચંદ્રજી ત્યારે હવે પ્રશ્ન ઊઠે છે કે જો ઉપરમાં પ્રતિપાદન કર્યુ· તેમ સર્વજ્ઞાને અભેદ છે, તા પછી એએની દેશના ચિત્ર-વિચિત્ર કેમ છે? જૂદા જૂદા પ્રકારની કેમ છે? તેના અહીં જવાબ આપ્યા છે કે આ કપિલ, મુદ્દે આદિ સર્વજ્ઞાની દેશના તથાપ્રકારના શિષ્યાના આનુગુણ્યથકી-અનુકૂળપણાથકી ચિત્ર એટલે કે જૂદા જૂદા પ્રકારની હાવી સંભવે છે; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષશ્વરી છે, સ`સાર રાગના વૈદ્યરાજો છે. કપિલ, સુગત-મુદ્દે આદિને તે તે દશનવાદીએ સર્વજ્ઞ માને છે, પણ તેઓની દેશનામાં ઉપદેશપદ્ધતિમાં ભેદ પડે છે, તેનું શું કારણ ? તેનું યુક્તિસંગત સમાધાન અત્ર મહાનુભાવ શાસ્ત્રકાર મહર્ષિએ આપ્યુ છે. અને તે એ છે કે—જેવા જેવા સમજાવ્યાની શિષ્યરૂપ પાત્રવિશેષ હાય, તેવા તેવા તેને અનુકૂળ પડે–માફક આવે, શૈલી કરી’ તેના આત્માને ગુણ કરે, એવા આધ કરવા, ઉપદેશ કરવા ચેાગ્ય જાણી, તે તે સર્વૈજ્ઞાએ તેમ કર્યું` છે. એટલે કે તથાવિધ શિષ્યવિશેષના આનુગુણ્યથી, તેને જેમ ગુણ ઉપજે તેમ, તેના આત્માનું જે રીતે કલ્યાણ થાય તે રીતે, તેઓએ તેને વિવિધ પ્રકારે ‘સમજાવ્યાની શૈલી કરી' છે. પાત્રવિશેષને લક્ષમાં લઇ કોઇ પણ પ્રકારે શિષ્યને ઠેકાણે આણુવા-સ્વસ્થાને લાવવા-‘સમજાવવા,' એ જ તેના એકાંત હિત હેતુ હાઈ, તેઓની દેશના શૈલી જુદી પડે છે. દાખલા તરીકે દ્રવ્યપ્રધાન દેશના કેાઈ અનિત્યવાદી શિષ્ય એમ કહે કે–આ દેહાદિ અનિત્ય છે, જગમાં વસ્તુમાત્ર ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તેમ આ આત્મા પણ અનિત્ય છે, તેા પછી આ ધમ–માક્ષ માદિ કાના માટે ? ને શા માટે કરવા ? એમ અનિત્યપણાથી ભીરુ હાય, ડરતા હાય, તેવા શિષ્યને ખાધ કરવાને હાય-સમજાવવાના હાય, ત્યારે તેઓએ પર્યાયને ગૌણુ કરી, દ્રવ્યપ્રધાન દેશના દીધી કે–અહા, ભવ્ય ! પ્રત્યેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, તેમ આ આત્મા પણ Page #98 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ગદષ્ટિાસુર દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. “કંઈ સમુદ્ર પલટાતું નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.” બાલ, વૃદ્ધ ને યુવાન એ ત્રણે અવસ્થાનું સ્મરણ-જ્ઞાન એક જ આત્માને થાય છે, એ પ્રગટ સૂચવે છે કે આત્મા નિત્ય છે. જેમ જૂના વસ્ત્રો બદલીને મનુષ્ય નવાં પહેરે છે, તેમ છશું થયેલા દેહને છેડી આત્મા નવા દેહને ગ્રહે છે, બળીયું બદલાય છે, આત્મા બદલાતું નથી, માટે આત્મા અજર, અમર ને અવિનાશી છે એમ જાણી તું ભય મ પામ.* આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિં, કર અનુભવ નિરધાર. કયારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.” -શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. વળી ભેગ પ્રત્યે આસ્થાવત–આસક્તિ ધરાવતો કઈ શિષ્ય હોય, તેને બંધ કરવાના પ્રસંગે, તેઓએ દ્રવ્યને ગૌણ કરી, પર્યાયપ્રધાન એવી અનિત્યદેશના દીધી કે*_“અહો ! આ અનિત્ય ભેગોમાં ત્યારે આસ્થા કરવી યેગ્ય પર્યાયપ્રધાન નથી. આ બધુંય જગત્ ક્ષણભંગુર છે. પ્રતિક્ષણે વિનશ્વર છે. ઈર્ષ્યા ને દેશના શેકથી ભરેલો એ પ્રિયસોગ અનિત્ય છે. કુત્સિત આચરણનું સ્થાનક એવું યૌવન અનિત્ય છે. તીવ્ર કલેશ-સમૂહથી ઉપજેલી એવી સંપદાએ અનિત્ય છે. અને સર્વભાવના નિબંધનરૂપ-કારણરૂપ એવું જીવન પણ અનિત્ય છે. પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મૃત્યુ, અને પુનઃ પુનઃ ઉચ્ચ-નીચ આદિ સ્થાનને આશ્રય કરવો પડે છે, એટલે અત્રે સુખ છે નહિ. આમ આ સંસારમાં બધુંય પ્રકૃતિથી x “वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृहाति नरोऽपराणि । તથા રાવળિ વિદ્યાર નીચચાર સંચાતિ નવાનિ સેહી શ્રી ભગવદગીતા " नष्टे वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा । ન હેડબ્બામાનં ર નë કન્ય વુધઃ –શ્રી પૂજ્યપાદસ્વામીજીત શ્રી સમાધિશતક • "अनित्यः प्रियसंयोग इहेाशोकसंकुलः । अनित्यं यौवनं चापि कुत्सिताचरणास्पदम् ।। अनित्याः संपदस्तीव्रक्लेशवर्गसमुद्भवाः । अनित्यं जीवितं चेह सर्वभावनिबन्धनम् ॥ पुनर्जन्म पुनर्मृत्युहीनादिस्थानसंश्रयः । पुनः पुनश्च यदतः सुखमत्र न विद्यते ।। प्रकृत्यसुन्दरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता क्वचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यम कलङ्क सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ।। –શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક ૧, Page #99 -------------------------------------------------------------------------- ________________ રોમાદિ : અન્વય-વ્યતિરેકરૂપ સ્યાવાદી વસ્તુ અસુંદર છે. એટલા માટે, કહે, એક જગદ્વંદ્ય સનાતન શુદ્ધ ધર્મ શિવાય અને ક્યાંય વિવેકીઓએ આસ્થા કરવી યુક્ત છે?” આમ પાત્રભેદે તે તે શિષ્યના ઉપકાર હેતુઓ તે સર્વની દેશનાનો ભેદ પડ્યો હોય એમ સંભવે છે. વળી તે સર્વ કાંઈ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા ન હોય એમ નથી, જાણનારા હોય જ એ નિશ્ચય છે, નહિ તે તેમનું સર્વાપણું ઘટે નહિ. કારણ કે અન્વયરૂપ દ્રવ્ય અને વ્યતિરેકરૂપ પર્યાય, એ બનેથી યુક્ત એવું અન્વય- વસ્તુસ્વરૂપ તેઓ ન જાણતા હોય, તે તેઓનું સર્વજ્ઞપણું શી રીતે ? વ્યતિરેકરૂપ અને અન્ય વ્યાપ્તિથી તે અન્વય-વ્યતિરેક અર્થાત્ દ્રવ્ય-પર્યાય એ વસ્તુ બને મળીને ભેટાલેક વૃત્તિવાળી જ વસ્તુ છે, એ યુક્તિ-સુસંગત વાત તે સામાન્ય બુદ્ધિવાળા બુધજન પણ સમજી શકે છે, તે પછી આ સર્વ ન જાણતા હોય, એમ કેમ બને? કારણ કે “ દ્રવ્ય વિનાનો પર્યાય નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય નથી,' એમ અન્ય વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. આ દ્રવ્ય-પર્યાયની અ ન્ય વ્યાપ્તિ પણ તેને એકાંત ભેદ કે અભેદ માનવામાં આવતાં ઘટતી નથી. કારણ કે દ્રવ્ય-પર્યાયને એકાંત ભેદ માનવામાં આવે, તે અતિપ્રસંગની પ્રાપ્તિ થશે; એકાંત અભેદ માનવામાં આવે, તે તે બન્નેનું અક્યએકપણું થશે, તે પછી દ્રવ્ય-પથાય જુદા માનવાની શી જરૂર પડી? અને આમ એકાંત ભેદ કે અભેદ માનવામાં “સ્યાદવાદ આવશે, તે શબ્દાર્થ પણ ઘટશે નહિં; કારણ કે સર્વત્ર અનુવસમજણ પણ ચાલ્યો આવે તે અન્વયે નામે ઓળખાય છે, અને એકત્ર વત્તી જુદી ખરી’ તરી આવે તે વ્યતિરેક કહેવાય છે. આમ શબ્દાર્થ પણ એકાંત પક્ષમાં ઘટશે નહિ. વળી “અ ન્ય વ્યાપ્તિ’ એમાં “ અન્યાન્ય’ એ શબ્દો ભેદ સૂચવે છે, અને “વ્યાપ્તિ' એ અભેદ બતાવે છે. માટે એ બન્નેનો ભેદભેદ માનવામાં આવે તે જ અન્ય વ્યાપ્તિનો સંભવ થાય તાત્પર્ય કે અન્વય-વ્યતિરેકની* અન્ય વ્યાપ્તિથી વસ્તુ ભેદાદરૂપ જ છે, અર્થાત્ દ્રવ્ય-પર્યાયની અન્ય વ્યતિથી ભેદભેદ વૃત્તિવાળી વસ્તુ છે, વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે, એમ ન્યાયથી અવિરુદ્ધપણે સિદ્ધ છે. * " अन्वयो व्यतिरेकश्च ट्रव्यपर्यायसंज्ञितौ । अन्योन्यव्याप्तितो भेदाभेदवृत्त्येव वस्तु तौ ॥ नान्योऽन्यव्याप्तिरेकांतभेदेऽभेदे च युज्यते । अतिप्रसंगादैक्याश्च शब्दार्थानुपपत्तितः ॥ अन्योऽन्यमिति यभेदं व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसंभवः ।। एवं न्यायविरुद्धेऽस्मिन् विगेधोद्भावनं नृणाम् । व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ।।" ઇત્યાદિ (વિશેષ માટે જુઓ) શ્રી હરિભદ્રસૂરિકૃત શાસ્ત્ર વાર્તાસમુ , સ્તબક. ૭ "णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो । व्वगुणपज्जयत्थो अत्थो अत्थित्तणिव्वत्तो॥" –શ્રી કુંદકુંદાચાર્યજીપ્રીત પ્રવચનસાર, અર્થાત–પરિણામ વિનાને અર્થ નથી, અને અર્થ વિનાને પરિણામ નથી. દ્રવ્ય-ગણુ-પર્યાયસ્થિત અર્થ અસ્તિત્વથી સિદ્ધ થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ (૧૨) યોગદષ્ટિસમુચ્ચય આવું સદ્દબુદ્ધિગમ્ય ન્યાયપ્રસિદ્ધ વસ્તુસ્વરૂપ જ્ઞાની એવા સર્વની જાણ બહાર હાય, એમ કેમ બને? ન જ બને. તેવું યથાર્થ વસ્તુસ્વરૂપ તેઓ અવશ્ય જાણતા જ હેવા જોઈએ, પરંતુ શિષ્યના હિતહિતુએ તેઓએ તેવા તેવા પ્રકારે ગૌ-પ્રધાન ભાવથી જુદી જુદી દેશના કરી છે, માટે તે અદુષ્ટ જ છે, નિર્દોષ જ છે, કારણ કે નિત્ય દેશના કરતાં પર્યાયને ગૌણુભાવ, અને અનિત્ય દેશના કરતાં દ્રવ્યને ગૌણુભાવ, તે મહાનુભાવોના હૃદયમાં હોવો જ જોઈએ. કઈ પણ દેશના અમુક નય-અપેક્ષાના પ્રધાનપણથી ને અન્ય અપેક્ષાના ગૌણપણથી જ થઈ શકે કારણ કે વચનમાં એક વખતે એક અપેક્ષા જ આવી શકે, અને જ્ઞાનમાં તે સર્વ અપેક્ષા એકી સાથે ભાસ્યમાન થાય, છતાં વચનથી તે અનુક્રમે એક એક અપેક્ષા જ ગૌણ-મુખ્યભાવે કહી શકાય. એટલે તે મહાનુભાવનું કથન એકાંતિક નથી, એમ આશય સમજાય છે. “કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધક સાધન સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિરે. કુંથુ જિનેસરૂ! વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામે; ગ્રાહક અવસર બેધથી રે, કહેવે અર્પિત કામે રે. કુંથુ”—શ્રી દેવચંદ્રજી. અને તેવા પરમ ઉપકારી મહાત્મા મહાપુરુષે આમ કરે એમાં આશ્ચર્ય નથી, કારણ કે કોઈ પણ પ્રકારે આ જીવને સંસારરૂપ મહારોગ મટે એ જ તેમને મુખ્ય ઉદ્દેશ હતું. એટલે ભવ્યાધિના ભિષગવરે-વૈદ્યરાજે જેવા આ સર્વજ્ઞાએ ભવવ્યાધિના તે તે જીવની પ્રકૃતિ એળખી, તેને માફક આવે અનુકૂળ પડે, ગુણ ભિષગવરે કરે, એવી દેશના ઔષધિ તેઓને આપી. વ્યવહારમાં પણ કુશળ વૈદ્યરાજ હોય તે રોગીની પ્રકૃતિ એળખી, રોગનું નિદાન પારખી, બરાબર ચિકિત્સા કરી, તેને યોગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે, કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કફપ્રકૃતિને અવગુણ કરે; ઈત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધ પ્રયોગ કરે છે. તેમ આ ભવરગના વૈદ્યરાજ મહાત્મા સર્વાએ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી ભિન્ન ભિન્ન દેશનાઔષધિને ૧ પ્રયોગ કર્યો છે, એમ સમજાય છે. આ ઉપરથી શું? તે કહે છે– *" विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाईतः ॥ न चैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः । सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥" “અન્ય વમિરત્યે મેતરાથનિવૃત્તશે વિ સર્વમેવેતિ યુદ્ધનોવાં કામના !” –શાસ્ત્રવાર્તાસમુચ્ચય Page #101 -------------------------------------------------------------------------- ________________ દોમાપ્તિ: ભગન્યાધિ ભિષવરાના બીજાધાનાદિગઢ બધ यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥ સાનુબંધ શ્રીંજ આદિના, સ‘ભવ જેને જેમ; તેને એએએ અહીં, મેધ કર્યાં છે તેમ, ૧૩૫ અર્થ ઃ—જેને જે પ્રકારે સાનુબંધ ખીજાધાન આદિના સભવ તેવા પ્રકારે તેઓએ તેટલા માટે કહ્યુ' છે. (૪૧૩) થાય, તેના પ્રત્યે વિવેચન “ ભવરાગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિ; દેવચંદ્રને શ્રી અરિહંતના, છે આધાર એ વ્યક્તિ.”—શ્રી દેવચ'દ્રજી અને આમ ઉપરમાં કહ્યુ તેમ આ મહાત્મા સર્વજ્ઞા ભવવ્યાધિના ભિષવરા છે–સ સારાંગના વૈદ્યરાજો છે, એટલા માટે જ જે પ્રાણીને જે પ્રકારે સાનુબંધ ખીજાધાન આદિના સંભવ થાય, તેવા પ્રકારે તેએાએ, કુશલ ખીજાધાનાદિ માલીની પેઠે, તેના પ્રત્યે ઉપદેશકાય કર્યુ. તે આ પ્રકારે :—વનસ્પતિથાય તેવા આધ શાસ્ત્રના નિયમ પ્રમાણે કેાઈ છેાડને ઊગવા માટે અમુક જાતનુ ખાતર જોઈએ છે. કાઈ બીજા છેાડને માટે ખીજી જાતનું ખાતર ખપે છે. આમ જુદા જુદા છેડને માટે જૂદી જૂદી જાતનું ખાતર નાંખવુ' પડે છે. આ મુદ્દો લક્ષમાં રાખીને કુશલ માલી ચાગ્ય ભૂમિમાં બીજાધાન થાય, ખીજ ાપાય, ઊગી નીકળે, એવુ' ખાતર નાંખે છે. તેમ આ કુશલ ભિષવા પણ યાગ્ય પાત્રવિશેષરૂપ શિષ્યની ચિત્તભૂમિમાં સમ્યગ્ મેષ-બીજનું આધાન થાય, રાપણુ થાય, તેવુ. ભાદ્વેગ ઉપજે એવું ઉપદેશ રૂપ ખાતર નાંખે છે. માળી જેમ ખીજાધાન થયા પછી પણુ, ખીજ રાપાયા પછી પણ, તેમાંથી અંકુરફણગા ફૂટે તેમ જલસિચન કરે છે; તેમ આ નિપુણ વૈદ્યરાજો પણ તે તે શિષ્યને તે એધબીજ ઊગી નીક્ળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશજલ સિંચે છે. પછી માળી જેમ તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, કયાા ખાંધે છે, અને તેને પાણી પાયા કરે છે; તેમ આ નિષ્ણાત વૈદ્યવરે શિષ્યના ઊગતા આધરૂપ વૃત્તિ:ચચ—જે પ્રાણીને, ચેન પ્રાળ-નિદેશના આદિ લક્ષણવાળા જે પ્રકારે, યોગાવાનાન્િ સંમત્ર:–બીજાધાન આદિના સંભવ,—તથાપ્રકારે ભવેાગ આદિ ભાવે કરીને, સાનુજો મતિ—સાનુ ધ થાય, તેવા પ્રકારે ઉત્તર ગુણુદ્ધિ વડે કરીને, તે-મા સનેાએ તથા—તેવા પ્રકારે, તસ્ય—તેને, તેના પ્રત્યે, નવુ ં કશુંક છે, ગાયું છે, તત:-તેટલા માટે. Page #102 -------------------------------------------------------------------------- ________________ (૪૧૪) ગદરિસરુસ્થય છોડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડનો પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધજલ પાયા કરી પરિવૃદ્ધિ પમાડે છે. અને પછી ખૂબ કાળજીથી-માવજતથી છેડને ઉછેરીને જેમ માલી તે છેડ ફલફૂલથી શેભતું વૃક્ષ થાય તેવું કરે છે; તેમ આ ભિષગુવારે પણ શિષ્યને બેધરૂપ છોડ મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. આમ જેમ કુશલ માલી બીજાધાનથી વૃક્ષ માંડીને ફલભારથી નમ્ર વૃક્ષ થવા પર્યત છેડની કાળજીભરી સંભાળ લે છે, તેમ આ મહાનિપુણ વૈદ્યરાજે શિષ્યને સાનુબંધ બીજાધાનાદિ થાય, અર્થાત્ સમ્યગુ બાધબીજ ઊગી નીકળી, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામી, યાવત્ મેક્ષફળ પ્રાપ્ત થાય, તેમ ઉપદેશામૃત જલધારા વહાવી નિષ્કારણ કરુણાથી કાળજીભરી સંભાળ લે છે. કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજોને એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનું છે. જેમ સવૈદ્યનો હેતુ રોગીને જેમ બને તેમ જલદી રોગમુક્ત કરવાને-સાજો કરવાનો જ હોય છે, એકાંત શિષ્ય પછી ગમે તે એસડથી સારો થતો હોય, તે તે ઓસડ તે નિ:સંકેચકલ્યાણ હેતુ પણ અજમાવે છે. તેમ આ ભવરોગના ભિષવરો પણ જે ઉપદેશ ઔષધિથી આ જીવને ભવરોગ મટે, તેની આત્મબ્રાંતિ ટળે, તે ઔષધિનો નિ:શંક પ્રયોગ કરતાં અચકાતા નથી, કારણ કે તેઓનો એકાંત હેતુ જેમ બને તેમ જલદી જીવને ભવરૂપ ભાવોગ મટાડવાનો છે. જવની આત્મબ્રાંતિ ને તેથી થતી ભવભ્રાંતિ દૂર કરવાનો છે; એટલે નિત્યપ્રધાન દેશનાથી શિષ્યને ગુણ થાય એમ છે એવું લાગ્યું, તે તેઓએ નિત્યદેશના ઉપર ભાર મૂક્યો; અને અનિત્યપ્રધાન દેશનાથી લાભ થાય એમ છે એવું દેખ્યું તે અનિત્યદેશના પર ભાર મૂક્યો. જ્યાં જેમ ઘટે તેમ વિવેક વાપરી તેઓએ યથાયોગ્ય ઉપદેશ દીધો. આમ પરમાર્થ હેતુએ કરીને સર્વોની દેશનામાં ભેદ પડ્યો હશે, એમ આશય સમજાય છે. આત્મબ્રાંતિ સમ રોગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પધ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન ”—શ્રી આત્મસિદ્ધિ પરિહારાન્તર-બીજા પ્રકારને શંકાનો પરિહાર (સમાધાન) કહે છે– एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्य पुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ॥ १३६ ॥ કૃત્તિ-પારિ રેરાના–દેશના એક છતાં તેના મુખમાંથી વિનિમન-નીકળવાને આશ્રીને એક છતાં, તેણ-આ સર્વજ્ઞાની, યદ્દા-અથવા તો, શોકૂવમેરત-શ્રોતાઓના વિભેદથી, તથા ભવ્યતાના ભેદ કરીને, નિપુણતા -અચિન્ત પુણ્યના સામર્થ્યથકી, એટલે કે પર બેધના આશ્રયથકી ઉપજેલા કર્મના વિપાકને લીધે, એમ અર્થ છે, તથા–તેવા નિત્ય આદિ પ્રકાર, ત્રિવિમારે-ચિત્ર અવભાસે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ દીઓદષ્ટિ અચિત્ય પુણ્ય સામર્થ્યથી એક દેશના ચિત્ર ભાસે ! (૪૧૫) એક છતાં તસ દેશના, શ્રોતૃભેદથી તેમ; અચિન્ય પુણ્ય સામર્થ્યયથી, ચિત્ર ભાસતી એમ, ૧૩૬ અર્થ:–અથવા તે એઓની (સર્વની) દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામર્થ્યને લીધે, તથા પ્રકારે ચિત્ર-જૂદી જૂદી અવભાસે છે. વિવેચન અથવા તે સર્વજ્ઞોની વાણીમાં ભેદ કેમ પડે છે? એ વિરોધને પરિહાર કરવા માટે બીજે યુક્તિસંગત ખુલાસે અહીં કર્યો છે -એઓની દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામર્થ્યના પ્રભાવને લીધે, તેવા સર્વજ્ઞ દેશના પ્રકારે ચિત્ર ભાસે છે! અર્થાત્ એ સર્વજ્ઞોના મુખવિનિગમને અપેક્ષીને એક છતાં ચિત્ર એટલે કે એએના મુખમાંથી નીકળી તે અપેક્ષાએ તે તેઓની દેશના ભાસે ! એક છે, છતાં તથાભવ્યત્વના ભેદથી શ્રોતાઓના ભેદને લીધે તે ચિત્ર ભાસે છે ! આમ તે સર્વજ્ઞોના મુખમાંથી કરેલી વાણી તે એક જ પ્રકારની છે, પરંતુ શ્રોતાઓમાં તથાભવ્યત્વને ભેદ હોય છે, જુદી જુદી ભવ્યતા–ચોગ્યતા હોય છે, એટલે શ્રેતાઓનો ભેદ પડે છે, તેથી કરીને તે સર્વજ્ઞવાણી એઓના અચિત્ય પુણ્ય પ્રભાવથી તે તે શ્રેતાને ચિત્ર-જુદી જુદી પ્રતિભાસે છે! એટલે પિતાપિતાની ભવ્યતા પ્રમાણે પ્રત્યેક શ્રોતા સર્વજ્ઞવાણીને પિતપતાને ઉપકારી એવી અનુકૂળ અપેક્ષામાં સમજી જાય છે, પોતપોતાને કલ્યાણકારી અનુકૂળ અર્થમાં ગ્રહણ કરી લે છે, એટલે પ્રત્યેક સાંભળનાર જાણે એમજ સમજે કે ભગવાન આ જાણે મને જ ઉદ્દેશીને કહી રહ્યા છે ! એમx કહેવાય છે કે સમવસરણમાં બિરાજી ભગવાન તીર્થકર સર્વજ્ઞદેવ દેશના આપે છે. ત્યારે પશુ-પક્ષી, મનુષ્યાદિ સર્વ કોઈ પોતપોતાની ભાષામાં તેને ભાવ સમજી જાય છે, તેને અર્થ ગ્રહણ કરી લે છે! આ અદ્ભુત સર્વના વચનાતિશય હોય છે, તે એ જ પરમાર્થ સૂચવે છે. અને આમ એક વાણી પણ અનેકરૂપે-ચિત્રરૂપે ભાસ્યમાન થાય છે, તે ભગવાન સર્વજ્ઞના અચિત્ય પુણ્ય સામર્થ્યને જ પ્રભાવ છે. કારણ કે “સવિ જીવ કરૂં શાસનરસી' એવી પરમ ઉદાત્ત પરેપકાર ભાવનાના બલથી, પોપદેશના કારણે કરી, તેઓએ મહાપુણ્યસંભાર સંચિત કર્યો હતો. તે પુણ્યના પરિપાકવશે કરીને આ ચમત્કારકારી અતિશયવંત મહાપ્રભાવ તેઓનો વર્તે છે ! જેમ મેઘવૃષ્ટિ તે એક જ હોય છે, પણ ભૂમિ પર પડતાં, તે તે ભૂમિના આકાર પ્રમાણે જુદા જુદા વહેળા વહે છે, તેમ આ સર્વશોએ વષવેલ બેધધારામય ઉપદેશવૃષ્ટિ એક જ પ્રકારની છે, છતાં ભિન્ન ભિન્ન શ્રોતા પાત્રની x “ तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । બળેવા વરં તે ઘwવવો 1 ”–શ્રી હેમચંદ્રાચાર્યજીત વીતરાગસ્તવ, Page #104 -------------------------------------------------------------------------- ________________ (૪૧૬) ગદરિસસુ થયા ચિત્તભૂમિમાં પડતાં તે ભિન્ન ભિન્ન અર્થ પ્રવાહ ધારણ કરે છે! આ તેમને અપૂર્વ વચનાતિશય સૂચવે છે ! “વાણી ગુણ પાંત્રીશ અનેપમ, અવિસંવાદ સરૂપે રે, ભવ દુઃખવારણ શિવસુખ કારણ, સૂધે ધર્મ પ્રરૂપે રે.”—શ્રી દેવચંદ્રજી અને એમ પણ ગુણ નથી એમ નથી, તે કહે છે– यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ એથી ઉપજે સર્વને, યથાભવ્ય ઉપકાર અવસ્થતા સ્થિત એહની, સર્વત્ર એહ પ્રકાર. ૧૩૭ અર્થ:–અને યથાભવ્ય (ભવ્ય પ્રમાણે) સવેને તેનાથી કરાયેલે ઉપકાર ઉપજે છે; આમ આ દેશનાની આ અવધ્યતા (સફળતા) પણ સર્વત્ર સુસ્થિત એવી છે. વિવેચન “વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”—શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ સર્વજ્ઞદેશને એક છતાં ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન ભાસે છે, તે પણ વિશેષ આશ્ચર્યકારી તે એ છે કે તેનાથી તે સર્વને યથાભવ્યત્વ પ્રમાણે ઉપકાર પણ થાય છે. આમ સર્વજ્ઞ વાણીની સર્વત્ર સુસ્થિત એવી અવધ્યતા-અનિષ્ફળતા ઉપજે છે. શ્રી સર્વજ્ઞવાણી એકરૂપ છતાં ચિત્રરૂપે ભાસે છે, એટલું જ નહિં પણ, તે પાવન અમૃતવાણું જે સાંભળે છે, તે સર્વ સાંભળનાર શ્રોતાને તેના થકી ઉ૫કાર પણ થાય છે, કૃત્તિ –ામ ર–અને યથાભવ્ય, ભવ્યને સદ, સર્વે-સર્વેને, સમડજિ-ઉપકાર પણ, ગણ ૫ણ, તાતા તેનાથી કરાયેલા, દેશનાથી નિપન-નીપજે, ગાજતે-ઉપજે છે, પ્રાદવિ છે, પ્રગટે છે. જવાડજિ-અવંધ્યતા પણ, અનિષ્ફળતા પણ, પર્વ-એમ, ઉક્ત નીતિથી અચા–આની, આ દેહનાની, સર્વત્ર સુરિયા-સર્વત્ર સુસ્થિત એવી. * “ક$ષ્ટપુષ્યામબાતિહાર્યાન્વિતઃ વગેશન શોમાન્સયમન્ચે નિયતઃ | » –પગબિલ્ડ Page #105 -------------------------------------------------------------------------- ________________ હમાદ્ધિ: રાવણની અવધ્ય દેશના (૪૧૭) અને તે ઉપકાર, સાંભળનારનું જેવું જેવું ભવ્યત્વ–ોગ્યપણું હોય તે સર્વજ્ઞની પ્રમાણે થાય છે. જેવી જેવી જેની જેની યોગ્યતા–પાત્રતા છે, તે અવંધ્ય દેશના તે તેને તેને ઉપકાર થાય છે, ગુણ ઉપજે છે, આત્મલાભ થાય છે. જેવી જેવી જેની જેની ઝલવાની શક્તિ, જે જે જેને ક્ષયોપશમવિશેષ, તે તે બધું તે ઝીલે છે. જેમ કેઈ અમૃતસરોવર ભર્યું હોય, તેમાંથી જેવડું પાત્ર હોય, તેવડું પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે તેમ આ સર્વજ્ઞ વચનામૃત સાગરમાંથી તથાવિધ પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે. તે અમૃતસિંધુમાંથી જેનાથી જેટલું બને તેટલું યથાશક્તિ અમૃતપાન યથેચ૭પણે સર્વ કઈ શ્રોતા કરે છે, અને તેથી તેને તથા પ્રકારને આત્મગુણ થાય છે, તે ચેકસ. ભવ ઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમેઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘ રે. દેવ વિશાલ જિર્ણોદની, તમે ધ્યા તત્વસમાધિ રે.”—શ્રી દેવચંદ્રજી કારણ કે રોગીને સાચે વૈદ્ય મળે છે, અને અમેઘ અમૃત ઔષધિને જગ બન્ય છે, તે તેને રેગ દૂર કેમ ન થાય? તેમ આત્મબ્રાંતિથી ઉપજેલે આ ભવરૂપ મહારાગ જેને લાગુ પડ્યો છે, એવા આ ભવ્ય શ્રોતાજનેને શ્રી સર્વજ્ઞરૂપ પરમ ઔષધને ગુણક સદ્યને જગ લાવ્યો છે, ને તેઓએ પ્રોજેલી પરમ ઔષધિરૂપ વિદેષને નાશ અમૃતવાણી કાને પડી છે, તો પછી તેઓને તે રેગ કેમ ન મટે? કેમ ન હઠે? રોગીને રોગ હઠે છે કે નહિં, તેને ગુણ થાય છે કે નહિ, તે તેના દોષ દૂર થવારૂપ ચિથી પરખાય છે. જેમ વાત, પિત્ત ને કફની વિષમતાથી ઉપજેલા ત્રિદોષથી કોઈ પીડાતે હોય, તેને ઔષધ આપવામાં આવતાં જે તેનો ત્રિદેષ દૂર થતે દેખાય તે સમજવું કે આ ઔષધથી તેને ગુણ થયે; તેમ આ ભવરોગી રાગ, દ્વેષ ને મેહરૂપ ત્રિદોષ સન્નિપાતથી પીડાઈ રહ્યો છે, તેને આ રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદેવ જે પરમ શાંત રસમૂળ સર્વજ્ઞ વચનામૃત થી દૂર થયે, વા એ છે થયે, તે જાણવું કે આ ઔષધને આ ગુણ છે. અને આ સર્વજ્ઞ વચનામૃત શ્રવણથી તે તે શ્રોતાના રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ અવશ્ય દૂર થાય છે, દૂર હટે છે, માળા પડે છે, એ નિશ્ચિત છે. એમ કહેવાય છે કે, સર્વદેશના સાંભળી મેહપટલ દૂર થતાં કંઈક જીવને સર્વવિરતિ પરિણામ-ભાવ ઉપજે છે, કંઈક છે દેશવિરતિભાવને પામે છે. કંઈક ને સમ્યગદર્શન સાંપડે છે, અને કંઈક જ શુભભાવમાં સ્થિતિ કરે છે. માહી જીવ લેહકો કંચન, કરવે પારસ ભારી હો - સમતિ સુરતરુ વન સેચનમેં, વર પુષ્કર જલધારી હે.” શ્રી દેવચંદ્રજી Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ગદરિચય કારણ કે અનંત અનંત ભાવભેદથી ભરેલી, તથા અનંત અનંત જયનિક્ષેપે વ્યાખ્યાન કરેલી, એવી સર્વસવાણી સકલ જગની હિતકારિણી છે, મેહની હારિણી છે, ભવસાગરની તારિણી છે, અને મેક્ષની ચારિણું છે. એવી સર્વસવાણીને જિનેશ્વરતણું ઉપમા આપવાની તમા રાખવી તે ફેગટ છે, અને ઉપમા આપવાની શણ, જાણી કે ધૃષ્ટતા કરે તે તેના ઉપરથી તેની પોતાની મતિનું માપ નીકળી તેણે જાણી છે” જાય છે! આવી પરમ ગુણકારિણી સર્વજ્ઞવાણીને બાલ જીવો ખ્યાલ નથી પામતા, તે ગુણખાણી વાણી તે જેણે જાણી તેણે જ જાણી છે. અને તેવા પ્રકારે શ્રી “જિનેશ્વરની વાણી’ની અનન્ય ભાવથી પરમ પ્રશંસા કરતા અમર કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લલકાર્યું છે – “અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગતહિતકારિણી હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને, તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ, મપાઈ મેં માની છે; અહો રાજ્યચંદ્ર! બાલ, ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણું છે.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા. આમ સર્વજ્ઞવાણી શ્રોતાઓને યથાયોગ્ય ઉપકારરૂપ ગુણ અવશ્ય કરે છે, એટલા માટે એનું સર્વત્ર અવધ્યપણું છે, અનિષ્ફળપણું છે, અમેઘપણું છે, અર્થાત્ સર્વદા સર્વથા સર્વત્ર સફળપણું છે, એ નિશ્ચિત સ્થિતિ છે. સર્વજ્ઞવાણું રામબાણ જેવી અમેઘ છે, કદી પણ ખાલી જતી નથી. પ્રકારાન્તર (બીજે સમાધાન પ્રકાર) કહે છે – यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ॥१३८॥ તતકાલાદિ નિયોગથી, તે તે નયસાપેક્ષ ચિત્ર દેશના ઋષિથકી તન્મેલ આ પણ વખ, ૧૩૮ અર્થ—અથવા તે તે તે નયની અપેક્ષાવાળી ચિત્ર દેશના તે કાલ આદિ નિવેગથી ત્રષિઓ થકી પ્રવર્તી છે, આ પણ તત્ત્વથી તે તસ્કૂલ-સર્વજ્ઞમૂલ વાણી છે. વૃત્તિ –ચ–અથવા તે, તત્તનાપેક્ષા-તે તે નયની અપેક્ષાવાળી, દ્રવ્યાસ્તિકાય આદિને અધિકૃત કરીઆશ્રીને, તwાિિનયોત –તે કાલ આદિના નિયોગથી, દુષભ આદિના વેગથી, -ઋષિઓ થકી, કપિલ આદિ થકી જ, તેરશના ચિત્રા-દેશના ચિત્ર છે. અને આ પણ, નિર્મલ નથી, એટલા માટે કહ્યુંતન્યૂટકારતે સર્વશદેશનાલ આ પણ, તત્ત્વત તત્ત્વથી, પરમાર્થથી,–તેના પ્રવચનના અનુસાર થકી તથા પ્રકારે પ્રવૃત્તિને લીધે. Page #107 -------------------------------------------------------------------------- ________________ દાહઃિ કાદિ સાપેક્ષ ઋવિદેશનાનું મૂલ સવારના (૪૧૯) વિવેચન “રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ”–શ્રીમદ્ રાજચંદ્રજી. અહીં વળી પ્રસ્તુત વાતને બીજા પ્રકારે ખુલાસો કર્યો છે. તે કાળના આદિના નિરોગથી તે તે નયની અપેક્ષાવાળી આ ચિત્ર દેશના કપિલ આદિ ઋષિઓ થકી જ પ્રવતી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વદેશના જ છે, કાલાદિ સાપેક્ષ કારણ કે સર્વજ્ઞપ્રવચનના અનુસારે જ તેની તથા પ્રકારે પ્રવૃત્તિ છે. આમ ચિત્ર ઋષિદેશના તે તે દેશના ચિત્ર-જુદી જુદી ભાસે છે, તેનું પ્રકારાંતરે આ યુક્તિયુક્ત કારણ પણ સંભવે છે કે-તેવી જુદી જુદી દેશના સ્વયં ત્રષિઓ થકી જ ચાલી આવી છે, અર્થાત્ કપિલ આદિ ઋષિઓએ જ તેવી ભિન્ન ભિન્ન દેશના પ્રવૃત્તિ કરી છે. અને તેમ કરવામાં તેઓ દેશ-કાલ આદિ જોઈ વિચારીને પ્રવર્યા છે. સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ જેઈને પ્રવર્તવું એ વિચક્ષણનું કર્તવ્ય છે એ નિયમ છે. એટલે એ મહાનુભાવોએ દુઃષમ કાળ-કરાલ કલિકાલ વગેરે પરિસ્થિતિ લક્ષમાં - લઈને, અને જીવોના સર્વ-સંવેગ ને વિજ્ઞાનવિશેષ ખ્યાલમાં રાખીને અનુશાસન કર્યું છે, વ્યાસ્તિક આદિ નયની અપેક્ષાએ જાતજાતની દેશના કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે કહ્યું છે કે – " देशकालान्वयाचारवयःप्रकृतिमात्मनाम् । વિવેગવિજ્ઞાનવિશેષ જવાનુશાસનમ્ ” –ાત્રિશત દ્વાત્રિ શિકા. દેશકાળાદિ જોતાં જો નિત્યદેશના ઉપકારી લાગી, તે તેઓએ દ્રવ્યાસ્તિક નયના પ્રધાનપણે ઉપદેશ કર્યો, જે અનિત્ય દેશના ઉપયોગી લાગી, તે પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કર્યો, અથવા અન્ય કોઈ અપેક્ષા કાર્યકારી લાગી, તે તેને પ્રધાનપદ આપી ઉપદેશ કર્યો. આમ તે તે નયને–અપેક્ષાવિશેષને આશ્રીને તેઓએ સર્વત્ર તેવી તેવી ઉપદેશ પદ્ધતિ અંગીકાર કરી છે કારણ કે ગમે તેમ કરી જીવની આત્મબ્રાંતિ દૂર કરી, તેને નિજ આત્મસ્વરૂપને લક્ષ કરાવી “ઠેકાણે આણુ” એ જ એક એમનો મુખ્ય ઉદ્દેશ હતું. એટલે એ જ એક વિવેક તેઓએ સર્વત્ર નિજ નિજ દર્શનમાં ગાય છે, અને તે સમજાવવા માટેની જુદી જુદી શૈલી-કથનરીતિ અખત્યાર કરી છે. જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એજ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી.” –પરમ તત્વદષ્ટા શ્રીમદ રાજચંદ્રજી, Page #108 -------------------------------------------------------------------------- ________________ (૪૨૦) યોગદષ્ટિસમુરાય અને “નય’ શબ્દને પરમાર્થ પણ એ જ સૂચવે છે, કારણ કે “ની” ધાતુ ઉપરથી નય એટલે વસ્તુસ્વરૂપ અંશ પ્રત્યે દેરી જાય , અથવા “નાના સ્વભાવમાંથી વ્યાવૃત્ત કરી એક સ્વભાવમાં વસ્તુને દોરી જાય-પહોંચાડે તે નય;” અથવા “પ્રકૃત વસ્તુના અંશનું ગ્રહણ કરતે પણ તેના ઈતર-બીજા અંશને પ્રતિક્ષેપ– વિધ નહિં કરતે અધ્યવસાયવિશેષ તે નય. ” જે ઈતર અંશને અપલાપ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે નય નહિં, પણ દુર્નય+ અથવા નયાભાસ બને છે અથવા નય એટલે ન્યાય. નયરૂપ ન્યાયપદ્ધતિથી નિષ્પક્ષપાતપણે અનંતધર્માત્મક વસ્તુસ્વરૂપના અંશોનું અનુક્રમે પરીક્ષણતેલન થઈ શકે છે. અને “ઉપદેશ છે તે નન્ય છે,’ ‘વસો સો નામ', અર્થાત્ નયજન્ય ઉપદેશમાં નય પદને ઉપચાર થાય છે. કારણ કે ઉપદેશ પણ અમુક અપેક્ષાવિશેષના પ્રધાનપણથી થઈ શકે છે. એટલે ઉપદેશ છે તે પણ નય છે, અપેક્ષાવિશેષથી જીવને સન્માર્ગે દોરવણીરૂપ છે, “સમજાવવાની શૈલી’ રૂપ છે, માટે તે તે ત્રષિદેશનાને પણ નયસાપેક્ષ કહી તે યથાર્થ છે. આવી સાપેક્ષ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી–પરમાર્થથી સર્વજ્ઞદેશના જ છે, કારણ કે પરમ પ્રમાણભૂત સર્વજ્ઞવાણી જ પ્રત્યેક વસ્તુને-કેઈ નય ન દુભાય એમ-અનંત નય અપેક્ષાએ પરીક્ષે છે. સર્વ વાણીમાં નયવિહીન એવું કોઈ સૂત્ર રષિદેશનાનું કે અર્થ નથી,x પણ શ્રેતાને આશ્રીને નિયવિશારદ નય કહે-પ્રકાશે. ભૂલ સર્વજ્ઞદેશના એટલે પરમાર્થથી તે તે નય અપેક્ષાએ શ્રોતાવિશેષને આશ્રીને કરવામાં આવેલી સર્વ ઋષિદેશનાઓનું મૂલ ઉદ્ભવસ્થાન સર્વજ્ઞવાણી જ છે, એમ સ્વયંસિદ્ધ થાય છે. જેમ અનેક નદીઓનું મૂલ પ્રભવસ્થાન પર્વત છે, તેમ વિવિધ દેશના-સરિતાઓનું મૂલ જન્મસ્થાન સર્વજ્ઞવચન છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ સર્વજ્ઞવાણીને પરમ ભક્તિભાવાંજલિ અર્પતું ટકોત્કીર્ણ વચનામૃત છે કે અહે! તે સત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ ! અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! + “नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन्स्वभावे वस्तु नयति प्राप्नोतीति नयः।" "प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः ।" –શ્રી યશવિજ્યજીકૃત નરહસ્ય. + “જે ન્તwówwwજુવાતે ચુસ્તતા દુર્નયાઃ” –શ્રી હરિભદ્રસુરિત પંચાશત. x “नथि नएहि विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि । । ગાયજ્ઞ ૩ લોયા ના નવવિલા કૂવા ” શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક સૂત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ થવા પ્રતિક્ષેષ મહાઅનથ કર : અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કન્યા એવા પરમ કૃપાળુ સદ્ગુરુ દેવ ! તમે આ વિશ્વમાં સÖાળ જયવંત વત્તો ! જયવત વત્તો ! '—શ્રીમદ્ રાજચ'દ્રજી આમ સČજ્ઞ પ્રવચન અનુસારે જ પ્રવતેલી તેતે ઋષિદેશના એ એક જ વત્સલ માતાની સપીઢી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તે એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે. X શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશનાજી, પરમાથથી અભિન્ન....મન’—શ્રી ચા. સ. ૪-૨૦, (૧) સર્વદેશના ચિત્ર '' પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન અનિર્દેશના નિત્યદેશના ( શિષ્ણકમાણુાથે') આકૃતિ ૧૩ (ર) સરદેશના એક શ્રોતાભેદે ચિત્ર ભાસે । इति चित्रसर्वज्ञदेशनाऽभेदाधिकारः । சு (૪૨૧) સજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર પ્રકૃત ઋષિઓથકી યાજન કહે છે— तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। १३९ ॥ (૩) ઋષિદેશના ચિત્ર (દેશકાલાદિ પ્રમાણે ) મૂળ સવ નદેશના એક વૃત્તિ:—તલમિત્રાયમ્—તેને અભિપ્રાય, સજ્ઞાના અભિપ્રાય, અજ્ઞાત્વા-જાણ્યા વિના, જ્ઞ-નથી, તત્તઃ–તે કારણથી, અર્વા દશાં સત્તાં-ર્વાષ્ટિ (છદ્મસ્થ) સંતાને, પ્રમાતૃઓને. શુ? તો કે ચુખ્યતે તત્ પ્રતિદ્વેષ:-તેઓને પ્રતિક્ષેપ યુક્ત, કેવા વિશિષ્ટ ! તે માટે કહ્યું-મહાનર્થઃ-મહા અનર્થંકરણશીલ, મહા અનથ' કરવાના સ્વભાવવાળા, ૧૬:-પર, પ્રધાન. सुनिश्चितं नः परतंत्रयुक्तिषु, स्फुरंति याः काश्चन सूक्तसंपदः । સર્વેય તે પૂર્વબાળોત્યિતા, ગાસ્ત્રમાળ બિનવાચવિઠ્ઠલઃ ।।'' શ્રી સિદ્ધસેન દિવાકરકૃત દ્વાર દ્વા Page #110 -------------------------------------------------------------------------- ________________ યદચ્છિા તસ અભિપ્રાય લહા વિના, છવાસ્થને લગાર; પ્રતિક્ષેપ તસ યુક્ત નાક પર મહાનર્થકાર. ૧૩૯ અર્થ –તેથી કરીને તેને-સર્વજ્ઞને અભિપ્રાય જાણ્યા શિવાય, અર્વાદષ્ટિ છસ્થ તેને તેને પ્રતિક્ષેપ (વિરોધ) યુક્ત નથી કે જે પરમ મહાઅનર્થ કરનાર છે. વિવેચન “સબ શાસનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હજુ ન પ”-શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં કહેવામાં આવ્યા છે તે કારણેને લીધે તે સર્વને અભિપ્રાય જાણ્યા વિના અગદષ્ટિવાળા છવાસ્થ સંતજનોએ તેઓને પ્રતિક્ષેપ કર-વિરોધ કર યુક્ત નથી. તે પ્રતિક્ષેપ કે છે? તે કે પરમ–મોટામાં મોટો અનર્થ કરનાર એ છે. સર્વજ્ઞપ્રતિક્ષેપ સર્વશદેશનાના ભેદના સમાધાન અંગે જે જે ઉપરમાં કહેવામાં આવ્યું, મહાઅનર્થકર તે સર્વ લક્ષમાં લઈને વિચારીએ તે-તે સર્વજ્ઞ આશય શું છે? તેની સમજણ વિના અવગદષ્ટિ પ્રમાતૃઓએ અર્થાત્ તવંગવેષક છદ્મસ્થ સજજનેએ તેને પ્રતિક્ષેપ કરે-વિરોધ કરવો ઘટતું નથી. કારણ કે છઘસ્થનું જ્ઞાન આવરણવાળું હોઈ ઘણું જ મર્યાદિત છે, અત્યંત પરિમિત છે. કેવલજ્ઞાન વિનાના છા ખરેખર! અચક્ષુ-ચક્ષુ વિનાના છે, એટલે આંધળાની લાકડી જેવા પક્ષ શાસ્ત્રજ્ઞાન વડે તેઓને વ્યવહાર ચાલે છે. આંધળે જેમ હાથ લગાડીને વસ્તુ પારખે, તેમ આ શાસ્ત્રજ્ઞાન ચક્ષુસંધના હસ્તસ્પર્શ સમું છે. તેના વડે છઘા યથાવત કેમ દેખી-જાણી શકે? માટે સર્વજ્ઞના વિષયમાં સંસ્થિત અને છદ્મસ્થ પ્રકાશી શકતા નથી, એમાં આશ્ચર્ય નથી, પણ તે કંઈ પણ જાણે છે તે જ અતિ અદ્ભુત-આશ્ચર્ય છે! "सर्वज्ञविषयसंस्थांश्छनस्थो प्रकाशयत्यर्थान् । રાતિચરંતુ વિર વેરિ ” શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત હા દ્વા. ૮-૧ વળી ઉપલક્ષણથી તે તે દર્શનભેદવાળી દેશનાએ પણ સર્વજ્ઞમૂલક છે, મૂલ તેમાંથી ઉદ્ભવેલી છે, એટલે તે પણ સર્વસવાણીને અંગરૂપ છે. આમ મુખ્ય એવા ષડ્રદર્શન પણ સર્વજ્ઞપ્રવચનના અંગભૂત હેઈ, તેને પ્રતિક્ષેપ કરે તે પણ સર્વજ્ઞવાણીને છેદ કરવા બરાબર છે. શ્રી આનંદઘનજીની અમૃત વાણી છે કે x “अंतरा केवलझानं छद्मस्था खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शासानं बव्यवहारकृत् ।।" શ્રી યશોવિજ્યજીત અ પનિક Page #111 -------------------------------------------------------------------------- ________________ હરિ પદ્ધ દરિસણ જિન અંગ ભણજે (૨૩) “ષટું દરિસણ જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષ દરિસણુ આરાધે રે...ષ... દરિસણુ. જિન સુરપાદ૫ પાય વખાશું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે....૦ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે...૫૦ લકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર એ કીજે રે; તત્વ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ? " જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...૧૦ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શન જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજનારે. ” માટે તે તે દશને વિચારતાં “ચાત ” પદાંતિ અપેક્ષાવિશેષને “ધરિ'-પ્રથમ ન્યાસ કરી, સર્વજ્ઞના આરાધક સંતજનેએ તેને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવા ગ્ય નથી, એટલું જ નહિં પણ, સ્યાત્ પદના ન્યાસપૂર્વક-સ્થાત્ પદ આગળ જોડીને કલ્પવૃક્ષ સમા ષટ દરિશન જિનદશનના અંગભૂત ષડ્રદર્શન પણ આરાધવા યોગ્ય છે. અને આ જિન અંગ દર્શનનું જ્ઞાન પણ કાંઈ ખંડનમંડનમાં ઉતરવા માટે નથી, પણ તત્ત્વનો ભણી જે’ વિનિશ્ચય કરવા માટે છે, ૫ર સિદ્ધાંત જાણીને સ્વ સિદ્ધાંતના બલને* નિશ્ચય જાણવા માટે છે, સ્વપક્ષનું બલ ચકાસવા માટે છે, અને એમ કરીને પણ કેવલ આત્માર્થ સાધવા માટે છે. વળી સર્વ શાસ્ત્રના નય હૃદયમાં ધારણ કરી, આ જીવે અનંતવાર મત ખંડનમંડનના ભેદ જાણ્યા, તે પણ તેનું કલ્યાણ થયું નથી ! એ સાધને અનંતવાર કર્યા છતાં, હજુ કાંઇ તવ હાથમાં આવ્યું નથી ! હાથ હજુ ખાલી ને ખાલી છે ! માટે આત્માથી સંતજનેએ કોઈ પણ પ્રકારે પ્રતિક્ષેપમાં-ખંડનમંડનમાં ઉતરવું યોગ્ય નથી. અને તેમાં પણ સર્વજ્ઞનો કે સર્વજ્ઞ વાણીને પ્રતિક્ષેપ કરવો તે તે અત્યંત દુષ્ટ છે, મા અનર્થકર છે, મોટામાં મોટો અનર્થ કરનાર છે. કારણ કે પરમ પૂજ્ય આરાધ્ય સવજ્ઞની આશાતના જીવને સન્માર્ગ પ્રાપ્તિમાં મહા અંતરાયરૂપ થઈ પડી, પરમ અકલ્યાણને હેતુ થાય છેપ્રત્યેક મુમુક્ષુઓ આ નિરંતર લક્ષમાં * શખવા યોગ્ય છે કે એક સંતની + “શેય: સિદ્ધાંત' શ્વવનિયોપટ6ષ્યના પક્ષમામાગુત્ય તુ સત્તામના ચાર–શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા, દ્વા ૮-૧૯ » “વારાશાતનાવ્યત્ર રામે તરવતા અન્યોન્યમનુવિદ્ધા હિ તે માના – શ્રી યશે, કૃત દ્વ, કા, ૨૧-૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૪૨૪). યોગદરિચયુરાય આશાતનામાં સર્વ સંતની આશાતના છે, ને એક સંતની પૂજામાં સર્વ સંતની પૂજના છે. અહીં જ નિદર્શન (દષ્ટાંત) કહે છે– निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥१४०॥ ચંદ્ર તણે પ્રતિક્ષેપ ને, ભેદ કલ્પના જેમ, હોય અસંગત અંધના, છદ્મસ્થના આ તેમ, ૧૪૦ અર્થ :- જેમ ચંદ્રને પ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ (કલ્પના) આંધળાઓને અસંગત-અયુક્ત છે, તેમજ અવને-છદ્રસ્થાને આ સર્વજ્ઞપ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ અસંગત-અસંયુક્ત છે. વિવેચન જેમ ચક્ષુવિકલ એવા આંધળાઓને ચંદ્રને પ્રતિક્ષેપ કરે, નિષેધ કર, તે નીતિથી અસંગત છે–અયુક્ત છે, અને ચંદ્રના ભેદની પરિકલ્પના કરવી તે પણ અયુક્ત છે; તેમજ છદ્મસ્થાને સર્વજ્ઞને પ્રતિક્ષેપ કરવો કે તેના ભેદની પરિકલ્પના સર્વજ્ઞપ્રતિક્ષેપ કરવી અસંગત છે—અયુક્ત છે. અંધકારને દૂર કરનારા નિશાનાથ-ચંદ્ર અયુક્ત અધનું દૂર આકાશમાં રહ્યો સતે ચાંદની રેલાવી સમસ્ત જગતમાં પ્રકાશ દષ્ટાંત રેલાવે છે; છતાં ચક્ષુવિકલ આંધળા તેને દેખી શક્તા નથી. ચંદ્ર પ્રગટ છે, છતાં તે આ અંધજને “ચંદ્ર છેજ નહિં” એમ કહી વાંધો ઉઠાવે, તેને પ્રતિક્ષેપ કરે, તે તે બીલકુલ બેહૂદું છે, અણઘટતું છે, નીતિથી અસંગત છે. કારણ કે તેઓ પોતે જ દેખતા નથી, તે આ નથી એમ કેમ કહી શકે તેમ હાંધકારને હરનારા સર્વજ્ઞ-ચંદ્ર જ્ઞાન-ત્રના વિસ્તારી સમસ્ત વિશ્વ વસ્તુને પ્રકાશિત કરે છે, છતાં દૃષ્ટિવિકલ છવા તેને દેખી શકતા નથી; સર્વજ્ઞ પ્રગટ છે, છતાં જે આ અવદષ્ટિ છદ્મસ્થ, “સર્વજ્ઞ જ નથી” એમ કહી પ્રતિવાદ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે સર્વથા અયુક્ત છે, સન્યાયથી અસંગત છે, કારણ કે પોતે જ જે દેખતા નથી, તે આ નથી એમ કહેવાની ધૃષ્ટતા કેમ કરી શકે વારુ? તૃત્તિ-નિશાનાથપ્રતિઃ -ચંદ્રને પ્રતિક્ષેપ, ચાયનામ-જેમ અંધેરે, ચક્ષુવિને, અલંકારઃઅસંગત છે. નીતિથી અસંગત છે. રાજાઝ-અને તેના બે પરિકલ્પ, ચંદ્રના બે પરિકલ્પવક્રપણું, ચેરપણું વગેરે, તથૈવ-તેમજ, બાદશા-અવગુ દષ્ટિવાળાઓને, એટલે કે છાસ્થાને, બર્થઆ, સર્વ પ્રતિક્ષેપ, અને તેના ભેદને પરિક૫ અસંગત-અફક્ત છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ હીદદિ: સવભેદકલ્પના અયુત-જન્માંધ મનુષ્ય ને હાથી (૪૫) વળી આ અંધજનમાં કેઈ ચંદ્ર વાંકે છે, કેઈ ત્રાંસે છે, કઈ ચેરસ છે, એમ કહી તેના ભેદની પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, નીતિથી વિરુદ્ધ છે. કારણ કે જે ચંદ્રને દીઠો જ નથી, તેના સ્વરૂપ સંબંધી ગમે તે કલ્પના કરવી ભેદ કપના તે કલ્પના જ છે, સત્ય નથી. તેમ છદ્મસ્થ જને, સર્વજ્ઞ આવા છે કે અયુક્ત તેવા છે વગેરે તેના ભેદ સંબંધી પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, બેહૂદું છે કારણ કે જે સવજ્ઞને પિતે દીઠા જ નથી, તેના સંબંધી ગમે તે કલ્પનાના ઘોડા દોડાવવા તે મિથ્યા કલ્પનારૂપ જ છે, સત્ય નથી. અને જે ચંદ્ર પિતાને દેખાતું નથી, તે ચંદ્રના વિવિધ ભેદ કલ્પી, આંધળાઓ તે સંબંધી ઝઘડો કરે, તે તે તે કેટલું બધું બેહૂદું કહેવાય? તેમ જે સર્વજ્ઞ પિતે દીઠા નથી, તે સર્વજ્ઞના જુદા જુદા ભેદ કલ્પી, છદ્મસ્થ તે ભેદ સંબંધી મિથ્યા વાદવિવાદ કરે, સામસામા પ્રતિક્ષેપ કરે, પરસ્પર ખંડન-મંડનમાં ઉતરી પડે, તે તે અત્યંત અયુક્ત છે જ, એ આ ઉપરથી ફલિત થાય છે. અત્રે જન્માંધ મનુષ્ય ને હાથીનું દષ્ટાંત ઘણું બંધબેસ્તુ છે. તે આ પ્રકારે – જન્માંધ મનુષ્ય ને હાથી કઈ એક સ્થળે એક હાથી આવ્યો. એને જોવા માટે છે જન્માંધ પુરુ ગયા. તે આંધળાઓએ હાથીને હાથ લગાડીને તપાસી જે. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તેને હાથી સાંબેલા જેવો લાગે. બીજાના હાથમાં દંતૂશળ આવ્યું એટલે તેને તે ભૂંગળા જેવો લાગે. ત્રીજાના હાથમાં કાન આવ્યો, એટલે તેને તે સૂપડા જેવો લાગ્યો. ચેાથાના હાથમાં પગ આવ્યો, એટલે તેને હાથી થાંભલા જેવો જણાયો. પાંચમાના હાથમાં ઉદર આવ્યું, એટલે તેને તે મષક જેવો જણાય. છઠ્ઠાના હાથમાં પૂછડું આવ્યું, એટલે તેને તે સાવરણી જે જણાયો. આ ઉપરથી તેઓએ પોતપોતાને અભિપ્રાય બાંધ્યો અને પછી એક બીજાને જણાવ્યો. પછી દરેક પોતપોતાના અભિપ્રાયમાં મક્કમ હેઈ, પોતે જ સાચો છે ને બાકીના બીજા બધા ખોટા છે, એમ આગ્રહ કરી પરસ્પર ઝઘડો કરવા લાગ્યા, મિથ્યા ચર્ચામાં ઉતરી પડયા, ને તકરાર વધી પડી ! ત્યાં કોઈ એક દેખતે દષ્ટિવાળે મનુષ્ય આવી ચઢ્યો, અને તે તેને નિવારીને બોલ્યો કે-અરે ! ભલા માણસો ! આ તમે ફેગટ ઝઘડે શા માટે કરે છે? તમે બધાય બેટા છે ને તમે બધાય સાચા છે! કારણ કે હાથી આવે જ છે એવા તમારા આગ્રહથી તમે બેટા છે, અને અમુક અંગની અપેક્ષાએ હાથી આવે છે એ રીતે તમે સાચા છે. જુઓ ! હાથીની સૂંઢનો આકાર સાંબેલા જેવો છે, તૂશળને આકાર ભૂંગળા જેવું છે, કાન સૂપડા જેવા છે, પગ થાંભલા જેવા છે, પેટ મષક જેવું જણાય છે, અને પૂછડું Page #114 -------------------------------------------------------------------------- ________________ (૪૨૬) સાવરણી જેવું દેખાય છે. એક એક અંગને સ્પર્શવાથી તમને હાથી તે તેવો લાગ્યો, તે તે તે અંગની અપેક્ષાએ બરાબર છે, પણ તે ઉપરથી કાંઈ આખા હાથીને ખ્યાલ છે • આવે છે! સમગ્ર અંગ મળીને જ હાથી બને છે. માટે તેનું સાંગોપાંગ સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેને સમયપણે જ વિચાર કરવો જોઈએ. તમારે આગ્રહરૂપ “જ'કારએકાંતવાદ છેડી દેવો જોઈએ. એમ સમજી હવે તમારે ઝઘડો બંધ કરે ! બંધ કરે ! એમ તે ડાહ્યા દેખતા દશ્ય પુરુષે સમજાવ્યા, એટલે તે વાદીઓ ટાઢા પડ્યા, ને મિથ્યા ચર્ચા છોડી દઈ સમજીને શાંત થયા.* આ દૃષ્ટાંત ઉપરથી એટલું ફલિત થાય છે કે આ આમ “જ” છે એમ વદનારા એકાંતવાદી આગ્રહી હોય, પણ સર્વ સમન્વયકારી અનેકાંતવાદી તે સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. થેડા પણ મહાગ્રંથમભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદીનું પરમ સમર્થ નિરસન કરતું શ્રીમદ્ રાજચંદ્રજીનું ચમત્કારિક સુભાષિત છે કે “એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ “જ' એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાનવડે કહે છે. મહારે મહાવીર એમ કોઈ કાળે કહે નહિ; એ જ એની સકવિની પેઠે ચમત્કૃતિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬ (૨૦) તેમજ– न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनजिंहाछेदाधिको मतः ॥ १४१ ॥ પ્રતિક્ષેપ સામાન્યને પણ સંતને ન યુક્ત; અધિક જિદ્વાદશી, આર્ય અપવાદ ઉક્ત. ૧૪૧ અર્થ–સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ યુક્ત નથી. તેથી કરીને આર્ય સથાને અપવાદ તે સંતને મન જિહા છેદ કરતાં અધિક છે. ત્તિ: –નથી યુક્ત, કરિશેષ-નિરાકરણરૂપ પ્રતિક્ષેપ. સામાન્યરાષિમાઈ સામાન્ય પુરુષ આત્રિો ૫ણ ત–વેથી કરીને સવાર-સંવ, મુનિઓને, શાપવાનુ પુનઃ-ગાયને ચરવા તે વળી, સર્વને પરિભવ તે એમ અર્થ છે. શું ? તો કે-બિહાછેડાોિ મરઃ-જિહવાકેદ કરતાં (જીભ કપાઈ જવા કરતાં) અધિક મત છે,–તથાવિધ પ્રયપાયના ભાવે કરીને. * “WHચ વીઘં, નિષિદ્ધનાચંતિપુવિધાનમ્ | सकलनयविलसितानाम् , विरोधमथनं नमाम्यनेकांतम् ॥" -શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધિઉપય. Page #115 -------------------------------------------------------------------------- ________________ દોમહષિઃ આ અપવાદ જિવાદથી અધિક ભાષા સમિતિ (૪૭) વિવેચન કેઈ સામાન્ય પુરુષને પણ પ્રતિક્ષેપ-વિરોધ કર યુક્ત નથી; તેટલા માટે આર્ય એવા સર્વજ્ઞને વિરોધ કરે છે તે સંતજનેને મન જીભ કપાઈ જવા કરતાં પણ અધિક છે. કોઈ સામાન્ય-સાધારણ મનુષ્ય હોય, તેને પણ નિરાકરણરૂપ પ્રતિક્ષેપ કર, પ્રતિવાદ કર, વિરોધ કરે, તે સજનને ઘટતું નથી. કારણ કે આપણા મનમાં કાંઈ હાય અને એના મનમાં કાંઈ હેય. “અપને મન કછુ એર હે, ઉનકે સામાન્યને મન કછુ એર' આપણે એને આશય-અભિપ્રાય જાણી શકતા નથી, પ્રતિક્ષેપ પણ એટલે તે જાણ્યા વિના તેના ખંડનમાં ઉતરી પડવું, તેને તેડી પાડવાને યુક્ત નથી વિકલ્પ સુદ્ધાં કરે, તે સાવ બેહૂદુ છે. તે પ્રતિક્ષેપ કરતાં પણ, સામો માણસ કાંઈ પોતાનો અભિપ્રાય છોડી દેતું નથી, ઊલટો ઘણીવાર તેને બેવડા જોરથી વળગી રહે છે ! વળી તેવા પ્રતિક્ષેપથી વિરોધની વૃદ્ધિ થાય છે, સામા માણસનું મન દુભાય છે, વૈમનસ્ય બંધાય છે, રાગદ્વેષની ગાંઠ પડે છે, + આનં-રૌદ્રધ્યાન થાય છે, પિતાને પણ અશાંતિ રહે છે. આમ અનેક અનર્થ નીપજે છે, માટે સંત-મુનિઓ તે વિરોધ કરે જ નહિં. તે પછી અસામાન્ય, અસાધારણ વિભૂતિરૂપ, મહાઅતિશયવંત એજ આખ્ય સર્વજ્ઞાને અપવાદ કરે-અવર્ણવાદ બલવા તે તે અત્યંત અત્યંત અયુક્ત જ હેય, એમાં પૂછવું શું? એટલા માટે એવા પરય પૂજ્ય આર્ચ સને અપવાદ આ અપવાદ કર પરિવરૂપ વિરોધ કર, તેને સંત મુનિજને તે જિહુવા છાવાદથી કરતાં અધિક માને છે. એટલે કે પરમ અહં સર્વર માટે એક રાધિક પણ અપવાદ વચન બોલતાં, તેમને જીભ કપાઈ જવા કરતાં વધારે દુઃખ થાય છે. અને જીભ કપાઈ જતાં બેલાય જ કેમ? અને પિતાની છત્ય કપાય તેવું બોલવા ઈચ્છે પણ કેણુ? તાત્પર્ય કે સંતજને કદી પણ આર્ય સર્વજ્ઞાનું અપવાદ વચન ઉચ્ચારવાને પ્રારંભ પણ કરે નહિં, તેવું વચન ઉચ્ચારતાં તેમની જીભ ઉપડે જ નહિં; કારણ કે પરમ સતપુરુષ એવા આર્ય સર્વજ્ઞના અવર્ણવાદથી મહા અનર્થ – પરંપરા નિપજે છે, જીવ અનંત સંસારી થાય છે. તેમજ +ળાખ્યાનોપો વારે પ્રતિવાનિસ્તથ રહ્યા ન્તિરિ પાશા હવાલાનરામર્થ ”—શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત હા, દ્વા. ૮-૧૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ (૪૨૮) યોગસરાશય कुदृष्टयादिवनो सन्तो भाषन्ते प्रायसः क्वचित् । निश्चितं सारवच्चैव किंतु सत्त्वार्थकृत् सदा ॥ १४२ ॥ કુષ્ટિઆદિવાળું વેણ તે, ભાખે કદી ન સંત; નિશ્ચિત પરહિતકર સદા, સારવંત જ વદંત. ૧૪૨ અર્થ –કુદષ્ટિ આદિવાળું કસ્ય વચન સંતે કવચિત્ બોલતા નથી, પરંતુ સદાય નિશ્ચિત, સારવાળું અને સત્ત્વાર્થ કરનારૂં-પ્રાણીઓનું હિત કરનારૂં એવું વચન બોલે છે. વિવેચન સંતજને કુદષ્ટિ આદિની પેઠે કદી કુદષ્ટિવાળું–કુત્સિત-નિઘ વચન બોલતા નથી, અને બેલે છે તે નિશ્ચિત, સારવાળું અને પરનું હિત કરનારૂં એવું જ વચન સદા લે છે. કુદષ્ટિવંત અવિવેકી જ હોય તે કુત્સિત–નિંઘ ભાષણ કરે છે, ફાવે તેમ ઠેકાણા વિનાનું બેલે છે, યતદ્ધા ઢંગધડા વિનાને અસંબદ્ધ પ્રલાપ કરે છે. સાર વગરનું નમાલું બકે છે, અને બીજા અને દુઃખ થાય, અનર્થ થાય, અહિત સંત કેવું થાય એવું સાવદ્ય વચન ઉચ્ચારે છે. પણ જે સાચા સંત-મુનિજને બોલે ? જોગીજને છે, તેઓ તેમ કદી કરતા નથી, તેવું સાવદ્ય વચન કદી ઉચ્ચારતા નથી. તેઓ બેલે છે તે વિવેકપૂર્વક ભાષાસમિતિ સાચવીને, ભાષાને વિવેક આચાર બરાબર જાળવીને જ સદા બોલે છે. એટલે જ તેઓનું વચન સદા નિશ્ચિત-અસંદિગ્ધ-સુસંબદ્ધ હોય છે,–સંદેહવાળું, ઠેકાણુ વિનાનું, અસંબદ્ધ પ્રલાપ જેવું હતું નથી; સારપૂર્ણ હોય છે, નિઃસાર નિષ્પાજન કે નિર્માલ્ય હેતું નથી; અને સત્વાર્થ કરનારૂં હોય છે, અન્ય છાનું હિત કરવાના સ્વભાવવાળું જ હોય છે,-બીજા જીવને દુઃખ થાય, અનર્થ થાય, અહિત થાય, એવું સાવદ્ય કદી પણ હેતું નથી. આમ સંત જનેને સદા નિશ્ચિત, સારભૂત, ને પરેપકારી એવું નિરવદ્ય-નિર્દોષ વચન ઉચ્ચારવાની ટેવ પડી હોય છે. સાધુજી સમિતિ બીજી આદરે, વચન નિર્દોષ પરકાશ રે; ગુપ્તિ ઉત્સર્ગને સમિતિ તે, માર્ગ અપવાદ સુવિલાસ રે.” –શ્રી દેવચંદ્રજીકૃત અષ્ટપ્રવચનમાતાની સજઝાય । इति सर्वज्ञप्रतिक्षेपनिषेधाधिकारः। S કૃતિશદષ્ટયરિવા-કુદષ્ટિ આદિવાળું, કુસ્સ ઈત્યાદિ, નો સન્તો ન સંતે, મુનિએ, માન્તિ વળવા-ભાખે કવચિત, ત્યારે કેવું ભાખે? તે માટે કહ્યું – નિશ્ચિત-નિશ્ચિત, અસંદિગ્ધ, સાવર-અને સારવાળું જ, ન અપાર્થક- નહિં એવું, રિંતુ સાર્થશ-પરંતુ સત્ત્વાર્થકર, પરાર્થકરણશીલ એવું, સદા ભાખે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ દોઞાતિ : ચાચિગાનગમ્ય જ્ઞતી દ્રિયળથ અનુમાનવિષય સજ્ઞાદિ અતીદ્રિય અર્થ અનુમાન અગેાચરત્વ અધિકાર ઉપસ’હરતાં કહે છે— निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । raistयत्रान्धकल्पानां विवादेन न किंचन ॥ १४३ ॥ નિશ્ચય અતીન્દ્રિયાના, ન યાગિજ્ઞાન શિવાય; એશીય અધ સમાનના વિવાદથી નહિ કાંય. ૧૪૩ (૪૨૯) અર્થ :—અને અતીન્દ્રિય અને નિશ્ચય ચાગિજ્ઞાન શિવાય થતા નથી; એથી કરીને પણ અત્રે સજ્ઞની ખાખતમાં અંધ જેવાઓના વિવાદથી કાંઇ નથી. વિવેચન અને સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અથના નિશ્ચય ચાગિજ્ઞાન સિવાય થતા નથી, કારણકે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે, એટલા માટે અત્રે સર્વજ્ઞ અધિકારમાં અધ જેવા છદ્મસ્થાના વિવાદથી શું? અધિકાર બહારના સર્વજ્ઞ આદિ વિષય અતીન્દ્રિય છે, ઇંદ્રિય અને મનને અગાચર છે, અને માત્ર ચેાગીને જ જ્ઞાનગમ્ય થઈ શકે એવા છે. એ સંબધી યથાર્થ નિશ્ચયની ખાખતમાં છદ્મસ્થાના અધિકાર નથી, કારણ કે વિશેષથી તત્ત્વને નહિ દેખનારા એવા અધ સમા તે છદ્મસ્થા અધ જને જેવા છે. માટે એ એમના છદ્મસ્થાના વિષયમાં—તત્ત્વનિશ્ચય ખાખતમાં તેઓના વિવાદ વિવાદથી શું? ચર્ચાની અર્ચા અકિંચિત્કર છે. કારણ કે જે વસ્તુ જાણુતા નથી, તેના સ્વરૂપ ખાખતમાં સ્વછંદે ઝઘડા કરવા, નિઃસાર વાગ્યુદ્ધ કરવું, વાદ-પ્રતિવાદ કરી થૂંક પડી વૈમનસ્ય વધારવુ, તે મૂખ'તાની નિશાની છે; ચદ્રના આકાર વિષે અંધજનાની કલ્પના જેવુ' હાસ્યાસ્પદ છે; પેલા આંધળાએ જેમ હાથીના સ્વરૂપ બાબત ખાટો ઈંટો કરતા હતા, તેના જેવું ફોગટ છે. તેવા મિથ્યા વિવાદથી લાભ થવાને ખદલે ઊલટી હાનિ થાય છે, કારણ કે તેથી પેાતાના સત્ ચિત્તના નારા થવારૂપ અનિષ્ટ ફલ નીપજે છે. અર્થાત્ નકામા છે, તેઓની આપણે દેખતા નથી– કલ્પના કરી, મિથ્યા વલાવવુ, ખ'ડનમ'ડનમાં વૃત્તિ:નિયોડતીન્દ્રિયા ચ—સના માદિ અતીન્દ્રિય અર્થના નિશ્ચય, ચોવિજ્ઞાનાદતે ૧ ૨ Àાષિજ્ઞાન શિવાય નથી હોતા—કારણ કે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે. અોપ—આ કારણ થકી પણ, અન્ન-અત્રે, સના અધિકારમાં, અન્નાનાં-મધ જેવાઓના, વિશેષથી તેના તત્ત્વને નહિં દેખનારાઆના, વિવાદેન નવિન-વિવાથી કોઇ નથી,-સચ્ચિત્તનાસરૂપ ફળવાળા વિવાદથી કાંઇ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ (૪૩૦) યોગદૃષ્તિસમુચ્ચય સદ્ભાવવાળા ચિત્ત આશય નષ્ટ થઈ દુષ્ટ આશય જન્મે છે, રાગદ્વેષાદિ દોષની વૃદ્ધિ થાય છે, ચિત્તને અશાંતિ ને સક્ષેાભ ઉપજે છે. આવા સચિત્તને નાશ કરનારા વિવાદનું સંતજનાને શું પ્રયેાજન છે? કઇ જ નહિ, કઇ જ નહિ'. ⭑ न चानुमानविषय एषोऽर्थस्तवतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४ ॥ યુક્તિ વિષય આ તત્ત્વથી, નહિ...–એથી અન્યત્ર; સમ્યક્ નિશ્ચય થાય ના, કથ્યુ બુદ્ધિધન અત્ર.-૧૪૪ અઃ—અને આ સર્વજ્ઞરૂપ અર્થતત્ત્વથી અનુમાનને વિષય નથી માનવામાં આવ્યો. અને આ અનુમાનથકી અન્યત્ર પણ સભ્યપણે નિશ્ચય થતા નથી. બુદ્ધિધન ભતૃહરિએ ધુ છેઃ— વિવેચન ઉપરમાં એમ કહ્યું કે સર્વજ્ઞાદિ અતીદ્રિય અ યાગિજ્ઞાન વિના જણાતા નથી, એટલે આ વિષયે અ'ધ સમા છદ્મસ્થાના વિવાદથી કંઇ પ્રત્યેાજન સિદ્ધ નથી થતું. ત્યારે કોઇ એમ કહે કે આપ એવુ. કેમ કહેા છે ? અનુમાનથી–યુક્તિથી પણ તે કેમ ન જાણી શકાય ? તેને અહીં જવાબ આપ્યા છે કે-આ સર્વાંન્નરૂપ અતીન્દ્રિય અર્થે તત્ત્વથી અનુમાનને-યુક્તિને વિષય નથી. ગમે તેવા મહામતિમાન્ તાકિ કની યુક્તિની ત્યાં ગતિ નથી; ગમે તેટલા યુક્તિવાદથી સાક્ષાત્ સર્વજ્ઞ તત્ત્વ ગમ્ય થઈ શકતું નથી. કારણુ કે તે તત્ત્વ અતીન્દ્રિય એટલે મન ને ઇંદ્રિયથી પર છે-અગમ્ય છે, અને તર્કવાદ બુદ્ધિને વિષય હાઈ બુદ્ધિગમ્ય છે. એટલે તે અતીન્દ્રિય વિષયમાં મતિની ગતિ કુતિ થતાં યુક્તિવાદ ભોંઠો પડે છે. વળી આ અતીન્દ્રિય વિષયની વાત જવા દઈએ, તેા પણ અન્ય સામાન્ય અને પણુ અનુમાન થકી સભ્યપણે નિશ્ચય થતા નથી; યુક્તિવાદથી સામાન્યસાધારણ બાબતને પણ ખરાખર નિર્ણય પ્રાપ્ત થતા નથી, તે પછી અતીન્દ્રિય અર્થનું તે પૂછવું જ શું? આના સમનમાં અહીં મહામતિ ભર્તૃહરિનું વચન ટાંકયુ છે. ⭑ અતીન્દ્રિય અથ યુક્તિના અવિષય શુ કહ્યુ છે? તે કહે છેઃ— વૃત્તિ.—નવાનુમાનવિષયો અને અનુમાનને વિષય નથી, યુક્તિગાચર નથી, છોડથઃ—આ સર્વાંઇ વિશેષ લક્ષણવાળા અથ, તત્ત્વતો મતઃ-તત્ત્વથી માનવામાં આવેલ, પરમાથથી દૃષ્ટ, ૬ વાતો-અને આ અનુમાનથકી નથી હોતા, નિશ્ચય: સમ્પ ્—નિશ્ચય સમ્યપણે, અન્યત્રાવિ–અન્યત્ર પણ, સામાન્ય અર્થમાં પશુ— શ્રાદ્ધોધનઃ—તે બુદ્ધિધન ભતૃહરિએ કહ્યું છે?— Page #119 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ: “તક વિચારે વાદ પરંપરા રે' (૪૩૧) यत्नेनानुमितोऽप्यर्थः कुशलैग्नुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ॥ યત્નથી પરુ અનુમાતૃથી, અર્થ અનુમિત થાય; તેય યુક્તતર અન્યથી, અન્યથા સમર્થાય, ૧૪૫ અર્થ –કુશલ અનુમાનકારોથી યત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, વધારે યુક્તિયુક્ત એવા બીજાએથી બીજી જ રીતે સાબીત કરાય છે. વિવેચન તે બુદ્ધિધનવાળા શ્રી ભતૃહરિએ શું કહ્યું છે? તે કહે છે-“કુશળ અનુમાનકાએ યત્નથી અનુમાનેલે અર્થ પણ વધારે સબળ યુક્તિવાળા બીજાએથી બીજી જ રીતે ઉપપાદન કરાય છે’–સાબીત કરાય છે. અન્વય-વ્યતિરેક વગેરે ન્યાયપદ્ધતિમાં પારંગત એવા નિપુણ યુક્તિવાદીઓ અન્વયવ્યતિરેક આદિ અનુસાર તત્વપરીક્ષા કરે છે. તેમાં અન્વય એટલે આ આમ હોય તે આ આમ હોય એવી વિધાનરૂપ હકારાત્મક ઉક્તિ; અને વ્યતિરેક એટલે યુક્તિથી મંડનઃ આ આમ ન હોય તે આ આમ ન હોય, એવી નિષેધરૂપ નકારાત્મક યુક્તિથી ખંડન ઉક્તિ. (૧) આ અન્વય-વ્યતિરેક પ્રમાણે કેઈ કુશલ યુક્તિવાદીઓ પ્રયત્નપૂર્વક અનુમાનથી-યુક્તિથી અમુક અર્થ સ્થાપિત કરે, અને કહે કે જુઓ ! આ અર્થ આ હેતુથી આ રીતે જ ઘટે છે, આમ એની તપપત્તિ છે આ અર્થ આથી અન્ય રીતે ઘટતો નથી–આમ એની અન્યથાનુપત્તિ છે. (૨) તે ત્યાં તેનાથી ચઢિયાતા એવા બીજા પ્રખર તાર્કિકો-યુક્તિવાદીઓ, વળી એ જ અન્વય-વ્યતિરેક આદિને આશ્રય કરી, તે જ અર્થને અન્યથા પ્રકારે ઉપપાદિત કરે છે, સાબીત કરી બતાવે છે, અને કહે છે કે જુઓ! તમે કહો છે તે પ્રકારે આ અર્થ ઘટતું નથી–એની અત પપત્તિ છે અને આ અમે કહીએ છીએ તે બીજા પ્રકારે જ એ ઘટમાન થાય છેએની અન્યથોપત્તિ છે. આમ એક જ અર્થને અમુક વાદી સ્થાપે છે, તે બીજે ઉત્થાપે છે! એક જ અર્થને સમર્થ તાર્કિક પતતાના મતિબલથી જુદા જુદા પ્રકારે પૂરવાર કરી આપે છે! વૃત્તિ:– નેનાનુમિતોડણ-અન્વય આદિ અનુસાર અત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, કુરાસૈાનમામિ - અન્વય આદિના જાણનારા કુશલ અનુમાનકારોથી-યુક્તિવાદીઓથી, મિથુનત્તમૈર:અન્વય આદિના જ્ઞાતા જ એવા અભિયુક્તતર-વધારે યુક્તિવાળા બીજાઓથી, અર્થવોપાચતે અન્યથા જ ઉપપાદન કરાય છે. અતથાસિદ્ધિ આદિ પ્રકારે બીજી રીતે જ પૂરવાર કરાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ (૪૩૨) યોગદરિટાયુરાય આમ આ તર્કવાદ તે બુદ્ધિને અખાડે છે! અખાડામાં જેમ શરીરને વ્યાયામ થાય છે, કસરત કરાય છે, અટાપટા ખેલાય છે, દાવપેચ રમાય છે, તર્કવાદ બુદ્ધિને તેમ આ યુક્તિવાદરૂપ વ્યાયામશાળામાં બુદ્ધિને વ્યાયામ થાય છે, અખાડે યુક્તિની કસરત કરાય છે, તકના અટપટા ખેલાય છે, છલ-જાતિના દાવપેચ રમાય છે! “સાક્ષર વિજેતા પક્ષના મવત્તિ !” અખાડામાં જેમ વધારે બળવાન મલ્લ અલ્પ બળવાળા પ્રતિમલ્લને મહાત કરે છે, શિકસ્ત આપે છે, તેમ આ યુક્તિવાદની કસરતશાળામાં વધારે પ્રખર બુદ્ધિમાન વાદી અલ્પ બુદ્ધિવાળા પ્રતિવાદીને પરાજિત કરે છે, હાર આપે છે! વળી શેરને માથે સવાશેર' એ ન્યાયે તે વિજેતા મલને પણ જેમ વધારે બળવાન મલ જીતે છે, તેમ વિજયથી મલકાતા ને ફેલાતા તે વાદીને પણ બીજે અધિક તર્કપટ પ્રતિવાદી હરાવે છે! આમ જેમ કુસ્તીની પરંપરા ચાલ્યા કરે છે, મલ્લયુદ્ધને છેડો આવતો નથી, તેમ તર્કવાદની પરંપરા ચાલ્યા કરે છે ને બુદ્ધિયુદ્ધને આરે આવતે નથી! પણ આમ અનંત તર્કવાદ કરતાં પણ કઈ અભિમત વસ્તુ વસ્તુગતે કહી શકવા સમર્થ થતું નથી ! ઉલટું “પડે પાડા લડે તેમાં ઝાડને ખે નીકળી જાય,” એ ન્યાયે આ તામિકેની સાઠમારીમાં તત્ત્વવૃક્ષ બાપડું કયાંય છુંદાઈ જાય છે! તત્ત્વ વસ્તુ કયાંય હાથ લાગતી નથી. મહાત્મા આનંદઘનજીનું માર્મિક વચનામૃત છે કે :“તક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય. પંથડો નિહાળું રે બીજા જિન તણે રે.”—શ્રી આનંદઘનજી. અભ્યરચય કહે છે– ज्ञायेरन्हेतुवादेन पदार्या यद्यतीन्द्रियाः । જાનૈતાવતા ઘા છતા નિશ્ચય | ૨૪૬ પદાર્થો અતીન્દ્રિય જ, હેતુવાદથી જણાત આટલા કાળે પ્રાણથી, નિશ્ચય તિહાં કરાત, ૧૪૬ અર્થ – હેતુવાદથી અતીન્દ્રિય પદાર્થો જણાતા હત, તે આટલા કાળે પ્રાજ્ઞોથી તે વિષયમાં નિશ્ચય કરવામાં આવ્યો હોત. - કૃત્તિ-જ્ઞાન હેતુવાન-હેતુવાદથી–અનુમાનવાથી જાણવામાં આવતા હતા, પરાળ વપરજિયા જે સર્વ આદિ અતીન્દ્રિય પદાર્થો, અનૈતાવતા-ગાટ કાળે કરીને, –માથી, તાર્કિકાથી, તો ચાત્ત-કરાયા હતા, તેy-તે વિષયમાં, નિશ્ચય-નિશ્ચય અવગમ. Page #121 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : મુમુક્ષુને શુષ્ક તક ગ્રહ ત્યાજ્ય જ (૪૩૩) વિવેચન “હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કે નહીં, એ સબલે વિખવાદ. અભિનંદન જિન દરિશણ તરસિયે.”—શ્રી આનંદઘનજી. જે યુક્તિવાદથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોત, તે આટલા કાળે પ્રાણ જનેએ તે સંબંધી નિશ્ચય કરી નાંખ્યો હતો. જે યુક્તિ વડે કરીને ઇન્દ્રિયને અગમ્ય એવા અતીન્દ્રિય પદાર્થો જાણવામાં આવતા હોત, તે ઘણું હેતુવાદથી લાંબા કાળથી આ મહાબુદ્ધિશાળી પ્રાજ્ઞજને-મહાતાકિકો જે તેવી તનિશ્ચય યુક્તિ લડાવતા આવ્યા છે, તેઓને આટલા બધા કાળે તે અતીન્દ્રિય ન થાય પદાર્થને નિશ્ચય થઈ જવો જોઈતો હતો. પણ તેવું તો થયું દેખાતું નથી, હજુ તેને કાંઈ નિવેડો આવ્યો જણાતો નથી. કારણ કે આ વાદી–પ્રતિવાદીઓ હજુ તેવા ને એવા જોરશોરથી તે જ વાદવિવાદ ચલાવી રહ્યા છે ! હજુ પણ તે બાબતમાં નવા નિશાળીઆની જેમ તેવા ને તેવા કેરાધાકડ રહેલા જણાય છે ! તેઓની વાદ-કંડૂ હજુ તેવી ને તેવી છે ! આટલા બધા મહાસમર્થ વાદી મહારથીઓએ આટલે બધો કાળ પ્રખર યુક્તિબલ અજમાવ્યું, પણ તે મહાનુભાવોને આ મહા પ્રયાસ પાણીમાં ગયો હોય એમ જણાય છે! કારણ કે ગબિંદુમાં કહ્યા પ્રમાણે “નિશ્ચિત એવા વાદ ને પ્રતિવાદે કરતાં છતાં તેઓ ગતિમાં ઘાણીના બેલની પેઠે, હજુ તત્ત્વના અંતને પામ્યા નથી !” न चैतदेवं यत्तस्मात्शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥ ને આ એમ ન તે થકી, શુષ્ક કુહ મહાન; ત્યાજ્ય જ હોય મુમુક્ષને, મિથ્યા માન નિદાન, ૧૪૭ અર્થ :–અને કારણ કે આ એમ નથી, તેટલા માટે મહાન એ શુષ્ક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુપણાને લીધે, મુમુક્ષુઓને ત્યાજ્ય જ છે- છોડી જ દે યોગ્ય છે. કૃત્તિ – જૈતવં અને આ એમ નથી, દુ-જે કારણથી, તમાર-તે કારણથી, શુદગાતોશુષ્કતર્ક ગ્રહ, માન–મડાન, અતિરૌદ્ર, મધ્યામિ માનતુલ્હા-મિથ્યાભિમાનહેતુષણરૂપ કારણથી, ચાવ શ્વ-ત્યાજય જ છે, મુમુક્ષુમિ –મુમુક્ષ એએ, મૂકાવા ઈચ્છનારાઓએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ (૪૩૪) યોગદરિસસુરાય વિવેચન અને આ એમ તે છે નહિ અર્થાત્ ઘણા ઘણા કાળે પણ હેતુવાદથી અતીન્દ્રિય તત્વને નિશ્ચય હજુ પ્રાસજનથી પણ થઈ શક્યો નથી, તેથી કરીને મિથ્યાભિમાનના હેતુરૂપ આ શુષ્ક તર્કને મહા રૌદ્ર-ભયંકર ગ્રહ, ભવબંધનથી શુષ્ક તર્ક ગ્રહ ખરેખર છૂટવા ઈચ્છનારા મુમુક્ષુજને એ છોડી જ દેવો જોઈએ, કારણ મુમુક્ષુએ કે આ શુષ્ક તર્કવાદ ખરેખર! “શુષ્ક જ' છે. એમાં કાંઈ રસ-આદ્રતા ત્યાજ્ય નથી. સુક્કી, હૃદય સ્પર્શ વિનાની યુક્તિઓની વાજાલમય લડાઈ જ એમાં છે. વેળુને ગમે તેટલું પલતાં પણ જેમ તેમાંથી તેલરૂપ સાર નીકળે નહિ, તેમ ગમે તેટલું પીલતાં પણ–પિષ્ટપેષણ કરતાં પણ શુષ્ક તર્કવાદમાંથી તત્વરૂપ સાર નીકળે નહિં. અને મુમુક્ષુ તે તત્વને જ ખપી છે. તે આવા નિસાર નીરસ શુષ્ક તને કેમ ગ્રહે વારુ? વળી આ શુષ્ક તર્ક ગ્રહ ખરેખર! ગ્રહ જેવો જ છે. પૂર્વે કહ્યું હતું તેમ ગ્રહ એટલે ભૂતપિશાચ, અથવા અનિષ્ટ ગ્રહ, અથવા મગરમચ્છ. (૧) ભૂતપિશાચરૂપ ગ્રહથી જે ગ્રસ્ત હાય, જેને ઝાડ વળગ્યું હોય, તેના ભુડા હાલહવાલ થાય છે ને તેને તે ગ્રહમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડે છે તેમ આ શુષ્ક તર્કવાદરૂપ ગ્રહથીભૂતથી જે આવિષ્ટ થયો હોય, એ ભૂત જેને ભરાયું હોય, તેની ભારે બૂરી દશા થાય છે, ને તેના ગ્રહમાંથી–પકડમાંથી છૂટવું ભારી થઈ પડે છે. (૨) અથવા અનિષ્ટ પાપ ગ્રહ જેને નડતો હોય, તેને ભારી વસમી પીડા સહવી પડે છે, તેમ આ તકવાદરૂપ અનિષ્ટ ગ્રહથી જે પીડાતા હોય, તેને પિતાને હાથે હોરેલી ભારી કનડગત ભેગવવી પડે છે, અને તેની અસરમાંથી તે સહેલાઈથી છૂટી શકતું નથી. (૩) અથવા જે મગરથી પ્રસા હોય, તેને તેના જડબામાંથી છટકવું ભારી કઠિન થઈ પડે છે; તેમ શુષ્ક તકરૂપ મગરના ગ્રહથી જે ગ્રહાયે હય, તેને તેની ચુંગાલમાંથી છૂટવું અતિ દુષ્કર થઈ પડે છે. આમ ત્રણે અર્થમાં પિતે રહેલા શુષ્ક તકરૂપ ગ્રહથી શુષ્કત ગ્રાહી પિતાની મેળે જ દુ:ખી થાય છે. આવા અનિષ્ટ દુષ્ટ શુષ્ક તર્ક ગ્રહને આત્માર્થગ્રાહી મુમુક્ષુ કેમ ગહે? તેમજ આ શુષ્ક તક ગ્રહ મહાન છે, અતિ રેઢ છે, મહા ભયંકર છે. એનું પરિણામ પિતાને માટે તે પરને માટે મહા રૌદ્ર છે-દારુણ છે. કારણ કે આનં–રૌદ્ર ધ્યાનથી વાદી-પ્રતિવાદી બનેને હાનિ થાય છે. મહા તાકિ કશિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં વર્ણવ્યું છે તેમ-જે કોઈ પ્રકારે પોતાનો વિજય થાય છે તે તે એટલે બધે પરિતેષ પામે છે કે મર્યાદાને ભંગ કરી એ પોતાની બડાઈ હાંકી ત્રણે લોકોને ખલ બનાવે છે! અને પોતે જે કોઈ પ્રકારે બીજાથી છવાઈ જાય છે તે કપાંધ થઈ જઈ, પ્રતિવાદી પ્રત્યે ઘાંટા પાડી–બરાડા પાડી, આક્રમણ કરતે સતે પોતાનું Page #123 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ જીજીજીને સત્ર ગ્રહ અયુક્ત (૪૩૫) વિલખાપણું દૂર કરે છે.* તે વાદ કથા ખમી શકતા નથી, અને માનભંગથી ઉષ્ણુ એવા લાંખા નિસાસા નાખે છે! રમ્ય વસ્તુમાં પણ તેને અરતિ–વર લાગુ પડે છે– રમ્ય વસ્તુ પણ તેને ગમતી નથી, અને સુહૃદા પ્રત્યે પણ તેના વચન વજ્ર જેવા કઠોર નીકળે છે! અને દુઃખ અહંકારમાંથી ઉપજે છે, એવા આ સંતંત્ર સિદ્ધાંત સ તંત્રના સિદ્ધાંત છે, તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર ! તત્ત્વપરીક્ષા કરે છે ! અર્થાત્ અડું...કારજન્ય દુઃખના સાક્ષાત્ અનુભવ કરે છે !' ઇત્યાદિ પ્રકારે શુષ્ક તર્કવાદ રૌદ્ર પરિણામનું કારણ થાય છે. વળી શુષ્ક તર્કવાદ મિથ્યાભિમાનના હેતુ થાય છે. શુષ્ક તર્કવાદી પાતાને ખડો હોશિયાર માને છે! તેને પેાતાની બુદ્ધિનું–તર્ક શક્તિનું ઘણું અભિમાન હેાય છે. મેં કેવી ફેડ યુક્તિ લડાવી ફલાણાને છક્કડ મારી તાડી પાડયા હરાવ્યો, એવા ફાંકા રાખી તે અક્કડ રહે છે! આમ મહારૌદ્ર પરિણામવાળા શુષ્ક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુ હાવાથી, આત્મહિતેષી મુમુક્ષુઓને સથા ત્યાજ્ય જ છે. કારણ કે સાચા મુમુક્ષુઓના મુખ્ય ને એક જ હેતુ ગમે તેમ કરીને ભવબંધનથી છૂટવાનેા છે. તેઓને કેવળ એક આત્માનુ જ કામ છે, માન-પૂજા-લબ્ધિ-સત્કાર આદિ ખીને મન-રાગ તેમેને હાતા નથી, અને ઉપરમાં જોયું તેમ શુષ્ક તર્કથી કોઇપણ પ્રકારને આત્મા સિદ્ધ થતા નથી, ઊલટા માનાને લીધે અત્યંત હાનિ પામે છે. કયાં સાચા મુમુક્ષુ જોગીજનનું એકાંત આત્માથી પશુ ? અને કાં શુષ્ક તર્કવાદીનુ' મતાથી પશુ –માનાથી પણું ? · શ્રેય તે। એક ખાજુએ રહ્યા છે, ને વાદિશ્રેષ્ઠો અથવા વાદીરૂપ ખળદી બીજી ખાજુએ વિચરી રહ્યા છે ! મુનિએ વાદવિવાદ્યને ક્યાંય પણ મેક્ષ-ઉપાય કહ્યો નથી.' આમ વાદને અને મેાક્ષને લાખા ગાઉનું અંતર છે, માટે માત્ર મેાક્ષના અથી એવા મુમુક્ષુ જોગીજન વાદવિવાદમાં કેમ પડે શુષ્ક તર્ક ગ્રહને કેમ ગ્રહે ? ⭑ *" यदि विजयते कथंचित्ततोऽपि परितोषभग्नमर्यादः । गुणविकत्थनदूषिकोनपि लोकान् खलीकुरुते ॥ उत जीयते कथंचित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगर्जेंना क्रामन् वैलक्ष्य विनोदनं कुरुते ॥ वादकथन क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्त्वपि वज्रीकरणवाक्यः ॥ दुःख महंकारप्रभवमित्ययं सर्वतंत्र सिद्धांतः । अथ च तमेवारूढस्तत्त्वपरीक्षा किल करोति ॥ " શ્રી સિદ્ધસેનદિવાકર્જીત દ્વા. દ્વા. ૯, ૧૫–૧૮ xt 'अन्यत एव श्रेयस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरंभः क्वचिदपि न जगाद मुनिः शिवोपायः " ॥ શ્રી સિદ્ધસેન દિવાકર્જીત દ્વા.-દ્રા ૮-૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૪૩૬ ) યોગદષ્ટિસમુચય તેમજ– ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥१४८॥ મુમુક્ષુઓને તત્વથી, પ્રહ અયુક્ત સર્વત્ર; ધર્મેય પ્રાયે મુક્તિમાં, ત્યાજય-એથી શું અત્ર? ૧૪૮ અર્થ–સર્વત્ર ગ્રહ તત્વથી મુમુક્ષુઓને અસંગત-અયુક્ત છે. મુક્તિને વિષે ધમે પણ પ્રાયે ત્યજવાના હોય છે, તે પછી આ ગ્રહથી શું ? વિવેચન “છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ. મુમુક્ષુએ તત્ત્વથી કયાંય પણ ગ્રહ રાખ યુક્ત નથી. કારણ કે મુક્તિમાં ધર્મો પણ પ્રાયે છોડી દેવા પડે છે. તો પછી આ ગ્રહથી શું ? મેક્ષાભિલાષી આત્માથી જીવે શુષ્ક તર્કગ્રહ છોડી દેવો યોગ્ય છે, એટલું જ નહિ, પણ કયાંય પણ કઈ પણ વસ્તુને ગ્રહ પણ ત્યજી દેવો જોઈએ. માટે સર્વ મત દર્શનને આગ્રહ તેમ વિકલ્પ છેડી દઈ, તેમ જ અન્ય સર્વ પ્રકારનો કયાંય પણ ગ્રહ ગ્રહ પણ વિસર્જન કરી મુમુક્ષુએ યક્ત મેક્ષમાગ જ આરાધ યુક્ત નથી ચગ્ય છે, કારણ કે મુમુક્ષુને એકાંત હેતુ કોઈ પણ પ્રકારે મોક્ષની પ્રાપ્તિ કરવી તે જ છે. અને મોક્ષમાં તે શુદ્ધ આત્મસ્વભાવરૂપ ક્ષાયિક ધર્મો સિવાય બધુય છોડયે જ છૂટકે છે. અરે ! ક્ષમાદિક ક્ષાયોપથમિક ધર્મો પણ મોક્ષમાં છોડી દેવા પડે છે, ત્યાં આ તુચ્છ અનિષ્ટ ગ્રહોની તે શી વાત કરવી? સર્વ ગ્રહથી મુક્ત થયા વિના માર્ગસમુખ પણ ન થવાય, તે મુક્ત તે કેમ જ થવાય? તે પછી આ “રાખના પડીકા” જેવા દુષ્ટ ગ્રહોને મુમુક્ષુ શા હેતુએ ગાંઠે બાંધે? ને એ ગ્રહ જેવા ગ્રહોને ગ્રહીને હાથે કરીને શું કામ નિષ્કારણે દુ:ખથી ગૃહીત થાય? ધમ ક્ષમાદિક પણ મિટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝઘડા ઝંઝા તણાજી, મુનિને કવણ અભ્યાસ. ....મનમેહન જિનજી ! મીઠી તાહરી વાણ.”- જે. દ, સક્ઝા. ૪-૨૨ રૂત્તિ સર્વજ્ઞાહિ થતાંતિયાનુમાનજોવાવાધિદાત્તા વૃત્તિ –પ્ર:-2, સવેત્ર-સત્ર, સર્વ વસ્તુમાં, તરવેરાવથી, પરમાર્થથી, સમક્ષUાનસંર:મુમુક્ષુઓને અસંગત છે–અયુક્ત છે. કયા કારણથી ! તે કે-મુફ્તી ધ ગરિ કાયસ્થ વાદ-મુક્તિને વિષે ધર્મો પણ પ્રાયે ત્યજવા પડે છે, પ્રાયનું ગ્રહણ ક્ષાયિક ધમેના વ્યવચ્છેદ (અપવાદ) અર્થે છે, વિમાન તન-તે પછી આ ગ્રહથી શું? કંઈ નહિ, એમ અર્થે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ દોમાદષ્ટિ મહાજનને માર્ગ-પરપીડાવન, પરે૫કાર (૪૩૭) મહત્પુરુષ માર્ગ અધિકાર કારણ કે એમ છે તેથી– तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥ પ્રાશે અત્ર મહંતને, માર્ગ આશ્રૌને સાર; તસ અતિક્રમ વિણ વર્તવું, ન્યાય તણે અનુસાર ૧૪૯ અર્થ –તેથી કરીને અત્રે મહત્વ પુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, વિચક્ષણોએ તેને અતિક્રમ વજીને, યથાન્યાય વર્તવું ગ્ય છે. વિવેચન મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” – શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ તેથી અત્રે આ બાબતમાં મહાપુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, નિરીક્ષણ કરી મુમુક્ષુજનેએ તે ધર્મને અતિક્રમ ન થાય એ રીતે, યથાન્યાયે વર્તવું એગ્ય છે. તે પછી મુમુક્ષુ આત્માથી જીવે શું કરવું યોગ્ય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે. વિચક્ષણ મુમુક્ષુએ તો બીજી બધી માથાફેડ છોડી દઈને, બીજી બધી મહાજનના ભંગજાલ ફગાવી દઈને, મત–દર્શન આગ્રહને સમસ્ત પ્રપંચ વિસર્જન માર્ગને કરી, સર્વ ગ્રહની ચુંગાલમાંથી મુક્ત થઈ, મહત્ પુરુષોના માર્ગનું અનુસરવું સમ્યફ અવલંબન કરવું યોગ્ય છે. “માનનો ચેન જત: ૪ પ્રથાઃ ” મહાજન જે માર્ગે ગયા તે માર્ગ છે. અને મહાજનેને માગે તે કેવળ આત્મવિશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ છે. એટલે મહાજનેના નિદિષ્ટ માગે તેમના પગલે ચાલવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે અને તે માર્ગે ચાલતાં, મહતપુરુષોએ પ્રણીત કરેલા નિર્દોષ ધર્મમાગને જેમ અતિકમ ન થાય, અતિચાર ન થાય, ઉલ્લંઘન ન થાય, ભંગ ન થાય, તેમ ઉપગપૂર્વક સનીતિ પ્રમાણે ચાલવું એગ્ય છે. આમ મહાજનના માર્ગે નિરતિચારપણે યથાન્યાય પ્રવક્તવું–ગમન કરવું એ જ મુમુક્ષુ જોગીજનનું કર્તવ્ય છે. નૃત્તિ-સત્ર-તેથી અત્ર વ્યતિકરમાં, આ પ્રસંગમાં, મંતાં વર્મ-મહત પુરુષોના માર્ગને, સમાશ્રિત્યસમાશ્રય કરી અંગીકાર કરી, વિરઃ -વિચક્ષણોએ, પંડિતોએ, તતચં ચાન્યા-થથાન્યા-ન્યાય પ્રમાણે વર્તવું પેગ છે. તરિક્ષમન્નતૈિઃ -તે મહત ધર્મના અતિક્રમથી–અતિચારથી રહિત એવાઓએ. Page #126 -------------------------------------------------------------------------- ________________ (૪૩૮) ગટિસ થાય એજ કહે છે– परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥ પરપીડા અહિં સક્ષ્મ પણ, વર્જવી જ પ્રયત્ન; તેમજ તસ ઉપકારમાં, કર સદૈવ યત્ન, ૧૫૦ અર્થ –અહીં સૂકમ પણ પરપીડા પ્રયત્નથી વજવી, તેમજ તેના ઉપકારમાં પણ સદૈવ જ યત્ન કરે. વિવેચન “જોવાઃ પુથાર, પાપા પરવીનમ”—વ્યાસજી. તે મહત પુરુષએ આચરેલે માગ કર્યો છે? તે અહીં કહ્યો છે. આ લેકમાં સૂક્ષમ પણ પરપીડા વજવી, તેમજ પર ઉ૫કારમાં પણ નિરંતર યત્ન કરો. આ જગતમાં પોતાનાથી બીજા જીવને સૂક્ષ્મ પીડા પણ ન થાય, સૂક્ષ્મ બાધા પણ ન ઉપજે, એમ પ્રયત્નથી–ચત્નાથી વર્તવું, એ મુમુક્ષુ આત્માથીનું કર્તવ્ય છે. મુમુક્ષુ બીજા જીને સૂક્ષમ પીડા પણ વજે, તે પછી મોટી પીડાની વાત તે ક્યાંય દૂર રહી ! મનથી, વચનથી કે કાયથી કેઈપણ પ્રકારે કોઈપણ જીવને પિતાનાથી કંઈપણ પીડાઆધા ન ઉપજે, એવી સતત જાગ્રતિ આત્માથી છવ રાખે. “અનુબંધે આત્મા દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહિં વિશેષ; સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિર્મળ અવિરોધ. એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વિણ ધર્મ સદા પ્રતિકુળ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહેચે શાશ્વત સુખે શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.” –શ્રીમદ્ રાજચંદ્રજીમણુત મોક્ષમાળા વૃત્તિઃ–પસ્વીકા–પર પીડા, પર બાધા, અહીં, લેમ, મૂઢમાપિ-સૂક્ષ્મ પણ, મેટી તે દૂર રહો ! શ . તો તે વકતીરા-વજવા યોગ્ય છે, પરિત્યજવા પાગ્ય છે, કથન: પ્રયત્નશી, સક્સ ભાભાગની, હકૂતતેની જેમજ, પ્રયત્નથી જ, તપશડજિતેના ઉ૫કારમાં પણ પરિવચં-સત્ન કર એમ છે, અનુષ્ઠાન દ્વારાએ (આચરણ કરીને), રવિ સિદૈવ જ. Page #127 -------------------------------------------------------------------------- ________________ દીઞાશિ : ગુરુદેશ-દ્વિજ-ચતિનુ થાયાગ્ય પૂજન (૪૩૯) અને બીજા જીવેાના ઉપકારમાં પણ મુમુક્ષુ જીવ સદૈવ યત્ન કરે. અન્ય જીવાતું આ લાકમાં ને પરલેાકમાં જે રીતે હિત થાય એવા પ્રકારે તન-મન ધનથી પાતાથી ખનતું બધુંય મુમુક્ષુ જીવ સદાય સક્રિય આચરણ દ્વારા કરી ચૂકે. આમ મુમુક્ષુ જોગીજન પમદયાળુ ને પરાપકારના વ્યસની–મધાણી હાય. તથા-~ * गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ॥ ગુરુ દેવતા વિપ્ર ને, તપોધન યતિરાજ; પૂજ્ય સુપ્રયત્ન ચિત્તથી, મહાત્માઓ સહુ આ જ ૧૫૧ અ:— ગુરુએ, દેવતા, વિપ્રો અને તાધન યતિએ સવ મહાત્માએ સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજનીય છે—પૂજવા યેાગ્ય છે. વિવેચન તેમજ-ગુરુએ, દેવતા, દ્વિજો અને તપેાધન યતિઓ,-એ સવ મહાત્માએ સુપ્રયત્નત ચિત્તે થાયેાગ્યપણે પૂજનીય છે, પૂજવા યાગ્ય છે – ગુરુઓ એટલે માતા, પિતા, કલાચાય, એએના જ્ઞાતિએ–ભાઇ વ્હેન વગેરે, તથા ધર્મના ઉપદેશ કરનારા વૃદ્ધો-જ્ઞાનવૃદ્ધ અને વયેવૃદ્ધ જને. આ શિષ્ટ જનેને ઇષ્ટ એવા ગુરુવગ છે. તેનું પૂજન આ આ પ્રકારે થાય :-(૧) ત્રણ સધ્યા સમયે તેને નમનક્રિયા કરવી, અને તેવા અવસરોગ ન હાય તા ચિત્તમાં તેને અત્યંતપણે આરોપીને નમનક્રિયા કરવી. (૨) તે આવે ત્યારે અભ્યુત્થાનાદિ કરવું, અર્થાત્ ઊઠીને સામા જવું, આસન દેવું, તે બેસે એટલે યુપાસના કરવી, ઇત્યાદિ વિનય આચરણ કરવું; તેની સમીપમાં અપ્રગલ્ભપણે-અનુદ્ધતપણે બેસવું; અસ્થાને તેનું નામ ન લેવું; કવચિત્ પણ તેના અવણુવાદ ન સાંભળવા. (૩) સારામાં સારા વસ્ત્રાદિનુ તેને યથાશક્તિ નિવેદન-સમર્પણુ કરવું, અને તેના હાથે સદા પરલેાક ક્રિયાએનું કરાવવુ. (૪) તેને અનિષ્ટ એવા વ્યવહારાના ત્યાગ કરવા, અને ઇષ્ટ એવા વ્યવહારોમાં પ્રવર્ત્તન કરવુ, અને આ ધર્માદિને પીડાત્ર ન ઉપજે એમ ઔચિત્યથી-ઉચિતપણે કરવું, અર્થાત્ ગુરુ-દેવાદિ પૂજન વૃત્તિઃજુવો-ગુરુઓ, માત-પિતા પ્રમુખ, દેવતા દેવતા, સામાન્યથી જ, વિઘ્ન-વિ, દ્વિો, ચરપત્ર-અને યતિ, પ્રજના, તપોધના તપોધન, તપરૂપ ધનવાળા, ખૂનનીથાઃ–પૂજનીય છે, પૂજવા ચેોગ્ય છે, મહામાનઃ-મહાત્માઓ, એ સર્વેમ, મથા`પણેયથાયેગ્યપણે કેવી રીતે તા કે–મુવઘેન ચેતસાસુપ્રયત્નવંત ચિત્તથી, આજ્ઞાપ્રધાન ચિત્તથી, એમ અથ છે. X (6 त्यागश्च तदनिष्टार्ना तदिष्टेषु पवर्त्तनम् । औचित्येन त्विदं ज्ञेयं प्राहुर्धर्माद्यपीडया ।। " (આધાર માટે જુઓ) શ્રી યાગબિંદુ, શ્વે ૧૧૦-૧૧૫. Page #128 -------------------------------------------------------------------------- ________________ (૪૪૦) વૈર્ગદષ્ટિસંચય તેને અનિષ્ટથી નિવત્તતાં અને ઈષ્ટમાં પ્રવર્તતાં જે ધર્માદિ પુરુષાર્થને બાધા ઉપજતી હોય, તે તેમ ન કરતાં પુરુષાર્થ-આરાધનપરાયણ રહેવું. (૫) તેને આસનાદિને અભોગ કરે, અર્થાત્ ગુરુના આસનાદિ વાપરવા નહિ. અને તેના દ્રવ્યનું તીર્થમાં નિયોજન કરવું, અર્થાત્ તીર્થક્ષેત્રમાં વાપરી નાખવું, નહિં તે તે પોતે ગ્રહણ કરે તે તેને મરણદિમાં અનુમતિને પ્રસંગ આવે. (૬) તેમજ તેના પ્રતિબિમ્બની* સ્થાપનાને ધૂપ-પુષ્પાદિ પૂજારૂપ સંસ્કાર કરવો. અને તેની પરમ-ઉત્કૃષ્ટ એવી ઊર્વદેહકિયા કરવી, મૃતકાર્ય કરવું. - પુષ્પથી, બલિથી, વસ્ત્રોથી, અને શોભન તેત્રોથી શૌચ-શ્રદ્ધા સમન્વિત એવું દેવોનું પૂજન કરવું. ઈત્યાદિ પ્રકારે યથાશ્યપણે ગુરુ-દેવની પૂજા કરવી. વિપ્રો એટલે દ્વિ-બ્રાહ્મણે. વિદ્યા વડે જે પ્રકૃષ્ટ છે, અર્થાત્ જે વિદ્યાના પ્રકર્ષને પામેલા છે તે વિપ્રબે વાર જેનો જન્મ થયો છે, અર્થાત એક તે સ્થૂલ દેહ જન્મની અપેક્ષાએ અને બીજો સંસ્કારની અપેક્ષાએ એમ બે જન્મ જેના થયા છે તે દ્વિજ. બ્રહ્મને આત્મસ્વરૂપને જે જાણે છે, તે બ્રાહ્મણ. આવા વિદ્યાવંત, સંસ્કારસ્વામી, બ્રહ્મવેત્તા વિદ્વજનેરૂપ દ્વિજે યથાયેગ્યપણે પૂજવા ગ્ય છે, સન્માનવા ગ્ય છે, તેમજ તપેધન એવા યતિઓ પણ પૂજનીય છે. યતિ એટલે સંયમી પુરુષ, સાધુજન. જેણે મનને ને ઇદ્રિને સંયમ કર્યો છે તે “યતિ” અથવા “જતિ”. જે જીવરક્ષામાં ને ઇંદ્રિયનિગ્રહમાં યત્નવંત છે તે યતિ. ત૫ જેનું ધન છે તે તપોધન અનશનાદિ બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાયાદિ આવ્યંતર તપ નિરંતર તપતા રહી તપરૂપ ધનની જેણે વૃદ્ધિ કરી છે, એવા તપેધન યતિઓ નિરંતર પરમાદરથી પૂજવા યોગ્ય છે. આમ ગુરુઓ, દેવતાઓ, વિખે, અને તપોધન યતિઓ–આ સર્વ મહાત્માઓ જેમ ઉચિત હોય તેમ યથાયોગ્યપણે પૂજવા ગ્ય છે. અને તે પૂજના પણ સુપ્રયત્નવંત ચિત્તથી હોવી જોઈએ. અર્થાત્ તેના આજ્ઞાપાલનમાં તત્પર એવા આજ્ઞાપ્રધાન ચિત્તથી કરવી જોઈએ. पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२ ॥ સ્વકર્મથી જ હણાયેલા, પાપી પ્રતિ અત્યંત ન્યાય અનુકંપા જ-આ, ઉત્તમ ધર્મ મહંત, ૧૫ર વૃત્તિ –પાપરવિ રાચતં- અને અત્યંત પાપવંતે પ્રત્યે પણ, લુબ્ધક-શિકારી આદિ પ્રત્યે પણ સંઘર્મનિcવટF-અત્યંતપણે સ્વકર્માથી હણાયેલા એવા, અનુવવ વેણુ-સો પ્રત્યે અનુકંપા જ, ચાડ્યા ન્યાય છે. –નહિં કે મત્સર, વડગમુત્તમ-આ ધમ ઉત્તમ છે,કારણમાં કાર્યના ઉપયોગથી. * “ तदासनाद्यभोगश्व तीर्थे तद्वित्तयोजनम् । तद्विम्वन्याससंस्कार ऊर्ध्वदेहक्रिया परा॥" – શ્રી ગબિંદુ Page #129 -------------------------------------------------------------------------- ________________ માહિઃ મહત પુરુષને માગ, ઉપસંહાર (૪૪) અર્થ –અને સ્વકર્મથી અત્યંત હણાયેલા એવા અત્યંત પાપવંત છ પ્રત્યે પણ અનુકંપા જ ન્યાચ્ય છે,- આ ધમ ઉત્તમ છે. વિવેચન “શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ”શ્રીમદ્ રાજચંદ્રજી અને પિતાના જ કર્મોથી અત્યંત હણાયેલા એવા મહાપાપી જીવો પ્રત્યે પણ અનુકંપા જ ન્યાપ્ય છે-આ ધમ ઉત્તમ છે. મુમુક્ષુ જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હેય એમાં તે પૂછવું જ શું? પણ શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી જીવો પ્રત્યે પણ તે મહાપાપી પ્રત્યે અનુકંપા જ રાખે અને એ જ ન્યા છે–ન્યાયયુક્ત છે. તેના પણ દયા પ્રત્યે ઘણા રાખવી કે તિરસ્કારની દૃષ્ટિથી જેવું એ યોગ્ય નથી, કારણ કે એ બિચારા પામર જી અજ્ઞાનના વિશે કરીને મહા કુકર્મોમાં પડી ગયા છે, પતિત થયા છે, અને પોતાના દુષ્ટ કર્મોથી જ અત્યંત હણાઈ ગયેલા છે. એવા મરેલાને મારવું શું? “પડતા ઉપર પાટુ” શી? એ બિચારા પાપી છે તે અત્યંત દયાનું, અનુકંપાનું જ સ્થાન છે. આ કુકર્મોથી આ છ બાપડા કેવી દુર્ગતિ પામશે ? એ વિચારતાં મુમુક્ષુને તેના પ્રત્યે અનુકંપા જ છૂટે. અને તેથી પ્રેરિત થઈ પિતાનાથી બને તે તેમાંથી તેને નિવારવા પ્રયત્ન પણ કરે. આ જ ધમ ઉત્તમ છે. તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાન.” તુલસીદાસજી પરહિત એ જ નિત હિત સમજવું, અને. પરદુ:ખ એ પોતાનું દુઃખ સમજવું.” “પ્રભુ ભજે, નીતિ સો, પરઠો પર પકાર.”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ ( ૧ ) પરપીડાવજન, (૨) પરોપકાર વ્યસન, (૩) ગુરુદેવાદિપૂજન, ( ૪ ) પાપીની પણ અનુકંપા-આ ધર્મ ઉત્તમ છે. આ મહત્ પુરુષને માર્ગ છે. આ ઉત્તમ ધર્મ મહાજનેએ આચર્યો છે, જે દર્શાવ્યું છે, તેને જ અનુસરવું એ જ યથાત્યાય વત્તન છે. | રિ મધુમાડપિs: 1 --- DR = Page #130 -------------------------------------------------------------------------- ________________ ગદષ્યિસમુચ્ચય (૪જર) - ઉપસંહાર કરતાં કહે છે – कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिमहोदया ॥ १५३ ॥ સર્ણ અત્ર પ્રસંગથી, હવે કહાઁએ પ્રસ્તુત; તે તે પંચમી ગની, દષ્ટિ મહોદય યુક્ત, ૧૫૩ અર્થ:- અત્રે પ્રસંગથી બસ થયું. હવે અમે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ; અને તે પ્રકૃતિ તે પાંચમી મહોદયવતી યોગદષ્ટિ છે. વિવેચન ઉપરમાં આ જે બધું ય કહ્યું તે પ્રસંગવશાત્ કહ્યું છે. તે માટે આટલું બસ છે! વધારે કહેવાની જરૂર નથી. શાણા તે સાનમાં સમજી જાય. એટલે સાચા મુમુક્ષુ વિચક્ષણ જને આટલામાંથી બધું સમજી જશે, થોડું કહ્યું ઝાઝું કરી જાણશો.” એટલે હવે અમે પ્રકૃત–ચાલુ વાતને પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. અને તે પ્રસ્તુત વાત તે પાંચમી “સ્થિરા નામની યોગદષ્ટિ છે. અને તે કેવી વિશિષ્ટ છે? તે કે મહદયવાળી છે. માટે અહે મુમુક્ષુ જોગીજનો ! સર્વ અભિનિવેશ છોડી દઈને ચાર દષ્ટિની મર્યાદા વટાવી જઈને, તમે હવે આ “સુયશ’ અમૃત ઘનવૃષ્ટિ કરનારી પાંચમી “સ્થિરા” દષ્ટિ સંબંધી યોગ કથા ભાવથી એકચિત્ત શ્રવણ કરે! અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ-”શ્રી યે, દ, સઝા ૪-૨૩ કૃત્તિ-શ–પર્યાપ્ત થયું, બસ થયું, ત્ર–અત્ર વ્યતિકરમાં, કન-પ્રસંગથી, કાં પ્રસ્તુનોડપુના-હવે અમે પ્રકૃત (ચાલુ વાત) કહીએ છીએ, તપુનઃ–પુન: તે પ્રકૃત તે, વન્નરી તાવળદષ્ટિ-પાંચમી યુગ થરા નામની છે. તે કેવી વિશિષ્ટ છે ? તે માટે કહ્યું-મોથા-મહોદયવાળી છે, નિર્વાણ૩૫ પરમ કલવાની છે, એમ અર્થ છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ તોગાષ્ટિ : હીમાલષ્ટિના સાર નામ ન ચાર્વાંગ દોષત્યાગ ગુણુપ્રાપ્તિ ચેાથી દૃષ્ટિમાં દીપાદષ્ટિનું કાષ્ટક : ૧૦ દીપપ્રભા સમોષ ભાવ પ્રાણાયામ તત્ત્વશ્રવણ રેચક -પૂરક કુંભક ઉત્થાન દોષત્યાગ વિશિષ્ટતા અવેધસવેલ પદ જય ગુણુસ્થાન પહેલું ગુણસ્થાન નોંધ અવેધસવેલ પદ્મને લીધે મેષ સ્થૂલ-સૂક્ષ્મ નહિ. પરભાવને રેચ, આત્મભાવની પૂત્તિ ને સ્થિરતા. પ્રતિવાહિતાને લીધે ચેાગમાં ઉત્થાનદેષ ન હોય. →ધશરણુ→ખીજપ્રરાહ → ગુરુભક્તિ → તીથ કરદશ ન → નિર્વાણુ. વિષમ કુતર્ક ગ્રહ નિવૃત્તિ. પહેલા ‘ગુણુસ્થાન ' ના પ્રકષ`છેલ્લામાં છેલ્લી હદ અહીં પ્રાપ્ત થાય. (૪૪૩) * દીમા દૃષ્ટિના સાર ચેાથી દીપા દૃષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બેષ પ્રકાશ હોય છે, અને ચેાગનું ચેાથું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. તેમજ અત્રે ઉત્થાન નામના ચેાથા ચિત્તદોષના નાશ તથા તત્ત્વશ્રવણ નામના ચેાથા ગુણુની પ્રાપ્તિ ઢાય છે, છતાં અત્રે હજુ સૂક્ષ્મ એધ હાતા નથી. અત્રે આ પ્રાણાયામ જે હેાય છે, તે ભાવથી હાય છે. એટલે ખાદ્ય ભાવને રચ દેવારૂપ રેચક પ્રાણાયામ, અંતર્ભાવને પૂરવારૂપ પૂરક પ્રાણાયામ, અને તેને સ્થિરતા ગુણુથી સ્થિર કરવારૂપ કુંભક પ્રાણાયામ,-એમ સ્વભાવરૂપ ભાવ પ્રાણાયામ હાય છે. આ દૃષ્ટિવાળા યાગી પુરુષ પ્રાણ કરતાં પણ ધને નિઃસ ́શય ગુરુ-મેટા ગણે છે, એટલે તે ધર્મની ખાતર પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે પણ પ્રાણુની ખાતર ધર્મ ડતા નથી, એવા તે દૃઢાં હાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ચળવદિયાસગ્રંથ આમ સદાશયવાળા તે મુમુક્ષુ તત્ત્વશ્રવણુમાં તત્પર બની પ્રાર્થેા કરતાં પણ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારૂ પાણી છેાડી મીઠા પાણીના યાગથી ખીજ ઊગી નીકળે છે, તેમ તત્ત્વદ્ઘતિથી નરને યેગમીજ ઊગી નીકળે છે-પ્રરાદ્ધ પામે છે; અહીં સવ' સૉંસારયેાગ છે તે ખારા પાણી ખરાખર છે, અને તત્ત્વશ્રુતિ તે મધુર જલના જોગ સમાન છે. એથી કરીને આ તત્ત્વદ્યુતિથી મનુષ્યને સવ" ક્લ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને અન્ને લેાકમાં હિતાવહ એવુ... હાય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીથ કરન કહ્યું છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણુનુ એક કારણ છે. “ તત્ત્વશ્રવણુ મધુરાદકેજી, ઈંડાં ઢાય ખીજ પ્રરેાહ; ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભક્તિ અદ્રોહ....મનમાહન॰ ” છતાં અત્રે સૂક્ષ્મ મેધના નિષેધ કહ્યો તેનુ કારણ આ છે કૈસમકિત વિના તેવા આધ હાતા નથી. તેવા બેષ વેધસવેદ્ય પદ થકી હોય છે, તે અવેધસવેદ્ય પદમાં જોવામાં આવતા નથી. વેદ્ય એટલે અંધ-મેાક્ષહેતુરૂપ વેનીય વસ્તુ, તે વેધસ વેધ પદ જ્યાં સંવેદાય છે તે વેદ્યસંવેદ્ય પદ છે; તેથી કરીને સમ્યક્ હેતુ આદિ ભેદથી વિદ્વત્સમાજમાં જે તત્ત્વનિય થાય છે તે સૂક્ષ્માષ કહેવાય છે. તેવા સૂક્ષ્મખેષ હજુ આ દૃષ્ટિમાં હાતેા નથી, કારણ કે અહીં પહેલી ચાર દૃષ્ટિમાં અવેધસ વેદ્ય પદ પ્રખળ હાય છે ને વેદ્યસંવેદ્ય પદ પ"ખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું પડછાયારૂપ–તદાભાસરૂપ અતાત્ત્વિક હાય છે. અને વેદ્યસંવેદ્ય પદ જે છે તે તે પરમાથ થી અપદ જ છે, ચેાગીએનું પદ તે વેધસ વેધ પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેદ્યનુ જ્યાં સમ્યક્ સવેદન તથાપ્રકારની આગમથી વિશુદ્ધ એવી નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ્મ સમ્યક્ સ્થિતિવાળું હાઇ તે પદ' નામને બરાબર ચેાગ્ય છે. આવુ આ વેદ્યસંવેદ્ય પદ ભિન્નગ્રંથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળુ' છે. આ નૈૠયિક વેધસ વેધ પદ સાયિક સમ્યગ્દષ્ટિને જ હાય છે. અને તેના મહાપ્રભાવને લીધે, કમના અપરાધવશે કરીને પણ જો કવચિત્ પાપમાં પ્રવૃત્તિ થઇ જાય તે તે તમલેાહપદન્યાસ જેવી હોય, અર્થાત્ તપેલા લાઢા પર પગ મૂકતાં જેમ તરત પાછા ખેચાઇ જાય છે, તેમ આ સમ્યગ્— દૃષ્ટિને પણ પાપ કરતાં તરત આંચકા લાગે છે, તેમાં ઝાઝી સ્થિતિ નથી, અને મા પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હેાય છે. કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુન: દુગ'તિને યાગ હાતા નથી. તે પદ ગ્રંથિ વિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ; તપ્ત લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અત નિવૃત્તિ....મનમેાહન॰ ” તેનાથી વિપરીત તે અવેધસવેદ્ય ૫૬ છે. અને વજ્ર જેવું અભેદ્ય તે પદ્મ ભવાભિનંદી જીવને હેાય છે. આ ભાભિનંદી ક્ષુદ્ર, લેાલી, દીન, મત્સરવત, લચાકુલ, મઠ, Page #133 -------------------------------------------------------------------------- ________________ હોમદષ્ટિ હોમાષ્ટિનો સાર (૪૪૫) અજ્ઞાની અને નિષ્ફલ આરંભથી સંગત એવો હોય છે. એવા અવગુણઅઘસવેદ્ય વંતને બોધ અસત પરિણામથી અનુવિદ્ધ-પરોવાયેલ હોઈ વિષમિશ્રિત પદ અને જેમ સુંદર નથી હતો. એટલે આ અઘસ વેદ્ય પદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ ને વર્તમાનદશી હાઈ હિતાહિતના વિવેકમાં અંધ હોય છે, એટલે સંસારનું પ્રગટ દુઃખમય સ્વરૂપ દેખતાં છતાં તેઓ અતિમોહને લીધે તેથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, અને ભેગમાં આસક્ત રહી આ જડ જને પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે-બાંધે છે. કર્મભૂમિને વિષે મનુષ્યપણારૂપ પરમ ધર્મ બીજ પામીને પણ આ અલ્પમતિ જનો આ બીજની સત્કર્મરૂપ ખેતીમાં પ્રયત્ન કરતા નથી, પણ ગલ જેવા તુચ્છ ને દારુણ ઉદયવાળા કુસુખમાં સક્ત થઈ સચેષ્ટા-સતૂઆચરણ છોડી દે છે! અહો ! આવા આ દારુણ તમને ધિક્કાર છે! આવું આ અદ્યસંવેદ્ય પદ અધપણુરૂપ હેઈ દુર્ગતિમાં પાત કરનારું—પાડનારું છે, અને તે સત્સંગ-આગમ ગવડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતવા ગ્ય છે,-અન્ય સમયે જતાવું અશકય છે. “એવા અવગુણવંતનું જી, પદ જે અવેવ કઠોર સાધુસંગ આગમ તણાજી, તે જ ધુરંધર....મનમોહન” અને આ અવેધસંવેદ્ય પદ છતાયું હોય છે ત્યારે મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆપ નિયમથી ટળે છે. આ કુતર્ક બેધને ગરૂપ છે, શમને અપાયરૂપ, છે શ્રદ્ધાને ભંગ કરનાર અને અભિમાન ઉપજાવનાર છે. આમ કુતર્ક પ્રગટપણે વિષમ કુતર્કગ્રહ ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે. એટલા માટે મુમુક્ષુઓને આવા નિવૃત્તિ દુષ્ટ કુતર્ક માં અભિનિવેશ-આગ્રહ કર યુક્ત નથી, પણ કૃતમાં, શીલમાં, સમાધિમાં અને પરોપકારમાં તે કર યુક્ત છે. તેમજ – સર્વેય વિકલ્પ અવિદ્યાસંગત છે. અને તેઓની યોજનારૂપ આ કુતર્ક છે, તે એથી શું પ્રયોજન છે? વળી આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–zષણાભાસપ્રધાન છે, અને પ્રતીતિથી–ફલથી બાધિત છે. હાથી મારવા દોડતે હોય ત્યારે આ હાથી દૂર રહેલાને હણશે કે નિકટ રહેલાને હણશે? એવા મૂખ વિકલ્પ જેવો આ કુતર્ક છે. ઈત્યાદિ અનેક પ્રકારના દેષ આ કુતર્કથી ઉપજે છે તેથી આવા દુષ્ટ અનિષ્ટ કુતર્કનું શું કામ છે? અને વિચારવંત જીવોને પ્રયાસ તો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તકને ગોચર હેતે નથી, પણ આગમને જ ગોચર હોય છે એટલે આ આગમપ્રધાન, સલ્ટાદ્ધ, શીલવાન એ યોગતત્પર પુરુષ અતીન્દ્રિય અર્થોને જાણે છે, અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે-“આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી એમ પ્રજ્ઞાને ત્રણ પ્રકારે પ્રયોજતાં પુરુષ ઉત્તમ તત્ત્વને પામે છે.” અને તત્વથી ઘણા સર્વ ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માને તે તેના Page #134 -------------------------------------------------------------------------- ________________ (૪૪૬) ગદષ્ટિસમુચ્ચય અતિભક્તોને મહ છે. કારણ કે સર્વજ્ઞ નામનો જે કઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ છતાં તત્વથી સર્વત્ર એક જ છે. તેથી તેની સામાન્યથી જ જેટલાઓની સર્વજ્ઞ તવ પ્રતિપત્તિ-માન્યતા છે, તે સર્વેય તેને પામેલા છે એવી પર ન્યાયગતિ અભેદ છે. અને તેને વિશેષ તે સંપૂર્ણપણે સર્વ અસવદશીએથી જણાતે નથી, તેથી સામાન્યથી પણ એ સર્વજ્ઞને જે નિર્વ્યાજ પણે-નિષ્કપટપણે તેના આજ્ઞાપાલનમાં તત્પર થઈ માનતા હોય, તે તેટલા અંશથી જ ધીમે તેને મન તુલ્ય જ છે,-એક રાજાના ઘણુ સેવકની જેમ. અત્રે બીજી યુક્તિ પણ છે.–દેવની ભક્તિ બે પ્રકારની છે–ચિત્ર અને અચિત્ર. તેમાં જે સંસારી દે છે તેની ભક્તિ વિચિત્ર પ્રકારની છે, કારણ કે તેઓનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે, અને તે ભક્તિમાં મોહગર્ભપણને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ અને અનિષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય છે. પણ સંસારતીત એવા પર મુક્ત તત્વની જે ભક્તિ છે, તે અચિત્ર છે, અને તે સંમેહના અભાવને લીધે શમસારા જ-શમપ્રધાન જ હોય છે. “નહિં સર્વ જજુઆ, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ.મનમોહન” તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંધિ-આશય પ્રમાણે ભિન્ન ફળ હોય છે, અને તે જ આશય અહીં કૃષિકર્મમાં પાણીની પેઠે પરમ છે–પ્રધાન છે. આ આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેધના ભેદ પ્રમાણે બુદ્ધિ-જ્ઞાન- અનેક પ્રકારના ભેદ વાળ હોય છે, કારણ કે બે ત્રણ પ્રકારને હેાય છે: અસંમોહ (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન, (૩) અસંમેહ. તે બધથકી સર્વ કર્મોમાં ભેદ પડે છે. તેમાં ઇક્રિયાથને આશ્રય કરે તે બુદ્ધિ છે, આગમપૂર્વક હોય તે જ્ઞાન છે, અને સદનુષ્ઠાન યુક્ત જે જ્ઞાન તે અસહ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિશ્વ, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, તજજ્ઞ બુધજનની સેવા, અને તેમને અનુગ્રહએ આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. પ્રાણીઓના સર્વ કર્મો સામાન્યથી બુદ્ધિપૂર્વક હોય છે, અને વિપાકવિરસપણને લીધે તે સંસારફલ આપનારા છે. કુલગીના જે કર્મ છે તે જ્ઞાનપૂર્વક હોય છે, અને તે અમૃત સમી શ્રુતશક્તિના સમાવેશથી અનુબંધફલપણુંથકી મુક્તિને અંગરૂપ હોય છે, અને અસંમેહથી ઉપજતા કર્મો એકાંત પરિશુદ્ધિથકી શીધ્ર મેક્ષફળ આપનારા હોય છે આ અસંમેહ કર્મ ભવાતીત અથગામી મુમુક્ષુઓને જ હોય છે. “બુદ્ધિ ક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ; અસંમેહ કિરિયા દીએજી, શીવ્ર મુગતિફલ ચંગ....મનમેહન” અહીં પ્રાકૃત ભાવોમાં-કારમી પુદ્ગલ રચનામાં જેનું ચિત્ત નિરુત્સુક છે, તે ભવ Page #135 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાણિ : વાદૃષ્ટિના સાર (૪૪૭ ) ભાગવિરક્ત જને ભવાતીત અગામી છે. તેના માર્ગ એક જ શમપરાયણ એવે છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાની જેમ એક જ છે, કારણ કે સંસારાતીત પર તત્ત્વ ' નિર્વાણુ ' નામનું છે, તે શબ્દભેદ છતાં તત્ત્વથી નિયમથી એક જ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દોથી અન્યથી ઓળખાતું તે એક જ છે. કારણકે તેના લક્ષણુના અવિસંવાદથી નિરામાધ, નિરામય અને નિષ્ક્રિય એવું આ પર તત્ત્વ જન્માદિના અચેાગ્યથી હાય છે. એટલે અસમાહથી તત્ત્વથી આ નિર્વાણુતત્ત્વ જાણવામાં આળ્યે, પ્રેક્ષાવાને તેની ભક્તિની ખાખતમાં વિવાદ ઘટતા જ નથી. અને આ નિર્વાણુ તત્ત્વ નિયમથી જ સજ્ઞપૂર્વક સ્થિત છે. આ સર્વજ્ઞરૂપઋજુ મા નિર્વાણુને નિકટમાં નિકટ માગ છે, તે તે સજ્ઞના ભેદ કેમ હાય ? અને તે ન હેાય તા તેના ભક્તોને ભેદ્ય સુમુક્ષુના એક જ શમમા નિર્વાણુ તત્ત્વ એક જ કેમ હાય? ઃઃ પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણેાજી, ભેદ લહે જગ દીન....મન૰” ત્યારે સ્હેજે શ ́કા થશે કે તે પછી તે સજ્ઞાની દેશનાને ભેદ કેમ છે ? તેનું સમાધાન એમ છે કે શિષ્યના આનુગુણ્યથી-ગુણુ થાય એવા અનુકૂળપણાથી તે ચિત્ર-નાના પ્રકારની છે. કારણ કે ભવરાગના આ ભિષવરાએ જેને જે પ્રકારે ખીજાધાન આદિના સભવ થાય તેને તેવા પ્રકારે ઉપદેશ દ્વીધા છે. અથવા તે ખીજું કારણ એમ છે કે એએની દેશના એક છતાં શ્રોતાઓના વિભેદથી તેઓના અચિન્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે, અને તેનાથી તે સર્વના યથાભવ્ય-ચૈાન્યતા પ્રમાણે ઉપકાર પણ થાય છે. અથવા તે તે તે દેશ-કાલાગ્નિના નિયેાગથી તે તે નયઅપેક્ષાવાળી ચિત્ર દેશના ઋષિઓ થકી જ પ્રવત્તી છે, અને આ ઋષિદેશનાનુ મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે સજ્ઞને અભિપ્રાય જાણ્યા વિના તેના પ્રતિક્ષેપ-વિરાધ કરવા યુક્ત નથી, કારણ કે તે પ્રતિક્ષેપ પરમ મહા અનર્થંકર છે. એટલે આ સર્વજ્ઞ વિષયમાં અધ જેવા છદ્મસ્થાએ વાદવિવાદ કરવા યુક્ત નથી, માટે મિથ્યાભિમાન હેતુપણાને લીધે શુષ્ક તક ગ્રહ મુમુક્ષુએ સર્વથા છેાડી દેવા ચેાગ્ય જ છે. મુમુક્ષુને તા તત્ત્વથી સČત્ર ગ્રહ અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્માં પણ છેડી દેવા પડે છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું? દેશના ભિન્નતાના ખુલાસા કુતર્ક ગ્રહ ત્યાજ્ય “ ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધમ સન્યાસ; તા ઝઘડા અઞા તણેાજી, મુનિને કવણુ અભ્યાસ ?....મન” Page #136 -------------------------------------------------------------------------- ________________ (૪૪૮) ગદસિમુદાય તેથી મહતુ પુરુષના માર્ગને સમ્યકપણે આશ્રી વિચક્ષણેએ તેના અતિક્રમ રહિતપણે યથાન્યાય વર્તવા યોગ્ય છે. તે મહતુ પુરુષોને માર્ગ સામાન્યથી સંક્ષેપમાં આ છે :(૧) અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી વજેવી, (૨) પરોપકારમાં સદૈવ યત્ન કરે, (૩) ગુરુએ, દેવતા, વિપ્રો, અને તપોધન યતિએ-એ મહાત્માઓને સુપ્રયત્ન ચિત્તથી યથાયોગ્યપણે પૂજવા, (૪) પિતાના કર્મોથી જ અત્યંત હણાયેલા એવા મહાપાપી પ્રાણીઓ પ્રત્યે પણ અત્યંત અનુકંપા રાખવી, –નહીં કે મત્સર. આ ધર્મ ઉત્તમ છે. ઈત્યાદિ ગુણગણ પ્રાપ્ત કરી, જે સર્વ કુતર્ક-અભિનિવેશ ત્યજી ચાર દૃષ્ટિ પામે છે, તે હવે અમૃત ઘનવૃષ્ટિ સમી પાંચમી થિરા દૃષ્ટિ પામશે. “અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ. ...મનમોહન જિનાજી! મીઠી તાહરી વાણુ.” છે. દ. સક્ઝાય યોગદષ્ટિ કળશ કાવ્ય ઃ શાલિનીઃ દીપામાંહી દીપ શા બોધ દીપે, દીપતિ તે ચિત્ત ઉત્થાન ઝીપે; પ્રાણાયામે આત્મને તે ભરે છે, ને પ્રીતેથી તત્ત્વશ્રુતિ કરે છે. ૫૭ બાહિરભાવે રેચકે બહાર કાઢે, અંતરભાવ પૂરકે ગાઢ વાધે; તેને યોગી કુંભકે સ્થિર ધારે, ભાવે પ્રાણાયામ તે આમ ત્યારે. ૫૮ પ્રાણાયામે પૂર્ણ તે એહ સ્થાને, પ્રાણથીયે ધર્મ મેટો જ માને, પ્રાણેને તે ધર્મ અર્થે ત્યજે છે, ના પ્રાણથે ધર્મને તે ત્યજે છે. ૫૯ સુહદ્ સાચે એક ધર્મ થાયે, મૂઆની યે પાછળે જેહ જાયે; બાકી બીજું તે બધુ બળે છે, કાયા સાથે ખાખમાંહી ભળે છે. ૬૦ આવી રૂડી ધર્મની ભાવનાથી, તત્ત્વશ્રુતિ તત્પર થાય આથી; પ્રાણથીયે ધર્મ માટે કહે છે, શણુ” તેનું ભક્તિભાવે ગ્રહે છે. ૬૧ ખારું પાણી છોડી મીઠા જલેથી, આવે બીજે અકરા જે રૉતેથી તેવી રીતે તત્વશ્રુતિ પ્રભાવે, અંકુરા તે યોગના બીજ પાવે. દર ખારા પાણી તુલ્ય સંસાર પાણી, તવશ્રુતિ મિષ્ટ વારિ સમાણી, કલ્યાણ સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લ્હાવો મળે છે. ૬૩ શ્રી સદ્ગુરુ ભક્તિ કેરા પ્રભાવે, તીર્થ સ્વામી દર્શન પ્રાપ્ત થાવે; ધ્યાને સ્પશી” તે સમાપત્તિ ભાવે,-નિર્વાણે જે એક હેતુ ધરાવે. ૬૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ કળસ ક્ષત્ર (૪૯) ઉપજાતિ તે ન હોયે અહિં સક્ષમ છે, તે વેદસંવેદ્ય પદે સુધ તે વેધસંવેદ્ય ન અત્ર હોય, અવેવસંવેદ્ય જ ઉગ્ર જોય. ૬૫ જે વેવસંવેદ્ય પદે ઠરે છે, ભવાંબુધિ શીધ્ર જ તે તરે છે; ને વા તે કર્મરૂપી વિભેદે, સત્તત્વથી રેય સમગ્ર વેદ. ૬૬ આ વેદ્યસંવેદ્ય પદ પ્રભાવે, પાપે પ્રવૃત્તિ કદીયે ન થા; ને કદોષે યદિ તે પ્રવૃત્તિ, તે તસલેહપદન્યાસ વૃત્તિ. ૬૭ જે વેદ્યસંવેદ્ય પદે વસે છે, સંવેગરગે અતિ તે હસે છે; તેથી જ છેલ્લી તસ પાપવૃત્તિ, ના દુર્ગતિની ફરને પ્રવૃત્તિ. ૬૮ આ વેવસંવેદ્ય તણા અભાવે, અદ્યસંવેદ્ય તણા જ ભાવે; ન અત્ર તત્વે કદી સૂક્ષ્મ બેધ, પરંતુ હેયે કંઈ સ્કૂલ બંધ ૬૯ ના તત્વથી તે “પદ” છે અવેદ્ય, છે ગીનું પદ એક વેદ્ય સમ્યફ સ્થિતિથી “પટ” તે જ સાચું, ને ગ્રંથિભેદાદિ સ્વરૂપ જાચું. ૭૦ અવેદ્ય તે છે વિપરીત તેથી, ભવાભિનંદી તસ પાત્ર એથી; અસત્ પરિણામી ન બે ચારુ, ક્યું વિષસંપૂક્ત ન અન્ન સારૂં. ૭૧ એથી વિપર્યાસી અવેદ્યવંતા, હિતાહિતે હેય વિવેક અંધા; આ લેક મીઠા પર કોણ દીઠા? એવું વિચારે જન મોહ મૂઠા. ૭૨ સંસાર જન્માદિથી દુઃખી દેખે, ઉદ્વેજતા તેય ન મેહ લેખે ! કુકૃત્ય તે કૃત્ય અકૃત્ય કૃત્ય, ભાસે–સ્વ પાશ કરી તે કુકૃત્ય. ૭૩ લે કર્મભોમે નર ધર્મબીજ, સત્ કર્મ ખેતી મૂઢ ના કરે જ; દાણ ફૂડા કુસુખે જ રાચી, ચેષ્ટા ત્યજે તે જડ સર્વ સાચી. ૭૪ અવેદ્ય આ અંધપણું નઠારું, છે દુર્ગતિમાંહિ જ પાડનારૂં; તે તે જીતે આ જ સુદષ્ટિ વેગે, સતસંગ સત્ આગમના સુગે. ૭૫ ને આ જીંતાતાં નિયમે નકી જ, સ્વત: નરેને અતિ તત્વથી જ; કુતર્ક ગ્રાહે વસમો ટળે છે, જે જીવને તે ગ્રહ શો નડે છે. ૭૬ આ રેગ બધે, શહાણકારી, શ્રદ્ધાપહારી અભિમાનકારી; કુતર્ક પ્રત્યક્ષ અનેક રીતે, છે ચિત્તને ભાવરિપુ જ નિત્યે. ૭૭ તેથી કુતકે ગ્રહ ના જ યુક્ત, સમાધિ ને શીલ શ્રતે સુયુક્ત; પરોપકારે પણ સુવિશુદ્ધ,–જે ચગીને બીજ અવધ્ય સિદ્ધ. ૭૮ મુમુક્ષુ તે શ્રાદ્ધ શ્રુતપ્રધાન, વૈ યેગમાં તત્પર શીલવાન; પદાર્થ અતીન્દ્રિય અત્ર જાણે, પ્રજ્ઞાબલે ઉત્તમ તત્ત્વ પામે ૭૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ (૪૫૦) ઇદ્રવંશા (વંશસ્થ) સર્વજ્ઞ ઝાઝા નથી ભિન્ન તત્વથી, તભેદ માને અતિભક્ત મોહથી; સર્વજ્ઞ જે કઈ ખરેખર જ છે, તે વ્યક્તિ ભેદે પણ એક સર્વ છે. તેને જ સામાન્યથ જેહ માનતા, ધીમંતને તે સહુની સમાનતા; એક રાજાશ્રિત સેવકે બહુ, નિયુક્તિ ભેદે પણ મૃત્યુ તે સહુ. ૮૧ સર્વજ્ઞ સતું તત્ત્વ તણું અભેદથી, સર્વજ્ઞવાદી મહિં ભેદ તે નથી; ઉપાસ્ય જો એક ઉપાસકો મહીં, આચાર ભેદે પણ ભિન્નતા નહિં. ૮૨ સર્વેથ સર્વજ્ઞ મહાત્મને ખરે ! તેથી નથી તત્ત્વથી ભેદ આખરે; નામાદિનું ભિન્નપણું ભલે હવું, સમ્યફ મહાત્મા જન એહ ભાવવું. ૮૩ શાલિની ચિત્રાચિત્ર ભક્તિ જે દેવ કેરી, સશાસ્ત્રોમાં કેગના વર્ણવેલી, તેથીયે આ વસ્તુ તે પુષ્ટિ પાવે, સર્વની એક્તા સિદ્ધ થા. જે સંસારી દેવકાયે જનારા, તે સંસારી દેવમાં ભક્તિ ધાર જે સંસારાતીત અર્થે જનારા, તે તે તેહી તત્ત્વમાં ભક્તિકારા. ૮૫ તે સંસારી દેવની ભકિત ચિત્ર, તેના રાગે અન્ય દ્વેષે સહિત, ને સંસારાતીત તવે અચિત્ર, ભક્તિ સર્વે શંસારા પવિત્ર. તે સંસારી દેવના સ્થાન ચિત્ર, સ્થિતિ આદિ સૌ પ્રકારે વિચિત્ર; તેથી તેને સાધને પાય ચિત્ર, રસ્તે જુદા પુર ના અચિત્ર. કા એકે આશયને વિભેદ, તેથી તે તત્ ફલોનેય ભેદ, હોયે હેતુ આશયો મુખ્ય આંહી, જેવી રીતે પાણી તે ખેતીમાંહિ. ભોક્તા નાના તત લે એહ ઠામે, તે લોકોના આશયો ભેદ પામે; રાગાદિના તારતમ્ય પ્રમાણે, ને બુદ્ધયાદિ બોધભેદ પ્રમાણે, બુદ્ધિ જ્ઞાન ને અસંહદ્વારા, ભાખ્યા શાસે બેધના ત્રિપ્રકાર; તેના ભેદે સર્વ પ્રાણીગણના, ક સ પામતા ભેદ નાના. ઇદ્રિ બુદ્ધિ તે આશ્રનારી, હોયે અને જ્ઞાન શાસ્ત્રાનુસારી; ને સત્ ક્રિયા યુક્ત જે જ્ઞાન આમ, તેને આપ્યું છે “અસંમેહ' નામ. દિયા પ્રત્યે આદર પ્રીતિ ભારી, નિર્વિધ્ધ શ્રી સંપદાલબ્ધિ સારી; જિજ્ઞાસા ને તજજ્ઞ સેવા સુજાણે ! સકિયાનાં લક્ષણે એહ જાણે. ૯૨ બુદ્ધિપૂર્વ પ્રાણીના કમ સર્વ, તે તે સંસારી ફલે થે જ સર્વ; શાસ્ત્રાનુસારીપણું ને જ્યાંહિ, વિપાકે તે વિરસા હોય આંહિ. ૯૩ : Page #139 -------------------------------------------------------------------------- ________________ હિ ; કળસ કાવ્ય (૪૫૧) ને કર્મો જે જ્ઞાનપૂર્વ જુઓને! તે મુકવ્યંગા કુલગી જોને; સુધા જેવી શ્રુતશક્તિ પ્રભાવે, સાનુબંધી સતફ તે જ પાવે. ૯૪ કર્યો હોય જે અસંમેહજન્ય, તે તે આપે શીધ્ર નિર્વાણ ધન્ય; જે સંસારાતીત તત્ તત્ત્વગામી, તે એકાંતે શુદ્ધિથી સિદ્ધિ સ્વામી. ૫ જેનું ચિત્ત પ્રાકૃતાર્થે ન સક્ત, જે સંસારી ભોગ પ્રત્યે વિરક્ત; એવા જીવન્મુક્ત જે આત્મરામી, તે સંસારાતીત તત્ તત્વગામી. ૯૬ એવા તે સંતે તણે માર્ગ એક, “ક્ષતિમો ” સંમનિષ્ઠો જ છેક; હેયે ઝાઝા તદ્ દશા ભેદ તેયે, અબ્ધિમાં ક્યું તીરને માગ હેયે. ૯૭ તે સંસારાતીત તત્ત્વ પર તે, છે નિર્વાણું નામ સંગાધરે તે; તે તે નિશ્ચે તત્વથી એક હોયે, સિદ્ધાત્માદિ શબ્દભેદો છતાંયે. ૯૮ આ નિર્વાણ તત્વને તત્વથી જ, સમ્યફ જાયે એ અસંમેહથી જ તેની ભક્તિમાં વિવેકી જનેને, વિવાદે તે ના ઘટે રે! જુઓને ! ૯૯ ને નિર્વાણ હોય સર્વજ્ઞપૂર્વ, મુક્તો પૂર્વે હોય સર્વજ્ઞ સર્વ આ સર્વજ્ઞ બાજુ નિર્વાણમાગ, તેથી તેને કેમ રે! હાય ભેદ? ૧૦૦ સર્વની દેશના ચિત્ર જેહ, કલ્યાણાર્થે શિષ્યના ઉક્ત તેહ, જેને ઊગે બેધબીજાદિ જેમ, તેને બેઠું જન્મવૈધે જ તેમ. ૧૦૧ શ્રોતાભેદે દેશના એક તેય, ચિત્રા ભાસે! પુણ્ય સામર્થ્ય જે એ! સૌ ભવ્યને તેથી ઉપકાર હોયે, ને આ રીતે તદ્ અવધ્યત્વ રહે. ૧૦૨ વા ઋષિની દેશના ચિત્ર હોય, તે તે કાલાદિ અપેક્ષા જ જોયે; ને તેનું મૂલ સર્વજ્ઞ જાણે, સર્વજ્ઞવાક્ સિંધુ બિન્દુ પ્રમાણો. ૧૦૩ વિના જાણે આશય તાસ આંહિતેને પ્રત્યાક્ષેપ તે યુક્ત નાંહિ; આને દુર્વાદ ભાખે કદી કે, તે તે જિવાદથી છે અધિક. ૧૦૪ સર્વજ્ઞાદિ આ અતીદિય હેયે, વિના ગીજ્ઞાન નિણત ને, એથી અત્રે અંધ જેવા જના, વિવાદેનું કામ કાંઈ જ છે ના. ૧૦૫ અનુષ્ય શુષ્ક તક તણે તેથી, ગ્રહ રૌદ્ર મહા અતિ, મિથ્યાભિમાનને હેતુ, ત્યજે મુમુક્ષુ સન્મતિ. ૧૦૬ તત્વથી ગ્રહ સર્વત્ર, મુમુક્ષુને ઘટે નહિં; ધર્મેય મુક્તિમાં ત્યા, તે આ ગ્રહથી શું અહિં? ૧૦૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ (૫૨) ગદષ્ટિસમુચિ વૈતાલીય અહિં આત્મ જ એક શાશ્વતે, તસ છે ધર્મ જ એક શાશ્વતે; ભજી ધર્મ જ તે સનાતને, જન યેગી પદ લે સનાતને. ૧૦૮ મત દર્શન આગ્રહ ત્યજી, પથ સત્ સંત મહંતને ભજી; સત ભક્તિપરાયણ થવું, અનુકંપામય ચિત્ત ધારવું. ૧૦૯ પરપીડન સૂમ વર્જવું, ઉપકારે નિત ચિત્ત અપવું; પૂજવા ગુરુ આદિ સાદરા, થવું પાપી પ્રતિયે દયાપરા. ૧૧૦ વિષ આગ્રહનું જ વામશે, સમકિતામૃત તેહ પામશે; મનનંદન ધામ જામશે, ભગવાનદાસ અમૃતત્વ પામશે. ૧૧૧ ॥ इति महर्षिश्रीहरिभद्गाचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन *सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने चतुर्थी दीपादृष्टिः॥ જ આ મસ્કત વિવેચનનું આ ‘સુમને નંદની” બહત ટીકાનામ રાખ્યું છે ભગવાનદાસ (“મને નંદન') Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્થિરા દષ્ટિ એમ સપ્રપંચ થી દષ્ટિ કહી, પાંચમી કહી દેખાડવા માટે કહે છે– स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४ ।। દર્શન નિત્ય સ્થિરમહીં, પ્રત્યાહારથી યુક્ત; કૃત્ય અબ્રાંત અદોષ ને સુક્ષ્મ બેધ સંયુક્ત, ૧૫૪. અર્થ –સ્થિર દૃષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે; તથા કૃત્ય અબ્રાંત, અનઘ (નિર્દોષ), ને સૂક્ષમધ સંયુક્ત એવું હોય છે. વિવેચન દષ્ટિ થિરામાંહિ દર્શન નિયે, રત્નપ્રભા સમ જાણે રે; ભ્રાંતિ નહિ વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે. તે ગુણ વીર તણે ન વિસારું.” શ્રી એ. ૬સક્ઝાય. ૬-૧. સ્થિરા નામની પાંચમી ગદષ્ટિમાં-નિરતિચાર એવીમાં દર્શન નિત્ય-અપ્રતિપાતી હોય છે, અને સાતિચારમાં અનિત્ય પણ હોય છે અને તે દર્શન પ્રત્યાહારથી યુક્ત એવું કૃત્તિ – ચિરા-સ્થિરા દૃષ્ટિમાં, નૈ-દર્શન, બેધલક્ષણવાળું, નિત્યં-નિત્ય, અપ્રતિપાતી,-નિરતિચાર એવી દષ્ટિમાં; અને સાતિચારમાં તે-જેને નયનપટલને (આંખના પડદાને) ઉપદ્રવ પ્રક્ષીણ છે તેને તેના ઉલ્કાપાદિના અનવબોધ જેવું,-અનિત્ય પણ હોય છે,–તેવા પ્રકારના અતિયારના ભાવને લીધે. રત્નપ્રભામાં પણ લિ આદિને ઉપદ્રવ હોય છે. પ્રત્યાહાહા -અને પ્રત્યાહારવાળું જ. હવિષયાસંકોને વિત્તહાન જ રેન્દ્રિયાળાં ત્યાદા સ્વવિષયના અસંપ્રયોગે સ્વચિત્તસ્વરૂપને અનુકારી એવો દકિયેનો પ્રત્યાહાર, તેનાથી યુક્ત એવું આ દર્શન છે. ત્યા-કય, વંદનાદિ ક્રિા, અબ્રાન્ત-અબ્રાંત-કમને અધિક્ત કરીનેઆશ્રીને, એટલા માટે જ જનપં-અના, નિષ્પાપ-નિર્દોષ,-અનતિચારપણને લીધે. એને જ વિશેષણ અાપે છે. સહારોપસમવિભૂ-સૂક્ષ્મધ સંયુક્ત,ગ્રંથિભેદ થકી ઘસવેદ્યપદની ઉ૫પત્તિને લીધે. Page #142 -------------------------------------------------------------------------- ________________ (૪૫૪) ગદષ્ટિસમુચ્ચય હોય છે. તથા અત્રે વંદનાદિ ક્રિયા ક્રમની અપેક્ષાએ અબ્રાંત, નિર્દોષ-નિરતિચાર હોય છે; અને એટલે જ તે સુમબેધ સહિત એવી હોય છે. કારણ કે ગ્રંથિભેદથી અહીં વેદસંવેદ્યપદની પ્રાપ્તિ હેય છે. આમ આગળ કહેલા ક્રમ પ્રમાણે અહીં પાંચમી દષ્ટિમાં(૧) દર્શન રત્નપ્રભા સમાન હોય છે, (૨) યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર સાંપડે છે, (૩) બ્રાંતિ નામને પાંચમે ચિત્તદોષ નષ્ટ થાય છે, (૪) બોધ નામને પાંચ ગુણ પ્રગટે છે. નિત્ય દર્શનઃ રત્નપ્રભા સમ સ્થિર દષ્ટિ બે પ્રકારે છે-(૧) નિરતિચાર, (૨) સાતિચાર. નિરતિચાર દષ્ટિમાં જે દર્શન થાય છે તે નિત્ય-અપ્રતિપાતી હોય છે, જેમ છે તેમ અવસ્થિત રહે છે; અને સાતિચારમાં જે દર્શન થાય છે, તે અનિત્ય પણ હોય છે,–જૂનાધિક થયા કરે છે, જેમ છે તેમ અવસ્થિત રહેતું નથી. આ દૃષ્ટિના દર્શન–બેધને રત્નપ્રભાની ઉપમા છાજે છે, કારણ કે રત્નની પ્રભા દીપપ્રભા કરતાં અધિક હોય તેમ આ દૃષ્ટિને બોધ ચોથી દીપ્રા દષ્ટિ કરતાં ઘણું વધારે હોય છે. દીપકની પ્રભા તેલ વગેરે બાહ્ય કારણેને અવલંબી હોય છે, “રત્નપ્રભા જ્યાં લગી તેલ હોય ત્યાં સુધી દીપક પ્રકાશે છે, એટલે તે અસ્થિર હોય સમ જાણે રે છે, પણ રત્નની પ્રભા તેવા બાહ્ય કારણોને અવલંબતી નથી, તે તે સ્વાવલંબી છે, એટલે તે સ્થિર રહે છે-કદી નાશ પામતી નથી. તેમ આ દૃષ્ટિને બોધ આત્માવલંબી છે, પર કારણને અપેક્ષત નથી-પરાવલંબી નથી, અપરોક્ષ છે, અને આમ આ બોધ આત્માલંબી પ્રત્યક્ષ આત્માનુભવરૂપ હોવાથી સ્થિર રહે છે, કદી નાશ પામતું નથી. તેમાં-(૧) નિરતિચાર સ્થિર દષ્ટિને બોધ નિર્મલ રત્નપ્રભા જેવો હોઈ, નિમલપણાએ કરીને નિત્ય-સદા સ્થિર એકરૂપ હોય છે, અપ્રતિપાતી હોય છે, જે છે તે અવસ્થિત રહે છે. અને (૨) સાતિચાર સ્થિર દષ્ટિને બંધ સમલ રત્નપ્રભા જેવો હોઈ, અતિચારરૂપ સમલપણાને લીધે અનિત્ય-અસ્થિર હોય છે, સદા એકરૂપ રહેતો નથી, મલાપગમ પ્રમાણે ચૂનાધિક થયા કરે છે. રત્ન ઉપર જેમ ધૂલ વગેરે ઉપદ્રવ સંભવે છે, અને તે ધૂલ વગેરેને લીધે તેની પ્રભા પણ અસ્થિર આંદોલનવાળી હોય છે–ચૂનાધિક ઝાંખી વધારે થાય છે, પણ મૂલથી નષ્ટ થતી નથી એટલે સ્થિર રહે છે તેમ આ દષ્ટિને બંધ અતિચારરૂપ મલને લીધે અસ્થિર આંદોલનવાળ-અનિત્ય હોય છે, ક્ષયપશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે, પણ મૂલથી નષ્ટ થત નથી, એટલે સ્થિર રહે છે. જેમ કોઈની આંખ ઊઠી હેય ને તે મટવા આવી હોય, તેને તેના ઉોપ આદિની અસર માલૂમ પડતી નથી, તેની આંખ હવે ખૂબ લાલઘૂમ દેખાતી નથી, તેને પીડા પણ Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિ: “રદી૫ક અતિ દી૫તા હે લાલ (૪૫૫) થતી નથી, છતાં હજુ કંઈક વિકારની અસરથી તે આંખ મટમટાવ્યા કરે છે, ને વચ્ચે વચ્ચે ઝાંખું ઝાંખું દેખે છે, તેમ સાતિચાર દષ્ટિવાળાને દષ્ટિરોગ મટવા આવ્યો છે, એટલે તેને તેના ઉકોપ આદિની અસર માલુમ પડતી નથી, દષ્ટિરાગ પણ દેખાતું નથી, અને તજજન્ય પીડા પણ થતી નથી, છતાં હજુ કંઈ અતિચારરૂપ વિકારને લીધે દર્શનમાં ક્ષપશમ થયા કરે છે, વધઘટ થયા કરે છે. આમ સાતિચાર સ્થિર દૃષ્ટિમાં દર્શનની ન્યૂનાધિકતારૂપ અસ્થિરતા,-અનિત્યતા નીપજે છે. છતાં આ ‘સ્થિરા” દૃષ્ટિ તે એના નામ પ્રમાણે સ્થિર જ રહે છે, અપ્રતિપાતી જ હોય છે, આવ્યા પછી કદી પડતી નથી, એ પૂર્વોક્ત નિયમ તે કાયમ રહે છે. કારણ કે પ્રારંભમાં કહેવામાં આવ્યું હતું કે સ્થિર આદિ છેલ્લી ચાર દષ્ટિ અપ્રતિપાતી છે. આમ આ સ્થિર દષ્ટિ અપ્રતિપાતી છે, છતાં તેમાં-નિરતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે નિત્ય-અપ્રતિપાતી છે અને સાતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે અનિત્ય-પ્રતિપાતી પણ છે, એને આશય ઉપરમાં વિવરવામાં આવ્યું છે તે ઉપરથી સ્પષ્ટ થઈ જશે. આ દૃષ્ટિમાં થતું દર્શન, નેત્રરોગ દૂર થતાં ઉપજતા દશન જેવું છે. જેમ આંખને રોગ મટી જતાં–આંખનું પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે, તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ મેહસંતાનથી ઉપજેલે દેહ-આત્માની ઐક્ય. દષ્ટિગ નષ્ટ બુદ્ધિરૂપ દષ્ટિરોગ દૂર થતાં ને દર્શનમોહને પડદો હટી જતાં, તક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્યગ્ર દર્શન થાય છે. એટલે આ સાક્ષાત્ દષ્ટા એવા સમ્યગદષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે, અને તે સમજે છે કે હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એવો આત્મા છું. અન્ય કંઈ પણ પરમાણું માત્ર પણ હારું નથી.” (જુએ પૃ. ૬૮ ) . આ દશન–બોધને રત્નદીપકની ઉપમા બરાબર બંધ બેસે છે. કારણ કે (૧) રત્નપ્રદીપથી જેમ શાંત પ્રકાશ પથરાય છે ને અંધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ દર્શનરૂપ રત્નપ્રદીપ મનમંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ રત્નદીપક પ્રકાશ પ્રકાશે છે, મોહ અંધકાર વિલય પામે છે, “મિટે તે મોહ અતિ દીપતે અંધાર. (૨) રત્નપ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હોતી નથી ને હે લાલ ચિત્રામણ ચળતું નથી, તેમ સમ્યગદર્શન રત્ન જ્યારે “અનુભવ -તેજે ઝળહળે છે, ત્યારે કષાયરૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, “ધૂમ કષાય ન રેખ” અને ચારિત્રરૂપ ચિત્રામણ ચળતું નથી. “ચરણ ચિત્રામણ નવિ ચળે છે લાલ.” (૩) રત્નદીપ બીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, “ પાત્ર કરે નહિં હેઠ,” તેમ આ સમ્યગદર્શન રત્ન તેના પાત્રને અધ:-નીચે કરતું નથી, અર્થાત્ તેનું પાત્ર અધોગતિને પામતું નથી. (૪) રત્નદીપ તે કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગદર્શન રત્નનું તેજ તે સૂયતેજથી છૂપાતું નથી. (૫) રત્નદીપનું Page #144 -------------------------------------------------------------------------- ________________ (૪૫૬) યોગદૃષ્ટિસમુચ્ચય 6 , તેજ તા સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ સ તેજનુ તેજ એવું આ સમ્યગ્દ નરત્નનુ તેજ તા અનુભવપ્રયાગની ખળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. ( ૬ ) રત્નદીપક જેમ પવનથી એલવાતા નથી અને ચંચલતા–અસ્થિરતા પામતા નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રનદીપ માહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતાઅસ્થિરતા પામતા નથી. ઘાર પરીષહ કે ઉપસગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જો. ' ( જુએ ફૂટનોટ પૃ. ૬૮). (૭) રત્નદીપક સદા રમ્ય-સુંદર દેખાય છે અને ક્ષીણુ–કૃશ થતા નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીપ સદા રમણીય-સુંદર દેખાય છે, તથા પુષ્ટ ગુણે નવ કૃશ રહે હો લાલ ’-પુષ્ટ ગુણે કરીને કદી પણ કૃશ ક્ષીણ થતા નથી, દૂબળા પડતા નથી, પણ આત્મધર્માંની ઉત્તરાત્તર પુષ્ટિથી નિર'તર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા દશા' અર્થાત્ વાટ ખળતી નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીવામાં પુદ્દગલરૂપ તેલ નાંખવુ. પડતું નથી, અર્થાત્ પરભાવનુ આલ'બન હેતુ નથી, તથા શુદ્ધ આત્મદશા ખળતી નથી, જેહ ન જીદ્દ દશા દહે હૈ। લાલ,' અર્થાત્ શુદ્દે આત્મભાવમાં સ્થિતિ રહે છે.-રત્નદીપકના રૂપક પરથી ફલિત થતા આ સ॰ ચમત્કારિક ભાવ કવિવર યવિજયજીએ પેાતાના આ અમર કાવ્યમાં અદ્ભુત રીતે સંગીત કર્યો છેઃ— • · સાહેલાં હું કુંથ્રુ જિનેશ્વર દેવ! રત્નદીપક અતિ દ્વીપતા હેા લાલ; સા॰ મુજ મનમદિરમાંહી, આવે જો અરિઅલ ઝીપતા હૈ। લાલ. ' ઇ. (જુએ પૃ. ૬૯) તેમજ-રત્નના પ્રકાશની જેમ આ દૃષ્ટિના બેષ પણ (૧) અપ્રતિપાતી, ( ૨ ) પ્રવદ્ધમાન, ( ૩ ) નિરપાય, (૪) અન્યને અપરિતાપહેતુ, (૫) પરિતેષહેતુ, (૬) પરિજ્ઞાન આદિત્તુ જન્મસ્થાન, (૭) પરમ મંગલરૂપ હોય છે. ( સ્પષ્ટીકરણ માટે જુએ પૃ. ૬૯-૭૦). ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિરા દૃષ્ટિના દર્શીનનુ –એધનુ સમાનધમ શું છે, સરખાપણું ઘટાવી શકાય છે. આ ઉપમાને જેમ જેમ વિશેષ વિચારીએ તેમ તેમ તેમાંથી એર ને એર ચમત્કૃતિ ભાસે છે, ને જ્ઞાનીની વાણીની પરમ અદ્ભુતતાની પ્રતીતિ કરાવી બહુમાન ઉપજાવે છે. અત્રે સક્ષેપમાં તેનું દિગ્દર્શન કર્યું છે. સ્વમતિથી વિશેષ વિચારવું. યાગનું પાંચમું અંગ–પ્રત્યાહાર 66 • વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઇહાં પ્રત્યાહારા રે. ”—યા. સજ્ઝાય, ૬-૪ યેાગવુ. ચેાથુ અંગ પ્રાણાયામ ચેાથી દૃષ્ટિમાં પ્રાપ્ત થયા પછી, સ્વાભાવિક ક્રમે પ્રત્યાહાર નામનું પાંચમું ચેાગાંગ અત્ર સાંપડે છે. પ્રત્યાહાર (પ્રતિ + આહાર ) એટલે ઇંદ્રિયાનુ વિષયામાંથી પ્રત્યાહત થવું-પાછું ખેં...ચાવું તે. વિષયાના અસપ્રયાગ થતાં Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિઃ પ્રત્યાહાર-વિષયવિકારે ન ઇદ્રિય ડે” (૪૫૭ ) સ્વચિત્તસ્વરૂપને અનુકારી તે પ્રત્યાહાર છે.” અર્થાત્ ચક્ષુ આદિ ઇંદ્રિયને ગ્રાહ્ય એવા રૂપ આદિ વિષયને અસંપ્રયોગ થતાં, એટલે કે વિષય સાથે જોડાણ નહિં થતાં તેનું ગ્રહણાભિમુખપણું છોડી દીધાથી સ્વરૂપમાત્ર અવસ્થાન થાય. ઇંદ્રિયે પિતાના વિષયમાંથી પાછી ફરે, એટલે જેમ છે તેમ છાનીમાની બેસી જાય, અને એમ થાય એટલે અંત:સ્વરૂપનું અનુકરણ થાય, અર્થાત્ ચિત્તનિરોધ કરવા માટેની સામગ્રી સાંપડે. આનું નામ ચક્ષુ આદિ ઇન્દ્રિયને પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર કેવો છે? તે કે ઇન્દ્રિયોના વશીકરણરૂપ એક ફલવાળે છે. પ્રત્યાહારને અભ્યાસ થતાં, ઇંદ્રિયે એવી આયરઆધીન-તાબેદાર થઈ જાય છે, કે બાહ્ય વિષય પ્રત્યે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી. * ચેથી દૃષ્ટિમાં પ્રાણાયામ વડે કરીને બાહ્ય ભાવને રેચ દીધે, અંતર્ભાવ પૂરણ કર્યું, અને તેનું કુંભન-સ્થિરીકરણ કર્યું; આમ યોગમાર્ગે આગળ વધતા મુમુક્ષુ જેગીજનની વૃત્તિ બાહા ભાવમાં રમતી નથી, અને અન્તર્ ભાવમાં પરિણમે છે. એટલે હવે આ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં, આ ગાભ્યાસી મુમુક્ષુ જનની ઇંદ્રિયે પિતપતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી, અને તેના તેના વિષયમાંથી વ્યાવૃત્ત થઈ પાછી ખેંચાઈ આવે છેપ્રત્યાહત થાય છે, અને અંત:વ્યાપારમાં વ્યાપૃત-પ્રવૃત્ત થઈ ચિત્તનિધિમાં ખપ લાગે છે, અને ચિત્તસ્વરૂપનું અનુકરણ કરે છે. જે ઇદ્રિ પૂવે હરાયા ઠેરની જેમ છૂટી ફરતી હતી ને રઘવાઈ થઈને સ્વચ્છેદ વિચરતી હતી, તે હવે નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પોતાના ચિત્ત-ઘરના ખીલે બંધાય છે. વિષયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવારૂપ બહિ“વિષય વિકારે મુખ વૃત્તિ છોડી દઈ, તે હવે ડાહીડમરી બની અંતર્ અભિમુખ થાય છે. ન ઇકિય જોડે એટલે જેની આંખે બાહ્ય રૂપને દેખતી હતી તે યોગી હવે ભાવથી અંતઃ સ્વરૂપને દેખે છે. જેના કાન બાહ્ય શબ્દો સુણતા હતા તે હવે અંતઃનાદ સાંભળે છે. જેનું નાક બાહ્ય સુગંધથી ભાતું હતું, તે હવે ભાવ-સૌરભથી સંતોષાય છે. જેની રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંત:ચૈતન્યરસના પાનથી પ્રસન્ન થાય છે. જેને સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતું, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઇંદ્રિયની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આત્યંતર વૃત્તિ વસે છે, કારણ કે પાંચે ઇતિરૂપ તોફાની ઘેડાની લગામ હવે જાગ્રત આત્માના * “વિષયાસકયોરન્નાહાનુત્તિ વિદ્યા પ્રત્યાહારઃ પીવાળામેતારતાઢ .” શ્રી યશા કૃત દ્વાઢા, ૨૪-૨, "स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः। તતઃ પમા વરસેન્દ્રિયાળા ” –શ્રી પાતંજલ ય, સે. ૨-૫૪-૫૫. Page #146 -------------------------------------------------------------------------- ________________ (૪૫૮) ચાંગદષ્ટિસમુચ્ચય એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે, અને આમ ભાવથી અનુપમ ચૈતન્યરસના અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઇંદ્રિયા એવી તે વશ થઈ જાય છે, એવી તે ગરીબડી ગાય જેવી આધીન થઈ જાય છે, કે તેને પછી બાહ્ય વિષયમાં રસ પડતા નથી, ને તે પ્રત્યે પરાણે લઇ જવામાં આવતાં પણ તે જતી નથી! એવું તે તેને આ ચિત્ત-ઘર ગાડી જાય છે ! એટલે આ ચૈતન્ય અમૃતરસના આસ્વાદ છેાડીને ચેગી તે ‘ માકસબુકસ ’રૂપ પુદ્ગલલેાગને ઇચ્છતા નથી !–આમ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગ્દૃષ્ટિ યેાગીપુરુષનું દર્શન અવશ્ય પ્રત્યાહારવાળું જ હાય છે, કારણ કે અંતર'ગ વિષયવૈરાગ્ય ન હેાય તે સમ્યગ્દષ્ટિપણુ પશુ ઘટે નહિ; માટે સમ્યગ્દષ્ટિ પુરુષને વિષયા પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હેાય, પરમ વૈરાગ્ય જ વર્તે. પ્રત્યાહાર–ખરેખરા ભ્રાંતિ દોષ ત્યાગ “બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. ચેાથા ઉત્થાન નામના ચિત્તદોષ ચેાથી દૃષ્ટિમાં નાશ પામ્યા પછી, સ્વાભાવિક ક્રમે ભ્રાંતિ નામના પાંચમા દોષ અત્રે ટળે છે. કારણ કે (૧) અત્રે એવી પ્રશાંતવાહિતા હેાય છે, ચિત્તના એવા અખડ એકધારા શાંત પ્રવાહ પ્રવહે છે, ચિત્તનું એવું ઠરેલપણું હાય છે કે મેાક્ષસાધક યાગમાગ–ક્રિયામાંથી ચિત્ત ઊઠતુ' નથી. અને જો ચિત્ત સ્વસ્થાનમાંથી ઊઠે જ નહિ, તે તેની બ્રાંતિ પણ કેમ થાય? તે આડુંઅવળુ` કેમ ભમે ? એટલે અત્રે ચિત્ત અભ્રાંત હાય છે–સ્થિર હાય છે. (૨) અથવા પ્રસ્તુત યાગક્રિયાને છેડી ચિત્તનું ચારેકાર ભ્રમણ-ભ્રામક વૃત્તિ તે બ્રાંતિ. પણ અત્રેતા શાંતપણાને લીધે ચિત્તસ્થિરતા વત્ત છે, એટલે તેવી ભ્રાંતિ હેાતી નથી, અભ્રાંતિ જ હાય છે. (૩) અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણા થવી, તત્ત્વને અતત્ત્વ માનવારૂપ વિપર્યાસ થવા તે બ્રાંતિ. પણ અત્રે તેા તત્ત્વના યથા નિશ્ચયને લીધે તેવી વિપર્યાસરૂપ ભ્રાંતિ હોતી નથી, અભ્રાંતિ જ વર્તે છે. (૪) અમુક ક્રિયા કરી કે ન કરી, એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પણ અથવિાષી એવું અકાજ થાય, ઈટલરૂપ પરમાર્થ કાર્ય ન થાય. ( જુએ પૃ. ૮૬) આ પણ ભ્રાંતિ છે. પણ અત્રે આ દૃષ્ટિમાં તે સમ્યગ્ ઉપયેાગવંતપણાને લીધે જાગૃતિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તેવી ભ્રાંતિ પણ ઉપજતી નથી. આમ શાંતપણાને લીધે, વિપર્યાસરહિતપણાને લીધે, અને ઉપયેગવતપણાને લીધે અત્રે ચિત્ત સર્વ પ્રકારે અબ્રાંત હાય છે–સ્થિર ઢાય છે. એટલે સભ્યષ્ટિ પુરુષ જે વંદનાદિ ક્રિયા કરે છે તે પણ અશ્રાંત હાય છે, અર્થાત્ યથાક્ત ક્રમને ખરાખર સાચવીને તે તે ક્રિયા ભ્રાંતિરહિતપણે કરે છે; પૂર્ણ ભાવપૂર્ણાંક પરમ ક્રાંતિથી, તાત્ત્વિક લક્ષથી, ને તન્મય સ્થિર ઉપયાગથી કરે છે. જેમ કે— Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : ભ્રાંતિ દષત્યાગ, સૂક્ષ્મ બેધ ગુણપ્રાપ્તિ (૪૫૯) “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામ. શીતલ૦ ”શ્રી દેવચંદ્રજી. તે વંદનાદિ કરે છે તે સ્થાન, કાળ ને કમ બરાબર સાચવે છે, સૂત્ર શબ્દના અર્થમાં ઉપયોગ રાખે છે, બીજાને સંમેહ ન ઉપજે-વિક્ષેપ ન થાય તથા શ્રદ્ધા-સંવેગ સૂચવે એવા યુક્ત સ્વરે સૂત્રોચ્ચાર કરે છે, અને તે વંદનાદિ કરતાં તેના ભાવ–રોમાંચ શુદ્ધાશય થિર ઉલસે છે, શુભાશય વર્ધમાન થાય છે, ને પ્રણમાદિની સંશુદ્ધિ બરાબર પ્રભુ ઉપગે’ જળવાય છે. આમ તેની વંદનાદિ કિયા નિરતિચારપણાને લીધે અનઘ નિર્દોષ-નિષ્પાપ હોય છે. (જુઓ પૃ. ૨૧૯-૨૨૦) તેમજ આ વંદનપ્રતિકમણાદિ ક્રિયા સૂક્ષ્મ બોધથી સંયુક્ત એવી હોય છે. સમ્યગ્દષ્ટિ પુરુષ જે કઈ ક્રિયા કરે છે, તે તેની તાત્વિક સમજણપૂર્વક સમ્યપણે કરે છે, કારણ કે તેને તત્ત્વનું સમ્યફ સંવેદન હોય છે, એટલે તેને અનુસરીને સર્વ ક્રિયા પ્રશાંત વૃત્તિથી, સર્વત્ર અત્યંત સુજ્યરહિતપણે, ત્વરા રહિતપણે કરે છે. આમ સમ્યગદષ્ટિનું અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ હોય છે. દાખલા તરીકે સમ્યગદષ્ટિ પ્રભુભક્તિ કરે છે તે તાવિક ભક્તિનું સ્વરૂપ સમજીને કરે છે. તે એમ જાણે છે કે આ પ્રભુ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, માટે હારા પરમ પૂજ્ય છે. જે આ પરમાત્માનું સ્વરૂપ છે તે મહારા આત્માનું સ્વરૂપ છે. એટલે હારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા પામવા માટે, શુદ્ધ આત્મસિદ્ધિ કરવા માટે, આ પ્રતિષ્ઠદસ્થાનીય-શુદ્ધ આદર્શરૂપ પ્રભુ પરમ હેતુ હેઈ, મહારે તેનું પરમ પ્રબળ અવલંબન લેવા યોગ્ય છે. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય સમજે જિન સ્વભાવ તે, આત્મભાનને ગુંજ્ય.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ મારી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણે હેતુ પ્રભુ તુંહી સાચે; દેવચંદ્ર સ્તવ્ય મુનિગણે અનુભવ્યો, તત્વભક્ત ભવિક સકલ રા.”– શ્રી દેવચંદ્રજી સૂક્ષ્મ બેધ ગુણની પ્રાપ્તિ અત્રે બોધ નામને પાંચ ગુણ પ્રગટે છે, કારણ કે જેથી દષ્ટિમાં તત્ત્વશ્રવણને ગુણ પ્રગટ્યો, એટલે તેના ફલ પરિપાકરૂપે આ પાંચમી દષ્ટિમાં બોષ ગુણ સ્વાભાવિક ક્રમે પ્રગટ જોઈએ. અને તે બોધ પણ અત્રે સૂક્ષમતાવાળો હોય છે. કારણ કે અત્રે ગ્રંથિભેદને લીધે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે અને આ વેવસંવેદ્યપદમાં જ સૂક્ષ્મ બોધ ઘટે છે, એમ આગળ ચોથી દષ્ટિના વેદસંવેદ્યપદ અધિકારમાં વિસ્તારથી કહેવાઈ ચૂકયું છે, તે પણ સંક્ષેપમાં ભાવનાથે તેની પુનરાવૃત્તિ કરી જઈએ, તે તેનું લક્ષણ આ પ્રમાણે કહ્યું હતું -સમ્યફપણે હેતુ સ્વરૂપ ને ફલના ભેદે કરીને વિદ્વત Page #148 -------------------------------------------------------------------------- ________________ (૪૬૦) યોગદષ્ટિસમુચય સમાજમાં જે વેદ્યસંવેદ્યપદ થકી તત્વનો નિર્ણય થાય, પરમાર્થ પરિચ્છેદ કરાય, તે સૂક્ષ્મ બોધ' કહેવાય છે. અને ભવસમુદ્રમાંથી પાર ઉતારવામાં આ બેધનું કુશલપણું છે એ જ એનું સૂકમપણું છે અથવા કર્મ વજાન વિભેદ કરવામાં એનું તીક્ષણપણું છે એ જ એનું સૂફમપણું છે; અથવા અનંત ધર્માત્મક સમગ્ર વસ્તુતત્ત્વનું વ્યાપકપણે નિપુણ માન્યપણું એ જ એનું સૂક્ષ્મપણું છે. આમ અનેક પ્રકારે આ બેધનું સૂકમપણું ઘટે છે. (જુઓ . ૬૫-૬૬, વિવેચન પૃ. ૨૬૧-૨૬૬) અત્રે વેધસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે. અર્થાત જ્યાં વેદ્ય-સંવેદનીય વસ્તુ વસ્તુ સ્થિતિ પ્રમાણે સંવેદાય છે તે વેધસંવેદ્યપદ છે. એટલે સ્ત્રી આદિ પદાર્થ જે અપાય આદિના કારણરૂપ છે, તે તેના યથાર્થ સ્વરૂપમાં અત્રે આગમથી વિશુદ્ધ શુદ્ધાતમ એવી તથા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સંવેદાય છે. અર્થાત્ સ્ત્રી આદિ અનુભવ સદા પદાર્થ ભવહેતુ છે, માટે હેય જ છે, ત્યાજ્ય જ છે, એવી નિશ્ચયબુદ્ધિ પ્રતીતિ–સમજણ–છાપ આત્માને વિષે ઉપજે છે. (જુઓ–લૈ. ૭૦૭૫, વિવેચન પૃ. ર૭૨–૨૯૧) તથા જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ લક્ષણવાળે એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી આત્મા જ માત્ર આદેય છે–ગ્રહણ કરવા ગ્ય છે, બાકી બીજું બધું ય હેય છે–ત્યજવા યોગ્ય છે, એ અખંડ નિશ્ચય આત્મામાં પ્રગટે છે. શુદ્ધ આત્માને જે અનુભવ છે તે સ્વસમયને વિલાસ છે, અને જ્યાં પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિતિરૂપ પરભાવની છાંયડી પડે છે, તે પરસમય નિવાસ છે, એમ વતુગતે વસ્તુ અત્રે પ્રકાશે છે. શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે પરવડી છાંહડી જે પડે, તે પરસમય નિવાસ રે— ધરમ પરમ અરનાથને.”—શ્રી આનંદઘનજી. મ્યાનથી તરવારની જેમ, દેહાદિથી આત્મા ભિન્ન છે, સદા ઉપયોગવંત અને અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને અત્રે તેની સમ્યફ પ્રતીતિ ઉપજે છે, આત્મસ્વરૂપનું સંવેદન થાય છે. આવું જે સહજ આત્મસ્વરૂપપદ સમજ્યા વિના અર્થાત્ જાણીને પ્રતીત્યા વિના પૂર્વે અનંત દુઃખ પામ્યો હતો, તે આત્મસ્વરૂપ “પદ' શ્રી સદ્દગુરુ ભગવાને સમજાવ્યાથી હવે આ જીવને અનુભવગોચર થાય છે, સ્વસંવેદનથી પ્રત્યક્ષ જણાય છે, અને તે જ વેધસંવેદ્યપદ છે. સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહિ લ, દૂર થયું અજ્ઞાન.”– શ્રીમદ્ રાજચંદ્રજીપત શ્રી આત્મસિદ્ધિ અને આ જે આત્મસ્વરૂપ અનુભવ પદ અથવા વેધસંવેદ્ય પદ છે તે જ ' શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે “પદ” છે, કારણ કે જ્યાં સ્થિરપણે પદ માંડી શકાય Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : બાલધૂલિગૃહક્રીડા સમી સર્વ ભવચેષ્ટા (૪૬૧) એવું સ્થિર સમ્યક્ સ્થિતિવાળું જે ઢાય તેને જ · પઢ' નામ ઘટી શકે. અને આ આત્મસ્વરૂપ અનુભવ પદ-વૈદ્યસંવેધ પદ સ્વભાવભૂત હાઇ તેવું સમ્યક્ સ્થિતિવાળું છે, એટલે તેને જ ‘ પદ’ નામ ખરાખર ઘટે છે. (જુએ વિવેચન પૃ. ૨૮૮ થી ૨૯૧). આવું સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વેવસ'વેદ્ય પદ ગ્ર'થિભેદથી આ સ્થિરા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી કરીને અત્રે સૂક્ષ્મ બેધની સંપ્રાપ્તિ હેાય છે. અને એવા સૂક્ષ્મબેાધસ‘પન્ન સમ્યગ્દૃષ્ટિ પુરુષના આવા સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે—આમ નિલ સમ્યગ્દર્શનના પ્રતાપે કરીને જેણે મ્હારું. પશુરૂપપણું ટાળીને દેવરૂપપણુ કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તે ભગવાન્ વીને અમાપ ઉપકાર હું કદી વિસર્' નહિ, રાત દિવસ સંભારું છું. “ એ ગુણ વીર તણેા ન વિસારું, સંભારુ' દિન રાત રે; 66 પશુ ટાળી સુરરૂપ કરે જે, સમિતને અવદાત રે. ’–શ્રી ચા. દ. સાય. ૫–૨. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતુ હતુ, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી, જેણે ભવનિવૃત્તિરૂપ ક્યુ, તે કલ્યાણમૂર્તિ સમ્યગ્ દર્શનને નમસ્કાર. ”—શ્રીમદ્ રાજચંદ્રજી बालधूलीगृहक्रीडातुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥ * બાલ ધૂલિગૃહ રમત શી, ભવચેષ્ટા જ સમરત; તમાત્ર'થિભેદ્દે દીસે, બુદ્ધિમતને અત્ર. ૧૫૫ અ:—આ દૃષ્ટિમાં તમેગ્રથિના વિભેદને લીધે બુદ્ધિમતાને અખિલ જ ભવચેષ્ટા માલકાની ધૂલિગૃહક્રીડા તુલ્ય ભાસે છે. વિવેચન માલધૂલિ ગૃહ ક્રીડા સરખી, ભવ ચેષ્ટા ઈંડાં ભાસે રે; "2 ઋદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે....તે ગુણ વીર. —શ્રી ચેા. ૬. સજ્ઝાય. ૫-૩ વૃત્તિ:—પાપૂરીમૃદ્દીદારુન્યા-બાલકની ધૂલિગૃહક્રીડા સરખી–પ્રકૃતિઅસુ ંદરપણાથી ને અસ્થિરપણાથી, બ્રહ્માં-આમાં, આ સ્થિરા દૃષ્ટિમાં, માતિ–ભાસે છે, ધીમતાં–ધીમંત–મુદ્ધિમત પુરુષોને, તમોચિવિમેનતમેાગ્રંથિના વિભેદરૂપ હેતુથી, મનેષ્ટાલિનૈવ ↓િ←અખિલ જ ભવચેષ્ટા નિશ્ચયેચક્રવતી' આદિ ચેષ્ટારૂપ પશુ,– પ્રકૃતિઅસુ ંદરપણાથી ને અસ્થિરપણાથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ (૬૨) ગદષ્ટિસમુચ્ચય આ દષ્ટિમાં વત્તતા મેગીને તમે ગ્રંથિને વિભેદ થયો હોય છે, એટલે તેને સમસ્ત સંસારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ કીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદરપણાથી ને અસ્થિર પણાથી તે બન્નેનું સમાનપણું છે. બાલક ધૂળના કૂબા (ઘર) બાલધલિ ઘર બનાવવાની રમત રમે છે. તે કૂબા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને કિયા સમી હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હોય છે. તેમ સર્વ ભવચેષ્ટા આ સર્વ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર છે, ક્ષણમાત્રમાં શીર્ણ વિશીર્ણ થઈ જાય એવી ક્ષણભંગુર છે. આમ એ બન્નેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવર્તી આદિની ઋદ્ધિ કે જે સંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્વથી જોતાં ધિષમિશ્રિત અન્ન જેવી અસુંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં બળવાન થઈને ભારી ભૂપ” ઉપજ્યા હતા, એ ચતુર ચકી ચાલિયા હેતા ન હતા હેઇને,' હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગતમાં એટલા બધા ચકવત્તીઓ થઈ ગયા છે, કે જ્યારે કેઈ ને ચક્રવત્તી થાય છે, ત્યારે કિંકિણીરત્નથી ઋષભકૂટ પર્વત પર પોતાનું નામ ઉત્કીર્ણ કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઈ ગયા છે, ને આ પૃથ્વી કેઈ સાથે ગઈ નથી કે જવાની નથી. આમ આ જગતની સર્વોચ્ચ પદવીની પણ આ દશા છે, તે પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાઓની શી વાત કરવી? (જુએ પૃ. ૨૪૯-૨૫૦). આમ બાલકના કૂબા જેમ સાવ તકલાદી ને ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સર્વ સંસારને ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હસે ન હતું થઈ જાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તે બાળકના કુબાની જેમ ખાલજીને જ રુચે છે,–ગમે છે, પણ તેવી બાલકની રમત રમવી જેમ મોટા માણસને ન રુચેન્ન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગ્રહકીડા પણ પંડિત જનને-જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું–આનંદ માને તે લજજાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ ભવચેષ્ટા તેને બાલધૂલિગ્રહક્રીડા જેવી લાગે છે, તેનું કારણ તેને તમોગ્રંથિને વિભેદ થયો છે, તે છે. આ તમોગ્રંથિના વિભેદથી તેને વેધસંવેદ્યપદરૂપ સમ્યગદર્શન પ્રગટયું છે, તેથી તેને સંસારનું યથાર્થ દુઃખદ સ્વરૂપ સંદાય છે, માટે આ ગ્રંથિભેદ તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગદર્શનનું સ્વરૂપ સંક્ષેપમાં જાણવું અત્ર પ્રસંગથી પ્રાપ્ત થાય છે ગ્રંથિભેદ આ પાંચમી સ્થિર દષ્ટિને પામેલા સમદષ્ટિ પુરુષને તમે ગ્રંથિને એટલે Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાઇટિ: ગથિભેદ દશમેહઉપશમ-સમ્યગદર્શન (૪૬૩) અજ્ઞાન અંધકારરૂપ ગ્રંથિને વિભેદ થયો હોય છે, અજ્ઞાનમય મોહાંધકારને પડદે ચીરાઈ ગયો છે. આ અજ્ઞાન ખરેખર ! તમસરૂપ-અંધકારરૂપ જ હોય છે, કારણ કે અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ અજ્ઞાન અંધકારમાં પદાર્થનું દર્શન થઈ શકતું નથી. આ અધિકાર સમું અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીધ્ર નાશી જાય છે–એકદમ પલાયન કરી જાય છે. લાંબા વખતનું અંધારું પણ દી પટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિને મેહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તત્ક્ષણ જ નાશ પામે છે. એટલે સમસ્ત વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ ગીને દેખાય છે. આમ આ યેગી સમ્યગદર્શની, સમ્યગદષ્ટિ જ્ઞાની હોય છે. “કમભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાસ. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.”—શ્રી આત્મસિદ્ધિ આ તમોગ્રંથિ જીવન કર્મ જનિત ઘન-ગાઢ રાગદ્વેષ પરિણામ છે; અને તે વાંસની કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ ગાંઠ જેવો અત્યંત દુધ છે. એટલા માટે જ એને “ગ્રંથિ'–ગાંઠ કહેલ છે. તે કઠણ અટપટી (Complex) પર્વત જેવી મહાબલવાન તમગ્રંથિ અત્રે અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણાથી અપૂર્વકરણરૂપ તીક્ષણ ભાવવાવડે ભેદાઈ જાય છે. એટલે પછી સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવર્સે નહિ એવા અનિવૃત્તિકરણવડે કરીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે, જેથી વસ્તુનું યથાર્થસમ્યફ સ્વરૂપ દેખાય છે. ( વિશેષ માટે જુઓ-પૃ. ૩૯ અને ૪૬-૪૭). સમ્યગદર્શન છે હાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળે જિનનો રે! એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ૦ કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત...મૂળ” –શ્રીમદ્ રાજચંદ્રજી. આમ ઉક્ત ગ્રંથિભેદના ફલ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. આ સમ્યકત્વ અથવા સમ્યગદર્શન આત્માનો ગુણ છે, અને તે નિર્વિકલ્પ છે. આ સૂક્ષમ ગુણ કેવલજ્ઞાનગોચર છે તથા પરમાવષિ અને મન:પર્યય જ્ઞાનનો વિષય છે, મતિજ્ઞાનનો કે તજ્ઞાનને કે દેશાવધિને વિષ્ય નથી. એટલે આ ગુણ પ્રગટહ્યો છે કે નહિ તે તેવા Page #152 -------------------------------------------------------------------------- ________________ (૪૬૪) યોગદૃષ્ટિસમુચ્ચય વિશિષ્ટ જ્ઞાની જ જાણે છે. આ ગુણ અનાદિથી દર્શનમાહના ઉદયથી મિથ્યા સ્વાદરૂપ થઈ પડયો છે કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ દૈવયેાગે કાલાદિ લબ્ધિ સ'પ્રાપ્ત થયે ભવસમુદ્રના છેડે નજીકમાં હોય ત્યારે ભવ્યભાવના વિપાકથી–જીવની યથાયેાગ્યતાથી જીવ સમ્યક્ત્વ પામે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લબ્ધિ કારણભૂત છેઃ (૧) સાચેાપશમિક લબ્ધિ-કર્માંના ક્ષયાપશમની પ્રાપ્તિ. (૨) વિશુદ્ધિ લબ્ધિકર્માંના ક્ષયે।પશમથી આત્માની જે વિશુદ્ધતા ઉપજે તે. (૩) દેશના લબ્ધિ-સદ્દગુરુ આદિના ઉપદેશના યાગ. (૪) પ્રાયેાગિકી લબ્ધિ-કે જેથી કરીને પાંચ લબ્ધિ: કર્માંની સ્થિતિ ઘટીને અતઃકોટાકોટિમાત્ર રહી જાય. (૫) કરણ દર્શનમાહ લબ્ધિ-આત્મસામર્થ્ય વિશેષ કે જેથી કરીને કર્માંની સ્થિતિનું ને રસનું ઉપશમ ખંડન કરવાની શક્તિ ઉપજે છે. કરણ લબ્ધિ ત્રણ પ્રકારની છે—અધ:કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ કરણનું સ્વરૂપ પૂર્વ કહેવાઇ ચૂકયું છે. આ કરશુલબ્ધિ પછી અંતર્મુહૂત્તમાં દર્શનમાહના ઉપશમથી અવશ્ય સમ્યગ્દર્શન ઉપજે છે, અર્થાત્ દનની મિથ્યા અવસ્થા સમ્યક્ અવસ્થારૂપ થાય છે. પ જ્યાં સુધી અન'તાનુધી કષાયના ઉદય હેાય ત્યાં સુધી આ સમ્યગ્દર્શનના લાભ થતા નથી. કારણ કે તીવ્ર ક્રોધ-માન-માયા-લાભરૂપ આ દુષ્ટ અનંતાનુબંધી કષાયચેાકડી જ સમ્યક્ત્વને ઘાત કરનાર છે, અવરેાધનાર છે તે અનંત સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વને-દશ નમેહને ઉદયમાં આણે છે, એટલા માટે એને ‘અનંતાનુબધી' એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આમ અનંત સ`સારને અનુબંધ કરનાર આ મહા રૌદ્ર ને દારુણ પરિણામી અનુંતાનુષધી કષાય ન્યે જ દર્શનમા ટળે છે, એટલા માટે અનંતાનુષધીનું આ વ્યવ્હારૂં સ્વરૂપ સમજી આત્માથી એ તેને ટાળવાના પ્રત્યેક પ્રયત્ન કરવા જોઇએઃ “ જે સ'સાર અર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાને નામે, ભ્રાંતિત્રત પરિણામે અસદ્ગુરુ, દેવ, ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ થાય છે; કારણ કે ખીજી સ`સારની ક્રિયાએ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથા છે, તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસદ્ગુરુવાદિકના આગ્રહથી, માઠા મેધથી, આસાતનાએ, ઉપેક્ષાએ પ્રવતે એવા સ’ભવ છે. તેમજ તેમાઠા સ’ગથી તેની સ`સારવાસના પરિચ્છેદ નહી થતી (6 खयुवसम विसोही सणा पाउग्ग करणलद्धिए । चत्तारिवि सामण्णा करणं पुण होदि सम्मन्ते ॥" શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તી કૃત શ્રી ગામ્મટસાર Page #153 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : સમ્યકત્વમાસિનો ઉપક્રમ, દશનામહ ઉપશમ (૪૬૫) હતાં છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંત ક્રોધ, માન, માયા, લોભને આકાર છે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫, ૫૨૩. (૪૫૯, ૬૧૩) વળી આ ઉક્ત પાંચ લબ્ધિના સ્વરૂપ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આમાં મધ્યવતિની દેશના લધિ સમ્યકત્વ પ્રાપ્તિની રહસ્ય ચાવી (Master-key) છે. કારણ કે કમના ક્ષપશમથી જીવની વિશુદ્ધતા થાય અને તેને સદ્ગુરુના ઉપદેશની પ્રાપ્તિન જોગ બને, તો પછી તેને અનુક્રમે સમ્યફત્વની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ તે જીવની વિશુદ્ધતા થવી જોઈએ. અને તે કેમ થાય? સત્ય પુરુષાર્થથી પ્રશમાદિ ગુણની પ્રાપ્તિથી. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા હોય નહિ. સંસાર પ્રત્યે ખેદ હોય અને અંતમાં દયા વ, ત્યારે આ જીવ વિશુદ્ધિને પામે, અને તે જ ખરેખર મિક્ષમાગને “જિજ્ઞાસુ” કહેવાય. આવા વિશુદ્ધિ પ્રાપ્ત સુપાત્ર જિજ્ઞાસુ જીવને જે સદ્દગુરુનો બંધ થાય તે તે સમકિત પામે અને અંતરની શોધમાં વત્તે; એટલે પછી સદેવ-ગુરુ-ધર્મની સમ્યફ પ્રતીતિરૂપ વ્યવહાર સમકિત, અને તેના ફલરૂપે શુદ્ધ આત્માનુભવરૂપ પરમાર્થ સમકિત-એમ સાનુબંધપણે ઉત્તરોત્તર વધતી જતી સમ્યકત્વની કક્ષાઓને તે સ્પશતે જાય. કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બેધ તે પામે સમકિતને, વત્તે અંતર્ શોધ. મત દર્શન આગ્રહ ત્યજી, વત્તે સદ્ગુરુ લક્ષ લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. વ નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ્ધ વાસ.” શ્રી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે –(૧) આપ્ત પુરુષનાં વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિવિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતને ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમક્તિનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા ગ્ય છે, સત્કાર કરવા ગ્ય છે, ભક્તિ કરવા ગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૮૯ (૭૫૧) Page #154 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ગદદિસપુર આ સર્વ પરથી ફલિત થાય છે કે સ્વચ્છેદનો ત્યાગ કરી શ્રી સદ્દગુરુના ચરણનું સમુખાસન કરતાં આત્માથી મુમુક્ષુ જીવને અનંતાનુબંધી દુષ્ટ કષાય-ચેકડી નષ્ટ થયે દનમેહને ઉપશમ થાય છે અને ત્યારે-જેમ સૂર્યકિરણોથી અંધકારને નાશ થયે દિશાઓ પ્રસન્નતા પામે છે અને ચોતરફ નિર્મલ થઈ જાય છે, તેમ સર્વ આત્મપ્રદેશમાં શુદ્ધપણું હોય છે, ચિત્તપ્રસન્નતા-નિર્મલતા ઉપજે છે, કે જેથી ત્રણ પ્રકારને બંધ થર થાય છે. અથવા જેમ કેઈએ મદિરા કે ધતૂરે પીધે હોય તેને મૂછ આવે છે, પણ થોડા વખત પછી તેને નશો ઉતરી જતાં તે મૂચ્છરહિત નીરોગી થઈ જાય છે, તેમ દર્શન મેહના ઉદયથી જીવને મૂછ ઉપજે છે, વૈચિત્ય હેય છે-ચિત્તનું ઠેકાણું હતું નથી, બેભાનપણું હોય છે, તથા ભ્રમ હોય છે, પણ તે દર્શનમોહ શાંત થયે મૂછને નાશ થતાં જીવ નીરોગી બને છે. “દર્શન મેહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે....(અપૂર્વ અવસર.)”—શ્રીમદ્ રાજચંદ્રજી. તે સમ્યગ્દર્શનનું લક્ષણ શું? શ્રદ્ધાનાદિ* ગુણ સમ્યગદષ્ટિનું બાહ્ય લક્ષણ છે. તે શ્રદ્ધાનાદિ જ સમ્યક્ત્વરૂપ નથી, પણ જ્ઞાનના પર્યાય છે. વળી આત્માનુભૂતિ આત્માનુભવ પણ જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનનો પર્યાય છે. માટે તે શ્રદ્ધાન નાનાદિ પણ સમ્યકત્વનું લક્ષણ નથી. અર્થાત જ્ઞાન છે તે સમ્યકત્વ નથી અને બાહ્ય લક્ષણ જે છે એમ કહે છે તે બાહ્ય લક્ષણ કહી શકાય. કારણ કે જેમ નીરોગતા દુર્લક્ષ્ય છે, પણ મન-વચન-કાયાના ઉત્સાહાદિક ગુણરૂપ સ્થૂલ લક્ષણેથી જાણી શકાય છે, તેમ સમ્યગ્ગદર્શન દુર્લક્ષ્ય છે, પણ તસ્વાર્થી શ્રદ્ધાન, આત્માનુભૂતિ આદિ બાહ્ય લક્ષણથી લક્ષિત થાય છે, જાણી શકાય છે. નિર્વિકલ્પ વસ્તુ કહી શકાય એમ નહિં હોવાથી તેને ઉલ્લેખ જ્ઞાન દ્વારા કરાય છે, કારણ કે જ્ઞાન જ એક એ ગુણ છે કે જે સવિકલ્પ-સાકાર હોઈ દીપકની જેમ સ્વ-પરનો ગ્રાહક છે, સ્વપરને આવેદક છે, સ્વ-પરને નિશ્ચાયક-નિશ્ચય કરાવનાર છે. બીજા બધા ગુણ નિર્વિકલ્પ હાઈ સ્વ-પર અવેદક છે. એટલે સમ્યકત્વ પણ નિર્વિકલ્પ-નિરાકાર હેઈ વસ્તુતઃ વચનને અગોચર એ સૂક્ષમ ગુણ છે. તેથી વિધિ-કમે કઈથી કહી કે સાંભળી શકાય તેમ નથી, માટે આત્માની સાધનાદિ વિધિમાં જ્ઞાન જ એક પ્રસિદ્ધ છે, અને તે સ્વાનુ x “तत्रोल्लेखस्तमोनाशे तमोऽरेरिव रश्मिभिः। दिशः प्रसत्तिमासेदुः सर्वतो विमलाशया:॥ हङ्मोहोपशमे सम्यग्दृष्टेरुल्लेख एव सः । शुद्धत्वं सर्वदेशेषु त्रिधा बन्धापहारि यत् ॥" (આધાર માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી (3) કૃત શ્રી પંચાધ્યાયી. * "श्रद्धानादि गुणा बाह्य लक्ष्म सम्यग्हगात्मनः । તતિ લૈંતિ જ્ઞાનાથ પંચા: ”–શ્રી પંચાધ્યાયી, Page #155 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ આત્માનુભૂતિ શ્રદ્ધા અને સમ્યક્ત્વની વ્યાતિ (૪૬૭) ભૂતિને એક હેતુ હોઈ તે જ પરમ પદ છે–પરમ આશ્રયસ્થાન છે. જ્ઞાન જ અન્ય ગુણોને લક્ષ્ય કરાવનાર છે. “નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકાર રે દશન જ્ઞાન દુદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપાર રે...વાસુપૂજ્ય ”—શ્રી આનંદઘનજી અને જે આત્માનુભૂતિ–આત્માનુભવ છે તે આત્માને જ્ઞાનવિશેષ છે. આ આત્માનું ભૂતિને સમ્યફવની સાથે અન્વય-વ્યતિરેકથી અવિનાભાવી સંબંધ છે, એક બીજા વિના ન ચાલે એવો સંબંધ છે. અર્થાત્ સમ્યફ હોય તે આત્માનુભૂતિ આત્માનુભૂતિ હેય, આત્માનુભૂતિ હોય તે સમ્યકત્વ હેય સમ્યક્ત્વ ન હોય તે અને સમ્યક્ આત્માનુભૂતિ ન હોય, આત્માનુભૂતિ ન હોય તે સમ્યક્ત્વ ન હોય. ત્વની વ્યાપ્તિ આમ બન્નેની પરસ્પર વ્યાપ્તિના સદ્ભાવથી કહી શકાય છે કે સમ્યકૃત્વ તે સ્વાનુભૂતિ છે,–તે સ્વાનુભૂતિ જે શુદ્ધ નયાત્મક હેબ તે. અર્થાત શુદ્ધ આત્માનો અનુભવ જ્યાં વર્તે છે ત્યાં સમકત્વ છે એમ સમજવું. આમ શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યકત્વનું અવિસંવાદી મુખ્ય લક્ષણ છે. વળી સભ્યશ્રદ્ધાની આદિ ગુણ પણ સમ્યગદર્શનના લક્ષણ કેવી રીતે છે તે તપાસીએ –“રાર્થકદ્ધાનં સચવન'-તત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે એવું લક્ષણ શ્રી તરવાર્થ સૂત્રમાં કહ્યું છે. આ યથાનાય તત્ત્વાર્થગોચર શ્રદ્ધાનના આત્માનુભૂતિ ચાર પ્રકાર છે–(૧) શ્રદ્ધા-તત્વાર્થ અભિમુખી બુદ્ધિ તે. (૨) સહિત શ્રદ્ધા સચિ-સામ્ય, આત્મભાવ, (૩) પ્રતીતિ-“તથા “તહત્તિ” એમ સમ્યકત્વલક્ષણ સ્વીકાર તે, (૪) ચરણ–તેને અનુકૂલ આચરણ-ક્રિયા. આમ ઉત્તર ત્તર અનુક્રમ છે. આમાં પ્રથમ ત્રણ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનતા જ પર્યાય છે, અને આચરણ મન-વચન-કાયાને શુભ કર્મમાં વ્યાપાર છે. આ ચારે સમસ્ત કે વ્યસ્ત-છૂટા છૂટા સમ્યગુદર્શનના લક્ષણ હોય કે ન પણ હોય, તે સમ્યકત્વ સાથે પણ હોય ને મિથ્યાત્વ સાથે પણ હોય, અથવા આ શ્રદ્ધાદિક સાથે સમ્યગદર્શન હેય કે ન પણ હોય, એટલે આ શ્રદ્ધાદિ પોતે કાંઈ સમ્યગુદર્શનના લક્ષણ નથી, પણ જે તે સ્વાનુભૂતિ સહિત હેય તે જ ગુણ છે-સમ્યગુદર્શનના લક્ષણ છે, સ્વાનુભૂતિ વિના ગુણાભાસ છે અર્થાત્ ગુણો જ નથી. આમ શ્રદ્ધાદિ સર્વે સ્વાનુભૂતિ સહિત હોય તો સમ્યક્ત્વ છે, પણ શ્રદ્ધાભાસ આદિ મિથ્યા શ્રદ્ધાદિની જેમ સમ્યકત્વ નથી. તાત્પર્ય કે શ્રદ્ધા આદિ હોય પણ શુદ્ધ આત્માનુભૂતિ ન હોય, તે સમ્યક્ત્વ નથી, શ્રદ્ધા આદિ હોય અને શુદ્ધ આત્માનુ ભૂતિ હોય તે સમ્યક્ત્વ છે. આ શ્રદ્ધાદિના બે પ્રકાર છે–સમ્યફ અને મિથ્યા. (૧) આત્માનુભૂતિ સહિત હોય તે સમ્યક્ #હાદિ છે, અને તે જ વાસ્તવિક શ્રદ્ધાદિ કહેવા ગ્ય છે. (૨) આત્માનું Page #156 -------------------------------------------------------------------------- ________________ (૪૬૮) યોગદષ્ટિસમુચ્ચય ભૂતિ રહિત હોય તે મિથ્યા શ્રદ્ધાદિ છે, અર્થાત તે શ્રદ્ધાદિ નથી– શ્રદ્ધા-આત્મા- આમ ભેદ પાડવાનું કારણ એ છે કે શ્રદ્ધા અને સ્વાનુભવની સમ નુભૂતિ વ્યાપ્તિ વ્યાપ્તિ છે, કારણ કે અનુપલબ્ધ અર્થમાં એટલે કે જેને અનુભવ નથી થયે એવા અનુભૂત અર્થમાં શ્રદ્ધા હોવી તે ખરવિષાણ જેવી–ગધેડાના શિંગડા જેવી છે, અર્થાત નહિં અનુભવેલા પદાર્થમાં નિશ્ચયથી શ્રદ્ધા સંભવતી નથી. વળી આત્માનુભૂતિ વિના જે શ્રદ્ધા કૃતમાત્રથી-શાસ્ત્રમાત્રથી છે, તે પણ તત્ત્વાર્થને અનુસરતી છતાં અર્થથી શ્રદ્ધા નથી, કારણ કે અનુપલબ્ધિ છે-આત્માનુભવ નથી તાત્પર્ય કે ત્યાં ખરેખરી નિશ્ચયામક શ્રદ્ધા છે ત્યાં આત્માનભવ છે અને જ્યાં આત્માનુભવ છે ત્યાં જ ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે. આમ બન્નેની વ્યાપ્તિ છે-અવિનાભાવી સંબંધ છે. એટલા માટે જ શ્રદ્ધાને સમ્યકત્વનું લક્ષણ કહેવાની યૌગિકી રૂઢિ પડી છે. તેમાં પણ સ્વાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક શ્રદ્ધા છે, એમ આશય સમજ. અને આ જ “તાર્યશ્રદ્ધાનં વચનં –“તત્વાર્થનું શ્રદ્ધાન એ સમ્યગ્રદર્શન છે” એ મહાસૂવનું રહસ્ય છે. કારણ કે આત્માનુભૂતિ–આત્માનુભવ એ જ શ્રદ્ધાનનું અંતસ્તત્વ છે, આત્માનુભૂતિ વિનાની શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા જ નથી. આમ શુદ્ધ આત્માનુભૂતિ વિના સમ્યગદર્શન હોય નહિ, અને આત્માનુભૂતિ વિના સાચી શ્રદ્ધા હોય નહિ, એટલે (૧) આત્માનુભૂતિ એ જ સમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ છે, (૨) અથવા આત્માનુભૂતિજન્ય સમ્યક શ્રદ્ધા જ સમ્યગદર્શનનું લક્ષણ છે, એમ ફલિત થાય છે. અત્રે આત્માનુભૂતિ એટલે શુદ્ધનયથી * –ભૂતાઈથી ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી. એટલા માટે જ શ્રી સમયસારજીમાં સ્પષ્ટ કર્યું છે-કે- “ભૂતાર્થથી+ જાણેલા અનુભવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.' “જીવ અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર નિજેરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં, નવ પદાર્થ સંબંધ. જીવ, અજીવ વિષે તે ન તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “કારણ જગે હે બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભુ, ”-શ્રી આનંદઘનજી. આમાં (૧) જીવ તત્વ ઉપાદેય છે-ગ્રહણ કરવા ગ્ય છે, (૨-૩-૪) અછવ * “વવોડમૂલ્યો મૂલ્યો સિવો ટુ યુદ્ધનો ! મૂત્વમસિવો સ્વહુ સાદ્દી હવા જીવો –શ્રી સમયસાર, + “મૂલ્યમિકા નીવાળીવા પુછાપાવું જો વિક્ષેતળિવંધો જોવો સત્ત | »–શ્રી સમયસાર, Page #157 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ નવતત્વ વિવેકથી ભેદજ્ઞાન (૪૬૯) અને તેના અંગભૂત પુણ્ય-પાપ હેય છે-ત્યાગ કરવા યોગ્ય છે. (પ-૬) હેય એવા અજીવ તત્વને ઉપાદાનહેતુ આસવ છે, અને તેને આદાનરૂપ-ગ્રહણરૂપ બંધ નવતત્વ વિવેકથી છે, એટલે એ બને ય હેય-ત્યજવા યોગ્ય છે. (૭-૮-૯) સંવર અને ભેદજ્ઞાન નિર્જરા એ હેય એવા અજીવ તત્ત્વના હાનના-ક્ષીણપણાના હેતુ છે, અને તે હેયના પ્રહાણરૂપ-આત્યંતિક ક્ષીણતારૂપ જીવને મોક્ષ છે, એટલે આ ત્રણેય તત્વ ઉપાદેય છે.આ હે પાદેય વિવેક સમ્યગદષ્ટિ પુરુષ કરે છે (જુઓ - શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્વાર્થસાર). આમ ભૂતાર્થથી–પરમાર્થથી દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવી પ્રત્યગ જ્યોતિ પ્રકાશે છે કે જે “અનેક વર્ણમાળામાં સુવર્ણ સૂત્રની જેમ નવતત્વગત છતાં એકત્વ છોડતી નથી !” આ ભિન્ન જ્યોતિરૂપ શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન ઉપજવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ પ્રગટવી તે સમ્યગદર્શન છે, સમ્યક્ત્વ અથવા સમતિ છે. (જુઓ પૃ. ૪૦) "उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्र । किमपरमभिध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી સમયસારકલશ નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ શુદ્ધ સ્વરૂપે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અલખ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ વીર.”—શ્રી આનંદઘનજી આવા આત્માનુભવરૂપ સમ્યગ્દર્શનના બીજા બાહ્ય લિંગ-પ્રગટ ચિહ્નો પણ છે; અને તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્ય એ પાંચ છે (જુઓ–પૃ. ૪૧-૪૨). આ પ્રશમાદિ ગુણ પણ બહિર્ દષ્ટિથી સમ્યગદર્શનના લક્ષણ છે; આત્માપ્રશમાદિ નુભૂતિ અથવા સમ્યક્ત્વ સાથે જે તે હોય તો તે ગુણ છે, નહિં તે બાહ્ય લક્ષણ ગુણભાસ છે. અર્થાત્ આત્માનુભૂતિ ન હોય તે પ્રશમાદિ સમ્યગ | દર્શનના લક્ષણ નથી. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે : (૧) પ્રશમવિષય કષાયમાં શિથિલ મન તે, અર્થાત્ વિષયકષાયનું ઉપશાંતપણું તે પ્રશમ છે. અથવા કૃતાપરાધી જીવો પ્રત્યે તેને બાધા ઉપજાવવાની બુદ્ધિ ન થવી, ક્રોધનું ઉપશમન કરી ક્ષમા ધરવી તે પ્રશમ છે. (૨) સંવેગ-(ક) આત્મધર્મમાં અને ધમફલમાં પરમ ઉત્સાહ, (૧) સાધમિકમાં અનુરાગ, (૪) પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રીતિ, તે સંવેગ છે. જેમકે–() સમ્યક્ત્વમાત્ર આત્મા એ જ ધર્મ છે, અથવા શુદ્ધ આત્માનો અનુભવ તે જ ધર્મ છે, અને તેનું ફળ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ગદરિસરુષ્ણય અતીન્દ્રિય અક્ષય ને ક્ષાયિક એવું એક્ષપદ છે. આવા આ આત્મધર્મ અને આત્મધર્મના ફલરૂપ મોક્ષ પ્રત્યે સંવેગ (સં + વેગ)-અત્યંત વેગ ધરે, અદમ્ય પરમ ઉત્સાહ ધરાવવો, પરમ ઉછરંગ ધરાવે તે સંવેગ છે. (૨) આવા આત્મધર્મને સાધનારા-આરાધનારા જે સાધમિકે છે, તેના પ્રત્યે કેવળ ગુણના અનુરાગથી પરમ પ્રેમ ધરાવવો તે સંવેગ છે. પણ તેવા ગુણ ન હોય એવા નામમાત્ર સાધમિક પ્રત્યે અનુરાગ હવે તે સંવેગ નથી, પણ મોહ છે. કારણ કે અત્રે અનુરાગ એટલે અભિલાષ એ અર્થ નથી, પણ ગુણપ્રેમ અર્થ છે, અથવા અધર્મથી કે અધર્મકલથી નિવૃત્તિ થવી તે અનુરાગ છે. (૨) અથવા આવા આત્મધર્મને ને તેને ફળલાભને જેણે સિદ્ધ કર્યો છે, અથવા તેની સાધનાની ઉચ્ચ દશા જેણે સાધી છે, એવા પરા પરમેષ્ઠી ભગવંતે પ્રત્યે પરમ પ્રીતિ હોવી, પરમ ભક્તિ હોવી તે સંવેગ છે. અર્થાત્ સંવેગથી–અત્યંત વેગથી, પરમ ઉલાસથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની આરાધના-ઉપાસના કરવી તે સંવેગ છે.-આમ આત્મધર્મ ને આત્મધર્મના કલરૂપ મોક્ષપદની સાધના સિવાય બીજી કઈ જ્યાં અભિલાષા નથી, તે સંવેગ છે. માત્ર એક્ષ અભિલાષ” તે વિધિરૂપ સંવેગ છે, અને સર્વ અભિલાષને ત્યાગ તે નિષેધરૂપ સંવેગ અથવા નિવેદ* છે, એમ પરમ તત્ત્વદષ્ટા શ્રી પંચાધ્યાયીકાર વિભાગ પાડે છે. આ સંગ તે જ ધર્મ છે, કારણ કે મેક્ષ સિવાય બીજા અભિલાષયુક્તઈચ્છાયુક્ત હોય તે ધર્મવાનું નથી. અને ક્રિયા માત્ર છે તે ધર્મ નથી, મિથ્યાદષ્ટિ પણ કિયા કરે છે, પણ તેની ક્રિયા નિત્ય રાગાદિના સદૂભાવથી ઉલટી અધર્મરૂપ જ છે, કારણ કે મિથ્યાદષ્ટિ સદા રાગી જ હોય છે, સમ્યગદષ્ટિ સદા વૈરાગી જ હોય છે, સદા સંવેગી જ હોય છે. (જુઓ પૃ. ૨૭૭). "संवेग : परमोसाहो धौ धर्मफले चितः । सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्ठिषु ॥ धर्मः सम्यक्त्रमात्रात्मा शुद्धस्यानुभवोऽथवा । તર# સુરમચક્ષમાર્ચ ક્ષાવિ ૨ ચ7 .” – શ્રી પંચાધ્યાયી. (૩) નિર્વેદ–એટલે સંસાર સંબંધી સર્વ અભિલાષને-ઈચ્છાને ત્યાગ, વૈરાગ્ય, સંસારથી થાકી જવું-કંટાળવું તે, સંસારથી ખેદ પામવો તે. (૪) અનુકંપા–એટલે સર્વ પ્રાણ પ્રત્યે અનુગ્રહ બુદ્ધિ-ઉપકાર બુદ્ધિ, અથવા મૈિત્રીભાવ, અથવા માધ્યરચ્ય, અથવા વૈરત્યાગથી નિઃશલ્યપણું. સર્વ પ્રાણી પ્રત્યે જે સમતા છે તે પર અનુકંપા છે, અને અર્થથી તે સ્વાનુકંપા છે -શલ્યવર્જનથી શલ્યની જેમ. આ સ્વાનુકંપા જ પ્રધાન છે. * “સાળ: સર્વામિા ચ નિરો હકારાથા | स संवेगोऽथवा धर्मः साभिलाषो न धर्मवान् ॥" (ઈત્યાદિ આધાર માટે જુઓ)-પંચાધ્યાયી, Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ પ્રશમાદિ સમ્યફ લક્ષણ (૪૭) રાગાદિ અશુદ્ધ ભાના સદૂભાવે બંધ થાય છે, તેના અસદુભાવે બંધ નથી થતો, એમ જાણે રાગાદિ ત્યજી આત્મા ને બંધાય એમ કરવું તે સ્વાનુકંપા–પિતાના આત્માની દયા છે. (૫) આતિક્ય–સ્વત:સિદ્ધ એવા તત્વના સર્ભાવમાં–હોવાપણામાં, ધર્મમાં, ધર્મના હેતુમાં અને ધર્મના ફળમાં,-આત્મા આદિને જે ધર્મ છે તે યથાવત્ વિનિશ્ચય કરે તે આસ્તિક્ય છે. આ આસ્તિકય જે આત્માનુભૂતિ સહિત હોય તે જ સમ્યફવા છે, નહિં તે મિથ્યા આસ્તિક્ય છે. “આત્મા છે તે નિત્ય છે, છે કત્તા નિજ કર્મ છે ભોક્તા વળી મિક્ષ છે, મિક્ષ ઉપાય સુધમ.”—શ્રી આત્મસિદ્ધિ કૈધાદિક કાનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ ! અરે જીવ! હવે થેભ, એ નિર્વેદ. મહાગ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવાં મેગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા એગ્ય છે, અનુભવવાં યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રક ૧૨૨. (૧૩૫) આવા આ પ્રશમાદિ ગુણ પણ જે આત્માનુભૂતિ-આત્માનુભવ સહિત હોય તો સમ્યગદર્શનના બાહ્ય લક્ષણ છે, આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્દર્શનના લક્ષણ નથી. આમ સર્વત્ર શુદ્ધ આત્માનુભૂતિનું જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશામાદિ ગુણ ભવનુંજ મુખ્યપણું છે. તથાપિ આ પ્રશમાદિ ગુણ સમ્યગદર્શનની આવશ્યક પ્રાપ્તિમાં કારણરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રામાદિ ગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતાપાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેક્ષ સિવાય બીજો અભિલાષ ન હોય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્ત, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પિતાના આત્મા પ્રત્યે અનુકંપા ભાવ હોય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલે જીવ સદ્ગુરુના ઉપદેશને પાત્ર બને છે, અને તે ઉપદેશ બેધથી સવિચારણની કુરણ થાય છે, એટલે આત્માના અસ્તિત્વથી માંડીને મોક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે–આસ્તિક્ય ઉપજે છે, અને આત્માનુભૂતિ-આત્મજ્ઞાન પ્રગટી સમ્યગદર્શન સાંપડે છે, અને તેથી મેહ ક્ષય થઈ નિર્વાણપદ પામે છે. માર્ગ પ્રાપ્તિને આ સકલ અવિકલ ક્રમ મહાસમર્થ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં આ અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકાશ્ય છે – Page #160 -------------------------------------------------------------------------- ________________ (૪૭૨) યોગદષ્ટિસમુચ્ચય કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રેગ. જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”—શ્રી આત્મસિદ્ધિજી. આમ પ્રશમ–ત્યાગ-વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તે સફળ છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણ કે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં-અંતરંગમાં નથી, અસ્થિમજાપર્યત હાડોહાડ વ્યાપ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિં; અને ત્યાગવિરાગ્યમાં જ જે જીવ અટકી પડે–આત્મજ્ઞાનના ઈષ્ટ લક્ષ્ય ભણી આગળ વધે નહિ, તે તે પિતાનું ભાન ભૂલી જાય, અર્થાત જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અથે ત્યાગવૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતુ જ તે ચૂકી જાય છે. વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમ જ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”–શ્રી આત્મસિદ્ધિ. આ પરમ ઉપકારી પ્રમાદિ ગુણ જ્યાં પ્રગટયા છે, પરમાર્થથી-તત્વાર્થનું સમ્યક શ્રદ્ધાન જ્યાં ઉપર્યું છે, અને જ્યાં પ્રગટ આત્મજ્ઞાન–શુદ્ધ આત્માનુભવ થાય છે, એવું આ પરમ ધન્ય, પરમ વંદ્ય, પરમ દુર્લભ એવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન આ પાંચમી સ્થિર દષ્ટિમાં સ્થિતિ કરતા યેગીને તમોગ્રંથિના વિભેદથી સાંપડે છે. અને આમ જેને દર્શન મેહ નષ્ટ થયું છે, ને સ્પષ્ટ આત્મજ્ઞાન પ્રકાશ સાંપડ્યો છે, એવા આ મહાબુદ્ધિમાન વિવેકી સમ્યગ્દષ્ટિ દષ્ટા યેગીને આ સંસારનું મહાભયંકર દુઃખદ અસ્થિર સ્વરૂપ સંવેદાય છે, સાક્ષાત્ અનુભવાય છે, એટલે જ આ પરમ ધન્ય સમ્યગદષ્ટિ પુરુષને સમસ્ત સંસારચેષ્ટા બાલધૂલિગ્રક્રીડા જેવી ભાસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે– એનું સ્વને જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે થાય કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારને સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેવી અમારી રે.” શ્રી મુક્તાનંદજી. Page #161 -------------------------------------------------------------------------- ________________ રિથરાદષ્ટિ: “મૃગતૃષ્ણા જલ વૈલોક. છવ્યું ધન્ય તેહનું (૪૭૩) આમ સંતજનોએ આત્મજ્ઞાનને–સમ્યગદર્શનનો ખૂબ મહિમા ગાયો છે. શ્રીમાનું યશોવિજયજી કહે છે કે-આત્મજ્ઞાનનું ફલ ધ્યાન છે, અને આત્મજ્ઞાન મુક્તિ આપનારૂં છે, માટે મહાત્મા આત્માથી એ આત્મજ્ઞાનને અર્થે નિત્ય યત્ન કરવા યોગ્ય છે, કારણ કે આત્માને* જાણ્ય, પછી જાણવાનું બાકી રહેતું નથી અને આ આત્મા ન જાણ્ય, તે પછી બીજું જ્ઞાન ફેગટ છે.” પરમ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અને પડે પાડે છે – જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાને નિજ રૂપકે, સબ જા સે ફેક.”—શ્રીમદ્ રાજચંદ્ર मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान् । बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ॥ १५६ ॥ મૃગજલ ગંધર્વનગર ને, તેમજ સ્વપ્ન સમાન; બાહ્ય ભાવ તત્વથી જુએ, મૃતવિવેકથી સુજાણ, ૧૫૬ અર્થ :–આ દષ્ટિવાળો ગી શ્રતવિવેક થકી બાહ્ય ભાવોને તત્વથી માયાજલ, ગંધર્વનગર ને સ્વપ્ન જેવા દેખે છે. વિવેચન “જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણા જલ ચેલેક..જીવ્યું ધન્ય તેહનું! દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક-જીવ્યું ધન્ય તેહનું !” આ દષ્ટિવાળા યોગીને શ્રતવિવેક પરિણત હોય છે, એથી તે દેહ-ગૃહાદિ બાહ્ય ભાવેને પરમાર્થથી મૃગતૃષ્ણા જેવા, ગધર્વનગર જેવા, સ્વપ્ન જેવા દેખે છે. આ સમ્યગદષ્ટિ પુરુષ ભાવે છે કે આ સર્વ જગજજાલ મૃગતૃષ્ણા જેવી છે, મૃગજલ જેવી-ઝાંઝવાના પાણી જેવી મિથ્યા છે (જુઓ પૃ. ૨૧૬). ભર ઉન્ડાળામાં જંગલને કૃત્તિમારીજ-મૃગતૃષ્ણકા, પર્વના ગન્ધર્વનગર, હરિશ્ચંદ્રપુર આદિ, સ્વપ્ન - રૂમ, પ્રતીત જ છે, સનિમાર-તેના આકારવાળા, વાઘાન-બાહ્ય, દેહ-ગૃહ આદિ, પતિ-દેખે છે, તન-તત્વથી, પરમાર્થથી, માવાન-ભાવોને, પદાર્થોને, શા કારણથી? તે કે-કૃતિઃ -શ્રુત વિવેક થકી, સમ્યક એવા શ્રુતજ્ઞાને કરીને. x"झाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ।।" શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર Page #162 -------------------------------------------------------------------------- ________________ (૭૪) ગદષ્ટિસખા વિષે તરસ્યા થયેલા મૃગને દૂર દૂર પાણીને આભાસ થાય છે, ને તે મૃગતૃણુ પાણી પીવાની આશાએ પૂરપાટ દેડયો જાય છે ! પણ તે મૃગજલ તે જલ ઐલેક’ વસ્તુત: નહિં હોવાથી, ખાલી આભાસમાત્ર હેવાથી, હાથતાલી દઈને આવું ને આવું ભાગતું જાય છે! ને તે મૃગ બિચારો તેની ખોટી ને ખોટી આશામાં દોડાદોડીને નાહકને લથપથ થાય છે ! અથવા મધ્યાહે રણભૂમિમાં પસાર થતા મુસાફરને દૂર દૂર ક્ષિતિજમાં પાણીનો આભાસ ( Mirage) થાય છે, એટલે તરસ્યો થયેલે તે તે મેળવવાની આશાએ દોડે છે, પણ તે પાણી તે હતું તેટલું જ દૂર રહે છે! કારણ કે તે જલ ખોટું છે, મિથ્યાકલ્પનારૂપ છે, સૂર્યકિરણેથી ઉપજતે મિથ્યાભાસરૂપ દશ્યવિભ્રમ (Illusion of vision) છે, એટલે તે બિચારાને નિરાશ થવું પડે છે! તેમ આ દેહ-ગૃહાદિ ભાવ મૃગજળ જેવા છે. તે પિતાના નથી, છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી–મિથ્યાભાસથી–અસત્ કલ્પનાથી પોતાના ભાસે છે! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પિતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દોડ” જેટલું દેડાય તેટલું દોડે છે! પણ જે વસ્તુ વસ્તુતઃ પિતાની છે જ નહિં, તે કેમ હાથમાં આવે? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે. તેમ તેમ તે હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે! ને આ જીવની જાણે ક્રૂર મશ્કરીરૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે! કારણ કે આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહપર્યાય ધારણ કર્યો, તેમાં કર્યો દેહ આ જીવને ગણ? જે દેહપર્યાયને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પોતાને માનવા જાય છે, તે દેહ તે ખલજનની માફક તેનો ત્યાગ કરીને-દગો દઈને ચાલ્યો જાય છે! ને આ જીવ મેંઢાની જેમ અમે મે' (હારૂં મહાસું) કરતે હાથ ઘસતો રહે છે! આ હાલામાં હાલે દેહ પણ જ્યાં જીવને થતું નથી, તે પછી તે દેહને આશ્રયે રહેલીદેહ હોઈને રહેલી એવી ઘરબાર વગેરે પરિગ્રહરૂપ વળગણ તે તેની કયાંથી થાય? જે દેહમાં દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહ પણ જે આ આત્માને નથી થતું, તે પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદાર્થ તે આ આત્માના ક્યાંથી બને? માટે આ દેહાદિ બાહ્ય ભાવ તત્વથી મિથ્યાભાસરૂપ છે, મૃગતૃષ્ણા જેવા જ છે, એમ આ સમ્યગદષ્ટિ પુરુષ પ્રત્યક્ષ દેખે છે. મહાત્મા પુરુષો-દેહધારીરૂપે વિચરતા મહાત્મા પુરુષોને લક્ષ સદૈવ દેહને વિષે અધિષ્ઠિત અજર અમર અનંત એવો જે દેહી-આત્મા તે પ્રતિ હોય છે. એ દેહીએ દેહ તો અનેક ધર્યો હોય, ત્યાં કયા દેહને પિતાને ગણે?” શ્રી મનસુખભાઈ કિરચંદકૃત શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા. અથવા તે આ દેહ-ગૃહ આદિ ભાવ ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા જ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ શિશદષિ“આ તો સ્વપનું છે સંસાર' –શ્રતવિક (૪૭૫) શહેર જેવા છે! ઇંદ્રજાલીયા આકાશમાં નગરરચનાને પેટે ભાસ ઉભું કરાવે છે, પણ તે મિથ્યાભાસરૂપ નગર તે ક્ષણવારમાં ક્યાંય “છુ” થઈ જાય છે! ગગનનગર કયાંનું કયાંય અલેપ થઈ જાય છે! અથવા તે આકાશમાં અદ્ધર જે સંસાર નિરાધારપણે એવું નગર રચવું અશક્ય છે! હવામાં કિલ્લા બાંધવા (Castles in air ) અસંભવિત છે, શેખચલ્લીના વિચાર જેવા મિથ્યા કલ્પનાના ઘોડા છે ! તેની જેમ આ દેહ–ગૃહ આદિ બાહ્ય પદાર્થો ક્ષણભંગુર ને મિથ્યાભાસરૂ૫ છે, ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે. આ દેહાદિ ખરેખર ! આત્માથી બાહ્ય છે, પરભાવ છે, તેની સાથે પરમાર્થથી આ આત્માને કાંઈ લેવાદેવા નથી. શ્રી દેવચંદ્રજીના શબ્દોમાં “દ્રવ્ય દ્રવ્ય મિલે નહિં, ભાવ તે અન્ય અવ્યાપ્ત છે મિત્ત.” જડ તે જડ ને ચેતન તે ચેતન એમ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ છે. એટલે દેહાદિ સાથે કંઈ પણ સંબંધની કલ્પના તે આકાશમાં નગરરચના જેવી મિથ્યા કલ્પનામાત્ર છે. શ્રી પૂજ્યપાદ સ્વામીજીએ કહ્યું છે તેમ “દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર, સ્ત્રી આદિ ક૯૫નાઓ ઉપજી છે અને તેના વડે આત્માની સંપત્તિ માનતું જગત્ અરે હણાઈ ગયું છે !” “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?-શ્રીમદ્ રાજચંદ્રજી. અથવા આ દેહ-ગૃહ આદિ આત્મ-બાહ્ય પદાર્થો સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ સ્વપ્ન દશામાં દેખાતી આ દેહાદિ કલ્પના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં આ તે સ્વપનું વાસ્તવિક દેખાતી નથી, મિયાણાસરૂપ જણાય છે. અથવા ગમે તેવું છે સંસાર” સુંદર સ્વપ્ન આવ્યું હોય અને તેમાં ગમે તેવા ઉત્તમ ભેગ ભેગવ્યા હોય, છતાં તેને ક્ષણવારમાં વિલય થતાં વાર લાગતી નથી; અને હાય! તે ભેગ ચાલ્યા ગયા ને અમારા ભેગ મર્યા!-એ મિથ્યા ખેદ મનમાં બાકી રહે છે! તેમ આ દેહ-ગૃહાદિને સુંદર યોગ થયો હોય અને ચક્રવર્તી આદિની ઋદ્ધિ પ્રાપ્ત થઈ ઉત્તમ ભોગોની વિપુલતા સાંપડી હોય, તે પણ તે સર્વ ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દષ્ટનષ્ટ થઈ જાય છે, ને હાય ! આ હાર ભેગ ચાલ્યા ગયા, એ વસવસે મનમાં રહી જાય છે! “ભીખારીને ખેદ” એ મનનીય દષ્ટાંત શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં તાદૃશ્ય રીતે વર્ણવ્યું છે, તે અત્રે બરાબર લાગુ પડે છે. કઈ એક ભીખારીને સ્વપ્નમાં ઉત્તમ રાજવૈભવ સાંપડયો છે, ને પછી તે સ્વપ્નમાં ને સ્વબમાં રોમાંચ અનુભવે છે, ત્યાં અફસોસ! વચ્ચમાં વિશ્ન આવે છે–ગાજવીજને ગડગડાટ થાય છે, ને તેનું સ્વપ્ન અધૂરું રહે છે, તેને ખેદ માત્ર અવશેષ રહે છે! આમ આ સંસાર ખરેખર ! સ્વપ્ના જે છે, માટે જ સાદા વેધક શબ્દોમાં ચાબખા મારનારા ભેજા ભગતે ભેળા ભાવે સાચું જ ગાયું છે કે પ્રાણીઓ ! ભજી લેને કિરતાર, આ તે Page #164 -------------------------------------------------------------------------- ________________ (૪૭૬) ગદષ્ટિસમુચ્ચય સ્વપનું છે સંસાર.”—ઈત્યાદિ પ્રકારે નિરંતર ભાવતા આ સમ્યગ્ગદષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સંસાર સ્વપ્ન જેવ, મૃગજળ જેવો, ગગનનગર જે, ઉપલક્ષણથી એઠ જે, ધૂળ-રાખ જે, કાજળની કેટલી જેવો ભાસે છે. કારણ કે સ્વપ્નરૂપ અજ્ઞાન દશા વ્યતીત થઈ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે. “જાગીને જોઉં તે જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રા લટકાં કરે બ્રહ્મ પાસે.” શ્રી નરસિંહ મહેતા. સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીયે જ્ઞાનિદશા, બાકી વાચા જ્ઞાન.”—શ્રી આત્મસિદ્ધિ, આ લેક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષ્ણ છીપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જવરાદિ રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણુ છેસપુરુષની વાણી વિના કેઈ એ તાપ અને તૃષા છેડી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૪. આમ આ સંસાર પ્રત્યે આ સમ્યગદષ્ટિ યોગી પુરુષને અત્યંત તીવ્ર અંતરંગ વૈરાગ્ય વત્તે છે. આવા ગાઢ સંવેગરંગથી જ્ઞાની પુરુષ રંગાયેલા હોય છે, તેનું કારણ એમને શ્રતવિવેક ઉપજ્યા છે તે છે, સમ્યપણે શ્રુતજ્ઞાન પરિણત થયું છે તે છે (જુઓ શ્રતવિવેક પૃ. ૧૯-૨૦) અર્થાત્ આ સમ્યગદષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પરુષ સદ્દગુરુ સમીપે શ્રવણ કરેલા “શ્રુત’ જ્ઞાનથી વિવેક ઉપજે છે, શ્રુતજ્ઞાન સમ્યપણે પરિણમ્યાથી સદ્અ સનું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રગટયું છે, આત્મા--અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યો છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે. જેમ કે-હું આ દેહાદિ પરવતુથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહાત્મસ્વરૂપ જ હારૂં છે, બીજું કંઈ પણ હારું નથી. હું આ દેહાદિ ભાવને નથી, ને આ દેહાદિ ભાવ મહારા નથી,-એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દઢ થયો છે. “ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ”—ી આત્મસિદ્ધિ. Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : Rહ પરભાવને કેમ ચાખે?' નિઃશંક સમ્યગદષ્ટિ (૪૭૭) શ્રી સદ્ગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મહારાં નથી. શુદ્ધ ચિતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છઉં. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” –શ્રીમદ્ રાજચંદ્રજી. માટે મહારે આ હાર એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે માટે હું મહારા આત્મભાવને જ ભજુ ને સમસ્ત પરભાવપ્રપંચને ત્યજે એ જ યંગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર-પરિવારરૂપ ભાવ જ આ બીજા બધા સાથ સોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ! વિરામ પામ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાને પરમ ઉપાય છે. એને આશ્રય કર ! આશ્રય કર ! “આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; અવર સવિ સાથ સોગથી, એ નિજ પરિકર સાર રે....શાંતિજિન”- શ્રી આનંદઘનજી. આમ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષ સ્વભાવને આશ્રય કરવાને ને પરભાવને ત્યાગ કરવાને વિવેકજન્ય નિશ્ચય કરે છે, તેમાં ધાબીના ઘેરથી આણેલા બદલાઈ ગયેલ વસ્ત્રનું આ દષ્ટાંત બરાબર ઘટે છે –જેમ કેઈ એક પુરુષ ભ્રાંતિથી ધોબીના ઘેરથી વસ્ત્ર લઈ નેહ પરભાવને આવી, પિતાનું માની પહેરીને સૂઈ ગયે. તે પોતે અજ્ઞાની હોઈ, બીજાએ કેમ ચાખે?' તેને છેડે પકડી તેને બળથી નગ્ન કરવા માંડ્યો અને કહ્યું કે “અલ્યા ! જલદી ઊઠ ! આ મહારૂં બદલાઈ ગયેલું વસ્ત્ર આપી દે !” એમ વારંવાર વચન સાંભળીને તેણે બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, ચક્કસ આ તો પારકું છે એમ જાણ્યું, એટલે જ્ઞાની થઈ તેણે તે વસ્ત્ર એકદમ મૂકી દીધું. તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પારકા ભાવે ગ્રહણ કરીને આત્મીય પ્રતિપત્તિથી–પિતાના માની બેસી પરમાં અધ્યાસ કરીને સૂતે હતું. તે સ્વયં અજ્ઞાની હોઈ, ગુરુ પરભાવવિવેક કરી તેને “એક કરવા માંડે છે ને ઉપદેશે છે કે-અરે ! પ્રતિબોધ પામ! જાગ ! આ આત્મા નિશ્ચયથી એક છે.” એમ વારંવાર શ્રતશ્રત સંબંધી વચન સાંભળી તે સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, નિશ્ચિત આ પરભાવ છે એમ જાણે છે, એટલે જ્ઞાની થઈ તે સર્વ* ભાવેને શીઘ મૂકી દે છે. કારણ કે x “जह णाम कोवि पुरिसो परदव्वमिणति जाणिदुं चयदि । तह सव्वे परभावे पाऊण विमुंचदे णाणी ॥" (આધાર માટે જુઓ ) શ્રી સમયસાર અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા. Page #166 -------------------------------------------------------------------------- ________________ એગદશિરસાય (૪૭૮) જીવ નવ પુગ્ગલી નવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નિવ તાસ ર'ગી; પરતણા ઇશ નહિ. અપર અશ્વતા, વસ્તુધમે કદા ન પર સંગી.... અહે। ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી સંગ્રહે નહિં આપે નહિ' પર ભણી, નવ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભેાગી જિકે, તે પરભાવને કેમ ચાખે ?....અહે। શ્રી સુમતિ॰ તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તિણે તત્ત્વ ઇહે; તત્ત્વર'ગી થયા દોષથી ઉભગ્યા, દેષ ત્યાગે ઢળે તત્ત્વ લીકે....મહા ! શ્રી સુમતિ॰' શ્રી દેવચંદ્રજી આમ શ્રુતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપજ્યેા હેાવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટથુ હાવાથી, આત્મસ્વરૂપપદ સમજાયુ' હેાવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડયુ. હાવાથીઆ સમ્યગ્દષ્ટિ યોગી પુરુષને દેહ-ગૃહાદિ ખાદ્ય ભાવા-પરપદાર્થો મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સભ્યષ્ટિ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સ ંવેગર’ગથી રંગાયેલી હેાય છે. ખરેખર ! આત્મારામી સમ્યગ્દષ્ટિ મહાત્માની દશા પરમ અદ્ભુત હાય છે. જેમકે કાઁખ'ધની શંકા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિઃશંક * આત્મા સભ્યષ્ટિ જાણવા. જે ક લામાં તથા સધર્મીમાં કાંક્ષા કરતા નથી, તે નિષ્કાંક્ષ આત્મા સમ્યગ્દષ્ટિ જાણવા. જે સર્વેય ધર્મોમાં જુગુપ્સા કરતા નથી, તે નિઃશંક સમ્યગ્ નિવિચિકિત્સ આત્મા સમ્યગ્દૃષ્ટિ જાણવા. જે સ` ભાવામાં અસમૂહ દષ્ટિ કેવા હોય ? હાઇ સદૃષ્ટિવાનું છે, તે અમૃદ્ધદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવા. સિદ્ધભક્તિયુક્ત એવા જે સર્વ પરવસ્તુના ધર્માનું ઉપગ્રહન-ગેાપન કરે છે, અથવા સ આત્મધર્માનુ’-આત્મશક્તિઓનું ઉપમૃ હણ કરે છે–વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી–ઉપબૃંહનકારી સભ્યદૃષ્ટિ જાણવા. ઉન્માર્ગે જતા પેાતાના આત્માને જે માગે સ્થાપે છે તે સ્થિતિકરણુયુક્ત આત્મા સમ્યદૃષ્ટિ જાણવા. મેાક્ષમાને વિષે ત્રણ સાધુઓનું અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રનું જે પેાતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એવા માવત્સલ સમ્યગ્દૃષ્ટિ જાણવા. વિદ્યારથમાં આરૂઢ થયેલા જેમનેરથપથામાં ભમે છે, તે ચેયિતા-આત્મા જિનજ્ઞાનની પ્રભાવના કરનાર સભ્યષ્ટિ જાણવા.' X 5 " जो चत्तारिवि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेयव्वो ।।" —(જુએ ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬. અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા x " विज्जारहमा रूढो मणोरहपएस भमइ जो चेदा । ઓ ઝિળળળળવાથી સમ્માવિકી મુળચળ્યો || ”—શ્રી સમયસાર્ Page #167 -------------------------------------------------------------------------- ________________ સ્થિસાબિઃ ૧૨ જ્યોતિ—પરમ નિધાન પ્રગટ સુખ આગળે' अवाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । यत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥ અબાહ્ય કેવલ જ્યોતિ જે, નિરામય નિરામાધ; પરમ તત્ત્વ તેહી જ અહીં, શેષ ઉપપ્લવ બાધ, ૧૫૭ (૪૭૯) અર્થ :—અખાદ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય જ્ગ્યાતિ જે અત્રે છે તે પરમ તત્ત્વ છે; ખાકી શેષ તેા ઉપપ્લવ છે. વિવેચન કેવલ જ્યંતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારા રે.”—શ્રી ચા. દ. સજ્જા. ૬-૪ અત્રે અખાદ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનયેાતિ છે, તે જ પમ તત્ત્વ છે. તે જ અમૂત્તપણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ પરમ તત્ત્વ છે. એ સિવાયનું બાકી બીજુ બધુય ઉપપ્લવરૂપ છે. આ જગતમાં જો કાઇ પરમ, સર્વોત્કૃષ્ટ, પરમાત્તમ તત્ત્વ હેાય તે તે અંતરમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યાતિ જ છે. એ તત્ત્વ અબાહ્ય છે, અંતરમાં ઝળહળી રહ્યુ છે. તે નિરાખાષ છે, કઈ પણ પ્રકારની બાધાથી-પીડાથી રહિત અમાË કેવલ છે, કારણ કે તે અમૂત્ત-અરૂપી છે, એટલે તેને કેાઇ ખાધા સ્પશી ન્યાતિ પર શકતી નથી. વળી તે નિરામય-આમય-રાગ રહિત, અરેગી છે, ભાવઆરાગ્યસ’પન્ન છે. કારણ કે તે અરૂપી-અમૃત્ત છે. આમ નિરાખાધ ને તત્ત્વ નિરામય હાવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કોઇ પણ ખાધા —પીડા વિનાના અને રાગ વિનાના સ્વસ્થ મનુષ્ય જેમ પેાતાના સહજ (Normal & Natural) કુદરતી સંપૂર્ણ આરાગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂ ખુશમીજાજમાં–આન દેહ્વાસમાં દેખાય છે, તેમ કોઈ પણ પ્રકારની ખાધાથી ને રાગથી રહિત, એવી આ કેવલ જ્ઞાનજ્યોતિ પેાતાના સહજ સપૂર્ણ અવ્યાબાધ આરાગ્યમય-સ્વાસ્થ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભીય સુખમય-પરમ આન ંદમય દીસે છે. આ અભ્યામાધ આરોગ્યમય એવા સહજાત્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યેાતિ જ પરમ તત્ત્વ છે. નૈતિ નેતિ' એમ બીજુ ધુંય ખાધ્ય ખાધ કરતાં, તે છેવટ-પરમ અખાધ્ય અનુભવરૂપ રહે છે, વૃત્તિઃ —ાવાદું-મભાવ, આન્તર, વ–કેવલ, એક, જ્યોત્તિ:-જ઼્યાતિ, જ્ઞાન, અનર્થં-અનાબાધ -અમૂત્તતાથી પીડારહિત, અનામરું-અનામય, અાગી,-એટલા માટે જ, ચત્ર-જે અત્રે-લેકમાં, સસ્પર સત્ત્વ—તે પર તત્ત્વ વર્તે છે, સદ્દા તથાભાવને લીધે, રોષઃ પુન:-શેષ-ખાકીનેા પુન:, ઉપવ:-ઉપપ્લવ છે,તાર રૂપે ભાચી. Page #168 -------------------------------------------------------------------------- ________________ (૪૮૦) ગદષ્ટિસમુચ્ચય તેટલા માટે તે પરમ છે; અથવા એનાથી પર–મોટું કોઈ નથી, એ જ સર્વોત્કૃષ્ટ છે, એ જ સર્વોત્તમ છે, તેટલા માટે તે પરમ છે. અને ત્યાં કેવલ માત્ર, એક, શુદ્ધ, અદ્વૈત એવી તે જ્ઞાતિ જ છે, એક ચૈતન્ય ચમત્કાર સિવાય બીજું કાંઈ નથી. “અખંડ અનાકુલ ને અનંત એવી તે પરમ જ્યોતિ અંદરમાં ને બહારમાં સદા સહજ વિલસી રહી છે, ચૈતન્યના ઉછાળાથી તે નિર્ભર હેઈ, મીઠાના ગાંગડાની પેઠે સદાકાલ એકરસને આલંબે છે. X મીઠાને ગાંગડો ગમે ત્યાંથી ચાખે પણ સદા એક લવણરસરૂપ જ લાગે છે, તેમ આ ચૈતન્યઘન જ્ઞાનતિ સદા એક ચૈતન્યરસરૂપ જ અનુભવાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું કર વિચાર તે પામ.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિજી. અને આવું આ પરમ તિર્મય તત્વ અબાહ્ય છે, અંતરમાં જ વતે છે, આત્મામાં જ સ્થિત છે, પિતામાં જ રહે છે, આત્માથી બાહ્ય-ન્હાર નથી. એ આત્માનું અંતસ્તત્વ છે, અને તે જ પોતાનું છે. તે કંઈ હાર ખોળવા જવાની પરમ નિધાન જરૂર નથી. તે તે આત્મામાં જ રહેલું હેઈ, આત્મામાંથી જ ઓળખીને પ્રગટ મુખ ખેળી કાઢવાનું છે. પરંતુ કસ્તુરી જેમ મૃગની નાભિમાં જ છે, પણ આગળ’ અજ્ઞાન મૃગને તેનું ભાન નહિં હોવાથી તે ઢુંઢવા માટે બીજે દેડે છે! તેમ અજ્ઞાની જીવને આ પરમ તત્વ જે પોતાના આત્માની અંદરમાં જ રહેલું છે, જે આત્મા પોતે જ છે, તેનું ભાન નહિં હેવાથી, તે તેની શોધમાં બહાર ભમ્યા કરે છે! પણ અંતર્મુખ થઈ પિતાની અંદર અવેલેકતે નથી ! આમ પરમ નિધાન જે પ્રગટ મુખ આગળ રહ્યો છે, તેને આ અજ્ઞાની જગત્ ઉલ્લંધી જાય છે ! ને તેની શોધમાં હાર નીકળી પડે છે! કેડે છોકરું ને શોધવા ચાલી” એના જેવો ઘાટ થાય છે! ખુલ્લે ખજાનો આવે છે, ત્યાં આંખ મીંચીને ચાલતા, છતી આંખે આંધળા બનેલા મૂખે જનેના જેવી આ વાત બને છે! તેઓ નિકળ્યા'તા તે ખજાને શોધવા, પણ જ્યાં ખજાને આવે છે, ત્યાં “આંધળા શી રીતે ચાલતા હશે તે જોઈએ તે ખરા !” એમ તુક્કો ઊઠતાં તેઓ આંખો મીંચીને ચાલવાને અખતરો કરે છે ! એમ કરતાં તેઓ ખજાનો ઉલ્લંઘી જાય છે–ટપી જાય છે ! અને તે શેધવા માટે આગળ દોડ્યા જાય છે ! પણ પ્રગટ મોઢા આગળ ઉઘાડો પડેલે ખજાને દેખતા નથી ! તેમ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય–આનંદ આદિ ગુણરત્નોનો પરમ નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં x अखण्डितमनाकुलं बलदनन्तमन्तर्बहि-महः परममस्तु नः सह जमुद्विलासं सदा । चिदुच्छलननिर्भर सकलकालमालम्बते, यदेकरससमुल्लसल्लवणखिल्यलीलायितं ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ, Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ: કર્મ આદિ આત્માથી બાહ્ય (૪૮૧) કિંમતી ખજાને, એવો આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડે પડ્યો છે–સાવ ખુલ્લે પડયો છે, છતાં આ અજ્ઞાની જગત્ અંધની જેમ તેને ઉલ્લંઘી જાય છે! તે આમ કરે છે તેનું કારણ તેને આ પરમ જ્ઞાનજ્યોતિને પ્રકાશ સાંપડ્યો નથી તે છે, એટલે અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી રહ્યો હોઈ, તે બિચારૂં આ પરમ નિધાન દેખતું નથી, અને “અંધે અંધ પલાય” આંધળાની પાછળ આંધળા દેડતા હોય એવી ચેષ્ટા કરે છે ! પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય....જિનેસર! જોતિ વિના જુએ! જગદીશની, અંધે અંધ પલાય...જિનેસર ! ધર્મ.” -શ્રી આનંદઘનજી. પણ આ ગદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તે અબાહ્ય એવી આંતરુ તિનું પ્રગટ દર્શન થયું છે, જગદીશની તિને પ્રકાશ સાંપડ્યો છે, એટલે તેણે તે આ પરમ નિધાન પ્રગટ મુખ આગળ” દીઠે છે. એવા સમ્યગ્દષ્ટિ પુરુષને તે પિતાની પૂર્વ અજ્ઞાન અવસ્થાનું સ્મરણ થતાં પોતાના પ્રત્યે હસવું આવે છે ! તે વિચારે છે કે આ૫ આ૫કું ભૂલ ગયા !” પોતે પોતાને ભૂલી ગયે એનાથી તે બીજું મોટું અધેર કર્યું? એ ફરી ફરી યાદ કરતાં કરતાં અમને હસવું આવે છે ! પણ હવે તે અમે ફરીથી નહિ ભૂલીએ ! પરમ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક વચને કહ્યા છે કે – આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેર? સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેગે ફેર.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આ કેવલ જ્ઞાનતિ જ અબાહ્ય છે, બાકી બીજું બધુંય બાહ્ય છે, અર્થાત્ કર્મ, કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તેનો આત્મામાં અંતઃપ્રવેશ નથી. કારણ કે ૪ “પ્રગટપણે અનંત શક્તિવાળી વસ્તુ પણ ભલે હાર આળોટ્યા કરે, પણ વર્તુ x"बहिलठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयम्, तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते, स्वभावचलनाकुलः किमिह मोहित: क्लिश्यते । वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोऽयमपरोऽपरस्य कः, किं करोति हि बहि ठन्नपि ।। यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनः स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસાર કલશ. Page #170 -------------------------------------------------------------------------- ________________ (૪૮૨) ગદષ્ટિસમુચ્ચય કર્મ આદિ તરની-બીજી વસ્તુની અંદર પ્રવેશી શકતી નથી, કારણ કે સકલ જ આત્માથી બાહ્ય વસ્તુ સ્વભાવનિયત કહી છે, પોતાના સ્વભાવથી નિયત-નિશ્ચયથી મર્યાદિત કહી છે, તે પછી મહ પામી તે સ્વભાવ ફેરવવા માટે આકુલ થઈ શાને કવેશ પામવામાં આવે છે? કારણ કે અહી કઈ વસ્તુ અન્ય વસ્તુની નથી, તેથી વસ્તુ તે વસ્તુ જ છે, આ નિશ્ચય છે હાર લેટતાં છતાં અન્ય અન્યનું શું કરે છે? અને સ્વયં પરિણમી એવી અન્ય વસ્તુનું અન્ય વસ્તુ કંઈ પણ કરે છે, તે તે વ્યવહાર દૃષ્ટિથી માન્યું છે, નિશ્ચયથી તે અહીં બીજું કંઈ પણ નથી.’ આમ કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તો પછી આત્માને અને જ્ઞાનાવરણીયાદિ કમને, શરીરાદિને તથા રાગદ્વેષાદિ ભાવકને પરસ્પર શો સંબંધ છે? તે પ્રસંગથી અત્ર સમજવા માટે સંક્ષેપ વિચાર કર્તવ્ય છે. અત્રે શિલ્પીનું*-કારીગરનું દષ્ટાંત ઘટે છે – જેમ કેઈ ની વગેરે કારીગર કુંડલાદિ પદ્રવ્ય પરિણામરૂપ કર્મ કરે છે, હથેડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણ વડે કરે છે, હડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણે ગ્રહે છે, અને કુંડલાદિ નિમિત્ત નિમિ. કર્મના ફળરૂપે પરદ્રવ્ય પરિણામરૂપ પ્રામાદિ ભોગવે છે, પણ અનેક ત્તિક વ્યવહાર દ્રવ્યપણાને લીધે તેનાથી અન્યપણું-જૂહાપણું હોઈ તન્મય થતો નથી. તેથી નિમિત્ત–નિમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કોં–કર્મવનો ને ભેકર્તાભેગ્યત્વને વ્યવહાર છે. તેમ આત્મા પણ પુણ્ય-પાપાદિ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરો વડે કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરણે ગ્રહે છે, અને પુણ્ય પાપાદિ કર્મફલરૂપ પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક સુખ દુઃખાદિ ભેગવે છે, પણ અનેક દ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું-ભિન્નપણું હોઈ તન્મય થતું નથી. તેથી નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કર્ણ-કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વને વ્યવહાર છે. અને જેમ તે જ કારીગર કામ કરવાને ઇચ્છતે સત, ચેષ્ટાને અનુરૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, અને ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણુએ કરીને તેનાથી અનન્યપણુંપરિણામ-પરિ અભિન્નપણું હોઈ તન્મય થાય છે, તેથી પરિણામ-પરિણામી ભાવથી ભુમી નિશ્ચય તેમાં જ તું-કમવન ને ભકતૃ-ભેગ્યત્વને નિશ્ચય છે. તેમ આત્મા પણ કરવા ઈચ્છો તે, ચેષ્ટારૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, *"जह सिप्पिओ उ कम्मं कुम्वइ ण य सो उ तम्मओ होइ । तह जीवोवि य कम्मं कुव्वदि ण य तम्मओ होइ ।" (આધાર માટે જુઓ)-શ્રી સમયસાર ગા. ૩૪૯-૩૫૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા, Page #171 -------------------------------------------------------------------------- ________________ સિદષ્ટિ ખડી અને ભીંત, આત્માનું શુદ્ધ સ્વરૂપ (૪૮૩) ચેષ્ટારૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું–અભિનપણું હોઈ તન્મય થાય છે. તેથી પરિણામ-પરિણામી ભાવથી તેમાં જ કર્યું–કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વનો નિશ્ચય છે. આમ દ્રવ્ય કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, અને અશુદ્ધ નિશ્ચયથી ભાવકમ સાથે પરિણામ-પરિણામી સંબંધ છે. પણ શુદ્ધ નિશ્ચય નયથી તે આત્મા સર્વ કર્મકલંક-પંકથી રહિત એ શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત” છે. વળી જેમ ભીંત પર હાર લગાડેલી ખડી ભીતરૂપ નથી, ભીંતથી બાહ્ય છે, ભીંતથી જૂદી છે, એટલે ખડી ભીતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું વ્યવહારથી પુદ્ગલાદિ દ્રવ્ય ય છે, પણ તે જ્ઞાયક યથી બાહ્ય છે, ખડી અને શેયથી જુદો છે, એટલે તે જ્ઞાયક ય એવા પરદ્રવ્યને નથી, જ્ઞાયક ભીંતનું દૃષ્ટાંત તે જ્ઞાયક જ છે, એમ નિશ્ચય છે. જેમ શ્વેત ગુણવાળી ખડીને સ્વભાવ ભીંતને વેત કરવાનો છે, તેમ જ્ઞાનગુણુવાળા આત્માને સ્વભાવ રેયને જાણવાનો છે. ખડી જેમ વ્યવહારથી ભીતરૂપ પરદ્રવ્યને શ્રત કરે છે, તેથી તે કાંઈ ભીતની થઈ જતી નથી, અર્થાત્ ભીતરૂપ બની જતી નથી, પણ નિશ્ચયથી ખડીની ખડી જ રહે છે; તેમ આત્મા પણ વ્યવહારથી ય એવા પદ્રવ્યને જાણે છે, તેથી તે કાંઈ પરદ્રવ્યનો થઈ જતો નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતો નથી, પણ નિશ્ચયથી જ્ઞાયકનો જ્ઞાયક જ રહે છે. કારણકે એ જ એને સ્વભાવ છે. (આધાર માટે જુઓ સમયસાર ગા. ૩૫૬-૩૬૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક “આત્મખ્યાતિ’ ટીકા) __“जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ । તદ્ નાનો ટુ ન પણ નાનો ગાળો સો ટુ –શ્રી સમયસાર “ભાવ સગજા કમ ઉદયાગતા, કરમ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા; ખડીયથી ભીતિમાં જેમ હોએ તતા, ભીતિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા; દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ છેષ ન વિચિત્ત છે, પુલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જુઓ જુઓ એક હવે કિમે.” –શ્રી યશોવિજ્યજીકૃત સાડા ત્ર૦ ગા, સ્ત, અને જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ થઈ જતો નથી,-વિશ્વપ્રકાશક “ચંદ્ર ભ્રમિરૂપ થતો નથી” તેમ (જુઓ પૃ. ૭૫ ). જ્ઞાન ણેયને સદા જાણે છે, પણ શેય કદી તેનું થતું નથી. આમ યજ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે જ્ઞાન સ્વભાવી આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ ણેયને જાણે છે.આમ જીવ દેહ નથી, વચન નથી, મન નથી, કર્મ નથી, રાગ નથી, દ્વેષ નથી, પુદ્ગલ નથી, કે અન્ય દ્રવ્યરૂપ નથી. જીવ આ સર્વથી જુદ છે-ભિન્ન છે. આ સર્વ તે બાહ્ય ભાવે છે, Page #172 -------------------------------------------------------------------------- ________________ (૪૮૪) ગદષ્ટિસમુચ્ચય એક કેવલજ્ઞાનતિ જ આત્માનો અબાહ્ય ભાવ છે; કારણ કે નિશ્ચયથી–શુદ્ધનયથી આ આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે. (જુઓ ગાથા, ફુટનેટ પૃ. ૭૨) દેહ પ્રત્યે જેવો વચનો સંબંધ છે તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જેવો સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત પુરુષને જીવન અને મરણ બન્ને સમાન છે.” -પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી. (૧) અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ આત્મા બદ્ધસ્પષ્ટ છે, છતાં એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય એવા આત્મસ્વભાવને અપેક્ષીને આત્મા જલમાં કમલની જેમ અબદ્ધસ્કૃષ્ટ છે. (૨) નરનરકાદિ અન્યાન્ય પર્યાય ધારણ કર્યાથી અન્યરૂપ છતાં સર્વત્ર આત્માનું શુદ્ધ અખંડ એવા આત્મસ્વભાવની અપેક્ષાએ, ઘટ આદિ સવ પર્યાયમાં સ્વરૂપ વત્તતા અખંડિત મૃત્તિકા સ્વભાવની જેમ, આત્મા અનન્ય છે. (૩) સમુદ્રની જેમ આત્માના વૃદ્ધિ-હાનિ પર્યાયથી અનિયત છતાં, સમુદ્રસ્વભાવ જેવા નિત્ય વ્યવસ્થિત આત્મસ્વભાવની અપેક્ષાએ આત્મા નિયત છે. (૪) ભારી, પીળું, ચીકણું એમ સોનું અનેક પર્યાયરૂપ દીસે છે, પણ પર્યાયદષ્ટિ ન દઈએ ને દ્રવ્યદષ્ટિથી જોઈએ તો એક અભંગ સેનું જ દેખાય છે. તેમ પર્યાય દૃષ્ટિથી આત્મા જ્ઞાન– દર્શનાદિ અનેક પર્યાયવિશેષરૂપ દીસે છે, પણ અવિશેષ એવા આત્મસ્વભાવને અપેક્ષીને જોઈએ ને નિવિકલ્પ રસનું પાન કરીએ તે શુદ્ધ નિરંજન એક આત્મા જ ભાસ્યમાન થાય છે. (૫) જેમ અગ્નિસંગે પ્રાપ્ત ઉષ્ણત્વ પર્યાયની અપેક્ષાએ જલમાં ઉષ્ણપણાનું સંયુક્તપણું છે છતાં, એકાંતે જલના શીત સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી; તેમ કર્મસંગે પ્રાપ્ત માહપર્યાયની અપેક્ષાએ આત્માનું મેહસંયુક્તપણું છે, છતાં એકાંતે આત્માના સ્વયં બાધબીજ સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી, અર્થાત્ આત્મા અસંયુક્ત છે. આમ પર્યાયદષ્ટિ છેડી દઈ, શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિથી જોતાં આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે. (આધાર માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારીકા ગા. ૧૪-૧૫) ભારી પીળો ચીકણે, કનક અનેક તરંગ રે; પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે..ધરમ પરમ અરનાથન દરશન જ્ઞાન ચરણથકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.... ધરમ” -શ્રી આનંદઘનજી આવી શુદ્ધ, નિરંજન, એક, અદ્વૈત એવી કેવલ જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે, આત્માનું પરમ એવું અંતસ્તત્ત્વ છે. એ સિવાયના શેષ ભાવો તે બાહ્ય છે, આત્માથી Page #173 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : “g જે તાણ ”—-બાકી બધો ઉપષ્ણવ (૪૮૫) પર છે, ને તે ઉપપ્પવરૂપ છે. ઉપપ્લવ એટલે અંધાધુંધી, આફત, બાકી બધે આપત્તિ, દુર્ભાગ્ય, વિજ્ઞ, ભય, ક્ષોભ-ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદિ. ઉપપ્લવ કેવલ જ્ઞાનતિ સિવાયના જે જે ભાવે છે–પરભાવે છે, તે તે ખરેખર! ઉપપ્પવરૂપ જ છે. જેમ કેઈ પરચકના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધુંધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જાય, નાશભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિં; તેમ પરવસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્યપુરમાં ઉપપ્લવ મચે છે, આત્મપ્રદેશપરિસ્પંદરૂપ સંક્ષેભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધુંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરત્નોનો ખજાન લૂંટાય છે, અને અનંત ભવપરિભ્રમણરૂપ આપત્તિને પાર રહેતો નથી. “પારકે પેઠો વિનાશ કરે” તે કહેવત અત્ર સાચી પડે છે ! "परः प्रविष्टः कुरुते विनाशम्, लोकोक्तिरेषा न मृषेति मन्ये । નિર્વિરા જુમિયા વિક્ર જિં, જ્ઞાનાનો ને સમારિ વષ્ટ ”—શ્રી શાંતસુધારસ. આ કર્માદિ પરભાવ તે બાહ્ય ભાવો છે, ખરેખર ! પર છે અર્થાત્ શત્રુનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી. પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહેવમમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પરપરિણતિના રાગીપણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે, અને પરને ગ્રાહક તથા રક્ષક બની પરભેગમાં આસક્ત બને છે! આ પરપરિણતિના રંગથી જ આ જીવ અનંત દુ:ખ પામે છે. એટલે આ પરભાવરૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્પવરૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિશ્વરૂપ-બાધારૂપ છે, અરિષ્ટ-અનિષ્ટરૂપ છે, ગ્રહરૂપ છે, અંધાધુંધીરૂપ છે. પર પરિણતિ રાગીપણું, પર રસ રંગે રક્ત રે, પર ગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે...જગતારક પ્રભુ વિનવું” શ્રી દેવચંદ્રજી. “एगो मे सासओ अप्पा णाणदंसणलक्खणो। સેના ને જાતિ મવા સર્વે સંકોરવળ .” --શ્રી આર્ષ વચન. પણ જેને કેવલ જ્ઞાનતિને પ્રકાશ સાંપડ્યો છે, એ સમ્યગ્ગદષ્ટિ જીવ તે એમ ભાવે છે કે-જ્ઞાનદર્શન લક્ષણવાળો એક શાશ્વત આત્મા જ મહારે છે, બાકીના સંજોગલક્ષણ ભાવે તે બાહ્ય છે–આત્મબાહ્ય છે, મહારા આત્માને તેની તારો સાથે કંઈ લેવાદેવા નથી–કંઈ નિસ્બત નથી. એમ સમજી તે પરપરિણતિ આપા' ત્યજે છે, ને આત્મપરિણતિને ભજે છે પરમાત્મસ્વરૂપ શુદ્ધ સ્વજાતિ તત્વના બહુમાનમાં તલ્લીન બની, વિરસ એવા વિજાતિ પરભાવ રસને છેડી દે છે, ને સરસ એવા સ્વસ્વરૂપ રસના પાનથી પીન-પુષ્ટ થાય છે, ધીગોધડ બને છે! Page #174 -------------------------------------------------------------------------- ________________ (૪૮૬). ગણિરામુચ્ચય શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુમાને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે...જગતારક”—શ્રી દેવચંદ્રજી. અને આવા કેવલજ્ઞાન-તિર્મય પરમ આત્મતત્વનું જેને દર્શન સાંપડયું છે, આત્મસાક્ષાત્કાર થયું છે, એવા સમ્યગદષ્ટિ પુરુષને પછી કોઈ પણ પ્રકારનો સંશયને અંશ પણ રહેતું નથી. “જ્ઞાન તિહાં શંકા નહિં થાપ.' જેમ સૂર્યને કિરણસમૂહ પ્રસરતાં અંધકાર રહેતો નથી, તેમ પરમાત્મદર્શન થયે લેશ પણ સંશય રહેતું નથી, સર્વથા પરમ નિશક્તા-નિર્ભયતા વર્તે છે, અને “દુખ દેહગ દરે ટળે છે. કારણ કે જ્યાં શંકા છે ત્યાં જ સંતાપ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી. “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તિહાં શંકા નહિ થાપ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. દરશન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ.”—શ્રી આનંદઘનજી. એવું નિઃશંક સહજાન્મસ્વરૂપનું દર્શન થતાં પરમ નિર્ભયપણાને પ્રાપ્ત થયેલા મહાત્મા અનુભવજ્ઞાની સમ્યગ્દષ્ટિઓના આવા પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે – “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” ઓગણીસસેં ને સુડતાલીસું, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ આ અહો ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. “દુઃખ દેહગ દ્વરે ટળ્યા રે, સુખ સંપરશું ભેટ; ધી*ગ ધણી માથે કિયે રે, કુણુ ગંજે નર એટ ? વિમલ જિન દીઠા લેયણ આજ, મહારા સિખ્ખયાં વંચ્છિત કાજ. અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય....વિમલ૦”—શ્રી આનંદઘનજી. एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्त्वतः ॥ १५९ ॥१५८ કૃત્તિઃ-વજૂ-એમ, ઉક્ત નીતિ પ્રમાણે, વિનિ -આ વિવેકી, ઘી-ધીર, અચપલ, પ્રત્યાહારપૂજા-ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારપ્રધાન, તથા-તે પ્રકારે, ધર્માધાપરિત્યાનચત્તવન-અને ધમભાધાના પરિસમાગમાં કનવંત, તરવર - તરવથી, એમ ઉક્ત નીતિથી વિવેકવર્ડ કરીને પરિદ્ધિને લીધે તરસથી–પરમા* થી. કારણ કે તેઓ ભિનયંથિપણુથકી ઉત્તમ શ્રુતપ્રધાન હોઈ એમ આલેચે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિ : વિવેકખ્યાતિ-અનુભવ હંસૂ શું પેખ રે' (૪૮૭) એમ વિવેકી ધીર આ, પ્રત્યાહાર કરંત; તવથી ધર્મભાવના, ત્યારે પ્રયત્નવંત ૧૫૮ અર્થ –એમ વિવેકી એવા એ ધીરજને તેવા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અને તત્વથી ધમબાધાના પરિત્યાગમાં યતનવંત હોય છે. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે વિવેકી એવા આ ધીર–અચપલ જને ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારમાં તત્પર હોય છે, અને તે વિવેકથી ઉપજેલી પરિશુદ્ધિને લીધે તેઓ તત્વથીપરમાર્થથી ધર્મની બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. તે આ પ્રકારે – વિવેકખ્યાતિ ઉપરમાં સ્વ-પર ભાવને સ્પષ્ટ વિવેક બતાવ્યું કે દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે; મૃગજલાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે; પર છે પારકા છે, પોતાના નથી. અને નિરાબાધ નિરામય એવી કેવલ એક જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે; શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે; આત્મીય-પિતાને છે, પારકે નથી; અને એ જ પરમ તત્ત્વ છે, બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ-આફતરૂપ-અંધાધુંધીરૂપ છે. માટે એક આ કેવલજ્ઞાનજ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધુંય હેય છે–ત્યાગ કરવા યોગ્ય છે. ભૂલથી બેબીને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તે તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગદષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવને-પરવસ્તુને મહારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં નેહરૂપ “આસક્તિથી હું બંધા છું, માટે મહારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણ કે દેહમાં સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચય જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિજે છે-વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે, માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કરૂં. (જુઓ પૃ. ૩૦૨). આમ સ્વ-પરભાવને વિવેક ઉપજે હેવાથી, ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી, તેને નિર્મલ આત્માનુભવ સાંપડે છે. એટલે-“ભૂતક વર્તમાન x “भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बंधं सुधी यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । यात्मात्मानुभवैकाम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं, नित्यं कर्मकलङ्कपविकलो देवः स्वयं शाश्वतः ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ, Page #176 -------------------------------------------------------------------------- ________________ (૪૮૮) ગદષ્ટિસમુચ્ચય ને ભાવી બંધને એકદમ નિભેદીને આ સુબુદ્ધિવંત મેહને હઠથી અનુભવ હંસ હઠાવી અંતમાં નિહાળે છે, તે એક આત્માનુભવથી જ જેને મહિમા શું પેખ રે” ગમ્ય છે એ આ પ્રગટ આત્મા ધ્રુવપણે “સ્થિત છે, અને તે નિત્ય કર્મકલંક પંકથી રહિત એ સ્વયં શાશ્વત દેવ છે”. આમ હંસ જેમ ક્ષીર-નીરનો વિવેક કરે છે, દૂધ ને પાણી જૂદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્ય દૃષ્ટિ પુરુષ આત્મા–અનાત્માને વિવેક કરે છે, સ્વ–પરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ત્ર જુદું છે, મ્યાનથી જેમ તલવાર જુદી છે, તેમ જડથી ચેતનસ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જુદ છે, એમ તે અનુભવે છે; સર્વ અવસ્થામાં જે સદાય ત્યારે-જુદો ને જુદો જણાય છે અને જે પ્રગટ ચૈિતન્યમય સ્વરૂપ છે, એ આત્મા તે સાક્ષાત્ સંવેદે છે. ચિત્રશાળા ન્યારી-જુદી છે, તેમાં પલંગ ન્યારો-જુદે છે, તેમાં સેજ-પથારી ન્યારી છે તેની ચાદર પણ ન્યારી છે, આ પરવસ્તુ સાથેને હાર સંબંધ છે, એમાં હારી સ્થાપના કરવી–આત્મબુદ્ધિ કરવી જુઠી છે,-એમ સમજી સમ્યગદષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતાભાવ ત્યાગીને, ત્યાગી ચેતન બની, દૃષ્ટિ ખેલીને દેખે છે, તે પિતાનું–આત્માનું સ્વરૂપ દેખે છે. “નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવર કરે, અનુભવ હંસ શું પેખ રે....પ્રણમું પદપંકજ પાર્શ્વના.” –શ્રી આનંદઘનજી. “ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારે, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં જૂઠી મેરી થપના; અતીત અવસ્થા સેન, નિદ્રા વહી કેઉ પૈન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; શ્વાસ ઓ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બુઝ, સૂઝે સબ અંગ લખી, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતાભાવ ત્યાગી, ભાલે દષ્ટિ ખેલિકે, સંભાલે રૂ૫ અપના.” -કવિવર બનારસીદાસજી, અને તે દેખે છે તે સ્વરૂપ કેવું છે? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, “સોડથું'. તે નથી નપુંસક, નથી નર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહ, નેતિ નેતિ. જેના અભાવે હું સુષુપ્ત-સૂતો હતો, અને જેના સદૂભાવે હું જાગ્રત થયે-ઊડ્યો, તે અતીન્દ્રિય અનિદેશ્ય એ સ્વસવેવ હું છું. (જુઓ પૃ. ૨૮૦-૮૧) આમ સમ્યગૃષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે, અને સભ્ય જ્ઞાનસુધારસધામ એ આત્મા જાગ્યો છે ને બોલી ઊઠે છે કે* " येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः ।। यदभावे सुषुप्ताऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहं ॥" શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક, Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્થિ રાદષ્ટિ : સસ ભયરહિત જ્ઞાનીનું પરમ નિ:શંકપણુ (૪૮૯) “જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લે. જા સમ્યગ જ્ઞાન સુધારસ ધામ , છાંડી દુર્ભય મિથ્યા નિદ પ્રમાદની રે લે. સહજે પ્રગટ નિજ પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લે. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જે, નિજપરિણતિ થિર નિજ ધર્મરસ ઠરે રે લે.” તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી ધીરતા–નિર્ભયતા. ધગ ધણું માથે કિયે રે, કુણ ગંજે નર એટ? વિમલ૦”—શ્રી આનંદઘનજી. આ સમ્યગદષ્ટિ મહાત્માઓ આવા વિવેકી હોય છે, એટલા માટે જ ધીર હોય છે, અચપલ–અચંચલ હોય છે, પરમ નિર્ભય હોય છે, કારણ કે ભય-ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પિતાના સ્વરૂપનું ભાન પ્રગટ્યું છે, એવા સમ્યગૃષ્ટિ પુરુષો તે દઢ નિશ્ચયપણે જાણે છે કે મહારું કાંઈ ચાલ્યું જવાનું નથી, હારું છે તે તે હારી પાસે જ છે, બાકી બીજુ બધુંય અનેરું છે. “અવધૂ કયા તેરા? કયા મેરા ? તેરા હે સે તેરી પાસે, અવર સબહી અનેરા. માટે હારે ભય છે? ચિંતા શી? વિકલ્પ છે? “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ૫ શે ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છું. નિજ સ્વરૂપમય ઉપગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” છું. આવા સમ્યગદષ્ટિએ જ આ પરમ સાહસ કરવાને સમર્થ થાય છે કે જ્યારે વજ પડતું હોય ને ભયથી કંપાયમાન થતું લેય તેને માર્ગ છેડતું હોય, ત્યારે નિસર્ગ - નિર્ભયતાથી સર્વ જ શંકા છેડી દઈ, તેઓ સ્વયં પિતાને ન હણી સપ્ત ભયરહિત શકાય એવા અવધ્ય જ્ઞાનદેહરૂપ જાણતા હોઈ બેધથી ચુત થતા જ્ઞાનીનું પરમ નથી,” (જુઓ પૃ. ૬૮, ફુટનોટ ). અને આમ જેને જ્ઞાનદેવમય નિજ નિઃશંકપણું સહજાન્મસ્વરૂપને પરમ અખંડ નિશ્ચય ઉપ છે એવા ધીર * સમ્યગદષ્ટિને સાત ભયમાંથી કોઈ પણ પ્રકારનો કંઈ પણ ભય રહેતો નથી. એ તે પરમ નિઃશંક હોય છે, કારણ કે (૧-૨) સર્વથી* જુદા એવા આ * આ સાત ભયનું વિસ્તરથી પરમ મને જ્ઞ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાર્યજી(?)કૃત પંચાધ્યાચીમાં આપ્યું છે. ત્યાં જિજ્ઞાસુએ જેવું. તેનું સારભૂત સંક્ષેપ પણ સંપૂર્ણ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાઇએ પરમ સુંદર રીતે અને આધારરૂપ લીધેલા પરમ અભુત ચમત્કારિક સમયસારેકલશમાં લલકાયું છે. જેમકે – “ટો: શાશ્વત પણ પ સરકચરો વિવિIRમનश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोको यन्न तवापरस्तव परस्तस्यास्ति तद्भीः कुतो, નિઃરા સતતં સાં સ સઘં જ્ઞાનં સવા વિનંતિ | ઇત્યાદિ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૪૯૦) યોગદૃષ્ટિસમુચ્ચય વિવિક્ત આત્માને તે સથી રહિત એવા આ એક શાશ્વત લેાક છે. એવા આ કેવલ ચૈતન્ય લેકને એકાકી સ્વયમેવ જે અનુભવે છે, અને આ અપરલેાક કે પરલેાક હારા નથી એમ જે ચિંતવે છે, તેને તે ઇહલેાક્ષીતિ કે પરલેાકભીતિ કયાંથી હેાય ? આમ સતત નિ:શક એવા જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. (૩) નિભેદપણે ઉતિ-ઉદય પામેલા એવા વેદ્ય-વેદકના ખલથી એક અચલ એવું જ્ઞાન સદા અનાકુલ જનેાથી જે સ્વયં વેદાય છે, તે આ એક જ વેદના છે, બીજી આવી પડેલી વેદના હોયજ નહિં, તેથી જ્ઞાનીને તે વેદનાભીતિ કયાંથી હાય ? (૪) જે ‘સત્’ છે તે નિશ્ચય નાશ પામતું નથી, એવી પ્રગટ વસ્તુ સ્થિતિ છે અને જ્ઞાન સ્વયમેવ સત્ છે, તે પછી એનું ખીજાએથી શું ત્રાણુ કરાયું છે ? એટલા માટે એનું અત્રાણુ એવું કંઈ નથી, તેા પછી તે અત્રાણુ ભીતિ જ્ઞાનીને કયાંથી હાય ? (૫) ‘સ્વ રૂપ' એ જ ખરેખર ! વસ્તુની પરમ ગુપ્તિ છે, કારણ કે સ્વરૂપમાં કોઇ પણ બીજો પ્રવેશવા શક્ય નથી, અને અકૃત-અકૃત્રિમ એવું સહજ જ્ઞાન જ સ્વરૂપ છે. એટલે પછી એની અગુપ્તિ કઈ હોય નહિ. તેથી અગુપ્તિ ભીતિ જ્ઞાનીને કયાંથી હોય ? ( ૬ ) પ્રાણના ઉચ્છેદને મરણ કહે છે, અને આ આત્માના પ્રાણ તે નિશ્ચયથી જ્ઞાન છે. તે સ્વયમેવ શાશ્વતતાએ કરીને કી પણ ઉચ્છેદાતું નથી, એથી કરીને તેનું મરણુ કઇ હાય નહિં, તે પછી જ્ઞાનીને મૃત્યુભીતિ કયાંથી હેાય ? ( ૭ ) એક એવું જ્ઞાન અનાદિઅનત ને અચલ છે, અને એ ખરેખર ! સ્વત:સિદ્ધ છે. ગમે ત્યાં આ સદૈવ જ છે, અત્રે બીજાના–દ્વિતીયને ઉદય નથી. તેથી આકસ્મિક એવું કાંઇ અત્રે હાય નહિ. તે આકસ્મિક ભીતિ જ્ઞાનીને કાંથી હાય ? સતત નિઃશક એવે જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે.—આમ ઇહલેાકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવે સમ્યગ્દષ્ટિ જ્ઞાની તે સદા પરમ નિભય, પરમ નિઃશંક જ હોય છે. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે ! પ્રત્યાહાર. “પરપરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભાગ હે। મિત્ત ! જડ ચલ જગની એડનેા, ન ઘટે તુજને ભાગ હે! મિત્ત !” —શ્રી દેવચંદ્રજી, સભ્યષ્ટિ પુરુષ આવા વિવેકી ને ધીર હાય છે, તેટલા માટેજ તેએ પ્રત્યાહારમાં તત્પર બને છે, અર્થાત્ વિષયવિકારમાં ઇંદ્રિય જોડતા નથી, વિષયવિકારમાંથી ઇંદ્રિયાને પ્રત્યાહત કરે છે—પાછી ખે’ચી લે છે, પરભાવમાંથી આત્માને પા ‘સકળ જગત્' વાળી સ્વચિત્તસ્વરૂપને અનુકારી કરે છે, પરપરિણતિને વમી આત્મ તે એઠવત્ ’ પરિણતિમાં રમે છે. તેઓ પેાતાના આત્માને સોધીને કહે છે કે-હે આત્મન્ ! હે મિત્ર ! જે તું પુદ્ગલભાગ કરે છે, તે પરપરિણતિપણુ છે, k * सम्मदिट्ठी जीवा णिस्संका होंति निब्भया तेण । સત્તમર્યાવળમુના ના તદ્દા ૩ નિસ્યંા ||”—શ્રી સમયસાર, Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ: પ્રત્યાહાર-વિષયવાસના ત્યાગે ચેતન !' (૪૯૧) પર પરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એઠને હે મિત્ર ! તને ભોગ ઘટતે નથી. આ મુદ્દગલ સર્વ જીવોએ અનંત વાર ભોગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ ભજન જેવા છે, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કણ ખાય? ને પિતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કે ભ્રષ્ટ કરે? વળી હે ચેતન ! આ પુદ્ગલભોગ અનિત્ય છે, ક્ષણવિવંસી છે. જે પૌગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણ કે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજસંપદાથી કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભેગ પણ દુર્ગથી કદન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપને આસ્વાદ છેડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદનને કેણ ચાખે? “ક સાચા રંગ જિનેશ્વર, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તે દુરગંધિ કદન રે....કરે સાચા આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિષે, જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે...કરે સાચા ” શ્રી દેવચંદ્રજી. પાંચ ઇંદ્રિયના વિષયભાગ પરિણામે અત્યંત દુઃખદાયી છે. જે “આપાતમાગું-આરંભ માત્ર સુખદાયક લાગે છે, તે વિષયભોગ વિપાકે કિપાક ફલ જેવા દારુણ પરિણામી છે. આ ભોગ ખરેખર ! સાપની ફેણ જેવા આત્મઘાતી છે. વિષયમાં ને વિષયવાસના કાલકૂટ વિષમાં મેરુ ને સરસવ જેટલું અંતર છે.” એકેક ઇંદ્રિયને ત્યાગે ચેતન !” પરવશપણથી હાથી આદિને પ્રાપ્ત થતા આ પ્રત્યક્ષ ભયંકર પરિણામ તું જે ! (જુઓ પૃ. ૩૧૮-૩૧૯ ) તે પછી પાંચ ઇંદ્રિયના પ્રબળપણથી તે કેટલું બધું દુઃખ થાય? માટે હે સચ્ચિદાનંદ આત્મન ! તું વિષયવાસના છેડીને નિજસ્વભાવમાં સ્થિતિ કર ! વળી હે ચેતન ! આ અનાદિ સંસારમાં તે અનેક વાર દેવ કાદિના અનંત સુખ ભેગવ્યા, છતાં તને તૃપ્તિ ઉપજ નથી, અને હજુ ભૂખાળવાની જેમ જાણે કઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલકના તુરછ કામભોગની વાંછા કરે છે! તે તેથી તને શી રીતે તૃપ્તિ ઉપજશે ? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે ? પાણીના પૂરથી સમુદ્ર કઈ રીતે તૃપ્તિ પામે, ઇંધનેથી અગ્નિ તૃપ્તિ પામે, પણ અતિ ચિરકાળ ભેગવેલ અનંત કામગથી પણ પ્રાણી તૃપ્તિ પામતે નથી, માટે આવા તૃષ્ણ-તાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી સર્યું.x-આમ આ પુદ્ગલભગ સર્વથા અશુચિ, અનિત્ય, દુઃખમય અને તૃષ્ણાતાપ ઉપજાવનાર છે. અને હારું સ્વરૂપ તે હે ચેતન ! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય, ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે, માટે હવે તું પરપરિણતિરસરૂપ પુદ્ગલ ભેગની આસક્તિ છેડી દે, ને સ્વસ્વરૂપરસના ભેગને આસ્વાદ લે ! » વિશેષ આધાર માટે જુઓ જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર આદિ ગ્રંથરત્ન. Page #180 -------------------------------------------------------------------------- ________________ યોગદિસમુચ્ચય જાગી છે નિજ માતમ અનુભવ ઇષ્ટતા ૨ લા જાલિમ એ પ્રગટી છે સાઁવર શિષ્ટતા હૈ લે॰ ” —શ્રી દેવચ’જી ઇત્યાદિ પ્રકારે વિષયામાંથી ઇંદ્રિયાને પાછી ખેચનારા આ સમ્યગ્દષ્ટ જોગીજનને ભાગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હાય છે, પરમ વૈરાગ્ય જ વર્તે છે; કારણ કે—(૧) જેનું મન મૂ`ગે। અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને આવા જોગીને કાલિના કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નટીએ લલકારેલા ભાગ કેમ ગમે ? પ્રિય સ’ગીતમાં જે રત થયા છે, તે કામિનીના કોમલ કરક કણના અવાજથી કેમ ધૂર્ણાંયમાન થાય ? (૨) અવિનાશી ને નિસગ–નિમ લ એવા સ્વરૂપને જે દેખે છે, તે ચેાગીપુરુષને નાશવંત ને શુક્ર-શાણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે ? ( ૩ ) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી-ચંદનાદિ સુગધી દ્રવ્યેાથી કેમ આનંદ ઉપજે ? કારણ કે બીજી સુગધી તેા ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીઘ્ર ઊડી જાય છે, પણ શીલસૌરભ તા લાંખા વખત ઉપયેાગમાં આવે છે અને તેને વિભાવરૂપ વાય। હરી શકતા નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમા શાંત રસમાં મગ્ન થયું છે, તે યાગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસેાથી કેમ રીઝે ? જે મધુર રસને ચાખતાં રસલેલુપીની રસનામાંથી રસ પડે છે-જીભમાં પાણી છૂટે છે, તે રસને ભયંકર વિષાક ચિંતવતાં આ વિરક્તજનાની આંખમાંથી પાણી પડે છે—આંસુ આવે છે. (૫) જ્યાં ગુણપુષ્પાx બીછાવેલા છે એવી નિર્મીલ સુવિકલ્પરૂપ તળાઇમાં જે કૃતિ-પત્નીને આલિંગીને સૂતા છે, તે સમ્યગ્દષ્ટિજનેા બાહ્ય સ્પર્શીમાં કેમ રત થાય ? આમ આ લેાકના વિષયે। આ વિરક્તચિત્ત સમ્યગ્દષ્ટિજનાને આનંદદાયી થતા નથી. અરે! આ મહાનુભાવે પરમાન ંદરસનું પાન કરીને ધીગાધડખા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તે પરલેાક સુખમાં પણ નિ:સ્પૃહ હાય છે ! ધમયતના આવા વિવેકી ધીર ને વિષયવિરક્ત સમ્યગ્દષ્ટિ મહાજના ધર્મોંખાધાના પરિત્યાગમાં યત્નવંત હેાય છે. આત્મધર્માંમાં જેમ ખાધા ન ઉપજે તેમ પ્રવર્ત્તવા તેએ સતત યત્નશીલ રહે છે, અર્થાત જેમ બને તેમ આત્મપરિણતિમાં વત્તવા પ્રયાસ કરે છે; પરભાવમાંથી (૪૯૨) “ ત્યાગીને સહુ પરપરિણતિરસ રીઝ જો, સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, × ‘દ્ ચે મુળપુવવૃત્તિ, વૃત્તિનીમુપશુદ્ઘ રોતે । विमले सुविकल्पतल्पके, व बहिः स्पर्शरता भवंतु ते ॥ तदिमे विषयाः किलैहिका, न मुद्दे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदर सालसा अमी ॥ " (ઇત્યાદિ આધારરૂપ હૃદયંગમ વણુન માટે જુઓ) અધ્યાત્મસાર વૈરાગ્યઅધિકાર. Page #181 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ: ધ મમ–ધર્મનું વાસ્તવિક સ્વરૂપ (૪૯૩) આત્માને પ્રત્યાહત કરી–પાછા ખેંચી લઈ, તે સ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન કરે છે, ને તેમાં બાધા-હાનિ આવવા દેતા નથી. પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાને તાદૃશ્ય આત્માનુભવ આલેખ્યો છે કે – એક આત્મપરિણતિ શિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. x x x અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. * * * એક આત્મપરિણામ શિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૨. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ ભુલાવો ધમો ' વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. જ્ઞાન-દર્શનચારિત્ર અથવા ટંકેત્કીર્ણ એક શુદ્ધ જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ ધર્મ એટલે? વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તેમ “ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મેહ-ક્ષેભ વિનાનો આત્માનો પરિણામ છે.' આમાં “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છે. તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે. અને તે જ યથાવસ્થિત આત્મગુણપણથી સામ્ય છે. અને સામ્ય તો દર્શનમોહનીય ને ચારિત્રમેહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મેહક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એ જવનો પરિણામ છે. આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્ણવાચક છે. આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર–એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાન સમ્યગદષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે. તાત્પર્ય કે જેમ બને તેમ આત્મા શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી વ્યવહારધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તે જ ભલા છે, રૂડા છે,–ભાવ વિના તે એ બધાય ફેગટ છે. (જુઓ પૃ. ૨૪૪-૨૪૫) સકલ જગત્ “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મને મર્મ જાણતું નથી. તે તે કઈ વિરલા જ જાણે છે. ધર્મને મર્મ તે ઉપર કહ્યો તે-આત્મસ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ ___x “स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणाम.।" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા Page #182 -------------------------------------------------------------------------- ________________ (૪૯૪) યોગદૃષ્ટિસમુચ્ચય જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તે તુ કમના કર્તા અને ભેાક્તા પણ નથી એ જ ધમને! મમ્ છે. 66 છૂટે દેહાધ્યાસ તે, તુ' કર્યાં નહિ' ક†; તુ' લેાક્તા નહિ' તેહને, એ જ ધર્માંના માઁ. ”—શ્રી આત્મસિદ્િ આમ આત્માનું સ્વસ્વભાવમાં વવું તે ધર્મ છે, અને વિભાવમાં વવું તે અધમ છે. જે વિભાવ છે તે નૈમિત્તિક છે—નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને તે નિમિત્ત વિષયસ’ગાર્દિક છે. આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સંસરે છે—રઝળે છે, અને પરભાવને કર્તા થાય છે. પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવના કર્તા થાય છે. 66 પારિણામિક જે ધમ તમારા, તેવા અમચેાધ; શ્રદ્ધા ભાસન રમણુ વિયેગે, વળગ્યે વિભાવ અધ. .... રે સ્વામી ! વિનવિયે મન રંગે. જેઠુ વિભાવ તેહ નૈમિત્તિક, સંતતિ ભાવ અનાદિ; પરનિમિત્ત વિષયસ’ગાદિક, હાય સંચેાગે સાદિ....રે સ્વામી !— અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરને; શુદ્ધ નિમિત્ત રમે જખ ચિદ્ધન, કર્તા ભાક્તા ઘરને....રે. - પ્રગટા તેહ અમારી રે !' "" – શ્રી દેવચ’દ્રજી આવું ધર્યું-અધર્મનું પરમ સારભૂત પરમા*સ્વરૂપ જાણી સમ્યગ્દષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્માંના નિમિત્તોના ત્યાગ કરે છે, અને સ્વભાવરૂપ ધર્માંના સાધક કારણાનેસત્ સાધનને આશ્રય કરે છે. અર્થાત્ સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિના ઉપાયે નું અવલખન લે છે; આત્મસ્વરૂપના બાધક કારણાને ત્યજે છે ને સાધક કારણેાને ભજે છે, અને તેમાં પણ જેને એવે શુદ્ધ સ્વભાવરૂપ વસ્તુ ધમ' પ્રગટયા છે, એવા પરમાત્મા પ્રભુની દૃઢ આશ્રયભક્તિ પરમ અવલંબનભૂત-આધારભૂત ગણીને તે પરમપ્રેમે ભજે છે. અને તે પ્રભુને ભજતાં તે, ‘હે પ્રભુ ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી ! આપને જેવા શુદ્ધ ધમ પ્રગટયેા છે, તેવા શુદ્ધ ધર્મ અમને પ્રગટો !' એમ નિર'તર અજપા જાપ જપે છે. તે પ્રભુને અવલંબતાં પરભાવ પરિહરે છે, અને આત્મધર્મીમાં રમણુતા અનુભવતાં તેને આત્મભાવ પ્રગટે છે. ' શ્રી સીમ ંધર જિનવર સ્વામી, વિનતડી અવધારે; શુદ્ધ ધર્માં જે પ્રગટયેા તુમચા, પ્રગટ તેડુ અમારા રે....સ્વામી !૦ શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરરિયે પરભાવ; ,, આતમધ રમણું અનુભવતાં, પ્રગટે આતમભાવ રે....સ્વામી૰ ”—શ્રી દેવચ’દ્રજી, Page #183 -------------------------------------------------------------------------- ________________ મિથરાદષ્ટિ : પાપસખા મનહિંસાદિ પાપમય ભોગ (૪૯૫) અને સમ્યગૃષ્ટિની આવી પ્રવૃત્તિ તત્વથી–પરમાર્થથી હોય છે, કારણ કે તેને નિશ્ચયપણે ગ્રંથિભેદ થયો છે. એટલે વિવેકની પરિશુદ્ધિને લીધે તે ઉત્તમ શ્રુતપ્રધાન હેઈ એમ વિચારે છે. न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्ययानन्दाय धीमताम् । तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥१५९॥ અલક્ષ્મસખી લક્ષ્મી ન દે, ધીમંતને આનંદ પાપસખા ત્યમ પ્રાણિને, અહીં ભેગને વૃદ. ૧૫૯ અર્થ :–ખરેખર અલક્ષ્મીની સખી એવી લક્ષમી બુદ્ધિમંતોને આનંદ માટે થાય જ નહિ; તેમ લેકમાં પાપને સખા એવો ભેગવિસ્તર પ્રાણુઓને આનંદ માટે થતું નથી. વિવેચન અલક્ષ્મી જેની સખી છે, એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદદાયક થતી નથી, તેમ પાપ જેને સખા છે એવો ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી. સામાન્ય લેકવ્યવહારમાં પણ મનાય છે કે અલકમી જેની બહેનપણી છે અર્થાત્ જે લક્ષ્મીની સાથે અલક્ષ્મી સહચરીરૂપે જોડાયેલી છે, જે લક્ષ્મીના પરિણામે અલક્ષ્મી પ્રાપ્ત થાય છે, તેવી લક્ષ્મી ડાહ્યા માણસોને આનંદનું કારણ થતી નથી. પાપસખા કારણ કે જે લક્ષ્મી અનુબંધે અલક્ષ્મી આપે, જે કરેલી કમાણી ભેગ ધૂળધાણી થઈ નિર્ધનપણું આપે, ને અંતમાં દાહ દઈને ચાલી જાય, તેવી લક્ષમીથી બુધજન કેમ રાચે? તેમ સમસ્ત પ્રકારનો જે ભોગવિસ્તાર છે તેને સખા-મિત્ર પાપ છે. ભેગની અને પાપની એવી ગાઢ મિત્રી છે, એવી દિલે જાન દસ્તી છે કે, જ્યાં જ્યાં ભેગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેને સહચર દિલેજાન દસ્ત પાપ અવશ્ય હાજર હોય જ છે. અર્થાત્ ભગપ્રવૃત્તિ પાપ વિના થઈ શકતી નથી, એ એ બનેને એક બીજા વિના ન ચાલે એ–ચેન ન પડે એ અવિનાભાવી સંબંધ છે. આ પાપરૂપ મિત્રવાળે અથવા પાપનો મિત્ર–ગોઠીઓ ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી, અને ભૂતપઘાતથી પાપ છે, એમ ભાવના છે. અને પાપથી તે વૃત્તિ –-નહિં જ, અટકવી સ્ત્રી-અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી, અથવા અલક્ષ્મી જેની સખી છે એવી લક્ષ્મી,-તથાપ્રકારે ઉભયના પરિભોગથી, ચણાનાર ધીમતામ-જેવા પ્રકારે ધીમાતાના આનંબથે,–તથા તેવા પ્રકારે, પાપરતા-પાપન સખા, અથવા પાપ જેને સખા છે એ, ઢો–લોકમાં –તેના અવિનાભાવથી, તેનાં મોજવિતાડ-પ્રાણીઓનો ભોગવિસ્તર, આનંદાથે થતું નથી,-ભૂતનો ઉપઘાત કર્યા વિના ભાગ સંભવ નથી, અને ભૂતપઘાતથી પાપ છે એમ ભાવના છે, Page #184 -------------------------------------------------------------------------- ________________ (૪૯૬) દુ:ખ જ છે, તે પછી જેનાથી શ્રીમદ્ રાજચ'દ્રજીનું ટકેત્લી યોગદૃષ્ટિસમુચ્ચય પાછળ દુઃખ છે એવા પાપસખા લેાગથી સુખ કેમ થાય ? અમૃત વચન છે કે:— “પરવસ્તુમાં નહિં મુંઝવા, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુ:ખ તે સુખ નહિ...—શ્રી મેાક્ષમાળા સર્વ પ્રકારને। ભાગવિસ્તર પાપમય જ છે. કારણ કે તેની ઉત્પત્તિમાં, તેની પ્રાપ્તિમાં, અને તેના ઉપભાગમાં સત્ર પાપ, પાપ ને પાપ જ છે : (૧) સવ* પ્રકારના વિષયભેાગની ઉત્પત્તિ જીવેાના ઉપઘાત–હિંસા વિના થઇ શકતી નથી. હિંસાદિ પાપ- કામભોગની ઉત્પત્તિ માટે આર્’ભ-પરિગ્રહ સેવવા પડે છે, કારણ કે મય ભાગ પંચવિષયની કોઇપણ સામગ્રી આરંભ–પરિગ્રહ વિના ઉપજતી નથી. સ્પર્શે દ્રિયને વિષય લ્યા કે રસને દ્રિયને વિષય લ્યેા, ઘ્રાણેન્દ્રિયને વિષય લ્યે કે ચક્ષુરિન્દ્રિયના વિષય લ્યે, શ્રોત્રે ંદ્રિયના વિષય લ્યેા કે અન્ય કેાઇ વિષય લ્યા, પણ કાઈ પણ ભોગ્ય વસ્તુ પ્રાણીઓના ઉપમ–ઉપઘાત વિના ઉપજતી નથી. આ માટે ખાનપાનના એક દાખલા જ ખસ છે. આ બે ઇંચની જીભડીને રાજી રાખવા ખાતર જગમાં કેટલી બધી હિંસા થાય છે? રસને દ્રિયના રસને સંતેાષવા માટે કેટલા બધા મુંગા નિર્દોષ જીવેાના ઘાત કરાય છે? માંસાહારીએના ક્ષણિક સ્વાદની ખાતર રાજ લાખા-કરાડો પ્રાણીઓની કતલ આ સુધરેલું કહેવાતું જગત્ કરી રહ્યું છે ! મદિરા આદિની બનાવટમાં પણ તેવી જ ભયંકર હિંસા થાય છે, છતાં તેનું હાંસે હાંસે પાન કરી ઉન્મત્ત લેાક માહમદિરામાં મસ્ત ખની પેાતાને સંસ્કારી ( Civilised) માનતાં શરમાતા નથી ! તે જ પ્રકારે રેશમી વગેરે મુલાયમ વસ્ત્રા માટે, કેથેટાના કીડાની કેટલી કારમી હિંસા કરવામાં આવે છે, તે તેા તેની વિધિ જાણનારા સહુ કેઇ જાણે છે. ઊન—ચામડા વગેરેની વસ્તુઓ માટે, પીછાંવાળી–રૂંછાવાળી ટોપીએ માટે, ફેલ્ટ હૅટ ( મર્કટ-મુકુટ ! ) સાહેબ ટાપી વગેરે માટે, હજારા-બલ્કે લાખા પ્રાણીઓના ઘાતકીપણે બલિદાન લેવાય છે, ત્યારે અંગપરિધાન કરી આ બેશરમ માનવ-પશુ પેાતાની વિકૃત વિરૂપતા-બેડોળપણુ ઢાંકે છે, અને તેમ કરી પાતે કેવું રૂડું રૂપાળું દીસે છે એમ અરિસામાં મેહું જોઇ મલકાય છે ! પશુ તે ખાપડાને ખખર નથી કે— મુખડા કયા દેખે દરપનમેં, દયા ધરમ નહિ દિલમે....મુખડા૰”—શ્રી કમીરજી, વળી પાતે રાગના ભોગ ન બને તેટલા ખાતર લાખા નિર્દેર્દોષ પ્રાણીઓને ભોગ લઈ બનાવવામાં આવતી કાડલિવર, ચીકન ઇસેન્સ વગેરે હિંસાષિત દવાઓને આ લેક હાંસથી ઉપભોગ કરે છે! ને માથી જાણે અમરશું પામી જવાના હાય, એમ આખા મી’ચીને ખાટલાના ખાટલા પેટની ગટરમાં ગટગટાવતાં છતાં માનવમટા ગમે તેટલા ઉપાય કયે' પણ છેવટે મરણશરણ થાય છે!—આ બધા સ્થૂલ દૃષ્ટાંતા છે, પણ કાઇ પણ Page #185 -------------------------------------------------------------------------- ________________ શિદષ્ટિઃ ધમજન્ય ભાગે પણ અનાથ હેતુ (૪૭) ન્હાનામાં ન્હાની ભોગસામગ્રી એવી નથી કે જેની ઉત્પત્તિમાં હિંસા ન હોય. આમ ભેગસામગ્રીમાં સર્વત્ર હિંસા વ્યાપ્ત છે અને હિંસા એ મોટામાં મોટું પાપ છે. એટલે સમસ્ત ભેગોત્પત્તિ સાથે પાપ સદા સંકળાયેલું હોય છે. (૨) વળી આ પાપ–સખાવાળી ભોગસામગ્રીની–વિષયસાધનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યોને પ્રાયે પાપ પાર્જનથી ધનપ્રાપ્તિ કરવી પડે છે, આરંભ પરિગ્રહ સેવવા પડે છે, અને તેથી પણ મહાપાપ થાય છે. પૈસાની કમાણ માટે ભાગ્યે જ કોઈ એવો ઘધે હશે કે જે સર્વથા પાપમુક્ત ને અનવદ્ય હોય. તેમાં પણ અગ્નિકર્મ-વનકર્મ વગેરે પંદર કર્માદાની ધંધા તે વિશેષ વિશેષ પાપના કારણ હોઈ અત્યંત સિંઘ છે, અને આત્માથીને સર્વથા વર્ષે છે–દૂરથી ત્યજવા ગ્ય છે. આમ ભેગસાધન એવા ધનના ઉપાર્જનમાં પણ મહાપાપ છે. (૩) તેમજ ભેગના ઉપભેગમાં પણ મહાપાપ છે, કારણ કે તે તે ભેગસામગ્રી ભેગવતી વેળાએ રૂપ-રસાદિ વિષયના અભિલાષથી જીવના રાગ-દ્વેષ-મેહ આદિ વિકારની વૃદ્ધિ થાય છે. તેથી નિજ આત્માના ગુણને ઘાત થવાથી આત્મઘાતરૂપ ભાવહિંસા થાય છે, આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આ પ્રગટ પાપ છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહે?” થી મોક્ષમાળા. આમ ભેગની ઉત્પત્તિમાં પાપ છે, ભેગની પ્રાપ્તિમાં પાપ છે અને ભોગના ઉપભેગમાં પણ પાપ છે. એટલે ભોગનો સખા પાપ છે એમ કહ્યું તે સર્વથા યથાર્થ છે, અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુને સમસ્ત ભેગપ્રવૃત્તિ વર્યા છે, તેમજ ભોગસાધનરૂપ આરંભ-પરિગ્રહ પણ ત્યાજ્ય છે. એમ જાણું સવેગરંગી સમગૂદષ્ટિ પુરુષ સમસ્ત વિષયભેગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે, અને જેમ બને તેમ આરંભપરિગ્રહને સંક્ષેપ કરે છે. ધર્મભોગ સુંદર છે એવી પણ આશંકા દૂર કરવા માટે કહે છે– धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥१६०॥ ત્તિ-ધર્મા મન મોજ-ધર્મ થકી પણ ઉપજ ભોગ-દેવકાતિમાં, પ્રો–પ્રાચે, બાહુલ્યથી, અનય દિના-પ્રાણીઓને અનર્થ અર્થ થાય છે,–તથા પ્રકારે પ્રમાદવિધાનથી. પ્રાયનું ગ્રહણ શુદ્ધ ધર્મક્ષેપી (શુદ્ધ ધર્મને આકર્ષનારા-ખેંચી લાવનારા) ભેગના નિરાસ અર્થે છે તેના પ્રમાદવના અયોગને લીધે, અત્યંત અનવદ્ય તીર્થંકરાદિ ફલશુદ્ધિને લીધે, તથા પુણ્યશુદ્ધિ આદિમાં આગમાભિનિવેશ થકી ધર્મસાર ચિત્તની ઉ૫પત્તિને લીધે, સામાન્યથી દષ્ટાંત કહ્યું–વનાર સંમૂત-તથા પ્રકારે શેત્ય પ્રકૃતિવાળા શીતલ ચંદનથકી પણ ઉપલે, શું? તે કે-રત્યેવ દુતાશન-દુતાશન–અગ્નિ રહે જ છે, દઝાડે જ છે,-તશાસ્વભાવપણાને લીધે પ્રાય: આ આમ જ છે, (તથાપિ, કેઈ નથી પણ દહ-સત્ય મંત્રથી અભિસંસ્કૃત અગ્નિથકી દાહની અસિદ્ધિને લીધે. આ સકલ લેકસિદ્ધ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ (૪૯૮) ગદષ્ટિસમુચ્ચય ધર્મ થકી પણ ભેગ તે, અનર્થકર પ્રાયે જ; ચંદનથી પણ ઉપજત, અગ્નિ અહીં બાળે જ, ૧૬૦ અર્થ –ધર્મ થકી પણ ઉપજેલ ભેગ પ્રાણીઓને પ્રાયે અનર્થ અર્થ થાય છે. ચંદનથકી પણ ઉપજે અગ્નિ દઝાડે જ છે. વિવેચન શીતલ ચંદનથી પણ ઉપનો, અગ્નિ દહે જિમ વનને રે; ધર્મજનિત પણ ભોગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે....તે ગુણ.” શ્રી યો સઝા -પ. ઉપરમાં ભેગમાત્રને માપસખા કહ્યો ને તેથી ગર્ભિતપણે મુમુક્ષુને તેને નિષેધ કર્યો, પણ ધર્મથી–પુણ્યથી પ્રાપ્ત થતા ભેગનું શું ? એ પ્રશ્નનું અત્ર સમાધાન કર્યું છે કે ધર્મથી એટલે શુભકર્મ રૂપ ધમકૃત્યથી ઉપાર્જન કરેલ પુણ્યના ઉદયથી ધર્મજન્ય ભેગ પણ દેવક-મનુષ્યલક આદિમાં જે ભોગવિસ્તારની પ્રાપ્તિ થાય છે, તે પણ અનર્થહેતુ પણ ઘણું કરીને પ્રાણીઓને અનર્થરૂપ થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અહીં “ઘણું કરીને ” એમ કહ્યું તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-ખેંચી આણનારા ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તે ભેગ પ્રમાદજીવી નથી, અને તેમાં અત્યંત નિર્દોષ એવા તીર્થંકરાદિ ફલની શુદ્ધિ હોય છે, તેમજ આગમાભિનિવેશ વડે કરીને ધર્મ સાર–ધર્મપ્રધાન ચિત્તનું હોવાપણું છે. અત્રે લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું કે, ચંદન શીતલ પ્રકૃતિવાળું છે; છતાં તેથી પ્રગટેલે અગ્નિ જરૂર બાળે જ છે–દઝાડે જ છે. કદાપિ કેઈ સાચા મંત્રથી સંસ્કારેલ ચંદનને અગ્નિ નથી પણ બાળ –આ લેકમાં પ્રતીત છે. - તેમાં પ્રથમ દેવલોકમાં કેવી રીતે પ્રમાદાચરણ થાય છે તે તપાસીએ:–“દેવલોકમાં જીવ શુભ ધર્મકરણના પુર્યોદયથી ઉપજે છે. ત્યાં અતિ ભવ્ય વિમાનને વિષે કંદ જેવા કોમલ ઉપપાદ શિલા-ગર્ભમાં દેવે સ્વયં ઉત્પન્ન થાય છે. તે સ્થાન દેવલોકનાં સર્વ ઇંદ્રિયને સુખ આપનારૂં એવું રમ્ય છે, નિત્ય ઉત્સવથી વિરાજસુખ માન છે, ગીત-વાજિંત્રની લીલાથી ભરચક છે, “જય” “જીવ” શબ્દથી ગાજતું છે. ત્યાં દિવ્ય આકૃતિ-રૂપ સુસંસ્થાનવાળા, સાત ધાતુથી રહિત, અને દેહકાંતિજલને પૂરોથી દિગંતરાને પ્રસારિત કરતા એવા વાકાય ને મહાબલવાન સર્વાંગસુંદર દે અચિત્ય પુણ્યગથી ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરે છે. જાણે સુખા + “तत्रातिभव्यताधारे विमाने कुन्दकोमले । उपपादिशिलागर्म संभवन्ति स्वयं सुराः ।।" (ઈત્યાદિ પરમ સુન્દર વર્ણનના આધાર માટે જુઓ)–શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ, બ૦ ૩૫. Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : સુખમમ દેવ-રાદિનું પ્રમાદજીવન (૪૯). મૃતના મહાસાગરની મધ્યેથી બહાર નિકળ્યા હોય એમ તે દેવો તરત જ ક્ષણમાં નવયૌવનવાળા થાય છે. જેમ કેઈ સુખનિદ્રામાંથી આળસ મરડીને ઊઠે, તેમ આ દેવે ઉપપાદશયામાંથી ઊઠી આંખ ઉઘાડીને જુએ છે તે પરમ રમણીય સ્વર્ગભૂમિ ને તેની વિપુલ ભેગસામગ્રી નજરે પડે છે. એટલે તે આશ્ચર્યચક્તિ થઈ ચિંતવે છે–અહો ! મેં પૂર્વે અન્ય જનને દુર એવું તપ આચર્યું હતું, અને કવિતાથી પ્રાણીઓને અભયદાન દીધું હતું, મનઃશુદ્ધિથી દર્શન-જ્ઞાનાદિ ચતુષ્ટય આરાધ્યું હતું, અને જગન્ના નાથ સર્વજ્ઞ પરમેશ્વરને આરાધ્યા હતા; વિષય અરણ્યને મેં બાળી નાંખ્યું હતું, કામ વૈરીને હણ્યા હતા, કષાય તરુઓને છેદી નાંખ્યા હતા, ને રાગશત્રુને નિયંત્રિત કર્યો હતો. આ બધે તેને પ્રભાવ છે કે જેનાથી આજે દુર્ગતિમાંથી ઉદ્ધરીને મને દેવવંદિત સ્વર્ગ રાજ્યમાં સ્થાપવામાં આવ્યે છે.' “નિત નિત નવ નવ રંગ, ગીત જય જય સદા હો લાલ ગીત સાત ધાતુ વિણ દેહ, રૂપ સુખકર મુદા હો લાલ૦ રૂ૫૦ અતિ સુકમાલ શરીર, ચતુર પંડિતવરુ હે લાલ૦ ચતુર૦ દેષ કલેશ ભયહીન, શાંત જિમ નિશકરુ હે લાલ૦ શાંત પુણ્ય ઉદે લહે સુખ, સદા મન ઊમહે હો લાલ૦ સદા દેવલોકની ભૂમિ સદા, સુખ ગુણ ગહે હો લાલ૦ સદા સુરપતિ ચેતન તામ, કામ એ પુણ્યના હો લાલ૦ કામ પૂરવકૃત તપ શીલ, ચરણ વર દાનના હે લાલ ચરણ૦ પિણ શિવસાધક માગ, એણ ગમે નહીં તે લાલ૦ એણ૦ એહ વિનાશી સુખ, દુઃખ ગિણજે સહી હે લાલ૦ દુઃખ૦ ” –શ્રી દેવચંદ્રજીત શ્રી જ્ઞાનાર્ણવ અનુવાદ, અને પછી આમ શુભકરણીજન્ય પુણ્યદયથી સાંપડેલી સ્વર્ગસંપત્તિનો ઉપભેગી દે કરે છે. ત્યાં પંચવિષયના સુખે પગ સાધનની એટલી બધી વિપુલતા હોય છે, અને દેવો ભેગસાગરમાં એટલા બધા નિમગ્ન થઈ જાય છે–મશગુલ બની પ્રમાદમાં જાય છે, કે તે આડે તેઓને બીજું કાંઈ સૂઝતું નથી. રાતદિવસ જીવનવ્યય! કયાં જાય છે તેની પણ તેમને ખબર પડતી નથી ! અરે ! અનેક સાગરોપમ જેટલું તેમનું દીર્ઘ આયુષ્ય પણ એમ ને એમ પાણીના રેલાની માફક કયાં ચાલ્યું જાય છે તેનું પણ તેમને ભાન રહેતું નથી! આયુષ્યના માત્ર છેલ્લા છ માસ બાકી રહે છે ત્યારે એમની ફૂલની માળા કરમાવા લાગે છે, નેત્રોનું અનિમેષપણું ટાળે છે–ચક્ષુ મટમટે છે, ત્યારે તેમની આંખ ઉઘડે છે કે–અરે ! મહારે અંતકાળ હવે નજીકમાં છે. અરે રે ! મહારું આયુષ્ય મેં વિષયતલ્લીન બની પ્રમાદમાં ગુમાવ્યું: “આ સુરમ્ય સ્વર્ગભૂમિ! આ સર્વાંગસુંદર દેવાંગનાઓ ! આ પરમ પ્રણયી મિત્ર Page #188 -------------------------------------------------------------------------- ________________ (૫૦૦) ગદષ્ટિસમુચય દેવો! આ સ્વામીભક્ત સેવકો ! આ નંદનવન ! આ કલ્પવૃક્ષો ! આ પંચ વિષયની સંપૂર્ણ સામગ્રી ! અરે રે ! આ બધું છોડીને હારે હવે ચાલ્યા જવું પડશે. આના મને પુનઃ કયારે દર્શન થશે?” ઈત્યાદિ અંતસ્તા૫પૂર્વક ચિંતવતા તે ચિંતાસાગરમાં નિમગ્ન થઈને છેલ્લા છ માસ યુગોની જેમ અફસોસમાં ને અફસમાં કેમે કરીને વીતાવે છે. આમ દેવલેકમાં પ્રાયઃ ધર્મથી પ્રાપ્ત થયેલ ભોગ ભોગવતાં પ્રમાદમાં જીવન વ્યતીત થાય છે, અને સ્વરૂપષ્ટતાથી તે આત્માને અનર્થને હેતુ થઈ પડે છે. આ સ્વર્ગલોકની વાત જવા દઈએ, અને પ્રત્યક્ષ દશ્યમાન એવા મનુષ્યાદિની સ્થિતિને વિચાર કરીએ, તે પણ તેમજ પ્રતીત થાય છે. પ્રબળ પુણ્યદયથી ઉત્તમ રાજ્યલક્ષ્મીને પામેલ એવા રાજાદિનું આંતરુ જીવન જે તપાસીએ, તે રાજાદિનું તે ભોગવિલાસાદિમાં કે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ પ્રમાદ જીવન ગયેલા દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પતિત–પડી ગયેલા જણાય છે, કે તેઓને “ધર્મકાર્ય માટે “કુરસદ” મળતી નથી ! નવરાશ જડતી નથી ! એટલું જ નહિં પણ રાજ્યભારરૂપ પુષ્પશપ્યામાં નહિં–પણ કંટકશામાં પોઢી ગયેલા તે મહાનુભાવોને “ધર્મ” જેવી કઈ વસ્તુ જગતમાં છે કે નહિં તેની પણ ભાગ્યે જ ખબર પડે છે! જે ધર્મના જ પ્રસાદથી આ પુણ્યવૈભવ સાંપડ્યો છે, તે ઉપકારી મૂળ ધર્મનું જ વિસ્મરણ કરી આ બાપડા દુઃખીઆ જ કૃતજ્ઞપણું આચરે છે ! ને પ્રમાદમાં અવતાર એળે ગુમાવે છે! “Unhappy lies the head, that wears the crown.' અથવા તે મહાશ્વર્ય સંપન્ન એવો કઈ શ્રીમંત ધનાઢ્ય હોય, તો તેની પણ એ જ બૂરી દશા છે. કારણ કે લાડી, વાડી ને ગાડીનું સુખ જેને ઘેર હોય છે, બાગ, બંગલા ને બગી સદા જેની તહેનાતમાં હોય છે, પાણી માગતાં દૂધ જેની પાસે શ્રીમતના હાજર થાય છે, એવા શ્રીમંત ધનાઢ્ય જનની જીવનચર્યા નીરખીએ પણ એ જ તે તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હોય છે. કારણ કે ત્રદ્ધિહાલ! ગારવ, રસગારવ ને શાતાગારવના ગારામાં ગુંચીને ગરકાવ થઈ ગયેલા હોઈ, તેઓ કાં તે એશઆરામમાં ને વૈભવવિલાસમાં એટલા બધા “પડી ગયા” હોય છે, ચાર દિવસની ચાંદની જેવા જીવનની “બે ઘડી મોજ' માણવામાં એટલા બધા અપ્રમાદી બની ગયા હોય છે, હાય! રહી જશે એમ જાણી જીવનનો લ્હાવો લૂંટવાની તાલાવેલીમાં એટલા બધા લટ્ટ બની ગયા હોય છે, કે ધર્મ જેવી કોઈ ચીજ જગમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, તેનું પણ તેમને ભાન રહેતું નથી ! કે તે તેઓ ધનના મદમાં એટલા બધા છકી ગયા હોય છે, દોલતની દો–લત એમની છાતીમાં એટલા બધા જોરથી લાગી હોય છે, “ચિત્તસ્તબ્ધતા’ નામનું વિલેપન છાતી પર લગાવી તેઓ જાણે આકાશના તારા નિહાળતા હોય એમ એટલા બધા અક્કડ ને Page #189 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિઃ અપવાદરૂપ તીર્થંકરાદિ સપુરુષે (૧૦૧) ફકકડ બનીને ચાલે છે, કે તેઓ સમસ્ત જગતુને પિતાની પાસે તૃણવત્ તુચ્છ ગણે છે ! અરે ! પોતે મૂર્ખશિરોમણિ છતાં સાચા પંડિત સમર્થ વિદ્વજાજનોને પણ હસે છેઅપમાને છે ! અને કાં તે આ બિચારા શ્રીમંતજનો પોતે પાથરેલી પરિગ્રહની જાલમાં એટલા બધા ગુંથાઈ ગયા હોય છે, મિલ-કારખાના વગેરે પાપો પાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરજણમાં એટલા બધા પરોવાઈ ગયા હોય છે, પારકે પરસેવે સંચય કરેલ ધનરાશિ કઈ ગાંઠે બાંધવો ને ક્યાં રોકો તેના પ્રપંચની વિમાસણમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે, શેરસટ્ટાની ઉથલપાથલની ગડમથલમાં અહીંના અહીં જ પાછળ મૂકી જવા માટેના ધનના ઢગલા શીધ્ર ભેગા કરવાની વેતરણમાં એટલા બધા વ્યગ્ર બની ગયા હોય છે,–કે આ બાપડા ગદ્ધાવૈતરું કરનાર શ્રીમતી શાંતિથી ભેજન પણ લેતા નથી ! ચિંતામગ્ન થઈ રાતે નિરાંતે ઊંઘતા પણ નથી ! અને આવી આ ધન-મધની મધમાખીઓ જે ધન–મધને પોતે સંચય કરે છે, તેને આસ્વાદ લેવાથી પોતે જ વંચિત રહે છે! જે ધનના મધપુડા પિતે બાંધે છે, તે જાણે પારકા માટે મૂકી જવાને” જ હોયની એમ પરગજુ-પરોપકારી બને છે ! વેઠીઆ પિઠીક બની પારકી વેઠ કરે છે ! પણ પ્રમાદ છેડી, જે ધર્મથી આ એશ્વર્યની પ્રાપ્તિ થઈ છે, થાય છે, ને થવાની છે, તેને સંભારતા પણ નથી ! ખરેખર ! શ્રીમંત ધનવાન જેવું બીજું કેઈ વધારે દયાપાત્ર પ્રાણી દુનિયામાં જડવું મુશ્કેલ છે. સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ બનવાજોગ છે, પણ શ્રીમંતને પ્રભુના ધામમાં પ્રવેશ થવો સંભવ નથી, એવા આશયનું મહાત્મા ઇસુ ખ્રીસ્તનું વચન બાઈબલમાં છે, તે અત્રે બરાબર લાગુ પડે છે – 'It is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of heaven.' સાહ્યબી સુખદ હોય, માન તણે મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશને અંકેર હોય, દેલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું, વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ, એ તો બેએ જ બદામનું.” – શ્રીમદ્ રાજચંદ્રજી આમ સ્વર્ગમાં કે મનુષ્યમાં જ્યાં ધર્મપસાથે પુણ્યોદયથી ભાગસંપત્તિ સાંપડે છે, ત્યાં જીવન પ્રાયે વિશિષ્ટ ધર્મસાધન વિના પ્રમાદમાં વ્યતીત થાય છે, ને આત્મસ્વરૂપ ભૂલાઈ જાય છે. એટલે પરિણામે રમા ધર્મજનિત ભેગસંપત્તિ પણ પરમાર્થથી આત્માને અનર્થકારક થઈ પડે છે, અહિતરૂપ બને છે, આત્માર્થથી સૂકાવી દેનાર-વંચિત કરનાર નીવડે છે; માટે આ ધર્મ જનિત ભેગ પણ પ્રાયે અનિષ્ટ છે, પરમાર્થથી દુઃખરૂપ જ છે. અત્રે પ્રાયે–ઘણું કરીને એમ કહ્યું છે તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-આકર્ષનારા Page #190 -------------------------------------------------------------------------- ________________ (૫૦૨) ગદષ્ટિસમુચ્ચય એવા પુણ્યાનુબંધી પુણ્ય ફલના ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેમાં પ્રમાદને અાગ હોય છે, આત્મસ્વરૂપના ભાનથી ભ્રષ્ટપણું હોતું નથી. અપવાદરૂપ તીર્થકર આદિ ઉત્તમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષની વાત ન્યારી છે. સત્પુરુષો તેઓને અચિંત્ય પુણ્યસંભારથી તીર્થંકર પદવી આદિ પુણ્યફલ પ્રાપ્ત થાય છે, અને ગૃહસ્થાવાસમાં પણ તેઓ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગસામગ્રીને ઉપભોગ લે છે, તે પણ તેઓને તે ઉપગ અત્યંત અનાસક્ત ભાવે હોવાથી તેઓ બંધાતા નથી. જેમ સુક્કી ભીંત પર માટીને ગળો ચૅટ નથી. તેમ નિ:સ્નેહ-અનાસક્ત એવા તેઓને કર્મબંધ થતું નથી, પણ નિર્જરા જ થાય છે, ને ભોગકર્મથી તે છૂટે છે. કારણ કે ભોગ-પંકની મધ્યે રહ્યા છતાં તેઓ જલમાં કમલની જેમ સર્વથા અલિપ્ત જ રહે છે, એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનોને જે ભોગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્ય-અસાધારણ અતિશયવંત તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છે ! એટલે સામાન્ય પ્રાકૃત કેટિના જનોને નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી. તેઓ તેમાં અપવાદરૂપ છે. “Exception proves the rule”—અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. રાજમાર્ગો –ધોરીમાગે તે સહુ કઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી–એકપદી પર ચાલવું તે કઈ વિરલાઓનું જ કામ છે. માટે આજન્મ પરમ વૈરાગી એવા તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષો ભોગ ભોગવતાં છતાં, તેમનું ચિત્ત તે ધર્મસાર જ હોય છે—ધર્મ પ્રધાન જ હોય છે, આત્મધર્મની ભાવનાથી જ ભાવિત ને વાસિત હોય છે. ૪ (જુઓ પૃ. ૨૭૪-ર૭૫). “રાગ ભરે જન મન રહે, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને કઈ ન પામે હો તાગ...શ્રી શ્રેયાંસ કૃપા કરે!” શ્રી યશોવિજયજી આ ઉપરથી એ ફલિત થાય છે કે વિષયનું સેવન–અસેવન એ વૈરાગ્યનું મુખ્ય લક્ષણ નથી, પણ અનાસક્ત ભાવ એ જ મુખ્ય લક્ષણ છે; કારણ કે વિષયનું સેવન ન કરે, પણ અનાસક્ત ભાવ ન હોય ને અંતરમાં ભોગાદિની કામનાઅજ્ઞાનીને વાસના હેય તે વૈરાગ્ય નથી; અને વિષયનું સેવન કરે, પણ અનાબંધ: જ્ઞાની સક્તભાવ હેય ને અંતરુમાં ભોગાદિની કામના-વાસના ન હોય તો અબંધ વૈરાગ્ય છે. તેમાં પણ વિષયના અસેવન સાથે અનાસક્ત ભાવ હોય તે તે સર્વોત્તમ છે, તથાપિ કેઈ અપવાદરૂપ વિશિષ્ટ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષને અનાસક્તભાવ છતાં પૂર્વ પ્રારબ્ધદયથી વિષયસેવન હોય, તે પણ તેના x" अत एव महापुण्यविपाकोपहितश्रियाम् । નર્માતા વૈષં નોરતાનાં વિદુતે ” શ્રી અધ્યાત્મસાર Page #191 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિઃ અજ્ઞાનીને બધ, જ્ઞાની અબજ (૫૦૩) વૈરાગ્યને બાધ આવતો નથી. એટલે “વિષયના બંધ ઉત્પાદનમાં નિયમ છે નહિ. અજ્ઞાનીઓને તેનાથી બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી-નિર્જરા જ છે; કારણ કે જ્ઞાની સેવતાં છતાં સેવતા નથી –ભેગવતાં છતાં ભેગવતા નથી ! અને “અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે”—નહિં ભોગવતાં છતાં ભોગવે છે! આ આશ્ચર્યકારક પણ સત્ય ઘટના છે. * કારણ કે જેમ કોઈ વાણેતર શેઠની વતી વ્યાપાર કરે–લેવડદેવડ કરે, પણ તે કાંઈ લાભહાનિને સ્વામી થતું નથી, તેના નફા-ટોટામાં તેને કાંઈ લેવાદેવા નથી, તે તે માત્ર ચીઠ્ઠીને ચાકર છે; અને શેઠ પોતે બેસી રહે છે, ને કાંઈ કરતો નથી, છતાં તે નફા-ટોટાને માલીક છે, લાભ-હાનિનો સ્વામી છે; તેમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પૂર્વ કર્મોદયથી સાંપડેલા વિષયે સેવતાં છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવનફલના સ્વામિત્વના અભાવથી અસેવક જ-નહિં સેવનારો છે; અને મિથ્યાદષ્ટિ તે વિષય નહિં સેવતાં છતાં રાગાદિ ભાવના સભાવે વિષયસેવનફલના સ્વામિત્વને લીધે સેવક–સેવનાર છે. આમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ ભેગ ભગવે છે છતાં બંધાતા નથી ને કર્મ નિજરે જ છે! ને અજ્ઞાની ભોગવતાં બંધાય છે! કારણ કે “પદ્રવ્ય ઉપભોગવતાં સતાં તેના નિમિત્તે સાત-અસાત વેદનાના ઉદયથી જીવને સુખરૂપ વા દુ:ખરૂપ જ્ઞાન-વૈરાગ્યનું ભાવ નિયમથી ઉદયમાં આવે છે. પણ તે જ્યારે વેદાય છે ત્યારે સામર્થ્ય મિથ્યાદષ્ટિને રાગાદિ ભાવના સદૂભાવથી બંધનિમિત્ત થઈને નિર્જ રાતો છતાં અજીર્ણ હોઈ બંધ જ થાય છે; પણ સમ્યગદષ્ટિને રાગાદિ ભાવના અભાવથી બંધનિમિત્ત થયા વિના કેવળ નિર્જરાતે સતે જીર્ણ થઈને નિર્જરા જ થાય છે.* આમ કઈ કમ ભેગવતાં છતાં કર્મોથી બંધાતું નથી ! તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે: (૧) જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદ્ગલ કમને ઉદય જ્ઞાની ભગવે છે પણ બંધાતું નથી. કોઈ વિષવૈદ્ય, બીજાઓને મરણનું કારણ એવું વિષ ખાતાં છતાં, અમેઘ વિદ્યાના સામર્થ્ય વડે તેની * “विषयाणां ततो बंधजनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बंधो ज्ञानिनां तु न कर्हि चित् ॥ सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥" –શ્રી યશોવિજયજી કૃત શ્રી અધ્યાત્મસાર, "सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। વાળા #વિ જ ય પાચળોત્તિ દો.”–શ્રી કુંદકુંદચાર્યજી કૃત શ્રી સમયસાર. * આ વિષય વિસ્તારથી સમજવા માટે અત્રે આધારરૂપ લીધેલ, શ્રી સમયસારની ગા. ૧૯૪-૧૯૮ તથ તે પરની શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમસુંદર આત્મખ્યાતિ ટીકા અવગાહી,-તેમજ શ્રી અધ્યામસારનો વિરામ અધિકાર અવલોક. + “તત્ જ્ઞાનવ સામર્થ્ય વિરાળથ જ વા વાજી यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી સમયસાર કલશ. Page #192 -------------------------------------------------------------------------- ________________ (૫૦૪) ગદષ્ટિસમુચ્ચય શક્તિની નિરુદ્ધતાથી મરતે નથી; તેમ અજ્ઞાનીઓને રાગાદિ ભાવેના સદૂભાવથી બંધકારણ એ પૂર્વ કર્મને ઉદય ઉપભેગવતાં છતાં, અમોઘ જ્ઞાનસામર્થ્યવડે કરીને રાગાદિ ભાને અભાવ સતે તેની શક્તિની નિરુદ્ધતાથી જ્ઞાની બંધાતો નથી.-આમ જ્ઞાનનું સામર્થ્ય છે. (૨) જેમ મધ પીતે પુરુષ અરતિભાવે કરીને મદવાળો થતો નથી, તેમ દ્રવ્યના ઉપભેગમાં અરત એ જ્ઞાની બંધાતું નથી. કોઈ પુરુષ મદ્ય પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવર્તતે હેઈ મદ્ય પીતાં છતાં તીવ્ર અરતિના સામર્થ્યથી મદવાળે થતું નથી, તેમ રાગાદિ ભાવના અભાવે સર્વ દ્રવ્યોગ પ્રતિ તીવ્ર વિરાગભાવ પ્રવર્તતે હોઈ, વિષયે ઉપભેગવતાં છતાં, જ્ઞાની તીવ્ર વિરાગભાવના સામર્થ્યથકી, બંધાતો નથી.–આ વૈરાગ્યનું સામર્થ્ય છે.” આમ તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષની વાત ન્યારી છે. તેઓ પૂર્વ કર્મથી પ્રેરાઈને પ્રારબ્ધોદયથી સંસારમાં રહ્યા હોય તો પણ તે સંસારથી પર-અસંસારી છે, ને ભેગ ભેગવતાં છતાં નથી ભેગવતા,-એ પરમ અદ્ભુત મોક્ષે નિત્ત વૈરાગ્ય તેમને હોય છે! કારણ કે તેમનું શરીર–ખેળીયું સંસારમાં છે, મરે તન: > પણ ચિત્ત તો મોક્ષમાં જ છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મોક્ષે વિત્ત મ તનુ ” “લેકમાં વર્તતા જ્ઞાની ગીની પ્રવૃત્તિઓ કાઝયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હોઈ તેમને બાધાર્થે થતી નથી, અને કાનુગ્રહના હેતુપણાથી આ “યોગમાયા” છે, એમ અન્ય દર્શનીઓ પણ કહે છે, અને એમાં પણ દૂષણ નથી.” “दारुयंत्रस्थपांचालीनृत्यतुल्याः प्रवृत्तयः । યોનિનો નૈવ વધાર્ચ જ્ઞાનિનો ઢોર્તિનઃ ” –શ્રી અધ્યાત્મસાર. અને આવા અપવાદરૂપ પરમ સમર્થ જ્ઞાની સમ્યગદૃષ્ટિ આત્માનું દૃષ્ટાંત શોધવાને આપણે વધારે દૂર જવાની જરૂર નથી. હજુ હમણાં જ વર્તમાન યુગમાં થઈ ગયેલા પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અધ્યાત્મમય જીવનવૃત્તમાંથી આનું જ્વલંત ઉદાહરણ મળી આવે છે. એ પરમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં સંસારપ્રસંગમાં રહેવું પડ્યું હતું, છતાં પ્રતિક્ષણે તેમને તેને અત્યંત * “जह विसमुवभुज्जतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मरसुदयं तह भुंजदि णेव बज्झए णाणी ॥ जह मज्ज़ पिबमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । વુમોને કરો : વિ જ વર્લ્સરિ તદેવ | ”—શ્રી સમયસાર, “કા વિર્ણ સુકાયે, પંતમૂવિનાયા ! વિકલા ફuiતિ મહૈિં, તો તે ધ્રુવ નિરિવર્સ ”—શ્રી વંદિત્તાસૂત્ર, Page #193 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : ધર્મજન્ય ભાગ પણ અનિષ્ટ,-ચંદનઅગ્નિવત્ (૫૦૫) અત્યંત ખેદ વત્તા હતા, અને મહામુનિવરોને પણ દુંભ એવી પરમ ઉદાસીન અદ્ભુત વૈરાગ્યમય ભાવનિગ્રંથદશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વત્તતી હતી, અખડ આત્મસમાધિ અનુભવાતી હતી,-એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિષ્પક્ષપાત અવલેાકનારને પદે પર્દે સુપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional -Extraordinary) જલકમલવત્ નિલે પ મહાનુભાવ સમ્યગ્દૃષ્ટિ મહાત્માએ વિરલ જ હાય છે, અતિ અતિ અલ્પ હોય છે. ત્રિકાળ વૈરાગ્યવત તેમના ચિત્તસમુદ્રના તાગ લેવાનું કે અનુકરણ કરવાનું ખીજાનું ગજું નથી; તેમ કરવા જતાં ખીજા પ્રાકૃત જના તે ખત્તા જ ખાય! આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું જ મનનીય વચનામૃત છે કેઃ— “ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભાગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્ત્તવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સભવે એમ થવુ કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણુ' થવુ. સભવતુ નથી. માત્ર ઉદય વિષયે ભાગવ્યાથી નાશ થાય; પણ જો જ્ઞાનદશા ન હેાય તે વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે; અને તેથી પરાજિત થવાને બદલે વિષય વમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષા વિષયાકાંક્ષાથી અથવા વિષયને અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્ત્તતા નથી, અને એમ જો પ્રવર્ત્તવા જાય તેા જ્ઞાનને પણ આવરણુ આવવા ચેાગ્ય છે. માત્ર પ્રારબ્ધ સબંધી ઉદય હાય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મં પિરણામ સયુક્ત હેાય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણુ* કરી ખંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ તે પ્રસંગને માંડ માંડ જીતી શકયા છે, તેા જેની માત્ર વિચારદશા છે એવા પુરુષના ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૯ (૫૯૧) જ છે. છતાં ચંદનના સ્વભાવ છે. તેમ ધર્મ આમ સામાન્યપણે ધર્માંજનિત ભોગ પણ અનર્થરૂપ થઇ પડે છે એ નિયમ છે, છતાં સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી પણુ થતા એ અપવાદ છે. અત્રે ચંદનનું દૃષ્ટાંત ઘટે છે. ચંદન જો કે સ્વભાવથી શીતલ ચંદનના અગ્નિ અગ્નિ વનને ખાળે જ છે, કારણ કે તેવા તેના પણ ખાળે પણ સ્વભાવે શીતલ—શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભાગ પણ અંતર્દાહ ઉપજાવે જ છે. કવચિત્ અપવાદે ચંદનનેા અગ્નિ મત્રથી સ'સ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડતા. તેમ કેઈ અપવાદરૂપ તીર્થંકરદ સમ્યગ્દષ્ટિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધમ જનિત ભોગ અન હેતુ નથી પણ થતા. કારણ કે તેવા ભાવિતાત્મા આત્મ-વિદ્યાધર પુરુષાએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યુ હોય છે. એટલે તેમને ભોગનું ઝેર ચડતું નથી! બીજા અજ્ઞાની જાને Page #194 -------------------------------------------------------------------------- ________________ (૫૬) યોગદષ્ટિસમુચ્ચય જે આશ્રવનું-કર્મ આગમનનું કારણ થાય છે, તે જ તેઓને પરિશ્રવનું-કનિગમનનું કારણ થાય છે! ને જાણવા જે સિવા, પરિસંવા રે આવા – શ્રી આચારાંગ સૂત્ર “હત આસવા પરિસવા, નહિં ઇનમેં સંદેહ; માત્ર દષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ”—શ્રીમદ્ રાજચંદ્રજી આ ઉપરથી ફલિતાર્થ એ છે કે સમ્યગ્દષ્ટિ પુરુષને ધર્મજનિત ભેગ પણ મનને અનિષ્ટ લાગે છે, પુણ્યોદયથી સાંપડેલ ભોગ પણ અકારે લાગે છે, કારણ કે તે સારી પેઠે છે કે-આ વિષયભોગ આત્માને પ્રમાદના-સ્વરૂપભ્રષ્ટ કરવાના ધર્મજન્ય ભેગ કારણ છે, માટે એની અંડાસે પણ ઉતરવા યોગ્ય નથી. એમ સમજી પણ અનિષ્ટ તે વિષયભોગ ઇચ્છતા જ નથી અને તેથી ભાગતો જ ફરે છે. પણ પૂર્વ પ્રારબ્ધદયથી કવચિત્ તેમ ન બની શકે, તે સતત ચેત રહી અનાસકતભાવે-અનાત્મભાવે ભોગવી તે કમને ખેરવી નાંખે છે, પણ બંધાતે નથી ! તે અવિનાશી જાણે પુદ્ગલજાલનો તમાસો જોઈ રહ્યો હોય એમ કેવળ દૃષ્ટાભાવેસાક્ષીભાવે વર્તે છે. તથા भोगातदिच्छाविरतिः स्कंधभारापनुत्तये । स्कंधान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥१६१॥ ત્તિ –મોના-ભેગથકી, તષિાવિતિઃ–તેની–ભેગની ઈચછાની વિરતિ,–તાકાલિકી, શું? તે કે - રંધમાપનુત્ત-કંધભાર દૂર કરવા માટે, સૃધાન્તરમારો-સ્કે ધાન્તર સમારપ વર્તે છે, બીજી ખધ પાદવા બરાબર છે,-શા કારણથી? કે-તરસંવિધાન –તેના સંસ્કારવિધાનથી. તથાણકારે કર્મબંધથી અનિષ્ટ એવા ભાગસંસ્કારના વિધાનથી, તત્વથી તેની ઇચછાની અનિવૃત્તિને લીધે. એમ પાંચમી દષ્ટિ કહી. આ દષ્ટિ સતે, બીજા યોગાચાર્યોએ પણ અલૌ–અલેલુપતા આદિ ગુણો કહ્યા છે. કહ્યું છે કે " अलौल्यमारोग्यमनिष्ठुरत्वम् , गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात् ।। दोषव्यपायः परमा च तृप्ति-रौचित्ययोगः समता व गुर्वी । વૈદ્રિનારોડથ મા થી-ર્નિવનચાચ તુ વિમેતા ઇત્યાદિ. અર્થાત-(૧) અલૌલ્ય-અલેલુ૫૫ણું, (૨) આરોગ્ય. ( 8 ) અનિષ્ફરપણું–અકઠોરપણું, Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : ભેગથી ઈરછાનિવૃત્તિ ન થાય (૫૦૭) ભેગથકી ઇચ્છા-વિરતિ તે, તસ સંસ્કાર કરે૫;. અંધભાર ઉતારવા, સકંધાતર આરોપ, ૧૬૧. અર્થ :–ભેગથકી તેની ઈચ્છાવિરતિ તે ખાંધ પર ભાર દૂર કરવા માટે બીજી ખાંધ પર લાદવા બરાબર છે,–તેને સંસ્કાર વિધાનને લીધે. વિવેચન ત્યારે કઈ કહેશે કે-વિષયભેગથી તેની ઇચછાની નિવૃત્તિ થશે, ભેગ ભેગવ્યાથી એના પ્રત્યે કંટાળો–વૈરાગ્ય આવશે, તે તે માનવું પણ ખોટું છે. કારણ કે ભેગથી તેની ઈચ્છાવિરતિ થવી, તે તો એક ખાંધેથી ભાર ઉતારી બીજી ખાંધે ભોગથી ભાર આપવા બરાબર છે, કારણ કે તેના સંસ્કાર તે ચાલુ જ છે. ઈચ્છાનિવૃત્તિ જેમ કઈ ભારવાહક એક ખાંધે ભાર ઉપાડતાં થાકી જાય, એટલે ન થાય બીજી ખાંધે ભાર આપે છે, પણ ભાર મૂકી દેતે નથી; તેમ ભગવાંચ્છક એક વિષયથી થાકે-કંટાળે એટલે તેની ઈચ્છાથી વિરામ પામી બીજો વિષય પકડે છે, પણ મૂળભૂત વિષયવાસનાને મૂકી દેતે નથી, માટે ભેગથી તેની ઈચ્છાવિરતિ થવી શક્ય નથી. કારણ કે ભેગસંસ્કાર છૂટયો નથી-વાસના ટળી નથી, એટલે વિષયમાંથી વિષયાંતર થયા જ કરે છે. આમ ભોગ થકી જે ઈચ્છાવિરતિ થવી તે તે તત્વથી ઈચ્છા અનિવૃત્તિરૂપ જ છે, કારણ કે વાસનાને અનુબંધ ચાલુ જ છે !* આમ જાણી આ સમ્યગદષ્ટિ પુરુષ ભોગેચ્છાથી દૂર રહે છે; વિષયવાંચછા ત્યજે છે, વિષયવાસનાનો ત્યાગ કરે છે અને કદાચિત્ પૂર્વકર્મવેગે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે - પ્રાપ્ત ભાગસંપત્તિને ઉપભોગ કરે છે, તે પણ અનાસક્તભાવે-અનાત્મપુદ્ગલ જાલ ભાવે જલકમલવત્ નિલેપ રહીને જ કરે છે, એટલે તે તેમાં બંધાતે તમાસી રે” નથી અને કર્મ ભોગવીને છૂટી જાય છે. આ સમ્યગદષ્ટિ પુરુષની (૪) શુભ ગંધ, (૫) અલ્પ મૂત્ર-પુરીષ –આ ગપ્રત્તિનું પ્રથમ ચિહ્ન છે. (૬) મૈત્રી આથિી યુક્ત ચિત્ત, (૭) વિષમાં અચેત એવું ચિત્ત, (૮) પ્રભાવવંત ચિત્ત, (૯) અને હૈયથી યુક્ત એવું ચિત્ત. (૧૦) ધંધોથી અધૃષ્યત્વ - ઈષ્ટ અનિષ્ટ, લાભ-અલાભ આદિ ઠંધોથી નહિ ગભરાવાપણું. (૧૧) અને જનપ્રિયપણું-આ બીજું ચિહ્ન છે. (૧૨) દોષને અપાય-દૂર થવું તે, (૧૩) અને પરમ તૃપ્તિ, (૧૪) ઔચિત્ય યોગ, ( ૧૫ ) અને ભારી સમતા, ( ૧૬ ) વૈરાદિને નાશ, ( ૧૭ ) અને ઋતંભરા બુદ્ધિ,-આ નિષ્પન્ન વેગનું ચિહ્ન છે. અહીં પણ આ અકૃત્રિમ ગુણસમૂહ અહીંથી જ (આ દષ્ટિથી જ) આરંભીને જોડવો. x "सिद्धथा विषयसौख्यस्य वैराग्यं वर्णयति ये । मतं न युज्यते तेषां यावदर्थप्रसिद्धितः। अप्रासत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः। कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्धते ॥" અધ્યાત્મસાર, Page #196 -------------------------------------------------------------------------- ________________ (૫૦૮) ગદષ્ટિસમુચ્ચય આશ્ચર્ય ઘટના છે. કારણ કે તે શુદ્ધ આત્મસ્વરૂપને દષ્ટા-જ્ઞાતા હેઈ, પુદ્ગલની બાજુમાં સપડાતું નથી, અને આ બધું રૂપ-રસ-ગંધ-પર્શ –શબ્દમય પુદ્ગલને તમાસે છે, “અવધૂ! નટ નાગરની બાજી” છે એમ જાણી, માત્ર દૃષ્ટારૂપે–સાક્ષીભાવે તે તમાસો જોયા કરે છે, અને મફતમાં આનંદ માણે છે ! કારણ કે જે ચિદાનંદઘનના સુયશને વિલાસી છે, તે પર વસ્તુની આશા કેમ રાખે? અંશે હોય ઈહ અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, તે કિમ પરને આશી રે? તે ગુણ”, દ, સઝા.૧-૬ જગતને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ”શ્રીમદ્ રાજચંદ્રજી. UR યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણ આ પાંચમી દષ્ટિમાં વળી અલૌલ્યાદિ બીજા ગુણો જે અન્ય યોગાચાર્યોએ પણ કહ્યા છે, તે પણ ઘટે છે, તે આ પ્રકારે –(૧) અલેલુપતા-સમ્યગદષ્ટિ પુરુષને વિષય વાસના નષ્ટ હોય છે, અથવા અતિ મંદ હોય છે, મેળી પડી ચોગપ્રવૃત્તિના ગયેલી હોય છે, એટલે તેને વિષયલેલુપતા સંભવતી નથી. સમ્યગપ્રથમ ચિહન દૃષ્ટિ જીવ વિષય માટે ઝાંવાં નાખતું નથી કે તે માટે તલપાપડ થત જ નથી. પૂર્વ પ્રારબ્ધોદયથી પ્રાપ્ત ભોગ પણ તે અનાસક્તપણે અમૂચ્છિતપણે ભોગવે છે. (૨) આરોગ્ય-ગસાધનના પ્રભાવથી સમ્યગદષ્ટિને આરોગ્ય વર્તે છે. મન-વચન-કાયાના ગની શુદ્ધિથી તથા વિષય અલેલુપતાથી રોગ હોય તે નાબુદ થાય છે ને ન થતું નથી. આરોગ્ય સાંપડે છે. (૩) અનિપ્પરપણુ–સમ્યગદષ્ટિના મનપરિણામ અત્યંત કોમળ થઈ જાય છે, દયા-અનુકંપાથી આ ભીના બને છે. એટલે તેનામાં કઈ પણ પ્રકારનું નિષ્ફરપણું હોતું નથી, પણ કુસુમ સમું કમળપણું, મૃદુપણું ને દયાદ્રપણું જ હોય છે. દેવચંદ્રજીએ ગાયું છે તેમ “ભાવ દયા પરિણામને એહ જ છે વ્યવહાર.” (૪) શુભગધ-યેગી પુરુષને યોગસિદ્ધિના પ્રભાવથી શરીરને પરિમલ પણ સુગંધી–સુવાસિત બની જાય છે, કાંતિ પ્રસન્નતા આદિ પણ વધે છે. (૫) અપ મૂત્ર-પુરીષ–યેગસાધનાથી શરીરમાં કોઈ એવી પ્રક્રિયા થાય છે કે જેથી શરીરના મલ સુકાઈ જઈ મલમૂત્ર પણ થડા થાય છે, લઘુનીતિ–વડીનીતિ અલ્પ બને છે. ઈત્યાદિ ગપ્રવૃત્તિના પ્રથમ ચિહ્ન છે, પ્રથમ વાનકીરૂપ છે. આ બધાં લક્ષણે યોગસાધનાના પ્રારંભમાં જણાય છે. “અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અ૯૫ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ... ધન ધન શાસન શ્રી જિનવરતણુ!” શ્રી એ. સ. -૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણું (૫૦૯) (૬) મિત્રી આદિ યુક્ત ચિત્ત–આગલી દૃષ્ટિએમાં કરેલી ગસાધનાથી ચિત્ત મિત્રી આદિ ભાવથી ભાવિત હોય છે. (૭) વિષયે પ્રત્યે અચેત-વિષય પ્રત્યે ચિત્ત અચેત હોય છે. (૮) પ્રભાવવંતપણું–ગ પ્રભાવથી યેગી પુરુષને બીજુ ચિહન કોઈ એર પ્રભાવ ઝળકે છે. જેથી સામે માણસ અંજાઈ જાય છે, ને તેના પર ચમત્કારની સ્વાભાવિક છાપ પડે છે. જેની પુરુષને જોતાં જ આ કઈ પ્રભાવિક પુરુષ છે એવી સ્વયંભૂ સહજ અસર ઉપજે છે. (૯) ધૈર્યવંતપણુંપરમ આત્મનિર્ભયતાથી મેગી સમ્યગદષ્ટિ પુરુષનું બૈર્ય અસાધારણ-અલૌકિક હોય છે. (૧૦) દ્વન્દ્ર અધૃષ્યત્વ–સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-હાનિ, માન-અપમાન, હર્ષ–શેક, જન્મ-મૃત્યુ આદિ દ્વદ્વોથી યેગીનું અવૃષ્યપણું હોય છે. અર્થાત્ તે તે દ્વન્દોથી સમ્યગદષ્ટિ પુરુષ ક્ષેભ પામતા નથી, ચલાયમાન થતા નથી, ગાંજ્યા જતા નથી, ડરતા નથી, ગભરાતા નથી. તે તે દ્રોને ભાર નથી કે યેગી પુરુષને વાળ વાંકે કરી શકે. (૧૧) જનપ્રિયત્વ–આવા સમ્યગદષ્ટિ પુરુષ કપ્રિય હોય છે. એમનું દર્શન થતાં લોકોને આનંદ ઉપજે છે, અને કુદરતી પ્રેમ કુરે છે, એવા તે પ્રિયદર્શન હોય છે.–આ બધા યોગના બીજા ચિહ્ન છે. ધીર પ્રભાવી રે આગલે યેગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઈષ્ટને રે ઠંદ્ર અધૂળ્યતા, જનપ્રિયતા હોય નિત્ય....ધન ધન” –શ્રી રોગ સ. ૬-૨. (૧૨) દેષ વ્યપાય-રાગ, દ્વેષ–મોહ આદિ દોષ દૂર થાય છે, અથવા અત્યંત મંદ થાય છે, મેળા પડે છે. જેમ જેમ સમ્યગદર્શનની દઢતા થાય છે, તેમ તેમ રાગ શ્રેષ–મેહ એ ત્રિદેષનું જોર ઓછું થતું જાય છે. (૧૩) પરમ તૃપ્તિનિષ્પન્ન થેંગના આત્માધીન એવા આત્માનુભવથી ઉપજતા સુખથી સમ્યગ્દષ્ટિને પરમ ચિહન તૃપ્તિ ઉપજે છે. શુદ્ધ ચૈતન્યરસના આસ્વાદથી તે એટલા બધા આત્મતૃપ્ત થઈ ગયેલ હોય છે, એટલા બધા ધરાઈ ગયેલ હોય છે, કે તેને પછી બાકસબુકસ જેવા બીજા રસ ગમતા નથી. (૧૪) ઔચિત્ય ચોગ–સમ્યગદષ્ટિ સર્વત્ર ઔચિત્યથી–ઉચિતપણે, ઘટિતપણે પ્રવર્તે છે. જ્યાં જ્યાં જે યંગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે છે. (૧૫) ભારી સમતા–સમ્યગદષ્ટિને સર્વત્ર કેઈ અપૂર્વ સમતા વર્તે છે. (૧૬) વૈરાદિ નાશ-સમ્યગદષ્ટિને વૈર-વિરોધ, કલેશ આદિને નાશ સહજમાં થઈ જાય છે, કારણ કે વૈર વિરોધાદિ કરીને કઈ ગાંઠે બાંધવા છે? એમ સમ્યગદષ્ટિ વિચારે છે. તેમજ અહિંસક સમ્યગદષ્ટિના સનિધાનમાં વૈરાદિને નાશ થાય છે, એવો તેમને ઉગ્ર મહાપ્રભાવ વત્તે છે. યેગી પુરુષોની હાજરીમાં હિંસક પ્રાણીઓ પણ પોતાના જાતિવૈર ભૂલી શાંત થઈ જાય છે. (૧૭) ઋતંભરા બુદ્ધિ“ઋd વિમર્તરિ ઋતંમર' અર્થાત ત એટલે સત્યને જ જે ધારણ કરે છે, કદી પણ વિપર્યયથી આચ્છાદિત થતી નથી તે તંભરા Page #198 -------------------------------------------------------------------------- ________________ (૫૧૦) યોગદૃષ્ટિસમુચ્ચય બુદ્ધિ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આ ૠતભરા બુદ્ધિને પ્રાતિભ જ્ઞાન પણ કહે છે. તે શ્રુતજ્ઞાન ને અનુમાન કરતાં અધિક છે, કારણ કે શ્રુત ને અનુમાનને વિષય સામાન્ય છે, ઋતંભરાના વિષય વિશેષ છે. આ ઋતભરા બુદ્ધિ અધ્યાત્મપ્રસાદથી-અધ્યાત્મની પ્રસન્નતાથી ઉપજે છે– અત્યંત આત્મશુદ્ધિથી પ્રગટે છે.—આ બધા નિષ્પન્ન—સિદ્ધ યાગના લક્ષણ છે. અને તે પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટતા પામે છે. “ નાશ દોષને રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સયેાગ; નાશ વૈરના રે બુદ્ધિ ઋતભરા, એ નિષ્પન્નહ યાગ....ધન ધન ચિહ્ન ચૈાગના ૨ જે પરગ્રંથમાં, ચેાગાચારજ દીઠ; પાંચમી દૃષ્ટિથકી સવિ જોડીએ, એહવા તેહ ગરીઠ....ધન ધન૰ " E પાંચમી સ્થિરા દૃષ્ટિના સાર શ્રી યા॰ સજ્ઝા૦ ૬-૩-૪ આ સ્થિરા દૃષ્ટિમાં—(૧) દન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવુ... હાય છે, ( ૨ ) પ્રત્યાહાર નામનું પાંચમુ ચેાગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામને પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂક્ષ્મષ નામના પાંચમા ગુણ સાંપડે છે. આ દૃષ્ટિવાળા સમ્યગ્દર્શની જ્ઞાની પુરુષને અજ્ઞાનાંધકારરૂપ તમે‘થિના વિભેદ થયેા હાય છે, એટલે તેને સમસ્ત સ'સારસ્વરૂપ તેના ખરા સ્વરૂપમાં દેખાય છે. આ સર્વ ભવચેષ્ટા તે બુદ્ધિમંતને મન ખાલકની ધૂલિગૃહકીડા જેવી અસાર અને અસ્થિર ભાસે છે, સમ્યક્ પરિણત શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે તે સ બાહ્ય ભાવેને મૃગજલ જેવા, ગંધવ’નગર જેવા, અને સ્વપ્ન જેવા દેખે છે, અમાહ્ય–આંતર્ એવી કેવલ નિરાબાધ ને નિરામય જે જ્ઞાનજ્યાતિ છે તે જ અત્રે પરમ તત્ત્વ છે, બાકી બીજો બધા ઉપ્લવ છે,-એમ જેને વિવેક ઉપજ્યા છે એવા આ સમ્યગ્દષ્ટિ ધીર સત્પુરુષા તથાપ્રકારે પ્રત્યાહારપરાયણ હાય છે; અર્થાત્ વિષયામાંથી ઇંદ્રિયાને પાછી ખેચી લે છે— વિષયવિકારામાં ઇંદ્રિયાને જોડતા નથી; અને ધર્મને બાધા ન ઉપજે એમ તત્ત્વથી યત્નવંત રહે છે. અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી જેમ બુદ્ધિમતાને આનંદદાયી થતી નથી, તેમ પાપના સખા એવા ભાગવિસ્તર પ્રાણીએને આનંદદાયી થતા નથી, કારણ કે પાપને અને ભાગને સંબંધ એક બીજા વિના ન ચાલે એવા અવિનાભાવી છે, અર્થાત્ ભાગ છે ત્યાં પાપ હાય છે જ. પ્રાણીઓના ઉપઘાત સિવાય ભોગ સભવતા X अध्यात्मं निर्विचारत्ववैशारये प्रसीदति । ऋतंभरा ततः प्रज्ञा श्रुतानुमितितोऽधिका । " ic —શ્રી યશાકૃત દ્ના દ્વા Page #199 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ: સ્થિરાષ્ટિના સાર, કળશ કાવ્ય (૫૧૧) નથી, માટે ભેગથી પાપ જ છે, એમ જાણી ધર્મિષ્ઠ એવા સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયભાગથી વિરામ પામવા જ ઇચ્છે છે. વળી ધમથી પણ ઉપજતા ભેાગ પ્રાયે અનથકારી થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ ઉપજાવે છે. જેમ શીતલ ચ'દનથી ઉપજેલે અગ્નિ પણ દઝાડે છે, તેમ ધજનિત ભાગ પણ તાપ પમાડતા હાઇ સભ્યદૃષ્ટિ પુરુષને અનિષ્ટ લાગે છે. તેમ જ-ભાગથી ભાગ-ઇચ્છાવિરતિ માનવી, તે તે એક ખાંધેથી ભાર ઉતારી ખીજી ખાંધે લાદવા ખરાખર છે. તેથી કાંઈ ભાર ઉત્તરતા નથી, પણ ભારનેા સંસ્કાર ચાલુ જ રહે છે. તેમ ભોગથી ભોગની ઈચ્છા વિરામ પામશે . એમ માનવું તે બ્રાંતિ છે, કારણ કે તેથી તેા ઊલટા ભાગેચ્છાના નવા નવા સંસ્કાર ચાલુ રહે છે, અને વિષયતૃષ્ણાને લીધે ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી.–એમ સમજી સમ્યગ્દષ્ટિ પુરુષ જેમ બને તેમ ભોગને દૂરથી વવા પ્રયત્નશીલ રહે છે, અર્થાત્ વિષયેામાંથી ઇંદ્રિયાને પાછી ખે`ચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે. વળી ચેાગસાધનાથી પ્રાપ્ત થતા બીજા અલેલુપતાદિ ચિહ્ન પણ જે અન્ય ચેાગાચાર્યએ કહ્યા છે, તે પણ આ પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટે છે. ( જુએ પૃ॰ ૫૦૬) સ્થિરાદષ્ટિનું' કોષ્ટક ૧૧ દર્શીન રત્નપ્રભાસમનિત્ય યાત્રાંગ પ્રત્યાહાર દોષત્યાગ ભ્રાંતિયાગ ગુણુપ્રાપ્તિ સૂક્ષ્માષ અલેાલુપતાદિ —; કળશ કાવ્ય — ચાપાઈ દન રત્નપ્રભા સમ નિત, પ્રત્યાહારે ઇંદ્રિય જીત; કૃત્ય કરે સહુ ભ્રાંતિ રહિત, યાગી સૂક્ષ્મ સુખાધ સહિત. ૧૧૨ ગ્રંથિભેદ તણે સુપ્રભાવ, વેદ્યસ‘વેદ્ય પદે સ્થિર ભાવ; વીતી માહ અધારી રાત, ભેદજ્ઞાનનું થયું પ્રભાત. ૧૧૩ ક્ષીર–નીર જ્યમ જાણી લેદ્ય, સ્વપર વસ્તુના કરી વિભેદ; યેાગી હુંસ શુદ્ધ માનસ રમે, પરપરિણતિ આત્માની વયે ૧૧૪ ખાલ ધૂલિગૃહક્રીડા સમી, ભવચેષ્ટા લાગે વસમી; મૃગજલ ને સ્વપ્નાદિ સમાન, દેખે ભાવા બાહ્ય સુજાણુ. ૧૧૫ ગુણસ્થાન ૪-૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ (૫૧૨) યોગદષ્ટિસમુચય અબાહ્ય કેવલ તિ એક, નિરાબાધ નિરામય છેક; તેજ પરમ અહિં તત્વ પ્રમાણ, બાકી બધા ઉપપ્લવ જાણું. ૧૧૬ એમ વિવેકી ધીર મહંત, પ્રત્યાહાર સદાય કરંત, વિષયોમાંથી ઇંદ્રિય હરે, આસક્તિ ભોગે ના ધરે. ૧૧૭ જેહ હરાયા છે જેમાં વિષયમાં ધરતી બહુ પ્રેમ હઠથી હઠાવી ઇંદ્રિય તેહ, સ્વરૂપમાં જોડે ગુણગેહ ૧૧૮ પાપ તણે મિત્ર જ છે ભોગ, યોગ પ્રત્યે રોગ જ છે ભોગ; ભોગ ભુજંગ તણે છે ભોગ, ઇછે કયમયેગી તે ભોગ? ૧૧૯ ધર્મથી પણ સાંપડતે ભોગ, તેને પણ ગમે નહિ ગ; ઉપ શીતલ ચંદન થકી, તે અગ્નિય વન બાળે નકી. ૧૨૦ ભોગથી ઇચ્છા તણે વિરામ, કદી ન થાયે-વધે જ કામ; એક ખાંધેથી ઉતારી ભાર, બીજે લાદ તે અવધાર! ૧૨૧ એમ ચિંતે યેગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ; વિષયવિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે. ૧૨૨ અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, યોગને હેયે સંનિધિ; વિભૂતિ સૌ દાસી થઈ ફરે, આવી સ્વયં યેગીને વરે. ૧૨૩ તે સામી નવ દષ્ટિ કરે, ગી સમ્યગદષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની ઋદ્ધિ, ત્યાં કુણ માત્રજ લબ્ધિ સિદ્ધિઃ ૧૨૪ બેસી સ્વરૂપના ઘરમાંહિ, યેગી સાક્ષી ભાવે આંહિ; પુદ્ગલજાલ તમાસે જુવે, લીલા લહેર મફત અનુભવે. ૧૨૫ ધર્મતણી બાધા પરિહર, તત્વથી ધર્મ યત્ન જ કરે; આત્મધર્મમાં સ્થિરતા ધરે, ભગવાન્ મનનંદન પદ વરે. ૧૨૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने पञ्चमी स्थिरादृष्टिः॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ અને તથા પ્રકારે છઠ્ઠી દષ્ટિ કહી દેખાડવા માટે કહે છેજાન્તાવાતાં શી ધાર I अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसाऽस्ति हितोदया ॥ १६२ ॥ કાંતા દષ્ટિ છઠ્ઠીમાં, જે કહ્યું હમણાં જ તેહ બધુંયે હોય છે, અન્ય પ્રીતિને કાજ, હેય પર અહિં ધારણા, એથી અન્યમુદ નય; મીમાંસા વળી સર્વદ, હિતેયયુત હોય, ૧૬ર અર્થ–કાંતા દષ્ટિમાં આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિ કારણ થાય છે, તથા પરા ધારણ હોય છે; એથી અત્રે અન્યમુદ્ હોતી નથી ને નિત્ય હિતેાદયી મીમાંસા હોય છે. વિવેચન છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારા પ્રકાશ; તત્વમીમાંસા રે દઢ હોય ધારણા, નહિં અન્ય કૃત વાસ... ધન ધન શાસન શ્રી જિનવરતણુ!'”—શ્રી. એ. દ. સઝાય -૫ વૃત્તિ:-હનાથામ-કાના દૃષ્ટિમાં, તટુ-આ, અનંતર-હમણું જ કહેલું નિત્યદર્શનાદિ બીર-બીજાઓની પ્રીતિ અર્થ થાય છે નહિ કે દ્વેષ અર્થે. તથા બારણા પા-પરા-પ્રધાન ધાણા હોય છે. “ચિત્તને દેશબંધ’ એ ધારણાનું લક્ષણ છે. કહ્યું છે કે-“સેશવપત્તિથ ધાણા” (પા. રૂ. ૧). બતો-આ ધારણાથકી, શત્ર-આ દૃષ્ટિમાં, નાથકુટુ-અન્યમુદ્ નથી હતી, અન્યત્ર હર્ષ નથી હોત,–ત્યારે તે તે પ્રતિભાસના અાગને લીધે. તથ-નિત્ય-નિત્ય, સર્વ કાળ, મીનસાડત્તિ-સવિચારાત્મિકા મીમાંસા હોય છે, એટલે જ કહ્યું-તિયા-હિતેાદયવાળી,-સમ્યગ્રજ્ઞાનના ફળપણુએ કરીને. Page #202 -------------------------------------------------------------------------- ________________ (૫૧૪) ગદષ્ટિસમુચ્ચય આ છઠ્ઠી કાંતા દષ્ટિમાં (૧) આ જે હમણાં જ કહ્યું તે નિત્ય દર્શનાદિ બધુંય હોય છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે છે–નહિ કે દ્વેષ. (૨) પરમ ધારણું હોય છે. ધારણા એટલે ચિત્તને દેશબંધ. (૩) અને આ ધારણાને લીધે અત્રે અન્યમુદ્દ હેતી નથી, અર્થાત્ અન્યત્ર હર્ષ હોતો નથી, કારણકે ત્યારે તે તે પ્રતિભાસને અયોગ હોય છે. (૪) તથા નિત્ય-સવકાળ સવિચારાત્મક મીમાંસા-તત્ત્વવિચારણા હોય છે, કે જે સમ્યગ જ્ઞાનના ફળ૫ણુએ કરીને હિદયવંતી હોય છે. આ દૃષ્ટિને “કાંતા” નામ આપ્યું છે, તે યથાર્થ છે. કારણ કે આ દષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા આ ઘરના બીજાં બધાં કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળે સમ્યગદૃષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતે હોય, પણ તેનું ચિત્ત સદાય શ્રુતધર્મમાં જ લીન રહે છે. અથવા કાંતા એટલે પ્રિયા-હાલી લાગે છે. આ દ્રષ્ટિમાં રિથતિ કરતો પુરુષ કાંત-કમનીય–પરમ રમ્ય ભાસે છે, એટલે અન્ય ઇવેને બહુ પ્રિય-હાલો લાગે એવો જનપ્રિય હોય છે, એટલે આ દષ્ટિને પણ કાંતા” નામ ઘટે છે. અથવા આ દષ્ટિ યોગીજનેને બહુ પ્રિય છે, એટલે પણ તે યંતા છે. આમ ખરેખર “કાંતા” એવી આ છઠ્ઠી દ્રષ્ટિમાં પાંચમી દષ્ટિનો જે નિત્ય દર્શનાદિ ગુણગણ કહ્યો, તે તે હોય જ છે, પણ તે વિશેષ નિર્મળપણે. એટલે નિત્યદર્શન, સૂક્ષ્મ બોધ, પ્રત્યાહાર, ભ્રાંતિત્યાગ આદિ અત્રે અવશ્ય અનુવર્તે છે જ, અને તેની એર બળવત્તરતા વર્તે છે. અત્રે જે દર્શન થાય છે તે સ્થિર દષ્ટિની પેઠે નિત્ય-અપ્રતિપાતી હોય છે, પણ વધારે નિર્મલ અને બળવાન હોય છે. તેને તારાની ઉપમા ઘટે છે, કારણ કે તારાને પ્રકાશ રત્નની જેમ સ્થિર હોય છે, પણ તેના કરતાં વધારે બળવાન તેજસ્વી હોય તિહાં તારાલ છે. તારાને પ્રકાશ આકાશમાં નિત્ય ચમકે છે, સદા સ્થિર હોય છે, તેમ પ્રકાશ” આ દૃષ્ટિવાળા સમ્યગૃષ્ટિ પુરુષને સમ્યગદર્શનમય બોધ-પ્રકાશ ચિદા કાશમાં નિત્ય ઝળહળે છે, સદા સ્થિર પ્રકૃતિથી સ્થિત જ વર્તે છે. અત્રે દર્શન અર્થાત્ આત્માનુભવજન્ય સશ્રદ્ધાવંત બેય એટલે બધો સ્પષ્ટ હોય છે કે તે તારાની પેઠે ચિદાકાશને નિરંતર ઉદ્યોતમય કરી મૂકે છે. વળી તારા જેમ આકાશમાં નિરાલંબન છતાં નિત્ય પ્રકાશી રહે છે, તેમ આ દષ્ટિને બોધ પણ નિરાલંબન છતાં સદા ચિદાકાશને પ્રકાશમાન કરે છે. અને જ્ઞાનીનું આ નિરાલંબનપણું પણ પ્રથમ તે પરમ જ્ઞાની એવા પ્રભુનુંપરમાત્માનું અવલંબન લેવાથી પ્રગટે છે, કારણ કે આ દુસ્તર ભવસમુદ્ર પણ તે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુના પ્રબલ અવલંબનથી ગોપદ સમાન બની જાય છે, અને તે પ્રભુના જ અવલંબનબલથી આત્મા નિરવલબનપણું પામી નિજ ગુણરૂપ શુદ્ધ નંદનવનમાં રમે છે. એટલે જ આવા આ સમ્યગ્દશની પુરુષનો બાધ અત્યંત સૂક્ષમ હોય છે. દ્રવ્યાનુ Page #203 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ : તારા સમ પ્રકાશ- સુ ધાદિ, ધારણ (૫૧૫) ગ ને તેના મર્મરૂપ રહસ્યને સમ્યગદષ્ટિ પુરુષ તત્વથી સમ્યપણે જાણે છે. તેની શ્રત-અનુભવની દશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસૂક્ષ્મ બોધ સ્વરૂપને અવભાસ થાય છે. સ્વપર ભાવને પરમ વિવેક કરવારૂપ સૂક્ષમ બોધ અત્રે અધિક બળવત્તર હોય છે, અત્યંત સ્થિર હેય છે. હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું, એવું પ્રગટ ભેદ જ્ઞાન અત્ર અત્યંત દઢ ભાવનાવાળું હોય છે. એટલે તે સમ્યગદષ્ટિ પુરુષ ભાવે છે કે-ચૈતન્ય શક્તિમાં જેને સર્વસ્વ સાર વ્યાપ્ત છે એ આ આત્મા આટલે જ છે, એનાથી અતિરિક્ત (જૂદા) આ સર્વેય ભાવ પૌગલિક છે. આ અનાદિ અવિવેકરૂપ મહાનાટ્યમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે-અન્ય નહિં; અને આ છવ તે રાગાદિ પુગલ-વિકારથી વિરુદ્ધ એવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિરૂપ છે.”—એવી દઢ આત્મભાવનાને લીધે “ચૈતન્યથી રિક્ત–ખાલી એવું બધુંય એકદમ છેડી દઈ, અત્યંત સ્કુટ એવા ચિટૂશક્તિમાત્ર આત્માને અવગાહીને તેઓ વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.”—આ સૂમ બંધ હોવાથી સમ્યગુદષ્ટિને ક્યારનીયે મિથ્યાત્વજન્ય બ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણ કે અનાત્મ એવી પર વસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યકત્વ અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે, અને એ જ શાંતિ છે. પર વસ્તુમાં આત્મબ્રાંતિ એ જ જીવને મોટામાં મોટો રેગ છે, અને તે આત્મબ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિરૂપ અનંત દુઃખ ઉપજે છે. સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને તે આ આત્મબ્રાંતિરૂપ મહારગ સર્વથા દુર થયે છે, એટલે તેઓ સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઈ, સ્વરૂપૈકનિષ્ઠ બની પરમ આત્મશાંતિ અનુભવે છે. આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હેવાથી, અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સ્વરૂપવિશ્રાંતિમય પરમ શાંતિ મળી હોવાથી, આ જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લે છે–પ્રત્યાહૂત કરે છે. એટલે તે પ્રત્યાહાર પર પરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી મેહમૂચ્છિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે. *"चिच्छक्तिव्याप्तसर्वस्वसारी जीव इयानयम् । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्रालिका अमी। अस्मिन्ननादीनि महत्यविवेकनाटये, वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-चैतन्यधातुमयमूर्तिरयं तु जीवः ॥ सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तम् , स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि तरन्तं चारु विश्वस्य साक्षात् , कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીત – શ્રી સમયસાર કલશ. Page #204 -------------------------------------------------------------------------- ________________ (૫૧૬) ગદષ્ટિસમુચ્ચય તેઓ પૌગલિક વિષયભેગથી નિરંતર દૂર દૂર ભાગે છે, અને કાચબાની જેમ વિષયમાંથી ઇદ્રિને પ્રત્યાહાર કરે છે–પાછી ખેંચી લે છે. એટલે એમની આશ્રવભાવની ચાલ સહેજેઅનાયાસે છૂટી જાય છે, અને ઉગ્ર સંવર દશા પ્રગટે છે. જેથી તેઓને આત્મા પોતે જ સાક્ષાત્ સંવરરૂપ થાય છે, સવરૂપગુપ્ત બને છે. આમ નિત્યદર્શન-પ્રત્યાહાર આદિ પાંચમી દષ્ટિના ગુણગણુનો આત્મલાભ અત્ર છઠ્ઠી દ્રષ્ટિમાં વિશેષ પ્રબળપણે-નિર્મળપણે અનુવર છે જ. આવા પરમ ઉદાર ગુણસંપન્ન સમ્યગદષ્ટિ સન્દુરુષને દેખીને અન્ય જીને પણ તેમના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ કુરે એવી તેમની જનપ્રિયતા હોય છે. આ મહંતોના સ્વરૂપાચરણરૂપ ચારિત્રને કઈ એ મુંગો મહાપ્રભાવ સ્વયં કુરે છે, કે તેમને જોતાં જ બીજા ને તેમના પ્રત્યે કુદરતી પ્રેમ-બહુમાન ઉપજે છે. યોગનું છછું અંગ-ધારણા “જિનરાજની સેવા કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી.”—શ્રી દેવચંદ્રજી આ દૃષ્ટિમાં ધારણા નામનું છઠ્ઠું ચોગ અંગ પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રત્યાહાર નામનું પાંચમું અંગ સાંપડ્યા પછી સ્વાભાવિક ક્રમે ધારણ થાય છે. ધારણું એટલે ચિત્તને દેશબંધ, ચિત્તને અમુક મર્યાદિત દેશમાં–ક્ષેત્રમાં બાંધી રાખવું-ધારી વિભાવ નિવૃત્તિ રાખવું તે ધારણા, એમ તેની વ્યાખ્યા છે. મનમર્કટ ચારે કોર ભ્રમણ સ્વભાવ પ્રવૃત્તિ કરવાનો અતિ ચંચલ સ્વભાવ ધરાવે છે, તેને નાસાગ્ર આદિમાં સ્થિર કરવું, અથવા શ્રુતસ્કંધના નિરંતર આરોહણ-અવરોહણમાં રોકી રાખવું, પ્રભુભક્તિરૂપ ખીલામાં પ્રેમની સાંકળથી બાંધી રાખવું, અથવા શુદ્ધ આત્મચિંતનના વ્યાપારમાં ધારી રાખવું તે ધારણા છે. (જુઓ પૃ. ૨૧૨-૨૧૩) આત્માને પરભાવમાંથી પ્રત્યાહુત કરેપાછો ખેંચ તે પ્રત્યાહારનું કામ છે, ને તેને આત્મભાવમાં ધારી રાખ તે ધારણનું કામ છે. આમ ચિત્તને વિષયોમાંથી વ્યાવૃત્ત કરી આત્મભાવમાં જ પ્રવૃત્ત કરવું, આત્મસ્વરૂપ ધર્મમાં જ ધારી રાખવું એવી શુદ્ધ ધારણા સમ્યગદષ્ટિ યેગી પુરુષ ધરે છે, કે જે અંતે તત્તાનંદમય પૂર્ણ સમાધિમાં લયને પામે છે. આવી ઉત્તમ આત્મધારણવાળા સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષ પર પરિણતિ* છેડી દઈ, ભેદવાદોનું ખંડન કરી, ઉદિત અખંડ એવા પ્રચંડ જ્ઞાનમય સ્વભાવમાં સ્થિતિ કરે છે, તે પછી તેને બીજી કર્તા-કર્મ પ્રવૃત્તિને અવકાશ કયાંથી હોય છે અથવા પૌગલિક કર્મ બંધ કયાંથી હોય?” આવી અદભત આત્મસ્વભાવ ધમમય * "परपरिणतिमुज्झत् खंडयझेदवादा-निदमुदितमखण्डं ज्ञानमुञ्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मवन्धः॥" (ઈત્યાદિ વિશેષ માટે જુઓ)–શ્રી સમયસારકલશ. Page #205 -------------------------------------------------------------------------- ________________ કાંતા દુષ્ટિ : અન્યમુદ-“મને ન ગમે તે બીજાને સંગ’ (૫૧૭) ધારણવાળા ભેદજ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક-જાગતા હોય છે, અને પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા ને મૂંગા હોય છે ! “અરમકવૃત્તાવત્તિના :, પવૃત્તી વિષયૂઃ શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ. અન્યમુદ્ દોષને નાશ. “ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત...જિનેસર ! બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત...જિ.” શ્રી આનંદઘનજી. અને અત્રે આવી સ્વસ્વરૂપમાં દઢ અવધારણરૂપ ધારણ હોય છે, એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા દઢ યેગીને અન્યમુદ્ હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતે નથી, એક આત્મા સિવાય બીજે ક્યાંય આનંદ થતો નથી, કારણ બીજે મન- કે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી ભગવાન આનંદઘન મંદિર આણું આત્માના પરમ અમૃત સુખને રસાસ્વાદ જેણે ચાખે હેય, તેને નહિં તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ રસ આત્મા અને આત્મધર્મ શિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે? આવા આત્મારામી સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખને વિરહ તે ખમી શકતા નથી. અને અનિચ્છતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃતસુખસિંધુના અખંડ અનુભવનમાં વિપ્ન આવે, તે તેથી તેને આત્મા અત્યંત સંવેદનવાળે પ્રશસ્ત ખેદ અનુભવે છે. –એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે. “મનમેહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી; મહતિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઊપશમચી.... હું તે વારિ પ્રભુ ! તુમ મુખની.”—શ્રી દેવચંદ્રજી. કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ પરમ આત્મતત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એવો પરમ પ્રેમપ્રવાહ પ્રવહત હોય છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત ચંચમાત્ર પણ રતિ મને ન ગમે છે પામતું નથી. શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ બીજાને સંગ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાને સંગ ગમતું નથી. માલતી ફૂલે જે મહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય, તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુધી ખાચિયાના પાણીમાં કેમ રમે ? અત્યંત ઉત્કંઠાથી જે “પીઉ પીઉ” જપી Page #206 -------------------------------------------------------------------------- ________________ ( ૫૧૮) ગદષ્ટિસમુચ્ચય જલધરના જલની પ્રતીક્ષા કરતું હોય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આમ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કેનિલને ફલકૂલ રહિત ઉછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે? કમલિની દિનકરના કર વિના બીજાને કર કેમ રહે? કુમુદિની ચંદ્ર શિવાય બીજાની પ્રીતિ કેમ કરે ? ગૌરી ગિરીશ વિના ને લક્ષમી ગિરિધર વિના પોતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્વ શિવાય અન્યત્ર પ્રીતિ કેમ ધરે? (જુઓ પૃ. ૩૮૧-૩૮૨) આમ આ પરમ આત્મતત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું-એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયને પ્રતિભાસ પણ થતું નથી ! સમ્યગૃષ્ટિ સપુરુષનું ચિત્ત સ્વરૂપ–સ્વદેશમાં એટલું બધું રોકાયેલું રહે છે કે તે આડે બીજે કયાંય શું બની રહ્યું છે, તેનું પણ તે પરમ સંત અવધૂતને ભાન રહેતું નથી ! –આવા પરમ અદ્ભુત અનન્યમુદ્ ભાવનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનેગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે – રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લમી ગમતી કે નથી અલમી ગમતી; એમ છે. ઇત્યાદિ” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૨૦. (૧૩૩) ખરેખર જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને અનન્યમુભાવ આવી પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલે વર્તે છે, તેનું આ દિગ્ગદર્શન માત્ર છે. આમ આ છઠ્ઠી દષ્ટિમાં અન્યમુદ્ નામનો છઠ્ઠો ચિત્તદોષ નષ્ટ થાય છે. આત્મતત્ત્વ કરતાં અન્ય સ્થળે આનંદ-મંદ પામ તે અન્યમુદ્ અથવા આમ માંડેલી ગક્રિયા અવગણીને બીજે ઠામે હર્ષ ધરો, તે પરમાર્થરૂ૫ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ જે છે. (જુઓ, પૃ. ૮૬) મીમાંસા તથા આ છઠ્ઠી દ્રષ્ટિમાં મીમાંસા નામને છઠ્ઠો ગુણ પ્રગટે છે. પાંચમી દષ્ટિમાં સૂક્ષ્મધ નામને ગુણ પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે મીમાંસા ગુણ ઉપજ જોઈએ. Page #207 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ: હિતેાદયવતી મીમાંસા (૫૧૯) કારણ કે જેને સૂક્ષ્મધ ઉપજે છે, તે પછી તે બેધનું મીમાંસન કરે છે, તલસ્પર્શી સવિચારણું કરે છે, અહોનિશ ઊહાપોહ કરે છે, નિત્ય મનન-નિદિધ્યાસન કરે છે, નિરંતર તત્વચિંતન કરે છે. જેમ કેઈ ખેરાક ખાય તે બરાબર રસપૂર્વક ચાવે તે હોજરીમાં પાચક રસની બરાબર ઉત્પત્તિ થાય, ને તેની પાચનક્રિયા ઉત્તમ થાય, અને પછી તે રસ લેહમાં એકરસ થઈ સર્વ અંગને માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે; તેમ સમ્યગ બેધરૂપ આહાર પણ રસપૂર્વક બરાબર ચાવવામાં આવે, અર્થાત્ પુનઃ પુનઃ મનન કરવામાં આવે તે ઉત્તમ ભાવરૂપ રસની નિષ્પત્તિ થાય, ને શુદ્ધ આત્મપરિણતિરૂપ ઉત્તમ પાચનક્રિયા થાય, અને પછી તે પરિણત રસ આત્માના અંગેઅંગમાં-પ્રદેશેપ્રદેશમાં વ્યાપ્ત થઈ તેને શુદ્ધ આત્મધર્મની પુષ્ટિથી માંસલ કરે, પુષ્ટ–ભરાવદાર બનાવે. આ દષ્ટાંતથી મીમાંસાનો પરમાર્થ સમજાય છે. એટલે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ દ્રવ્ય, ગુણ, પર્યાય, તેને ભંગ, નય, પ્રમાણ, સત્ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી, સપ્તભંગી, આત્મા, કર્મ, વેગ આદિ દ્રવ્યાનુગાંતગંત સૂક્ષમ વિષયોની તલસ્પેશિની અવગાહના કરે છે; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું અસ્તિપણું છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું નાસ્તિપણું છે, એવું ઊંડું ગંભીર તત્ત્વચિંતન કરે છે. આ દ્રવ્યાનુયોગના પરમ રહસ્યભૂત-કળશરૂપ પરમ આત્મતત્વનું-ભગવાન સમયસારનું અર્થાત્ શુદ્ધ આત્માના સહજ સ્વરૂપનું પરિશીલન કરી, તેને આત્મસ્વભાવભૂત કરી મૂકે છે. “ગુણ પર્યાય અનંતતા રે, વળી ય સ્વભાવ અગાઉં રે; નય ગમ ભંગ નિક્ષેપના રે, હે પાદેય પ્રવાહ રે...કુંથુ જિનેસ! નિજ ભાવે સીય અસ્તિતા રે, ૫ર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવે રે...કુંથુ.—શ્રી દેવચંદ્રજી. અને આવી સૂક્ષ્મ મીમાંસાતત્વવિચારણું હિતેાદયવાળી હોય છે, આથી હિતેદયસર્વ પ્રકારના આત્મકલ્યાણની સંપ્રાપ્તિ થાય છે. ઉદય એટલે ચઢતી કળા. જેમ સૂર્યને ઉદય થઈ તે ઉત્તરોત્તર વધતી તેજસ્વિતાને પામી મધ્યાહુને પૂર્ણપણે પ્રતાપે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ સૂર્યને ઉદય થઈ, ઉત્તરોત્તર ચઢતી આત્મદશાને પામી, પૂર્ણ આત્મસ્વરૂપ મધ્યાહ્નને પામે છે. અથવા જેમ બીજને ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણિમાએ પૂર્ણ સ્વરૂપને પામે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ શુદ્ધ સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિમાં પર્યાપ્તિ પામે છે. સહસ્ત્રદલકમલકલિકા જેમ ઉત્તરોત્તર વિકાસને પામી, પૂર્ણપણે ખીલી ઊઠે છે, તેમ અત્ર હિતોદયરૂપ સહસ્ત્રદલ કમલ સાનુબંધ વિકાસને પામી પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળે છે. નવે નિધાન અને અષ્ટ મહાસિદ્ધિ આદિ કિકર થઈને જ્ઞાની પુરુષને અનુસરે છે, પણ અવધૂત નિરપેક્ષ જ્ઞાની તે તેની સામું પણ પાછું Page #208 -------------------------------------------------------------------------- ________________ (પર૦) યોગદષ્ટિસમુચ્ચય વાળીને જોતા નથી, તેની તમા પણ કરતા નથી ! એ પરમ અદ્દભુત ગુણવૈરાગ્ય જ્ઞાની પુરુષને હોય છે! તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહી, અને થવાનું નથી કે જે પ્રભાવજેગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવ જોગને વિષે વર્તાવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તે છે, અને જો તેને તે પ્રભાવનેગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપનાં અત્યંત અજ્ઞાનને વિષે વસે છે, એમ જાણીએ છીએ.” બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યક્ પરિણામ આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ વિકાળે સંભવતી નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૩૭, ૩૬૯. (૪૧૧, ૪૫૦) આ જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે– अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः। प्रियो भवति भूतानां धर्मे काग्रमनास्तथा ॥ १६३ ॥ આમાં ધર્મ માહાસ્યથી, હેય વિશુદ્ધાચાર; તેથી હોય પ્રિય પ્રાણિને, ધર્મ એકમન ધાર. ૧૬૩ અર્થ અને આ જ દૃષ્ટિમાં ધર્મના મહાવ્યથકી સમ્યક આચારની વિશુદ્ધિને લીધે, યોગી પ્રાણીઓને હેય પ્રિય છે, તથા ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે. વિવેચન આ કાંતા દૃષ્ટિમાં જ નિયમે કરીને ધર્મના માહાભ્યરૂપ કારણ થકી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે અને તેથી કરીને જ અત્રે સ્થિતિ કરતે સમ્યગદષ્ટિ યોગી પુરુષ પ્રાણીઓને આપોઆપ પ્રિય થઈ પડે છે, તથા તે ધર્મમાં એકાગ્ર ચિત્ત ધરાવે છે. ધર્મને મર્મ ધર્મને અપૂર્વ મહિમા. “જિન હી હે આતમા, અન્ય હઈ સે કમ; કર્મ કરે સો જિન બચન, તત્ત્વજ્ઞાનીકે મર્મ. ” -શ્રીમદ્ રાજચંદ્રજી. વૃત્તિઃ-શલ્યાં સુ-આ જ કાંતા દષ્ટિમાં-નિયેગથી, નિયમથી, ધર્મમાચા-ધમ માહાત્મરૂપ કારણ થકી, સમાવાવિશુદ્ધિત-સમદ્ આચારવિશુદ્ધિરૂપ હેતુને લીધે, શું ? તે કે-બિયો મવતિ મુતનામભતેને-પ્રાણીઓને પ્રિય હોય છે, ઘÁજાબમનાસ્તથા તથા ધર્મમાં એકામ મનવાળો હોય છે, Page #209 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ: ધર્મને સમવિભાવ તે કમ, સ્વભાવ તે ધર્મ (૫૨૧) ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. આ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવા યોગ્ય છે. અત્રે “ધર્મ એટલે સનાતન–શાશ્વત એવો આત્મધર્મ સમજ. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું નામ જ “જિન” અર્થાત વીતરાગ પ્રભુ છે; અને એવા તે જિનને અર્થાત્ શુદ્ધ આત્માને ધર્મ તે જ જિનધર્મ છે, અને તેનાથી અન્ય તે કર્મ છે. તે કર્મને જે કાટે-કાપે તે જિનવચન છે. આમ તત્ત્વજ્ઞાનીઓનો મર્મ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હેઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. આવા આત્મભાવમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવા તેનું નામ “ધર્મ' છે; અને તે જ વાસ્તવિક એ વસ્તુ-ધર્મ છે. કારણ કે જ્ઞાનદર્શનચારિત્રાદિ આત્માના સ્વભાવભૂત ગુણ છે, અથવા તે જેમાં અંતર્ભાવ પામે છે એ શુદ્ધ એક ટંકે કીર્ણ જ્ઞાયક ભાવ એ જ આત્માને સ્વભાવ છે, તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તે આત્મવસ્તુને ધર્મ છે. “રઘુરાવો મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધમ. આમ નિર્મલ જ્ઞાન દર્શનમય આત્મભાવમાં વર્તવું તે જ ધર્મ છે. પણ ધર્મના આ વાસ્તવિક સ્વરૂપનું જગતને ભાન નથી. ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે” આખું જગત્ “ધર્મ ” “ધર્મ” કરતું ફરે છે, પણ તેને ધર્મના મર્મની ખબર નથી. નહિ તે આ ધર્મ જિનેશ્વરનું ચરણ ગ્રહ્યા પછી કઈ કર્મ બાંધે જ નહિ,-એમ મહાગીતાર્થ મહાત્મા આનંદઘનજી ગાઈ ગયા છે. લેકે પારકે ઘેર ધર્મ શોધતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે જોતાં નથી ! આ તે તેઓ કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે ! કસ્તુરી મૃગની નાભિમાં જ કસ્તૂરીને વાસ છે, છતાં તે મૃગને તેને પરિમલ ક્યાંથી આવે છે કસ્તુરી મૃગનું તેનું ભાન નથી. એટલે તે બિચારે તેની શોધમાં બહાર ચોતરફ દૃષ્ટાંત ભમ્યા કરે છે! તેમ આ ધર્મ તે પોતાના આત્માની અંદર જ રહ્યો છે, કાંઈ ગામ ગયો નથી, છતાં અહીંથી મળશે કે નહીથી મળશે એવી ખોટી આશાએ અજ્ઞાન લેક તેને ટૂંઢવા માટે ચારેકેર ઝાંવા નાંખી નકામા હેરાન થાય છે, ને નિષ્ફળ ખેદ ધરે છે. પોતાના મુખની આગળ જ જે પરમ નિધાન પ્રગટ ખુલ્લે પડ્યો છે, તેને ઉલંઘી જઈને, તેઓ તેની શોધમાં હાર નીકળી પડે છે!! (જુઓ પૃ. ૪૮૦). પર ઘરે જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન લહે રે ધમ; જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરીઓ, મૃગમદ પરિમલ મર્મ. શ્રી સીમંધર સાહેબ સાંભળે.” -શ્રી યશોવિજ્યજી કૃત સ. ગા, સ્ત, આમ આ ધર્મ તે પોતાના આત્મામાં જ રહ્યો છે, અથવા આત્મા પોતે જ Page #210 -------------------------------------------------------------------------- ________________ (૫૨૨) યોગદષ્ટિસમુચ્ચય ધર્મ છે, એટલી સીધી સાદી વાત લેક સમજતા નથી. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નને સ્વભાવ હોઈ તેને ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિમલતા એ જ સ્ફટિક દષ્ટાંતઃ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માને ધર્મ છે. અર્થાત્ શુદ્ધ આત્મા નિરુપધિપણું એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે તે ધર્મ અધર્મ છે. પણ સ્ફટિક રત્નને સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ હોય તે તેમાં રાતી ઝાંઈ–છાયા પડે છે, કાળું ફૂલ હોય તે કાળી ઝાંઈ પડે છે. આમ બાહ્ય ઉપાધિને લીધે સ્ફટિકની નિર્મળતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કમરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ પરિણામેની ઉત્પત્તિથી આત્માની નિમળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિમલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયંસ્થિત છે જ, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, એટલે તેટલે અંશે આત્મધમની સિદ્ધિ છે, અને તેવું નિરુપાલિકપણું સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પયત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય અભાવ...શ્રી સીમંધર. જેમ તે રાતે રે ફૂલે રાતડું, સ્પામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગજીવને, રાગ દ્વેષ પરિણામ.....શ્રી સીમંધર. ધર્મ ન કહીએ રે નિશ્ચ તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણી પેરે ભાખિયું, કરમે હોયે ઉપાધિ.શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્રદષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ કહે શિવશર્મ....શ્રી સીમ ધર.” -યશોવિજયજી. જેમ જેમ પર૫રિણતિ સજાતી જાય છે અને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતે જાય છે-વિકસતો જાય છે, યાવત મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિ સ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે, સંપૂર્ણ આત્મવિભાવ તે કર્મ સિદ્ધિરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે શુદ્ધ આત્માની સિદ્ધિ એ જ સ્વભાવ તે ધર્મ ધર્મ છે. જેમ જેમ કમ–ઉપાધિ ટળે છે, તેમ તેમ ધર્મ-સમાધિ પ્રગટે છે, કારણ કે વિભાવપરિણતિરૂપ ઉપાધિ તે કર્મ છે અને સ્વભાવપરિણતિરૂપ સમાધિ તે ધર્મ છે. આમ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે. ધર્મના દ્રવ્ય Page #211 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ : ધર્મને અપૂર્વ મહિમા, સમ્યફ આચારવિશુદ્ધિ (૫૨૩) ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-આત્મધર્મની ઉત્પત્તિમાં-સિદ્ધિમાં જેટલે અંશે કારણભૂત થાય તેટલે તેટલે અંશે જ તેની સફળતા છે, નહિં તે વસ્તુના સ્વભાવ ધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે. મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ ભાવ વિના સહુ આલ'. આ આ આત્મનિર્મલતારૂપ સ્વભાવ-ધર્મ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા મેગીને અત્યંત આવિર્ભત થયો હોય છે, અત્યંત પ્રગટયો હોય છે, કારણ કે આ દૃષ્ટિવાળા સમ્યગ્ર દષ્ટિ ગીપુરુષ અત્યંત આત્મસ્થિતિમાં સ્થિત હોય છે, પરપરિણતિને ત્યજી આત્મસ્વરૂપને ભજે છે, એવા તે ધર્મમૂર્તિ મહાત્મા હોય છે. "धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो।। સેવા વિ « THસતિ, નર ઘ ચ મળો ” –શ્રી દશવૈકાલિક સૂત્ર, આ ઉક્ત આત્મસ્વભાવરૂપ ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ * આદિને મહિમા તેની પાસે તુચ્છ છે. આ ધર્મ જ્યારે ખરેખરા સ્વરૂપમાં આત્મામાં પ્રગટે છે, ત્યારે સર્વ લબ્ધિ-સિદ્ધિ, સર્વ વિભૂતિ તેની પાસે ધર્મને અપૂર્વ દાસી થઈને કર જોડી ઊભી રહે છે, છતાં આ આત્મનિમગ્ન અવધૂત મહિમા મહાત્મા તેની પરવાહ પણ કરતા નથી ! તેની સામે જોવાની પણ તકલીફ લેતા નથી ! ખરેખર ! ધર્મમાં જેનું મન સદા લીન હોય છે, એવા મહાત્મા ગીને દેવે પણ નમસ્કાર કરે છે. કારણ કે અહિંસા, સંયમ અને તપ એ ધર્મના પ્રકાર છે અને તેની આ મહાત્માએ અત્યંત સિદ્ધિ કરી હોય છે. પરભાવ-વિભાવ પરિણતિથી તે આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસા થવા દેતા નથી, અને સ્વસ્વરૂપમાં નિરંતર સ્થિતિ કરે છે, તેથી તે અત્યંત અહિંસક હોય છે. આત્માને તે સ્વસ્વરૂપમાં જ સંયમી રાખે છે–દાબી રાખે છે, બહાર પરવસ્તુમાં જવા દેતા નથી, તેથી તે પૂરા સંયમી હોય છે. આમ પરભાવમાં નહિં જવારૂપ અહિંસનથી, અને સ્વભાવમાં સ્થિતિરૂપ સંયમનથી સમર્થ આત્મવીર્યને સંચય થાય છે, અને તેથી આ ગી પુરુષ સ્વસ્વરૂપના પરમ તેજથી પ્રતાપે છે, પરમ તપોધન હોય છે. આવા અહિંસક, સંયમી અને તપસ્વી સાચા સંત પુરુષને દેવે પણ નમસ્કાર કરે એમાં શી નવાઈ ? * 'धर्मः श्री वशमंत्र एष परमो धर्मश्चः कल्पद्रुमो, धर्मः कामगवीप्सितप्रदमणिधर्मः परं दैवतम् । धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो. ઘ રાતવાદ્ઘતાં શિવ છુawતૈ: » શ્રી પદ્મનદિપંચવિંશતિક. Page #212 -------------------------------------------------------------------------- ________________ (૨૪) યોગદષ્ટિસમુચિય સમ્યક્ આચારવિશુદ્ધિઅને આવા શુદ્ધ ધર્મની સિદ્ધિના મહિમાથી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે, અર્થાત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની ચોક્ત વિશુદ્ધિ થાય છે. એટલે (૧) “જ્ઞાનચરણથે આ યેગી પુરુષ સ્વાધ્યાય કાલ અવલેકે છે, અનેક પ્રકારે વિનય પ્રપંચે છે, દુદ્ધર ઉપધાન વિધિપૂર્વક આદરે છે, સારી પેઠે બહુમાન વિસ્તારે છે, નિતવ દેષાપત્તિ અત્યંત નિવારે છે, અર્થ—વ્યંજન અને તદુભય શુદ્ધિમાં નિતાંત સાવધાન રહે છે. (૨) દર્શનચરણથે પ્રશમરસનિમગ્ન, દઢ સંવેગરંગી, પરમ વૈરાગ્યસંપન્ન, અનુકંપાપરાયણ અને આસ્તિક્યવંત એવા તેઓ શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદષ્ટિતાને ઊઠતાં વેંત જ દાબી દેવા માટે નિત્ય બદ્ધપરિકર-ભેઠ બાંધીને તૈયાર રહે છે અને ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય, તથા પ્રભાવનાને ભાવતાં વારંવાર ઉત્સાહની અભિવૃદ્ધિ કરે છે. (૩) ચારિત્રચરણથે હિંસા, અસત્ય, સ્તેય, અબ્રા અને પરિગ્રહથી સમસ્ત વિરતિરૂપ પંચ મહાવ્રતમાં તેઓ તનિષ્ઠવૃત્તિવાળા હોય છે સમ્યમ્ યેગનિગ્રહરૂપ લક્ષણવાળી ગુપ્તિમાં અત્યંત ઉઘોગી હોય છે, ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં અત્યંત પ્રયત્નશીલ રહે છે. (૪) તપ આચરણથે તેઓ અનશન, અમદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ અને વિવિક્ત શય્યાસનમાં પ્રતિક્ષણે ઉત્સાહ ધરાવે છે; પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનપરિકરથી તેઓ પોતાના અંતઃકરણને અંકુશમાં લાવે છે. (૫) વીર્યચરણાર્થે તેઓ કર્મકાંડમાં સર્વશક્તિથી વ્યાપૃત થાય છે.” આમ કંઈ પણ અતિચાર દોષ ન લાગે એમ તેઓ પંચાચારનું આદર્શ પરિપાલન કરે છે. આવું તેઓનું નિરતિચાર ભાવ અનુષ્ઠાન, સક્રિયાચરણ હોય છે. “માર્ગાભિમુખ થયેલા સમ્યગદષ્ટિ જીવોને એ આચરણો પરમ કલ્યાણના હેતુરૂપ છે. માટે તેઓએ તે અવશ્ય આચરવાં ઘટે છે, આચરવાનો ખંતથી પ્રયાસ કરવો ઘટે છે. અભ્યાસ કરી વિશુદ્ધ આચરણ થશે. અહે! કેવા અનુપમ આચાર!” (આ પંચાચારનું હૃદયંગમ સ્પષ્ટ સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે જુઓ) -શ્રી મનસુખભાઈ કીરચંદત દાનધર્મપંચાચાર, જ્ઞાનને અનુસરતી–અનુકૂળ જે સત્ ક્રિયા તેનું નામ “ અનુષ્ઠાન” છે, એટલે આ સમ્યગદષ્ટિ પુરુષને જે આત્મજ્ઞાન ઉપર્યું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ-છાજે એવી આત્માનુચરણરૂપ ભાવકિયા કરવાને-સચ્ચારિત્ર પાળવાને આ યેગી પુરુષ સતત પ્રયત્નપૂર્વક પરમ પુરુષાર્થ કરે છે. આ સાચા સાધુપુરુષને વંદનાદિ અનુષ્ઠાન ઉત્તમ ભાવવાળા હોય છે. + “જ્ઞાનવાળા સ્વાધ્યાયાસ્ટમરોયન્તો, ઘણા વિનચં પશ્ચાત્તો) –(ઇત્યાદિ આધારરૂપ પરમસુંદર વર્ણન માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પંચાસ્તિકાય ટીકા ગા. ૧૭૨. Page #213 -------------------------------------------------------------------------- ________________ કતા દષ્ટિ: આદર્શ નિયથચર્યા, ધમમાં એકાગ્ર મન (૫૨૫) એટલે જ આ દષ્ટિવાળા પરમ ભાવિતાત્મા યોગીપુરુષનું સમસ્ત આચરણ-ચારિત્ર નિરતિચાર, શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત, વિનિયોગપ્રધાન અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. (જુઓ પૃ. ૭૨, તથા પૃ. ૨૫, શ્રીમદ્ રાજચંદ્રજીનું “અપૂર્વ અવસર વાળું અપૂર્વ કાવ્ય.) તે અણગાર ભગવતે ઇસમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિત, પારિકાપનિકા સમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, મન, વચનગુપ્ત, કયગુપ્ત, ગુપ્ત, ગુખેંદ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, અકોધ, અમાન, અમાય, અભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત, અનાશ્રવ, અગ્રથ, છિન્નશ્રોત, નિપલેપ, કશ્યપાત્ર જેવા મુક્તજલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિરુપલેપ, કૂર્મ જેવા ગુપ્તદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગેંડાના શીંગડા જેવા એક જાત, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા શૌડીર, વૃષભ જેવા સ્થિર, સિંહ જેવા દુઘર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્યુલેશ્યાવંત, સૂર્ય જેવા દીપ્તતેજ, જાત્ય સુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શ વિષહ, સુહુત હુતાશન જેવા તેજથી જ્વલંત હોય છે. તે ભગવતેને કયાંય પણ પ્રતિબંધ હેતે નથી. અને આવી સમ્યફ આચારવિશુદ્ધિને લીધે આ શુદ્ધોપગમય નિગ્રંથ શ્રમણ આપોઆપ જનતાને પ્રિય થઈ પડે છે. આ સ્વયંભૂ (spontaneous) પ્રીતિ સંપાદન કરવા માટે તેને કાંઈ બોલવું પડતું નથી, કે બીજે કઈ કૃત્રિમ પ્રયાસ કરે પડતો નથી. માત્ર આ નિગ્રંથ મહાત્માનું સહજ સ્વભાવે સિદ્ધ એવું શુદ્ધ આત્માનુચરણરૂપ પવિત્ર ચારિત્ર જ જાણે લોકોને પોકારીને બેધ આપી આકર્ષે છે! સેંકડો વાચાની વાણી જે બોધી નથી શકતી, તે એક જ્ઞાની મુનિનું મૌન બેધે છે પુસ્તક-પંડિતના વાગજાલરૂપ હજારે ઉપદેશ કે વાચસ્પતિઓના લાખે વ્યાખ્યાને જે બાધ નથી આપી શકતા, તેનાથી અનંતગણ સમર્થ બોધ એક સાચા સપુરુષનું શુદ્ધ સહજાત્મસ્વરૂપમય નિર્મલ આત્મચારિત્ર મૂક વાણીથી આપે છે! અને તેથી તેના પ્રત્યે કેને નૈસર્ગિક પ્રેમ પ્રવાહ પ્રવહે છે. ધર્મમાં એકાગ્ર મનઅને આવા શુદ્ધ આચારસંપન્ન, ધર્મમૂર્તિ, પરમાર્થના અવતાર સમા આ સમ્યગુદષ્ટિ યોગીપુરુષનું ચિત્ત સદાય ધર્મમાં એકાગ્ર જ હોય, એમાં પૂછવું જ શું ? ધર્મ તે રે ગદા ગામણ જાપા મrāતો રૂરિયામિયા માતાનિયા ઈ (જુઓ નિગ્રંથચર્યાના આ પરમ સુંદર હદય ગમ વર્ણન માટે શ્રી સૂત્રકૃતાંગ, કિં. શ્રુ રૂં. સૂત્ર ૭૦) Page #214 -------------------------------------------------------------------------- ________________ (પ૨૬) દષ્ટિસમુચ્ચય એના પ્રાણરૂપ જ હોય છે, જીવનરૂપ જ થઈ પડે છે, એવો અસ્થિ-મજજા પર્યત અવિહડપાકો ધર્મરંગ તેમને લાગ્યો હોય છે. આવા ધર્મમૂર્તિ યોગીન્દ્રનું જવલંત ઉદાહરણ આ રહ્યું “ધમ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિય છે. ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેને નિહાર (?) છે, ધર્મ જ જેને વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે. અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા ?” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૭. (૧૩૦) આમ આ યોગી પુરુષ ધર્મ-ધારણામાં આ પરમ દઢ ધીર હોય છે, તે તેની અત્યાર સુધીની દીર્ઘ ગસાધનાનું ફળ છે. કારણ કે આપણે પૂર્વે આગલી દૃષ્ટિએમાં પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસક્રમમાં જોયું તેમ, તેણે પ્રથમ તો મૈત્રી દીર્ઘ ચોગ. આદિ ભાવનાઓ વડે ચિત્તપરિકમથી-ચિત્તસુધારણાથી પોતાના અંત:સાધનાનું ફળ કરણને વાસિત કર્યું; પછી યમ-નિયમને સારી પેઠે અભ્યાસ કર્યો; આસનને જય કર્યો-દેહાધ્યાસ છોડી આત્મભાવમાં આસન જમાવ્યું; પ્રાણુવિક્ષેપને પરિહર્યો-આત્મભાવની સ્થિરતારૂપ ભાવ પ્રાણાયામ સાથે; ઇંદ્રિયગ્રામને વિષયોમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરી કાયાને ત્રાજુ કરી–સીધી કરી; રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ ઢંઢોને જય કર્યો, સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં અત્યંત પ્રવેશ કર્યો; અને નાભિચક્ર-નાસાગ્ર આદિ દેશમાં ચિત્તને બંધ કર્યો,-વિષયાન્તર પરિહારથી અર્થાત્ બીજે બધે વિષય છેડી દઈ ચિત્તના સ્થિરીકરણરૂપ ધારણ કરી.–આવે ધારણામાં સુસ્થિત-સમ્યફપણે વ્યવસ્થિત મહાયોગી શ્રીમદ્ પુરુષ જગજનને પ્રિય કેમ ન હોય ? તથા ધર્મમાં એકાગ્રમના કેમ ન હોય ?જ એ જ કહે છે– श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥१६४॥ | કૃત્તિ -શ્રત -શ્રતધર્મમાં, આગમમાં, મન નિયં-મન નિત્ય હોય છે,–તેની ભાવનાની ઉ૫પત્તિને લીધે. -કાય જ, મચ-આ અધિકૃત દુટિવંતની, અન્યૂર્તિ -અન્ય ચેખિતમાં, સામાન્ય એવા બીજા કાર્યમાં, અતz-આ જ કારણથી, આક્ષેપ જ્ઞાનાન્ન હેતુભૂત એવા સમ્યગુ આક્ષેપક જ્ઞાનલકી, મોળr:ભેગે, ઈદ્રિષાર્થ સંબંધે, મતવઃ-સંસારહેતુઓ, નથી હોતા. x“देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः। प्रियो भवति भूतानां धर्फकाग्रमनास्तथा ॥" – આધાર માટે જુઓ) શ્રી દ્વા. દ્વા. ૨૪-૯. Page #215 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ : જ્ઞાનાક્ષેપકવ ત-મન મહિલાનું વ્હાલા ઉપરે’ શ્રુતમે મન તસ સદા, અન્ય કા તન યોગ; એથી આક્ષેપક જ્ઞાનાઁ, ભવહેતુ નહિ ભાગ ૧૬૪ (૫૨૭ ) અ -એનુ મન નિત્યે શ્રુતધમ માં હોય છે, કાય જ અન્ય કામાં હાય છે; આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભાગે ભવહેતુ થતા નથી. વિવેચન આ પ્રસ્તુત દૃષ્ટિવાળા ચેાગીનું મન શ્રુતધમની દૃઢ ભાવનાને લીધે શ્રુતધર્માંમાંઆગમમાં હાય છે, અને એની કાયા જ સામાન્ય એવા અન્ય કાર્ટીમાં હાય છે. આ જ કારણથી આક્ષેપક જ્ઞાનને લીધે ભેગા એને ભવહેતુ–સંસારકારણ થતા નથી. ભાવના આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગ્દષ્ટિ યાગી પુરુષને આત્મધમની એવી દૃઢ ઉપજી હેાય છે, કે તેનું મન શ્રીમદ્ સત્પુરુષ સદ્ગુરુ ભગવાન પાસેથી શ્રવણ કરેલા તે શ્રુતધમ માં–આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર આક્ષેપક જ્ઞાન સંબંધી ખીજા સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તે તે આજ્ઞારૂપ-શ્રુતધર્માંમાં જ ચાંટેલું હાય છે. આ ધર્માંનું તેને કાઈ એવુ અજબ આકષ ણુ-આક્ષેપણુ હાય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તને પેાતાના ભણી આક્ષેપ-માકર્ષણ કરે છે. લેાચુંખક જેમ લેાઢાને ખેંચી રાખે છે, તેમ શ્રુતધમ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં આકર્ષનારૂ-ખેંચી રાખનારૂ જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. અને તેવું સહજ સ્વભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ ‘જ્ઞાનાક્ષેપકવ’ત’કહેવાય છે. અત્રે આ લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત ઘટે છે: મહિલાનું અર્થાત્ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સ`બધી ખીજા બધાં કામ કરતાં પણ પેાતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલુ હાય છે. તેમ જ્ઞાનાક્ષેપકવ'ત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સ`સાર સંબધી અન્ય કાર્ય" કરતાં છતાં, કે ભાગ ભાગવતાં છતાં પણ નિરંતર શ્રુતધમ'માં જ લીન હેાય છે, આસક્ત હાય છે. આ મહામુમુક્ષુનુ' મન મેાક્ષમાં અને ખેાળી' સસારમાં—એવી સ્થિતિ હાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશેલા અદ્દભુત પરમા મન મહિલાનુ વહાલા ઉપરે, બીજા કામ કરત રે; તિમ શ્રુત ધમે” મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવત રે....ધન”—શ્રી. ચા. દ. સજ્ઝાય ૬-૬ આ વચન ઉપર સૂક્ષ્મ મીમાંસન કરતાં પ્રખર તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચ'દ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું. છે કે-“ઘર સંબંધી ખીજા સમસ્ત કાય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દને અથ ) સ્રીનું મન પેાતાના પ્રિય એવા ભર્તારને વિષે લીન છે, તેમ સમ્યગ્દષ્ટિ એવા જીવનું ચિત્ત સ'સારમાં રહી સમસ્ત કા પ્રસંગે વવું પડતાં છતાં, જ્ઞાની સંખ'ધી શ્રવણ કર્યાં છે એવા જે ઉપદેશ ધર્મ તેને વિષે લીનપણે Page #216 -------------------------------------------------------------------------- ________________ (૨૮) યોગદષ્ટિસમુચ્ચય વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રી પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવ્યું છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીને પ્રેમ એ કઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યું છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યું છે. તે સ્નેહ એ પ્રધાન-પ્રધાન શા માટે ગણવામાં આવ્યું છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણીએ છીએ, કે બીજાં બધાં ઘર સંબંધી (અને બીજા પણ) કામ કરતાં છતાં, તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વરે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તે સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે. ઈચ્છાપણે, જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. તે સ્નેહ તે પતિવૃત્તારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા ગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે. તે પદ તે ભક્તિપ્રધાન છે. x x x ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે પણ દેષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અ૯૫ એવું જ્ઞાન અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા અર્થ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી બ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિષે તે ઘણું કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે).”– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૦ (૩૯૪) વળી “તેમ છતમે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે' એ પદ પર પુનઃ પરમ પરમાર્થમય તલસ્પર્શી વિવેચન કરતાં તેઓશ્રી–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે – વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોનો છે. અત્યંત સમર્થ એ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગત્માં, સંસારમાં પ્રાયે મુખ્ય એ જે પુરુષ પ્રત્યેને કલેશાદિ ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીને, તે જ પ્રેમ Page #217 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ : જ્ઞાનીને “ભાગ નહિં ભવહેત”, “ધાર તરવારની (પર૯) સપુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિમિત કરવા કહે છે. તે પુરુષદ્વારા શ્રવણ પ્રાપ્ત થયેલ છે જે ધર્મ તેમાં સવ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલે જે કામ્ય પ્રેમ તે મટાડી, મૃતધર્મરૂપ કરવાને ઉપદેશ કર્યો છે; એ કામ્ય પ્રેમથી અનંતગુણવિશિષ્ટ એવો શ્રત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે, તથાપિ દષ્ટાંત પરિસીમાં કરી શકયું નથી, જેથી દષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૧ (૩૯૫) અને બીજા લોકપ્રસિદ્ધ દષ્ટાંત પણ ઘટે છે. જેમકે–ગાય વનમાં ચારો ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તો પિતાના પરમ પ્રિય વત્સ-વાછરડામાં જ હોય છે. ચાર પાંચ સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનું બેડું માથા પર મૂકીને ઝપાટાબંધ રૂવાબભેર ચાલે છે, વાતો કરતી જાય છે, તાલી દીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તે “ગગુરિઆમાંય”—તેની ગાગરમાં જ હોય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય કૃતધર્મના જ ધ્યાનમાં લીન હોય છે. “જિન ચરને ચિત્ત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ, ચારે ચરનકે કારણે રે, ગૌઆ બનમેં જાય; ચારે ચરે ફિરે ચિહુ દિશિ, વાંકી નજર બહુરિઆ માંહ્ય વૈસે જિન ચાર પાંચ સાહેલિઆ મિલી, હિલમિલ પાની જાય; તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ માંહ્ય...સે.”—શ્રી આનંદઘનજી. “નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂર છે.”–શ્રી યશોવિજયજી. અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષને ભોગે પણ ભવહેતુ થતા નથી-સંસારકારણ બનતા નથી ! જે સાંસારિક ભેગે બીજા સામાન્ય પ્રાકૃત જનને સંસારહેતુ હોય છે, તે “ભગ નહિ ભેગો પણ આ દષ્ટિવાળા જ્ઞાની પુરુષને સંસારકારણ થતા નથી, એ વહેત’ અત્યંત આશ્ચર્યકારક પણુ પરમ સત્ય ઘટના છે. આને ખુલાસે એમ છે કે-સામાન્ય સંસારી અજ્ઞાની જીવને વિષયોનું આક્ષેપણઆકર્ષણ હોય છે, અને આ જ્ઞાની પુરુષને તે નિરંતર શ્રતધર્મનું જ આક્ષેપણ–આકર્ષણ હોય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાત્ત હેઈ, વિષયાકાર વૃત્તિને ભજતે રહી વિષયને જ ઈચ્છે છે કે તે પ્રત્યે દોડે છે. અને જ્ઞાની પુરુષ તે ઉપરમાં જોયું તેમ સદાય શ્રુત Page #218 -------------------------------------------------------------------------- ________________ (૫૩૦) યોગદૃષ્ટિસમુચ્ચય ધર્મને જ-આજ્ઞાપ્રધાન સ્વભાવ ધ°ને જ ઇચ્છે છે, એ વિષયને નહિં ઇચ્છતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધાદયથી ભાગવવા પડે તેા અલેલુપપણે-અનાસક્ત ભાવે ભાગવી નિજૅરી નાંખે છે. જ્યારે અજ્ઞાની જીવ તે. અત્યંત લેાલુપપણે-આસક્ત ભાવે ભાગવી પુનઃ ખંધાય છે. આમ જ્ઞાની—અજ્ઞાનીની વૃત્તિમાં ને દૃષ્ટિબિન્દુમાં આકાશ-પાતાલનું અંતર છે. એટલે જ લેાગને નિરંતર ઇચ્છતા એવા અજ્ઞાની ભેગ નહિં ભેાગવતાં છતાં બધાય છે ! અને ભાગને અનિચ્છતા એવા જ્ઞાની આવી પડેલ ભાગ લેાગવતાં છતાં ખંધાતા નથી! એ આશ્ચર્યકારક ઘટના સત્ય ખને છે. (જુએ પૃ. ૫૦૨-૫૦૪). કારણ કે યત્રની પૂતળીએ જેમ દારીસ'ચારથી નાચે છે, તેમ નિચ્છિ એવા જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ' પ્રારબ્ધના સૂત્રસ'ચારથી જ ચાલે છે. એટલે તે કચિત્ પૂર્વ પ્રાધાદય પ્રમાણે સાંસારિક ભાગાદિ પ્રવૃત્તિ પણ કરે, તેાપણુ જલકમલવત્ નિલેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તે માક્ષમાં જ લીન રહે છે. સસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે યાગમાયા પ્રકટ કરતા હાય, એમ જણાય છે ! અને લેાકાનુગ્રઢના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લેાકવતી જ્ઞાની યેગી પુરુષ ક્વચિત્ અપવાદવિશેષે સંસારમાં—ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભેગાદિ ભાગવતાં છતાં પણ બધાતા નથી, અને અજ્ઞાની નહિ ભાગવતાં છતાં પણ બધાય છે! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનના મહાપ્રભાવ સૂચવે છે. ભાગ ભાગવતાં છતાં પણ જ્ઞાની અંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનાસ્નેહના અભાવ એ છે. જેમ રખડુલX વ્યાયામશાળામાં કોઇ સ્નેહાભ્યક્ત-તેલ ચેપડેલા મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચાંટે છે; પણ સ્નેહાભ્યક્ત ન હોય-તેલ ચાપડેલ ન હાય, તેને સ્નેહરૂપ-તેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચાંટતી નથી; તેમ અજ્ઞાનીને સ્નેહરૂપ, આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશને લીધે ક`પરમાણુરૂપ રજ ચાંટે છે, પણ નિઃસ્નેહવીતરાગ-અનાસક્ત એવા · કારા ધાકાંડ' જ્ઞાની સભ્યષ્ટિ પુરુષને સ્નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કરજ વળગી શકતી નથી. આમ સમ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂખ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તા ખત્તા જ ખાય! ઘ્ધાર તરવારની સાઢુલી, દાઢુલી ચૌદમા જિનતણી ચરણુ ચેવા; ધાર પર નાચતા દેખ ખાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ”—શ્રી આનંદઘનજી. વિચરે પૂ પ્રયાગ ’ સ'સારમાં રહીને પણ સર્વથા નિલે પ રહેવાનુ આવું મહાપરાક્રમ તા કોઇક વિરલા અપવાદરૂપ અસાધારણુ જ્ઞાની જ કરી શકે; આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ अकरंतो उवओगे रागाइ ण लिप्पइ रयेण || " જુએ ) શ્રી સમયસાર-ગા૦ ૨૪૨-૨૪૬, <6 × एवं सम्मादिट्ठी वा बहुविहेसु जोगेसु, Page #219 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ : જ્ઞાનીનુ” લેગ-મૃગજલ સાંસરૂ પરમપદ ગમને (૫૩૧) તા સમ યાગી પુરુષા જ કરી શકે. બાહ્ય ઉપાષિ મધ્યે રહ્યા છતાં ધાર તરવારની' અખંડ આત્મસમાધિ જાળવવી એ કાંઈ જેવું તેવુ. વિકટ કાર્ય નથી, પણ · આંખ પાસે રેતી . ઉપડાવવા જેવુ. મહાવિકટ છે '—એમ પરમ અધ્યાત્મરસનિમગ્ન સમથ મહાયેગી શ્રીમદ્ રાજચ'દ્રજીએ આત્માનુભવથી યથાર્થ જ કહ્યુ' છે,—જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પટ્ટે પદે ગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મધ્યે પણુ એ મહાત્મા પરમ જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપયાગમય આત્મજાગૃતિ કેવી અપૂર્વ હતી, સ`સારસંગમાં પણ અસ'ગતા કેવી અદ્ભુત હતી. તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનેાને સ્વયં પ્રત્યક્ષ થાય છે. ‘ક્ષિપાત્રો હિં વિદ્યાર્' એ પાતજલ યાગભાષ્યનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવત જ્ઞાનીદશાની સાક્ષી પૂરે છે. આ જ અર્થ દૃષ્ટાંતને આશ્રીને કહે છે— मायाम्भस्तत्रतः पश्यन्ननु द्विग्नस्ततो द्रुतम् I तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६५॥ મૃગજલ તત્ત્વથી દેખતે, તે તા વિષ્ણુ ઉદ્વેગ; તે મચ્ચે વ્યાઘાત વિષ્ણુ, જાય જ જેમ સર્વેગ, ૧૬૫ અર્થ :-માયાજલને તત્ત્વથી દેખતે પુરુષ તેનાથી અનુદ્વિગ્નપણે તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ્ર ચાલ્યા જ જાય છે,– વિવેચન માયાજલને–મૃગજલને જે તત્ત્વથી-માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતા નથી—ગભરાતા નથી. એટલે તે તેા તેની મધ્યેથી ઝપાટાબંધ ચાલ્યેા જ જાય છે; અને તેમ કરતાં તેને વ્યાઘાત-ખાષ ઉપજતા નથી, કારણ કે માયામાયા પાણી રે જલ તત્ત્વથી વ્યાઘાત-ખાધ ઉપજાવવાને અસમથ છે. મૃગજલ-ઝાંઝવાનુ જાણી તેહને ' પાણી એ વાસ્તવિક રીતે મિથ્યા છે-ખાટુ' છે. એવા માયાજલનું તત્ત્વથી કાઇ સ્વરૂપઅસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસરૂપ હાઈ ખાટુ' જ છે, એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ—Àાભ પામતા નથી, રખેને હું આમાં વૃત્તિ:—માયામઃ-માયાજલને સવત્ત: પદ્યન્તત્ત્વથી મયાજલપણે દેખતા, અનુટ્વિનÆતો-તે મ:યાજલથી અનુદ્વિગ્ન હેઇ, દ્વૈતન્—શું શ્ર, તમધ્યેન—તે મામાંજલ મધ્યેથી, પ્રચાત્યેવ–ચાલ્યેા જ જાય છે, ચથા–જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, જ્યાઘાતર્ગત:-ધત પામ્યા વિના,–ભાષાજલના તત્ત્વથી વ્યાધ્રાતના અસમ પણાને લીધે. Page #220 -------------------------------------------------------------------------- ________________ (૫૩૨) યોગદષ્ટિસમુચ્ચય બૂડી જઈશ એમ ડરતે નથી. એટલે તે તે તે માયાજલ મધ્યેથી સસરો ઝપાટાબંધ બેધડકપણે ચાલ્યો જતાં આંચકે ખાતે નથી, નિર્ભીકપણે તેને ઉલ્લંઘીને ચાલ્યા જ જાય છે. અને તેમ કરતાં તેને કેઈ પણ વ્યાઘાત-બાધારૂપ અંતરાય ઉપજતો નથી, કંઈ પણ આલઅવલ આવતી નથી. માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ; સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ ધન ધન.” શ્રી જે. ૬. સઝાય -૮ भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ॥१६६।। ત્યમ ભેગો મૃગજલ સમા, તત્વથી જે દેખે જ; ભોગવતાંય અસંગ તે, પર પદને પામે જ. ૧૬૬ અર્થ –તેમ ભેગને સ્વરૂપથી માયાજલ સરખા દેખતે પુરુષ, ભોગવતાં છતાં, અસંગ હેઈ, પરમ પદ પ્રત્યે જાય જ છે. વિવેચન તે જ પ્રકારે ભેગેને સમારેપ સિવાય તેના સ્વરૂપે કરીને જે મૃગજલ જેવા અસાર દેખે છે, તે કર્મથી આકર્ષાઈને પરાણે આવી પડેલા ભોગોને ભેગવતાં પણ અસંગ હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે-કારણ કે અનભિગ્વગંથી-અનાસક્તિથી પરવશ ભાવ છે માટે. ભોગ અર્થાત્ ઇઢિયાર્થ સંબંધોને કોઈ પણ પ્રકારના સમાપ શિવાય તેના વસ્તુસ્વરૂપે જોઈએ તે માયાજલ સરખા-મૃગજલ જેવા મિથ્યા છે. મૃગજલ માત્ર મિથ્યાભાસરૂપ છે, વસ્તુતઃ સ્વરૂપથી તેનું કંઈ અસ્તિત્વ નથી, એટલે વિષય મૃગજલ તેમાં જલબુદ્ધિને સમારોપ કરે મિથ્યા છે, ખૂટે છે, તેના પ્રત્યે પ્રાપ્તિની આશાએ દોડવું તે પણ મિથ્યા છે, તેનાથી કંઇકાળે તૃષા છીપવાની નથી, અને તે મિથ્યા હોવાથી જ તેને ઉલ્લંઘીને ચાલ્યા જતાં–તેની મધ્યેથી સેંસરા પસાર થતાં ડૂબાતું પણ નથી. તેમ વિષયભેગ મૃગજલ જેવા છે, નિઃસાર છે. આત્મસ્વરૂપની અપેક્ષાએ તે કઈ ચીજ છે નહિં,–પરમાર્થથી આત્મસ્વરૂપને તેની સાથે વૃત્તિ –મોબાન–ભોગેન, ક્રિયાથે સંબંધને, સ્વાત. પરન-સમારોપ શિવાય સ્વરૂપથી જોતે, તવા-તેમ, માયોપમાન-માયાજલ જેવા અસાર, મુન્નાનોડજિ-કમક્ષિપ્ત -કર્મથી આકર્ષાઈને આવી પડેલા ભોગે ભેગવતાં પણ વાસ: સજ-અસંગ હઈ, વાઘેર પર પમ્ પરમ પદ પ્રત્યે જાય જ છે-અનભિળંગતાથી (અનાસક્તિથી) પરવશ ભાવને લીધે. Page #221 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ : જ્ઞાનીના અનાસકતયોગ-ત્રિકાળ વૈરાગ્ય (૫૩૩) કાંઈ લેવાદેવા નથી. એટલે એવા નિ:સાર મિથ્યા વિષયભોગમાં આત્મબુદ્ધિના સમારેાપ કરવા મિથ્યા છે-ખાટા છે; તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએદુરાશાએ દોડવુ તે પણ મિથ્યા છે, કારણ કે જે વસ્તુ પેાતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કાઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી. અને આમ તે સર્વથા નિઃસાર-મિથ્યા હેાવાથી જ તેમાં આત્મબુદ્ધિ કર્યાં વિના, અસંગ રહીને, તેની મધ્યેથી તેને ઉલ્લધીને સાંસરા ચાલ્યા જતાં પણ ડૂબાતુ નથી, એટલે વિષયેાનું આવું મૃગજલ જેવું મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણે છે, તે અસંગ-અનાસક્ત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતા નથી પણ અવશ્ય ભોગ્ય ક કવચિત્ આવી પડે તાપણ તેની મધ્યેથી સાંસા બેધડકપણે અવિષમ ભાવે પસાર થઈ જાય છે. અત્રે લોગાને ‘ મિથ્યા ' કહ્યા છે, તેને અ કેઈ સ્વરૂપાસ્તિત્વ નહાવુ એવા કરે છે તેમ નથી. પણ અત્રે મિથ્યા' શબ્દને અર્થ સ્વરૂપાસ્તિત્વ હાવા છતાં પરમાથી નિઃસાર એવા સ્પષ્ટ કર્યાં છે. જેમ મૃગજલમાં કંઇ જલરૂપ જ્ઞાનીના અના- સાર નથી, અને તેની પાછળ દોડવાથી કાંઇ વળતુ નથી; તેમ અનાત્મ સક્ત ચેાગ સ્વરૂપ ભોગેામાં કઈ આત્મતત્ત્વરૂપ સાર નથી, અને તે પ્રત્યે અનુધાવનથી–દેાડવાથી આત્માનુ કાંઈ વળતું નથી. અથવા ‘ મિથ્યા’ એટલે નિહ. હેાવાપણારૂપ અસણું નહિ, પણ ખાટાપણારૂપ અસપણું. કારણ કે આત્મતત્ત્વની અપેક્ષાએ પરવસ્તુરૂપ ભોગ અસત્ અર્થાત્ ખાટા છે, વિપર્યાસરૂપ છે. આત્મતત્ત્વને વસ્તુતઃ તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિ, છતાં તેવી અસત્-ખાટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઇષ્ટાનિષ્ટ ભાવથી મેહમૂઢ આત્મા નિષ્કારણ મુંઝાય છે ને બંધાય છે. પણ અમેાહસ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તેા તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઇષ્ટાનિષ્ટ ભાવનાના ત્યાગ કરી મુંઝાતા નથી ને અંધાતા નથી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જે ભોગેાને સ્વરૂપથી માયાજલ જેવા નિસાર ને ખાટા જાણે છે, તે જ્ઞાની પુરુષ કવચિત્ પૂર્વ કમ`ના–પ્રારબ્ધના ચેાગથી આક્ષિપ્ત-ખેચાઈને આવી પડેલા ભોગે। ભોગવતાં છતાં પણ અસંગ હાઇ, પરમપદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભોગપકની મધ્યે પણ કદી ખરડાતા નથી–લેપાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, માહમલથી અસ્પશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનું નામ જ ગીતામાં કહેલે અનાસક્ત ચાગ છે. (6 ભોગ પક ત્યજી ઉપર બેઠા, પ’કજ પરે જે ન્યારા; સિંહુ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા, ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે. ”—સા, ત્ર. ગા. ત. આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસક્તિ-અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એમ છે કે-તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિર'તર ભાવે છે કે-આ Page #222 -------------------------------------------------------------------------- ________________ (૫૩૪) ગદષ્ટિસમુચ્ચય પરવતુમાં પરમાણુ માત્ર પણ હારું નથી. હું તે એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય ચૈતન્યસ્વરૂપી અરૂપી આત્મા છું. આ સમસ્ત પરવસ્તુની સાથે મહારે કંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મેહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલ કર્મબંધથી બંધાયો છું, તે આ કમપુદ્ગલે પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે, તે ભલે પોતાનું લેણું લઈ લઈ મને ઝટ ઋણમુક્ત કરે ! બાકી “હુતે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે મહારી નથી કે હું હેને નથી.” હું તે હું છું, તે તે તે છે. હારૂં તે મ્હારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! હારૂં છે તે હારી પાસે છે, બાકી બીજું બધું ય અનેરું છે, માટે આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારું મારું શું કરે છે? આત્માને હુંકાર કરી એ હુંકાર તું તોડી નાંખ. ‘મારું 'ને મારું એમ નિશ્ચય કર. આવી પરમ ઉદાસીન વૃત્તિવાળી અખંડ આત્મભાવનાના મહાપ્રભાવને લીધે જ જ્ઞાની પુરુષ પરવસ્તુના ભાગ મળે રહ્યા છતાં પણ ભોગથી લિપ્ત થતા નથી, પરંતુ કાજળની કેટડીમાં પણ અસંગ રહી, ડાઘ લાગવા દીધા વિના ભોગકર્મને ભોગવી જ્ઞાનીને ત્રિકાલ નિર્જરી નાંખે છે, પણ બંધાતા નથી ! એ પરમ આશ્ચર્ય છે. પરમ વૈરાગ્ય જ્ઞાની તીર્થકર ભગવાનના ભોગાવલી કર્મના ભોગવટાનું આ જ પરમ રહસ્ય છે. આજન્મ પરમ વૈરાગી એવા તીર્થકર દેવને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહવાસમાં સ્થિતિ કરવાનો પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મ માં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ પુરુષ ભોગકર્મને ભેગવતાં છતાં પણ બંધાતા નથી,-ઉલટા તે ભોગાવલી કમ ભોગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે. આ વાત શાશ્વપ્રસિદ્ધ છે. (જુએ, પૃ. ૨૭૩-૨૭૪) એ જ પ્રકારે કેઈ અપવાદરૂપ સમર્થ જ્ઞાની વિશેષને પૂર્વ પ્રારબ્ધના યોગથી. ખરેખરા અંત:કરણથી અનિચ્છતાં છતાં, સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડે, તે તે પરમ સમર્થ યેગી અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં આવા જ્ઞાની પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ અપવાદરૂપ કરે છે; અને ધાર તરવારની સેહલી-દેહલી ચૌદમાં જિન તણું ચરણસેવા”ની જેમ, સંસાર ઉપાધિ મળે સ્થિત છતાં પરમ આત્મસમાધિ જાળવી, શુદ્ધ આત્માનુચરણમય ચારિત્રની બેધારી તલવાર પર ચાલવાનું અદ્દભુત બાજીગરપણું દાખવી, પિતે સાધેલા પરમ અદ્દભુત આત્મસામર્થ્યોગને પર બતાવે છે અને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. પણ આવા અપવાદરૂપ ગીઓ તે કઈક વિરલા જ હોય છે, કારણ કે ત્યાગ અવસ્થામાં આત્મસમાધિ જાળવવી દુષ્કર છતાં સુકર x“अहमेदं एदमहं अहमेदरसेव होमि मम एदम् । अण्णं जं परदव्वं सञ्चित्ताचित्तमिस्सं वा ॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो । શ્રી સમયસાર ગા. ૨૦-૨૨, (આના અદ્દભુત પરમાર્થ માટે જુઓ શ્રીઅમૃતચંદ્રાચાર્યજીની ટીકા) Page #223 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ : આવા જ્ઞાની અપવાદરૂપ,-બીજાનુ' ગજું નથી. (૧૩૫) સાહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તેા દુષ્કર દુષ્કર ને દાહલી છે. ચાખ્ખા એરડામાં ડાઘ ન લાગે એ દેખીતુ છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણુ ડાઘ ન લાગવા દેવા, એ કાંઇ જેવા તેવા પુરુષા કૌશલ્યનુ કામ નથી. પણ પુન: કહેવાનુ કે આવા અપવાદરૂપ પરમ ચૈાગીએ તે કોઈક વિરલા જ હાય છે. આનું જવલંત ઉદાહરણ વમાનમાં પરમ ચેાગસિદ્ધિસ’પન્ન શ્રીમદ્ રાજચ'દ્રજીના જીવનચરિત્રમાંથી મળી આવે છે. અનિચ્છતાં છતાં પૂર્વ પ્રારüાયથી પરાણે સંસારઉપાધિ મધ્યે રહીને પણ, તેમણે કેવી અખંડ આત્મસમાધિદશા જાળવી છે, તે તેમના વચનામૃતમાં ડોકિયું કરતાં કોઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દનીએમાં પણ જનક વિદેહી–શ્રી કૃષ્ણ આદિના દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુઘટ કાયર તા કોઇ વિશિષ્ટ સામર્થ્યના સ્વામી એવા સિદ્ધહસ્ત ચેાગારૂઢ પુરુષા જ કરી શકે. બાકી ખીજા સામાન્ય પ્રાકૃત જનેા, કે સામાન્ય કેટિના ચેાગીજના કે ચેાગપ્રારભક આરાહક સાધકા, તેનુ... જો આંધળું અનુકરણ કરવા જવાની ધૃષ્ટતા કરે, તા તેનું તેા અધઃપતન થવાનું જ નિર્માણ થયેલું છે, કારણ કે તેમ કરવાનું તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સ'સારપ્રસ`ગમાં રહી કેવળ અસ'ગ રહેવાને અખતરા સામાન્ય પ્રાકૃત જનેા અજમાવવા જાય તેા તે પ્રાયે નિષ્ફળ થવાને જ સજા યેલે છે, એટલું જ નહિં પણ તેને ઉલટા મહાઅનથકારક થઇ પડવાને પ્રત્યેક સ×ભવ છે. હાલમાં સ્વચ્છંદ મતિકલ્પનાએ અધ્યાત્મશાસ્ત્રા વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત ચેાગની દાંભિક વાતા કરનારા અને ખાટા ફાંકા રાખનારા ઘણા જના દૃષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવા ક્ષણવાર જો પેાતાને દ.ભ અને ફાંકેા છેડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તે તેઓને આ ઉપરથી ઘણા ધડા લેવાનુ પ્રાપ્ત થાય એમ છે. કારણ કે છઠ્ઠી દૃષ્ટિ જેટલી ઉંચી પરિપકવ ચેાગદશાને પામેલા જ્ઞાનાક્ષેપવ'ત ચેાગીવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યાગ્યતાવિહીન જને કેમ કરી શકે? જેને હજુ એકડા પણ આવડતા નથી એવા ખાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારગત પતિને કેમ પહેાંચી શકે? મેટા માણસના જોડામાં જેમ ન્હાનાના પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્યા ન જ કરી શકે, અને ચેાગ્યતા વિના કરવા જાય તે ઉલટુ' અહિતકારક જ થઇ પડે. શ્રી નરસિંહ મહેતાને કહેવુ પડયું છે કે— બીજાનું ગજું નથી અમારૂ' ગાયુ' ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે; જે સમજીને ગાશે, તે વ્હેલાં વૈકુઠ જાશે. ’’ માટે સાંકડી કેડી–એકપદીમાંથી તે કૈાઇ વિરલ મનુષ્ય જ જઇ શકે છે ને રાજમાગે 66 Page #224 -------------------------------------------------------------------------- ________________ (૫૩૬) ગદષ્ટિસમુચ્ચય તે સહુ કોઈ જઈ શકે છે, એમ જાણી, લેગ મળે પણ નિલેપ રહેવારૂપ એકપદી પર ચાલવાનું દુર્ઘટ કાર્ય કઈ વિશિષ્ટ જ્ઞાની વિશેષને માટે રહેવા દઈ, ઈતર જનેએ તો વિધ્યત્યાગરૂપ રાજમાર્ગે જ ચાલવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા એગ્ય છે, એ જ અત્ર તાત્પર્ય છે. (જુઓ, અધ્યાત્મસાર ). એટલે જ્ઞાની પુરુષના અધ્યાત્મ વચને વાંચી પિતાની તથારૂપ આત્મદશા થયા વિના, પોતાની તેવી દશા કલ્પી લઈ, જે શુષ્ક જ્ઞાનીઓ સંસારમાં રહીને ભેગ ભોગવતાં છતાં નિષ્કામપણું ભજવાનો ખોટો ડોળ-દંભ કરે છે, તે અજ્ઞાનીઓ દંભી અજ્ઞાનીને ખરેખર ! આત્મવંચના જ કરે છે, અને યોગ-અધ્યાત્મની હાંસી-વિડં. કરણ ફેજ ! બના જ માત્ર કરે છે! કારણ કે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને ( નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિ પણ તેનું ઘર અધઃપતન કરે છે. માટે ખરેખર જે નિષ્કામપણું ભજવું જ હોય તો તેવા બાહ્ય નિમિત્ત પ્રસંગને પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. સંસારપ્રસંગમાં પણ અસંગ રહી નિષ્કામવૃત્તિ અખંડપણે જાળવનારા પરમ પુરુષ તે અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક બેગ પ્રસંગને જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાર્ગ છે. આ અનાસક્ત ગ તો કોઈક વિરલા પરમ ગસિદ્ધ પુરુષે જ સાધી શકે છે. બાકી તથારૂપ યોગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તે બિચારા ખત્તા જ ખાય છે, ત્યાહ ઉપજાવનારા બાહ્ય નિમિત્તે તેને સસ્વરૂપથી ભ્રષ્ટ કરે છે–પાડી નાંખે છે, અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે મેગીને બદલે “ભેગી’ બને છે ! એટલા માટે જ જ્ઞાની પુરુષોએ વિષયલેગ સાધનને પતનસ્થાન જાણી બાહ્ય સંગનો પણ સર્વથા નિષેધ કર્યો છે, તે સહેતુક છે. પરમાણુ માત્ર પણ પરવસ્તુને લેશ પણ સંગ કરવા ગ્ય નથી, એ એમને નિરંતર ઉપદેશ છે. અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યોગ સાધવા પ્રવર્તાવાની ચેષ્ટા કરનારને ચેતવણીરૂપ “લાલબત્તી’ તેઓએ આગળ ધરી છે. જેમકે હે જ્ઞાની! કદી પણ કંઈ કર્મX કરવું ઉચિત નથી. તથાપિ જે તું એમ કહે કે હું તે ભોગવું છું, પણ પરદ્રવ્ય કદી હારૂં નથી,” તે અરે! તું દુર્ભક્ત જ છે, અર્થાત્ જે હારૂં નથી તે તું ભગવે છે, એટલે તું દુષ્ટ ભેગવનાર છે અને જે તે કહે કે “ઉપભોગથી બંધ નથી, કારણ કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ નથી એમ x “ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते, भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बंधः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाधुध्रुवम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી સમયસારકલશ, Page #225 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિ : “મન ગુણ અવગુણ ખેત', બલીયસી ધમશક્તિ (૫૩૭) શાસ્ત્રમાં કહ્યું છે,' તે શું આ હારી ગપ્રવૃત્તિ કામચાર છે-ઈચ્છા પ્રવૃત્તિ છે? અને એમ છે તે શું બંધ નથી ? માટે હે જ્ઞાની ! તું જ્ઞાનરૂપ થઈને વસ, નહિં તે ચોક્કસ હારા પિતાના અપરાધથી તું બંધને પામીશ. તેમજ-કર્મનયના અવલંબનમાં પરાયણક્રિયામાં રચ્યાપચ્યા રહેનારા એવા ક્રિયાજડ જે જ્ઞાનને નથી જાણતા તે મગ્ન છે, સંસારસમુદ્રમાં ડૂબી ગયેલા છે. જ્ઞાનનયને ઇચ્છનારાઓ પણ જે સ્વચ્છેદથી મંદ ઉધ્યમવાળા છે તે પણ મગ્ન છે, સંસારસાગરમાં ડૂબેલા જ છે. વિશ્વ ઉપર તે તે તરે છે, કે જે સતત સ્વયં જ્ઞાન થઈ-જ્ઞાનરૂપે પરિણમી કર્મ કદી પણ કરતા નથી, અને કદી પણ પ્રમાદને વશ થતા નથી. ' વળી અત્રે જ્ઞાનાક્ષેપકવંત કવચિત્ ભાગ ભોગવતાં છતાં પણ અસંગ હોઈ નિર્લેપ રહી શકે છે એમ કહ્યું, તે તેની અભુત ગસિદ્ધિનું સામર્થ્ય સૂચવવા માટે કહ્યું છે, તે ભેગ ભેગવે જ એમ કહેવા માટે કહ્યું નથી, પણ કવચિત જ્ઞાની ભેગી કોઈ યોગીવિશેષને પૂર્વ પ્રારબ્ધોદયથી તેવી સંભાવનાની અપેક્ષા લક્ષમાં છતાં અભેગી ! રાખી, તેનું અસાધારણ અતિશયવંત દઢયેગીપણું દર્શાવવા માટે કહ્યું છે. કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ વિષયને પર પદાર્થ જાણે છે, તેમાં આત્મભાવ કરતા નથી, તે પિતાના નથી જ એમ દઢ આત્મપ્રતીતિથી માને છે. અને તેમાં સ્વપ્નાંતરે પણ પરમાણુ માત્ર પણ આસક્તિ રાખતા નથી. એટલે સુક્કો ગોળો જેમ ભીંતને લાગતું નથી, તેમ ખરેખરા અનાસક્ત જ્ઞાની પુરુષ વિષયોથી બંધાતા નથી, કેવળ અલિપ્ત જ રહે છે. પૂર્વ પ્રારબ્ધોદયથી કદાચને ભોગ ભોગવવું પડે, તે પણ તેમાં સર્વથા અસંગપણાને લીધે જ્ઞાની લપાતા નથી, એવી અપૂર્વ ઉપગજાગૃતિ રાખે છે. આ ખરેખર ! તેઓના જ્ઞાનનું જ સામર્થ્ય અથવા વૈરાગ્યનું જ સામર્થ્ય છે. તેમજ– વિષયો જે છે તે પિતે તેના સ્વરૂપથી ગુણરૂપ પણ નથી કે દેષરૂપ મન ગુણ પણ નથી. એટલે “વિષયોને બંધ ઉત્પાદનમાં નિયમ નથી; અજ્ઞાનીને અવગુણ ખેત તેથી બંધ થાય છે, જ્ઞાનીને કદી થતો નથી. જે સેવતાં કદી જેની અશુદ્ધિ થાય છે, તેનાથી જ તેની કદાચિત્ શુદ્ધિ થાય છે, એમ શાસ્ત્રવચન છે.” (જુઓ અધ્યાત્મસાર) પણ તે વિષયના નિમિત્તે જે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ઉપજે છે, તે જ બંધનું કારણ છે. તેથી મન જ ગુણ-અવગુણનું ક્ષેત્ર છે, ઉત્પત્તિસ્થાન છે. મન ga મનુષ્યાળાં જાઉં વંધમોક્ષયો ” અને વીતરાગ જ્ઞાની પુરુષને તે એ પરમ વૈરાગ્ય વર્તે છે કે તેને વિષયોમાં લેશમાત્ર પણ ઈચ્છાનિષ્ણ બુદ્ધિ હોતી જ નથી, નિમૂળ જ + “મના શર્મનાવટ-વનપા જ્ઞાનં નાનંતિ રે, मग्नाः ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदोद्यमाः । विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंत: स्वयं, જે કુત્તિ જ ગાતુ ન વ યાંતિ કમાય -શ્રી સમયસાર કલશ , Page #226 -------------------------------------------------------------------------- ________________ (૫૩૮) યોગદૃષ્ટિસમુચ્ચય થયેલી હાય છે, એટલે પૂર્વ ક`વશાત્ કવચિત્ વિષયા ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભોગના ગુણુ–દેાષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર,”—શ્રી યશેાવિજયજી, એવા જ્ઞાને રે વિધન નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણુ દેષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણુ ખેત....ધન” —શ્રી ચા.સજ્ઝાય ૬-૭ આમ જે ભાગસાગરમાં ભોગી ડૂબી મરે છે, તેને સમથ યાગી શીઘ્ર તરી જાય છે! જે ભોગથી ખીજાના ભાગ મરે છે, તે ભોગ પણુ આવા ઉત્તમ ચેાગીને ચેાગમાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણ કે આ કાંતા દૃષ્ટિમાં કર્માક્ષિક્ષપણાથી ભોગશક્તિ નિલ હાય છે; તે નિરંતર સ્વરસથી પ્રવર્ત્તતી એવી ખલીયસી ધર્મ શક્તિને હણુતી નથી,—દીપને જે વાયરા બૂઝાવી નાંખે છે, તે પ્રજ્વલિત એવા દાવાનલને ખૂઋાવી શકતા નથી,' પણુ ઉલટા તેને સહાયતા કરે છે; તેમ અત્રે ભોગવ્યા વિના છૂટકે। જ નથી એવા કમના ક્ષય થતા હેાવાથી બળવાન ધર્મશક્તિને ભોગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિમાઁળપણાને લીધે તેના વિરોધ કરતી નથી. હાથીને મગતરૂં શું કરી શકે ? મહામલ્લને નિખ`લ માલક શું કરી શકે? જો કે સ્થિરા દૃષ્ટિમાં પણ જ્ઞાનીની તાકાત એટલી બધી હેાય છે કે તેને ભોગે। કાંઈ કરી શકે એમ નથી, તાપણુ ત્યારે હજુ કંઈક અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરતુ આ કાંતા દૃષ્ટિમાં તે ધારા નાની ગૃહસ્થ વડે કરીને જ્ઞાનનું એવું પરમ મળવાનપણું થયું હેાય છે, કે તે ભોગે પણ ભાવસાર્યુ પણ લેશ પણ પ્રમાદ ઉપાવી શકતા નથી ! અર્થાત્ ભોગ મધ્યે પણ તેવા વિશિષ્ટ જ્ઞાની સ્વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતા નથી, સ્વરૂપસ્થિત અપ્રમત્ત જ રહે છે, એવા તે બળવાન સામર્થ્ય સપન્ન હેાય છે. આવે! અપ્રમત્ત ગૃહસ્થ ચેાગી પણ ભાવસાધુ જ છે. અને આમ હાવાથી અત્રસ્થિત અસ`ગ જ્ઞાની યાગીપુરુષ નિર્વિઘ્ને નિર્માધપણે પરમ પદ પ્રત્યે અખંડ પ્રયાણ કરતા આગળ વધે જ છે. “તે એ દૃષ્ટિ ૨ ભવસાગર તરે, લહે મુનિ સુયશ સયેાગ.”—યા. સજ્ઝાય. ⭑ भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥ १६७॥ વૃત્તિ:—મોહતત્ત્વસ્થ તુ—ભાગતત્ત્વને તે।, ભેગપરમારૢ તા, અર્થાત્ ભાગ જેને મન પરમાથ છે એવાને, પુનઃ–પુન:, મૈં મોધિ નમ્-ભવાદધિનું લંધન નથી, ભવસાગર ઉલ્લંધાતા નથી,—તેવા પ્રકારની બુદ્ધિથકી તેના ઉપાયમાં અપ્રવૃત્તિને લીધે, અને એ જ કહે છે-મોદઢાવેશ:-માયાજલમાં જેતે દૃઢ આવેશ છે એવા –તેવા પ્રકારના વિપર્યાસને લીધે, જેને મૃગજલમાં દૃઢ અભિનિવેશ છે એવા, તેન થાતી, : પથા– કાણુ અહીં તે પંથે-માગે જાય, કે જમાં માયામાં જલબુદ્ધિ છે. x " धर्मशक्ति न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् । દૈન્તિ રીયાપદો વાયુર્વ્યન્ત ન વાનસ્ટમ ।।”—શોકૃત દ્વાર દ્વા. ૨૪-૧૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ કતા દષ્ટિ ભગતત્વ ભવાબ્ધિ ન તરે, વિષય મૃગજa (૫૩૯) ભગતત્વને ભવાબ્ધિનું, લંઘન તે ન જ થાય; મૃગજલ દઢાવેશ છે, તે માર્ગે કુણ જાય? ૧૬૭ અર્થ-પણ જેને મન ભેગ એ તત્વ છે, એવાને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. જેને મૃગજલમાં દઢ આવેશ છે, એ કેણ અહીં તે માગે –કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે ત્યાં–જાય? વિવેચન “સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડેલ...ધન ધન ગતરવને રે એ ભય નવિ ટળે” –શ્રી જે. દ. સક્ઝાય. પણ ભેગને જે તત્વરૂપ-પરમાર્થરૂપ માને છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેવા પ્રકારના વિપર્યાસને લીધે, માયાજલમાં જેને દઢ અભિનિવેશ છે એવો કોણ અહીં-જ્યાં માયામાં જલબુદ્ધિ છે એવા તે માર્ગે જાય? ભેગ જેને મન તત્વરૂપ છે, પરમાર્થરૂપ લાગે છે, સાચા ભાસે છે, એ ભોગતત્વ પુરુષ કદી ભવસમુદ્ર ઓળંગી શકતું નથી. કારણ કે તેવી મિથ્યાભાસરૂપ બુદ્ધિને લીધે તે તેના ઉલ્લંઘનના ઉપાયમાં પ્રવર્તતું નથી. અને તેનું કારણ પણ ભેગતત્વ એમ છે કે જેને માયાજલમાં દૃઢ આવેશ-ગાઢ અભિનિવેશ હોય, ભવાબ્ધિનતરે તે તે માગે કેવી રીતે જાય? વિપસને લીધે તેને સાચું જાણત હોય તે તેને ઉલ્લઘી જવાની હામ કેમ ભીડે? એટલે રખેને હું ડૂબી જઈશ એમ ડરતે રહી, ડામાડોળ બની, તે માયાજલને ઓળંગી જવાનો પુરુષાર્થ કરતું નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતે નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતું નથી, તેને નિઃસાર અસત્ય જાણી તેની સેંસર નિર્ભયપણે પસાર થઈ જતો નથી, પણ તેમાં જ નિમગ્ન બની ડૂબી જાય છે, ગુંચી જાય છે, પચ્યો રહે છે. અત્રે વિષયને જે મૃગજલની-ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે અત્યંત યુક્ત છે. કારણ કે ગ્રીષ્મમાં દૂર દૂર ક્ષિતિજમાં-જ્યાં પૃથ્વી ને આકાશ મળતા દેખાય છે ત્યાં દષ્ટિમર્યાદાના છેડે જલને આભાસ થાય છે, તેને મૃગવિષય મૃગજલ જલ કહે છે. તે જલ કઈ વસ્તુતઃ છે જ નહિં, પણ દષ્ટિવિભ્રમથી વિપર્યાસ (Illusion of vision) તેને આભાસ માત્ર થાય છે. એવા તે મૃગજલને સાચું જ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે Page #228 -------------------------------------------------------------------------- ________________ (૫૪૦) યોગદષ્ટિસમુચય પ્રત્યે દોડે છે, પણ તે મિથ્યા જલ તે જાણે હાથતાદ્વી દઈને આવું ને આવું ભાગતું જ જાય છે! કાંઈ હાથમાં આવતું નથી, અને દેડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણા છીપવાને બદલે ઉલટી વધતી જાય છે ! તેમ જડ એવા વિષયપદાર્થ અને ચેતન એવા આત્માને સંબંધ થવો અસંભવિત છે, તથાપિ વિપર્યાસરૂપ દષ્ટિવિભ્રમથી (Illusion and Delusion) તે જડપદાર્થમાં આત્મબુદ્ધિના સમારોપથી તે સંબંધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાના પાણીને સાચું માનીને, વિષયતષ્ણાથી આકુલ બનેલે મહમૂઢ જીવરૂ૫ મૃગ તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દેડે છે, તે ઝાંઝવાના પાણીને માટે ખૂબ ઝાંવાં નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તે લાંબેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હોય, એમ દૂર ને દૂર ભાગતું જ જાય છે! અને આ નિષ્ફળ વિષયાનુવાવનથી ભવભ્રમણુજન્ય ખેદને લીધે, પથ સમા વિષયપિપાસુ જીવની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે, અને તેથી મહા ભવભ્રમણ દુઃખ સહવું પડે છે. - આ વિપર્યાસ જ સર્વ દુઃખનું મૂળ છે. તે જ જીવને ઉંધા પાટા બંધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં બુદ્ધિનો વિશ્વમ કરાવે છે. આ અનાદિ અવિદ્યારૂપ વિપર્યાસથી ભોગસાધનરૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, આપ આપકું દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેહાદિરૂપ છું એવી મિયામતિ ભૂલ ગયા !” ઉદ્ભવે છે. એટલે પછી સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલ આત્મા ઇંદ્રિયદ્વારથી પ્રવર્તતે રહી વિષયમાં પડી જાય છે, અને તે વિષયને પામીને પોતે પિતાને તત્ત્વથી જાણતું નથી, પોતે પોતાને ભૂલી જાય છે! શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે “આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર?” એના જેવી મહાહાસ્યાસ્પદ વાર્તા બને છે ! “હું ડી નિજ રૂપ, રમ્ય પર પુદ્ગલે, ઝી ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે.–શ્રી દેવચંદ્રજી વિચારની ઉત્પત્તિ થયા પછી વદ્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સબંધનાં વદ્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય જીવની ભૂલ જોતાં તે અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, Page #229 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિ વિષયને ભિખારી નિપુણ્ય ક (૫૪) કે જે ભૂલને વિચાર કર્યાથી સર્વે ભૂલને વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સેવે ભૂલ મટે છે. કઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઈ છે, પણ તે કર્તાવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. ”શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૩. (૫૦૦) આ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવતુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાય છે, “આપ આપકું ભૂલી ગયા !' એ જ મોટામાં મોટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલની પરંપરા નીપજે છે, તે વિષયનો એટલી હદ સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર ભિખારી બની જાય છે. પંચ ઇંદ્રિયના વિષયોમાં તે એટલે બધે તન્મય થઈ નિપુણ્યક રંક જાય છે કે તે પિતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઈ, વિષયમાં જ | સર્વસ્વ માની તેની ગષણમાં અહોનિશ મંડ્યો રહે છે ! અને વિષયતૃષ્ણાથી આ ને તપ્ત બની નિરંતર દુઃખ અનુભવે છે, છતાં તે વિષયોને કી વિષયોનો કેડો મૂકતે નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આ તે વિષયખુભુક્ષુ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિદ્ધર્ષિએ અનુપમ શૈલીથી તાદશ્ય વર્ણવેલા તે નિપુણ્યક રંકના જેવું સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઈ રાતદિવસ વિષયકદન્નની ભિક્ષાર્થે ભમે છે ! જેમકે “ આ જીવ આ સંસારનગરમાં અપરાપર જન્મ લક્ષણરૂપ ઊચા-નીચા ગૃહમાં વિષય-કદનના આશાપાશને વશ થઈ અવિરામપણે ભમ્યા કરે છે. “ક્ષુધાથી જસ દુર્બલ દેહ, ગૃહે ગૃહે ભિક્ષાથે તેહ કરમાંહિ ગ્રહોને ઘટપાત્ર, નિન્દાતે ભમતે દિનરાત્ર. સર્વાગી મહાઘાત ઉતાપ, તિહાં અનુગત ચેતન આપ; ય માડી! રે કરજો ત્રાણુ!' પોકારે એવી દીન વાણ. જવર કુછ ઉન્માદ સંયુક્ત, શૂલપીડિત ને પામી યુક્ત; સર્વ રોગને તેહ નિવાસ, વેદનાવેગે વિહલ ખાસ. પામીશ ભિક્ષા તે તે ગેહ, ઈત્યાદિક ચિંતવત એહ; વિકલ્પાકુલ મનમાં થાય, રૌદ્રધ્યાન ભરતે જાય. સંતને કરુણનું સ્થાન, માનીએાને હાસ્ય નિદાન બાલને કીડન આવાસ, ઉદાહરણ પાપીને ખાસ.” -શ્રી ઉ. ભ. પ્ર. કથા, પ્ર. ૧ (ડે. ભગવાનદાસકૃત સપઘમઘ અનુવાદ) “સંસારને વિષે અહોનિશ પર્યટન કરતા આ જીવના જે આ શબ્દાદિ વિષય અને જે આ બંધુવર્ગ-ધન-સુવર્ણાદિ, અને જે કીડ-વિકથા આદિ અન્ય પણ સંસાર Page #230 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય કારણ હાય, તે ગૃદ્ધિહેતુપણાથી રાગાદિ ભાવાગેાના કારણપણાને લઈને વિષય કદન્નના અને કસંચયરૂપ મહા અજીના નિમિત્તપણાને લઈને કંદન્ત જાણુવા મનાથ ચેાગ્ય છે.' ઉ. ભ. પ્ર. કથા ) એવી તે કદન્નરૂપ ભિક્ષા ભક્ષણ કરવા ઈચ્છતે। આ જીવ નાના પ્રકારના વિષય સંબધી મનેરથા કરે છે,યાત્ તે ચક્રવર્તીપણાના મનેરથ પણ કરે છે. અને આ ચક્રવત્તી પણુ ભગવાન્ તુસાધુઓને ક્ષુદ્ર રંક જેવા પ્રતિભાસે છે, તેા પછી શેષ અવસ્થાએનું તા પૂછવું જ શું?' “ અને આવા કદન્ત જેવા આ ધન-વિષય-કલત્રાદિથી પૂરાઈ રહ્યા છતાં આ જીવને અભિલાષાના વિચ્છેદ થતા નથી, એટલુ જ નહિં પણ તેની તૃષા વિશેષ ગાઢપણે અભિવૃદ્ધિ પામે છે. કારણ કે જેમ ગાઢ ગ્રીષ્મમાં દદાહથી તાપ પામેલ શરીરવાળા, પિપાસાથી–તરસથી અભિભૂત ચેતનાવાળા, મૂર્છાથી ઢળી પડેલા એવા કેાઈ પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં, પ્રશ્નલ કલ્લેાલમાલાથી આકુલ એવા ઘણા ઘણા મહા જલાશયસમૂહ પીતાં પણ જરાય તૃષાની ન્યૂનતા ઉપજાવતા નથી; તેમ આ જીવને પણ આ વિષયાદિ વર્તે છે. તે આ પ્રકારે:-અનાદિ સંસારમાં પરાવર્ત્તન કરી રહેલા આ જીવે પૂર્વે દેવભાને વિષે અન તીવાર નિરુપચરિત એવા શબ્દાદિ ભેાગા પ્રાપ્ત કરેલા છે, અનંત અમૂલ્ય રત્નરાશિએ મેળવેલા છે, રતિના વિભ્રમાને ખંડિત કરે એવા વિલાસિનીવૃંદો સાથે વિલાસ કરેલા છે, ત્રિભુવનાતિશાયિની નાના પ્રકારની ક્રીડાએથી ક્રીડન કરેલું છે. તથાપિ જાણે મહાબુભુક્ષાથી-ભૂખથી કૃશ ઉદરવાળા હાય એમ આ જીવ શેષ દિનના ભુક્ત વૃત્તાંતને કાંઈ પણ જાણતા નથી ! ! કેવલ તેના અભિલાષથી શાષાય છે ! ! ! –તેથી તૃપ્તિ ન તેને થાય, પણ બુભુક્ષા વધતી જાય !'' —શ્રી . ભ. પ્ર. કથા (ડા, ભગવાનદાસ મ, મહેતાકૃત અનુવાદ) આવી કદન્તરૂપ આ વિષય મૃગતૃષ્ણાની પાછળ દોડવાથી આ જીવને આ બધી અન પર’પરા સાંપડે છે, અને તેને ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયાજાલરૂપ તે માયાજલમાં તેને ગાઢ અભિનિવેશ-મિથ્યા આગ્રહ છે, એટલે તે તેને ઉલ્લધી જવાની હામ ભીડતા નથી, અને જ્યાં છે ત્યાંને ત્યાં એટલે કે વિષય-કાદવમાં ડુક્કરની જેમ પડયો રહે છે!! ( ૫૪૨) स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥१६८॥ વૃત્તિ:-સ:-તે, માયામાં જેને જલને દૃઢ આવેશ છે તે, તન્ત્રણ-ત્યાં જ, પથમાં, ભાગ'માં મોટ્ટુનઃભવાદ્વિગ્ન હોઇ, ચથા–જેમ, એ ઉદાત્તરણના ઉપન્યાસ અથે` છે, તિષ્ઠત્યસંરચન્—નિ:સંશય સ્થિતિ જ કરે છે,-જલબુદ્ધિના સમાવેશથો, મોમા વૈવિ ફ્રિ-જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાંમાં પણુ, તથા-તેમ અસ’શય સ્થિતિ કરે છે, મોશનમ્યાોતિઃ–ભાગજ ખાલથી—ભાગનિબંધન દેડાહિ પ્રપંચથી માહિત એવા તે એમ અથ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ : ભવમાં સ્થિતિ, બહિરત્મા-દેહમાં આત્મબુદ્ધિ (૫૪૩) ત્યાં જ નિ:શંક સ્થિતિ કરે, ભદ્વિગ્ન તે જેમ; ગજબાલે મોહિયે, મોક્ષપથે પણ તેમ. ૧૬૮ અર્થ –તે જેમ ત્યાં જમાર્ગમાં, ભદ્વિગ્ન હોઈ, નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ ભેગબાલથી મહિત એ તે સ્થિતિ કરે છે. વિવેચન માયાજલમાં જેને જલને દઢ અભિનિવેશ છે, એ તે ભેગતત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભદ્વિગ્ન રહી, ત્યાં જ માર્ગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ ભોગના કારણરૂપ દેહાદિ પ્રપંચથી માહિત એવો તે નિ:સંશય “સ્થિતિ’ કરે છે. આનો આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિને અભિનિવેશ છે, એવો ભગતવ પુરુષ, આ જલ સાચું છે–ખરેખરૂં છે, એવા બાંધી લીધેલા પૂર્વગ્રહરૂપ - મિથ્યાભાવને લીધે, સંસારથી ઉદ્વેગ-દુખ પામતે રહી, ત્યાં જ માર્ગમાં ભવમાં સ્થિતિ: સ્થિતિ કરે છે, પણ આમાં કાંઈ સાર નથી એમ જાણી તે સંસાર મેક્ષમાગે સાગરને ઓળંગી જવા આગળ વધતું નથી, પુરુષાર્થ કરતું નથી, પણ “સ્થિતિ” એટલે તે ભેગમાં જ સ્થિતિ કરે છે, ભોગમાં રો-પચ્ચે રહે છે. તેમજ ભેગકારણરૂપ દેહાદિ પ્રપંચથી મેહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાગમાં પણ “સ્થિતિ” કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંને ત્યાં અટકી રહે છે–થેભી રહે છે, પડ્યો રહે છે, પણ આગળ વધતું નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાર્ગમાં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ સ્થિતિ' કરે છે. અર્થાત્ તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મોક્ષમાર્ગે આગળ વધતા નથી. તે આ પ્રકારે – આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપઅજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પરપદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેહાદિ પરવસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી બહિરાત્માઃ બધી સજજડ થઈ ગઈ છે. એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઈ છે કે દેહમાં “દેહાદિ તે જ હુ” એવી વિપર્યાસ બુદ્ધિ-વિપરીત મતિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના દીર્ઘકાલના સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે ! આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરાક્ષુખ એ આ બહિરાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિયદ્વારાથી કુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ (૫૪૪) ગદષ્ટિસમુચય રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલા આત્માને દેવ માને છે, અને નારક દેહમાં રહેલા આત્માને તે નારક માને છે, પણ તત્વથી હું પોતે તેવો નથી, તે તે દેહપર્યાયરૂપ નથી, હું તે અનંતાનંત જ્ઞાનશક્તિને સ્વામી સંવેદ્ય એ અચલ સ્થિતિવાળે શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતા નથી. આમ પોતાના દેહમાં આત્માને અધ્યાસ કરતા એ આ બહિરાત્મા પરના આત્માને જ્યાં વાસ છે એવા સ્વદેહ સદેશ અચેતન પરદેહને આ પારકે દેહ માની બેસે છે. અને આમ દેહમાં સ્વપરના મિથ્યા અધ્યવસાયનેમાન્યતાને લીધે, જેને આત્માનું ભાન નથી એવા અનાત્મણ જનને સ્ત્રી-પુત્રાદિ સંબંધી વિભ્રમ વર્તે છે, અને તેમાંથી અવિદ્યા નામને દઢ સંસ્કાર જન્મે છે, કે જેથી લેક પુન: દેહ એ જ આત્મા એવું અભિમાન ધરે છે. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.” જડ ચલ જડ ચલ કર્મ જે દેહને હેજી, જાણ્યું આતમ તત્વ; બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરગે એકત્વ. નમિપ્રભ૦”–શ્રી દેવચંદ્રજી. દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાથે વિષયમાં પ્રવૃત્તિ કરે છે, અને તે વિષયપ્રાપ્તિના સાધનરૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે, તેની પ્રાપ્તિમાં અનુકૂળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. તેમાં કોઈ વચ્ચે આડું આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે. તુચ્છ કદન જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ધરી કાકીડાની જેમ નાચે છે. અને વિશેષ વિશેષનો લોભ ધરતે રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળપ્રપંચ-માયાકપટ કરી પોતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયને અર્થે કષાય કરે છે, અને તેથી હાથે કરીને આ ભવપ્રપંચ ઉભું કરીને, સંસાર પરિભ્રમણદુ:ખ પામી, તે ભદ્વિગ્ન બને છે. આમ દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળથી ઉપજતા વિષય-કષાયથી આ જીવનું સંસારચક્ર ચાલ્યા કરે છે. x"बहिरात्मेन्द्रियद्वारैगत्मज्ञानपराङ्मुखः। स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ।। नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा। अनंतानंतधीशक्तिः स्वसंबेद्योऽचलस्थितिः।। स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्त्तते विभ्रमः पुसां पुत्रभार्यादिगोचरः ।। अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।। मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यस्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજીત શ્રી સમાધિશતક Page #233 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ ભોગતત્વની ક્ષમાર્ગ અપ્રગતિ-સ્થિતિ (૫૪૫) રાગ ભર્યો માહ વૈરી નડ્યો, લેકની રીતમાં ઘણુંય રાતે; ક્રોધ વશ ધમધમ્ય, શુદ્ધ ગુણ નવ રમે, ભ ભવમાંહિ હું વિષય માતે..... તાર હો તાર પ્રભુ ! મુજ સેવક ભણી.”—શ્રી દેવચંદ્રજી વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા છ પર કોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.” ઈ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) અને પછી તે તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂઢ જીવને એટલે બધો રંગ લાગી જાય છે, એટલે બધે તન્મય રસ જામે છે, કે તેની પ્રાપ્તિમાં ! નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજું કાંઈ તે બાપડ જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભોજનનો સ્વાદ તેને સ્વપ્ન પણ લાધ્યો નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડયા રહેવું ગમે છે, તેમ તેને વિષય –કદનમાં રચ્યા-પચ્યા રહેવું ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિષ્ટાની સુગંધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગંધ જ સારી લાગે છે ! તેને સુંદર માને રાંક, બીજું ન જાણે તે વરાક, સુસ્વાદુ ભોજનનો સ્વાદ, રવને પણ એને ન પ્રાપ્ત.” ઉ. ભ. પ્ર. ૧ (ડો. ભગવાનદાસ મ. મહેતાકૃત અનુવાદ) આમ પર પરિણતિના રાગીપણું, પર રસરંગે રક્ત થયેલ આ જીવ, પર વસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભાગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યત સંસારમાં રખડે છે. અને આમ પિતાનું આમહિત ચૂકી, આ મહામેહમૂઢ જીવ વેઠીઆ પિઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકનો હેરાન હેરાન થાય છે ! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે પપરિણતિ રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે! પર કરતા પર ભોગતા, ો થયે એહ સ્વભાવ ?....નાથ રે !” શ્રી દેવચંદ્રજી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે. તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એ જે જિનનો અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચા છે.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮ (હાથનેધ, ૨–૧૯) Page #234 -------------------------------------------------------------------------- ________________ (૫૪૬) યોગદષ્ટિસમુચ્ચય અને આમ ભેગરૂપ નિઃસાર માયાજલમાં જ જેને દઢ રંગ લાગ્યો છે, દઢ અભિનિવેશ ઉપજ્યો છે, એવા ભગતત્ત્વ પુરુષને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હેતું નથી, એટલે મોક્ષમાર્ગમાં તેને પ્રવેશ પણ ક્યાંથી હોય? દેહાદિની ભૂલભૂલામણીભરી મોક્ષમાર્ગે અંબાલમાં જે ફસાઈ ગયો છે, દેહાદિ માયાપ્રપંચમાં આત્મબુદ્ધિના વ્યામાહથી અપ્રગતિ- જે મુંઝાઈ ગયો છે, માયાજલરૂપ વિષયની અટપટી માયાવી જાલમાં જે સ્થિતિ અટવાઈ પડ્યો છે, તેને નિમિત્તે રાગદ્વેષ કરતો જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપંચના અનંત ચક્રાવામાં પડી ગયું છે,એવા આ મહામહમૂઢ જીવને મોક્ષમાર્ગ પામવો પણ મુશ્કેલ થઈ પડે છે. તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હોય છે, તેથી તે આગળ વધતો નથી, પ્રગતિ કરતો નથીકારણ કે જ્યાં લગી કષાયની ઉપશાંતતા ન થઈ હોય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વર્તાતે હેય, મિક્ષ શિવાય બીજી કોઈ અભિલાષા ન હોય, ત્યાંલગી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા યોગ્ય યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ “ગુણસ્થાનક' પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તે પછી ઉક્ત ભેગતત્વ પુરુષને મેક્ષમાર્ગમાં પ્રવેશ ક્યાંથી હોય? ને તેમાં તે આગળ ક્યાંથી વધે? ઉત્તરેત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે? આમ જેને ભેગમાં તત્ત્વબુદ્ધિ છે એ ભેગતત્વ પુરુષ સંસારમાં “સ્થિતિ’ કરે છે, અર્થાત અનંત કાળસ્થિતિ પર્યત અનંત પરિભ્રમણ દુઃખને પામે છે. અને મોક્ષમાર્ગમાં પણ તે “સ્થિતિ’ જ કરે છે. અર્થાત્ ગુણવિકાસ પામી આગળ પ્રગતિ કરતો નથી, ગળીયા બળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે ! અને આમ તેનું પરિભ્રમણ દુઃખ ચાલુ રહે છે, ને તેના નિવારણને ઉપાય તેને મળતું નથી. એટલે બને રીતે તે દુઃખી થાય છે. मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥ નિત્ય મીમાંસા ભાવથી, મેહ એહમાં હોય; એથી તસ્વસમાવેશથી, સદા હિતોદય હોય. ૧૬૯ અર્થ–નિત્ય મીમાંસા ભાવને લીધે આ દષ્ટિમાં મહ હેત નથી, એથી કરીને તત્વસમાવેશને લીધે સદૈવ હિતેાદય જ હોય છે. કૃત્તિ-સમભાવો-મીમાંસા ભાવથી, સવિચાર ભાવથી, નિત્યં-નિત્ય, સર્વકાળ, મોહડક્સ વત્તો મ-કારણ કે આ દૃષ્ટિમાં મેડ હેત નથી, અતઃ–એથી કરીને તરવસમાવેરાત–તસ્વસમાવેશરૂપ કારણ થકી, સદૈવ ફિ હિતો આ દષ્ટિમાં ચોક્કસ સંદેવ હિદય જ હોય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિઃ થર્ષદ મીમાંસા, દશનામીમાંસા (૫૪૭) વિવેચન વળી નિત્ય મીમાંસાના ભાવથી આ દષ્ટિમાં મેહ હોતો નથી. એથી કરીને તત્વના સમાવેશરૂપ કારણ થકી નિશ્ચય એને સદાય હિતેાદય જ હોય છે. તત્ત્વ મીમાંસા આ દષ્ટિમાં સ્થિતિ કરત સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ સમર્થ તત્વચિંતક-તત્વમીમાંસક હોય છે. એટલે નિરંતર સવિચારરૂપ મીમાંસાના-સૂમ તત્ત્વપષણના હેવાપણાને લીધે અત્રે કેઈપણ મોહને સંભવ હોતો નથી. કારણકે જે તત્ત્વ સમજે છે, તે મેહ પામત નથી. અને સમ્યગ્દષ્ટિને દર્શનમહ તે કારનો ક્ષય થઈ ચૂક છે, તથા યોગમાર્ગમાં આગળ વધતાં એને ચારિત્રમેહની પણ ઉત્તરોત્તર ક્ષીણતા થતી જાય છે, એટલે સર્વથા મેહનો અભાવ હોય છે. સમ્યગદષ્ટિ પુરુષ અનેક પ્રકારે તત્વને સૂમ વિચાર કરે છે. જેમ કે શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્ગદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે –(૧) પહેલું પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. પપદ મીમાંસા અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય-સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. (૨) બીજું પદ-આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સગો અનુભવ ચોગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન-સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસરગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હાય નહિ. (૩) ત્રીજુ' પદ-આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ચોગ્ય વિશેષ સંબંધ સહિત ) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. (૪) ચોથું પદ આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ; હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૫૪૮) યોગદષ્ટિસમુચ્ચય થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. (૫) પાંચમું પદ-એક્ષપદ છે.-જે અનુપચરિત વ્યવહારથી કમનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હેય, પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. (૬) છઠ્ઠ પદ-તે મોક્ષને ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તે તેની નિવૃતિ કઈ કાળે સંભવે નહી; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન સંયમાદિ મેક્ષ પદના ઉપાય છે.” – (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૪૦૬ (૪૯૩) આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કર્મ છે ભક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધમ. ષટૂ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ એહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાતિએ એહ.”–શ્રી આત્મસિદ્ધિ. “મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણ; આતમ તત્વ કયું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમ તત્વ જાણ્યા વિણ નિમલ, ચિત્તસમાધિ નવિ લહિયે મુ”–શ્રી આનંદઘનજી. વળી આ આત્મતત્વ સંબંધી દર્શનની તે તત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પર્યાચના કરે છે: (૧) કેઈ આત્મતત્વને અબંધ માને છે, પણ આ આત્મા કિયા કરતે દેખાય છે, તે તે ક્રિયાનું ફળ કેણુ ભગવશે? (૨) જડ-ચેતન ષદૃર્શન આ બન્ને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ બન્ને સરખા છે એમ મીમાંસા કેઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર નામનું દૂષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. (૩) આત્મદર્શનમાં લીન એવો કોઈ કહે છે કે “આત્મતત્ત્વ નિત્ય જ છે, પણ તેમાં તે કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ દોષ, અને નહિં કરેલા કર્મના આગમનરૂ૫ અકૃતાગમ દોષ આવે છે, તે મતિહીનને દેખાતા નથી. “કઈ અબંધ આતમ તત્ત માને, કિરિયા કરતે દસે; ક્રિયાતણું ફલ કહે કુણુ ભગવે ? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિસુવ્રત, Page #237 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિઃ ષડ્તશ નમીમાંસા, આત્મતત્ત્વમીમાંસા જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખા; દુ:ખ સુખ સંકર દૂષણુ આવે, ચિત્ત વિચારી જો પરિખા. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્ત્વ, આતમ દિશણુ લીના; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવ દેખે મતિહીા. મુનિ”—શ્રી આનંદઘનજી (૪) કાઈ કહે છે કે આ આત્મા ક્ષણિક છે એમ જાણેા.' પણ તેમ માનતાં અધમેાક્ષ કે સુખ-દુ:ખની વ્યવસ્થા નહિ ઘટે, એ વિચાર મનમાં લાવવા ચેાગ્ય છે. (૫) કોઇ વળી એમ કહે છે કે ચાર ભૂત શિવાયની અળગી-જુદી એવી આત્મસત્તા ઘટતી નથી.’ પણુ આંધળા ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંના શે। દોષ ?-એમ અનેક વાદીઓના મતવિભ્રમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત્ત સમાધિ પામતું નથી, અને યથાથ પણે આત્મતત્ત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તેા મુમુક્ષુએ કેમ કરવું ? (2 સૌગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણેા; બંધ મેાક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણુા. મુનિ ભૂત ચતુષ્ઠ વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકય જો નજર ન દેખે, તા શું કીજે શકટે ? મુનિ॰ (૫૪૯) એમ અનેક વાદિ મતવિભ્રમ, સકટ પડિયા ન લહે; ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિષ્ણુ તત્ત કેાઈ ન કહે. મુનિ૰”—શ્રી આનંદઘનજી. ત્યારે તેના અંતરાત્મા (અથવા પરમાત્મા) જાણે જવાબ આપે છે કે અહૈ। આત્મન્ ! તું સર્વ પક્ષપાત છેડી દઇ, રાગ-દ્વેષ-માહ પક્ષથી વિજ્રત એવા એક આત્મતત્ત્વમાં રઢ લગાડીને મંડી પડે ! જે કઈ આ આત્માનુ ધ્યાન કરે છે તે ફરી આમાં આવતા નથી, અને બીજું બધુંય વાાલ છે એમ જાણે છે, આ તત્ત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ-માત્માના વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરવા ચેાગ્ય છે, અને તે જ તત્ત્વજ્ઞાની કહેવાય. એટલે એના અંતરાત્મા પુનઃ એલી ઊઠે છે કે હું આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ ! ‘મુનિસુવ્રત ! જે કૃપા કરો તે, આનદઘન પદ લહીએ.’ વળતુ જગગુરુ ઇણિ પેરે ભાખે, પક્ષપાત સખ છંડી; રાગ-દ્વેષ-મેાહ પખ વર્જિત, આતમ શું રઢ મડી....મુનિસુવ્રત॰ આતમધ્યાન ધરે જો કાઉ, સા ફિર ઇમૈં ના'વે; વાજાલ ખીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. મુનિ॰ જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે: મુનિસુવ્રત જો કૃપા કરે। તા, આનંદધન પદ હિયે. મુનિ”—શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે ષપદની અને તે પરથી ફલિત થતા ષડૂદર્શીનની મીમાંસા કરનારા Page #238 -------------------------------------------------------------------------- ________________ (૫૫૦) યોગદષ્ટિસમુરચય આ મહાતત્ત્વજ્ઞાની પુરુષ બીજી બધી પંચાત છેડી દઈ, શુદ્ધ આત્મધ્યાનમાં લીન થાય છે, અને ધ્યાવે છે કે હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા આત્મતત્તવ છું. “આ મહારા સ્વરૂપથી૪ ચુત થઈ હું ઇદ્રિયદ્વારોથી વિષયમાં પતિતમીમાંસા પડી ગયો હતો. તે વિષયને પામીને હું” એમ મને મેં પૂર્વે તત્વથી ઓળખે નહિં ! જે અગ્રાહ્યને ગ્રડતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એવું સ્વસંવેદ્ય તે તહું છું. તત્ત્વથી બોધાત્મા-બેધસ્વરૂપ એવા મને સમ્યફપણે પેખતાં, રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે તેથી કઈ મહા શત્રુ નથી, કે કઈ મહારો પ્રિય મિત્ર નથી. મને નહિં દેખતે એ આ લેક નથી મહારો શત્રુ કે નથી મારે મિત્ર.” આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલ જ્ઞાની પુરુષ ભાવે છે કે-જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હુંજ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિ એમ સ્થિતિ છે. વિષયમાંથી મને પ્રશ્રુત કરાવી, સ્વારથી જ હારામાં સ્થિત એવા પરમાનંદમય બેધાત્માને હું પ્રપન્ન થયેલ છું, પ્રાપ્ત થયેલ છું.' ઇત્યાદિ પ્રકારે આત્મભાવનાના પરિભાવથી તે દર્શનમોહને ક્ષય કરે છે. અને તેથી કરીને દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વર્તે છે, એ પરમ સૂક્ષ્મબોધ તેને ઉપજે છે. એટલે પછી તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન પ્રવર્તે છે કે તે ચારિત્રહને પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ કરવા ભણી પ્રવર્તે છે. જેમકે— ચારિત્ર મહ પરાજય | સર્વ ભાવથી તે ઔદાસીન્ય વૃત્તિ-ઉદાસીન ભાવ કરે છે, અને તેને દેહ માત્ર સંયમના હેતુએ જ હોય છે, બીજા કેઈ કારણે તેને બીજું કાંઈ કલ્પતું નથી, અને દેહમાં પણ તેને કિંચિત્ મૂચ્છ હોતી નથી. મન, વચન, કાયાના સર્વત્ર દા યોગને તે જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે, અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની સીન્ય: ગુપ્તિ આત્મામાં સ્થિરતા કરે છે, તે પણ મુખ્યપણે તે દેહની સ્થિતિ પર્વતસમિતિ ચાવજજીવ વર્તે છે. તે આત્મસ્થિરતા એટલી બધી દઢ હોય છે કે ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી પણ તેને અંત આવી શકતો નથી. *"मत्त च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा वेद न तत्त्वतः ।। यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमरम्यहम् ॥ क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः। बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः।। मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः। मां प्रपश्यन्नयं लोको न मे शत्रन च पियः॥ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः। अहमेव मयोपास्या नान्यः कश्चिदिति स्थितिः॥ प्रच्याव्य विषयेभ्योऽहं मा मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક, Page #239 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ ચારિત્ર મેહપરાજય, સદાય હિતેાદય (૫૫૧) અને તે સંક્ષિપ્ત મન-વચન-કાયાના યુગની પ્રવૃત્તિ કરવી પડે છે તે માત્ર સંયમના હેતુથી જ કરે છે, અને તે પણ નિજ આત્મસ્વરૂપને નિરંતર લક્ષ રાખીને અને ભગવાનું વીતરાગ દેવની આજ્ઞાને આધીનપણે રહીને. તે સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં હોય છે, અને છેવટે નિજ સ્વરૂપમાં લીન થાય છે. (જુઓ પૃ. ૨૫, પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવસિદ્ધપણે સંગીત કરેલું “અપૂર્વ અવસર વાળું અપૂર્વ અનન્ય કાવ્ય.—જેને ભાવ અત્ર અવતાર્યો છે). સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કપે નહિં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જય જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ” ઈ –શ્રીમદ્ રાજચંદ્રજી પંચ ઇન્દ્રિયના વિષયમાં તેને રાગદ્વેષ વિરહિતપણું હોય છે, ઈટ–અનિષ્ટ બુદ્ધિ હતી નથી; પાંચ પ્રકારના પ્રમાદથી એના મનને ક્ષેભ ઉપજતું નથી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી ક્યાંય પ્રતિબંધ કર્યા વિના તે નિર્લોભપણે પૂર્વ પ્રારબ્ધ વિષયકષાયજય: કર્મના ઉદયને આધીન થઈને વિચરે છે. ક્રોધ પ્રત્યે તે તેને સ્વઅપ્રમાદ- ભાવપણું વર્તે છે ! માન પ્રત્યે દીનપણાનું માન હોય છે! માયા પ્રત્યે અપ્રતિબંધ તે સાક્ષીભાવની દષ્ટાભાવની માયા કરે છે ! અને લેભ પ્રત્યે તે લાભ સમાન થતું નથી કઈ બહુ ઉપસર્ગ કરનારો હોય તે તેના પ્રત્યે તે કેપતું નથી. ચક્રવતી આવીને વંદન કરે તે પણ તેનામાં માન ગેસું જડતું નથી, દેહ છૂટી જાય તે પણ તેના પ્રેમમાં પણ માયા ઉપજતી નથી. પ્રબળ લબ્ધિ-સિદ્ધિ પ્રગટે તે પણ તેને લેભને અંશ પણ સ્પશત નથી. શત્રુ-મિત્ર પ્રત્યે તેને સમદર્શિપણું વર્તે છે, માન-અપમાનમાં પણ તેનો તે જ સ્વભાવ વર્તે છે, જીવિતમાં કે મરણમાં તે ન્યૂનાવિકપણું-ઓછાવત્તાપણું માનતો નથી, અને સંસાર હો કે મેક્ષ છે તે પ્રત્યે તેને શુદ્ધ સમભાવ વર્તે છે. સર્વત્ર સમભાવ: તે એકાકીપણે સ્મશાનને વિષે વિચરે છે, વળી પર્વતમાં કે જ્યાં વાઘજિનકપીવત્ સિંહને સંયોગ હોય છે ત્યાં પણ વિચરે છે; છતાં તેનું આસન ચર્યા અડોલ રહે છે ને મનમાં કેઈપણ પ્રકારનો ભ ઉપજતો નથી, પણ જાણે પરમ મિત્રને વેગ પામ્યા હોય એમ તે જાણે છે. ઘોર તપશ્ચર્યા કરતાં પણ તેના મનને તાપ થતું નથી, અને સરસ અનથી તેના મનને પ્રસન્નભાવ ઉપજતો નથી. રજકણ હો કે વૈમાનિક દેવની ઋદ્ધિ છે, તે સર્વેય એક પુદ્ગલ સ્વભાવરૂપ છે એમ તે માને છે. આમ તે ચારિત્રમોહને પણ પરાજય કરે છે, એટલે સર્વથા મોહના અભાવથી તત્વસમાવેશરૂપ કારણને લીધે–અત્યંત તવપરિણતિને લીધે તેને સદાય હિતેાદય જ Page #240 -------------------------------------------------------------------------- ________________ (૫૫૨) ગદષ્ટિસમુચ્ચય હોય છે. મોહાંધકાર હરનારી મીમાંસાદીપિકાના૪ તત્વપ્રકાશવડે સદાય હિતેાદય કરીને તેને સદાય આત્મકલ્યાણની-ધર્મની વૃદ્ધિ થયા જ કરે છે. તેને વસ્તુસ્વભાવરૂપ આત્મધર્મ અધિકાધિક અંશે ઉન્મીલન પામત જાય છે, પ્રગટતો જાય છે. આમ તેની આત્મદશા ઉત્તરોત્તર ચઢતી કળાને પામતી જાય છે, તે ઉત્તરોત્તર ઉત્તમ આત્મગુણની શ્રેણી પર આરૂઢ થતું જાય છે. જેમ બીજને ચંદ્રમાં ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પ્રાંતે પૂર્ણતાને પામે છે, તેમ આ સમ્યગદષ્ટિ મહાત્મા યેગીને હિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પૂર્ણ સ્વરૂ૫૫ણને પામે છે. “ભગતત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગ; તે એ દષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સંગ. ધન ધન શાસન શ્રી જિનવરતણું !” શ્રી કે. દ, સજઝાય. – Eા કાંતા દષ્ટિ: કેપ્ટક ૧૨ દાન-તારા સમાન | અન્યમુદ્ ચિત્તદોષ ત્યાગ | ગાંગ-ધારણું | મીમાંસા-ગુણપ્રાપ્તિ – કાંતા દૃષ્ટિનો સાર – છઠ્ઠી કાંતા દષ્ટિમાં, આગલી દૃષ્ટિમાં જે નિત્યદર્શન, પ્રત્યાહાર, અબ્રાંતિ, સૂફમબોધ વગેરે કહ્યું, તે તે હોય જ છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે એવું હોય છે. તે ઉપરાંત અત્રે ધારણુ નામનું છઠું માંગ પ્રાપ્ત થાય છે. એ પરમ ધારણાને લીધે અત્રે અન્યમુદ્ નામને ચિત્તદોષ હેતે નથી, અર્થાત્ ચિત્ત ધર્મ શિવાય કેઈ અન્ય સ્થળે આનંદ પામતું નથી. અને હિદય કરનારી એવી નિત્ય મીમાંસા-સદવિચારણા અત્ર હોય છે. આ દષ્ટિમાં ધર્મના માહાભ્યને લીધે સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે. અને તેથી કરી આ દષ્ટિવાળો યેગી પુરુષ પ્રાણીઓને પ્રિય થઈ પડે છે, અને તે ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે. એનું મન સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે, – જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત ઘરનાં બીજા બધાં કામ કરતાં પણ + " मीमांसादीपिका चास्यां मोहध्वान्तविनाशिनी ।। તત્વોને તેના ચાન્ન જાણમા !” –શ્રી દ્વા દ્વા. ૨૪-૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ : સાર, યાગષ્ટિ કળશ કાવ્ય (૫૫૩) પેાતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને ભાગે ભવહેતુ–સંસારકારણ થતા નથી. માયાજલને તત્ત્વથી—તેના સ્વરૂપથી દેખનારા પુરુષ જેમ બેધડકપણે શીઘ્ર તેની મધ્યેથી, વ્યાઘાત પામ્યા વિના, ચાલ્યા જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા ભેગાને તેના સ્વરૂપથી દેખનારા સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષ, તે ભાગવતાં છતાં અસંગઅનાસક્ત હોઇ, પરમપદ પ્રત્યે જાય જ છે. પણ ભાગ જેને મન તત્ત્વરૂપ-સાચેસાચા ભાસે છે, એવા ભાગતત્ત્વ પુરુષને તે ભવસમુદ્રનુ. ઉલ્લઘન થતુ નથી. કારણ કે તેની તથાપ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની અપ્રવૃત્તિ હાય છે. માયાજલમાં જેને તેવા વિપર્યાંસને લીધે દૃઢ અભિનિવેશ-આગ્રહ છે, એવા કાણુ અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય? એટલે તે તે ભવાદ્વિગ્ન-ભવથી દુઃખ પામતા રહી, જેમ ત્યાં જ-માગમાં જ નિઃસ ́શય સ્થિતિ કરે છે, તેમ ભાગજ ખાલથી માહિત એવા તે મેાક્ષમામાં પણ · સ્થિતિ’ કરે છે, જ્યાં છે ત્યાંના ત્યાં જ પડયો રહે છે, પણ આગળ પ્રગતિ કરતા નથી. સદા સવિચારરૂપ મીમાંસા ભાવથી આ દૃષ્ટિમાં કદી માહુ હાતા નથી, એથી કરીને ‘અમેાહસ્વરૂપ' એવા ધમૂત્તિ' જ્ઞાની પુરુષને સદૈવ હિતાય જ હોય છે, અર્થાત્ ઉત્તરાત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતને-આત્મકલ્યાણના સમુય થયા જ કરે છે. " $ ચાગદૃષ્ટિ કળશ કાવ્ય હરિગીત કાંતા સમી નિત કાંત કાંતા દૃષ્ટિ યાગિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણી; સૂક્ષ્માષ પ્રકાશ ક્રાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્ત્વવિચારણામયમીમાંસા ખલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાર્દિ થકી, અવિનાશ ને ઉપયેાગવંતા દેખતા નિત્યે નકી; ચેગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપે ધારતા, પરભાવ તેમ વિભાવમાં કદી મેાદ તે ન ધરાવતા. ૧૨૮ આત્મ સ્વભાવે વત્તનારૂપ ધર્મોમાં વર્ઝન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતા યાગી નકી; ધમ માં એકાગ્રમન આ ધર્મમૂત્તિ મહાત્મને, આ ધમના મહિમા થકી હેાયે અતિ પ્રિયતા જને. ૧૨૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ (૫૫૪) શ્રુત ધર્માંમાં નિત ચિત્ત ધારે, કાચ કાયાઁ બીજા મહીં, મન જેમ મહિલાનું સદાયે લીન વ્હાલામાં અહીં; જ્યમ ગાય વનમાં જાય, ચારા ચરે, ચાર દિશા, પણ દૃષ્ટિ તે તેની સદા નિજ વત્સ વ્હાલા પર ધરે. શ્રુત ધર્મ જેનું ચિત્ત આમ જ નિત્ય આક્ષેપે અહીં, તે જ્ઞાનાક્ષેપકવતને ભેાગેા ય ભ વ હે તુ નહિ ! માહમયી માયામહીં પણ અમે હસ્વરૂપી સદા, દુષ્કરકરા તે કમલવત્ જલમાં ન લેપાયે કદા. મૃગજલ અહીં મૃગજલપણે જે તત્ત્વથી જન પેખતા, તે સાંસરા મેધડક તે ખાધા વિના ચાલ્યા જતા; ત્યમ બેગ માયાજલ સમા જે સ્વરૂપથી અહીં દેખતા, ભાગ'તાંય અસગ રહી તે પદ પરમ પ્રત્યે જતા. ૧૩૨ ભાગ તત્ત્વ જ માનતા તે ભવસમુદ્ર તરે નહિ', માયાજલે આવેશ દૃઢ તે તે પથે વિચરે નહિ; તે ત્યાં જ ભવઉદ્વિગ્ન જ્યમ માયાજલે સ્થિતિ ધારતા, ત્યમ માક્ષમાગે પણ કરે ‘સ્થિતિ’ ભાગમલ માહિતથતા. ૧૩૩ હુ' એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે, એ પુષ્ટ તત્ત્વ સુધાતા રસપાનથી નિત પુષ્ટ છે; તે યાગી મનનંદન ધરે યમ માહ કે' પરભાવમાં ? હિત ઉય તે પામે સદા ભગવાનદાસ સ્વભાવમાં. ૧૩૪ ૧૩૦ ૧૩૧ ચોગન્નિસમુચ્ચય ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेनं भगवानदासेन सुमनोनंदनी बृहत्टी कानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाखे षष्ठी कान्ता दृष्टिः ॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ છઠ્ઠી દૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છે – ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । તરવતિપત્તિયુતા સસ્ત્રવૃત્તિપાવી* || ૨૭૦ || ધ્યાન પ્રિયા પાયે પ્રભા, એથી અત્ર ન ગ; તરવ પ્રતિપત્તિ અહીં, સત્યવૃત્તિ પદ યોગ, ૧૭૦ અર્થ -પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, એથી કરીને જ આમાં “ગ” નામને દોષ હોતું નથી. આ દષ્ટિ તત્ત્વપ્રતિપત્તિ યુક્ત અર્થાત્ યથાર્થ આત્માનુભવયુક્ત હેય છે, અને સત્પ્રવૃત્તિ પદને આણનારી હોય છે. વિવેચન અર્ક પ્રભા સમ બેધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિડી, તત્વતણું પ્રતિપત્તિ વળી ઈહાં, રેગ નહિં સુખ પુઠ્ઠી... રે ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ”–શ્રી જે. દ. સક્ઝા. ૭-૧ આ સાતમી પ્રભા દષ્ટિમાં પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્ય પ્રભા સમાન બેધ, સાતમું યોગાંગ ધ્યાન, સાતમા “સ” દેષનો અભાવ ને સાતમા તત્તવમતિપત્તિ ગુણને ભાવ હોય છે. આવી આ દષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, તથા વિશેષ કરીને શમસંયુક્ત અને તેથી સતાવૃત્તિપદાવહા-સતુપ્રવૃત્તિપદ આણનારી હોય છે. કૃત્તિ -એમ આ દૃષ્ટિ “સત્યવૃત્તિપદાવહા' છે એમ પિંડાર્યું છે, અર્થાત્ સતપ્રવૃત્તિપદને લાવનાર છે. + પાઠાંતર:–વિરોળ રોમાન્વિતા અથત વિશેષ કરીને શમ સંયુક્ત એવી હેય છે. અત્રે વૃત્તિ પણ અપૂર્ણ અથવા ખંડિત જણાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુાય (૫૫૬) પ્રભા આ સૃષ્ટિને સૂર્ય પ્રભાની ઉપમા આપી, તે યથેાચિત છે. કારણુ કે તારા કરતાં સૂર્યના પ્રકાશ અનેકગણા બળવાન્ હાય છે, તેમ છઠ્ઠી કાંતા દૃષ્ટિ કરતાં સાતમી પ્રભા દૃષ્ટિનુ દર્શન-માધપ્રકાશ અનેકગુણવિશિષ્ટ બળવાન્, પરમ અવગાઢ હાય છે. આને નામ આપ્યું તે પણ યથાર્થ છે: પ્ર+ભા અર્થાત્ પ્રકૃષ્ટ ધપ્રકાશ જેનેા છે તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી છે, તેમ આ દૃષ્ટિની મેધ–પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી, ખળવાન્ ક્ષયાપશમસ'પન્ન વ્હાય છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનુ ખરાખર દર્શન થાય છે, સમસ્ત વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દૃષ્ટિના મેધપ્રકાશથી સર્વ પદાર્થ સાથેનું યથાર્થ દન થાય છે. ચાગનું સાતમુ અંગ; ધ્યાન અને આ સૃષ્ટિના આવે। પ્રકૃષ્ટ મેધ-પ્રકાશ હાય છે, તેથી જ આ બેષ નિરંતર ધ્યાનના હેતુ થઈ પડે છે, કારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે; જેવું જ્ઞાન મળવાન્ તેવું ધ્યાન પણ ખળવાન્ હેાય છે. આમ આ સૃષ્ટિ ધ્યાનપ્રિયા હાય છે, ધ્યાનની વ્હાટ્ટી પ્રિયતમા જેવી હાય છે, જ્યાં ધ્યાન યાગીને અત્યંત પ્રિય હાય છે એવી હાય છે.એટલે અહીં સ્થિતિ કરતા ચેાગી જ્ઞાની પુરુષ પેાતાને પરમ પ્રિય એવું અખડે આત્મધ્યાન ધ્યાવે છે. અને આ આત્મધ્યાન તીક્ષ્ણ આત્માપયેાગવાળું-આત્મજાગૃતિવાળુ હાવાથી, તેમાં પ્રાયે-ઘણું કરીને કેાઇ પણ વિકલ્પ ઊઠવાના અવકાશ હેાતા નથી, એવું તે નિર્વિકલ્પ હાય છે. ધાણા નામનું છઠ્ઠું યેાગાંગ સાંપડઘા પછી સ્વાભાવિક ક્રમે સાતમુ ધ્યાન નામનું ચેાગાંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ધારણા એટલે અમુક વિષયમાં પ્રદેશમાં ચિત્તખંધ થાય, એટલે તેના પુનઃ પુન: સસ્કારથી તેના અંતસ્તત્ત્વ પ્રત્યે ચિત્ત દ્વારાય છે, અને તેમાં જ એકાગ્ર થાય છે. આત્માને આત્મસ્વભાવ અભિમુખ ધારી રાખવારૂપ ધારણાથી આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન પ્રગટે છે. ‘યોગશ્ચિત્તવૃત્તિનિશેષ: ' (પા૦ -૧). ધારામાં સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિમાં ચિત્તનું અવધારણ હાય છે, અને ધ્યાનમાં શુદ્ધ આત્મતત્ત્વનું સાક્ષાત્ અનુસ ́ધાન હેાય છે. ‘ તંત્ર પ્રત્યયૈતાનતા ધ્યાનમ્ ।' (પા૦-૨ ). ચિત્તના ધારણા—દેશમાં પ્રત્યયની એકતાનતા થવી અર્થાત્ ધારણા પ્રદેશમાં એક સરખા અખંડ પરિણામની ધારા રહેવી તે ધ્યાન છે. (જુએ દ્વા. દ્વા. ) જે સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે, અને અસ્થિર ચિત્ત તે ભાવના, અનુપ્રેક્ષા, વા ચિંતા એમ ત્રણ પ્રકારે છે. એક અમાં મનની અંતર્મુહૂત્ત' સ્થિતિ તે ધ્યાન છે. અનેક અČસક્રમમાં લાંખી પણ સ્થિતિ હોય, તે અચ્છિન્ન-અખંડ એવી ધ્યાનસંતતિ છે. ' (જુએ અધ્યાત્મસાર). ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે—(૧) આત્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, (૪) શુકલ. તેમાં આર્ત્ત-રૌદ્ર એ એ દુર્ધ્યાન સ`સારના કારણ હાઇ અપ્રશસ્ત અને અનિષ્ટ છે, Page #245 -------------------------------------------------------------------------- ________________ સભા દષ્ટિ: યાન, ચાર ભાવનાથી સ્થિરચિત્તસ્થિતપ્રજ્ઞ ધ્યાતા. (૫૫૭) અને આત્માર્થી મુમુક્ષુને સર્વથા હેય છે–ત્યજવા યોગ્ય છે. બાકીના બે ધર્મ અને શુકલ મોક્ષના કારણે હોઈ પ્રશસ્ત અને ઈષ્ટ છે, અને આત્માથી મુમુક્ષુને સર્વથા આદેય છે, પરમ આદરથી આદરવા ગ્ય છે. અથવા પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધ્યાનના ચાર પ્રકાર પણ સમજવા ગ્ય છે. આ સર્વ ધ્યાનપ્રકાર વિસ્તારથી સમજવા માટે જિજ્ઞાસુએ શ્રી જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર, યોગશાસ્ત્ર, મેક્ષમાળા આદિ ગ્રંથરત્ન અવલેકવા. આ સર્વ પ્રકારના ધ્યાનને અંતિમ ઉદ્દેશ શુદ્ધ આત્માના ધ્યાન પર આરૂઢ થવાનું છે. એટલે આત્મધ્યાન એ જ મુખ્ય ધ્યાન છે. અત્રે ધ્યાનનું સ્વરૂપ બરાબર સમજવા માટે ધ્યાતા–ધ્યેય આદિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે – ધ્યાતા સ્વરૂપ આ ધ્યાન ધરનાર ધ્યાતા યોગી પુરુષ પણ તે માટેની યથાગ્ય ગ્યતાવાળે હવે જોઈએ, અને તે માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ઉત્તમ ભાવનાઓથી ભાવિતાત્મા હોવો જોઈએ-દઢ ભાવરંગી હવે ચાર ભાવનાથી જોઈએ. કારણ કે જ્ઞાનભાવનાથી નિશ્ચલપણું થાય છે, દર્શનભાવનાથી સ્થિર ચિત્ત અસંમત હોય છે, ચારિત્રભાવનાથી પૂર્વ કર્મોની નિર્જરા થાય છે અને વૈરાગ્ય ભાવનાથી સંગને આશંસાને ને ભયને ઉચછેદ થાય છે, અર્થાત્ વૈરાગ્યને લીધે ચિત્ત કયાંય પણ સંગ-આસક્તિ કરતું નથી, અને આ લોક-પરલેકાદિ સંબંધી કઈ પણ આશંસા-ઇચ્છા કરતું નથી, અને કઈ પણ પ્રકારના ભયકારણથી ક્ષેભ પામતું નથી. આમ જે ચાર ભાવનાથી ભાવિત હોય છે, તેનું ચિત્ત સ્થિર થાય છે. અને આવો જે સ્થિરચિત્ત હોય છે, તે જ ધ્યાનની એગ્યતા પામે છે, બીજાને-અસ્થિર ચિત્તને તેની યોગ્યતા હોતી નથી. ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તસ્થિરતા એ સૌથી પ્રથમ આવશ્યક છે. પરમ આત્મદષ્ટા શ્રીમદ રાજચંદ્રજીનું પરમ ગંભીર તત્ત્વવચન છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિતે સ્થિર થઈશ.” તેમજ ગીતામાં પણ કહ્યું છે કે ૮ *અસંયતાત્માને યોગ પામ દુર્લભ છે એમ હારી મતિ છે, પણ જેને આત્મા–મન વશ છે તે યત્નવંતને યોગ ઉપાયવડે કરીને પામ શક્ય છે. '—આ બધુંય ઉપરોક્ત ભાવનાથી ભાવિતાત્મામાં બરાબર ઘટે છે. શ્રી નેમિચંદ્રાચાર્યજીએ બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં ભાખ્યું છે કે- જો તમે વિચિત્ર પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને અર્થે " निश्चलनमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । सङ्गाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ।। स्थिरचित्तः किलैताभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्त परैरपि ।" –શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસાર, # “અવતાત્મને જો દુકાળ રુતિ મે મતિઃ. વરામના તુ ચતતા વયોવાતમુપયતઃ || ''—ગીતા અ. ૬. Page #246 -------------------------------------------------------------------------- ________________ (૫૫૮) ગદષ્ટિસમુચ્ચય ચિત્તને સ્થિર ઈચ્છતા હો, તે ઈષ્ટ અનિષ્ટ અર્થોમાં મહ મ પામે, રાગ મ કરે, દ્વેષ મ કરો.' " मा मुज्जह मा रज्जह मा दुस्सह इणि?अत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धिए ॥" -શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તકૃત બૃહદ્ દ્રવ્યસંગ્રહ, આમ મનના અને ઇન્દ્રિયના જયથી જે નિર્વિકાર બુદ્ધિવાળો છે, તે ધ્યાતા શાંત અને દાંત એવો હોય છે, અર્થાત્ કષાયની ઉપશાંતતાથી તે શાંત હોય છે, અને ઇંદ્રિયાદિના દમનથી તે દાંત હોય છે. ગીતામાં કહેલા સ્થિતપ્રજ્ઞના શાંત, દાંતઃ લક્ષણ આ શાંત-દાંત યોગીમાં સંપૂર્ણ પણે ઘટે છે- “હે અર્જુન ! સ્થિતપ્રજ્ઞ જ્યારે સર્વ મનોગત કામને-ઇચ્છાઓને છોડી દે છે, ત્યારે આત્માથી આત્મામાં જ તુષ્ટ એ તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખમાં તેના મનને ઉદ્વેગ ઉપજતું નથી અને સુખમાં તે સ્પૃહા કરતા નથી. વીતરાગ, વીતભય, વીતકોધ હેય એ તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આત્મારામપણાએ સ્થિત એ શાંત-દાંત પુરુષ ખરેખર ! આવા લક્ષણવાળો હોય છે. અને આ સાતમી દૃષ્ટિવાળા યોગી પુરુષ તો આવા ઉત્તમ કોટિના ધ્યાતા હોય જ છે, કારણ કે અત્યાર સુધીની ઉત્તમ યોગસાધનાથી તે અત્યંત સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ ચૂક્યા છે. (૧) સૂક્ષ્મ તત્વબોધ અને તેની મીમાંસાથી–સૂક્ષમ આ દષ્ટિવાળો સદુવિચારણાથી તેને જ્ઞાન-દર્શનની ઉત્તમ ભાવના થઈ હોય છે. (૨) ઉત્તમ યાતા અહિંસાદિ પાંચ યમના પાલનથી, શૌચ સ તેષાદિ નિયમના સેવનથી ચિત્ત સમાધાનકારી સુખાસનની દઢતાથી, બાહ્ય ભાવના વિરેચન અને અંતર્ આત્મભાવના પૂરણ-કુંભનરૂપ પ્રાણાયામથી, ઇંદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહારથી અને ચિત્તને ધર્મધ્યાનમાં ધારી રાખવારૂપ દઢ ધારણથી,આમ યોગગાના નિરંતર અભ્યાસથી–પુનઃ પુન: ભાવનથી તેની ચારિત્રભાવના ઉત્તમ પ્રકારની થઈ હોય છે. (૩) અને જ્ઞાન-દર્શન-ચારિત્રની આવી ઉત્તમ ભાવનાવાળા આ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પરમ વૈરાગ્યભાવનાથી રંગાયેલા હોય છે, તેથી પરમ ઉદાસીન એવા તે વીતરાગ પુરુષ કયાંય પણ સંગ-આસક્તિ કરતા નથી, આ લેક-પરલેક સંબંધી કેઇપણ ઇચ્છા ધરતા નથી, જીવવાની તેમને તૃષ્ણ નથી ને મરણુયોગથી તે ક્ષોભ પામતા x" प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। દુઃવેદનુદ્દિાનમના સુપુ વિતર: વીતરામચક્રોધઃ સ્થિતીનિયતે ”—ગીતા, "सुविदिदपदत्यसुत्तो संजमतवसंजुदो विगतरागो। समणो समसुदुक्खो भणिदो सुद्धोवओगोत्ति ॥" –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી પ્રવચનસાર Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ : વસ્તસ્વરૂધ્યાન, અરિહંતધ્યાન, સિદ્ધાખ્યાન (૫૫૯) નથી, એવા તે સર્વ ભયથી મુક્તપરમ નિર્ભય અવધૂત હોય છે. યોગીશ્વર રાજચંદ્રજીનું ટકેલ્કીર્ણ વચનામૃત છે કે : નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ પેગ નહિં ક્ષોભ; મહાપાત્ર તે માગના, પરમ યોગ જિતભ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. અને આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવનાઓથી અસ્થિમજજા પર્યત હાડોહાડ રંગાયેલા, ને આત્મભાવનાથી, અત્યંતપણે ભાવિતાત્મા એવા યોગીને, ચિત્તવિક્ષેપ ઉપજાવનારા દોષ નિવૃત્ત થઈ ગયા હોવાથી, ચિત્તની અત્યંત સ્થિરતા વર્તે છે. એટલે આ આવા સ્થિરચિત્ત, સ્થિતપ્રજ્ઞ, આત્મારામી શાંત-દાંત, વીતરાગ યોગીશ્વર સમગ્ર ધ્યાનસામગ્રીથી સંપન હેઈ, કયાંય પણ ઈષ્ટ–અનિષ્ટ અર્થમાં મોહ પામતા નથી, રાગ ધરતા નથી, દ્વેષ કરતા નથી અને એટલે જ આ પરમ નિગ્રંથ વીતરાગ મુનીશ્વર પરમ નિશ્ચય ધ્યાનને માટે-શુદ્ધ આત્મધ્યાનને માટે પરમ ગ્ય હોય છે. ધ્યેય સ્વરૂપ ધ્યેય એટલે ધ્યાન કરવાને વિષય-આલંબન. કઈ પણ ધ્યેય ચિતવવાને અંતિમ (Ultimate) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાનો છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીહ વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે – (૧) ચેતન કે અચેતન એવી મૂdઅમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ટિ, (૩) આત્મા. ૧. વસ્તુ ચેતન–અચેતન એમ બે ભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિ–લયરૂપ સત્ સ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની સ્વરૂપસત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિરૂપ છે. અર્થાત્ કોઈ વસ્તુ સ્વરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે જડ ભાવે જ પરિણમે છે, અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. એમાં કઈ પિતાને સ્વભાવ છોડી પલટતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ છે, અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન છે. આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? ઈત્યાદિ પ્રકારે કોઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે, અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કઈ કઈ પલટે નહિં, છડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?”–શ્રીમદ્ રાજચંદ્રજી. Page #248 -------------------------------------------------------------------------- ________________ (૫૬૦) યોગદષ્ટિસમુચ્ચય ૨, અથવા પંચ પરમેષ્ઠિને પરમેષ્ટિવાચક નામમંત્રોથી જપ કરે (પદસ્થ ધ્યાન ) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે. "नमो अरिहंताणं, नमो सिद्धाण, नमो आयरियाणं, नमो उवझायाणं, नमो लोए सब्वसाहूणं ।” (૧) જેના ચાર ઘાતિકર્મ નષ્ટ થયા છે, અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ* શુદ્ધ આત્મા તે “ અહંતુ ધ્યાન કરવા યોગ્ય છે.” ધ્યાનના ફલરૂપ પરમ આત્મઅરિહંતનું સમાધિને પામી જે દેહ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વિચરે છે, ધ્યાન એવા સહજાન્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આત્મા તે જ અહંત-જિન ભગવા–સર્વજ્ઞ પરમાત્મા છે. આ જીવનમુક્ત દેહધારી પરમાત્માનું તાત્વિક શુદ્ધ સ્વરૂ૫ આત્માથી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે; કારણ કે આ સહજાન્મસ્વરૂપ શુદ્ધ આત્માના ધ્યાનથી આત્મા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થાય છે. એટલે આ “પરમેષ્ઠિ'નું ધ્યાન મુમુક્ષુને હસ્તાવલંબનરૂપ હોવાથી પરમ ઈષ્ટ છે. જિનવરના આલંબનથી આત્મા આત્માવલંબની થઈ નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્વે એક્તાને; શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુકિત નિદાને.”-શ્રી દેવચંદ્રજી. દહ તેય જેહની દશા અદેહ વર્તાતી, વૃત્તિ આત્મભાવમાં સદા સ્વયં પ્રવર્તતી; ગિનાથ જે ધરી રહ્યા છવનવિમુક્તિને, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વંદું એ વિભૂતિને.” શ્રી અરિહંતસ્તોત્ર (ડૉ. ભગવાનદાસ મ. મહેતા વિરચિત) (૨) જેના અષ્ટમ કર્મ અને દેહ નષ્ટ થયા છે, કાલેકના જે જ્ઞાયક ને દષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા કશિખર સ્થિત છે તે ધ્યાવવા.” સર્વ કર્મ કલંકને ક્ષય જ્યથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યો છે, દેહ રહિત એવા શુદ્ધ આત્મા સિદ્ધનું ધ્યાન પ્રગટ કર્યો છે, સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે, કેવલ ચૈતન્યમય આત્મતત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિકત્વરૂપ કૈવલ્યને પામ્યા છે,-એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન તે પરમ ધ્યેય છે— x" णट्ठचदुघाइकम्मो दसणसुहणाणवीरियमईओ । सुहदेहत्यो अप्पा सुद्धो अरिहो विचिंतिज्जो ॥" – શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવરીકૃત શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ, +“ લે ઝોયાસ્ટોરન્સ ગાળો વા કુરિલાયા પા સિદ્ધ ક્ષ સોસિદ્દો.” –શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ, Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષા દૃષ્ટિ : સિદ્ધનું ઘ્યાન, આચાર્યાદિનુ* ધ્યાન (૫૬૧) પરમ ધ્યાન ધરવા યાગ્ય છે. કારણ કે તે ભગવાનને શુદ્ધ આત્મવસ્તુ-ધર્મ પ્રગટયો છે, સર્વ આત્મગુણુની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થઇ છે, નિજ સ્વરૂપના કર્તા-ભોક્તા થઇ તે તેમાં રમણુતા-પરિણામતા અનુભવી રહ્યા છે, સર્વ આત્મપ્રદેશની શુદ્ધતા તેમને ઉપજી છે, ચૈતન્યમય તત્ત્વપણુ. તેમને પ્રગટ પ્રાપ્ત થયું છે, તેમને ગ્રાહ્ય પણ ચેતન છે ને ગ્રાહક પણ ચેતન છે, વ્યાપ્ય પણ ચેતન છે ને વ્યાપક પણ ચેતન છે,-એવી ચૈતન્યમય તત્ત્વ અવસ્થા-સિદ્ધ દશા પ્રગટી છે. ધર્મ પ્રાભાવતા, સકલ ગુણ શુદ્ધતા, શુદ્ધ સ્વપ્રદેશતા, તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય કર્તૃતા ભાગ્યતા, રમણુ પરિણામતા; વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા.... ધમ જગનાથને ધમ શુચિ ગાઇએ, આપણેા આતમા તેહવેા ભાવીએ!”—શ્રી દેવચ’દ્રજી. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યા, એ પ્રભુના ગુણ ગાઉં રે. ”—શ્રી યશાવિજયજી. “ખાતાં કરી ખતમ કમ તણા સમસ્ત, પામ્યા ગતિ જ અપુનર્ભવ જે પ્રશસ્ત; જેણે સૂર્યાં ચગતિ રથ ચક્ર ચારે, તે સિદ્ધના ચરણુ હે! શરણું અમારે !” —શ્રી સિદ્ધસ્તોત્ર (ડો. ભગવાનદાસ મનસુખભાઇ મહેતા વિરચિત) આવા પ્રગટ સહજાત્મસ્વરૂપ સિદ્ધ પ્રભુના ધ્યાનથી આત્મા નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે, કારણ કે તે પરમાત્માની ને આત્માની આત્મત્વ જાતિ એક છે. જેવા તે ધર્મમૂત્તિ ધમનાથ પરમાત્માના શુદ્ધ ધમ છે, તેવા જ આ આત્માને તિણે મનમ ંદિરે મૂળ સ્વભાવ ધમ છે. આમ જે વસ્તુની જાતિએકતા છે, તે કદી ધર્મ પ્રભુ પલટતી નથી–ફરતી નથી. મુક્ત પરમાત્મામાં સર્વ સગના પરિહારથી કૈયાઇએ ’ તે પરમ આન ંદમય પરમાત્મ તત્ત્વ વ્યક્તપણે રહ્યું છે, અને સંસારી આત્મામાં ઉપાધિરૂપ પરભાવના પ્રસંગને લીધે તે આવૃત્ત હોવાથી અવ્યક્તપણે-શક્તિરૂપે * રહ્યું છે, અર્થાત્ સ`સારી જીવમાં શક્તિથી પરમાત્મપણું છે, અને સિદ્ધમાં વ્યક્તિથી પરમાત્મપણુ છે. એટલે તે શક્તિરૂપ પરમાત્મપણાની વ્યક્તિ માટે, જેને તેની વ્યક્તિ-પ્રગટતા પ્રાપ્ત થઈ છે એવા સાક્ષાત્ પરમાત્મ તત્ત્વની ભક્તિમાં રંગ લગાડી, તેનું તન્મય ધ્યાન કરવુ જોઈએ. તેવા તન્મય ધ્યાનથી સમાપત્તિ થાય છે, એટલે કે સમરસીભાવ ઉપજે છે, એકીકરણ થાય છે, કે જ્યાં આત્મા અપૃથક્ષણે-અભિન્નપણે પરમાત્મામાં લય પામે છે. આમ શુદ્ધ પરમાત્માના ધ્યાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનેાદિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા ચૈાગ્ય છે—પરમ ઇષ્ટ છે. मम शक्त्या गुणग्रामो व्यक्त्या च परमेष्ठिनः । एतावानावयोर्भेदः शक्तिव्यक्ति स्वभावतः ॥ मोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रात्मा लीयते परमात्मनि ॥ " —શ્રી શુભચ’દ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ. +" Page #250 -------------------------------------------------------------------------- ________________ (૫૬૨) યોગદષ્ટિસમુચ્ચય “તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મહારી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.” “પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વને ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્વ સમાય રે.” “ઈણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે; ધ્યાન પૃથફત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે. ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું!”–શ્રી દેવચંદ્રજી. (૩-૪-૫) તેમજ–“દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વિચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને જે છે, એવા તે આચાર્ય મુનિ ધ્યેય છે— ધ્યાન કરવા યોગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશમાં નિરત છે, આચાર્યાદિ યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હે! (તે પણ ધ્યેય ધ્યેય છે) દશન-જ્ઞાનસમગ્ર એવું મોક્ષના માર્ગરૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે સાધે છે તે સાધુ એવા મુનિ છે, તેને નમસ્કાર હે !' આ પણ ધ્યાન કરવા યોગ્ય છે.–આ આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજાન્મસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવૃત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માઓ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષિઓનું સ્વરૂપધ્યાન આત્માર્થીને આત્મધ્યાનારૂઢ થવામાં અપૂર્વ પ્રેરણાદાયી હોવાથી પરમ ઈષ્ટ છે.–આમ પંચપરમેષ્ટિ આદિ આ સવ ધ્યેય-આલંબનને હેતુ આત્મસ્વરૂપના ધ્યાનપર આરૂઢ થવાને-ચઢવાનો છે, કારણ કે “જે કંઈ ચિંતવતાં સાધુ જ્યારે એકત્વ પામી નિરીહ વૃત્તિવાળો થઈ જાય છે, ત્યારે તેને નિશ્ચય ધ્યાન હોય છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન હોય છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિ આદિ ધ્યેયનું આલંબન પરમ ઉપકારી થાય છે. ૩. અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે-ધ્યાનને વિષય છે. ઉપરોક્ત અન્ય સર્વ ધ્યેયનું અંતિમ લક્ષ્ય અને ફળ પણ આ આત્મધ્યાન જ છે. કારણ કે એ અરિહંત સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ ધ્યેયના ચિંતનથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા-એકાગ્રતા *"दसणणाणपहाणे वीरेयचारित्ततवायारे । अप्पं परं च जुजइ सो आयरिओ मुणी झेओ। जो रयणत्तयजुत्तो णिच्चं धम्मोवएसणे णिरदो । सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ॥ दसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चरितं । साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स ।। जं किंचिवि चितंतो णिरीहवित्त। हवे जदा साहू । लध्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं झाणं ॥" -શ્રી બદુ દ્રવ્યસંગ્રહ Page #251 -------------------------------------------------------------------------- ________________ મભા દષ્ટિ : શુકલ આત્મધ્યાન, પ્રભુનું પિંડસ્થધ્યાન થાય છે,–જેથી સર્વત્ર નિરીહ એવા યોગી પુરુષ શુકલ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાનને માટે પરમ યોગ્ય થાય છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચય ધ્યાનમાં ધ્યાવે છે, તે શુદ્ધાત્માને અનુભવ આસ્વાદી તે પરમાત્મપદને પામે છે. “પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે છે. શ્રી ચંદ્રપ્રભP–શ્રી દેવચંદ્રજી, અને આ દૃષ્ટિવાળો મહાયોગી તે થકલ એવા આ શુદ્ધ આત્મધ્યાનના પ્રારંભ માટે પરમ યેગ્ય થઈ ગયે હોય છે, કારણ કે અત્યાર સુધીની ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ આરાધનાથી આ આત્મજ્ઞાની સમ્યગદષ્ટિ યોગી પુરુષ એ શાંત, દાંત આ દષ્ટિમાં ને અપ્રમત્ત થઈ ગયો હોય છે, આત્મભાવથી એ ભાવિતાત્મા શુકલધ્યાનની અને સ્થિતપ્રજ્ઞ આત્મારામ થઈ ગયો હોય છે, કે તેણે શુદ્ધ આત્માના ચોગ્યતા ધ્યાનરૂપ શુકલધ્યાનની શ્રેણીએ ચઢવા માટે આવશ્યક ઉપયોગી એવો અપૂર્વ આત્મવીય-આત્મસામર્થ્યનો અદ્ભુત સંચય કરી લીધો હોય છે, એટલે આ આત્મધ્યાની પુરુષ અપૂર્વ આત્મવીર્યની ફુરણાથી ભાવે છે કે“અનંત ગુણ-કમલને વિકાસ કરનાર એ હું સૂર્ય સમાન છતાં અહે! આ મહાભયારણ્યમાં પૂર્વે કર્મ-વૈરિઓથી વંચિત કરાયે ! આત્મબ્રાંતિથી ઉપજેલા રાગાદિ અતુલ બંધનેથી બંધાયેલ હું અનંતકાળ આ દુર્ગમ ભવ-વનમાં વિડંબિત થયો! હવે આજ હારે રાગ-જવર નષ્ટ થયો છે, આજ મહારી મેહનિદ્રા ચાલી ગઈ છે, તેથી ધ્યાનરૂપ ખશ્ધારાથી હું કર્મશત્રુને હણી નાંખું વળી તે ભાવે છે કે જેના અભાવે હું સૂતે હતું, અને જેના સભાવે હું ઊડ્યો છું, તે અતીન્દ્રિય અનિદેશ્ય સ્વસંવેદ્ય હું છું. જે પરમાત્મા છે તે જ હું છું, જે હું છું તે પરમ છે, તેથી હું જ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કઈ નહિ, એમ સ્થિતિ છે.' “નમો મુજ આમ જે આત્મભાવના ભાવે છે, તે કયાંય રાગ-દ્વેષ કરતે નથી. નમો મુજ રે” કારણકે તે ચિંતવે છે કે-“આ અચેતન* છે તે દશ્ય છે, ને ચેતન છે. તે અદશ્ય છે. તે હું ક્યાં રેષ કરું? ક્યાં તેષ કરું? એથી હું “જનનત્તમુળજીવવપુરવ્યત્ર ચતઃ હો મવમહા ક્ષે વાë વર્મવૈદિfમ છે. स्वविभ्रमसमुद्भूतै रागाद्यतुलबन्धनैः । बद्धो विडम्बितः कालमनन्तं जन्मदुर्गमे ।। अद्य रागज्वरो जीर्णो मोहनिद्राद्य निर्गता । ततः कर्मरिपुं हन्मि ध्याननिस्त्रिशधारया ॥" –શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ. “તમિટું દફથમદરયં વેતન તતઃ. ત્ર સ્થાપિ લુણાઈ મધ્યસ્થોડદું માર: ”—શ્રી સમાધિશતક Page #252 -------------------------------------------------------------------------- ________________ (૫૬૪) ગદરિસમુચ્ચય મધ્યસ્થ થઉં છું.” અને સર્વત્ર વીતરાગ એવો તે આત્મામાં જ રત થઈ શુકલ એવા આત્મધ્યાનને પામે છે, ને તેના પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે કે અહે ! અહો ! હું મુજને કહું, નમે મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. ... શાંતિજિન ! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી, આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિંડસ્થ ધ્યાન કહે છે. દેહપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મદેવનું જ્યાં ધ્યાન ધરાય છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષ્ઠિવાચક નમસ્કારાદિ મંત્ર વાકયને જપ ય ભેદે ચાર જ્યાં ધ્યેય છે, તે પદસ્થ ધ્યાન છે. જ્યાં સદેહે વતા, સાકાર-રૂપી ધ્યાન ભેદ એવા સર્વજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને - જ્યાં દેહાતીત-રૂપાતીત એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.* "देहादेवलि जो वसइ, देउ अणाइ अणतु । केवलणाणफुरंततणु, सो परमप्पु णिभंतु ॥" - શ્રી યોગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ ગા. ૩૩ એમાં પણ ખાસ કરીને જીવતમૂત્તિ એવા રૂપી-દેહપિંડસ્થ સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન જીવને પરમ ઉપકારી થાય છે. કારણ કે આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્ત જનનું મન ચપળ પ્રભુનું પિંડસ્થ સ્વભાવ છોડીને ઠરી જાય છે–સ્થિર થાય છે. એટલે એ ભક્ત જન ધ્યાન ભાવાવેશમાં ગાય છે કે-હે ભગવાન ! જો આ હારૂં રૂપી સ્વરૂપ જગમાં ન દેખાયું હોત, તે અમારું મન તેના ઉપર હસત-હર્ષ પામત? હીંચ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છત? ઈડ્યા વિના હારા પ્રગટ ભાવને કેમ પ્રીચ્છત - એળખત ? પ્રીયા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત? લાવ્યા વિના રસસ્વાદ તે કેમ પામતી માટે અમે તે માનીએ છીએ કે હે પ્રભુ! હારી ભક્તિ વિના કોઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સત્ પુણ્યના ભેગથી તમે રૂપી દેહધારી થયા ને અમૃત સમાણુ ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન! આ હારે દેહ-પિડ ઘણુ ગુણનું કારણ છે, અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે, માટે હે પ્રભુ! અમે તો હારું પિંડસ્થ ધ્યાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ. “રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરુ, છાંડી ચપલ સ્વભાવ ઠ" મન મારું; રૂપી સરૂપ ન હોત જો જગ તુજ દીસતું, તે કુણ ઉપર મન કહે અમ હીંસતું. *"पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वाचितनम । रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ॥" Page #253 -------------------------------------------------------------------------- ________________ સભા દષ્ટિ : આત્મયાનની મુખ્યતા, રેગ દેશને નાશ હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ? ઈચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા ? પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા? લાવ્યા વિણ રસસ્વાદ, કહ કિમ પાવતા? ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કઈ ભક્તને, રૂપી વિના તે તે ન, હવે કઈ વ્યક્તિને અમ સતપુણ્યને યોગે, તમે રૂપી થયા, અમિય સમાણી વાણ, ધરમની કહી ગયા. તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, સેવ્ય ધ્યાયે હવે, મહાભયારણો શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિકા જના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન કરો થઈ એકમના.” -શ્રી રૂપવિજયજી. “હારું ધ્યાન તે સમકિત રૂ૫, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી જાયે સઘળા હે પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હવે પછ.”–શ્રી યશોવિજયજી. આ સર્વજ્ઞ પરમાત્માને પરમ શાંત, પ્રશમરસનિમગ્ન વીતરાગ ભાવ જેમાં મૂર્તિમંત થાય છે, એવી તેની તડાકાર સ્થાપનારૂપ જિનપ્રતિમા પણ ધ્યાન માટે તેટલી જ ઉપકારી થાય છે. જિન અને જિનપ્રતિમા બન્ને નિમિત્ત જિનપડિયા સમાન છે, એવી આગમ વાણી છે. એટલે આ સ્થાપનારૂપ જિનપ્રતિમા જિન સારિખી” સાથે પણ જે અભેદતા વધી, તે આ આત્માના સ્વસ્વભાવ ગુણની વ્યક્ત-પ્રગટ ગ્યતા સાધી એમ જાણવું. અને આવા આ રૂપી ભગવંતનું અદ્ભુત રૂપ દેખીને આશ્ચર્ય છે કે ભવ્યજન-ગ્ય એવા ગીજન અરૂપીપદ વરે છે! “નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે.” જિનપડિમા જિન સારિખી, કહી સૂત્ર મઝાર.” ઠવણું સમવસરણ જિન સેંતી, જે અભેદતા વાળી રે, એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે.”–શ્રી દેવચંદ્રજી. “દેખી અભુત તાહરું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; હારી ગત તું જાણે હે દેવ! સમરણ ભજન તે વાચક યશ કરેછે.”—શ્રી યશોવિજયજી. તેમજ રૂપાતીત આદિ ધાન પ્રકારે પણ આત્માને સ્વરૂપાવલંબનમાં પરમ ઉપકારી થઈ આત્મધ્યાને ચઢાવે છે. આ આત્મધ્યાન જ મુખ્ય એવું ભેગસાધન છે, કારણ કે તેનાથી જ વેગને મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થાય છે, શુદ્ધ સ્વભાવરૂપ મોક્ષ સાથે યુજન થાય છે, શુદ્ધ આત્મતત્વના અનુસંધાનરૂપ યેાગ નીપજે છે. આ ધ્યાન કરનાર ધ્યાતા પોતે ધ્યેયરૂપ–પરમાત્મારૂપ બની જાય છે. “કર્મયોગને સમ્યક અભ્યાસ કરી, જ્ઞાનયેગથી સમાહિત એવો યેગી, ધ્યાન પર ચઢી, મુક્તિયોગને પામે છે."* x"कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ।।" શ્રી અધ્યાત્મસાર, Page #254 -------------------------------------------------------------------------- ________________ (૫૬૬ ) યોગદષ્ટિસમુચ્ચય ધ્યાનના ઘણુ ઘણા પ્રકાર છે, એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી, એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણું જીવોને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બેધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે.” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૨. રોગ દોષને નાશ « ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પરપરિણતિ ઉદે. ”—શ્રી દેવચંદ્રજી. ગ” નામને સાતમે ચિત્તદોષ અત્રે નષ્ટ થાય છે. રોગ એટલે રાગ-દ્વેષ-મેહ એ ત્રિદોષરૂપ મહારાગ-ભાવરોગ તેને અત્ર અભાવ થાય છે. અથવા સાચી યથાર્થ સમજણ વિનાની ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ ક્રિયાને ઉછેદ થાય, એટલે ત્રિદોષ શુદ્ધ ક્રિયાને જે પીડારૂપ અથવા લંગરૂપ થાય, તે રોગ છે. (જુઓ સનિપાત પૃ. ૮૬) અને આવી માંદલી અશુદ્ધ ક્રિયાનું ફળ વાંઝિયું છે. (૧) આત્મસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂર્શિત થાય છે,–આ જ મહ છે. અને તેને લીધે પરવસ્તુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગદ્વષ કરે છે. એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરપરિણતિને ભજે છે. આમ મહરાગ-દ્વેષ એ જ જીવને મોટામાં મોટો રોગ છે. જેમ ત્રિદેષ સન્નિપાતને રેગી પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકું તે પોતાનું એવું યદ્વાલદ્વા અસમંજસ બેલે છે, ટૂંકામાં જાણે બદલાઈ ગયું હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીત પણે-વિભાવપણે વર્તે છે, અને પિતાના સત્ સ્વરૂપથી નિપાતને પામી પોતાના “ સન્નિપાતી” નામને યથાર્થ કરે છે તેમ રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદોષ સનિપાત જે જીવને લાગુ પડયો હોય છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પિતાનું ને પિતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલપે છેલવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીત પણે–વિભાવપણે વત્ત છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવન નિજ સ્વરૂપથી નિપાત-અધ:પાત થાય છે, એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યે-વિભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે. આ જ જીવને મુખ્ય મહારોગ છે. (૨) અથવા યથાર્થ સાચી સમજણ વિનાની જે કિયા કરવામાં આવે તે પણ રોગ છે, કારણ કે તેથી શુદ્ધ ક્રિયાને ઉચછેદ થાય છે, એટલે કે શુદ્ધ ક્રિયાને પીડા ઉપજે છે અથવા તેને ભંગ થાય છે. માંદા માણસની ગમનાદિ ક્રિયા જેમ માંદલી હોય છે, તેમ આ રોગ દોષવંતની કોઈ પણ ક્રિયા માંદલીરેગિષ્ટ હોય છે. તાત્પર્ય કે શુદ્ધ ક્રિયા એટલે શુદ્ધ આત્મપરિણતિને જે પીડા ઉપજે, Page #255 -------------------------------------------------------------------------- ________________ (૫૬૭) પ્રભા દૃષ્ટિ : તત્ત્વમતિપત્તિ-શમસારાન સુખ અનુભવ શુદ્ધ સ્વરૂપરમણુતારૂપ ચારિત્રનેા જે ભંગ થાય તે જ રાગ છે. આ બન્ને વ્યાખ્યાને તાત્પર્યા એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના ભંગરૂપ અથવા પરપરિણતિમાં ગમનરૂપ રાગને અત્ર નાશ થાય છે.-એટલે પરપરિણતિમાં ગમન થતુ નથી અને આત્મપરિણતિમાં જ રમણ થાય છે.−આ પ્રભા' ષ્ટિમાં સ્થિતિ કરતા મહાયેાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંખતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મ માં રમણું અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદેશ્ય આલેખન આ રહ્યું:— “ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. ’ “ અત્રે આત્માકારતા વતે છે. ” ઇત્યાદિ. ( જુએ) શ્રીમદ્ રાજચ દ્ર – તત્ત્વપ્રતિપત્તિ 3 - “ એ આશ્ચર્ય જાણે તે જાણુ, જાણે જ્યારે પ્રગટે ભાણુ. શ્રીમદ્ રાજચ'દ્રજી 6 છઠ્ઠી દૃષ્ટિમાં 4 મીમાંસા ’-સૂક્ષ્મ તત્ત્વવિચારણા નામના ગુણુ પ્રગટયા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દૃષ્ટિમાં તત્ત્વપ્રતિપત્તિ નામના ગુણને અવિર્ભાવ થાય છે. તત્ત્વપ્રતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્ત્વના અનુભવ. શુદ્ધાતમ અનુભવ સદા ’. આમ અત્રે આત્માને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનુ પરાક્ષ વર્ણન છે, એવા અન્ય શાઓ અકિ'ચિત્કર થઇ પડે છે, નકામા અણુખપના થઈ પડે છે, કારણ કે શાસ્ત્ર તા માત્ર માનુ દિશાદર્શન કરાવે છે, અને જે આત્મ-વસ્તુતત્ત્વના લક્ષ કરાવવા માટે શાસ્ત્રનુ મુખ્ય પ્રયેાજન છે, તે વસ્તુતત્ત્વ તે અત્રે સાક્ષાત્ અનુભૂતિમાંઅનુભવમાં આવ્યુ છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઇ પ્રયેાજન રહ્યું નથી. “ અગમ અગેાચર અનુપમ અના, કાણુ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળા રે ખેદ....વીર જિનેશ્વર પરમેશ્વર જયેા. હુ અગાચર માનસ વચનને, તેઢુ અતી'દ્રિય રૂપ; અનુભવ મિો ૨ વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ ...વીર૦ ’—શ્રી આનંદઘનજી. જે મન-વચનને અગાચર છે, જ્યાં વાણી અને મનને મૌન ભજવું પડે છે, જ્યાં વિકલ્પ–જ૫ના અવકાશ નથી, એવુ અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત્ જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જ્યાં પ્રમાણુનેા પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રહ્મને કેવળ અનુભવ-ભાનુ જ દેખાડે છે. ( જુએ પૃ. ૩૦) 5 Page #256 -------------------------------------------------------------------------- ________________ (૫૬૮) યોગદષ્ટિસમુચ્ચય ध्यान मुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ॥ ધ્યાનજન્ય સુખ એહમાં, મન્મથને ઑતનાર, વિવેકબલથી ઉપજતું, સદૈવ જે શમસાર, ૧૭૧ અર્થ:–અને આ દૃષ્ટિમાં કામના સાધનને જીતનારૂં એવું ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે વિવેકબલથી ઉપજેલું હઈ સદેવ શમસાર જ હોય છે. વિવેચન “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવનંતને ઉપાય છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. આ પ્રસ્તુત સાતમી દષ્ટિમાં જ ધ્યાનજન્ય સુખ હોય છે. અને તે કેવું વિશિષ્ટ હોય છે? તે કે મન્મથના-કામના સાધનેને જીતનારું, અર્થાત્ શબ્દાદિ વિષયનો જય કરનારૂં એવું હોય છે. વળી તે વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉત્પન્ન હેઈ, સદાય શમસાર–શમપ્રધાન જ હોય છે, કારણ કે વિવેકનું ફળ શમ છે. આ દષ્ટિમાં જ ધ્યાનનું ખરેખર સુખ અનુભવાય છે; શુદ્ધ આત્માના ધ્યાનથી કે નિવ્યજ સાચેસાચો આનંદ ઉપજે છે, તે અત્ર સંવેદાય છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપ પરમ અમૃતરસસાગરમાં નિમગ્ન થયેલ ગિરાજ જે સહજાન્મસ્વરૂપના ધ્યાન સુખ આનંદની શીતલ લહરીઓ અનુભવે છે, તેનું અવાચ્ય સુખ તે તે અનુભવ પોતે જ જાણે છે. આ ધ્યાનજન્ય સુખ વિષયજન્ય સુખથી ઉલટા પ્રકારનું છે. કારણ કે અત્રે તે કામના સાધનરૂપ શબ્દાદિ વિષયોને* જૂત્તિ-દાનવું સુમિસ્યાં સુ-આમાં અધિકૃત દષ્ટિમાં જ માનજન્ય સુખ હોય છે કેવું વિશિષ્ટ છે કે સિતમથષનં-મમથના-કામના સાધનને જીતનારૂં, શબ્દાદિ વિષયને બદસ્ત કરનારું કણાની દેના. આને જ વિશેષણ આપે છે–વિવેઇવનિતવિવેકના બલથી ઉપજેલું, જ્ઞાન સામર્થ્યથી ઉપન, એટલા માટે જ, મારું સદૈવ -સદૈવ જ શમસાર–શમપ્રધાન -વિવેકના શમફલપણાને લીધે. - "इन्द्रियसुखभाजनेषु हि प्रधानाः दिवौकसः । तेषामपि न खलु स्वाभाविकं सुखमस्ति, प्रत्युत तेषां स्वाभाविकं दु.खमेवावलोक्यते । यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परव प्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति | xxx तददुःखवेगमसहमाना अनुभवन्ति च विषयान् जलथका ફુવ તાવવાવત ક્ષય થાનિ | ' ઇ (વિશેષ માટે જુઓ) –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારટીકા ગા. ૭૧-૭૭. Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ ઃ ઇ"દ્રિયસુખ તે દુઃખ જ, વિવેક્ખીજન્ય ધ્યાનસુખ (૫૬૯) જય હાય છે, જિતેન્દ્રિયપણારૂપ જિનત્વ હોય છે. શબ્દાદિ વિષયે જે લેાકમાં સુખસાધન મનાય છે તે તે પરમા દૃષ્ટિથી જોતાં દુઃખસાધન જ છે, અથવા કલ્પિત સુખાભાસ જ છે.. કારણ કે પુણ્યપરિપાકને લીધે દેવતાઓને ઉત્કૃષ્ટ ઈંદ્રિયસુખની પ્રાપ્તિ હેાય છે, - તેને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટું સ્વાભાવિક દુઃખ જ દેખાય છે. કારણ કે તેઓ પચેન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઈ ભૃગુપ્રપાત સમા મનગમતા વિષયે। પ્રત્યે ઝવાં નાંખી ઝપલાવે છે. ' પુણ્ય ખલથી ઈચ્છા મુજબ હાજર થતા ભાગેાથી તેઓ સુખીઆ જેવા પ્રતિભાસે છે, પરંતુ ‘દુષ્ટ રુધિરમાં જળેાની પેઠે ' તેએ વિષયોમાં અત્યંત આસક્ત હાઈ વિષયતૃષ્ણાદુઃખ અનુભવે છે. ખરામ લેાહી પીવા ઇચ્છતી લેાહીતરસી જળેા જેમ રુધિર પાન કરતાં પાતે જ પ્રલય પામી કલેશ ભેાગવે છે; તેમ વિષયતૃષ્ણાવંત આ પુણ્યશાળીએ પણ વિષયોને ઇચ્છતા અને ભાગવતા રહી પ્રલય-આત્મનાશ પામી કલેશ અનુભવે છે. આમ શુભેાપયોગજન્ય પુણ્યો પણ સુખાભાસરૂપ દુઃખનાં જ સાધના છે. જ્યાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાથ થી દુઃખરૂપ જ છે, ત્યાં બીજા સુખનું તે પૂછવું જ શું ? વળી પુણ્યજન્ય ઇંદ્રિયસુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુાખસ્વરૂપ પણ છે. કારણ કે - તે પરાધીન છે, ખાધા સહિત છે, વિચ્છિન્ન-ખડિત છે. અશ્વકારણ છે, વિષમ છે. એટલા માટે ઇંદ્રિયાથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુ:ખ જ છે. આત્માથી અતિરિક્ત-જૂદા એવા પર નિમિત્તથી ઉપજતું હેાવાથી, તે ઇંદ્રિયસુખ પરાધીન × છે. ક્ષુધા-તૃષાદિ તૃષ્ણાપ્રકારાથી અત્યત આકુલતાને લીધે તે ×માધાસહિત છે. એક સરખા અખડ શાતાવેદનીયને ઉદય રહેતા ન હેાઇ, શાતા-અશાતા વેનીયના ઉદયથી તે ખડખડ થાય છે, એટલે તે વિચ્છિન્ન-ખડિત છે, ઉપભાગમાગ માં રાગાદિ દોષસેના તે પાછળ પાછળ લાગેલી જ છે, અને તેના અનુસારે ઘન ક°રજપટલ પશુ સાથે સાથે હાય જ છે, તેના વડે કરીને તે અંધકાર છે. અને સદા વૃદ્ધિ-હાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુઃખસાધન સિદ્ધ થયું. "सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिरहिं लद्धं तं सोक्खं दुःखमेव तथा ॥ " —શ્રી કુંદકુંદાચાય જીકૃત શ્રી પ્રવચનસાર અને આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નથી માનતા તે મેહાચ્છાદિત જીવ અપાર ઘેર સંસારમાં ભમે છે.' × કારણ કે સેનાની એડી હેાય કે લેાઢાની એડી હાય, પશુ અને બંધનરૂપ એડી જ છે; તેમ પુણ્ય.'ધ હોય કે પાપબંધ હાય, પણ અન્ને × જુએશ્રી અમૃતચદ્રાચાર્ય કૃત પ્રવચનસાર ટીકા, ગા. ૭૬. Page #258 -------------------------------------------------------------------------- ________________ (૫૭૦) યોગદષ્ટિસમુરચય ભવબંધનરૂપ બેડી જ છે, એટલે પુણ્ય-પાપમાં કોઈ ફતભેદ નથી, અર્થાત પુણ્યફલરૂપ સુખ પણ કર્મોદયરૂપ હે દુઃખ જ છે, પરિણામથી* તાપથી, સંસ્કારથી, અને ગુણવૃત્તિના વિરોધથી પુણ્યજન્ય સુખ તે દુ:ખ જ છે.” જેને વધ કરાવાને છે એવા ઘેટાની દેહપુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણ હોય છે, લેહીતરસી જળ જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષયભેગને વિપાક પણ અતિ દારુણ હોય છે. સૂર્યને લીધે જ્યાં વિષયતૃષ્ણતાપથી ઇન્દ્રિયનું સંતપ્તપણું રહે છે, ત્યાં સુખ શેનું હોય? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આપવાની પેઠે ઇન્દ્રિયનો આલાદ છતાં તત્વથી દુઃખને સંસ્કાર દૂર થતો નથી. સુખ, દુઃખ અને મોહ એ ત્રણેય ગુણવૃત્તિઓ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપ જ છે. ઈત્યાદિ પ્રકારે પુષ્યજન્ય વિષયસુખનું જે પ્રગટ દુઃખરૂપપણું જાણે છે, એવા પરમ વૈરાગ્યવાનું જ્ઞાની યેગી પુરુષ આ તુચ્છ વિષયસુખમાં કેમ રાચે ? મન્મથના સાધનરૂપ | શબ્દાદિ વિષયને જય કેમ ન કરે ? “જડે ચલ જગની એઠ” “જિન”નો જેવા પુદ્ગલ ભેગને દૂરથી કેમ ફગાવી ન દે? પરમ અમૃત જેવા વિષયજય ધ્યાનસુખને રસાસ્વાદ જેણે ચાખ્યો હોય, તે તુચ્છ બાકસબુકસ જેવા દુર્ગધિ વિષય-કદને કેમ ચાખે? કારણ કે વિષયસુખ પરાધીન છે, ત્યારે ધ્યાનસુખ સ્વાધીન છે. વિષયસુખ બાધા સહિત છે, ત્યારે ધ્યાનમુખ બાધા રહિત છે. વિષયસુખ વિચ્છિન્ન-ખંડિત છે, ત્યારે ધ્યાનસુખ અવિચ્છિન્ન-અખંડિત છે. વિષયસુખ બંધકારણ છે, ત્યારે ધ્યાનસુખ મક્ષિકારણ છે. વિષયસુખ વિષમ છે, ત્યારે ધ્યાનસુખ સમ છે. આવું પરમાત્તમ ધ્યાનસુખ જેને પ્રાપ્ત થયું હોય, તે પછી તુચ્છ વિષય ભણી નજર ૫ણ કેમ નાંખે? આવું ધ્યાનસુખ વળી વિવેકને બળથી-જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું હોય છે. સ્વપર વસ્તુના ભેદવિજ્ઞાનથી જે વિવેક ઉપજે છે, આત્મજ્ઞાન સાંપડે છે, તેના સામર્થ્યથી આ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ વિવેકજન્ય જ્ઞાનની ક્ષપશમની જેવી વિવેક બલજન્ય તીવ્રતા હોય છે, તેવી જ ધ્યાનની તીવ્રતા નીપજે છે; અને જેવી ધ્યાન સુખ ધ્યાનની તીવ્રતા નીપજે છે, તેવી આત્મસુખની તીવ્રતા ઉપજે છે. * “ જ દિ માહિ નો છું નત્રિ વિષેત્તિ પુouTયા ! હિં ઘોડમાં સંસાર મોહંછvળો ! ” શ્રી પ્રવચનસાર. ન હાયર વંધણ તપનીયમ ા पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ||" –( ઇત્યાદિ જુઓ ) શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લો. ૬૦-૭૪ * " परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । ગુણવૃત્તિવિરોધાથ દુવં પુખ્યમવૈ કુલમ્ ” –શ્રી અધ્યાત્મસાર, Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ : “સમજ્યા તે સમાયા” શમના વિવિધ અર્થની એક્તા (૫૭૧) કારણકે હંસ જેમ ક્ષીર–નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જુદા પાડે છે, અને પછી પાણીને છેડી દૂધ ગ્રહે છે, તેમ મુનિરૂપ પરમહંસ યોગિરાજ આત્માઅનાત્માને વિવેક કરે છે, અને અનાત્મારૂપ સમસ્ત પરભાવને હેય-ત્યજવા યોગ્ય જાણી તેને ત્યાગ કરે છે, તથા જ્ઞાનદર્શનમય શુદ્ધ આત્મસ્વરૂપને પરમ આદેય ગ્રહણ કરવા ગ્ય જાણી આત્મસ્વભાવમાં ચિત્તવૃત્તિને જોડે છે. આ આત્મસ્વરૂપના એકાગ્ર ચિંતનમાં અનુસંધાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થ, તે જ મુખ્યપણે “ગ” છે, અને તેને જ જૈન પરિભાષામાં ધ્યાન” નામથી ઓળખવામાં આવે છે. અને એ શુકલ ધ્યાનરૂપ હેળીની જવાળા કઠેર કર્મ પણ બાળી નાંખે છે. શુકલ ધ્યાન હેરીકી જવાલા, જાલે કર્મ કઠોર રે....નિજ સુખકે સયા; શેષ પ્રકૃતિ દલ ક્ષીરણ નિજેરા, ભસ્મ ખેલ અતિ જોર રે.....નિજ ”–શ્રી દેવચંદ્રજી. આમ આ ધ્યાનસુખ વિવેકબલથી–જ્ઞાન સામર્થ્યથી ઉત્પન્ન હોય છે, એટલા માટે જ તે સદાય શમસાર–શમપ્રધાન હોય છે. કારણ કે “સમજ્યા તે સમાયા.” જ્ઞાનનું અર્થાત્ વિવેકનું ફલ વિરતિ–શમ છે. “જ્ઞાનસ્થ શ્રેષ્ઠ વિત્તિ:'- એ જિનપ્રવચનનું મહાસૂત્ર છે. “જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હિતે, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા” તેને અર્થ છે. જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહં મમત્વ શમાવી દીધું કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તે દીઠો નહિ; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો છે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” (જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંત પ૬. (૬૫૧) આમ સ્વરૂપમાં જે સમાયા છે, એવા જ્ઞાની પુરુષના ચિત્તની પ્રશાંતવાહિતા હેય છે. જેમ તરંગ રહિત શાંત સરિતાને પ્રવાહ અખંડ એકધારે વહ્યા કરે, તેમ અત્રે યોગીની શાંત ચિત્ત-સરિતાને પ્રવાહ એ અખંડ એકધારો પ્રશાંતવાહિતા શાંતપણે પ્રવહ્યા કરે છે, કે તેમાં કઈ પણ વિકલ્પતરંગ ઊઠત નથી, વિક્ષેપ દૂર કર્યો હોવાથી સદેશ એક સરખા પ્રવાહવાળી પરિણમિતા હોય છે. આ પ્રશાંતવાહિતા નિરોધજન્ય સંસ્કારથી ઉપજે છે* ( આની વિશેષ સમજૂતી માટે જુઓ પાત. યે. રૂ -૧૦, તથા દ્વા. દ્વા. ૨૪. ) “તરણ કરાવાહિતા સંસાર – પાતંજલ યુગ ૨-૧૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ (૫૭૨) ગદષ્ટિસમુચ્ચય શમ એટલે (૧) કષાયનું શમન, (૨) વિરતિ, (૩) વીતરાગભાવ, (૪) સમભાવ, (૫) સામ્યભાવ, (૬) ધર્મ, (૭) ચારિત્ર, (૮) આત્મશાંતિ-વિશ્રાંતિ. આમ શમ શબ્દને લક્ષ્યાર્થી એક છે. તે આ પ્રકારે –(૧) વિવેકને શમના વિવિધ લીધે વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણ આવે, સ્વ–પરનો ભેદ પરખાય, અર્થની એકતા તે પછી આત્મા શિવાયની સમસ્ત વસ્તુ પારકી છે એમ જાણે, એટલે તે વિષયરૂપ પરવસ્તુને નિમિત્તે નિષ્કારણ કષાયની ઉત્પત્તિ ન થાય, “રાગ દ્વેષ અણહેતુ’ ન ઉપજે, અને ક્રોધ-માન-માયા-લેભનું શમન થાય, શાંતપણું થાય, મંદપણું થાય. આમ વિવેકથી કષાયશમન થાય છે. (૨) વિવેકથી સ્વ-પરને ભેદ જાણે, એટલે પછી પરભાવથી વિરામ પામે-વિરતિ પામે. જે વિષયને માટે ઝાંવાં નાંખવારૂપ મનની દેહાદેડ થતી હતી, તે બધી અટકી જાય, વિરમી જાય. આમ જ્ઞાનનું ફલ વિરતિ” એ સૂત્ર ચરિતાર્થ બને છે, (૩) સ્વ-પર ભેદ જાણે, એટલે પર વસ્તુમાં મુંઝાય નહિ, મોહ પામે નહિ, ગોથું ખાય નહિં. એટલે પરભાવ પ્રત્યે રાગ છૂટી જાય, આસક્તિ છૂટે, નેહાનુબંધ ત્રુટે, આમ વીતરાગ ભાવરૂપ શમ પામે. (૪) આમ વીતરાગ ભાવ પામે, સર્વત્ર રાગ-દ્વેષ વિરહિત બને, એટલે સર્વત્ર સમભાવી થાય, કયાંય પણ ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ ચિંતવે નહિ, સમદશી બને, “વંદક નિદક સમ ગણે” ઈત્યાદિ પ્રકારે સમભાવને પામે (૫) આમ સમભાવને પામે એટલે સામ્યભાવને પામે. જેવું આત્મસ્વરૂપ છે, તેનું સમાનપણુ-સંદેશપણુ પામવું તેનું નામ સામ્ય છે, એટલે સ્વરૂપસ્થિતિરૂપ સામ્યને પામે. (૬) અને આ સામ્ય પામે એટલે ધર્મ પામે. કારણ કે ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. વઘુરાવો ધમો' આત્મસ્વભાવને પામો તેનું નામ ધર્મ માટે સ્વરૂપ સામ્ય થયું એટલે આત્મધર્મ પામ્યો. (૭) આત્મધર્મ પામ્યો એટલે ચારિત્ર યુક્ત થયા. કારણ કે “સ્વરૂપે વાર્વિ–આત્મ સ્વરૂપનું અનુચરણ તે ચારિત્ર. જેવું આત્માનું સ્વરૂપ ખ્યાત છે, પ્રસિદ્ધ છે, તેવું યથાખ્યાત ચારિત્ર અર્થાત્ સ્વ સ્વરૂપમાં રમણપણું આમ પ્રાપ્ત થાય. (૮) અને આપણે આત્મભાવ જે એક જ ચૈતન્ય આધારરૂપ છે, તે જ નિજ પરિકર-નિજ પરિવાર બીજા સર્વ સાથે સંયોગ કરતાં સાર છે. તે જ નિજ પરિકરરૂપ આત્મભાવની સાક્ષાત અત્ર પ્રાપ્તિ થઈ, એટલે પરમ આત્મશાંતિ ઉપજી, અને આત્મા સ્વરૂપમાં વિશ્રાંત થયે, સ્વરૂપવિશ્રાંતિ પામ્ય, સ્વરૂપમાં સમાઈ ગયે. આમ સમજો એટલે શમા. “શત્રુ મિત્ર પ્રત્યે વત્તે સમદર્શિતા, માન અમાને વત્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહિં જૂનાધિતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવ જો. અપૂર્વ અવસર એવો કયારે આવશે?”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સ્વ–પરને ભેદ જાણ્ય-વિવેક થયે, એટલે કષાય ઉપશાંતિ થઈ, વિરતિ થઈ, આસક્તિ ગઈ, વીતરાગતા આવી, સમતા ઉપજી, સ્વરૂપ સામ્ય થયું, આત્મધર્મની સિદ્ધિ Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દરિ: “સઘળું પરવશ તે દુઃખલક્ષણ”, “પ્રતિક્રમણ કર્યો છૂટકે (૫૭૩) થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટયું, આત્મા પરમ શાંતિમાર્ગને પાયે, સ્વરૂપે શમાયા સ્વરૂપમાં વિશ્રાંત થયો, સ્વરૂપ સમજીને તેમાં જ સમાઈ ગયો. આ એવા બધા “શમના પ્રકાર છે. અથવા તે સરવાળે પરિણામે એક જ છે. આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને શમસાર–શમપ્રધાને કહ્યું છે. તેમજ– सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥१७२॥ પરવશ સઘળું દુઃખ છે, નિજવશ સઘળું સુખ; લક્ષણ એ સુખ દુઃખનું કહ્યું સંક્ષેપ મુખ્ય. ૧૭૨ અર્થ–પરવશ હોય તે બધુંય દુઃખ છે, અને આત્મવશ હોય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કહ્યું છે. વિવેચન સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દષ્ટ આતમગુણ પ્રગટે, તે વિણ સુખ કુણ કહીએ ?”–શ્રી કે. સઝાય. ૭-૨ જે કાંઈ પરવશ છે-પરાધીન છે, તે બધુંય દુઃખ છે; અને જે સ્વવશ છે-આત્મવશ છે. તે બધુંય સુખ છે; કારણકે તેમાં સુખ-દુ:ખના લક્ષણને વેગ છે આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ કહેવાય છે કે “પારકી આશ તે સદા નિરાશ” પરાધીનતા-પરતંત્રતા જેવું કંઈ દુઃખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કંઈ સુખ નથી. કેઈ પારકી આશે એશીયાળ થઈને પડ્યો હોય, તેનું દુઃખ તે સઘળું પરવશ પોતે જ જાણે છે. પરાધીન–પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુ:ખ ભોગવવું તે દખલક્ષણ પડે છે, તે હાલના જમાનામાં સર્વ કઈ જાણે છે. આમ જેમ વ્યવહારમાં, તેમ પરમાર્થ માં પણ પરાધીનતા-પરતંત્રતા એ દુઃખ તે સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાર્થથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત-જુદી એવી વસ્તુને આધીનપણું–પરતંત્રપણું, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપણું–સ્વતંત્રપણું. જેમાં પર વસ્તુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે કૃત્તિ - TRવાં દુઃવ-પરવશ તે સર્વ દુઃખ છે તેના લક્ષણના યોગ થકી, સર્વમાનમાં યુવઆત્મવશ તે સર્વ સુખ છે-એ જ હેતુથકી, પતતુરં–આ કહ્યું છે મુનિએ, સામેન-સમાસથી, સંક્ષેપથી ક્ષમ્-લક્ષણ, સ્વરૂપ, સુવદુયો -સુખ-દુઃખનું. Page #262 -------------------------------------------------------------------------- ________________ (૫૭૪) ગદષ્ટિસમુચ્ચય સુખ નથી, પણ દુઃખ જ છે, અથવા કેવલ સુખાભાસ જ છે, એમ આપણે પૂર્વે વિરતારથી વિચારી ગયા. જેમાં એક શુદ્ધ આત્મવસ્તુનું જ અવલંબન છે, એવું નિરપેક્ષ આત્મસુખ એ જ વાસ્તવિક સુખ છે કારણકે “સાપેક્ષ ગરમર્થ, નિરપેક્ષ સમર્થ ' સાપેક્ષ તે અસમર્થ છે, નિરપેક્ષ તે સમર્થ છે, આમ પરમાર્થ પરિભાષા છે. આશા એરનકી કયા કીજે ? ગાન સુધારસ પીજે...આશા ભટકે દ્વાર દ્વાર લેકનકે, કુકર આશા ધારી...આશા આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસા.આશા ”—શ્રી આનંદઘનજી, અથવા આકુલતા એ દુઃખનું લક્ષણ છે, અને નિરાકુલતા એ સુખનું લક્ષણ છે, એ વ્યાખ્યા પણ ઉપરોક્ત વ્યાખ્યા સાથે બંધબેસતી છે, ને તેને પુષ્ટ કરે છે; કારણ કે જ્યાં એક કરતાં વધારે મળે–ભળે, જ્યાં ત છે ત્યાં આકુલતા છે; આકુલતા તે અને જ્યાં એક શુદ્ધ નિર્ભેળ વસ્તુ હોય છે, જ્યાં અદ્વૈત છે ત્યાં દુઃખ નિરાકુલતા છે. એટલે પરવસ્તુના સંયોગ સંબધથી જ્યાં પરાધીનતા છે ત્યાં આકુલતા છે; અને જ્યાં આકુલતા છે, ત્યાં દુઃખ છે, એ સર્વ કેઈને પ્રત્યક્ષ અનુભવ છે, તથા પરવસ્તુના સંગ સંબંધથી રહિત એવી જ્યાં સ્વાધીનતા છે ત્યાં નિરાકુલતા છે, અને જ્યાં નિરાકુલતા છે ત્યાં સુખ છે. આ પણ સર્વને સાક્ષાત્ અનુભવ છે. આમ આ બંને વ્યાખ્યાને સુમેળ છે. આત્માથી અતિરિકત-જૂરી એવી જે અન્ય વસ્તુ-કમ, તેના વડે કરીને જ આ આત્માને અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પ્રાપ્ત થયું છે બેડીથી જકડાયેલા પરાધીન - કેદીને જ્યાં લઈ જવો હોય ત્યાં પરાણે લઈ જવાય છે, તેમ કર્મબંધરૂપ પારકે પેઠે બેડીથી બંધાયેલા પરાધીન જીવને કર્મ ગમે ત્યાં ઘસડી જાય છે, અને વિનાશ કરે” જન્મ-જરા-મરણાદિ અનંત દુઃખેથી દુઃખી કરે છે. આમ “પારક પેઠો વિનાશ કરે ’–‘પરઃ વિદઃ તે વિનારાં” –એ લેકક્તિ સાચી કરે છે. આત્માએ સ્વસમયને અર્થાત આત્મવસ્તુની સ્વરૂપમર્યાદાને ઉલ્લંઘી, પરસમયમાં– પારકા પુદ્ગલ ક્ષેત્રમાં-પારકી હદમાં પ્રવેશ કર્યો, અતિક્રમણ (Transgression, Trespass ) કર્યો. અનાદિથી આત્માએ પરપુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું હસ્તક્ષેપ કર્યો, પરવસ્તુમાં આસક્તિ કરી, તેની સાથે નેહસંબંધ (!) બાંધ્યો. એટલે તે પુદ્ગલ બલાએ બદલામાં કર્મરૂપ ભૂત તે આત્માને વળગાડયું, અને આત્માને પિતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પોતાના વિષય-ક્ષેત્રમાં પૂરી રાખવારૂપ દંડ દીધે ! અથવા તે સ્નેહસંબંધના બદલામાં તેને ગાઢ બંધને બાંધી સંસારરૂપ હેડમાં પૂરી રાખ્યો ! આમ પરાધીનતાથી જ બધી મહેકાણ થઈ છે ! પણ જ્યારે આત્મા પરક્ષેત્રમાં આક્રમણરૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત કરે છે, તે પિતાના Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ : પુણ્યાક્ષી સુખ તે દુખ, ધ્યાનસુખ આત્માધીન (૫૭૫) ક્ષેત્રમાં પાછા જવારૂપ પ્રતિક્રમણ કરે છે, પુનઃ પરક્ષેત્રમાં નહિં જવાનું પ્રત્યાખ્યાન કરે છે, સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિકરૂપ આત્મસ્વભાવને પ્રતિકમણુ” ભજે છે; સ્વસ્વરૂપના સ્પર્શનરૂપ સાચું આત્મવંદન કરે છે; “નમે કર્યો છૂટકે મુજ ! નમો મુજ !” એમ આત્મસ્તુતિની પરમ ધન્ય યોગ્યતાને પ્રાપ્ત થાય છે, અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રંથના પંથને પામે છે, અર્થાત્ દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયેત્સર્ગ ભાવને સાધે છે;–ત્યારે આ આત્મા સ્વાધીન–આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે. અને આવી આ કાર્યોત્સર્ગ દશાને પામેલે આ દષ્ટિમાં સ્થિત યેગી તે પરવશપણાથી દુખસ્વરૂપ એવા સર્વ વિષયને ત્યાગ કરે છે, અને સ્વવશપણાથી સુખસ્વરૂપ એવા શુકલ આત્મધ્યાનને આશ્રય કરે છે, તેથી તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજજન કરે છે. SR पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् ।। ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७३ ॥ પુણ્ય અપેક્ષક સુખ પણ પરવશ સ્થિત છે આમ; તસ લક્ષણ નિયગથી, દુઃખ જ એહ તમામ. ૧૭૩. અર્થા–એમ પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, અને તેથી કરીને આ તેના લક્ષણના નિયેગથી દુઃખ જ છે. (અને ધ્યાનજન્ય સુખ જ તાવિક સુખ છે.) વિવેચન એમ ઉપર કહી તે નીતિ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ રહ્યું છે, કારણકે પુણ્યનું પરપણું છે, એટલે તે પણ તેના લક્ષણના નિયોગથી દુઃખ જ છે. તેથી આમ ધ્યાનજન્ય સુખ એ જ તારિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે અને કર્મ– વિયેગ માત્રથી ઉપજવાપણું છે. ઉપરમાં જે સામાન્ય નિયમથી કહ્યું કે જેટલું પરવશ છે તેટલું બધુંય દુઃખ છે, અને સ્વવશ છે તેટલું બધુંય સુખ છે, તે નિયમની નીતિ પ્રમાણે જે સુખમાં પુણ્યની અપેક્ષા વૃત્તઃ-guથાપિ –પુણ્યાક્ષી પણ, પુણ્યની અપેક્ષાવાળું પણ, ઘર-એમ, ઉક્ત નીતિથી, મુર્ણ વાં થિરમ્-સુખ પરવશ સ્થિત છે, પુણ્યના પરપણને લીધે તતદુ:ખેવૈતત તર્થક્ષનિયોત –અને તેથી કરીને આ તેના લક્ષણ નિયામને લીધે દુખ જ છે. તેથી મામદશાનશું તાત્તિ પુર્વ-ધ્યાનજન્ય એ જ તારિક સુખ છે-અપરાધીનપણને લીધે, કર્મવિગ માત્ર જન્યપણાને લીધે [ ધ્યાન રારિ સુવનએ પાઠાંતર છે.] –શ્રી અધ્યાત્મસાર Page #264 -------------------------------------------------------------------------- ________________ (૫૭૬) યોગદષ્ટિસમુચ્ચય રહે છે, અર્થાત્ પુણ્યોદયથકી જે જે સુખપ્રાપ્તિ થાય છે, તે પણ પુણ્યાપેક્ષી સુખ દુઃખ જ છે. કારણ કે તે પુણ્ય પણ પરવસ્તુ છે, એટલે તેને પરાધીન તે દુઃખ એવું સુખ તે તે દુઃખ જ છે, એ દુઃખનું લક્ષણ અત્ર પ્રાપ્ત થાય છે. પુણ્યને પરવસ્તુ કહેવાનું કારણ એ કે-પુણ્ય એ શુભ કર્મ છે અને શુભ કર્મ એ આત્માથી અતિરિક્ત-જુદી એવી પરવસ્તુ છે. આમ પરવતુરૂપ પુણ્યના ઉદયથી દેવેંદ્ર-મનુજેદ્ર આદિના જે જે સુખ સાંપડે છે, તે પરમાર્થથી દુઃખ જ છે, અથવા સુખાભાસ જ છે. ઇંદ્ર-ચક્રવત્તી આદિની અઢળક ઋદ્ધિ અને તેથી પ્રાપ્ત થતા પંચ વિષય સંબંધી કહેવાતા સુખ તે દુઃખ જ છે. અત્રે શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં કહેલ નિપુણ્યક રંકનું તાદશ્ય ચિતાર ખડો કરતું પ્રસ્તુત દષ્ટાંત યાદ આવે છે. તેમાં પુણ્યોદયથી ચક્રવત્તીની અદ્ધિ પામેલાને પણ પરમાર્થથી “નિપુણ્યક' અર્થાત ધર્મધનથી રહિત એ નિધનીઓ મહાદરિદ્રી ને દુઃખી કહ્યો છે. તે સમસ્ત અદ્દભુત રૂપક વર્ણન (Allegory) મહાત્મા સિદ્ધર્ષિની જેમ પિતાના આત્મા ઉપર ઘટાવી આત્માથી મુમુક્ષુ જીવે પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે. જે કદી બંધનને સુખ માની શકાય તે પુણ્યને સુખ માની શકાય, પણ તેમ તે મૂખ ગમાર પણ માને નહિ. કારણ કે પુણ્ય એ સેનાની બેડી ને પાપ એ લોઢાની બેડી, પણ બન્ને બંધન તો છે જ છે. પોપટને સેનાના પાંજરામાં પૂર્યો હોય કે લેઢાના, પણ તે બંને બંધનરૂપ પાંજરા છે જ. એટલે જે પયપ્રધથી સંસારબંધન ચાલુ રહે છે. વિષય તૃણા ઉદી રહે છે. છે. વિષય તૃષ્ણા ઉદીર્ણ રહે છે, તેને સુખ કેમ કહી શકાય? આ વગેરે ઉપરમાં વિસ્તારથી વિવેચાઈ ચૂકયું છે. આ ઉપરથી સારરૂપ તાત્પર્ય એક જ છે કે–તાત્વિક–પારમાર્થિક સુખ કેવળ ધ્યાનથી જ ઉપજે છે, કારણ કે આત્મધ્યાનમાં પરાવલંબનની અપેક્ષા નથી, અથવા પ્રગટ શુદ્ધ આત્મારૂપ પરમાત્માના જ અવલંબનની અપેક્ષા છે, એટલેધ્યાનસુખ તે કેવલ આત્માધીન છે, અને તે કર્મવિયોગમાત્રથી ઉપજે છે, આત્માધીન એટલે તેમાં કર્મનું પરવશપણું નથી. આમ સ્વાધીન એવા આત્મધ્યાનમાં આત્મા ધ્યાતા છે, ધ્યેય આત્મા છે, ને ધ્યાન આત્મા છે. ધ્યાતાધ્યાન-ધ્યેયની ત્રિપુટીની અત્ર એકતા થાય છે, પરમ શુદ્ધ અંત થાય છે. સહજાત્મસ્વરૂપ એ જ સાધ્ય, સહજાન્મસ્વરૂપ એ જ સાધન, ને સહજાન્મસ્વરૂપ એ જ સિદ્ધિએમ અભેદ એકતા અત્ર થાય છે. એટલે કેઈ પણ પ્રકારની કઈ પણ વિકલ્પરૂપ આકુલતા થતી નથી, પરમ નિર્વિકલ્પ શાંતિ થાય છે, પરમ સ્વસ્થતા ઉપજે છે, તે જ પરમ સુખ છે, તે જ પરમ આનંદ છે. એવા પરમોત્તમ ધ્યાન સુખની તુચ્છ વિષયસુખમાં રાચનારા પામર જનેને શી ખબર પડે ? નગરમાં રહેનારા નાગર જનના સુખની ગમાર ગામડીઆને શી ગમ પડે ? તેમ અનુભવ વિના તે ધ્યાનસુખ કેમ કહી શકાય ? “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે; અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કણ લહે નર નારી રે.”—શ્રી . સક્ઝા. ૭-૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ મમત: નિમ બધે સદા આભયાન: હેમ સદા કલ્યાણ (૫૭૭) “આ ધ્યાન* જ્યારે પરમ પરિપાકને પામે છે ત્યારે તેની પાસે ઈંદ્રપદ તૃણ સરખું છે. સ્વપ્રકાશમય–સુખમય–બેધમય એવું આ ધ્યાન જ ભવને નાશ કરનારું છે. આત્માને પરમાત્મામાં જે ભેદબુદ્ધિકૃત વિવાદ હતું, એને આ ધ્યાનરૂપ સંધિકાર ઝટ દૂર કરી, એ બેને અભેદ કરી આપે છે. અર્થાત આત્મા-પરમાત્માની અભેદતા થતાં આત્માને પરમાત્મામાં લય થાય છે. “ ધ્યાન સુધારસ પાન મગનતા, ભજન સ્વગુણ ઉપગ રે....નિજ સુખકે સવૈયા; રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ ગ રે....નિજ ”—શ્રીદેવચંદ્રજી. ध्यानं च निर्मले बोघे सदैव हि महात्मनाम् ॥ क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ॥ १७४ ॥ નિર્મલ બોધ સતે સદા, મહાત્માઓને ધ્યાન; ક્ષીણપ્રાય મલ હોય તે, હેમ સદા જ કલ્યાણ. ૧૭૪, અર્થ:–અને નિર્મલ બેધ સતે, મહાત્માઓને સદૈવ જ ધ્યાન હોય છે. ક્ષીણપ્રાય મલવાળું સેનું સદાય કલ્યાણ જ હોય છે. વિવેચન “એહ દષ્ટિમાં નિર્મલ , ધ્યાન તે હેયે સાચું; દૂષણ રહિત નિરંતર તિ, રત્ન તે દીપે જાચું.”—શ્રી જે. સક્ઝા. ૭-૪ સ્પષ્ટ ક્ષાપક્ષમાંથી ઉપજેલ નિમલ બંધ હતાં, મહાત્માઓને-મુનિઓને સદૈવ જ ધ્યાન હોય છે. અત્રે પ્રતિવસ્તુઉપમા આપી છે કે-ક્ષીણપ્રાય મલવાળું સેનું સદાય કલ્યાણ જ હેય છે. કારણ કે તેની તથા પ્રકારની અવસ્થાની ઉપપત્તિ છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.”—શ્રીમદ્ રાજચંદ્ર. ત્તિઃ—થાનં ૨ નિર્મણે ઘોષે-અને સ્પષ્ટ ક્ષયોપશમથી ઉપજેલો નિમલ એધ સતે આન, શું? તે -રર દિ માત્મના સદૈવ જ મહાત્માઓને, મુનિઓને હેય છે. આ જ પ્રતિવસ્તુપમાથી કહે છે-શીખામઢ મ–ક્ષીણુઝાય મલવાળું હેમ-સેનું, ર વન્યાણમેવ સિદા કલ્યાણ જ હોય છે તથા પ્રકારની અવસ્થાની ઉ૫પત્તિને લીધે. x" यत्र गच्छति पर परिपार्क, पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तद्धथानमेब भवनाशि भजध्वम् ॥ आत्मनो हि परमात्मनि योऽभूतेंदबुद्धिकृत एव विवादः । નિબંધિનું કથાનીય ટ્રાઇમેકનર્વતનેતિ | ">શ્રી અધ્યાત્મસાર , અ ૧૭. Page #266 -------------------------------------------------------------------------- ________________ (૫૭૮) યોગદૃષ્ટિસમુચ્ચય આ સાતમી પ્રભા દૃષ્ટિમાં બેષ એટલે બધા નિમલ થઈ ગયા હૈાય છે, સ્પષ્ટ ક્ષયેાપશમનું ખલ એટલું બધું વધી ગયુ. હાય છે, કે આ દૃષ્ટિવાળા મહાત્મા ચેાગી મુનીશ્વરાને સદાય-નિરતર ધ્યાન વર્તે છે. આ આત્મારામી જ્ઞાની આત્મધ્યાનથી પુરુષો નિર'તર આત્મધ્યાનમાં નિમગ્ન રહે છે, એવી અદ્ભુત સહજ આત્મપ્રાપ્તિ ધ્યાનદશા તેમની વર્તે છે; કારણ કે જ્ઞાનપ્રમાણુ ધ્યાન થાય છે. અને અત્રે ચેાગીના જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ એટલે બધા વધી ગયેા હાય છે, સત્ત્રદ્ધાસ’ગત બેષ એટલે બધા સ્પષ્ટ ને ઉત્કૃષ્ટ થઈ ગયા હેાય છે, જ્ઞાનદશા એટલી બધી આકરી–તીવ્ર થઇ ગઇ હાય છે, કે એવા ચેાગીશ્વરાને સહેજ સ્વભાવે નિરંતર અખંડ આત્મધ્યાન વર્તે છે. આ આત્મધ્યાની× પુરુષ · પુણ્ય-પાપ યાગ વિષયમાં આત્માને આત્માથી રુધી, તથા પરવસ્તુ પ્રત્યેની ઇચ્છાથી વિરત થઈ, દેશન—જ્ઞાનમાં સ્થિત થાય છે. અને સ સંગથી મુક્ત એવા તે આત્માને આત્માથી ધ્યાવે છે, કમને કે નાકને ધ્યાવતા નથી, અને ચૈતયતા-આત્માનુભવી એવા તે એકત્વને ચિંતવે છે. આમ દર્શન-જ્ઞાનમય ને અનન્યમય એવા જ્ઞાની પુરુષ આત્માને ધ્યાવતાં કમ વિપ્રમુક્ત એવા આત્માને જ શીઘ્ર પ્રાપ્ત કરે છે.' આ આત્મધ્યાનની સિદ્ધિમાં જેણે શુદ્ધ આત્માની સાક્ષાત્ સિદ્ધિપ્રાપ્તિ કરી છે, એવા પાત્માનુ' અવલ'બન પરમ ઉપકારી થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની ભજનાથી પેાતાના શુદ્ધ આત્મા પ્રગટે છે, એટલા માટે ચગી પુરુષા પાતાના મનમદિરમાં પરમાત્માનું નિરંતર ધ્યાન ધરે છે, કારણ કે એવા પુષ્ટ નિમિત્ત આલમનરૂપ પરમાત્માના ધ્યાનથી લય સ્થાને સ્વાલ'બનઆત્માલ'બન થાય છે, અને આમ દેવચંદ્ર' પરમાત્માના ગુણુની સાથે એકતાનતા થતાં, આત્મા પૂર્ણ સ્થાને પહોંચે છે, પરમાત્મપદને પામે છે. 66 પુષ્ટ નિમિત્તાલખન ધ્યાને, સ્વાલંબન લય ઠાને; દેવચંદ્ર ગુણને એક તાને, પહેાંચે પૂરણ થાને. "" “ મારા સ્વામી હા તારા ધ્યાન ધરિજે, ધ્યાન ધરિજે હા, સિદ્ધિ વરીજે, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચ'દ્રજી. અત્રે લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યુ` છે કે-જેમાંથી મેલ લગભગ ગાળી ન‘ખાયેા હાય, શુદ્ધ કરાય હાય, એવું હેમ-સાનુ કલ્યાણુ ’ તરીકે ઓળખાય છે, અને 6 સદાય << × अपाणमप्पणा रुंधिउण दो पुण्णपावजोए । दंसणणाझि ठिदो इच्छाविरओ य अण्णाि ॥ जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ । રુદ્ર અશ્વિનેળ વાળમેવ સો જન્મવિમુાં ॥ ’-શ્રી સમયસારું ગા. ૧૮૭–૧૮૯, Page #267 -------------------------------------------------------------------------- ________________ સભા દ્રષ્ટિ: અસગાનુષ્ઠાન સતિ સામવૃત્તિપદ (૫૭૯) કલ્યાણ” સ્વરૂપ જ રહે છે. તેમ અત્રે પણ કર્મમલ લગભગ ક્ષીણ કલ્યાણ સુવર્ણ થયું હોવાથી-ક્ષીપ્રાય હેવાથી, નિમલ એવા ઉત્કૃષ્ટ ક્ષપશમથી જે બંધ થાય છે, તે પરમ કલ્યાણરૂપ જ હોય છે, કારણકે તે પરમ કલ્યાણુસ્વરૂપ ઉત્કૃષ્ટ સાચા જ્ઞાનનો હેતુ થઈ પડે છે. જેમ દૂષણ વિનાનું, નિરંતર જ્યોતિવાળું રત્ન ખરેખરૂં દીપે છે-ઝગારા મારે છે, તેમ આ નિર્મલ બેધરૂપ સાચું રત્ન અંતરમાં ઝગારા મારે છે, અત્યંત ઝળકી ઊઠે છે. આ પરમ પ્રકાશમય-પ્રકાશ. ધામરૂપ બાય સદાય પરમ કલ્યાણુસ્વરૂપ જ છે, કારણકે પરમ કલ્યાણમય સ્વસ્વભાવરૂપ મેક્ષપદની પ્રાપ્તિ અત્રે નિકટમાં નિકટ વત્ત છે. વળી જેમ શુદ્ધ “કલ્યાણ” સુવર્ણ કદી બગડે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ કલ્યાણુસ્વરૂપ જ રહે તેમ શુદ્ધ કલ્યાણમય નિર્મલ બોધ કદી વિણસે નહિ, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ શુદ્ધ કલ્યાણુસ્વરૂપે જ રહે. એટલે આ નિર્મલ બાધ સતે અત્રે નિરંતર ધ્યાન વત્તે છે, એ યથાર્થ કહ્યું છે. सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५ ॥ ને સસ્પ્રવૃત્તિપદ અહી, છે અસંગ અનુષ્ઠાન; મહાપથતણું પ્રયાણ જે, આપે પદ નિર્વાણ, ૧૭૫ અર્થ :–અને અહી–તત્વમાગમાં, “અસંગાનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સપ્રવૃત્તિપદ વતે છે, કે જે મહાપથ-પ્રયાણુરૂપ હોઈ, અપુનરાવર્ત પદ-નિત્ય પદ પમાડનારૂં છે. વિવેચન અને અહીં તત્વમાર્ગને વિષે, “અસંગઅનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સમવૃત્તિ પદ પ્રાપ્ત વર્તે છે. કારણ કે તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિ હોય છે. તે અસંગાનુષ્ઠાન નામનું સપ્રવૃત્તિપદ મહાપથના પ્રયાણરૂપ છે, અને અનાગામિપદાવહ છે, અર્થાત અપુનરાવર્ત પદ પમાડનારું-નિત્ય પદ પમાડનારું છે. અસંગ-અનુષ્ઠાન ઉપરમાં જે સત્યવૃત્તિપદ કહ્યું તે શું ? તેનું અત્ર સ્વરૂપ કહ્યું છે. અહીં તત્ત્વ વૃત્તિ-સંબવૃત્તિપર્વ વેદ-અને અહી એટલે કે તત્વમાગ માં સતપ્રવૃત્તિ ૫૬, શું? તે કે અષાનWારસહિતy -અસંગાનુષ્ઠાન સંરિત સંજ્ઞાવાળું વતે છે; તથા પ્રકારે વરસપ્રવૃત્તિને લીધે. મgruથયા ૨૬-જે અસંગાનુષ્ઠાન મહાપથ પ્રયાણ છે. મના[[નાવણ-અનાગામિ પદાવહ છે, (અપુનરાવર્તા ૫૮ પમાડનાર છે ), નિત્યપદ પ્રાપક–પમાડનાર છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ગિદષ્ટિસમુચ્ચય માર્ગમાં અર્થાત્ શુદ્ધ આત્મતત્વની સિદ્ધિ સાધનારા યોગમાર્ગમાં, સપ્રવૃત્તિપદને અસંગાનુષ્ઠાન' સંજ્ઞા આપવામાં આવી છે. આ અસંગાનુષ્ઠાન” સંજ્ઞા-નામ ઉપરથી એનું સ્વરૂપ સંજ્ઞાત થાય છે, સમ્યફપ્રકારે જણાય છે, એટલે એને “અસંગનુષ્ઠાન સંજ્ઞા બરાબર ઘટે છે. “સંજ્ઞાચક્ત અને રૂતિ સંજ્ઞા.” આ અસંગ અનુષ્ઠાન એટલે શું? તે બરાબર સમજવા માટે આ ચાર પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું જોઈએઃ (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન, (૪) અસંગ અનુષ્ઠાન. જે અનુષ્ઠાનમાં પરમ આદર-પ્રયત્નાતિશય હોય છે, પરમ પ્રીતિ ઉપજે છે, અને શેષત્યાગથી એટલે કે બીજાં બધાં કામ એક કેર મૂકી દઈ જે કરાય છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે. * એ પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય છતાં, પૂજ્યપણાની બુદ્ધિથી પ્રીતિ-ભક્તિ જે વિશુદ્ધતર વ્યાપારવાળું હોય છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. એટલે અનુષ્ઠાન બીજી બધી રીતે પ્રીતિ અનુષ્ઠાન બરાબર છતાં, આ ભક્તિ અનુષ્ઠાનમાં પૂજ્યભાવનો અંશ વિશેષ હોય છે, તેથી તે વધારે વિશુદ્ધગવ્યાપારવાળું હોય છે. આ પ્રીતિ–ભક્તિ એ બને અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે પત્નીનું અને માતાનું ઉદાહરણ છે. પત્ની છે તે અત્યંત વલ્લભ-પ્રિય છે, તેમજ જનની હિતરૂપ છે, પત્નીને જે ભજન-વસ્ત્રાદિ આપવામાં આવે છે તે પ્રીતિથી અપાય છે, અને માતાને જે આપવામાં આવે છે તે ભક્તિથી અપાય છે. આટલે એ બંને વચ્ચે ફેર છે. શા અર્થના અનુસંધાનપૂર્વક સાધુપુરુષની જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ, તે વચનાનુષ્ઠાન છે. અર્થાત્ ચારિત્રવંત સત્પષની શાસ્ત્રવચનને અનુસરતી, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એવી સર્વત્ર ઉચિત ગવાળી પ્રવૃત્તિ, શાસ્ત્રમાં કહ્યા વચન-અસંગ પ્રમાણે યથાસૂત્ર આદર્શ ( Ideal) આચરણ, તે વચનાનુષ્ઠાન છે. અનુષ્ઠાન દા. ત. અઢાર હજાર શીલઅંગને ધરનારા તે સાચા સાધુ અથવા મુનિ છે, તેવું શાસ્ત્રવચન અનુસારનું યક્ત આદર્શ આચરણ હોય તે વચનાનુષ્ઠાન. વ્યવહારકાલે શાસ્ત્રવચનથી જે નિરપેક્ષ હોય છે–શાસ્ત્રવચનની જ્યાં અપેક્ષા રહી નથી, અને અતિદઢ સંસ્કારને લીધે ચંદનગંધ ન્યાયે જે આત્મારૂપ થઈ ગયું હોય છે, એવું જે જિનકલ્પી આદિનું ક્રિયાસેવન–સર્વ પર ભાવના સંગસ્પર્શરહિત શુદ્ધ x “ यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्पीत्यनुष्ठानम् ॥ गौरवविशेषयोगाद्बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्तयनुष्ठानम् ॥ अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । સુન્યમરિ ૐચમનોજ્ઞપ્ત થાતોતિમતિ ” ”—ડિશક, ૧૦, ૩-૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ: પ્રીતિ આદિ : અનુષ્ઠાન, અનાલંબન યુગ (૫૮૧) આત્માનુચરણ તે અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે-“અભ્યાસાતિશયને * લીધે તેથી જે સાત્મીભૂત જેવું આચરાય છે, એવું અસંગાનુષ્ઠાન તે વચનના સંસ્કાર થકી હેય છે. પહેલું ચક્રભ્રમણ દંડવ્યાપારથી હોય છે અને તેના અભાવે પછીનું હોય છે, આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને વિશેષ જણાવનારૂં દષ્ટાંત છે.” અર્થાત્ હાથે હલાવતાં ચક ભમે છે, તેમાં પહેલ આંટે હાથે હલાવવાથી ફરે છે, અને પછી હાથે મૂકી દઈએ તે પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ફર્યા કરે છે. આમાં પહેલા આટા બરાબર વચનાનુષ્ઠાન છે અને પછીના આંટા બરાબર અસંગાનુષ્ઠાન છે. એટલે ભિક્ષાટનાદિ વિષયી વચનાનુષ્ઠાન વચનવ્યાપારથકી હોય છે, અને અસંગાનુષ્ઠાન વચન અભાવે પણ કેવલ તજજનિત સંસ્કારથકી હોય છે, વચનવ્યાપાર નહિ છતાં તેનાથી ઉપજેલા દઢ અભ્યાસ સંસ્કારથી આપોઆપ (Automatic) થયા કરે છે. આમ અસંગાનુષ્ઠાન એટલે વ્યવહાર કાલે વચનનું આલંબન લીધા વિના, અતિશય અભ્યાસને લીધે ઉપજેલા ગાઢ સંસ્કાર થકી, ચંદનગંધન્યાયે સાત્મીભૂત થયેલું-આત્માના સ્વભાવભૂત થઈ ગયેલું અનુષ્ઠાન–જેમ ચંદનગંધ આખા વનને સુવાસિત કરી મૂકે છે, તેમ આ અનુષ્ઠાન આ ચારિત્રવંત મહાગીને એટલું બધું આત્મારૂપ થઈ ગયું હોય છે, કે તે તેને સકલ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થઈ જઈ તેને શીલસૌરભથી સુવાસિત કરી મૂકે છે. તે અનુષ્ઠાનને તેને આત્માને એટલો બધો દઢ અભ્યાસ થઈ ગયા હોય છે, ને શાસ્ત્રવચનને તેને એટલે બધે ગાઢ સંસ્કાર લાગી ગયે હોય છે, કે વચનાલંબન વિના પણ એની મેળે સ્વરસથી તેની તથા પ્રવૃત્તિ થયા જ કરે છે. આવું તે મહાત્માનું સહજ સ્વભાવરૂપ અસંગ આચરણ તે અસંગ અનુષ્ઠાન છે. અનાલંબન યોગ આ જે અસંગાનુષ્ઠાન છે, તે જ અનાલંબન યોગ કહેવાય છે, કારણ કે અનાલંબન એ સંગત્યાગનું જ લક્ષણ છે. આ અનાલંબન યેગનું સ્વરૂપ સમજવા માટે આલંબન યુગનું સ્વરૂપ જાણવું જોઈએ. તે આ પ્રકારે અહીં આલંબન પણ આ છેરૂપી અને અરૂપી એવા પરમ; અને તે અરૂપી પરમાત્માના ગુણની પરિણતિરૂપ એ જે સૂક્ષમ છે, તે અનાલંબન યોગ છે.” " आलंचणं पि एय रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमोऽणालंबगो नाम ॥" –શ્રી હરિભદ્રસૂરિકૃત યોગવિશિકા, ગા. ૧૯ " यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ।। चक्रम्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ॥" મહર્ષિ હરિભદ્રાચાર્ય પ્રણીત છોડશક ૧૦-૭, ૮. Page #270 -------------------------------------------------------------------------- ________________ (૫૮૨) યોગદષ્ટિસમુચ્ચય અહીં (૧) રૂપી એટલે સમવસરણસ્થિત જિનરૂપ; અને તેની પ્રતિમાદિ લક્ષણવાળું આલંબન. (૨) અરૂપી પરમ એટલે સિદ્ધ પરમાત્મા. તેમાં–તે અરૂપી પરમાત્મરૂપ આલંબનના જે કેવલજ્ઞાનાદિ ગુણો, તેની સમાપત્તિરૂપી પરિણતિથી જે જણાય છે, તે તદ્દગુણપરિણતિરૂપ અનાલંબન નામનો યોગ છે. અતીન્દ્રિય વિષયપણાને લીધે તે સૂક્ષ્મ છે; અથવા તે સૂક્ષ્મ આલંબનવાળે આ યોગ છે, તેથી આ ઈષદૂ-કિચિત આલંબનરૂપ હોઈ અનાલંબન યુગ કહેવાય છે. * અને આ જે અનાલંબન યોગ છે, તે સામર્થ્ય યોગમાં પ્રાપ્ત થતી પરતત્વદર્શનેચ્છારૂપ છે. “શાસ્ત્રમાં જેને ઉપાય બતાવવામાં આવ્યો છે, પણ જેને વિષય શાસ્ત્રથી પર છે, એવો વિશેષથી શક્તિઉદ્રેકથી પ્રાપ્ત થતો આ સામર્થ્ય પરતત્ત્વ નામને ઉત્તમ યોગ છે.”—એમ આ ગ્રંથપ્રારંભમાં (લે. ૫) દર્શનેછા વ્યાખ્યા કરવામાં આવી હતી. આ સામર્થ્ય યોગ ક્ષપકશ્રેણીગત દ્વિતીય અપૂર્વકરણમાં પ્રાપ્ત હોય છે, અને તેમાં ક્ષમા આદિ ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે. આવા સ્વરૂપવાળા આ ધર્મસંન્યાસરૂપ સામર્થ્યોગ થકી જે નિઃસંગ એવી પરતત્ત્વદર્શને છા* અખંડપણે પ્રવર્તે છે, તદુરૂપ આ અનાલંબન યોગ જાણો. અર્થાત્ એક પરમાત્મા સિવાય બીજે કયાંય સંગ ન કરે– ચૂંટે નહિં એવી અસંગ શક્તિથી, અખંડ પ્રવૃત્તિથી પૂર્ણ એવી જે પરમાત્મદર્શનની ઈચ્છા તે અનાલંબન યોગ છે. અને તે પરતવનું દર્શન જ્યાંલગી નથી થયું, ત્યાં લગી જ આ હોય છે; પણ પરમાત્મ સ્વરૂપનું દર્શન થયે કેવલજ્ઞાન ઉપજતાં, અનાલંબન યુગ હેતો નથી, પણું સાલંબન હોય છે આ સમજવા માટે બાણુનું દષ્ટાંત છે : ક્ષપકરૂપ ધનુર્ધાર-બાણાવળી છે. ક્ષપકશ્રેણીરૂપ ધનુષ્ય છે. પરમાત્મા એ લક્ષ્ય-તાકવાનું નિશાન છે. તેના વેધમાં ખાલી ન જાય, અચૂક જે બાણ તાકે છે, તેના સ્થાને આ અનાલંબન યોગ છે. જ્યાં લગી તે બાણ છોડવામાં આવ્યું નથી, ત્યાં લગી જ અનાલંબન યોગ વ્યાપાર છે. પણ તે છોડવામાં આવ્યું, અચૂક એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ હોય છે. શીધ્ર પરમાત્મદર્શન થાય છે. એટલે બાણપાત બાણુના પડવા જેવો સાલંબન કેવલજ્ઞાન પ્રકાશ જ હોય છે, * “ રાજ્યને નિરાટન : જે ક્રૂિપા શેયઃ ત્તિનપધ્યાન હવાઇરતત્તરવસ્વર : ”—ષોડશક ૧૪-૧. " सामर्थ्य योगतो या तत्र दिदृक्षेत्यसङ्गशच्याढया । साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ तत्रा प्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ द्रागस्मात्तदर्शनमिषुगतज्ञातमात्रते। ज्ञेयम् । પત વર્ટ તત્ત જ્ઞાનં ચશ્વરનાં ચોતિઃ | »–ષોડશક ૧૧-૮, ૯, ૧૦, Page #271 -------------------------------------------------------------------------- ________________ તાપી સભા દષ્ટિ: પરતત્પદને છા, “અસંગ અનુષ્ઠાન'નું તાત્પર્ય (૫૮૩) નહિ કે અનાલંબન યોગ વ્યાપાર. કારણ કે ફલનું સિદ્ધપણું છે. વિશેષ જિજ્ઞાસુએ ગર્વિશિકા પર શ્રી યશોવિજયજીની ટીકા તથા છેડશક શાસ્ત્ર અવલકવાં.) આ સર્વ ઉપરથી તાત્પર્ય આ છે કે-(૧) અસંગ અનુષ્ઠાન એટલે શાસ્ત્રવચનને સંગ-અવલંબન વિના, તજજન્ય દઢ સંસ્કારથી આપોઆપ સ્વરસથી પ્રવર્તાતું એવું, નિર્ગથ વીતરાગ મુનિનું આત્મસ્વભાવરૂપ થઈ ગયેલું અસંગ આચરણ અસંગનું આ નિગ્રંથ મહામુનિનું આત્મચારિત્ર એટલું બધું આદર્શ પણે અસંગ હોય છે, કે તેમાં કોઈ પણ પ્રકારના પરભાવનો કંઈ પણ સંગ નથી હતો. સંગ બે પ્રકારના છે–બાહ્ય અને અત્યંતર. ધન ધાન્યાદિ પરિગ્રહ તે બાહ્ય સંગ છે, રાગ-દ્વેષ–મહાદિ અંતરંગ ભાવો તે અત્યંતર સંગ છે. આ બંને પ્રકારના સંગને જ્યાં સર્વથા અભાવ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. દ્રવ્ય-ભાવ નિગ્રંથપણાની અને તેમાંય મુખ્ય કરીને આદર્શ ભાવ નિર્ચથપણાની જ્યાં સંપૂર્ણ સંસિદ્ધિ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન છે. (૨) આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલંબન ગ છે. અરૂપી પરમાત્માના ગુણ સાથે સમાપત્તિ થવી, સમરસભાવ પરિણતિ થવી તે અનાલંબન યોગ છે. બીજે ક્યાંય પણ સંગ-આસક્તિ કર્યા વિના કેવળ એક પરમાત્મામાં જ ચિત્ત જેડી, પરમાત્માના અને આત્માના ગુણની એકત્વતાના ચિંતનથી તન્મયતા થવી, તે અસંગ અનુષ્ઠાનરૂપ અનાલંબન યુગ છે. (૩) અને આ અનાલંબન યોગ તે સામર્થ્યોગમાં પ્રગટતી ઉત્કટ પરતત્ત્વદર્શનેચ્છા છે. આ પરતત્ત્વદર્શનની ઈચ્છા એટલી બધી ઉત્કટતીવ્ર હોય છે, કે ત્યાં પછી બીજે ક્યાંય પરભાવમાં સંગઆસક્તિ હોતી નથી, બીજે ક્યાંય ચિત્ત ચુંટતું નથી, કેવળ પરતત્વના દર્શનની જ ઝંખના વતે છે. આમ અન્યત્ર ક્યાંય સંગ વિના–આસક્તિ વિના, આલંબન વિના, પ્રતિબંધ વિના, જે અસંગ નિગ્રંથ આચરણ થાય, એક પરમાત્માના ધ્યાનરૂપ જે અનાલંબનગ પ્રગટે, પરમાત્મદર્શનની જે ઉત્કટ ઇચ્છા પ્રવર્તે, તે સર્વ અસંગ અનુષ્ઠાન છે. આ “અનુષ્ઠાન' શબ્દનું અર્થ રહસ્ય સમજવા યોગ્ય છે. જ્ઞાનને અનુસરતી, અનુકૂળ, અવિરુદ્ધ ક્રિયા કરવી, તેનું નામ અનુષ્ઠાન છે. એટલે જે પ્રકારે દઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થયું કે દેહાદિ પરવતુથી આત્મા ભિન્ન છે, તે નિશ્ચય જ્ઞાનને અનુષ્ઠાન'નું વર્તનમાં -આચરણમાં મૂકવું અર્થાત્ દેહાદિ પરવસ્તુ પ્રત્યેના રાગાદિ રહસ્ય ભાવને ત્યાગ કરી, શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું, તે અનુષ્ઠાન છે. દેહાદિથી પ્રગટ ભિન્ન એવું જે આત્માનુભવરૂપ આત્મજ્ઞાન થયું, તેને અનુરૂપ-છાજે એમ દેહાદિ પરભાવના સંસર્ગથી રહિતપણે શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ કરવું, તે અનુષ્ઠાન છે. એટલી તેની સાધક એવી ક્રિયા તે પણ અનુષ્ઠાન નામથી ઓળખાય છે. આવા આત્માને અમૃતરૂપે પરિણમતા અમૃત અનુષ્ઠાનની સાધના કરતાં કરતાં Page #272 -------------------------------------------------------------------------- ________________ (૫૮૪) ગદષ્ટિસઝુમ્ર સમ્યગદષ્ટિ યોગી પુરુષ, સમસ્ત પરભાવ-વિભાવના સંગ-સ્પર્શ વિનાના પરમ અસંગ અનુષ્ઠાનને પામી, પરમ અમૃતમય આત્મધ્યાનદશાને પામે છે. પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે....મન, વચન અસંગી સેવ રે....ભાવિક કર્તા તન્મયતા લહેરે...મન પ્રભુ ભક્તિ સ્વયમેવ રે....ભવિ. ”-શ્રી દેવચંદ્રજી. આવું પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણરૂપ છે, મહામેક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાત્ ગમનરૂપ-છેલ્લી મજલરૂપ છે. આ અસંગ અનુષ્ઠાનથી જ સાક્ષાત એક્ષમાગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટે જ આ અસંગ અનુષ્ઠાનને અહીં “અનાગામિપદાવહ’ કહ્યું છે, અર્થાત્ અપુનરાવર્ત્ત પદ કે જ્યાંથી પુન: પાછું ફરવાનું નથી, એવું નિત્યપદ, શાશ્વત મોક્ષપદ તે પ્રાપ્ત કરાવનાર છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ નિત્ય-સદા સ્થિર એવા મોક્ષપદની પ્રાપ્તિ હોય છે. કારણકે આ અસંગાનુષ્ઠાન તે ઉપરમાં કહ્યું તેમ પરમાત્માના તન્મય ધ્યાનરૂપ અનાલંબન યુગ છે, અને પરમાત્માના સ્વરૂપધ્યાન આલંબને આત્મા અવશ્ય પરમાત્મા થાય છે,-ઈયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી બને છે તેમ. “જિન ભક્તિરત ચિત્તને રે, મન, વેધક રસ ગુણ પ્રેમ છે. ભવિ. સેવક જિનપદ પામશે રે, મન, રસધિત અય જેમ રે. ભવિ.”– શ્રી દેવચંદ્રજી. “જિન થઈ જિન જે આરાધે, તે સહી જિનવર હોવે રે ભંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જેવે રે.”—શ્રી આનંદઘનજી. આના નામે કહે છે प्रशान्तवाहितासंझं विसभागपरिक्षयः । शिववर्त्म धुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ॥ १७६ ॥ વિસભાગપરિક્ષય અને, શાંતવાહિતં નામ, ધ્રુવમાર્ગ શિવપંથ આ ગીત યોગીથી આમ, ૧૦૬, અર્થ -પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું આ અસંગ અનુષ્ઠાન વિસભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવમાગ એમ યોગીઓથી ગવાય છે. વિવેચન “વિસભાગક્ષય શાંતવાહિતા, ધ્રુવમારગ શિવ નામ; કરે અસંગ ક્રિયા ઈહાં યેગી, વિમલ સુયશ પરિણામ છે.”—એ. સક્ઝા, –પ. કૃત્તિ-કફતવાતાવંશપ્રશાંતવાહિતા સંતાવાળું,-સાંખ્યાનુ. વિમાન પરિક્ષાઃ-વિભાગપરિક્ષય, બૌદ્ધોનું. શિવવર્મ-શિવવર્મા, શિવમાર્ગ-શોનું-ધુવાધ્યા–ધ્રુવમાર્ગ-મહાવતિનું, કૃતિ–એમ, જિમિર્જાય? હા-અસંગ અનુષ્ઠાન યોગીઓથી ગવાય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ સભા દરિઃ અસંગાનુષ્ઠાનના નામ-૫૨ શાંતિ અનંત સુધામય જે (૫૮૫) આ જે અસંગ અનુષ્ઠાન કહ્યું, તેને યેગીઓએ ભિન્ન ભિન્ન નામે ગાયું છે કઈ તેને પ્રશાંતવાહિતા કહે છે, કઈ વિભાગપરિક્ષય કહે છે, કઈ શિવવર્મા કહે છે, કઈ ધ્રુવમાગ કહે છે. (૧) સાંખ્યદશની–ગદશનીઓ આ અસંગ અનુષ્ઠાનને પ્રશાંતવાહિતા નામે ઓળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતા-વહન ભાવ છે, અર્થાત્ જ્યાં અખંડ શાંત સુધારસને પ્રશાંત એકધારે પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા અસંગાનુષ્ઠાનના છે. જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં વિવિધ નામ નિમજ્જનમય અખંડ એકધારે આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા Xછે. (૨) બૌદ્ધ દશની તેને “વિસભાગપરિક્ષય” કહે છે. જ્યાં વિભાગને પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આને પરમાર્થ એમ સમજાય છે કે-અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સર્વથા ક્ષય હોય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષનો સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, તે વિસભાગપરિક્ષય છે. (૩) તેને શિવવર્મા–શિવમાર્ગ કહે છે. શિવ એટલે પરમ તત્વરૂપ મેક્ષ અથવા કલ્યાણ-નિઃશ્રેય; તેને પામવાને માર્ગ, તેના પ્રત્યે જતે માર્ગ તે શિવવર્મા, શિવમાર્ગ, મોક્ષમાર્ગ. અથવા શિવ એટલે શાંતિ, પરમ આત્મશાંતિ પામવાને માર્ગ તે શિવવક્મ. (૪) મહાવ્રતિકે તેને યુવાધ્વપ્રવ માર્ગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિં, ફરે નહિ એવું અચલ ૫૮. જેમ ધ્રુવને તારે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે, તેમ જે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ પ્રત્યે જવાને માગે તે ધ્રુવ માર્ગ, આમ જે પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને જેને અસંગાનુષ્ઠાન નામે ઓળખે છે, તેને જ અન્ય દર્શનીઓએ પણ જુદા જુદા નામે ગાઈ તેને મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના સ્પર્શ લેશથી રહિત એવું આ પરમ અસંગ વિતરાગપદ-જિનપદ, શિવપદ, બુદ્ધપદ, વિષ્ણુપદ છે; અને તે પામવાને માર્ગ પણ તે જ અસંગ અનુષ્ઠાનરૂપ છે. સકલ ભેગમાર્ગના પરમ રહસ્યરૂપ “ઇએ છે જે જોગીજન” વાળું પરમ અદ્દભુત અમર કાવ્ય કે જે ગીશ્વર * કાંતવાહિતા ઃ સંસ્થાનિકોલસાન પ્રાદુર્ભાવતિરોમાથી તદ્ગુલ્યાનગોચમ્ | "—ધા. ઠા, ૨૪, ૨૫. અર્થાત–પ્રશાંતવાહિતા એટલે વિક્ષેપના પરિહતપણુથી સદપ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રવાહ૩૫ પરિમિતા. તે વૃત્તિ એટલે વૃત્તિમય ચિત્તના નિરાધજન્ય સંસ્કારથી હોય છે. “ તથ વાતવાદિતા સંવત –(ા. ૨૦-૧૦). આ નિરોધ તે શું ? તે કે નિરોધજન અને વ્યત્યાનજન્ય સંસ્કારના અનુક્રમે પ્રાદુર્ભાવ-તિરભાવ તે નિરોધ છે, Page #274 -------------------------------------------------------------------------- ________________ (૫૬) યાગબ્લિસમુચ્ચય શ્રીમદ્ રાજચ'દ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સ નામાના પરમાભાવ સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુ ંથેલા દશ્ય થાય છે :— “સુખધામ અનંત સુસ'ત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અન ́ત સુધામય જે, પ્રણમુ' પદ તે, વર તે, જય તે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી, 4 પરશાંતિ અનત સુધામય જે’ સુખના ધામરૂપ અનંત–શાશ્વત-ધ્રુવ એવા આ પરમ પદને સ'તજના-જોગીજના ચાહે છે, નિર'તર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામયઅમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે. એવા આ પદને નમસ્કાર હા! એ પદ ૮ ૧૨' છે અર્થાત્ યાગીઓએ વરેલું-પસંદ કરેલું ( Choicest ) પરમ પદ્ય છે. એવું તે પદ્મ જયવંત વર્તો ! અત્રે ‘ સુખધામ ' શબ્દથી તેનું શિવપણુ અને અનંત' શબ્દથી ધ્રુવપણું મતાવ્યુ છે. ‘ સુધામય ' શબ્દથી વિસભાગપરિક્ષયનું સૂચન છે, અને ' ‘ પર શાંતિ અનંત' પદ્મથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સવ દશ નેાના યેગશાસ્રઓને પરમ સમત એવી યેાગપરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમા કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશ્યેા છે! ખરેખર ! શ્રીમદ્ આ છેલ્લામાં છેલ્લા શબ્દ એ સવ યાગશાસ્ત્રને પણ છેલ્લામાં છેલ્લા (last word) શબ્દ જ છે. 弱 एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदा वषैव तत्रैतद्विदां मता ॥ १७७ ॥ એહુ પ્રસાધે શીઘ્ર અહિં, સ્થિત યોગિજન શિષ્ય; તેથી એહુ-પદ્માવહા, આ જ તજ્ઞને ઇટ. ૧૭૭ અર્થ :—કારણ કે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત સ ંતા યાગી આ અસ`ગ અનુષ્ઠાનને શીઘ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દૃષ્ટિ ત્યાં આ પદ જાણનારાઓને ઈષ્ટ છે. વિવેચન આ અસંગ અનુષ્ઠાનને આ દૃષ્ટિમાં વ્યવસ્થિત યાગી શીઘ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિ:-પતર્—મ, અસંગ અનુષ્ઠાન, ત્રણ ધયાજી-શીઘ્ર પ્રસાધે છે, યત્ ચોળી-કારણકે યાગી, ચાં—આમાં, આ દૃષ્ટિમાં, વ્યવસ્થિત:-વ્યવસ્થિત સતા, તણાવપૈવ-એ પાવના આ જ છે, એ ૫૬ પમાડનારી આ જ દૃષ્ટિ છે, ત ્—તેથી કરીને, તત્ર–તેમાં, દ્વિ-એપને જાણનારાઓને, મત-મત છે, ઇષ્ટ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ અસંગનુષ્ઠાનસિદ્ધિ-પ્રણમું પદ તે, વર તે, જય હે. (૫૮૭) અસંગપદાવહા-અસંગ પદને પમાડનારી આ જ દૃષ્ટિ, તે ગમાર્ગને વિષે એ પદના જ્ઞાતા ગી પુરુષોને મત છે, ઈષ્ટ છે, અભિમત છે. આ જે અસંગ અનુષ્ઠાન કહેવામાં આવ્યું, તે અસંગ અનુષ્ઠાનને આ સાતમી પ્રભા દૃષ્ટિમાં સ્થિતિ કરતે થેગી શીધ્ર પ્રસાધે છે. અત્રે યેગી પરમ વીતરાગ ભાવરૂપ આ અસંગ પદને પામે છે, કે જ્યાં અનાદિ કુવાસનામય વિષને અસંગાનુષ્ઠાન. પરિક્ષય-વિસભાગપરિક્ષય થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા શુદ્ધ સિદ્ધિ સહજાન્મસ્વરૂપે પ્રગટ થાય છે, અને જ્યાં પરમ શાંત સુધારસનો પ્રશાંત અખંડ પ્રવાહ વહ્યા કરે છે–પ્રશાંતવાહિતા વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈિતન્ય રસામૃતસાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે પરમ ભેગી જ્ઞાન-દર્શન–ચારિત્રની અભેદ એકતારૂપ પરમાર્થ મોક્ષમાગને-શિવમાર્ગને સાક્ષાત્ પામે છે, મોક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઈ જનારા પ્રત્યક્ષ ધ્રુવમાગને પ્રાપ્ત કરે છે. “એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે.” –શ્રીમદ્ રાજચંદ્રજી આવા અસંગ-વીતરાગ વેગીની આત્મદશા પરમ અદ્દભુત હોય છે. તેમને આત્મા એટલે બધે ઉદાસીન-વીતરાગ વતે છે, કે તે સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે, એક જવલંત આત્મા સિવાય અન્યત્ર ક્યાંય સંગ કરતું નથી. આવી પરમ અદ્દભુત અસંગઉદાહરણુ ઉદાસીન વીતરાગ દશાનું શ્રીમદ્ રાજચંદ્રજીનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું – ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.” એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છઈએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છઈએ.” ઇત્યાદિ. જુઓ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૭ (૨૫). આ અસંગ અનુષ્ઠાન અત્રે સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, એટલા માટે આ સાતમી દષ્ટિ જ પરમપદને-મોક્ષપદને આણનારી, પમાડનારી હેઈ, લેગીઓને પરમ ઈષ્ટ છે, અભિમત છે. કારણ કે એ પદને-શાશ્વત પદને અથવા પ્રણમું પદ તે. અસંગાનુષ્ઠાનરૂપ સપ્રવૃત્તિપદને જેઓ સ્વરૂપથી જાણે છે, તે શાશ્વત વર તે, જય તે આત્મસ્વરૂપ પદનો-મોક્ષપદને મહિમા જેના હૃદયે વસ્યું છે, એવા Page #276 -------------------------------------------------------------------------- ________________ (૫૮૮). દરિસમુચ્ચય તજજ્ઞ યોગીઓને, તે પદની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવનારી આ દષ્ટિ જ પરમ પ્રિય, અત્યંત વહાલી હેય, એમાં આશ્ચર્ય શું? એટલે યેગીએ નિરંતર આ દૃષ્ટિની જ ઝંખના કર્યા કરે છે, નિરંતર ભાવનામય ઈચ્છા રાખે છે, અને તેવી અસંગ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાનીને સ્તવે છે કે દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનિના ચરણમાં, હે વંદન અગણિત.”—શ્રી આત્મસિદ્ધિ : પ્રભા દષ્ટિનો સાર : સાતમી પ્રભા દષ્ટિ ધ્યાનપ્રિયા છે. એથી કરીને જ આમાં “રોગ” નામને સાતમે ચિત્તદોષ હેત નથી, અને આ દષ્ટિ તત્વમતિપત્તિ નામના સાતમા ગુણથી યુક્ત, તથા વિશેષ કરીને શમસંયુક્ત એવી હેઈ, સતુપ્રવૃત્તિપદાવહા-સતપ્રવૃત્તિ પદ પમાડનારી છે. આ દષ્ટિમાં ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે શબ્દાદિ વિષયરૂપ કામસાધનને જીતનારું હોય છે, તથા વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉપજેલું એવું હોઈ સદૈવ શમસાર જ હોય છે, કારણ કે વિવેકનું ફલ શમ છે. તેમજ સર્વ પરવશ તે દુઃખ છે, ને સર્વ આત્મવિશ તે સુખ છે. આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ મુનિએ કહ્યું છે. એમ પુણ્યની અપેક્ષા રાખવાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, કારણ કે પુણ્યનું પરપણું છે, અને તેથી કરીને આ પુણ્યની અપેક્ષાવાળું સુખ તેના લક્ષણની પ્રાપ્તિથી દુઃખ જ છે. માત્ર ધ્યાનજન્ય સુખ તે જ તાત્વિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે, અને કર્મવિયેગમાત્રથી ઉપજવાપણું છે. અત્રે નિર્મલ બંધ હોઈ, મહાત્મા મુનિઓને ધ્યાન સદેવ હોય છે, કારણ કે જેને મલ લગભગ ક્ષીણ છે એવું સુવર્ણ સદા કલ્યાણ જ હોય છે. અસંગાનુષ્ઠાન સંજ્ઞાથી ઓળખાતું સપ્રવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. તે મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્ય પદ પમાડનારું છે. આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવભાગ-એમ અનેક નામે યેગીઓથી ગવાય છે; આને અત્ર સ્થિત યેગી શીધ્ર સાધે છે. તેથી આ પદ પમાડનારી આ દષ્ટિ જ યોગવિદેને ઈષ્ટ છે. પ્રભાષ્ટિનું કેષ્ટક : ૧૩ દર્શન | યોગગ ! દષત્યાગ | ગુણગ્રાપ્તિ અન્ય વિશિષ્ટતા, ગુણસ્થાન ધ્યાને સદાય સૂર્ય'પ્રભાસમ સત્મવૃત્તિ રોગ દોષ | તત્તપ્રતિપત્તિ પદાવહપણું, ત્યાગ સતપ્રવૃત્તિપદ -શ્રમસાર = અસંગાનુષ્ઠાન اسی -નિમલ બધા અનુપમ સુખ Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ : સાર, પ્રભા દૃષ્ટિના કળશ કાવ્ય (૫૮૯) કળશ કાવ્ય માલિની દિનકર શુ' પ્રકાશી આ પ્રભા નામ દૃષ્ટિ, શમ અમૃત ઘનેની અત્ર ઉદ્દામવૃષ્ટિ; નિરમલ પ્રતિપત્તિ તત્ત્વકેરી પ્રવૃત્ત, રુગરહિત ક્રિયા સૌ સદા શુદ્ધ વર્તે. ૧૩૫ વિષય સુખતણા સૌ સાધના જીતનારું, ખલી સ્વપર ભેદજ્ઞાનના જન્મનારું; પ્રશમરસી સાર ધ્યાનનું' સૌષ્ય એવુ, અહિં અનુભવી ચાખે યાગીઔપમ્ય કેવું ? ૧૩૬ પરવશ સઘળુયે લેાકમાં દુ:ખ જાણા, નિજવશ સઘળુ"યે સુખ તે તે પ્રમાણેા; લખણ સુખદુ:ખાનુ એહ સંક્ષેપમાંRsિ, પરવશ સુખ પુણ્યાપેક્ષાઁ તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ મેધે આત્મનુ શુક્લ ધ્યાન, નિશિન જ મહાત્મા જ્ઞાનીને એહ સ્થાન; મલ ગલિત થયે તે હેમ કલ્યાણ જાચુ', ત્યમ અમલ લહે ‘હ્યાં ધ્યાન કલ્યાણુ સાચુ ૧૩૮ વિષમ વિષય આદિ વિષ-જ્યાં ક્ષીણુ વત્તે, અપુનરગતિદાયી સત્પ્રવૃત્તિ પ્રવત્તે', પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુધા સરિતા, ધ્રુવ શિવ પથદાત્રી યાગીને નિત્ય પ્રીતા. પરપરિણતિ કેરા સ`ગ જ્યાં નાય કાંઇ, પર સમયની જેમાં હાય સ્વપ્ને ન છાંઈ; સમય પણ ન જેમાં હાય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સ્વસમયે તે સત્ અસગી પ્રવૃત્તિ. સત પ્રવૃત્તિપદ તે હ્યાં અસંગાનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે યાગિતુ છે પ્રયાણુ; પરિખય વિસભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવમાગ ચેાગિથી તે ગવાય. સકલ સ્થલ અસ’ગી આ અસ’ગાનુષ્ઠાન, સ્થિત અહિ· ઝટ યાગી સાધતા એહુ સ્થાન; નિશદિન મનનદી આત્મ આનદ જામે, પર પદ ભગવાન દાસ તે શીઘ્ર પામે ૧૪૨ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेन भगवानदासेन सुमनोनंदनी बृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्री योगदृष्टिसमुच्चयशास्त्र सप्तमी પ્રમાદષ્ટિઃ ॥ ૧૩૯ ૧૪૦ ૧૪૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ પરા દષ્ટિ સાતમી દષ્ટિ કહી, હવે તે પછીની કહેવામાં આવે છે. તે કહે છે – समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७८॥ સમાધિનિષ્ઠા દષ્ટિ પર, તસ આસંગ વિહીન; આત્મારૂપ પ્રવૃત્તિ જ્યાં, આશય તેથી ઉત્તીર્ણ. ૧૭૮. અથર–આઠમી પર દષ્ટિ સમાધિનિષ્ઠ અને તેના આસંગદોષથી વિવર્જિત એવી હોય છે તથા સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે. વિવેચન આઠમી દૃષ્ટિ સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણુંછ” –એ. સઝા. ૮-૧ આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ અને તે સમાધિના આસંગ દોષથી સર્વથા રહિત એવી હોય છે. વળી તે ચંદનગંધ ન્યાયે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તે પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે, કારણકે વાસક ચિત્તને અભાવ હોય છે. આ આઠમી દષ્ટિ “પર” નામની છે, અને તેનું આ “પર” નામ સર્વથા યથાર્થ છે, કારણ કે એનાથી પર કેઈ નથી, અને એ સર્વથી પર છે, પરમ છે, સત્કૃષ્ટ છે, જિક-રાપિનિr gm –આઠમી પરાદષ્ટિ તો સમાધિનિષ્ઠ હોય છે. સમાધિ તે દયાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફલ છે એમ બીજાને કહે છે. કહ્યું છે કે- તેરાપરિસ્થ ધાર ' (T. -૧), “તત્ર પ્રત્યેનાનતા ધ્યાન' (-૨), “તદેવાર્શમાત્રનિર્માતં સ્વ ચમિત્ર સમાધિ:' (. ૨-૩ ). તલાવિવર્જિતા–તેના-સમાધિના આસંગથી વિવજિત, સમીતરવૃત્તિ-સાત્મીકૃત પ્રવૃત્તિવાળી, સાત્મીભૂત પ્રવૃત્તિવાળી આ,ચંદન ધન્યાયે. તદુત્તીરાયા–તેનાથી પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળીવાસક ચિત્તના અભાવે. Page #279 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિઃ સમાધિનિષ્ઠ પર દષ્ટિ, શશિ સમ બે વખાણું , (૫૯૧) ઊંચામાં ઊંચી ને છેવટમાં છેવટની એ છે એટલા માટે એને “પર” કહી છે. અત્રે જ આધ્યાત્મિક વિકાસરૂપ ગની પરાકાષ્ઠા-છેલામાં છેલ્લી હદ પ્રાપ્ત થાય છે, પરમ તત્વની સાક્ષાત્ પ્રવૃત્તિ અત્ર હોય છે, અર્થાત્ અત્રે આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. વળી આ “પર” દષ્ટિને પામેલે ગીશ્વર સંસારથી પર થાય છે, એટલે પણ એને “પરા” નામ ઘટે છે. આવી આ યથાથભિધાના આઠમી પર દૃષ્ટિમાં પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચંદ્રપ્રભા સમાન બેધ, યેગનું આઠમું અંગ સમાધિ, આઠમા આસંગ દેષને ત્યાગ અને આઠમા પ્રવૃત્તિ ગુણની સંપ્રાપ્તિ હોય છે. આ દષ્ટિમાં પ્રાપ્ત થતું બે ચંદ્રની પ્રજા સરખે હોય છે, કારણ કે સાતમી દૃષ્ટિ કે જેને બધ-પ્રકાશ સૂર્યપ્રભા સમાન હોય છે, તેના કરતાં આ આઠમી દષ્ટિને બંધ અધિકતર હોય છે. સૂર્યને પ્રકાશ તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, શશિ સમ બોધ ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હોઈ વખાણુંજી શીતલતા ઉપજાવે છે, પરમ આલાદ આપે છે અને બન્નેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે, એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ પૂર્ણ ચંદ્રની જેમ જ્યાં પૂર્ણ જ્ઞાનચંદ્રને પ્રકાશ સોળે કળાએ ખીલી ઊઠે છે, એવી આ દૃષ્ટિને બંધ પરમાત્કૃષ્ટ હોય છે, અને તે બધ-ચંદ્રની જ્ઞાન સ્ના સમસ્ત વિશ્વને પ્રકાશિત કરે છે, પણ તે વિશ્વરૂપ થતો નથી. (જુઓ પૃ. ૭૫૭–૪૮૭) આમ આ પરાષ્ટિને ચંદ્રની ઉપમા સાંગોપાંગ સંપૂર્ણપણે ઘટે છે, કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સમવસ્થિત રહી અત્રે બોધની વિશ્વપ્રકાશકતા હોય છે, પણ વિશ્વવ્યાપકતા નથી હોતી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને લેશ પણ પ્રવેશ હેતું નથી, કેવળ નિર્ભેળ શુદ્ધ અદ્વૈત અવસ્થા જ હોય છે, અને આમ બેધની પરાકાષ્ઠા પ્રાપ્ત હોવાથી અત્રે યોગનું આઠમું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ સમાધિનિષ્ટ હોય છે–સદા સદ્ધયાનરૂપ જ હોય છે. આ સમાધિ એ ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફળ છે એમ બીજાઓ સમાધિનિષ્ઠતા કહે છે. ચિત્તને દેશબંધ તે ધારણ, તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન, અને તે જ ધ્યાન અર્થ માત્ર નિર્માસરૂપ હેઈ જાણે સ્વરૂપશૂન્ય હોય છે તે સમાધિ છે. અર્થાત્ જ્યાં થેય વસ્તુમાત્ર જ દેખાય છે ને ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી, અને આમ જ્યાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની ત્રિપુટીની એકતા થાય છે,કેવળ એક સહજ એવું આત્મસ્વરૂપ જ સહજ સ્વરૂપે ભાસે છે, તેનું નામ સમાધિ છે. અત્રે નિરંતરપણે આવી પરમ આત્મસમાધિ જ વર્તે છે, એટલે આ દષ્ટિમાં સ્થિતિ કરતા યોગીશ્વરની સહાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનું જે દ્રત હતું તે સર્વથા ટળી ગયું, Page #280 -------------------------------------------------------------------------- ________________ (૫૯૨) ગદરિસરુચ્ચય એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિતિરૂપ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે. આમ આ દષ્ટિ સમાધિમાં નિષ્ઠાને-અંતિમ આત્યંતિક સ્થિતિને પામે છે, એટલે જ એને અત્રે “સમાધિનિષ્ઠ કહી છે. શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભોગી યદા, આત્મ ક્ષેત્રે નહિ અને રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રઢતા, શક્તિ ઉત્સગની હોય સહુ વ્યક્તતા.”–શ્રી દેવચંદ્રજી. આ પરમ સદ્ધયાનરૂપ આત્મસમાધિ નિવિકલ્પ જ હોય છે, કારણ કે અત્રે ઉપર કહ્યા પ્રમાણે બધ પણ ચંદ્ર જેવો નિર્મલ તથા નિર્વિકલ્પ હોય છે. એટલે એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારને કેઈ પણ વિકલ્પ ઊઠવાનો સર્વથા અસંભવ જ નિર્વિકલ્પ દશા છે. આમ અત્રે નિર્વિકપ અખંડ આત્મસમાધિ હોય છે, એટલે ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે, જ્ઞાતા, રેય ને જ્ઞાનની ત્રિપુટી પણ લય પામે છે, જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે. અત્ર સમસ્ત દ્વૈતભાવ અસ્ત પામી જાય છે, ને એક શુદ્ધ આત્મા સ્વભાવસમવસ્થિત રહે છે, શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંતચરણવંત વર્તે છે, સ્વસ્વભાવમાં વિકસે છે. “નિર્વિકલ્પ સુસમાધિમેં હૈ, ત્રિગુણ ભયે હે અભેદ.” “ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે; ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, ધ્યેય સિદ્ધતા વેદે રે....પ્રભુ અંતરજામી ! –શ્રી દેવચંદ્રજી. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ...મૂળ મારગ. તેહ મારગ જિનને પામિયે રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ...મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આ પરમ ગીદ્ર આવી નિર્વિકલ્પ દશા આવા અખંડ આત્મધ્યાનથી પામે છે – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છG. નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છG. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૭૬૦. (૮૩૩) આમ વિકલ્પજાલથી ચુત થઈ શાંત ચિત્તવાળા જે ગીશ્વરે નયપક્ષપાત છેડી, નિત્ય સ્વરૂપગુપ્ત થઈને નિવસે છે, તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. અર્થાત્ જેઓ નિર્વિકલ્પ એવું શુદ્ધ-શુકલ આત્મધ્યાન ધ્યાવે છે, તેઓ જ પરમ Page #281 -------------------------------------------------------------------------- ________________ પરા દ્રષ્ટિ નિવિ કપ દશા, સ્વરૂપશુનુ' અમૃતપાન (૫૯૩) સ્વરૂપગુપ્તનું જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખને સાક્ષાત્ અમૃતપાન અનુભવ કરે છે. એ પ્રમાણે તાત્ત્વિકશિરામણિ શ્રી અમ્રુતચ`દ્રાચાજીએ શ્રી સમયસાર ફ્લશમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં લલકાર્યુ છેઃ— " य एव मुक्त्वा नयपक्षपात, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तारत एव साक्षादमृतं पिबन्ति ॥ " આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દૃષ્ટિમાં આસગ નામના આઠમા ચિત્તદોષને સર્વથા ત્યાગ હૈાય છે. અમુક એક જ યાગયિાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ—તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે માસગદોષ છે. જે ક્રિયા કરતા હાય, તેમાં ‘ઇદમેવ સુંદર’ આ જ સુંદર છે રૂડું' છે-ભલું છે, એવા જે રંગ લાગવેા, આસક્ત ભાવ થવા, તેમાં જ ગુંદરીયા થઇને ચાંટયા રહેવુ, તે આસંગ અર્થાત્ આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ આસક્ત થઈને ચાંટી રહે-મથો રહે, તે પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ ( Progress, Advancement) ન થાય, આગળનુ. ગુણસ્થાન ન સ્પર્શાય, અને તેથી પરમાર્થ રૂપ સકુળ-માક્ષલ ન મળે. (જુએ પૃ. ૮૬ ). આમ'ગ દોષત્યાગ “ ચંદન ગંધ સમાન ક્ષમા ઈંડાં, વાસકને ન ગવેષેજી; આસંગે વજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી. ”—યા, સજ્ઝા૦, ૮–૨ અથવા પૂર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. આ દૃષ્ટિવ'ત વીતરાગ મહાયાગીની પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હેાતી નથી, સ્વપ્નાંતરે પણ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતા નથી; કારણ એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી, એવી અખડે આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ ઢાય ? અરે ! અન્યત્ર આસંગ તે। દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યુ' તેમ યાગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસ‘ગ હાતા નથી! અને તેથી કરીને જ ઉત્તરોત્તર સમાધિપ્રકને પામતા આ યાગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતા આગળ વધે છે; એક જ સ્થાને પડયો રહેતા નથી, પણ સમયે સમયે અનંતા સંયમ વમાન કરતા રહી તે ઝપાટાબંધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતા ચઢતા ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે. “ અનુક્રમે સયમ સ્પર્શતાજી, પામ્યા ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી લડેજી, પૂજું પદ્મ નિષ્પાવ. ”—શ્રી યશાવિજયજી Page #282 -------------------------------------------------------------------------- ________________ (પ૯૪) ગદષ્ટિસંજીર T અને સાતમાં પ્રતિપત્તિ-તત્વાનુભવરૂપ ગુણ પ્રગટયા પછી, સ્વાભાવિક ક્રમે આ આઠમી દષ્ટિમાં આઠમે પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે, જેથી યથાતત્ત્વ પ્રવૃત્તિ હોય છે. એટલે કે * જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે આ૫ સ્વભાવે પ્રવર્તનરૂપ, આચરણરૂપ ચારિત્રરૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણે પ્રવૃત્તિ પૂરણ” હોય છે. અર્થાત્ આત્માને સ્વભાવ જ્ઞાન-દર્શનરૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હોવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ અત્રે પ્રગટે છે. આમ આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણરૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે. આત્માકાર થઈ જાય છે. આત્મા સ્વયં ચારિત્રમૂર્તિ બને છે, આત્માના નામ ચારિત્ર પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થાય છે. જેને વાસકની–સુવાસિત તે અણલિંગ” કરનારની અપેક્ષા નથી, એ ચંદનને ગંધ વનમાં સર્વત્ર પ્રસરી જઈ તેને સુવાસિત કરે છે, તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આ પ્રવૃત્તિ ગુણ વિકસતું જાય છે, તેમ તેમ મેહનીય કમરને ક્ષય થતું જાય છે, ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, છેવટે યથાખ્યાત પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે. એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે-પ્રસિદ્ધ છે, અથવા તે જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ આખ્યાત છે-જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું અત્ર પ્રગટ થાય છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ મારગ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામચારિત્ર તે અણલિંગ મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી. વળી આ દૃષ્ટિ પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે–વાસક ચિત્તના અભાવને લીધે. એટલે કે હવે ચિત્ત-આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ-પાર ઉતરી ગયેલ હોય છે. ચિત્તને કંઈ પ્રવૃત્તિ કરવાપણું રહ્યું નથી, એટલે તેની સમસ્ત પ્રવૃત્તિ નિવૃત્ત પ્રવૃત્તિ અનંત થાય છે, બધી દોડાદોડ બંધ થાય છે ને તે આત્મામાં લય પામે છે. અપહારી હે' અત્યાર પહેલાં વાસનાનંત આત્માની બધી પ્રવૃત્તિ ચિત્તદ્વારા થતી હતી, જ્યાં સુધી લેશરૂપ વાસના હતી ત્યાં સુધી વાસનાવાસિત ચિત્ત જીવને બધા કારભાર ચલાવતું હતું. પરંતુ હવે તે કલેશરૂપ વાસના નિમૂળ થતાં, વાસનાનું બીજ સર્વથા બળી જતાં, આત્મા પિતે જ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, વચ્ચે મફતીઆ મારફતીઆ (agent) ચિત્તની ડખલ રહેતી નથી. આમ પદભ્રષ્ટ મંત્રીની જેમ વાસનાવાસિત ચિત્ત અત્ર નિર્વાસિત થાય છે ! એટલે “શ્ચિત્તવૃત્તિનિધઃ ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગની સંપૂર્ણ સિદ્ધિ અત્ર સંપ્રાપ્ત થાય છે. સર્વ પ્રદેશ પ્રગટ સમગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી હે; પરમ ગુણ સેવનથે સેવક, અપ્રશસ્તતા વારી હો.”—શ્રી દેવચંદ્રજી. Page #283 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ : “આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, (૫૫) લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. “જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ. “આવે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.” શ્રીમદ્ રાજચંદ્રજી. निराचारपदो ह्यस्यामतिचारचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥१७९॥ નિરાચાર એગી અહી, નિરતિચાર જ હોય; તસ ચેષ્ટિત-આરૂઢનું, આરેહણ જ્યમ નોગ્ય. ૧૭૯ અથ –આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદવાળ, અતિચારથી વિવજિત-રહિત એ હોય છે. આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ એનું ચેષ્ટિત હોય છે. વિવેચન આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદ્ધવાળા હોય છે. કઈ પણ આચાર કરવાનું પ્રજન તેને હોતું નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનો અભાવ હોય છે. વળી તે અતિચારથી વિવર્જિત-સર્વથા રહિત હોય છે, કારણ કે કઈ પણ અતિચાર લાગવાનું કારણ તેને હોતું નથી. આરૂઢને આરહણના અભાવની જેમ આ ગીનું ચેષ્ટિત હોય છે, કારણ કે આચાર વડે જીતવા યોગ્ય એવા કમનો તેને અભાવ થયો છે. એટલે કેઈ આચારનું પાળવાપણું તેને બાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયો હોય છે. “નિરતિચાર પદ એહમાં યેગી, કહિયે નહિં અતિચારીજી; આરે આરૂઢ ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી” . દ. સઝા. ૮-૧. જ્યારે યોગી આ આઠમી પર દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કેઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવો કપાતીત થાય છે. અત્યાર સુધી કૃત્તિ-નિવારનો દિ-નિરાચાર પદવાળે જ, ચાં-આમાં, મા દષ્ટિમાં યોગી હોય છે –પ્રતિક્રમણાદિના અભાવથી, અત્તિવાવિકસિત -અતિયાર વિવજિત-રહિત-તેના નિબંધનના અભાવને લીધે જ હૃાો[નામાવત્તિ 7 રથ રેટિર-આરઢના આરોહણ અભાવની ગતિ જેમ આનું–ગીનું ચેષ્ઠિત હોય છે. આચારથી જય-જય કરવા ગ્ય એવા કમના અભાવથી નિરાચાર પદવાળો હોય છે, એમ અર્થ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ (૫૬) ગદષ્ટિભ્રમુચ્ચય યોગસાધના માટે જે જે આચાર આવશ્યક હતા, અવશ્ય કરવા યોગ્ય નિરાચાર પદ હતા, તે હવે અત્રે સંપૂર્ણ યોગસિદ્ધિ સાંપડતાં નિરુપયોગી બની જાય એહમાં યોગી' છે, નિષ્પોજન થાય છે. પૂર્વે પ્રારંભિક સાધકને જે પ્રતિક્રમાદિ સાધન ગભૂમિકા પર ચઢવા માટે ઉપકારી હતા, તે હવે ગારૂઢ એવી સમાધિદશા પામ્યા પછી યોગસિદ્ધ પુરુષને અકિંચિત્કર-નકામા થઈ પડે છે. ગારંભ દશામાં જે પ્રતિક્રમણાદિ આવશ્યક આચાર અમૃતકુંભરૂપ હોય છે, તે જ સાધનને જે નિષ્પન્ન-સિદ્ધ યોગદશામાં પણ વળગી રહેવામાં આવે છે તે વિષકુંભરૂપ થઈ પડે છે; કારણ કે અખંડ આત્મસમાધિરૂપ આત્મસ્થિતિમાં તે તે ક્રિયા ઉલટો વિક્ષેપ પાડે છે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાનો હેતુ અનુક્રમે આત્મસમાધિદશા પામવાને છે, તે હેતુ સિદ્ધ થઈ ગયા પછી તે તે સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી. અત્રે શંકા થવી સંભવે છે કે-“આ શુદ્ધ આત્મ ઉપાસનથી શું ? કારણ કે પ્રતિક્રમાદિથી જ આત્મા નિરપરાધ થાય છે. અપ્રતિક્રમણાદિ સાપરાધને–અપરાધીને અપરાધ દૂર નહિ કરનાર હોવાથી વિષકુંભરૂપ છે, અને પ્રતિક્રમણાદિ પ્રતિકમણુદિ અપરાધ દૂર કરવાપણાથી અમૃતકુંભ છે. તેનું સમાધાન-પ્રતિક્રમણાદિ વિષકુંભ કેમ? અપ્રતિક્રમણદિના ત્રણ પ્રકાર છે –(૧) અજ્ઞાની જનનું જે અપ્રતિ ક્રમશુદિ છે તે તે સાક્ષાત્ વિષકુંભ જ છે. કારણ કે તેમાં તે શુદ્ધ આત્મસિદ્ધિને અભાવ જ છે, એટલે એ સ્વયં અપરાધરૂપ જ છે, (૧) (૪) બીજુ જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ્ય વિનાનું હોય, તે પણ વિષકુંભ જ થઈ પડે છે, કારણ કે તે આત્માર્થરૂપ સ્વકાર્ય સાધતું નથી, અને માનાર્થ આદિપ વિપરીત કાર્ય સાધે છે, એટલે આત્માને વિષરૂપે જ ઝેરરૂપે જ પરિણમે છે. (૫) પણ તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ જે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાના લક્ષ્યવાળું હોય, આત્મસિદ્ધિને લક્ષ્ય રાખીને કરવામાં આવતું હોય, તે વ્યવહારથી તે અમૃતકુંભરૂપ હોય છે, અર્થાત આત્માને અમૃતરૂપે પરિણમવાનું કારણ થાય છે. (૩) ત્રીજુ જ્ઞાનીજનનું જે તૃતીય ભૂમિકારૂપ–શુદ્ધ આત્મસિદ્ધિરૂપ અપ્રતિક્રમણાદિ છે, તે તે સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે, અર્થાત્ આત્માને સાક્ષાત અમૃતરૂપે પરિણમે છે. એટલે શુદ્ધ આત્મસિદ્ધિસંપન્ન આવા ગારૂઢ જ્ઞાનીની અપેક્ષાએ તેઓને દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ છે, અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે *(સરખા-વિષ, અમૃત આદિ અનુષ્ઠાન સ્વરૂપ). •" पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥ अपडिकमण अप्पडिसरणं अप्परिहारो अधारणा चेव । अणियत्ती व अणिंदा गरहा सोही अमयकुंभो ॥" (જુઓ ) સમયસાર ગા. ૩૦૧-૩૦૭ અને અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા, Page #285 -------------------------------------------------------------------------- ________________ પર દર નિરાશાર પદ એહમાં ગી?-ગારૂઢની વાત ન્યારી (૫૯૭) અને એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સિદ્ધ યોગી જ્ઞાની પુરુષ આ અમૃતકુંભ સમી અપ્રતિકમણદિરૂપ ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત હેવાથી, તેમને સાધકોપયોગી એવી દ્રવ્ય પ્રતિકમણાદિ આચારકિયા હોતી નથી; અપ્રતિક્રમણદિ કારણ કે સમસ્ત ક્રિયાકલાપને એક ઈષ્ટ ઉદ્દેશ શુદ્ધ આત્મસિદ્ધિ એ જ અમૃતકુંભ છે, અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ તે અત્રે પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે હવે તેનું કંઈ પ્રજન રહ્યું નથી. કારણ કે * “કમ જે પૂર્વકૃત શુભાશુભ અનેક વિસ્તાર વિશેષવાળું છે, તેનાથી જે આત્માને નિવર્તાવે–પાછો વાળે તે પ્રતિકમણ છે.” અથવા તે “સ્વસ્થાનમાંથી જે પ્રમાદને વશ થઈ પરસ્થાને ગયો હોય, તેનું પુનઃ પાછું ત્યાં જ મૂળ સ્થાને કમણુ–ગમન તે પ્રતિક્રમણ કહેવાય છે.' અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ પદમાંથી જે ભ્રષ્ટતા થઈ હતી, ત્યાં “મૂળ શુદ્ધ તે આત્મપદ 'માં પાછું આવી જવું તેનું નામ પ્રતિક્રમણ છે; આવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં પુનરાગમનરૂપ ભાવપ્રતિકમણુપરમાર્થ પ્રતિક્રમણ અત્રે નિષ્પન્ન ગીને પ્રાપ્ત થઈ ચૂકયું છે. એટલે એમને એવી પરમ નિરપરાધ-નિર્દોષ આત્મદશા પ્રગટી છે, કે ત્યાં લેશ પણ અપરાધને પુનઃ સંભવ નથી. તે પછી અપરાધના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણને અવકાશ ક્યાંથી હોય? આમ તેમને શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિતિમય પરમ અમૃતસ્વરૂપ અપ્રતિકમણ દશા ઘટે છે. તે જ પ્રકારે અપ્રત્યાખ્યાનાદિ બાબત સમજી લેવું. અત્રે આ દૃષ્ટાંત ઘટે છે–પર્વત પર ચઢવા માટે આરેહણક્રિયા-ચઢવાની ક્રિયા કરવી પડે છે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી કાંઈ ચઢવાની ક્રિયા કરવી પડતી નથી. તેમ યોગગિરિ પર ચઢવા માટે ઉત્તરોત્તર યોગભૂમિકા વટાવવારૂપ ગારૂઢની આરેહશુક્રિયા કરવી પડે છે, પણ ગગિરિના શૃંગ પર આરૂઢ વાત ન્યારી થયા પછી કંઈ પણ યોગસાધનરૂપ આરોહણક્રિયા કરવી પડતી નથી. સાધક દશામાં વત્તતા ગાહકને જે અવલંબન–સાધન અનિવાર્ય પણે આવશ્યક છે, અવશ્ય જરૂરના છે, તે નિષ્પન્ન ગદશાને પામેલા ગારૂઢ જ્ઞાની પુરુષને કંઈ પણ કામના નથી. કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? ધરાયેલાને જમવાનું શું? આમ પરમ અદ્દભુત આત્મસમાધિમય પરમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનયોગીની વાત એ છે, ન્યારી છે. ત્યાં પ્રાકૃત જનને કાયદો કેમ લાગુ પડે? સામાન્ય જનના અનુમાનના કાટલે જોખવાનું કેમ પાલવે? અને સામાન્ય પ્રાકૃત જન તેવા જ્ઞાનીજનનું અનુકરણ કરવાની ધૃષ્ટતા કરે તે પણ કેમ કામ આવે? ભૂખ્યાને ભેજન + “ વં પુછવયં સુહાગુમળાવિત્યવિષે તો ચિત્ત અવયં તુ ગો તો વિમળા”—સમયસાર ગા. ૩૮૩. "स्वस्थानात्यत्परस्थान प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते " Page #286 -------------------------------------------------------------------------- ________________ (૫૯૮) યોગદષ્ટિસમુરચય કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને–તૃપ્ત થયેલાને કાંઈ જરૂર રહેતી આનંદઘન નથી. તેમ પરમ જ્ઞાનામૃતના પાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને પ્રભુ જાગે રે હવે કઈ આલંબન–સાધનની અપેક્ષા રહેતી નથી, કારણ કે આલંબન સાધનને ત્યાગી જેણે પરપરિણતિને ભગાડી છે, એવા સહજાન્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન-જ્ઞાન-વૈરાગ્યમાં જાગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિરૂપ સદેદિત જાગ્રત એવી ઉજાગર દશામાં બિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયું હોવાથી સાધનની કંઈ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા હોવાથી એને હવે કંઈ કરવાનું રહ્યું નથી. આલંબન સાધન જે ત્યાગે, પરંપરિકૃતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્ય, આનંદઘન પ્રભુ જાગે રે.”—શ્રી આનંદઘનજી. આ પરમ જ્ઞાની પુરુષ પરમ કૃતકૃત્ય, પૂર્ણ કામ થઈ ચૂક્યા છે; કારણ કે જ્યારથી ચેતન પોતે વિભાવથી ઉલટ થઈ–વિમુખ થઈ, સમય પામી પિતાને સ્વભાવ ગ્રહણ કરી લીધું છે, ત્યારથી જ જે જે લેવા યોગ્ય હતું તે તે સર્વે તેણે કૃતકૃત્ય જ્ઞાન લઈ લીધું છે, અને જે જે ત્યાગ યેગ્ય હતું, તે તે સર્વ છેડી દીધું | દશા છે. એટલે તેને હવે કંઈ લેવાનું રહ્યું નથી કે મૂકવાનું બીજું કાંઈ રહ્યું નથી, તે હવે તેને બાકી નવીન કાર્ય શું રહ્યું છે? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચન-તરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ યોગીશ્વરે આત્માને શુદ્ધ કરી દીધું છે. જનહિ તે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમે પાઈ અપને સુભાવ ગહી લીને હૈ, તબહિ તે જે જે લેન જોગ સો સો સબ લીને, જે જે ત્યાગ જોગ સે સો સબ છાંડી દીને હૈ. લેવેકી ન રહી ઠોર ત્યાનિકે નહિ ઔર, બાકી કહા ઉર્યો જુ, કારજ નવીને હૈ, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરત્ર ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપ શુદ્ધ કીને હૈ.” –શ્રી બનારસીદાસજીકૃત હિંદી સમયસાર, આવી પરમ અદ્ભુત વીતરાગ જ્ઞાનદશાને જેણે પિતાના જીવનમાં સાક્ષાત્ અનુભવ કર્યો છે, એવા પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજી આ સુભાષિતમાં વર્ણવેલ જ્ઞાનદશાની મુક્ત કંઠે પ્રશંસા કરતાં પરમેલલાસથી કહે છે કે – લેવેકી ન રહી ઠોર, ત્યાગીવેકી નહિ ઔર બાકી કહા ઉબ જુ. કારજ નવીને હૈ” સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. એટલે હવે બીજુ કેઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂખ પણ છે નહિ; અને જ્યાં કેવલ સ્વરૂપસ્થિત છે, ત્યાં તે પછી બીજુ કાઈ રહ્યું Page #287 -------------------------------------------------------------------------- ________________ ૫ દિ: ઉતકૃત્ય જ્ઞાનદશા, લેકી ન રહી ઠોર' (૫૯૯) લેકી ન નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ રહી ઠેર બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગયું ? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણકામતા થઈ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૭૫. (૩૨૮) કેવી અદ્ભુત ધન્ય દશા ! આવા કૃતકૃત્ય, પૂર્ણ કામ જ્ઞાની પુરુષને ગ્રહણ-ત્યાગરૂપ ક આચાર આચરવાના બાકી રહ્યો હોય? કારણ કે “મૂઢ જીવ મ્હારમાં ગ્રહણત્યાગ* કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં-અંતરમાં ગ્રહણ-ત્યાગ કરે છે, પણ કહીયે નહિં નિષ્ઠિતાત્માને હાર કે અંદર ગ્રહણત્યાગ હોતા નથી.” આમ નિરાચાર અતિચારીજી' પદને પામ્યા હેવાથી અત્રે તેને કારણના અભાવે કઈ પણ અતિચારને સંભવ રહેતું નથી. કારણ કે આચારમાં અતિચાર લાગે, પણ અત્રે તે આચાર જ નથી, તે અતિચાર કયાંથી લાગે ? આવી નિરાચારપદવાળી ઊંચી આત્મદશાને પામેલા મહાત્માઓનું વર્તમાન ઉદાહરણ શ્રી ચિદાનંદજી મહારાજના અધ્યાત્મ જીવનમાંથી મળી આવે છે. આ અગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે જૈન મુનિ થયા પછી પિતાની પરમ નિર્વિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી યમ-નિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને (ચિદાનંદજીને ) લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન કરવું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીએ પ્રવત્તવું અને ન પ્રવર્તાવું બને સમ છે. આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. ” ઈત્યાદિ.– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯ (૨) (૨૨) આને ભિક્ષાટનાદિ આચાર કેમ હેય? એવી આશંકા દૂર કરવા કહે છે– रत्नादिशिक्षादृग्भ्योऽन्या यथा दृक् तन्नियोजने । तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८०॥ કૃત્તિ –ત્રાફિશિક્ષદો -રત્નાદિની શિક્ષાદષ્ટિ કરતાં, અન્યા-અન્ય, ભિન્ન જ, અથા-જેમ, -જિ. તરિકોને-તે રત્નાદિના નિયોજનમાં—શિક્ષિત હોતી, તથા તેમ. આના ડ્યિાળાઆ ગીની આચારક્રિયા પણ, સૈવ- તે જ, ભિક્ષાટનાદિ લક્ષણવાળી, ચા–અન્ય, ભિન્ન, જુદી જ હોય છે. કયા કારણથી ? તે કે રમત-ભેદ થકી-પૂર્વ સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, અને હમણાં તે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે. x “ त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । નાન્સદ્દિાને ન ચારે નિષ્ઠિતાત્મનઃ » સમાધિશતક. Page #288 -------------------------------------------------------------------------- ________________ (૬૨૦) યોગદદિસમુરચય રત્નાદિશિક્ષા દષ્ટિથી, નિજન દષ્ટિ ભિન્ન; ત્યમ આચાર ક્રિયા ય તસ, તે કુલ બે ભિન્ન, ૧૮૦ અર્થ:–રત્નાદિની શિક્ષાદષ્ટિ કરતાં જેમ તેના નિજન સંબંધી દષ્ટિ ભિન્ન હોય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલશેદને લીધે ભિન્ન હોય છે. વિવેચન “શિક્ષાથી જ્યમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન ત્યમ એહે.—શ્રી , સઝા, ૯-૨ રત્નાદિકની શિક્ષાદષ્ટિઓ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયોજન વિષયમાં દૃષ્ટિ અન્ય જ હોય છે, ભિન્ન જ હોય છે, તેમ આ યોગીની તે જ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હોય છે. શા કારણથી? તો કે ફતભેદથી, પૂર્વે સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, હવે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે. પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે દષ્ટિ હોય છે, તે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રત્નનું નિયોજન કરે છે એવા તે શિક્ષિતની દષ્ટિ જૂદી જ હોય છે, કારણ કે પ્રથમ તે શિખાઉને તે વિષય સંબંધી શિક્ષાથી જ્યમ કંઈ જ્ઞાન હોતું નથી. રત્ન કેવું છે? તેનું સ્વરૂપ શું? તેના પ્રકાર શું ? રતન નિયોજન' તેના ગુણ-દોષ શું? તેનું મૂલ્ય શું? ઈત્યાદિ બાબત તેને સાવ અજ્ઞાત હોય છે. એટલે તેને તે સંબંધી કુતૂહલ બુદ્ધિ હોય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રત્નની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તદ્દવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રત્નપરીક્ષામાં સુશિક્ષિત એ તે ઉપલબ્ધ જ્ઞાનને વ્યવહારમાં વિનિયોગ કરે છે, જ્ય-વિક્રયાદિ પ્રયોગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન (Theoretical knowledge) હતું, ત્યારે હવે તે તેને અનુભવસિદ્ધ પ્રયોગ (Practical application) હોય છે. એટલે પહેલાંની શિખાઉ દષ્ટિ કરતાં આ વિનિયોગ દશાની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હોય છે. તેમ અત્રે પણ ગીની તે જ ભિક્ષાટન આદિ આચારકિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ હોય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં અને દષ્ટિમાં મહદ્ અંતર છે. અથવા તે એકડીઆને પ્રથમ તે માતૃકાક્ષરનું–બારાખડીનું જ્ઞાન પણ નથી હોતું, એકડો પણ નથી આવડતું. પણ તે ખંતીલે વિદ્યાર્થી બનીને એકડો ઘુંટતાં ઘુટતાં, ક્રમે કરીને શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતો કરતે, વિદ્યાપારંગત સ્નાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને બહાર પડે છે! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનને વ્યવહાર ઉપગ કરે છે–ચથાયોગ્ય વિનિયોગ કરે છે. તેની નિશાળીઆ તરીકેની શિખાઉ અવસ્થાની Page #289 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ : શિક્ષા દૃષ્ટિથી નિયેાજન દૃષ્ટિ ભિન્ન, નિષ્કષાય ‘સાધુ ’ (૬૦૧) દૃષ્ટિમાં અને જીવન–વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દૃષ્ટિમાં ઘણા જ ફરક હાય છે. તેમ અત્રે પણ આચારની ખાખતમાં પ્રારંભક સાધક યાગીની દૃષ્ટિ કરતાં, યેાગારૂઢ સિદ્ધ ચેગીની દૃષ્ટિ ભિન્ન—જૂદા પ્રકારની હાય છે. અથવા તે। સ`ગીત શાસ્રથી અનભિજ્ઞ અણુ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સબધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે તે સંગીત કલામાં પ્રવીણ ખને છે, અને તેમાં એનેા હાથ એવા એસી • દૃષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ–મૂનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એહાજી' ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનરંજન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પરત્વે પ્રથમની અભ્યાસદશામાં સાધક ચેાગીની જે દૃષ્ટિ હાય છે, તેના કરતાં ગીતા નિષ્પન્ન જ્ઞાનદશામાં દૃષ્ટિ ભિન્ન વ્હાય છે. આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સ ́ગીત આદિ છે તેા તેના તે, પણુ તેના પ્રત્યેની શિખાઉની દૃષ્ટિમાં ને શિક્ષિતની દૃષ્ટિમાં પ્રગટ ભેદ હેાય છે; તેમ શિક્ષાટનાદિ આચારક્રિયા છે તા તેની તે, પણ તેના પ્રત્યેની સાધક યાગીની દૃષ્ટિ કરતાં અત્રે સિદ્ધ નિષ્પન્ન ચેગીની દૃષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની–એર જ હાય છે. કારણ કે પૂર્વ સ ંપાયિક-કષાય સંબધી કક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભવાપગ્રાહી કમ ક્ષય એ લ છે. પૂર્વે નિગ્રંથ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય સબંધી કમ ક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાયના પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીના દેહ પણ માત્ર સયમને માટે હતા, અને તે દેહ દ્વારા સયમયાત્રાના નિર્વાહ અર્થે જ શિક્ષાટનાદિ ક્રિયા આવશ્યક હતી, તથા એ બધુÖય કષાય–ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વીતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા · સાધુ 'ને કવચમ્ હેય તે અતિ અતિ સૂક્ષ્મ એવા સજ્વલન ક્યાય જ હાય, એથી અધિક કષાય × હાય જ નહિ, છતાં ભેદ d 6 × શ્રીમાન્ હરિભદ્રસૂરિજી શ્રી પચાશક સાસ્ત્રમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ ' ને કાલદોષથી હાય તો કવચિત્ સજ્વલન કષાયને ઉદ્દમ હોય, બાકી તેા કષાય હાય જ નહિં, અને જો હાય તે તે સાધુ જ નથી. કારણ કે સલેમ અતિચારા સંજ્વલનના ઉમથી હાય છે, પણ અનંતાનુબંધી આદિ ખાર ષ યના યથી તા સચાડો વ્રતભંગ થતો હોવાથી મૂલવ પ્રાયશ્ચિત્ત લાગે છે " चरिमाण वि तह णेयं संजलणकसायसंगमं चेव । माईठाणं पायें असई पि हु कालदोंसेण ॥ सव्वेविय अइयारा संजलणाणं तु उदयओ होंति । મૂછેખ પુળ હોર્ વાસરૂં લાયાળું ।।”—શ્રી પચાશક, Page #290 -------------------------------------------------------------------------- ________________ (૬૦૨) થાગદષ્ટિસમુચ્ચય તે મહામુનિ આંખના કણાની જેમ તે કષાયકણિકાને પણ સાંખી શકતા નથી, એટલે સર્વ આત્મપ્રદેશમાંથી પરમાણુ માત્ર કષાયકણને પણ કાઢી નાંખવા માટે તે સર્વાત્માથી પ્રવર્તે છે, અને નિષ્કષાયતારૂપ વીતરાગ ભાવને સાધે છે. પણ હવે અત્રે તે તે અતિ અતિ અલ્પ કષાયભાવ પણ સર્વથા દૂર થઈ ગયું છે, વીતરાગતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ઘાતિકને ક્ષય થઈ ચૂક્યો છે, એટલે અઘાતી એવા ભોપગ્રાહી કર્મને ક્ષય એક જ અત્ર હેતુ છે. અત્રે આ પરમ યોગી જે દેહ ધારણ કરી રહ્યા છે, તે નામ-ગોત્ર-આયુર્વેદનીય એ ચાર, આ ચરમ દેહમાં ભોગવવા ગ્ય પ્રારબ્ધ કર્મના ક્ષય અર્થે જ ધારણ કરી રહ્યા છે. એટલે તે દેહના નિર્વાહાથે જે ભિક્ષાટનાદિ ક્રિયા કરે છે, તે પણ તે ભયગ્રાહી કર્મના ક્ષય અથે જ કરે છે. આમ પૂર્વે સાંપરાયિક કર્મક્ષય એ ભિક્ષાટનાદિ ક્રિયાનું ફલ હતું, અને અત્રે ભપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. આમ કુલભેદથી દષ્ટિભેદ પ્રગટ થાય છે. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જેને સર્વ કષાયને ક્ષય થયો છે એવા વીતરાગ પરમ ભેગી જ્યાં લગી આ છેલ્લા દેહની આયુસ્થિતિ છે ત્યાં લગી પૂર્વ પ્રારબ્ધદયથી વિચરે છે, અને એમ કરીને પોતાના શેષ કમને ત્રાણાનુબંધ ચૂકવી આપી દેહ છતાં જેની નિર્જરી નાંખે છે. આમ પૂર્વ પ્રયોગથી વિચરતા જ્ઞાની પુરુષ, દેહ દશા, વર્તે છતાં દેહાતીત એવી પરમ અદ્ભુત કાયોત્સર્ગ દશા-જીવન્મુક્ત દેહાતીત” દશાને અનુભવ કરતા સતા, સદેહે મુક્ત વર્તે છે. આવા વિદેહદશા સંપન્ન કેવલિ ભગવાન પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી ભવ્યજનોને બોધ કરતા ભૂતલ પર વિચરે છે, ને પરમ જનકલ્યાણલકેપકાર કરે છે અને આવા જગમ કલ્પવૃક્ષ સમા શુદ્ધ આત્મસ્વરૂપ જિનરાજને ધન્ય આત્માઓ સેવે છે. જેમ કે – “અજિતવીર્ય જિન વિચરતા રે... મન પુષ્કર અધ વિદેહ રે....ભવિ. જંગમ સુરતરુ સારિ રે..મન સેવે ધન્ય ધન્ય તેહ રે...ભવિ–શ્રી દેવચંદ્રજી. “દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.”–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् । तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥१८१॥ –ાન્નિશે-તેના નિયગથી, રત્નના નિયગથી, માત્મ-મહાત્મા અહીં લેકમાં, ત્યો ચા મા-જેમ કૃતકૃત્ય હોય છે, કઈ રત્વવણિફ કૃતકૃત્ય હોય છે; તથાથં-તેમ આ, અધિકૃત વેગી, ધર્મસંન્યાવિનિયોniા-ધર્મસંન્યાસના વિનિયોગથકી, મામુનિ –મહામુનિ, કૃતકૃત્ય હોય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ : ધ સન્યાસવિનિયોગથી સુનિ-રત્નગણિ કૃતકૃત્ય તસ વિનિયોગે તે અહી, કૃતકૃત્ય જ્યમ થાય; ધર્મ સંન્યાસ વિયોગથી, તેમ મહામુનિરાય. ૧૮૧. (૬૦૩) અર્થ :-તે રત્નના વિનિયેાગથી અહી' જેમ તે મહાત્મા કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધ સંન્યાસના વિનિયાગથી કૃતકૃત્ય થાય છે. વિવેચન “ તાસ નિયેાગે કરણ અપૂર્વ, લહે મુનિ કેવલ ગેહેાજી.”—યા. સજ્ઝા, ૮, ૨. તે રત્નના વિનિયેાગથી જેમ અહી લેાકમાં કઇ મહાત્મા-રત્નવણિક્ કૃતકૃત્ય થાય છે, તેમ આ દૃષ્ટિવાળા યાગી મહામુનિ ધસન્યાસના વિનિયોગથકી કૃતકૃત્ય થાય છે. રત્નપરીક્ષા કરી જાણનારા રત્નવવિદ્ ચેાકસી, ઝવેરી શુદ્ધ દૃષ્ટિથી જ્યારે રત્નને યથેચ્છ વ્યાપાર કરે, ત્યારે જ તે કૃતકૃત્ય થયા કહેવાય છે. કારણ કે રત્ન પરીક્ષા સ ંબધી ગમે તેટલું જાણુપણું હાય, પણ જ્યાંસુધી વ્યવહારમાં-વ્યાપારવિનિમયમાં રત્નવણિત્તુ તેને પ્રયાગ ન કરવામાં આવ્યા હોય, ત્યાંસુધી તેનુ સાથ કપણુંદાંત કૃતા પણું થયું કેમ કહેવાય ? પણ રત્નના વિક્રયમાં, લેવડદેવડમાં ઉપયાગી થાય તેની ખાતર જ જે રત્નપરીક્ષાનું જ્ઞાન અનિવાર્ય પણે આવશ્યક હતું, તે જ્ઞાનના વ્યાપારમાં જ્યારે વિનિયેગ (Practical application) કરવામાં આવે, ને તેના યથેચ્છ લાભ ઉઠાવવામાં આવે, ત્યારે જ તેનું કૃતકૃત્યપણું ગણાય, ત્યારે જ તેનું કામ થયું કહેવાય. તે જ પ્રકારે આ દૃષ્ટિવાળા ચેાગી મહામુનિ અહી ધસન્યાસના વિનિયાગથી, અર્થાત્ શુદ્ધ દૃષ્ટિથી તાત્ત્વિક આચરણુરૂપ વિશિષ્ટ પ્રયાગથી ધર્મવ્યાપારરૂપ પ્રયેાજનથી કૃતકૃત્ય થાય છે; કારણ કે ધર્મસંન્યાસ સબધી ગમે તેટલું જાણપણું હોય, ધર્માંસન્યાસ ગમે તેટલી તાલીમ લીધી હાય, પણ જ્યાંસુધી હજુ તેના નિશ્ચયશુદ્ધ વિનિયેાગ વ્યવહારમાં તાત્ત્વિકપણે ઉપયેગ ન કરવામાં આવ્યા હાય, ત્યાંસુધી પરમા`થી તેનું સાકપણુ` થયુ` કેમ કહેવાય ? પણ પ્રસ્તુત ધર્મસન્યાસની ચેાગ્યતા પ્રાપ્ત થાય તે ખાતર જ જે અત્યારસુધીની જ્ઞાન-દન-ચારિત્રની અખંડ આરાધનારૂપ તાલીમ અત્યં'ત આવશ્યક હતી, તેને હવે અહીં તાત્ત્વિક ધર્માંસન્યાસપણે વ્યવહારૂ પ્રયાગ કરવામાં આવે છે, અને તજજન્ય પરમ આત્મલાભ ઊઠાવવામાં આવે છે. એટલે અહી' આ દૃષ્ટિમાં જ ધર્મ સન્યાસના વિનિયેાગથી (Practice) કૃતકૃત્યપણુ હાય છે. અર્થાત્ અત્રે જ શુદ્ધ રત્નત્રયીના વ્યાપાર કરનારા મહામુનિરૂપ રત્નવણિક, ધર્મ સન્યાસ ચેાગરૂપ રત્નવાણિજ્ય વડે, યથેચ્છ આત્મલાભરૂપ નફે મેળવી કૃતકૃત્ય થઇ જાય છે; અહીં જ તેના બેડો પાર થઈ જાય છે, અહી જ તેનું આત્મસિદ્ધિનુ કામ થઈ Page #292 -------------------------------------------------------------------------- ________________ (૬૦૪) ગદષ્ટિસમુચ્ચય જાય છે, અહી' જ તે સાચા · Üસન્યાસ ' યાગી- સન્યાસી * ખની પરમ આત્મકલ્યાણને પામે છે. કારણ કે આ દૃષ્ટિ પૂર્વને અત્યાર સુધીના જે ધમ સન્યાસયેાગ હતા, તે તાત્ત્વિક ન્હાતા, અતાત્ત્વિક હતા. તેમાં પ્રવૃત્તિ-લક્ષણ ધર્મને સન્યાસ–ત્યાગ જરૂર હતા. એટલે જ તાત્ત્વિક છતાં ધર્મસંન્યાસ ' નામને ચાગ્ય હતેા; તેમજ તે તાત્ત્વિક ધર્મ સંન્યાસની ચેાગ્યતા પામવા માટે પણ આવસ્યક ને ઉપકારી હતા, એટલે પણ તેને ઉપચરિતપણે તે ધર્મસંન્યાસ નામ ઘટતું હતું. પણ અહીં તે તાત્ત્વિક ધસન્યાસ ચાગ હેાય છે. ધમ એટલે ક્ષાયેાપશમિક ભાવ, તેને અહીં. સંન્યાસ–ત્યાગ હાય છે, માટે તે ધર્મ સન્યાસયેાગ અત્રે યથાર્થ પણે પરમાથી હેાય છે. તથા— द्वितीयापूर्वकरणे मुख्येयमुपजायते । केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ॥ १८२ ॥ બીજા કરણ અપૂર્વામાં, મુખ્ય એહુ ઉપજ'ત (તેથી તેને) નિરાવરણ નિત્યાયા, કેવલલક્ષ્મી વરત. ૧૮૨, અથ ઃ—ખીજા અપૂવ કરણમાં મુખ્ય એવા આ ધર્મ સન્યાસ ઉપજે છે, અને તેથી કરીને આ યાગીને નિઃસપત્ના-નિરાવરણ એવી સદાદયા વલલક્ષ્મી હાય છે. વિવેચન શ્રેણીવત્તી એવા બીજા અપૂર્વકરણમાં મુખ્ય એવા આ ધર્માંસન્યાસયેાગ ઉપજે છે,-ઉપચરિત તા પ્રમત્ત સયતથી આર’ભીને હાય છે. અને તે ધર્મ સન્યાસના વિનિયેાગ થકી આ ચેાગીને નિરાવરણ એવી કેવલશ્રી ઉપજે છે,-કે જે પ્રતિપાતના અભાવે કરીને સદાદયા હાય છે. આ ધર્માંસ'ન્યાસ ચાગ જે કહ્યો, તે મુખ્ય અર્થાત્ તાત્ત્વિક કોટિના ધ સન્યાસ કયારે હાય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણ છે. મુખ્ય તાત્ત્વિક ધર્મસંન્યાસ શ્રેણીમાં આવતા બીજા અપૂર્ણાંકણુ સમયે પ્રાપ્ત હોય છે, જો કે ઉપચરિતઅતાત્ત્વિક એવા ધર્મસંન્યાસ પ્રમત્તસયત ગુણસ્થાનથી માંડીને હાય છે, અને તે અનુક્રમે તાત્ત્વિક ધર્મોંસન્યાસ પામવાની ચે।ગ્યતા માટે અધિકારી થવા માટે પરમ ઉપકારી થાય છે. આ મતાત્ત્વિક ધમવૃત્તિઃ — દ્વિતીયા પૂર્વળે-દ્વિતીય અપૂ`કરણમાં, શ્રેણીવર્તી એવા અપૂ'કરણમાં, મુોડચમ્-મુખ્ય એવા આ ધર્માંસનાસ; કવાયતે-ઉપજે છે, -ઉપચરિત તા પ્રમત્ત સમતથી આરભીને ઉપજે છે. સ્ત્રીસ્તત્તÆ-મને કેવલથી તેથી કરીને-ધ*સંન્માસ વિનિગ થકી, અચ-મા યોગીને, ત્તિ સપન્ના-નિ:સપત્ના, પ્રતિપક્ષ રહિત ( નિરાવરણ ), સોચા-સદામ, –પ્રતિપાતના અભાવે કરીને. તાત્ત્વિક ધસંન્યાસ Page #293 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ તાત્વિક ધર્મસ-કેવલશ્રી: “શ્રીમદ' જિન ભગવાન (૬૦૫) સંચાસમાં પ્રવૃત્તિલક્ષણ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, અને તાત્વિક ધર્મસંન્યાસમાં ક્ષયોપશમભાવરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, એટલે ધર્મસંન્યાસ સંજ્ઞા યથાર્થ છે, અહીં “બીજા” અપૂર્વકરણમાં આ તાત્વિક ધર્મસંન્યાસ પ્રગટે છે એમ કહ્યું તે સહેતુક છે, કારણ કે પહેલું અપૂર્વકરણ જે ગ્રંથિભેદનું કારણ છે, તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિ. એટલા માટે બીજામાં એમ કહી તેને અપવાદ સૂચવ્યો. આમ આ અપૂર્વકરણ બે છે:–(૧) ગ્રંથિભેદના કારણરૂપ તે પહેલું; (૨) ક્ષપકશ્રેણી વેળાનું તે બીજુ. આ “અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ ” એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયો નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. અને પછી કર્મસ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે આ બીજું અપૂર્વ કરણ–અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાવિક ધર્મસંન્યાસ યોગ ક્ષેપક શ્રેણીમાં ચઢતા સામર્થ્યયોગીને હેય છે. (આને “અપૂર્વકરણ” કહેવાના કારણ માટે જુઓ પૃ. ૪૩-૪૪). આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને, પરમ આત્મવીલાસ સ્કુરાવીને જે યોગીપુરુષ ક્ષકશ્રેણ પર આરૂઢ થાય છે, તેને આ તાવિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય યોગ હોય છે, કારણ કે તે ક્ષયપશમરૂપ ધર્મોનું ક્ષપકશ્ચણ ક્ષપણ કરતે કરતો આગળ વધે છે, કર્મ પ્રકૃતિને સર્વથા ખપાવતે કેવલથી ખપાવતે, ખતમ કરતે કરતે, ઉડાવતે ઉડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર વેગે ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુનો ક્ષય કરતો કરતો, ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ કરતે કરતે, આ પરમ સમર્થ વીર સંન્યાસી” ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમાં સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. (જુઓ આકૃતિ ૩-પૃ. ૫૦) અને આમ ધર્મસંન્યાસના વિનિયોગથી આ સામર્થગીને કેવલલક્ષ્મીની-કેવલશ્રીની પ્રાપ્તિ હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન-દર્શનની ઉત્પત્તિ હોય છે, કે જેમાં કોઈપણ પ્રતિબંધક વિરેધક પ્રતિપક્ષરૂપ આવરણ હોતું નથી. આવી આ નિરાવરણ કેવલશ્રી શ્રીમદ્ સદીદયા હોય છે, અર્થાત્ કેઇપણ કાળે તેના પ્રતિપાતને અભાવ ભગવાન હોવાથી સદા ઉદયવંતી જ હોય છે. એટલે આવી અનુપમ કેવલશ્રી સંપન્ન આ “શ્રીમદ્દ ભગવાન્ જિનરાજરાજેશ્વર આત્મસામ્રાજ્ય લક્ષમીથી સદા વિરાજે છે. તેનું અપૂર્વ વર્ણન લાક્ષણિક શૈલીમાં કવિરાજ દેવચંદ્રજીએ ગાયું છે: Page #294 -------------------------------------------------------------------------- ________________ (૬૬) યોગદષ્ટિસમુચ્ચય “મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે છે આજ તમારડોજી; ક્ષાયિક વીર્ય અનંત, ધર્મ અગે તું સાહિબ વડે.... હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. કર્તા ભક્તા ભાવ, કારક કારણ છે તે સ્વામી છતેજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુને હો ધમ પ્રકાશજી.હું બલિહારી સમ્યગદર્શન મિત્ત, સ્થિર નિદ્ધ રે અવિસંવાદિતાજી; અવ્યાબાધ સમાષિ, કેશ અનધર રે નિજ આનંદતાજી.”—શ્રી દેવચંદ્રજી, કારણ કે આ આત્મસામ્રાજ્યના સ્વામી શ્રીમદ્દ ભગવાનમાં રાજરાજેશ્વરના સમ્રાટન સંપૂર્ણ લક્ષણ જોવામાં આવે છે. જેમકે–તેમનામાં અનંત એવું ક્ષાયિક વીય પ્રગટયું છે, અને તેથી આત્મસ્વભાવરૂપ ધર્મના અભંગાણાએ કરીને શ્રી જિનરાજ એ “વડા સાહેબ” મોટામાં મોટા સાહેબ થયા છે. તે આત્મભાવના રાજરાજેશ્વર કત્ત–ભક્તા, કારક કારણ છે, એટલે તે છતા-પ્રગટ એવા સ્વસ્વરૂપના - સ્વામી થયા છે. તેમને જ્ઞાનાનંદ નામનો પ્રધાન છે કે જે સર્વ વસ્તુને ધમ પ્રકાશે છે; અને સમ્યગદર્શન નામને મિત્ર છે કે જે સ્થિર એવી અવિસંવાદિતાને નિર્ધાર કરે છે, બધું બરાબર છે એની તકેદારી રાખે છે. તેમને અવ્યાબાધ સમાધિરૂપ નિજાનંદમય અવિનશ્વર કેશ છે, અખૂટ ખજાને છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તેના દેશ છે કે જે પોતપોતાની રીતે ગુણસંપત્તિથી ભર્યા છે એમને ચારિત્રરૂપ અભંગ દુર્ગ છે, અજેય કિલ્લા છે, કે જે આત્મશક્તિથી પરપરભાવરૂપ શત્રુને જય કરવા સંચર્યા છે. ક્ષમાદિ ધર્મરૂપ તેમનું સૈન્ય છે. પરિણતિ પ્રભુત્વરૂપ-આત્મપરિણતિના સ્વામિત્વરૂપ તેમનું આકરૂં બલ છે આવા આ પ્રભુએ સકલ તત્વને પ્રગટભાવ સાદિઅનતી રીતે ધારણ કર્યો છે. દ્રવ્ય-ભાવ સર્વ શત્રુને નાશ કરીને આવા આ “સાહિબ” અવતર્યા છે, અને તે સહજ સ્વભાવ વિલાસના ભોગી, ઉપયોગી એવા જ્ઞાનગુણે ભર્યો છે. દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણસંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુગર અભંગ, આતમશક્ત હો પર જય સંચયજી....હું બલિહારી, ધર્મ ક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હે તુજ બલ આકરેજી; તત્ત્વ સકલ પ્રાભાવ, સાદિ અનંતી જે રીતે પ્રભુ ધર્યો છે. બલિહારી, દ્રવ્યભાવ અરિ લેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપયોગી રે જ્ઞાનગુણે ભજી.”—શ્રી દેવચંદ્રજી સિંહાવલોકન નીતિથી અધિકૃત વસ્તુના નિર્ધારણાર્થે કહે છે – Page #295 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ : શ્રી જિનરાજરાજેશ્વર : આત્મ-ચંદ્ર, જ્ઞાન-ચંદ્રિકા (૬૦૭) स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चंद्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ १८३॥ ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું છવ એહ; જ્ઞાન ચંદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ. ૧૮૩ અર્થ :-જીવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અશ્વ-વાદળા જેવું છે. વિવેચન આત્મા ચંદ્રની પેઠે પિતાની–આત્મીય ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, કાંઈ સ્થાપિત કરવાનું નથીઅને જે વિજ્ઞાન છે તે સ્ના જેવું-ચાંદની જેવું છે. આ કેવલાદિનું ઉપમા માત્ર છે. અને તદાવરણ અર્થાત્ જ્ઞાનાવરણ તે અા જેવું વાદળા જેવું છે. પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત છે જ, કાંઈ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી-સ્વ ભાવ સ્થિત જ છે, કાંઈ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની આત્મ-ચંદ્ર ઉપમા સાગપાંગ સુઘટપણે ઘટે છે. ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથીજ્ઞાન-ચંદ્રિકા કુદરતી–સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યો છતે ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ ત્સના-ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિ આદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાનજ્યોત્સનાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આમ સ્વ–પર પ્રકાશક ચંદ્રિકા રેલાવતે ચંદ્ર સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્વ–પર અવભાસક જ્ઞાન-ચંદ્રિકા વિસ્તારતે આત્મા પણ નિજ સ્વભાવપદમાં સમવસ્થિત જ રહ્યો છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તવશુદ્ધ પ્રકૃતિથી–સ્વભાવથી સ્થિતિ છે. અને જે સ્વભાવ છે તે કદી અન્યથા થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તે સ્વભાવ નહિં, પણ પરભાવ જ છે (જુઓ પૃ. ૪૮૩, તથા . પૃ. ૭૫) આત્માને સ્વ-પરપ્રકાશક એવો જ્ઞાયક સ્વભાવ છે, એટલે તે વિશ્વને કૃત્તિ–થિતઃ-સ્થિત છે, નહિં કે સ્થાપનીય, સ્થાપવાને નથી, શીર્વાશુવ7-શીતાંશુ-ચંદ્રની જેમ, લીવ-જીવ, આત્મા, કન્યા-આત્મીય-પિતાની પ્રકૃતિથી. માવા -ભાવશ એવી, તત્વશહ એવી એમ અર્થ છે. તેમજ-દ્ધિાવદર-અને ચંદ્રિકા જેવું, જ્યના-ચાંદની જેવું, વિજ્ઞાનવિજ્ઞાન કેવલાદિન આ ઉપમામાત્ર છે, તવા -તાવરણ, જ્ઞાનાવરણ. ઝવ-અભ્ર જેવું, મેધટપલ જેવું છે એમ અર્થ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ (૦૮) યોગદષ્ટિસંમુય જાણે છે, પણ તેથી તે કાંઈ વિશ્વરૂપ બની જતા નથી. આ અંગે પરમ તત્ત્વદેા શ્રીમદ્ રાજચ'દ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુનઃ પુનઃ મનન કરવા ચેાગ્ય છે:— “ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ ચંદ્ર કઇ ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતા નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવે આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતા નથી, સદા સર્વાંદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદ્યતા માને છે એ જ ભ્રાંતિ છે.”—શ્રીમદ્ રાજચ'દ્ર. ૭૬૦ (૮૩૩ ) “ જ્ઞેય જ્ઞાન શુ નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્ય રે; પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રે લાલ, જાણે જે જિમ જથ્થ રે.”—શ્રી દેવચ'દ્રજી. અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી દ્યે છે, ને તેથી તેનુ' યથાર્થ દર્શીન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવ્રત કરે છે–ઢાંકી દે છે, અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે તેટલું ગાઢ હોય છતાં, જેમ ચંદ્રની કઈ ને કઈ છાયા દેખાયા વિના રહેતી નથી, તેની કંઇ ને કંઇ ચાદ્રિકા વાદળને વીધીને મ્હાર નિકળ્યા વિના રહેતી નથી, ' ચંદ્ર છુપે નહિં ખાલ છાયે'; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચંદ્ર ગમે તેટલા ગાઢ કમ પટલના આવરણથી આવૃત હાય, તે પણ તેની કાંઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઇ ને ક ંઇ જ્ઞાન-જ્વેલ્સના ડૉકી કરી ચૈતન્ય સ્વરૂપને ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અન`તમાં ભાગ જેટલે કેવલજ્ઞાનના ભાગ નિત્ય ઉઘાડા જ રહે છે એમ શાસ્ત્રમાં + કહ્યું છે. નહિં તે તે પણ જો અવરાઇ જાય તે જીવ અજીવપણાને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જો કે જ્ઞાનનેા પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતા નથી, તેાપણુ અંશપ્રકાશરૂપ મંદ પ્રકાશ તેા સદાય અવશ્ય દૃશ્યમાન હાય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુતકેવલજ્ઞાનાવરણુ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મ ંદ પ્રકાશરૂપ છાદ્યસ્થિક જ્ઞાન ઉપજે છે * યુદ્ઘત્તિ મેપલમુ॰ તિ વા સંપૂરાનાં” :—શ્રી નદીસૂત્ર, ૪૨ આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, ન્યૂનાધિકતા દેખાય છે, ચિત્ર જ્ઞાનવર્ણમેઘ × ** सजीवाणंपिणं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिट्ठइ, સો વિત્ર જ્ઞરૂ બાવરા તેગ નીયો અનીયત્તળ ત્રિજ્ઞા ।”—શ્રી નંદીસૂત્ર, ૪૨ * " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य, હેવિ મયુત્રાશ ત્યુતે । તત્ર હેતુ: જેવજ્ઞાનાવળમેવ ।” —શ્રી જ્ઞાનબિંદુ. Page #297 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ: કેવલજ્ઞાનાવરણ મેઘ, મંદ પ્રકાશ-ક્ષયોપશમ (૬૦૯) વિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઇતર કર્મ છે. વસ્ત્રના વિવરમાંથી કે ભીતના વિવરમાંથી (છિદ્રમાંથી) દેખાતા અબ્રાચ્છાદિત સૂર્યના ક્ષપશમ: મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ અનંત ભેદ આદિ ઈતર જ્ઞાનાવરણ કમને લીધે કેવલજ્ઞાનાવરણછાદિત આત્માના જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે-ન્યૂનાધિકતા, ઓછાવત્તાપણું હોય છે. અને તેથી કરીને મતિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમના અનંત ભેદથી મતિ આદિ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે. + ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાને કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે–અણુઢાંક્યો જ રહે છે. એટલા માટે જ કહ્યું છે કે-જ્ઞાન એ આત્માને સ્વપરાવભાસક અસાધારણ ગુણ છે. " तत्र ज्ञानं तावदात्मनः स्वपरावभासकः असाधारणोः गुणः।" -શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનબિંદુ પ્રકૃતિનું જન કહે છે – घातिकर्माभ्रकल्प तदुक्तयोगानिलाहतेः । यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥१८४ ॥ ઘાતિકર્મ વાદળ સમું, વાતાં ગ સુવાય; દૂર થાય ત્યારે શ્રીમાન, જ્ઞાનકેવલી થાય. ૧૮૪ અર્થ –ઘાતિક વાદળા જેવું છે, તે ઉક્ત યોગરૂપ વાયુના આઘાતથી (સપાટાથી) જ્યારે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાનું જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ થાય છે. વિવેચન જ્ઞાનાવરણીયાદિ જે ઘાતિકર્મ તે અભ્ર જેવું–વાદળા જેવું વર્તે છે. તે ઘાતિકર્મઉપરમાં હમણાં જ કહેવામાં આવેલા ધર્મસંન્યાસ ગરૂપ પવનના સપાટાથી,-જ્યારે કૃત્તિ –પતિ-ધાતિકર્મ, જ્ઞાનાવરણીય આદિ, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય. આ અગવડતામ-અન્ન, વાદળા જેવું વર્તે છે. તત્તે ઘાતકર્મ, swયોmનિઃ -ઉક્ત-હમણાં જ કથા તે યોગ-વાયુના આઘાતથી-સપાટાથી (એમ અર્થ છે ). ચાતિ-જ્યારે દૂર થાય છે-શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે તાત્યારે, શ્રીમાન શ્રીમાન, શ્રીમદ્ તે મુખ્ય એવા વિક્રમ નથી, પરાક્રમયોગથી, ના જ્ઞાનદેવી-જ્ઞાનકેવલી થાય છે, સર્વજ્ઞ થાય છે, એમ અર્થ છે. +"स च अपान्तरालाबस्थितमतिज्ञानाद्यावरणक्षयोपशमभेदसंपादितं नानात्वं भजते । घनपटलाच्छन्नरवेः मंदप्रकाश इव अन्तरालस्थकुटकुटयाद्यावरणविवरप्रवेशात् ॥" -ઇત્યાદિ (જુઓ)-શ્રી જ્ઞાનબિન્દુ, Page #298 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે વિખેરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયોગે કરીને તે શ્રીમાનું જ્ઞાન કેવલી-સર્વજ્ઞ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર “ઘાતિકર્મ” કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની વાત કરે છે, માટે “ઘાતિ”—ઘાત કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનસ્વભાવગુણને આવૃત ઘાતિકર્મ–અન્ન કરી તેની ઘાત કરે છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને આવરી તેની ઘાત કરે છે. મેહનીય કર્મ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યકત્વ ગુણને તથા જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણને હણે છે, ઘાત કરે છે. અંતરાય કમ આત્માના અનંત વીર્ય ગુણને હણે છે, ઘાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણની ઘાત કરતા હોવાથી આ ચારેય કર્મોને “ઘાતિકર્મ એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આકૃતિ: ૧૪ /જ્ઞાન-દ્રિકા આત્મા ધર્મસંચાલ ચગ-વાયુ ઘાતિકર્મ–મેઘપટલ " तत्र धातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया ।। પાતત્વાર્ ગુણાના હિ નીવઐતિ વાસ્થતિઃ II –શ્રી પંચાધ્યાયી. આ ચાર ઘાતિકર્મમાં પણ મેહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મને રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજાં કર્મો જ્યારે આત્માના તે તે ગુણોને આવરણ માત્ર કરે છે, ત્યારે આ મેહનીય કર્મ તે આત્માના તે તે મેહનીયઃ ગુણને વિપરીત સ્વાદવાળે બનાવી દે છે. દર્શન મેહનીય આત્માના કમેન રાજા સમ્યગૂ નિશ્ચય-શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ગુણને વિપરીત-મિથ્યા શ્રદ્ધાનરૂપ Page #299 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ મેહનીય-કર્મોને રાજા, ઘાતિ-અઘાતિ પ્રકૃતિ (૧૧) મિથ્યાત્વમાં ફેરવી નાંખે છે. અને ચારિત્ર મોહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂપ ગુણને વિભાવ સ્થિતિપણામાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિ પણમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય (villain's action) મેહનીય કર્મ કરે છે. બીજાં કમ તે માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) મેહનીયકમ તે પોતાનું દોઢડહાપણ વાપરી ઉલટ બગાડો કરી મૂકે છે ! એટલે જ એ આત્માને ભયંકરમાં ભયંકર ને મોટામાં મોટો દુશ્મન (Ring-leader) છે. તે નાયકના જોર પર જ બીજાં કર્મોનું બળ નભે છે, તેનું જેર ક્ષીણ થતાં અન્ય કર્મોનું બળ પણ ક્ષીણ થાય છે. આમ અન્ય કર્મોને આશ્રયદાતા- “અન્નદાતા” હેવાથી નેકનામદાર મોહનીયને કર્મોને “રાજા” કહ્યો છે તે યથાર્થ છે. “કમ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કમ મોહિનીય ભેદ બે, ૧ દર્શન ૨ ચારિત્ર નામ; હણે ૧ બંધ ર વીતરાગતા, અચૂક ઉપાય આમ. ”—શ્રી આત્મસિદ્ધિ કમની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીને ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાને, અથવા (૨) તે ગુણનું બળ-વીય રધવાને, અથવા (૩) તેને વિકળ કરવાને છે. અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભંગ ઉપગ આદિને, તેનાં વીય–બળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભેગાદિમાં વિક્ત-અંતરાય કરે છે, માટે તેને આવરણ નહિં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ, ચોથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂચ્છિત કરી, મોહિત કરી વિકળ કરે છે, જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહિ છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે, માટે એને મેહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જે કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણની આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૯૩. (ઉપદેશ નેધ, ૩૯) આ ચાર ઘાતિ કર્મ શિવાયના શેષ-બાકીના જે ચાર કર્મ છે, તે “અઘાતિ Page #300 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ગદષ્ટિસમુચ્ચય કર્મ કહેવાય છે. આયુ, નામ, ગોત્ર ને વેદનીય એ “અઘાતિ” કર્મ છે, કારણ કે તે આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન ગુણની ઘાત કરતા નથી. હા, અઘાતિ કર્મ તે ઘાતિ કર્મોને સહાયક અવશ્ય થાય છે, પણ સ્વયં આત્માને તે મૂળ જ્ઞાન-દર્શન સ્વભાવગુણને હણતા નથી. તથાપિ તે તે કમ પિતપિતાની વિશિષ્ટ શક્તિ જરૂર દાખવે છે. જેમકે-આયુ કર્મથી જીવ અમુક મર્યાદિત સમય સુધી તે તે ગતિને વિષે તે તે દેહમાં સ્થિતિ કરે છે, અર્થાત્ આયુકર્મ જીવને ચતુગંતિમય સંસારમય બંદિખાનામાં જકડી રાખે છે, અને તેથી આત્માના અવગાહન ગુણને હાનિ પહોંચે છે. નામકર્મ આત્માના અમૂલ્તત્વ-સૂફમત્વ ગુણને ધોખે પહોંચાડે છે, જેથી કરીને આત્માના ગતિ-જાતિ-શરીર આદિ સ્થલ-મૂર્ત પય પ્રગટે છે એટલે નામકર્મ ચિતારાએ ચિત્રેલા ચિત્રામણ જેવા ચિત્રવિચિત્ર નામ પામી આત્મા બહુરૂપીવિશ્વરૂપી બને છે ! ગોત્રકમ આત્માના અગુરુલઘુ ગુણને હાનિ કરે છે, જેથી કરીને એક શુદ્ધ સમસ્વરૂપ આત્મા ઉચ્ચ-નીચ ગોત્રરૂપ વિષમતાને પામે છે. વેદનીય કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને હણે છે, જેથી કરીને મધુથી ખરડાયેલ ખડૂગધારા જેવા શાતા-અશાતા વેદનીયના ઉદયથી સુખદુઃખ ભેગવવા પડે છે. આમ આ ચાર અઘાતિx કર્મ પણ મૂળ આત્મગુણઘાતી નહિ છતાં પોતપોતાની વિશિષ્ટ અસર જરૂર નીપજાવે છે, પિતાપિતાને ભાવ જરૂર ભજવે છે. - આમ આ આઠ પ્રકારના કર્મમાંથી જે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મ છે, તે વાદળ જેવું છે. તે જ્યારે ધર્મસંન્યાસ યોગરૂપ પવનના સપાટાથી શીવિશીર્ણ થાય છે, વિખરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમ યેગે કરીને તે શ્રીમાન ધર્મસંન્યાસ જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા થાય છે. વાદળાં જેમ વાયુના વાયુઃ ક્ષપકશ્રેણું હોલેનાથી વિખરાઈ જાય છે, તેમ ધર્મસંન્યાસરૂપ પવનના આઘાતથી સપાટાથી ઘાતકર્મરૂપ મેઘપટલ વિખરાઈ જાય છે. આ હમણાં જ કહ્યો તે તાવિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય વેગ આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનથી શરૂ થાય છે, કે જ્યાં ક્ષપકશ્રેણીને પ્રારંભ થાય છે. અત્રે આ સમર્થ યેગી અપૂર્વ આત્મપરાક્રમ-અપૂર્વ આત્મવીલ્લાસ દાખવતે ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, અને કર્મોને ક્ષય કરતો કરતો, ખપાવતે ખપાવતે, ખતમ કરતો કરતો, “મહા વીર ની પિઠે આત્મસ્થાને વીરપણું પ્રકટ કરેત સત, આગળ વધે છે. સમયે સમયે આત્મસ્થિતિમાં સંયમનરૂપ અનંતા સંયમ વર્ધમાન કરતે કરતે, ને કમંદને ઉડાવતે ઉડાવતે, તે મહાગી ઉત્તરોત્તર ગુણસ્થાન ભૂમિકાઓ કૂદાવતે જાય છે, અને ક્ષાયિક ભાવની વૃદ્ધિ કરતો જાય છે. યાવત્ બારમાં ગુણસ્થાનના અંતે મેહનીય કર્મને સર્વસંક્ષય કરી, તે પરમ ચેગી પરમ અમેહસ્વરૂપ એવા પરમ વીતરાગ ભાવને પામે છે. * “તતઃ શેષાજં ચા વારિ વિવાના ! ગુનાનાં બાતમીવરાવો વ્યાત્મિરાત્તિનિ ” –શ્રી પંચાધ્યાયી, Page #301 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ ધર્મ સંથી ઘાતિ-અન્ન વિલય ને આત્મ-ચંદ્રને પ્રકાશ (૬૧૩) વીર પણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે; ધ્યાને નાણે શક્તિ પ્રમાણે, ધ્રુવ નિજ પદ પહિચાણે રે.”શ્રી આનંદઘનજી. અને જેવું મેહનીય કર્મ ક્ષય પામે છે કે તહ્મણ જ તેના અવષ્ટ ભે–એથે રહેલા જ્ઞાનાવરણાદિ બાકીના ત્રણ ઘાતિ કમ ક્ષય પામે છે, અર્થાત્ કેવલજ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ, ને અંતરાય કમની ત્રિપુટીને સર્વનાશ થાય છે. આમ કેવલજ્ઞાન મહરિપુનો જય થતાં આત્માને જયપટહ વાગી રહે છે, છત–નગારૂં વાગે છે, અને આત્મા કમરિપુ જય કરનારા “જિન” તરીકે, “અરિહંત' તરીકે, “વીર' તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય છે. “સહજ ગુણ આગરે, સવામી સુખ સાગરે, જ્ઞાન વયરાગરે પ્રભુ સેવાયે; શુદ્ધતા એકતા તોફતા ભાવથી, મેહ રિપુ જીતી જયપડહ વાય.”—શ્રી દેવચંદ્રજી. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મેહ તિમિર ભય ભાગું, જીત નગારૂં વાણું રે.”—શ્રી આનંદઘનજી. અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકર્મ દૂર થાય છે, કે તત્ક્ષણ શુદ્ધ પ્રકૃતિસ્થિત ઝળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિકર્મરૂપ મેઘપટલ ટળતાં પરં તિસ્વરૂપ આત્મ-ચંદ્ર, જિનરાજ-ચંદ્ર સ્વયં પૂર્ણ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપે ઝળહળે છે. ચાર કમ ઘનઘાતિ તે વ્યવછંદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે; સવ ભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જે. અપૂર્વ અવસર.”– શ્રીમદ્ રાજચંદ્રજી. એટલા માટે જ કહે છે– क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः । परं परार्थं संपाद्य ततो योगान्तमभुते ॥ १८५ ॥ કૃત્તિ-શીખવો–ક્ષીણ દોષ જેના થયા છે તે, સકલ રાગાદિના પરિક્ષયથી. -ત્યારે જ સર્વજ્ઞો-સર્વજ્ઞ, નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને, સર્વgિhહ્યાન્વિત --સર્વ લબ્ધિ ફળથી યુક્ત, – સર્વ સુક્યની નિવૃત્તિથી. પરં પાર્થ સંવાઘ–પરમ પરાર્થે સંપાદન કરી, અથાભવ્ય સમ્યફ વારિ લક્ષણવાળે પરાથ–પરોપકાર કરી, તો યોrizમનુને -પછી એગના અંતને પામે છે, એમના પર્ય તને પામે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ચોગદદિસમુચ્ચય ક્ષીણ દોષ સર્વજ્ઞ તબ, સર્વ લબ્ધિ ફલવંત, ૫રમ પરાર્થે કરી પછી, લહે યેગને અંત ૧૮૫, અર્થ–પછી ક્ષીણ દેલવાળા, સર્વજ્ઞ, સર્વ લબ્ધિ ફલથી યુક્ત એવા તે પરમ પરાર્થનું સંપાદન કરી યોગના અંતને પામે છે. વિવેચન આમ જે ક્ષીણદોષ થયા છે એવા તે ત્યારે જ નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને સર્વજ્ઞ હોય છે; અને સર્વ સુયની નિવૃત્તિ થકી સર્વ લબ્ધિફલથી યુક્ત એવા હોય છે. આવા સર્વલબ્ધિસંપન્ન સર્વજ્ઞ, ભવ્ય જનેની યોગ્યતા પ્રમાણે તેમને સમ્યક્ત્યાદિ પરમાર્થલાભ આપી, પરમ પરોપકાર કરે છે, અને પછી યોગના અંતને પામે છે. જેના રાગાદિ સર્વ દોષ ક્ષીણ થાય છે તે વીતરાગ-જિન થાય છે, અને જે વીતરાગ થાય છે તે તત્ક્ષણ જ સર્વજ્ઞ હેય છે. આ નિયમ છે. સર્વ દે ત્રણ મુખ્ય દોષમાં સમાય છેઝાગ દ્વેષ અને મહ. આ ત્રિદોષ” જેનામાંથી ગયા છે, ત્રિદોષ” તે સર્વ દોષથી મુક્ત એવા પરમ વીતરાગ હોય છે, કારણ કે આ વિજેતા મહાદેવ “ત્રિદોષથી જ જીવને “સન્નિપાત' લાગુ પડે છે, અર્થાત આત્માના શુદ્ધ સત્ સ્વરૂપથી નિપાત-અધઃપતન હોય છે. પણ જ્યારે આ દેષ નષ્ટ થાય છે ત્યારે સત્ સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત હોતું નથી, પણ આત્માના સહજ સત સ્વરૂપમાં સંસ્થિતિ જ હોય છે. આત્મા સહજાભસ્વરૂપે સ્થિત થાય છે. આ જ પરમ વીતરાગ દશા છે, અને આ જ પરમ દિવ્ય એવું ખરેખરૂં “મહાદેવપણું” છે. એટલા જ માટે કહ્યું છે કે જેને સંકલેશ ઉપજાવનારે રાગ સદાયને માટે છે જ નહિ, અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણ પ્રત્યે દ્વેષ પણ છે જ નહિં, અને સજ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનારે મેહ પણ છે જ નહિં,–તે ત્રિકપ્રસિદ્ધ મહિમાવાળો “મહાદેવ' કહેવાય છે.” “ यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥" –શ્રી હરિભદ્રાચાર્યજીત અષ્ટક અષ્ટાદશ દોષ રહિત શ્રીમદ્દ વિતરાગ જિનદેવ અથવા પ્રકારાંતરે, જેનામાંથી અઢાર દેષ ગયા છે, તે પરમ નિર્દોષમૂર્તિ વીતરાગ હોય છે. બીજાઓ જે દોષને અતિ આદર આપે છે, જે રાગાદિ દેષથી યુક્તમાં પણ Page #303 -------------------------------------------------------------------------- ________________ પા દ્રષ્ટિ : ત્રિદોષવિજેતા • મહાદેવ ’-૧૮ દેાષ રહિત જિનદેવ ( ૧૧૫) પૂજ્યપણું આપે છે, તે દોષાને આ ભગવાન્ જિને-વીતરાગે તે મૂલથી નિવાર્યા ડાય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હાય છે, જેમકે— નિવારી. ”શ્રી આન ઘનજી. “સેવક કિમ અવગણીએ હે! મલ્રિજિન ! એ અમ શાલા સારી; અવર જેને આદર અતિ દીએ, તેહ તે મૂલ અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે ઝ્હાર ખે’ચી કાઢી પ્રકટ કર્યું. અનાદિની સાથે સલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી જુએ તા તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણુ પણ ન માંડી ! તેને આવી’ માટે અકસેસ ટીક પણ ન કર્યાં ! આામ આ ભગવાને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યાં. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગ્રત એ ચાર દશામાંથી ચેાથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મપયાગમય સતત અત્યંત જાગૃતિને પામ્યા; અને નિદ્રા સ્વપ્ન એ એ ઇશા રીસાણી જાણી તે ચાલવા માંડી, તે પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિં ! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું" નહિ ! આમ અત્યંત જાગ્રત–ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. (( જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂ', તે લીધું તમે તાણી; જુએ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણુ ન આણી...હે મલેિજિન ! 4 નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપન દેય દશા રીસાણી, જાણી ન નાથ માનવી....હા મિજિન !” મિથ્યામતિ નામની જે કુલટા શ્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સ*લગ્ન હતી, તેને અપરાધણુ-દુષ્ટ દેાષવાળી દુઃશીલ વ્યભિચારિણી જાણીને મા મહાત્માએ આત્મગૃહમાંથી મ્હાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ ખાંધ્યા. આમ સમ્યગ્દર્શનને પામેલા સગાઈ કીધી † ભગવંતે મહામિથ્યાત્વ દોષને-દનમાહને ક્ષીણ કર્યાં. “ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાધણુ જાણી, ઘરથી માહિર કાઢી....મલ્લિજિન ! ’ હાસ્ય, અતિ, રતિ, શાક, દુચ્છા, ભય,–એ તુચ્છ કૃષિપ ંક્તિ જેવા, ઢીલા માટીના ઢકાં જેવા દોષતા બિચારા કાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા નેાકષાય દેષે તા,–ભગવાન્ જ્યારે ક્ષેપકશ્રેણીરૂપ ગજરાજ પરચા Page #304 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય ત્યારે,—શ્વાનની ગતિ ધારણ કરી ! પણ ‘હાથીની પાછળ કૂતરાં ભસે ' તેની જેમ તે ખાપડા ભસતા જ રહ્યા ! અને ભગવાની સ્વારી તે તેની ઉપેક્ષા કરી આગળ ચાલી ! અર્થાત્ આ તુચ્છ પામર દેષો આ પરમ સમ ચાગિવર પાસે કિચિત્કર થઈ પડયા, તેમના પર પેાતાની કંઇ પણ અસર નીપજાવવા સર્વથા અસમર્થ નીવડયા ! (૬૧૬) ૐ ભય પામર કરસાલી ’ દૂર હાસ્ય અરતિ રતિ શેક દુગચ્છા, ભય પામર કરસાલી; નેકષાય ગજ શ્રેણી ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી....હા મ@િજિન !” રાગ, દ્વેષ અને અવિરતિ પરિણામ કે જે ચારિત્રમેહના જખરજસ્ત યાદ્ધા હતા, તે તેા જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્ક્ષણુ ખાઘા ખનૌ ઉઠીને નાઠા ! વળી વેદાદચરૂપ જે કામવિકાર પરિણામ-કાસ્ય કર્મ તે સર્વના ચણુ માહના પણ આ ભગવાને ત્યાગ કર્યાં. આમ ચારિત્રમેહને સનાશ કરી, નિષ્કારણુ કરુણારસના સાગર એવા આ પરમ કૃપાળુ દેવે અનંત ચતુષ્ટ પદ પ્રગટ કર્યું", અર્થાત્ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત વીની પ્રાપ્તિ કરી. 6 ચાદ્દા’ “ રાગ દ્વેષ વિરતિની પશ્થિતિ, ચરણુ માહના ચાદ્ધા; વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા ખાધા...હા મ@િજિન ! વેદેય કામા પિરણામા, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કારણુ કરુણારસ સાગર, અનંત ચતુષ્ઠ પદ પાગી....હા મ‚િજિન ! ” આવા આ પરમ વીતરાગ પ્રભુ દાન સ’બધી વિાને-અ'તરાયને નિવારીસજનને અભયદાનપદના દાતા થયા. લાભ સૌંબધી વિશ્ર્વને નિવારી પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ જગને વિન્ન કરનારા લાભવિજ્ઞના નિવારક થયા. પરમ લાભ પતિ વીચે કરીને વીચ વિઘ્નને-વીર્યા'તરાયને હણીને આ પ્રભુ પૂ રસ માતા' પઢવીના ચેાગી બન્યા; અને ભાગ–ઉપલેાગ એ અને વિઘ્ન નિવારીને પૂર્ણ ભાગના સુભેાગી થયા. “દાન વિધન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિધન જગ વિશ્વન નિવારી, પરમ લાભ રસ માતા હૈ....મહ્વિજિન ! નીય વિધન પડિત વીચે હણી, પૂરણ પદવી યાગી; ભાગેાપભાગ દાય વિધન નિવારી, પૂરણ ભાગ સુભેાગી હેા....મિજિન !” આમ ( ૧) અજ્ઞાન, (૨) નિદ્રા, (૩) મિથ્યાત્વ, ( ૪ ) હાસ્ય, ( ૫ ) અતિ, (૬) રતિ, (૭) શાક, (૮) દુગચ્છા, (૯) ભય, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) Page #305 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ : અઢાર દૂષણ્વજિત જિનદેવ-સગ ( ૬૧૭ ) અવિિિત, ૧૩ ) વેદેદય ( કામ ), ( " · મુનિજન વૃદે લાલાંતરાય, ( ૧૬ ) વીર્યં ́તરાય, ( ૧૭ ) " ગાયા ભાગાંતરાય,—એ અઢાર દૂષણથી રહિત ૧૪ ) દાનાંતરાય ( ૧૫ ) ભાગાંતરાય, ( ૧૮ ) ઉપઆ જિન-વીતરાગ પરમાત્મા હાય છે,—કે જેના અનન્ય ગુણાનું સ'કીત્ત'ન મુનિજનવૃંદ ગાય છે, અને જે નિષણુ એવા પ્રભુ મનને રુચે એવા-ગમે એવા છે. અને આ આવા પરમ નિર્દોષ ગુણુભૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ દીનબંધુની મહેર નજરથી–કૃપા દૃષ્ટિથી આનંદઘનપદને પામે છે, અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. “ એહુ અઢાર કૃષ્ણ વરજિત તનુ, મુનિજન વૃંદે ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણુ, નિષણુ મન ભાષા હા....મલ્લિજિન ! ઇવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણુ જે ગાવે રે; દિનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હા.”--શ્રી આનંદઘનજી. આમ આ ભગવાના દોષ–આવરણની નિઃશેષ હાનિ-આત્યંતિક ક્ષીણતા હોય છે,સ્વહેતુએથી જેમ બાહ્ય-અભ્યંતર મલ ક્ષય થાય છે તેમ. ધાતુપાષાણુના ખાહ્યાભ્યંતર મલ જેમ પેાતાના હેતુએ કરીને ક્ષય પામે છે, તેમ સમ્યગ્દર્શનાદિ દોષ-આવરણુ સ્વહેતુએ વડે કરીને ભગવાનના માહ્યાભ્યતર મલના ક્ષય થયેા હાય છે; ક્ષયઃ સર્વાંગ એટલે મેાહનીય ને અંતરાયરૂપ દોષ, તથા જ્ઞાનાવરણ-દશનાવરણુરૂપ આવરણના આત્ય ́તિક ક્ષય હાય છે. અને આમ પ્રતિધક એવા દોષ–આવરણને ક્ષય થતાં, ક્ષીણુદોષ એવા તે અવશ્ય સજ્ઞ થાય છે, અર્થાત્ નિરાવરણુ એવા કેવલજ્ઞાનને પામે છે, જેથી લેાકાલેાકના સર્વ ભાવને તે સાક્ષાત્ દેખે છે, સ દ્રવ્યના સર્વાં પર્યાય જાણે છે. (જુએ પૃ. ૩૫૬, તથા પૃ. ૩૪૯ કુટનેટ ) આ સર્વજ્ઞસિદ્ધિ વિષયમાં આ પ્રમાણ છે:*સૂક્ષ્મ, અંતરિત ને દૂર પદાર્થો કોઈને પ્રત્યક્ષ હાય છે, અનુમેયપણુ છે. માટે, અગ્નિ આદિની જેમ. અર્થાત્ સૂક્ષ્મ એટલે સ્વભાવથી વિપ્રકૃષ્ટ ( વિખૂટા પડેલા ), અંતતિ એટલે કાળથી વિપ્રકૃષ્ટ ને ક્રૂર એટલે દેશથી વિપ્રકૃષ્ટ એવા પદાર્થોં કેઇને પણ પ્રત્યક્ષ હાય છે, કારણ કે તે અનુમૈય-અનુમાનગમ્ય છે, અથવા પ્રમેય છે. અને જે પ્રમેય છે તે કોઈ પુરુષવિશેષને પ્રત્યક્ષ હાય છે, અથવા જે અનુમાનગમ્ય છે તે કોઇને પ્રત્યક્ષ હાય છે. જેમકે-અગ્નિ આદિ. વળી સČજ્ઞ *" सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा । અનુમેયત્વનોઽમ્યાવિિિત સર્વજ્ઞયંતિઃ ।।”—શ્રી આસમીમાંસા, Page #306 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) ચાય દિસમુચ્ચય સિદ્ધિ માબત બીજી પ્રમાણભૂત યુક્તિ આ છે કે-જે વસ્તુ તરતમભાવયુક્ત હાય છે, તેને પ્રક-છેવટની હદ હાય છે. જેમકે-મહત્ત્વ, એ તરતમભાવવાળા ગુણુ છે. તેના પ્રક – અંતિમ મર્યાદા આકાશમાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ આકાશ સૌથી મહાન્ છે, તેમ જ્ઞાન ગુણ તરતમભાવથી યુક્ત હાય છે. એટલે તેની કચિત્—કાઇ પુરુષવશેષમાં પ્રક'પ્રાપ્તિ અવશ્ય સ'ભવે છે. અને જેનામાં તે જ્ઞાનના પ્રક પ્રાપ્ત હેાય છે, તે જ સર્વજ્ઞ છે. ઇત્યલ પ્રસંગેન ! (જુઓ—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સજ્ઞસિદ્ધિ પ્રકષ્ણુ, જ્ઞાનબિન્દુ, આપ્તમીમાંસા આદિ ). " આવા ક્ષીદોષ-પરમ નિર્દોષ, ગુણાવતાર શ્રીમદ્ સજ્ઞ ભગવાન્ સ લબ્ધિરૂપ ફલથી સંયુક્ત હાય છે. કેવલજ્ઞાન લબ્ધિ, કેવલદેન લબ્ધિ, અનંત દાનલબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત ભાગ લબ્ધિ, અનંત ઉપભાગ લબ્ધિ, અનત વીય સ લબ્ધિલબ્ધિ આદિ સવ લબ્ધિ આ કેવલી ભગવતના ઘટમાં વસે છે. અણિમાફલ ભાગીજી’ મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિકરી થઈને ફરે છે. પાત'જલ આદિ ચેગશાસ્ત્રોમાં તથા જિનાગમમાં વર્ણવેલ સર્વવિભૂતિએનું આ ભગવાન્ એક ધામ હેાય છે. સર્વ પદાર્થના સર્વપર્યાયમાં વ્યાપક એવા સજ્ઞપણાને લીધે આ જ્ઞાનવડે કરીને સર્વવ્યાપક શ્રીપતિ · વિષ્ણુ ' ભગવાનને ઔત્સુકથની સથા નિવૃત્તિ હાય છે, કથાંય પણ કંઇ પણ ઉત્સુકપણું હેતુ નથી, એટલે તે સર્વ લબ્ધિના લના ભાગી હોય છે. “ તે આત્મસ્વરૂપથી મહત્ એવુ' કઇ નથી. એવા આ સૃષ્ટિને વિષે કોઇ પ્રભાવબેંગ ઉત્પન્ન થયા નથી, છે નહી અને થવાના નથી કે જે પ્રભાવોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. ’”—શ્રીમદ્ રાજચંદ્ર, અંક ૩૩૭. (૪૧૧) કારણ કે નિજ જ્ઞાને કરી જ્ઞાયક પદના ઈશ એવા આ વીતરાગ પ્રભુ જ્ઞેયના જ્ઞાતા હેાય છે, નિજ સ્વરૂપનું દર્શીન કરી આ પ્રભુ નિજ સામાન્ય એવું દૃશ્ય દેખે છે, આત્મસ્વભાવરૂપ ચારિત્રમાં રમતારામ એવા આ પ્રભુ નિજ રમ્યમાં રમણ કરે છે, ભેગ્ય એવા નિજ સ્વરૂપના અનંત ભાગને આ લાક્ડા સ્વામી ભાગવે છે. મહાન્ દાતા એવા આ પ્રભુ નિત્ય દાન દ્વીએ છે, અને નિજ શક્તિના ગ્રાહક-વ્યાપકમય એવા આ દેવ પાતે જ તે દાનના પાત્ર છે. ‘ અનંત ચતુષ્ક પદ પાણી’ “ નિજ જ્ઞાને કરી જ્ઞેયના, જ્ઞાતા નાયક પદ ઇશ રે; દેખે નિજ દ ંન કરી, નિજ દૃશ્ય સામાન્ય જગીશ રે, Page #307 -------------------------------------------------------------------------- ________________ જા દૃષ્ટિ : સવ ધિ ફલ ભેાગીજી,’ ધ્રુવપદામી નિજ રચ્ચે રમણ કરા, પ્રભુ ચારિત્રે રમતા રામ રે; ભાગ્ય અન’તને ભાગવા, ભાગે તિણે ભેાક્તા સ્વામ રે. ફ્રેંચ દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે; પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. શ્રી શ્રેયાંસ ’’ દાનાંતરાયના ક્ષય થયેા હેાવાથી આત્માને કરે છે, લાભાંતરાયના ક્ષય થયે। શુદ્ધ સ્વગુણ ઉપભાગ ’ સ્કુરાયમાન કરે છે. અક્ષય દાન અચિંતના, લાભ અયત્ને ભાગ....હા જિનજી ! વીય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેાગ....હા.”—શ્રી દેવચ’દ્રજી, (૬૧૯) શ્રીદેવચ ́દ્રજી. આ ભગવાન્ શુદ્ધ સહેજ આત્મસ્વરૂપનું... દાન હાવાથી અણુચિતવ્યે એવા સહુજ આત્મસ્વરૂપ લાભ નિરતર પામે છે, ભેગાંતરાયના ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપ સપત્તિને અયત્ને ભાગ કરે છે, વીર્યાં...તરાયના ક્ષયને લીધે શુદ્ધ સ્વગુણને નિર'તર ઉપભાગ લે છે, ઉપભાગાંતરાયના ક્ષયને લીધે સ્વરૂપરમણને વિષે અપ્રયાસવંત હાય છે-પ્રયાસ વિના સહજપણે અનંત આત્મશક્તિPage #308 -------------------------------------------------------------------------- ________________ (ર૦) યોગદષ્ટિસમુચય દાનાદિ અનંત વીર્ય લબ્ધિ, અને અનંત ભેગ ઉપગ લબ્ધિ સંપ્રાપ્ત થાય લબ્ધિને અદ્દ છે. જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ ભુત પરમાર્થ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિકભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં તે આપી શકે છે, તદુરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણુમાવી શકે છે, તે અનંત દાનલબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્ માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. વળી અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્ માત્ર પણ તેમાં વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગ ઉપગ લબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયાં છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામને કેઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ચૂનાધિકપણે કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે તે અનંત વીર્ય લબ્ધિ કહેવા ગ્ય છે. ક્ષાયક ભાવની દષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિન પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવીર્ય લબ્ધિમાં પણ તે પાંચે સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે છે તેવું સામર્થ્ય તેમાં વતે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગને તેથી સંભવ નથી. અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૮૪૦ (૩) (૯૧૫) અને પછી આવા સર્વ લબ્ધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધદય પ્રમાણે પરમ પરોપકાર કરતા સતા વિચરે છે. પિતાના શેષ જે ચાર અઘાતિ કર્મ–ભપગ્રાહી કર્મ છે, તેનાથી પ્રાપ્ત ઉદય પ્રમાણે ભૂતલ પર વિહાર કરતા આ નિષ્કારણ કણ કૃતકૃત્ય પ્રભુ, સદેશના દાનવડે અન્ય આત્માઓ પ્રત્યે પરમ પરોપકાર રસસાગર’ કરી, તેઓને કૃતકૃત્ય થવાનો મહા મોક્ષમાર્ગ બધે છે. “નિષ્કારણ કરુણ રસ સાગર’ એવા આ પરમકૃપાળુ દેવ પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી સંસારતાપથી સંતપ્ત જગજજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ : દાનાદ્રિ ષિના પરમાથ : પરમ પરોપકાર ( ૧૨૧) " જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અન ́ત પરિભ્રમણ દુઃખ પામ્યા છે, તે ‘સ્વરૂપ પદ’ સમજાવી, આ પરમ જગદ્ગુરુ પરમ લેાકકલ્યાણ-લેાકસંગ્રહ–લેાકાનુગ્રહ કરે છે. ‘ભત્રદુઃખવારણુ શિવસુખકારણ ' એવા શુદ્ધ ધર્મ પ્રરૂપી આ ભગવાન્ વિશ્વબ' પરમ શાંતિ સન્માર્ગ પ્રવહતેા કરે છે, કે જેમાં નિમજ્જન કરી ભવ્ય આત્માએ પરમ આત્મશાંતિને અનુભવે છે. આમ આધ મૂત્તિ-ધર્માવતાર વીતરાગ પરમાત્મા સદ્ધર્માંની સ્થાપના કરી, સમુદ્ધાર કરી, ભયંજનાની યથાભવ્યતા પ્રમાણે-પાતપેાતાની ચાગ્યતા અનુસારે તેમને સમ્યક્ત્વાદિ ગુણુની પ્રાપ્તિ કરાવી, યથાયેાગ્યપણે ધર્મલાલ' આપે છે. આ કેવલી ભાસ્કર ભવ્યજન-કમàાને પ્રોાધી વિકસિત કરતા સતા જગમાં વિહરે છે. કૈવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે....પ્રભુ અંતરજામી. ચિદાનંદ ધન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે....પ્રભુ॰ આતમ ધર્મ તણા આરામી, પરપરિણતિ નિષ્કામી રે....પ્રભુ॰ ”— શ્રી દેવચ`દ્રજી. અને આમ આયુષ્ય સ્થિતિ પર્યંત દુષ્ટ અસાધુજનાને દુષ્ટ માગ છે।ડાવી, અને શિષ્ટ સાધુજનાને ઇષ્ટ પરમા માગે ચઢાવી, સર્વ જગત્જં તુનું હિત કરવારૂપ પરમ લેાકાનુગ્રહ આચરી, પછી આ વિશ્વવત્સલ પરમાત્મા ચેાગના અંતને પામે છે, ચેાગ પ"તને અર્થાત્ શૈલેશી અવસ્થાને પામે છે. ક્ષીર્દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ કુલ ભેગીજી; પર ઉપકાર કરીને શિવ તે, પામે ચેગ અયાગીજી.”—શ્રી ચા. ૬.સજ્જા, ૮–૩ L तत्र द्रागेव भगवानयोगाद्योगसत्तमात् । भव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥ १८६॥ અયાગ યાગાત્તમ થકી, શીઘ્ર જ ત્યાં ભગવાન; ક્ષય કરી ભવવ્યાધિના, પામે પર નિર્વાણ, ૧૮૬. અઃ—ત્યાં શીઘ્ર જ તે ભગવાન, ચેગસત્તમ એવા યાગથી ભવબ્યાધિને ક્ષય કરીને પરમ નિર્વાણને પામે છે. વૃત્તિ:-તંત્ર-ત્યાં, એટલે કે યાત્રાન્તમાં, શૈલેશી અવસ્થામાં, પ્રત્યેવ-શીઘ્ર જ, ઝપાટા ખૂંધ જ, હેવું પાઁચ અક્ષર ઉચ્ચારણમાત્ર કાળમાં, મળવાન્-ભગવાન્ તે, યોગર્-અયાગ થકી, અવ્યાપાર ચકી. ચોળસત્તમાત્–યામસત્તમ થકી, યાત્રપ્રધાન થકી, શૈલેથી ચાત્ર થકી એમ અથ છે. શુ ? તેા કે મનખ્યાધિક્ષય ગ–ભવવ્યાધિનેા ક્ષમ કરી,-સ` પ્રકારે, નિર્વાળ મતે રં-પરમ નિર્વાણને પામે છે, ભાવ નિર્વાણુને પામે છે, એમ અય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ (૬૨૨) ગદષ્ટિસમુચ્ચય વિવેચન પછી ત્યાં-ચોગપર્વતરૂપ શેલેશી અવસ્થામાં શીધ્ર જ તે ભગવાન સર્વ યેગમાં પ્રધાન એવા “અગ” વેગથી અર્થાત્ શૈલેશી યોગથી, સર્વ પ્રકારે ભવવ્યાધિને ક્ષય કરી, પરમ એવા ભાવ નિર્વાણને પામે છે. શેલેશી અવસ્થામાં આ કેવલી ભગવાન સવ યોગમાં ઉત્તમ એવા “અગ” નામના પરમ યોગને પામે છે, અર્થાત્ સર્વ મનેયોગ, સર્વ વચનયોગ, ને સર્વ કાય ગની ક્રિયા વિરામ પામે છે, એવી સમસ્ત યોગવ્યાપાર રહિત પરમ “અગી ” દશાનેગુણસ્થાનને પામે છે. મન વચન કાયા ને કમની વગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું અગી ગુણસ્થાનક ત્યાં વત્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો... અપૂર્વ અવસર૦”—શ્રીમદ્ રાજચંદ્રજી, અત્રે ઉત્કૃષ્ટ એવા ક્ષાયિક વીર્યના બળથી મન-વચન-કાયાના યોગની ચપળતા રોધીને, આ ગીશ્વર ભગવાન ચેતનને શુચિ-શુદ્ધ અને અલેશી-લેશ્યા રહિત કરે છે. અને શૈલેશી અર્થાત મેરુપર્વત જેવી નિષ્પકપ-નિશ્ચલ આત્મસ્થિરતાશૈલેશીકરણ રૂપ શેલેશી અવસ્થામાં સ્થિતિ કરી, પરમ સંવરને પામેલા આ અગ પરમ “શીલેશ” પ્રભુ પરમ અક્રિય થઈ, સૂમ એવા ચાર શેવ કને ચોગાસત્તમ ક્ષય કરે છે. આમ જ્યારે ઉત્કૃષ્ટ આત્મવીર્યની ફુરણ હોય છે, ત્યારે યોગ-ક્રિયાને પ્રવેશ હોતે નથી, એટલે આ શૈલેશીકરણમાં ગની એવી ધ્રુવતા-નિશ્ચલતા હોય છે કે તે શૈલેશ-મેરુ જેવી અચલ અડોલ આત્મશક્તિને ખેસવી શકતી નથી—ચલાયમાન કરી શકતી નથી. (જુઓ પૃ. ૪૫-૪૬). અને આ અગી દશાગુણસ્થાનક પંચ હસ્તાક્ષર ઉચ્ચારણમાત્ર કાળ રહે છે; અર્થાત્ અ, ઈ, ઉ, ઋ –એ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં એટલે સમય લાગે તેટલે વખત જ રહે છે. એટલે આ અગ” ગસત્તમ પામીને શીધ્ર જ-તરત જ આ પ્રભુ ભવવ્યાધિને ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે. જેને લઇને ભવની સ્થિતિ હતી-પુનઃ પુનઃ દેહધારણરૂપ સ્થિતિ હતી, તે ભવના મૂલ કારણભૂત સર્વ કર્મને અત્ર સર્વથા સંક્ષય થાય છે. એટલે કારણના અભાવે કાર્ય ન હોય એ ન્યાયે, ભવ-સંસારને આત્યંતિક ઉચ્છેદ થાય છે. જેમ ભવના બીજ રેગનું મૂળ કારણ નિર્મૂળ થતાં રંગ નિર્મૂળ થાય છે, તેમ ભવરગનું તણે આત્યંતિક કમરૂપ કારણ નિમૂળ થતાં ભવરગ નિર્મૂળ થાય છે. એટલે પછી નાશ જો’ પુનઃ જન્મ ધારણ કરવાપણું રહેતું નથી. જેમ બીજ બળી ગયા પછી Page #311 -------------------------------------------------------------------------- ________________ પણ દરિ: શેલેશીક૨થ-અયોગ ગસત્તથી નિર્વાણ (૨૩) અંકુર ફૂટ નથી, તેમ કર્મરૂપ ભવ-બીજ બળી ગયા પછી, ભવરૂપ અંકુર ફૂટતો નથી. “दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી તત્વાર્થસાર. અને રોગને નાશ થયા પછી જ્યાં રેગનું રજકણ પણ નથી, એવી તંદુરસ્તી– સંપૂર્ણ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે; તેમ ભવવ્યાધિને નાશ થયા પછી જ્યાં કમ રોગનું એક પરમાણું પણ નથી, એવી આત્માની સંપૂર્ણ ભાવ આરોગ્ય સર્વ વ્યાધિ લય અવસ્થા પ્રગટે છે. જેમ રોગને નાશ થયા પછી મનુષ્ય પોતાની અસલ મૂળ સહજ સ્વસ્થતાને પામે છે, તેમ ભવરૂપ ભાવગને નાશ થતાં આત્મા પિતાની અસલ મૂળ સહજ “સ્વસ્થતાને-સહજાન્મસ્વરૂપ સ્થિતિને ભજે છે, અર્થાત્ સહજ-યથા જાત આત્મસ્વરૂપમાં “સુસ્થિત’ એવો ભગવાન શુદ્ધ આત્મા પ્રગટે છે. અને જેમ રેગને નાશ થયા પછી નીરોગી મનુષ્ય આરોગ્યને સહજ તાત્વિક આનંદ અનુભવે છે, તેમ ભવરોગનો ક્ષય થયા પછી ભાવ આરોગ્યસંપન્ન આત્મા ભાવ-આરોગ્યને સહજ શુદ્ધ તારિવક પરમાનંદ અનુભવે છે. પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્રપદ વ્યક્તિ... પૂજના તે કીજે રે બારમા જિનતણી રે.” -શ્રી દેવચંદ્રજી. અને આમ ભવવ્યાધિનો ક્ષય થાય છે, એટલે ભગવાન પરમ એવા ભાવ નિર્વાણુને પામે છે. દીપકનું તેલ ખૂટી જતાં જેમ દીપક નિર્વાણને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ કમરૂપ તેલ ખૂટી જતાં ભગવાન પણ નિર્વાણ પામે છે. કારણ કે ભાવ નિર્વાણ કર્મ–તેલના અભાવે તેમને સંસાર-દી નિર્વાણ પામે તેવાથી– હોલવાઈ ગયું હોવાથી, ભગવાન પણ “નિર્વાણ પામ્યા કહેવાય છે. અથવા જેનું ઇધન-બળતણ બળીને ખાખ થઈ ગયું છે, એવો ઉપાદાનસંતતિ વિનાને અગ્નિ જેમ નિર્વાણુને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ સર્વ કર્મ ઇધન બળીને ખાખ થઈ જતાં ઉપાદાન–સંતતિ વિનાનો સંસાર અગ્નિ નિર્વાણને પામે છે, હોલવાઈ જાય છે. એટલે ભગવાન “નિવણ પામ્યા એમ યથાર્થ કહેવાય છે. "कृत्स्नकर्मभयादूर्ध्व निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निनिरुपादानसंततिः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તરવાથસાર હાતા સો તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” શ્રીમદ્ રાજચંદ્રજી “સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી; સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા.-શ્રી . ૬, સઝા, ૮-૩ ET Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ગદરિસમુચ્ચય પરા દૃષ્ટિનો સાર પરાદષ્ટિ સમાધિનિષ્ટ છે. તે સમાધિના આસંગ દેષથી રહિત એવી હોય છે, અને ચંદનગંધ ન્યાયે તે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી હોય છે, અર્થાતુ આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી હોય છે. આમાં યોગી સર્વ આચારથી પર એવા નિરાચાર પદવાળો હોય છે. અને કારણ અભાવે તેને અતિચાર હોતે નથી; અર્થાત્ તેને કઈ આચાર પાળવાપણું રહ્યું નથી અને તેથી તેને કોઈ અતિચાર દોષની સંભાવના પણ નથી. આરૂઢને આરહણને જેમ અભાવ હોય છે, ચઢેલાને જેમ ચઢવાનું હતું નથી, તેમ આ ગારૂઢ પુરુષને આચાર વડે જીતવા ગ્ય કર્મના અભાવે નિરાચાર પદ હેય છે. તે પછી તેને ભિક્ષાટન આદિ આચાર કેમ હોય છે? તે શંકાનું નિવારણ એ છે કે-રત્ન આદિની શિક્ષાદષ્ટિઓ કરતાં જેમ તેના નિયોજન વિષયમાં શિક્ષિતની દૃષ્ટિ જુદી હોય છે, તેમ આ યોગીની તે જ આચારક્રિયા પણ ફલભેદે કરીને જુદી હોય છે; કારણ કે પૂર્વે તેનું સાંપરાયિક (કષાય સંબંધી) કર્મક્ષય ફલ હતું, ને હવે તે ભોપગ્રાહી કર્મક્ષય ફલ છે. તે રત્નને નિયોગથી-વ્યાપારથી અહીં લેકમાં તે મહાત્મા રત્નવણિફ જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મ સંન્યાસ વિનિયોગથી-વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. આ મુખ્ય ધર્મસંન્યાસ બીજા અપૂર્વકરણમાં ઉપજે છે, અને તેના થકી નિરાવરણ એવી કેવલશ્રી હોય છે, કે જેને કદી પ્રતિપાત ન થતો હોવાથી સદેદયાસદા ઉદયવંત હોય છે. ચંદ્રની જેમ જીવ પિતાની ભાવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી “સ્થિત જ' છે, કાંઈ સ્થાપવાનો નથી. અને જે વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવું છે. તે જ્ઞાનનું આવરણ તે મેઘપટલ જેવું-વાદળ જેવું છે. આ વાદળા જેવું ઘાતિક છે, તે આ ધર્મસંન્યાસ ગરૂપ વાયુના સપાટાથી જ્યારે ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાન મુખ્ય એવા પરાક્રમગથી જ્ઞાનકેવલી થાય છે. એટલે કે સકલ રાગાદિ દેષના પરિક્ષય થકી ક્ષીણુદોષ એવા તે તક્ષણ જ નિરાવરણ જ્ઞાન કરીને સર્વજ્ઞ હોય છે, અને સર્વ લબ્ધિફલના ભેગી હોય છે. આવા તે શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન્ મહામુનિ પરાર્થ–પરોપકાર કરીને પછી યુગના અંતને પામે છે. ત્યાં યોગાનમાં-શૈલેશી અવસ્થામાં શીધ્ર જ પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળમાં તે ભગવાન ગોત્તમ એવા અયોગ થકી ભવ્યાધિનો ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે. ક્ષીણ દેવ સર્વ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યેગ અગીજી; સવ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂરણ સવ સમીતાજી, સવ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહાજી. ”–શ્રી કે. સઝાય. Page #313 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પશ હરિ ! સાર : અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, પકઘટના પર દષ્ટિ કેક : ૧૪ દશન | ગાંગ | દષત્યાગ ] ગુણપ્રાપ્તિ ગુણસ્થાન ચંદ્રપ્રભા સમ પ્રવૃત્તિ | ૮-૯-૧ -૧૨-૧૩-૧૪ ધર્મસંન્યાસયોગ આસંગત્યાગ ! “ આપ સ્વભાવે સંપૂર્ણ કેવલ- | સમાધિ | દર્શન જ્ઞાન ક્ષપકશ્રેણી પ્રવૃત્તિ પૂરણ | કેવલજ્ઞાન-નિર્વાણ અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ રૂપકઘટના આમ અષ્ટ ચિત્તદોષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી ગદષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને રોગચકની પૂર્ણતા થતાં ભવચકની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રને અંત આવે છે. આ ગચક ખરેખર ! ભવચક્રને ઉચછેદ કરનારું અમોઘ શા છે તેના વડે કરીને આ પરમ યોગિનાથ ભવઅરિને હણી “ અરિહંત” એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી * સિદ્ધિ” નામને સાર્થક કરે છે. અષ્ટ ગાંગ એ આ ગચક્રના આરા છે, તે આત્મસ્વભાવયું જનરૂપ યોગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હેઈ તેની આસપાસ ફરે છે. અથવા ગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી) ' છે, ધ્યાન ગ્રીવા-ડોક છે, સમાધિ ઉત્તમાંગ–મસ્તક છે. આ આઠે અંગનું યોગ-પુરુષ સંપૂર્ણપણું–અવિકલપણું થાય તે જ યોગ પુરુષની અવિકલ સંપૂર્ણતા અષ્ટાંગ ગ છે -જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી–ગ પુરુષની વિકલતા-અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા ખેડખાંપણવાળા પુરુષની હોય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હોય છે, તેમ આ ગશરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ ક્રિયા સાધે છે, તેમ યુગ પુરુષના આ સર્વ અંગ એકબીજા સાથે સહકારથી-સહગથી એકપણે વત્તી (organic unit ) એક Page #314 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ચાંગ ટ્ટિસસુય ચેગપુરુષની સાધક એવી સ` પ્રક્રિયા કરે છે. ઇત્યાદિ અનેક પ્રકારે આ ઉપમાનું ઘટમાનપણું અત્ર યથામતિ આ વિવેચનકારે વિવેચ્યુ' છે. તે વિશેષ સ્વમતિથી ચિ'તવવું. અથવા યાગરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આઠ યાગષ્ટિરૂપ તેની આઠ પાંખડીકમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવયું જનરૂપ યાગ-કર્ણિકા છે. તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન્ આત્મા-પરબ્રહ્મ બિરાજે છે. યાગદ્યષ્ટિરૂપ લ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ યેાગ-કમલ વિકાસને પામતુ' જાય છે. એકેક યાગષ્ટિરૂપ પાંખડી ખુલતાં અનુક્રમે એકેક ચિત્તદોષ નિવૃત્ત થતા જાય છે, એકેક ગુણ વિકાસ પામતા જાય જાય છે. આમ સૉંપૂર્ણ ચેગસૃષ્ટિ વિકસતાં યાગરૂપ અષ્ટદલ આ સર્વના સંપૂર્ણ ખ્યાલ સ ંક્ષેપમાં આ વિવેચનકારે સ્વયં ખાસ મુખપૃષ્ઠ પર મૂકેલી સગ્રાહી મુખ્ય આકૃતિ પરથી આવશે. 節 યાગદૃષ્ટિ કળશ કાવ્ય વસતતિલકા યોગરૂપ અષ્ટદલ કમલ છે, અને એકેક ચેાગાંગ પ્રગટતું કમલ સ’પૂર્ણ વિકાસને પામે છે. યેાજેલી આ ગ્રંથના પ્રારંભમાં હાયે સમાધિમહિ નિષ્ઠ પરા સુદૃષ્ટિ, સદ્બાષ ચંદ્રતણી શાંતિ સુધા સુદૃષ્ટિ; સેાળે કળાર્થી અહિ આતમ ચ'દ્ર ખીલે, જ્યાહ્ના સુજ્ઞાનમયમાં ય લાક ઝીલે. ૧૪૩ સર્વે વિભાવ પરભાવ શમાઈ જાય, આત્મા સ્વભાવમહિ. શુદ્ધ સદા સમાય; થાયે વિલીન મન આત્મમહિ. સદાય, એવી સમાધિ પ્રગટે પર સૌમ્યદાય. ૧૪૪ સત્ સત્યમેા જ સમયે સમયે અનંતા, વૃદ્ધિ લડે અમલ આતમ ભાવવતા; એવું અપૂર્વ અહિં શુકલ સદા સુધ્યાન, આસંગ વર્જિત અખંડ પ્રવૃદ્ધ માન જ્યાં વાસનામય મનઃ વરતે વિલીન, આત્મા થયેા નિજ સ્વરૂપ વિષે જ લીન; સવપ્રદેશમહિ. ચંદન ગંધ ન્યાયે, આત્મપ્રવૃત્તિ સહજાત્મસ્વરૂપ થાયે. ૧૪૬ આવી અસિત્રત સમી ચરણકધારા, વર્તે સદા સહજ નિરતિચારચારા; આચારથી પર સુદુષ્કરકાર તે છે, આરેાહવાનુંશુ જ આરૂઢને રહે છે? ૧૪૭ જે ચેગના પરમ શ્રૃંગ પરે ચઢયા છે, ને જે અપૂર્વ ગુણશ્રેણી પરે વધ્યા છે; તે સર્વ કલ્પોઁ અતીત જ નિર્વિકલ્પ, સામર્થ્યચેાગી જિનકલ્પ તુલે અનલ્પ. રત્નાદિ શિક્ષણની દૃષ્ટિ શિખાઉ જેવી, તેથી જૂદી તસ નિયાજન દૃષ્ટિ એવી; આચારની ત્યમ ક્રિયા પણ તે જ આંહિ, યાગીનોં અન્ય ભેદ” લેાકમાંહિ. ૧૪૯ રત્ના નિયાૐ જ્યમ રત્નવણિક્ કૃતા, નિયાજી રત્નત્રયી તેમ મુનિ યથા સન્યાસ ધર્માં વિનિયેગથી અત્ર યાગી, થાયે કૃતાર્થ પરમાથ સુતત્ત્વ ભાગી. ૧૫૦ સન્યાસ ધર્મ સઘળાય તણેા કરીને, ક્ષાયિક ભાવ સહુ અંતરમાં ભરીને; સન્યાસ ધમ પર યાગ સુનિ લહે છે, શ્રેણી અપૂર્વકરણે ગુણની વહે છે. ૧૫૧ ૧૪૫ ૧૪૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ: પરા દૃષ્ટિના કળશ ફાવ્યું (૬૨૦) સાક્ષાત મેક્ષપદ નીસરણી સમાણી, એવી અપૂર્વ ગુણશ્રેણી ચઢત નાણી; ચેાગીશ્વરા પરમ કેવલશ્રી વરે છે, જે નિત્ય ઉદયી નિરાવરણા ઠરે છે. ૧૫૨ આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચદ્ર; સદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણુ મેઘસમૂહ જેવું. ૧૫૩ તે ઘાતિ ક્રમ ઘન થ્રુ વિખરે ઝપાટે, સન્યાસ ધરૂપ વાયુ તણા સપાટે; ત્યારે શ્રીમાન્ પરમ કેવલજ્ઞાન પામે, ને જ્ઞાનકેવલી કહાય યથા” નામે. ૧૫૪ સર્વેય દોષ ક્ષીણુ સાવ જ વર્ત્તનારા, સર્વાંના લબ્ધિલ સર્વ જ ભાગ'નારા; સાધી પરા પર તેહ પર કૃપાળુ, યાગાંત શ્રીમદ મુનીંદ્ર લહે દયાળુ. ૧૫૫ શૈલેશમાંહિ સહજાત્મસ્વરૂપ સ્વામી, પામી જ શીઘ્ર પર ચેાગ અયેાગ નામી; ન્યાધિ ભવ ક્ષય કરી નિરવાણુ પામે, સુસ્થિત તેહ ભગવાન્ નિત સૌખ્ય ધામે ૧૫૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेन भगवानदासेन सुमनेानंदनीबृहत्टीका ख्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टमी परा दृष्टिः || Page #316 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તત્ત્વ મીમાંસા* ત્યાં (નિર્વાણમાં) આ કે હોય છે ? તે કહે છે व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥१८७॥ વ્યાધિમુક્ત પુરુષ અહીં, જે-તે આ જ; ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭ અર્થ –લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય છે, તે જ આ હોય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અવ્યાધિત પણ નથી. વિવેચન આ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે હોય છે, તે આ નિર્વાણ પામેલો મુક્ત પુરુષ હોય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ તે સદ્ભાવરૂપ હોય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયે એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત જ હોય છે. (૩) તેમજ તે અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી, કારણ કે પૂર્વે તથા પ્રકારે વ્યાધિને સદ્ભાવ તેને હતે. કેઈ ચિરકાળને મહાગી છે. ઘણું ઘણું લાંબા વખતથી અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રંગવિકારોથી દુખાકુલ થઈ તે “ત્રાહિ મામ્ ' પોકારી રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર જવર-તાવ ભરાયેલે છે. વાત-પિત્ત-કફ રેગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને વિદેષ સન્નિપાત ઉપજ્યા છે. તેથી તે કૃત્તિ:-ચાષિમુa –માધિથી મુક્ત, વ્યાધિ જેને પરિક્ષીણું છે તે, પુમાન-પુરુષ. ચાદરોયાદશ, જેવો હોય છે, તાદશ હાથમ–તેવો આ નિત-નિર્વાણપ્રાપ્ત હોય છે. નામાવો-અભાવ નથી, બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ. ર ર નો મુeો વિના-અને વ્યાધિથી મુક્ત નથી થયા, એમ નથી અર્થાત મુક્ત જ છે-ભવ્યત્વના પરિક્ષયને લીધે. મથાપિતો ૧ - અને અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી– પૂર્વે તથાકાર તભાવને લીધે. • આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરા દૃષ્ટિની વિકારૂપ જ છે. તે વિષયની વિશતાર્થે અત્ર અલગ અધિકારરૂપે મૂક્યો છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તત્વ મીમાંસા: જીવન ભવરૂપ ભાવરેગ (૬૨૯) પોતાનું ભાન ભૂલી જઈ જેમ તેમ બાકી રહ્યો છે, ઉન્મત્ત ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તીવ્ર અસહ્ય દાવેદને તેને થઈ રહી છે. હૃદયમાં તીક્ષ્ણ શૂલ ભેંકાઈ રહ્યું છે. એમ અનેક પ્રકારની રોગપીડાથી આકુલવ્યાકુલ એ તે હેરાન હેરાન થઈ રહ્યો છે. આવા મહા રોગાત્ત દુઃખી જીવને ઉત્તમ સર્વેિદ્યના ઉપદેશથી ઉત્તમ ઔષધનો જોગ મળી આવે ને તેને યથાનિદિષ્ટ પધ્ધપૂર્વક પ્રયોગ કરવામાં આવે, તો તે રોગીને રોગ નિમૂળ થાય; તેને જ્વર-તાવ ઉતરી જાય, ત્રિદેષ–સન્નિપાત ચાલ્યો જાય, તે બરાબર પિતાના ભાનમાં આવે, તેની દાવેદના દૂર થાય, હૃદયશૂલ્ય નીકળી જાય, ને પછી સંપૂર્ણ રોગમુક્ત થઈ, તદ્દન સાજેતાજો-દુષ્ટપુષ્ટ બની તે સંપૂર્ણ આરોગ્યનેસ્વાને અનુભવે. અને આવો આ આરોગ્યસંપન્ન “સ્વસ્થ” પુરુષ રોગમુક્ત થયાને કઈ અદ્ભુત આનંદરસ આસ્વાદે. આ પ્રકારે લેકમાં પ્રગટ દેખાય છે. તે જ પ્રકારે આ જીવને અનાદિ કાળથી આ ભવરૂપ મહારોગ લાગુ પડ્યો છે. આ મહા કષ્ટસાધ્ય વ્યાધિથી તે ઘણા ઘણા દીર્ઘ સમયથી હેરાન હેરાન થઈ રહ્યો છે. તે રોગના વિકારોથી દુઃખી દુઃખી થઈ તે “ય માડી રે ! કરજે ત્રાણ” જીવને ભવરૂપ એમ પોકારી રહ્યો છે. તેના જ્ઞાનમય દેહમાં રાગરૂપ ઉગ્ર જ્વર ચઢી ભાવગ આવ્યો છે, મેહરૂપ ત્રિદેષ સનિપાત તેને થયો છે, એટલે તે “નિજ ભાન ભૂલી જઈ ઉન્મત્ત પ્રલાપ ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તેને વિષયતૃષ્ણજન્ય અસહ્ય તત્ર દાવેદના વ્યાપી રહી છે-બળતરા થઈ રહી છે; હૃદયમાં દ્વેષરૂપ શલ્ય ભેંકાઈ રહ્યું છે. આવા ઉગ્ર વિરોગથી આકુલ જીવને શ્રીમદ્ સદ્ગુરુરૂપ ઉત્તમ સવૈદ્યને “જોગ’ બાઝતાં, તેમના સદુપદેશથી સમ્યમ્ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ઔષધત્રયીની પ્રાપ્તિ થાય છે. અને ગુરુ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે તે રત્નત્રયીરૂપ ઔષધત્રિપુટીનું સમ્યક્ સેવન કરતાં અનુક્રમે તેના વિરોગનો નિમૂળ નાશ થાય છે. તેને રગ-જવર ઉતરી જાય છે, દ્વેષશલ્ય નીકળી જાય છે, માહ સન્નિપાતનું પતન થાય છે, આત્મભાન પાછું આવે છે, વિષયતૃષ્ણાથી ઉપજતી દાવેદના-બળતરા શમી જાય છે. અને તે નિજ સહજ આત્મસ્વરૂપનું દર્શન કરી, જ્ઞાન પામી, આત્મવરૂપનું અનુસરણ કરે છે, કેવલ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધી, કેવલ જ્ઞાનમય આત્મામાં સ્થિતિ કરી, “સ્વસ્થ” થઈ, કેવલ્ય દશાને અનુભવે છે. અને પછી તે ચરમ દેહના આયુષ્યની સ્થિતિ પર્યત બળેલી સીદરી જેવા આકૃતિમાત્ર રહેલા શેષ ચાર કર્મોને પ્રારબ્ધદય પ્રમાણે ભેગવી નિજારી નાંખે છે, અને પ્રાંતે તે કર્મોને પણ સર્વથા પરિક્ષણ કરે છે. આમ સર્વથા કર્મ મુક્ત થયેલ તે ભવરેગથી મુક્ત બને છે. અને આવા આ ભવવ્યાધિથી મુક્ત થયેલા, પરમ ભાવારોગ્યસંપન, સહજાત્મસ્વરૂપ સુસ્થિત, એવા આ પરમ “સ્વસ્થ” પરમ પુરુષ પરમ આનંદમય એવી ભાવ–આરોગ્ય દશાને કોઈ અવર્ણનીય આનંદરસ ભેગવે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ (૬૩૦) યોગદૃષ્ટિસમુચ્ચય આમ જેમ લેાકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવા નીરાગી, જેવા સ્વસ્થ, જેવે। આનંદમય હાય છે, તેવા આ ભવ્યાધિથી મુક્ત આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ (આત્મા) પરમ નીરોગી, 6 પરમ સ્વસ્થ ', પરમ આનંદમય હોય છે. (૧) આ નિર્વાણુપ્રાપ્ત મુક્ત મુક્ત અભાવ- પુરુષ કાંઇ અભાવરૂપ નથી, અર્થાત્ કેટલાક ( બૌદ્ધ આદિ) માને છે તેમ રૂપ નથી નૈરામ્ય અવસ્થારૂપ નથી, આત્મ વસ્તુના અભાવરૂપ નથી, પરંતુ વસ્તુસદ્ભાવરૂપ છે. એટલે કે કેવલ, શુદ્ધ, વિવિક્ત, નિમલ આત્મતત્ત્વનું જ ત્યાં હેવાપણુ છે, કે જે શુદ્ધ આત્મતત્ત્વ ‘સિદ્’ નામથી એળખાય છે. રેગથી મુક્ત થયેલા પુરુષ રાગથી મુક્ત થતાં કાંઈ પુરુષ મટી જતા નથી, તેમ ભવરાગથી મુક્ત થયેલે ચૈતન્ય મય પુરુષ-આત્મા ભવરાગમુક્ત થતાં કાંઇ પુરુષ-આત્મા મટી જતા નથી. રાગના અભાવે કાંઇ પુરુષને અભાવ થતા નથી, પણ કેવલ તેની શુદ્ધ નીરેગી અવસ્થા જ પ્રગટે છે. તેમ ભવરાગના અભાવે કાંઇ આત્માને અભાવ થતા નથી, પણ તેની કેવલ શુદ્ધ નીરોગી નિરામય તત્ત્વકાય અવસ્થા પ્રગટે છે; આત્માની સ’સારી અવસ્થા દૂર થઇ સિદ્ધ-મુક્ત અવસ્થા આવિર્ભાવ પામે છે; દેહાર્દિક સચેત્રને જ્યાં આત્યતિક વિયેાગ છે, એવી શુદ્ નિજ સ્વભાવરૂપ મેાક્ષદશા પ્રકટ થાય છે. ( જુએ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૪૦૪). વળી (૨) આ પુરુષ–આત્મા વ્યાધિથી મુક્ત નથી થયા એમ પણ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત હાય જ છે. કોઇ (સાંખ્યાદિ ) એમ માને છે કે આ આત્મા તે સદાય મુક્ત જ છે, અખંધ જ છે—બધાયેલા જ નથી. પણ આ માન્યતા બહુ મુક્ત નથી થયા ભૂલભરેલી છે; કારણ કે તેમ જે માનીએ તે બધ-મેક્ષ, સુખ-દુઃખ એમ પણ નથી આદિ વ્યવસ્થા ઘટશે નહિં, કૃતનાશ-અકૃતાગમ આદિ અનેક દોષ આવશે, અને જે માક્ષને માટે જ તે તે દનનુ' પ્રયેાજન છે તે પ્રયાજન પણ નિષ્ફળ થશે ! કારણ કે ખ ́ધાયેલે હાય તેને મુકત થવાપણું હોય, પણ જો અંધાયેલા જ નહાય તે મુક્ત થવાનું કયાં રહ્યું ? જો ખંધન જ નહાય તેા મુક્તિ કયાંથી હાય ? કારણકે ખ`ધન-મૅચન, બંધનથી છૂટવું તેનું નામ જ મેક્ષ છે. આ બંધનમેાચનરૂપ મેાક્ષ અત્રે ભવ્યત્વના પરિક્ષયથી હેાય છે. એટલા માટે જે મેાક્ષ પામે છે, મુક્ત થાય છે, તે ભવવ્યાધિથી મુક્ત નથી થયા એમ નથી, પરંતુ મુક્ત થયા જ છે, જેમ ‘ નીરેગી ’મનુષ્ય રાગથી મુક્ત નથી થયા એમ નથી, પણ છતાં એવા રાગથી મુક્ત થયા જ છે, અને એટલે જ તે નીરાગી-રાગમુક્ત કહેવાય છે, તેમ મુક્ત આત્મા ભવરોગથી મુક્ત નથી થયા એમ નથી, પણ છતાં-પ્રગટ અસ્તિત્વરૂપ ભવરોગથી મુક્ત થયા જ છે, એટલે જ તે ‘મુક્ત ’-ભવરોગમુક્ત કહેવાય છે. (૩) અને તે ‘ અવ્યાધિત ’–ન્યાધિ વગરના હતા એમ પણ નથી, કારણ કે પૂર્વે તેને તથાપ્રકારે પ્રગટ વ્યાધિના સદ્ભાવ હતા જ. વ્યાધિમુક્ત પુરુષને માટે કોઇ એમ કહે કે પૂર્વે તેને વ્યાધિ જ ન્હાતા, તે તેમાં દૃષ્ટ-ઈષ્ટ ખાધા, પ્રત્યક્ષ વિરોધ આવે છે. કારણ કે તે તે મ્હારા મેઢામાં જીભ નથી ’ એમ : અવ્યાધિત પણ નથી Page #319 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તત્તવ મીમાંસા: રેગમુકત જે ભવમુક્ત (૬૩૧) બેલનારની જેમ વદતે વ્યાઘાત છે. કારણ કે જે વ્યાધિ જ હોતે, તે વ્યાધિમુક્ત થયે શી રીતે? માટે એમ કહેવું તે સાવ બેહૂદું છે. કારણ કે તે ભવરોગથી દુઃખી થઈ રહ્યો હતો તે પ્રત્યક્ષ પ્રગટ હકીકત (Real fact) છે. અને તેમાંથી છૂટયો-મુક્ત થયો, ત્યારે જ તે ભવ્યાધિ રહિત-મુક્ત કહેવાય છે. આમ સર્વથા, વ્યાધિમુક્ત પુરુષ જેવો લેકમાં હોય છે, તે જ-તાદશ જ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત પુરુષ (આત્મા) હોય છેઃ (૧) વ્યાધિમુક્ત પુરુષ જેવો સ્વસ્થ આનંદી હોય છે, તે આ મુક્ત આત્મા પરમ સ્વસ્થ–પરમ આનંદરેગમુક્ત જે નિમગ્ન હોય છે. (૨) જેમ રોગ દૂર થતાં કાંઈ રોગી પુરુષને ભવમુક્ત અભાવ થઈ જતું નથી, તેમ ભવવ્યાધિ દૂર થતાં કાંઈ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્માનો અભાવ હેત નથી. ૩) તે વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી હોતે એમ નહિ, પણ મુક્ત જ હોય છે, તેમ આ નિર્વાણપ્રાપ્ત મુક્ત આત્મા ભવ્યાધિથી મુક્ત નથી એમ નહિં, પણ મુક્ત જ હોય છે. (૪) અને તે વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે અવ્યાધિત હેતે, વ્યાધિ વગરને હોતે, પણ વ્યાધિવાળે હતે જ; તેમ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા પણ પૂર્વે અવ્યાધિત હેતે, ભવ વ્યાધિ વગરનો હોતે, પણ ભવ વ્યાધિવાળે હતું જ. નહિં તે, વ્યાધિ જ ન હોત, તે તેને નાશ પણ કેમ હેત ? તેથી મુક્તપણું કેમ હોત? મૂરું નાસ્તિ કુત્તો લા? આમ આ દૃષ્ટાંત ઉપરથી સુપ્રતીતપણે ફલિત થતી ચકખી દીવા જેવી સ્પષ્ટ હકીકત બાલક પણ સમજી શકે એમ છે, તે સાદી સમજવાળ કેઈ પણ મનુષ્ય કેમ ન સમજે? તથાપિ મહામતિ ગણતા કેટલાક દર્શનવાદીઓએ આ મોક્ષ સંબંધી અનેક પ્રકારે અસતુ કહ૫નાઓ ઉભી કરી છે તે આશ્ચય છે ! જેમકે- મોક્ષ આમ અભાવ૫ છે. ” “ આ આત્મા નિત્ય મુક્ત જ છે,” “આ આત્માને ભવ્યાધિ લાગેલ જ નથી,” ઈત્યાદિ. આવા બધા વિકલ્પ દષ્ટ-ઈષ્ટ બાધિત હોઈ, વિવેક વિચારથી ક્ષણભર પણ ટકી શકતા નથી. આ સંબંધી વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ શ્રી ષદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, બત્રીશ બત્રીશી, તવાર્થસાર આદિ મહાગ્રંથરત્નો અવગાહવા ભલામણ છે. અત્ર વિસ્તાર ભયથી દિગ્દર્શનરૂપ નિદેશમાત્ર કર્યો છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે भव एव महान्याधिर्जन्ममृत्युक्किारवान् । विचित्रमोहजननस्तीव्ररागाविवेदनः ॥१८८॥ વૃત્તિ –મય પ–ભવ જ, સંસાર જ, મહાવ્યાધિ-મહાવ્યાધિ છે, કે વિશિષ્ટ ? કે-સન્મમૃત્યુવિરવાન-જમ, મૃત્યુરૂપ વિકારવાળે, આનું જરા આદિ ઉપલક્ષણ છે. વિનિત્રોકનનો વિચિત્ર મોહ ઉપજાવનારો,-ભિઠ્ઠાવના ઉદય ભાવથી, તોડ્યા વિના-તીવ રાગાદિ વેદનાવાળે,-ત્રી આદિના અભિળ્યું ગભાવથી (આસક્તિ ભાવથી). Page #320 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩૨) યોગદૃષ્ટિસમુચ્ચય સંસાર જ મહા વ્યાધિ છે, જન્મ મૃત્યુ વિકાર; તીત્ર રાગાદિ વેદના, ચિત્ર માહ કરનાર. ૧૮૮ અર્થ :—ભવ જ મહાવ્યાધિ છે. તે જન્મ-મરણરૂપ વિકારવાળા છે, વિચિત્ર માહ ઉપજાવનારા અને તીવ્ર રાગાદિ વેદનાવાળા છે. વિવેચન આ ભવ-સંસાર એ જ મહાવ્યાધિ છે. તે કેવા છે ? જન્મ-મરણુરૂપ વિકારવાળા છે, ઉપલક્ષણથી જરા આદિ વિકારવાળા છે; મિથ્યાત્વના ઉયભાવથી વિચિત્ર પ્રકારના મેહ ઉપજાવનારા છે; તથા સ્ત્રી આદિના આસક્તિ ભાવથી તીવ્ર રાગાદિ વેદનાવાળા છે. ઉપરમાં જે વ્યાધિની વાત કહી તે વ્યાધિ કયા ? તેની અહીં ગ્રંથકાર મહર્ષિએ જ સ્પષ્ટતા કરી છે. પરમાથી જોઈ એ તે। આ જગમાં મેટામાં મેટો જો કોઈ વ્યાધિ હોય, તે તે આ ભવ એટલે સસાર જ છે. આ સંસારને મહારોગની ઉપમા ખરાખર ઘટે છે; કારણ કે ચિહ્નથી, સ્વરૂપથી, કારણથી, વિકૃતિથી, ચિકિત્સાથી, પરિણામ આદિથી બન્નેનુ' અનેક પ્રકારે સામ્ય છે. તે આ પ્રકારે રાગ જેમ મનુષ્યના શરીર પર આક્રમણ કરી તેને ચાતરથી ઘેરી લે છે, તેમ ભવરંગ આત્માના જ્ઞાનમય શરીર પર આક્રમણ કરી એને ચેાપાસથી ઘેરી લે છે. રાગ જેમ શરીરના પરમાણુએ પરમાણુમાં વ્યાપ્ત થઈ પેાતાની અસર નીપલવરાગનુ જાવે છે, તેમ ભવરંગ આત્માના પ્રદેશે પ્રદેશમાં વ્યાપી જઈ પેાતાની આક્રમણ અસર નીપજાવે છે. રેગ જેમ શરીરની શક્તિને ક્ષીણુ કરી નાંખે છે, નૂર–તેજ ઉડાડી દે છે, રક્ત-માંસ આદિ ધાતુઓને શેષી લે છે; તેમ ભવરાગ પણ આત્માની અનંત શક્તિને ક્ષીણ કરી નાંખે છે, આત્માનું નૂર–તેજ ઉડાડી દે છે, જ્ઞાન-દર્શનાદિ આત્મસ્વભાવરૂપ ધાતુઓને શેષી લે છે. રાગ જેમ દોષપ્રકોપ કરે છે, તેમ ભવરાગ રાગદ્વેષાદિ દોષને પ્રકેપ કરે છે. રાગ જેમ મનુષ્યને પથારીવશ કરી પરાધીન ને પાંગળેા કરી મૂકે છે, તેમ ભવરાગ આત્માને શરીર-શય્યામાં સુવડાવી પર પુદ્ગલ વસ્તુને આધીન પાંગળેા કરી મૂકે છે. રાગ જેમ માણસની આખી સીકલ એવી ફેરવી નાંખે છે કે તેનુ' એળખાણ પડવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ભવરાગ આત્માની અસલ સીકલ એવી પલટાવી નાંખે છે કે તેનું એળખાણ થવું કઠિન હેાય છે. રાગ એ જેમ મનુષ્યની અનારાગ્યરૂપ અપ્રાકૃતિક-અકુદરતી-વિકૃત અવસ્થા છે, તેમ ભવરાગ એ આત્માની અનારાગ્યરૂપ અકુદરતી અપ્રાકૃતિક-વિકૃત અવસ્થા છે. રાગ જેમ મનુષ્યના શરીરની અસ્વસ્થ સ્થિતિ છે, તેમ ભવરાગ એ આત્માની અસ્વસ્થ સ્થિતિ છે. રાગ જેમ મનુષ્યના પ્રકૃતિવિરુદ્ધ અપ્રાકૃતિક વનની અધર્મની સજા છે-દંડ છે, તેમ ભવરાગ એ આત્માના સહુજ અવસ્થા પ્રકૃતિ વિરુદ્ધ વનની અધર્મની સજા છે, દંડ છે, રાગ જેમ શરીરની ભવરાગ Page #321 -------------------------------------------------------------------------- ________________ આદિ સુક્તતત્વમીમાંસાઃ ભવગ અપ્રાકૃતિક વિકૃત અવસ્થા, ચિહ્નો (૬૩૩) ધાતુઓની વિષમતાને આવિર્ભાવ છે, તેમ ભવરગ એ આત્માની સ્વભાવ-ધાતુની વિષમતાને આવિષ્કાર-પ્રકટ પ્રકાર છે. રોગને જેમ નિયત ચોક્કસ કારણુકલાપ હોય છે, તેમ ભવરોગને નિયત ચોક્કસ કારણકલાપ હોય છે. મલસંચય, દેષ પ્રકોપ, ધાતુવૈષમ્ય, પ્રકૃતિવિરુદ્ધ આચરણ, ભય, ઉદ્વેગ આદિ સ્વ-ગ્ય કારણથી જેમ રેગની ઉત્પત્તિ હોય છે, તેમ ભાવમલસંચયથી, રાગાદિ દોષપ્રકોપથી, સ્વભાવધાતુવૈષમ્યથી, આત્માની સહજ સ્વભાવસિદ્ધ પ્રકૃતિ વિરુદ્ધ આચરણથી-અધર્મથી, આત્મપરિણામની ચંચલતારૂપ ભયથી, સન્માર્ગ પ્રત્યે કંટાળારૂપ ઉદ્વેગથી,-ઇત્યાદિ સ્વયેગ્ય વિવિધ કારથી મહાભવરગ ઉપજે છે. (૧) રોગથી જેમ અગ્નિમાંદ્ય થાય છે, અન્ન પ્રત્યે અરુચિ ઉપજે છે, ખાવાનું ભાવતું નથી, તેમ ભવરોગથી આત્મતેજની મંદતારૂપ અગ્નિમાંદ્ય ઉપજે છે, સન્માગરૂપ પરમાન પ્રતિ અરુચિ-અભાવે આવે છે. રેગથી જેમ મેળ આવે છે, રોગચિહનો વમન થાય છે, તેમ ભવરગથી સવચન પ્રત્યે અણગમારૂપ મેળ અગ્નિમાંદ્ય આવે છે, ને સ્વરૂપવિસ્મરણરૂપ વમન થાય છે. રેગથી જેમ મલા વર્ષોભ થાય છે, અથવા અજીર્ણ-વિસૂચિકા ઉપજે છે, તેમ ભવરોગથી કમસંચયરૂપ ભાવમલને અવર્ણભ થાય છે, અથવા વિષયવિકારરૂપ અજીર્ણ-વિચિકા ઉપજે છે. (૨) રોગથી જેમ હૃદયમાં શૂલ ભેંકાય છે, તથા હાંફ ચઢે છે, તેમ ભવરગથી ઠેષરૂપ શૂળ આત્માને ભેંકાય છે, તથા સન્માર્ગ પ્રત્યે બેદરૂપ હાંફ ચઢે છે. (૩) રેગથી જેમ પ્રાણુ વધ થાય છે, શ્વાસેવાસ જોરથી ચાલે છે, ખાંસી આવે છે, કફ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનદશનરૂપ ભાવપ્રાણને અવરોધ થાય છે, જન્મ-મરણરૂપ શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે, કષાયરૂપ ખાંસી આવે છે, તે વિષયરૂપ કફ પડે છે. (૪) રેગથી જેમ શરીરને ક્ષય-ક્ષીણતા-ઘસારો લાગુ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનમય આત્મદેહને ક્ષય-ક્ષીણતા–ઘસારો લાગુ પડે છે. (૫) રોગથી જેમ શુદ્ધ રક્તાભિસરણ (circulation) બરાબર થતું નથી, શરીર પાંડુ-ફીકકું-નિસ્તેજ (anaemic) થઈ જાય છે, તેમ ભવરોગથી શુદ્ધ ચૈતન્યપ્રવાહરૂપ રક્તનું અભિસરણ (circulation ) બરાબર થતું નથી, આત્માને જ્ઞાનદેહ પાંડુ-ફીક્કો-નિસ્તેજ બની જાય છે. (૬) રેગથી જેમ શરીરના રુધિર-માંસાદિ ધાતુ સુકાઈ જાય છે ને શરીર અસ્થિમાત્રાવશેષ રહે છે, તેમ ભવરોગથી આત્માના જ્ઞાનદર્શનાદિ સ્વભાવરૂપ ધાતુ શેષાય છે ને અત્યંત મંદ ચૈતન્યચિહ્નરૂપ આત્મદેહ અવશેષ રહે છે. (૭) રોગથી જેમ મગજનું ઠેકાણું રહેતું નથી. મગજનું કેદ્ર (centre) ખસી જાય છે, માણસ પિતે પિતાનું ભાન ભૂલી જાય છે, “ચક્રમ’ થઈને યદ્વાતા ફાવે તેમ બકે છે, ને ત્રિદોષ સન્નિપાતને પામે છે; તેમ ભવરોગથી આત્માનું Page #322 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય સ્વરૂપ પદમાં સ્થિતિરૂપ કાઇ ઠેકાણું રહેતું નથી, સ્વરૂપષ્ટતાથી સ્વરૂપ કેંદ્ર ખસી જાય છે, આત્મા પેાતે પેાતાના સહજ નિજ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે, ઉન્મત્ત ‘ચક્રમ' બનીને પરવસ્તુને પેાતાની કહેવારૂપ યદ્વાતઢા પ્રલાપ–બકબકાટ કરે છે, અને માહ–રાગ-દ્વેષરૂપી ત્રિદેોષની વૃદ્ધિથી સત્સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતને પામે છે. (૮) રાગથી જેમ ખસ થાય છે ને ખૂજલી-મીઠી ચળ ઉપડે છે, અને તેથી પરિણામે લાહ્ય મળે છે, તેમ ભરેગથી વિષયવિકારરૂપ ખસ થાય છે ને ભોગેચ્છારૂપ ખજવાળ-મીઠી ચળ− કહૂઁ ' આવે છે, ને તેથી પરિણામે ભવભાગરૂપ લાહ્ય મળ્યા કરે છે. (૯) રોગથી જેમ શરીરમાં ઉગ્ર-આકરી તાવ ભરાય છે અને ભારી તરસ લાગે છે, તેમ ભવરાગથી રાગરૂપ ઉગ્ર જ્વર ભરાય છે અને વિષયતૃષ્ણારૂપ ભારી તૃષા ઉપજે છે. (૧૦) વળી રાગથી જેમ વિવિધ વિકારા ઉખરી આવે છે, તેમ ભવરેગથી જન્મ-મરણાદિ વિકારા ઉપજે છે. ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં શયન કરવુ, ફરી ફરી ઘડપણુ, રાગ, શાક, ચિતા, ૌર્ભાગ્ય, દારિદ્ર આદિ દુઃખ અનુભવવુ, એ બધા ભવરાગના વિકાર છે. (૬૩૪) ત્રિદોષ ઉન્માદાદિ ( ૧૧ ) રાગથી જેમ વિચિત્ર પ્રકારના માહ ઉપજે છે, તેમ ભવરેગથી વિચિત્ર પ્રકારના માહ ઉપજે છે. રાગથી જેમ કમળારૂપ પિત્તવિકારને લીધે ધેાળી વસ્તુ પણ પીળી દેખાવારૂપ દૃષ્ટિદાષ થાય છે; તેમ ભવરાગથી મિથ્યાત્વ ઉદયને લીધે અસમાં સમુદ્ધિ ને સમાં અસત્બુદ્ધિરૂપ દૃષ્ટિદોષદૃનમાહ ઉપજે છે. રાગથી જેમ રાગાકુલ દરદી પાતે પેાતાનું ભાન ભૂલી જાય છે, તેમ ભવરેગાત્ત જંતુને આત્માના સ્વસ્વરૂત્તું ભાન રહેતુ નથી. એભાનપણામાં જેમ દરદી પેાતાની વસ્તુને પારકી ને પારકી વસ્તુને પેાતાની કહેવારૂપ ભ્રાંતિને સેવે છે, તેમ આત્મસ્વરૂપના અભાનપણામાં ભવરાગી પરવસ્તુને પેાતાની ને સ્વવસ્તુને પારકી ગણુવારૂપ મિથ્યા ભ્રાંતિને સેવે છે. (૧૨) રાગી જેમ પેાતાની મૂળ આરોગ્યમય અસલ સ્વભાવસ્થિતિમાં હેાતા નથી, પણ રાગકૃત વિકૃત અવસ્થામાં હોય છે, તેમ ભવરાગી પેાતાની મૂળ અસલ સહજ સ્વભાવસ્થિતિમાં વત્તતા નથી, પણ ભવરેગકૃત વિભાવરૂપ વિકૃત દશામાં વર્તાતા હેાય છે. (૧૩) રાગથી મુંઝાઇ ગયેલા-મેહમૂદ્ર રાગીનું આચરણ જેમ વિષમ હોય છે, તેમ ભવરાગથી માહિત થયેલા-મુ`ઝાઈ ગયેલા માહમૂઢ જીવનું આચરણુ પણ મહામેહમય વિષમ હોય છે, સ્વભાવથી વિપરીત હોય છે. (૧૪) રાગથી જેમ સ્વભાવ ચીઢીયે થઇ જવાથી દરદી વાતવાતમાં ચીઢાઇ જાય છે, તેમ ભવરાગથી ચીઢીયેા થઇ ગયેલે આ ભવરાગી પણ વાતવાતમાં ક્રોધાદિ કષાયાકુલ થઈ આવેશમાં આવી જાય છે ! કમજોર ને મ્હાત ’ કરે છે! (૧૫) રાગથી જેમ શરીરે તીવ્ર વેદના—પીડા ઉપજે છે, તેમ ભવરાગથી આત્માને શ્રી આદિ પ્રત્યેના આસક્તિભાવને લીધે રાગદ્વેષાદિ તીવ્ર વેદના ઉપડે છે.-મામ અમુક અમુક ચાક્કસ ચિહ્નો પરથી ગુસ્સા વિચિત્ર માહ આદિ Page #323 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસાઃ ભવગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિર્ણય (૬૩૫) જેમ રોગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચક્કસ ચિહ્નો પરથી ભવરેગનું નિદાન થઈ શકે છે. અને રોગીની તથા પ્રકારની અવસ્થા ઉપરથી જેમ રેગની સુસાધ્યતાનો કે દુઃસાધ્યતાનો કે અસાધ્યતાને નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથા પ્રકારની ભવ્યતા–અભવ્યતારૂપ, યોગ્યતા-અયોગ્યતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવને ભવરોગ સુસાધ્ય સાધ્યા સાધ્ય છે? કે દુ:સાધ્ય છે? કે અસાધ્ય છે? તેને પ્રાકૃનિર્ણય (Prognosis) નિર્ણય થઈ શકે છે. જેમકે-(૧) રોગી ઉપર અજમાવવામાં આવેલ ઔષધિની તાત્કાલિક ઘણી સુંદર અસર થાય તે જેમ રોગીને રોગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગદર્શનાદિ યથાયોગ્ય ઔષધિના પ્રયોગથી જે જીવના પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ–ભાવરૂપ ઘણી સુંદર અસર થાય છે, તે જીવ નિકટભવ્ય છે અને તેને ભવરોગ સુસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રોગી પર પ્રયોજેલ ઔષધિની લાંબા વખતે કંઈક અસર થાય તે જેમ આ રોગ દુ:સાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઔષધના પ્રયોગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઈક સુંદર અસર થાય, તે તે જીવ દૂરભવ્ય છે, ને તેને ભવરગ દસાધ્ય (Difficult to cure) છે એમ સમજાય છે. (૩) રેગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધોનો પ્રયોગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કંઈ પણ “ટીકી' લાગતી નથી, “પત્થર પર પાણી ઢળ્યા જેવું થાય છે, ને રોગ ઉલટ વધતો જાય છે, તે રોગીનો રોગ જેમ અસાધ્ય કેટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દર્શનાદિ સદુઔષધની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંબા વખતે પણ કંઈ પણ સભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણ ઉપજતો નથી, “ઘડે કરે ને કેરે ધાકડ” રહે છે, ને ઉલટી અભિમાનાદિ વિપરિણામરૂપ અસર થઈ રેગ ઉલટ વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કેટિને (Incurable) છે, અને તેને ભવરેગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રેગીના ચિહ્ન ઉપરથી–દશાવિશેષ ઉપરથી જેમ રેગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી બંધાય છે, તેમ ભાવગીના ચિહ ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે. વળી રેગી–રેગીમાં પણ ફરક હોય છે કે સમજુ, કેઈ અણસમજુ હોય છે, કઈ બાલ, કેઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરોગીમાં પણ તફાવત હોય છે, કઈ સમજુ, કોઈ અણસમજુ, કઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર રેગીની હોય છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે રોગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, વિવિધતા તે વિવેકી સુજ્ઞ રોગી જેમ બને તેમ જલદી રોગ નિમ્ળ થાય એમ Page #324 -------------------------------------------------------------------------- ________________ (૬૩૬) યાગાદિસમુચ્ચય ખરા અંતઃકરણથી ઇચ્છે છે. એટલે તે ડાહ્યો સમજુ રાગી જેમ કુશળ સવૈદ્યનું શરણુ લે છે, અને પેાતાનું ડહાપણ ડહેાળ્યા વિના વૈદ્યની સૂચના મુજબ ઔષધપ્રયાગ કરે છે, અને તેથી કરીને રાગમુક્ત થાય છે. તેમ સમ્યક્ સમજણવાળા ડાહ્યો સમજુ પ`ડિત' જીવ સદ્ગુરુરૂપ સુજાણ સવૈદ્યનું શરણુ લે છે, અને પેાતાની મતિકલ્પનાપ સ્વચ્છંદનું ડોઢડહાપણ છેડી દઇ શ્રીમદ્ સદ્ગુરુની આજ્ઞાનુસાર રત્નત્રયી ઔષધનું પ્રતિસેવન કરે છે, અને તેથી તે ભવરાગથી મુક્ત થાય છે. પણ કુપથ્યસેવનમાં આસક્ત એવા અણસમજુ રાગી જેમ મીઠુ' મીઠુ. અનુકૂળ વદનારા ઊંટવૈદ્યને (Quack) પકડે છે, અને તેણે ખતાવેલ ઊંટવૈદુ' સેવીને ઉલટા હાથે કરીને હેરાન થાય છે ને રાગમુક્ત થતા નથી; તેમ વિષય-કદન્નમાં આસક્ત એવા બાલ અણુસમજુ જીવ વિષયાનુકૂળ— પ્રથમ દૃષ્ટિએ મીઠા લાગતા પણ પરિણામે હાલાહલ ઝેર જેવા વચન વદનારા મિથ્યાદષ્ટિ અસદ્ગુરુરૂપ ઊંટવૈદ્યના આશ્રય કરે છે, અને તે અનાડી વૈદ્યના અનાડી ઉપાયથી હાથે કરીને ભવકૂપમાં ઊંડા ઉતરે છે ને ભવરાગથી મુક્ત થતા નથી. ઇત્યાદિ પ્રકારે રાગી રાગીના પ્રકાર હાય છે, અને તે ઉપરથી પણુ રાગની સાધ્યતા—અસાધ્યતાના પ્રાથનમાં (Prognosis) પણ ફરક પડે છે. તેમજ–ાગ જેમ યથાયેાગ્ય ચિકિત્સાથી (Right treatment) કાબૂમાં આવે છે ને મટે છે, તેમ ભવરાગ પણુ યથાયેાગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે ને મટી જાય છે. રાગચિકિત્સામાં પ્રથમ જેમ રાગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, રાગચિકિત્સા ચિહ્નને, પરિણામને અને ચિકિત્સાને ખરાખર જાણનારા કુશળ નિષ્ણાત (Expert, Specialist) સવૈદ્યની જરૂર છે; તેમ ભવરાગની ચિકિત્સામાં પણ ભવરેાગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, ચિહ્નને, પરિણામને અને નિવારણરૂપ ચિકિત્સાને યથાર્થ પણે ખરાખર જાણનારા કુશળ જ્ઞાની સદ્દગુરુરૂપ ‘સુજાણ’ સ ્ વૈદ્યની અનિવાર્ય જરૂર પડે છે. વળી રોગના નિવારણમાં જેમ ઉત્તમ ઔષધની જરૂર પડે છે, તેમ ભવરાગના નિવારણમાં સમ્યગ્દશČન-જ્ઞાન-ચારિત્રરૂપ સદ્ ઔષધત્રયીની જરૂર પડે છે. પથ્ય અનુપાન સાથે એસડનુ ખરાબર સેવન કરવામાં આવે તે જ તે ફાયદે કરે છે, ગુણકારી થાય છે, નહિ. તે ઉલટુ અનથકારક થઈ પડે છે; તેમ ગુરુઆજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે જો પરમ અમૃતસ્વરૂપ રત્નત્રયી ઔષધિનું સમ્યક્ સેવન કરવામાં આવે, તે જ તે ગુણકારી-આત્માપકારી થાય છે, નહિ તે। આત્મા-હાનિરૂપ અન વિપરિણામ નીપજાવે છે. પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચદ્રજીનુ' સુભાષિત છે કેઃ— આત્મબ્રાંતિ સમ રાગ નહિ', સદ્ગુરુ વૈદ્ય સુજાણુ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.”—શ્રી આત્મસિદ્િ અને આમ યથાયાગ્યપણે ઔષધપ્રયાગથી રાગ નિમૂ ળ થતાં રાગી જેમ નીરોગી અને Page #325 -------------------------------------------------------------------------- ________________ મુકતતવમીમાંસાઃ ભગીની વિવિધતા, ચિકિત્સા, “મહા” રેગ કેમ ? (૬૩૭) છે, સાજોતા-હૃષ્ટપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે, તેમ યથાયોગ્યપણે સમ્યફ રત્નત્રયીરૂપ ઔષધ પ્રયોગથી ભવરોગ નિમૂળ આરોગ્ય થતાં જીવ નીરોગી-ભાવઆરોગ્ય સંપન બને છે, સાજેતાજો-નિરામય સ્વાથ્ય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ નિમગ્ન સહજાન્મસ્વરૂપ સ્થિતિમાં પરમ સ્વસ્થ અવસ્થા અનુભવે છેઈત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય-સરખામણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે. એ અત્ર સંક્ષેપમાં યથામતિ દિગદર્શનમાત્ર દર્શાવ્યું છે. વિશેષ સ્વમતિથી સમજી લેવું. વળી આ ભવરોગને “મહા’ કહ્યો તે પણ સહેતુક છે, કારણ કે પોતપોતાના વર્ગમાં–જાતિમાં જે શ્રેષ્ઠ–મોટો હોય તે “મહા” કહેવાય છે. દા. ત. મહાકવિ, મહારાજા, મહાવીર, મહામુનિ અને ભવરેગનું મહત્પણું–મોટાપણું અનેક પ્રકારે મહા” રોગ છે. જેમકે-(૧) માણસના શરીરમાં ઉપજતો રોગ અમુક મર્યાદિત કેમ કહો? સમય સુધીને અથવા વધારેમાં વધારે યાજજીવ–આ જીદગી પર્યત ટકે એ હોય છે પણ આ ભવરેગ તે અનાદિ કાળથી આ જીવને લાગુ પડે અને ભવભવ ચાલી આવેલે હેઈ, હજુ પણ આ જીવને કેડો મૂક્ત નથી! આમ અતિ અતિ દીર્ઘ સ્થિતિને (Duration) લઈ આ ભવરગ “મહાન ” છે. (૨) મનુષ્યના શરીરમાં દશ્ય થતે રોગ છે કે તીવ્ર વેદના ઉપજાવે છે, તે પણ ભવરોગથી રકાદિમાં (જુઓ ગાથા પૃ. ૨૦૨ ફૂટનેટ) ઉપજતી વેદના એટલી બધી તીવ્ર હોય છે કે તેની પાસે ગમે તેવો આકરો રોગ કંઈ વિસાતમાં નથી. રોગથી જે શારીરિક-માનસિક દુખ ભોગવવું પડે છે તેના કરતાં અનંતગણું શારીરિક-માનસિક દુઃખ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપે ભવરોગથી વેઠવું પડે છે. ચાર ગતિમાં જન્મમરણાદિથી અનંત અનંત દુઃખ વેદના-યાતના ખમવી પડે છે આમ તીવ્રતાને લઈ (Acuteness & Intensity) પણ ભવરોગની મહત્તા છે. (૩) બાહ્ય રોગને સાધ-મટાડે એ કાંઈ એટલી બધી મુશ્કેલ વાત નથી, પણ આ ભવરૂપ ભવરોગ સાધ-મટાડે એ મહા મહાદુષ્કર વાર્તા છે. એટલે કુછૂસાધ્યતાથી અથવા અસાધ્યતાથી પણ આ ભવરગ મહાન” છે– મેટો છે. (૪) બાહ્ય રોગ અતિ તીવ્ર હોય તે કવચિત્ એક જ વારના મરણમાં પરિણમે છે, પરંતુ આ અતિ તીવ્ર ભવરોગ તે સદાય અનંતવારના જન્મમરણમાં પરિણમે છે. આમ પરિણામદષ્ટિથી પણ આ ભવરોગ અતિ મટે છે. ઈત્યાદિ પ્રકારે આ ભવ-સંસાર ખરેખર મહારગ જ છે. એને મીટાવવાને વિવેકી બદ્ધપરિકર થઈ જરૂર કમ્મર કસે જ, સર્વાત્માથી સર્વ પ્રયાસ કરી છૂટે જ. ક્ષણિક જીદગીના એક સામાન્ય રોગને મટાડવાને લેકે કેટલી બધી જહેમત ય ઊઠાવે છે ? કેવા આકાશપાતાળ એક કરે છે ? કેટલા વૈદ્ય-ડાક્તર Page #326 -------------------------------------------------------------------------- ________________ (૩૮) યોગદષ્ટિસમુચય ભેગા કરે છે? ઔષધાદિ અંગે કેટલે બધો ખર્ચ કરે છે ? તે પછી આવા આ અનાદિના મહારોગને મીટાવવાને માટે આત્માથી મુમુક્ષુ કેમ બને તેટલી જહેમત ન ઊઠાવે ? કેમ અપૂર્વ આત્મ-પુરુષાર્થ ન કરે? પિતાના તન-મન-ધન-વચનની સમસ્ત શક્તિ કેમ ન ખચી નાંખે? રત્નત્રયી ઔષધિનું પરમ અમૃતપાન પરમ પ્રેમથી કેમ ન કરે ? સદ્દગુરુ આજ્ઞારૂપ પથ્યનું પરમ ઉત્સાહથી કેમ પાલન ન કરે ? मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणभृतामिति ॥१८९॥ મુખ્ય આ જીવને ઉપજે, અનાદિ ચિત્ર કજ; તેમ અનુભવસિદ્ધ છે, સર્વ પ્રાણીઓને જ ૧૮૯ અર્થ –આ ભવ્યાધિ આત્માને મુખ્ય-નિરુપચરિત એવો વ્યાધિ છે; અને તે અનાદિ એવા વિચિત્ર કર્મના નિદાનથી-કારણથી ઉપજેલ છે; કારણ કે સર્વ પ્રાણીઓને તેનું તેવા પ્રકારે અનુભવસિદ્ધપણું છે. વિવેચન જીવને આ જે ભવ્યાધિ છે તે મુખ્ય છે, નિરુપચરિત એ ખરેખર છે. અને તે અનાદિ એવા દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન વિચિત્ર કર્મના બલથી ઉત્પન્ન થયેલું છે; કારણકે જન્મ-મરણાદિ વિકારેના પ્રત્યક્ષ અનુભવ વડે કરીને, તે તિર્યંચ વગેરે સર્વ પ્રાણીઓને પણ અનુભવસિદ્ધ છે. ઉપરમાં જે ભવવ્યાધિને ઉલેખ કરવામાં આવ્યું તે ભવ્યાધિ કાંઈ કલપનારૂપ નથી, કાલ્પનિક નથી, કથનમાત્ર ઉપચારરૂપ નથી, પરંતુ ખરેખર છે, મુખ્ય છે, નિરુપચરિત એ પારમાર્થિક છે. તે કાંઈ ઉભેક્ષારૂપ કવિકલ્પનાનો ભવવ્યાધિ તરંગ નથી, કલ્પિત નથી, પણ ખરેખરી વસ્તુસ્થિતિરૂપ સત્ય હકીકત મુખ્ય પરમાર્થ (Actual Fact, Reality) છે. કારણકે જે પારમાર્થિકસતુ વસ્તુસ્વરૂપે સતુ નિરુપચરિત હોય તે “મુખ્ય” કહેવાય છે. અને ઉપચાર પણ જે મુખ્ય-પારમાર્થિકસતુ વસ્તુ હોય તે જ થઈ શકે છે, નહિ તે નહિ, જે ભવરૂપ વસ્તુ જ ન હોત, તે તેને વ્યાધિરૂપે ઉપચાર પણ ન થઈ શકત. પણ ભવ વૃત્તિઃ-મુc:–મુખ્ય, નિરુપચરિત, -આ, ભવ્યાધિ નામનો-આત્માને જીવને, કેવા પ્રકારનો? તો-અનારિરિત્રવાર્બનિનાદ-અનાદિ એવા ચિત્ર કમરૂપ કારણુથી જન્મેલે,દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા કમરના બલથી ઉત્પન્ન એમ અર્થ છે. કયા કારણથી ? તે કે–તથનુભવસિદ્ધત્વાન-તથા પ્રકારે અનુભવસિદ્ધપણાને લીધે, જન્માદિના અનુભવથી. સર્વકાગ્મિતામિતિ-સર્વપ્રાણીઓને પણ,-તિયય પ્રમુખને પણ. Page #327 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા : ભવ વ્યાધિ મુખ્ય પરમાથ સત, અનાદિ (૬૩૯) તે ખરેખરી વસ્તુસ્થિતિરૂપ-સદ્ભાવરૂપ છે જ, એટલે જ તેના વ્યાધિરૂપે ઉપચાર પણ કરી શકાયા છે. વ્યાધિ એ રૂપક-કલ્પના-ઉપચાર ભલે હા, પણ ભવ' એ કાંઇ રૂપક— કલ્પના-ઉપચાર નથી. ભવ એ તા સત્ય હકીકત ( Absolute reality ) નિરુપચરિત ઘટના છે, મુખ્ય એવી પારમાર્થિક વસ્તુસ્થિતિ છે. એ મુખ્ય ' છતી' પ્રગટ વસ્તુ છે, તેને યથા પણે સમજવા માટે આ વ્યાધિરૂપ રૂપક ઘટના-ઉપચારકથન છે. અને આ ઉપચારરૂપ વ્યવહાર પણ પરમાર્થરૂપ મુખ્ય વસ્તુના સદ્ભાવે જ ઘટે છે, શૈાલે છે. જેમકે-વાસ્તવિક વ્યાધિનું અસ્તિત્વ છે, તે તેનેા ઉપમારૂપે ઉપચારરૂપ× વ્યવહાર કરી શકાય છે; વાસ્તવિક સિંહનું અસ્તિત્વ છે, તે સિ’હ-માત્રકને’-ખીલાડીને સિંહની ઉપમાનેા ઉપચાર કરાય છે, પુરુષ–સિ'હુના વ્યવહાર કરાય છે, પણ તેનું અસ્તિત્વ જ ન હોત તે તેવા કેાઇ ઉપચાર વ્યવહાર બની શકત નહિં. દાખલા તરિકે–વધ્યાસુતનુ, કે આકાશપુષ્પનું, કે શશશૃંગનું અસ્તિત્વ જ નથી, એટલે તેને ઉપચાર પણ સાઁભવતા નથી. આ ભવરાગ અનાદિ એવા વિચિત્ર કર્રરૂપ કારણથી ઉત્પન્ન થયેલા છે. કેાઈ પણુ કાર્યનું કંઇ ને કંઇ કારણ હાવું જ જોઇએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઇ ને કઈ કારણ હાવુ... જ જોઇએ. એટલે રાગ જેમ ચાક્કસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવરાગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કર્માંરૂપ કારણથી ઉત્પન્ન થયેલા છે. અને આ ક્રમ રૂપ નિદાન-કારણ અનાદિ છે. એટલે આ કમ આ આત્મા સાથે અનાદિનું જોડાયેલું સલગ્ન છે, સચેાગ સંબંધથી ખોંધાયેલુ છે. પ્રકૃતિની અને પુરુષની આ જોડી અનાદિ છે,– કનકપાષાણુમાં સેાનાના ને માટીના સંચાગ જેમ અનાદિ છે તેમ. કનકાપલવત્ પડિ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંચાગી જિહાં લગી આતમા, સસારી કહેવાય. ’—શ્રી આનદઘનજી “જડ ચેતન સત્યેાગ આ, ખાણ અનાદિ અનંત; કાઇ ન કર્યાં તેને, ભાખે જિત ભગવંત. ”—શ્રીમદ્ રાજચ`દ્રજી ક–આત્માના આ સચાગ સંબધ જો અનાદિ ન માનીએ તે આમ વિરાધ આવે છેઃ—જો ક`ને પહેલું માનીએ તે આત્મા વિના કમ કર્યાં કાણું ? અને તે લાગ્યા કોને ? જો કેવલ શુદ્ધ આત્માને પહેલા માનીએ તા શુદ્ધ આત્માને ક લાગવાનું પ્રયેાજન શુ? અને લાગે છે એમ માનીએ, તે શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહિ લાગે ? વળી મરઘી પહેલી કે ઇંડું પહેલું ? વૃક્ષ પહેલુ કે ખીજ પહેલુ? તેને x" उपचारोऽपि च प्रायो लोके यन्मुख्यपूर्वकः । દષ્ટતતોઽવ્યય્: સર્વમિથમેવ ચસ્થિતમ્ ।।” શ્રી યાગિબિંદું, શ્લો, ૧૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ (૬૪૦) યોગદષ્ટિ મુરા નિર્ણય જેમ કહી શકાતું નથી ને બને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્મ–આત્માનો સંબંધ અનાદિ જ સંસિદ્ધ થાય છે. “જીવ પહેલો કે કમ?–બને અનાદિ છે. જીવ પહેલે હોય તે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલા કહો તે જીવ વિના કર્મ કર્યા કેણે? એ ન્યાયથી બને અનાદિ છે.” -શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મોક્ષમાળા. આ અનાદિ કર્મ વિચિત્ર છે-અનેક પ્રકારનું છે, અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલું છે. દ્રવ્ય કર્મ તે પુદ્ગલ પરમાણુરૂપ, અને ભાવકમ તે આત્મપરિણામરૂપ છે. રાગ-દ્વેષ–મોહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવકમ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તે દ્રવ્ય કર્મ છે. તે આઠ કર્મની સામાન્ય સમજ આ પ્રકારે – જ્ઞાનાવરણય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. દર્શનાવરણય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. વેદનીય એટલે દેહ નિમિત્ત સાતા અસાતા બે પ્રકારનાં વેદનીય કર્મ, એથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ રોકાઈ રહેવી તે. મેહનીયકર્મ એટલે આત્મચારિત્રરૂપ શક્તિ રેકાઈ રહેવી તે. આયુકર્મ એટલે અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મ એટલે અમૂર્તિરૂ૫ દિવ્ય શક્તિ રોકાઈ રહેવી તે. ગોત્રકમ એટલે અટલ અવગાહનારૂપ આત્મિક શક્તિ રોકાઈ રહેવી તે. અંતરાય કમ” એટલે અનંત દાન, લાભ, વીર્ય, ભેગ અને ઉપભેગ શક્તિ રોકાઈ રહેવી તે.” –શ્રી મોક્ષમાળા, પા. ૧૦૨ આ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર અનેક ભેદ છે. અને તેના બંધના ચાર પ્રકાર છેઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. તેમાં સ્થિતિબંધ-રસબંધ કષાયથી થાય છે, અને પ્રકૃતિબંધ-પ્રદેશબંધ મન-વચન-કાયાના યેગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણ, સત્તા, કર્મવિચ્છેદ, ઘાતિ, અઘાતિ વગેરે અનેક સૂમ પ્રકારે કર્મગ્રંથ, પંચાધ્યાયી, ગોમસાર આદિ મહાગ્રંથરત્નથી તત્ત્વરસિકે સમજવા યોગ્ય છે. પદ્મપ્રભ જિન ! તુઝ મુઝ આંત, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે છે કારણ જોઈને, કોઈ કહે મતિમંત પદ્મ પચડિ કિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ બંધ ઉદય ઉદીરણ, સર્તા કર્મવિચ્છેદ...પદ્મ”-શ્રી આનંદઘનજી. x" योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते। તા જ તત્ત્વમિત્રેવં તરંગોડથનાવિમાન ”—શ્રી યોગખિન્દુ પ્લે, ૧૦ Page #329 -------------------------------------------------------------------------- ________________ મુક્તતવમીમાંસા: દ્રવ્ય-ભાવ કમની સકલના (૬૪૧) આ ભાવકર્મ-દ્રવ્યકમને પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે રાગાદિ ભાવકના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મની ઉત્પત્તિ થાય છે, અને દ્રવ્ય કર્મના નિમિત્તથી પુનઃ રાગાદિ ભાવકની ઉત્પત્તિ થાય છે. આમ એક બીજાની સાંકળ દ્રવ્ય-ભાવ ચક્રભ્રમણ ન્યાયે ચાલ્યા કરે છે, અને દુષ્ટ અનંતચક (Vicious circle) કર્મની સ્થાપિત થાય છે. પણ રાગાદિ ભાવકમ જે અટકાવી દેવામાં આવેસકલના જે અટકાવવું મોટરની બ્રેઈકની જેમ આત્માના પોતાના હાથની વાત છે તે તે દુષ્ટ ચક્ર આપોઆપ ત્રુટી પડે છે, ને કર્મચક્રગતિ અટકી પડતાં ભવચક્રગતિ અટકી પડે છે. આ સંબંધી ઘણે સૂક્ષમ વિવેકવિચાર શ્રી સમયસાર૪, પ્રવચનસાર આદિ ગ્રંથરાજોમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે,–જે મુમુક્ષુએ અત્યંત મનન કરવા યંગ્ય છે. આકૃતિ: ૧૫ ભાવકમ કર્મચક : ભવચકે દ્રવ્યકમ આમ અનાદિ એવા વિચિત્ર કર્મથી ઉત્પન્ન થયેલ આ ભવરગ મુખ્ય-નિરુપચરિત કહ્યો, તેનું પ્રમાણ શું? એમ કોઈ પૂછે તો તેને સીધે, સરળ ને સચોટ જવાબ એ છે કે-તે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. એટલે કે અનુભવરૂપ પ્રબળ પ્રત્યક્ષ પ્રમાણ અત્ર છે. કારણકે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને આ ભવ્યાધિ તથા પ્રકારે પોતાના અનુભવમાં આવી રહ્યો છે, તેઓ જન્મ-જરા-મરણ–રોગ-શોક-ભય આદિરૂપે આ ભવ્યાધિનું મહાદુઃખ-વસમી પીડા પ્રત્યક્ષ વેઠી રહ્યા છે. આ જન્મમરણાદિ આપનારે ભવવ્યાધિ એ કલ્પના નથી, પણ સર્વને સાક્ષાત અનુભવસિદ્ધ “હકીકત છે, વસ્તુસ્થિતિરૂપ સિદ્ધ વાર્તા છે, તે પછી આથી વધારે બીજું પ્રમાણ તવા દૂર જવાની જરૂર નથી. x “ जीवपरिणामहेदु कम्मत्तं पुग्गला परिणमंति । પુનર્જન્મનિમિત્ત તદેવ ની વિપરિગમ – શ્રી કુંદકુંદાચાર્યજીત શ્રી સમયસાર. Page #330 -------------------------------------------------------------------------- ________________ (૬૪૨) ભવ અને વ્યાધિની તુલના-કોષ્ટક ૧૫ અલભ્ય = અસાધ્ય રેગી દૂરભવ્ય = દુઃસાધ્ય રોગી આસન્નભવ્ય = સુસાધ્ય રેમી સદ્ગુરુ = સુવૈદ્ય રત્નત્રયી = ઔષધ ભવમુક્ત—મુક્ત = વ્યાધિ મુક્ત જીવરામી ભવ – વ્યાધિ–મુખ્ય જન્મ મરણુ = વિકાર માહ = પરિણામ રાગાદિ= વેદના કમ દ્રવ્ય—ભાવ–ભવરાગ હેતુ E एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९० ॥ એથી મુક્ત પણ મુક્તનું, ઘટતું મુખ્યપણું જ; (કારણ) જન્માદિ દોષ ટળ્યે ઘટે, અદોષત્વ તેનુંજ. ૧૯૦ યાગદષ્ટિસમુચ્ચય અ:—અને આ ભવવ્યાધિથી મુક્ત થયેલા મુક્ત પણ મુખ્ય જ એવા ઘટે છે; કારણકે જન્માદિ દોષના દૂર થવાથકી, તેના અદેાષપણાની સગતિ હોય છે. વિવેચન ઉપરમાં મુખ્ય’ એવા જે ભવવ્યાધિ કહ્યો, તેનાથી મુક્ત થયેલા મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તેના ભાવ છે. એટલે કે જન્માદિ દોષના દૂર થવારૂપ કારણ થકી તેના અદોષપણાની સંગતિ છે-ઘટમાનપણું છે. ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાખીત કરવામાં આવ્યા, તે ભજવ્યાધિમાંથી મુક્ત થયેલા મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિકસત્ જ હાવા ઘટે છે. કારણ કે પ્રવૃત્તિનિમિત્ત-તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જો મુખ્ય મુક્ત પણ હાય તા કાય પણ મુખ્ય હાય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણ મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ મુખ્ય છે. અને આ જન્માદિ દોષના દૂર થવાથી એના દોષપણાનુ સંગતપણું હાય છે. કારણ કે રેગયુક્ત સરેાગપુરુષ રેગમુક્ત થતાં અરાગ કહેવાય છે, વૃત્તિ-તમુજ્જ—અને આ ભવવ્યાધિથી મુક્ત એવા, મુદ્દોઽવ-મુક્ત પણુ, સિદ્ધ, મુખ્ય છોપવવતે-મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે,—પ્રવ્રુતિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છે— નન્મારિયોષનિનમાત્ર જન્માદિ દોષના વિઞમરૂપ-ટળવારૂપ કારણથકી, તોષસ્વયં તે:-તે દોષવતના અદેષપણાની પ્રાપ્તિને લીધે. Page #331 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા : મુક્ત પણ મુખ્ય જ, દોષ અભાવે અદષ ( ૬ ૪૩ ) તેમ જન્મ મરણાદિ દોષથી યુક્ત સદોષ પુરુષ તે જન્માદિ દોષથી મુક્ત થતાં અદોષ ’ કહેવાય છે. આમ દોષના અપગમરૂપ-ચાલ્યા જવારૂપ કારણથી દોષવંતનું અદોષપણુ ઘટે છે, માટે મુક્ત' એ મુખ્ય જ એવા ઘટે છે. તાત્પર્ય કે–રાગ નષ્ટ થતાં કાંઇ પુરુષ નષ્ટ થઈ જતા નથી, પણ રાગમુક્ત પુરુષના સદ્ભાવ જ હાય છે; તેમ ભવરાગ નષ્ટ થતાં કાંઈ પુરુષ-આત્મા નષ્ટ થઈ જતા નથી, પણ ભવરાગમુક્ત પુરુષનેા-મુક્ત આત્માના સદ્ભાવ જ હેાય છે. જે દોષવંત હાય તે તેના દોષના અભાવ થતાં અદૃષ હાય છે, તેમ જન્માદિ દોષવત આ આત્મા તે દોષને અભાવ થતાં અદોષ એવા સિદ્ધમુક્ત આત્મા હેાય છે. પણુ દોષ અભાવે કાંઈ અદેષ પુરુષના અભાવ હાતા નથી, તેમ જન્માદિ દોષ અભાવે કાંઇ અદોષ આત્માને અભાવ હાતા નથી. જેમ અદાષપણું એ પુરુષની દેષ-અભાવાત્મક અવસ્થા છે, પણ પુરુષ અભાવરૂપ નથી; તેમ અદોષ એવું મુક્તપણુ એ આત્માની જન્માદિ દોષ અભાવાત્મક અવસ્થા છે, પણ આત્મ-અભાવાત્મક નથી. ટુ'કામાં રાગ અભાવે નિરંગી પુરુષ જ ખાકી રહે છે, તેમ ભવરાગ અભાવેX નિરંગી શુદ્ધ આત્મા જ માકી રહે છે. રાગી પુરુષ ભાગી આત્મા સૌંસારી આકૃતિ ૧૬ રેગ અભાવે ભરગ અભાવે મુક્ત પુરુષ આત્મા = ET આ જ અને સ્પષ્ટ કરતાં કહે છે: तत्स्वभावोपदे ऽपि तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावात्तददोषत्वसंगतिः ॥१९१॥ તે આત્મના સ્વ-ભાવનો છે ઉપમર્દ છતાંય, તેના તે જ સ્વભાવના યાગ તણે મુપસાય; તે જ આત્મને ઉપજે, નિશ્ચે જ તથાભાવ, તેથી ઘટે છે તેહનું અષત્વ અહિં સાવ, ૧૯૧ વૃત્તિ:-તત્વમાનોપમલૈંડપ-તે આત્માના સ્વભાવના ઉપમ છતાં. જન્માદિ ભાવના વિઞમે કરીનેદૂર થવાપણાએ કરીને, સત્તરĪામાવ્યોત:-તેના તાભાવ્યના યાગથી; એટલે તેનું તત્સ્વાભાવ્ય, તેની સાથે ચેગથી. તે આ પ્રકારે—તેના એવા પ્રકારના જ સ્વભાવ છે જેથી તે જ ‘તથા’ હેાય છે. અને તેથી કરીનેતથૈવ હિ-તેના જ, તથામાવા-તથાભાવથી, જન્માદિના ત્યાગથી, જન્માદિ અતીતપણે ભાવથી, શુ ? તા કે—સદ્દોષત્વસંગતિઃ -તેના અદેાષત્વની સંગતિ હાય છે. દોષવતની જ અદોષત્વપ્રાપ્તિ હોય છે, એમ અર્થ છે 61 X नष्ट वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा । નટે સ્વરેફેડવ્યાત્માનં ન નષ્ટ મન્યતે ઘુષઃ ।।” —શ્રી સમાધિશતક. Page #332 -------------------------------------------------------------------------- ________________ (૬૪૪) યોગદષ્ટિસમુચય અર્થ – તે આત્માના સ્વભાવને ઉપમદ છતાં, તેના તસ્વાભાવ્યના–તેવા સ્વભાવપણાના વેગથી, તેના જ તથાભાવને લીધે, તેના અદેષપણાની સંગતિ હોય છે. વિવેચન તે આત્માને સ્વભાવ ઉપમ છતાં, જન્માદિ ભાવના દૂર થવાથી તેને તસ્વાભાવ્ય સાથે યોગ હોય છે; અને તેથી કરીને તેને જન્માદિ અતીતપણે “તથાભાવ” હોય છે, એટલે તેના અદેષપણુની સંગતિ હોય છે. અર્થાત્ દેલવંતને અદેષપણાની પ્રાપ્તિ ઘટે છે. અનાદિ કાળથી આ આત્માના સ્વભાવને ઉપમન્દ થયો છે-કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયું છે, આવૃત થયો છે, પણ મૂળ નાશ નથી પામે. નિજ સ્વરૂપના જ્ઞાનસ્વભાવ ઉપમન્દ દશન–ચરણરૂપ સ્વભાવ ધર્મના વિયેગે છે કે તેને વિભાવરૂપ અધર્મ વળગ્યો છે, તો પણ વસ્તુને જે સ્વજાતિ સ્વભાવ છે, તેને કદી સમૂળગો અભાવ થતો નથી. માત્ર થાય છે એટલું જ કે-પર વિભાવને અનુગત-અનુસરતા એવા ચેતનથી તે કમેં કરીને અવરાય છે–ઢંકાઈ જાય છે. અર્થાત્ આત્મા પરવતુરૂપ વિભાવને અનુસર્યો, તેથી તે કર્મથી અવરાયો છે. સ્વભાવરૂપ “સ્વધર્મ છેડી, તે વિભાવરૂપ “પર ધર્મ ને અનુસર્યો. તેથી કર્મરૂપ ભૂતના વળગાડથી તે પરધર્મ તેને સંસાર પરિભ્રમણ દુઃખવડે કરીને ખરેખર ! “ભયાવહ” થઈ પડયો છે! “વધર્મો મચાવડા આ પર એ જે વિભાવ છે, તે પણ નૈમિત્તિક અર્થાત નિમિત્તથી ઉત્પન્ન થનારો હોઈ સંતતિથી અનાદિ છે, અને તેના નિમિત્તરૂપ જે પરભાવ છે–તે વિષયસંગાદિક છે, તે સંગે કરીને સાદિ છે. આમ વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધમ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા સંસારમાં રખડે છે ને પરભાવને કર્તા થાય છે. આમ પરભાવ-વિભાવથી આત્માના સ્વભાવને ઉપમદ થાય છે-કચરાવાપણું થાય છે, અભિભૂતપણું-દબાઈ જવાપણું થાય છે. (જુઓ પૃ. ૪૯૪). “વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત ચેતનથી, કમેં તે અવરાય.”—શ્રી દેવચંદ્રજી. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિં નિજ ભાનમાં, કર્તા કમં પ્રભાવ.”—શ્રી આત્મસિદ્ધિ. જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમદ-ઉપપ્લવ મચી રહે છે, અંધાધુંધી (chaos) ફેલાઈ જાય છે, સ્વ-પરને ભેદ પરખાતું નથી, ને અરાજકતાથી સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે, તેમ વિભાવરૂપ પરચક્રના આક્રમણથી Page #333 -------------------------------------------------------------------------- ________________ મુક્તતનવમીમાંસા: રવભાવઉપમ, “તથાભાવથી અદેષપણું (૬૪૫) વિભાવ પરચ- ચૈતન્ય-પુરમાં ઉપમદ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, કથી ઉપપ્લવ સ્વ–પરનો ભેદ પરખાતે નથી, સ્વ–પરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે, અને ચેતન રાજના “પદભ્રષ્ટપણાથી અરાજક્તાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વસ્થાનથી ચુત થયેલો ઠેકાણાં વિનાને, સ્વરૂપપદથી ભ્રષ્ટ એ આ આત્મા ચતુર્ગતિમય સંસારમાં રખડે છે, ને જન્મમરણાદિ અનંત દુઃખ ભોગવે છે. આવા આ સ્વરૂપ-પદભ્રષ્ટ ચિઘન આત્માને પુના જ્યારે જન્માદિ ભાવના વિગમે કરીને તસ્વાભાવ્ય સાથે અર્થાત તેના પિતાને સ્વસ્વભાવ પણ સાથે “ગ” થાય છે, ત્યારે તેને તથાભાવ હોય છે. એટલે કે તેને જે મૂળ સ્વભાવ છે, તથા પ્રકારનો તસ્વાભાવ્ય ભાવ તેને ઉપજે છે. આમ આત્મા જ્યારે પ્રતિક્રમણ કરી–પીછેહઠ કરી સાથે યોગ મૂળ અસલ સહજ તથાભાવરૂપ સ્વરૂપસ્થિતિને ભજે છે, વિભાવરૂપ પર ધર” છોડી દઈ નિજ સ્વભાવરૂપ ઘરમાં આવે છે, ત્યારે તેને જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે છે, અને સ્વભાવસ્થિતિરૂપ મોક્ષ પ્રગટે છે, ને નિજ ઘર મંગલમાળ' થાય છે. “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે.” (દેવચંદ્રજી). અને આમ તથાભાવ અર્થાત્ જે મૂળ સ્વભાવ છે તે ભાવ થવાથી જ તેનું અષપણું ઘટે છે, તે જન્માદિ દેશવંત મટી અદેષ બને છે. કારણ કે સ્વભાવ ઉપમન્દ કરનારા વિભાવરૂપ દોષથી તે દેષવંત હો; તે વિભાવ દેષ ટળવાથી તેને તથાભાવથી સ્વભાવ ઉપમ થતો અટક્યો, એટલે તે અદોષ થયો, જેવો હતો અદેષપણું તે રહ્યો. સ્વભાવ પદથી–પિતાના ઠેકાણાથી ભ્રષ્ટ થયો-ખો એ તેનો દોષ હતું, સ્વભાવમાં આવ્યો એટલે તે દેષ ટળે, અને સ્વભાવપદમાં સ્થિતિ થવાથી-“ઠેકાણે આવ્યાથી તે અદેષ થયો -રોગીનો રંગ ટળતાં જેમ તે અરોગી હોય છે તેમ. તાત્પર્ય કે–અદેષ હતાં, તે તથાભાવયુક્ત હોય છે, અર્થાત સ્વસ્વભાવપણાના યોગથી જે અસલ સહજ સ્વભાવે-સહજાન્મસ્વરૂપે હતું તે હોય છે. આમ ખરેખરા-મુખ્ય એવા જન્મમરણાદિ આપનારા સ્વભાવ૫મર્દરૂપ વિભાવદેષ મુખ્ય હતે, એ જેમ ખરી વાત છે, તેમ વિભાવેદેષ ટળી સ્વભાવમાં આવ્યાથી તે “ અદષ” થયે. એ પણ તેવી જ ખરેખરી મુખ્ય વાત છે. માટે અદોષ” એવો આ સ્વભાવ મુક્ત આત્મા મુખ્ય છે, ખરેખરો છે, નિરુપચરિત છે, પરમાર્થસતુ છે, એમ આ ઉપરથી સાબિત થયું. Page #334 -------------------------------------------------------------------------- ________________ (૬૪૬) યોગદક્ટિસમુચય આકૃતિ ૧૭ સ્વભાવોપર્ટથી દોષથી સદોષ (. પુરુષ આત્મા ) વિભાવ ૉષયુક્ત આત્મા સ્વભાવપમદ-વિભાવ દોષ અભાવે દu અભાવે નિર્દોષ ( પુરૂષ સ્વભાવ ૨થત આત્મા, ] અદોષ અને આ આમ અંગીકાર યોગ્ય છે તે કહે છે – स्वभावोऽस्य स्वभावो यनिजा सत्तैव तत्त्वतः । भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥१९२॥ સ્વભાવ તસ સ્વભાવ છે, તત્વથી નિજ સત્તા જ ભાવાવધિ આ અન્યથા, અતિપ્રસંગથી ના જ, ૧૯૨ અર્થ –આ આત્માનો સ્વભાવ તે સ્વભાવ છે, કારણ કે તત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પર્યત) યુક્ત છે, અન્યથા નહિં,અતિપ્રસંગને લીધે. વિવેચન આ આત્માને સ્વભાવ તે સ્વભાવ છે, અને પરમાર્થથી-તત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પર્યત જ યુક્ત છે, –નહિં તે યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દેષ આવે છે. ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદોષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મર્યાદા અત્ર બતાવી છે. આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે. અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે વૃત્તિઃ -સ્વમાવોચ-આ આત્માને સ્વભાવ, સ્વમાવ:- સ્વભાવ છે, ચત્ત-કારણ કે, શું કહ્યું ? તે કે-નિકોત્તર તરતઃ-નિજ સત્તા જ તત્વથી, પરમાર્થથી, માવાવહિં યુરો–આ હમણાં જ કહ્યો તે સ્વભાવ ભાવ અવધિવાળા યુક્ત છે; નાન્યથા-અન્યથા યુક્ત નથી. શા કારણથી ? તે કે અતિપ્રસારઅતિપ્રસંગને લીધે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ભકતતત્ત્વમીમાંસા સ્વભાવ-મર્યાદા ધમ', નિજ સત્તા નિજ ભાવથી રે’ આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વનું ભવન–હોવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે તેવું તે “સ્વભાવ છે. (જુઓ ક પૃ. ૭૫ ફૂટનેટ ). અને આ સ્વભાવ પણ ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતનભાવમાં હોવું–વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, સ્વભાવ- એ જ એને “મર્યાદા ધર્મ” -મરજાદ છે. એટલે શુદ્ધ ચેતન મર્યાદા ધર્મ? ભાવમાં વત્તે તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિ. કારણ કે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વત્તતાં, પરભાવ-વિભાવમાં વર્તે, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વત્યે જે કહીએ તો અતિપ્રસંગ દોષ આવે; કારણ કે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરસભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્ય દ્રવ્યરૂપ થાય તો તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં હોવુંનિજ સત્તા નિજ વર્તવું, તત્ત્વથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે. તે સ્વભાવ ભાવથી રે” મર્યાદામાં ન લેવું–ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે. અને આ જે સ્વભાવમાં હોવું-વત્તવું તે જ અદોષ એવું મુક્તપણું છે; “નિજ ભાવથી નિજ સત્તા” એ જ અનંત ગુણનું સ્થાન એવું શુદ્ધ સિદ્ધપણું છે. અને તેને જે પામ્યા છે તે જ પરમ નિર્દોષ મુક્ત, સિદ્ધ એવા “દેવચંદ્ર” જિનરાજજી છે. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું કાણું...જિનવર પૂજે દેવચંદ્ર જિનરાજ રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ..જિન- ”-શ્રી દેવચંદ્રજી આ જ કહે છે– અનન્તરક્ષણામૂતિરાત્મમૂદ થશે તુા. तयाविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९३॥ આગલી પાછલી ક્ષણે, આત્મા તણે અભાવ; જે માને છે તેહને, અહિં લેકમાં સાવ; તે જ માન્યતા સાથમાં, વિરોધભાવ વિના જ હોય નિત્ય તે આતમા અથવા અસત્ સદાજ. ૧૯૩ --- વૃત્તિ-બનત્તાક્ષમૂરિ–અનંતરક્ષણે અભૂતિ-અભાવ, પૂર્વ–પશ્ચાત ક્ષણે અભૂતિઅભાવ, એમ અર્થ છે, કામમૂતે રથ સુ-જેને અહીં આત્મભૂત છે, જે વર્તમાનની અથવા વાદીની આત્મભૂત છે, તેને દેષ છે છે –તે સાથે. તે અનંતર ક્ષણ અભૂતિ સાથે, વિરોધા-અવિરેષરૂપે કારણ થકી, વર્તમાનભાવે કરીને શું ? તે કે-નિત્યોગસૌ-નિત્ય એ તે વર્તમાન હોય ‘તદૂત ના તદ્રાવાવ, “સદા તભાવ થકી તત હોય ” એટલા માટે. પક્ષાન્તર કહે છે-ઘસવા લૈવ ૬િ-અથવા સદૈવ અસત્ હોય–તે અનંતર ક્ષણેઅમતિ સાથે અવિરોધથી તેના પ્રસ્તપણાને લીધે. Page #336 -------------------------------------------------------------------------- ________________ (૬૪૮) ગદષ્ટિસમુચ્ચય અર્થ – અનંતર ક્ષણે અભૂતિ અહી જેને (વર્તમાનને વા વાદીને) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરોધથી તે વર્તમાન નિત્ય હેય, વા સદૈવ અસત જ હેય. વિવેચન અનંતર અર્થાત આગલી–પાછલી ક્ષણે અભાવ–નહિ હોવાપણું, એ જે વર્તમાનવાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત આત્માને જે આગલી–પાછલી ક્ષણે અભાવરૂપનહિં હોવારૂપ માને છે, માત્ર વર્તમાન ક્ષણે જ ભાવરૂપ-હોવારૂપ માને છે, તેને અનેક દેષ આવે છે. તે આગલી–પાછલી ક્ષણે અભાવ સાથે તેના વર્તમાનભાવને અવિરેાધ છે, તેથી તે વર્તમાન (૧) કાં તે નિત્ય હોવો જોઈએ, અને (૨) કાં તે સદાય અસત્ જ અવિદ્યમાન જ હોવું જોઈએ,–આમ આ બે પક્ષ અને સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદને મત ખંડિત થાય છે. તે આ પ્રકારે – (૧) ક્ષણિકવાદી એમ માને છે કે આત્માદિ વસ્તુ ક્ષણસ્વરૂપ છે, આગલી–પાછલી ક્ષણે અવિદ્યમાન-અભાવરૂપ છે, માત્ર વર્તમાન ક્ષણે જ વિદ્યમાન–ભાવરૂપ છે. આ મત - જેના આત્મભૂત છે, તેને પોતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે વદનારે તે આમ વિરોધ આવે છે :-આગલી–પાછલી ક્ષણે અભાવ છે એવી તેની ક્ષણિક નહિં” માન્યતાની સાથે અવિરેધને લીધે, વર્તમાન ભાવે તે તે પિતે છે. કારણકે આગલી–પાક્લી ક્ષણે જ નહિં હોવાપણું તે કહે છે, એટલે તે બેની વચ્ચેની વર્તમાન ક્ષણે તે તેનું વિદ્યમાનપણું-વત્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વર્તમાનભાવે વર્તમાન છે, તે નિત્ય હવે જોઈએ, કારણકે “સદા તદ્ભાવ થકી તદ્વત’ તે ભાવવંત હોય એમ નિયમ છે. અર્થાત જે જે ભાવવાળે હોય તે તદ્દભાવથી સદા તે ભાવવાળો હોવો જોઈએ. એટલે વર્તમાન ભાવવાળે તે સદા વર્તમાન ભાવવંત હવે જોઈએ. અર્થાત્ તે નિત્ય હોવો જોઈએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી-પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પિતે જે આગલી–પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તે તેમ કેમ જાણી-કહી શકે વાર? એટલે તે પોતે જે વર્તમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી–પાછલી ક્ષણે પણ વિદ્યમાન હોવો જ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણી વદે છે, તે વદનારે પોતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુઓ પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા). તાત્પર્ય કે આત્મા ક્ષણિક નહિ, પણ નિત્ય છે.–એટલે વાદીએ કાં તે નિત્ય પક્ષને સ્વીકાર કરવો જોઈએ, અને કાં તે પિતાના વર્તમાન ક્ષણે પણ વિદ્યમાનપણાનો પક્ષ છોડી દે જોઈએ. અને એમ જે કરે તે તે સદાય અસત્ જ-અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વર્તમાન ક્ષણે પણ જે ન હોય, તે તે સદાય અભાવરૂપ જ હોવાથી સદાય અસત જ હોય, અવિદ્યમાન જ હોય. Page #337 -------------------------------------------------------------------------- ________________ સુક્તતત્ત્વમીમાંસા : ક્ષણિકવાદનુ એના જ ન્યાયે ખંડન (૬૪૯) વમાન ક્ષણે પણ તે સત્ નહિ રહે. અને તે વદનારા ક્ષણિકવાદીનું પેાતાનું અસ્તિત્વ નહિ રહે ! એટલે તેના વાદ જ કયાંથી ઉભા રહેશે ? એમ આગઢી-પાછઠ્ઠી ક્ષણે આત્માના અભાવ માનનારા ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતે નથી. 5 પાક્તિ માત્રના પરિહારાથે કહે છે— स एव न भवत्येतदन्यथा भवतीतिवत् । विरुद्धं तनयादेव तदुत्पत्त्यादितस्तथा ॥ १९४ ॥ ‘ તે જ છે ન’ એ ‘અન્યથા, તે છે' એની જેમ; વિરુદ્ધ તસ ન્યાયે જ–તસ, ઉત્પત્યાદિથાઁ તેમ, ૧૯૪ ' અર્થ :— તે જ નથી હેાતા ’ –આ ‘ અન્યથા ઢાય છે’–એની જેમ વિરુદ્ધ છે; તેના ન્યાયથી જ તદ્ઉત્પત્તિ આદિને લીધે તથાપ્રકારે વિરુદ્ધ છે. વિવેચન અભાવ જ' એ ભાવ સૂચવે છે, ૧ મત્તિ –નથી હાતા એ તે જ નથી હાતા ' એ ‘ અન્યથા મવત્તિ તે અન્યથા હાય છે એની પેઠે, વિરુદ્ધ છે, વિરાધ પામે છે. તેના પેાતાના નયથી જ–ન્યાયથી જ આમ છે. કારણ કે તે ક્ષણિવાદી ‘તે જ અન્યથા ભવતિ—અન્યથા થાય છે,' એમ કહે આમ કહે છેઃ તે અન્યથા કેમ હાય ? જો અન્યથા હાય, તે તે કેમ હોય ? ” અને આ ન્યાય તે જ ભાવ ન મત્તિ' નથી હોતા, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારેજો તે જ છે, તેા તે ૬ મતિ' કેમ ? નથી હેાતા કેમ ? અને જે अभवत् • છે-છે નહિં, તેા તે ‘ ભાવ ' કેમ ? એમ આ વિરુદ્ધ છે. અભાવાત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે–તેવા પ્રકારે વિરુદ્ધ છે. " લ ક્ષ' તે સૂચવે છે. એટલે તે જ ભાવ અભાવ-આ વિરુદ્ધ વૃત્તિ:—સ શ્ત્ર-તે જ એમ ભાવ પરામશ' છે, અને 1 મતિ–નથી હોતા,—એમ અભાવ અભિધાન છે, તાત્—આ શું! તો કે—ાન્યયા મવત્તોતિય—‘અન્યથા ભવતિ'–અન્યથા હોય છે એની જેમ, એમ નિદર્શન છે, વિસ્તૃ—વિરુદ્ધ, વ્યાહત છે, સન્નાદેવ–તેના નય થકી જ, તેના ન્યાયથી જ. કારણ કે તે ‘તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે—પ્રેમ અન્યથા થાય? જો અન્યથા થાય, તો તે કેમ ?’ અને આ તે જ નથી. હૈ।તા'–એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે:—જો તે જ છે, તા તે કેમ ‘૬ મત્તિ'ન હોય ? અભવત્પણાથી—ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અમ્મુચ્ચય કહે છે–તદુત્વચાવિતઃ–તેની ઉત્પત્તિ અદ્દિ થકી, અભાવેાત્પત્તિ આદિ થકી, તથા તેવા પ્રકારે વિરુદ્ધ છે, Page #338 -------------------------------------------------------------------------- ________________ (૬૫૦) ગદષ્ટિસમુચ્ચય આકૃતિ: ૧૮ ભાવ અભાવ? ક્ષણિકવાદી { ભાવ અભાવ * ભાવ અભાવ | નો અભાવ ભાવ ( અભાવ ભાવ ? અહીં ક્ષણિકવાદી જે યુક્તિથી પોતાના મતનું સમર્થન કરે છે, તે જ યુક્તિથી તે ક્ષણિક મતનું ખંડન શાસ્ત્રકાર મહર્ષિએ કુશળ ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી ન કરી બતાવી, વાદીની દલીલ વાદીના મુખમાં પાછી આપી છે, ત્યારે એના જ ન્યાયે તેને નિરુત્તર-મૌન રહેવા શિવાય છૂટકે નથી. તે આ પ્રકારે -પૂર્વ એનું ખંડન ક્ષણે જે ભાવ છે, તે જ ઉત્તર ક્ષણે પર્યાયાંતર પામી અન્યથા હોય છે “અન્યથા ભવતિ,’ એમ કાઈ કહે છે. ત્યારે ક્ષણિકવાદી આ પ્રમાણે દલીલ કરી તેનું ખંડન કરે છે-“તે અન્યથા કેમ હોય? જે અન્યથા હોય, તે તે કેમ હોય? અર્થાત્ તે ભાવ બીજા પ્રકારે કેમ હોય ? અને બીજા પ્રકારે હોય તે તે ભાવ કેમ હોય? માટે અન્યથા ભવતિ–તે ભાવ અન્યથા હોય છે તે ઘટતું નથી.” હવે એ જ ન્યાયે, આગલી–પાછલી ક્ષણે છે તે જ વર્તમાન ક્ષણે નથી એમ માની, “s a = મવત્તિ' –તે જ છે નહિં, એમ જે ક્ષણિકવાદી કહે છે, તે પણ ઘટતું નથી. કારણ કે તે જ એ ભાવ-હોવાપણું બતાવે છે, અને “છે નહિ' એ અભાવ–નહિં હોવાપણું બતાવે છે. આમ એક સ્થળે ભાવ-અભાવ પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે તે જ ભાવ છે, તે તે કેમ ન ભવતિ –કેમ નથી હોત ? અને જે તે અભવત્ છે-છે નહિ, તે તે ભાવ કેમ? અર્થાત જે “ભાવ” છે તે “ન ભવતિ” કેમ? ને જે “ન ભવતિ' છે તે “ભાવ કેમ...? આમ આ વિરુદ્ધ છે. માટે તે જ નથી હેતે એ ક્ષણિક પક્ષ ઘટતું નથી. વળી વર્તમાન ક્ષણે જ “ભાવ”ને ક્ષણિકવાદી સ્વીકાર કરે છે, પણ આગલી–પાછલી ક્ષણે તે “ન ભવતિ” તે નથી હોત-અભાવ છે એમ તે કહે છે. તેમાં પણ અનેક વિરોધ આવે છે, કારણ કે પૂર્વ ક્ષણે ન હોય, તે વર્તમાન ક્ષણે હેય, તે અસત્ ઉત્પાદ થયે, અર્થાત અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થઈ, આ દેષ છે. તેમ જ વર્તમાન ક્ષણે હોય તે ઉત્તર ક્ષણે ન હોય, તે સત વિનાશ થયો, અર્થાત ભાવમાંથી અભાવ થયે, આ પણ પ્રગટ દોષ છે. ઈત્યાદિ અનેક વિરોધ અત્ર આવે છે. (જુઓ . ફૂટનેટ પૃ. ૮૧) આના ભાવન અર્થે જ કહે છે– सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् । तन्नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥१९५।। કૃત્તિઃ -સો-સતનું, ભાવનું, અલ-અસત્વ માનવામાં આવ્યું (‘સ વ મવતિ' તે જ નથી હતે” એ વચનથી.) શું ? તો કે તદુભઃ -તેને ઉત્પાદ, એટલે અસત્વને ઉત્પાદ થશે,-કાદાચિત્કપણાથી (કદાચિત હેવાપણાને લીધે). તો-તેથી કરીને, તે ઉત્પાદને લીધે, નારો િતચ-તે અસત્તને નાશ પણ થશે. Page #339 -------------------------------------------------------------------------- ________________ સુક્તતત્ત્વમીમાંસા; ક્ષણિકાદમાં અસત ઉત્પાદ આદિ દોષ (૬૫૧ ) સતનું પસણું સતે,–ઉત્પત્તિ તસ હોય; તેથી તેહુ અસત્ત્વને, અહિ નાશ પણ જોય; ને તેથી કરી નખના, ઉપજે પુનર્સાવ; અથવા નાશ સદા કલે, સ્થિતિ ન તેની સાવ, ૧૯૫ અર્થ :—સત્તું અસત્ત્વ-અસત્આપણું માનવામાં આવ્યે તે અસત્ત્વને-અસતપણાના ઉત્પાદ થશે, તેથી કરીને તે અસત્ત્વના નાશ પણ થશે; તેટલા માટે નષ્ટ અસત્ત્વને પુનર્ભાવ થશે, અને સદા નાશ માન્યે તેની સ્થિતિ જ નહિ હોય. વિવેચન ‘લવ ના મતિ:’— તે જ નથી હાતા ' એ વચન ઉપરથી સત્તું–ભાવનું અસત્ત્વ-અભાવ માનવામાં આવ્યે, કવચિત્ હાવાપણાને લીધે અસત્ત્વનેા ઉત્પાદ થશે, અને તે ઉત્પાદને લીધે તે અસત્ત્વનેા નાશ પણ થશે કારણ કે જે ઉત્પત્તિવાળું હેાય તે અનિત્ય હેાય' એવા નિયમ છે. અને તેથી કરીને નષ્ટ એવા અસત્ત્વના તે જ રૂપે પુનઃર્ભાવ થશે, કારણ કે અસત્ત્વના વિનાશની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત્ ખીજી કોઇ રીતે ઘટમાનપણું નથી. હવે નાશ તેા નાશાત્મક ભાવને લીધે પૂપશ્ચાત્-આગળપાછળ અવસ્થિત જ છે, એમ કાઈ કહે તા એ આશકીને કહે છે—સદા નાશ જો માનવામાં આવે તે તેની સ્થિતિ જ નહિ હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે. અસત્ ઉત્પાદ આદિ દોષ ‘તે જ નથી હેાતા' એ વચનના આધારે જો સત્તું અસત્પણું માનવામાં આવે, ભાવનું અભાવપણું માનવામાં આવે, તે અસત્ની ઉત્પત્તિ થશે, અભાવને ઉદ્ભવ થશે. એટલે જે વસ્તુનું મૂળ અસ્તિત્વ જ છે નહિ, તે નવી આવીને કાંતા સદા સત્ ઉત્પન્ન થશે, અભાવમાંથી ભાવ ઉપજશે, શૂન્યમાંથી જગત્ પેદા થશે ! કાંતા સદા અસત્ આમ આકાશપુષ્પ, શશશૃગ, અથવા વધ્યાસુત કે જેનું અસ્તિત્વ જ છે નહિં, તે આપમેળે આકાશમાંથી ઉભા થશે ! આમ આ અસત્ ઉત્પાદ પ્રત્યક્ષમાધિત છે, અનેક પ્રકારે દોષયુક્ત છે. (૧) તથાપિ ધારો કે અસત્ ઉત્પાદ થશે, તે તે અસને નાશ પણ સાથે આવીને ઉભા રહેશે. કારણ જેની ઉત્પત્તિ હાય તેના નાશ પણ હોય જ એવા નિયમ છે. તેથી અસત્ત્વને વિનાશ થશે, તે અસત્ત્વ પણ ઊડી જશે. એટલે નષ્ટ એવા અસત્ત્વના તે જ રૂપે પુનઃર્ભાવ થશે, કારણ કે અસત્ત્વના વિનાશ . 8 'ચવુત્તિમત્તનિત્ય ’ જે ઉત્પત્તિવાળું હેાય તે અનિત્ય હોય, એટલા માટે. ચર્જે કારણથી, જેથી કરીને. એમ તત્ તેથી કરીને, નદસ્ય-નષ્ટતા, અસત્ત્વના, પુનર્માત્ર:-તે જ રૂપે પુનાઁવ થશે,તે અસત્ત્વના વિનાશની અન્યથા અનુપપત્તિને લીધે (તે અસત્ત્વને વિનાશ ખીજી કાઈ રીતે નહિ ઘટે માટે). હવે નાશ તા નાશાત્મક ભાવને લીધે પૂર્વ-પશ્ચાત્ અવસ્થિત જ છે' એ સ્માશ’કીને કહે છે-સવા નારો-સદા નાશ માનવામાં આવ્યું, શું? તા કે સ્થિત્તિ:—તેની સ્થિતિ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ (૫૨) યોગદરિસમુચય બીજી કઈ રીતે ઘટશે નહિં. આમ સત્વ જ રહેશે, સતપણું જ રહેશે, વસ્તુ સદા સતસ્વરૂપ જ સાબિત થશે, માટે તમે માનેલું સતનું અસત્વ અયુક્ત છે-મિથ્યા છે. (૨) એટલે સકંજામાં આવેલ વાદી મુંઝાઈને સતવિનાશ પક્ષને પકડીને કહે છે કેનાશાત્મક ભાવને લીધે આગલી-પાછલી ક્ષણે નાશ તે છે જ એમ અમે પણ માનીએ છીએ. ત્યારે તેનો જવાબ આપે છે કે–સદા નાશ માનવામાં આવ્યું તેની સ્થિતિ જ નહિ હોય. તમે કહો છો તે વિવક્ષિત ક્ષણે પણ તેનું અસ્તિત્વ જ નહિં રહે, એટલે તમે માનેલું સત સદા અસત્ જ થઈ પડશે. આમ સતનું અસત્ત્વ માનવાથી (૧) અસત ઉત્પાદ– અભાવ ભાવ થશે, (૨) એટલે અસત્વ વિનાશ થશે અર્થાત અભાવ ભાવને અભાવ થશે, (૩) એટલે કે ભાવને તે જ રૂપે પુનર્ભવ થશે. અર્થાત ભાવ ભાવ થશે, વસ્તુ સદા ભાવરૂપ જ સિદ્ધ થશે. અથવા-સતવિનાશ માનવાથી વસ્તુ સદાય અભાવરૂપ સિદ્ધ થતાં, ક્યારેય પણ તેની સ્થિતિ નહિ હોય. આકૃતિ ઃ ૧૯ | િ૦ ૦ ૦. ભાવ ભાવ ભાવ [ અભાવ ઉત્પાદઅભાવ નાશ ] ક્ષણિકવાદી { અભાવ અભાવ અભાવ અભાવ [ સદા ના] X લાવ x x x स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ । युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥१९६॥ ક્ષણસ્થિતિ ધર્મ યુત વળી, જો માને તે નાશ; તે દ્વિતીય આદિ ક્ષણે, હેતાં સ્થિતિ જ તાસ: ક્ષણસ્થિતિ ધર્મકપણું, એ જ યુક્ત એનુંય; અને તેમ તે જે કહ્યું, તે યથાર્થ બધુંય, ૧૯૬૦ અર્થ :–તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળે છે એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે, આ અધિકૃત ભાવનું આ ક્ષણસ્થિતિધર્મકપણું યુક્ત છે, અને એમ સતે ઉક્તને અનતિક્રમ હેય છે, અર્થાત જે કહ્યું તેનું ઉલ્લંઘન થતું નથી. વિવેચન તે નાશ જે ક્ષણસ્થિતિ ધર્મવાળે ભાવ જ છે, એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે આ પ્રસ્તુત ભાવનું ક્ષણસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, અને એમ સતે ઉપરમાં કહેલી વાતનું ઉલ્લંઘન થતું નથી. વૃત્તિ:-સ: તે નાજ, ક્ષતિષ જેત-જે ક્ષણસ્થિતિધર્મવાળે ભાવ જ છે, આ આશંકાને કહે છે-હૂિતીયાક્ષિકે ચિતૌ-દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સત, શું? તો કે–પુરાતે હેતરિ–આ પણ યુક્ત છે, ક્ષમુસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, બચ-આનું, અધિકૃત ભાવનું, તથા ૨-અને તેવા પ્રકારે, એમ સતે, સારતિમ –ઉક્તને અનતિક્રમ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ સુતતત્વમીમાંસા : કાં તો સદા સ્થિતિ, કહે સદા અસ્થિતિ | (૫૩). ઉપરના લેકમાં કહ્યું કે–સદા નાશ માનવામાં આવ્યું વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિ રહે, એટલે ક્ષણિકવાદી કહે છે કે-તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળો છે. તેને જવાબ આપતાં શાસ્ત્રકાર કહે છે–(૧) બીજી વગેરે ક્ષણે પણ આ કાં તે સદા તમે જે ક્ષણસ્થિતિધર્મપણું કહો છો તે ઘટે છે, એટલે બીજી વગેરે સ્થિતિ કા તે ક્ષણે પણ આ ક્ષણસ્થિતિવાળે ધર્મ આવીને ઉભો રહેશે. એમ અનંત સદા અસ્થિતિ ક્ષણ પર્યત ચાલ્યા જ કરશે, તે પછી ક્ષણસ્થિતિ ધર્મ વિનાની ખાલી કઈ ક્ષણ હશે? એ બતાવે. અર્થાત અનવકાશ એવી ત્રિકાળ સ્થિતિ જ પ્રાપ્ત થશે. આમ વસ્તુની અખંડ સ્થિતિ સિદ્ધ થતાં ક્ષણિકપણું ક્યાં રહેશે? (૨) અથવા એમ જે કહો કે નાશ ક્ષણસ્થિતિધર્મવાળે-ક્ષણભર રહેનાર છે, તે પછી બીજી વગેરે ક્ષણે પણ તે ક્ષણસ્થિતિવાળો નાશ પ્રાપ્ત થશે. એટલે તમે માનેલા ક્ષસ્થિતિ ધર્મવાળા નાશ વિનાની ખાલી–અવકાશરૂપ એવી કઈ ક્ષણ હશે? તે કહે. એવી એક પણ ક્ષણ નહિ હોય કે જ્યારે નાશ નહિં વર્તતે હોય, અથાત્ સદાય નાશ જ પ્રાપ્ત થશે, અને વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. આમ કાં તે સદા સ્થિતિ-સપણું જ પ્રાપ્ત થશે, અને કાં તે સદા અસ્થિતિ-અસત્પણું જ પ્રાપ્ત થશે, એટલે કઈ પણ રીતે તમારે ક્ષણિકવાદ ક્ષણ પણ ટકશે નહિં. અને આમ ઉપરમાં જે કહ્યું હતું તે બધુંય બરાબર જ છે, એમ અત્રે પુષ્ટિ મળે છે. કેવા પ્રકારે? તે કહે છે – क्षणस्थितौ तदैवास्य नास्थितियुक्त्यसंगतेः । न पश्चादपि सेत्येवं सतेोऽसत्त्वं व्यवस्थितम् ॥ १९७॥ ક્ષણસ્થિતિ ત્યારેજ એહની, અસ્થિતિ નહિ યુક્ત; ન પછી પણ અસ્થિતિ તે, એમ વ્યવસ્થિત ઉક્ત, અથ –ક્ષણસ્થિતિ સતે, ત્યારે જ આ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી,-યુક્તિની અસંગતિને લીધે, અને પછી પણ તે અસ્થિતિ નથી –એવા પ્રકારે સનું અસત્વ વ્યવસ્થિત છે. વિવેચન ક્ષણસ્થિતિ સતે ત્યારે જ-વિવક્ષિત ક્ષણે આ વિવક્ષિત ભાવની જ અસ્થિતિ નહિ જૂત્તિઃ-ક્ષળસ્થિતૌક્ષણસ્થિતિ સત, તદૈવત્યારે જ, વિવક્ષિત ક્ષણે, ચ-ગાની, વિવક્ષિત ભાવની જ, નાસ્થિતિ -અસ્થિતિ નથી. શા કારણથી? તે કે-યુવચરંજતે-યુક્તિની અસંગતિને લીધે, સારે જ અસ્થિતિના વિરોધ થકી, એવા પ્રકારે યુક્તિ છે જ પાપ-પછી પણ–દિતીય ક્ષણે પણ નહિ, તે અસ્થિતિ નથી, યુક્તિ અસંગતિ થકી જ. ‘સારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરોધ થકી.” -એવા પ્રકારે મુકિત છે. સૂત્રેઉં એવા પ્રકારે, કરોડર્વ-સતનું અસત્ય વ્યવસ્થિત છે. અને તેથી કરીને સતના અસવમાં તેના ઉત્પાદ ઈત્યાદિ અનુવ જ છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ (૬૫૪) યોગદિસમુચ્ચય ડાય; કારણકે નહિ તે ત્યારે જ અસ્થિતિને વિરોધ આવે, એમ યુક્તિની અસ`ગતિ હાય. પછી પણ દ્વિતીય ક્ષણે પણ તે અસ્થિતિ નહિ. હાય, યુક્તિની વિવક્ષિત આદિ અસ’ગતિને લીધે જ. ‘ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરાધ છે’— ક્ષણે ન અસ્થિતિ એ પ્રકારે યુક્તિની અસંગતિ હાય છે માટે. એવા પ્રકારે સત્તુ અસત્ત્વ વ્યવસ્થિત છે. અને તેથી કરીને તોડસરવે તનુાવ: 'સત્તુ અસત્ત્વ સતે તેના ઉત્પાદ ઇત્યાદિ અનુવર્ત્ત જ છે. આગલા èાકમાં નાશ ક્ષણસ્થિતિધમ વાળા છે, ઇત્યાદિ કહ્યું, તેનું અત્ર સ્પષ્ટીકરણુ કર્યું" છે. ( ૧) ભાવની ક્ષણસ્થિતિ વેળાયે ત્યારે જ–અમુક ચાક્કસ વિવક્ષિત ક્ષણે તે વિવક્ષિત ભાવની અસ્થિતિ નહિ હોય, અર્થાત્ સ્થિતિ જ હોય. કારણ કે નહિ તે યુક્તિની અસગતિ થાય. જ્યારે સ્થિતિ છે ત્યારે અસ્થિતિને વિરોધ છે, અર્થાત્ જ્યારે સ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિઁ એ પ્રમાણે યુક્તિ છે, તે ઘટે નહિ. એટલે વસ્તુ જો ક્ષણસ્થિતિ ધર્મ વાળી હોય તેા વિવક્ષિત ક્ષણે વિવક્ષિત ભાવની સ્થિતિ હેાવી જ જોઇએ. (૨) અને પછી પણ ખીજી ક્ષણે પણ તેની અસ્થિતિ નથી, કારણ કે નહિં તે યુક્તિની અસતિ થાય; ‘ત્યારે અવસ્થિતિમાં અસ્થિતિના વિરેધ આવે છે' એ પ્રકારે યુતિ છે, તેની અસ'ગતિ થાય; અર્થાત્ જ્યારે અવસ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિ, એ પ્રકારે યુક્તિ છે, તે અહીં ઘટે નહિ' એટલે બીજી ક્ષણે પણ પ્રસ્તુત ભાવની અસ્થિતિ નથી, પણ સ્થિતિ જ છે. એમ અપરાપર ક્ષણ માટે સમજવું. સ્થિતિ એટલે પ્રસ્તુત ભાવની ત્રિકાળ સ્થિતિ સિદ્ધ થઈ -આમ સત્તું અસત્ત્વ સતે અસત્ત્વ ઉત્પાદ વગેરે જે કહ્યું હતું, તે ખધુંય ખરાખર જ છે, એમ સાબિત થયુ' એટલે ક્ષણિકવાદીએ માનેલા ક્ષણિક એવા સત્ સ્વરૂપનુ અસત્ત્વ સ્થાપિત થયું; અર્થાત્ અસતપણું-અસત્યપણું મિથ્યાપણું પૂરવાર થયું. આમ સથા ક્ષણિકવાદ અસત્ છે. । इति एकान्त अनित्यपक्ष निराकरणम् । નિત્ય પક્ષને અધિકૃત કરી કહે છે— भवभावा निवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तैकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ભવભાવનેાય જો વળી હાય નહિં અભાવ; મુક્ત ભાવની કલ્પના, તા ઘટે નહિ...જ સાવ; કારણ કે એકાન્તથી જેના એક સ્વભાવ; તેના કદીય હાય ના, હ્રય અવસ્થા ભાવ, ૧૯૮ વૃત્તિ:-મવમાવાનિવૃત્તવવિ–ભવભાવની અનિવૃત્તિમાં પણુ, એકાન્ત નિત્મતામાં પણુ, શું? તા કે—યુહા મુદ્દઋવના-આત્માની મુક્તિકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે? તે ક-જાત્તેજ સ્વમાવય-એકાન્ત એક સ્વભાવનું,–અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવતાનું સઁદ્િ–કારણ કે નથી, જાય દૂર્ય-અવસ્થાત,—સ ંસારી અને મુક્ત૫, ચિત્—કવચિત્ ,–એકાંત એકસ્વભાવપણાના વિરાધને લીધે. Page #343 -------------------------------------------------------------------------- ________________ સાતત્વમીમાંસા : ક્ષણિકવાદ અસત, એકાંત નિત્યમાં મોક્ષ નહિં ઘટે અર્થ –ભવભાવની અનિવૃત્તિમાં પણ મુક્તકલ્પના અયુક્ત છે, કારણ કે એકાંત એક સ્વભાવની કવચિત બે અવસ્થા હાય નહિં. વિવેચન ભવભાવની – સંસારભાવની અનિવૃત્તિમાં પણ, અર્થાત્ એકાન્ત નિત્યતા માનવામાં આવતાં પણ, આત્માની મુક્તકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તે કે એકાંત એક સ્વભાવનું અવસ્થાદ્વય કદી હેય નહિં; અર્થાત્ અપ્રચુત, અનુત્પન્ન, એકાંત નિત્યમાં સ્થિર એ જેને એકરૂપ સ્વભાવ હોય, તેને સંસારી ને મુક્ત એવી મોક્ષ નહિં ઘટે બે અવસ્થા કદી હોય નહિ, કારણ કે તેમ તે તેના એકાંત એક સ્વભાવ૫ણુને વિરોધ આવે. ઉપરમાં કહ્યા પ્રમાણે એકાંત અભાવરૂપઅનિત્ય પક્ષમાં જેમ મેક્ષ ઘટતું નથી, તેમ એકાંત ભાવરૂપ નિત્ય પક્ષમાં પણ મેક્ષ ઘટતે નથી. કારણ કે ભવભાવ-સંસારભાવ હોય, તે નિત્ય પક્ષના અભિપ્રાયે તેની કદી નિવૃત્તિ થશે નહિં, એટલે સદાય ભવભાવ જ-સંસારભાવ જ રહ્યા કરશે, અને આત્માની કદી પણ મુક્તિ થશે નહિ. આમ એકાંત નિત્ય પક્ષમાં મુક્તકલ્પના ઘટતી નથી, કારણ કે એકાંતે એક સ્વભાવરૂપ જે હોય, તેને કદી પણ બે અવસ્થા હોય નહિ. એકાંત નિત્ય પક્ષના અભિપ્રાય પ્રમાણે અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવરૂપ હોય તે નિત્ય છે. એટલે કે જે સ્વરૂપથી પ્રચુત-ભ્રષ્ટ નહિં હોવાથી અપ્રચુત છે, ઉત્પન્ન નહિં થતું હોવાથી જે અનુત્પન્ન છે, સદા સ્થિરતાવાળું હોવાથી જે વિધાત્મક સ્થિર છે, અને અદ્વિતીય એવા એકસ્વભાવવાળું હોવાથી જે એકરૂપ નિત્ય વ્યાખ્યા છે,–તે નિત્ય એવું સત્ છે, એમ તેઓની “નિત્ય શબ્દની વ્યાખ્યા છે. “ શકત્રુતાનુનર્થિક સ’ –આ તેઓની માન્યતા પ્રમાણે ભાવ–વરતુ નિત્ય હેઈ, સદા સ્થિર એકસ્વભાવરૂપ હોય છે, તે જ પ્રમાણે જેમ છે તેમ સદા અવસ્થિત રહે છે, એટલે તેમાં કોઈ બીજો ફેરફાર કે પરિણામ કે અવસ્થાતર ઘટતું નથી; અને આમ તેની સદા જેમ છે તેમ એક જ અવસ્થા રહે છે, બીજી અવસ્થા સંભવતી નથી. નહિ તે તેના એકાંત એકસ્વભાવપણાને વિરોધ આવે. એટલે જે સંસારભાવ હશે તે સદાય સંસાર ભાવ જ રહેશે. તેમાંથી કદી પણ મુક્તપણારૂપ બીજા ભાવનો અવસ્થાને સંભવ નહિ જ થાય. આમ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ મુક્તપણું ઘટશે નહિં, અને “મુક્તપણું” એ કલ્પના માત્ર થઈ પડશે ! અને આ મુક્તિ માટે યોગમાર્ગ પણ “કલ્પને માત્ર ભદ્રક” થઈ પડશે ! અર્થાત્ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ ગમાર્ગને સંભવ જ નહિં રહે. (જુઓ . પૃ. ૮૦) Page #344 -------------------------------------------------------------------------- ________________ (૬૫૬) तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ॥ १९९॥ યોગદૃષ્ટિસમુચ્ચય અને એ અવસ્થા તણા, હોતાં એમ અભાવ; સસારી ને મુકત એ, કથન નિક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણા અભાવ; ન્યાયથી તાત્ત્વિક માનવા, એ જ ઇષ્ટ છે ભાવ. ૧૯૯ અઃ—અને તે અવસ્થાયના અભાવે સ'સારી અને મુક્ત એમ કહેવુ' નિર ક થઈ પડશે. તેથી આ આત્માના સ્વભાવેાપમ ન્યાયથી તાત્ત્વિક માન્ય કરો. વિવેચન અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાદ્રયના અભાવે સસારી અને મુક્ત, એમ આ નિરČક જ શબ્દેમાત્ર જ થઇ પડશે, કારણ કે અર્થાંના અયાગ છે. તેથી કરીને તથાપ્રકારે આ આત્માના સ્વભાવાપમ નીતિથી-ન્યાયથી તાત્ત્વિક-પારમાર્થિક માને એ જ ઈષ્ટ છે. આ સ્વભાવાપમ તદન્તરથી તન્તરના દૂર કરવારૂપ લક્ષણવાળા છે, અર્થાત્ તેનાથી અન્યવડે કરીને તઅન્યને દૂર કરવારૂપ લક્ષણવાળા છે. ઉપરમાં સાષિત કરી ખતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ એ અવસ્થા હોઇ શકે નહિં. આમ અાિમીમાં અવસ્થાઢયના અભાવે આત્માની સ'સારી ને મુક્ત એવી એ અવસ્થા ઘટશે નહિ. એટલે તિય "ચાદિ ભાવવાળા સ’સારી, અને ભવપ્રપંચના ઉપરમને લીધે સુક્ત, –એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરક જ-અવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઇ પડશે, કથનમાત્ર જ–કહેવા પૂરતી જ રહેશે, તે કલ્પના તે કલ્પના જ રહેશે, અરૂપ-તત્ત્વરૂપ નહિ રહે. આ અયુક્ત છે, દૃષ્ટ-ઇષ્ટથી બાધિત છે; કારણ કે સસારી અને મુક્ત એ એ જૂદી જૂદી અવસ્થા તત્ત્વથી અવશ્ય છે, દૃષ્ટ અને ઇષ્ટ છે, એટલે અપિરણામી એવા નિત્ય એકાંતપક્ષ કઇ રીતે ઘટતા નથી. આ ઉપરથી ફલિતાથ એ છે કે–સ'સારી ને મુક્ત એ એ અવસ્થાનું ઘટમાનપણું તા જ હાય કે જો આત્માના સ્વભાવાપમ તાત્ત્વિક-પારમાર્થિક માનવામાં આવે. એક સ્વભાવે કરીને ખીજો સ્વભાવ દૂર કરાય--હઠાવાય, તે જ સ્વભાવા વૃત્તિ:-તમારે ૨—અને તેના અભાવે, અવસ્થાઠ્યના અભાવે, સંસારી-સંસારી, તમ ચ આદિ ભાવવાળા, મુક્ત્ર-અને મુક્ત,-ભવપ્રપંચ ઉપરમ થકી, કૃત્તિ-મા, નિર્થે નિરથ ક, શબ્દ માત્ર જ છે, અર્થના અપેાગને લીધે. તત્-તેથી, તથાપ્રકારે, માયોપમ:-સ્વભાવ ઉપમા, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણુવાળા તેનાથી અન્યથી તઅન્યના દૂર કરવારૂપ લક્ષણવાળા એવા, આતા, આત્માના, નીત્યા-નીતિથી, ન્યાયથી શું ! તાકે- તાત્ત્વિëતાં તાત્ત્વિક ષ પારમાર્થિક માના ચ Page #345 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા : તાત્વિક સ્વભાવમઈ-પરિણામાંતર (૬૫૭) તાવિક પમર્દનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવપમર્દ ભાવાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાપમદ છે. પરિણામ એટલે સંસારી ભાવને સ્વભાવપમદ થઈ પરિણામાંતર થાય, ભાવાંતર થાય, તે જ મુક્ત ભાવ ઘટે–નહિં તે નહિં. કારણ કે સ્વભાપમ ન થાય–એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સંસારી ભાવ એમ ને એમ રહે, ભાવાંતર-પરિણામાંતર ન થાય, તે મુક્ત ભાવ થાય જ કેમ? માટે આમ ન્યાયથી આ આત્માને સ્વભાવપમદ–પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવ ઈષ્ટ છે. કારણ કે પરિણમી આત્મામાં જ અવસ્થાભેદની સંગતિથી યેગમાર્ગને સંભવ હોય છે. (જુઓ. લે. ફૂટનેટ પૃ. ૮૧.) दिदृक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते । प्रधानादिनतेर्हे तुस्तदभावान्न तन्नतिः ॥२००॥ દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવત્તે અહિં આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનું, દિક્ષાદિ નિદાન તસ અભાવે તેહનું, હેય નહિ પરિણામ. ૨૦૦ અર્થ –દિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવું તે દિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિનો હેતુ છે, અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ નથી હોતી. વિવેચન દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરિત જ એવું આ દિદક્ષાદિ આત્માને નિવત્તે છે. તે કેવું છે? તે કે પ્રધાન આદિની પરિણતિને હેતુ-કારણ છે. અને તે દિક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હોતી નથી. તે આ પ્રકારે – દિક્ષા એટલે દેખવાની ઇચ્છા, જગત રચના દેખવાની ઈચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-મહાદિ અંતરંગ મલ, ભાવમલ. ભવાધિકાર એટલે સંસારને અધિકાર, સંસાર ભાવનું પ્રાબલ્ય, સંસાર ભાવની સત્તા. આ દિદક્ષાદિ વૃત્તિ –દિક્ષાદ્ધિ-દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, માતમ મૂત-આત્મભૂત, સહજ વસ્તુસત, તા-તેથી, મુલ્ય-મુખ્ય, અનુપયરિત જ, કચ-આ આત્માનું, નિવસે-નિવત્ત છે. તે કેવું ? તો કેબધાનારિનર્વેિદ-પ્રધાન આદિની પરિણતિને હેતુ-કારણ એવું, તમારા-તે દિદક્ષાદિના અભાવથી. ન તન્નત્તિ –તેની નતિ–પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી-મુક્ત આત્માને. Page #346 -------------------------------------------------------------------------- ________________ (૬૫૮) યાગવૃષ્ટિસમુચ્ચય આત્મભૂત છે, આત્માના અંગભૂત-આત્મભાવરૂપ છે, સહજ વસ્તુસત્ છે ( Realistic), કાલ્પનિક ( Imaginary ) નથી. આમ આત્મા સાથે જોડાયેલ હાવાથી આ દિક્ષાદિ મુખ્ય છે-નિરુપચરિત છે. તે ક્રિક્ષાદિ આ આત્માને નિવત્ત છે, તે પ્રધાનાદિની પરિણતિના હેતુ હાય છે; અને તે તે દિક્ષાદિની નિવૃત્તિ થતાં, મુક્તાત્માને પ્રધાનાદિ પરિણતિ હેાતી નથી. × “ અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગની રચના જોવા ઈચ્છે છે તે અંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પેાતાની અનુરૂપ ભ્રાંતિના પરિત્યાગ કરવા. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી ચેાગ્ય છે. અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં માહાંધ પ્રાણીઓ નહી. જાણીને ત્રણે તાપથી બળતા જોઇ પમ કરુણા આવે છે. હું નાથ ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નિકળે છે.” —શ્રીમદ્ રાજચ`દ્રજી ઉપરમાં સ્વભાવેાપમદ તાત્ત્વિક છે, અને તેથી અવસ્થાંતર-ભાવાંતર થાય છે, એમ સ્થાપિત કર્યું. તે અવસ્થાંતર-ભાવાંતરરૂપ પરિણામીપણું કેવા પ્રકારે હાય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણુ કરી બતાવ્યું છે. સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા–એ દિદક્ષાદિથી એ અવસ્થાનું પરિણમન કેવી રીતે થાય છે? તે અહીં વિવરી પ્રધાનાદિનું અતાવ્યું છે. દિક્ષા વગેરે જે આત્માને અગભૂત ભાવ છે, તે જ્યાં સુધી પરિણમન નિવત્તતા નથી—ટળતા નથી, ત્યાં સુધી તે જડ પ્રકૃતિ-પ્રધાનાદિની પરિણતિનું નિમિત્ત–કારણ થાય છે. અને તે દિક્ષાદિ જ્યારે નિવત્ત છેટળે છે, ત્યારે તે મુક્ત આત્માને પ્રકૃતિની–પ્રધાનાદિની પરિણતિ હેાતી નથી. તાત્પર્ય કે જ્યાં લગી દિદક્ષાદિભાવ છે, ત્યાં લગી પ્રકૃતિ પરિણામ છે, અને ત્યાં લગી સંસાર છે. અને જ્યારે દિક્ષાદિ ભાવના અભાવ થાય છે, ત્યારે પ્રકૃતિ પરિણામના અભાવે સંસારને અભાવ હાય છે, અને મુક્તભાવની પ્રાપ્તિ ડાય છે. આમ દિક્ષાદિની નિવૃત્તિ આદિ આત્માનું પરિણામીપણું સતે ઘટે છે,-આત્માનું અપરિણામીણું સતે આ બધું નિરર્થંક નિષ્ફલ થઈ પડે છે. * x “जगद्देहात्मदृष्टीनां विश्वासः रम्यमेव वा । મન્યેવામંદીનાં સ્વ વિશ્વાસ શ્ર્વ ના તિઃ ।।'”—શ્રી સમાધિશતક, *“ દિક્ષાવિનિવૃાતિ પૂર્વસૂયુક્તિ થથા | આમનોડગિામિત્વે સર્વમેતાર્થદમ્ ।।”—શ્રીયાગબિન્દુ, શ્વે. ૪૮૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા : દિક્ષાદિથી પ્રકૃતિષરિત્રુતિ→ સંસાર, તદભાવે મેક્ષ દૃિક્ષાદિ——— દિક્ષાદિ અભાવ— પ્રકૃતિ પરિણામ—— પ્રકૃતિપરિણામ અભાવ—— अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥ २०१ ॥ નહિ. તા હોય આ નિત્ય તે, કહાય આ ભવ'–એમ; ભવનું નિત્યપણું સતે, મુક્ત સભવ જ કેમ ? ૨૦૧ (૬૫૯) સ’સાર. સસાર અભાવ (માક્ષ) અર્થ :—નહિ' તે આ પરિણતિ ‘ભવ' કહેવાય છે; અને પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોય, અને આ પ્રધાનાદિ એમ ભવનિત્યત્વ સતે મુક્તના સભવ કેમ હેાય ? વિવેચન અને એમ જો દિક્ષાદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હોય. અને આ પ્રધાનાદિ પરિણતિ ‘ભવ’ કહેવાય છે, ‘ સંસાર્' નામે ઓળખાય છે; કારણ કે એ પ્રધાનની--પ્રકૃતિની પરિણતિ સતે, તદાત્મક મહત્ આદિના ભાવ હાય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હાતાં, એમ ભવનું' નિત્યપણુ થશે, એટલે સુક્તના સભવ કેવી રીતે હાય ? ન જ ઢાય, એમ અથ છે. ઉપરના àાકમાં દિક્ષા-ભાવમલ આદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હાય છે, અને તેના અભાવે તેની પરિણિત હેાતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જો ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ થયા કરે; કારણ કે જે સકારણ હાય તે તે કાદાચિક હાય-કવચિત્ કારણ મળ્યે જ હાય, પણ નિષ્કારણુ હાય તે કાં ત। સદાય જ હાય અને કાંતા સદાય ન હેાય,—આ નિયમ છે. એટલે ક્રિક્ષાદિ નિમિત્ત કારણ જો ન હાય, પ્રધાનાદિ પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તે તે પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિ, કદી પણ વિરામ પામશે નહિં, ને મેાક્ષ કદી થશે નહિ. વૃત્તિઃ—અને આમ આ અ'ગીકાર કરવા યેાગ્ય છે, અન્યથા-અન્યથા, નહિ" તે, એમ અબ્યુપગમ –સ્વીકાર ન કરવામાં આવતાં, ચાÄિ- પ્રધાનાદિ નતિ–પરિણતિ હાય, નિસ્યં—નિત્ય, સદૈવ. તેથી શું ? તા કે–ા 7-અને આ પ્રધાનાદિ નતિ-પરિણતિ, મત્ર કથતે-ભવ કહેવાય છે, સંસાર નામે ઓળખાય છે,—એની પરિણતિ સતે તદાત્મક મહત્ આદિના ભાવને લીધે, ણં ૬-અને એમ, ઉક્ત નીતિથી, મનિત્યવે-ભવનિત્યંત સતે, થં મુખ્તસ્ય સંમવ:-મુક્તને સંભવ કેવી રીતે હેાય ? ન જ હોય એમ અથ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ થાગદષ્ટિસમુચ્ચય કારણ કે આ પ્રધાનાદિની જે પરિણતિ છે. તે જ ભવ અથવા સંસાર કહેવાય છે. પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ હતાં, તે પ્રકૃતિઆત્મકઃ મહતુ આદિને ભાવ હોય છે. પ્રધાનમાંથી મહતુ અર્થાત્ બુદ્ધિ ઉપજે છે, મહમાંથી અહંકાર પ્રકૃતિપરિણતિ ઉપજે છે, અને અહંકારમાંથી છોડશક ગણુ ઉપજે છે, અર્થાત્ પાંચ એ જ સંસાર બુદ્ધિ ઈન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા અને મન, એમ સળ ઉપજે છે. આમ પ્રધાન–પ્રકૃતિની પરિણતિ પ્રમાણે ભવની-સંસારની પરિણતિ હોય છે. એટલે પ્રધાનની પરિણતિ જે નિત્ય હોય, તો ભવની-સંસારની પરિણતિ પણ નિત્ય થશે. અને આમ ભવનું–સંસારનું નિત્યપણું હેતાં, મુક્તને અસંભવ જ થશે. આ અયુક્ત છે. એટલે નિષ્કારણ-નિનિમિત્ત એવી પ્રધાનાદિની પરિણતિ ઘટતી નથી, પણ દિદક્ષા-ભાવમલ આદિન નિમિત્ત-કારણે જ તેની પરિણતિ ઘટે છે. તાત્પર્ય કે-દિક્ષાદિના કારણે સંસાર ને તે કારણ ટળે મેક્ષ હોય છે. એમ સિદ્ધાંત સ્થાપિત થયે. દિક્ષાદિ –- પ્રધાનાદિ પરિણતિ –– સંસાર. તેમજ-પ્રધાન (પ્રકૃતિ) -> મહત્ (બુદ્ધિ) –-> અહંકાર > ષોડશક ગણ, (પાંચ બુદ્ધિ ઇંદ્રિય; પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા, મન.) ના મન.) अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०२ ॥ અવસ્થા જો તત્વથ નથી, પ્રત્યય તેને કેમ ? બ્રાંત એહ, એથી જ શું? પ્રમાણ અહિં ન એમ, ૨૦૨ અર્થ :-તત્વથી અવસ્થા નથી એમ જે કહે, તે તેનો પ્રત્યય કેમ હોય? આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે, તે આથી શું? અત્ર બ્રાંત અવસ્થામાં માન-પ્રમાણ વિદ્યમાન છે નહિં. ત્તિઃ-અવસ્થા તત્વતો-અવસ્થા તત્તથી–પરમાર્થથી. નો રે-જે ન હોય, પૂર્વાપર ભાવથી. તે આશંકીને કહે છે ન તબત્યિ :-વારુ, તેને પ્રત્યય—અવસ્થાને પ્રય, વ્યં-કેવી રીતે હોય ?નિબંધનના અભાવે. આ ભલે હે ! તેથી શું ? પ્રાન્તોડય-આ બ્રાંત છે, આ અવસ્થા પ્રત્યય જતિ છે. તે જિમન-આથી શું ? દૃત્તિ-એમ આ આશંકાને કહે છે-માનમત્ર-માન–પ્રમાણુ અત્ર ભ્રાંત અવસ્થામાં, ન વિદ્ય-વિદ્યમાન નથી. x “एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥ ततः संजायते बुद्धिमहानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यातत्तस्मात् षोडशको गणः॥" –શ્રી હરિભદ્રસુરિત દર્શનસમુચ્ચય ૩૬-૩૭ Page #349 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા: ભવનિત્યત્વ સતે મુક્ત અસંભવ: અવાંતર સિદ્ધિ વિવેચન જે પૂર્વાપર ભાવથી અવસ્થા તત્વથી-પરમાર્થથી નથી એમ કહો, તે વારુ, નિબંધનના અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેવી રીતે ઉપજશે? એટલે વાદી કહે છે-આ ભલે હો, આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે. એથી શું? તેને જવાબ આપે છે કે અત્રે બ્રાંત અવસ્થા બાબતમાં કઈ પ્રમાણ વિદ્યમાન નથી. ઉપરમાં પરિણમી આત્મામાં સંસારી ને મુક્ત એ બે અવસ્થા કેવી રીતે ઘટી શકે છે, તે નિર્મલ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું, અને એકાંત નિત્ય પક્ષનું ખંડન કર્યું. એટલે નિત્ય પક્ષવાદી કહે છે કે–તમે ભલે તે બે અવસ્થા સિદ્ધ કરી અવસ્થા બા. બતાવી, પણ તે અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી. તેને ન્યાયમૂતિ દલીલો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-વારુ, તે અવસ્થા જે પરમાર્થથી નથી, તે કારણ અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેમ ઉપજશે ? આ સંસારી અવસ્થા ને આ સિદ્ધ અવસ્થા, એવી પ્રતીતિ શી રીતે થશે? એટલે સંકડામણમાં આવીને વાદી કહે છે–આ ભલે હો, પણ આ અવસ્થા પ્રત્યય તે ભ્રાંત છે. આથી શું? તેને પુનઃ જવાબ આપે છે કે–આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે એમ તમે કહે છે તે તેનું પ્રમાણ શું? અત્રે પ્રમાણ કઈ છે નહિં. . योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०३।। ગિજ્ઞાન જે માન તે અવસ્થાન્તર તે તાસ; તો શું ? ભ્રાંત આ અન્યથા, સિદ્ધસાણતા ખાસ. ૨૦૩ અર્થ :–અને ગિજ્ઞાન માન છે–પ્રમાણ છે એમ જે કહો, તે તે વિજ્ઞાન તે યેગીનું અવસ્થાંતર થયું. તેથી શું? તે કે–આ ગિજ્ઞાન બ્રાંત હોય, નહિં તે એનું અભાંતપણું સતે સિદ્ધસાધ્યતા થાય, અર્થાત અવસ્થાભેદની ઉપપત્તિ થાય. ગીજ્ઞાન જ અત્ર પ્રમાણ છે, એમ જે કહો, તે તે યોગીજ્ઞાન ગીનું અવ કૃત્તિ–વૉજિલ્લાને સુ-ગિજ્ઞાન જ, કાર્ન રેત-અત્ર જે પ્રમાણ છે, આ આશંકાને કહે છે, તવા તુ-તેનું અવસ્થાતર જ, યેગી અવસ્થાન્તર જ, ત–તે, ગિનાન છે. તતઃ વિં–તેથી શું ? એમ આ આવીને કહે છે-જાતનેચાત-આ મિજ્ઞાન ભ્રાંત હેય. અન્યથા-અન્યથા, નહિં તે એનું અભ્રાંતપણે સતે, શું? તો કે-સિદ્ધાર્થતા-સિદ્ધસાધ્યતા થાય,-અવયભેદની ઉપપત્તિને લીધે.. Page #350 -------------------------------------------------------------------------- ________________ (૬૬૨) યોગદષ્ટિસમુચ્ચય સ્થાંતર જ છે. તેથી શુ? તે કે-આ યાગીજ્ઞાન ભ્રાંત હાય; નહિં તે એનું અભ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય. ઉપરમાં પ્રમાણુ છું એમ પૂછ્યું, એટલે વાદી કહે છે કે-યાગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેને શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે–જો તમે યાગીજ્ઞાનને પ્રમાણુ કહેતા હ। તા તે ચેાગીજ્ઞાન પાતે જ ચેાગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે-તેથી શું? તે ચેગીનું અવસ્થાંતર છે, તા તેથી શું થઇ ગયુ? તે ઉપરથી તમે શું કહેવા માગેા છે ? તેના સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ યાગીજ્ઞાન માં તા ભ્રાંત હાય ને કાં તે અભ્રાંત હાય. જો ભ્રાંત કહેા તા તેને તમે પ્રમાણભૂત લેખ્યુ. શી રીતે ? અને જો અભ્રાંત કહે। તે સિદ્ધસાપ્યતા થઈ. અર્થાત્ અભ્રાંત એવા અવસ્થાભેદની ઉપપત્તિ થઇ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું! જ્યાંથી તમે છટકવા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતને સ્વીકાર કર્યાં હેાવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતુ નથી; કારણ કે યાગીજ્ઞાન એ જ પાતે તે યાગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે યાગીજ્ઞાન ન્હાતુ, પછી થયું, એટલે એ આગલી અવસ્થામાંથી થયેલી જૂદી અવસ્થા છે. અને આ તે બ્રાંત છે-પ્રમાણભૂત છે એમ તમે કહેા છે, એટલે તે અવસ્થાંતર પણ અભ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરી છે. ઇતિ સિદ્ધ' નઃ સમીહિતમ્ ! કિ` ખહુ જલ્પિતેન ?–મામ એકાંત નિત્યપક્ષનુ પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું. માગતા એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયા. તાત્પર્યં કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાચાથિક નયની અપેક્ષાએ અનિત્ય છે—પર્યાયથી પલટાય છે. માલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પાઁચે પલટાય; ખાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ”—શ્રી આત્મસિદ્ધિ । इति एकान्तनित्यपक्षनिराकरणम् । વસ્તુસ્વભાવ–સાર ક્ષણિકવાદી કહે છે કે-‘આગલી પાછલી ક્ષણે વસ્તુના અભાવ છે, વત્તમાન ક્ષણે જ તેના ભાવ–હાવાપણું છે.' (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના અભિપ્રાયે તે વત્તમાન ભાવવાળી તા છે, એટલે તે સદા તાવવાળી-એકાંત અનિત્ય વત્તમાન ભાવવાળી હોવી જોઇએ. કારણ કે ‘સદા તદ્ભાવથી તત્' હાય પક્ષ અયુક્ત એવા નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિરાધથી તે વસ્તુ સદા વમાન ભાવવાળી અર્થાત્ નિત્ય સિદ્ધ થશે. અને તે વમાન ભાવના Page #351 -------------------------------------------------------------------------- ________________ મુકતતત્વમીમાંસા : વસ્તભાવસાર : એકાંત અનિત્યાદિ ૫ક્ષ અયુકત (૬૬૩) સ્વીકાર નહિ કરે, તે તે સદાય અસત્ જ સિદ્ધ થશે. આમ કાં તે વસ્તુ એકાંત નિત્યસદા ભાવરૂપ સાબિત થશે અને કાં તે એકાંત અનિત્ય-સદા અભાવરૂપ સાબિત થશે. એટલે ક્ષણિકવાદ ક્ષણભર ટકી શકશે નહિં. (૨) હવે જે ક્ષણિવાદી એમ કહે કે જે આગલી ક્ષણે છે તે જ છે નહિં.” તે “તે અન્યથા હોય છે” એની જેમ વિરુદ્ધ છે. કારણકે તે વસ્તુ અન્યથા–બીજી જ થઈ જતી હોય તે “તે” કેમ? અને તે હોય તે “અન્યથા–બીજી જ કેમ થાય? એવી દલીલ તેઓ કરે છે. તે જ ન્યાય તેમના કથન પર લાગુ પાડીએ તે તે જ છે તે તે કેમ “છે નહિં?” અને તે છે નહિ તે તે કેમ? એમ વદતે વ્યાઘાત થાય છે. (૩) તેમજ અભાવ ઉત્પત્તિ આદિ દોષ આવે છે, કારણ કે સતનું અસત્વ માને, તે અસત્વને ઉત્પાદ થશે, અર્થાત અભાવની ઉત્પત્તિ થશે. અને જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ, એ નિયમથી આ અભાવનો નાશ પણ થશે, એટલે નષ્ટ વસ્તુને તે ને તે રૂપે પુનર્ભવ થશે. અર્થાત્ વસ્તુ સદા ભાવરૂપ સાબિત થશે. અને જે વસ્તુ સદા નાશવંત માને તે વિવક્ષિત ક્ષણે પણ તેની સ્થિતિ નહિ હોય, અર્થાત્ તે સદા અભાવરૂપ સાબિત થશે. (૪) હવે જે એમ કહે કે તે નાશ ક્ષણસ્થિતિધર્મવાળે છે, તે બીજી વગેરે ક્ષણે પણ સ્થિતિ હતાં આ ક્ષણરિથતિધર્મપણું આવીને ઊભું રહેશે. એટલે જે કહ્યું હતું તેમજ થશે. કારણ કે જ્યારે તેની ક્ષણસ્થિતિ છે ત્યારે જ તેની અસ્થિતિ ઘટતી નથી, અને પછી પણ તે અસ્થિતિ ઘટતી નથી. અર્થાત્ સદા તેની સ્થિતિ જ ઘટે છે. આમ સતનું અસત્વ વગેરે જે કહ્યું હતું તે બધું ય બરાબર છે. અર્થાત્ કઈ પણ પ્રકારે એકાંત અનિત્ય પક્ષ-ક્ષણિકવાદ ઘટતા નથી. તાત્પર્ય કે-વસ્તુ એકાંત અભાવરૂપ નથી. તેમજ એકાંત નિત્ય પક્ષ પણ કઈ રીતે ઘટતો નથી. કારણ કે (૧) અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ તે સત્ છે એમ નિત્યવાદી કહે છે, અર્થાત્ વસ્તુ સદા એક ભાવરૂપ છે. એટલે સંસાર ભાવ છે, તે તેની કદી પણ નિવૃત્તિ નહિં એકાંત નિત્ય થાય, અર્થાત્ સદાય સંસારભાવ જ રહેશે, કદી પણ મુક્ત ભાવની પક્ષ અયુક્ત ઉપપત્તિ થશે નહિં; કારણ કે એક સ્વભાવની બે અવસ્થા કરી હોય છે. એટલે સંસારી અને મુક્ત એમ બે અવસ્થા કહેવી તે શબ્દમાત્ર થઈ પડશે, માટે એક સ્વભાવથી બીજા સ્વભાવને ઉપમ તાવિક માનવ ઈષ્ટ છે. અર્થાત એક સ્વભાવ બીજા સ્વભાવને ખસેડી તેનું સ્થાન લે તે જ સંસારી ને મુક્ત એમ બે અવસ્થા ઘટી શકે, નહિં તે નહિં. (૨) દિક્ષા-ભાવમલ વગેરે આત્માની આત્મભૂત મુખ્ય વસ્તુસત્ છે, તે આત્માને નિવૃત્ત છે. અને તે દિક્ષાદિ પ્રધાનાદિની પરિણતિનું કારણ છે, તેના અભાવે પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. અર્થાત્ દિક્ષાદિ કારણ જ્યાંલગી ટળતું નથી ત્યાં લગી પ્રધાનાદિની-પ્રકૃતિ આદિની પરિણતિ થયા કરે છે, અને તે કારણ કન્ય પ્રધાનાદિની પરિણતિ થતી નથી. નહિં તે દિક્ષાદિ કારણ ન માને તે નિષ્કારણ એવી આ પ્રધાનાદિ પરિણતિ સદા થયા કરશે. આ પ્રધાનાદિની પરિણતિ Page #352 -------------------------------------------------------------------------- ________________ (૬૬૪) ગદષ્ટિસમુચ્ચય છે, તે ભવ-સંસાર કહેવાય છે. અને આમ ભવનું નિત્યપણું હેતાં, મુક્તને સંભવ કેમ થશે ? માટે દિક્ષાદિ કારણ માનવું પડશે. દિક્ષાદિ હોતાં સંસાર હોય છે, અને તેના અભાવે મોક્ષ હોય છે. આમ બે અવસ્થા ઘડશે. (૩) અને એમ જ કહે કે-આ અવસ્થા તત્ત્વથી નથી, તે તેની પ્રતીતિ કેમ ઉપજશે ? આ પ્રતીતિ શાંત છે એમ કહે છે તેનું પ્રમાણ શું ? યોગીજ્ઞાન પ્રમાણ છે, તે તે આ યોગીજ્ઞાન જ અવસ્થાંતર થયું. આ ગીજ્ઞાનને ભ્રાંત કહે તે તેને પહેલાં પ્રમાણ કેમ કહ્યું? અને અબ્રાંત કહે, તે અવસ્થાંતર પક્ષને તમે સ્વીકાર કર્યો. આમ કઈ રીતે એકાંત નિત્ય પક્ષ (ભાવરૂપ વસ્તુ ) ઘટતું નથી. તાત્પર્ય કે વસ્તુ ભાવ-અભાવરૂપ છે, અર્થાત પરિણમી નિત્ય છે. એમ માનીએ તે જ સંસાર-મોક્ષ એ સર્વ વ્યવસ્થા બરાબર ઘટે છે; કારણ કે ભાવમલ આદિથી સ્વભાવનો ઉપમ થાય છે, છતાં તેના મૂળ સ્વભાવના યોગથી તેને જેવો ભાવ હતા તે ભાવ-તથાભાવ થાય છે. એજ અદેષપણું છે. અને આ જે સ્વભાવ છે તે જ વસ્તુને સ્વભાવ છે, અર્થાત તવથી નિજ સત્તા જ છે. સ્વભાવસ્થિતિ એ જ મોક્ષ છે, એ જ અદેષપણું છે; અને વિભાવસ્થિતિ એ જ સંસાર છે, એ જ સદેવપણું છે. આનુષંગિક કહ્યું, હવે પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ, અને તે પ્રકૃતિ સિદ્ધસ્વરૂપ છે, ચાષિમુક્ત ગુમાન ઢોર ઈત્યાદિના ઉપન્યાસથી. તેમાં व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥ २०४ રંગી રોગી અભાવ વા, તેથી અન્ય જ જેમ; રેગ મુક્ત સન્નયાથી, ઘટે ન કદીય એમ. ૨૦૪ અર્થ –જેને વ્યાધિ ઉપજે છે તે વ્યાધિત, અથવા તેને અભાવ જે છે તે, અથવા તેનાથી અન્ય જે છે તે, જેમ સન્નીતિથી “ વ્યાધિમુક્ત” કદી પણ ઘટતું નથી. વિવેચન વ્યાધિત એટલે જેને વ્યાધિ ઉપ છે તે, અથવા તેના અભાવરૂપ જે છે તે, અથવા તેનાથી અન્ય–તેને પુત્રાદિ જે છે તે, એ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કદી પણ વ્યાધિમુક્ત ” ઘટતું નથી. એમ દષ્ટાંત છે. 1 કૃતિ-પિત્ત-વ્યાધિત, જેને વ્યાધિ ઉપજે છે તે જ, તમારો વા–અથવા તેને અભાવ જે છે તે, તો વા-અથવા તેનાથી અન્ય, વ્યાધિતથી અત્ર-તેને પુત્રાદિ, ચર્થવ હિ વ્યાધિમુવતો ર-જેમ વ્યાધિમુક્ત નથી, એ ત્રણેમાંથી એક પણ જેમ “વ્યાધિમુક્ત' નથી, નીચા-સનીતિથી, સન્યાયથી, નિકુપાતે-કદી પણ ઘટતે, એમ દષ્ટાંત છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વ મીમાંસાઃ વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી, તેમ સંસારી આદિ મુક્ત નથી (૫) (૧) જેને વ્યાધિ ઉપજે છે એ વ્યાધિત અથૉત્ વ્યાધિવાળે મનુષ્ય સન્યાયથી જોઈએ તે કદી પણ “વ્યાધિમુક્ત” કહી શકાય નહિ; કારણ કે વ્યાધિયુક્ત હોય તે વ્યાધિમુક્ત કેમ કહેવાય? તે તો વદવ્યાઘાત છે. (૨) અથવા વ્યાધિત આદિ જ્યાં વ્યાધિ-વ્યાધિવતને જ સચોડે અભાવ હોય, ત્યાં પણ વ્યાધિમુક્ત નથી વ્યાધિમુક્તપણું કેમ ઘટે? કારણ કે જ્યાં વ્યાધિવત જ પોતે નથી, ત્યાં વ્યાધિથી મુક્ત થાય કેણ? (૩) અથવા વ્યાધિતથી અન્ય એ તેને પુત્ર–ભાઈ આદિ પણ વ્યાધિમુક્ત કહી શકતું નથી. કારણ કે વ્યાધિયુક્ત જુદે ને વ્યાધિમુક્ત થનાર જુદો-એમ કેમ બને? આમ રોગી હોય તે રોગમુક્ત કેમ કહેવાય? અથવા રોગીને જ જ્યાં અભાવ છે, ત્યાં રોગમુક્ત થશે કે? અથવા રેગી બીજે ને રોગમુક્ત–સાજો થાય બીજો, એ પણ કેમ ઘટે? માટે સન્નીતિની રીતિએ જતાં રોગી કે રોગીને અભાવ કે રોગીથી અન્ય કદી પણ “રોગમુક્ત” કહેવો ઘટે નહિં. કારણ કે આ ત્રણેય પક્ષ પ્રત્યક્ષબાધિત છે, દષ્ટ-ઈષ્ટ વિરુદ્ધ છે. એટલે આ ઉપરથી એ ફલિત થાય છે કે રોગીને જે રોગમુક્ત કહે, અથવા રોગીના અભાવને જે રોગમુક્ત કહે, અથવા રેગીને બદલે બીજાને જે રોગમુક્ત કહે છે તેનું પ્રગટ બ્રાંતપણું જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાલ જ છે.. દાષ્ટ્રતિક જન કહે છે – संसारी तदभावो वा तदन्यो वा तथव हि। मुक्तोऽपि इन्त नो मुक्ते मुख्यवृत्त्येति तद्विदः ॥२०५।। સંસારી તસ અભાવ વા, તેથી અન્ય જ તેમ; મુક્ત પણ મુક્ત મુખ્ય ના, વહે યેગવિદ્દ એમ, ૨૦૫ અર્થ–તેમજ સંસારી, અથવા તેને અભાવ, અથવા તેનાથી અન્ય, તે મુક્ત કહે છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, એમ તે મુક્તના જાણકારો કહે છે. વિવેચન તેમ જ સંસારી પુરુષ, અથવા તે પુરુષને અભાવ માત્ર જ, અથવા તેનાથી એકાંતે અન્ય,–તે મુક્ત છતાં મુખ્ય વૃત્તિથી–પરમાર્થથી મુક્ત નથી, એમ તે મુક્તના જ્ઞાતા પુરુષે કથે છે. વૃત્તિ-સંતાન-પુરુષ, તમારો વાઅથવા તેને અભાવ, પુરુષ અભાવ માત્ર જ, તો વા-અથવા તેનાથી અન્ય, એકાંતલક્ષણ એવો તેનાથી અન્ય, તથૈવ હિતેમ જ, જેમ દૃષ્ટાંતમાં છે તેમ શું ? તે કેમુત્તોડ િન્ત નો મુeો મુરારા-મુક્ત કહે છતાં અહો ! મુખ્યવૃત્તિથી મુક્ત નથી, ત્રણેયના–તેના પ્રવૃત્તિનિમિત્તના અભાવને લીધે. સૃતિ તદ્િવ-એમ તવિદો તેના-જાણકારે, મુક્તના જ્ઞાતાઓ એમ કહે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ (૬૬૬) થાગટિસમુચ્ચય ઉપરમાં જે દષ્ટાંત કહ્યું તેની દાબ્દતિક ઘટના અહી કહી છે -જેમ રેગી, કે રોગીને અભાવ, કે રેગીથી અન્ય,-એ ત્રણમાંથી કઈ પણ રોગમુક્ત કહે ઘટતું નથી; તેમ સંસારી પુરુષ, કે સંસારી પુરુષને અભાવ માત્ર જ, કે તેનાથી સંસારી આદિ એકાંત અન્ય-એ ત્રણેમાંથી કોઈ પણ મુખ્યવૃત્તિથી–પરમાર્થથી મુક્ત મુક્ત નથી ઘટતું નથી, કારણ કે તથા પ્રકારે તેના પ્રવૃત્તિનિમિત્તને તેને અભાવ છે. (૧) સંસારી અર્થાત ભવન જેને લાગુ પડે છે, એવો સંસાર પરિભ્રમણ કરી રહેલ પુરુષ-આત્મા જે છે, તે પરમાર્થથી મુક્ત કહેવો ઘટતે તથી; કારણ કે તે પરમાર્થથી ખરેખરે મુક્ત હોય તે તે સંસારી કેમ છે? અને જે તે સંસારી છે, તે સંસારથી મુક્ત એ તે મુક્ત કેમ હોય ? જો કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ સર્વ જીવ છે સિદ્ધ સમ”—એમ ઉપચાર થન કરી શકાય, તે પણ તથારૂપ તાત્વિક મુક્ત દશા વિના પારમાર્થિક-મુખ્ય એવું મુક્તપણું કહી શકાય નહિં. અને જે કંઈ કહે તે તે કેવલ બ્રાંતિ જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાય જ છે. તાત્પર્ય કે-સંસારી તે મુખ્યવૃત્તિથી મુક્ત કહેવાય નહિં. (૨) અથવા જ્યાં સંસારી પુરુષને જ અભાવ હોય, ત્યાં પણ મુક્તપણું ઘટતું નથી. કારણ કે જ્યાં પુરુષને-આત્માને જ સડો અભાવ છે, ત્યાં મુક્ત થશે કેણુ? (૩) અથવા તે સંસારી પુરુષથી અન્ય-એકાંતે જુદો જ હોય, તે પણ મુક્ત થવ ઘટતો નથી; કારણ કે રોગી બીજ ને સાજો થાય બીજે એ જેમ બનવાજોગ નથી, તેમ ભવરગી બીજ ને ભવરોગથી મુક્ત થનારે બીજે એ પણ બનવાજોગ નથી. આમ મોક્ષના પ્રવૃત્તિનિમિત્તના-કારણના અભાવે ત્રણેમાંથી કોઈ પણ પક્ષમાં મુખ્ય વૃત્તિથી મુક્તપણું ઘટતું નથી, એટલે કે રોગી જેમ રેગમુક્ત કહી શકાતું નથી, તેમ ભવરગી એવો સંસારી પણ મુક્ત કહી શકાતું નથી. રેગીને પિતાને જ જ્યાં સચોડો અભાવ હોય ત્યાં પછી રોગમુક્ત થવાનો પ્રશ્ન જ રહેતો નથી, તેમ ભવરગી એવા પુરુષનેઆત્માને જ જ્યાં અભાવ છે, ત્યાં તેને મુક્ત હોવાનો સંભવ રહેતો નથી. અથવા રોગી બીજ ને રોગમુક્ત સાજો થાય બીજે એ જેમ ઘટતું નથી, તેમ ભવરોગી આત્મા બીજે ને ભવરોગથી મુક્ત થાય બીજે તે પણ ઘટતું નથી, કારણ કે તે તે કરે કેઈ ને ભગવે કોઈ, “લે લાલ ને ભરે હરદાસ” એના જેવું થયું ! આમ બે ને બે ચાર જેવી, કેઈ કાળે ન ફરે એવી આ પરમ નિશ્ચયરૂપ સિદ્ધાંતિક વાર્તા છે. આબાલવૃદ્ધ સાદી સમજવાળે કંઈ પણ મનુષ્ય સમજે એવી આ પ્રગટ સત્ય હકીકત છે. છતાં રોગીને અથવા રોગીના અભાવને, અથવા રોગીથી અન્યને જે કઈ રોગમુક્ત હોવાનો બેટો આગ્રહ ધરે, તે તે સાવ બેહૂદું હોઈ જેમ પ્રગટ બ્રાંતિ જ છે, પ્રત્યક્ષ મિથ્યાત્વ જ છે, તેમ ભવરગી એવા સંસારી પુરુષને, કે તે પુરુષના અભાવને, કે તે પુરુષથી અન્યને જે કોઈ મુક્ત કહે, તે તે પણ સાવ બેહૂદુ હેઈ પ્રગટ બ્રાંતિ જ છે, સાક્ષાત્ મિથ્યાત્વ જ છે. આ ઉપરથી એ ઇવનિત થાય છે કે (૧) કેઈ મતવાદી ( સાંખ્ય-ગાદિ) Page #355 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા : બ્રાંત માન્યતાઓ, અનેકાંતની પ્રમાણતા (૬૬૭) સંસારી પુરુષને–આત્માને સદા મુક્ત જ માને છે, તે મિથ્યા છે કારણકે સંસારી પુરુષ– આત્મા જે મુક્ત જ છે, તે તેને પ્રગટ ભવભ્રમણરૂપ સંસાર કેમ છે? બ્રાંત અને જે સંસાર છે તે તે મુક્ત કેમ છે? વળી જે તે મુક્ત જ છે માન્યતાઓ તે તેને સંસારથી મુક્ત કરવા માટેના આ બધા યોગમાર્ગનું પ્રયોજન છે? માટે આ માન્યતા ભૂલભરેલી છે, મિથ્યા છે. (૨) કઈ મતવાદી પુરુષના-આત્માના અભાવને મુક્ત કહે છે, તે પણ મિથ્યા છે, અતિપ્રસંગરૂપ હાઈ અયુક્ત છે. કારણ કે જેને અભાવ છે, તેને “ભાવ”—હોવાપણું કહેવું બેહૂદું છે. જે છે જ નહિં, તે મુક્ત કેમ થશે? (૩) કે પુરુષથી-આત્માથી એકાંતે અન્યને-જૂદાને મુક્ત કહે છે, તે પણ અયુક્ત છે; કારણકે ક્ષણવાદીના અભિપ્રાયે જે પૂર્વ ક્ષણે હતું તે ઉત્તરક્ષણે છે જ નહિ. એટલે પૂર્વાપર અન્વય સંબંધ વિના ભવરગી એ સંસારી આત્મા તે બીજે, અને મુક્ત થયે તે આત્મા પણ બીજો. આ તે પ્રગટ વિસંવાદરૂપ છે. આમ એકાંતવાદી અન્ય દેશનીઓની માન્યતા પ્રમાણે વસ્તુસ્વભાવ ઘટતો નથી, બંધ–મક્ષ વ્યવસ્થા ઘટતી નથી, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા ઘટતી નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતથી જ વસ્તુસ્વભાવ ઘટે છે, અવિકલ એવી સકલ અનેકાંતની બંધ–મોક્ષ વ્યવસ્થા ઘટે છે, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા સાંગોપાંગ પ્રમાણુતા સંપૂર્ણપણે ઘટે છે. ઈત્યાદિ અત્યંત ગંભીર દાર્શનિક વિચારણા અત્ર સમાય છે,–જે સમજવા માટે શ્રી વશંનસમુચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધર્મસંગ્રહણું, શ્રીમદ્ રાજચંદ્ર, સન્મતિતર્ક આદિ દશનપ્રભાવક આકર ગ્રંથો જિજ્ઞાસુએ અવગાહવા. સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી–અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. ત્યારે મુક્ત વ્યવસ્થા કેવા પ્રકારે છે? તે કહે છે– क्षीणव्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥२०६॥ વૃત્તિ ક્ષીણવ્યાધિ –ક્ષીણ વ્યાધિવાળા પુરુષ, યથા ટો-જેમ લેકમાં અવિનાનથી (એકી અવાજે), વ્યાધિમુવત્ત શુતિ-વ્યાધિમુક્ત છે એમ તેના તેના અભાવથી વ્યાધિમુક્ત છે એમ, સ્થિત:છે. સ્થાપનીય નથીસ્થાપવાનો નથી. મવશવ-ભવરોગી જ, મુખ્ય એવા તભાવથી,-તે રોગના ભાવથી, તથા તેવા પ્રકારે, મુ-મુક્ત, વ્યાધિમુક્ત, તંત્રપુ- તંત્રમાં–શાસ્ત્રોમાં સ્થિત છે, તક્ષયાત્-તેના ક્ષય થકી, તે ભવરોગના ક્ષયને લીધે, એમ અર્થ છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ (૬૬૮) ગદષ્ટિસમુચ્ચય ક્ષીણવ્યાધિ જ્યમ લેકમાં, વ્યાધિમુક્ત છે સ્થિત; ભાવગી જ ત્યમ તસ ક્ષયે, શાત્રે મુક્ત સુસ્થિત ૨૦૬ અર્થ–જેમ લેકમાં ક્ષીણ વ્યાધિવાળો તે “વ્યાધિમુક્ત” એમ સ્થિત છે, તેમ ભાવગી જ તે ભવગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રોમાં–શાસ્ત્રોમાં સ્થિત છે. વિવેચન જેને વ્યાધિ ક્ષીણ થયે છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જેમ લેકમાં અવિશાનથી એકી અવાજે “વ્યાધિમુક્ત છે એમ સ્થિત છે, સ્થાપનીય નથી–સ્થાપવાને નથી; તેમ મુખ્ય એવા તભાવથી ભવગી જ તે ભવરગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રમાંશાસ્ત્રોમાં સ્થિત છે. અત્રે ઉપરોક્ત સમસ્ત રસપ્રદ ચર્ચાને છેવટને ચૂકાદો-નિર્ણય (Judiement) ન્યાયમૂર્તિ શાસ્ત્રકારે આપ્યો છે, કે જે સર્વ લેકને અને સર્વ શાસ્ત્રને એકમતે સંમત છે. જેને “હ” તે વ્યાધિ-રોગ ક્ષીણ થયો છે એ ક્ષીણભવરેગક્ષયથી વ્યાધિ પુરુષ, તે તે વ્યાધિના અભાવથી લેકમાં “વ્યાધિમુક્ત” મુક્ત કહેવાય છે, આમ અવિમાનથી-સર્વાનુમતે લેકમાં સ્થિત છે, સાદી સમજથી સ્થાપિત સિદ્ધાંત છે, કાંઈ ન સ્થાપવાનું નથી. તેમ મુખ્ય ભાવથી જેને ભવરોગ લાગુ પડેલો છે, એવો ભાવગી જ તે ભરેગના ક્ષય થકી “વ્યાધિમુક્ત” મુક્ત હોય છે, એમ તંત્રમાં-શામાં સ્થિત છે, અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત છે, તે કઈ નો સ્થાપવાને રહેતો નથી. એટલે આમ જે સર્વ લેકને અને સર્વ શાસ્ત્રને સંમત છે, એવી આબાલવૃદ્ધ સર્વ સમજી શકે એવી સાદી સમજવાળી વસ્તુસ્થિતિને સ્થાપિત કરવા માટે અન્ય કઈ પ્રમાણની જરૂર નથી. એ સંબંધી વધારે શું કહેવું ? મુક્તતત્વમીમાંસાને સાર આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા કે છે, તેનું સ્વરૂપ સમજવા માટે અત્રે વ્યાધિમુક્ત-રોગમુક્ત પુરુષનું દૃષ્ટાંત સાંગોપાંગપણે ઘટાવ્યું છે -વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ્યાધિમુક્ત આત્મા હોય છે તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અર્થાત વ્યાધિમુક્ત થતાં પુરુષને કાંઈ અભાવ થઈ જતો નથી, તેમ ભવવ્યાધિમુક્ત થતાં આત્માનો કાંઈ અભાવ થઈ જતું નથી. વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, તેમ આ ભવવ્યાધિમુક્ત આત્મા ભવવ્યાધિથી મુક્ત નથી એમ નથી, પણ મુક્ત જ છે. વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે વ્યાધિયુક્ત હેતે એમ નથી, પણ વ્યાધિયુક્ત હતા જ, Page #357 -------------------------------------------------------------------------- ________________ મુક્તતનવમીમાંસા : ભવરેગક્ષયથી મુક્ત, સાર, કળશ કાવ્ય તેમ આ ભવ્યાધિમુક્ત આત્મા પૂર્વે ભવ્યાધિયુક્ત હોતે એમ નહિં, પણ ભવ્યાધિયુક્ત હતા જ, તે હવે તેનાથી મુક્ત થયો છે. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે. જન્મ-મૃત્યુ આદિ તેના વિકાર છે. તે વિચિત્ર પ્રકારનો મેહ ઉપજાવે છે, અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. આ ભવ્યાધિ મુખ્ય છે, અને આત્માને આ વ્યાધિ અનાદિ એવા વિચિત્ર કર્મથી (દ્રવ્ય-ભાવ) ઉપજેલ છે. અને તે તેવા પ્રકારે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. આમ આ ભવવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મ મરણાદિ દોષ હળવાથી તેના અદોષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. તે આ પ્રકારે –તેના સ્વભાવને ઉપમ છતાં તે આત્માના તે સ્વભાવપણાના યુગ થકી તેને જ તથાભાવ હોય છે, અર્થાત્ જે મૂળ સ્વભાવ છે, તે જ ભાવ થાય છે, તેથી તેનું અદોષપણું ઘટે છે. વિભાવથી તેના સ્વભાવને ઉપમ–કચ્ચરઘાણ થયે તે દેષ હતું, તેને પુનઃ મૂળ સ્વભાવને વેગ થતાં અષપણું પ્રાપ્ત થયું. આમ જે દોષયુક્ત હતા તે દેષમુક્ત થાય, તેની જેમ આ ભવદોષયુક્ત આત્મા ભવદોષથી મુક્ત થયા. આમ મુક્ત મુખ્ય છે-ખરેખર પારમાર્થિક પરમાર્થ સત્ એ સ્વભાવ ભાવ છે. અને આ જે સ્વભાવ છે તે આત્માને સ્વ ભાવ–પતાને ભાવ છે, અર્થાત તત્વથી નિજ સત્તા જ છે. અર્થાત આત્માની સ્વરૂપ સત્તા જ–સ્વભાવ સ્થિતિ-સહજાન્મસ્વરૂપ એ જ મોક્ષભાવ–મુક્ત ભાવ છે, અને આ સ્વભાવ છે તે ભાવ અવધિ જ યુક્ત તે–વસ્તુસ્વરૂપ મર્યાદા પર્યત જ યુક્ત છે, બીજી રીતે નહિં, કારણ કે અતિપ્રસંગ દેષ આવે. જે તે ભાવ એકાંત અનિત્ય માનીએ કે એકાંત નિત્ય માનીએ તો મોક્ષભાવને સંભવ થતું નથી, એ ઉપરમાં સુયુક્તિપૂર્વક કહેવાઈ ચૂક્યું છે. જેને વ્યાધિ ઉપ છે એ વ્યાધિત, અથવા તે વ્યાધિવંતનો અભાવ, અથવા તે વ્યાધિવંતથી અન્યએ ત્રણેમાંથી કેઈ પણ સન્યાયથી વ્યાધિમુક્ત કહે ઘટતું નથી. તેમ સંસારી, અથવા તેને અભાવ, અથવા તેનાથી અન્ય એવો આત્મા મુક્ત કહે તે પણ મુખ્યવૃત્તિથી–તત્ત્વથી-પરમાર્થથી મુક્ત નથી, એમ મુક્તનું સ્વરૂપ જાણનારા પુરુષો કહે છે, માટે મુક્ત વ્યવસ્થા આ પ્રકારે જ ઘટે છે -જેમ જેને વ્યાધિ ક્ષીણ થયો છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જ “ વ્યાધિમુક્ત” છે એમ લેકમાં સ્થિત છે, તેમ જ ખરેખરો ભવરગી હતા, તે જ તે ભવરગના ક્ષય થકી મુક્ત છે, એમ શાસ્ત્રોમાં સ્થિત છે. ગદષ્ટિ કળશ કાવ્ય ચામર છંદ (નારાચવત) વ્યાધિમુક્ત જે પુરુષ લેકમાંહ્ય છે, જન્મમુક્ત તેહવો જ મુક્તિ પ્રાપ્ત એહ છે; ના અભાવ તેહને, ન મુક્ત એમ ના અહિ, વ્યાધિથી ન વ્યાધિત વળીય એમ છે નહિં. ૧૫૭ Page #358 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચાચ વ્યાધિ આ ભવાખ્ય, જન્મ મૃત્યુ તો વિકાર છે, ચિત્ર મહ રાગ આદિ વેદના અપાર છે; મુખ્ય આ અનાદિ કર્મ જન્ય આત્મને ભવે, સિદ્ધ એહ સર્વ પ્રાણીને તથા અનુભવે. ૧૫૮ એહ વ્યાધિમુક્ત તેય મુક્ત મુખ્ય આ ઘટે, જન્મ આદિ દેષવિગમે અદેષતા ઘટે; પૂર્વ જન્મ આદિ ષવંત આત્મ જે હતું, તે દોષ તે ટળે અદેષભાવ પામતે. ૧૫૯ તસ્વભાવ તે ભલે દબાયલે વિભાવથી, તેય તેહના જ તતસ્વભાવ ગ ભાવથી; ભાવ જે હતો યથા થયે જ તેહને તથા,આમ પૂર્વ દેવવંતની ઘટે અદેષતા. ૧૬૦ એહ આત્માને સ્વભાવ તે સ્વ ભાવ જાણુ, તેહ તત્ત્વથી જ નિજ સત્ત્વભાવ માનવે; ભાવની મર્યાદ એટલે જ આ સ્વભાવ છે, અન્યથા અતિ પ્રસંગને જ અત્ર ભાવ છે. ૧૬૧ રોગી, તેહને અભાવ, તેહથી બીજે નક, રોગમુક્ત તે કદી ઘટે ન સન્નીતિ થકી; તેમ જન્મરોગી, તદ્દઅભાવ, અન્ય તે અહિં, મુક્ત તેય મુક્ત મુખ્યતે કદી ઘટે નહિં. ૧૬ર વ્યાધિ ક્ષીણ જે પુરુષને અહિં થઈ ગયે, વ્યાધિમુક્ત જેમ લેકમાંહિ સ્થિત તે રહ્યો; તેમ જન્મવ્યાધિ ક્ષીણ જેહ આત્માન થયે, તેહ જન્મર્ગોિ તેથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો. ૧૬૩ રેગના અભાવથી ન રેને અભાવ છે, રોગ મુક્ત તે નૉરેગને જ સ્વસ્થ ભાવ છે, જન્મના અભાવથી ન આત્માનો અભાવ છે, આત્મ તે નૉરેગોં સ્વસ્થ આત્માને સ્વભાવ છે. ૧૬૪ વિયોગથી વિભાવના સ્વભાવના સુગથી, થેયે જ મુક્ત આત્મ એહ મુક્ત જન્મોગથી; સ્વાભાવધર્મ યુને અધર્મ કમ ટાળિયું, પ્રતાપથી સ્વરૂપના જ જન્મબીજ બાળિયું. ૧૬૫ આત્મ સ્વસ્વભાવ રિથી મુક્ત જે પ્રસિદ્ધ છે, શુદ્ધ તત સહજસ્વરૂપ સિદ્ધ તેથૌં સિદ્ધ છે; બ્રહ્મ જે પરં શ્રીમદ્ સ્વ શુદ્ધ ચેતનાપતિ, શિવ તે સદા સુભાગ્યવાનની પરા ગતિ. ૧૬૬ ॥इति महर्षिग्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रस्नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने मुक्ततत्त्वमीमांसाधिकारः॥ Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારઃ કુલયોગી આદિસ્વરૂપયોગ્યાયોગ્ય વિચાર એમ પ્રકૃત કહી, સર્વ ઉપસંહાર કહે છે— अनेक योगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥ યાગશાસ્ત્રોથી ઉદ્ધર્યાં, એહુ સંક્ષેપમાં જ; દૃષ્ટિભેદથી યાગ પર, આત્માનુસ્મૃતિ કાજ. ૨૦૭ અર્થ :-ષ્ટિભેદે કરીને આ યાગ અનેક ચેાગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે; અને તે આત્માનુસ્મૃતિ અર્થે પરમ-પ્રધાન એવા છે. વિવેચન પાત'જલ આદિ અનેક યાગશાસ્ત્રોમાંથી દૃષ્ટિલેકે કરીને આ યાગ સક્ષેપથી-સમાસથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે, ક્ષીરમાંથી નવનીતની જેમ પૃથક્ કરવામાં આવ્યા છે. શું અર્થે ? તે કે-આત્માનુસ્મૃતિ અર્થે, પરમ પ્રધાન એવા. અત્રે સરલતાની—ઋજુતાની મૂર્ત્તિ સમા આ શાસ્ત્રકાર મહર્ષિ પેાતાના આ ગ્રંથનુ મૂલ શું છે? તેના ઋજુતાથી પ્રમાણિકપણે ઋણસ્વીકાર કરે છે. તેએશ્રી કહે છે કેઆ ગ્રંથ પાતજલ આદિ અનેક યેગશા«ામાંથી સંક્ષેપથી સમુદ્ધૃત દૂધમાંથી કરવામાં આવ્યા છે, દૂધમાંથી માખણની જેમ પૃથક્ જૂદા કરવામાં માખણ જેમ આવ્યા છે. ' અનેક ચેગશાઓનું દોહન કરીને નવનીત જેવા પરમ સારભૂત આ ગગ્રંથ આ મહાન્ યેાગાચાર્ય પૃથક્ કર્યાં છે. સાગરનુ મથન કરી જેમ વિષુધાએ અમૃત લેાવ્યુ હતું, તેમ યેગશાસ્ર-સમુદ્રનુ મથન કરીને વૃત્તિ:-અનેયો શા(મ્યઃ - અનેક યોગશાસ્ત્રો માંથી, પતંજલ આદિમાંથી संक्षेपेणસંક્ષેપથી, સમાસથી, સમુદતઃ—સમુદ્રત કરાયા છે, તેમ થી પૃથકૂ કરાયા છે, ક્ષીરમાંથી, નવનીતની જેમ, કાના વડે કરીને? કે કાણુ તા ? દૃષ્ટિમેરેન—ઉક્ત લક્ષણવાળા ષ્ટિભેદથી, ચોોચ—આ યાગ અધિકૃત જ યાગ. શુ અથે ?-તે । આત્માનુભૃતયે-માત્માનુસ્મૃતિ અર્થ', વર્:-પર, પ્રધાન એવા મેગ, Page #360 -------------------------------------------------------------------------- ________________ (૬૭૨) યોગદષ્ટિસમુચ્ચય આ મહાવિબુધ શાસ્ત્રકાર ભગવાને આ ચોગદષ્ટિસમુચ્ચયરૂપ પરમ યોગામૃત વાવ્યું છે. અને સાગરનું મંથન કરવામાં કેટલી મહેનત પડી હશે તે જેમ દેવો જ જાણે, તેમ આ યેગશાસ્ત્રમંથનમાં કેટલે પરિશ્રમ પડ્યો હશે, તે આ પરમ આચાર્યદેવ જ જાણે. અને તે મહાવિકટ પ્રયાસે પ્રાપ્ત અમૃતને રસાસ્વાદ કેવો હશે તે જેમ તે અમારો જ જાણે, તેમ અતિ વિકટ પ્રયાસે ઉપલબ્ધ આ ગામૃતને રસાસ્વાદ આ અમર કૃતિ સર્જનારા આ પરમ અમૃતસ્વરૂપ યોગાચાર્ય જ જાણે. તે તે યોગશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે. અત્રે તેના સારભૂત સંક્ષેપમાં કથન છે. અત્યંત વિસ્તૃત મહાન ગ્રંથરાશિમાંથી સારભૂત કથનરૂપ રત્ન ખોળી કાઢવું એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી. એક અપેક્ષાએ જોઈએ તે સંક્ષેપનો વિસ્તાર કરવો સહેલું છે, પણ વિસ્તારને સંક્ષેપ કરે હેલે નથી. કારણ કે વિસ્તારને સંક્ષેપ કરવામાં ઘણી ભારે કુશળતાની જરૂર પડે છે, અને તે આ આચાર્યવયે પૂરેપૂરી દાખવી છે, એમ પ્રગટ દેખાય છે. વળી સંક્ષેપ એટલે કાંઈ અપૂર્ણ–અધૂરું નહિ, પણ ટૂંકામાં છતાં સંપૂર્ણ. જેમ કઈ પુરુષની પ્રતિકૃતિ-છબી (Portrait) તે પુરુષ પ્રમાણ (Life-size) મટી પણ હોય, ને અંગુલિની મુદ્રિકામાં સમાય એવડી નાની (Locket-size) પણ હોય, છતાં તે નાની મુદ્રા--પ્રતિકૃતિ પણ પુરુષની તે સંપૂર્ણ આકૃતિ રજૂ કરે છે, તેમ વિસ્તૃત શાસ્ત્રકથનનું “સંક્ષેપ’ કથન પણ ટૂંકામાં તવિષયક સંપૂર્ણ શાસ્ત્રવક્તવ્ય રજૂ કરે છે. સંક્ષેપને પર્યાય શબ્દ “ સમાસ” પણ એ જ અર્થની પુષ્ટિ કરે છે. થડા શબ્દોમાં ઘણું અર્થને સમાસ કરવો-સમાવવો તે સમાસ અથવા સંક્ષેપ છે. જેમ આકાશમાં - અનંત પદાર્થને અવગાહન કરવાની–સમાવવાની શક્તિ છે, તેમ સમાસને પુરુષ કથિત શાસ્ત્રસમાસમાં અનંત અર્થ અવગાહવાની–સમાવવાની પરમાર્થ અદ્દભુત શક્તિ છે. આમ આ શાસ્ત્ર અપશબ્દરૂપ છતાં મહાઅર્થ સંભારથી સંભૂત છે, અત્યંત આશય ગંભીર છે. અને તે આશયની ગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ–અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. જેમ સપાટી જોતાં સમુદ્ર ઉપર ઉપરથી તે સાવ સાદે ઊંડે નહિ હોય એમ જણાય છે, પણ તેના ઊંડાણની ખબર તે તેમાં અવગાહન કરીએ-નિમજજન કરી ઊંડા ઉતરીએ ત્યારે જ પડે છે; તેમ ઉપર ઉપરથી જોતાં આ ગ્રંથ સાવ સાદો જણાય, પણ તેની આશગંભીરતાની ખબર તે તેમાં અવગાહન કરીએ-ઊંડા ઉતરીએ ત્યારે જ પડે. આવી અદ્ભુત આશયવાળી અવગાહન શક્તિ-સમાસશક્તિ આ શાસ્ત્રની છે; કારણ કે સમર્થ સપુરુષની હથોટી લાગતાં એક સામાન્ય વચન પણ સમર્થ અભર્યું મહાવચન બની જાય છે. આત્માનભવી સંતરૂપ પારસમણિને સ્પર્શ થતાં વર્ણમય શબ્દ સુવર્ણ' બની અનંત અર્થલબ્ધિથી ભરપૂર હોય છે. જ્ઞાનીનું એકેક “પદ’ પરમ “પદ” પમાડવાને પરિપૂર્ણ સમર્થ હોય છે. એટલા માટે જ “સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે, – એ શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત વચનામૃત અત્ર યથાર્થ Page #361 -------------------------------------------------------------------------- ________________ ઉપસ'હાર : સક્ષેપ-સમાસને પરમાર્થ, ‘સૂત્ર’ સમુ’ આ શાસ્ત્ર (૬૭૩) C ભાસે છે. અને બાળક જેમ · સમુદ્ર કેવા ? ' એમ પૂછવામાં આવતાં એ હાથ પહેાળા કરીને કહે કે ‘ આવડા મોટા, ' તેમ આપણે પણ આવા ‘ સાગરવર્ગ’ભીરા ’ ગ્રંથને માટે આશ્ચય ચકિત થઇ આવડા મેટ !' એટલું જ કહી ખાલચેષ્ટા માત્ર કરી શકીએ એમ છે! આ ‘ સાગરવરગભીરા । આચાય ચૂડામણિની આ પરમાર્થં ગભીર કૃતિ માટે આપણે જો શ્રીમાન્ આનદઘનજી યાગિરાજની કૃતિ માટે કાઇએ કાઢેલા ઉદ્ગારનું કિચિત્ ફેરફાર સાથે અનુકરણ કરીએ તે— “ આશય શ્રી હરિશદ્રના, અતિ ગંભીર ઉદાર; બાળક માંહ્ય પ્રસારીને, કહે ઉદધિ વિસ્તાર.” • સૂત્ર′ સમુ આ શાસ્ત્ર " बालोऽपि किं न निजबाहुयुगं वितत्य, વિસ્તીળતા ચર્ચીત ધિયાળુતરો: | શ્રી ભક્તામરસ્તોત્ર અથવા ‘સૂત્ર ' જેમ સંક્ષેપ કથનરૂપ. થેડા શબ્દમાં ઘણા અ་સંગ્રહરૂપ હાય છે, તેમ આ શાસ્ત્ર પશુ તેવું જ હેાઇ સૂત્ર સમાન છે. સૂત્રને-દોરાના દડા ગજવામાં મૂકી શકાય એવા નાના હાય છે, પણ તેને ઉકેલી જે વિસ્તાર કરીએ, તે ગાઉના ગાઉ સુધી પહોંચે છે, તેમ આ સૂત્રાત્મક શાસ્ત્ર પણ સક્ષેપ હાઈ સ્વલ્પ શબ્દ પ્રમાણુ છે, પણ તેને પરમાથ ઉકેલી તેના વિસ્તાર કરીએ તે મહા વાળા ગ્રંથેના ગ્રંથા ભરાય એટલેા ઉદાર આશય એમાં ભરેલેા છે. વળી સૂત્ર-દોરા જેમ મધ્યબિન્દુરૂપ ફેકણાની ( Nucleus) આસપાસ વિ’ટળાયેલ હાય છે, તેમ આ સૂત્રરૂપ શાસ્ત્ર પણ આત્મસ્વભાવ-ગુંજનમયાગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિટળાયેલ છે. સૂત્રને દોર હાથમાં હોય તે પતંગ ગમે તેટલે ઊંચે ચગાવી શકાય છે, નઢુિં' તે દાર છેાડી દેતાં પતંગ તરત પડી જાય છે. તેમ આ સૂત્રાત્મક યોગશાસ્ત્રના સ્વરૂપાનુસધાનરૂપ ચાગના દોર હાથમાં-લક્ષ્યમાં હોય, તા યાગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે ઊર્ધ્વ-ધ્વ યાગભૂમિકાએ પંત ચઢાવી શકાય છે, નહિ તે તે સ્વરૂપાનુસધાનને દાર છેાડી દેતાં તરત યાગભ્રષ્ટતારૂપ અધઃપતન થાય છે. મુક્તામાળામાં જેમ વિવિધ મુક્તાફળ એક સૂત્રમાં પરાવેલ હાય છે, તેમ મુક્તામાળારૂપ આ ચેગશાસ્રમાં વિવિધ સૂક્તરૂપ મુક્તાફળ એક આત્મસિદ્ધિરૂપ સૂત્રમાં પાવેલ છે. જેમ પુષ્પહારમાં વિવિધ પુષ્પા એક સૂત્રથી ગુથેલા હાય છે; તેમ આ ચેગશાસ્રરૂપ પુષ્પહારમાં વિવિધ સુભાષિત પુષ્પા ચેાગષ્ટિરૂપ એક સૂત્રથી ગુંથેલા છે. જેમ પુષ્પરાશિ કઠે ધારણ કરી શકાતા નથી, પણ વિવિધ ચુંટેલા પુષ્પા એક સૂત્રમાં ગુથી હાર મનાવ્યો હાય તે। સુખેથી કઠે ધારણ થઈ શકે છે; તેમ મહાગ્રંથરાશિ કઠે ધારણ કરવા સહેલા નથી, પણ વિવિધ સુક્ત-પુષ્પા ચૂટી એક ચાગ-સૂત્રમાં કળામય રીતે Page #362 -------------------------------------------------------------------------- ________________ (૬૭૪) યોગદષ્ટિસમુચ્ચય ગુંથેલે આ યોગશાસ્ત્રરૂપ હાર સુખેથી “કંઠે” ધારણ થઈ શકે એમ છે. આમ સંક્ષેપ કથનને લીધે આ યેગશાસ્ત્રને અનેક પ્રકારે સૂત્રની ઉપમા ઘટે છે. વળી અત્રે સંક્ષેપ કથનમાં સિંધુ-બિંદુનું અને વૃક્ષ-બીજનું દષ્ટાંત પણ ઘટે છે. સિધુમાં બિંદુ છે ને બિંદુમાં સિંધુ છે, વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે, તેમ અત્રે પણ ઘટે છે. તે આ પ્રકારે -સિંધુની જે રચના (Composition) છે સિંધુ-બિંદનું તે બિંદુની રચના છે. સિંધુમાં જે જે ભૌતિક ત (Elements) છે, દષ્ટાંત તે તે તે જ પ્રમાણમાં તેના પ્રત્યેક બિંદુમાં છે. આખા સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે ત નીકળે છે, તે જ તો તે જ પ્રમાણમાં એક બિન્દુનું પૃથક્કરણ કરતાં નીકળે છે. આખા સમુદ્રને જે સ્વાદ છે, તે તેના પ્રત્યેક બિન્ને સ્વાદ છે. એક બિન્દુ ચાખ્યું એટલે આખે સમુદ્ર ચાખે, એટલા જ માટે કહ્યું કે-સિધુમાં બિન્દુ છે ને બિંદુમાં સિંધુ છે. તેમ સમસ્ત યેગશાસરૂપ સિંધુની જે રચના છે, તે આ તેમાંથી સંક્ષેપે સમુદ્ધત બિન્દુરૂપ યોગશાસ્ત્રની રચના છે. તે તે પ્રવચન-સિંધુમાં જે જે આધ્યાત્મિક તો છે, તે તે તે જ પ્રમાણમાં તેના બિન્દુરૂપ આ યોગશાસ્ત્રમાં છે. આખા ગશાઅ-સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે ત નીકળે છે, તે જ તો તે જ પ્રમાણમાં આ બિન્દુરૂપ યોગશાસનું પૃથક્કરણ કરતાં નીકળે છે. એક અખંડ અભેદ પરમ અમૃતરસ સાગરસ્વરૂપ સમસ્ત યોગશાસ્ત્ર-સિધુને જે પરમામૃતમય રસાસ્વાદ છે, તે જ આ તેની વાનકીરૂપ યોગશાસ્ત્ર-બિન્દુને રસાસ્વાદ છે. આ યોગ-બિન્દુ જેણે ચાખ્યું, તેણે સમરત ભેગ-સિધુ ચાખ્યો. આમ આખ “ પ્રવચનસમુદ્ર” આ પરમ અમૃતમય ગશાસ્રરૂપ એક “બિન્દુમાં” ઉલટી આવ્યા છે-ઉલૂસી આવ્યો છે કે જેને રસાસ્વાદ સર્વસુલભ થઈ પડ્યો છે. ગિરાજ રાજચંદ્રજીનું કેલ્કીર્ણ સુભાષિત છે કે – જ પ્રવચન સમદ્ર બિન્દમાં, ઉલટી આવે એમ: ચૌદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.” –શ્રીમદ્ રાજચંદ્રજી. વૃક્ષની જે રચના છે, તે સંક્ષેપરૂપમાં (miniature form) બીજની રચના છે. વૃક્ષના અંગ-પ્રત્યંગ, શાખા-પ્રશાખા જે પ્રમાણે વ્યક્ત રૂપમાં છે તે જ પ્રમાણે અવ્યક્ત રૂપે તેના અંગ-પ્રત્યંગનું પ્રતિનિધિત્વ બીજમાં છે. વૃક્ષમાંથી બીજની વૃક્ષ-બીજનું ઉત્પત્તિ અને બીજમાંથી વૃક્ષની ઉત્પત્તિ હોય છે, આ સનાતન ક્રમ છે. દષ્ટાંત આખા વૃક્ષનું સત્વ (Essence) એક બીજમાં આવીને રહ્યું છે. એટલા માટે જ કહ્યું કે વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે. તેમ સમસ્ત ગશાસ્ત્ર એક વિશાળ વૃક્ષસ્વરૂપ છે, અને તેના સંક્ષેપ સારસંહરૂપ આ યેગશાસ્ત્ર બીજસ્વરૂપ છે. તે યોગશાસ્ત્ર વૃક્ષની જે સંકલનારૂપ રચના છે, તે સંક્ષેપ રૂપમાં આ યોગશાસ્ત્રની રચના છે; તે યોગશાસ્ત્રવૃક્ષના જે અંગ પ્રત્યંગ, શાખા-પ્રશાખા Page #363 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: સિંધુ-બિંદુ, વૃક્ષ-બીજના દષ્ટાંત ગ્રંથકારની મહત્તા (૬૭૫) જે પ્રમાણે વિસ્તૃત રૂપમાં છે, તે અત્ર બીજરૂપ યોગશાસ્ત્રમાં સંક્ષિપ્ત સ્વરૂપે (In Concentrated & condensed form) છે. અખિલ યોગશાસ્ત્ર વૃક્ષમાંથી સંક્ષેપ કરતાં જેમ આ યોગશાસ્ત્ર-બીજની ઉત્પત્તિ છે, તેમ આ યેગશાસ-બીજને વિચાર-વિસ્તાર કરતાં તેમાંથી સમસ્ત ગશાસ્ત્ર વૃક્ષની ઉત્પત્તિ સંભવે છે. આમ આખા યોગશાસ્ત્ર વૃક્ષનું સંપૂર્ણ તત્વમય સત્વ આ એક યેગશાસ્ત્ર-બીજમાં એકત્ર આવી વસ્યું છે. એવું આનું આશયશક્તિરૂપ અદ્ભુત સામર્થ્ય છે ! માત્ર તેની વ્યક્તિ કરનાર–જનાર કુશળ સાચો જિજ્ઞાસુ તત્ત્વગવેષક સંશોધક જોઈએ ! અસ્તુ! વળી એક અપેક્ષાએ સૂફમને સ્થૂળ રૂપ આપવું સહેલું છે, પણ સ્થળને સૂક્ષ્મ રૂપ આપવું જેમ સહેલું નથી; અથવા નાના ચિત્રને મેટું બનાવવું સહેલું છે, પણ મોટાને નાનું બનાવવું જેમ હેલું નથી, તેમ સંક્ષેપને વિસ્તાર કરવો તે સહેલું છે, પણ વિસ્તારને વિસ્તારનો સંક્ષેપ કરે સહેલું નથી. એટલે અનેક યેગશાસ્ત્રીરૂપ સંક્ષેપ દુષ્કર કામધેનુને દેહને, તેમાંથી આ સંક્ષેપરૂપ નવનીત ખેંચી કાઢી સર્વસુલભ કરી આપવું,એ કંઈ જેવું તેવું–નાનું સૂનું કાર્ય નથી, મહાદુર્ઘટ કાર્ય છે,–ઉત્તમ કળાનું કામ છે. અને તેવી સંક્ષેપ સંકલનારૂપ ઉત્તમ કળાકૃતિ કરવામાં આ આચાર્યશ્રી એક્કા છે, પરમ કુશળ છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાંખવાની એમની સિદ્ધહસ્ત અદૂભુત કળામય ચમત્કૃતિ એમની પ્રત્યેક કૃતિમાં દષ્ટિગોચર થાય છે. થોડું લખ્યું ઝાઝું કરી જાણો –એ લેક્તિ એમની આ અનોખી વિશિષ્ટ શૈલીમાં ચરિતાર્થ થતી જણાય છે. પાતંજલ આદિ અનેક યોગશાસ્ત્રોમાંથી આ સંક્ષેપથી સમુદ્ધત છે”—એ ઉપરથી મહાત્મા ગ્રંથકારે પોતાની લઘુતાને, નિરભિમાનિતાને, કૃતજ્ઞતાને, પ્રમાણિકતાને, નિભતાને, સરળતા, મહાનુભાવતા, ઉદારતાને, નિરાગ્રહતાને, ગ્રંથમરની મધ્યસ્થતાને ને સર્વ દર્શન પ્રત્યે સમભાવરૂપ સહિષ્ણુતાનો પરિચય મહત્તા આપણને આપ્યો છે, અને એમ કરી પિતાની અતિ ઉચ્ચ કોટિની પરમ ઉદારતા નૈતિક ને આધ્યાત્મિક મહત્તાની ઝાંખી કરાવી છે. એ સુજ્ઞ વાંચક સ્વયં સમજી શકે એમ છે. તેમાં પણ ખાસ ધ્યાન ખેંચનારી બીના એ છે કે–બીજાઓ જ્યારે અન્ય દેશનીઓના નામથી પણ સૂગાય છે વા અચકાય છે, વા ભડકે છે, ત્યારે આ પરમ ઉદાર મહાનુભાવ આચાર્યવરે બેધડક અન્ય દર્શનીય શાઓને પણ નામોલ્લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યો છે. અને આવા પરમ ભેગમાર્ગના યથાર્થ જ્ઞાતા આમ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી; કારણ કે ગમાર્ગમાં સર્વ દશનેની એક્તા છે, લેગ માર્ગ સર્વ દશનેને સંમત ને પરમ ઈષ્ટ છે. ભલે સંસારના માર્ગ અનેક હોય પણ મોક્ષને માર્ગ–ગમાર્ગ તે એક જ છે, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે યોજન-ગ કરે તે જ એક તેને ઉદ્દિષ્ટ લક્ષ્ય છે. એટલે આવા મેક્ષસાધક Page #364 -------------------------------------------------------------------------- ________________ (૬૭૬) યોગદૃષ્ટિસમુચ્ચય યેાગમાગ માં-મે ક્ષમાગ માં મતદનભેદના તુચ્છ આગ્રહને અવકાશ કયાંથી હાય ? પેાતાના સિદ્ધાંત કે પારકા સિદ્ધાંત એવા ક્ષુદ્ર ભેદ મુમુક્ષુ યાગીઓને ક્યાંથી હાય ? ત્યાં તે। દૃષ્ટ ઇષ્ટથી અબાધિત એવા જે સત્ય તત્ત્વપ્રતિપાદક સિદ્ધાંત હાય, તેનું જ મુક્ત કંઠે ને ખુલ્લા હૃદયે ગ્રહણ હેાય; જે કેઇ પણ રીતે આત્મા આત્મત્વ પામે’ એ જ રીતિ ત્યાં પ્રમાણુ હેાય. ( જુએ પૃ. ૩૯૭–૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬) 6 “બારમીયઃ પઢીયો વા જ' સિદ્ધાંત: વિપશ્ચિતામ્ । દઘેટાવાષિતો વસ્તુ ચુસ્તસ્ય :િ ।। '' —યાગબિંદુ, શ્ર્લા, ૫૨૪, એટલા માટે મતદશનનેા જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિ એવા આ પરમ ચેાગાચાયે એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હાય, તે અત્ય’ત યુક્તિયુક્ત છે; કારણ કે સદાના સમન્વય (Unity) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હાઈ, અન્ય દનેાક્ત યાગને સ્વદર્શીનેાકત યાગમાં સાંગાપાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત-દર્શનના આગ્રહ વિના સર્વ દેશનીએના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ! આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથને ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દૃષ્ટિભેદથી ચેાગનુ` કથન એ છે, અર્થાત્ ચેગસૃષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે યાગને વિભાગ કરવામાં આવ્યા છે. ઉપરમાં પ્રત્યેક દૃષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ ચેાગષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસ સૂચવનારી આધ્યાત્મિક' યંત્રપદ્ધતિ (Spiritual Instrument) છે. જેમ જેમ આ યાગષ્ટિ ઉન્મીલન પામતી જાય છે—ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ યાગભૂમિકા પર આરૂઢ થતા જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્નીલન-વિકાસ થતાં પરમ ચૈગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવયેાગી શ્રીમદ્ રાજચદ્રજીએ પ્રકાશ્યુ' છે તેમ-થર્મોમીટર (Thermometer), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણુતાનુ માપ થઈ શકે છે, તેમ આ ચેાગષ્ટિ' રૂપ આત્મદશામાપક આધ્યાત્મિક યંત્ર ઉપરથી આત્માની ચેાગવિકાસરૂપ આત્મદશાનુ' માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચૌદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદૃષ્ટિરૂપ વિશિષ્ટ યેાગપદ્ધતિ પણ છે. આવા આ ચેાગષ્ટિ ગ્રંથ સક્ષેપથી શુ અથૅ ગુથવામાં આવ્યેા છે ? તેનું શું દૃષ્ટિભેદથી યાગકથન Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉપસ'હાર : દષ્ટિએદ્રથી યાગકથન, ‘આત્માનુસ્મૃતિ અર્થ” (૬૭૭) પ્રયાજન છે? તે અત્ર સ્પષ્ટ કહ્યુ` છે કે આત્માનુસ્મૃતિ અર્થે '; અર્થાત્ આત્માની પોતાની અનુસ્મૃતિને અર્થે, પેાતાની યાદીને માટે, આત્માર્થ. જેમ કેઇ પેાતાને વિસ્મૃતિ ન થાય ને સ્મૃતિ રહે માટે, કેાઇ વિષયની ટુંકામાં યાદી ટપકાવી લે, તેમ આ આચાર્યજી કહે છે કે-પેાતાને વિસ્મૃતિ ન થાય ને અનુસ્મૃતિ રહે તે ખાતર મે' આ ચેાગવિષયની યાદી (Memorandum) મ્હારા પેાતાના આત્માના ઉપકારાર્થે—આત્માર્થે સંક્ષેપમાં નોંધી છે. સંક્ષેપમાં નેધેલી યાદી પર જેમ ઝડપથી નજર ફેરવી જવાય છે, અને તેમાંથી કઈ વસ્તુ થઇ ગઈ ને કઈ રહી ગઇ તેને તુરત જ ખ્યાલ આવે છે; તેમ આ યાગષ્ટિની સક્ષિપ્ત યાદી પ્રત્યે ઝડપથી દૃષ્ટિ ફેરવી જવાય છે, ને તેમાંથી પેાતાના આત્મા પરત્વે કઇ ગુણુસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ ને કઇ રહી ગઇ, તેના ઝટ ખ્યાલ આવી જાય છે. અને પછી યાદીમાંથી રહી ગયેલી વસ્તુ પ્રત્યે જેમ લક્ષ્ય કેદ્રિત થાય છે, તેમ અત્રે પણ પ્રાપ્ત થવી રહી ગયેલી સાધ્ય ગુણસ્થિતિ પ્રત્યે લક્ષ્ય કેદ્રિત થાય છે, ને અનુક્રમે આત્મપરાક્રમથી તેની સિદ્ધિ થાય છે. આમ આત્માર્થે -આત્માપયેાગાથે આ યાદી અત્યત ઉપકારી છે. ‘આત્માનુ સ્મૃતિ અર્થે’ તેથી જ આ પરમ આત્માથી આચાર્ય વયના કહેવાના આશય એ છે કે-હુ ચેગમાર્ગના પ્રવાસી આત્માથી છું, મુમુક્ષુ છું. મેાક્ષસાધક યાગમાગે આગળ વધવા ઇચ્છતા ઇચ્છાયાગી સાધક– સાધુ છું. અને આ ચેાગ-ષ્ટિ ફામ એક આત્માની આધ્યાત્મિક પ્રગતિના સીમાચિહ્નરૂપ (Milestone) છે, એ આત્મા” ઉપરથી આત્મશાનુ માપ નીકળી શકે છે. એટલે તે તે યાગષ્ટિના યથેાક્ત લક્ષણ મ્હારા પેાતાના આત્મામાં છે કે નહિં ? તેનું અંતર્મુખ અવલાકૅન ' (Introspection) કરતાં સતત ભાન રહે, અનુસ્મરણુ રહે, તેની ખાતર કેવળ આત્માર્થ જ મેં આ ચેાગદૃષ્ટિ ગ્રંથની ગુથણી કરી છે. જો આ યાગદ્યષ્ટિ નિર'તર દૃષ્ટિ સન્મુખ હાય, તેા મ્હારા પેાતાના આત્માની ચેગર્દષ્ટિ કેટલી વિકાસ પામી છે, તેના સ્પષ્ટ ખ્યાલ આવી શકે,-જેથી કરીને પ્રાપ્ત યેાગસ્થિતિનું જેમ ક્ષેમ’ થાય, સુદૃઢપણુ– સુરક્ષિતપણુ થાય, અને અપ્રાપ્તને જેમ ‘ યાગ ' થાય, તેમ પ્રવર્ત્તવા માટે મને આત્માનુસ્મૃતિ રહે. આમ કેવળ આત્મકલ્યાણ જ આ ગ્રંથ રચવામાં હેતુ છે. ખાકી ખ્યાતિ માટે, કે પૂજાસત્કાર માટે, કે યશ માટે, કે આ લેક-પરલેાક સ’બધી અન્ય કાઈ લાભ માટે, આ ગ્રંથ રચવાનું અમારે કોઇ પ્રયેાજન છે જ નહિ. એ બધા તુચ્છ હેતુએ તે હાલાહુલ ‘વિષ' જાણી અમે છેડયા છે. અમારે તેા કેવળ આત્મસિદ્ધિરૂપ પરમ અમૃતમય આત્માનું જ કામ છે, બાકી ખીન્દ્રે ખ્યાતિ આદિ કામનારૂપ મનરેગ’અમને છે નહિં. કામ એક આત્મા નુ, ખીન્ને નહિં મનરેગ '. અથવા આત્માનુસ્મૃતિ અર્થે ” એટલે આત્માના અનુસ્મરણુ અથે, આ યાગાષ્ટિનુ' ગ્રંથન છે. આ યોગદૃષ્ટિ નિર ંતર આત્માનું અનુસ્મરણ કરાવે છે; કારણ કે 6 ܕ Page #366 -------------------------------------------------------------------------- ________________ (૬૭૮) ગદષ્ટિસમુચ્ચય આત્મસ્વભાવ સાથે યુજન તેનું નામ “યોગ” છે, અને આ યોગદષ્ટિ તેવા સ્વભાવયુંજન યેગના અભ્યાસરૂપ છે. એટલે આ ચગદષ્ટિથી નિરંતર આત્મસ્વરૂપને લક્ષ રહે છે, દેહાધ્યાસ દષ્ટિ છૂટી સતત આત્મા ભણી દષ્ટિ રહે છે, જેથી કેવળ આત્મસિદ્ધિરૂપ એક આત્માર્થનું જ પ્રયજન સિદ્ધ થાય છે. નો'ય પૂજાદિની જો કામના રે, નેય હાલું અંતર ભવદુઃખમૂળ મારગ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ એ વાત મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સર્વથા આત્માર્થ જ આ ગ્રંથનું પ્રયોજન હેઈ, આત્માનુસ્મૃતિ અર્થે આ દષ્ટિભેદરૂપ ગ પરમ છે, પ્રધાન છે, શ્રેષ્ઠ છે; કારણ કે ઉપરમાં વિવેચીને કહ્યું તેમ, પ્રાસ વેગના ક્ષેમમાં અને અપ્રાપ્તના યોગમાં પરમ ઉપકારી હોવાથી, તેમ જ નિરંતર આત્મસ્વભાવની અનુસ્મૃતિરૂપ સતત જાગૃત ઉપયોગ રખાવતો હોવાથી, આ યોગદષ્ટિથી પર એ બીજો કયે વેગ હોઈ શકે વારુ? પ્રયંજનાન્તર (બીજુ પ્રજન) કહે છે – कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः । अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०८॥ કલ આદિ યોગભેદથી, યેગી ચાર પ્રકાર એથી વિરોધ ન પામતે, કાંઇય પર ઉપકાર. ૨૦૮ અર્થ –કારણ કે કુલગ આદિ ભેદે કરીને વેગીઓ ચાર પ્રકારના છે, એથી કરીને આ ગગ્રંથ થકી કંઈક એમને પપકાર પણ વિરોધ નથી પામતે. વિવેચન કુલ આદિ ગભેદને લીધે ગીઓ પણ સામાન્યથી ચાર પ્રકારના છે. એથી કરીને તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ એઓને પણ આ યોગદષ્ટિ ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર થવે વિરોધ પામતું નથી, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત હોય છે.-ઉપરમાં “આત્માનુસ્મૃતિ અર્થે’–આત્માર્થરૂપ સ્વઉપકાર અર્થેનું આ યોગદષ્ટિશાસ્ત્રનું મુખ્ય પ્રયજન કહ્યું; અત્રે પર ઉપકાર અર્થેનું ગૌણુ પ્રજન કહ્યું છે. કૃત્તિ:–કુરિયોજમેન-કુલાદિ ગભેદથી,–ગોત્ર, કુલ, પ્રવૃત્તચક્ર, નિષ્પન્ન ગરૂપ લક્ષણવાળા ગભેદથી, વત્ત-ચાર પ્રકારના, યોનિનો યત:-કારણ કે યેગીઓ સામાન્યથી છે. એથી શું ? તો કે- રોડ-િપોપકાર પણ,-તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ, રાતો ન વિરુ-લેસથી વિરુદ્ધ નથી હોતો- જરાક આના થકી પણ વિરોધ નથી પામતે, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત છે માટે, એમ ભાવ છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુયોગી આત્રિ કઇક ઉપકાર (૬૭૯) જેમ આ ગ્રંથ આત્માનુસ્મૃતિ અર્થે –પિતાના આત્માની અનુમૃતિ અર્થે ઉપકારી છે, તેમ બીજા પણ તથારૂપ ગ્રતાવાળા આત્માઓને આ ગ્રંથ કંઈક ઉપકારી થઈ શકવાને સંભવ પણ છે, કારણ કે તેઓનું આત્મત્વ સમાન છે, એટલે તેઓને કુલગી પણ આના થકી આત્માનુસ્મરણ થવાને-આત્મભાન આવવાને સંભવ છે. આદિને કંઈક સર્વ આત્માઓને સ્વભાવરૂપ ધર્મ સમાન હોવાથી સમાનધર્મીઉપકાર સાધમિક એવા અન્ય આત્માઓને પણ, જો તેઓ આ સંસ્કાર ઝીલે તે, આના થકી આત્મજાગ્રતિરૂપ આત્મલાભ થવો સંભવે છે, કારણ કે ઘેટાના ટોળામાં ચિરકાળ સુધી રહેલા સિંહશિશુને જેમ સિંહને દેખીને સ્વરૂપપદનું ભાન થાય છે, (જુઓ પૃ. ૧૧૩) તેમ પરવસ્તુના અનાદિ સંસર્ગમાં–પરિચયમાં રહેલા આત્માને પણ આના થકી આત્મસ્વરૂપના દર્શનથી નિજ સ્વરૂપનું અનુસ્મરણ થાય એવી સંભાવના છે. અને તે સંસ્કાર ઝીલવા (Reception) માટે પણ કંઈક તથારૂપ યોગ્યતા જોઈએ છે. જેમ રેડિયે પ્રવચનના (Radio Broadcasting) વાયુતરંગ-આંદોલન (Waves) ઝીલવા માટે રેડિઓ યંત્ર અમુક ચેકકસ કક્ષા પર-રેખાંશ “ ગ” વિના (Wave-length) પર હોવું જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, જોગ નહિં નહિ તે નહિ; તેમ આ ગ-પ્રવચનના સંસ્કાર-તરંગ-આંદોલન | (Vibrations) ઝીલવા માટે આત્મા પણ અમુક ચોક્કસ ગ્યતારૂપ કક્ષા પર–ગરેખાંશ પર રિથતિ કરતે હે જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, નહિ તે નહિં. અથવા પાત્ર વિના વધુ રહી શકતી નથી, તેમ તથારૂપ પાત્ર વિના આ આત્મિક જ્ઞાનરૂપ વસ્તુ રહી શકતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં કહ્યું છે તેમ-“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન.” “ગ” (યોગ્ય) જીવ વિના આ “જગરૂપ મહત્ વસ્તુ જીરવી શકાય એમ નથી. જેમ સિંહણનું દૂધ સિંહસુતને જ જરે છે-“સિંહણ કેરું દૂધ તે તે સિંહસુતને જરે,”—બીજાની તે હાજરી જ ફાટી જાય; તેમ આ “જગ'રૂપ પરમાન પણ તથારૂપ યોગ્યતાવાળા જેગીજનેને જ કરી શકે એમ છે, બીજાને-અજોગીઓને તે તે જરે એમ નથી, એટલું જ નહિ, પણ મિથ્યાભિમાનરૂપ અજીર્ણ—અપચો ને ઉદરપીડા ઉપજાવે એમ છે. અને તે જોગીજનના ચાર પ્રકાર છે, કારણ કે ગે ગ, કુલગ, પ્રવૃત્તચોગ, ને નિષ્પન્નયોગ-એમ યોગના ચાર પ્રકાર છે. એટલે ગોગી , કુલગી, પ્રવૃત્તચગી, ને નિષ્પન્નગી એમ ભેગીઓના પણ સામાન્યથી ચાર પ્રકારના ચાર પ્રકાર છે (જેનું લક્ષણ હવે પછી કહેશે). એઓને પણ યથાયોગી સંભવ આ ગગ્રંથથી ઉપકાર થવો સંભવે છે. અને તે ઉપકાર થવાનું કારણ પણ તેઓને યેગ પ્રત્યેને અંતરંગ ભાવથી પક્ષપાત હોય છે, એ છે તેઓને કુદરતી રીતે જ યોગ વિષય પ્રત્યે પ્રશસ્ત રાગ-નૈસર્ગિક પ્રેમ હોય છે, Page #368 -------------------------------------------------------------------------- ________________ (૬૮૦) ગદષ્ટિસમુરચય એ છે. કારણ કે તેઓનું માનસિક વલણ (Inclination) સ્વભાવથી જ યોગ પ્રત્યે પક્ષપાતથી (Bias) ઢળે છે, તેઓનું આત્મપરિણમન યોગ પ્રત્યે પરિ–મન કરતુંસર્વથા નમી પડતું હોય છે. આમ આ ગદષ્ટિ ગ્રંથ જેમ મુખ્યપણે આત્માથે–આત્મપકારાર્થે છે, તેમ ગૌણપણે પરાર્થે–પરોપકારાર્થે પણ છે તાત્પર્ય કે સ્વ-૫ર ઉપકાર એ આ ગ્રંથનું ઈષ્ટ પ્રયોજન છે. મહાપુરુષે સ્વ ઉપકાર અથે જે કૃતિ રચે છે, તે આનુષગિકપણે સર્વ ઉપકારાર્થે–સાર્વજનિક ઉપયોગની પણ થઈ પડે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે સરખાવો " न कवित्वाभिमानेन न कीर्तिप्रसरेच्छया। । कृतिः किन्तु मदीयेयं स्वबोधायैव केवलम् ॥" –શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ અને આ ઉપરથી એ પણ ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે કે-આવા સાચા પરોપકારપરાયણ સંત મહાત્માઓ જે સ્વ ઉપકાર કરે છે તે જ ખરેખર પર ઉપકાર કરવાને સમર્થ હોય છે જે આત્માર્થરૂપ સ્વાર્થ સાધે છે તે જ સ્વ–પર ઉપકાર પરમાર્થરૂપ પરાર્થ સાધી શકે છે. કારણ કે જે સ્વ ઉપકાર નથી કરતા, તે પર ઉપકાર પણ નથી કરી શકત; જે આત્માથે નથી સાધતે, તે પરાર્થ પણ નથી સાધી શકતા. કારણ કે “કુવામાં હોય તો હવાડામાં આવે.” “પોતાનું નહિં સાધ્યું કાંઈ, ઉકાળશે પરનું શું ભાઈ ?” પણ આત્માર્થ સાધ્યા વિના જે પરાર્થ કરવાની ધૃષ્ટતા કરે છે, વા શેખી કરે છે, તે તે બન્ને ગુમાવે છે, અને ભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. જે પિતાના આત્માને ઉપદેશ દીધા વિના પરને ઉપદેશ દેવા જાય છે, તે પિતાનું કે પરનું હિત કરી શક્તો નથી; કારણ કે સ્વાચરણરૂપ ચારિત્રના બળ વિના તેની ધારેલી અસર નીપજતી નથી, અન્યના હૃદયને સ્પર્શ થતો નથી, ને પત્થર પર પાણી” ઢળ્યા જેવું થાય છે ! એટલા માટે જ સન્માર્ગના જ્ઞાતા સદુપદેખા સપુરુષોનું સૌથી પ્રથમ ને મુખ્ય પ્રયજન સ્વાત્માને ઉપદેશ દેવાનું હોય છે, કારણ કે તે ભાવિતાત્માઓ સારી પેઠે ભાવે છે કે-“ હે જીવ! તું ઉપદેશ મ દે, પ્રથમ તું જ ઉપદેશ લે, કારણ કે તે જ્ઞાનીને દેશ સર્વથી ન્યારો ને અગમ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીનું આ માર્મિક વચનામૃત સર્વ મુમુક્ષુઓએ અંતરમાં કતરી રાખવા ગ્ય છે કે – મત દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ છે, જે જ્ઞાનીકા દેશ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આવા સદુપદેષ્ટા સાધુચરિત પુરુષોની વ્યાખ્યાનપ્રવૃત્તિ પણ જેમ મુખ્યપણે માટેથી–ઉચ્ચસ્વરે સ્વાધ્યાયરૂપ હોય છે, તેમ આવી ગ્રંથલેખનપ્રવૃત્તિ પણ મૂક-મૂંગા Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સ્વ-૫ર ઉપકાર, જીવતી જાગતી ત જેવા આ નેગી (૬૮૧) સ્વાધ્યાયરૂપ-સઝાયરૂપ જ હોય છે; નહિં કે વાજાલ વિસ્તારનારા આ તે “સાધુને વાચસ્પતિઓની જેમ જનમનરંજનકારિણી; કારણ કે તેઓ સારી પેઠે મૂંગે જાણે છે કે જ્યાં આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ છે? સ્વાધ્યાય છે જનમનરંજન ધર્મનું મૂલ્ય એક ફૂટી બદામ પણ નથી. આતમ સામે ધર્મ જ્યાં, ત્યાં જનનું શું કામ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ.”—શ્રી ચિદાનંદજી. એટલા માટે જ આવા સ્વાધ્યાયનિમગ્ન, સાચા આત્માથી, “ભવવિરહને ઝંખનારા ખરેખરા મુમુક્ષુ, મેક્ષસાધક સાચા સાધક-સાધુ, અધ્યાત્મરસપરિણત, ભાવિતાત્મા આ શાસકર્તા મહાયોગીની આ સ્વાધ્યાય ઉલ્લેષણ અદ્યાપિ અન્ય જીવતી જાગતી અધ્યાત્મસિપિપાસુ મુમુક્ષુ જોગીજનેના હૃદયને સ્પશી તેમના પર જ્યોત જેવા અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જ્યોત જેવા આ જોગીરાજની આ જોગી ચેતનવંતી જોગવાણી જેગીજનેને જાગ્રત કરી, તેમના અંતરમાં નિમલ આત્મતિરૂપ યોગ-પ્રદીપ પ્રગટાવે છે અને યાવચંદ્રદિવાકરી પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દેવત છે ! અતુ! તેમાં અત્રે– कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्धयादिभावतः ॥२०९॥ કલગી પ્રવૃત્તચક જે, અધિકારીઓ તે જ; તથા અસિદ્ધયાદિ ભાવથી, ન ગીએ સર્વે જ. ૨૦૯ અર્થ-જે કુલગી અને પ્રવૃત્તચક યોગી છે, તેઓ જ આના અધિકારીઓ છેનહિં કે સર્વેય યોગીએ, કારણ કે તેને તેવા પ્રકારે અસિદ્ધિ આદિને ભાવ છે. વિવેચન તેમાં જે કુલગી અને પ્રવૃત્તચકગી છે, તેઓ જ આ યોગશાસ્ત્રના પાત્ર વૃત્તિ -wવૃત્તવ@ જે-જેઓ કુલગી અને પ્રવૃત્તચક યોગી છે, તે ઘવાયાવિઃિ -એ જ આ યોગશાસ્ત્રના અધિકારીઓ છે, અહ છે, યોનિનો-યેગીએ, સર્વેડજિ-નહિ કે સવે'ય સામાન્યથી. શા કારણથી? તે કે–તથા તથા પ્રકારે, અસિથારમાવત:-અસિદ્ધિ આદિ ભાવને લીધે -ગોત્ર યોગીઓને અસિદ્ધિભાવને લીધે, અને આદિ શબ્દથી નિષ્પન્ન (સિદ્ધ) યોગીઓને સિદ્ધિભાવને લીધે. Page #370 -------------------------------------------------------------------------- ________________ (૬૮૨) યોગદૃષ્ટિસમુચ્ચય અધિકારી ચેાગીએ છે,-ખીજા નહિ; કારણ કે ગોત્રયેાગીને તથાપ્રકારની યાગ્યતાની અસિદ્ધિ હાય છે, તેથી તેએ આના અનધિકારી છે; અને નિષ્પન્ન-સિદ્ધ ચેગીને તા તથાપ્રકારની યાગસિદ્ધિ થઈ ચૂકી છે, એટલે તેને હવે આવા ચેગગ્રંથનું પ્રયાજન રહ્યું નહિ. હાઇ તેઓ પણ અત્ર અનધિકારી છે. પ્રત્યેક વસ્તુ પાતપેાતાની યાગ્યતાનુસાર-અધિકારાનુસાર શેાલે છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ઉચ્ચ-નીચ પદવીરૂપ અધિકાર અપાય છે. તેમ પરમાર્થ રૂપશાસ્રવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ધ સાધનને અધિકાર ઘટે છે. • ધિ વિચાણા, ધર્મસાધનસંસ્થિતિ:' -એ શ્રી અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિજીનુ' સુપ્રસિદ્ધ સુભાષિત છે. રાજ્યાધિકાર માટે જેમ યથાયેાગ્ય ગુણુની જરૂર પડે છે, તેમ આ યાગ-રાજ્યાધિકાર માટે પણ તથારૂપ યથાયાગ્યતાની જરૂર અનિવાયૅ છે. સામાન્ય વિદ્યાભ્યાસ માટે જેમ ઉત્તરાત્તર ક્રમે વધતી યેાગ્યતારૂપ અધિકારની આવશ્યકતા છે, તેમ અસામાન્ય એવા આ ચેાગવિદ્યાભ્યાસ માટે પણ ઉત્તરોત્તર ક્રમે ચઢતી ચેાગભૂમિકારૂપ ચેાગ્ય અધિકારની આવશ્યકતા છે. સાધારણ લૌકિક શાસ્ત્ર શીખવા માટે પણ જેમ યથાયેાગ્ય વિનય, વિવેક, સમજણુ, બુદ્ધિ વિકાસ આદિ ગુણગણુરૂપ યાગ્યતાની જરૂર હોય છે, તેમ અસાધારણ અલૌકિક એવું આ અધ્યાત્મશાસ્ત્ર શીખવા માટે પણ યથાયેાગ્ય ગુણસ્થિતિરૂપ ચેાગ્યતાની વિશેષ જરૂર છે. અને તેવા પ્રકારની ચાગ્યતા કુલયેાગી પ્રવૃત્તચક્ર યાગીઓમાં અવશ્ય હાય છે, એટલા માટે તેએ જ આ ચેાગશાસ્ત્રના અધિકારી છે, તે જ આ પરમાર્થ શાસ્ત્રના સત્સ`સ્કાર ઝીલવાને સુયેાગ્ય સુપાત્ર છે. ( જુએ. પૃ. ૨૫ર, આત્મસિદ્ધિની ગાથા ). પાત્ર વિના વસ્તુ ન રહે ? બાકી જે ગાત્રયેાગી છે, તેઓને આ ચેગશાસ્ત્રના અધિકાર ઘટતા નથી, કારણ કે તેઓમાં તથારૂપ યથાયેાગ્ય ગુણુભાવ હાતા નથી, ‘ જોગ ’યેાગ્ય યાગની સિદ્ધિના અભાવ હાય છે, એટલે તેને ચેગના અયાગ છે. જેમ અયેાગ્યને રાજ્યપદવી અનધિકારી ઘટતી નથી, તેમ આ અયેાગ્ય ગોત્રયેગીને યેત્ર-રાજ્ય પદવી ઘટતી ગાત્રયેાગી નથી. અબુધ એવા મૂર્ખા જેમ વિદ્વમ ́ડળીમાં પ્રવેશ શે।ભતા નથી, તેમ આ અબુધ ચેગીના યાગમડળીમાં પ્રવેશ શે।ભતા નથી. એકડા હજુ નથી આવડતા તે એકડીઆને જેમ સાતમી ચાપડીમાં બેસવાને અધિકાર ઘટતા નથી, તેમ યાગમાગના પ્રાથમિક ચાગ્યતારૂપ એકડા પણ હજુ જેણે 'ટો નથી તે અયાગીને આ ઉચ્ચ યાગશાસ્ત્રવગ॰માં સ્થાન લેવાના અધિકાર ઘટતા નથી. પ્રાથમિક ચેાગ્યતાથી પણ રહિત એવા ગાત્રયેાગીએ અપાત્ર હોઇ અત્ર અનધિકારી છે. અને જે નિષ્પન્ન ચેાગીઓ-સિદ્ધ યાગીએ છે, તે પણ આ યેગશાસ્ત્રના અધિકારી આમ Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: કુલગી ને પ્રવૃત્તચકગી અધિકારી (૬૮૩) નથી. પણ તેનું કારણ બીજું જ છે. ગોત્રયાગીએ જ્યારે યોગની અસિદ્ધિને લીધે અત્ર અનધિકારી છે, ત્યારે નિષ્પન્ન યોગીએ યોગની સિદ્ધિને લીધે સિદ્ધગી પણ અધિકારી છે. આ ગશાસ્ત્રનું પ્રયોજન તે ગસિદ્ધિ માટે છે, અનધિકારી અને તે ગસિદ્ધિ તો આ નિષ્પન્ન-સિદ્ધ યોગીઓને હાંસલ થઈ ચૂકી છે. તે પછી તેને હવે આનું પ્રયોજન શું હોય? જેણે ગસિદ્ધિ સાક્ષાત પ્રગટ પ્રયોગસિદ્ધ (Practice) કરી બતાવી છે, જેણે સ્વભાવ-ગુંજન યોગ સિદ્ધ કરી શુદ્ધ આત્મા પ્રગટ કર્યો છે, જેણે “સમયસાર ” પ્રગસિદ્ધ કરી બતાવ્યો છે, એવા સિદ્ધયોગીને પછી આવા શબ્દરૂપ શાસ્ત્રનું (Theory ) શું પ્રજન હોય? યોગમાર્ગના પ્રવાસીને આ યોગશાસ્ત્રરૂપ માર્ગદર્શક ભેમીઓ ઉપયોગી થાય, પણ જેણે યોગમાર્ગને પ્રવાસ પૂરો કર્યો છે, તેને હવે આ યોગશાસ્ત્રરૂપ ભમીઆની (Guide) શી જરૂર ? પ્રાસાદ પર ચઢવા માટે આલંબનની જરૂર પડે, પણ પ્રાસાદશિખરે ચઢળ્યા પછી જેમ તેની જરૂર ન પડે, તેમ ગપ્રાસાદ પર ચઢવા માટે હસ્તાવલંબનરૂપ આ યેગશાસ્ત્રની સહાય લેવી પડે, પણ યોગ-પ્રાસાદના શિખરે ચઢી ગયા પછી તેની જરૂર કયાં રહી ? પર્વત પર ચઢવા માટે જેમ લાકડીના ટેકાની જરૂર પડે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી જેમ તેની કંઈ જરૂર ન રહે; તેમ યેગ-ગિરિ પર ચઢવા માટે આ ગદષ્ટિરૂપ દૃષ્ટિના ટેકાની જરૂર પડે, પણ બધી ગભૂમિકાઓ વટાવી જઈ યોગગિરિના શ્રેગે પહોંચ્યા પછી તેની જરૂર શેની હોય ? કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? સિદ્ધને સાધવાનું શું? માટે નિષ્પન્ન-સિદ્ધ યોગી પણ આ અપેક્ષાએ આ યોગશાસ્ત્ર-સાધનના અધિકારી છે. આમ ગોત્રયાગી અગી હોવાથી આ સતશાસ્ત્રને અધિકારી છે, અને નિષ્પન્ન યોગી પરમ યોગી હોવાથી આના અનધિકારી છે. માત્ર મધ્યમ બે પ્રકારના ગી કલગી ને પ્રવૃત્તચક યોગી-આ ગશાસ્ત્રના અધિકારી છે. કુલગી ને તાત્પર્ય કે–ગ્ય ગભૂમિકાથી દૂર એવા બાધક ભાવમાં વત્તતા પ્રવૃત્તચક જે’ હોવાથી ગાત્ર યોગી અત્ર અગ્ય છે; પરમ યોગ્ય એવી યુગભૂમિકાની પરાકાષ્ઠારૂપ સિદ્ધ ભાવમાં વર્તાતા હેવાથી નિષ્પન્ન થેગી પણ અત્ર અયોગ્ય છે; અને યથાયોગ્ય એવી યોગભૂમિકારૂપ સાધક ભાવમાં વત્તતા કુલગી અને પ્રવૃત્તચક યેગી અત્ર સુયોગ્ય છે યથાયોગ્ય છે. અને એટલા માટે જ– અડદિઠ્ઠી એ કહી સંક્ષેપે, યેગશાસ્ત્ર સંકેતેજી; કુલગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિત હેતેજી.” -શ્રી ચ. દ, સક્ઝા. ૮-૪ એઓનું વિશેષ લક્ષણ કહે છે – Page #372 -------------------------------------------------------------------------- ________________ (૬૮૪) યોગદષ્ટિસમુચ્ચય ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥२१०॥ જમ્યા જે ગિલે, તરુ ઘર્મ અનુગતા ય; કુલગિઓ કહાય તે, ન ગોત્રવંત બીજાય, ૨૧૦. અર્થ –જેઓ ગીઓના કુલમાં જન્મ્યા છે, અને જેઓ તે યોગીઓના ધર્મને અનુગત છે, તેઓ “કુલગીએ” કહેવાય છે,–નહિં કે બીજાઓ ગોત્રર્વતે પણ. વિવેચન “ગિકુલે જાયા તસ ધમ્, અનુગત તે કુલગીજી.”. સક્ઝા. ૮-૪ જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે અને જન્મથી જ તેઓના ધર્મને ઉપગત છેપામેલા છે, તથા પ્રકૃતિથી યોગિધર્મને અનુગત–અનુસરનારા એવા જે બીજાઓ પણ છે, તેઓ “કુલગી' કહેવાય છે, એમ દ્રવ્યથી અને ભાવથી જણાય છે, –નહિ કે ગોત્રવતે પણ, નહિ કે સામાન્યથી ભૂમિભવ્ય એવા બીજા પણ જે યેગીઓના કુલમાં જન્મ્યા છે અને યોગીઓના ધર્મને જે ઉપગત છે–પામેલા છે, તે કુલગી છે. અર્થાત-જે જન્મથી જ યોગી છે, આજન્મ યોગી (Born Yogis) છે તે કુલગી છે, મનુષ્ય કુલમાં જન્મેલે જેમ જન્મથી જ મનુષ્યગીઃ બાલ હોય છે, સિંહ કુલમાં જન્મેલે જેમ જન્મથી જ સિંહશિશુ આજન્મ હોય છે, તેમ એગિકુલમાં જન્મેલે જન્મથી જ બજેગી” હોય છે. ગી પૂર્વ જન્મમાં ગસાધના કરતાં કરતાં, આયુ પૂર્ણ થતાં જેનું ચવન થયું છે, તેવા પૂર્વારાધક “ગભ્રષ્ટ” પુરુષે આવા કુલગી (Born Yogis) હેઈ શકે છે. જેમ જૈસર્ગિક કવિત્વશક્તિવાળા મનુષ્યો આજન્મ કવિ (Born Poets) હોય છે, તેમ આવા નૈસર્ગિક એગશક્તિવાળા મહાત્મા કુલગી આજન્મ યોગી હોય છે. આવા યેગીઓને પૂર્વારાધિત યંગસંસ્કારની જાગ્રતિ સ્વયં સહેજે કુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હોય છે, અને પૂર્વે અધૂરા છેડેલ યોગની કડીનું અનુસંધાન શીધ્ર વિના પ્રયાસે હોય છે. જેમ લાંબી મુસાફરીએ નીકળેલ મુસાફર વચ્ચમાં વિશ્રામસ્થાને વિસામો ખાય છે, રાતવાસ કરે જૂત્તિ – રોજિન જે વાતા–જેઓ યેગીઓના કુલમાં જગ્યા છે,-જન્મથી જ- તનાતાઅને તેઓના ધર્મને અનુગત– ગિલમને અનુગત, ચે-જે એ પ્રકૃતિથી અન્ય ૫ણુ, કુરોજિન રચન્તhયોગીઓ કહેવાય છે એમ સમજામ છે,-દ્રવ્યથી અને ભાવથી. જોત્રવત્તોડજિ-ગાત્રવંતે પણ, સામાન્યથી ભૂમિભળે પણ, નારે-નહિં કે બી જ. નહિં કે બીજાઓ કલગી કહેવાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલગી-આજન્મયોગી, ઉદાહરણ છે, પણ થાક ઉતરી ગયા પછી તાજમા થઈ તરત જ આગળ અખંડ પ્રયાણ ચાલુ રાખે છે; તેમ મોક્ષપુરીના પ્રવાસે નીકળેલ ચોગમાર્ગને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરે છે, અને શ્રમ ઉતરી ગયા પછી પાછો પુનર્જન્મરૂપ ન અવતાર પામી, તામાજે થઈને, અપૂર્વ ઉત્સાહથી ભેગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે અને આમ આયેગમાર્ગના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. જેમ વખત પૂરે થઈ જતાં કારકુન આગલે દિવસે અધૂરું મૂકેલું કચેરીનું કામ, બીજે દિવસે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આગળ ચલાવે છે, તેમ આયુને સમય પૂરો થઈ જતાં યેગી આગલા જન્મમાં અધૂરું છડેલું આત્માર્થનું કામ, બીજા જન્મમાં અધૂરું હતું ત્યાંથી આગળ ધપાવે છે. આમ યેગી પુરુષનું યોગસાધનરૂપ આત્માથે કાર્ય અટૂટપણે પૂર્ણતા પર્યત વિના પ્રયાસે-સહજ સ્વભાવે ચાલ્યા કરે છે. દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રચણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.”—છે. સઝા. ૨ બીજાઓને–અન્ય પ્રાકૃત જનને જે સંસ્કાર ઘણું ઘણું અભ્યાસે કંઈક જ-અપ માત્ર જ થાય છે, તે આવા Xઆજન્મ યેગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે ! અને તે પૂર્વજન્મનું અસાધારણ ભેગારાધકપણું જ દર્શાવે છે,–જેનું વર્તમાનમાં પ્રગટ જ્વલંત ઉદાહરણ પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સ્વસંવેદનરૂપ આત્માનુભવગમ્ય સહજ ઉગાર ઉપરથી સ્વયં સૂચિત થાય છે – “લઘુવયથી અદ્ભુત થયે, તત્ત્વજ્ઞાનને બેધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય? વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ?”-શ્રીમદ્ રાજચંદ્રજી. ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ યોગસામર્થ્ય દાખવનારા અનેક મહાપુરુષોનાં ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમકે–વીશ વર્ષની નાની ઉંમરમાં જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર, ઘડીઆમાં બીજા ઉદાહરણે રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યું હતું, તે મહાયોગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, અને ધર્મધુરંધર શ્રી યશોવિજયજી, સંત કબીરજી, રમણ મહર્ષિ આદિનાં ચરિત્રો પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતો પણ જન્મથી જ મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ x" अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥ તત્ર સં યુદ્ધિયો શ્રમને પૌવૈશ્મિ ચાલે જ તો મયઃ વંતિૌ ગુરુનંદન ” -ગીતા Page #374 -------------------------------------------------------------------------- ________________ (૬૮૬) ગદષ્ટિસમુચ્ચય આજન્મગીપણું જ સૂચવે છે. આમ કુલગીએના સેંકડો દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના યોગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલયોગીઓને વેગ સહજ સ્વભાવે સિદ્ધ હોય છે. ઉંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને યેગ યાદ આવી જાય છે, અને પછી પ્રવૃત્તચક્રાદિ યોગાભૂમિકાઓ ઝપાટાબંધ અત્યંત વેગે વટાવી જઈ તેઓ નિષ્પન્ન ગદશાને-સિદ્ધદશાને પામે છે. આ યોગીકુલમાં જન્મરૂપ જે કુલગીપણું કહ્યું તે અધ્યાત્મ સંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કાર જમરૂપ છે. જેમ પુરુષને બાહ્ય જન્મ સ્થલ સ્વરૂપે છે, તેમ ગીપુરુષને આ આધ્યાત્મિક જન્મ સૂક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી આધ્યાત્મિક જેમ બાહ્ય વદિસંપન્ન દેહને જન્મ છે, તેમ પરમાર્થથી યોગસંસ્કાર જન્મ સંસ્કારસંપન્ન આત્માને જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ દેહનું સર્જન થાય છે, તેમ ગ–બીજાધાનથી પુરુષના-આત્માના સૂક્ષ્મ સંસ્કાર-શરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગદર્શનાદિ બીજાધાન કરનારા યોગીઓરૂપ માતા-પિતા છે. જેમ સ્કૂલ દેહમાં માતા-પિતાને ગુણ લક્ષણ વારસો ઉતરે છે, તેમ આધ્યાત્મિક સંસ્કારસ્વામી ગીઓને ગુણસંસ્કાર-વારસે તે સૂફમદેહમાં ઉતરે છે જેમ “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” હોય છે, તેમ ગીપિતા જેવા આ ગી-બાલ હોય છે. પરંતુ બાહ્ય જન્મ પુનર્જન્મને હેતુ હોય છે, પણ આ આધ્યાત્મિક સંસ્કારજન્મ તે અપુનર્જન્મનો હેતુ હોય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વનોમરણને હેતુ હોય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વને-અમરપણાને હેતુ હોય છે. અથવા તે બાહ્ય સ્થૂલ દેહ જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તે આત્માનું મૃત્યુ જ છે, ભાવમરણ જ છે; આત્માનો ખરેખર પારમાર્થિક જન્મ તે સંસ્કારસંપન્નપણે જન્મવું તે જ છે. આ આ પરમ ધન્ય પારમાર્થિક સંસ્કારજન્મ આ કુલયોગીઓને સાંપડ્યો હોય છે, અને જન્મથી જ તેઓ યેગીઓના ધર્મને પામેલા હોય છે. અને બીજાઓ પણ જે પ્રકૃતિથી યેગીધર્મને અનુગત હોય, તે પણ કુલગી છે. અર્થાત જેઓ યોગીઓના ધર્મને અનુસરનારા-અનુયાયી” છે તે પણ “કુલગી ” કહેવાય છે. આ “ ગી ધર્મ' એટલે શું ? યોગને જેને યોગ (સંબંધ) થયો તે છે યોગી, અને આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે જન-જોડાણ તેનું નામ યોગ. એટલે આત્મસ્વભાવ સાથે જેનું જન છે, અર્થાત જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે ગીધર્મ? તે યોગી છે, અને એવા તે યોગીને જે ધર્મ છે તે ગીધમ છે. એટલે શું ? આમ આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરા ધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ યોગીઓનો ધર્મ છે. વળી ધર્મ” શબ્દ પણ એ જ ભાવને સૂચક છે, કારણ કે વસ્તુને સ્વભાવ તે ધર્મ, Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આયાત્મિક સંરકારજમ, યોગિધર્મ એટલે શું ? (૬૮૭ ) રઘુરાવો ઘો ” અર્થાત્ આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્ણવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હેવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખે તે ધર્મ. આ આત્માને સ્વભાવયું જનરૂપ ગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયુંજારૂપ યોગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂર્તિ “ગી” છે અને તેને ધર્મ પણ તે જ છે આમ યોગી ધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધર્મ-આત્મધર્મ. પ૨પરિણતિને પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. તાત્પર્ય કે–આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ જેણે સાધ્યું છે, જે સ્વરૂપસ્થિત છે તે ગી” છે. અને આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ તે જ તેઓને વાસ્તવિક ધર્મ છે. આવા આત્મસ્વભાવરૂપ ગિધર્મને અનુસરવા જે નિત્ય પ્રયત્નશીલ રહે છે, તે કુલગી છે. આત્માને અનુગત એટલે કે સર્વત્ર આત્માને આગળ કરી તેને અનુસરતી જેની સમસ્ત ભાવધર્મ પ્રવૃત્તિ છે, તે કુલયોગી છે. આ આત્મ-અનુગત ભાવ સમકિત ગુણથી માંડીને શૈલેશી અવસ્થા પર્યત હોય છે, કે જેથી સંવર-નિર્જરા થઈ ઉપાદાન કારણ પ્રગટે છે, કારણ કે અત્રે સાધ્ય આલંબનને દાવ હાથ લાગે છે. (જુઓ પૃ. ૪૯૩, પ૨૧-૫૨૨ ). સમકિત ગુણથી હે શેલેશી લગે, આતમ અનુગત ભાવ; ”— સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ.”—શ્રી દેવચંદ્રજી. અને આમ સદા આત્મ-અનુગત ભાવ હોવાથી જ આ સમ્યગદષ્ટિ યોગીપુરુષ જેમ બને તેમ આત્મ-પદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, એટલે જેથી આત્મવસ્તુને વિરોધ ન આવે તે સર્વ “ધર્મ” કર્તવ્ય કરે છે, અને જેથી આત્મવસ્તુને વિરોધ આવે તે સર્વ અધમ કર્તવ્ય નથી કરતે. ટુંકામાં તે “આરાધક જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધમને આદરે છે, તે રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે; આત્મપરિણતિને ભજે છે ને પરપરિણતિને ત્યજે છે. અને આમ આત્મપદાર્થથી અવિરોધ એ વિધિ-નિષેધ આચરી, તે “મહાજને ” પરિગ્રહેલ આત્મપદાર્થને ગ્રહણ “વિધિ” કરે છે. (જુઓ કાવ્ય પૃ. ૩૯૭) એટલે જ આ ગિધર્મને-મેક્ષમાર્ગને અનુયાયી મુમુક્ષુ કુલગી, અજ્ઞાનરૂપ કર્મભાવને છેડી દઈ, નિજ વાસરૂપ–સ્વભાવસ્થિતિરૂપ મોક્ષભાવને ભજવા નિત્ય પ્રયત્નશીલ બને છે; અંધકાર સમા અજ્ઞાનને જ્ઞાનપ્રકાશ વડે નાશ કરે છે, જે જે બંધના કારણે છે તે બંધને પંથ જાણી, તે કારણેની એક એવી દશારૂપ મોક્ષમાર્ગને સેવે છે; રાગ દ્વેષ ને અજ્ઞાન એ કર્મની મુખ્ય ગ્રંથિ-ગાંઠ છે તેની જેના વડે નિવૃત્તિ થાય, એવા એક્ષપંથને આરાધે છે; અને સત્ ચૈતન્યમય ને સર્વાભાસથી રહિત એ “કેવળ આત્મા જેથી પામીએ, એ મેક્ષપંથની રીતિને અનુસરે છે. (જુએ આત્મસિદ્ધિની ગાથા પૃ. ૨૭૧, ૪૬૩) આ જે કહ્યો તે મેક્ષમાર્ગરૂપ ગીધર્મમાં-સનાતન વસ્તુધર્મમાં–શાશ્વત Page #376 -------------------------------------------------------------------------- ________________ (૬૮૮) યોગદષ્ટિસમુચય આત્મધર્મમાં કઈ પણ પ્રકારના મતભેદને-દશનાગ્રહભેદને અવકાશ ક્યાંથી હોય? જાતિ-વેષનો ભેદ ક્યાંથી હોય? એટલે આ શુદ્ધ આત્મસ્વભાવની જાતિ વેષને સિદ્ધિરૂપ એક જ પ્રયજન જ્યાં છે તે ગિધર્મમાં જૈન, વૈષ્ણવ, ભેદ નહિ” બ્રાહાણ, વેદાંતી, બૌદ્ધ આદિ કુલધર્મના ભેદ મટી જાય છે. સાધુ, શ્રમણ, સંન્યાસી, જેગી, ફકીર આદિ બાહ્ય દ્રવ્યલિંગભેદને૪ સ્થાન જ નથી. ઉપરમાં જે કહ્યો તે ભાવલિંગરૂપ જેગિધર્મ–મોક્ષમાર્ગ જે સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મુક્તિને પામે છે. “ જાતિ વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જ હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.”—શ્રી આત્મસિદ્ધિ. જે કોઈ આ યથાત ગીધને આરાધે છે, તે આ ગીધર્મમાં છે. જે કંઈ મત-દર્શનને આગ્રહ તેમજ વિકલ્પ છોડી દઈ, નિજ સ્વભાવની સિદ્ધિરૂપ આ સનાતન આત્મધમને ભાવથી સાધે છે, પરંપરિકૃતિને ત્યજતા રહી યોગિધર્મના આત્મપરિણતિને ભજતા રહે છે,–તે સર્વ સાચા સાધકે, સર્વ સાચા અનુયાયી આરાધકે, સર્વ ઉપાસકો, સર્વ મુમુક્ષુઓ, સર્વ આત્માથીએ, સર્વ ગીઓ, સર્વ સમ્યગદષ્ટિ સાધુજને, મત-સંપ્રદાયના ભેદ વિના આ વિશ્વધર્મરૂપ (Universal Religion) ગિધર્મના ખરેખરા “અનુયાયી' એવા કુલયોગીઓ છે. અને ઉપલક્ષણથી–આવા યોગમાર્ગની પ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ તેના પ્રત્યે જે કઈને સર્વથા અદ્વેષ હોય, ખરેખરે અંતરંગ પ્રેમ હોય, પ્રશસ્ત રાગ હોય, સાચી અંતરંગ જિજ્ઞાસા હોય, તેને અનુસરવાની હાર્દિક ઇચ્છા હોય,–તે સર્વ સન્માર્ગ પ્રેમીઓ, સર્વ માર્ગનુસારીએ, સર્વ જિજ્ઞાસુઓ પણ દ્રવ્યથી આ યોગીધર્મના અધિ. કારી કુલયોગીઓ છે. આમ આ વસ્તુસ્વભાવરૂપ સનાતન યોગધર્મ સાર્વજનિક એ વિશ્વધર્મ ' બનવાને પરમ યોગ્ય છે; કારણ કે સ્વરૂપથી સર્વ યોગારાધક યોગીઓની જાતિ એક છે, અને તેઓને ધર્મ પણ એક જ છે, કારણ કે સ્વભાવની સિદ્ધિ કરે તે જ ગરૂપ ધર્મ આ મહાનુભાવ યોગીઓને અનુકૂળ હોય છે. (જુઓ કાવ્ય પૃ. ૫૮-૫૯ ) “તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકુળ”-શ્રીમદ્ રાજચંદ્રજી. x “ लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते लिङ्गकृताग्रहाः ॥ जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते जातिकृताग्रहाः ॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજીત સમાધિશતક. "ण उ होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । &િાં મુદ્દg હંસળવત્તા સેતિ – શ્રી સમયસાર, Page #377 -------------------------------------------------------------------------- ________________ ઉપસ”હાર : યાગિધમ ના સાચા અનુયાયી, ‘કુલયેગી' શબ્દનુ* રહસ્ય (૬૮૯) એટલે આવા પરમ ઉદાર સવગ્રાહી આ યાગિધને જે સાચા ભાવથી અનુસરતા હાય, તે સ ગમે તે સ`પ્રદાયના હેાય, તે પણ એક જ ધર્મના અનુયાયી-સાધિમ કા છે. તાત્પર્યં કે-આ યાગમાગને ખરેખરા અનુસરનારા જૈન હાય કે સાધર્મિક વૈષ્ણવ હાય, બૌદ્ધ હેાય કે બ્રાહ્મણુ ઢાય, સાંખ્ય હાય કે વેદાંતી ઢાય, આત્મબન્ધુએ ગમે તે હેાય, તે સ સાધર્મિક મધુએ છે, આત્મબંધુએ છે. આવા આ ચાગિધમને જે કેાઈ દ્રવ્યથી કે ભાવથી અનુસરતા હેાય તે સ કુલયેાગી છે. અત્રે ભાવનું કારણ થાય તે જ પ્રધાન એવુ દ્રવ્ય વિવક્ષિત છે,−નહિ' કે ભાવનું' કારણ ન થાય એવુ અપ્રધાન દ્રવ્ય. એટલે કે જેથી પરિણામે યાગભાવના ઉદ્ભવ થાય તેમ દ્રવ્યથી જે દ્રવ્ય ચેગસાધનરૂપ વૈગિધને અનુસરે છે, તે પણ ઉપલક્ષણથી કુલયેાગી છે; અને ભાવથી જે અનુસરે છે તે તેા પ્રગટ તેમ છે જ. માત્ર એટલું જ લક્ષમાં રાખવા યાગ્ય છે કે-દ્રવ્ય યોગસાધનધમ પણ ભાવ યાગસાધન ધર્મનાં કારણભૂત થાય તા જ તે ભલા છે, સફળ છે, નહિં તેા આલ છે—મિથ્યા છે. દ્રવ્યસ્તવ એવુ વિશિષ્ટ હાવુ જોઈએ કે તે ચેાક્કસ ભાવસ્તવનું કારણ થાય, અને એમ થાય તે જ તે સફળ છે, નહિ. તે અફળ છે. આ સંબંધી વિશેષ જાણવાને ઇચ્છતા તત્ત્વરસિક જને શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી પ'ચાશકશાસ્ત્ર અવલેાકવુ “ દ્રવ્યધમ તે ચેાગ સમારવા, વિષયાદિક પરિહાર; જેમ પેાતાના કુલને આતમશક્તિ હૈ। સ્વભાવ સુધના, સાધન હેતુ ઉદાર. ” —શ્રી દેવચ’દ્રજી આવા આ મહાનુભાવ 6 કુલ ચેાગીઓ ખરેખર ! કુલયેાગી જ હોય છે. કુલવધૂ જેમ પેાતાના કુલને છાજે એવું વત્તન કરે છે—કુલીનપણું આચરે છે, કુલપુત્ર લાંચ્છન ન લાગે એવું કુલીનતા યેાગ્ય લાગી ’ આચરણ કરે છે; તેમ કુલયેાગી પણ પેાતાના યાગિકુલને છાજે શબ્દનુ' રહસ્ય એવું, ને દોષ–કલ'કરૂપ ઝાંખપ ન લાગે એવુ, યથાયેાગ્ય કુલીન આચરણ કરે છે. જેમકે—પર ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવુ, ઉચિત મર્યાદાધમ માં રહેવું, શીલ સાચવવું, ઇત્યાદિ કુલધર્મીને જેમ કુલવધૂ પાળે છે; તેમ પરભાવ-વિભાવરૂપ પર ઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુસ્વભાવની મર્યાદા ન ઉલ્લ’ધાય એમ ઉચિત ‘ મર્યાદાધર્મ માં '— મરજાદમાં ' રહેવું, સ્વરૂપાચરણુરૂપ શીલ સાચવવું',-ઇત્યાદિ યાગીકુલના ધર્મને કુલયેાગી ખરાખર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર, પરદ્રવ્યગ્રહણ આદિ સ અનાય કાર્યને દૂરથી વજે છે, અને સન્યાયનીતિને-પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ આ કુલયેાગી પણુ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પોતાની કહેવારૂપ અસત્યને, પરદ્રવ્યની ચારી કરવારૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપ " Page #378 -------------------------------------------------------------------------- ________________ (૬૯૦) ગદષ્ટિસમુચ્ચય વ્યભિચારને, અને મમત્વથી પરદ્રવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને-ઇત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે અને પરવસ્તુરૂપ પરભાવ-વિભાવને છેડી દઈ, તે ઉપરથી પોતાની માલીકી ઉઠાવી લઈ, સ્વ વસ્તુમાં જ સ્થિતિ કરી સન્યાયનીતિને–ખરેખરી પ્રમાણિક્તાને અનુસરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. અને કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી–કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પોતાના બિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, “એકોતેર પેઢીને તારી” યોગી સમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત હોય છે. એટલા માટે કુલવધુ અને કુલપુત્રની જેમ કુલગીને આ “કુલગી' નામ બરાબર ઘટે છે. બાકી જિનાદિ પરમ ભેગીઓના કુલમાં બાહ્ય દેહજન્મની અપેક્ષાએ જમ્યા છતાં, જે તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, અથવા તે નામમાત્ર અનુસરતા હોય, છતાં પિતાને તેના અનુગામી-અનુયાયી “જૈન” આદિ કહેવડાવતા હોય, તે નામમાત્ર તે નામમાત્ર જૈન આદિ છે, ગોત્રગી છે, પણ કુલગી નથી. તે અનુયાયીઓ જ પ્રકારે બુદ્ધના કુલ–સંપ્રદાયમાં જન્મ્યા હોય અને તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, છતાં પિતાને તેના અનુયાયી “બૌદ્ધ’ તરીકે ઓળખાવતા હોય, તો તે પણ નામમાત્ર બૌદ્ધ છે, કુલયોગી નથી. તેમજ સાચા બ્રાહ્મણ-વૈષ્ણવજન* આદિમાં હોવા ગ્ય લક્ષણ જેનામાં નથી, છતાં પિતાને બ્રાહ્મણ-વૈષ્ણવ વગેરે કહેવડાવનારા અન્યને માટે પણ સમજવું. રાગ-દ્વેષાદિ શત્રુનો જય કરવારૂપ જૈનપણું જેનામાં નથી, અથવા યથાર્થ વસ્તુબેધરૂપ બુધપણું જેનામાં નથી, અથવા આત્મપવિત્રતારૂપ શૌચમય વૈષ્ણવપણું જેનામાં નથી, અથવા સાચા બ્રહ્મજ્ઞાનરૂપ બ્રાહ્મણપણું જેનામાં નથી,-તે ભલે જન્મથી જૈન હો કે બૌદ્ધ હે, વૈષ્ણવ હો કે બ્રાહ્મણ હે, કે અન્ય કઈ પણ હે; પણ તે ભાવથી-પરમાર્થથી જૈન પણ નથી ને બૌદ્ધ પણ નથી, વૈષ્ણવ પણ નથી ને બ્રાહ્મણ પણ નથી; તેમજ તે કુલગી પણ કહી શકાય એમ નથી. તાત્પર્ય કે–સાચા પારમાર્થિક યોગમાર્ગને-મેક્ષમાગને નહિં અનુસરનારા એવા સવ સંપ્રદાયવાદીઓ, સર્વ મતદર્શનાગ્રહી કાંઈ કુલગી નથી. ઘણું કરીને મનુષ્યાત્મા કેઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે. પણ એનું નામ મુમુક્ષતા નથી. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરે; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તાવું.” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૨૧૬ (૨૫૪) અથવા તે માત્ર શારીરિક વિકાસ માટેના વ્યાયામાદિ પ્રયોગને જે યોગને નામે ૪ વૈષ્ણવ જન તો તેને કહિયે.” ઈસાદિ- શ્રી નરસિંહ મહેતા Page #379 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : નામ માત્ર અનુયાયીઓ, ગેાત્રયેાગી તે કુયાગી નથી (૬૯૧) ઠઠાડતા હોય, અથવા હઠયાગાદિ પ્રક્રિયાને મ્હાને જે લેાકેાને યાગ સંબધી બ્યામાહ ઉપજાવતા હાય, અથવા ચેાગને નામે અનેક ધતીંગ ઉભા કરી જે મહાન્ બ્યાગ’ની મહાન્ યેાગ ’ શબ્દની વિડંબના કરતા હાય, અથવા ખેાટી સમાધિ વિડ બના ચઢાવી જવાનો ડોળ કરી મુખ્ય લેાકેાને વાંચતા રહી જે યાગને નામે ચરી ખાતા હાય, અથવા જટાજૂટ વધારી જોગી આદિ વેષ ધારણ કરી જે જોગીમાં ખપતા હાય, એ આદિ પણ કાંઇ કુલયેાગી નથી. તે તે યાગની ઠેકડી ઉડાવનારા વિ’ડખકા છે, ચૈગીકુલને હાંસીપાત્ર બનાવનારા છે, અને ચાગ ’ જેવી પરમ પવિત્ર વસ્તુને અભડાવનારા છે ! ઉપરમાં જે કુલયેાગી કહ્યા, તે શિવાયના ખીજાએ જે ભૂમિભવ્યા—ગાત્રયેાગીએ છે, તે કાંઇ કુલયેાગી નથી. ભૂમિભવ્યેા એટલે ભૂમિના ગુણને લીધે જે ભવ્ય કહેવાય છે તે. જેમકે—આ ક્ષેત્રના—આ ભરતભૂમિના સતાનેા ભૂમિભવ્યેા છે. તે ગાત્રયેાગી તે ગાત્રયેાગી છે, પણ કુલયેાગી નથી; કારણ કે ભૂમિની ભવ્યતામાત્રથી લયેાગી નથી કાંઇ જીવનું કલ્યાણુ થઈ જતું નથી. પણ તથારૂપ અનુકૂળ નિમિત્ત પામી, જીવમાં જ્યારે ખરેખરી ભવ્યતા આવે તથારૂપ ગુણયેાગ્યતા પ્રગટે, ત્યારે જ કલ્યાણ થાય છે. ભૂમિની ભવ્યતા આત્માનું કલ્યાણુ થવામાં અનુકૂળ સામગ્રીની ઉપનતિમાં—જોગવાઈમાં અપેક્ષાકારણ જરૂર છે, પણ નિમિત્ત કાણુને આધીન એવુ ઉપાદાનકારણું પ્રગટાવવામાં જો તેને ઉપયાગ કરાય, તેા જ તે લેખે થાય છે, નહિ' તે અલેખે છે. દાખલા તરીકે—આય એવી આ ભવ્ય ભરતભૂમિમાં ચેાગિધમ પામવાની પૂરેપૂરી અનુકૂળતા છે. કારણ કે આ દિવ્ય ભૂમિમાં અનેક મહાન્ યાગિવરીએ જન્મ લઇ આ અનેિને પાવન કરી છે. એટલે અત્રે ચેગસાધન સામગ્રી પામવી સુલભ છે. પણ તે સાધનસામગ્રીને જો યથેષ્ટ લાભ ઊઠાવવામાં આવે, ને આત્માનું તથારૂપ ચેાગ્યપણુ –ભવ્યપણુ–સુપાત્રપણું પ્રગટ કરવામાં આવે, તે જ તે લેખે છે. બાકી ખાલી ભૂમિભતાથી કાંઇ વળે નહિ, માયાગીએની ભૂમિ એવી ભવ્ય ભરત ભૂમિમાં જન્મ્યા માત્રથી કાંઈ યાગી થઈ જવાય નહિં. એટલે ભૂમિભબ્યારૂપ ગોત્રયેાગીએ છે, તે કાંઇ કુલચેાગી કહેવાય નહિં. કુલયેાગી થવા માટે તા તેવા મુમુક્ષુતા યેાગ્ય ગુણુ પ્રગટાવવા જોઇએ. (જુએ પૃ. ૩૧૬-૩૧૭) આ ગાત્રયાગી ને કુલયેાગીના તફાવત સ્થૂલરૂપે સમજવા માટે ગેાત્ર અને કુલ શબ્દના તફાવત સમજવાની જરૂર છે ‘કુલ' શબ્દ નિકટના વંશસંબધ સૂચવે છે, ને ‘ગાત્ર’ દૂરના વશસંખ’ધ સૂચવે છે. તેમ કુલયેાગી યાગીકુલ સાથે નિકટને વંશસંબંધ ધરાવે છે, અને ગાત્રયેાગી દૂર દૂરના સગપણસંખ'ધ ધરાવે છે. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે–જેના માક્ષ નિકટમાં છે, સમીપમાં છે, તે આસન્નભવ્ય મુમુક્ષુ આત્માએ લયેાગી છે; અને જેનેા મેાક્ષ હજુ ઘણા ઘણા દૂર છે, તે દૂભવ્ય ભવાભિની જીવા ગાત્રયેાગી' છે. : 旂 એના વિશેષ લક્ષણને અધિકૃત કરી કહે છે— Page #380 -------------------------------------------------------------------------- ________________ (૬૯૨) યુગદષ્ટિસમુચ્ચય सर्वत्राद्वेषिणश्चैते गुरुदेवद्विजप्रियाः दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥२११॥ સર્વત્ર અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રીતિવંત; દયાળુ તેમ વિનીત આ, યદ્રિય ધવંત ૨૧૧. અર્થ —અને એઓ (કુલગીએ) સર્વત્ર અદ્વેષી, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા, તથા દયાળુ. વિનીત, બેધવંત અને યતેંદ્રિય હોય છે. વિવેચન અષી ગુરુ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી.” – સઝા. ૮ અને આ કુલગીઓ તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે સર્વત્ર અહેવી હોય છે, ધમપ્રભાવને લીધે, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા હોય છે કિલષ્ટ પાપના અભાવને લીધે પ્રકૃતિથી દયાળુ હોય છે; કુશલાનુબંધી ભવ્યતાથી વિનીત હોય છે; ગ્રંથિભેદથી બેધવંત હોય છે, અને ચારિત્રભાવથી યતેન્દ્રિય-જિતેંદ્રિય હોય છે. સર્વત્ર અદ્વેષી આ કુલયોગીઓ કે જે યોગીકુલમાં જન્મ્યા છે અને ગિધર્મને જે અનુસરનાર, છે, તેઓ સર્વત્ર-સર્વ સ્થળે અષી હોય છે, તેઓને જગતમાં ક્યાંય પણ દ્વેષ હેતે નથી; કારણ કે તેઓને દ્વેષના કારણરૂપ કઈ પણ પ્રકારના ગ્રહને-મિથ્યા આગ્રહનો સર્વથા અભાવ હોય છે, એટલે દ્વેષનો પણ અભાવ હોય છે. દ્વેષનું કારણ ગ્રહ હોય છે, પિતે ગ્રહેલા-પકડેલા મતથી જે કઈ વિરુદ્ધ પડે તે ગ્રહગ્રસ્ત મતાગ્રહીને તરત જ ઠેષ ઉપજે છે; કારણ કે મતાથીને પિતાના મતને “મમત” હોય છે, આ મહારો મત છે એવા મમત્વને લીધે તેથી વિરુદ્ધ જનારા પ્રત્યે તે ગુસ્સે થાય છે ! મતાગ્રહી “મારે તે સાચું' એમ માને છે, અને સગ્રાહી ‘સાચું તે મારું એમ માને છે. તેથી મતાગ્રહી પિતાની માન્યતા પ્રમાણે ઘસડાતે હેઈ યુક્તિને પણ જ્યાં પોતાની મતિ અભિનિવિષ્ટ છે, ત્યાં ખેંચી જાય છે, અને સદાગ્રહીને તે જ્યાં યુક્તિ છે ત્યાં મતિ સ્વયં પ્રવેશ કરે છે. આગ્રહીનું મનરૂપી વાંદરૂં યુક્તિરૂપી ગાયને પૂંછડેથી “ખેંચે છે ! અને નિરાગ્રહી જૂત્તિ–સર્વત્રષિરે અને એમાં સર્વત્ર અષી હોય છે, તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે. તથા– વક્રિક્રિયા:-ગુર, દેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા,-ધમ પ્રભાવને લીધે. તથા-વાવ-દયાળ પ્રકૃતિથી, કિલષ્ટ પાપના અભાવથી, વિનીતાશ્ચ-અને વિનીત,-કુશલાનુબંધી ભવ્યતાથી, તથા વધવરોધવંત-ગ્રંથિભેદથી, તેન્દ્રિયાયતંદ્રિય, ચારિત્રભાવથી હોય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: કલોગીનાં લક્ષણ, સર્વત્ર અપી, દશનાગ્રહ અભાવ (૬૯૩) મધ્યસ્થનું મનરૂપી વાછડુ યુક્તિરૂપી ગાયને અનુસરે છે–પાછળ પાછળ જાય છે ! (જુઓ ફૂટનોટ લેક પૃ. ૩૨૮-૩ર૯). આવો મતાગ્રહ એકાંતવાદીને જ હોય છે, કારણ કે તે કોઈ એક અમુક નયને જ પકડી બેસે છે, અને “વહોરાવાળા નાડા” ની જેમ તેને જ હઠ પકડી રાખે છે! એટલે કે તે મતાથી હોય છે. દાખલા તરીકે કઈ વ્યવહાર નયનો જ આગ્રહી મતાથ ને હોય છે, તે કેઈ નિશ્ચય નયને જ આગ્રહી હોય છે. કોઈ જ્ઞાનને આત્માથી જ આગ્રહી હોય છે, તે કઈ ક્રિયાને જ આગ્રહી હોય છે. કેઈ એકાંત નિત્ય પક્ષને જ આગ્રહી હોય છે, તે કોઈ એકાંત અનિત્ય પક્ષને જ આગ્રહી હોય છે. આમ મતાથી એકાંતવાદીને પોતપોતાના મતને અભિનિવેશ-આગ્રહ હોય છે. પણ આત્માથી અનેકાંતવાદીને તે કઈ પણ આગ્રહ હેતે નથી, કારણ કે તે નયના સ્વરૂપને સારી પેઠે જાણે છે કે પ્રત્યેક નય પિતપતાની અપેક્ષાએ પિતાની નય. મર્યાદામાં સારો છે, પણ પર અપેક્ષાએ ખેટે છે, માટે કઈ પણ નયને એકાંત આગ્રહ કરે તે ખોટો છે, મિથ્યા છે, એમ જાણતે હોઈ તે કદી પણ કોઈ એક નયનો આગ્રહ કરતો જ નથી, અને વ્યવહારનય-નિશ્ચય નયની યથાયોગ્ય મર્યાદા સ્વીકારી બનેને સમન્વય ( Reconciliation) સાધે છે. એટલે નિશ્ચયવાણું સાંભળી તે કાંઈ સાધન છેડી દેતે નથી, પણ નિશ્ચયને લક્ષમાં રાખી તે તે જ સાધન કરે છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” –શ્રી આત્મસિદ્ધિ. વળી દર્શન વિષયમાં પણ તેને કઈ પણ મત-દર્શનને આગ્રહ હેતે નથી; કારણ કે સ્વાવાદદશી હોઈ તે, તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ, કથંચિત કઈ અપેક્ષાએ સાચા છે, એમ “સ્વાત' પદનો ન્યાસ કરીને તે દર્શનાગ્રહ સમાધાન કરે છે. તે તે દર્શનેને તે જિનદર્શનના અંગભૂત જાણે અભાવ છે. એટલે તસંબંધી પણ તેને કેઈ આગ્રહ સંભવ નથી. (જુઓ પૃ. ૫૮-૫૯, પૃ. ૪૨૩) આમ સાંકડી એકાંત દષ્ટિને અભાવ હોવાથી અને વિશાલ અનેકાંતદષ્ટિને સદ્ભાવ હોવાથી આ આત્માથી કુલગીને મતાગ્રહને સર્વથા અભાવ હોય છે. તે તે જ્યાં ત્યાંથી “સને જ ગ્રાહક હેઈ, સર્વત્ર સદ શને જ ખોળે છે; એને મતનું કામ નથી, “સત્ 'નું જ કામ છે. અને આમ તેને સર્વથા ગ્રહને અભાવ હોય છે, એટલે કેઈ પણ દર્શનવાદી પ્રત્યે તેને કદી પણ દ્વેષ ઉપજતો નથી. તેને મન તે તે સર્વ પિતાના સાધર્મિક આત્મબંધુઓ છે. તે તે એટલે સુધી ભાવે છે કે–સર્વ આત્માએને સ્વભાવ ધર્મ એક જ છે, એટલે સમાનધમી હોવાથી આ સર્વ આત્માઓ હારા સાધર્મિક ભાઈઓ છે. એવી પરમ ઉદાર ભાવનાથી તેને સર્વ ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી Page #382 -------------------------------------------------------------------------- ________________ (૬૯૪) યેગશ્વસજીય હાય છે, તેમના પ્રત્યે વાત્સલ્યભાવ હાય છે, સર્વ ભૂત પ્રત્યે તે આત્મવત્ વર્તે છે. આવા સર્વત્ર મંત્રી ભાવવાળાને કયાંય દ્વેષ કયાંથી હાય ? (C 'મિત્તિ મે સમૂજી, વેર્ મા ન ળરૂ ”—શ્રી જિનપ્રવચન આત્મવત્ સર્વભૂતેષુ શ્રી ભગવદ્ગીતા “ “ સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો આ વચનને હૃદયે લખા. ”—શ્રીમદ્ રાજચંદ્રજી ૨. ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણ’ આ કુલયેાગીના ખીન્ને ગુણ ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણું એ છે. આ આત્માર્થી મુમુક્ષુને ગુરુ, દેવ અને દ્વિજ અતિ પ્રિય હાય છે—ખૂબ વ્હાલા લાગે છે, અને તે તેને પ્રાપ્ત થયેલા ધના પ્રભાવ છે. શાંત સ્વસ્થ ચિત્તે જો વિચાર કરીએ તે દરેક પ્રાણીને પેાતાનું હિત પ્રિય હાય છે, પેાતાનું ભલું થાય એમ સહુ કોઇ ઇચ્છે છે, એટલે તે હિતના કારણરૂપ ભલું કરનાર સહાયક જે કાઈ હાય છે, તે પણ તેને પ્રિય થઈ પડે છે. અને ગુરુ-દેવ-દ્વિજ તેને આત્મહિતમાં સહાયભૂત થઈ પડતા હેાઇ તેને પ્રિય થાય છે. દાખલા તરીકે " કોઈ માણસ દીર્ઘ રાગથી પીડાતા હેાઇ મૃત્યુશય્યામાં પડયો હાય, તેને કેાઈ સુવૈદ્ય સાજો કરે, તે તે જીવિતદાન આપનારા ઉપકારી વૈદ્ય તેને કેટલે બધા વ્હાલે લાગે ? તેમ આ કુલયેાગીને પણ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની અહો ! અહા ! માખતમાં પણ છે. કારણ કે–(૧) પેાતાને જીવ જે અનાદિકાળથી ઉપકાર ! રાગી . આત્મબ્રાંતિરૂપ મહારાગથી પીડાતા હતા, અને ક્ષણુ ક્ષણુ ભયંકર આદિ દુષ્ટાંત ભાવમરણ ’રૂપ મૃત્યુશય્યામાં પડચો હતા, તેને આ સદ્ગુરુ સુવૈદ્યે સ્વરૂપ-સમજણુરૂપ ઔષધિ વડે સાજો કર્યાં, આત્મઆરોગ્યસપન્ન કર્યાં, અને સમ્યગ્દર્શનરૂપ-માધિબીજરૂપ અપૂર્વ સસ્કારબીજ રોપી નવા જન્મ આપ્યા, તા પછી આવા આ પરમ ઉપકારી શ્રીમદ્ ભગવાન્ તે આત્માથી મુમુક્ષુને તેનાથી અનંત અનતગણા વ્હાલા કેમ ન લાગે? “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અન'ત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત ”—શ્રી આત્મસિદ્ધિ અથવા ( ૨ ) કઈ ર ભિખારી ભારી દારિદ્રયદુઃખથી દુ:ખી હાય, તેનુ દારિદ્રયદુ:ખ ટાળી કોઇ તેને મહાસુખ સંપત્તિમાન્ બનાવી દે, તે તે દારિદ્રયહર પુરુષ તેને કેટલા બધા ઈષ્ટ થઈ પડે ? તે પછી, –અનંત આત્મસ'પત્તિ ભર્યું નિજ સ્વરૂપનું આ જીવને ભાન નહિ હાવાથી તે પેાતાનું ઘર છેાડીને પરઘેર ભીખ માગતા ફરતા Page #383 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: શ્રી સદગુરુને “અહા! અહે! ઉપકાર'. રોગી આદિ દુષ્ટાંત હતું, પર પુદ્ગલની એઠી જૂઠી એઠ ખાતે હતું, અને વેઠીઆ પિઠીઆની પેઠે પારકી વેઠ કરતે રહી પાપી પેટ ભરતા હતા, તેને આ સત્પરુષ સદ્ગુરુએ નિજ સ્વરૂપનું અપૂર્વ ભાન કરાવી અનંત આત્મસંપત્તિભર્યા સ્વગૃહને લક્ષ કરાવ્યું, નિજ ઘરમાં જ રહેવાનો ઉપદેશ કરી પરગૃહે ભીખ માંગતે બંધ કર્યો, “ચલ જડ જગની એઠ” નહિ ચાટવાને અને પારકી વેઠ નહિ કરવાને બંધ કરી પાપી પેટ ભરતે અટકાવ્યું અને આમ નિજ ઘરમાં જ રહેલી અઢળક આત્મલક્ષમીને ભક્તા સ્વામી બનાવી દઈ પરમ સુખસંપત્તિમય કરી મૂક્યો. તે અનંત ઉપકારી શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન આવા સાચા મુમુક્ષુ યોગીને પરમ પ્રિય કેમ ન લાગે? અથવા (૩) કોઈ ભયંકર અટવીમાં માગ નહિં મળવાથી ચારે કોર ગોથાં ખાતાં ભૂલા પડેલ મનુષ્યને કેઈ સરલ, સીધે ને નિષ્ફટક માર્ગ બતાવી આપે, તે તે માર્ગદર્શક પુરુષ તેને કેટલે બધે પ્રિય થઈ પડે? તે પછી આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિં હોવાથી આ જીવ ચારે ગતિમાં ચારેકોર ગોથાં ખાતે આથડત હતું, અનંત પરિભ્રમણ દુઃખ પામતું હતું, તેને નિજ સ્વરૂપ-ગરૂપ સીધે સરલ નિર્દોષ સન્માર્ગ બતાવી જેણે પુનઃ અનંત પરિભ્રમણ દુઃખ ટાળી ભવાટવીમાંથી ઉગાર્યો, તે સન્માગદેશક શ્રીમદ્ સદ્ગુરુ દેવને અમાપ ઉપકાર ચિંતવતા આ સમ્યગૃષ્ટિ ભેગીને તેઓશ્રી પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ કેમ ન પ્રવહે? અથવા (૪) ભયંકર માં જ્યાં ઊછળી રહ્યાં છે, એવા મહાસમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યને જે કઈ તારુ બચાવી લઈ, બાવડું ઝાલી કાંઠે આણે, તે તે તારનાર પ્રત્યે તેને કેટલે બધે પ્રેમ કુરે? તે પછી–આ ભીષણ ભવસાગરમાં જન્મ મરણ તરંગથી તણાતે આ જીવ માહરૂપ ગળકાં ખાઈ અનંત દુઃખથી દુઃખી થઈ રહ્યો હતો, તેને મહાતા જેવા જે સદ્ગુરુદેવે હસ્તાવલંબન આપીને ડૂબતે બચાવી શિવપુરને આરે આર્યો, તે અનન્ય ઉપકારી અપાર કરુણસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુ પ્રત્યે આ કૃતજ્ઞ જેગીજનને અપૂર્વ પ્રેમને ઉમળકે કેમ ન આવે વારુ ? “ અહો! અહો ! શ્રીસદ્દગુરુ, કરુણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર.”–શ્રી આત્મસિદ્ધિ “શ્રી અરજિન ભવજલને તારુ, લાગે મુજ મન વારુ રે; બાંહ્ય ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે.”– શ્રી યશોવિજયજી. અથવા-(૫) કોઈ જીવ ઉગ્ર દાવાનલમાં સપડાઈ ગયો હોય, તેને શીતલ જલવૃષ્ટિથી જે કઈ બચાવી લે, તે તે બચાવનાર પ્રત્યે તેને કેટલો બધે પ્રેમભાવ ઉપજે ? તે પછી–આ ભયંકર ભવદાવાનલમાં આ જીવ સપડાઈ ગયો હતે તેને પરમાર્થ અમૃતની શીતલ મેઘધારા વર્ષોવી જેણે બચાવી લીધે, તે શ્રી સદ્દગુરુ પ્રત્યે આ મુમુક્ષુ આત્માથીને અપૂર્વ પ્રેમભાવ કેમ ન ઉપજે ? Page #384 -------------------------------------------------------------------------- ________________ (૬૯૬) યોગદૃષ્ટિસમુચ્ચય અમૃત ઘન સમીજી. ”—શ્રી દેવચ’દ્રજી. ભવ દેવ હા પ્રભુ ! ભવ ધ્રુવ તાપિત જીવ; તેહને હા પ્રભુ ! તેહને "संसारदावानलदाहनीरं, संमोह धूलीहरणे समीरम् । માયાસાવાળલાલી, નમામિ ગીર નિશ્તિારથીમ્ ॥”શ્રી હરિભદ્રાચાય જી. અથવા ( ૬ ) મહાણિધરના ડંસથી ઝેર ચઢવાથી કેઇ મનુષ્ય મૂ་િત—ખેલાન થઇને પડચો હાય, તેને કેાઇ ગારુડિક જાગુલિમ`ત્રથી ઝેર ઉતારી પુનર્જીવન બક્ષે, તે તેને તે વિષહર પ્રત્યે કૈટલી બધી પ્રીતિ ઉપજે ? તે પછી મહામેાહ વિષધરના ડંસથી આ જીવને મિથ્યાત્વ–ઝેર ચઢયું હતું, તેથી આ જીવ નિજ સ્વરૂપનુ ભાન ભૂી મેહુસૂચ્છિત-બેભાન બન્યા હતા. તેને સહજાત્મસ્વરૂપે પ્રકાશનારા અપૂર્ણાં સમ્યગ્દ”ન મંત્રપ્રયાગથી પરમ માંત્રિક સમા જે શ્રીમદ્ સદ્ગુરુદેવે મિથ્યાત્વ-વિષ ઉતારી નાંખી, નિજ સહજ આત્મસ્વરૂપના ભાનમાં આણ્યા, અને સમ્યક્ત્વ અમૃત છાંટી ચેગિકુલે જન્મરૂપ પુનર્જન્મ આપ્યા, તે વિષહર પરમ અમૃતમય શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે આ મુમુક્ષુ જોગીજનને, તેલમાં જલબિન્દુની જેમ અપૂર્વ પ્રીતિ કેમ ન વિસ્તરે ? (( મિથ્યા હૈ। પ્રભુ ! મિથ્યા વિષેની ખાવ, હરવા હૈ। પ્રભુ ! હરવા જાગુલિ મન રમીજી. ”—શ્રી દેવચ'દ્રજી, આમ અનન્ય ઉપકારી હેાવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુ યાગીને પરમ પ્રેમ ઉલ્લુસે છે, એટલું જ નહિ. પણ શ્રીમદ્ સદ્ગુરુ જ સ્વરૂપથી એવા છે કે તેમના પરમાત્તમ ગુણગણું પ્રત્યે કઇ પણ ગુણાનુરાગી સાચા સજ્જનને ઉપકારી સદ્- કુદરતી પ્રેમ સ્ફુર્યા વિના ન જ રહે. કારણ કે શ્રીમદ્ સદ્ગુરુનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ વિચારીએ તે ‘સ્વરૂપ ’એ જ એમનુ સ્વરૂપ છે અથવા ‘સદ્ગુરુ એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ ‘સત્' વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે; કારણ કે આખા જગત્ કરતાં ગુરુ, ભારી, ગૌરવવત એવા શ્રી સદ્ગુરુ જ છે. એક બાજુ આખુ જગત્ મૂકીએ ને ખીજી ખાજુ સદ્ગુરુ મૂકીએ, તેા સદ્ગુરુનું જ પલ્લું નમી પડશે. એટલે જગદ્ગુરુ શ્રી સદ્ગુરુ જ છે. અથવા સત્–સત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્, સાચું, તું, વત્તમાનમાં પ્રગટ દશારૂપે વિદ્યમાન, એવું તેમનુ સત્સ્વરૂપ છે, તસ્વરૂપ છે, સાધુસ્વરૂપ છે; અથવા સત' એટલે શાંત,–પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદોડ મટી જઇ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે સંત’. 6 “ પડી પડી તુજ પદ્મ પંકજે, ફ્રી ફ્રી માગું એ જ; ,, સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ, એ દૃઢતા કરી દે જ, —શ્રીમદ્ રાજચંદ્રજી, Page #385 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારઃ ઉપકારી સદગુરુનું સ્વરૂપ, દેવનું સ્વરૂપ (૬૯૭) આવા સંતસ્વરૂપ સદગુરુ, આત્મજ્ઞાની, સમદશી, પ્રારબ્ધદયથી વિચરનારા, અપૂર્વ વાણી પ્રકાશનારા, અને પરમશ્રુતજ્ઞાનસંપન હોય છે. મેહભાવ જ્યાં ક્ષય થઈ ગયો છે અથવા પ્રશાંત વ છે, અને આખું જગત્ જ્યાં એઠ જેવું અથવા સ્વપ્ન જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા” તેમની હોય છે. અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત–વિદેહ દશામાં (વોશ ) વર્તતા હોય છે!! (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૧૨૯, ૩૯૪). આવા પરમ ગુણનિધાન, નિષ્કારણ કરુણરસસાગર, પરમ ઉપકારી, પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુદેવ પ્રત્યે મુમુક્ષુ આત્માને અનન્ય પ્રેમ કેમ ન વછૂટે? દીન દયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર; લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર. લાલ રે.” શ્રી દેવચંદ્રજી. આમ જેમ સદેહે વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રત્યે મુમુક્ષુને પ્રીતિ હોય છે, તેમ વિદેહ એવા પરોક્ષ દેવ પ્રત્યે પણ તેને તેવી જ અનન્ય પ્રીતિ હોય છે, કારણ કે તે પર માત્મ દેવનું સ્વરૂપ આત્માને નિજ સ્વરૂપાવલંબન માટે પરમ ઉપકારી દેવનું સ્વરૂપ થઈ પડે છે. દિવ્ય એવું જેનું “સ્વરૂપ” પ્રગટયું છે તે દેવ છે, દિવ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે “સુસ્થિત છે તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન દેવ છે, જેણે આત્માને આત્મા જ જાણે ને બીજું પરપણે જ જાણ્ય, એવા અક્ષય અનંત બોધસ્વરૂપ તે દેવ સિદ્ધ આત્મા છે. મુક્તિ સન્માર્ગને વિધિ બતાવ્યું હેવાથી તે વિધિ વિધાતા છે. પરમ આત્મશાંતિને શિવમાર્ગ–મોક્ષમાર્ગ દર્શાવી ત્રિભુ વનનું શંકરપાણું કર્યું હોવાથી તે શિવ-શંકર છે. સ્વરૂપસ્થિત છતાં જ્ઞાનથી સમસ્ત વિશ્વને જાણતા હોવાથી તે વિષ્ણુ છે. મોક્ષરૂપ પરમ સુગતિને પામ્યા હોવાથી તે સુગત છે. અને રાગદ્વેષાદિને જય કરી કેવળ શુદ્ધ સહજ સ્વરૂપી આત્મા પ્રગટ કર્યો હોવાથી તે પરમ વીતરાગ એવા યથાર્થનામાં જિનદેવ છે. (જુઓ પૃ. ૩૬૩-૩૬૪ તથા ૪૦૦૪૦૧) આવા શુદ્ધ સહજાન્મસ્વરૂપ જિનપ્રભુ તે વ્યવહારથી દેવ છે, નિશ્ચયથી તે આત્મા એ જ દેવ છે. જે જિનદેવની પૂજા છે, તે નિશ્ચયથી નિજ આત્માની જ પૂજના છે, કારણ કે જિનપદ ને નિજ પદની એક્તા છે, એમાં કાંઈ ભેદભાવ નથી, સ્વરૂપભેદ નથી. (જુઓ કાવ્ય, પૃ. ૧૧૨-૧૧૩). આ જિનવર દેવ પ્રત્યે સાચા ભક્તિભાવ વિના કદી પણ દુઃખદાવ છૂટ નથી; તેટલા માટે આ ભવ દુઃખદાવાનલથી છૂટવા માટે આ પરમ પ્રભુની ભક્તિ પરમ અમૃત ઘન સમી હોઈ, શીતલ આનંદદાયિની થઈ પડે છે; એટલે આ પરમ પર પ્રેમપ્રવાહ ઉપકારી પ્રભુ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ-અનન્ય પ્રેમ કેમ ન ઉલ્લશે? મહે પ્રભુસે વળી આ પરમ દેવ સાધ્ય એવા આત્મસ્વરૂપના પ્રતિષ્ઠદ સ્થાને છે, Page #386 -------------------------------------------------------------------------- ________________ (૬૯૮) યોગદષ્ટિસમુચ્ચય | (model) આદર્શ સ્વરૂપ છે. જેમ શુદ્ધ સુંદર આદર્શને દૃષ્ટિસન્મુખ રાખી કલાકાર શિલ્પી કલાકૃતિની ઘટના કરે છે તેમ આ સિદ્ધ દેવરૂપ શુદ્ધ આદર્શને સતત દૃષ્ટિસન્મુખ રાખી સાધક એ ભક્ત મુમુક્ષુ આત્મસ્વરૂપની ઘટના કરે છે. (જુઓ પૃ. ૧૧૩) “અજકુલગત કેસરી’ જેમ સિંહને દેખીને નિજરૂપ લહે છે, તેમ આ પ્રભુભક્તિથી આ ભવ્ય આત્મા આત્મશક્તિને સંભાળી લે છે. આમ સ્વરૂપસિદ્ધિમાં પરમ ઉપકારી હોવાથી, તેમજ અનુપમ ગુણગણના રત્નાકર હોવાથી, પિતાના પરમ ઈષ્ટ એવા આ પરમેષ્ટિ દેવ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રીતિ હોય જ છે. અત્રે “ગુરુ” પદ પ્રથમ મૂકવાનું કારણ પ્રત્યક્ષ સદગુરુને પરમ પ્રભાવ સૂચવવા માટે છે. કારણ કે સર્વકાળને વિષે પરમાર્થમાગની પ્રાપ્તિ શ્રીમદ્દ સદ્દગુરુ થકી જ હોય છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા પરોક્ષ એવા જિનદેવ કરતાં ગુરુ” પદ પણ પ્રત્યક્ષ સદ્ગુરુને ઉપકાર અધિક છે, માટે તેમનું સ્થાન પ્રથમ પ્રથમ કેમ? મૂકયું છે. તેમજ તે જિનનું સ્વરૂપ પણ શ્રી સદ્ગુરુના ઉપદેશ વિના સમજાતું નથી, અને તે સમજ્યા વિના જિનના ઉપકારને પણ ખ્યાલ કેમ આવે ? એ રીતે પણ પરમ ઉપકારી જિનના ઉપકારનું ભાન કરાવનાર પણ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન છે, એટલે પણ તે પરમ પરમ ઉપકારી હોવાથી તેમનું પદ પ્રથમ મૂક્યું છે. આ પ્રત્યક્ષ દેહધારી સજીવન મૂત્તિ પરમાત્મા પરમ સદ્ગુરુને મહિમા દર્શાવવા માટે જ પરમ પવિત્ર શ્રી નવકાર મંત્રમાં પણ “અરિહંત પદ સિદ્ધ કરતાં પ્રથમ મળ્યું છે, તેનું પણ એ જ રહસ્ય છે. (જુઓ પૃ. ૧૩૦, આત્મસિદ્ધિની ગાથા). વળી આ કુલગીને “દ્વિજ' પણ અત્યંત પ્રિય હોય છે. આ “દ્વિજ એટલે શું ? તેને પરમાર્થ વિચારવા યોગ્ય છે. દ્વિજ બે વાર જેને જન્મ થયો છે તે દ્વિજ, અથવા બીજો જન્મ જેને થયું છે તે દ્વિજ, તે બીજે જન્મ એટલે “દ્વિજને પરમાર્થ સંસ્કાર આપણુરૂપ જન્મ. પહેલે જન્મ તે જે દેહ જન્મ પરમાર્થ થયે તે. પણ મનુષ્યને ખરેખર જન્મ તે–તેને જ્યારે સન્માર્ગની દીક્ષા મળે છે, આંતર મુંડન થાય છે,–ત્યારે થાય છે. અર્થાત્ સમ્યગદર્શનરૂપ સંસ્કાર–બીજ આત્મામાં રોપાયાથી જેને સમ્યગદષ્ટિરૂપે બીજે જન્મ-નવે અવતાર થયો છે, તે “દ્વિજ” છે. જન્મથી પ્રાપ્ત થતા નામમાત્ર દ્વિજપણને આ પારમાર્થિક દ્વિજ પણ સાથે લેવાદેવા નથી. કારણ કે જન્મથી બાહ્ય દ્વિજ નામ હોવા છતાં આ પારમાર્થિક દ્વિજ પણું ન પણ હોય; અને જન્મથી બાહ્ય દ્વિજ નામ ન હોવા છતાં, આ પારમાર્થિક દ્વિજ પડ્યું હોય પણ ખરૂ: જમે દ્વિજ ચંડાલ જેવા લક્ષણવાળો પણ હોય! એટલે દ્રવ્ય દ્વિજજન્મપણે સાથે આ ભાવ દ્વિજ પણાને સંબંધ નથી, માટે ઉક્ત અપેક્ષાએ ગમે તે જાતિમાં જન્મેલે આ “દ્વિજ' હેઇ શકે છે. અર્થાત સમ્યગદર્શનરૂપ સંસ્કારજન્મ પામવાને અધિકાર કોઈ પણ જાતિને છે, Page #387 -------------------------------------------------------------------------- ________________ (૬૯) નથી. ગમે તે * એમાં જાતિ–વેષને ભેદ્ય નડતા જાતિને યથાયેાગ્ય ગુણયેાગ્યતાવાળા જે ચેાગ્ય અધિકારી પુરુષ તે સસ્કાર ઝીલવાને પાત્ર હોય, તે આ સંસ્કારજન્મ પામી શકે છે. અને આવા સંસ્કારજન્મ પામેલ દ્વિજ’ બ્રાહ્મણુ' પણ કહી શકાય છે. કારણ કે ત્રા નાનાતીતિ શ્રાદ્ધળઃ '—બ્રહ્મને શુદ્ધ આત્મસ્વરૂપને જાણે તે બ્રાહ્મણ. આમ દ્વિજ અથવા બ્રાહ્મણ એટલે સમ્યગ્દષ્ટ, જ્ઞાનસ`સ્કારસંપન્ન પુરુષ, કુલયેાગી, જોગીજન. આવા સમ્યગ્દૃષ્ટિ કુલયેાગી પુરુષો સમાનધમી હાવાથી, સામિક હાવાથી, આ મુમુક્ષુ કુલયેાગીને તેના પ્રત્યે કુદરતી પ્રેમ-વાત્સલ્ય સ્ફુરે જ છે. તેથી તેમના પ્રત્યે અનેક પ્રકારે તે સાધર્મિક વાત્સલ્ય કરે છે, તેમને પરમા માની સાધનામાં જેમ બને તેમ સહાયતા થાય—અનુકૂળતા થાય, તેવા તેવા પ્રકારે પેાતાના તન-મનધનથી યથાશક્તિ પ્રખધ કરે છે, અને એમ કરી પેાતાનુ વાત્સલ્ય-પ્રેમભાવ દાખવે છે. ઉપસ‘હાર : ' બ્રિજ 'ના પરમાથ, દયાળુપણું આમ સાક્ષાત્ પરમ ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન્ પ્રત્યે, તથા પરાક્ષપણે પરમ ઉપકારી આદશ સ્થાનીય હાવાથી પરમાત્મ દેવ પ્રત્યે, તથા સમાનધમી હાવાથી સભ્યષ્ટિ દ્વિજો અથવા સંસ્કારસ્વામી બ્રાહ્મણા પ્રત્યે, આ મુમુક્ષુ કુલયેાગીને અવશ્ય પ્રીતિ હાય છે. ૩. દયાળુપણુ દયાળુ—આ કુલયેાગી પુરુષા વળી દયાળુ હાય છે. દયા એ એમને આત્મસ્વભાવભૂત ગુણુ થઈ પડયો હાય છે. કેાઇ દીન-દુઃખી-દરિદ્રી દેખી તેમને દયા વછૂટ છે, અનુપા ઉપજે છે. તે દુ:ખથી દુ:ખીને જેવા કપ-ત્રાસ થાય છે, તેવા તેને અનુસરતા ૪પ-ત્રાસ તેમના આત્મામાં વેદાય છે, તેમનું હૃદય દ્રવીભૂત થાય છે, તેમનું અંતર્ કકળી ઊઠે છે. આમ તે પરદુઃખે દુ:ખીઆ થાય છે. એટલે પરદુઃખનુ છેદ્યન કરવાની ઇચ્છારૂપ કરુણા તેમને ઉપજે છે. અને તન-મન-ધનની સમસ્ત શક્તિથી તે પરદુ:ખ દૂર કરવા સક્રિયપણે તત્પર બને છે. આવા પરદુઃખે દાઝતા પરમ દયાળુ પુરુષા સ જીવનુ સુખ જ ઈચ્છે અને ‘સં જંતુ હિતકરણી કરુણા' જ કરે, એમાં આશ્ચય શું? એટલે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ અન્ય જીવાને જાણી બૂઝીને દુઃખ તા કયાંથી જ આપે? દ્રવ્યથી પણ કાઈ પણ જીવની હિંસા કરે જ કેમ? તેમજ ભાવથી કાઈ પણ જીવના આત્મપરિણામને ભવે જ કેમ ? (જુએ પૃ૦ ૧૪૯, ૪૩૮, ૪૪૧) આ મુમુક્ષુ યેાગીએ આવા દયાળુ, કૃપાળુ, કરુણાવાળું હાય છે, તેનું કારણુ ક્લિષ્ટ ના અભાવ એ છે. ક્લિષ્ટ એટલે કઠિન, આકરા, ભારી, ફ્લેશરૂપ કર્માંના અભાવ છે, એ છે. તેથી તેમની ચિત્તભૂમિ કઠાર-ક્લિષ્ટ પરિણામથી રહિત એવી કામળ-પેાચી હાય છે, દયાથી દ્ર-ભીની હાય છે; અને તેમના આત્મપરિણામ અતિ કોમળ હાય છે, પરદુ:ખના તાપથી શીઘ્ર ઓગળી જાય (melting )–દ્રવી જાય એવા હાય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ (૭૦૦) ગદષ્ટિસમુચ્ચય ૪. વિનીતપણું વિનીત–વળી આ જોગીજન વિનીત હોય છે. આ જોગી પુરુષ વિનયથી નમ્ર હોય છે, કદી પણ અભિમાનથી ઉન્નત-અક્કડ વા ઉન્મત્ત હોતા નથી. ગિધર્મની પ્રાપ્તિ થવી તે વિનયને જ પ્રભાવ છે, કારણ કે વિનય વિના વિનય' અર્થાત્ આત્મ*ગુણ પ્રમોદ વિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હોતી નથી, વિનયથી જ વિનયનીઅતિશય રહે” આત્મવિદ્યાની (Spiritual education) પ્રાપ્તિ હોય છે. એટલે યેગી પુરુષ વિનયનો આ મહાપ્રભાવ જાણતા હોવાથી સ્વભાવથી જ “વિનીત” હોય છે. તેથી પિતાનાથી અધિક ગુણવંતને તેઓ યથાયોગ્ય વિનય સાચવે છે; અભ્યથાન-ઊઠીને સામા જવું, આસનદાન, પૂજન, બહુમાન, સત્કાર આદિ ઉચિત ઉપચાર આચરે છે. પુરુષના, સપુરુષના વચનામૃતના, અને સસાધનના યથાયોગ્ય વિનય-બહુમાન-ગૌરવાદિ તે કરે છે, અને તેમાંથી કોઈની પણ સ્વપ્નાંતરે પણ લેશમાત્ર આશાતના, અવજ્ઞા કરતા જ નથી. કારણ કે તે જાણે છે કે-એક સતપુરુષની કે એક સતવચનની કે એક સસાધનની આશાતના તે સર્વ સપુરુષની, સર્વ સત્વચનની, અને સર્વ સસાધનની આશાતના છે. (જુઓ કલેક ફૂટનેટ પૃ. ૪૨૩) અને એકની પૂજામાં તે સવની પૂજા છે, કારણ તે સર્વ સત્ એક અખંડ અભેદ પરમ અમૃત રસસાગરસ્વરૂપ છે. એટલે એકની વંદના તે સર્વની વંદના છે, અને એકની નિંદના તે સર્વની નિંદન છે. આમ જાણતા હોઈ તે ભવભીરુ યેગી પુરુષ કેઈ પણ સત્ની આશાતના દૂરથી જ વજે છે. અને જ્યાં ક્યાંય પોતાનાથી અધિક ગુણ દેખે છે, ત્યાં આ સાચા ગુણાનુરાગી મુમુક્ષુઓને આત્મા પ્રફુલ બને છે, અને તે ગુણ પ્રત્યે સહજ સ્વભાવે વિનયથી નમી પડે છે. આ તેને “ગુણપ્રમાદ અતિશય રહે છે. (જુઓ પદ્ય, પૃ. ૧૯૭-૧૯૮) પણ ગુણ દેખીને તે કદી મત્સર ધરતા નથી, અથવા અભિમાનથી અક્કડ રહેતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ મહારો આત્મા જે નિજ ભાન વિના અનંત કાળથી આથડડ્યો, તેનું કારણ સાચા સંત ગુરુને મેં સેવ્યા હેતા “ એવો માર્ગ અને અભિમાનને મૂકયું હેતું-એ છે. આ દુષ્ટ અનિષ્ટ મહાશત્રુરૂપ વિનય તણે” અભિમાનથી તે હું આટલે કાળ આટલે બધો દુખી થયે; તે હવે પણ મિથ્યાભિમાન રાખી જે હું વિનયપૂર્વક સંતચરણ નહિં સેવું. તે હજુ પણ મહારે તે ને તે જ ભવદુઃખ સહેવાને વારો આવશે. અભિમાનથી કદી કેઈનું કલ્યાણ થયું સાંભળ્યું નથી, પણ વિનયમાર્ગના સેવનથી જ સર્વ કેઈનું કલ્યાણ થયું છે, થાય છે, ને થશે. અરે! શાસ્ત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે જે સદ્ગુરુના ઉપદેશથી પિતાને કેવળ જ્ઞાન થયું છે, તે ગુરુ પોતે હજુ છદ્મસ્થ (જ્ઞાનાવરણ યુક્ત) રહ્યા હોય, તે પણ તે કેવળી ભગવાન પણ તે પરમ ઉપકારી ગુરુને વિનય કરે છે. એવો આ વિનયને માગ શ્રી વીતરાગદેવે ભાખે છે, એ માગને મૂળ હેતુ કઈ “સુભાગ’–સૌભા Page #389 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : વિનીત બેધવંત યતેન્દ્રિય કુલગી (૭૦૧) વ્યવાન પુરુષ જ સમજે છે. માટે હું પણ અભિમાન છેડી તે જ પરમ વિનય માર્ગનું અનુસરણ કરું. એમ સમજી આ મુમુક્ષુ યોગી પુરુષ યથાયોગ્ય વિનયાચરણ કરે છે. જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણે, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કે સુભાગ.”-શ્રી આત્મસિદ્ધિ. આ વિનીત પણું એ કુશલાનુબંધી પુણ્યને જ પ્રભાવ છે, પુણ્યાનુબંધી પુણ્યનું જ ફળ છે. જે પુણ્યથી પાછો વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યને અનુબંધ થયા કરે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે જેથી પુણ્યની શૃંખલા-સાંકળ ચાલુ રહે છે, એવા મહાપુણ્યના જ ફળ પરિપાકરૂપે આ વિનીતપણું પ્રાપ્ત થાય છે. ૫. બેધવંતપણું બોધવંત–વળી આ જોગીજને બોધવંત હોય છે, યથાર્થ બોધવાળા-સમજણવાળા હોય છે. આ યથાર્થ બોધ ગ્રંથિભેદને લીધે હોય છે. તેથી કરીને આ યોગીઓ સમ્યગદષ્ટિ હોઈ તેમને બેધ સતશ્રદ્ધાસંગત હોય છે. તેમને વસ્તુતત્વને યથાર્થ – તત્ત્વવિનિશ્ચય થઈ ચૂક્યો હોય છે, તેથી તેઓ સ્વ–પરવસ્તુનો ભેદ હસ્તામલવત દેખે છે. હું દેહાદિથી ભિન્ન એ સ્વપરપ્રકાશક આત્મા છું, એ અખંડ તત્ત્વબેધ તેમના આત્મામાં સદેદિત રહે છે. હું એક, શુદ્ધ, દર્શન જ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ હારું નથી.” (જુઓ ગાથા પૃ. ૬૮ ) એવી અખંડ આત્મભાવનાને લીધે તે પરવતુમાં કદી મુંઝાતા નથી, મહાતા નથી, લેપાતા નથી, ખરડાતા નથી, અને તે મધ્યે રહ્યા છતાં પણ તેઓ તેથી જલકમલવત્ અલિપ્ત અને ઉદાસીન જ રહે છે. આ સમ્યગ બોધને અમૃતરસ જેણે ચાખે છે, તેને પછી બીજા રસ ગમતા નથી, બાકસબુકસ-છાસબાકળા લાગે છે. ૬. તેન્દ્રિયપણું તેંદ્રિયઅને તે યતેંદ્રિય-જિતેન્દ્રિય હોય છે. તેણે ઇન્દ્રિયોને સંયમ કર્યો હોય છે,-આ ચારિત્ર ભાવથી બને છે. જે તત્ત્વસ્વરૂપને યથાર્થપણે જાણે છે, તે પછી ઇદ્રિને આધીન થતું નથી, પણ ઇદ્રિને પિતાને આધીન કરવા મથે છે તે ઇંદ્રિયને ગુલામ બનતું નથી, પણ ઇંદ્રિયોને પોતાની ગુલામ બનાવે છે. તે ઇંદ્રિયોને પોતાના પર સ્વાર થવા દેતા નથી, પણ પિતે તેના પર સ્વાર થાય છે. ઇંદ્રિરૂપ તેફાની ઘોડાને સંયમરૂપ લગામથી બાંધી, તે સ્વરૂપ-રથમાં બેસી, મનરૂપ સારથિને આજ્ઞા કરી તે ચલા વરાવે છે. તે પાંચે ઇન્દ્રિયોને વિષયોમાંથી વ્યાવૃત્ત કરી–પાછી વાળી સ્વરૂપાભિમુખ કરે છે, અને તેમને સ્વરૂપસાધનની પ્રાપ્તિમાં તેમના “જોગા” કામે લગાડી દે છે, નિસાર દેહ Page #390 -------------------------------------------------------------------------- ________________ (૭૦૨) યોગદૃષ્ટિસમુચ્ચય માંથી પણ સારભૂત પરમાથ સાધન સાધી લેવામાં તેના સદુપયોગ કરી પેાતાનું કામ કાઢી લે છે, અને પાકા વાણીઆની પેઠે તેના ‘ કસ* કાઢે છે! દાખલા તરીકે–રસને દ્રિયને તે સત્પુરુષના ગુણુસકીત્તનના રસાસ્વાદથી સફળ કરે છે, શ્રવણેન્દ્રિયને સત્પુરુષચરિત શ્રવણથી પાવન કરે છે. ઇત્યાદિ પ્રકારે બહિર્મુખ ઉપયેાગથી પાંચ ઇંદ્રિયાને વ્યાવૃત્ત કરી, તે આત્માને ઉપકારી થાય એમ અંતર્મુખ ઉપયાગ ભણી વાળી દે છે. · રહે અંતમુ ખ યાગ,’ “ જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહી જ નયન પ્રમાણુ....જિનવર ! * જે જિન ચરણે નામિયે, મસ્તક તે જ પ્રધાન....જિનવર ! અરિહા પદાજ અરચિયે, તે સુલહિજે હથ્થ....જિનવર ! જિન ગુણુ ચિ ંતનમે રમે, તેહિ જ મન સુકથ્થૈ....શ્રી ઋષભાનન.” “ ભલું થયું. મેં પ્રભુ ગુણ ગાયા, રસનાનેા ફળ લીધેા રે; દેવચ'દ્ર કહે મ્હારા મનનેા, સકળ મનેારથ સીધા રે. ”-શ્રી દેવચ'દ્રજી. આમ અહી આ કુલયેાગીના છ લક્ષણ કહ્યા :—(૧) સત્ર અદ્વેષ ગ્રહના અભાવને લીધે. આ ઉપરથી તેનું મધ્યસ્થપણું અને સમસ્ત જગત્ પ્રત્યે મૈત્રીભાવ સૂચન્મ્યા. ( ૨ ) દેવ-ગુરુ-દ્વિજનું પ્રિયપણું—ધ પ્રભાવને લીધે. આ ઉપરથી ગુણ પ્રમાદ મતાન્યા. (૩) કૈંયાળુતા—કિલષ્ટ કમના અભાવથી. આ ઉપરથી તેની દુઃખી પ્રત્યે અનુક’પા કહી. ( ૪ ) વિનીતપણું'—પુણ્યાનુબંધી પુણ્યને લીધે. આ ઉપરથી તેનું વિનયનમ્રપણુ અને નિરભિમાનપણુ કહ્યુ. (૫) માધવ'તપણુ —ગ્રંથિભેદને લીધે. આ ઉપરથી એનુ` સમ્યગ્દષ્ટિપણું, સત્ય સમજણુપણું, સમ્યગ્દર્શન-જ્ઞાનસ'પન્નપણુ, બતાવ્યુ.. ( ૬ ) યતે'દ્રિયપણુ —ચારિત્રભાવને લીધે. આ ઉપરથી એનું સંયમીપણું દર્શાવ્યું. આ છએ લક્ષણ ઉપરથી ગર્ભિતપણે આ મુમુક્ષુ કુલયેાગીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને સાવ ખતાવી સ્વભાવ–ચાગ સાધક સપૂર્ણ માક્ષમાર્ગની પ્રાપ્તિ બતાવી. આ ઉક્ત ષડે લક્ષણ એટલા બધા સ્પષ્ટ, અવિસંવાદી અને વ્યવહારૂ છે કે તે ઉપરથી કુલયેાગી કાણુ હોય ? ને કેવા હેાય ? તેની સ્પષ્ટ પરીક્ષા થઈ શકે છે. આ ષડ્ લક્ષણ એવા વિશાળ ને સર્વગ્રાહી છે કે તે મુખ્ય ષડ્ દનને સમત થાય એવા છે. ( જુએ પૃ. ૫૫૮ ગીતાના શ્લા ). આ લક્ષણ જેનામાં ડાય તે જ કુલયેાગી છે, તે જ સાચા વૈષ્ણવજન છે, તે જ સાચા બ્રાહ્મણ છે, તે જ સાચા બૌદ્ધ છે, તે જ સાચા સાંખ્ય છે, તે જ સાચેા જૈન છે, તે જ સાચા વેદાંતી છે, જ સાચા મુમુક્ષુ છે, તે જ સાચા આત્માથી છે, અને તે જ પદ્મ સિદ્ધ ચેાગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ પાતાની છેલ્લી કૃતિમાં અમર કરેલા સાચે જોગીજન ' છે. ( જુએ ઇચ્છે છે જે જોગીજન' પૃ. ૧૩) અને આવા લક્ષણવાળા જે જોગીજન હાય, તે જ ક્ષેત્ર આ યોગશાસ્ત્રના અધિકારી છે. આમ કુલયેાગીનું સ્વરૂપ અત્ર કંઇક વિસ્તારથી યથામતિ વિવેચ્યું, તે સ્વમતિથી વિશેષ ચિંતવવુ. 卐 ષદનસમત ષડે લક્ષણ તે જ સાચા જોગીજન’ Page #391 -------------------------------------------------------------------------- ________________ (૭૦૩) ઉપસંહારઃ કુલગીના ષડુ લક્ષણ, પ્રવૃત્તચકનું સવરૂપ प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः॥२१२॥ પ્રવૃત્તચક તે પ્રથમ, યમય આશ્રયવંત; બાકી બે અતિ ઈચ્છતા, શુશ્રુષાદિ ગુણવંત, ૨૧૨ અર્થ અને પ્રવૃત્તચક્ર યોગી તે બે પ્રકારના યમને સમાશ્રય કરનારા, તથા બાકીના બે પ્રકારના યમના અર્થી, તેમજ શુશ્રષા આદિ ગુણથી યુક્ત, એવા હોય છે. - વિવેચન શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક તે કહિયેજી; ચમકયલાભી પર દુગ અર્થ, આદ્ય અવંચક લહિયે.”—ગ દ, સક્ઝા. ૮-૫ પ્રવૃત્તચક તે પુનઃ કેવા વિશિષ્ટ હોય છે તે કહે છે–(૧) તેઓ યમદ્રયને સમાશ્રય કરનારા, એટલે કે ઈચ્છાયામ અને પ્રવૃત્તિયમ એ બે યમને સમ્યફ આશ્રય કરનાર હોય છે. તથા-(૨) બાકીના બે યમના અર્થી-સ્થિરયમ અને સિદ્ધિયમના અથી અત્યંતપણે હોય છે. આમ સદુપાયપ્રવૃત્તિને લીધે હોય છે. એટલા માટે જ(૩) તેઓ શુશ્રુષાદિ આઠ ગુણથી યુક્ત હોય છે, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, હા, અપહ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત હોય છે. પ્રવૃત્તચક” એટલે શું? જેનું ચકે પ્રવૃત્ત થયું છે તે પ્રવૃત્તચક. અને અત્રે ગ–ચક જ પ્રસ્તુત છે. એટલે જેનું આખું યોગચક પ્રવૃત્ત થયું છે ચાલવા માંડયું છે, તે પ્રવૃત્તચક્ર ગી છે. જેમ ચક્રના કેઈ એક દેશને દંડથી પ્રેરવામાં પ્રવૃત્તચક્ર આવતાં–ચલાવવામાં આવતાં, આખું ચક એની મેળે (Autoએટલે શું ? matically ) ચાલવા માંડે છે તેમ આ ગચકના કેઈ એક દેશને સ્પર્શવામાં આવતાં–પ્રેરવામાં આવતાં, આખું ગચક આપોઆપ પ્રવૃત્ત થાય છે ચાલવા માંડે છે. આ સાવ સાદી પણ પરમ આશ્ચર્યકારક સત્ય ઘટના છે. ચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડ પડતું નથી, પણ કોઈ એક દેશે હાથે (Handle) હલાવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે, તેમ આ ગચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડવો પડતો નથી, પણ તેના કેઈ એક વૃત્તિ:પ્રવૃવતુ પુનઃ–પ્રવૃત્તચક્ર તે પુન: કેવા વિશિષ્ટ હોય છે? તે કે યમદૂયાત્રાઇચ્છાય, અને પ્રવૃત્તિયમના આશ્રમવાળા એમ અર્થ છે, શેષાર્થિન –શેષયના અથી, એટલે કે સ્થિરયમ અને સિદ્ધિયમ એ બેના અર્થી, એમ કહ્યું. અત્યન્ત-અત્યંતપણે, સદુપાય પ્રવૃત્તિવડે કરીને–એટલા માટે. એટલા માટે જ કહ્યું- શુશ્રષાવિગુણાન્વિતા-સુશ્રુષા આદિ ગુણયુક્ત; શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત એવા, Page #392 -------------------------------------------------------------------------- ________________ (૭૦૪) યોગદૃષ્ટિસમુચ્ચય પ્રદેશે આત્મપુરુષાર્થ રૂપ હાથેા ફેરવવાથી આખું ચક્ર ગતિમાનૢ થાય છે. અથવા જેમ ઘડિયાળનું એક ચક્ર ચાલે, એટલે એની સાથે ગાઢ સ'કળાયેલા ખીજાં બધાં ચક્ર પણ ચાલવા માંડે છે, અને આખુ' ઘટિકાયંત્ર ચાલુ થાય છે; તેમ ચેાગચક્રનુ એક ચક્ર ચાલવા માંડતાં, એની સાથે ઘનિષ્ઠ રીતે સકળાયેલા ખીજા બધાં ચક્ર આપે!આપ ચાલવા માંડે છે, અને આમ આખુયેાગચક્ર યંત્ર ચાલુ થાય છે. અને ચાલુ થયેલુ. ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલુ પ્રવૃત્તચક્ર યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધદશાની દિશા ભણી જ પ્રગતિ કરે છે. દાખલા તરીકે—: " · અહિ’સા’ યાગ આત્માથી સ્પવામાં આવતાં, અહિંસામાં પ્રવૃત્તિ કરતાં, તેની સાથે સત્યાદિ ખીજા ચેાગ પણ સ્પર્શાઈ જાય છે, ચાલુ થઇ જાય છે; કારણ કે તે સત્યાદિ પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હાઈ, તેનું પાલન થતાં અહિંસાનું પણ પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાના પણ ભંગ થાય છે. ( ૧ ) કારણુ કે અહિંસા એટલે રાગ-દ્વેષ-માહિદ વિભાવથી આત્મસ્વરૂપનું હિં’સન ન થવા દેવું, ઘાત ન થવા દેવી, તે છે. અને પર વસ્તુને પેાતાની કહેવી તે અસત્ય છે, તે પણ આત્મ સ્વરૂપની ઘાત હાવાથી સાચા અહિંસક કદી વઢે જ નહિં. પર વસ્તુનું અપહરણ કરવુ' તે ચારી છે, તે પણ સ્વરૂપની હિંસા હેાવાથી અહિંસક કી કરે જ નહિં, પરવસ્તુ પ્રત્યે વ્યભિચરણ કરી તેનેા આશ્લેષ કરવા, ભેટવું તે પણ સ્વરૂપનું હિંસન હાઈ અહિંસક કદી કરે જ નહિં. પર વસ્તુનું પરિગ્રહણુ પણ મૂર્છા-મમત્વરૂપ હાઈ આત્મસ્વરૂપની ઘાત છે, માટે ખરેખરા અહિંસક તે પરિગ્રહ ગ્રહે જ નહિ. આમ જે અહિંસક ઢાય તે સત્યાદિ અવશ્ય પાળે જ, અને સત્યાદિ પાળે તે જ સાચા અહિંસક હોય. જે અહિંસક હોય તે અસત્યાદિ સેવે જ નહિં, અને જે અસત્યાદિ સેવે તે અહિંસક હોય જ નહિ. આમ અહિંસા-સત્યાદિની પરસ્પર અવિનાભાવ સંબંધરૂપ વ્યાપ્તિ છે, એટલે અસત્યાદિ સ્વરૂપના ભગ કરનાર હેાવાથી અહિંસાના ભંગ કરનારા હાય છે, માટે અહિંસક યાગી તેને વજે જ છે. (૨) તેમ ‘સત્ય ’ યાગને જે ગ્રહે છે, તે કદી પર વસ્તુને પેાતાની છે એમ કહે જ નહિં, સત્ત્ને અસત્ અને અસતને સત્ કી કહે જ નહિ, પણ સદાય સત્ને સત્ ને અસત્આને અસત જ કહે. એટલે રાગાદિથી સ્વરૂપની ઘાત કરવારૂપ હિંસા કરવી તે અસત્ હોવાથી, સાદી તે કદી આચરે જ નહિં ને આચરે તે તે સાદી નથી. પર વસ્તુના અપહરણરૂપ અદત્તાદાન તે કરે નહિ, કારણ કે તેમ કરવું તે સટ્ના ભાગરૂપ છે. સ્વરૂપ છેડીને પરવસ્તુ પ્રત્યે વ્યભિચાર–સ'શ્લેષ તે કરે નહિ, કારણ કે તે સત્ વસ્તુને ત્યાગ કરવા બરાબર છે. પારકી વસ્તુ પ્રત્યે આત્મબુદ્ધિરૂપ મૂર્છા કરીને તે પરિગ્રહ ગ્રહે જ નહિં, કારણ કે તેમ પારકી વસ્તુ પચાવી પાડવાનું કરવું તે હડહડતુ. અસત્ય છે. તે જ પ્રમાણે અસ્તેય આદિ માટે સમજી લેવું. (જુએ કાવ્ય, પૃ. ૧૦૬, ૧૦૭) અહિ'સાદિની સલના Page #393 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : અહિંસાદિની સકલના : ષકારક ચકને ૫૩ (૭૦૫) આ પ્રકારે આપયોગથી સાચા ભાવથી એક પણ વેગ શુદ્ધપણે સ્પર્શીતાં, અન્ય યોગ તેની સાથે સંકલિત હોવાથી આખું ચોગચક આપોઆપ ચાલુ થઈ જાય છે. આવી આ પ્રવૃત્ત ગચક્રની ભારી ખૂબી છે. આ ગરૂપ પારસમણિનો કઈ એક દેશે સ્પર્શ થતાં, આખો આત્મા ગમય બની જાય છે ! આ ગરૂપ ‘જાદુઈ લાકડી” (magic wand) આત્મા પર ફરતાં, આત્મામાં કેઈ અજબ ફેરફાર થઈ જાય છે! આ યોગ-પરમામૃતની અંજલિ છાંટવામાં આવતાં તેની જાદૂઈ સંજીવની અસર આત્માની નસેનસમાં-પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય છે ! આમ આ પવનચકસાધક યોગીનું યોગ-સાધક ચક એકદમ ચાલુ થઈ જાય છે. જે ચક્ર પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના બાધક થઈને પ્રવર્તતું હતું, વિપરીત પણે– ઉલટું ઉધું (anti-clockwise) ચાલતું હતું, “વામમાગી'-આડે માગે ષકારક ચાલનારું થતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્યે સાધક થઈને ચકનો પલટો પ્રવર્તે છે, અવિપરીત પણે સુલટું સીધું (clockwise) ચાલવા માંડે છે. “દક્ષિણમાગી”—અનુકૂળ થઈને પ્રવર્તે છે. કર્ણા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષટુ કારક ચક જે પૂર્વે આત્મ-બાધકપણે ચાલતું હતું, તે હવે આત્મ-સાધકપણે ચાલવા માંડે છે. પૂર્વે જે કર્તા પરભાવને થતો હતું, કર્મ પરભાવ-વિભાવરૂપ કરતું હતું, કરણ પરવસ્તુનું પ્રયોજતો હતો, ગ્રહણરૂપ સંપ્રદાન પરનું કરતું હતું, ત્યાગરૂપ અપાદાન સ્વનું કરતે હતા, અને અધિકરણ પણ પરવતુમાં કરતો હતો; તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કારણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે, અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. અત્રે આત્મ દ્રવ્ય એ જ કર્તા છે, નિજ આત્માની સિદ્ધિ-સિદ્ધતા એ કાર્ય-કર્મ છે, ઉપાદાન-પરિણામમાં પ્રયુક્ત તે કરણપણું છે, આત્મસંપત્તિનું દાન તે સંપ્રદાનપણું છે, કે જેમાં દાતા પાત્ર ને દેય એ ત્રણે ભાવની અભેદતા થાય છે; સ્વ-પરનું વિવેચન-વિવેક કરવો તે અપાદાન છે, અને સકલ પર્યાયનો આધાર તે અધિકરણ છે. આમ અનાદિ એવા બાધક કારક ભાવ નિવારવા તે સાધકતાને અવલંબી તે સમારી લે છે સુધારી લે છે. એટલે પૂર્વે જે પરનો કર્તા, પર કર્મ, પર કરણ વડે, ૫ર અર્થે, પર થકી, પરમાં રહીને કરતે હતું, તે હવે સ્વ આત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અથે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત્ આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થ, આત્મા થકી, આત્મામાં સાધે છે. રાત્મા ગાત્માને શાત્મના આત્માને શાત્મનઃ આત્મા સધતિ. આ પ્રમાણે તે સાધક એવા કારક ષટક વડે આત્મગુણની સાધના કરે છે. મલ્લિનાથ” જગનાથ ચરણયુગ ધ્યાઈએ રે, શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઈએ રે સાધક કારક ષટક કરે ગુણ સાધના રે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાબાદના રે. Page #394 -------------------------------------------------------------------------- ________________ (૭૦૬) ગિદસિમુચય કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે, ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણુતા રે; આતમ સંપદાન, તેહ સંપ્રદાનતા રે, દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે. સ્વ–પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે, સકલ પર્યાય આધાર સંબંધ આસ્થાનથી રે; બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે, સાધકતા અવલંબી, તેહ સમારવા રે...તેહ મહામુનિ શ્રી દેવચંદ્રજી આકૃતિ ૨૦ Dી 13Re છne પરભાવ ૭૨ા. બાવ અધિકરણ ) કે * પ્રભાવ - પરભા “વભાવના બાધક ચક સાધક ચક્ર આધક ચક ચાર પ્રકારના સાધક ચક ગી ર કેષ્ટક ૧૬ નામ ગોત્ર ગી કુલ યોગી પ્રવૃત્તચક્ર યોગી નિષ્પન) સિદ્ધ ગી વ્યાખ્યાં યેગી કુલમાં જન્મેલા, જેનું અહિંસાદિ ભૂમિભવ્ય આદિ અથવા યોગીધામને ગક પ્રવૃત્ત છે, નામધારી અનુસરનાર | ચાલવા માંડયું છે. જેને યોગનિષ્પન્ન-સિદ્ધ છે. લક્ષણ યથાયોગ્ય ગુણવિહીન, નામધારી ઇરછાયમ–પ્રવૃત્તિમ સર્વત્ર અલી પામેલા, સ્થિરયમ– ગુરુ-દેવ-દિજ પ્રિય, સિદ્ધિયમ અથી, દયાળુ, વિનીત, બેધવત, યતે દિય|. શ્રષાદિ ગુણયુક્ત, અવંચક ત્રયયુક્ત યોગસિદ્ધિને પામેલા સમર્થ યોગી આ ગ્રંથના આમ અયોગ્ય * ય અયોગ્ય કારણું યોગ્યતારહિતપણું પર યથાયોગ્ય પણું | યથાયોગપણું સિદ્ધિભાવ પ્રાપ્તપણું Page #395 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : પ્રવૃત્ત ચક સાધકની સાથે દિશા ભણી પ્રગતિ આમ બાધક દિશામાંથી ફરીને ષ કારક ચક સાધક દિશામાં ચાલવા લાગે છે, એટલે પછી ચાલુ થયેલ ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણું જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલું-પ્રવૃત્ત થયેલું ગચક્ર-યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધ સાધ્ય દિશા દશાની દિશા ભણી જ પ્રગતિ કર્યા કરે છે. વળી એક વખતે ચલાવવામાં ભણું પ્રગતિ આવેલું યંત્ર-ચક ઉત્તરોત્તર વધારે ગતિવેગને (Velocity) પકડતું જાય છે, તેમ આ યોગ-ચક્ર એક વખત ભાવથી પ્રવૃત્ત કરવામાં આવતાં પછી ઉત્તરોત્તર વધારે પ્રગતિરૂ૫ ગતિને પામતું જાય છે, ઉત્તરોત્તર વધુ ને વધુ સંવેગ પામી ચઢતી ચઢતી વેગ-ભૂમિકાઓને સ્પર્શતું જાય છે, એટલે ઉત્તરોત્તર ચઢતા પરિણામ થતા જાય છે, ઉત્તરોત્તર આપયોગ જાગૃતિ વધતી જાય છે. અને આ અહિંસાદિ પાંચ યમની શુદ્ધિની તરતમતાના કારણે તેની ચાર કક્ષા–ચાર ભૂમિકાઓ કહેવામાં આવી છે–ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરથમ અને સિદ્ધિયમ, અહિંસાદિની ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધિની માત્રા (Degree) પ્રમાણે આ વિભાગ પાઠવામાં આવ્યા છે. એક ને એક અહિંસાની શુદ્ધિ અંશ પ્રમાણે આમ ચાર કેટિ હોય છે. જેમ ઉષ્ણતા અંશ (Degree) પ્રમાણે શરીરની ઉષ્ણ દશામાં ફેર પડે છે, તેમ આત્મશુદ્ધતાના અંશ પ્રમાણે આત્માની અહિંસાદિ યોગદશામાં ફેર પડે છે. અહિંસાદિ યમની આ ચાર કટિમાંથી આ પ્રવૃત્તચક્ર મેગીને પ્રથમની બે ઈચ્છાયમ ને પ્રવૃત્તિયમ તે પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, અને બાકીની બે કટિ પ્રાપ્ત કરવાના-સ્પર્શવાના તે અત્યંત અથી હોય છે, તીવ્ર અભિલાષી હોય છે. અને તે માટે તેમને સત પુરુષાર્થ સદાય ચાલુ જ હોય છે, એમનું “પ્રવૃત્ત ચક્ર નિરંતર પ્રવૃત્ત જ હોય છે. આમ થવાનું કારણ તેઓની સદુપાય પ્રવૃત્તિ છે, સસાધન પ્રત્યેની પુરુષાર્થશીલતા છે. એટલે તેઓ સત્ ઉપાયમાં તીવ્ર સંવેગથી, અત્યંત અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉછરંગથી પ્રવૃત્ત જ હોય છે, રઢ લગાડીને મંડી પડ્યા જ હોય છે, (જુઓ પૃ. ૧૫૪). અને આમ તેઓ સદુપાયમાં સતત પ્રવૃત્ત હોય છે, તેથી જ તેઓ શુશ્રષા આદિ આઠ બુદ્ધિગુણથી સંપન્ન હોય છે. તે આ પ્રકારેઃ (૧) શુશ્રષા-તત્ત્વશ્રવણની અંતરંગ તીવ્ર ઈચ્છા. જેમ કઈ તરુણ, સુખી અને રમણીથી પરિવારે પુરુષ કિન્નર ગીત શુશ્રુષાદિ સાંભળવાને ઇછે, તેના કરતાં અનેકગણ ઉત્કટ ઇચ્છાતલસાટ તત્વ આઠ ગુણ સાંભળવા માટે આ મુમુક્ષુને હોય. આવી શુશ્રુષા જ બધપ્રવાહની સરવાણ છે, આવી શુશ્રષા ન હોય તે સાંભળ્યું તે સ્થલ કુપ સમાન થઈ પડે છે, અથવા ઉંઘતો રાજા કથા સાંભળતું હોય તેના જેવું થઈ પડે છે. (૨) શ્રવણ–આવી સાચી શુશ્રષા-સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, તો જ પછી સાચું શ્રવણ થાય છે. આ શ્રવણ એટલે કર્ણમાં માત્ર શબ્દ અથડાવા તે નથી, પણ આત્મા દ્વારા અર્થ અનુસંધાનપૂર્વક સાવધાનતાવાળું શ્રવણ તે સાચું શ્રવણ છે. બાકી તે એક કાનેથી બીજે કાને કાઢી નાખ્યા જેવું થાય Page #396 -------------------------------------------------------------------------- ________________ (૭૮) યોગદૃષ્ટિસસુરજીય છે ! કથા સુણી સુણી ફૂટવા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ’(૩) ગ્રહણુ—શ્રવણુ થયા પછી ગ્રહણ થાય છે. જે સાવધાનપણે ઉત્કટ તલસાટથી શ્રવણુ કર્યું, તેનું અથ ગ્રહણ થાય છે. (૪) ધારણુ—ગ્રહણ પછી તેનું ધારણ-અવધારણ થાય છે. તેના સ`સ્કારનું' ચિત્તમાં ટકી રહેવુ અવિદ્યુત રહેવુ. તે ધારણ છે. (૫) વિજ્ઞાન—ધારણ પછી વિજ્ઞાનવિશેષ જ્ઞાન થાય છે, વિશેષ ખેષ થાય છે. ઉત્તરાત્તર દૃઢ સંસ્કારથી પ્રાપ્ત બેષ ખળવાન્ ખનતા જાય છે. ( ૬ ) ઈહા—વિજ્ઞાન—ખાધ પછી ઈહા-ચિંતન, શંકા સમાધાન, તર્ક વગેરે થાય છે. (૭) અપેાહ—ઇઢા પછી અપેાહ થાય છે. શંકા-સ ંદેહનું નિરાકરણ થાય છે, ખાધક અંશનું નિરાકરણ-દૂર કરવાપણું થાય છે. (૮) તત્ત્વાભિનિવેશઅપેાહ થયા પછી, સર્વ શંકા-સમાધાન થઈ ગયા પછી, સતર્કનું નિરાકરણ થયા પછી તત્ત્વનિનિર્ણય થાય છે, એટલે તત્ત્વમાં અભિનિવેશ-દૃઢ નિશ્ચયરૂપ પ્રવેશ થાય છે, તત્ત્વ નિરધાર થાય છે. આવા આ આઠ ગુણથી યુક્ત આ પ્રવૃત્તચક્ર યાગી પુરુષા હેાય છે. તથા—— 節 आद्यावञ्चकये। गाप्त्या तदन्यद्वयलाभिनः । easantरिणो योगप्रयोगस्येति तद्विदः ॥ २१३॥ આદ્ય અવચક યોગથી, અન્ય અવચક પ્રાસ; યોગ્ય આ યોગ પ્રયાગના, કહે યાગીએ આસ. ૧૧૩. અર્થ :—પહેલા અવંચક યાગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકના લાભ પામેલા એવા તેએ હાય છે. એએ આ યાગપ્રયાગના અધિકારીએ છે, એમ ચેવિદે વદે છે. વિવેચન તથા હેતુભૂત એવી આધ અવચક ચેાગની પ્રાપ્તિથી તેએ તેનાથી અન્ય એવા એ અવંચકના ક્રિયા અવહેંચક ને કુલ અવંચકના ચાંગને લાભ પામેલા હાય છે. તેની અવધ્ય-અમેાઘ–અચૂક ભવ્યતાથી તેઓ એવા સ્વરૂપવાળા હેાય છે. એએ આ યાગપ્રયાગના અધિકારીએ છે, એમ તે ચેાગના જાણનારાઓ કહે છે. ઉપરમાં પ્રવૃત્તચક્ર યાગીના એ લક્ષણ કહ્યા−(૧) પ્રથમ યમદ્વેયના લાભ પામેલા, (૨) ખાકીના યમયના અથી. અહીં તેનું ત્રીજું' લક્ષણ કહ્યુ` છે:-આદ્ય અવાચક યાગની વૃત્તિ——ગાવાવ ધોળાચા—હેતુભૂત એવી આદ્ય અવંચક ચેગની પ્રાપ્તિ થકી, તત્ત્વચમિનઃ—તેનાથી અન્ય મના લાભી ક્રિયાઅવંચક–કુલાવ ચક્ર એ એના લાભ ધરાવનારા તેની અવષ્ય ભવ્યતાથી એક ભૂત, એવા સ્વરૂપવાળા તેમા, શુ? તે કે —ધિનિઃ— અધિકારીઓ, કાના? તો કે ચોપ્રયોગય—અધિકૃત એવા મેણપ્રયાગના —વૃત્તિ-એમ, તંદ્ર:—તેના જાણકારો, યોગવિદા કહે છે,—એમ શેષ છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: આ મહાગ પ્રયાગના અધિકારીએ (૭૯) અર્થાત્ ચગાવંચકની પ્રાપ્તિને લીધે તેઓને બીજા બે અવંચક યોગની-કિયા અવંચક ને ફલ અવંચકની પ્રાપ્તિ થયેલી હોય છે, કારણ કે તે યોગાવંચકની એવી અવધ્યઅમેઘ-અચૂક ભવ્યતા હોય છે, તથા પ્રકારની યોગ્યતા હોય છે કે આ બીજા બે અવંચકની પ્રાપ્તિ હોય જ. (આ ચગાવંચક, કિયાવંચક અને ફલાવંચકનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. તેમજ જુઓ પૃ. ૧૫૮ થી ૧૬૪). અને આ પ્રવૃત્તચક ગીને તે આદ્ય અવંચક ગની પ્રાપ્તિને લીધે, બાકીના બે કિયા-ફેલ અવંચક યુગને લાભ પ્રાપ્ત થઈ ચૂક્યો હોય છે. એટલે તે યોગ-ક્રિયા-ફલ એ ત્રણ અવંચક યુગથી સંપન્ન હોય છે. અને આમ જેને આ અવંચકત્રયને લાભ થયેલ છે, જેને ઈચ્છાયામ ને પ્રવૃત્તિયમની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અને જે થિયમ ને સિદ્ધિયમની પ્રાપ્તિ ઈચ્છી તેના સદુપાયની પ્રવૃત્તિમાં ૨ઢ લગાડીને મંડી પડ્યા છે,-એવા આ પ્રવૃત્તચક ગીઓ આ યોગ પ્રાગના અધિકારીઓ છે. એમ કેગના જ્ઞાતા પુરુષ-ગવિદો વદે છે. આ યુગ ખરેખર! મહાપ્રયોગ છે, એક લેકોત્તર કટિને મોટો અખતરે (Great & grand experiment) છે. કારણ કે તે જો સવળો ઉતરે તે બેડો પાર થઈ જાય,–જીવનું ક૯યાણ કલ્યાણ થઈ જાય, અને અવળો પડે તે ચગ-મહા- જીવનું નાવડું ડૂબી જાય ! મહદ્ વસ્તુની હીન ઉપયોગરૂપ આશાતનાથી પ્રવેગ અકલ્યાણ થઈ મહાહાનિ થાય-વિજ્ઞાનના પ્રયોગની પેઠે. વિજ્ઞાનનો પ્રયોગ જે તેની વિધિના જાણ યોગ્ય વિજ્ઞાનીના હાથે થાય છે તેમાંથી ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અજાણ અયોગ્ય અજ્ઞાનીના હાથે થાય તે તેમાંથી ઊલટું હાનિકારક પરિણામ આવે અને કદાચ પોતે પણ ધડાકાબંધ ઊડી જાય ! તેમ આ યોગવિજ્ઞાનનો પ્રયોગ જે વિધિજ્ઞાતા યંગ્ય જ્ઞાની યેગીના હાથે થાય, તે તેમાંથી પરમ ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અનભિજ્ઞ-અજાણ અયોગ્ય અજ્ઞાનીના હાથે થાય, તે તેમાંથી ઉલટું અનિષ્ટ પરિણામ આવે, અને આત્મનાશ પણ થાય ! વર્તમાનમાં મહાશક્તિસંપન્ન અણુ બોમ્બનું (Atom-Bomb) રહસ્ય (વિજ્ઞાની) વિપરીત જ્ઞાનવાળા અર્થાત્ પરમાર્થથી અજ્ઞાન વિજ્ઞાનીઓના અગ્ય હાથમાં આવી પડયું હોવાથી જગને કેટલી હાનિ થયેલી છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પરમશક્તિસંપન્ન ગ-રહસ્ય પણ જે અગ્ય જનના–અગીના હાથમાં આવી પડે, તે કેટલી બધી હાનિ થાય તે સહેજે સમજી શકાય છે. જેમ જડવાદનું વિજ્ઞાન “વાંદરાને નીસરણી બતાવવા જેવું” વિપરીત પણે પરિણમતાં જગતને મહાઅનર્થકારક થઈ પડે છે, તેમ અધ્યાત્મવાદનું વિજ્ઞાન અનધિકારી જીવને “મર્કટને મદિરાપાનની પેઠે” વિષમપણે પરિ. મુમતાં મહાઅનર્થકારક થઈ પડે છે! એક ને એક વસ્તુમાંથી તેના ઉપયોગ પ્રમાણે ઝેર કે અમૃત નીકળે છે! તેમ ગ-પ્રગના સદુપયોગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! માટે આ યોગ પ્રયાગરૂપ જબરજસ્ત અખતરો (Grand experiment) Page #398 -------------------------------------------------------------------------- ________________ (૭૧૦) ગદષ્ટિસમુચ્ચય અજમાવવા માટે યોગ્ય અધિકારી જ હવે જોઈએ અને તે અધિકારી અત્રે કહ્યા તે મહાત્ લક્ષણ–ગ્યતાવાળા કુલગી ને પ્રવૃત્તચક ગીઓ છે. વળી કાચ પાર પચાવ જેમ સહેલું નથી, અને જીરવવાની શક્તિ વિના ઉલટ ફૂટી નીકળે છે, તેમ આ ગ-પ્રયાગરૂપ પારો પચાવો સહેલું નથી, અને તે પચાવવાની તાકાત ન હોય તે ઊલટો અનર્થરૂપે ફૂટી નીકળે છે ! અથવા પૌષ્ટિક યોગ-રસાયન રસાયન પચાવવું જેમ સહેલું નથી, અને તેને પ્રયોગ મંદાગ્નિવાળા અનધિકારી દુર્બળ મનુષ્ય પર કરવામાં આવે, તો તે તેને ભારે પડી જાય છે, અને વિપરીત પરિણામ આપે છે, તે એટલે સુધી કે તેને પ્રાણ પણ હરે છે; પણ જે યોગ્ય જઠરાગ્નિવાળા અધિકારી પર તેને પ્રયોગ કરવામાં આવે તે તેને આરોગ્ય આપી દીર્ધાયુ બક્ષે છે; તેમ આ ગ-રસાયનને પ્રયોગ મંદ શક્તિવાળા અનધિકારી જીવ પર કરવામાં આવે છે તે તેને પચતું નથી, અને ઉલટું તેનું મિથ્યા અભિમાનરૂપ અજીણ ઉપજાવી અનર્થકારી થઈ પડે છે, યાવત્ ભાવ–પ્રાણ હરણરૂપ ભાવમૃત્યુ કરે છે; પણ જે એગ્ય ઉદ્દીપ્ત શક્તિસંપન્ન થેગી પુરુષરૂપ અધિકારીને આપવામાં આવે તો તે તેને બરાબર પચે છે, અને ભવરોગ નિમૂળ નાશ કરી અજરામરપણું આપે છે. (૧) શસ્ત્ર પકડતાં પણ ન આવડતું હોય એવા બાલના હાથમાં જે શસ્ત્ર આપવામાં આવે, તે તે ઉલટું તેનું જ ગળું કાપનારૂં થઈ પડી ભક્ષણ કરનાર જ થઈ પડે છે; પણ યેગ્ય શસ્ત્રજ્ઞ સુભટના હાથમાં તે રક્ષણ કરનાર થાય છે. તેમ આ યુગ દર્શીત પ્રયોગ પણ જે અનધિકારી અનભિજ્ઞ અજાણ એવા બાલજીવના શસ્ત્રાદિનું હાથમાં આપવામાં આવે, તે દુગૃહીત હોવાથી, તેનું જ અકલ્યાણરૂપ દષ્ટાંત ભક્ષણ કરનાર થઈ પડે; અને જે યોગ્ય સુજ્ઞ યેગાધિકારીના હાથમાં આવે, તે સુગૃહીત થવાથી, તેનું ભવભયમાંથી રક્ષણ કરનાર થઈ પડે. ( ૨ ) અથવા અગ્નિને જે બરાબર ન પકડ્યો હોય તો દઝાડી દે, તેમ યોગાગ્નિને પ્રયોગ જે બરાબર-વિધિથી ન પકડયો હેય, દુગૃહીત હોય તે ભવભ્રમણતાપથી દઝાડી દે ! (૩) અથવા વ્યાલ-સાપ જે દુગૃહીત હોય, Gધ પૂંછડેથી પકડયો હોય, તે તે પકડનારને જ સ મારી મૃત્યુ નીપજાવે છે, તેમ ગ-પ્રયાગ પણ જે દુગૃહીત હોય તે ભવહેતુ થઈ પડી ભાવ-મૃત્યુ નીપજાવે છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ શ્રી યોગબિન્દુમાં કહ્યા પ્રમાણે શ્રમણ્ય-શ્રમણપણું જો દુહીત હોય તે અનંત સંસારનું કારણ થઈ પડે છે, તેમ યોગ-પ્રયોગ જ દુગૃહીત હોય તો અનંત ભવભ્રમણનું કારણ થઈ પડે છે ! આમ સર્વથા આ ગ-પ્રયોગ યોગ્ય એવા ગી પુરુષના હાથમાં જ મૂકવા x “ મત ga ઘ રાણાનવ્યાસુદનિમઃ | શ્રામગરુડશ્વતઃ રાજ કરો મામઃ | » ગબિંદુ, ૧૮૪. Page #399 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ગ-સાયન અને દુહીત ગમગ (૭૧૧) યોગ્ય છે, અને એના પર જ અજમાવવા યોગ્ય છે, અને સુગ્રહીત જ કરવા યોગ્ય છે, નહિ તે ઊલટો આશાતના-સિદ્ધિવ્યાહ-ચમત્કાર દર્શન આદિ કારણે સુગ્રહીત મહાઅનર્થકારક થઈ પડવાને પૂરેપૂરે ભય છે, યોગભ્રષ્ટતારૂપ ગમગ અધ:પતન કરનારો થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. એટલા માટે અહીં આવા ઉક્ત લક્ષણવાળા વેગીઓને જ આ ગપ્રયોગના અધિકારી કહ્યા છે. રાજ્યાસન પર જેમ એગ્ય રાજગુણસંપન્ન પુરુષ જ બિરાજવા યોગ્ય છે, તેમ આ યોગરાજ્યસન પર પણ યોગ્ય યોગી ગુણસંપન્ન મેગી પુરુષ જ બિરાજવા ગ્ય છે. છતાં જો કે અયોગ્ય-અયોગી તેના પર ચઢી બેસવાની ધૃષ્ટતા–ધીઠાઈ કરે, તે તે–“ફિરતાઓ જ્યાં પગ મૂકતાં ડરે છે, ત્યાં મૂખ ધસી જાય છે.” “Fools rush in where angels fear to tread,–તેના જેવું જ ચેષ્ટિત કરે છે ! માટે ઉક્ત કુલગી ને પ્રવૃત્તચક યોગીઓ જ અહીં અધિકારી છે, એમ કેગના અનુભવી જ્ઞાની યેગી પુરુષોનું કથન છે. આ ગીતમાં પણ કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ પાત્ર પણ હોય છે,જેના લક્ષણ લાક્ષણિક રીતે પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના છેલ્લા અમર કાવ્યમાં આ પ્રકારે ભાખ્યા છે “ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ. નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જિતભ ”-શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપન્યસ્ત યમાદિનું સ્વરૂપ કહે છે– इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥२१४ ॥ અહી અહિંસાદિ યમ, પ્રસિદ્ધ પંચ પ્રકાર અપરિગ્રહ પર્યત તે, ત્યમ ઇરછાદિક ચાર. ૨૧૪, - કૃત્તિ:-- અહીં, લેકમાં, અહિંસા -અહિંસાદિ ધર્મો, પંજ-પંચ-સંખ્યાથી, સક બ્રિાદ-સપ્રસિદ્ધ, સર્વતંત્રસાધારણપણુએ કરીને, યમ-યમો, ઉપર ઇચ્છાય, પ્રવૃત્તિયમ, સ્થિયમે, સિદ્ધિ મે, એમ સતાં-સંતને મુનિઓને, શું પર્યત ? તે કે રિઝર્ચન્તા - અપરિગ્રહ પયત. “ હંસાત્યાન્તયત્રદાવપરિષદ: ચT:-” ( પતં૦ ૨-૩૦ ) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ યમે છે,–એ વચનથી. તથwાહિતુર્વિધા:- તથા ઈચ્છા આદિ ચાર પ્રકારના,-પ્રત્યેક પણે ઈચછાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. Page #400 -------------------------------------------------------------------------- ________________ (૭૧૨) યોગદષ્ટિસમુચય અર્થ –અહિંસાદિ અપરિગ્રહ પર્યત એમ પાંચ યમો સંતેને સુપ્રસિદ્ધ છે. તથા તે પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે. વિવેચન અહીં લેકમાં અહિંસા આદિ ને અપરિગ્રહ પર્યત પાંચ યમે સંતને-મુનિઓને સુપ્રસિદ્ધ છે, સર્વતંત્ર સાધારણપણુએ કરીને સારી પેઠે જાણીતા છે; કારણ કે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ છે,” એવું વચન છે. તથા આ પાંચમાંથી પ્રત્યેક યમ ઇચ્છા આદિ ચાર પ્રકાર છેઃ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. આ અહિંસાદિ પાંચને જેમ યોગ-સાંખ્યાદિ યમ કહે છે, તેમ જૈને તેને “વત’ નામથી ઓળખે છે, બૌદ્ધો “શીલ” નામ આપે છે. આમ શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એટલે સુપ્રસિદ્ધ એવા આ પાંચ યમ સવતંત્રસાધારણ (Common to all religions) હેઈ સર્વમાન્ય છે, સર્વસંમત છે, સર્વદર્શનવાદીઓને સુપરિચિત છે. આવા સુપ્રસિદ્ધને સુપ્રસિદ્ધ કરવા અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આ અહિંસાદિનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી અને પ્રકારે સમજવા યોગ્ય છે અને સમજ આચરવા યોગ્ય છે. દ્રવ્યથી એટલે બાહ્યથી, વ્યવહારથી, શૂલપણે; અને ભાવથી એટલે અંતથી, પરમાર્થથી, સમપણે. અહિંસા એટલે કઈ પણ જીવની હિંસા ન કરવી તે. “ના હિંડ્યા સર્વાળિ મૂતાનિ એમ વેદકૃતિ છે. અને કમાત્રાવ્યો હિંસા – પ્રમત્તયેગથી પ્રાણનું હરવું તે હિંસા છે એમ શ્રી તવાર્થ સૂત્રનું વચન છે. અર્થાત્ ઇદ્રિયાદિ હિંસા-અહિંસા દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી અથવા જ્ઞાન-દર્શનાદિરૂપ આત્માના ભાવ પ્રાણુમાંથી કોઈ પણ પ્રાણુનું મન-વચન-કાયાના પ્રમાદ યોગથી હરવું તેનું નામ હિંસા છે; તેથી વિપરીત તે અહિંસા છે. આમાં “પ્રમાદગ' શબ્દ ખાસ અગત્યનું છે. જે પ્રાણ હરણમાં પ્રમાદ વેગ હોય, તે જ હિંસા છે, નહિ તે નહિં. એટલે કદાચ પ્રાણ હરાયા હોય, પણ મન-વચન-કાયાને પ્રમત્ત યોગ ન હોય તે હિંસા નથી. અને પ્રાણ ન પણ હરાયા હોય, પણ મન-વચનકાયાને પ્રમત્ત યોગ હોય તે હિંસા છે. આમ મન-વચન-કાયાને અપ્રમાદ હોય, યતના હોય, જયણા હોય, જેમ બને તેમ સાચા અંતરંગ ભાવથી જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન (Careful effort) હેય, કાળજી-તકેદારી હેય, તે દ્રવ્ય-પ્રાણહરણથી પણ હિંસા લાગતી નથી. અને મન-વચન-કાયાને પ્રમાદ વેગ હોય, જેમ બને તેમ જીવરક્ષા કરવામાં બેદરકારીરૂપ (Carelessness) અયત્ન હય, બેકાળજી હોય, તે દ્રવ્ય પ્રાણહરણ ન હોય છતાં પણ હિંસા જરૂર લાગે છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: હિંસા-અહિંસા, સત્ય-અસ્તેય આદિ (૭૧૩) આ હિસાથી જે વિપરીત તે અહિંસા છે, એટલે મન-વચન-કાયાને અપ્રમાદ રાખી, યતના કરવી, જાણ કરવી, સાચા ભાવથી જેમ બને તેમ જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન કર, ઉપયોગ-જાગૃતિ રાખવી તે અહિંસા છે. આમ દ્રવ્યથી હિંસા-અહિંસાને મુખ્ય આધાર પણ ભાવથી હિંસા-અહિંસા ઉપર છે–(૧) દ્રવ્યથી હિંસા ન હોય, અને ભાવથી પણ ન હોય, તે તે ઉત્કૃષ્ટ અહિંસા છે. (૨) દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, તે તે તેથી કંઈક ઉતરતી ઉચ્ચ અહિંસા છે. (૩) દ્રવ્યથી હિંસા ન હોય પણ ભાવથી હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ હિંસા જ છે. (૪) દ્રવ્યથી હિંસા હોય અને ભાવથી પણ હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ નિકૃષ્ટ હિંસા જ છે. આમ હિંસા-અહિંસાને મુખ્ય આધાર આત્મપરિણામની ઘાત-અઘાત પર છે. રાગદ્વેષાદિ પરિણામથી જ્યાં આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ-પ્રાણની હિંસા થતી હોય ત્યાં અવશ્ય હિંસા છે; અને તેવા રાગદ્વેષાદિ પરિણામના અભાવે જ્યાં આત્માના જ્ઞાન-દર્શન ભાવ પ્રાણની હિંસા ન થતી હોય, ત્યાં હિંસા નથી. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. (જુઓ પૃ. ૧૦૫ થી ૧૦૭) જે જેમ છે તેમ બોલવું, સાચું બોલવું તે સત્ય છે; અથવા જેમ છે તેમ વસ્તુસ્વરૂપ કહેવું તે સત્ય છે. સને સત્ કહેવું, અને અસત્ કહેવું તે સત્ય છે, અને અસતને સત્ કહેવું, સતને અસત્ કહેવું તે અસત્ય છે. અથવા જેવું સત્ય-અસ્તેય મનમાં હોય, જેવું આચરણમાં હોય, તેવું નિદંભ નિષ્કપટ વચન ઉચ્ચારવું, મન-વચન-કાયાની એક્તા દાખવવી તે સત્ય છે. પારકી વસ્તુ અણુદીધી–તેની રજા વગર ન લેવી તે અસ્તેય-અચૌર્ય છે. અર્થાત પરધનહરણ ન કરવું–શેરી ન કરવી તે અસ્તેય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન તે બ્રહ્મચર્ય છે. મનુષ્યણી, તિર્યચિણી કે દેવાંગના સાથે મન-વચન-કાયાથી મિથુનનુંઅબ્રહ્મચર્યનું વજન તે બ્રહ્મચર્ય છે. ધન-ધાન્ય-ગૃહ-પુત્ર આદિ કઈ પણ પરિગ્રહ ન ગ્રહ તે અપરિગ્રહ છે; કોઈ પણ પિતાની માલીકીની વસ્તુ ન હોવી તે, પિતાનું કંઈ પણ નથી એવું અકિંચનપણું તે અપરિગ્રહ છે. આમ સામાન્યપણે દ્રવ્યથી અહિંસા આદિનું સ્વરૂપ છે. અને ભાવથી તે (૧) અહિંસા એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની હિંસા ન થવી તે. રાગ-દ્વેષ–મહ વિભાવથી આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ પ્રાણુની હિંસા થાય છે; આ રાગાદિ વિભાગ પરિણામે કરીને શુદ્ધ આત્મપરિણામની ઘાત ભાવ અહિંસા ન થવા દેવી તે અહિંસા છે. તાત્પર્ય કે-શુદ્ધ આત્મસ્વરૂપે સ્થિતિ એ જ પારમાર્થિક-તાવિક પરમ અહિંસા છે, અને તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી આ પ્રકારે ઘટાવી શકાય છે :-(૧) આત્માના ગુણ બાધકભાવથી રહિતપણે આદિ Page #402 -------------------------------------------------------------------------- ________________ (૭૧૪) યોગદષ્ટિસમુચ્ચય ગુણપરિણતિએ પરિણમે અને આત્મ દ્રવ્ય અન્ય દ્રવ્યનું અસંગી હોય, આત્મ દ્રવ્યને પદ્રવ્યને સંગ ન હોય,–તે દ્રવ્યથી શુદ્ધ એવી પુષ્ટ અહિંસા છે. (૨) ક્ષેત્રથી સર્વ પ્રદેશમાં પરભાવનો પ્રસંગ ન હોય, અને અશરીરી અગી એવા ભાવથી આત્માની અવગાહના અભંગ હોય, તે ક્ષેત્રથી શુદ્ધ એવી અહિંસા છે. (૩) જ્યાં ઉત્પત્તિ-વ્યય ને ધ્રૌવ્યપણે સહેજે પરિણતિ થાય છે, અને જ્યાં છેદન-જનપણું નહિ હેઈ વસ્તુ સ્વભાવને વિષે સમાય છે,–તે કાળથી શુદ્ધ એવી અહિંસા છે. (૪) અનંત ગુણ પર્યાય, તેમજ કારક પરિણતિ જ્યાં નિજ નિજ પરિણતિએ પરિણમે છે, તે ભાવથી શુદ્ધ એવી અહિંસા છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શુદ્ધ એવી અહિંસાનું જે કઈ એક ધામ હોય, તે પરમ અહિંસકતામય, પરમ દયામય, પરમ કૃપાળુ શ્રી જિનરાજ છે, કારણ કે તે જ સ્વ-પર જીવન રક્ષક એવા તારણ–તરણ જહાજ છે. આમ અહિંસાને ઊંચામાં ઊંચે આદર્શ શ્રી જિન વીતરાગમાં દષ્ટ થાય છે—જેનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ મહાત્મા દેવચંદ્રજીએ આમ સંગીત કર્યું છે – ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવવિહીન...પ્રભુજી! દ્રવ્ય અસંગી અન્યને, શુદ્ધ અહિંસક પીન...બાહુ જિણુંદ દયામયી. ક્ષેત્રે સર્વ પ્રદેશમે, નહિં પરભાવ પ્રસંગ..પ્રભુજી ! અતનુ અગી ભાવથી, અવગાહના અભંગ...પ્રભુજી ! બાહ૦ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય. પ્રભુજી ! છેદન જનતા નહિં, વસ્તુ સ્વભાવ સમાય... પ્રભુજી ! ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ...પ્રભુજી ! બાહુ નિજ નિજ પરિણતિ પરિણમે. ભાવ અહિંસક એમ.પ્રભુજી ! બાહ૦ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ..પ્રભુજી ! રક્ષક નિજ પર જીવને, તારણતરણ જિહાજ પ્રભુજી !”—–શ્રી દેવચંદ્રજી. દ્રવ્ય અહિંસા પણ આ ભાવ અહિંસાની સાધનામાં ઉપકારી થાય છે દ્રવ્ય એ ભાવનું કારણ છે માટે તેમજ દ્રવ્ય અહિંસા એ ભાવ અહિંસાનું સ્વાભાવિક પરિણામ પણ છે. આમ બન્નેને પરસ્પર કાર્ય–કારણ સંબંધ છે. “ દ્રવ્ય થકી છ કાયને, ન હણે જેહ લગાર...પ્રભુજી ! ભાવ દયા પરિણામને, એહી જ છે વ્યવહાર..પ્રભુજી ! બાહુ આતમ ગુણ અવિરાધના, ભાવ દયા ભંડાર....પ્રભુજી ! ક્ષાયિક ગુણ પર્યાયમે, નવિ પર ધર્મ પ્રચાર...પ્રભુજી !” –શ્રી દેવચંદ્રજી. (૨) ભાવથી સત્ય એટલે પરમાર્થથી-તત્ત્વથી સત્ય વચન વદવું તે. જે વસ્તુ તત્વથી જેમ છે તેમજ કહેવી તે સત્ય છે. સ્વને સ્વ કહેવું, પરને પર કહેવું; સ્વને પર ન કહેવું, Page #403 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ભાવ અહિંસા, ભાવ સત્યાદિ (૭૧૫) પરને સ્વ ન કહેવું તે સત્ય છે. સતને સત્ ને અસતને અસત કહેવું, ભાવથી સત્યાદિ તથા સને અસત્ ને અસતને સત્ ન કહેવું તે સત્ય છે. એક શુદ્ધ આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પિતાની નથી, પર વસ્તુ છે, તે પર વસ્તુને પર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય છે; પર વસ્તુને સ્વ કહેવી, પર ન કહેવી તે અસત્ય છે. આમ અનાત્મ વસ્તુને આત્મરૂપ કહેવી તે અસત્ય છે; અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી ને આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, તે જ પરમાર્થ સત્ય છે. આની પરમ મનન કરવા યંગ્ય તાત્વિક મીમાંસા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશી છે – પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માનો થઈ શકતે નથી એમ નિશ્ચય જાણી બેલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી; એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ, અને તેવા ઉપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગીપૂર્વક બોલાય તે તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે.” ઈત્યાદિ. (જુઓ) – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૪પ. (૩) પર વસ્તુનું અપહરણ–ચોરી ન કરવી તે પરમાર્થથી અસ્તેય છે એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પણ પરમાણુમાત્ર પણ પિતાનું નથી, પારકું છે. તે પર વસ્તુનું ગ્રહણ કરવું તે ચેરી છે–અદત્તાદાન છે, તે ન કરવું તે અસ્તેય છે. પરભાવવિભાવ પરિણામ તે ચોરી છે, તે ન કરવા તે અસ્તેય છે. આ પરભાવ-વિભાવરૂપ ભાવચેરી જે કરતો નથી, તે પર દ્રવ્યહરણરૂપ ક્ષુદ્ર દ્રવ્ય-ચેરી તે કરે જ કેમ? (૪) બ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. અબ્રહ્મમાંઅનાત્મમાં, પર વસ્તુમાં વિચરવું-રમણ કરવું તે અબ્રહ્મચર્ય, અથવા વ્યભિચાર, અથવા પર વસ્તુના સંશ્લેષરૂપ મૈથુન છે, દ્વત છે. પર વસ્તુમાં વિચરવું છેડી, વ્યભિચાર ત્યજી, પરભાવને સ્પર્શ પરિહરી, શુદ્ધ અદ્વૈત એવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. આવા ભાવ બ્રહ્મચર્યની સિદ્ધિમાં દ્રવ્ય બ્રહ્મચર્ય ઉપકારી થાય છે, અને દ્રવ્ય બ્રહ્મચર્યની દઢતામાં આવું ભાવ બ્રહ્મચર્ય ઉપકારી થાય છે. આમ દ્રવ્ય–ભાવને પરસ્પર પૂરકરૂપ સહાયક ભાવ છે. (૫) આત્મા સિવાયની બીજી–પર વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ કરી, મૂર્છા કરી, તેનું પરિગ્રહણ કરવું તે પરિગ્રહ છે. તે મચ્છ૩પમમત્વ ભાવરૂપ પરિગ્રહ ન હો તે પરમાર્થથી અપરિગ્રહ છે. પર વસ્તુને પોતાની માની, મારી છે એમ માની, મૂચ્છ–મમત્વ ન કરતાં, પર વસ્તુનું પરમાણુ પણ આત્મભાવે ન ગ્રહવું તે અપરિગ્રહ છે. આવી જેની અપરિગ્રહ ભાવના હેય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠે કરે ? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન ગ્રહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ દઢ ન થાય? આમ બન્નેને કાર્ય કારણ સંબંધ છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ (૭૧૬) યોગદષ્ટિસમુચ્ચય આમ સંક્ષેપે દ્રવ્યથી–ભાવથી અહિંસાદિ પાંચ યમનું સ્વરૂપ છે. તેની સંકલના અબ્દુભુત છે. તે આ પ્રકારે સ્વાથી મનુષ્ય સાંસારિક લેભરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પોતાનું કહે છે-માને છે, એટલે પછી તે લેવા–અપહરવાઅહિંસાદિની ચરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેને ગાઢ સંશ્લેષ–સંસર્ગ કરે છે, સંકલના અને તેવા ગાઢ પરિચયથી તેને પ્રત્યે તેને મૂચ્છ ભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજે છે, જેથી તે પર પરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચોપાસથી જકડાય છે. પણ આત્માથી મુમુક્ષુ જીવ આત્માર્થરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરતું નથી, પરને પિતાનું કહેતા નથી-માનતું નથી, એટલે પછી તે લેવા-અપહરવા–રવા પ્રવર્તતે નથી, એથી તેને સંલેષ સંબંધ થતું નથી, અને તેવા પરિચયના અભાવથી તેને તે પ્રત્યે મૂચ્છભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજતી નથી જેથી તે પરિગ્રહથી પરિગ્રહીત થતું નથી, ચેતરફથી જકડા નથી એટલે આ આ મુમુક્ષુ મુમુક્ષુનું પુરુષ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ આચરણ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચેરીથી, કે પર પ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમવરૂપ પરિગ્રહભાવથી, તે સ્વરૂપસ્થિતિને હાનિ પહોંચવા દેતું નથી. આમ મુમુક્ષુ યોગીપુરુષ પરમાર્થથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમનું–ઉપરમનું સેવન કરે છે. આ યમ અથવા ઉપરમ શબ્દ પણ ઘણો સૂચક છે, કારણ કે સ્વરૂપમાં સંયમન-આત્માને શેકી રાખ-દાબી રાખવો તે યમ છે; અને પરરૂપથી વિરમણ તે ઉપરમ છે. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં સંયમિત થાય તે યમ છે, અને પરભાવથી વિરમિત થાય તે ઉપરમ છે. બન્ને શબ્દનો ફલિતાર્થ એક છે.-આ અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના પાછા ચાર ચાર પ્રકાર છે, શુદ્ધિની તરતમતાના-ઓછાવત્તાપણાના કારણે તે પ્રત્યેકની ચાર ચાર કેટ-કથા છે. ઇછાયમ, પ્રવત્તિયમ. સ્થિરયમ અને સિદિયમ. એટલે આ યમના (૫૪૪૪૨૦) વીશ પ્રકાર થયા. જેમકે-ઈચ્છાઅહિંસા, પ્રવૃત્તિઅહિંસા, સ્થિરઅહિંસા, સિદ્ધિઅહિંસા, ઈચ્છાસત્ય, પ્રવૃત્તિસત્ય, સ્થિરસત્ય, સિદ્ધિસત્ય, ઈત્યાદિ. આ ઈચ્છાદિ પ્રત્યેક પ્રકારનું સ્વરૂપ હવે પછી કહે છે. એઓનું વિશેષ લક્ષણ કહે છે – तद्वत्कथाप्रीतियुता तथाविपरिणामिनी । यमेष्विच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ કૃત્તિ-તત્ત્વથા કીરિયુતા- તદ્દવંત અર્થાત યમવંતની કથા પ્રત્યેની પ્રીતિયુક્ત, તાવિપરિણામિની-તથા અવિપરિણામિની, તદ્ભાવના સ્થિરવથકી, ચમેy-ઉક્ત લક્ષણવાળા યમમાં છા-ઈ, અવા -સમજવા યોગ્ય છે, રૂ-અહીં, યમચક્રમાં, અને આ પ્રથમ થમ ga ત-પ્રથમ યમ જ છે, અનંતર-હમણું જ કહેવા લક્ષણવાળી ઈચ્છી જ ઇછાયમ છે, એટલા માટે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : મુમુક્ષનું અહિંસાદિ આચરણ, ઈરછાયમનું સ્વરૂપ (૭૧૭) યમવંત કથા પ્રીતિ યુતા, અવિપરિણામિની તેમ; ઇચછા યમમાં જાણવી, પ્રથમ યમ જ તે એમ. ૨૧૫. અર્થ –યમવતની કથા પ્રત્યે પ્રીતિયુક્ત, તથા અવિપરિણામિની એવી જે યમમાં ઈચ્છા, તે અહીં મચક્રમાં પ્રથમ યમ જ (ઈસ્કાયમ જ) જાણવી. વિવેચન યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી અને તદ્દભાવ સ્થિરપણાએ કરીને અવિપરિમિની એવી જે યમ પ્રત્યેની ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ છે, અર્થાત ઈચ્છાયમ છે એમ જાણવું. અહિંસાદિ યમને વિષે જે ઇચ્છા ઉત્પન્ન થવી તે જ પ્રથમ એ ઈરછાયમ છે. અહા ! આ અહિંસાદિ કેવા સુંદર છે! કેવા ઉપકારી છે! કેવા કલ્યાણકારી છે. આ અહિંસાદિ મને પણ પ્રાપ્ત હોય તે કેવું સારું ! આ અહિંસાદિ પામવાને હું કયારે ભાગ્યશાળી થઈશ? એવા ભાવની જે સાચી અંતરંગ ઈચ્છા, સ્પૃહા, રુચિ, ભાવના થવી તે જ ઇરછાયમ છે. અંતરાત્માથી તેવી ઈચ્છા થવી એ પણ મોટી વાત છે. સાચી અંતરછા એ સદ્યેગપ્રાપ્તિનું પ્રથમ અને મહાન પગથિયું છે, સન્માર્ગ પ્રવેશનું પ્રથમ દ્વાર છે, મોક્ષમાર્ગને ભવ્ય દરવાજ છે. એ અંતરંગ ભાવરૂપ ઇચ્છા વિના કેઈને પણ આ યોગ સન્માર્ગમાં પ્રવેશ પણ ઘટતો નથી, તે પ્રવૃત્તિ આદિ તે ક્યાંથી હોય? અને બાહ્યથી– દ્રવ્યથી તેમાં પરાણે ઘૂસી ગયેલા દેખાતા કોઈ દંભી ઓળઘાલુ તેમાં પ્રવેશને દા કરતા હોય, તે પણ પરમાર્થથી તેઓને તે સન્માર્ગમાં અંત:પ્રવેશ ઘટતું નથી, તે તે હારના હાર જ, ચોગમાર્ગ બાહ્ય જ રહે છે, માટે ખરો માર્ગ પ્રવેશ તે ઇચ્છાયોગ વિના થઈ શકતો જ નથી, રુચિ-ભાવ વિનાના ભોજનમાં જેમ મીઠાશ આવતી નથી, કળીઓ ગળે ઉતરતો નથી, અથવા પરાણે ઉતારવો પડે છે, મોળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે; - તેમ અંતરંગ ઈચ્છારૂપ રુચિ-ભાવ વિનાના પરમાર્થરૂપ પરમાન રુચિ વિનાના ભેજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગ-માધુર્ય નીપજતું નથી, ભેજનનું દૃષ્ટા સત્ય તત્વ ગળે ઉતરતું નથી–અંતમાં ઠસતું નથી અથવા પરાણે ગળે ઉતારવું પડે છે-મતાગ્રહથી તાણી તેષીને અંતરમાં ઠસાવવું પડે છે, અરુચિરૂપ-અણગમારૂપ મેળ આવે છે, અને તે સત્ય તત્વ પેટમાં ટકતું નથી– જગને દેખાડારૂપ તેનું વમન થાય છે, અથવા મિથ્યા અભિમાનરૂપ અજીર્ણ-અપચો ઉપજે છે. પણ રુચિ–ભાવથી કરેલા ભેજનમાં મીઠાશ આવે છે, કેળીઓ હોંશે હોંશે એની મેળે ગળે ઉતરે છે–પરણે ઉતારે પડતું નથી, પેટમાં ટકે છે, મેળ આવતી Page #406 -------------------------------------------------------------------------- ________________ (૭૧૮) યોગદષ્ટિસમુરચય નથી, અને વમન થતું નથી કે અજીર્ણ ઉપજતું નથી, પણ બરાબર પાચન થઈ એકરસ બની શરીરની સર્વ ધાતુઓને પુષ્ટ કરે છે. તેમ સાચી ઈચ્છારૂપ રુચિભાવથી કરેલા પરમાર્થરૂપ પરમાન ભેજનમાં સાચી મીઠાશ આવે છે–સંવેગ માધુર્ય નીપજે છે, સત્ય તત્ત્વને કેળીઓ હોંસે હસે એની મેળે ગળે ઉતરે છે–સહેજે અંતમાં ઠસે છે, પરાણે ઉતારે પડતો નથી, મતાગ્રહથી તાણખેંચ કરીને ઠસાવ પડતું નથી, અંતમાં ઠરે છે, અરુચિરૂપ મેળ આવતી નથી, દાંભિક ઓળઘાલ દેખાવરૂપ તેનું વમન થતું નથી, કે અભિમાનરૂપ અજીર્ણ—અપ ઉપજ નથી; પણ અંતરાત્મપરિણામરૂપે, બરાબર પરિણત થઈ–પાચન થઈ એક પરમ અમૃતરસરૂપ બની આત્માની સર્વ ધાતુનેશુદ્ધ સ્વભાવ ભાવને પુષ્ટ કરે છે. આ દષ્ટાંત ઉપરથી, રુચિનું-ઈચ્છાનું સન્માર્ગ–પ્રવેશમાં કેટલું બધું મહત્વ છે, “ઈચછે છે જે જોગીજન” પદમાં ઇછે છે પદનું કેટલું બધું અર્થગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. વળી મન વિનાના મિલનમાં જેમ મઝા આવતી નથી, તેમ મન વિનાના-ઈચ્છા વિનાના સન્માર્ગ મિલનમાં ખરી મઝા આવતી નથી. “મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવું” –એના જે આ ઘાટ થાય છે. સન્માર્ગાગરૂપ પરમાર્થ-લગ્નમાં અંતરંગ પ્રીતિરૂપ “લગની લાગ્યા વિના ખરે આનંદ અનુભવાતે નથી. એટલા માટે જ અંતરંગ પ્રીતિરૂપ આ ઇચ્છાગને આ ગમાર્ગમાં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. . વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તે કઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તે તે કાર્ય માટેની અંતરંગ ઇચ્છા-રુચિ–ધગશ જાગવી જોઈએ. એવી અંતરંગ ઈચ્છા હોય, તો જ તેને રસ્તે મળી આવે છે. “Where there is a will there is a way”—એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેને માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત્ કાર્ય માટે પ્રયત્ન (Effort) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્તતાં માર્ગમાં વિન (Obstacle) આવે તો તેને જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનકમે કાર્યની પૂર્ણતા-સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તે ઠરૂપ હોઈ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ “છાર પર લિંપણ” જેવી થઈ પડે છે! આમ સામાન્ય કમ છે. આત્મા કાર્યરુચિવાળે થયે બધા કારક ફરી જાય છે, પલટાઈ જાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છ કારક જે પૂર્વે બાધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ રુચિ–ઈચ્છા ઉપજતાં સાધકપણે પ્રવર્તે છે. આમ અંતરંગ ભાવરૂપ રુચિ-ઈચ્છા ગુણથી જીવની વૃત્તિમાં અજબ પલટે આવી જાય છે, ચમત્કારિક ફેરફાર થઈ જાય છે, કારણ કે જેવી રુચિ ઉપજે છે, તેવું તેને અનુયાયીઅનુસરતું આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે. ( જુઓ કાવ્ય પૃ. ૨૯૧ ) જ્યારે જીગરને પ્રેમ લાગે છે, ત્યારે જ આત્મા જાગે છે, અને ત્યારે જ ખરેખરો રંગ લાગે છે. આવી અપૂર્વ ગુણવાળી જે ઈચ્છા છે, તે વળી યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી તથા Page #407 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : યમવત કથાપ્રીતિઃ “ધન્ય તે મુનિવરા રે!' (૭૧૯) અવિપરિણમિની એવી હોય છે. આ જગમાં જે કોઈ દ્રવ્યથી કે ભાવથી કે બન્નેથી અહિંસા સેવ હોય, સત્ય બોલતે હેય, અરતેય આચરતો હોય, બ્રહ્મચર્ય પાળતા હોય, અપરિગ્રહ ધારતો હોય, તેની કયાંયથી પણ કથાવાર્તા સાંભળવામાં કે વાંચવામાં આવતાં, તેના પ્રત્યે અંતરંગ પ્રીતિ ઉપજાવી-પ્રેમ કુરે તે આ ઈચ્છાનું લક્ષણ છે. સંપૂર્ણપણે કે અપૂર્ણપણે, સર્વથી કે દેશથી, સકલપણે કે વિલપણે જે કઈ સાચા સાધુ પુરુ-સાધક મુમુક્ષુઓ આ અહિંસાદિ યમની સાધના કરતા હોય કે સિદ્ધિ પામેલા હોય, તેના પ્રત્યે આ ઈચ્છાયમવંતને અત્યંત ગુણપ્રમોદ-ગુણાનુરાગ ઉપજે છે. જેમ કે – ધન્ય છે આ અહિંસક મહા મુનિઓ ! કે જેઓ યતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજ્જતુને સમ ગણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજા વતા નથી, રાગ-દ્વેષાદિ ભાવહિંસા કરતા નથી ભાવદયારસના સાગરધન્ય તે નિષ્કારણ કરૂણાસિંધુ એવા આ સાધુ ભગવાન નિરંતર આત્મસ્વરૂપમાં મુનિવર રે” સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી ! અહો ! એમની કરુણા! અહો ! એમની વીતરાગતા ! અહે! એમની સ્વરૂપસ્થિતિ ! અહો! આ સંતની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે! સ્વપ્નમાં પણ આ સાધુચરિત પુરુષે અસત્ય વચન વદતા નથી ! પરવરતુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને ! અહો ! સ્વદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માઓ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ આત્મભાવથી ઈચ્છતા નથી ! અહે એમની નિઃસ્પૃહિતા ! આ સાચા ત્યાગી–સંન્યાસી જેગીજનોનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠોર બ્રહ્મચર્યવ્રત પાળે છે ! સ્વપ્નાંતરે પણ એમના રમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરી રહ્યા છે ! અહા તેમનું આ મહાઅસિધારાગ્રત ધન્ય છે આ નિગ્રંથની પરમ નિગ્રંથ વૃત્તિને ! દ્રવ્ય-ભાવ સમસ્ત ગ્રંથને-પરિગ્રહ બંધનેને તેમણે ઉચ્છેદ કર્યો છે ! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ-મૂર્છા ધરાવતા નથી ! આ આખા જગમાં એક આત્મા સિવાય એમની પિતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચન-નિષ્પરિગ્રહી છે! અહે! એમની નિ થતા ! (જુઓ પૃ. ૧૯૦ તથા ૧૯૭– ૧૯૮). આવા ગુણાનુરાગને લીધે તે મુમુક્ષુના સહજ સ્વયંભૂ ઉગાર નીકળી પડે છે કે – “નમો ટોપ સલાહૂળ” –આ લેકમાં સર્વ સાધુઓને-સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત સહુને નમસ્કાર હો ! અને આવા યમવંતે પ્રત્યે જેને આવી ગુણાનુરાગ જન્ય પ્રીતિ ઉપજે છે, તેને તે યમે અત્યંત ગમી જાય છે, એટલે તેના પ્રત્યે તેને સહજ સ્વાભાવિક સ્પૃહા-રુચિ-ઈચ્છા ઉપજે છે. એટલે તે પૃહા કરે છે કે આવા અહિંસાદિને મને ગ થાય તો કેવું સારું ! આવા અહિંસાદિ સાધવા હું કયારે Page #408 -------------------------------------------------------------------------- ________________ (૭૨૦) ગદષ્ટિસમુચ્ચય ભાગ્યશાળી થઈશ? આવા દ્રવ્ય-ભાવ નિગ્રંથ થવાનો મને અપૂર્વ અવસર એ કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ ? ” (શ્રીમદ્ રાજચંદ્રજી) મહિનભાવ વિચાર અધીન થઈ, ના નિરખું નયને પનારી; પત્થર તુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. -શ્રી મોક્ષમાળા. જેમ કેઈ અમુક સ્થળે વ્યાપારની ભારી અનુકૂલતાને લીધે દ્રવ્યલાભ ખૂબ થાય છે, એમ સાંભળીને સ્વાર્થ પટુ વ્યાપારી વણિકને ત્યાં શીધ્ર દોડી જઈ વિપુલ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાનું મન થઈ આવે; તેમ અત્રે પણ અહિંસાદિ ગવ્યાપારની અનુકૂળતાએ અપૂર્વ આત્મલાભ થાય છે એમ સાંભળીને, આત્માર્થ પટુ મુમુક્ષુને પણ તેવા અહિંસાદિ યેગવ્યાપારથી અપૂર્વ આત્મગુણસંપત્તિ મેળવવાનું મન થઈ આવે છે, રુચિ-ઈચ્છા ઉપજે છે, કોડ-મરથ જાગે છે. “ જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઉપની રે, રુચિ તિણે પાર ઉતાર....અજિત જિન.”– શ્રી દેવચંદ્રજી. તથા આ જે ઈચ્છા ઉપજે છે તે અવિપરિણામિની હોય છે, કદી વિપરિણામનેવિપરીત પરિણામને પામતી નથી, કારણ કે તદ્દભાવની સ્થિરતા હોય છે, એટલે તે ઈચ્છા કદી અનિચ્છારૂપ થતી નથી, પ્રીતિ અપ્રીતિરૂપ થતી નથી, રુચિ અરુચિરૂ૫ થતી નથી. જે ઈચ્છારૂપ ભાવ ઉપજે તે ઉપજે, તે કદી વિપરિણામ પામી અભાવરૂપ થતું નથી. એ ઉત્કટ અંતરંગ ઇચ્છાભાવ અત્રે પ્રગટે છે. તે ઈરછા-રુચિને અંતરંગ રંગ લાગ્યું તે લાગે, કદી ભૂંસાતો જ નથી. જેમ ચાળ મજીઠને રંગ કદી જતો નથી, તેમ આત્માને લાગેલે આ દઢ ઈચ્છા-રંગ કરી જ નથી વસ્ત્ર જીર્ણ થઈને ફાટી જાય પણ પાક મજીઠને રંગ જાય નહિ; તેમ દેહ જીર્ણ થઈને પડી જાય પણ જાગેલા આત્માને લાગેલે આ ભાવરંગ કદી જાય નહિ; તે ભવાંતરમાં પણ આજ્ઞાંકિત અનુચરની જેમ અનુગામી થઈને પાછળ પાછળ ચાલ્યો આવે. ઘાટ ઘડામણ ભલે જાય, પણ સેનું કદી વિણસે નહિં; તેમ દેહના ઘાટ ભલે જાય, પણ તેના જેવા આ જાગ્રત આત્માને લાગેલે અંતરંગ રંગ ટળે નહિં. (જુઓ, કાવ્ય પૃ. ૨૩૯ ) તથા– सर्वत्र शमसारं तु यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् ॥ २२६ ॥ કૃત્તિ–સર્વત્ર-સર્વત્ર સામાન્યથી, રામસાજું સુ-શમસાર જ, ઉપશમસાર જ, યમપાહનમેવ ચT-ક્રિયાવિશિષ્ટ એવું જે યમપાલન, પ્રવૃત્તિરિ વિષે-તે અહીં પ્રવૃત્તિ જાણવી. યમેમ-દ્વિતીય યમ 4 તા-તે દ્વિતીય યમ જ છે, પ્રવૃત્તિયમ છે એમ અર્થ છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : અવિપરિણામિની ઇચ્છા, પ્રવૃત્તિ યમ લક્ષણ ને જે પાલન યમતણું, સત્ર જ શમસાર; પ્રવૃત્તિ અહિ તે જાણવી, જો યમ જ તે ધાર. ૨૧૬ અઃ—સર્વાંત્ર શમસાર-શમપ્રધાન એવુ' જે યમપાલન તે અહીં પ્રવૃત્તિ જાણુવી; અને તે જ દ્વિતીય યમ છે. સામાન્યથી સત્ર શમસાર જ જાણવી; અને તે યમાને વિષે બીજો એવા ( ૭૨૧) ઈચ્છા પછી પ્રવૃત્તિ વિવેચન એવું જે યમપાલન છે, તે જ અહી' પ્રવૃત્તિ પ્રવૃત્તિયમ છે. જે અહિંસાદિ યમ ઇચ્છાયમથી ઇચ્છવામાં આવ્યા, અતરાત્માથી ઇષ્ટ-સ્પૃહણીય ગણવામાં આવ્યા, તેનું ક્રિયાવિશિષ્ટ (In action) પાલન કરવું તે પ્રવૃત્તિયમ છે. તે અહિંસાદિને ક્રિયામાં ઉતારવા, આચરણમાં-ચારિત્રમાં આણવા, દૈનિક જીવનવ્યવહારમાં વણી દેવા તે પ્રવૃત્તિયમ છે. જીવનને અહિ‘સામય, સત્યમય, અસ્તેયમય, બ્રહ્મચર્યંમય, અપરિગ્રહમય કરવા પ્રવર્ત્તવુ તે પ્રવૃત્તિયમ છે. મન-વચન-કાયાના યાગવ્યાપારમાં કૃત-કાતિ- અનુમાદિત ભાવથી અહિંસાદિ પાળવામાં પ્રયત્નશીલ થઈ અંતરેચ્છાને સક્રિય કરી દેખાડવી તે ચમેામાં બીજો એવા પ્રવૃત્તિયમ છે. કારણ કે કોઇ પણ વસ્તુ સાચા દિલથી રુચિ ગયા પછી—ગમી ગયા પછી તે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે મનુષ્ય જરૂર પ્રવર્ત્તન કરે છે—પ્રયત્ન કરે છે. તેમ આ અહિ'સાદિ યમ પ્રત્યે જેને સાચી અંતરેચ્છા ઉપજી છે, તે પછી તે ઇષ્ટ અહિંસાદિની સાધના માટે અવશ્ય પ્રવર્તે છે, અવશ્ય પ્રયત્ન કરે છે, અને તે ગમી ગયેલી—ગેાઠી ગયેલી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં ગમે તેટલા વિઘ્ના નડે, ગમે તેટલી વિપત્તિએ આવી પડે, તેા પણ તે મનુષ્ય તેના પીછા છેાડતા નથી, પણ ઉલટા ખમણા ઉત્સાહથી તે વિશ્નને પણ સામને કરી-વિધ્રુજય કરી આગળ ધપે છે. તેમ અંતરાત્માથી પરમ ઇષ્ટ માનેલા અહિ'સાદિની પ્રાપ્તિના માર્ગોમાં ગમે તેટલા વિઘ્નના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સરિતાએ વચ્ચે નડે, તે પણ આત્માથી મુમુક્ષુ પેાતાના ઇષ્ટ ધ્યેયને કૈડા કઢી મૂકતા નથી, પણ ઉલટા દ્વિગુણિત ઉત્સાહખળથી તે વિઘ્નાના—અતરાયાના પણ પરાજય કરી આગળ વધવા મથે છે, પીઠાઈ કરી માગે સ'ચરે છે. , પરમ આત્મ પરાક્રમવંત જ્ઞાની સત્પુરુષોના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે— " ગમે તેમ હા, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરી, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિએ સહન કરેા, ગમે તેટલી ઉપાધિઓ આવી પડા, ગમે તેટલી આધિએ આવી પડો, ગમે તેા જીવનકાળ એક સમયમાત્ર હા, અને દુનિમિત્ત હા, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ ! છૂટકે નથી.”—શ્રીમદ્ રાજચ`દ્રજી ૧ Page #410 -------------------------------------------------------------------------- ________________ (૦૨૨) “ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરશણુ જગનાથ ! ધીઠાઇ કરી મારગ સંચરૂ, સે'ગૂ કાઇ ન સાથ અભિનંદન જિન દરિશન તરસિયે. ”—શ્રી આન’ઘનજી. પ્રથમ તા કોઈ વટેમાર્ગુ અમુક સ્થળે જવા ઇચ્છે છે, એટલે તે તેના માર્ગે ચાલવા માંડે છે–ગમનક્રિયા કરે છે. અને પછી વચ્ચે આવી પડતા વિઘ્નાને જય કરતા રહી તે પેાતાના ઈષ્ટ સ્થળ પર્યંત ગમનક્રિયા ચાલુ રાખે, તા અનુક્રમે તે ત્રણ પ્રકારના સ્થળે પહોંચે છે. એને વચ્ચમાં ત્રણ પ્રકારના મુખ્ય વિઘ્ન સભવે છે– વિઘ્ન કટકવિઘ્ન, જ્વરવિઘ્ન, અને દિગ્માહવિઘ્ન. (૧) કૅ'ટકવિઘ્ન એટલે કાંટા લાગવાથી જરા ક્ષણભર વિઘ્ન નડે તે; પણ તે નિકળી જતાં તરત મુસાફરી ચાલુ થાય છે. આ જઘન્ય-નાનામાં નાનું વિધ્ન છે. ( ૨ ) ખીજું જ્વવિઘ્ન, રસ્તામાં તાવ આવતાં મુસાફરી માકૅ રાખવી પડે તે, અને તે ઉતરી જતાં મુસાફરી ચાલુ થાય છે. આ ખીજું વિઘ્ન પહેલા કરતાં આકરું હાઈ મધ્યમ છે, વચલા વાંધાનું છે. (૩) ત્રીજું દિગ્માહવિઘ્ન સૌથી આકરૂ હોઇ મેટામાં મોટુઉત્કૃષ્ટ પ્રકારનું વિઘ્ન છે. કારણકે દિશામેાહથી તે મુસાફર પેાતાની જવાની દિશા જ ભૂલી જાય છે, આડફેટે ચઢી જવાથી ગેાથાં ખાય છે, અને પુનઃ માગે ચઢ–ઠેકાણે આવે ત્યાંસુધી આા વિઘ્ન નડે છે. તેમ અહિંસાદિ યાગમાગે પ્રવર્ત્તતાં પણ સાધક યાગીને આવા જઘન્ય મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારનાં વિઘ્ના નડે છે. તેના જય કરી તે મુમુક્ષુ પુરુષ આગળ વધવા મથે છે. જેમકે, શીત-તાપ વગેરે કટક વિઘ્ન સમાન છે, જ્વર વગેરે માહ્ય વ્યાધિ તે જ્વર વિઘ્ન સમાન છે, અને મિથ્યા દર્શનરૂપ અંતર્ વ્યાધિ તે દિગ્મહ વિઘ્ન સમાન છે. આ વિઘ્નામાંથી આ અહિંસાદિનુ પાત્રન-ભંગસરક્ષણ તે કરે છે, અને એમ વિઘ્ન જય કરતા કરતા તે આગળ ધપે છે. “ વિના વિધનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હાય રે, કેમ જાણે અન્નાણુ રે ? પ્રભુ શીત તાપ સુખ વિઘન છે રે, માહેર અંતર વ્યાધિ રે; મિથ્યાદર્શન એહુની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુ॰ આસન અશન જયાર્દિકે રે, ગુરુગે જય તાસ રે; વિઘન જોર એ નવિ ટળે રે, વગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ॰ યેગ સિમુચ્ચય "" સા. ત્ર ગા સ્ત. ઢાલ ૧૦ અને જેમ કુશલ માળી આલવાલથી-કયારાથી કુમળા છેાડનું કાળજીથી પાલન ’– સરક્ષણ કરે છે, તેમ સાધક મુમુક્ષુ સમ્યક્ આચરણરૂપ-સમિતિગુપ્તિરૂપ આલવાલથી ક્યારાથી આ અહિંસાદિરૂપ કામળ છેડનુ યતનાથી ‘ પાલન ’— સંરક્ષણ Page #411 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : ત્રણ પ્રકારના વિઘ્ન, અહિ’સાદેિ છેડનુ” ‘પાલન’ (૭૨૩) અહિંસાદિ છોડનુ પાલન ’ કરે છે. જેમ વત્સલ માતા ખાલકનું યત્નથી લાલન-પાલન કરે છે, તેમ મુક્તિ અનુરાગી મુમુક્ષુ અહિંસાદિ યમનું યત્નથી પાલન કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા નિજ રાજ્યનું પ્રેમથી પાલનરક્ષણ કરે છે, તેમ મુક્તિ-વત્સલ ચેાગીરાજ નિજ અહિંસાદિ યાગ—સામ્રાજ્યનું પ્રીતિથી પાલન-રક્ષણ કરે છે. અથવા કોઈની પાસે મહામૂલ્ય રત્ન હાય, તે તે તેનુ પાલન કેવા યત્નથી કરે ? તે રખેને પડી ન જાય, ગુમાવી ન બેસાય, કાઇ તેને ચારી ન જાય, ભૂલેચૂકે તેને ડાઘ ન લાગી જાય, એટલા માટે તેને સાચવી સ`ભાળીને રેશમી કપડામાં વિંટાળી નાની પેટીમાં મૂકી, તેને કબાટમાં કે તેજૂરીમાં તે રાખી મૂકે છે, અને તે ખરાખર સલામત છે કે નહિ' તેની વારવાર ચાકસી કરે છે. અને આમ તેનું નિર’તર પાલન, ગાપન, ભંગ–સંરક્ષણ, સાચવણી-જાળવણી કરે છે, તેા પછી આ તા અમૂલ્ય ચિન્તામણિ રત્નથી પણ અધિક, મહા મેરુથી પણુ મહામહિમાવાન, એવા અહિં સાદિ ચેાગચિંતામણિના જતન માટે, નિર'તર પાલન માટે, ગેાપન માટે, અભંગ માટે, રક્ષણ માટે, સાચવણી માટે, જાળવણી માટે કેટલેા બધા પ્રયત્ન હાવા જોઈએ ? કેટલી બધી સતત જાગૃતિ હાવી જોઇએ ? કેટલી ખધી અખંડ પુરુષાર્થ પ્રવૃત્તિ હાવી જોઇએ ? ત્યાં ‘પાંચમા આરે કઠણ છે, શું કરીએ ? ' ઇત્યાદિ ખાટા ઠ્ઠાના–એઠા દ્રુઇ પ્રમાદ કરવા કેમ પાલવે ? હજુ ભવસ્થિતિ પાકી નથી, પાકશે ત્યારે વાત, એમ કહી લમણે હાથ દઈ, પાઇપ્રસારિકા કરવી કેમ પેાસાય ? (જુએ. પૃ. ૧૫૩–૧૫૪ ) સર્વત્ર શમસાર અને આવું આ યમપાલન કેવું વિશિષ્ટ છે? તે કે સત્ર શમસાર જ છે, અર્થાત શમ જ જેને સાર છે, અથવા શમથી જ જે સાર છે, પ્રધાન છે, અથવા શમના જ જે સાર છે, એવું છે. આ યમપાલનના સાર શમ છે, અથવા શમનેા સાર આ યમપાલન છે, અથવા શમથી જ આ યમપાલન સાર છે-પ્રધાન છે. તાત્પર્ય કે–યમના પરિણામે સારભૂત એવા શમ જ ઉપજે છે, શમ જ એનુ' સારભૂત ફળ છે; અને શમના પરિણામે સારભૂત એવા યમ જ ઉપજે છે, યમ જ એનું સારભૂત ફળ છે. આમ યમના ને શમના પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. યમના સારભૂત પરિણામરૂપ સત્ર શમ જ ઉપજે છે, સર્વાંત્ર શાંતિનું સામ્રાજ્ય છવાઇ રહે છે; સત્ર-સર્વ સ્થળે એટલે પેાતાને અને પરને, દ્રવ્યથી અને ભાવથી, સવ પ્રકારે શમ જ-શાંતિ જ ઉપજે છે. કારણ કે (૧) જે અહિંસાદિ ચમના સાર શમ સેવે છે તે પાતે અદ્ભુત આત્મશાંતિ અનુભવે છે, અને પરને પણ શાંતિ ઉપજાવે છે. જે અહિ'સાદિ સેવે છે, તે પેાતે તાપ પામતા નથી ને અન્ય જીવાને પણ તાપ પમાડતા નથી. પણ શીતલ ચંદનની જેમ સત્ર તાપનું શમન કરી શીતલતા આપે છે, શીતલ ચંદ્રની જેમ સને આનદ આનંદ ઉપજાવે છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ (૭૨૪) ગદષ્ટિસમુચ્ચય (૨) અથવા યમનું ફલ ઉપશમ અર્થાત્ સર્વત્ર કષાયાદિની ઉપશાંતિ છે, જે અહિંસાદિ યમ પાળે છે, તેને ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ જાય છે, અને તે બીજાઓના કષાયને પણ ઉપશાંત કરે છે. કારણકે અહિંસા-સત્યાદિથી ક્રોધાદિ કષાયના ઘણું ઘણું કારણે સ્વયમેવ દૂર થઈ જાય છે, અને અહિંસક સત્ય વક્તાને ચારિત્ર પ્રભાવ અન્ય જીવ પર પણ સહજ સ્વભાવે પડે છે, તેથી સ્વ–પરના કષાયને ઉપશમ થાય છે. (૩) અથવા અહિંસાદિ યમ જે સેવે છે, તે સમભાવરૂપ શમને-શાંતિને પામે છે. કારણ કે સમભાવી આત્મા “સર્વ જગજતુને સમ ગણે છે, માન-અપમાન, વંદક–નિદક આદિને સમ ગણે છે, એટલે તેને વિષમતારૂપ અશાંતિ હોતી નથી. (૪) અથવા અહિંસાદિ જે પાળે છે, તેને શમ અર્થાત્ સ્વરૂપશાંતિ ઉપજે છે, તે સ્વરૂપમાં સમાય છે. ઉત્કૃષ્ટ અહિંસાદિનું સહજ સ્વભાવિક ફળ સ્વરૂપમાં શમાવું એ છે, કારણ કે સ્વરૂપની ઘાત ન થવા દેવી અને પરભાવ પ્રત્યે ગમન ન કરવું, એ જ પારમાર્થિક ભાવ અહિંસાદિનું પરમ સ્વરૂપ છે. એટલે આવા અહિંસાદિથી જીવ સમસ્ત પરભાવથી વિરામ પામી સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને ભજે છે, અર્થાત્ સ્વરૂપમાં સમાય છે. (જુઓ પૃ. ૩૯૫ તથા પૃ. ૫૭૨) અથવા ઉલટી રીતે લઈએ તે સર્વત્ર શમના સારરૂપ યમપાલન જ છે. કારણ કે (૧) જીવ જ્યારે શમને પામે છે, અર્થાત કષાયની ઉપશાંતિને-ઉપશમને પામે છે, ત્યારે તેના ધ-માન-માયા-લોભાદિ દુષ્ટ ભાવ મેળા પડે છે, શમને સાર યમ એટલે ક્રોધાદિને વશ થઈ તે હિંસાદિ કરતા નથી, અને સ્વાભાવિક રીતે અહિંસાદિ પ્રત્યે જ ઢળે છે. (૨) અથવા જીવ જ્યારે અમનેશાંતિને પામે છે ત્યારે તે અન્યને પણ શાંતિ આપે છે, હિંસાદિથી પરને ઉપતાપ ઉપજાવતો નથી. (૩) અથવા જીવ જ્યારે શમને-સમભાવને પામે છે ત્યારે તે સર્વ જગત જીને સમ ગણતો હાઈ હિંસાદિ કરતો નથી અને અહિંસાદિ પાળે જ છે. (૪) અથવા જીવ જ્યારે સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને પામે છે, સ્વરૂપમાં સમાય છે, ત્યારે તે સ્વરૂપ અહિંસાદિરૂપ ઉત્કૃષ્ટ અહિંસાદિ યમપાલન કરે જ છે. આમ યમપાલનને સાર શમ અને શમને સાર યમપાલન, એમ પરસ્પર સંકલિત છે. જે મુમુક્ષુ યમ એટલે ઉપરમ (વિરતિ) પામે છે, તે શમ એટલે ઉપશમ પામે છે, અને જે શમ–ઉપશમ પામે છે, તે યમ–ઉપરમ પામે છે. યમ ત્યાં શમઃ કારણ કે જે કષાયાદિને ઉપશમ પામે છે તેને વિષયાદિ નિમિત્તે શમ ત્યાં યમ થતા હિંસાદિને ઉપરમ-વિરમણન અવશ્ય હોય છે, અને જેને વિષયા થતી હિંસાદિને ઉપરમ હોય છે, તેને કષાયાદિનો ઉપશમ હોય છે, કારણ કે વિષયથી કષાય ને કષાયથી વિષય હોય છે, એટલે વિરતિ પામે છે તે શાંતિ પામે છે, અને શાંતિ પામે છે તે વિરતિ પામે છે. “જ્ઞાની ૮ વિરતિઃ તાત્પર્ય કે-(૧) જે પરભાવથી Page #413 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : યમને સાર શમ, શમને સાર યમ (૭૫) વિરતિરૂપ ઉપરમ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨) અથવા પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સંયમ–ચમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને જે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સંયમ–ચમ પામે છે. અત્રે ઉપરમ-ઉમશમનો આ ઉપક્રમ જણાય છે - પ્રથમ તે જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે તે હિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિરતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિની માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીઓ છૂટતી જાય છે. ચાવતુ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખને અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં સમાય છે. વળી આ યમપાલન શમથી જ સાર છે–પ્રધાન છે. શમ ઉત્પન્ન થ એ જ આ યમપાલનને સાર છે. જેટલે અંશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. આત્માને કષાયની ઉપશાંતિ થઈ, સર્વત્ર સમભાવ આવ્ય, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તે સમજવું કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂકયું છે. અને જેમ કેઈ પણ પ્રવૃત્તિનું-ક્રિયાનું કંઈ ને કંઈ વિશિષ્ટ ફળ હોય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું ક્રિયાનું સારભૂત ફળ આ “શમ” જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવર્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે – નાસ્તિ ૪/૪હ્ય તસુણે નૈવ સેવાકિસ્યા ચરકુમÈવ સપોર્ટીયાપાદિતી !” શ્રી પ્રશમરતિ. विपक्षचिन्तारहितं यमपालनमेव यत् । तत्स्थैर्य मिह विज्ञेयं तृतीयो यम एव हि ॥ २१७ ॥ વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જે; તે ધૈર્ય અહીં જાણવું, ત્રીજો યમ જ છે તેહ. ૨૧૭ વૃત્તિ-વિપક્ષજિજ્ઞાહિત વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિંતાથી રહિત એમ અર્થ છે, ચમપાદનમેવ ચત-જે યમપાલન જ વિશિષ્ટ ક્ષયપામવૃત્તિવડે કરીને, તા થૈર્ચમિ વિજ્ઞયમ-તે અહીં-યમમાં સ્થય જાણવું, અને આ તૃતીયો યમ ઇવ હિ-તૃતીય યમ જ છે, સ્થિર યમ છે, એમ અર્થ છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ (૭૨૬) યોગદૃષ્ટિસમુચ્ચય અર્થ :—વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે યમપાલન જ, તે અહીં યમામાં સ્થય જાણવું; અને તે ત્રીજો યમ જ-સ્થિર યમ જ છે. વિવેચન અતિચારાદિ વિપક્ષ ચિન્તાથી રહિત એવુ· જે વિશિષ્ટ ક્ષયાપશમવૃત્તિથી યમપાલન જ છે, તે અહી' યમામાં સ્થય છે; અને તે જ ત્રીજો સ્થિરયમ છે. એટલે આ અહિ'સાઢિ યમનુ પાલન એવું તા સુદૃઢ થઇ જાય કે રખેને ભૂલેચૂકે અતિચાર આદિ લાગી જશે એવી ચિંતા રાખવી ન પડે, તેનું નામ સ્થિરપણું છે. પ્રવૃત્તિયમમાં પણ યમપાલન હતું જ, પણ ત્યાં હજુ અતિચાર-દેશભગ અતિચારાદિ આદિ દોષના સંભવ હતા; અને અહી. સ્થિરયમમાં તે એટલુ ચિંતારહિતપણું બધુ સ્થિરપણું થઇ જાય છે કે અતિચારાદિ દોષનેસ'ભવ રહેતા નથી. પ્રવૃત્તિયમમાં હજુ અહિ'સાદિના પ્રતિપક્ષી ર્હિંસાદિ દોષની સ‘ભાવનાને લીધે અહિંસાદિને દેશભંગ થવાના, અતિચાર લાગવાના, વ્યાઘાત થવાના ભય હતા, પણ હવે અહીં તે તેવા ભયને અવકાશ નથી. પૂર્વ અતિચારરૂપ કટક વિઘ્નના, હિંસાદિરૂપ જ્વર વિઘ્નને, અને મતિમેહ-મિથ્યાત્વરૂપ દિગ્મેહ વિઘ્નના ભય રહ્યા કરતા હતા. પણ હવે તેવા કેાઇ વિઘ્નના ભય રહેતા નથી. યાગમાગે િિવઘ્ન નિશ્ચિ’ત પ્રવૃત્તિ હોય છે, કારણ કે પ્રથમ માગે પ્રવૃત્તિ કરતા ઢાય, તે માêના અજાણુ હાઇ તેને ઠોકર પણ લાગે છે, વિઘ્ના પણ આડા આવે છે; એટલે ઠોકર ન લાગે, વિઘ્ના આડા ન આવે, અથવા દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં, કાળજી રાખતાં રાખતાં તેને ચાલવું પડે છે; પણ પછી રસ્તાના રીઢા માહિતગાર ભેમિયા થઇ જતાં તેને ઠોકર લાગવાની કે વિઘ્ના નડવાની બીક રાખવી પડતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક ચાલ્યા જાય છે. તેમ આ અહિંસાદિ ચેાગમાગે જે પ્રથમ પ્રવૃત્તિ કરતા હેાય તે માના અજાણુ–અનભ્યાસી હાઇ, તેને અતિચારાદ્વિરૂપ સ્ખલના પણ થાય છે, ઠોકર લાગે છે, હિંસાદિ વિઘ્ના પણ નડે છે, એટલે પુનઃ સ્ખલના ન થાય, વિઘ્ના આડા ન આવે અથવા કેમ દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં–ઉપયાગરૂપ કાળજી રાખતાં રાખતાં તેને ગમન કરવું પડે છે. પણ પછી માના સુજાણુ—અભ્યાસી થઈ ગયા પછી તેને અતિચારાદિ સ્ખલના થવાની કે હિંસાદિ વિધ્ન નડવાની ભીતિ રહેતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે એધડક અહિં'સાદિ ચેાગમાગે ગમન કર્યાં કરે છે. પ્રાર’ભક ચેાગી ‘કાચા' હાઇ તેને હજુ સ્ખલનાના—અતિચારના સભવ છે, પણ પ્રૌઢ અભ્યાસી યાગી પાકો ' થઈ ગયા હેાવાથી તેને ભૂલેચૂકે પણ સ્ખલનાના સ`ભવ નથી. (૧) · નવા નિશાળીએ' પાઠ લે તેમાં ભૂલચૂક થવાને સભવ Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : સ્થિર યમ લક્ષણ, અતિચારાદિ ચિંતારહિતપણુ• (૭૨૭ ) છે, પણ પ્રૌઢ વિદ્યાથી કડકડાટ પાડે એટલી જાય તેમાં લેશ પણ સ્ખલનાના 'ભવનથી હાતા. તેમ આ અહિંસાદિમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરનારા-કાચા અભ્યાસી અહિંસાદ્ધિ આચરે તેમાં અતિચાર લાગવાના ભય છે, પણ તેના દૃઢ પાલનથી રીઢા થઈ ગયેલા પાકા અભ્યાસી તે આચરે તેમાં અતિચાર દોષને ભય નથી. ( ૨ ) કસરત શરૂ કરનારા શિખાઉને પ્રથમ મગદળ ફેરવવુ ભારે થઈ પડે છે, ને તે હાથમાંથી ‘પડું પડું' થઈ જાય છે, પણ સારી પેઠે વ્યાયામ કરી ચૂકેલા કસાયેલા શરીરવાળા કસરતખાજ મલ્લને તે ભારી મગદળ ફેરવવુ રમત થઈ પડે છે, ને તે તેના હાથમાંથી સ્ખલના પામતું નથી. તેમ અહિંસાદિ યમને વ્યાયામ શરૂ કરનારને પ્રથમ તે તેનું આચરણ કઠિન લાગે છે ને તેમાં સ્ખલના થઈ કે થશે એવી ચિ'તા રહે છે. પણ સારી પેઠે યમપાલનના વ્યાયામ કરી ચૂકેલા પુષ્ટ કસાયેલા ચારિત્ર-દેહવાળા ચેગીને તે મેરુ જેવુ' ભારી વ્રત પાલન-યમપાલન કરવું રમત થઈ પડે છે, ને તે કદી સ્ખલના પામવાના ભય રહેતેા નથી. ( ૩ ) તલવારની ધાર પર ઊભા રહેતાં પણ શીખવાનું પ્રથમ અભ્યાસીને આકરુ` પડે છે, અને તેની સ્ખલના પણ થાય છે; પણ પછી અભ્યાસ કરતાં કરતાં તે તલવારની ધાર પર ઊભે રહી શકે છે, એટલુ જ ન&િ. પણ તેના પર સ્હેલાઇથી તાલખદ્ધ નૃત્ય કરી શકે છે, છતાં સ્ખલના પામતા નથી ! એવા અજખમાજીગર તે બની જાય છે! તેમ અહિંસાદિ પાલનરૂપ અસિધારા વ્રત પર ઉભા રહેતાં પણ શીખવાનુ. પ્રાર`ભકને કઠિન પડે છે, અને તેમ કરતાં તેની અતિચારરૂપ સ્ખલના પણ થાય છે; પછી પુનઃ પુન: આસેવનારૂપ અભ્યાસ કરતાં કરતાં તેની પાછળ - રઢ લગાડીને મડયા રહેતાં, ' તે અસિધારાવ્રત પર સ્થિર ઊભા રહી શકે છે, એટલુ જ નહુિ પણ તેના પર સ્હેલાઇથી સંયમરૂપ તાલબદ્ધ નૃત્ય પણ કરી શકે છે! એવું અજબ ખાજીગરપણુ આ સ્થિર યાગિરાજ દાખવે છે ! ( જુએ પૃ. ૫૩૦, ધાર તરવારની' ઇ॰) (૪) શસ્ત્ર વ્યાપાર શીખનારને પ્રથમ તેા હાથમાં ખરાખર શસ્ર પકડતાં પણ આવડતુ નથી, ને તે પડી જવાને પણ ભય રહે છે; પ શસ્ત્રવિદ્યા સારી પેઠે શીખી લીધા પછી તે શસ્ત્રજ્ઞ શસ્ત્રને ગમે તેમ વિજી શકે છે, ને હાથેા દઢપણે હાથમાં પકડયો હાવાથી તેની સ્ખલના થવી સંભવતી નથી. તેમ આ અહિંસાદિ ચે।ગવ્યાપારના અભ્યાસીને પ્રથમ તા આ ચેગવ્યાપાર ખરાખર આવતા નથી ને તેનું પતન થવાનેા ભય પણ રહે છે; પણ આ વૈગશાસ્ત્ર વિદ્યા સારી પેઠે અભ્યાસી લીધા પછી શાસ્રજ્ઞ અભ્યાસી યાગીને તે અહિંસાદિ યાગવ્યાપાર લીલારૂપ થઈ પડે છે, અને અત્યંત દૃઢતાને લીધે તેની સ્ખલના થવાનેા સભવ નથી હોતા. ( ૫ ) શિખાઉ કવિને પ્રથમ કાવ્ય કરતાં કઠિન પડે છે ને યતિભંગ આદિ દોષના સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધઠુસ્ત કવિને કાવ્ય કરવું સહેલું છે, સહજ છે, ને યતિભંગ આદિ દોષના સભવ નથી હાતા. તેમ પ્રારભફ ચેગીને પ્રથમ અહિંસાદિ યમપાલન કનિ પડે છે, ને અતિચારરૂપ ‘ યતિભંગ ’ અભ્યાસી આદિના દૃષ્ટાંત Page #416 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨૮) યોગદક્ષિસમુચ્ચય આદિ દેષના સ`ભવ છે, પણુ પ્રૌઢ સિદ્ધહસ્ત સયમી ચેાગીને અહિં’સાદિ યમપાલન સહેલું છે, ને તેવા ‘યતિભંગ ’ આદિ દોષ નડતેા નથી.-આમ પ્રવૃત્તિયમમાં અને સ્થિર યમમાં યમપાલન તે સામાન્ય જ છે, પણ પ્રવૃત્તિયમમાં અતિચારાદિ દોષ સંભવ છે, અને સ્થિરયમમાં તે દોષના અસંભવ છે,-આ મુખ્ય તફાવત એ બે વચ્ચે છે. તેમ જ બીજો તફાવત એ છે કે-પ્રવૃત્તિ યમના પાલન કરતાં સ્થિરયમનું પાલન વિશિષ્ટ ક્ષયાપશમ વૃત્તિથી યુક્ત એવુ હેાય છે. સામાન્ય વિદ્યાભ્યાસમાં પણ એકડી કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતે જાય છે, તેમ તેમ વિદ્યાર્થી ને ક્ષયાપશમ વધતા જાય છે—બુદ્ધિવિકાસ થતા જાય છે, બુદ્ધિમળ વધતુ જાય છે, એટલે તે વિકસિત બુદ્ધિબળથી અભ્યાસ આગળ વધારતા જાય છે તેમ આ ચેાગવિદ્યાભ્યાસમાં પણ પ્રાથમિક અભ્યાસ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતા જાય છે, તેમ તેમ આ ચેાગવિદ્યાભ્યાસી આત્માથી યેાગીના ક્ષયાપશમ વધતા જાય છે, જ્ઞાનિવકાસ થતા જાય છે, ચારિત્રખળ વધતુ જાય છે, એટલે તે વિકસિત વિશિષ્ટ ક્ષયેાપશમ ખળથી એર ને એર યેાગાભ્યાસ આગળ વધારતા જાય છે. વ્યાયામ શરૂ કરતાં પ્રથમ તા થાડા થાડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી વ્યાયામથી જેમ જેમ શરીર કસાતું જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. તેમ ચાગ-વ્યાયામ શરુ કરતાં પ્રથમ તે થાડા વ્યાયામ થઈ શકે છે, પણ પછી ચાગવ્યાપારથી જેમ જેમ ચારિત્ર-શરીર કસાતું જાય છે, ચારિત્ર દેહનેા વિકાસ થતા જાય છે, ચારિત્ર-કાયા પુષ્ટ થતી જાય છે, તેમ તેમ અધિક ખળથી વિશેષ યાગવ્યાયામ થઈ શકે છે. આમ પ્રથમના ચમપાલન કરતાં સ્થિયમ ચેાગીનું આ યમપાલન અધિક બળવાન્, અધિક સંવેગવાન્, અધિક ક્ષયાપશમવાત્, ને અત્યંત સ્થિરતાવાનૂ હાવાથી વિશિષ્ટ જાવું. તે એટલે સુધી કે અચલ ચળે પણ આ સાધક ચેાગીનું યમપાલન ન ચળે. આ સ્થિરતાનુ ઉત્તમ ઉદાહરણ શ્રી જિન ભગવાનમાં પ્રાપ્ત થાય છે— વિશિષ્ટ ક્ષયાપશમ “ અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકળ પ્રદેશે અન'તી, ગુણુપર્યાય શક્તિ મહુતી લાલ. અતિ॰ તસુ રમણે અનુભવવતી, પરરમણે જે ન રમતી લાલ. અતિ પર દ્રવ્યે જે નવિ ગમણી, ક્ષેત્રાંતરમાંહિ ન રમણી લાલ. અતિ॰ અતિશય ચેાગે જે નવિ દ્વીપે, પરભાવ ભણી નિવ છીપે લાલ. અતિ નિજ તત્ત્વ રસે જે લીની, ખીજે કીણુ હી વિ કીની લાલ. અતિ॰ ”—શ્રી દેવચંદ્રજી અને યમપાલનનુ જ જે શમસારપણુ છે તે તે આગળની જેમ અત્રે પણ અધિક અધિકપણે અનુવર્તે છે જ એમ જાણવું. જેમ જેમ યમપાલનનું સ્થિરપણુ’–દેઢપણું થતું જાય છે, તેમ તેમ પ્રશમ સુખની માત્રા વધતી જાય છે. 節 Page #417 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : અચિત્ય શક્તિનથી ૫ર સાધક સિદ્ધિયમ (૭૨૯) परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्य शक्तियोगेन चतुर्थों यम एव तु ॥ २१८ ॥ પરાર્થસાધક સિદ્ધિ આ, શુદ્ધ આત્મની સાર અચિત્ય શક્તિ યોગથી, ચતુર્થ યમ આ ધાર, ૨૧૮ અર્થ—અને પરાર્થ સાધક એવું આ યમપાલન તે અચિત્ય શક્તિગે કરીને શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે; અને આ ચતુર્થ યમ જ-સિદ્ધિયમ જ છે. વિવેચન પરાર્થનું-પ૫કારનું સાધક એવું જે આ યમપાલન છેતે સિદ્ધિ છે; અને આ શુદ્ધ અતરાત્માની સિદ્ધિ છે–બીજાની નહિં, કારણ કે તેની સંનિધિમાં વૈરત્યાગ હોય છે, એવું તે સિદ્ધિનું અચિન્ય સામર્થ્ય હોય છે. અને આ જે સિદ્ધિ છે તે જ થે સિદ્ધિયમ છે. ઉપરમાં જે અહિંસાદિ યમપાલન કર્યું, તે જ ઉત્તરોત્તર શુદ્ધિને પામતું પામતું, એવું ઉત્કૃષ્ટ કેટિનું થઈ જાય કે તે સહજ સ્વભાવે પરમાર્થનું સાધક થઈ પડે, એને એ અચિત્ય શક્તિ હોય છે, કે જેથી પરના ઉપર સહેજે ઉપકાર થાય. જેમકે તેની સંનિધિમાં-નિકટતામાં વૈરત્યાગ હોય છે, “હંસાબરિકા તરન્નિધી વૈલ્યાઃ ' (પાત. ય.) ઈત્યાદિ. (જુઓ પૃ. ૨૦, “તે આત્મસ્વરૂપથી મહતુ ઈ.') આમ અચિન્ય શક્તિગથી પરાર્થ સાધક એવું જે યમપાલન તે શુદ્ધ અન્તરાત્માની જ સિદ્ધિ છે,-બીજાની નહિં. અર્થાત્ અંતરાત્મા એટલે બધા શુદ્ધ થઈ જાય છે કે તેને અચિત્ય ચારિત્રપ્રભાવ સહજ સ્વભાવે અન્ય છે અચિત્ય પર પડે છે, જેથી હિંસક ક્રૂર પ્રાણીઓ પણ પોતાના જાતિવૈર આદિ શક્તિયોગ ભૂલી જાય છે. દા. ત.-ભગવાન તીર્થંકરના સમવસરણમાં જાતિવૈરવાળા પ્રાણીઓ પણ જાતિવૈર ભૂલી જઈ પ્રેમથી બાજુ-બાજુમાં બેસીને દેશના સુણે છે. જેમકે-હરિણી સિંહશિશુને પુત્રબુદ્ધિથી સ્પશે છે, ગાય વાઘના બચ્ચાને પિતાને પુત્ર માની પંપાળે છે, બિલાડી હંસબાલને પ્રેમ પરવશ થઈ સ્પર્શે છે, મયૂરી રિ-પાર્થસાધવં તદ્-પરાર્થસાધક એવું આ યમપાલન, રિદ્ધિ-સિદ્ધિ કહેવાય છે. અને આદ્વારFર-શુદ્ધ અંતરાત્માની–અન્યની નહિં. વિચારતોન–અચિન્ત શક્તિગથી, તેની સંનિધિમાં વૈરત્યાગ થકી. આથી આવતર્યો યમ 4 -ચતુર્થ યમ જ છે, સિદ્ધિયમ છે એવો ભાવ છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ (૭૩૦) સાપને સ્પશે છે,“આમ એક સમભાવરૂઢ, કષાય આશ્રયે ખીજા પ્રાણીએ પણ મદ રહિત થઇ યોગદિસમુચ્ચય કલુષતા રહિત એવા ક્ષીણમેાહ યેાગીના પેાતાના આજન્મ વૈર છેાડી દીએ છે. " सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम्, मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्या जन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, શ્રિત્વા સામ્ચઢત્રમિતજીવંચોનિનં શ્રીળમોદ્દમ્ ।।''—શ્રી શુભચંદ્રાચાર્ય કૃત શ્રી જ્ઞાનાવ. આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થતાં અત્યંત સ્થિરતા થતાં, તે પરમ અહિંસક મહાત્મા ચેાગીશ્વરની સનિધિમાં આમ જાતિવૈરને પણ ત્યાગ હેાય છે. તેમજ સત્યાદિની પ્રતિષ્ઠામાં તથાપ્રકારના તેવે તેવા મહાપ્રભાવ વર્તે છે, ઇત્યાદિ પાતંજલ આદિ યેાગશાસ્ત્રમાં જે વર્ણવવામાં આવ્યુ છે, તે સ અત્ર તીર્થંકર જેવા પરમયેાગીના ચિરતમાં પ્રગટ ચરિતાર્થ થયુ. પ્રતીત થાય છે, તે પરમ ચેાગેશ્વરના અચિન્ત્ય મહાપ્રભાવના એક દેશમાં શમાઇ જાય છે. આવી જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેનું નામ સિદ્ધિ છે,-નહિ' કે અન્ય વ્યામાહ ઉપજાવનારા ચમત્કારાદિની સિદ્ધિ તે સિદ્ધિ તેવી ચમત્કારાદિ ખતાવી નમસ્કાર કરાવવારૂપ સિદ્ધિ તે સ્વને ને પરને પાડનારી છે, યાગીને અધઃપતિત– ભ્રષ્ટ કરનારી છે. આ અંગે પરમ ચેાગસિદ્ધિસ‘પન્ન શ્રીમદ્ રાજચ`દ્રજીના પરમ મનનીય વચનામૃત છે કે:— “ સમ્યગ્દષ્ટિ પુરુષો કે જેના ચેાથે ગુણઠાણે સ'ભવ છે, તેવા જ્ઞાની પુરુષાને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હાતી નથી. જેને વિષે હાય છે તેને તે સ્ફુરણા વિષે પ્રાયે ઇચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હાય તેા થાય છે; અને જે તેવી ઇચ્છા થઈ તે સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે છઠ્ઠું ગુઠાણું પણ ઉત્તરાત્તર સિદ્ધિોગનેા વિશેષ સભવ થત જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદ્યાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તેા પ્રથમ ગુણુઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણુઠાણું, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદના અવકાશ ઓછે છે અગિયારમે ગુણુઠાણું સિદ્ધિજોગને લેાભ સંભવત જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હેાવી સ`ભવે છે. ખાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે, અને જ્યાંસુધી સમ્યગ્ પરિણામી આત્મા છે ત્યાંસુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૬૯ (૪૫૦) આમ યમના ચાર પ્રકાર કહ્યાઃ ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. તેમાં ઇચ્છાયમ તે અહિંસાદિ યાગમાગ પ્રત્યેની રુચિરૂપ છે, પ્રવૃત્તિયમ તે માગે સંચરવા રૂપ-ગમનરૂપ છે, સ્થિરયમ તે માર્ગે નિરતિચાર નિર્વિઘ્ન ગમનરૂપ-અત્યંત સ્થિરતા Page #419 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તે જ સિદ્ધિ (૭૩૧) રૂપ છે, અને સિદ્ધિયમ તે માર્ગના અંતિમ ધ્યેયને પામી પપકાર કરવારૂપ છે. ઈચ્છાયમથી માંડીને જેમ જેમ યોગી આગળ વધતું જાય છે, તેમ તેમ તેની આત્મવિશુદ્ધિ વધતી જાય છે, સંવેગરૂપ વેગ અતિ વેગ પકડતે જાય છે, ક્ષપશમ બળ વૃદ્ધિ પામતું જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે. આ શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ, તેમાં ઉત્કૃષ્ટ કેટિનું યમપાલન શમાઈ જાય છે; કારણ કે ત્યારે આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બની જાય છે, રાગાદિ વિભાવથી સ્વરૂપની હિંસા કરતો નથી; પૂર્ણ સત્યમય બની જાય છે–પરભાવને શુદ્ધ અંતરા- પિતાને કહેવારૂપ અસત્ય વદત નથી; પૂર્ણ અસ્તેયમય બની જાય ત્માની સિદ્ધિ છે–પરભાવને લેશ પણ અપહરતે નથી; પૂર્ણ બ્રહ્મચર્યમય બની જાય છે,-શુદ્ધ આત્મસ્વરૂપમાં, બ્રહ્મમાં ચરે છે ને પરભાવ પ્રત્યે વ્યભિચરત નથી; પૂર્ણ અપરિગ્રહમય બને છે, પરભાવના પરમાણુ પ્રત્યે પણ આત્મભાવરૂપ મમત્વબુદ્ધિ ધરતા નથી. આમ સમસ્ત પરભાવથી વિરામ પામી, સમસ્ત પરપરિણતિને પરિત્યાગ કરી, તે આત્મારામી યોગી સ્વભાવમાં આરામ કરે છે, ને શુદ્ધ આત્મપરિણતિને નિરંતર ભજ્યા કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું નામ જ પરમ બ્રહ્મચર્ય, તેનું નામ જ પરમ અપરિગ્રહ, અને આમ આ પાંચે જેને પરમ પરિપૂર્ણ વર્તે છે, તે જ સાક્ષાત્ જીવંત પરમાત્મા, તે જ જંગમ કલ્પવૃક્ષ કે જેને ધન્ય જન સેવે છે. (જુએ કાવ્ય, પૃ. ૬૦૨). યમ પ્રકારોનો સાર અહીં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ-શીલ-વ્રત સર્વ તંત્ર સાધારણપણાથી સંત જનેને સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યેક યમના ચાર ચાર પ્રકાર છે? ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ. (૧) યમવંતની કથા પ્રત્યે પ્રીતિવાળી એવી જે યમને વિષે અવિપરિણામિની ઈચ્છા, તે પહેલે ઈચ્છાયમ છે. (૨) સર્વત્ર શમસાર એવું જે યમપાલન તે જ અહીં પ્રવૃત્તિ છે, અને તે જ બીજો પ્રવૃત્તિયમ છે. (૩) અતિચારાદિ ચિન્તાથી રહિત એવું જે યમપાલન તે જ અહીં રવૈર્ય છે, અને તે જ ત્રીજો સ્થિરયમ છે. (૪) અચિંત્ય શક્તિયોગથી પરાર્થનું સાધક એવું જે આ યમપાલન તે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ છે, નહિં કે અન્યની, અને આ જ ચે સિદ્ધિયમ છે. અચિન્ય શક્તિયોગથી તેની સંનિધિમાં વિરત્યાગ હોય છે.-આમાં પહેલા બે પ્રકાર પ્રવૃત્તચક યોગીને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય છે, અને છેલ્લા બે પ્રકારને અર્થે તે સતત પુરુષાર્થશીલ રહે છે. ; અવંચક સ્વરૂપ કહે છે - Page #420 -------------------------------------------------------------------------- ________________ (૭૩૨) યોગદરિસમુચય सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः। तथादर्शनतो योग आद्यावश्चक उच्यते ॥ २१९ ।। દર્શનથી પણ પાવનાકલ્યાણ સંત શું ; તથા દર્શનથી યોગ તે, આઘ અવંચક એહ, ૨૧૯ અર્થ-દર્શનથી પણ પાવન એવા કલ્યાણસંપન્ન પુરુષો સાથે તથા પ્રકારે દર્શનથકી જે યોગ થ, તે આદ્ય અવંચક-ચગાવંચક કહેવાય છે. વિવેચન કલ્યાણસંપન્ન-વિશિષ્ટ પુણ્યવંત, તથા દર્શનથી પણ પાવન, એવા સંતે સાથે વિપર્યય અભાવે તે પ્રકારે ગુણવત્તાથી તથાદર્શનથકી, જે યોગ-સંબંધ થવો તે આવઅવંચક-ચગાવચક છે. સંતે સાથે તથાદર્શનથકી જે ગ–સંબંધ થવો અર્થાત્ સતપુરુષને તથારૂપે ઓળખાણપૂર્વક યોગ થ તે ગાવંચક છે. સતપુરુષનું જે પ્રકારે “સ્વરૂપ છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શનથકી, સ્વરૂપની ઓળખાણથકી, સપુરુષ સાથે તથાદર્શનઃ સ્વ- જે એગ થે, આત્મસંબંધ , બ્રહ્મસંબંધ કે, તેનું નામ રૂપ ઓળખાણ ગાવંચક છે. સતપુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી, ઉપલક ઓળખાણ માત્રથી આ યંગ થતું નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન–ઓળખાણ થવાથકી જ આ ચેગ સાંપડે છે. એટલે પુરુષના જગમાં તથાસ્વરૂપે દર્શન–ઓળખાણ-પિછાન એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તે જ પુરુષને ખરેખર યોગ થાય છે. અને આ યોગ થાય તે જ અવંચક ગ છે. આ સત્પષ કેવા હોય છે? તે કે-કલ્યાણસંપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવંતા હોય છે. પરમ ગચિંતામણિરત્નની સાક્ષાત્ પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા પુરુષ દર્શનથી પણ પાવન હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એઓશ્રીના પવિત્ર આત્મચારિત્રને જ કોઈ એ અદ્દભુત મૂક પ્રભાવ પડે છે કે–બીજા જીવોને જૂત્તિસદ્ધિઃ વલ્યાણરંપઃ-કલ્યાણ સંપન્ન એવા સંત-સપુરુષ સાથે, વિશિષ્ટ પુણ્યવંત એવા સંત સાથે, ના િવનૈઃ-દર્શનથી ૫ણ પાવન, અવલોકનથી ૫ણું પાવન એવા સાથે, તથા તથા પ્રકારે, તે પ્રકારે ગુણવત્તાથી-ગુણયુક્તપણથી-વિપર્યય અભાવે કરીને, તન-ધનતે તથાદર્શન, તેથી કરીને-તેના વડે કરીને જે–ચોન:-ગ, સંબંધ, તેઓની સાથે થાય છે, બાવાદ ઉચ્ચરે-આઇ અવંચક કહેવાય છે, આ અવંચક એમ અર્થ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : પુરુષ સ્વરૂપના તથાદશનથી વેગાચક (૭૩૩) દેખતાં વેત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણસંપન્ન, દર્શનથી પણ પાવન, નિર્દોષ નિર્વિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર એાળખાઈ જાય છે, કારણ કે મૌન મુનિનું દર્શન પણ હજાર વાગાડંબરી વક્તાઓના લાખે વ્યાખ્યાને કરતાં અનંતગણે સચોટ બંધ આપે છે. (જુઓ પૃ. ૨૫૩, “હે સહુરુષના વચનામૃત” ઈત્યાદિ.) સ્વદેહમાં પણ નિમમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકે “કીચસો કનક જાકે, નીચસો નરેશપદ, મીચસી મિત્તાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જેગ જાતિ, કહરસી કરામતિ, હરસી હીંસ પુદ્ગલ છબી છારસી. જાલો જગવિલાસ, ભાલ ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસો સુજસ જાને, વીઠસો વખત માન, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” -કવિવર બનારસીદાસજી. આવા પરમ નિર્દોષ, પરમ નિવિકાર, પરમ વીતરાગ જ્ઞાની પુરુષને-સાધુજનને તેના યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે “તથાદર્શન' છે. આ તથાદશનથી સત્પરુષને વેગ થાય છે, અને તે યુગનું નામ યોગાવંચક છે.-આમ આ ગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છેઃ (૧) જેને યોગ થવાને છે, તે સત્પરુષ, સાચા સંત, સદ્ગુરુ હોવા જોઈએ. (૨) તેના દર્શન-સમાગમ થવા જોઈએ. (૩) તેનું તથાસ્વરૂપે દર્શન-ઓળખાણ થવું જોઈએ. આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તે ગાવંચક થતું નથી. કારણ કે (૧) પ્રથમ તે જેની સાથે યોગ થવાના છે તે પોતે સત, સાચા સપુરુષ, પ્રત્યક્ષ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્દગુરુ હેવા જઈએ; શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હેવા જોઈએ; સપુરુષ સ્વરૂપ શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ પવિત્ર પુરુષ હોવા જોઈએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી’ હોવા જોઈએ; બાધાવ્યંતર ગ્રંથથી–પરિગ્રહથી રહિત એવા સાચા નિગ્રંથ-ભાવશ્રમણ હોવા જોઈએ, પરભાવ પ્રત્યે મૌન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ” હોવા જોઈએ; સહજ આત્મસ્વરૂપપદને જેને સાક્ષાત્ ગ થયો છે એવા યથાર્થ ભાવગી હવા જોઈએ; સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઈએ; ટૂંકામાં તેમના “સત” નામ પ્રમાણે “સત્’–સાચા હોવા જોઈએ, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત” હોવા જોઈએ. પણ આવા “સત” સ્વરૂપયુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્ અસંત અસાધુ કે કુસાધુને સત્ માની લીધા હોય, તે આ પેગ બનતું નથી, યોગ અગરૂપ Page #422 -------------------------------------------------------------------------- ________________ (૭૩૪) યોગદૃષ્ટિસમુચ્ચય થાય છે; માટે જેની સાથે યાગ થવાને છે, તે સત્-સત્પુરુષ સાચા ભાવસા-ભાવયેાગી હાવા જોઈએ. બાકી જગમાં કહેવાતા સાધુઓને, માહ્ય વૈષધારી સાધુ–સંન્યાસી– માવાને, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓને, અનેક પ્રકારના વેષવિડ બક દ્રવ્યલિ’ગીઓના ક્રાંઇ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન, ખાટા રૂપીઆ જેવા, દ્રવ્યલિ'ગીઓથી કાંઇ શુકરવાર વળતા નથી,' આત્માનુ કાંઈ કલ્યાણુ થતું નથી. (જુએ પૃ. ૧૨૮–૧૨૯). ( ૨ ) ખીજું, આવા સત્પુરુષ સદ્ગુરુ વિદ્યમાન હાય, પણ તેના દર્શન જોગ જો ન થાય, સમાગમ-પરિચય ન થાય તે શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યુ. હાય, પણ તેને લાભ ન લેવાય તે શું કામનું? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું. હાય, પણ તેને સેવી ચિ'તિત લાભ ન ઉઠાવાય તે શું કામનું? કામદુધા કામધેનુ મળી હાય પણ તેની આરાધના ન થાય તે શું કામનું સાક્ષાત્ પરમામૃતને મેઘ વરસતા હાય, પણ તેને જીલવામાં ન આવે, તે શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યકતા છે (જુઓ પૃ. ૧૬૨, ♦ પરિચય પાતક ઘાતક સાધુથું ' ઇ. ) ( ૩ ) ત્રીજું—ખાહ્યથી સંતના દČન-સમાગમ થાય, પણ અંતર્થી સંતનું તથાપ્રકારે સંતસ્વરૂપે દ ́ન ન થાય, સત્સ્વરૂપે આળખાણુ ન થાય, તેા તેના ખાહ્ય સમાગમયેગ પણ અયેાગરૂપ થાય છે, નિષ્ફળ થાય છે. અથવા સત્પુરુષ મળ્યા હાય, પણ તેનું આંતર્ દનઓળખાણ થઇ શકે એવી પેાતાનામાં ચેાગ્યતા ન હાય, તે યાગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજો મુદ્દો સૌથી વધારે મહત્ત્વના છે, કારણ કે સત્પુરુષ હાય, તેના ખાહ્ય દČન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે ‘ આત્મદર્શન' ન થયું હોય તે શું કામનું ? કારણ કે તથાસ્વરૂપે દર્શીન વિના સત્પુરુષને યાગ અયેગ થાય છે-અફળ જાય છે. એમ તે આ જીવે અનેક વાર ભગવાન્ તૌકર જેવા પરમ સત્પુરુષના દર્શન કર્યાં હશે, પણ આ જીવની યેાગ્યતાની ખામીને લીધે તે સત્પુરુષનું તથાદન ન થયું, તેથી તે ચેગ અફળ ગયા, માટે સત્પુરુષના ચેાગની ખરેખરી રહસ્ય ચાવી ( Master−key) તેનું તથાસ્વરૂપે દર્શન કરવું-એળખાણુ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંચક ચાગ થાય છે. સ્વરૂપનુ’ ‘તથાદન’ આ ‘અવંચક' એટલે શુ? વચક નહિ' તે અવ'ચક; વચે નહિ, છેતરે નહિ', ઢગે નહિ' તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિ, એવા અમેઘ, અચૂક, અવિ સંવાદી, રામખાણુ તે અવચક. ચેગ એવા કે ક્દી વચે નહિ, ખાલી ચેાગ, અવંચક જાય નહિં, તે યેાગાવચક. આ ચેાગાવ'ચક ખાણુના લક્ષ્ય તાકવા એટલે ! ખરાબર છે. (જુએ પૃ. ૧૫૯-૧૬૦, આકૃતિ ૬) ખાણુની લક્ષ્યક્રિયામાં પ્રથમ પગથિયુ. લક્ષ્ય-નિશાનને ખરાખર તાકવું ( Aiming ) તે છે. તે લક્ષ ખરાબર તાક્યા પછી જ ખીજી નિશાન વિધવાની ક્રિયા બને છે. તેમ આ Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ગાવંચકથી જીવનપદે (૭૩૫) સમસ્ત ગક્રિયારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષ્યને-નિશાનને સુનિશ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થ-ડાણ થવું, તેનું નામ જ યેગાવંચક છે. અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તે સ્વરૂપ જ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલ ગ તે યોગાવંચક છે. (જુઓ પૃ ૬૯૩) તે પછી અત્રે પુરુષના તથાદર્શનરૂપ યોગ પર આટલો બધો ભાર મૂકવાનું શું કારણ? કારંણ એટલું જ કે–સપુરુષ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે, સાક્ષાત્-પ્રત્યક્ષ મૂર્તિમંત પ્રગટ સસ્વરૂપને વેગ પામેલ પ્રગટ “ગી” છે, સાક્ષાત્ સાક્ષાત્ સત્ સહજાન્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યેગી પુરુષના સ્વરૂપ જવલંત આદર્શદર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી સપુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેને આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખે ઉપદેશે જે બંધ નથી કરી શક્તા, તે આવા એક પુરુષને જીવતે જાગતે દાખલ કરી શકે છે. આમ યેગી પુરુષના તથાદશનથી જીવનું લક્ષ્ય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપને સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર પુરુષના યેગને યોગાવંચક કહ્યો છે. - આ પુરુષના યેગથી પ્રાપ્ત થતે દેગવંચક ગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમસ્ત આચરણ સંસારાર્થ થતું હતું, તે હવે સ્વ રૂપલક્ષી થયા પછી કેવળ આત્માર્થ જ થાય છે. પ્રથમ જે જીવની ચગાવંચથી સમસ્ત ક્રિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઈને પ્રવર્તતી હતી, તે હવે આત્મ જીવનપલટે સાધક થઈને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા, તે હવે સત્ય સાધનરૂપ થઈ પડે છે. પ્રથમ જે સ્વરૂપલક્ષ વિના ષકારક ચક આત્મવિમુખપણે ઉલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. (જુઓ આકતિ ૨૦). પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધપણે અવળી ચાલતી હતી, સવા ર-નિજ રારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત વેગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂંકા ચાલતા હોઈ, વંકગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાંધી સરલ ચાલી, “અવંકગામી’ થઈ, અવંચક થઈને પ્રવર્તે છે. આવો ચમત્કારિક પલટો ફેરફાર આ જીવમાં થઈ જાય છે. સકલ જોગજીવનરૂપ આ ગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂં જોગીજીવન' શરૂ થાય છે. અને એટલા માટે જ એને “આ”—સૌથી પ્રથમ એ અવંચક કહ્યો છે, પ્રથમ એ અવંચક હોય તે જ પછી બીજું બધુંય અવંચક હોય છે, નહિં તે વંચક જ હોય છે, કારણ કે તે પહેલાંના તેના સવ યોગસાધન વંચક જ Page #424 -------------------------------------------------------------------------- ________________ (૭૩૬) ગદષ્ટિસમુચ્ચય હતા, સત્ સાધ્યથી વંચિત કરી–સૂકાવી છેતરનાર, ઠગ જેમ ઠગનાર હતા. (જુઓ પૃ. ૧૬૨, ૧૬૩, યમ નિયમ સંયમ આ૫ કિયો' ઇત્યાદિ જોગીંદગર્જના.) આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના વેગ વિના જીવના સર્વ યોગ-સાધન વંચક નીવડ્યા છે, પણ શ્રી સદ્દગુરુનો યોગ થતાં તે સર્વ યોગ અવંચક થઈ પડે છે. આવો પરમ અદ્દભુત મહિમા આ ગાવંચક યોગને છે. આ સદ્દગુરુ ગે પુરુષના સ્વરૂપદર્શનરૂપ આ મેગાવંચક નામની ચોગસંજીવની અવંચક પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક ચાલુ થઈ જાય છે. જેમ હાથે ફેરવતાં આખું ચક્ર ચાલવા માંડે છે, તેમ આ મેગાવંચકરૂપ હાથ ફેરવતાં આખું ગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષ સદ્દગુરુના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની ગગાડી સરેડે ચડી–પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપસ્થિત સપુરુષ સદ્ગુરુને તથાદર્શનરૂપ યેગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમઘન એ અમૃતરસ પ્રાપ્ત થાય છે. સત્ તે બ્રાંતિ નથી, જાંતિથી કેવલ વ્યતિરિક્ત (જૂદું) છે, કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્તિ કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરો, અને પછી “સત'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. (જુઓ પૃ. ૩૨૧) જ્ઞાની પુરુષને તે તે સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયું છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ છવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દઢ કરીને લાગે છે. xxx જ્ઞાની પુરુષની ઓળખાણ નહિ થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દેષ જાણીએ છીયે:-(૧) એક તે હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજુ, કભયને લીધે, અપકીતિ ભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું.” –શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૮૧, ૩૪૨ (૨૧૧, ૪૧૬) तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावश्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥ २२०॥ તેને જ પ્રણામાદિન, ક્રિયાનિયમ જે સાર; ક્રિયા અવંચક પેગ તે, પાપક્ષયોદય કાર. ૨૨૦ વૃત્તિ સેમેવ-તેઓને જ, સંતેને જ ગળામાલક્રિયાનિયમ હૃત્યમ–પ્રમાદિ ક્રિયાનિયમ એ જ બસ, શિયાવાઃ રાત-ક્રિયાવંચક એગ હોય, અને આ-માપક્ષો :-મહા પાપક્ષના ઉદયરૂપ છે, નીચ ગોત્ર કર્મને ક્ષય કરનારો છે, એમ ભાવ છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સદગુરુ યોગે, અવંચક યોગ, અવ'ચક ક્રિયા (૭૩૭) અર્થ –તે જ તેના પ્રામાદિ ક્રિયાને નિયમ એ જ ક્રિયાવંચક વેગ છે – કે જે મહાપાપક્ષયના ઉદયરૂપ છે. વિવેચન તે સંતે પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાનો નિયમ એ જ બસ ક્રિયાવંચક યોગ છે; અને આ મહાપાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કમને ક્ષય કરનાર છે. આવા જે ઉપરમાં હમણું જ કહ્યા તે શાંત, દાંત ને ક્ષાંત સાચા સપુરુષો-ભાવસાધુઓ પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાને નિયમ તે ક્રિયાવંચક છે. આત્માના સત્ સ્વરૂપને યોગ થયો છે એવા જે સાચા ભાવગી પુરુષનું સપુરુષસ્વરૂપે સત્પુરુષની દર્શન થયું, તે પુરુષ પ્રત્યે જ પ્રમાદિ ક્રિયા કરવી તે કિયાવંચક છે. ભક્તિ અત્રે આદિ શબ્દથી સ્તવન, કીર્તન, વૈયાવચ્ચ, સેવા વગેરે ગ્રહણ કરવા. જેને પુરુષના સ્વરૂપનું-ગુણવંતપણાનું અદ્ભુત દર્શન થાય છે, તેના સ્વરૂપને લક્ષ્ય થાય છે, તેને આત્મા પછી સહજ સ્વભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે, તેને મને. તે સતપુરુષના ગુણચિંતનમાં રમે છે, તેના વચન યેગને તે સપુરુષનું ગુણસ્તવન ગમે છે, તેને કાયમ તે પુરુષના ચરણે નમે છે, તેના સમસ્ત આત્મપ્રદેશ તે સપુરુષ પ્રત્યે પરિણમન-“પરિગ્નમન કરે છે. આમ તે સપુરુષ પ્રત્યેની ભક્તિ ક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલ્લીન બને છે. (જુઓ પૃ. ૩, “પ્રભુપણે પ્રભુ ઓળખી” ઈ.) એટલે આ ભક્તિવંત જીવ નિરંતર સપુરુષના વિનય, બહુમાન, આદર આદિ કરે છે; તનથી, મનથી, ધનથી, સર્વથી તેમની આજ્ઞા માથે ચઢાવે છે, અને સર્વાત્માથી તેમની વૈયાવચ્ચ-સેવા વગેરે કરે છે; કર જોડી તેમની સેવામાં ખડે પગે ઉભું રહે છે, તેમની સેવામાં તન-મન-ધન સર્વ અર્પણ કરે છે. જોકે પુરુષ તે પરિપૂર્ણ નિ:સ્પૃહ છે અને દેહાદિમાં પણ સર્વથા મૂચ્છરહિત હેઈ પરમાણુમાત્રની પણ અપેક્ષા રાખતા નથી, તે પણ સપુરુષને પોતાના પરમ ઉપકારી જાણી આત્માર્થી મુમુક્ષુ જીવ તેમના ચરણકમળમાં આત્માર્પણ કરે છે– આત્મનિવેદન કરે છે, નિજ આત્માનું નૈવેદ્ય ધરે છે, અને ભાવે છે કે “શું પ્રભુ ચરણ કને ધરું ?” (જુઓ પૃ. ૧૩૨, “આહ અહો શ્રી સદ્ગુરુ' ઈ.) - ઈત્યાદિ પ્રકારે જે પરમ નિઃપૃહી આત્મારામી સપુરુષ પ્રત્યે પ્રણામાદિ ભક્તિ ક્રિયા કરવામાં આવે છે, તે જ ક્રિયાવંચક યુગ છે, તે જ કિયા અવંચક છે. ક્રિયા એવી કે જે કદી વચે નહિં, ચૂકે નહિં, ફોગટ જાય નહિ, તે ક્રિયાવંચક લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને ફેંકવામાં આવેલા બાણની ગમન કિયા લક્ષ્ય ભણી જ હોય, અચૂકઅવંચક જ હેય, આડીઅવળી ન હય, વંચક-સૂકનારી ન હોય. તેમ સપુરુષના સ્વરૂપ-લક્ષ્યને બરાબર લક્ષમાં રાખીને કરવામાં આવેલી આ વંદનાદિ ક્રિયા પણ સાધ્ય Page #426 -------------------------------------------------------------------------- ________________ (૭૩૮) યોગદષ્ટિસમુચ્ચય સ્વરૂપ લક્ષ્ય ભણી જ હોય, અવંચક–અચૂક જ હોય, આડીઅવળી ન હોય, વંચક-ચૂકનારી ન હોય. આમ આ ક્રિયાવંચક પ્રસ્તુત બાણના દષ્ટાંતમાં બાણની અવંચક ગમનક્રિયા બરાબર છે; કારણ કે જે નિશાન પ્રત્યે બાણને વેગ-અનુસંધાન બરાબર તાકેલ–અવં. ચક હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ બરાબર અચૂક–અવંચક જ હોય. અને જે નિશાન પ્રત્યે બાણને વેગ–અનુસંધાન બરાબર તાકેલ ન હોય, વંચક-ચૂકી જનાર હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી–વંચક હેય. તેમ યંગ જે અવંચક હોય, તે ક્રિયા પણ અવંચક હોય; અને યોગ જે વંચક હોય તે ક્રિયા પણ વંચક હોય, આ નિયમ છે. એટલે પુરુષના સ્વરૂપદર્શનરૂપ-ઓળખાણુરૂપ યોગ પછીની જે કાંઈ વંદનાદિ ક્રિયા છે, તે જ અવંચક હોય છે. તે ઓળખાણ પહેલાંની જે ક્રિયા છે, તે વંચક હોય છે–સફળથી સૂકાવનારી હોય છે. કારણ કે અનંતકાળથી આ જીવે સત્પુરુષના અનંત ક્રિયા કરવામાં કંઈ મણા રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવયોગ વિનાની વામાં કાંઈ બાકી રાખી નથી. (જુઓ પૃ. ૧૬૨) અરે ! દ્રવ્ય શ્રમણવંચક કિયા પણાની અનંત ક્રિયા ઉત્તમ રીતે પાળીને આ જીવ પ્રિયકમાં પણ અનંત વાર ઉપજ્ય હતું. પણ તથારૂપ ભાવ વિના પરમાર્થથી તે બાપડાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે ! કારણ કે જીવન આ બધે પ્રયાસ ઉલટી દિશામાં–ઉંધી દિશામાં હતો. ઉંધી દિશામાં લાખો ગાઉ કાપી નાંખે શું વળે? સાચી દિશામાં એક ડગલું પણ વધે તે લક્ષ્યસ્થાન નિકટ આવતું જાય, પણ તેમ તે આ જીવે કર્યું હોતું ને તેથી તે રખડ્યો. આ બધું નિષ્ફળ થયું, તેનું કારણ તેને પુરુષનો યોગ થયે નહિં તે છે. પુરુષને ભેટે તે તેને અનેક વાર થયું હશે, પણ તેણે સપુરુષને તસ્વરૂપે ઓળખ્યા નહિ, એટલે કલ્યાણ થયું નહિં. પુરુષનું સ્વરૂપ ઓળખી તેને જે એક વાર પણ ભાવવંદન-નમસ્કાર કર્યો હોત, તે તેને બેડો કયારને પાર થઈ ગયો હોત! કારણ કે “જિનવરવૃષભ વધમાનને એક પણ નમસ્કાર સંસારસાગરથી નર કે નારીને તારે છે–એ શાસ્ત્રવચનથી એ પ્રતીત થાય છે. એમ એક વાર પણ જે તેણે આગમરીતે વંદના કરી હોત તો સત્ય કારણે કાર્યની સિદ્ધિ તેને પ્રતીત થઈ જાત. (જુઓ પૃ. ૩, “ફુવે નમુad” ઈ.) આમ તેણે પુરુષને એશે અનંતવાર વંદનાદિ કર્યું હશે-પણ ઓળખ્યા વિના, એટલે જ તેને આ વંદનાદિ ક્રિયા વચક થઈ પડી, સફળથી ચૂકવનારી–વંચનારી થઈ પડી ! હા, તેથી શુભબંધ થયે-પુણ્યોપાર્જન થયું, પણ સંસાર પરિસ્વરૂપલક્ષ્ય બ્રમણ અટક્યું નહિ; ચતુગતિરૂપ અનેકાંત ફળ મળ્યું, પણ મોક્ષરૂપ વિનાની એકાંત ફળ મળ્યું નહિં! વળી આ સ્વરૂપ લક્ષ્ય વિનાની અનંત ક્રિયા યિા વંચક કરતાં પણ આ જીવ એવી જ ભ્રમણામાં હતું કે હું ધર્મ કરું છું, વેગ સાધું છું, મેક્ષસાધક ક્રિયા કરું છું. અને એવી બ્રાંત માન્યતાથી તે Page #427 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સત પુરુષના યુગ વિનાની વંચક ક્રિયા (૭૩૯) આત્મવંચના કરતું હતું, પોતે પિતાને વંચતું હતું, ઠગતે હત; તેથી પણ આ બધી ક્રિયા વંચક, છેતરનારી, ઠગ હતી. કારણ કે આ ક્રિયાના ઓઠા હેઠળ તે પોતે પિતાને “ધર્મિષ્ઠ” માની, વંચક ક્રિયાનું અભિમાન રાખી, પિતાના આત્માને છેતરતે હતું, અને સતફળથી વંચિત રહેતા હતા. તાત્પર્ય કે પુરુષની સ્વરૂપપીછાન પછીની વંદનાદિ સમસ્ત કિયા અવંચક જ હોય છે, અને તે જ કિયાઅવંચક યોગ છે. આ કિયાવંચક યોગ મહાપાપક્ષયના ઉદયરૂપ છે, અર્થાત્ એથી કરીને મહાપાપક્ષયને ઉદય થાય છે, મહાપાપને અત્યંત ક્ષય થાય છે. પુરુષની ભક્તિથી નીચ શેત્ર કમને ક્ષય થાય છે, કારણ કે ઉચ્ચને-ઉત્તમને સેવે તે ઉચ્ચ-ઉત્તમ થાય છે, એટલે પરમ ઉત્તમ એવા પુરુષના સેવનથી નીચ ગોત્રનું નામનિશાન પણ હોતું નથી. ઉત્તમને સંગથી ઉત્તમતા વધે છે. (જુઓ પૃ. ૧૧૨, “ઉત્તમ ગુણ અનુરાગથી” ઇ.) फलावञ्चकयोगस्तु सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिधेमेसिद्धौ सतां मता ॥ २२१ ॥ સંત થકી જ નિયગથી, ફલ અવંચક ગ; ધર્મસિદ્ધિમાં સંત મત, સાનુબંધ ફલ યોગ. ૨૨૧ અર્થ:–અને ફલાવંચક યુગ તે સંતે થકી જ નિયોગથી સાનુબંધ ફલપ્રાપ્તિ ધર્મસિદ્ધિ વિષયમાં સંતને સંમત છે. વિવેચન અને લાવંચક નામને જે છેલ્લો યોગેત્તમ છે, તે કેવું છે? તે કે-હમણાં જ કહ્યા તે સંતે થકી જ નિગથી, જે તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધમસિદ્ધિ વિષયમાં સાનુબંધ ફલપ્રાપ્તિ તે જ ફલાવંચક ગ તેને સંમત છે. જે પુરુષના તથાદર્શનથી-સ્વરૂપઓળખાણથી ગાવંચકની પ્રાપ્તિ થઈ, તથા ચગાવંચકની પ્રાપ્તિ થયે જે પુરુષ પ્રત્યે જ વંદનાદિ ક્રિયાથી કિયાવંચકની પ્રાપ્તિ થઈ, તે જ મહાનુભાવ સપુરુષના મહાપ્રભાવથકી જ ફેલાવંચક યોગની પણ પ્રાપ્તિ હોય છે. કારણ કે જે યોગ અવંચક છે, તે ક્રિયા પણ અવંચક હોય છે, અને તેથી પ્રાપ્ત થતું ફલ પણ અવંચક હોય છે –બાણની પેઠે. (જુઓ પૃ. ૧૫૯). આ દષ્ટાંતમાં નિશાનને વિધવારૂપ જે એક સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી તે ફલાવંચક છે. (જુએ પુ. ૧૬૧) gત્તિ –-wદાવáરોનર-ફલાવંચક યોગ તે, ચરમ-છેલ્લે ગોત્તમ–ઉત્તમ યોગકે છે ? તો કે સભ્યો -અનંતર કહેલા સંતો થકી જ, નિયોજાત-નિયોગથી, અવશ્યપણે સાવધBરાવાતિ -સાસુબંધ ફલપ્રાપ્તિ,-તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધર્મસિદ્ધી–ધર્મસિદ્ધિરૂ૫ વિષયમાં, સનાં મતા-સં તેને મત છે, સંમત છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ (૭૪૦) ગદષ્ટિસમુચ્ચય આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે પુરુષની ઓળખાણ પહેલાંના જીવને જે જે ફળ થતા હતા, તે બધા વંચક હતા-છેતરનારા હતા; કારણ કે સ્વરૂપ લક્ષ્ય વિના આ જીવે જે જે અનંત ક્રિયા કરી, તેના તેને ફળ તે તેને અનેક મળ્યા, પણ વંચક ફળ અનેક તે સંસારત્યથી હેઈ સંસાર પરિભ્રમણરૂપ હતા. (જુઓ પુ. ૧૬૧, “એક કહે સાધિયે” ઈ. ) દેવાદિ ગતિરૂપ ઈધર–ઉધર અનેકાનેક ફળ તેને મળ્યા, પણ તે છૂટાછવાયા-વિશૃંખલ હતા, એક સાધ્ય લક્ષ્ય પ્રત્યે જ દોરી જનારા કડીબંધ-શૃંખલાબદ્ધ હતા. અથવા તેથી જે ફળપ્રાપ્તિ થતી હતી, તે સ્વરૂપસિદ્ધિરૂપ એક મેક્ષફળથી વિમુખ દિશામાં હતી, એટલે તે જીવ સ્વરૂપસિદ્ધિથી દૂર ને દૂર રહેતું હતું, અને આમ તે સફળથી વંચિત રહેતું હોવાથી તેને પ્રાપ્ત બધા ફળ વંચક જ થતા હતા. પણ હવે સત્પરુષને અવંચક યોગ થયા પછી અવંચક ફળ ક્રિયા પણ અવંચક થયે, તે પરમ કૃપાળુ સત્પરુષના કૃપા-પ્રસાદથકી જ એક સાનુબંધ અવશ્ય અવંચક ફલન વેગ હોય છે. અર્થાત્ સાનુબંધ ફલની પ્રાપ્તિ હોય છે. એક સફળ બીજા સલ્ફળની સાથે જેમાં સંકળાયેલું હોય છે, જેમાં ફળને અનુબંધ ચાલુ રહે છે–ત્રુટી જતો નથી, તે સાનુબંધ ફલપ્રાપ્તિ છે. જેમાં ફલ છૂટું છવાયું–વિશ્રૃંખલ નથી હોતું, પણ અંકોડાબંધ-એકવૃંખલાબદ્ધ હોય છે, તે એક સ્વરૂપલક્ષ્યની દિશામાં દેરી જતું એક મોક્ષપ્રત્યયી ફળ તે સાનુબંધ ફળ છે. આમ એક એકથી ઉત્તરોત્તર ચઢીયાતા પુણ્યાનુબંધી પુણ્યના અનુબંધથી જીવ સ્વરૂપલક્ષ્યની દિશામાં આગળ ને આગળ પ્રગતિ કરતે જાય છે, ને સ્વરૂપની નિકટ આવતે જાય છે. આ સ્વરૂપ પ્રત્યયી એક શ્રેણીરૂપ જે અખંડ ફળપરંપરા તેનું નામ જ સાનુબંધ ફળ અથવા ફેલાવંચક છે. (જુઓ પુ. ૩૯૮, “શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ” ઈ. ) આકૃતિ ૨૧ સાનુબંધ મોક્ષપ્રત્યયી ફલ 0-0-0-0-0-0-> મોક્ષ. આ સાનુબંધ ફલપ્રાપ્તિ તથા પ્રકારના સદુપદેશાદિથી હોય છે, કારણ કે સતપુરુષના ચરણસેવનથી–તેમના “પદકજ નિકટ નિવાસ”થી, ઉપાસનથી, “ઉપનિષદ્' થી તેમના શ્રીમુખે સતવચનામૃત શ્રવણને પરમ લાભ પ્રાપ્ત થાય છે, અને સદુપદેશને તે તથારૂપ યોગ્યતાવાળા તે પાત્ર છવને પરિણમે છે. એટલે તે સહુપ્રભાવ રુષના સદુપદેશાનુસાર કરવામાં આવતી એકાંત સ્વરૂપલક્ષી સમસ્ત ક્રિયાનું ફળ પણ અવંચક હોય છે. કારણ કે સ્વરૂપસ્થિત આત્મજ્ઞાની વીતરાગ સપુરુષને ઉપદેશ સદા મુખ્ય એવા સ્વરૂપ સાધ્યને અનુલક્ષીને જ હોય છે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ યોગની સિદ્ધિ છે જે પ્રકારે થાય છે તે પ્રકાર આચરવાનો તેમને પ્રગટ સઉપદેશ હોય છે. સસ્વરૂપપ્રાપ્ત સપુરુષને ઉપદેશ સત્ જ હોય, સત સ્વરૂપ જ બધે, એટલે સતસ્વરૂપને અનુલક્ષીને થતી પ્રત્યેક ક્રિયા પણ સ્વરૂપનુસંધાનવાળી હોવાથી અવંચક ફલવતી જ હોય છે. (જુઓ પુ. ૧૬૧, “જીવને જ્ઞાની પુરુષનું Page #429 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ફલાવંચક : સદગુરુ વેગે અવંચિકરી (દ્રવ્ય-ભાવથી ) (૭૪૧) ઓળખાણ” ઈ.) અને આ જે સાનુબંધ ફલ પ્રાપ્તિ કહી, તે પણ ધર્મસિદ્ધિ વિષયમાં જ સંતેને સંમત છે, –નહિ કે અન્ય વિષયમાં. કારણકે પુરુષો કેવળ ધર્મસિદ્ધિ” સિવાય બીજા કેઈ ફળને ઈચ્છતા જ નથી. જેમ બને તેમ આત્માને શુદ્ધ સ્વભાવધર્મ પ્રગટે, આત્મા સ્વભાવ ધર્મમાં આવે, નિજ સ્વભાવ સાથે યોગરૂપ ધર્મની સિદ્ધિ થાય, એમ જ તેઓ નિરંતર ઇચ્છે છે-ઝંખે છે, અને પ્રભુ પાસે પ્રાર્થે છે. (જુઓ પૃ. ૪૯૪, શ્રી સીમંધર જિનવર” ઈ.) બાકી ઇંદ્ર-ચક્રવતી આદિ પદવીરૂપ ફળને તે નિષ્કામ સંતજનો કદી ઈચ્છતા જ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઈ દુર્લભ નથી. ગરૂપ ધર્મરત્નની સિદ્ધિથી તેની આનુષંગિક પ્રાપ્તિ પણ હોય છે, પણ તે તે જારની પાછળ સાંઠા હોય જ તેના જેવી છે. સતપુરુષો કાંઈ તેવા આનુષં. ગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભેળવાઈ જઈ મૂળ સ્વરૂપલક્ષ્યને ચૂકતા નથી, કારણ કે પશુ હોય તે સાંઠા-કડબ છે ને મનુષ્ય તે જાર જ ગ્રહણ કરે. તેમ સાંઠા જેવા આનુષંગિક-સાથે સાથે થતા ફળને પશુ જેવા બાલજીવ જ ઈચ્છે, પણ પંડિત સંતજન તેથી ફસલાય નહિં; તે તો પાકા વાણીઆ” જેવા સ્વાર્થ પટુ હેઈ આત્માથે રૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિ! આમ આ અવંચકત્રિપુટીને બાણુની લક્ષ્યયિાની ઉપમા બરાબર ઘટે છે, તે અત્ર યથાસંભવ ઘટાવી છે. (જુઓ પૃ. ૧૫૮ થી ૧૬૪). આ સર્વ પરથી એ પરમાર્થ ફલિત થાય છે કે પુરુષના સ્વરૂપદર્શન યોગથી યોગ અવંચક હોય, સદગુરુ ચોગે તે સ્વરૂપ લક્ષ્યવાળી પુરુષ પ્રત્યેની વંદનાદિ ક્રિયા અને તેનું અવંચક ત્રયી ફલ પણ અવંચક હોય; અને સ્વરૂપદર્શનગ વિના જે યોગ પંચક હોય, તે સ્વરૂપ લક્ષ્ય વગરની વંદનાદિ ક્રિયા અને તેનું ફળ પણ વંચક હોય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક ગ જ બરાબર ન હોય તે બધી બાજી બગડી જાય છે. અને આ વેગ પણ સદ્ગુરુ પુરુષને આશ્રયીને છે, એટલે સાધુ સાચા પુરુષનો-સદ્ગુરુનો સ્વરૂપદર્શનથી થતો “ગ” બરાબર ન બને, તે કિયાનો ને ફળને ઘાણ પણ બગડી જાય છે. આમ સંતચરણના આશ્રયગ વિના સમસ્ત યોગસાધન યિાદિ નિષ્ફળ ગયા છે, આત્મવંચક બન્યા છે, જીવને ઠગનારા-છેતરનારા પૂરવાર થયા છે. સાચા સપુરુષનો-ભાવગી ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તે જ અવંચક યોગ, અવંચક ક્રિયા ને અવંચક ફળ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિએ “દ્ધિઃ “સાધુનાશ્રિત્ય” એ શબ્દો પર ખાસ ભાર મૂકે છે. અને આમ સદ્ગુરુના અવલંબને એક જ સ્વરૂપલક્ષ્યના અનુસંધાન-જોડાણરૂપ યોગ બને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા કરવામાં આવે, અને તેના જ સાનુબંધ સંધાનરૂપ એક મોક્ષપ્રત્યયી ફળ મળે, તે એ ત્રણે અવંચક છે,-ચોગાવંચક ક્રિયાવંચક ને ફલાવં. ચક છે. (જુઓ પૃ. ૧૬૪, “અનંત કાળથી આથડ” ઈ. ) Page #430 -------------------------------------------------------------------------- ________________ (૭૪ર) ગદષ્ટિસમુચ્ચય નિર્મલ સાધુ ભગતિ લહી...સખી, યોગ અવંચક હોય....સખી, કિરિયાવંચક તિમ સહી... સખી. ફલ અવંચક જોય....સખી.” શ્રી આનંદઘનજી વળી આ અવંચકત્રયની પ્રાપ્તિ બે પ્રકારે ઘટે છે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે સાચા સપુરુષ-ભાવસાધુનું બાહ્યથી-દ્રવ્યથી સ્થૂલ ગુણવંતપણે તથાદશન થવું તે દ્રવ્યથી ગાવંચક છે; તેવા પુરુષ પ્રત્યે દ્રવ્યથી વંદનાદિ ક્રિયા દ્રવ્ય-ભાવ તે દ્રવ્યથી ક્રિયાવંચક છે; અને તેવા સપુરુષો પ્રત્યેની તે દ્રવ્ય ક્રિયાથી અવંચકત્રયી પ્રાપ્ત થતું ફળ તે દ્રવ્યથી ફલાવંચક છે. સાચા સપુરુષને આશ્રીને ભાવગીને અવલંબીને થતા આ દ્રવ્ય અવંચકત્રય પણ જીવને ઉપકારી થાય છે, કારણ કે તે ભાવ અવંચિકત્રયીના કારણરૂપ થઈ પડે છે. ભાવથી-સાચા સરુષનું, ભાવસાધુનું સપુરુષ સ્વરૂપે અંતર્થી–ભાવથી સૂક્ષ્મ ગુણવંતપણે તથાદર્શન થવું તે ભાવથી ગાવંચક છે. અને તેવા સપુરુષ પ્રત્યે જે ભાવ વંદનાદિ કિયા તે ભાવથી ક્રિયાવંચક છે. અને તેવા સપુરુષ થકી જે ભાવ ધર્મ ફલસિદ્ધિ થવી તે ભાવથી ફલાવંચક છે અથવા સદ્દગુરુના સદુઉપદેશજન્ય સબંધ થકી જીવને સ્વરૂપ લક્ષ્યને વેગ થે તે ભાવથી ભેગાવંચક, પછી તે સ્વરૂપલક્ષ્યને અનુલક્ષી સ્વરૂપસાધક ક્રિયા તે ભાવથી ક્રિયાવંચક અને સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી-આત્મસિદ્ધિ પામવી તે ભાવથી ફલાવંચક, આમ દ્રવ્યથી કે ભાવથી અવંચકત્રયની પ્રાપ્તિ જેને હોય, તે કઈ પણ મુમુક્ષુ યોગી આ યોગ પ્રયોગને અધિકારી છે એમ તાત્પર્ય છે. પણ તેમાં મુખ્યતા તે ભાવની જ છે. આ બન્ને પ્રકારમાં પણ મુખ્ય મહત્વનો મુદ્દો એટલો જ છે કે-આ અવંચકત્રય સપુરુષ આશ્રી હેવા જોઈએ, સાચા સંત-ખરેખરા ભાવસાધુ ભાગીને આશ્રીને જ હોવા જોઈએ. વધારે શું? તાત્પર્યરૂપ સારાંશ કે-સપુરુષનું તથાદર્શન અર્થાત્ તેના સ્વરૂપની ઓળખાણ તે ચોગાવંચક છે. પુરુષને સત્પુરુષ સ્વરૂપે ઓળખી તેના પ્રત્યે જે પ્રામાદિ ક્રિયા કરાય તે ક્રિયાવંચક છે. અને તે સપુરુષ થકી ધર્મસિદ્ધિ બાબતમાં પ્રાપ્ત થતું જે સાનુબંધ ફલ તે ફલાવંચક છે. અથવા સ્વરૂપને ઓળખવું તે ચગાવંચક, સ્વરૂપને સાધવું તે ક્યિાવંચક, ને સ્વરૂપને પામવું તે ફ્લાવંચક. એમ એનું સ્વરૂપ કહી દેખાડી પ્રકૃતજન કહે છે : कुलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम् । श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥ २२२ ॥ વૃત્તિકૃઢોજિના-ઉક્ત લક્ષણતા કુયોગી આદિને, અમ7-આ થકી, આ ગદષ્ટિસમુરચય થકી, અત્તોડજિ-હારા કરતાં પણ, જ્ઞધીનતા-જડબુદ્ધિ એવા બીજાઓને, શું ? તે કે શત્રના7 શ્રવણથકી, vપતા-પક્ષપાત, શુભેચ્છા આદિને લીધે, ૩૧ ડતિ જેરાત–લેશથી ઉપકાર છે તથા પ્રકારે બીજપુષ્ટિ વડે કરીને. Page #431 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલગી આદિને આ ગ્રંથથી કઈક ઉપકાર (૭૪૩) કુલગી આદિકને, મુજથીયે જડમતિધાર; શ્રવણથી પક્ષપાતાદિથી, આથી લેશ ઉપાર, ૨૨૨. અર્થ – આ ગદષ્ટિસમુચ્ચય થકી, મ્હારા કરતાં પણ જડબુદ્ધિ એવા કુલગી આદિને, શ્રવણ વડે કરીને પક્ષપાત આદિને લીધે, લેશથી ઉપકાર છે. વિવેચન ઉક્ત લક્ષણવાળા કુલગી આદિ કે જે મહારા કરતાં પણ જડબુદ્ધિ હોય તેવા બીજાઓને, આ ચગદષ્ટિસમુચ્ચય ગ્રંથથકી, આના શ્રવણથી ઉપજતા પક્ષપાત-શુભેચ્છા આદિને લીધે બીજપુષ્ટિ આદિવડે કરીને લેશથી ઉપકાર છે. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રી આત્મસિદ્ધિ. ઉપરમાં કહ્યું તેમ,–જે ગિકુલમાં જન્મ્યા છે અને જન્મથી જ ગિધર્મને પામેલા છે, તથા બીજાઓ પણ જે પ્રકૃતિએ કરીને દ્રવ્યથી અને ભાવથી ગિધર્મને અનુગત છે–અનુસરનારા “અનુયાયી” છે, તે કુલગીઓ છે. આ મહાનુભાવ કુયોગી ને કુલગીઓ તથા પ્રકારે ગ્રહના અભાવને લીધે જગતમાં સર્વત્ર અઢષી પ્રવૃત્તચક રોગી હોય છે, ધર્મપ્રભાવને લીધે ગુરુ-દેવ-દ્વિજ તેઓને પ્રિય હોય છે, તથા કિલષ્ટ પાપના અભાવને લીધે તેઓ પ્રકૃતિથી-સ્વભાવથી દયાળુ હોય છે, પુણ્યાનુબંધી પુણ્યને લીધે વિનીત-વિનયવાન હોય છે, ગ્રંથિભેદ વડે કરીને બોધવંત-તત્વસંમજણવાળા હોય છે, અને ચારિત્રભાવે કરીને તેંદ્રિય-જિતેંદ્રિય હોય છે. અને પ્રવૃત્તચક ગીઓ પ્રથમના બે પ્રકારના યમ-ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમનો સમ્યક પ્રકારે આશ્રય કરનારા હોય છે, અને બાકીના બે યમ-સ્થિરયમ અને સિદ્ધિયમના અત્યંત અથી–અભિલાષી હાઈ સદા તેમાં સદુપાય પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેથી કરીને શુશ્રષા આદિ આઠ ગુણથી યુક્ત એવા હોય છે. તથા આધ અવંચક ગની પ્રાપ્તિથી તેનાથી અન્ય એવા બે અવંચકને લાભ પામેલા હોય છે, અર્થાત્ યેગાવંચકની પ્રાપ્તિને લીધે ક્રિયાવંચક ને ફલાવંચક પણ પામેલા હોય છે.–આવા આ મહાત્મા કુલગીઓ અને પ્રવૃત્તચક્ર ગીઓ આ મહાન્ ચોગ પ્રયોગના અધિકારીઓ છે એમ ગવિદો વદે છે. અર્થાત્ આ યુગપ્રયોગ યોગ્ય જે “જેગિજને હોય તે આવા લક્ષણવંતા-આવા ઉત્તમ ગુણસંપન્ન અવશ્ય હોય, સાચા-મુમુક્ષુઓ, સાચા આત્માથીઓ હોય, એમ અત્ર તાત્પર્ય છે. અને આવા વિશિષ્ટ અધિકારી મેગીઓને ઉદ્દેશીને આ પરમ પરોપકારપરાયણ મહાયેગી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે- આ કુલગી-પ્રવૃત્તચક યેગીઓમાં Page #432 -------------------------------------------------------------------------- ________________ (૭૪૪) યોગદૃષ્ટિસમુચ્ચય લઘુતા દર્શન જે મ્હારા કરતાં પણ જડબુદ્ધિવાળા હોય તેઓને આ યાગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ થકી લેશથી કઇક ઉપકાર થવા સંભવે છે. ' આ શબ્દો ઉપરથી મહાનુભાવ શાસ્ત્રકાર મહાત્માએ પેાતાની અત્યંત લઘુતા સરળભાવે દર્શાવવા સાથે, કેને કોને આ ગ્રંથ ખાસ ઉપકારી થઇ પડશે, તેનું સૂચન કર્યુ છે. કારણકે · મ્હારાથી પણ જડબુદ્ધિવાળા ' એ પદમાં ‘ પણ * શબ્દથી પેાતાના પણ જડબુદ્ધિપણાને લઘુત્વભાવે સ્વીકાર કર્યાં છે. એટલે હુ તા જડબુદ્ધિ-મદમતિ છું જ, પણ મ્હારા કરતાં પણ જે વધારે જડબુદ્ધિવાળા–મ'દમતિ આત્માએ હાય, તેને આથી કંઇક ઉપકાર થશે એમ આશય છે. કારણકે મતિને વિકાસ આત્માના યેાપશમ પ્રમાણે હોય છે, અર્થાત્ કવરણના યેાપશમ પ્રમાણે બુદ્ધિની તરતમતા-ન્યૂનાધિકતા હાય છે. એટલે હુ' જો કે મંદ ક્ષયાપશમવાળા છુ', છતાં મ્હારા કરતાં પણ મંદ ક્ષયેાપક્ષમવાળા જે જીવા હાય, જે આત્મમધુએ હાય, તેને આ મ્હારી કૃતિ થકી કંઇક આત્મલાભ થવા સભવે છે. અત્રે · લેશથી ’–કઇક (a little) એ શબ્દ પણ લઘુત્વભાવને સૂચક છે. કારણકે આ ગ્રંથ મુમુક્ષુને કાંઈ જેવા તેવા ઉપકારી નથી, પરમ ઉપકારી છે, છતાં એમ કહ્યું છે. વળી અત્રે પેાતાને પણ ' જડબુદ્ધિ ' કહ્યા તેનુ પારમાર્થિક કારણ પણ છે. કારણકે જે જે ક્ષયાપશમભાવ છે તે તે ક્ષાયિક ભાવની અપેક્ષાએ અલ્પ વી છે— મદશક્તિવાળા છે, જડબુદ્ધિરૂપ છે. એટલે કોઈ ગમે તેવા ઉત્કૃષ્ટ ક્ષયાપશમવ'ત હાય તે પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ તા મદમતિ-અલ્પમતિ જ ગણાય. એટલે ગમે તેવા ક્ષયાપશમના પણ મદ કરવા ચેાગ્ય નથી, એ ન્યાયે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-મ્હારા ક્ષય।પથમ ભલે ગમે તેવા હાય, પણ હું તે જડમિત છું, તથાપિ મ્હારા કરતાં અલ્પ ક્ષયાપશમી જીવા જે હશે, તે આથી કઈક લાભ ઊઠાવી શકશે. કારણ કે અધિક ક્ષયે પશમવંત પાસેથી અશ્પતર ક્ષયાપશમવંતને શીખવાનું જાણવાનુ મળે એ રીતિ છે;-જેમ વધારે ભણેલા પાસેથી એછું ભણેલા શીખી-જાણી શકે તેમ. ( જુએ પૃ. ૯૪ ક્ષયેાપશમ અછે ' ઇ. ) આમ સાચા દૃઢ અધ્યાત્મરંગથી હાડોહાડ ર'ગાયેલા આ મહાનુભાવ મહર્ષિ હરિભદ્રાચાય જીએ અત્યંત અત્યંત સરલભાવે આત્મલઘુતા નિવેદન કરી, પેાતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણ કે-‘ લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર. અહી જે કંઇક ઉપકાર છે એમ કહ્યું, તે ઉપકાર કર્યા ? અને કેવી રીતે થશે? તેને પણ અત્ર ખુલાસેા ખતાન્યેા છે. તે આ પ્રકારે સત્શાસ્ત્રના શ્રવણ થકી તે મહાનુભાવ સુપાત્ર અધિકારી યાગીઓને અત્રે પક્ષપાત-શુભેચ્છા આફ્રિ ઉપકાર કેવી ઉપજશે, અને તેથી કરીને તેને યથાસભવ ખીજ્રપુષ્ટિ વડે કરીને રીતે ? કંઇક ઉપકાર થશે. તે મહાત્મા જોગીજના આ સત્ત્શાસ્ર સાંભળશે, એટલે તે ગુણગ્રાહી મહાજનાને એના પ્રત્યે કુદરતી પ્રમાદભાવ ઉપજવાથી પક્ષપાત થશે, શુભેચ્છા ઉપજશે, ભક્તિભાવ સ્ફુરશે, યથાયોગમાગનું જ્ઞાન થશે, અને તે યાગમાગે પ્રવત્તવાની અભિલાષા વૃદ્ધિ પામશે. એટલે તેઓને પ્રાપ્ત - અલ્પવીય " Page #433 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: *થકર્તાનું લઘુતાદશન ઉપકાર કેવી રીતે? (૭૪૫) થયેલા ગબીજની પુષ્ટિ થશે, તેમાં સગ સાધનરૂપ અકરા કુટશે અને યોગસિદ્ધિરૂપ વૃક્ષ ફલીફૂલીને મોક્ષરૂપ પરમ અમૃત ફળ આપશે. આમ આ ગીજનેને પણ આ શાસ્ત્ર થકી આત્મલાભરૂપ કંઈક ઉપકાર લેશથી થવો સંભવે છે. વળી “લેશથી”—કંઈક એમ કહ્યું છે, તે અન્ય પ્રત્યેના ઉપકારનું ગૌણપણું સૂચવવા માટે છે. કારણકે ગ્રંથકર્તાને અભિપ્રાય એ છે કે-બીજાઓને તે આથી લેશથી-કંઈક જ ઉપકાર થવા સંભવે છે, પણ આ ગ્રંથગ્રથનથી મુખ્ય ઉપકાર-મુખ્ય આત્મલાભ તે મને જ છે. આ ગ્રંથ તે મેં ઉપરમાં કહ્યું હતું તેમ “આત્માનુસ્મૃતિને અથે' રચે છે એટલે આ ગ્રંથનું મુખ્ય પ્રયજન તે મ્હારા પિતાને આત્માને ઉપકાર છે–હારા પિતાના આત્માર્થની સિદ્ધિ છે. બાકી ગૌણપણે બીજા જોગી જીવને આ ગ્રંથરચનાથી કંઈ આનુષંગિક લાભ થતું હોય તે ભલે થાઓ ! તે લેવાને તેઓ પરમ યોગ્ય છે ! તેઓ પણ આનાથી યથેચ્છ આત્મલાભ ભલે ઊઠાવો ! પરમ પ્રેમથી આમ કરવાનું તેમને સર્વને આમંત્રણ છે ! પરમ યોગામૃતનું આકંઠપાન કરવા માટે મેં જે આ રચના કરી છે, તેમાં અવગાહન કરી-ઊંડા ઉતરી તેઓ પણ ભલે આ પરમ ગામૃતનું પાન કરી તૃપ્ત થાઓ ! અને પરમ આત્માન દરસનો અનુભવ કરો ! પક્ષપાત માત્ર થકી છે ઉપકાર ? એવી આશંકા દૂર કરવા માટે કહે છે– तात्त्विका पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ પક્ષપાત તાત્ત્વિક અને ક્રિયા ભાવહીન તેમ; બેનું અંતર જાણવું, સૂરજ ખજુ આ જેમ. ૨૨૩ અર્થ :–તાવિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા,-એ બેનું અંતર સૂર્ય–ખદ્યોતની પેઠે જાણવું. વિવેચન “શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહમાં અંતર કેતેજી; ઝળહળતે સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”—શ્રી . સ. ૮-૬. ઉપરમાં અત્રે પક્ષપાત માત્રથી પણ બીજાઓને ઉપકાર થવાની સંભાવના કહી, તે કેમ બની શકે? એવી આશંકા અહી દૂર કરી છે. તાત્તિવક એટલે કે જે પારમાર્થિક વૃત્તિ-તાત્તિ: પક્ષપાત:-તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, માન્યા જ થા ક્રિયા-અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, જનયોરન્સ શેર્ય-આ બેનું અંતર જાણવું. કેની જેમ? તો કે-માનવોનોgિસૂર્ય અને ખદ્યોતની જેવું મહદ્ અંતર એમ અર્થ છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ (૭૪૬) યોગદૃષ્ટિસમુચ્ચય પક્ષપાત છે, અને જે ભાવશૂન્ય ક્રિયા છે,- એની વચ્ચેનું અંતર એટલું બધુ માટુ` છે કે તેને સૂર્ય-ખદ્યોતના અંતરની ઉપમા આપી શકાય. ઝળહળતા સૂરજ અને તગતગતા ખજૂએ-આગીએ એ એના પ્રકાશ વચ્ચે જેટલું મેટું અંતર છે, તેટલું અંતર તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ એની વચ્ચે છે. તાત્ત્વિક પક્ષપાત સૂર્ય પ્રકાશ સમે છે, અને ભાવશૂન્ય ક્રિયા ખદ્યોતપ્રકાશ સમી છે. એટલે તાત્ત્વિક પક્ષપાતની વાત મેાટી છે. કાઈ એમ શકા કરે કે-આ ચેાગ વિષય પ્રત્યે પક્ષપાત માત્ર ઉપજવાથી શે ઉપકાર થાય ? ઉપકાર તા ક્રિયા પ્રવૃત્તિથી થાય, માત્ર રુચિરૂપ પક્ષપાતથી શી રીતે થાય ? તેનું નિવાણુ અત્ર ઉક્ત દૃષ્ટાંતથી કર્યુ છે. આ યાગશાસ્ત્ર વિષય પ્રત્યે તાત્ત્વિક પક્ષ- તાત્ત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, ખરેખરા ભાવ પક્ષપાત ઉપજવા પાતથી ઉપકાર તે પણ કાંઈ નાનીસૂની વાત નથી; કારણ કે તથારૂપ પક્ષપાત અંતર ગ રુચિ-પ્રેમ વિના ઉપજતા નથી, અંતરંગ ભાવ વિના ઉપજતા નથી. એટલે અંતરંગ રુચિ-ભાવથી ઉપજતા આ ભાવપક્ષપાતનું મૂલ્ય જેટલું આંકીએ તેટલુ એછું છે. એની સાથે આપણે જો ભાવ વગરની કરવામાં આવતી અનંત દ્રવ્ય ક્રિયાની સરખામણી કરીએ, તેા તે ભાવશૂન્ય ક્રિયાની અતિ અતિ અલ્પ કિંમત છે. કોઇ એક મનુષ્ય સાચા ભાવથી આ યેગ વિષય પ્રત્યે માત્ર પક્ષપાત જ ધરાવતા હોય, અને કાંઇ ચેાગસાધક ક્રિયા ન પણ કરતા હાય; અને બીજે ક્રિયાજડ મનુષ્ય મતભેદ વિનાની–ભાવ વિનાની અનંત દ્રવ્ય ક્રિયા કરતા હોય,−તા આ બ ંનેની વચ્ચેનુ અંતર સૂરજ ને આગીના અંતર જેટલું છે. ભાવથી પક્ષપાત માત્ર ધરાવનાર પશુ, ભાવશૂન્ય અનંત ક્રિયા કરનાર ક્રિયાજડ કરતાં અનંતગણે। મહાન્ છે. ભાવ પક્ષપાતી સૂર્ય સમા છે, અને ભાવશૂન્ય ક્રિયાજડ ખદ્યોત સમા છે. એટલે આ બેની તુલના કેમ થઇ શકે ? કયાં મેરુ, કયાં સરસવ ? કયાં સિધુ, કયાં મિટ્ટુ? કયાં સૂર્ય, કયાં ખઘોત ? “ માહ્ય ક્રિયામાં રાચતા, અતભેદ ન કાંઇ; જ્ઞાનમાગ નિષેધતા, તેડુ ક્રિયાજ મહિ.”—શ્રી આત્મસિદ્ધિ “ ચશ્માભિયા: પ્રતિબંતિ ન માવશૂન્યાઃ ॥”—શ્રી કલ્યાણમંદિર સ્તાત્ર અને અત્રે જે પક્ષપાતની વાત છે, તે તાત્ત્વિક પક્ષપાતની વાત છે. તાત્ત્વિક એટલે પારમાર્થિક-પરમા સત્. સત્ય તત્ત્વ સમજીને-પરમાર્થ સમજીને તેના પ્રત્યે સહજ સ્વભાવે ઉપજતા પક્ષપાત તે તાત્ત્વિક પક્ષપાત છે. આ તાત્ત્વિક પક્ષપાતમાં અને અતાત્ત્વિક પક્ષપાતમાં ઘણેા ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે; કારણ કે મતાગ્રહથી ઉપજતા પક્ષપાત-મતના મમત્વથી ઉપજતા પક્ષપાત તે અતાત્ત્વિક છે. તેમાં ‘મારું તે સાચું” Page #435 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાનું અતરં (૭૪૭) એવી ભાવનાની મુખ્યતા હાય છે. અને સત્સ્વરૂપના યથાર્થ ગ્રહણથી—યથાથ સમજણુથી ઉપજતા પક્ષપાત તે તાત્ત્વિક છે, તેમાં સાચું તે મારુ'' એવી ભાવનાની મુખ્યતા હાય છે. અતાત્ત્વિક પક્ષપાતમાં મતનુ પ્રાધાન્ય છે, ત્યારે તાત્ત્વિક પક્ષપાતમાં ‘ સત્ ’તું પ્રાધાન્ય છે. અતાત્ત્વિક પક્ષપાત મતાભિનિવેશરૂપ છે, તાત્ત્વિક પક્ષપાત તત્ત્વપ્રવેશરૂપ છે. આવા મહત્વના ફેર એ બે વચ્ચે છે. એટલે અતાત્ત્વિક પક્ષપાત જેમ અપ્રશસ્ત છે, અનિષ્ટ છે, તેમ તાત્ત્વિક પક્ષપાત પ્રશસ્ત છે, ઈષ્ટ છે. આ તાત્ત્વિક પક્ષપાત જ અત્ર પ્રસ્તુત છે, અને તે ગુણાનુરાગજન્ય પ્રેમને લીધે સત્ વસ્તુ પ્રત્યેની અંતરંગ રુચિથી–પ્રતીતિથી— ભાવથી ઉપજતા હાઈ પરમ પ્રશસ્ત છે. આ શુદ્ધ ભાવરૂપ પક્ષપાતની વાત કંઇ આર છે! તેની પાસે ભાવવિહીન જડ દ્રવ્ય ક્રિયા કઇ ગણનામાં નથી, સૂર્ય પાસે આગીઆ જેવી તુચ્છ છે. આ ઉપરથી સાર બાધ એ લેવા યાગ્ય છે કે બાહ્ય દ્રવ્ય ક્રિયા ઉપર જે ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનંતગણે। ભાર ભાવ * ઉપર મૂકવા જોઇએ. પણ લેાકેાની ઘણું કરી એથી ઉલટી જ સ્થિતિ દેખી ખેદ પામેલા કરુણાળુ સંતુજને પાકાર કરી ગયા છે કે:— “ દ્રવ્ય ક્રિયારુચિ જીવડા રે, ભાવ ધમ રુચિહીન, ઉપદેશક પણ તેવા રે, શું કરે જીવ નવીન ?....ચંદ્રાનન॰ ”—શ્રી દેવચ’દ્રજી 品 અને તેવા પ્રકારે કહે છે— खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥ ખજુઆનુ' જે તેજ છે, અલ્પ વિનાશી તેહ; વિપરીત આ છે સૂર્યનું, ભાવ્ય ક્ષુધાએ એહ. ૨૨૪ અ:—ખદ્યોતકનું ( આગીઆવુ ) જે તેજ છે, તે અલ્પ અને વિનાશી છે; અને સૂર્યનુ' આ તેજ એથી વિપરીત છે, એમ આ બુધેાએ ભાગ્ય છે, ભાવવા યેાગ્ય છે. વિવેચન ખદ્યોત નામના જંતુવિશેષનું જે પ્રકાશાત્મક તેજ છે, તે સ્વરૂપથી અલ્પ અને વિનાશી છે. અને સૂર્યનું આ પ્રકાશાત્મક તેજ તેથી વિપરીત છે, અર્થાત્ અડુ અને વૃત્તિ:-સ્રોતદસ્ય—ખદ્યોતનું સત્ત્વવિશેષ્ણુ, ચત્તુનઃ—જે તેજ-પ્રકાશાત્મક છે, ત—તે, શુ ? તો કે-અત્યંત રવિનાશિ૬-અપ અને વિનાશી છે,-સ્વરૂપથી વિનીમિટું માનોઃ—ભાનુનુ આ વિપરીત છે, એટલે કે સૂર્યનું તેજ બહુ અને અવિનાશી છે. રૂત્તિ—એમ, એવા ભાવનું, માન્યમિત્ આ ભાગ્ય છે, ભાવવા યાગ્ય છે, અધિકૃત પક્ષપાત થકી, આ ક્રિયાદિક, યુધૈ:—બુધાથી, તત્ત્વનીતિએ કરીને. Page #436 -------------------------------------------------------------------------- ________________ (૭૪૮) ગદરિસમુચ્ચય અવિનાશી છે. એવા ભાવનું આ પ્રસ્તુત પક્ષપાત થકી આ ક્રિયાદિક બુધાએ તત્વનીતિથી ભાવવા યોગ્ય છે. ઉપરમાં જે સૂર્ય–અદ્યોતનું દષ્ટાંત આપ્યું તેને અહીં સ્પષ્ટ કર્યું છે:-ખદ્યોત નામનું એક નાનકડું જીવડું, કે જેને આગીઓ પણ કહે છે, તે રાત્રીના ભાગમાં ચમકે છે. તેનું જે પ્રકાશરૂપ તેજ છે, તે સ્વરૂપથી અલ–અને વિનાશી હેય છે. કયાં સૂર્ય ? આગીએ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, જેમાં તે પોતે પણ બરાબર કયાં ખદ્યોત? દેખાતું નથી એ ક્ષણભર મંદમંદ ચમકારે કરે છે, અને પાછો ક્યાંય વિલીન થઈ જાય છે. પણ સૂર્યનું પ્રકાશમય તેજ એથી વિપરીત–ઉલટું છે. સૂર્યનું તેજ ઘણું અને અવિનાશી હોય છે. તે એકસરખે ઝળહળાટ કરે છે, ઝગઝગે છે,–જેમાં સમસ્ત વિશ્વ પદાર્થ બરાબર પ્રકાશિત થાય છે, એ અસાધારણ તેજસ્વી ને અવિનાશી પ્રકાશ પાથરે છે, અને આમ અખંડપણે દીર્ઘકાળ સુધી તે તેજેનિધિ પ્રકાશ્યા કરે છે. આમ આ લેકપ્રસિદ્ધ દષ્ટાંત છે. આ દૃષ્ટાંત ઉપરથી બુધજનેએ, પ્રાજ્ઞજનોએ, વિવેકી સજજનેએ તત્ત્વનીતિથી પરમાર્થ વિચારવા યોગ્ય છે-ભાવવા યોગ્ય છે. ભાવવિહોણી યંત્રવત જડપણે કરાતી દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી હોઈ, તેનું તેજ અલ્પ અને વિનાશી છે; અને ભાવ સૂર્ય: દ્રવ્ય ભાવરૂપ તાવિક પક્ષપાત સૂર્ય સમે હેઈ, તેનું તેજ બહુ અને ક્રિયા ખદ્યોત અવિનાશી છે. દ્રવ્ય ક્રિયા આગીઆની જેમ ઘડી ઘડી ચમકે છે, તગ તગે છે, ઝાંખું પ્રકાશ કરે છે, જેમાં પિતાને પોતાનું સ્વરૂપ પણ માતું નથી એ ક્ષણિક મંદ મંદ ચમકારો કરે છે, અને કયાંય વિલીન થઈ જાય છે, એને પત્તો મળતો નથી. પણ પ્રસ્તુત ભાવ તે સૂર્યની પેઠે એકસરખો અસાધારણ ઝળહળાટ કરે છે–ઝગઝગે છે, જેમાં પિતાનું આત્મસ્વરૂપ તે શું પણ સમસ્ત વિશ્વસ્વરૂપ પ્રકાશિત થાય એ અસાધારણ તેજસ્વી ને અવિનાશી જ્ઞાનપ્રકાશ પાથરે છે; અને આમ અખંડપણે તે અવિનાશી તેજેનિધિરૂપ ભાવ પ્રકાશ્યા કરે છે. આમ અનંત ને અવિનાશી તેજોમય સૂર્યની સમક્ષ અલ્પ ને વિનાશી તેજને ચમકારે કરતું આગીઆ જેવું જંતુનું જેટલું ઝાંખું લાગે છે તેટલું જ અનંત ને અવિનાશી તેજોમય જ્ઞાનપ્રકાશ પાથરતા ભાવની સમક્ષ, અ૫ ને વિનાશી ચમકારા કરતું આખું દ્રવ્ય ક્રિયાચક્ર ઝાંખું લાગે છે, માટે તાત્વિક પક્ષપાતરૂપ શુદ્ધ ભાવની અપેક્ષાએ દ્રવ્ય ક્રિયા કંઈ ગણત્રીમાં નથી. ઈત્યાદિ અર્થ ભાવવા યોગ્ય છે. જડપણે દ્રવ્ય ક્રિયા કરનારા મુગ્ધ લેકે એમ માને છે કે આ ક્રિયા કરતાં કરતાં આપણું કલ્યાણ થશે, પણ તે તેમની ભ્રાંતિ છે, કારણ કે શ્રી હરિભદ્રાચાર્યજીએ Page #437 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : ભાવ સૂર્ય' સમે : દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી (૭૪૯) પચાશક શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે-‘સપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી; કારણ કે તેને નિજ ફુલનું વિકલપણું છે. અત્રે ત્રૈવેયક ઉષપાતનું દૃષ્ટાંત છે.' એ અંગે આગમમાં કહ્યુ` છે કે-એધથી-પ્રવાહથી આ જીવે ત્રૈવેયકામાં અનંતા શરીરો મૂકયા છે, અર્થાત્ આ જીવ ત્રૈવેયક દેવલેાકમાં અનત વાર ઉપજ્યા છે. અને આ ત્રૈવેયકપ્રાપ્તિ પણ સાધુની સ`પૂર્ણ ક્રિયાના પાલન વિના હાતી નથી, ઉત્તમપણે સાધુની સ`પૂર્ણ ક્રિયાના પાલનથી જ હાય છે. આમ સાધુની સ`પૂર્ણ ક્રિયા અન’તવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિ....! અરે ! દર્શન પણ સિદ્ધ ન થયું! આમ થયું તેનું કારણ યથાયેાગ્ય ભાવની જ ખામી હતી. આ ઉપરથી પણ ભાવનું જ પ્રાધાન્ય પ્રતીત થાય છે. વિશેષ કહે છે— श्रवणे प्रार्थनीयाः स्युर्न हि योग्याः कदाचन । यत्नः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः || २२५|| શ્રવણે પ્રાન ચાગ્ય ના, કદી યાગ્ય જન રત્ન સ્થિત છે કલ્યાણસત્ત્વને, મહારત્નમાં યત્ન. ૨૨૫. ચેાગ્ય જનાને કદી શ્રવણ વિષયમાં પ્રાથના કરવા યોગ્ય નથી, કારણ કે કલ્યાણુસત્ત્વાના મહારત્ન વિષયમાં યત્ન સ્થિત જ છે. વિવેચક શ્રવણ વિષયમાં ચેગ્યજનેા કદી પ્રાર્થના કરવા યાગ્ય નથી, કારણ કે શુશ્રૂષાભાવને લીધે તેએની તેમાં સ્વત: પ્રવૃત્તિ હોય છે. કલ્યાણુસત્ત્વાન-પુણ્યવાને યત્ન ચિંતામણિ આદિ મહારત્ન વિષયમાં સ્થિત જ છે, રહેàા જ છે,-તથાપ્રકારે ઔચિત્યયેાગથી પક્ષપાત આદિને લીધે પણ જન્માન્તરમાં તેની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રવણ થાય છે. આવા ઉપર કહ્યા તે જે ચેાગ્ય યાગીજના છે, તેને શ્રવણુ કરવા માખતમાં કદી પ્રાર્થના કરવા યાગ્ય નથી. અઢા કુલયેાગીએ ! અહા પ્રવૃત્તચક્ર યાગીએ ! અહા વૃત્તિ:—ગળે શ્રવણ વિષયમાં, પ્રાર્થનીયા સુ:-પ્રાયનીય હાય, પ્રાથČવા યોગ્ય હાય, દ્િ—નહિ', ચોળ્યા: રાપન-યોગ્ય કદી પણ –શુન્નાભાવથી સ્ત્રત પ્રવૃત્તિને લીધે. અને તેવા પ્રકારે કહે છે—ચરતઃ યાળસત્રાનાં-કલ્યાણુ સત્ત્વને-પુણ્ય તેને યત્ન, મહારત્ને-મહારત્નમાં, ચિન્તામણિ આદિ વિષયને, સ્થિતો યત:-કારણ કે સ્થિત જ છે,−તથાપ્રકારે ઔચિત્યયેાગથી, પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં પ્રાપ્તિ શ્રુતિને લીધે. ' * संपुणावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । નિયતિ જત્તળો નૈવનવવાચાળ ’’~~~શ્રી પચાશક, Page #438 -------------------------------------------------------------------------- ________________ (૭૫૦) યોગદષ્ટિસમુચ્ચય મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુ આત્માર્થીઓ! અહિ ગમાર્ગના જિજ્ઞાસુ મહારા સાધર્મિક આત્મબંધુઓ ! તમે આ શાસ્ત્રનું શ્રવણ કરે ! આ સાક્ષાત્ પરમ ગામૃતનું પાન કરી પરમાનંદની પ્રાપ્તિ કરે!-ઇત્યાદિ પ્રકારે આ મુમુક્ષુ યોગ્ય જનને પ્રાર્થના કરવાની રહેતી નથી; કારણ કે શુશ્રષાભાવને લીધે-સાચી અંતરંગ શ્રવણેચ્છાને લીધે તે સજનેની સતશાસ્ત્રશ્રવણમાં સ્વતઃ પ્રવૃત્તિ છે જ. એટલે તેમને શ્રવણ માટે પ્રેરણા કરવાને કે વિજ્ઞપ્તિરૂપ પ્રાર્થના કરવાને અવકાશ છે જ ક્યાં? તેઓને તે સાચી શુશ્રષા-સત શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા એટલી બધી ઉત્કટ હોય છે, કે તેઓ વગર કલ્યાણ કહે જ પોતાની મેળે તેમાં પ્રવૃત્ત છે જ; કારણ કે જે કલ્યાણસ સ ને છે, જે જી કલ્યાણ અવશ્ય પામવાના જ છે, એવા મહાપુણ્યવંત રત્નમાં યત્ન જનેનો ચિંતામણિ આદિ મહારત્નના વિષયમાં યત્ન સ્થિત જ છે રહેલો જ છે, સ્થાપવાનો નથી. કારણ કે તથા પ્રકારે તેમને ઔચિત્ય યેગ હોય છે, તેઓને તેમ કરવું ઉચિત છે, એટલે તેઓ તે પ્રકારે આપમેળે અવશ્ય કરે જ છે. પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં તેવા શુશ્રુષાદિ ભાવની પ્રાપ્ત હોય છે, એમ શાસ્ત્રમાં શ્રત થાય છે. તે મહાનુભાને સતશ્રવણના તાવિક પક્ષપાત થકી જન્માક્તરમાં પણ તથા પ્રકારે શુશ્રુષાદિ ભાવની અવશ્ય પ્રાપ્તિ હેય જ છે. એટલે આવા તાત્ત્વિક પક્ષપાતવાળા યોગ્ય ગિજને જે સદા શુશ્રુષાભાવવાળા, સાચી શ્રવણેચ્છાવાળા તત્વરસિક હેઈ સ્વરસથી જ શ્રવણમાં પ્રવૃત્ત છે, તેને, “આ શ્રવણ કરે! આ સાંભળો !” એવી પ્રાર્થના કર્યાથી શું? અયોગ્યને દાનદષના પરિહારથે કહે છે– नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥ અગ્યને તે ગવિ૬, દીએ ન એહ છતાંય; હરિભદ્ર સાદર કહે, એને દેય ન આ ય, ૨૨૬ અર્થ–પરંતુ આના જાણકાર (આચા) અ ને આ ગ્રંથ દેતા નથી, તથાપિ હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ એઓને દેવા ગ્ય નથી. કૃત્તિ-નૈતિઃ -નથી આના જાણનારા આચાર્યો, અયોગ્યે- અને, અયોગ્ય એવા બીજાઓને, રિ-દેતા, આપતા, ઇનં-આ ગટિસમુચય નામને ગ્રંથ, તથાપિ તતથાપિ, એમ પણ વ્યવસ્થિત સતે, રિમો-હરિભદ્રે, ગ્રંથકર્તાએ, હું કાદુ-આ કહ્યું છે. શું? તે કે –ન એએને—અયોગ્યને, રેવડ-દેવા ગ્ય આ યોગદષ્ટિસમુચ્ચય, બાવરાન-આદર થકી, આદરથી આ કહ્યું છે, Page #439 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કેય માથનીય નથી, ને અયોગ્યને આ દેય નથી (૭૫૧) વિવેચન “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદિસૂત્રે દસેજી; તે જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશે.—યે. સઝા. ૮-૮ પરંતુ આના જ્ઞાતા એવા આચાર્યો તે આ યોગદષ્ટિસમુચ્ચ ગ્રંથ અ ને દેતા જ નથી, તથાપિ આમ વ્યવસ્થિત છતાં ગ્રંથકર્તા હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ ગ્રંથ એઓને-અયોગ્યને “દેવા યોગ્ય નથી.” ઉપરમાં એગ્ય એવા યોગીજનેને આ ગ્રંથ કંઈક ઉપકારી થશે એમ કહ્યું, અને તે ગૃજનેને શ્રવણ કરવા માટે પ્રાર્થના કરવાની પણ જરૂર રહેતી નથી, કારણકે તેઓ સ્વરસથી તેમાં પ્રવૃત્તિ કરી જ રહ્યા છે એમ કહ્યું. તે પછી સહેજે પ્રશ્ન ઊઠે આ ગ્રંથ છે કે અગ્યનું શું? તેને ટાળ કેમ પાડ્યો? તેને શ્રવણ કરવાની અયોગ્યને દેવા પ્રેરણા કાં કરતા નથી? તેણે શી ગુન્હેગારી કરી? તેને અહીં સ્પષ્ટ ગ્ય નથી જવાબ આપે છે કે-આ ગમાર્ગના જ્ઞાતા એવા જ્ઞાની પુરુષ-ગીતાર્થ આચાર્યો તે આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અ ને દેતા જ નથી. તથાપિ “હરિભદ્ર' તે આદરથી આ કહે છે કે-આ ગ્રંથ એ એને “દેવા યોગ્ય નથી.”યેગા ચાર્યો તે આ ગ્રંથ તેવા અપાત્ર જનેના હાથમાં આપવાની ઘસીને ચકખી “ના જ પાડે છે, પણ માર્દવની અને માધુર્યની મૂર્તિ સમા આ ગ્રંથકર્તા તે એએને આ ગ્રંથ દેવા યોગ્ય નથી' એવું નરમ વચન સમજાવટ ભરી રીતે આદરથી કહે છે, વિવેકભરી મીઠાશથીનમ્રતાથી કહે છે, એઓને પણ ખોટું ન લાગે–એમના આત્માને પણ દુઃખ ન થાય, એ રીતે પરમ કરુણાભાવથી માનપૂર્વક સહેતુક સમજાવીને કહે છે. જેનામાં ઉક્ત લક્ષણવાળું ગ્ય “યોગીપણું” ન હોય, જેનામાં આ પરમ ગરહસ્ય યથાર્થપણે ગ્રહણ કરવાની કે સમજવાની કે ઝીલવાની પાત્રતા ન હોય, એવા અગ્ય જનોને આ પરમ યેગ્યતાવાળે ગપ્રરૂપક ગ્રંથ આપવા ગ્ય નથી. કારણ કે અયોગ્યને આ પરમ યોગતત્વને જેઓ સમ્યફભાવથી આત્મપરિણમી કરી પચાવી નિષેધનું કારણ શકે એમ ન હય, જીરવી શકે એમ ન હોય, તેવા અપાત્ર જનેને તે આ વિપરીત-પરિણામી થઈ મિથ્યાભિમાનાદિ અજીર્ણવિકાર અથવા “જ્ઞાનને અપ” પણ ઉપજાવે! જેમ મંદ પાચન શક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તે ઉલટું અજીર્ણ ઉપજે, તેમ અધિકારી જીવને આ પરમાન પચે નહિ, એટલું જ નહિં પણ “હું આ યોગશાસ્ત્ર ભયે છું” એમ મિથ્યાભિમાન ધરી, તથારૂપ યોગભાવની સિદ્ધિ વિના, જ્ઞાનદશાની પ્રાપ્તિ વિના, તે જ્યાં ત્યાં યેગ-જ્ઞાનની મોટી મોટી વાતો કરવા મંડી પડે ને પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરે ! ઈત્યાદિ પ્રકારે તેને શાસ્ત્રને અપચો થાય! Page #440 -------------------------------------------------------------------------- ________________ (૭૫૨) યોગદષ્ટિસમુચ્ચય અને આમ અંતરનો મેહ છૂટ્યા વિના પિપટીઓ પંડિત બની મઢેથી જ્ઞાનની વાત કરી, જ્ઞાનીમાં ખપવાની ખાતર, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીને દ્રોહ કરે ! ને પિકળ જ્ઞાનીશુષ્કજ્ઞાની એવા તે પિતે ગ્રંથ “વાંચો છે” એમ જાણે છે, પણ આત્માને “વો છે” એમ જાણતા નથી ! અને ગ્રંથ ભણી તે જનને પણ વચે છે! એટલે આવા અયોગ્ય છે આવા પરમ યેગ્ય ઉત્તમ યોગ ગ્રંથના અધિકારી કેમ હોય ? “મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન હ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ.”—શ્રી આત્મસિદ્ધિ. “નિજ ગણ સચે મન નવિ ખર્ચ, ગ્રંથ ભણી જન વંચે; લુચે કેશ ન મુચે માયા, તે ન રહે વત પંચે.”-સા, 2. ગા. સ્ત, વળી શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણ-અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્ત્રકારેની શૈલી છે–પદ્ધતિ છે. અપાત્ર શ્રોતાને તેને અયોગ્ય એવી ઉપદેશવાર્તા કરવામાં આવે તે ઉલટી અનર્થકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઉંધા અનર્થકારક અર્થમાં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી નંદીસૂત્રથી જાણવા યોગ્ય છે. “ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહ શું અંતર ભાજી, જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુહ્ય ન છાજે; યોગ્ય અગ્ય વિભાગ અલહ, કરશે મોટી વાત છે, ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતેજી.– , દ, સક્ઝા. ૮-૭ તેમાં જે મૃગ પરિષદ જેવા શ્રોતાજને છે, તે સિંહનાદ જેવી ચાખી ચટ વીરવાણી સાંભળી ત્રાસે છે! મૃગલાનું ટોળું દૂરથી સિંહનાદ સાંભળીને ભય પામે છે, ગભરાઈ જાય છે, અને ભડકીને ભાગે છે, તે સન્મુખ આવે જ કેમ? તેમ સિંહનાદ જેવી જે મૃગલાંના ટોળા જેવા શ્રોતાઓ છે, તે સિંહનાદ જેવી સ્પષ્ટ વીરવાણી નગ્ન સત્યરૂપ વીરવાણી શ્રવણ કરીને ત્રાસે છે, ગભરાઈ જાય છે, અને ભડકીને ભાગે છે! તે સન્મુખ દષ્ટિ કરીને શ્રવણ કરવાને ઉભા જ શેના રહે? એવા ગતાનુગતિક, ગાડરીઆ ટેળા જેવા રૂઢ ને મૂઢ શ્રેતાજને આ સત્ય તત્ત્વવાર્તા કેમ ઝીલી શકે? અને આ જે ગગ્રંથની વાણું છે, તે તે સાચા વીરપુત્રની સિંહનાદ જેવી પરમ વીરવાણી છે, એટલે તે સાંભળવાને મૃગલાં જેવા હીનસત્વ છે કેમ એગ્ય હોય? કારણકે નગ્ન સત્યરૂપ પરમ તત્ત્વવાર્તા અત્રે પ્રગટ કહી છે. શુદ્ધ આત્મસ્વભાવ સાથે યુજન કરવારૂપ શુદ્ધ યોગભાવની પદ્ધતિ એમાં બતાવી છે. આવી સિંહગર્જના સમી વીરવાણી ઝીલવાને અલ્પસત્વ કાયર અને કેમ એગ્ય હોય! “ કરેગે Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શ્રી હરિભદ્રજીની સિંહનાદ જેવી વીરવાણું (૭૫૩) યા મરેગે” “Do Or Die,’ ‘વિજય અથવા મૃત્યુ” એવી વીર પુરુષની વીરવાણું સાંભળીને કાયર જન જેમ ભય પામીને ભાગી જાય, તેમ આ ધર્મ ધુરંધર ગવીરની વાણી સાંભળીને હીનસત્ત્વ જીવો ભય પામીને ભાગવા માંડે એમાં શી નવાઈ ? કારણ કે અહીં તે “નગદ નારાયણ” ની વાત છે, તથાભાવરૂપ રોકડા “હરિને મારગ કલદાર' રૂપીઆની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણતિમય ભાવકિયા છે શૂરાનો” કરતાં યુગવિજય વરવાની અથવા સુભટની જેમ તે યોગસાધના કરતાં કરતાં ખપી જવાની વાત છે. પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને ! –પહેલું માથું મૂકી પછી આ યોગનું નામ લેવાની વાત છે. ભાવથી કપટ રહિતપણે આત્માર્પણ કરી યેગમાર્ગે આગળ વધવાની વાત છે. આત્મસ્થાને વીરપણે દાખવવાની પરમ શૂરવીર વાત છે. આવો આ હરિને-કમને હરનારા “વીર” પ્રભુને માર્ગ શૂરાને માગ છે, એમાં કાયરનું કામ નથી. (જુઓ પૃ. ૮, “વીરપણું તે આતમઠાણે’ ઈ.). “ હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. ”–શ્રી પ્રીતમ ભક્ત ઈત્યાદિ કારણોને લીધે જ્ઞાની આચાર્યો આવે આ ઉત્કૃષ્ટ યોગવિષયક ગ્રંથ અયોગેના હાથમાં દેતા જ નથી. એટલે જ આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે કે-આ ગ્રંથ અોગ્યને દેવે યોગ્ય નથી. અને આ અમે હરિભદ્રજીનું કહીએ છીએ તે કાંઈ અગ્ય છ પ્રત્યે અનાદરથી કે તિરસ્કારથી સાદર કથન કહેતા નથી, પણ આદરથી ( Respectfully) કહીએ છીએ; કારણ કે અમને તે જીવ પ્રત્યે કાંઈ દ્વેષ નથી કે અમે તેને અનાદર કે તિરસ્કાર કરીએ, પણ અમને તે સર્વ જીવ પ્રત્યે સમભાવ છે, અને તેવા અગ્ય છ પ્રત્યે તે વિશેષ કરીને ભાવ કરુણાબુદ્ધિ છે કે આ જીવો પણ આ યોગમાર્ગ પામવા યોગ્ય થાય તે કેવું સારું ! પણ તે માટે પણ યથાયેગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા મેળવ્યું તેઓ પણ આ માટે યુગ્ય થાય. એટલે યેગે જેમ યોગ્યતા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ, તેમ અયોગ્યે પણ ગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન-પુરુષાર્થ કરવો જોઈએ. એટલે તેઓએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમાદિ ગુણની વૃદ્ધિ થાય તેમ તેમ તેવી યોગ્યતા આવતી જાય, માટે તે વૈરાગ્યાદિની વૃદ્ધિ માટે પ્રયાસ તેઓએ કર જોઈએ. પણ જ્યાં સુધી તેની યોગ્યતા આવી નથી, ત્યાં સુધી તે તેઓ આ માટે યોગ્ય નથી જ. એટલે જ આ અમે આદરથી કહ્યું છે, અને તે પણ માત્ર તે જીવના હિતાર્થે જ. કારણ કે સર્વે દરદીની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, વય– પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી દવા કરવી જોઈએ, એ સામાન્ય નિયમ છે. એમ ન કરે ૯૫ Page #442 -------------------------------------------------------------------------- ________________ (૭૫૪) યોગદષ્ટિસમુચય ને મોટા માણસને આપવાની માત્રા બાલકને આપી છે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું ઓડનું ચોડ વેતરાઈ જાય ? તેમ સદગુરુ સવૈદ્ય પણ ભવરગી એવા સંસારી જીવની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, ભાવથી બાલાદિ વય–પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઈએ. એમ ન કરે ને મોટા માણસને-પંડિત જનને આપવા યોગ્ય ઉપદેશમાત્રા બાલ જીવને આપે, તે તેનું કેટલું બધું અહિત થાય ? કેવું વિષમ પરિણામ આવે ? આ દષ્ટાંતનું દષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ગદષ્ટિસમુચ્ચય અગ્યને દેવા યોગ્ય નથી, એવો અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,-આમ શ્રી હરિભદ્રસૂરિનું કહેવું છે.* આ એમ કેમ ? તે કે– अवज्ञह कृताल्पापि यदनाय जायते । अतस्तत्परिहारार्थ न पुनर्भावदोषतः ॥ २२७ ॥ અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા અહિ; પરિહારાર્થે તસ કહ્યું, ભાવદોષથી નહિ. ૨૨૭ અથ—અહીં–આ યોગદક્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અપ પણ અવજ્ઞા અનર્થને અર્થે થાય છે, એટલા જ માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે, નહિ કે ભાવદષથી કહ્યું છે. વિવેચન અહીં–આ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનર્થને અર્થે થાય છે, એટલા માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે નહિકે ક્ષુદ્રતારૂપે ભાવદષથી. ઉપરના શ્લોકમાં જે કહ્યું કેઅ ને આ દેવા ગ્ય નથી એમ હરિભદ્ર કહે છે,” તે કહેવાનું કારણ શું ? તેનો અહીં સ્પષ્ટ ખુલાસો કર્યો છે. આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે અપ પણ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પિતાને મહાઅનર્થરૂપ થઈ પડે, કૃત્તિઃ - અવસે-અવજ્ઞા અહીં –ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, કૃતાત્પન-કરવામાં આવેલી, સ્વરૂપથી ૯૫ પણ, થર્-કારણ કે, નર્યાય ગાયો-અનથથે થાય છે,-મહાવિષયપણુાએ કરીને, અતરત જિલ્લાવાર્થ-એટલા માટે તેના પરિહારથે, ૧ પુનર્માવત :-૫ણ નહિં કે ભાવદોષથી-સુતાથી હરિભદ્રે આ કહ્યું છે. x “ हितमपि वायोरौषधमहित तत् श्लेष्मणो यथाऽत्यन्तम् । સદ્ધર્મદેવનૌષધમેર્વે વાટાઘવેક્ષમિતિ | ”—શ્રી હરિભદ્રસુરિત પડશક. Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉપસ‘હાર : અયેાગ્યને ન દેવાનુ કારણ-મહત્ત્ની લેશ અવજ્ઞાથી મહાઅનથ (૭૫) કારણ કે આ ગ્રંથના વિષય મહાત્ છે. એટલે આ પ્રત્યે અવજ્ઞા કરવાથી અનથ પણ મહાન થાય. એથી કરીને અયેાગ્યને દીધાથી તેને તેવા મહાઅનથ ન ઉપજે, તેની ખાતર હરિભદ્રે આ કહ્યુ છે,-નહિ' કે ક્ષુદ્રતારૂપ ભાવ દેષથકી. 6 અન આ ૮ યોગદૃષ્ટિસમુચ્ચય ’ મહાન્ એવા ચૈાગ વિષય સંબધીનેા ગ્રંથ છે, એટલે એવા મહાવિષયપણાથી આ યેગશાસ્ર પણ મહાન છે. આવા મહાન યેગશાસ્ત્રની જાણતાં-અજાણતાં, ભૂલે ચૂકે પણ થેાડી પણ અવજ્ઞા કરવામાં આવે, તે મહેતના અના- તે અવજ્ઞા કરનારને મહાઅનથ રૂપ થઇ પડે, મેાટી હાનિરૂપ થઈ દરથી મહા- પડે; કારણ કે મહત્એવા સત પ્રત્યે જો લેશ પણ અવજ્ઞા કરવામાં આવે, લેશ પણ અનાદર કરવામાં આવે, લેશ પણ અવિનય અતાવવામાં આવે, લેશ પણ આશાતના કરવામાં આવે, લેશ પણ અભક્તિ કરવામાં આવે, તેા તેનુ' અનત સંસાર પરિભ્રમણુરૂપ ભયકર ફળ ભેગવવું પડે. જેમ મહત્ એવા સત્ પ્રત્યેની અનાશાતનાયી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી મહા સત્ ફળ મળે; તેમ આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી અસત્ ફળ મળે. જેમ સત્તા આરાધનથી મારૂપ મહત્ ફળ મળે, તેમ વિરાધનથી મહાસ’સારરૂપ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી દ્યે ને ખીજે । ઘરખાર પણ જાય; તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તેા જીવનું કલ્યાણુ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તા મહાઅકલ્યાણ થાય. સત્પુરુષ ને સત્પુરુષનું વચનામૃત સંસારથી તારનાર તીસ્વરૂપ છે. તેની ભક્તિથી જીવના ખેડા પાર થાય, અને આશાતનાથી જીવનું નાવડું ડૂબી જાય ! એટલા માટે જ પૂજાની ઢાળમાં શ્રી વીરવિજયજીએ સાચું જ ગાયુ છે કે- તીરથની આશાતના નવિ કરિયે, હાંરે નિવ કરિયે રે નવિ કરિયે. ' ( જુએ પૃ. ૧૧૦, ‘ચક્રી ધરમ તીરથતણેા ’ ઈ. ) આવા સત્શાસ્ર પ્રત્યે જો ઘેાડી પણ અવજ્ઞા મહાઅનથ કારી થઇ પડે, તેા પછી વિશેષ અવજ્ઞાનુ તેા પૂછવું જ શું? અને અયેાગ્યાને જો આવું સત્ત્શાસ્ત્ર દેવામાં આવે તે તેએ થકી આવી અવજ્ઞા-આશાતનાદિ થઇ જાય એવા સંભવ છે. નિષ્કારણુ કરુ- અને એમ થાય, તે તેઓને મહા અનથ થઇ પડે, અનંત સ’સાર ણાથી નિષેધ પરિભ્રમણ દુઃખ ભાગવવુ પડે. એટલે આમ અવજ્ઞાથકી તેઓને મહાઅન ન સાંપડે તેની ખાતર, મહાઅનથ દૂર રહે તેની ખાતર, અયેાગ્યાને આ દેવા યેાગ્ય નથી, એમ હરિભદ્રે કહ્યું છે, નહિ કે ભાવદોષથી, અર્થાત્ ક્ષુદ્રતાથી—તુચ્છતાથી એમ કહ્યું નથી. પરમ ભાવિતાત્મા હરિભદ્રાચાય જી કહે છે કેઅમને આ અચેાન્ય અપાત્ર જીવ પ્રત્યે કાંઇ દ્વેષ નથી, કે મત્સર નથી, કે કઈ અભાવ નથી, કે જેથી કરીને ક્ષુદ્રતાને લીધે-તુચ્છ વિચારને લીધે અમે તેએને આ શાસ્રદાનને નિષેધ કર્યાં હાય. અમે તા તેવા અજ્ઞાન જીવે બિચારા અવજ્ઞા કરી આ શાસ્રની Page #444 -------------------------------------------------------------------------- ________________ (૭૫૬) યોગદૃષ્ટિસમુચ્ચય આશાતનાથી નિબિડ કમ બાંધી અન ન પામે એમ ઇચ્છતા હાઇ, અત્રે ભાવદયાથી પ્રેરાઈને નિષેધ કર્યાં છે; અને તે પણ કેવળ તેમની હિતબુદ્ધિથી, એકાંત નિષ્કારણુ કરુણાથી કહ્યુ` છે. માટે તે જીવાએ આથી દુઃખ લગાડવું નહિં કે અમારા પ્રત્યે ખાટું લગાડવું નહિં, પણ ચેાગ્યતા ચેાગ્ય ગુણ પેાતાના આત્મામાં પ્રગટ કરી પ્રથમ તેા પેાતાની અયેાગ્યતા દૂર કરવા પ્રયત્ન કરવા, અને જેમ બને તેમ આ સત્શાસ્ત્રની અલ્પ પણુ અવજ્ઞા દૂરથી વવી. એટલેા જ આ અમારા કહેવાના આશય છે. દાખલા તરીકે–જેને આ ગ્રંથ પ્રત્યે શુશ્રુષા ન હેાય, સાંભળવાની સાચી અતરેચ્છા ન હાય, એના ઉદ્ધિ વિષય પ્રત્યે રસ ન હેાય, તેને આ ગ્રંથ દેવા, શ્રવણ કરાવવા તે આ મહાગ્રંથની અવજ્ઞા—અપમાન–આશાતના કરવા બરાબર છે, અનાદર કરવા બરાબર છે. એવા શુશ્રુષા રહિતને શ્રવણ કરાવવું તે ભેંસ આગળ ભાગવત' જેવુ છે, અને મેાતીને ચાર ડુક્કર પાસે નાંખવા બરાબર છે. · Casting pearls before swine. ' માટે શુશ્રુષાદિ ગુણ જેનામાં ન હોય, એવા અયેાગ્ય શ્રેાતાઓને આ ગ્રંથ દેવા ચૈાગ્ય નથી જ, એ યુક્ત કહ્યું છે. ' 師 અને આ આમ અંગીકાર કત્તબ્ધ છે, જેથી કરીને જ કહે છે— योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयं विधिनान्वितैः । मात्सर्य विरहेणोच्चैः श्रेयोविन प्रशान्तये ॥ २२८ ॥ ચેાગ્યને દેવા યત્નથી, વિધિવતે જ સમ; માત્સર્યાં વિરહથી અતિ, શ્રેય વિષ્ર શાંત્ય ૨૨૮ અઃ—અને યેાગ્ય શ્રાતાઓને તે આ ગ્રંથ વિધિથી યુક્ત એવા જનેાએ, સથા માસય વિના, શ્રેયેવિઘ્નની પ્રશાંતિને અથે, પ્રયત્નથી દેવા ચેાગ્ય છે. વિવેચન આ ગ્રંથ અયેાગ્ય શ્રોતાઓને દેવા ચેગ્ય નથી, એમ ઉપરમાં હેતુપૂર્ણાંક કહી બતાવ્યું; પણ ચેાગ્ય શ્રોતાઓને તે માત્સય રહિતપણે આ અવશ્ય પ્રયત્નથી દેવા ચેાગ્ય છે; અને તે પણ શ્રવણાદિ વિષય સંબધી વિધિથી યુક્ત એવાઓ દ્વારા,–નહિં તે વૃત્તિ:—યો ચેમ્યસ્તુ પણ યાગ્ય શ્રેતાઓને તા, યત્નેના પ્રયત્નથી, ઉપયાગસાર એવા પ્રયત્નથી; ફેફોડચ-આ દેવા યોગ્ય છે, વિધિના વિધિથી, શ્રવણાદિ ગાચર વિધિથી, અન્વિનૈઃ—અન્વિત, યુક્ત એવાએથી—નહિ તે। પ્રત્યવાયના સભવ થકી દે.ષ છે, એમ આયા કહે છે. મારલયંત્રિળ-માત્સર્યાં વિરહથી, માત્સય અભાવથી ૩.--અત્યતપણે શ્રેયોવિનત્રશાંતયે-શ્રેય વિઘ્નની પ્રશાંતિને અર્થે, પુણ્ય-અંતરાયની પ્રાતિને અર્થે. । समाप्तोऽयं योगदृष्टि समुच्चयः । Page #445 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ગ્યને તે પ્રયત્નથી દેવા યોગ્ય : પરમ શ્રતની પ્રભાવના (૭૫૭) પ્રત્યવાયના-હાનિના સંભવથી દોષ લાગે છે એમ આચાર્યો કહે છે. આ દેવા ગ્ય છે, તે અત્યંતપણે ગ્રેવિનની પ્રશાંતિ અર્થે છે, પુણ્યઅંતરાયની પ્રશાંતિ અર્થે છે. ઉપરમાં વર્ણવ્યા એવા શુશ્રષાદિ ગુણસંપન્ન યોગ્ય અધિકારી શ્રોતાઓને તે આ ગ્રંથ અવશ્ય દેવા ગ્ય છે. જેને આ શુશ્રુષા છે, આ ગ્રંથ શ્રવણ કરવાની સાચી અંતરછા-જિજ્ઞાસા છે, આ ગવિષય પ્રત્યે જેને અંતરંગ રુચિ-રસ છે, માત્સર્ય એવા વિનયાદિ યથોક્ત ગુણવાળા શ્રોતાઓને તે આ ગ્રંથ ઉપયોગસાર‘વિરહ થી ઉપયોગ પ્રધાન પ્રયત્નથી જરૂર જરૂર દેવા યોગ્ય છે-શ્રવણ કરાવવા ગ્ય છે. અને તે પણ સર્વથા માત્સર્ય વિરહથી–માત્સર્ય રહિતપણે. કેઈપણ પ્રકારને ગુણદ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત શક્તિથી–સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મન-ધનપરમ કૃતની વચનની સમસ્ત શક્તિ ખચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પ્રભાવના પરમ ઉદારતાથી કરવા યોગ્ય છે. પણ આ દેવાથી આ મહારા કરતાં ગગુણમાં આગળ વધી જશે ને હું ઝાંખું પડી જઈશ તે ! એવા તેજોવધરૂપ ગુણષથી–મત્સરથી પ્રેરાઈને મુક્તહૃદયે-ખુલ્લા દિલે આ જ્ઞાનદાન દેતાં અચકાવું યોગ્ય નથી. પણ આ તાજને આ જ્ઞાનદાનથી કેમ આમત્કર્ષ પામે, કેમ ગગુણની વૃદ્ધિ કરે, ને તે દેખીને હું રાજી થાઉં-પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટે હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા યોગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી, અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે માત્સર્યનો વિરહ’ કરી, મત્સરભાવ સર્વથા છેડી દઈ, જેમ બને તેમ બહેળા હાથે આ જ્ઞાનદાન આપી પરમ શ્રતની પ્રભાવના કરવી, એ જ યેગ્ય છે. અત્ર “વિરહ’ શબ્દથી શ્રીમદ્ હરિભદ્રાચાર્યજીએ પિતાની કૃતિના પ્રાંતે વિરહાંક મૂકવાની પદ્ધતિનું અનુસરણ કર્યું છે. અને તેનું દાન કરનારા જ્ઞાનદાતા પણ કેવા હેવા જોઈએ? તે માટે અહીં કહ્યું કે–જે શ્રવણાદિ વિષયની વિધિથી યુક્ત હેય, એવાઓ દ્વારા આનું દાન થવું જોઈએ. શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ, તત્ત્વાભિનિવેશ આદિ વિધિ યુકત યક્ત ગુણથી જે યુક્ત છે, તેઓ દ્વારા આનું દાન થવા ગ્ય છે. જ્ઞાનદાતા જેણે આ ગ્રંથનું શ્રવણ કર્યું છે, ગ્રહણ કર્યું છે, હૃદયને વિષે ધારણ કર્યું છે, વિજ્ઞાન કર્યું છે, તે સંબંધી જેણે ઈહા-અપેહ અર્થાત તત્ત્વચિંતનરૂપ ઊંડો વિચાર કર્યો છે, અને આમ કરી જેણે તવાભિનિવેશ કર્યો છે, એવા સુગ્ય વિધિસંપન્ન વક્તા દ્વારા, શુશ્રષાવંતને-શ્રવણ કરવાની સાચી ઉત્કટ ઇચ્છાવાળા એગ્ય પાત્ર મુમુક્ષુને આ દેવામાં આવે, શ્રવણ કરાવવામાં આવે, તેનું નામ વિધિદાન છે બાકી આવા વિધિયુક્ત ન હોય અર્થાત્ જેણે ઉક્ત શ્રવણાદિ ન કર્યા હોય એવા વક્તા Page #446 -------------------------------------------------------------------------- ________________ (૭૫૮) ગદષ્ટિસમુચ્ચય દ્વારા જે આ અપાય તે તે અવિધિદાન છે. કારણ કે જેણે પિતે શ્રવણાદિ કર્યું નથી, તે બીજાને દેવા બેસે–શ્રવણું કરાવવા બેસે તે કેટલું બધું અજૂગતું છે? કેવું બેહૂદુ છે ? અને આમ જે અવિધિવંતથી દેવામાં આવે તે પ્રત્યવાયના-અપાયના સંભવથી દેષ આવે છે, એમ શ્રી આચાર્ય ભગવંતે ભાખે છે. માટે જેટલી સુયોગ્ય શ્રોતાની જરૂર છે, તેટલી જ બલકે તેથી વધારે સુયોગ્ય વક્તાની–ભાવિતાત્મા વ્યાખ્યાતાની જરૂર છે. જે યોગમાર્ગને જાણ, સુજાણ, જ્ઞાની, અનુભવી, ગીતાર્થ વક્તા હોય, તે જ ઉપદેશ દેવાના અધિકારી હાઈ સદુપદેશ શકે. પણ યોગમાર્ગથી અજાણ, અજ્ઞાની, બીનઅનુભવી, અગીતા ગીતાર્થ જ્ઞાની વક્તા હોય, તે કદી પણ ઉપદેશદાનનો અધિકારી હોઈ શકે જ નહિં, અને તે અનધિકારી જે વ્યાખ્યાનપીઠ પર ચઢી વક્તાબાજી કરે, મનાવા-પૂજાવા માટે પોતાનું જનમનરંજન વાચાપણું દાખવે, તો તે કેવળ અવિધિએ વર્તાતે હેઈ, જ્ઞાનીના માર્ગને દ્રોહ જ કરે છે. માટે શ્રવણાદિ વિધિ સંપન્ન, યોગમાર્ગના અનુભવી, ભાવગી, એવા ગીતાર્થ જ્ઞાની પુરુષ જ આ યોગમાર્ગના ઉપદેશદાતા હોવા યોગ્ય છે. એવા સદુપદેષ્ટા થકી જ આનું સદુપદેશ દાન શેભે છે, અને તેવા મહાત્મા સદુપદેષ્ટાથી જ માર્ગ પ્રવર્તે છે. “શ્રાદ્ધ: શ્રોતા સુધીમાં યુગેવાતાં વીરા તા त्वच्छासनस्य साम्राज्यमेकछत्रं कलावपि ॥ –શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત વીતરાગસ્તવ. “સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી અને તેવા સદુપદેણા યથાર્થ વક્તા સપુરુષો થકી દેવાતા આ જ્ઞાનદાનનું પ્રયોજન પણ અત્યંતપણે શ્રેયવિશ્વની પ્રશાંતિ અર્થે હોય છે, પુણ્યાન્તરાયના વિદ્ધની પ્રશાંતિ અર્થે હોય છે, કારણ કે આવા જ્ઞાનદાનરૂપ પરમ સત્કાર્યથી પોતાના શ્રેયવિદ્મ શ્રેયસૂમાં–આત્મકલ્યાણમાં જે વિM છે, તેની પ્રશાંતિ હોય છે, અત્યંત પ્રશાંતિ અર્થે શાંતિ હોય છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યમાં જે અંતરાય છે તેની પ્રશાંતિ-અત્યંત શાંતિ હોય છે. એટલે આવા સશાસ્ત્રના દાનથી પિતાના શ્રેયપ્રાપ્તિના અંતરાયે તૂટે છે, ને તેથી પિતાને શ્રેયસૂનીપરમ કૃતની મોક્ષરૂપ સતફળની પ્રાપ્તિ હોય છે. આમ આ પરમ સત્શાસ્ત્ર પોતે પ્રભાવના ઐવિષ્યની પ્રશાંતિ કરનાર હોવાથી, તેનું દાન પણ સ્વ–પરને છે વિદ્ધની પ્રશાંતિ કરનાર છે. એટલા માટે આત્મકલ્યાણની નિષ્કામ ભાવનાથી Page #447 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શ્રેયવિઘપ્રશાંતિ અથે સતતદાન : કળશ કાવ્ય (૭૫૯) શ્રેવિનની પ્રશાંતિને અર્થે સદુપદેષ્ટા સપુરુષોએ આ સતુશાસ્ત્રનું જ્ઞાનદાન કરી પરમ સદ્ભુતની પ્રભાવના કરવા ગ્ય છે. તથાતુ! લેક પૂરજે નિજ નિજ ઈચ્છા, યોગભાવ ગુણરયણેજી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે.”—ી. . સક્ઝા. ૮૮ – ઉપસંહાર કળશ કાવ્ય – વસંતતિલકા સાગરૂપ બહુ શાસ્ત્ર સમુદ્ર મંથ્ય, આ ગદષ્ટિમય ગ સુગ્રંથ ગુ; દુગ્ધાબ્ધિમાંથ વિબુધે અમૃત વળ્યું, ગામૃત શ્રી હરિભદ્ર બુધે વાવ્યું. ૧૬૭ છે સાર તે ક્ષરતણે નવનીત માત્ર, આ તેમ ગભૃતસાર જ ગશાસ; સંક્ષેપમાં કયું સમુદ્ધત આ સૂરીકે, આત્માર્થ અર્થ પરમાર્થપરા મુની. ૧૬૮ સંક્ષેપ તેય પરિપૂર્ણ જ માર્ગ વ્યક્તિ, એવી અપૂર્વ અહિં શ્રેષ્ઠ સમાસશક્તિ, છે સિધુ બિન્દુમહિં બિન્દુય સિધુમાંહિ, છે વૃક્ષ બીજમહિ ને બીજ વૃક્ષમાંહિ. ૧૬૯ પ્રત્યેક સૂત્ર ગભરાશય એહ સ્થાને, બિન્દુમહીં ઉલસિયે કૃતસિબ્ધ જાણે! દિગદર્શનાર્થ કંઈ તેહ તણા ઉલાસે, લાંબું વિવેચન કર્યું ભગવાનદાસે. ૧૭૦ જોગીદ્ર જેહ જગ જાગતી જ્યોત જેવા, વાઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા; વાણી તણે તસ અહો ! કુણુ તાગ પામે ? આંબે શું ક૫ટ્ટમ વામન સ્વર્ગ ધામે? ૧૭૧ જે કુલગો વળ પ્રવૃત્તચક્ર યેગી, તેનેય એહ ઉપકારક ઉપયોગી; આત્માથી જગજન એહ મુમુક્ષુ માત્ર, આ યેગશાસ્ત્ર અધિકાર કહ્યા સુપાત્ર. ૧૭૨ તે કુલગી જન યોગિકુલે જ જમ્યા, ને ગિધર્મ અનુયાયિ યથાર્થ અન્યા; અદ્વેષ દેવ ગુરુ દ્વિજ શું પ્રેમવંતા, વિનીત દયાળુય જિતેન્દ્રિય બેધવંતા. ૧૭૩ સંસ્કાર જન્મ લહીં યેગી પિતાદિદ્વારા, જે કુલદીપ કુલને અજવાળનારા; તે કુલપુત્ર કુલગી સુશીલ એપે, મર્યાદ કુલવધું શું કુલની ન લેપે. ૧૭૪ તશશ્રેષાદિ ગુણ અષ્ટ સુસ્પષ્ટ વર્તે, ઈચ્છા પ્રવૃત્તિ યમ આદિ દ્વય પ્રવ; ને સ્થિર સિદ્ધિ યમના અતિશે જ કામી, તે જાણ જોગીજન પ્રવૃત્તચક નામી. ૧૭૫ કર્નાદિ કારક કુચક્ર પરાર્થ વર્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવત્યું; આત્માર્થ આત્મ થકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતે મહાત્મા. ૧૭૬ આત્મસ્વભાવ ન વિભાવથી તે હણે છે, આત્મા શિવાય પરભાવ સ્વ ના ભણે છે; આત્માતિવિક્તિ પર દ્રવ્ય ન તે હરે છે, ના ભેગવે ન જ મમત્વ મતિ કરે છે. ૧૭૭ Page #448 -------------------------------------------------------------------------- ________________ (૭૬૦) ગદષ્ટિસમુ.ચય એવું વરૂપનું અહિંસક ગચક, સાથે સુસાધુ નિત યોગ પ્રવૃત્તચક; જે ચાલતું હતું જ કારક ચક્ર વક્ર, તેને ચલાવ્યું ત્રાજુ મોક્ષપથે અવક્ર. ૧૭૮ ને આદ્ય ગ જ અવંચક વેગ યોગે, તેથી બીજા દ્રય અવંચક ગ ગે; આ ગએ જ શુભ યોગ તણ પ્રયોગ, છે પાત્ર અત્ર અધિકાર સુગ યોગે. ૧૭૬ જે સંતનું સ્વરૂપ ઓળખી સંત સેવે, તે સંત સંતફલ સંત કૃપાથી લેવે; આવા અવંચક વિગ તણા સુયોગે, આ ગિઓનું અહિયેગ્યપણું જ ગે. ૧૮૦ આ કુલગ ત્યમ પ્રવૃત્તચકનેય, આ ગ્રંથથી કંઈ વળી ઉપકાર હોય; સત પક્ષપાત પ્રમુખ શ્રવણે ધરીને, સફ્લેગ બીજ તણ પુષ્ટિવડે કરીને. ૧૮૧ સત પક્ષપાત ત્યમ ભાવની ક્રિયાનું, ખદ્યોત ભાનુ સમ અંતર સ્પષ્ટ માનું; ખદ્યોત તેજ અતિ અલ્પ અને વિનાશી, આ વિપરીત રવિનું-બુધ લ્યો વિમાસી ! ૧૮૨ એવાં રહસ્ય સુપ્રકાશક ગ્રંથ એ, આ તે અયોગ્ય જનને ન જ યોગ્ય દેવે; ભારી અનર્થકર લેશ અહિં અવજ્ઞા, તેથી વદ્યા શ્રી હરિભદ્ર ધરી કરુણા. ૧૮૩ દેવો જ યોગ્ય જનને પર પ્રેમ ભાવે, જેથી જગે પરમ શ્રત પ્રભાવ થાવે; ને શ્રેય વિM વિરહે,-હરિભદ્ર ભાખે, તેને અનુવાદ કહ્યું ભગવાનદાસે. ૧૮૪ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसू नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनन्दनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुश्चयशास्त्रे उपसंहारः ॥ | | ઈતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરચેલા અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુત્ર ડો, ભગવાનદાસે સ્વરચિત સુમનંદની બહતટીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલા શ્રી યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપસંહાર છે Page #449 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૭૬૧) પરિશિષ્ટ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામવેગને સાર મોક્ષમાર્ગે ગમન કરતે ખરેખર મુમુક્ષુ નિર્દભ આત્માથી પુરુષ અનુક્રમે ઈચ્છાયાગ, શાસગ અને સામર્થ્યોગ એ ત્રણ ભૂમિકાઓને સ્પશીને મોક્ષ પામે છે એને સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ. આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂલે પડેલ જીવરૂપ મુસાફર પ્રથમ તે તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેક્ષ મેળવવા ઈચ્છે છે, એટલે તૂટતો દૂતે તે તેને માર્ગ જાણકાર સદ્ગુરુને પૂછે છે, તેની પાસેથી તે જાણીને સહે છે. આમ તે કૃતાર્થ ને જ્ઞાની બને છે ને શ્રદ્ધાપૂર્વક તે ઉદ્દિષ્ટ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે, છતાં તેને ક્વચિત્ પ્રમાદ થઈ આવે છે. આમ આ ઈચ્છાયાગી મોક્ષમાર્ગે આગળ વધતું જાય છે. આ મુસાફરી દરમ્યાન શાયારૂપ ભોમીઓ (guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સંપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માર્ગ દેખતે દેખતે તે શ્રદ્ધાપૂર્વક, પોતાની શક્તિ પ્રમાણે, અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતે જાય છે. આમ તે ભયાનક અટવી વટાવી જઈને સુંદર રાજમાર્ગ પર-ધેરી રસ્તા પર આવી જાય છે. એટલે આગળને મિક્ષસ્થાન ભણીને રસ્તે ચોકખે ચેક દીવા જેવો દેખાય છે. એટલે શાસરૂપ સેમિઆની હવે ઠેઠ વળાવવા આવવાની જરૂર નહિં હોવાથી તેને છેડીને, પણ તેની માત્ર દિગદર્શનારૂપ સામાન્ય સૂચનાને અનુસરીને તે સમર્થ યેગી આત્મસામથી યેગમાગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દેડ્યો જાય છેપ્રાતિજ જ્ઞાનથીપ્રતિભાસંપન્ન અનુભવજ્ઞાન દૃષ્ટિથી આગળ આગળને માગ ચેક દીવા જે દેખતે તે ક્ષાપથમિક ધર્મોને-ક્ષયોપશમ ભાવેને ફગાવી દઈ, ધર્મસંન્યાસ કરતે કરતે, અપૂર્વ આત્મસામર્થ્યથી પક શ્રેણી પર ચઢી, ૮-૯-૧૦-૧૨ ગુણઠાણ ઝપાટાબંધ વટાવી ૧૩મા ગુણઠાણે પહોંચે છે, કેવલજ્ઞાન પામી સર્વદ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તે મેલનગર સાક્ષાત દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચ્યો છે! ત્યાં પછી તે થોડો વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે ને પોતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના યેગોને નિરોધ કરી–ત્યાગ કરી, યેગસંન્યાસ કરી મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી સાક્ષાત મોક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અને તે કાળ અનંત સમાધિસુખમાં શાશ્વત સ્થિતિ કરે છે. આઠ યોગદષ્ટિના સામાન્ય કથનને સારા મિત્રા, તારા, બલા, દીપ, સ્થિરા, કાંતા, પ્રભા, પરા–એ ઉત્તરોત્તર વધતી આત્મદશાવાળી આઠ ગદષ્ટિ છે. તેમાં ઉત્તરોત્તર વધતા જતે બેધપ્રકાશ, તૃણઅનિકણુ, Page #450 -------------------------------------------------------------------------- ________________ (૭૬૨ ) આઠ યોગદષ્ટિનો સામાન્ય સાર ગોમયઅગ્નિકણ, કાષ્ઠઅગ્નિકણ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે,-અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠ દષ્ટિમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હોય છે ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુન્ અને આસંગ એ આઠ પ્રકારના ચિત્ત-આશય દેષને ત્યાગ થતાં અનુક્રમે આ આઠ દૃષ્ટિ સાંપડે છે, અને અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બેધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દષ્ટિમાં આવિર્ભાવ પામે છે–પ્રગટે છે. (સ્પષ્ટ સમજવા માટે જુઓ આ સાથે જોડેલું કેપ્ટક.) અત્રે “દષ્ટિ’ શબ્દનો અર્થ સશાસશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવો બેધ છે; અને તેના ફળરૂપે અસતુપ્રવૃત્તિપદ અટકે છે, ને સતપ્રવૃત્તિપદ પ્રગટે છે. આ આઠ યોગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર સુધી મિથ્યાત્વ હોય છે, પાંચમી સ્થિરા દષ્ટિથી સમ્યક્ત્વનો પ્રારંભ થાય છે. મિત્રો આદિ ચારમાં મિથ્યાત્વ હોવા છતાં તેને સદ્દષ્ટિમાં ગણી, તેનું કારણ એ છે કે તે સમ્યફવના કારણરૂપ થાય છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી-રસ-કાવો વગેરે અવસ્થાઓ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં– સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાઓ-આત્મદશાએ અવશ્ય ઉપયોગી હોય છે. મિત્રા આદિ દષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુર્યની-મીઠાશની નિષ્પત્તિ થાય છે. આ આઠ દૃષ્ટિમાં મિત્રો આદિ પહેલી ચાર દષ્ટિ પ્રતિપાતી પાછી પડનારી કે. અપ્રતિકાતી–પાછી ન પડનારી હોય, એમ વિકલ્પરૂપ ભજના છે, પણ છેલ્લી ચાર સ્થિરા * આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હોય–આવ્યા પછી પાછી પડે જ નહિ, અને તેથી તેમાં નરકાદિ અપાય (હાનિ-બાધા) પણ હાય નહિં. અને આવી અપ્રતિપાતી–પાછી નહિં પડતી દૃષ્ટિ સાંપડ્યા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણ-ગમન અખંડ અભંગ પણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કર્મને ભેગ બાકી હોય તે ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસો કરે પડે તે ભલે, પણ છેવટે તે મુક્તિપુરે પહોંચે જ, “સ્વરૂપ સ્વદેશે” જાય જ. કેક યોગદષ્ટિ | માંગ | દોષત્યાગ | ગુણપ્રાપ્તિ બધઉપમા | વિશેષતા ૧ મિત્રા અદ્વેષ તૃણુઅગ્નિકણ મિથ્યાત ૨. તારા નિયમ જિજ્ઞાસા ગોમય અનિકણ ૩. બલા આસન શુશ્રષા કાઇઅગ્નિકણ ૪. દીપ્રા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપપ્રભા ૫. સ્થિર પ્રત્યાહાર ભ્રાંતિ બધા રત્નપ્રભા સમકત ૬. કાંતા ધારણું અન્યમુદ્દ ભીમસા તારાપ્રભા ૭. પ્રભા ધ્યાન મ્ (રાગ) | પ્રતિપત્તિ સૂર્યપ્રભા ૮, પરા સમાધિ અસંગ | પ્રવૃત્તિ ચંદ્રપ્રભા એમ. s Page #451 -------------------------------------------------------------------------- ________________ મિત્રાબ, તાષ્ટિ, બહાદષ્ટિને સાર (૭૬૩) ૧. મિત્રાદષ્ટિને સાર આ પહેલી મિત્રા” યોગદષ્ટિમાં દર્શન–બધપ્રકાશ તૃણઅગ્નિકણના પ્રકાશ જે મંદ હેય છે, યેગનું પ્રથમ અંગ-ચમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશય દોષને ત્યાગ હોય છે, અને અષ નામનો પ્રથમ ગુણ પ્રગટે છે. - અહીં સ્થિતિ કરતા યોગી પુરુષ ઉત્તમ યોગબીજેનું ગ્રહણ કરે છે, જે ગબીજ મેક્ષ–ફળનું અવધ્ય–અમોઘ કારણે થઈ પડે છે. મુખ્ય ચેગબીજ આ છે–(૧) વીતરાગ પરમાત્માની શુદ્ધ ભક્તિ, (૨) ભાવયોગી એવા ભાવાચાર્યરૂપ આત્મારામી સદ્ગુરુની સેવા-ભક્તિ, (૩) સહજ ભવવૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિ વડે સશાસ્ત્રની ભક્તિ, (૬) ગબીજ કથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, (૭) અને તેને શુદ્ધ ઉપાદેય ભાવ. આ ઉત્તમ ગબીજનું ગ્રહણ ઘણા ભાવમલને ક્ષય થયે છેલા પુલાવર્તામાં તથાભવ્યતાના પરિપાકથી પ્રાયે મનુષ્યોને હોય છે. આ છેલા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાનું પ્રત્યે અદ્વેષ, (૩) સર્વ કોઈની અભેદભાવે યથોચિત સેવા. આવા લક્ષણવાળા ભદ્રમૂત્તિ મહાત્મા જીવને સગુરુ સપુરુષને યેગથકી ગાવંચક, ક્રિયાવંચક ને ફલાવંચક પ્રાપ્ત થાય છે. આ અવંચકત્રયને બાણની લક્ષ્યક્રિયાની ઉપમા સાંગોપાંગ બરાબર ઘટે છે. આ બધુંય જ્યાં પ્રાપ્ત થાય છે, એવી આ મિત્રાદષ્ટિમાં “ગુણસ્થાન’ શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે. ૨. તારાદષ્ટિને સાર બીજી તારાદષ્ટિમાં દર્શન-બોધપ્રકાશ છાણના અગ્નિકણ સમાન હોય છે યોગનું બીજુ અંગ નિયમ ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષને ત્યાગ અને જિજ્ઞાસા નામને બીજે ગુણ હોય છે. અત્રે શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાણિધાન એ પંચ પ્રકારને નિયમ હોય છે, તેનું સવિસ્તર વર્ણન અહીં કર્યું છે. તે ઉપરાંત અત્રે આ ગુણસમૂહ પણ હોય છે—(૧) વેગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ સગ સાધનારા યેગીઓ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, ક્ષુદ્રઉપદ્રવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ, (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણહીનતાથી પિતા પ્રત્યે બેદ-વ્યાસ. (૭) ભાવવૈરાગ્ય–સંસારથી છૂટવાની કામના. (૮) સપુરુષોની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચર્ય. (૯) “શિષ્ટ કહે તે પ્રમાણે એવી ભાવના, સ્વછંદ ત્યાગ. ૩. બલાદષ્ટિને સાર આ ત્રીજી બેલારષ્ટિમાં દર્શન દઢ-કામાં અગ્નિકણ સમાન હોય છે, અને વેગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે, અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે, અવૈરાપૂર્વક સર્વત્ર ગમન હેાય છે, અને અપાયપરિહારથી સર્વ કૃત્ય પ્રણિધાનયુક્ત હોય છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિના સાર ( ૭૬૪ ) શ્રુષા નામને ત્રીજો ગુણ અહી' પ્રાપ્ત થાય છે. આ શુશ્રુષા યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હાય છે. આ શુશ્રુષા ખાધજલપ્રવાહની સરવાણી જેવી છે; એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવા જેવુ'-ફેગટ છે. કદાચ શ્રવણુ ન થાય તેપણુ આ શુષાના પ્રભાવે શુભભાવથી ક*ક્ષયરૂપ ફલ થાય છે,—જે ઉત્તમ બેાધનું કારણ થાય છે. તેમજ ક્ષેપ નામના ત્રીજા ચિત્તદેષના અહી ત્યાગ હાય છે એટલે ચેાગઢ બધી અક્ષેપ હાય છે, અને તે યાગઉપાયનુ કૌશલ હેાય છે. અત્રે ચેગી ધર્મના ઉપકરણુરૂપ સાધનમાં મૂર્ચ્છના ધરાવી સાધનેાને મધના બનાવતા નથી, પણ સદા પાપથી ભાગતા રહી મહાયવત અવિઘ્નને પામે છે. ૪. દીપ્રાટિના સાર ચેાથી દીપ્રા દૃષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન ધપ્રકાશ હાય છે, ચેાગનું ચેથુ' અ’ગ પ્રાણાયામ (ભાવપ્રાણાયામ) પ્રાપ્ત થાય છે, ઉત્થાન નામના ચેથા ચિત્તદોષનેના નાશ તથા તત્ત્વ શ્રવણ નામના ચેાથા ગુણની પ્રાપ્તિ હૈાય છે. છતાં અત્રે હજુ સૂક્ષ્મ બેધ હાતા નથી. તેનું કારણુ અત્રે શુદ્ધ આત્મસંવેદનરૂપવેદ્યસ`વેદ્યપદના અભાવ અને એથી વિપરીત અવૈદ્યસ‘વેદ્યપદ્યનુ હેવાપણુ' એ છે. ભવાભિનંદી જેનુ પાત્ર છે એવુ આ અવેવસ'વેદ્યપદ અધપણારૂપ હોઈ દુતિમાં પાડનારૂં છે, અને તે સત્સંગ-આગમ યુગ વડે ધરધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતાવા ચાગ્ય છે, અન્ય સમયે જીતાવું અશકય છે અને આ અવેધસવેદ્ય પદ્મ જીતાતાં મનુષ્યના વિષમ કુતર્ક ગ્રહ આપે।આપ નિયમથી ટળે છે. જે ચિત્તનેા અનેક પ્રકારે ભાવશત્રુ છે એવા આ દુષ્ટ કુતર્કમાં મુમુક્ષુએ આગ્રહ કરવા યુક્ત નથી; પણ શ્રુતમાં, શીશમાં, સમાધિમાં અને સુવિશુદ્ધ પરોપકારમાં તે કરવા યુક્ત છે; કારણ કે વિચારવંત જીવાને પ્રયાસ તે અતીન્દ્રિય અથની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તર્કને ગેાચર હાતા નથી. સ`જ્ઞતત્ત્વ અતીન્દ્રિય છે, તે અ ંગે સામાન્યપણે વિચારતાં જણાય છે કે— તત્ત્વથી ઘણા સર્વજ્ઞા ભિન્ન મતવાળા નથી, તેથી તેને બે માનવે તે તેના અતિભક્તોને મેાહુ છે. કારણ કે સર્વજ્ઞ નામના જે કઇ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભે છતાં તન્ત્રથી સત્ર એક જ છે. તેથી તે સર્વજ્ઞને જે સામાન્યથી માન્ય કરે છે, તે સર્વ બુદ્ધિમાને મન સમાન છે,—એક રાજાના આશ્રિત બહુ સેવકેાની જેમ એટલે આમ ઉપાસ્ય એવા સર્વજ્ઞતત્ત્વને જો અભેદ છે, તેા તેના ઉપાસક સર્વ સર્વજ્ઞવાદીમાં પણ ભે† નથી. ચિત્ર અને અચિત્ર એમ બે પ્રકારની ભક્તિ ચેગશાસ્રોમાં વર્ણવવામાં આવી છે, તે પરથી પણ આ સર્વજ્ઞની એકતાને પુષ્ટિ મળે છે. તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસદ્ધિ-આશય પ્રમાણે ભિન્ન ભિન્ન ફળ હોય છે; આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ ધના ભેદ પ્રમાણે અને આ Page #453 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિને સાર (૭૬૫) અનેક પ્રકારના ભેદવાળું હોય છે, કારણ કે બે ત્રણ પ્રકારને હોય છે : (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન (૩) અસંમોહ. તે બંધ થકી સર્વ કર્મોમાં ભેદ પડે છે. તેમાં ઇક્રિયાથને આશ્રય કરે તે બુદ્ધિ, આગમપૂર્વક હોય તે જ્ઞાન, અને સદનુષ્ઠાનયુક્ત જે જ્ઞાન તે અસંમેહ, બુદ્ધિક્રિયાનું ફળ સંસાર, જ્ઞાનક્રિયાનું ફળ પરંપરાએ મેક્ષ અને અસંમિત ક્રિયાનું ફળ શીવ્ર મોક્ષ છે. આ અસહ કર્મ ભવાતીત અર્થગામી મુમુક્ષુઓને જ હોય છે, અને ભવભેગવિરક્ત આ ખરેખરા મુમુક્ષુઓને માર્ગ એક જ શમપરાયણ એ છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાર્ગની જેમ એક જ છે. કારણ કે તે સંસારાતીત પર તત્વ “નિવણ” નામનું છે, તે સદાશિવ પરબ્રહ્મ સિદ્ધાત્મા આદિ શબ્દભેદે ઓળખાતું છતાં તત્વથી નિયમથી એક જ છે. એટલે આ નિર્વાણુતવ અસંમેહથી તત્વથી જાણે પ્રેક્ષાવંતને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતું જ નથી. અને આ નિવણતત્વ નિયમથી જ સર્વજ્ઞપૂર્વક સ્થિત છે, એટલે તે સર્વજ્ઞ ભેદ કેમ હોય અને તે ન હોય તે તેના ભક્તોને ભેદ પણ કેમ હોય? તે પછી સર્વાની દેશના ભેદ કેમ છે? તેનું સમાધાન-(૧) શિષ્યના અનુગ્રહાર્થે તે ચિત્ર–નાના પ્રકારની છે. (૨) અથવા એઓની દેશના એક છતાં શ્રેતાભેદે તેઓના અચિન્ત પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે. (૩) અથવા તે તે દેશ-કાલાદિ અપેક્ષાએ ચિત્ર દેશના ત્રષિઓ થકી જ પ્રવર્તે છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે તે સર્વજ્ઞ અભિપ્રાય જાણ્યા વિના તેને પ્રતિક્ષેપ-વિરોધ કરે યુક્ત નથી. એટલે આવા સર્વજ્ઞ જેવા અતીન્દ્રિય વિષયમાં અંધ જેવા છદ્મસ્થાએ શુષ્ક તક-ગ્રહથી વાદવિવાદ કરે યુક્ત નથી. મુમુક્ષુને તે તરવથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું ? માટે મુમુક્ષુએ તે આ મહતુ પુરુષોના માર્ગને સમ્યફપણે અનુસરવું યોગ્ય છે: (૧) સુક્ષ્મ પરપીડન પણ વર્જવું, (૨) પોપકારમાં સદેવ યત્ન કરવો. (૩) ગુરુદેવ દ્વિજયતિ આદિને યથાયોગ્યપણે પૂજવા, (૪) પાપી જી પ્રત્યે પણ દયાપરાયણ થવું. તાત્પર્ય કે જે આગ્રહનું વિષ વમશે, તે જ સમ્યક્ત્વ અમૃતને પામશે. ૫. સ્થિરાદષ્ટિને સાર આ પાંચમી સ્થિર દષ્ટિમાં (૧) દર્શન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હોય છે, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ પ્રાપ્ત થાય છે. (૩) ભ્રાંતિ નામને પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સુમ બેલ નામને પાંચ ગુણ સાંપડે છે. એટલે ગ્રંથિભેદ થકી શુદ્ધાત્માનુભૂતિરૂપ વેવસંવેદ્યપદની પ્રાપ્તિથી મહ-તમસ્ દૂર થઈ ભેદજ્ઞાનનું પ્રભાત ખુલે છે, સ્વ-પર વસ્તુને વિવેક ઉપજે છે, સમસ્ત ભવચેષ્ટા બાલકની લિગ્રક્રીડા જેવી, મૃગજલ ને સ્વપ્નાદિ જેવી અસાર ને અસ્થિર લાગે છે, સવ બાહ્ય ભાવે મૃગજલ ને સ્વપ્નાદિ સમાન ભાસે છે, અબાહ્ય એવી કેવલ એક આત્મતિ જ પ્રમાણ ગણી બાકી બીજે બધે ઉપપ્તવ જાણે છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ (૭૬૬) કાન્તાદષ્ટિ, પ્રભાષ્ટિને સાર એમ વિવેકસંપન્ન ગી સદાય પ્રત્યાહાર કરી વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચે છે, પાપખારૂપ ભેગમાં આસક્તિ ધરતા નથી, ધર્મથી સાંપડતા ભેગને પણ અનિષ્ટ માને છે, અને વિષયવિષને દૂરથી ત્યજી આત્મસ્વરૂપ અમૃતને ભજે છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને સર્વ વિભૂતિઓ આ ગીની દાસી થઈ ફરે છે, સ્વયં આવીને યોગીને વરે છે, પણ આ સમ્યગ્દષ્ટિ યોગી તે સામે દૃષ્ટિ પણ કરતા નથી. જ્યાં આત્માની અનંત ત્રાદ્ધિ પ્રગટી છે. ત્યાં લબ્ધિ સિદ્ધિ શી વિસાતમાં છે? એમ જાણતા સમ્યગદષ્ટિ જ્ઞાની યોગી તત્વથી ધર્મમાં જ યત્ન કરી આત્મધર્મમાં સ્થિરતા ધરે છે. ૬. કાંતાદૃષ્ટિને સાર છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં દર્શન તારા પ્રભા સમાન હોય છે; ધારણ નામના છઠ્ઠા ગાંગની પ્રાપ્તિ, અન્યમુદ્ નામના છઠ્ઠા ચિત્તદોષનો ત્યાગ, અને મીમાંસા નામના છઠ્ઠા ગુણની પ્રાપ્તિ હોય છે. મ્યાનથી તલવારની જેમ દેહાદિથી આત્માને જેણે ભિન્ન જાણે છે, એ આ આત્મજ્ઞાતી સમ્યગદષ્ટિ યોગી આત્મસ્વરૂપમાં ધીર ધારણ ધારી પરભાવ-વિભાવમાં કદી મોહ ધરાવતા નથી, આત્મસ્વભાવમાં વર્તનારૂપ ધર્મમાં વર્તનથકી સમ્યફ આચારશુદ્ધિ પામે છે. ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્માનું મન, પતિવ્રતા સ્ત્રીની જેમ, સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે આમ મૃતધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે–આકષી રાખે છે એવા આ જ્ઞાનાક્ષેપકવંતને ભેગે પણ વહેતુ થતા નથી ! મોહમયી માયા મધ્યે પણ અહસ્વરૂપી તે દુષ્કરકારી, જલમાં કમલની જેમ, કદી પણ લેપાતા નથી! માયાજલ સમા ભોગને જે અહીં તેના સ્વરૂપથી દેખે છે, તે ભેગવતાં પણ અસંગ રહી પરમ પદ પ્રત્યે જાય જ છે; પણ ભેગને જે તત્ત્વરૂપ-સાચેસાચા માને છે, તે ભગતત્ત્વ પુરુષ તે ભવસમુદ્ર તરતું નથી. હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે એવી મીમાંસારૂપ પુષ્ટ તત્ત્વસુધાના રસપાનથી જે નિત્ય પુષ્ટ છે, એ આ દષ્ટિમાં સ્થિત ભેગી ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતઉદય સદાય પામે છે. ૭. પ્રભાષ્ટિનો સાર સાતમી પ્રભાષ્ટિનો બધપ્રકાશ સૂર્ય સમાન હોય છે અત્રે સાતમું ગાંગધ્યાન પ્રાપ્ત થાય છે, “રેગ' નામને સાતમા ચિત્તદોષ ટળે છે ને તવ પ્રતિપત્તિ નામનો સાતમો ગુણ પ્રગટે છે. સ્વ૫ર વસ્તુના ભેદજ્ઞાનથી જન્મેલું એવું પ્રશમરસથી સાર સાચું ધ્યાનસુખ અત્રે અનુભવી યોગી ચાખે છે; કારણ કે નિર્મલ બોધ કરીને આત્માનું શુકલ ધ્યાન આ મહાત્મા જ્ઞાનીને અહોનિશ વર્તે છે; એટલે પરવશ તે સઘળું દુઃખ ને નિજવશ તે સઘળું સુખ હોઈ, આ યોગી આત્મવશ એવું સાચું આત્મધ્યાન સુખ અનુભવે છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ રાદદિને સાર (૭૬૭) જ્યાં પરપરિણતિને કાંઈ સંગ હેત નથી, પરસમયની જેમાં સ્વપ્ન પણ છાંયા પડતી નથી, સમય માત્ર પણ જેમાં વિભાવવૃત્તિ હોતી નથી, અને શુદ્ધ આત્મારૂપ સ્વસમયમાં જ સ્થિતિ હોય છે, એવી સત અસંગ પ્રવૃત્તિ જ્યાં વત્તે છે, એવું “અસંગાનુષ્ઠાન' સંજ્ઞાથી ઓળખાતું સત્પવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્યપદ પમાડનારું આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવત્મ, ધ્રુવભાગ-એમ અનેક નામે યોગીઓથી ગવાય છે. આને અત્ર સ્થિત યોગી શીધ્ર સાધે છે, તેથી આ પદ પમાડનારી આ દૃષ્ટિ જ ગવિદોને ઈષ્ટ છે. ૮. ૫રાદષ્ટિને સાર જ્યાં બે પ્રકાશ ચંદ્ર સમાન હોય છે, એવી આઠમી પરા દ્રષ્ટિમાં આઠમું યોગાંગ સમાધિ પ્રાપ્ત થાય છે, આઠમે આસંગ નામને ચિત્તદોષ નષ્ટ થાય છે, અને આઠમો પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે. એટલે સમાધિનિષ્ઠ એવી આ પરા દૃષ્ટિમાં જ્યાં સર્વ પરભાવ-વિભાવ સમાઈ જાય છે, આત્મા સદા શુદ્ધ સ્વભાવમાં સમાય છે, મન આત્મામાં સદાય વિલીન થાય છે, એવી પરમ સુખદાયી આત્મસમાધિ પ્રગટે છે; સર્વ પ્રદેશમાં ચંદનગંધન્યાયે આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી સહાત્મસ્વરૂપ આત્મપ્રવૃત્તિ થાય છે. આ પરમ યોગારૂઢ પુરુષ સર્વ આચારથી પર એ નિરાચાર પદવાળો હોય છે, એટલે આરૂઢને આરોહણના અભાવની જેમ એને કઈ આચાર પાળવાપણું રહેતું નથી. રત્નના નિયોગથી-વ્યાપારથી અહીં લેકમાં રત્નાવણિક જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મસંન્યાસના વિનિયોગથી–વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. અર્થાત્ સર્વ ક્ષાયોપથમિક ધને સંન્યાસ–ત્યાગ કરવારૂપ ધર્મસંન્યાસ યોગને પામેલે આ યોગીશ્વર અપૂર્વકરણે ક્ષપકશ્રેણી પર આરહી નિત્યેાદયી ને નિરાવરણ એવી કેવલશ્રી વરે છે. એટલે આકાશમાં ચંદ્ર જેમ ભાવશુદ્ધ પ્રકૃતિથી સ્થિત જ છે, કાંઈ સ્થાપિત કરવાનો નથી, તેમ આમચંદ્ર જે શુદ્ધ સ્વભાવ સ્થિત છે, તેનું મેઘપટલ જેવું જ્ઞાન આવરણ આમ ધર્મ સંન્યાસરૂપ વાયુના સપાટાથી વિખેરાઈ જતાં, તે શ્રીમાન્ ગીશ્વર પરમ કેવલજ્ઞાન પામી જ્ઞાનકેવલી’ કહાય છે. આમ જેના સર્વ દોષ સર્વથા ક્ષીણ વર્તે છે, અને જે સર્વ લબ્ધિફલના ભેગવનારા છે, એવા આ ખરેખરા શ્રીમદ્ સર્વજ્ઞ મહામુનિ પરમ પરાર્થ–પરોપકાર કરીને પછી યોગના અંતને પામે છે; અર્થાત્ શૈલેશી અવસ્થામાં પરમ એવા “અયોગ યોગને પામીને આ ભગવાન સહજાન્મસ્વરૂપ સ્વામી ભવવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે. મુક્ત તત્ત્વ મીમાંસાને સાર વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ-વ્યાધિમુક્ત મુક્ત આત્મા હોય છે. તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે, જન્મ-મૃત્યુ આદિ તેના Page #456 -------------------------------------------------------------------------- ________________ (768 ) મુક્ત તવ મીમાંસાને સાર–ઉપસંહારનો સાર વિકાર છે, તે વિચિત્ર પ્રકારનો મોહ ઉપજાવે છે અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. કર્મ જન્ય આ ભવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મમરણાદિ દેષ ટળવાથી તેને અદેષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. એટલે આત્માની સ્વરૂપ સત્તા જ-સ્વભાવ સ્થિતિ-સહજામસ્વરૂપ એ જ મોક્ષભાવ-મુક્તભાવ છે. રોગી, કે તેને અભાવ, કે તેનાથી બીજે તે રોગમુક્ત કરી સન્નીતિથી ઘટત નથી; તેમ જન્મરેગી, તેને અભાવ, કે તેનાથી બીજે તે મુક્ત તે પણ મુખ્યપણે મુખ્ય ઘટતું નથી. પણ જે પુરુષને વ્યાધિ ક્ષીણ થઈ ગયો છે, તે જેમ લેકમાં વ્યાધિમુક્ત સ્થિત છે; તેમ જે આત્માને જન્મવ્યાધિ ક્ષીણ થયો છે, તે જન્મરોગી તે જન્મરોગથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો છે. રોગના અભાવથી કાંઈ રોગીનો અભાવ થઈ જતો નથી, પણ તે તે રોગમુક્ત નીરોગીને જ સ્વસ્થ ભાવ છે; તેમ જન્મોગના અભાવથી કાંઈ આત્માને અભાવ થઈ જતો નથી, પણ તે તે નરગી આત્મસ્વરૂપ સ્વસ્થ આત્માને સ્વભાવભાવ આવિર્ભાવ છે, અને તે જ મુક્ત ભાવ છે. ઉપસંહારને સાર મહા યોગશાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી આર્ષદૃષ્ટા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથરૂપ ગામૃત લેવ્યું છે; બિન્દુમાં જાણે કૃતસિધુ ઉલ્લ હેય એમ તેનું પ્રત્યેક સૂત્ર ગંભીર આશયભર્યું છે, તેના દિગદર્શનાર્થે આ ભગવાનદાસે ઉલ્લાસથી તે ગ્રંથ પર લાંબું વિવેચન કર્યું છે, અને તેમાં પણ વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી તે ગ્રંથનું અને વિવેચનનું સારભૂત તાત્પર્ય દર્શાવતા આ કળશકાવ્યની નવરચના સ્વયં કરી છે. જે કુલગી અને પ્રવૃત્તચકગી–આત્માથી મુમુક્ષુ જોગીજનમાત્ર છે, તેઓને આ યોગશાસ્ત્ર ઉપકારી થઈ પડશે. આ કુલગી અને પ્રવૃત્તચક્ર યેગીનું લક્ષણ અત્ર સ્પષ્ટ વર્ણવ્યું છે. જે સંતનું સ્વરૂપ ઓળખી સંતને સેવે છે, તે સંત સંતકૃપાથી સંત ફલ પામે છે,–આવા મેગાવંચક, કિયાવંચક ને ફલાવંચક એ ત્રણ અવંચક યુગના વેગે ઓ યેગીઓનું જ અહીં યુગમાં ગ્યપણું-યોગ્ય પાત્રપણું છે, અને એ જ આ ગ્રંથના યોગ્ય અધિકારી છે. શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયાનું અંતર ભાનુ-ખદ્યોત જેવું છે, ઈત્યાદિ રહસ્ય જે પ્રકાશે છે, એ આ ગ્રંથ અગ્ય જનને દેવે એગ્ય નથી, પણ ગ્ય જનને તે પરમ પ્રેમભાવે દેવ જ છે, કે જેથી જગતમાં પરમકૃત પ્રભાવ થાય અને શ્રેયવિનને વિરહ થાય.