Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005542/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત કુમતિ-મદ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal & Private Use Only www.jannelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન જ ગ્રંથકાર જ લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા છે વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષડદર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલનકારિકા છે સુવિશાલગચ્છાધિપતિ - વ્યાખ્યાનવાચસ્પતિ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય ર ' - વીશ્વરજી મ. સા.ના આજ્ઞાવર્તીની પૂજ્ય ચંદ્રાનનાશ્રીજી સંસ્થાના કા પૂજ્ય ચારુનંદિતાશ્રીજી મ. સા.ના નાશ્રી સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને Tag : પ્રકાર ભેટ આપેલ : હતાર્થ તિથિ SિE ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only . Page #3 -------------------------------------------------------------------------- ________________ કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા. વીર સં. ૨૫૩૬ વિ. સં. ૨૦૧૬ પ્રથમ જ નકલ : ૩૦૦ મૂલ્ય : રૂ. ૯૦-૦૦ - આર્થિક સહયોગ - શ્રીમતી આશાબેન મહેશભાઈ હીંગડ – મુંબઈ. = GS : મુખ્ય પ્રાપ્તિસ્થાન : ૧૧૮ તાર્થ . ૧૬૦ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ર૬૬ ૧૪૬૦૩ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ મેં : પ્રાપ્તિસ્થાન : * મુંબઈ શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુબઈ-૪૦૦૦૨૦. : (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. - (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. * (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (O) 22875262, (R) 22259925 * વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન’ ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. * (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. * (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. ૪ (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. * (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય - “ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલા વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાનું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. આ સંદર્ભે ‘ગંગોત્રી ગ્રંથમાળા' હેઠળ ધર્મતીર્થ ભાગ-૧ અને ભાગ-૨ બહાર પડી ચૂક્યા છે, ભાગ-૩નું સંકલન થઈ રહ્યું છે તથા તે હેઠળ દ્વિતીય વિષય પર્ષદા પર થયેલાં પ્રવચનોનું કામ ચાલી રહ્યું છે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા ૫. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમન્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ * 35 ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર ૫. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં તેમજ લેખિત સંપાદિત પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨, યોગદૃષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦ ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૩, ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. જૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ છે વારહ વ્રત વં વિત્ત્વ ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ર૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા र संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. Rakshadharma'Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.). સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૯. સેવો પાસ સંવેસરો (હિન્દી), સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ હૈ = ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો ક એ વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩, અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨, પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચના ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭, સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાન દ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચના ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્વાત્રિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાત્રિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદૃષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનર્બંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાબિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચના ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭. નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. શ્રી વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું હુંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા અંતર્ગત - ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો denden ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ X28282828RRRRRRRRRRRRRRRRRRRRRRRRRUREROAK) કુમતિમદબાલન શ્રી વીરસ્વતિરૂપ છે ૧૫0 ગાથાનું હૂંડીના સ્તવનની પ્રસ્તાવના છે GRERURULURRURERERERURULURURURSAURURURUZURURK 888888888 ભગવાનના શાસનની શુદ્ધ પ્રરૂપણા મોક્ષનું કારણ છે. તેથી ભગવાનના વચનના બળથી ચાર નિક્ષેપાને પ્રમાણરૂપે સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપનાનિક્ષેપાને સ્વીકારવાની યુક્તિ બતાવે છે, જેથી ભગવાનની પ્રતિમા પૂજ્ય છે તેની સિદ્ધિ થાય. વળી, આગમના અનેક વચનોથી પણ ભગવાનની પ્રતિમા પૂજ્ય છે તેનું ગ્રંથકારશ્રી પ્રસ્તુત સ્તવનમાં સ્પષ્ટીકરણ કર્યું છે, જેનો વિસ્તાર ગ્રંથકારશ્રીએ પ્રતિમાશતક' ગ્રંથમાં કરેલ છે. તેથી વિશેષ જિજ્ઞાસુએ તે ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. વળી, ગ્રંથકારશ્રીએ ચોથી ઢાળમાં કોઈકનો મત બતાવતાં કહ્યું કે ભગવાનની પૂજામાં ઘણા પ્રકારનો આરંભ છે, તેથી આરંભની ક્રિયાને ધર્મ કહી શકાય નહીં. તેની સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રી બતાવે છે કે ભગવાનની પૂજા બાહ્યથી આરંભ હોવા છતાં પરમાર્થથી તો મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવો જ છે, તેથી લેશ પણ કર્મબંધની પ્રાપ્તિ નથી. વળી, આગમમાં શાશ્વત પ્રતિમાઓનું વર્ણન મળે છે જે અતિરમ્ય છે. જેનું શ્રવણ કરતાં ચિત્તમાં પૂજ્યભાવ ઉલ્લસિત થાય તેમ છે, જેઓ ઉપયોગપૂર્વક તે વર્ણનને સાંભળે અને ભગવાનના ગુણો તેના ચિત્તમાં સ્થિર થવા લાગે તો નિરાલંબનયોગ પણ સુલભ બને છે. તેથી પાંચમી ઢાળમાં વિસ્તારથી શાશ્વત પ્રતિમાઓનું સ્વરૂપ બતાવેલ છે. વળી, યોગોદ્વહન કર્યા વગર આગમ ભણવાનો નિષેધ છે તેથી આગમને ભણવાના અધિકારી શ્રાવકો નથી, છતાં સ્થાનકવાસીમાં જે શ્રાવકો આગમ વાંચે છે તે અનુચિત છે, તેનાથી જ્ઞાનાવરણીય આદિ કર્મો બંધાય છે ઇત્યાદિ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન/પ્રસ્તાવના સ્પષ્ટતા છઠ્ઠી ઢાળમાં કરેલ છે. આથી જ શ્રાવકોને લબ્ધાર્થ-ગૃહીતાર્થ કહ્યા છે, પણ આગમો ભણેલા શ્રાવકો હોય એમ કહ્યું નથી. માટે ગૃહસ્થોને આગમ વાંચવા અને તેના ભાષાંતર વાંચવા ઉચિત નથી તેવો અર્થ છઠ્ઠી ઢાળમાંથી સ્પષ્ટ થાય છે. વળી, પ્રસ્તુત સ્તવનના પરમાર્થને જાણવાથી કેવા પ્રકારના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ? તેની સ્પષ્ટતા સાતમી ઢાળમાં કરેલ છે. છબસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડં” માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩ તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાના સ્તવન/અનુક્રમણિકા : અનુક્રમણિકા હીં પાના નં. ) ૧-૨૪ ૨૫-૪૩ ૪૪-૩૫ ઢાળ નં વિષય આગમવચનો દ્વારા સ્થાપનાનિપાની પૂજ્યતાનું સ્થાપન. સૂર્યાભદેવે ભગવાનની ભક્તિ કરી છે તેનું વર્ણન. ચૈત્યને પૂજ્ય સ્વીકારવા માટે જુદા-જુદા શાસ્ત્રવચનો દ્વારા સ્થાપન. (i) ભગવાનની પૂજામાં ષકાયના આરંભને સ્વીકારીને અપૂજ્ય કહેનાર સ્થાનકવાસીના મતનું નિરાકરણ. (ii) ભગવાનની પૂજાનું સઆરંભરૂપે સ્થાપન. શાશ્વત પ્રતિમાઓનાં વૈભવનું સ્વરૂપ. | (i) શ્રાવકને આગમ ભણવાનો નિષેધ. | (ii) યોગોહનપૂર્વક સાધુને આગમ ભણવાનો અધિકાર. ૭ | પ્રસ્તુત સ્તવનના બોધથી પ્રાપ્ત થતું ઉત્તમ ફળ. ૬૬-૯૧ ૯૨-૧૦૪ ૧૦૫-૧૩૧ ૧૩૨-૧૩૭ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીને નમઃ | ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત કુમતિ-મદ-ગાલન શ્રી વીરતિરૂપ દોઢસો ગાથાનું હૂંડીનું જીવન (રાગ ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો - એ દેશી) પૂર્વભૂમિકા: ભગવાનની મૂર્તિ પથ્થરની છે તેની પૂજા કરાય નહિ' ઇત્યાદિરૂપ સ્થાનકવાસીની જે કુમતિ છે તેના મદનો ગાલન કરનાર વિનાશ કરનાર, એવું વીર ભગવાનની સ્તુતિરૂપ દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન છે : ગાથા : પ્રણમી શ્રીગુરુના પયપંકજ, ગુણગ્યે વીરજિસંદ; ઠવણનિક્ષેપ પ્રમાણ પંચાંગી, પરખી લો આણંદ રે. જિનાજી! તુજ આણા શિર વહિએ, તુજ શાસન નય શુદ્ધ પ્રરૂપણ; ગુણથી શિવસુખ લહિએ રે. જિનજી! તુજ આણા શિર વહિએ. એ આંકણી. ૧ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૧-૨ ગાથાર્થ ઃ શ્રીગુરુના પયપંક્શને=ચરણકમળને, પ્રણામ કરીને વીર ભગવાનની સ્તુતિ કરીશું, સ્થાપનાનિક્ષેપને પ્રમાણ સ્વીકારવામાં પંચાંગીને પરખીને= જોઈને, આણંદ લહો-આણંદ પામો, હે જિનજી ! તમારી આણા શિર વહન કરીએ, તુજ શાસનના નયશુદ્ધપ્રરૂપણા ગુણથી શિવસુખ લહિયે= શિવસુખ પામીએ. હે જિનજી ! તમારી આણા શિર વહન કરીએ. ||૧/૧૦/ ૨ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રથમ ગુરુના ચરણકમળને પ્રણામ કરીને વીર ભગવાનની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા કરેલ છે અને વીર ભગવાનની સ્તુતિરૂપે પંચાંગીને પરખીને સ્થાપનાનિક્ષેપાને પ્રમાણરૂપે જાણો અને તેનાથી આનંદને પામો એ પ્રકારની ભાવના કરેલ છે. વળી કહે છે કે “હે ભગવાન ! તમારી આજ્ઞા શિરે ધારણ કરીએ અને તમારા શાસનના સ્થાપનાનિક્ષેપને પ્રમાણ સ્થાપન કરવા દ્વારા શુદ્ઘનયની પ્રરૂપણા ગુણથી અમે શિવસુખને પામીએ.” આશય એ છે કે ભગવાને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ સ્વરૂપ ચાર નિક્ષેપા પ્રરૂપ્યા છે, તેમાં ભગવાનની પ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપ પણ પૂજ્ય છે એ પ્રમાણે પંચાંગીના અર્થાત્ આગમ ઉપર રચાયેલ સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા અને ચૂર્ણીરૂપ પંચાંગીના બળથી સિદ્ધ કરીએ તે શુદ્ઘનયની પ્રરૂપણા છે અને ભગવાનના શાસનના શુદ્ઘનયપ્રરૂપણાગુણથી પોતે શિવસુખને પામે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો અભિલાષ છે. ||૧/૧// અવતરણિકા : સ્થાપનાવિક્ષેપને પ્રમાણ સ્વીકારવા અર્થે આગમવચનની સાક્ષી આપે છે ગાથા ઃ શ્રી અનુયોગદુવારે ભાષ્યા, ચાર નિક્ષેપા સાર; ચાર સત્ય દશ સત્યા ભાષા, ઠાણાંગે નિરધાર રે. જિનજી! ૨ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ પ્રકરણ | ગાથા: ૨-૩ - ૩ ગાથાર્થ : અનુયોગદ્વારમાં ચાર નિક્ષેપા પ્રધાન બતાવ્યા છે અને શ્રી ઠાણાંગસૂત્રમાં ચાર સત્યો અને દશ સત્યભાષા કહેલ છે. ll૧/રા ભાવાર્થ : અનુયોગદ્વારસૂત્રમાં નિક્ષેપા કહેલા છે તેમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચાર નિક્ષેપ પ્રધાનરૂપે આવે છે. તેથી અનુયોગદ્વારસૂત્રના વચન અનુસાર સ્થાપનાનિક્ષેપો પ્રમાણ બને છે માટે સ્થાપનાનિક્ષેપારૂપ પ્રતિમાની પૂજ્યતા સ્વીકારવી જોઈએ. વળી, ઠાણાંગસૂત્રના ચોથા સ્થાનમાં નામસત્ય, સ્થાપના સત્ય, દ્રવ્યસત્ય અને ભાવસત્ય એમ ચાર પ્રકારનાં સત્યો કહ્યાં છે. વળી દશમા સ્થાનમાં જનપદસત્યભાષા, સમ્મતસત્યભાષા, સ્થાપના સત્યભાષા, નામસત્યભાષા, રૂપસત્યભાષા, પ્રતીત્યસત્યભાષા, વ્યવહારસત્યભાષા, ભાવસત્યભાષા, યોગસત્યભાષા અને ઉપમા સત્યભાષા એમ દશવિધ સત્યભાષા કહેલ છે. આ રીતે ઠાણાંગસૂત્રના બન્ને પાઠોમાં સ્થાપના સત્યને સ્વીકારેલ છે તેથી સ્થાપનાનિક્ષેપો પ્રમાણ સિદ્ધ થાય છે. માટે સ્થાપનાનિક્ષેપારૂપ જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારવી જોઈએ. ll૧/શા અવતરણિકા : યુક્તિથી સ્થાપનાવિક્ષેપાને પ્રમાણ સ્વીકારવા કહે છે – ગાથા : જાસ ધ્યાન કિરિયામાંહિ આવે, તેહ સત્ય કરી જાણું; શ્રી આવશ્યકસૂત્ર પ્રમાણે, વિગતે તેહ વખાણું રે. જિનાજી! ૩ ગાથાર્થ : જાસ જે સ્થાપનાનિક્ષેપાનું ધ્યાન ક્રિયામાં આવે, તે તે સ્થાપનાનિક્ષેપાનું સત્ય કરી જાણું પ્રમાણ કરી મા-શ્રી આવશ્યકસૂત્ર પ્રમાણે વિગતમાં ગુરુના વિરહમાં, તેહ વખાણું=સ્થાપનાનિક્ષેપો વખાણું. II૧/all For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ઢાળ : ૧ | ગાથા : ૩-૪ ભાવાર્થ: સાધુ કે શ્રાવક ક્રિયાકાળમાં ભાવાચાર્યની સ્થાપનાને સન્મુખ રાખીને ક્રિયા કરે છે તે વખતે આ ભાવાચાર્યની સ્થાપના છે, તેમની સન્મુખ હું આદેશ માંગુ છું એ પ્રકારનું સ્થાપનાનું ધ્યાન ક્રિયાકાળમાં આવે છે તેથી સ્થાપના-નિક્ષેપાને સત્ય કરીને હું જાણું છું. અર્થાત્ સ્થાપનાનિક્ષેપો પૂજ્ય છે એમ હું માનું છું. તેથી ભાવાચાર્યની સ્થાપના જેમ પૂજ્ય છે તેમ તીર્થંકરની પ્રતિમારૂપ સ્થાપના પણ પૂજ્ય છે. વળી શ્રી આવશ્યકસૂત્ર પ્રમાણે ભાવાચાર્યના વિગતમાં=ભાવાચાર્યના અભાવમાં, સ્થાપનાચાર્ય વખાણ્યું છે અર્થાત્ ભાવાચાર્યના વિરહકાળમાં સ્થાપનાચાર્ય સન્મુખ ક્રિયાઓ કરવાથી તે ક્રિયાઓ સફળ થાય છે તેમ વખાણ્યું છે માટે આવશ્યકસૂત્રના વચન પ્રમાણે જેમ ભાવાચાર્યના વિરહમાં સ્થાપનાચાર્ય વખાણ્યું છે તેમ જિનના વિરહમાં જિનપ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપો પણ વખાણવો જોઈએ, માટે જેમ ભાવાચાર્યનો સ્થાપનાનિક્ષેપો પ્રમાણ છે તેમ જિનપ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપો પણ પ્રમાણ છે. ||૧/૩/ અવતરણિકા : ચાર નિક્ષેપાને પ્રમાણ બતાવીને ‘અરિહંતચેઇયાર્ણસૂત્ર' દ્વારા સ્થાપનાનિક્ષેપાની પ્રમાણતા સિદ્ધ કરે છે – ગાથા : ચોવીસત્થયમાંહિ નિક્ષેપા, નામ દ્રવ્ય દોય ભાવું; કાઉસ્સગ્ગ આલાવે ઠવણા, ભાવ તે સઘલે લ્યાવું રે. જિનજી! ૪ ગાથાર્થ ઃ ચોવીસત્યયમાંહિ=લોગસ્સસૂત્રમાં નામનિક્ષેપા અને દ્રવ્યનિક્ષેપા બે ભાવું, કાઉસગ્ગ આલાવામાં= અરિહંત ચેઈયાણં સૂત્રરૂપ કાઉસગ્ગ આલાવામાં, સ્થાપનાનિક્ષેપો ભાવું, અને ભાવનિક્ષેપો તો સઘળે લાવું=બધે ઠેકાણે પ્રમાણ સ્વીકારું. ||૧|૪|| For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ગાથા : ૪-૫ ભાવાર્થ : ચાર નિપાને પ્રમાણ સ્વીકારવાની યુક્તિ બતાવીને, સ્થાપના નિક્ષેપાના પ્રમાણથી, જિનપ્રતિમાની પૂજ્યતાને સ્તવનકારશ્રી સ્થાપન કરે છે. લોગસ્સસૂત્રમાં ચોવીસ તીર્થકરોના નામોનું કીર્તન છે તેથી ચોવીસ તીર્થકરોનો નામનિક્ષેપો પૂજ્ય સિદ્ધ થાય છે. વળી આ લોગસ્સસૂત્ર શ્રી ઋષભદેવ ભગવાનના કાળમાં પણ બોલાતું હતું તે વખતે શ્રી ઋષભદેવ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થકરો ભાવતીર્થકર થયા ન હતા પરંતુ તેઓનો આત્મા દ્રવ્યતીર્થકર હતો અને તેમના નામના કીર્તન દ્વારા તેમના જીવદ્રવ્યની ઉપસ્થિતિ થતી હતી જે દ્રવ્યતીર્થકરની ઉપસ્થિતિ સ્વરૂપ છે. તેથી લોગસ્સસૂત્ર દ્વારા દ્રવ્ય નિક્ષેપો પણ પૂજ્ય સિદ્ધ થાય છે. વળી અરિહંતચેઇયાણસૂત્ર દ્વારા કાઉસગ્ગ આલાવામાં સ્થાપના નિક્ષેપાની પૂજ્યતાની સિદ્ધિ થાય છે; કેમ કે અરિહંતચૈત્યોના વંદન નિમિત્તે અરિહંતચેઇયાણસૂત્ર બોલાય છે અને ભાવનિક્ષેપો સર્વત્ર પૂજ્ય છે. II૧/૪ll અવતરણિકા - ગાથા-૩માં કહેલ કે આવશ્યકસૂત્ર પ્રમાણે ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના વખાણું તેથી સ્થાપનાતિક્ષેપો પૂજ્ય સિદ્ધ થાય છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આવશ્યકસૂત્ર પ્રમાણે ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના પૂજ્ય છે તે કથન પ્રમાણભૂત નથી, તેથી હવે આવશ્યકસૂત્ર પ્રમાણભૂત છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : પુસ્તક-લિખિત સકલ જિમ આગમ, તિમ આવશ્યક એહ; ભગવઈ નંદી સાખેં સમ્મત, તેહમાં નહીં સંદેહ રે. જિનજી૫ ગાથાર્થ : જેમ પુસ્તકમાં લખાયેલા સકલ જિન આગમ પ્રમાણ છે તેમ આ આવશ્યકસૂત્ર' પણ પ્રમાણ છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વીરતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૧ | ગાથા: ૫-૬ કેમ પ્રમાણ છે ? તેથી કહે છે – ભગવતી નંદી સાખેં ભગવતીસૂત્ર અને નંદીસૂત્રની સાક્ષીથી સમ્મત છે=આવશ્યકસૂત્ર સમ્મત છે, તેહમાં નહીં સંદેહ=આવશ્યકસૂત્રની સમ્મતિમાં સંદેહ નથી. ll૧/ull ભાવાર્થ જીવોની શક્તિની અલ્પતાને કારણે ભગવાનના નિર્વાણ પછી ભગવાનનાં આગમો પુસ્તક સ્વરૂપે લખાયાં. તે લખાયેલાં આગમો સર્વજ્ઞના વચનાનુસાર હોવાથી જૈનો તેને પ્રમાણભૂત સ્વીકારે છે અને સ્થાનકવાસી પણ તે આગમોને પ્રમાણભૂત સ્વીકારે છે. આમ પુસ્તકમાં લખાણરૂપે પ્રાપ્ત આવશ્યકસૂત્ર પણ પ્રમાણ છે માટે પ્રસ્તુત સ્તવનની ત્રીજી ગાથામાં કહ્યું તેમ ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના આવશ્યકસૂત્ર પ્રમાણે પ્રમાણભૂત માનવી જોઈએ, તેથી સ્થાપનાનિક્ષેપાને પ્રમાણ સ્વીકારીને જિનપ્રતિમાને પૂજ્ય તરીકે સ્વીકારવી જોઈએ એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. અહીં પ્રશ્ન થાય કે આગમ પ્રમાણ છે તેમ આવશ્યકસૂત્ર પ્રમાણ છે તેમ કેમ સ્વીકારી શકાય ? તેથી કહે છે – શ્રીભગવતીસૂત્રમાં અને નંદીસૂત્રમાં આવશ્યકસૂત્રોની સાક્ષી હોવાને કારણે આવશ્યકસૂત્ર સમ્મત છે. તેથી આવશ્યકસૂત્રની પ્રમાણભૂતતામાં કોઈ સંદેહ નથી. માટે આવશ્યક સૂત્રના વચનાનુસાર સ્થાપના નિક્ષેપાને પણ પ્રમાણ માનવો જોઈએ. II૧/પી. અવતરણિકા - ગાથા-પમાં કહ્યું કે પુસ્તકલિખિત જે આગમો છે તે પ્રમાણભૂત છે તેમ પુસ્તકલિખિત આવશ્યકસૂત્ર પણ પ્રમાણભૂત છે. તેથી ગાથા-૩માં કહ્યું તે પ્રમાણે આવશ્યકસૂત્ર અનુસાર ગુરુના વિરહમાં સ્થાપતાગુરુ વખાણ્યા છે, ત્યાં સ્થાનકવાસી તે આવશ્યકસૂત્રને સ્વીકાર્યા વગર પોતાની મતિ અનુસાર આવશ્યકસૂત્રને સ્વીકારીને સ્થાપનાતિક્ષેપાનો અપલાપ કરે છે તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૬-૭ ગાયા ઃ સૂત્ર આવશ્યક જે ઘરઘરનું, કહસ્થે તે અજ્ઞાની; પુસ્તક અર્થ-પરંપર આવ્યું, માને તેહ જ જ્ઞાની રે. જિનજી! ૬ ગાથાર્થ જેઓ આવશ્યકસૂત્ર ઘરઘરનું=પોતાનું, કહેશે, તેઓ અજ્ઞાની છે પરંતુ પુસ્તકના અર્થની પરંપરાથી આવેલું આવશ્યક માને તે જ જ્ઞાની છે. ||૧/૬|| ભાવાર્થ : સ્થાનકવાસી આવશ્યકસૂત્ર સ્વીકારે છે પરંતુ પુસ્તકમાં જે આવશ્યકસૂત્ર લખાણરૂપે ઉપલબ્ધ છે અને પરંપરાથી તેના અર્થો પ્રાપ્ત થાય છે તેને માનતા નથી અને પોતાની રીતે આવશ્યકસૂત્ર સ્વીકારીને સ્થાપનાનિક્ષેપાનો અપલાપ કરે છે. તેઓ અજ્ઞાની છે; કેમ કે જેમ પુસ્તકમાં લખેલું આગમ પરંપરાથી આવેલું છે, તેને સ્થાનકવાસી પ્રમાણ સ્વીકારે છે તેમ પુસ્તકમાં લખેલું આવશ્યકસૂત્ર તેઓ પ્રમાણ સ્વીકારે તો તેઓ ભગવાનના વચનને યથાર્થ જાણનારા જ્ઞાની છે તેમ કહી શકાય. પરંતુ પોતાની મતિ અનુસાર સ્થાપનાનિક્ષેપો અપ્રમાણ છે તેમ માનીને સ્થાપનાનિક્ષેપાને પ્રમાણ સ્વીકારનાર પરંપરાથી આવેલ અને પુસ્તકમાં લખાણરૂપે પ્રાપ્ત એવા આવશ્યકસૂત્રને તેઓ પ્રમાણ માનતા નથી તે તેમની અજ્ઞાનતા છે. 119/911 અવતરણિકા : વળી શ્રીભગવતીસૂત્રના વચનથી પણ સ્થાપનાનિક્ષેપો પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે ગાથા : છ - બંભીલિપિ શ્રીગણધરદેવે, પ્રણમી ભગવઈ આદે; જ્ઞાનતણી તે ઠવણા અથવા, દ્રવ્યશ્રુત અવિવાદે રે, જિનજી! ૭ ગાથાર્થ ઃ શ્રીભગવતીસૂત્રની આદિમાં ગણધરદેવોએ, બ્રાહ્મીલિપિને પ્રણામ કરેલ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧| ગાથા ૭-૮ છે, તે=બ્રાહ્મીલિપિ, જ્ઞાનતણી સ્થાપના છે અથવા અવિવાદથી દ્રવ્યશ્રત છે. II૧/૭ના ભાવાર્થ - શ્રીભગવતીસૂત્ર અંગમાં મંગલાચરણ કરતી વખતે ગણધર ભગવંતોએ “નમો ગંભીએ લિવીએ” સૂત્ર દ્વારા આદિમાં બ્રાહ્મીલિપિને પ્રણામ કરેલ છે અને બ્રાહ્મીલિપિ એ જ્ઞાન નથી પરંતુ જ્ઞાનની સ્થાપના છે અથવા ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. એ પ્રકારે વિવાદ વગર નિક્ષેપાના અર્થને, જાણનારા સ્વીકારે છે, તેથી જ્ઞાનની સ્થાપના એવી બ્રાહ્મીલિપિ પૂજ્ય ન હોય તો ગણધર ભગવંત શ્રીભગવતીસૂત્રની આદિમાં તેને પ્રમાણ કરે નહિ અને શ્રીભગવતીસૂત્રની આદિમાં બ્રાહ્મીલિપિને પ્રણામ કરેલ છે માટે જેમ જ્ઞાન પૂજ્ય છે તેમ તેની સ્થાપના પણ પૂજ્ય છે તે સિદ્ધ થાય છે. તે રીતે ભાવજિન જેમ પૂજ્ય છે તેમ ભાવજિનની સ્થાપનારૂપ મૂર્તિ પણ પૂજ્ય છે તે બ્રાહ્મીલિપિના પ્રમાણથી સિદ્ધ થાય છે. II૧/ળા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે બ્રાહ્મીલિપિ જ્ઞાનની સ્થાપના છે અને ગણધરદેવોએ ભગવતીસૂત્રતા પ્રારંભમાં બ્રાહ્મીલિપિને નમસ્કાર કરેલ છે માટે સ્થાપનાતિક્ષેપો પૂજ્ય છે. ત્યાં સ્થાનકવાસી બ્રાહ્મીલિપિનો અર્થ સ્થાપના ન થાય તેમ સિદ્ધ કરવા અર્થે બ્રાહ્મીલિપિના કર્તા એવા ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરે છે, તેનો અર્થ કરવો ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ભેદ અઢાર જે ગંભીલિપિના, સમવાયાંગે દીઠા; શુદ્ધ અરથ મરડી ભવ બહુલા, ભમશે કુમતી ધીઠા રે. જિનાજી! ૮ ગાથાર્થ : બ્રાહ્મીલિપિના જે અઢાર ભેદ સમવાયાંગસૂત્ર નામના આગમમાં દેખાય છે તે શુદ્ધ અર્થને મરડીને જે પોતાની માન્યતા અનુસાર For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ૧ / ગાથા : ૮-૯ બ્રાહ્મીલિપિનો અર્થ કરે છે તેઓ ઘીટ્ટા કુમતિ છે અને તેવા જીવો ઘણા ભવો ભવશે. ll૧/૮ll ભાવાર્થ સ્થાપનાનિક્ષેપો પૂજ્ય નથી તેવી વિપરીત માન્યતા ચિત્તમાં દૃઢ રાખીને શાસ્ત્રવચનને તેને અનુરૂપ જોડવા માટે જેઓ યત્ન કરે છે તેવા પ્રતિમાના લોપન કરનારા કુમતિવાળા અને આત્માને ઠગીને સ્વમતિ અનુસાર શાસ્ત્રનો અર્થ કરનારા તેઓ ધીઢા છે. તેથી સમવાયાંગસૂત્રમાં બ્રાહ્મીલિપિના અઢાર ભેદો પ્રસિદ્ધ છે તે શુદ્ધ અર્થને મરડીને તેઓ કહે છે કે ભગવતીસૂત્રની આદિમાં જે બ્રાહ્મીલિપિને ગણધરદેવોએ પ્રણામ કર્યા છે તે બ્રાહ્મીલિપિથી બ્રાહ્મીલિપિના કર્તા શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર થાય છે માટે ભગવતીસૂત્રના બ્રાહ્મીલિપિના નમસ્કારના વચનથી સ્થાપનાનિક્ષેપો પૂજ્ય સિદ્ધ થતો નથી. આ પ્રકારે શુદ્ધ અર્થને મરડનાર અને આત્મવંચના કરીને શાસ્ત્રવચનને જોડનારા કુમતિવાળા જીવો ઘણા ભવો સંસારમાં ભટકશે. ll૧/૮ અવતરણિકા : શ્રીભગવતીસૂત્રના પ્રારંભમાં બ્રાહ્મીલિપિ શબ્દથી ગણધરદેવોએ બ્રાહ્મીલિપિના કર્તા ઋષભદેવ ભગવાનને નમસ્કાર કર્યો છે તેવો અર્થ થઈ શકે નહિ, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : ગંભીલિપિ જો તેહનો કર્તા, તો લેખક પણ આવે; ગુઆણા વિણ અરથ કરે , તેનો બોલ ન ભાવે રે. જિનાજી! ૯ ગાથાર્થ - જો બ્રાહ્મીલિપિ શબ્દથી તેહના કર્તા બ્રાહ્મીલિપિના કર્તા, ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરીએ તો લેખક પણ આવે બ્રાહ્મીલિપિમાં આગમને લખનાર લહિયા પણ આવે, ગુરુની આજ્ઞા વગરષશાસ્ત્રના પરમાર્થને જાણનારા ગીતાર્થ ગુરુના વચન વગર, જેઓ અર્થ કરે=જેઓ શાસ્ત્રોના For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ / ગાથા : ૯-૧૦ સ્વમતિ અનુસાર અર્થ કરે, તેહનો બોલ તેમનાં વચનો, ભાવે નહિક વિચારકને રુચે નહિ. ll૧/૯ll ભાવાર્થ : શ્રીભગવતીસૂત્રમાં ગણધરદેવોએ બ્રાહ્મીલિપિને નમસ્કાર કર્યો છે એ બ્રાહ્મીલિપિ શબ્દથી બ્રાહ્મીલિપિના કર્તા એવા ઋષભદેવ ભગવાનને ગણધરદેવોએ નમસ્કાર કરેલ છે એમ પ્રતિમાના લોપન કરનારા કહે છે તેમનું તે વચન ઉચિત નથી; કેમ કે “બ્રાહ્મીલિપિ” શબ્દથી તેમના કર્તા ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરવામાં આવે તો “બ્રાહ્મીલિપિ” શબ્દથી બ્રાહ્મીલિપિના લખનારા લહિયા પણ ગ્રહણ થાય અને તેમ સ્વીકારીએ તો ભગવતીસૂત્રમાં “બ્રાહ્મીલિપિ” શબ્દથી ગણધરોએ લહિયાઓને નમસ્કાર કરેલ છે તેવો અર્થ સ્વીકારવો પડે જે અત્યંત અનુચિત છે. માટે શાસ્ત્રના યથાર્થ અર્થો કરનાર ગીતાર્થ ગુરુના વચન વગર જેઓ સ્વરુચિ અનુસાર શાસ્ત્રના અર્થો કરે છે તેઓના બોલેલા અર્થો બુદ્ધિમાનને રુચતા નથી. માટે તેઓના કરાયેલા “બ્રાહ્મીલિપિ”શબ્દના અર્થથી બ્રાહ્મીલિપિનો અર્થ ઋષભદેવ ભગવાન થઈ શકે નહિ, પરંતુ બ્રાહ્મીલિપિનો અર્થ જ્ઞાનની સ્થાપના સ્વીકારવો જ ઉચિત છે. માટે સ્થાપનાનિક્ષેપો પૂજ્ય છે તેમ શ્રીભગવતીસૂત્રના વચનથી સિદ્ધ થાય છે. II૧/લા. અવતરણિકા : ગણધરોએ બ્રાહ્મીલિપિને જ નમસ્કાર કર્યો છે તે વચન કઈ રીતે સંગત થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : જિનવાણી પણ દ્રવ્ય-શ્રુત છે, નંદીસૂત્રને લેખે; જિમ તે તિમ ગંભીલિપિ નમિયે, ભાવ તે દ્રવ્યવિશેષે રે. જિનાજી! ૧૦ ગાથાર્થ - નંદીસૂત્રને લેખે નંદીસૂત્રના વચન પ્રમાણે ભગવાનની વાણી પણ દ્રવ્યશ્રત છે, જેમ તે=જેમ ભગવાનની વાણીને નમસ્કાર કરાય છે તેમ બ્રાહ્મીલિપિને નમીએ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૧૦-૧૧ અહીં પ્રશ્ન થાય કે ભગવાનની વાણી દ્રવ્યશ્રત છે. તેથી દ્રવ્ય અને ભાવની વચમાં ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ભાવ તે દ્રવ્યવિશેષ છે. ll૧/૧૦/l ભાવાર્થ : ભાવશ્રુતનું કારણ બને તે દ્રવ્યશ્રુત કહેવાય અને ભગવાનની વાણી શ્રોતાને ભાવશ્રુતનું કારણ બને છે માટે દ્રવ્યશ્રુત છે. એ પ્રમાણે નંદીસૂત્રના વચનથી નક્કી થાય છે. જેમ ભગવાનની વાણી દ્રવ્યશ્રુત છે છતાં તેને નમસ્કાર કરાય છે તેમ બ્રાહ્મીલિપિને પણ ભાવથુતનું કારણ હોવાથી નમસ્કાર કરાય છે. માટે ભગવતીસૂત્રની આદિમાં ગણધર ભગવંતોએ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરેલ છે. વળી ભાવ અને દ્રવ્ય વચ્ચે ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. “ભાવ તે દ્રવ્યવિશેષ છે.” આશય એ છે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે તીર્થંકરનો આત્મા દ્રવ્યતીર્થકર છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તે તીર્થંકરનો આત્મા ભાવતીર્થકર છે તેથી તીર્થકરરૂપ ભાવવિશેષવાળું દ્રવ્ય તે, દ્રવ્યતીર્થકર કરતાં વિશેષ છે અર્થાત્ તીર્થકરના આત્મામાં તીર્થંકરપણું નથી ત્યારે દ્રવ્યતીર્થકર છે તેના કરતાં તે દ્રવ્યમાં તીર્થકરરૂપ ભાવવિશેષ છે. અને જે દ્રવ્યવિશેષ હોય તે ભાવ કહેવાય અને જે દ્રવ્યમાં તેવો વિશેષ ભાવ ન હોય તે દ્રવ્ય કહેવાય પણ દ્રવ્યવિશેષ ન કહેવાય. /૧/૧લી. અવતરણિકા : પૂર્વગાથામાં બ્રાહ્મીલિપિને નમસ્કાર કેમ થાય ? તે નંદીસૂત્રની સાક્ષીથી બતાવ્યું. હવે બ્રાહ્મીલિપિ અજીવ હોવા છતાં નમસ્કાર કેમ થઈ શકે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા - જિમ અજીવ સંયમનું સાધન, જ્ઞાનાદિકનું તેમ; શુદ્ધભાવ આરોપે વિધિસ્યું, તેહને સઘલે ખેમ રે. જિનજી!૧૧ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧ | ગાથા : ૧૧-૧૨ ગાથાર્થ : જેમ સંયમનું સાધન અજીવ છે તેમ જ્ઞાનાદિકનું સાધન અજીવ એવી બ્રાહ્મીલિપિ છે, વિધિસ્ય વિધિપૂર્વક, શુદ્ધભાવના આરોપમાં બ્રાહ્મીલિપિમાં શુદ્ધભાવનું આરોપણ કરીને નમસ્કાર કરવામાં, તેહને નમસ્કાર કરનારને, સઘળે ખેમ છે સર્વ કલ્યાણનું કારણ છે. I૧/૧૧૫l. ભાવાર્થ - જેમ સાધુનું સંયમનું ઉપકરણ અજીવ છે આમછતાં સંયમની સાધનામાં તે ઉપકારક છે તેથી સંયમનું કારણ બને છે. તેમ જ્ઞાનાદિકનું સાધન બ્રાહ્મીલિપિ છે અર્થાત્ બ્રાહ્મીલિપિના બળથી સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન પ્રગટે છે અને સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન અનુસાર આચરણાથી સમ્યક્યારિત્ર પ્રગટે છે, તેનું કારણ બ્રાહ્મીલિપિ છે તેથી વિધિપૂર્વક શુદ્ધભાવનું આરોપણ કરીને=બ્રાહ્મીલિપિરૂપ કારણમાં શાસ્ત્રીવધિ અનુસાર રત્નત્રયીરૂપ શુદ્ધભાવસ્વરૂપ કાર્યનું આરોપણ કરીને, મહાત્માઓ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરે છે. આથી ગણધર ભગવંતોએ ભગવતીસૂત્રની આદિમાં બ્રાહ્મીલિપિને નમસ્કાર કરેલ છે. વળી જે મહાત્મા બ્રાહ્મીલિપિમાં વિધિપૂર્વક શુદ્ધભાવનું આરોપણ કરીને તેને નમસ્કાર કરે તેને સઘળા સ્થાને કુશળની પ્રાપ્તિ થાય સર્વ સ્થાને ઉચિત આરોપણ કરીને તેના દ્વારા ભાવનિક્ષેપાની આરાધના થવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય. II૧/૧૧ાા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે અજીવ એવી બ્રાહ્મીલિપિ જ્ઞાનાદિનું સાધન છે તેમાં શુદ્ધભાવનું આરોપણ કરીને નમસ્કાર કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. તેથી હવે કોના ચારેય નિક્ષેપા પૂજ્ય બને છે અને કોના ચારેય નિક્ષેપ અપૂજ્ય બને છે? તે બતાવીને શુદ્ધભાવનું આરોપણ કયાં થઈ શકે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : શુદ્ધભાવ જેહનો છે તેહના, ચાર નિક્ષેપા સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા રે. જિનાજી! ૧૨ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ / ગાથા : ૧૨-૧૩ ગાથાર્થ : જેહનો શુદ્ધભાવ છે=જે પુરુષનો શુદ્ધભાવ છે, તેહના તે પુરુષના, ચાર નિક્ષેપા સાચા છે, જેમાં જે પુરુષમાં, ભાવ અશુદ્ધ છે, તેહના તે પુરુષના, એક કાયામાં ભાવ નિક્ષેપાના કાચામાં, સવિ કાચા બાકીના ત્રણેય નિક્ષેપા કાયા છે. ll૧/૧રો. ભાવાર્થ તીર્થકરમાં કે સુસાધુમાં શુદ્ધભાવ વર્તે છે તેથી તેમના ચારેય નિક્ષેપા સાચા છે=કલ્યાણના કારણ છે. આથી શુદ્ધભાવવાળા એવા તીર્થકરનો નામનિક્ષેપો પણ પૂજ્ય છે, તેથી તીર્થકરના નામસ્મરણથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તે રીતે તીર્થકરનો સ્થાપનાનિક્ષેપો પણ પૂજ્ય છે; કેમ કે તીર્થકરની પ્રતિમાને જોઈને તીર્થંકરના ગુણોનું સ્મરણ થાય છે અને તીર્થંકરનો દ્રવ્યનિક્ષેપો પણ પૂજ્ય છે; કેમ કે આ તીર્થકરનો આત્મા છે તેવો બોધ થવાથી તે બોધ કરનાર જીવને તેમાં રહેલા ભાવિતીર્થંકરભાવનું સ્મરણ થાય છે. વળી તીર્થકરમાં વર્તતો તીર્થકરનો ભાવ સ્વત: પૂજ્ય છે. વળી જેમાં ભાવ અશુદ્ધ છે, તેના ભાવનિક્ષેપાની અપૂજ્યતાને કારણે ભાવનિક્ષેપાને પરતંત્ર નામ-સ્થાપના અને દ્રવ્ય ત્રણેય નિક્ષેપા અપૂજ્ય બને છે અને તેનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોવાથી સ્વત: અપૂજ્ય છે. જે અંગારમક આચાર્યનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોવાથી તેમનું નામસ્મરણ, તેમની સ્થાપનાનું દર્શન અને તેમનું દ્રવ્ય પણ પૂજ્યબુદ્ધિથી જોવામાં પાપબંધનું કારણ છે. તેથી તેમના ચારેય નિક્ષેપા અપૂજ્ય છે. ll૧/૧ અવતરણિકા :દશવૈકાલિકની સાક્ષીથી જિનપ્રતિમાની પૂજ્યતા બતાવે છે – ગાથા : દશવૈકાલિકે દૂષણ દાખ્યું, નારીચિત્રને ઠામે; તો કિમ જિનપ્રતિમા દેખીને, ગુણ નવિ હોય પરિણામે રે? જિનાજી! ૧૩ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧ | ગાથાઃ ૧૩, ૧૪-૧૫ ગાથાર્થ - દશવૈકાલિકસૂત્રમાં ચિત્રના સ્થાને રહેલી નારીને જોવાથી સાધુને વિકાર થાય છે માટે ચિત્રમાં રહેલી સ્ત્રીને જોવામાં દૂષણ બતાવ્યું છે, તો જિનપ્રતિમાને જોઈને જિનગણના સ્મરણરૂપ પરિણામને કારણે ગુણ કેમ ન થાય ? અર્થાત્ ગુણ થાય. /૧/૧all ભાવાર્થ : દશવૈકાલિકસૂત્રમાં સાધુને ચિત્રમાં રહેલી નારીને જોવાનો નિષેધ કર્યો છે અને કહ્યું છે કે ચિત્રગત નારીને જોવાથી વિકાર થવાને કારણે દોષપ્રાપ્તિ થાય છે અને ચિત્રગત નારી એ નારીનો સ્થાપનાનિક્ષેપો છે તેથી દશવૈકાલિકના વચનાનુસાર નારીનો જો સ્થાપનાનિક્ષેપો વિકારનું કારણ બની શકે છે તો જિનપ્રતિમાને જોઈને જિનગુણના સ્મરણને કારણે વીતરાગ પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થવાથી ગુણની પ્રાપ્તિ કેમ ન થાય ? અર્થાત્ થાય. જેમ નારીના ચિત્રને જોવાથી અશુભભાવથી કર્મબંધ થાય છે તેમ જિનપ્રતિમાનાં દર્શન કરવાથી શુભભાવ થવાથી નિર્જરા થાય છે. ll૧/૧૩ અવતરણિકા : જંઘાચારણ લબ્ધિવાળા મુનિઓ જિનપ્રતિમાને નમે છે માટે પણ જિનપ્રતિમા પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : રુચકદ્વીપે એક ડગલે જાતાં, પડિમા નમિય આણંદે; આવતાં એક ડગલે નંદીસરે, બીજે ઈહાં જિન વંદે રે. જિનજી! ૧૪ ત્રિછી ગતિ એ ભગવઈ ભાખી, જંઘાચારણ કરી; પંડગવન નંદન બહાં પડિયા, ઊર્ધ નમે ઘણેરી રે. જિનાજી! ૧૫ ગાથાર્થ - એક ડગલે રુચકદ્વીપે જાતાં પ્રતિમાને નમીને આનંદ પામે છેઃ જંઘાચારણ લબ્ધિવાળા મુનિ આનંદ પામે છે, આવતાં રુચકદ્વીપથી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૧ | ગાથા : ૧૪-૧૫, ૧૬ ૧૫ પાછા આવતાં એક ડગલે નંદીશ્વરે આવે છે, બીજા ડગલામાં અહીંભરતક્ષેત્રમાં આવે છે અને જિનને વંદે છે જિનપ્રતિમાને વંદે છે. I/૧/૧૪ll ભગવતીસૂત્રમાં જંઘાયારણ કેરી જંઘાયારણ મુનિની, આ તિર્થી ગતિ ભાખી છે. વળી પંડગવન એક ડગલે પાંડુકવનમાં જાય, બીજા ડગલે નંદનવનમાં જાય છે અને અહીં–પંડગવન અને નંદનવનમાં રહેલી ઊર્ધ્વલોકની ઘણી પ્રતિમાને નમે છે. II૧/૧૫II ભાવાર્થ : જંઘાચારણ મુનિને જંઘાચારણની લબ્ધિ પ્રગટે ત્યારે પોતાને પ્રગટ થયેલી શક્તિ કેવી છે તેમ જાણવાની ઇચ્છા થાય તો એક ડગલે રુચકદ્વીપ જાય છે અને ત્યાં રહેલી જિનપ્રતિમાને નમીને આનંદ પામે છે તેમ શ્રીભગવતીસૂત્રમાં કહેલ છે. વળી જિનપ્રતિમાને નમ્યા પછી પાછા આવતાં એક ડગલે નંદીશ્વરદ્વીપે આવે છે અને ત્યાં પ્રતિમાને નમે છે અને બીજા ડગલે અહીં=ભરતક્ષેત્રમાં, આવે છે અને જિનપ્રતિમાને વંદે છે. જંઘાચારણની આ જવાની અને આવવાની ત્રણ ડગલાની ગતિ ત્રિછી (ત્રાંસી) ગતિ છે એમ કહેલ છે. આ વચનથી જંઘાચારણ મુનિએ પ્રતિમાને નમસ્કાર કરેલ છે તેથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. વળી જંઘાચારણ મુનિ ઊર્ધ્વલોકમાં મેરુ પર્વત ઉપર રહેલ પાંડુકવનમાં એક ડગલે જાય છે, ત્યાંથી પાછા આવતાં એક ડગલે નંદનવન આવે છે અને ત્યાં ઘણી પ્રતિમાઓને નમે છે તેથી મેરુ પર્વત ઉપર રહેલ ઊર્ધ્વલોકની પ્રતિમાને જંઘાચારણ મુનિ નમસ્કાર કરે છે એ પ્રકારના ભગવતીસૂત્રના પાઠથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. ll૧/૧૪-૧પ અવતરણિકા : વિદ્યાચારણ મુનિઓ જિનપ્રતિમાને તમે છે માટે જિનપ્રતિમા પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬. વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧| ગાથાઃ ૧૬-૧૭ ગાથા : વિધાચારણ તે એક ડગલે, માનુષોત્તરે જાય; બીજે નંદીસરે જિનપ્રતિમા, પ્રણમી પ્રમુદિત થાય રે. જિનાજી! ૧૬ ગાથાર્થ - વિધાધારણ મુનિઓ એક ડગલે માનુષોત્તર પર્વત ઉપર જાય છે, ત્યાંની પ્રતિમાને વંદે છે, બીજે ડગલે નંદીશ્વરદ્વીપ જાય છે અને જિનપ્રતિમાને પ્રણામ કરીને પ્રમોદિત થાય છે. આ પ્રકારનું ભગવતીસૂનનું વચન છે. II૧/૧૬ ભાવાર્થ : પૂર્વગત શ્રુત ભણતાં અને તપની આચરણા કરતાં કેટલાક મુનિઓને વિદ્યાચારણ લબ્ધિ પ્રગટ થાય છે અને તેઓને પોતાની શક્તિ કેટલી છે તે જાણવાની ઇચ્છા થાય તો એક ડગલે માનુષોત્તર પર્વત ઉપર જાય છે અને ત્યાંની પ્રતિમાને વંદે છે, ત્યાંથી બીજા ડગલે નંદીશ્વરદ્વીપ જાય છે અને ત્યાંની પ્રતિમાને નમસ્કાર કરીને પ્રમોદિત થાય છે. આ પ્રકારના શ્રીભગવતીસૂત્રના વચનથી વિદ્યાચારણ મુનિ દ્વારા પણ જિનપ્રતિમાને નમસ્કાર કરાય છે માટે જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. II૧/૧કા ગાથા : તિહાંથી પડિમા વંદણ કારણ, એક ડગલે બહાં આવે; ઊર્ધપણે જાતાં બે ડગલાં, આવતાં એક સ્વભાવે રે. જિનજી! ૧૭ ગાથાર્થ : તિહાંથી=નંદીશ્વરની જિનપ્રતિમાને વંદન કરી ત્યાંથી, પ્રતિમાના વંદનને કારણે એક ડગલે અહીંયાં આવે છે=ભરતક્ષેત્રમાં આવે છે. આનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ઊર્ધ્વપણે જાતાં બે ડગલાં એક ડગલું માનુષોતરનું અને બીજું ડગલું For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧ | ગાથા: ૧૭-૧૮ નંદીશ્વરનું એમ બે ડગલાં, થાય છે અને પાછા આવતાં એક ડગલું થાય છે. ૧/૧૭ના ભાવાર્થ - પૂર્વગાથામાં કહ્યું કે વિદ્યાચારણ મુનિ બીજા ડગલે નંદીશ્વરની જિનપ્રતિમાને વંદે છે, ત્યારપછી ત્યાંથી પ્રતિમાના વંદનના પ્રયોજનથી એક ડગલે અહીં આવે છે. આ રીતે અહીંથી જવામાં એક ડગલે માનુષોત્તરપર્વત અને બીજા ડગલે નંદીશ્વરદ્વીપ એમ બે ડગલાં થાય છે અને પાછા આવવામાં એક ડગલું થાય છે. આમ ત્રણ ડગલાંથી તેઓ સર્વ સ્થાને પ્રતિમાને વંદે છે એ પ્રકારના પાઠથી જિનપ્રતિમા વંદનીય છે તેમ સિદ્ધ થાય છે. II૧/૧ળી. અવતરણિકા - ગાથા-૧૪થી ગાથા-૧૭ સુધી ભગવતીસૂત્રના પાઠથી જઘાચારણ અને વિદ્યાચારણ મુનિ જિનપ્રતિમાને નમે છે માટે જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સ્થાપન કર્યું. હવે ભગવતીસૂત્રમાં તે પાઠ કયા સ્થાને છે? તે બતાવવા કહે છે – ગાથા : શતક (ઈક-)વીશમે નવમ ઉદેશે, પ્રતિમા મુનિવર વંદી; ઇમ દેખી જે અવલા ભાજ, તસ મતિ કુમતિ ફંદી રે. જિનજી! ૧૮ ગાથાર્થ : શતક વીશમે ભગવતીસૂત્રના વશમા શતકમાં નવમા ઉદ્દેશામાં મુનિવરે પ્રતિમા વંદી છે એમ જોઈને જે અવળા ભાંજે જિનપ્રતિમાને અપૂજ્ય કહે, તેની મતિ કુમતિના ફંદામાં પડી છે કુગુરુના વચનના ફંદામાં પડી છે. II૧/૧૮ll ભાવાર્થ : પૂર્વમાં ભગવતીસૂત્રના વચનથી જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિએ પ્રતિમાને કરાયેલા નમસ્કાર બતાવીને પ્રતિમાની પૂજ્યતા સ્થાપન કરી તે પાઠ ભગવતીસૂત્રમાં For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧| ગાથાઃ ૧૮-૧૯ ક્યાં ઉપલબ્ધ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ભગવતીસૂત્રના વીશમાં શતકમાં નવમા ઉદ્દેશામાં જંઘાચારણાદિ મુનિઓએ પ્રતિમા નંદી છે એ પ્રકારનો પાઠ છે. તે પાઠને જોઈને જેઓ તે પાઠના અવળા અર્થ કરે છે અને પ્રતિમા પૂજ્ય નથી તેમ સ્થાપન કરવા પ્રયત્ન કરે છે તેઓની મતિ કુમતિવાળા એવા ગુરુના ફંદામાં પડી છે અર્થાત્ કુગુરુના આલંબનથી વિપરીત અર્થ કરીને તેઓ ભગવતીસૂત્રની આશાતના કરે છે. I૧/૧૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ભગવતીસૂત્રના વચનને જોઈને જે અવળા અર્થ કરે છે તેઓની મતિ કુમતિના ફંદામાં પડી છે. તેથી હવે તેઓ ભગવતીસૂત્રના કેવા પ્રકારના અવળા અર્થ કરે છે ? તે બતાવીને તે અર્થ ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : આલોઅણનું ઠાણ કહ્યું કે, તેહ પ્રમાદ ગતિ કેરો; તીર ગતિ જે જાત્ર વિચાલે, રહે તે ખેદ ઘણેરો રે. જિનાજી! ૧૯ ગાથાર્થ - આલોચનાનું સ્થાન જે કહ્યું ભગવતીસૂત્રમાં જંઘાચારણ અને વિધાયારણનું પ્રતિમાનમનની ક્વિામાં જે આલોચનાનું સ્થાન કહ્યું, તે ગતિ કેરો પ્રમાદ છે, જે તીર ગતિથી જાત્રા વિચાલે તીર ગતિથી જાત્રા કરે છે, તે ઘણેરો ખેદ રહે છે ઘણા દોષનું કારણ બને છે. ll૧/૧૯ll ભાવાર્થ “જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિ સુચકદ્રીપાદિમાં જિનપ્રતિમાને નમન કરવા ગયેલ છે તેનું આલોચન ન કરે તો તેઓ વિરાધક છે,’ એ પ્રકારે શાસ્ત્રમાં કહેલ છે. તેનાથી નક્કી થાય છે કે જિનપ્રતિમા અપૂજ્ય છે” તેમ સ્થાનકવાસી સ્થાપન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ભગવતીસૂત્રમાં જંઘાચારણાદિ મુનિના વંદનઅર્થે ગમનને આલોચનાનું સ્થાન કહ્યું છે તે પ્રતિમાના નમસ્કારને કારણે નથી, પરંતુ સૂચકદીપાદિમાં કરાયેલી ગમનની ક્રિયામાં For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા ૧૯-૨૦ થયેલ પ્રમાદકૃત આલોચનનું સ્થાન કહેલ છે, કેમ કે તીરગતિથી જે જાત્રાએ જાય તે સંયમમાં દોષરૂપ છે. વાસ્તવિક રીતે તે જંઘાચારણ મહાત્માઓને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં વચમાં આવતાં સર્વ ચૈત્યોના નમસ્કારપૂર્વક જવું જોઈએ. તેના બદલે એક ડગલા આદિની ગતિથી તેઓ જાત્રાએ જાય છે તે ગમન વિષયક પ્રમાદ છે અને તેનું આલોચન કરવાનું ભગવતીસૂત્રમાં કહેલ છે. તેના બદલે સ્વમતિમાં રહેલ પ્રતિમાની અપૂજ્યતાને આગળ કરી ભગવતીસૂત્રના અવળા અર્થો જેઓ કરે છે તેઓ ભગવતીસૂત્રની આશાતના કરે છે. એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧ અવતરણિકા : જંઘાચારણાદિ મુનિને જિનપ્રતિમાના મત વિષયક આલોચન નથી પરંતુ પ્રમાદ વિષયક છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : કરી ગોચરી જિમ આલોએ, દશવૈકાલિક સાખે; તિમ એ ઠામ પ્રમાદ આલોએ, નહીં દોષ તે પાખે રે. જિનજી! ૨૦ ગાથાર્થ : દશવૈકાલિકસૂત્રની સાક્ષીથી સાધુ ગોચરી કરી ગોચરી લાવીને જેમ આલોએ છે, તેમ પ્રમાદનું એ સ્થાન તીર ગતિના ગમનનું સ્થાન જંઘાચારણાદિ મુનિ આલોએ, પરંતુ તે પાનેપ્રતિમાના નમનને આશ્રયીને, નહીં દોષ લેશ પણ દોષ નથી. ll૧/૨૦| ભાવાર્થ સાધુને ગોચરી લાવ્યા પછી ગોચરીના ગ્રહણ વિષયક કોઈ સૂક્ષ્મ સ્કૂલના થઈ હોય તે સર્વની ગુરુ સાક્ષીએ આલોચના કરવાનું દશવૈકાલિકસૂત્રમાં કહેલ છે. અને તે રીતે જેઓ આલોચના કરે છે તેઓ ગોચરીના ગ્રહણ વિષયક દોષની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તે રીતે જંઘાચારણાદિ મહાત્માઓ પણ તીર ગતિથી જાત્રાએ ગયા તો તે સ્થાને થયેલા પ્રમાદ દોષને આલોવે છે જેથી સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થાય. પરંતુ તેઓએ પ્રતિમાને નમસ્કાર કર્યા છે તેને For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | arળ ઃ ૧| ગાથા: ૨૦-૨૧ આશ્રયીને તેઓને કોઈ દોષની પ્રાપ્તિ થઈ નથી, માટે જંઘાચારણાદિના પ્રતિમાના નમસ્કારના વચનથી પણ પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે. ll૧/૨ll અવતરણિકા : ભગવતીસૂત્રના જંઘાચારણ-વિદ્યાચારણ મુનિના પ્રતિમાના વંદનને આશ્રયીને કહેલા પાઠના બળથી પ્રતિમાની પૂજ્યતા ગ્રંથકારશ્રીએ સ્થાપિત કરી તેના વિષયમાં કોઈક સ્થાનકવાસી શું કહે છે ? તે બતાવે છે – ગાથા : કહે કોઈ એ કહેવા માત્રજ, કોઈ ન ગયો નવિ જાસ્ય; નહીંતો લવણશિખા માંહિ જાતાં, કિમ આરાધક થાયે રે? જિનજી! ૨૧ ગાથાર્થ - કોઈ કહે છે કે કોઈક સ્થાનકવાસી કહે છે કે, એ=ભગવતીસૂત્રનું, વચન કહેવા માત્ર જ છે પરંતુ કોઈ જંઘાચારણ મુનિ કે વિદ્યાચારણ મુનિ ગયા નથી અને જાશે નહિ; કેમ કે નહીં તો લવણની શિખામાંથી જાતાં=લવણસમુદ્રના પાણીનાં મોજાંમાંથી ઊછળતી શિખામાંથી જાતાં તેઓ આરાધક કેમ થાય ? અર્થાત્ આરાધક થાય નહિ. II૧/૨ll ભાવાર્થ - ગાથા ૧૪થી ગાથા-૧૮ સુધી ભગવતીસૂત્રના વચનથી જંઘાચારણ મુનિ અને વિદ્યાચારણ મુનિ સુચકદીપાદિમાં પ્રતિમાને નમસ્કાર કરે છે એ વચનના બળથી પ્રતિમા પૂજ્ય છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં પ્રતિમાને પૂજ્ય નહિ સ્વીકારનાર સ્થાનકવાસી કહે છે કે ભગવતીસૂત્રનું તે વચન હેવામાત્રરૂપ છે અર્થાત્ જંઘાચારણ મુનિ અને વિદ્યાચારણ મુનિ આટલું જઈ શકે છે તે બતાવવા માટે છે, પરંતુ વસ્તુત: કોઈ જંઘાચારણ મુનિ કે વિદ્યાચારણ મુનિ ગયા નથી અને જશે નહિ; કેમ કે રુચકીપાદિમાં જવા માટે લવણસમુદ્રમાંથી ઊછળતાં મોજાંની શિખામાંથી જવું પડે અને તેઓ તે રીતે જાય તો અપ્લાય જીવોની વિરાધના થાય તો તેઓ આરાધક કેમ થાય ? અર્થાત્ આરાધક થાય For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૨૧-૨૨-૨૩ ૨૧ નહિ. માટે ભગવતીસૂત્રના વચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સ્થાપન કરી શકાય નહિ. ll૧/૨૧૫. અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે લવણસમુદ્રની શિખામાંથી જતા જંઘાચારણ મુનિ આરાધક થાય નહિ. માટે જંઘાચારણ આદિ મુનિ સુચકદ્વીપાદિમાં જઈને પ્રતિમાને નમ્યા છે એ કથન, કથનમાત્ર જ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : સત્તર સહસ જોયણ જઈ ઉંચા, ચારણ તીર્ધા ચાલે; સમવાયાંગે પ્રગટ પાઠ એ, સ્યુ કુમતિ! ભ્રમ ઘાલે રે? જિનાજી! ૨૨ ગાથાર્થ : સત્તર હજાર યોજન ઊંચા જઈ, ચારણ તિછ ચાલે છે એ પાઠ શ્રીસમવાયાંગસૂત્રમાં પ્રગટ છે માટે હે કુમતિ ! તું ભ્રમ કેમ ઘાલે છે ભ્રમ કેમ રાખે છે ? II૧/રશા ભાવાર્થ - રુચકદ્દીપાદિમાં જવા માટે ચારણ મુનિ લવણસમુદ્રની શિખામાંથી જવામાં અષ્કાય જીવોની વિરાધનાના નિવારણ અર્થે સત્તર હજાર યોજન ઊંચા જાય છે અને ત્યારપછી તિર્થી ચાલે છે એ પ્રમાણે શ્રીસમવાયાંગસૂત્રમાં પ્રગટ પાઠ છે. માટે કુમતિએ એ ભ્રમ રાખવો જોઈએ નહિ કે શ્રીભગવતીસૂત્રનું કથન, કથનમાત્ર જ છે પરંતુ શ્રીભગવતીસૂત્રના વચનથી સ્થાનકવાસીઓએ માનવું જોઈએ કે ચારણ મુનિઓએ જિનપ્રતિમાને વંદન કર્યા છે. I૧/રશા અવતરણિકા : આગમમાં “ચૈત્ય” શબ્દ અનેક ઠેકાણે ઉપલબ્ધ છે. તે ચૈત્ય શબ્દ જ્ઞાન અર્થમાં પણ વપરાય છે તેથી જંઘાચારણ મુનિઓએ ભગવાનના For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા ૨૩ જ્ઞાનને નમસ્કાર કર્યો છે અર્થાત્ શાસ્ત્રમાં જે પ્રમાણે રુચકદ્વીપ આદિનું વર્ણન છે તેવું જ ત્યાં સાક્ષાત્ જોવાથી જંઘાચારણમુનિઓએ ત્યાં જઈને ભગવાનના જ્ઞાનને નમસ્કાર કર્યો છે. તેમ કહીને જિનપ્રતિમા પૂજય નથી એમ સ્થાનકવાસી સ્થાપન કરે છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : ચૈત્ય' શબ્દનો જ્ઞાન અરથ તે, કહો કરવો કુણ હેતે ? જ્ઞાન એક ને ચૈત્ય ઘણાં છે, ભૂલે જડ સંકેતે રે. જિનજી! ૨૩ ગાથાર્થ : ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ કરવો તે કહો કયા હેતુથી માની શકાય અર્થાત્ માની શકાય નહિ; કેમ કે જ્ઞાન એક છે તેથી એકવચનમાં પ્રયોગ જોઈએ. ચૈત્ય ઘણાં છે તેથી શ્રીભગવતીસૂત્રમાં ‘હિં વેચારૂં વંધે રૂતિ' બહુવચનમાં પાઠ છે. માટે જડ એવા સ્થાનકવાસી સંકેતમાં ભૂલે છેઃચેત્ય શબ્દનો જ્ઞાન અર્થમાં સંકેત છે એ પ્રમાણે ભૂલે છે. II૧/૨3II ભાવાર્થ : શ્રીભગવતીસૂત્ર આદિ આગમસૂત્રોમાં ચૈત્યના નમસ્કાર વિષયક પાઠોની સંગતિ કરતાં કેટલાક સ્થાનકવાસી સાધુઓ કહે છે કે “ચૈત્ય શબ્દ જ્ઞાન અર્થમાં છે તેથી જંઘાચારણ મુનિઓએ રુચકદ્વીપાદિમાં જઈને ભગવાને વર્ણન કરેલ તેવું જ રુચકઢીપાદિ દેખાવાથી ભગવાનના જ્ઞાનને નમસ્કાર કરે છે તે બતાવવા માટે તેઓ ચૈત્યને નમ્યા છે એ પ્રમાણે શ્રીભગવતીસૂત્રનો પાઠ છે'. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ કયા હેતુથી થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે વ્યાકરણમાં ચૈત્ય શબ્દ જિનપ્રતિમાના અર્થમાં પ્રસિદ્ધ છે. વળી જ્ઞાન એક છે. તેથી જ્ઞાનને નમસ્કાર કરવું હોય તો એકવચનનો પ્રયોગ જોઈએ અને રુચકદ્ધીપાદિમાં ચૈત્યો ઘણાં છે તેથી શ્રીભગવતીસૂત્રમાં તહિં રેફયા વધે ત્યાદ્ધિ પાઠ છે તેથી ચૈત્યનો અર્થ જ્ઞાન કરીએ તો બહુવચનનો પ્રયોગ સંગત થાય નહિ. આથી પ્રતિમા અપૂજ્ય છે એવી જડ મતિવાળા ચૈત્ય For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૧ | ગાથા : ૨૩-૨૪ શબ્દના સંકેતમાં ભૂલે છે; કેમ કે ચૈત્ય શબ્દનો સંકેત જિનાલયમાં કે જિનપ્રતિમામાં થાય છે, પણ જ્ઞાનમાં થતો નથી. II૧/૨all અવતરણિકા : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે શ્રીભગવતીસૂત્ર આદિમાં ‘દિ વેફરું વંરે” એ પાઠમાં ચૈત્ય શબ્દથી જ્ઞાન ગ્રહણ થાય નહિ માટે ચારણમુનિઓએ જિનપ્રતિમાને નમસ્કાર કર્યા છે તેમ માનવું જોઈએ. હવે ત્યાંની પ્રતિમા અને અહીંની પ્રતિમામાં કોઈ ભેદ નથી માટે જેમ ચારણમુનિઓએ ટુચક દ્વીપાદિની પ્રતિમાને પૂછે છે, તેથી અહીંની પ્રતિમા પણ પૂજનીય છે તે બતાવવા માટે કહે છે – ગાથા : રુચકાદિકનાં ચૈત્ય નમ્યાં તે, સાસય પડિમા કહિએ; જેહ ઈહાંનાં તેહ અશાશ્વત, બિહુમાં ભેદ ન લહિએ રે, જિનાજી! ૨૪ ગાથાર્થ - ચારણમુનિઓ ટુચકદ્ધીપાદિનાં ચૈત્યોને નમ્યા તે ચૈત્યો શાશ્વત જિનપ્રતિમા કહિયે અને જે ઈહાંનાં ચૈત્યો છે તે અશાશ્વત જિનપ્રતિમા કહિયે, બેઉમાં બંનેમાં, પૂજ્યપણારૂપે ભેદ લહિયે નહિ. ll૧/૨૪ll ભાવાર્થ : ચારણમુનિઓ રૂચકદ્દીપાદિનાં ચૈત્યોને નમ્યા છે તે શાશ્વત જિનપ્રતિમાઓ છે અને તેઓના નમસ્કારથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. અને અહીંયાં જે ચૈત્યો છે તે શાશ્વત નથી પરંતુ અશાશ્વત છે તોપણ ત્યાંનાં ચૈત્યો અને અહીંનાં ચૈત્યોમાં પૂજ્યતા બાબતમાં કોઈ ભેદ નથી. માટે શ્રીભગવતીસૂત્રના પાઠથી જેમ રુચકદીપાદિનાં ચૈત્યો પૂજ્ય સિદ્ધ થાય છે તેમ અહીંના ચૈત્યો પણ પૂજ્યરૂપે સિદ્ધ થાય છે. માટે કલ્યાણના અર્થીએ ભગવાનની મૂર્તિ ભગવાનની જેમ ભક્તિપાત્ર છે તેમ સ્વીકારવું જોઈએ. ૧/૨૪ll For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૨૫ અવતરણિકા : પ્રસ્તુત ઢાળના નિગમનરૂપે કહે છે ગાથા : જે ઉપર સાહિબ! તુજ કરુણા, શુદ્ધ અરથ તે ભાખે; તુજ આગમનો શુદ્ધ પ્રરૂપક, સુજસ અમિયરસ ચાખે રે. જિનજી! ૨૫ ગાથાર્થ : હે સાહિબ ! જેમના ઉપર તમારી કરુણા છે તે શુદ્ધ અર્થ ભાખે છે. તમારા આગમનો શુદ્ધ પ્રરૂપક સુયશ રૂપી અમૃતરસને ચાખે છે. 119/2411 ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભગવાનને સંબોધીને કહે છે કે જેમના ઉપર ભગવાનની કરુણા વર્તે છે તે જીવોમાં માર્ગાનુસા૨ી બુદ્ધિ થાય છે. તે જીવો શાસ્ત્રોના શુદ્ધ અર્થને કહેનારા થાય છે. તેવા જીવો ભગવાનના આગમના શુદ્ધ પ્રરૂપક બને છે અને ભગવાનના આગમની શુદ્ધ પ્રરૂપણા કરીને ભગવાનના આગમમાં રહેલ સુયશરૂપ સર્વ કલ્યાણના કારણભૂત એવા અમૃતરસ જેવા ઉત્તમ વચનોના સ્વાદને ચાખે છે અર્થાત્ તે ઉત્તમ વચનો તેઓને સમ્યક્ પરિણમન પામે છે, તેથી તેઓમાં પરમ મધ્યસ્થતારૂપ અમૃત રસ સદા વર્તે છે. ||૧/૨૫ા For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથાઃ ૧, ૨-૩-૪ ૨૫ ઢાળ (રાગ - મહાવિદેહક્ષેત્ર સોહામણું - એ દેશી) ગાથા : તુજ આણા મુજ મન વસી, જિહાં જિનપ્રતિમા સુવિચાર; લાલ રે, રાયપણી સૂત્રમાં, સૂરિયાભતણો અધિકાર; લાલ રે. તુજ૦ ૧ ગાથાર્થ - તમારી આજ્ઞા મારા મનમાં વસી, જિહાં જેમાં તમારી આજ્ઞામાં, જિનપ્રતિમાનો સુવિચાર છે અને તે સુવિચાર શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવ તણો અધિકાર છે. ll૨/૧il. ભાવાર્થ : ગ્રંથકારશ્રીને ભગવાનની આજ્ઞા મનમાં વસી છે અને ભગવાનની આજ્ઞામાં જિનપ્રતિમાની ભક્તિ કરીને આત્મકલ્યાણ સાધવાનો સુવિચાર વર્તે છે. વળી આગમવચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે કે શ્રીરાયપાસણી સૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે જે અધિકારમાં સૂર્યાભદેવે જિનપ્રતિમાની પૂજા કરી છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. /૧ાા અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે શ્રીરાયપણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે તે અધિકારમાં જિનપૂજાનો સુવિચાર છે. તેથી હવે ગાથા-રથી ગાથા-૪ સુધી શ્રીરાયપાસેણીસૂત્ર અનુસાર તે અધિકાર જ સ્પષ્ટ કરે છે – ગાથા : તે સુર અભિનવ ઉપગ્યો, પૂછે સામાનિક દેવ; લાલ રે, “શું મુજ પૂરવ ને પચ્છા, હિતકારિ કહો તતખેવ” લાલ રે. તુજ૦ ૨ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા ૨-૩-૪ તે કહે “એહ વિમાનમાં, જિનપડિમા દાઢા જેહ; લાલ રે, તેહની તુહે પૂજા કરો, પૂરવ પચ્છા હિત એહ” લાલ રે. તુજ૦ ૩ પૂરવ પચ્છા શબ્દથી, નિત્ય કરણી જાણે સોય; લાલ રે, સમકિતદષ્ટિ સહે, તે દ્રવ્યથકી કિમ હોય? લાલ રે. તુજ૦ ૪ ગાથાર્થ - તે સુર-સૂર્યાભસર, અભિનવ ઉપન્યો નવો ઉત્પન્ન થયો, સામાનિકદેવને પૂછે છે, મારું પૂર્વનું હિતકારી શું અને પછીનું હિતકારી શું તે તરત કહો. llર/રા તેહ-સામાનિક દેવ, કહે છે કે આ વિમાનમાં જિનપ્રતિમા અને જિનની દાઢા જે છે તેની તમે પૂજા કરો એહ પૂર્વ પશ્ચાત્ હિત છે. Il૨/3ll પૂર્વ પશ્ચાત્ શબ્દથી સામાનિક દેવના પૂર્વ પશ્ચાત્ શબ્દથી, સોય= સૂર્યાભદેવ, નિત્ય કરણી જાણે જિનપ્રતિમા અને દાઢાનીeભગવાનના મૃતદેહની જે દાઢ દેવો ગ્રહણ કરે છે તે દાઢાની, પૂજા પોતાના માટે નિત્ય કર્તવ્ય છે તેમ જાણે છે. સમ્યગ્દષ્ટિ એવા સૂર્યાભદેવ શ્રદ્ધા કરે છે જિનપ્રતિમાની પૂજા કરવાની શ્રદ્ધા કરે છે તે દ્રવ્યથકી કેમ હોય ? અર્થાત્ દ્રવ્યથકી નથી પરંતુ ભાવથકી છે. ||ર|૪|| ભાવાર્થ સૂર્યાભદેવ નવા ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પન્ન થતાની સાથે સામાનિકદેવને પૂછે છે કે “મારા માટે પૂર્વ અને પથ્થાત્ હિતકારી શું છે અર્થાત્ સદા માટે હિતકારી શું છે તે તમે કહો તે પ્રકારના પ્રશ્નને સામે રાખીને સામાનિક દેવ કહે છે કે “આ વિમાનમાં જિનપ્રતિમા અને જિનની દાઢા છે તેની તમે પૂજા કરો તે પૂર્વ-પચ્છાત્ હિતરૂપ છે અર્થાત્ સદા માટે હિતરૂપ છે અને તે વચન સાંભળીને સૂર્યાભદેવ પૂર્વ-પચ્છાત્ શબ્દથી ભગવાનની મૂર્તિની પૂજા અને જિનની દાઢાની પૂજા નિત્ય કર્તવ્ય છે તેમ જાણે છે. અહીં સ્થાનકવાસી કહે છે કે સૂર્યાભદેવે પોતાના પ્રહરણઃશસ્ત્રો, અને કોશાદિ પૂજ્યા છે તેમ જિનપ્રતિમાની For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા : ૨-૩-૪, ૫ પૂજા કરી છે એ પ્રકારનો શ્રીરાયપાસેણીસૂત્રમાં પાઠ છે તેથી જેમ સૂર્યાભદેવે દ્રવ્યથી પ્રહરણાદિની પૂજા કરી છે તેમ દ્રવ્યથી જિનપ્રતિમાની પૂજા કરી છે માટે સૂર્યાભદેવની પ્રતિમાની પૂજાના બળથી જિનપ્રતિમા શ્રાવકને પૂજનીય છે તેમ સિદ્ધ થાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે. સૂર્યાભદેવ સમ્યગ્દષ્ટિ દેવ છે અને સમ્યગ્દષ્ટિ જિનપ્રતિમાની પૂજાની શ્રદ્ધા કરે છે તે દ્રવ્યથકી કેમ હોય અર્થાત્ માત્ર આચારથકી તે પૂજા હોઈ શકે નહીં પરંતુ ભગવાન પ્રત્યેના ભક્તિના પરિણામથી જ સૂર્યાભદેવની પૂજા સંભવી શકે. ll૨/૨-૩-૪ll અવતરણિકા : શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવના અધિકારમાં સૂર્યાભદેવે પ્રહરણ કોશાદિની પૂજા કરી છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે. આમ છતાં તે બન્ને પૂજામાં ભેદ બતાવેલ છે તે ભેદને વિચારવાથી પણ જિનપ્રતિમા પૂજનીય છે તેમ સિદ્ધ થાય છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : દ્રવ્યથકી જે પૂજિયાં, પ્રહરણ કોશાદિ અનેક; લાલ રે, તેહ જ બિહું જૂદાં કહ્યાં, એ તો સાચો ભાવ વિવેક. લાલ રે. તુજ૦ ૫ ગાથાર્થ - દ્રવ્યથકી સૂર્યાભદેવે પ્રહરણ કોશાદિ અનેક વસ્તુને જે પૂજી છે, તેહ જ-રાયપાસેણીસૂત્રનું તે કથન જ, બન્ને જુદા કહ્યા પ્રહરણાદિની પૂજા અને જિનપ્રતિમાની પૂજામાં ભેદ કહ્યો, એ ભેદ તો સાચો ભાવનો વિવેક છે સૂર્યાભદેવના ચિત્તમાં જિનપ્રતિમા પ્રત્યે વર્તતા ભક્તિના ભાવનો સાયો વિવેક છે. ર/પII ભાવાર્થ : શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવે જે પ્રહરણાદિની પૂજા કરી છે તેનું વર્ણન છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે તેનું પણ વર્ણન છે. ત્યાં પ્રહરણાદિ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા પ-૬ સન્મુખ સૂર્યાભદેવે શક્રસ્તવ કરેલ નથી અને જિનપ્રતિમાની પૂજા કર્યા પછી જિનપ્રતિમા સન્મુખ સૂર્યાભદેવે શકસ્તવ કરેલ છે તેમ બતાવેલ છે તેથી એ પ્રાપ્ત થાય કે જિનપ્રતિમા પ્રત્યે આ જિનની પ્રતિમા છે તેવી બુદ્ધિ થવાથી સૂર્યાભદેવે શકસ્તવમાં અરિહંતાણ, ભગવંતાણ આદિ વિશેષણોથી જિનપ્રતિમાને ઉપસ્થિત કરીને નમસ્કાર કરેલ છે અને પ્રહરણાદિને તે પ્રકારે શક્રસ્તવ દ્વારા સ્તુતિ કરેલ નથી પરંતુ માત્ર બાહ્ય પૂજાની સામગ્રીથી પૂજેલ છે માટે બન્નેના પૂજનમાં ભેદ છે. આ બતાવે છે કે, જિનપ્રતિમા આગળ શક્રસ્તવ બોલતી વખતે સૂર્યાભદેવને જિનના ગુણોના સ્મરણપૂર્વક જિનને નમસ્કાર કરવાનો ભાવ છે. આ સાચા=યથાર્થ વિવેકના બળથી સિદ્ધ થાય છે કે સમ્યગ્દષ્ટિ એવા સૂર્યાભદેવે જિનપ્રતિમાને ભાવથી પૂજી છે અને પ્રહરણાદિને દ્રવ્યથી પૂજ્યા છે. માટે શ્રીરાયપાસેણીસૂત્રના વચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય છે. 1ર/પા અવતરણિકા : ગાથા-પમાં કહ્યું કે સૂર્યાભદેવે પ્રહરણાદિની પૂજા કરી છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે તે બન્ને પૂજામાં ભેદ છે. તેથી હવે તે ભેદને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : ચક્રરયણ જિણનાણની, પૂજા જે ભરતે કીધ; લાલ રે, જિમ તિહાં તિમ અન્તર ઇહાં, સમકિતદષ્ટિ સુપ્રસિદ્ધ. લાલ રે. તુજ૦ ૬ ગાથાર્થ :-- જેમ ભરત ચક્રવર્તીએ જે ચક્રરત્નની અને જિનવાણની=6ષભદેવ પરમાત્માના કેવળજ્ઞાનની, પૂજા કરી તેમાં અંતર છે તેમ અહીંયાંસૂર્યાભદેવની પ્રહરણાદિની પૂજામાં અને જિનપ્રતિમાની પૂજામાં, અંતર છે; કેમ કે સૂર્યાભદેવ સમ્યગ્દષ્ટિ તરીકે સુપ્રસિદ્ધ છે. li૨/૬ ભાવાર્થ :જિનપ્રતિમાને પૂજ્ય નહિ સ્વીકારનાર સ્થાનકવાસીઓ કહે છે કે સૂર્યાભદેવે For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૨ | ગાથા ઃ ૬-૭ પ્રહરણાદિની પૂજા કરી છે તેમ જિનપ્રતિમાની પૂજા કરી છે માટે જેમ પ્રહરણાદિ પૂજ્ય નથી તેમ જિનપ્રતિમા પણ પૂજ્ય નથી પરંતુ દેવસ્થિતિથી જ સૂર્યાભદેવે જિનપ્રતિમાની પૂજા કરી છે. આ પ્રકારે શ્રીરાયપાસેણીસૂત્રનું અર્થઘટન કરનાર સ્થાનકવાસીઓને ગ્રંથકારશ્રી કહે છે કે જેમ ભરત મહારાજાએ ચક્રરત્નની પૂજા કરી તે ચક્રવર્તીપણાની મર્યાદાથી કરેલ છે અને ભગવાનના કેવળજ્ઞાનની પૂજા કરી અર્થાત્ મહોત્સવ કર્યો તે ભગવાનના કેવળજ્ઞાન ગુણની ભક્તિથી કરેલ છે. તેથી તે બેમાં જેમ અંતર છે તેમ સૂર્યાભદેવની પ્રહરણાદિ પૂજામાં અને જિનપ્રતિમાની પૂજામાં અંતર છે; કેમ કે સૂર્યાભદેવ વિમાનના અધિપતિ દેવ છે તેથી સમ્યગ્દષ્ટિરૂપે સુપ્રસિદ્ધ છે અને જિનપ્રતિમા પૂજનીય ન હોય તો સમ્યગ્દષ્ટિ દેવ જિનપ્રતિમાની પૂજા કરે નહિ. માટે સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાથી જિનપ્રતિમા પૂજ્ય છે એમ ફલિત થાય છે. ર/કા અવતરણિકા : શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવના અધિકારમાં કહ્યું છે કે મારું પૂર્વનું હિત શું છે અને પશ્ચાત્ હિત શું છે તેનાથી માત્ર દેવભવની અપેક્ષાએ હિત પર્યવસાન પામે છે અને તે રીતે પ્રતિમાની પૂજા આલોકના અભ્યદય માટેનું કારણ છે, મોક્ષનું કારણ નથી માટે મોક્ષાર્થીએ પ્રતિમાની પૂજા કરવી ઉચિત નથી એમ સ્થાનકવાસી કહે છે. તેનું નિરાકરણ કરીને પૂર્વ હિત શબ્દથી પૂર્વભવનું હિત ગ્રહણ કરવું છે અને પશ્ચાત્ શબ્દથી પરલોકનું હિત ગ્રહણ કરવું છે તે બતાવવા અર્થે ગાથા-૧૦ સુધી કહે છે – ગાથા : પહિલે ભવ પૂરવ કહે, જ્ઞાતા દર્દૂર સંબંધ; લાલ રે, પચ્છા કઠુઆ વિષય કહ્યા, વલી મૃગાપુત્ર પ્રબંધ. લાલ રે. તુજ૦ ૭ ગાથાર્થ : જ્ઞાતાસૂત્રમાં દદુર-દેડકાના સંબંધનું દષ્ટાંત છે, ત્યાં પૂર્વ શબ્દ, પહેલો ભવ કહે છે. વળી મૃગાપુત્રનો પ્રબંધ છે ત્યાં પશ્ચાત્ કટુ વિષય કહ્યા છે પાછળ કટુ ફળવાળા વિષય કહ્યા છે. 1ર/૭ll For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા ઃ ૭-૮ ભાવાર્થ સૂર્યાભદેવે કહેલા પૂર્વ-પચ્છાત્ શબ્દથી સ્થાનકવાસીઓ દેવભવના પ્રથમ અને પછાત્ હિતને ગ્રહણ કરે છે અને સૂર્યાભદેવે જે જિનપ્રતિમાની પૂજા કરી છે તે દેવભવના હિત માટે છે, પરલોકના હિત માટે નથી; એમ તેઓ કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જ્ઞાતાધર્મકથાસૂત્ર નામના આગમમાં દેડકાના સંબંધની કથા છે ત્યાં ‘પૂર્વ શબ્દથી પહેલો ભવ ગ્રહણ કરેલ છે અને મૃગાપુત્રનો પ્રબંધ છે ત્યાં વિષયો પાછળ કટુ ફળવાળા કહ્યા છે અર્થાત્ પરલોકમાં કટુ ફળવાળા કહ્યા છે તેથી ‘પૂર્વ' શબ્દ પૂર્વભવ સાથે અને ‘પષ્ણાતું” શબ્દ પરભવ સાથે ગ્રહણ થઈ શકે છે. આમ છતાં પૂર્વ અને પથ્થાત્ શબ્દનો અર્થ સૂર્યાભદેવના વર્તમાન દેવભવ સાથે જોડીને “જિનપ્રતિમાની પૂજા દેવભવનું જ હિત છે, અન્ય ભવનું નથી; માટે સૂર્યાભદેવની પૂજાને કહેનારા શાસ્ત્રવચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ માની શકાય નહીં' એમ જે સ્થાનકવાસી કહે છે તે ઉચિત નથી. ર/ગા અવતરણિકા : વળી સૂર્યાભદેવના પ્રસંગમાં બતાવેલ પૂર્વ પશ્ચાત્ શબ્દ દેવભવમાં જ વિશ્રાંત થતો નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : આગમસીભદ્રા કહ્યા, ગઇઠિઈકલ્લાણા દેવ; લાલ રે, તસ પૂરવ પચ્છા કહે, ત્રિહું કાલે હિત જિન-સેવ. લાલ રે. તુજ૦ ૮ ગાથાર્થ - ગાંઠિકલ્લાણા દેવદેવભવની ગતિ અને દેવભવની સ્થિતિ કલ્યાણને કરનારી છે એવા દેવોને શાસ્ત્રમાં આગમસીભદ્દા કહ્યા છેઆગળમાં ભદ્ર થવાનું છે તેવા કહ્યા છે, તસ હિત તેવા દેવોનું હિત, પૂર્વ પશ્ચાત્ ત્રણેય કાળમાં જિન-સેવ=જિનની સેવા છે એમ કહેનશાસ્ત્ર કહે છે. ર/૮ll For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૮-૯ ભાવાર્થ - જે સમ્યગ્દષ્ટિ દેવો છે તેઓની દેવભવની ગતિ પણ તેઓના માટે કલ્યાણને કરનારી છે; કેમ કે સમ્યકત્વને કારણે નિર્મળ મતિવાળા તે દેવો તત્ત્વશ્રવણાદિ ધર્મજ્યમાં જ પોતાના દેવભવનું સાફલ્ય માનનારા છે. વળી તે દેવોની દેવભવની જે સ્થિતિ છે દેવભવમાં રહેવાની જે કાળમર્યાદા છે, તે પણ તેઓના કલ્યાણને કરનારી છે; કેમ કે વિવેકચક્ષુવાળા એવા તે દેવો સદા ધર્મ પ્રત્યેના આક્ષિપ્ત ચિત્તવાળા હોવાથી ભોગો પણ એ રીતે ભોગવે છે કે જેથી ભોગોનું સંશ્લેષ ઘટે અને પ્રસંગે-પ્રસંગે ધર્મશ્રવણ કરીને પોતાના ધર્મના સંસ્કારોની પુષ્ટિ કરે છે. આવા કલ્યાણવાળી ગતિસ્થિતિવાળા દેવોને આગળમાં ભદ્ર અર્થાત્ કલ્યાણ થવાનું છે તેવા કહ્યા છે અર્થાત્ દેવભવના ઉત્તરના ભવોમાં જેનું કલ્યાણ થવાનું છે તેવા તે દેવો છે તેમ કહ્યું છે. તેથી તેવા સૂર્યાભદેવ વડે કરાયેલી જિનપૂજાના કથનમાં પૂર્વ પથ્થાત્ શબ્દથી ત્રિહું કાળમાં તેઓનું હિત જિનની સેવા છે તેવો અર્થ પ્રાપ્ત થાય છે, કેમ કે આવા દેવોએ પૂર્વભવમાં પણ જિનની સેવા કરી છે આથી ગતિ-સ્થિતિને કલ્યાણ કરનારા એવા દેવભવને પામ્યા છે અને પછીના ભાવમાં પણ તેઓ કલ્યાણને પામશે. તેથી તેઓનું સર્વ હિત જિનની સેવા છે માટે તેવા દેવો “જે જિનપ્રતિમા પૂજે છે તે જિનપ્રતિમાની પૂજા દેવભવમાં વિશ્રાંત થાય છે પણ કલ્યાણનું કારણ નથી” તેમ કેમ કહી શકાય ? ર/૮ અવતરણિકા : આચારંગસૂત્રના વચનથી પણ પૂર્વ અને પશ્ચાત્' શબ્દોનો અર્થ પૂર્વભવ અને પશ્ચાત્ ભવ ગ્રહણ કરવો ઉચિત છે તે બતાવવા અર્થે કહે ગાથા : જસ પૂરવ પચ્છા નહીં, મધ્યે પણ તસ સંદેહ; લાલ રે, ઈમ પહલે અંગે કહ્યું, સૂધો અર્થ તે એહ. લાલ રે. તુજ ૯ ગાથાર્થ - જેનો પૂર્વ અને પશ્ચાત્ નથી જેનું પૂર્વ અને પશ્ચાત્ હિત નથી, For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા : ૯-૧૦ તેનો મધ્યમાં પણ સંદેહ છે=મધ્યમાં પણ હિતનો સંદેહ છે, એમ પહેલા અંગમાં કહ્યું છે, તે તેથી, એહ અર્થ સૂધો છે=જિનની પ્રતિમાની પૂજાથી ત્રણેય કાળમાં હિત છે એમ પૂર્વગાથામાં કહ્યું એ અર્થ યથાર્થ છે. ||૨/૯૫ ભાવાર્થ: જીવની જે પ્રવૃત્તિ પૂર્વભવમાં કે પાછળના ભવમાં પણ હિતરૂપ ન હોય તે પ્રવૃત્તિ વર્તમાનમાં પણ હિતરૂપ છે તેમ કહી શકાય નહિ. પરંતુ વર્તમાનની તેની પ્રવૃત્તિમાં હિતનો સંદેહ થાય છે એ પ્રકારે આચારાંગસૂત્ર નામના પહેલા અંગમાં કહ્યું છે. તેથી એ ફલિત થાય કે જેમણે પૂર્વમાં હિતકારી કૃત્ય કર્યું છે અને જેઓ ભવિષ્યમાં હિતકારી કૃત્યો કરશે તેઓનાં વર્તમાનનાં કૃત્યો હિતકારી છે તેમ કહી શકાય. તે રીતે સૂર્યાભદેવ વર્તમાનમાં જિનપૂજા કરે છે તે વર્તમાનમાં હિતકારી છે તેમ સ્વીકારવું હોય તો પૂર્વભવમાં પણ તેમણે જિનની ભક્તિ કરી છે એ હિતકારી હતી અને ભવિષ્યમાં પણ જિનની ભક્તિ કરશે તે હિતકારી થશે તેમ વર્તમાનની પણ તેમની જિનની ભક્તિ હિતકારી છે તેમ કહી શકાય. માટે સૂર્યાભદેવ જિનપ્રતિમાની પૂજા કરે છે તે વર્તમાનમાં હિતરૂપ હોય તો તે જિનપ્રતિમાની પૂજા પૂર્વ અને પચ્છાત્ પણ હિતરૂપ છે તેમ માનવું જોઈએ એ પ્રકારનો અર્થ સુંદર છે માટે સૂર્યાભદેવના જિનપૂજાના પ્રસંગથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ માનવું જોઈએ. II૨/૯લા ૩૨ અવતરણિકા : આગમમાં પરલોક અર્થે હિતની પ્રવૃત્તિ બતાવવા અર્થે ‘પેચ્ચા’ શબ્દ=‘પ્રત્ય’ શબ્દ ગ્રહણ કરાયેલ છે અને સૂર્યાભદેવના પ્રસંગમાં ‘પેચ્ચા’ શબ્દ ગ્રહણ કરેલ નથી પરંતુ ‘પચ્છા' શબ્દ ગ્રહણ કરેલ છે. તેથી ‘પચ્છા’ શબ્દથી પરભવનું ગ્રહણ થાય નહિ એમ કહીને સૂર્યાભદેવની પૂજા પરભવના હિત માટે છે તેમ કહી શકાય નહિ એમ સ્થાનકવાસી કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે — For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩૩ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૨ | ગાથા : ૧૦ ગાથા : પચ્છાપેચાશબ્દનો, જે ફેર કહે તે દુઠ્ઠ, લાલ રે, શબ્દતણી રચના ઘણી, પણ અરથ એક છે પુટ્ટ, લાલ રે. ૮૦ ૧૦ ગાથાર્થ : પચ્છા' અને “પેચ્યા' શબ્દનો જે ફેર કહે-જુદો અર્થ છે એમ સ્થાનકવાસી કહે છે, તે દુષ્ટ છે; કેમ કે શબ્દતણી રચના ઘણી છે પરંતુ તે બન્ને શબ્દોનો અર્થ એક “પુઠ” જ છે પાછળનો ભવ જ છે. I/ર/૧૦|| ભાવાર્થ : આગમમાં કેટલાક સ્થાને પરલોકના હિતને બતાવવા માટે “પચ્ચા હિતાય” કહેલ છે=પ્રેત્ય હિતાય કહેલ છે અને પ્રત્ય' શબ્દનો અર્થ “પરલોક થાય છે તેથી જો સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજા પરલોકના હિત માટે છે તેમ બતાવવું હોય તો ત્યાં “પચ્ચા” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ પરંતુ સૂર્યાભદેવના અધિકારમાં “પચ્ચા” શબ્દનો પ્રયોગ કર્યો નથી પરંતુ “પચ્છા' શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી નક્કી થાય છે કે સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજા ‘પથ્થાત્ હિત માટે છે પણ પરલોકના હિત માટે નથી અર્થાત્ સૂર્યાભદેવના દેવભવના પથ્થાત્ હિત માટે છે પરંતુ પરલોકના હિત માટે નથી. આમ કહીને સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાના આગમવચન દ્વારા જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થતી નથી એમ સ્થાનકવાસી કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે “પચ્છા” અને “પેચ્ચા' બે શબ્દોના અર્થનો આ પ્રમાણે ફેરફાર કરીને સ્થાનકવાસી કહે છે તે દુષ્ટ છે. કેમ દુષ્ટ છે ? તેથી કહે છે – એક અર્થને કહેનારા શબ્દોની રચના ઘણી છે તેથી કોઈ ઠેકાણે પરલોક અર્થે “પચ્ચા' શબ્દ વાપર્યો હોય અને કોઈ ઠેકાણે “પચ્છા' શબ્દ વાપર્યો હોય એટલા માત્રથી અર્થભેદ કરી શકાય નહિ પરંતુ તે બન્ને શબ્દોનો એક જ અર્થ છે. તેથી પચ્ચા શબ્દથી જેમ પરલોક ગ્રહણ થાય છે તેમ પચ્છા શબ્દથી પણ પરલોક ગ્રહણ થાય છે. માટે સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજા પરલોકના હિત માટે નથી તેમ કહી શકાય નહિ. ર/૧ના For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વરસ્તુતિરૂપ દોઢસા ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૧૧-૧૨-૧૩-૧૪ અવતરણિકા : રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાનું વર્ણન ઉપલબ્ધ છે તેનું સ્વરૂપ બતાવીને તેની જેમ શ્રાવકને પૂજા કર્તવ્ય છે તેમ બતાવવા અર્થે ગાથા-૧૧થી ગાથા-૧૪ સુધી કહે છે – ગાથા : વાંચી પુસ્તક રત્નનાં, હવે લેઈ ધરમ વ્યવસાય; લાલ રે, સિદ્ધાયતને તે ગયો, જિહાં દેવછંદાનો થાય. લાલ રે. તુજ૦ ૧૧ જિનપ્રતિમા દેખી કરી, કરે શિર પ્રણામ શુભ બીજ; લાલ રે, પુષ્પ-માલ્ય-ચૂર્ણ કરી, વસ્ત્રાભરણે વલી પૂજ. લાલ રે. તુજ ૧૨ ફૂલ પગાર આગે કરી, આલેખે મંગલ આઠ; લાલ રે, ધૂપ દેઈ કાળે સ્તવી, કરે શક્રસ્તવનો પાઠ; લાલ રે. તુજ૦ ૧૩ જેહના સ્વમુખે જિન કહે, ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ; લાલ રે, તાસ ભગતિ જિનપૂજના, નવિ માને તેહ નિટોલ. લાલ રે. તુજ૦ ૧૪ ગાથાર્થ : સામાનિક દેવને પૃચ્છા કર્યા પછી, તેના વચનાનુસાર પોતાના હિત માટે પ્રવૃત્ત થયેલ હવે ત્યારપછી, સૂર્યાભદેવ રત્નનાં પુસ્તક વાંચી ધર્મ વ્યવસાય લઈ-ધર્મ કરવાનો અભિલાષ કરી, તે સૂર્યાભદેવ સિદ્ધાયતને ગયો, જ્યાં દેવછંદાનો કાયસ્થાન છે જિનપ્રતિમાનું સ્થાન છે. I/ર/૧૧II જ્યાં જિનપ્રતિમાને દેખી કરી જિનપ્રતિમાને જોઈને, શુભનું બીજ એવું શિરથી પ્રણામ કરેકલ્યાણના કારણ એવું મસ્તકથી પ્રણામ કરે છે. ત્યારપછી પુષ્પ-માલ્ય-ચૂણે કરી અને વસ્ત્ર-આભરણે વળી જિનપ્રતિમાને પૂજે છે. 1ર/૧રા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૧૧-૧૨-૧૩-૧૪, ૧૫ ૩૫ ફૂલના પુંજ ભગવાનની આગળ મૂકે છે. આઠ મંગલ આલેખે છે. ધૂપ આપીને કાવ્યથી સ્તુતિ કરે છે અને શસ્તવનો પાઠ કરે છે. I/ર/૧all જિન સ્વમુખે જેહના જે સૂર્યાભદેવના, ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ કહે, તેની જિનપૂજાની ભક્તિ નવિ માને, તે નિટોલ છે ઘીટ્ટા છે. Iી૨/૧૪ll. ભાવાર્થ : સૂર્યાભદેવે સામાનિક દેવને પૃચ્છા કરી કે મારું પૂર્વ હિત શું છે, પથ્થાત્ હિત શું છે ત્યારે સામાનિક દેવે પૂર્વ અને પચ્છતું હિત જિનપ્રતિમા અને જિનની દાઢાની પૂજા છે તેમ કહ્યું. ત્યારપછી સૂર્યાભદેવ ધર્મવ્યવસાયસભામાં જાય છે અને ત્યાં રત્નનાં પુસ્તકોને વાંચે છે અને પુસ્તક વાંચીને ધર્મવ્યવસાય કરવાનો અભિલાષ કરે છે. વળી તે અભિલાષ કરીને સૂર્યાભદેવ સિદ્ધાયતનમાં જાય છે જિનાલયમાં જાય છે, જ્યાં દેવછંદાનું સ્થાન છેઃજિનપ્રતિમાનું સ્થાન છે. ત્યાં દેવછંદામાં રહેલી જિનપ્રતિમાને જોઈને સૂર્યાભદેવ શિરથી પ્રણામ કરે છે, જે પ્રણામ શુભનું બીજ છે=કલ્યાણનું કારણ છે; કેમ કે જિનપ્રતિમાને જોઈને જિન પ્રત્યેના વધતા જતા બહુમાનભાવથી કરાયેલ પ્રણામથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ છે. વળી સૂર્યાભદેવ પુષ્પ, માળા, ચૂર્ણ, વસ્ત્ર, આભરણ અલંકારથી, જિનપ્રતિમાને પૂજે છે, જિનપ્રતિમા આગળ ફૂલના ગુચ્છા મૂકે છે, અષ્ટમંગલનું આલેખન કરે છે, ધૂપ કરીને કાવ્યથી ભગવાનની સ્તુતિ કરે છે અને શક્રસ્તવનો પાઠ કરે છે. વળી જે સૂર્યાભદેવ વિર ભગવાન પાસે વંદન કરવા આવેલ છે ત્યારે હું ભવ્ય છું ? કે અભવ્ય છું?' ઇત્યાદિ છે પ્રશ્નો કરે છે અને વીર ભગવાન સ્વમુખે તેને ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ કહે છે. તે સૂર્યાભદેવની જિનપૂજાની ભક્તિ જે ધર્મરૂપ માનતા નથી તે નિટોલ છે=ધીઢા છે. ll૨/૧૧-૧૨-૧૩-૧૪ અવતરણિકા : જિનપ્રતિમા પૂજ્ય નથી તેમ માનનાર કેટલાક સ્થાનકવાસી કહે છે કે સૂર્યાભદેવે જિનપ્રતિમા પૂજી છે તેવો રાયપણીસૂત્રમાં પાઠ છે તે અમે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૨ | ગાથા : ૧૫, ૧૬ સ્વીકારીએ છીએ પરંતુ સૂર્યાભદેવે તે કૃત્ય કર્યું હોય તેટલા માત્રથી તે કૃત્ય શ્રાવકને કર્તવ્ય છે તેમ માની શકાય નહિ. જેમ વર્તમાનમાં પણ કેટલાક મુગ્ધ જેવો ભગવાનની મૂર્તિની પૂજા કરે છે તેટલા માત્રથી મૂર્તિ પૂજનીય સિદ્ધ થાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : પ્રભુ આગલ નાટક કર્યું, ભગતિ સૂરિયાભે સાર; લાલ રે, ભગતિતણાં ફલ શુભ કહ્યાં, શ્રી ઉત્તરાધ્યયન મોઝાર, લાલ રે. તુજ૦ ૧૫ ગાથાર્થ : પ્રભુ આગળ-સાક્ષાત્ વીરપ્રભુ આગળ, નાટક કર્યું સૂર્યાભદેવે નાટક કર્યું, તેથી સૂર્યાભદેવમાં સુંદર ભક્તિ છે=ભગવાન પ્રત્યે સુંદર ભક્તિ છે, અને શ્રીઉત્તરાધ્યયન મોઝારશ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં, ભક્તિ તણાં શુભ ફળ કહ્યાં છે= સૂર્યાભદેવની ભક્તિનાં શુભ ફળ કહ્યાં છે. Il૨/૧૫ ભાવાર્થ : સૂર્યાભદેવે વીરપ્રભુ સામે ભક્તિના અતિશયથી નાટક કર્યું છે એ પ્રકારનું આગમવચન છે. તેથી સિદ્ધ થાય છે કે સૂર્યાભદેવ ભગવાન પ્રત્યે ભક્તિવાળા છે પરંતુ મુગ્ધતાથી પ્રવૃત્તિ કરનારા નથી અને તે ભક્તિનાં ઉત્તમ ફળો છે તે શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યાં છે. તેથી ઉત્તમ ફળદાયી ભક્તિને કરનાર સૂર્યાભદેવ ભગવાનના શાસન પ્રત્યે ભક્તિવાળા છે. તેમણે જિનપ્રતિમા પૂજી છે તેથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય છે. પરંતુ વિવેક વગરના મુગ્ધ દેવની જિનપ્રતિમાની પૂજા છે તેમ કહીને સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાના વચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થતી નથી તેમ કહી શકાય નહિ. li૨/૧પ અવતરણિકા : કેટલાક સ્થાનકવાસી કહે છે કે દેવો આરાધક નથી, અવિરતિના ઉદયવાળા છે તેથી વિરાધક છે. માટે તેવા દેવોએ જિનપ્રતિમાની પૂજા કરી હોય તેવા For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૨ / ગાથા : ૧૬ શાસ્ત્રવચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ અને સૂર્યાભદેવને જે આરાધક કહ્યા છે તે પૂર્વભવને આશ્રયીને છે. માટે જે આરાધક નથી તેઓ વડે કરાયેલી પ્રતિમાની પૂજાથી પ્રતિમા પૂજય સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : અંગ ઉપાંગે ઘણે કહી, એમ દેવ દેવીની ભકિત; લાલ રે, આરાધકતા તેણે થઈ, ઇહાં તામલી ઇંદ્રની યુક્તિ. લાલ રે. તુo ૧૬ ગાથાર્થ : અંગ અને ઉપાંગમાં ઘણે ઘણાં સ્થાને, એમ જેમ સૂર્યાભદેવના પ્રસંગમાં કહ્યું એમ, દેવ-દેવીની ભક્તિ કહી છે. તેણે આરાધકતા થઈકતે ભક્તિને કારણે દેવ-દેવીઓમાં આરાધકતા પ્રાપ્ત થઈ. વળી પૂર્વભવને આશ્રયીને દેવ-દેવીની આરાધકતા નથી એમાં તામલીઇન્દ્રની યુક્તિ છે તામસીતાપસ પૂર્વભવમાં જેન ધર્મને પાળીને ઇન્દ્ર થયા નથી તેથી પૂર્વભવને આશ્રયીને તેમને આરાધક કહી શકાય નહિ, પરંતુ ઈન્દ્રના ભવમાં ભગવાનની ભક્તિ કરે છે તે અપેક્ષાએ આરાધક કહી શકાય. 1ર/૧૬ll ભાવાર્થ - કેટલાક સ્થાનકવાસીઓ કહે છે કે અવિરતિના ઉદયવાળાને આરાધક કહેવાય નહિ અને દેવ-દેવીઓ અવિરતિના ઉદયવાળા છે તેથી આરાધક નથી. વળી, શાસ્ત્રમાં દેવ-દેવીઓને કોઈ સ્થાનમાં આરાધક કહ્યા છે તે પૂર્વભવના આરાધક ભાવને સામે રાખીને આરાધક કહ્યા છે. પરંતુ વર્તમાન દેવભવમાં જેઓ આરાધક ન હોય તેવાં દેવ-દેવીઓએ પ્રતિમાની પૂજા કરી હોય અને તેનો ઉલ્લેખ શાસ્ત્રમાં પ્રાપ્ત થતો હોય એટલા માત્રથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ તેને ગ્રંથકારશ્રી કહે છે. અંગ અને ઉપાંગમાં ઘણે સ્થાને દેવ-દેવીઓએ ભગવાનની ભક્તિ કરી છે તેવો ઉલ્લેખ મળે છે. તે ભગવાનની ભક્તિને કારણે તે દેવ-દેવીઓમાં આરાધકતા For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૧૬-૧૭ છે. અહીં સ્થાનકવાસી કહે કે દેવ-દેવીઓની આરાધકતાને કહેનારાં વચનો તે દેવ-દેવીઓના પૂર્વભવને આશ્રયીને છે, વર્તમાનના ભવને આશ્રયીને તો દેવદેવીઓ આરાધક નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – તામલી ઇન્દ્ર પૂર્વભવમાં તામસીતાપસ હતા, તેથી પૂર્વભવમાં તેમણે ભગવાનના ધર્મની આરાધના કરી નથી અને ઇન્દ્રના ભવમાં તેમને આરાધક કહ્યા છે તેથી તામસીતાપસને પૂર્વભવને આશ્રયીને તે આરાધક છે તેમ કહી શકાય નહિ માટે દેવો પણ દેવભવમાં આરાધક છે તેમ સ્વીકારવું જોઈએ અને જે આરાધક દેવો છે તેઓ જેમ સાક્ષાત્ ભગવાનની ભક્તિ કરે છે તે અપેક્ષાએ આરાધક છે તેમ જિનપ્રતિમાની પૂજા કરે છે તે અપેક્ષાએ પણ આરાધક છે તેમ માનવું પડે. અને આરાધક દેવોએ જિનપ્રતિમાની પૂજા કરી છે તેવા પાઠો ઉપલબ્ધ છે. આ રીતે દેવોના જિનપ્રતિમાના પૂજાના વચનથી પ્રતિમા પૂજનીય છે તેમ માનવું જોઈએ. ll૨/૧૬ાા અવતરણિકા : વળી, ભગવાનના દેહની દાઢા દેવતાઓ પૂજે છે તેથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે તે બતાવે છે – ગાથા : ભક્તિ જીતધર્મે કરી, લીએ દાઢા અવર જિન અંગ; લાલ રે, થુભ રચે સુર ત્રણ તે, કહે જંબૂપન્નરી ચંગ; લાલ રે. તુજ. ૧૭ ગાથાર્થ : ભક્તિથી, જીતથી અને ધર્મથી કરીને ઈન્દ્રો દાઢા ગ્રહણ કરે છે, વળી બીજા દેવો જિનનાં અંગો ગ્રહણ કરે, ત્યારપછી સુર-દેવતા, ત્રણ ચંગ સુંદર, સુપો રચે છે તેમ જંબૂદ્વીપપ્રજ્ઞતિસૂત્રમાં કહેલ છે. l/ર/૧૭ll. ભાવાર્થ : ભગવાન નિર્વાણ પામે છે ત્યારે ભગવાનના નિર્જીવ દેહની ઇન્દ્રો ભક્તિ કરે છે અને ત્યારપછી પ્રભુના દેહને અગ્નિદાહ કરે છે. અગ્નિદાહ કર્યા પછી ઇન્દ્રો ભગવાનની દાઢાઓ ગ્રહણ કરે છે અને બીજા દેવો જિનનાં અંગો ગ્રહણ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળઃ ૨ | ગાથા : ૧૭-૧૮ કરે છે. જ્યાં ભગવાનનો અગ્નિદાહ કર્યો છે ત્યાં ભગવાન સાથે કાળધર્મ પામેલા ગણધરો અને મુનિઓના દેહનો પણ અગ્નિદાહ કરે છે. અગ્નિદાહ કર્યા પછી દેવો ત્રણ સ્તુપત્રમૈત્યસ્તંભ, રચે છે. એક જ્યાં તીર્થકરનો અગ્નિદાહ કર્યો છે ત્યાં, બીજો જ્યાં ગણધરોનો અગ્નિદાહ કર્યો છે ત્યાં અને ત્રીજો જ્યાં અન્ય સાધુઓનો અગ્નિદાહ કર્યો છે ત્યાં; એમ ત્રણ ચૈત્યસ્તંભ કરે છે જે ચૈત્યસ્તંભને ત્યારપછી લોકો પૂજે છે. આ પ્રકારે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહેલ છે. તેથી એ ફલિત થાય કે જંબૂદીપ-પ્રજ્ઞપ્તિસૂત્રના વચનાનુસાર ભગવાનનો અજીવ દેહ અને ભગવાનના દેહની અજીવ દાઢાઓ અને ભગવાન નિર્વાણ પામ્યા તે સ્થાને રચાયેલા ત્રણ ચૈત્યસ્તંભો જેમ પૂજાય છે તેમ જિનપ્રતિમા પણ પૂજનીય છે તેમ માનવું જોઈએ. અહીં કહ્યું કે ભક્તિથી, જીતથી અને ધર્મથી કેટલાક દાઢા લે છે અને બીજા જિનનાં અંગ લે છે તેથી એ ફલિત થાય કે જેઓને ભગવાન પ્રત્યે ભક્તિ છે તેઓ ભગવાન પ્રત્યેની ભક્તિથી ભગવાનનાં અંગોને ગ્રહણ કરે છે અને કેટલાક દેવો આ અમારો જીત છે=આચાર છે, એમ માનીને ભગવાનના દેહનાં અંગોને ગ્રહણ કરે છે. વળી કેટલાક દેવો આ ભગવાનના દેહનાં અંગોને ગ્રહણ કરવાં એ ધર્મ છે એમ માનીને જિનનાં અંગોને ગ્રહણ કરે છે. l૨/૧૭ના અવતરણિકા : શ્રીભગવતીસૂત્ર નામના પાંચમા અંગની સાક્ષીથી દાઢાની જેમ જિનપ્રતિમા પૂજનીય છે તે બતાવતાં કહે છે – ગાથા : શતક દશમે અંગ પાંચમે, ઉદેશ છટ્ટે ઈંદ; લાલ રે, દાઢ તણી આશાતના, ટાલે તે વિનય અમંદ. લાલ રે. તુજ૦ ૧૮ ગાથાર્થ : પાંચમા અંગના દશમા શતકમાં, છટ્ટા ઉદેશામાં કહેલ છે કે ઈન્દ્ર દાઢ તણી=ભગવાનની દાઢા તણી, આશાતના ટાળે છે તે અમંદ અત્યંત, વિનય છે. 1ર/૧૮II For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા ઃ ૧૮, ૧૯-૨૦ ભાવાર્થ : પાંચમા અંગરૂપ શ્રીભગવતીસૂત્રમાં અનેક શતકો છે તેમાંથી દશમા શતકમાં અનેક ઉદ્દેશા છે તેમાં છઠ્ઠા ઉદ્દેશામાં કહેલ છે કે અમરચંચા નામની રાજધાની છે ત્યાં સુધર્મા નામની સભામાં અમર નામના સિંહાસન પર રહેલ અમર નામના અસુરેન્દ્ર, ઇન્દ્રાણીઓ સાથે ભોગ ભોગવતા નથી કે ત્યાં વિચરતા નથી; કેમ કે ત્યાં ભગવાનની દાઢા રહેલી છે. એટલે ઇન્દ્રને ભગવાનની દાઢાનો અત્યંત વિનય છે. આ રીતે ત્યાં ભોગાદિથી થતી જિનની દાઢાની આશાતનાને ટાળે છે માટે જેમ અજીવ એવી દાઢા પૂજનીય છે તેમ જિનપ્રતિમા પણ પૂજનીય છે. ll૨/૧૮ અવતરણિકા - કેટલાક સ્થાનકવાસી કહે છે કે દેવતાઓ તો અવિરતિવાળા છે માટે આરાધક નથી અને તેવા દેવતાઓએ ભગવાનની મૂર્તિની પૂજા કરી હોય અને તેનો ઉલ્લેખ આગમમાં પ્રાપ્ત થતો હોય તોપણ તે વચનના બળથી જિનપ્રતિમા પૂજનીય સિદ્ધ થાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – ગાથા : સમકિતદષ્ટિ સુર તણી, આશાતના કરચ્ચે જેહ; લાલ રે. દુર્લભબોધિ તે હશે, ઠાણાંગે ભાખ્યું એહ. લાલ રે. તુજ. ૧૯ તેહને જશ બોલ્ટે કહ્યું, વલી સુલભબોધિતા થાય; લાલ રે. તેણે પૂજાદિક તેહનાં, કરણી શિવહેતુ કહાય. લાલ રે. તુજ ૨૦ ગાથાર્થ : સમ્યગ્દષ્ટિ એવા દેવની જે આશાતના કરશે તે દુર્લભબોધિ થશે એમ શ્રીઠાણાંગસૂત્રમાં ભાખ્યું છે. ર/૧૯ll તેહના=સમ્યગ્દષ્ટિ સુરના, યશ બોલવાથી વળી સુલભબોધિતા થાય એમ કહ્યું છે તેણે તે કારણથી, તેહના=સમ્યગ્દષ્ટિ દેવના, પૂજાદિક કરણી શિવહેતુ કહાય કહેવાય. ll૨/૨૦II For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ટાળ : ૨ | ગાથા : ૧૯-૨૦, ૨૧ ૪૧ ભાવાર્થ : સ્થાનકવાસી કહે છે કે દેવો તો અવિરતિવાળા છે માટે આરાધક નથી તેથી વિરાધક એવા દેવોએ કરેલી જિનપ્રતિમાની પૂજા કર્તવ્યરૂપે સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે શ્રીઠાણાંગસૂત્રમાં સમ્યગ્દષ્ટિ દેવની આશાતના કરનારને દુર્લભબોધિ કહ્યા છે માટે સમ્યગ્દષ્ટિ દેવો આરાધક નથી તેમ કહેવું ઉચિત નથી; કેમ કે તેમ કહેવાથી સમ્યગ્દષ્ટિ દેવોની આશાતનાનું પાપ લાગે છે. માટે દેવો આરાધક નથી તેમ સ્થાનકવાસી કહે છે તે વચન મૃષા છે. વળી, સમ્યગ્દષ્ટિ દેવોના ગુણાનુવાદથી સુલભબોધિતા થાય છે. તેથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ દેવોને આરાધક કહેવાથી અને આરાધક માનીને તેમના ગુણોની પ્રશંસા કરવાથી સુલભબોધિતા પ્રાપ્ત થાય છે. માટે તેઓની પૂજાની કરણી મોક્ષનો હેતુ છે તેમ સિદ્ધ થાય છે, કેમ કે આરાધક દેવો જે ધર્મત્ય કરે તે અવશ્ય મોક્ષનો હેતુ હોય. 1ર/૧૯-૨૦ના અવતરણિકા : દેવ વડે કરાયેલી જિનપ્રતિમાની પૂજા સ્થાનકવાસી કર્તવ્યરૂપે માનતા નથી તે તેઓનો અવિવેક છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : તપ-સંયમ તરુસમ કહ્યાં, ફલસમ તે શિવસુરશર્મ; લાલ રે. સુરકરણી માને નહીં, નવિ જામ્યો તેણે એ મર્મ. લાલ રે. તુજ ૨૧ ગાથાર્થ - તપ-સંયમને તરુ જેવાં કહ્યાં છે, તેના તપ સંયમરૂપ વૃક્ષના, ફળ જેવાં સિદ્ધનાં અને દેવલોકનાં સુખો કહ્યાં છે, તેથી દેવની કરણી-દેવોએ જિનપ્રતિમાની પૂજા કરી છે તે, કર્તવ્યરૂપે માને નહિ, તેણે એ મર્મ જાણ્યો નહિ-ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ મર્મ જામ્યો નથી. 1ર/ર૧TI ભાવાર્થ :પૂર્વભવમાં જે દેવોએ તપ-સંયમ પાળ્યું તે વૃક્ષ જેવું છે અને તે વૃક્ષ ઉપર જે For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૨૧-૨૨ ઉત્તમ ફળો આવે છે તે મોક્ષના અને દેવલોકના સુખ સમાન છે તેમ શાસ્ત્રકારો કહે છે. તેથી દેવલોકનું સુખ એ પૂર્વભવના તપ-સંયમનું ફળ છે. માટે ઉત્તમ એવા તપ-સંયમના ફળને “અવિરતિ છે” એમ કહીને નિંદા કરવી તે પરમાર્થથી તપ-સંયમની નિંદા છે; કેમ કે જો તપ-સંયમ સુંદર હોય તો તેનું ફળ તો અધિક સુંદર કહેવાય અને જો તે ફળ ખરાબ હોય તો તે ફળને આપનારું વૃક્ષ પણ ખરાબ છે એમ ફલિત થાય છે. તેથી તપ-સંયમના ફળને પામેલા એવા દેવતાઓ જે જિનપ્રતિમા પૂજે છે તેને કર્તવ્ય માને નહિ તેવા સ્થાનકવાસીઓએ એ મર્મ જાણ્યો નથી-તપ-સંયમરૂપ વૃક્ષનું ફળ મોક્ષ અને દેવલોકનું સુખ છે એ મર્મ જાણ્યો નથી, તેથી તપ-સંયમના ફળની નિંદા કરે છે. ર/રચા અવતરણિકા : સમ્યગ્દષ્ટિ દેવો અતિશય વિવેકવાળા છે માટે પણ તેઓ વડે કરાયેલી જિનપ્રતિમાની પૂજા શ્રાવકને કર્તવ્ય છે તેમ માનવું જોઈએ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : દશવૈકાલિકે નર થકી, સુર અધિક વિવેક જણાય; લાલ રે. દ્રવ્યસ્તવ તો તેણે કર્યા, માને તસ સુજશ ગવાય. લાલ રે. તુજ૦ ૨૨ ગાથાર્થ : દશવૈકાલિકસૂત્રમાં મનુષ્ય થકી દેવને અધિક વિવેક છે તેમ જણાવ્યું છે તેથી તેમણે દેવોએ, દ્રવ્યસ્તવ કર્યો છે તેને જે માને તેનો સુયશ ગવાય ર/રશા ભાવાર્થ દશવૈકાલિકસૂત્રમાં “દેવાવિ ત નમસતિ” એ પાઠ દ્વારા અર્થથી કહ્યું છે કે મનુષ્ય થકી દેવામાં અધિક વિવેક હોય છે; કેમ કે જો દેવો કરતાં મનુષ્ય અધિક વિવેકવાળા હોય તો “મનુષ્યો પણ તેને નમસ્કાર કરે છે” એમ કહેલ હોત. તેથી અર્થથી ફલિત થાય છે કે દેવો અધિક વિવેકવાળા છે. માટે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૨૨ દેવભવને કારણે જ તેઓ વિબુધ હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ દેવોમાં વિશેષ બોધને કારણે વિવેક પણ અધિક હોય છે અને તે દેવોએ દ્રવ્યસ્તવ કર્યો છે=જિનપ્રતિમાની પૂજા કરી છે, માટે વિવેકવાળા એવા દેવોથી કરાયેલી જિનપ્રતિમાની પૂજાને કર્તવ્યરૂપે જે માને તેનો સુયશ ગવાય–તે જીવો ભગવાનની ભક્તિ કરીને સુંદર યશને પ્રાપ્ત કરશે. II૨/૨૨ા For Personal & Private Use Only ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩| ગાથા ઃ ૧-૨ (રાગ - ઋષભનો વંશ રયણાયરૂ – એ દેશી) ગાથા : શાસન તાહરું અતિ ભલું, જગિ નહીં કોઈ તસ સરિખું રે; તિમ તિમ રાગ ઘણો વાધે, જિમ જિમ જુગતિસ્યું પરખું રે. ૧ શાસન તાહરું અતિ ભલું-એ આંકણી ગાથાર્થ : હે ભગવાન ! તમારું શાસન અતિ ભલું છે=અત્યંત કલ્યાણને કરનારું છે, જગતમાં તેના જેવું કલ્યાણને કરનારું અન્ય કોઈ નથી. જેમ જેમ જુગતિશું મુક્તિની, પરખ થાય છે તેમ તેમ રાગ ઘણો વદો છે. ll૩/૧II ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ અનેક દૃષ્ટિકોણથી ભગવાનના વચનાનુસાર જિનપ્રતિમા પૂજનીય છે તેનું સ્થાપન કર્યું અને તે સ્થાપન દ્વારા વીતરાગની પ્રતિમા વીતરાગભાવની પ્રાપ્તિમાં પ્રબળ કારણ છે તેમ દેખાવાથી ગ્રંથકારશ્રી કહે છે કે “હે ભગવંત ! તમારું શાસન અતિકલ્યાણને કરનારું છે. કેમ કે ભગવાનના શાસનનાં દરેક વચનો જીવને મોહની આકુળતાથી પર કરીને વીતરાગભાવની પ્રાપ્તિમાં પ્રબળ કારણરૂપ છે અને જગતમાં તેના જેવાં કોઈનાં વચનો દેખાતાં નથી. તેથી ગ્રંથકારશ્રીને ભગવાનના શાસન પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે અને કહે છે કે તમારાં શાસ્ત્રોના અધ્યયનથી જેમ-જેમ સંસારથી પર એવી મુક્ત અવસ્થાની અધિક-અધિક પરખ થાય છે તેમ-તેમ મુક્તિની પ્રાપ્તિ પ્રત્યે પ્રબળ કારણ એવા તમારા શાસન પ્રત્યે રાગ ઘણો વધે છે. ll૩/૧૫ અવતરણિકા :હવે ગ્રંથકારશ્રી આગમવચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તેનું સ્થાપન કરે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથાઃ ૨-૩ ૪૫ ગાથા : શ્રી અરિહંત અને તેહનાં, ચૈત્ય નમું ન અનેરાં રે, અંબડ ને તસ શિષ્યનાં, વચન ઉવવાઈ ઘણેરાં રે. શાસન) ૨ ગાથાર્થ :-- ઉવવાઈ નામના આગમમાં આચારાંગસૂત્રના ઔપપાતિકસૂત્ર નામના ઉપાંગમાં, શ્રી અરિહંતને અને અરિહંતના ચૈત્યને અરિહંતની પ્રતિમાને, હું નમું, અનેરાં ચૈત્યોને નહિ, એ પ્રકારના અંબઇ પરિવ્રાજકનાં અને તેના શિષ્યોનાં ઘણાં વચનો પ્રાપ્ત થાય છે. ll3/ચા. ભાવાર્થ : વીર ભગવાનના ઉપદેશથી અંબડ પરિવાજ કે શ્રાવક ધર્મ સ્વીકારેલ તેથી અંબડ પરિવ્રાજક અને તેના શિષ્યો શ્રાવક ધર્મ પાળતા હતા અને તેઓએ સમ્યક્તની શુદ્ધિ અર્થે પ્રતિજ્ઞા કરેલી કે “અરિહંતોને અને અરિહંતનાં ચૈત્યોને= પ્રતિમાને, અમે નમીશું અન્યનાં ચેત્યોને નહિ એ પ્રકારનાં ઘણાં વચનો આચારાંગસૂત્રના ઔપપાતિકસૂત્ર નામના ઉપાંગમાં પ્રાપ્ત થાય છે. તેથી સિદ્ધ થાય છે કે શ્રાવકને માટે અરિહંતની જેમ અરિહંતની પ્રતિમા પણ નમસ્કાર કરવા યોગ્ય છે. આ પણ આગમવચનથી સ્થાનકવાસીઓએ જિનપ્રતિમાની પૂજનીયતા સ્વીકારવી જોઈએ. ll૩/રા અવતરણિકા : શાસ્ત્રમાં “ચૈત્ય” શબ્દ અનેક ઠેકાણે આવે છે તે “ચૈત્ય” શબ્દનો અર્થ જિનપ્રતિમા નથી પરંતુ જિવનું જ્ઞાન છે ઈત્યાદિ અન્ય પ્રકારે ચૈત્ય શબ્દનો અર્થ કરીને જિનપ્રતિમા પૂજ્ય નથી તેમ સ્થાનકવાસીઓ કહે છે. તે ઉચિત નથી તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : “ચૈત્ય શબ્દ તણો અરથ તે, પ્રતિમા નહિ કોઈ બીજો રે; જેહ દેખી ગુણ ચેતિએ, તેહ જ ચૈત્ય પતીજી રે. શાસન) ૩ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ४५ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૩-૪ ગાથાર્થ :ચેત્ય શબ્દનો અર્થ તે પ્રતિમા છે, કોઈ બીજો નથી. ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – જેહ દેખી જેને જોઈને જિનપ્રતિમાને જોઈને, ગુણ ચેતિયે જિનના ગુણો ચિત્તમાં સ્મરણ થાય, તે જ ચૈત્ય પતીજો-ચૈત્ય પ્રતીત થાય છે. Il3/3II ભાવાર્થ : સ્થાનકવાસી “ચૈત્ય” શબ્દનો અર્થ જિનપ્રતિમા નથી તેમ કહીને સંબડ શ્રાવકના ચૈત્યના નમનના વચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થતી નથી તેમ કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા છે, બીજો નથી; કેમ કે ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ અનુસાર “જેમને જોઈને જેમના ગુણો ચિત્તમાં સ્મરણ થાય તે ચૈત્ય છે” એ પ્રકારની ચેત્ય શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી વીતરાગની પ્રતિમાને જોઈને વીતરાગના ગુણોનું સ્મરણ થતું હોવાથી વીતરાગની પ્રતિમા ચૈત્ય શબ્દથી પ્રતીત થાય છે માટે જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારવી જોઈએ. Il3/3II ગાથા : ઈમ જ આલાવે આણંદને, જિનપ્રતિમા નતિ દીસે રે; સપ્તમ અંગના અર્થથી, તે નમતાં મન હસે રે. શાસન ૪ ગાથાર્થ : ઈમ જ જેમ અંબઇ શ્રાવકનાં ચૈત્યનમનનાં વચનો છે એમ જ, આનંદના આલાવામાં આનંદ શ્રાવકના જીવનને કહેનારા આલાવામાં, જિનપ્રતિમાની નતિ દીસે છેઆનંદશ્રાવક જિનપ્રતિમાને નમ્યા છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાતમા અંગના અર્થથી=સાતમા ઉપાસકદશાસૂત્ર અંગમાં કહેલા આનંદશ્રાવકના આલાવાના અર્થથી, તે નમતાં જિનપ્રતિમાને નમસ્કાર કરતાં, મન હીંસે મનમાં હર્ષ થાય છે. Il3/૪TI. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૪-૫-૬ ૪૭ ભાવાર્થ : ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં આનંદ શ્રાવકના વક્તવ્યનો આલાવો છે અને તે આલાવામાં આનંદ શ્રાવકે જિનપ્રતિમાને નમન કરેલ છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તે આગમવચનના અર્થથી જિનપ્રતિમાને નમસ્કાર કરવા માટે મન હર્ષિત થાય છે માટે જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારવી જોઈએ. IN૩/૪ ગાથા : પરતીર્થી સુર તેહની, પ્રતિમાની નતિ વારી રે; તેણે મુનિ જિનપ્રતિમા તણી, વંદન નીતિ નિરધારી રે. શાસન ૫ ગાથાર્થ : પરતીર્થીના દેવ અને તેની પ્રતિમાની નતિ વારી છે પ્રતિમાને નમસ્કાર, વારેલ છે સમ્યકત્વ ઉચ્ચરાવતી વખતે પરતીર્થીના દેવને નમસ્કાર વારેલ છે, તેણે મુનિની=સાધુની, જિનપ્રતિમા તણી વંદન નીતિ નિરધારી છે. Il3/૫ll ભાવાર્થ : દેશવિરતિ ગ્રહણ વખતે શ્રાવકને સમ્યક્ત્વમૂલ બારવ્રત અને સંયમ ગ્રહણ કરતી વખતે સાધુને સમ્યત્વમૂલ પાંચ મહાવ્રતો ઉચ્ચરાવાય છે. તે વખતે સમ્યક્ત્વના આલાવામાં પરતીર્થીના દેવો અને તેમની પ્રતિમાને નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરાવાય છે. આના દ્વારા અર્થથી જણાય છે કે સાધુને આશ્રયીને જિનપ્રતિમાને નતિ=નમસ્કાર, કરવાની વિધિ છે માટે પ્રતિમા પૂજ્ય છે, તેમ સ્વીકારવું જોઈએ. 13/પા અવતરણિકા : શાસ્ત્રમાં પરતીર્થીનાં ચૈત્યોને નમસ્કાર કરવાનો નિષેધ પ્રાપ્ત થાય છે. તે દ્વારા અર્થથી પરતીર્થીથી ગ્રહિત નથી તેવાં ચૈત્યોને નમસ્કાર કરવાની For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા : ૬ વિધિ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના કથનમાં સ્થાનકવાસી શું સમાધાન આપે છે ? તે બતાવીને તે ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે - 511211 : ૪૮ પરતીર્થીએ જે પરિગ્રહ્યા, મુનિ તે તો પરતીર્થી રે; ત્રણ શરણ માંહિ ચૈત્ય તે; કહે પ્રતિમા શિવઅર્થી રે. શાસન૦ ૬ ગાથાર્થ : પરતીર્થીએ જે મુનિને પરિગ્રહ્યા છે તે તો પરતીર્થી છે માટે પરતીર્થીનાં ચૈત્યોને શાસ્ત્રમાં નમસ્કારનો નિષેધ કર્યો છે. (ત્યાં ચૈત્ય શબ્દથી જ્ઞાન અર્થ ગ્રહણ કરીને જ્ઞાનવાળા એવા મુનિનું ગ્રહણ થઈ શકે છે માટે જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ. તેમ સ્થાનકવાસી કહે છે તેને ગાથાના ઉત્તરાર્ધથી ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –) ત્રણ શરણ માંહિ=ચમરેન્દ્રના સૌધર્મકલ્પમાં ઉત્પાત વિષયમાં જિન, જિનપ્રતિમા અને સાધુ એ ત્રણમાંથી કોઈનું શરણ ગ્રહણ કરી શકે છે. તે ત્રણ શરણમાંહિ, જે ચૈત્ય છે તેને શિવઅર્થી જીવો પ્રતિમા કહે છે. ||3|૬|| ભાવાર્થ : શાસ્ત્રમાં પ૨તીર્થીથી પરિગૃહિત ચૈત્યોને નમસ્કાર કરવાનો નિષેધ છે તેથી અર્થથી જે ચૈત્યો પરતીર્થીથી ગૃહિત નથી તે પૂજનીય છે તેમ સિદ્ધ થાય છે. આ પ્રકારનાં શાસ્ત્રવચનોનાં સમાધાન આપતાં સ્થાનકવાસી કહે છે કે : કોઈ જૈન સાધુ પરતીર્થીથી પરિગૃહિત હોય અર્થાત્ પરતીર્થીના વચનથી પ્રભાવિત થઈને તેના મતમાં ગયેલ હોય તો તે મુનિ પ૨તીર્થી કહેવાય છે અને મુનિ જ્ઞાનવાળા છે માટે જ્ઞાન અને જ્ઞાનવાળા મુનિનો અભેદ કરીને ચૈત્ય શબ્દથી મુનિને ગ્રહણ કરી શકાય છે. તેથી શાસ્ત્રમાં જે પરતીર્થીના ચૈત્યને નમસ્કાર કરવાનો નિષેધ પ્રાપ્ત થાય છે ત્યાં પરતીર્થી શબ્દથી પરતીર્થી પરિગૃહિત મુનિને ગ્રહણ કરવા અને તેમ સ્વીકારીએ તો પરતીર્થી પરિગૃહિત નથી તેવી જિનપ્રતિમા પૂજ્ય છે For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથાઃ ૬-૭ તેવો અર્થ પરતીર્થી પરિગૃહિત ચૈત્યના નમસ્કારના નિષેધથી થઈ શકે નહિ. એ પ્રકારે સ્થાનકવાસી કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે – ચમરેન્દ્રના ઉત્પાતના આલાવામાં કહ્યું છે કે – ચમરેન્દ્ર ઊર્ધ્વમાં પ્રથમ દેવલોક સુધી જવાની શક્તિવાળો નથી. આમ છતાં ત્રણનું શરણ લઈને સૌધર્મ દેવલોક સુધી તેનો ઉત્પાત સંભવે છે અને તે ત્રણના શરણમાં કહ્યું છે કે તીર્થંકરનું, તીર્થકરના ભાવગ્રામવાળા ચૈત્યનું શુદ્ધ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાયેલ જિનપ્રતિમાનું અને ભાવગ્રામવાળા મુનિનું=ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકની નિર્મળ પરિણતિવાળા મુનિનું, શરણ લઈને ચમરેન્દ્ર સૌધર્મ દેવલોક સુધી ઉત્પાત કરી શકે. તેથી એ ફલિત થાય કે ચૈત્ય શબ્દથી જો મુનિનું ગ્રહણ થતું હોય તો ત્રણના શરણના ગ્રહણમાં ચૈત્ય અને મુનિ બેનો સ્વતંત્ર ઉલ્લેખ થાય નહિ અને ત્રણના શરણમાં ચૈત્ય શબ્દનો મુનિથી સ્વતંત્ર ઉલ્લેખ છે તેથી મોક્ષના અર્થી જીવો ચૈત્યને જિનપ્રતિમા કહે છે. માટે જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સ્વીકારવું જોઈએ. II3/ષા અવતરણિકા : પ્રસ્તવ્યાકરણસૂત્ર નામના દશમા અંગમાં કેવા સાધુ ત્રીજા વ્રતની આરાધના કરે છે તેને બતાવવા માટેનો પાઠ છે. તેમાં કહેલ છે કે જે સાધુ દશનું વૈયાવચ્ચ કરે છે તે ત્રીજા વ્રતની આરાધના કરે છે અને તે દશ વસ્તુમાં ચૈત્યનું ગ્રહણ છે. હવે ચૈત્યનો અર્થ પ્રતિમા ગ્રહણ કરીએ તો પ્રતિમા પ્રત્યે આહારાદિ દાનથી વૈયાવચ્ચ થઈ શકે નહિ માટે ચૈત્ય શબ્દથી મુનિને ગ્રહણ કરવા જોઈએ એમ સ્થાનકવાસી કહે છે તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – ગાથા : દાન કિશું પ્રતિમા પ્રતિ'? એમ કહે કે છલ હેરી રે; ઉત્તર તાસ સંભવ તણી, શૈલી છે સૂત્ર કેરી રે. શાસન ૭ ગાથાર્થ - પ્રતિમા પ્રત્યે દાન કેવી રીતે હોય એમ સ્થાનકવાસી કહે છે, જે For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૭-૮ છલની હેરી છે શાસ્ત્રાર્થ કરવામાં સ્થાનકવાસીનો છલ છે, તેનો ઉત્તર એ છે કે સંભવ તણી સૂત્રની શૈલી છે. ll૩/૭ી ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કેવા સાધુ ત્રીજા મહાવ્રતની આરાધના કરે છે એ પ્રકારનો પ્રશ્ન કરીને કહ્યું છે કે જે સાધુ નિશ્રા-ઉપશ્રા વગર દશ પ્રકારની કે બહુ પ્રકારની અત્યંત બાલાદિની વૈયાવચ્ચ કરે છે તે ત્રીજા મહાવ્રતની આરાધના કરે છે એમ કહેલ છે. ત્યાં અત્યંત બાલાદિમાં ચૈત્યનું ગ્રહણ છે અને ચૈત્યનો અર્થ પ્રતિમા કરવામાં આવે તો સાધુ પ્રતિમા પ્રત્યે આહારાદિ દ્વારા દાન કઈ રીતે કરી શકે અર્થાત્ કરી શકે નહિ માટે ચૈત્ય પ્રત્યે દાનની સંગતિ અર્થે ચૈત્ય શબ્દથી પ્રતિમા લઈ શકાય નહિ પરંતુ મુનિનું જ ગ્રહણ કરવું જોઈએ એમ સ્થાનકવાસી કહે છે તે તેમનો છલ છે. ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપતાં કહે છે કે સૂત્રની સંભવ તણી આ શૈલી છે. તેથી જ્યાં આહારાદિથી દાન સંભવતું હોય ત્યાં આહારાદિથી દાન થાય છે અને પ્રતિમામાં પુષ્પપૂજા આદિથી જે ભક્તિ થાય છે તે શ્રાવકનું વૈયાવચ્ચ છે અને સાધુ સ્તવનારૂપ ભક્તિ કરે છે તે સાધુનું વૈયાવચ્ચ છે. તેથી પ્રતિમામાં તે રીતે જ વૈયાવચ્ચ ગ્રહણ કરવું જોઈએ. માટે આહારદાનમાં પ્રતિમા ન જોડતાં સૂત્રની સંભવને આશ્રયીને કહેનારી શૈલીનું અવલંબન લઈને તેનો અર્થ કરવો જોઈએ. પરંતુ ચૈત્યમાં દાન ઘટે નહિ માટે ચૈત્યથી પ્રતિમા ગ્રહણ થાય નહિ તેમ કહેવું ઉચિત નથી. 13/ળા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સૂત્રની શૈલી સંભવને આશ્રયીને છે તે કથનને જ સ્પષ્ટ કરે છે – ગાથા : દશવિધ બહુવિધ જિમ કહ્યું, વૈયાવચ્ચ જહ જોગે રે; દશમે તે અંગે તથા ઈહાં, જોડીએ નયઉપયોગે રે. શાસન ૮ ગાથાર્થ :જેમ તે દશમા અંગમાં પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દશમા અંગમાં, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા : ૮-૯ દશવિધ અને બહુવિધ વૈયાવચ્ચ જે પ્રમાણે યોગ થાય તે પ્રમાણે કરવાનું કહ્યું છે, તે પમાણે અહીંયાં=પ્રતિમામાં, નયઉપયોગ અનુસાર જોડવું. ||3/૮|| ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જે દશનું વૈયાવચ્ચ અપ્રમાદથી કરે છે તે ત્રીજા વ્રતનો આરાધક છે એમ કહ્યું ત્યાં, જેને જે રીતે વૈયાવચ્ચ સંભવે તે પ્રકારની ક૨વાની કહી છે. તેથી પ્રતિમામાં તેનું યોજન નય અનુસાર કરવું જોઈએ, અર્થાત્ પ્રતિમામાં જે દૃષ્ટિથી વૈયાવચ્ચ સંભવે તે નયદૃષ્ટિને ગ્રહણ કરીને વૈયાવચ્ચ સ્વીકારવું જોઈએ અને ભગવાનની સ્તવનારૂપ ભાવપૂજા સાધુ કરે છે તે પ્રતિમાની વૈયાવચ્ચ જ છે, તેથી પ્રતિમામાં આહારાદિથી સાધુ દાન કરી શકે નહીં. માટે પ્રતિમા શબ્દથી સાધુનું ગ્રહણ છે એમ જે સ્થાનકવાસી કહે છે તે ઉચિત નથી. II૩/૮ll અવતરણિકા : વળી દશમા અંગના વચનથી જિનપ્રતિમા પૂજ્ય નથી એમ જે કુમતિ કહે છે તે ઉચિત નથી, તે બતાવે છે ગાથા : ૫૧ - સાધુને જિનપ્રતિમા તણું, વૈયાવચ્ચ તિહાં બોલ્યું રે; તેહ અરથ થકી કુમતિનું, હિયડું કાંઈ ન ખોલ્યું રે. શાસન૦ ૯ ગાથાર્થ ઃ સાધુને જિનપ્રતિમા તણું વૈયાવચ્ચ કરવાનું તિહાં=દશમા અંગમાં= પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના અંગમાં કહ્યું છે, તે અર્થ થકી=તે વચન થકી, કુમતિનું હૈયું કાંઇ ખોલ્યું નથી=કંઈ વિચારક બન્યું નથી. ||3/૯|| ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્રમાં સાધુને જિનપ્રતિમાનું વૈયાવચ્ચ કરવાનું કહેલ છે તેના યથાર્થ અર્થને ગ્રહણ કર્યા વગર કુમતિ એવા સ્થાનકવાસી સ્વમતિ અનુસાર For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પર વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૩ | ગાથાઃ ૯-૧૦ જિનપ્રતિમાનો અર્થ સાધુ કરીને કહે છે તે વિષયમાં તેનું હૈયું કાંઈ ખૂલ્યું નથી અર્થાત્ યથાર્થ વિચારણા કરી શક્યો નથી. કેમ યથાર્થ વિચારણા કુમતિ કરી શકેલ નથી ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. Il૩/લા અવતરણિકા : સાધુને જિનપ્રતિમા તણું વૈયાવચ્ચ કઈ રીતે ઘટે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : સંઘ તણી જિમ થાપના, વૈયાવચ્ચ જસ વાદો રે; જાણીએ જિનપ્રતિમાતણું, તિમ ઈહાં કવણ વિવાદો રે? શાસન૦ ૧૦ ગાથાર્થ : જેમ સંઘ તણી સ્થાપના અને જસ=જેનો સંઘની સ્થાપનાનો, વાદ વૈયાવચ્ચ છે તેમ જિનપ્રતિમા તણું જાણિયે વૈયાવચ્ચ જાણવું. અહીં જિનપ્રતિમાના અને સંઘના વૈયાવચ્ચમાં કયાં વિવાદ છે ? Il3/૧૦|| ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જે દશની વૈયાવચ્ચ કરવાની કહી છે તેમાં સંઘનું પણ ગ્રહણ છે અને સાધુ સંઘની વૈયાવચ્ચ આહારાદિથી કરી શકે નહીં, કેમ કે સંઘ અંતર્ગત શ્રાવક-શ્રાવિકાનો પણ સમાવેશ છે. તેથી ભગવાને જે સંઘની સ્થાપના કરેલ છે તેના ગુણગાન સાધુ કરે તે સંઘની વૈયાવચ્ચ છે તેમ સાધુ જિનપ્રતિમાની સ્તવના કરે તે જિનપ્રતિમાની વૈયાવચ્ચ છે એમ સ્વીકારવામાં કાંઈ વિવાદ નથી. માટે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહેલા દશના વૈયાવચ્ચના સ્થાનમાં જિનપ્રતિમાથી સાધુનું ગ્રહણ કરીને પ્રતિમા અપૂજ્ય છે તેમ જે સ્થાનકવાસી કહે છે તે ઉચિત નથી. II3/૧૦માં For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૩ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથાઃ ૧૧-૧૨-૧૩ અવતરણિકા - અત્યાર સુધી=પ્રથમ ઢાળથી માંડીને અત્યારસુધી, પ્રતિમાને વંદન કરવા વિષયક જે કથન કર્યું તે બતાવીને હવે પ્રતિમાની પૂજાના વિચારરૂપ અન્ય કથનને કહેવાની પ્રતિજ્ઞા કરે છે – ગાથા : ઈમ સવિ શ્રાવક સાધુને, વંદનનો અધિકારો રે; સૂત્રે કહ્યો પ્રતિમાતણો, હવે કહું પૂજા-વિચારો રે. શાસન) ૧૧ ગાથાર્થ : ઈમ-અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સર્વ શ્રાવક અને સાધુને સૂત્રમાં પ્રતિમા તણો વંદનનો અધિકાર કહ્યો. હવે પૂજાના વિચારોનું પ્રતિમાની પૂજાના વિચારને હું કહું છું. Il૩/૧૧|| ગાથા : યાગ અનેક કર્યા કહ્યા, શ્રી સિદ્ધારથરાજે રે; તે જિનપૂજના કલ્પમાં, પશુના યાગ ન છાજે રે. શાસન. ૧૨ ગાથાર્થ : કલ્પમાં કલ્પસૂત્રમાંસિદ્ધાર્થરાજાએ અનેક યાગ કર્યા છે તેમ કહ્યું છે તે જિનપૂજના-જિનપ્રતિમાની પૂજારૂપ છે, પશુના યાગ ઘટે નહિ. Il3/૧૨ાા ભાવાર્થ : કલ્પસૂત્રમાં સિદ્ધાર્થરાજાએ અનેક યાગો કર્યા છેઃઅનેક યજ્ઞો કર્યા છે એમ કહ્યું છે અને તે યજ્ઞો જિનપૂજારૂપ છે; કેમ કે સિદ્ધાર્થરાજાએ પશુના યજ્ઞો કરાવ્યા છે તેમ કહેવું ઘટતું નથી. II3/1શા અવતરણિકા:કેમ ઘટતું નથી ? તે સ્વયં ગ્રંથકારશ્રી ગાથા-૧૩માં બતાવે છે - For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૧૩-૧૪ ગાથા : શ્રીજિન પાસને તીરથે, શ્રમણોપાસક તેહો રે; પ્રથમ અંગે કહ્યો તેહને, શ્રીજિનપૂજાનો નેહો રે. શાસન) ૧૩ ગાથાર્થ - પાર્શ્વનાથ જિનના તીર્થમાં તેહો સિદ્ધાર્થરાજા, શ્રમણોપાસક છે શ્રાવક છે, એ પ્રમાણે પ્રથમ અંગમાં કહ્યું છે. વળીતેહને સિદ્ધાર્થરાજાને, જિનપૂજાનો સ્નેહ છે. ll૩/૧ali ભાવાર્થ : સિદ્ધાર્થરાજા પાર્શ્વનાથ ભગવાનના તીર્થમાં શ્રાવક હતા તેમ આચારાંગસૂત્ર નામના પ્રથમ અંગમાં કહ્યું છે. તેથી શ્રાવક એવા સિદ્ધાર્થરાજાને જિનપૂજાનો સ્નેહ હતો માટે તેઓએ જે અનેક યાગો કર્યા છે એમ જે કલ્પસૂત્રમાં કહ્યું છે એ જિનપૂજારૂપ છે એમ માનવું જોઈએ પરંતુ પશુના યોગો કરાવ્યા છે તેમ સ્વીકારી શકાય નહિ. l૩/૧૩ll ગાથા : શ્રેણિક મહાબલ પ્રમુખના, ઈમ અધિકાર અનેકો રે; છટ્ટ અંગે વલી દ્રૌપદી, પૂજે પ્રગટ વિવેકો રે. શાસન૧૪ ગાથાર્થ - શ્રેણિક, મહાબલ વગેરેએ જિનપૂજા કરી છે એમ અનેકના અધિકારો છે શાસ્ત્રોમાં કથનો છે. વળી જ્ઞાતાધર્મકથાસૂત્ર નામના છઠ્ઠા અંગમાં દ્રોપદીએ જિનપૂજા કરી છે એ પ્રગટ વિવેક છે પ્રગટ કથન છે. Il૩/૧૪ll ભાવાર્થ : શ્રેણિક રાજા, મહાબલ રાજા વગેરેએ જિનપૂજા કરી છે. એ પ્રમાણેના ઘણા અધિકારો શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. વળી છઠ્ઠા અંગમાં દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી છે એમ પ્રગટ વર્ણન છે માટે જિનપ્રતિમા પૂજ્ય સ્વીકારવી જોઈએ. Il૩/૧૪TI For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ կի વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૧૫-૧૬ અવતરણિકા - અહીં સ્થાનકવાસી કહે છે કે દ્રોપદીએ પૂજા કરી છે તે વચન શાસ્ત્રમાં છે પરંતુ દ્રોપદીએ કરેલી પૂજા પ્રમાણ છે તેમ કહી શકાય નહિ. તેના નિરાકરણ માટે કહે છે – ગાથા - નારદ દેખીને નવિ થઈ, ઊભી તેહ સુજાણ રે; જાણીએ તેણે તે શ્રાવિકા, અક્ષર એક જ પ્રમાણ રે. શાસન) ૧૫ ગાથા : નારદ દેખીને તેહ સુજાણ સુજાણ એવી દ્રૌપદી, ઊભી થઈ નહિ, તેણેeતે કારણે, તે શ્રાવિકા જાણીએ દ્રોપદીને શ્રાવિકા જાણીએ, એહ જ અક્ષર પ્રમાણ છે નારદ દેખી ઊભી થઈ નહિ એ આગમમાં કહેલા અક્ષરો જ તેહને શ્રાવિકા સ્વીકારવામાં પ્રમાણ છે. Il3/૧૫ ભાવાર્થ : જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી છે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તે ઉલ્લેખને સ્વીકારીને સ્થાનકવાસી કહે છે કે દ્રૌપદીએ અવિવેકને કારણે જિનપ્રતિમા પૂજી છે, તેથી તેનો ઉલ્લેખ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય એટલા માત્રથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે અવિરતિધરનો વિનય ન કરાય એ પ્રકારના શ્રાવકના આચારના પરમાર્થને જાણનાર દ્રૌપદી હતી. તેથી અવિરતિવાળા એવા નારદ તેમને ત્યાં આવે છે ત્યારે તે ઊભી થઈ નહિ એ પ્રકારનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તેથી દ્રૌપદી શ્રાવિકા છે એમ જાણવું જોઈએ અને અવિરતિધરનો સત્કાર કરાય નહિ માટે દ્રૌપદી ઊભી થઈ નથી એ અક્ષર જ દ્રૌપદીને શ્રાવિકા સ્વીકારવા માટે પ્રમાણ છે. ll૩/૧પો. અવતરણિકા - દ્રૌપદીને શ્રાવિકા તરીકે સ્વીકારવા માટે અન્ય શાસ્ત્ર વચત બતાવે છે – For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩| ગાથા ઃ ૧૬-૧૭ ગાથા : આમ્બિલ અત્તર છટ્ટનું, ઉપસર્ગે તપ કીધું રે; કિમ નવિ કહિએ તે શ્રાવિકા? ધર્મે કારજ સીધું રે. શાસન) ૧૬ ગાથાર્થ : ઉપસર્ગમાં આયંબિલના અત્તરવાળો છઠ્ઠનો તપ દ્રોપદીએ કર્યો છે તેથી તે શ્રાવિકા કેમ ન કહીએ અર્થાત્ તે શ્રાવિકા છે; કેમ કે ધર્મ કરવાને કારણે તેનું કાર્ય સિદ્ધ થયું છે. ll૩/૧૬ll ભાવાર્થ : દ્રૌપદી નારદને જોઈને ઊભી ન થઈ તેથી દ્રોપદી પ્રત્યે રોષે ભરાયેલ નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નામની નગરીના પલ્મોત્તર રાજા પાસે તેના રૂપનું વર્ણન કર્યું અને દેવતાની સહાયથી પશ્નોત્તર રાજા દ્રૌપદીને પોતાના મહેલમાં લાવે છે. આ રીતે પોતાને થયેલા ઉપસર્ગમાં દ્રૌપદીએ આયંબિલના આંતરાથી છનો તપ કર્યો છે એ પ્રકારનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે માટે તે શ્રાવિકા નથી તેમ કેમ કહી શકાય ? કેમ કે શ્રાવિકા હતી આથી જ ધર્મના સેવનથી તેનું કાર્ય સિદ્ધ થયું છે અર્થાત્ ઉપસર્ગ ટળ્યો છે. ll૩/૧ાા. અવતરણિકા : હવે, દ્રોપદીને શ્રાવિકા નહિ સ્વીકારવા માટે સ્થાનકવાસી જે યુક્તિ આપે છે તે યુક્તિ બતાવીને ગ્રંથકારશ્રી સ્વયં તેનું નિરાકરણ કરે છે – ગાથા : રાયકન્યા કહી શ્રાવિકા, ન કહી ઈમ જે ભૂલે રે; રાજીમતી કહી તેહવી, તિહાં સદેહ તે ઝૂલે રે. શાસન) ૧૭ ગાથાર્થ : શાસ્ત્રમાં દ્રોપદીને રાજકન્યા કહી છે શ્રાવિકા કહી નથી એમ જેઓ સ્થાનકવાસી ભૂલે છે. કેમ ભૂલે છે ? એ કહે છે – For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૧૭-૧૮ રાજીમતીને તેહવી કહી છે રાજકન્યા કહી છે, તેમાં સંદેહથી તેઓ ઝૂલે છેઃરાજીમતીને શ્રાવિકા કેમ ન કહી અને રાજકન્યા કેમ કહી ત્યાં સંદેહથી સ્થાનકવાસી ઝૂલે છે. li૩/૧૭ ભાવાર્થ : રથાનકવાસીઓ કહે છે કે આગમમાં દ્રૌપદીને રાજકન્યા કહી છે, શ્રાવિકા કહી નથી. માટે દ્રૌપદીએ કરેલી ભગવાનની પૂજા શ્રાવકને કર્તવ્ય છે તેમ સ્થાપન કરી શકાય નહિ આમ કહીને સ્થાનકવાસીઓ ભૂલે છે. કેમ ભૂલે છે તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે. શાસ્ત્રમાં રાજીમતીને તેવી કહી છે અર્થાત્ રાજ કન્યા કહી છે. આમ છતાં રાજકન્યા એવી રાજીમતી શ્રાવિકા છે તેમ રાજકન્યા એવી દ્રૌપદીને શ્રાવિકા સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેથી રાજીમતીના રાજ કન્યાના વચનમાં સંદેહ પામતા એવા સ્થાનકવાસી ઝૂલે છે અર્થાત્ શાસ્ત્રમાં રાજીમતી શ્રાવિકા તરીકે પ્રસિદ્ધ છે તેથી સ્થાનકવાસીને પણ રાજીમતી શ્રાવિકારૂપે અભિમત છે આમછતાં કોઈક શાસ્ત્રમાં રાજીમતીને રાજ કન્યા કહેનારા વચનની પ્રાપ્તિ થઈ તે વાંચીને સ્થાનકવાસીને સંદેહ થાય છે કે રાજીમતીને શ્રાવિકા કહેવાને બદલે આગમમાં રાજકન્યા કેમ કહી છે એ પ્રકારના વિકલ્પમાં તેઓ ઝૂલે છે અર્થાત્ મૂંઝાય છે. વસ્તુત: રાજકન્યા એવી દ્રૌપદી શ્રાવિકા છે માટે તેણે જિનપ્રતિમાની પૂજા કરી છે તેમ શ્રાવકે જિનપ્રતિમાની પૂજા કરવી જોઇએ. ll૩/૧ળા અવતરણિકા - દ્રોપદીએ જિનપ્રતિમાની પૂજા કરી છે તે લગ્ન પહેલાં કરેલી છે અને દ્રૌપદીને લગ્ન પછી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે માટે દ્રોપદીની પ્રતિમાની પૂજા શ્રાવકને કર્તવ્ય સિદ્ધ થાય નહિ એમ સ્થાનકવાસી કહે છે તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરે છે – ગાથા : હરિ હરિ કર્મ નિયાણનું, ઈહ ભવે ભોગ ન નાસે રે; સમકિત લહે પરણ્યા પછી, કહે તે શું ન વિમાસે રે? શાસન) ૧૮ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩| ગાથા : ૧૮-૧૯ ગાથાર્થ : હરિ પરિકૃષ્ણની જેમ, દ્રોપદીને નિયાણાનું કર્મ છે, તેથી આ ભવમાં ભોગ નાશ પામતા નથી અર્થાત્ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી, અને દ્રોપદીને પરણ્યા પછી સમકિત પ્રાપ્ત થયું છે એમ સ્થાનકવાસી કહે છે તેઓ શું ન વિમાસે આગળમાં ગ્રંથકારશ્રી કહે છે તે શું વિચારતા નથી ? Il3/૧૮II ભાવાર્થ : સ્થાનકવાસી કહે છે કે કૃષ્ણ મહારાજાએ પૂર્વભવમાં નિયાણું કરેલું હતું તેથી ક્ષાયિકસમ્યકત્વ પામ્યા છતા આ ભવમાં ભોગ નાશ પામ્યા નહિ અર્થાત્ અવિરતિનો ઉદય હતો તે ગયો નહિ અને વિરતિની પ્રાપ્તિ થઈ નહિ. તેમ દ્રૌપદીએ પણ પૂર્વભવમાં નિયાણું કરેલું તેથી આ ભવમાં વિરતિની પ્રાપ્તિ થઈ નહિ અને પરણ્યા પછી સમકિતને પામી છે માટે પરણ્યા પહેલાં દ્રૌપદીએ જે જિનપ્રતિમાની પૂજા કરી છે તેના બળથી જિનપ્રતિમા પૂજનીય સિદ્ધ થાય નહિ; કેમ કે દ્રૌપદીએ મિથ્યાત્વ અવસ્થામાં જિનપ્રતિમાની પૂજા કરી છે. આના જવાબમાં ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે કહેતા સ્થાનકવાસી શું વિચારતા નથી ? હવે તે શું વિચારતા નથી તે ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં કહે છે. I૩/૧૮ ગાથા : જિણઘર કેણે કરાવિયું ? તિહાં પ્રતિમા ને પઈડ્રા રે; તેહની પૂજા તે કુણ કરે? એમ પર તે ગરિટ્ટા રે. શાસન. ૧૯ ગાથાર્થ : જિનઘર કોણ કરાવે શ્રાવક સિવાય જિનાલય કોણ કરાવે, ત્યાં જિનાલયમાં, પ્રતિમાની પ્રતિષ્ઠા કોણ કરાવે શ્રાવક સિવાય અન્ય કોણ પ્રતિષ્ઠા કરાવે, તેની પૂજા-જિનપ્રતિમાની પૂજા, તે કોણ કરે શ્રાવક સિવાય અન્ય કોણ કરે, એમ પરખે તે ગરિષ્ઠ છે શ્રેષ્ઠ બુદ્ધિવાળા છે. Il૩/૧૯II For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા ૧૯-૨૦ ભાવાર્થ : પૂર્વગાથામાં સ્થાનકવાસીએ કહ્યું કે દ્રૌપદી પરણ્યા પછી સમકિત પામી છે તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે સ્થાનકવાસી શું વિચારતા નથી ? અર્થાત્ તેઓએ વિચારવું જોઈએ. હવે, શું વિચારવું જોઈએ તે વિચાર સ્પષ્ટ કરે છે – ભગવાનનું જિનાલય શ્રાવક સિવાય કોણ કરાવે ? અર્થાત્ જે શ્રાવક હોય તેને જ વીતરાગ સર્વજ્ઞ પૂજ્ય દેખાય છે, તેથી તે જ તેમની ભક્તિ અર્થે જિનાલય કરે. જેને જૈન ધર્મનો પરિચય નથી તે તો ભોગવિલાસની પ્રવૃત્તિ કરે અથવા તો મિથ્યા દેવ-દેવીઓનાં મંદિર કરે પરંતુ જિનાલય કરાવે નહિ. વળી, જિનાલય કર્યા પછી જિનપ્રતિમામાં વીતરાગાદિ ભાવોનું આરોપણ કરીને જિનાલયમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રાવક સિવાય અન્ય કોણ કરે ? અર્થાત્ કોઈ કરે નહિ; કેમ કે જેને જિનની ઓળખ નથી તેવા મિથ્યાદૃષ્ટિ તો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરે પરંતુ અન્ય મિથ્યાદૃષ્ટિ દેવોની પ્રતિમાની પ્રતિષ્ઠા કરે. વળી, જિનને જિનરૂપે ઓળખીને જિનની પ્રતિમાની પૂજા કોણ કરે ? અર્થાત્ શ્રાવક કરે. અન્ય તો જિનને ઉપાસ્ય સ્વીકારતા નથી. તેથી તેઓ જિનની પૂજા કઈ રીતે કરે ? આ પ્રમાણે માર્ગાનુસારી બુદ્ધિથી જે પરખ કરે તે ગરિષ્ઠ બુદ્ધિવાળા કહેવાય અને તેમ વિચારે તો પરણ્યા પહેલાં જિનપ્રતિમાની પૂજા કરનાર દ્રૌપદી મિથ્યાષ્ટિ છે તેમ કહી શકાય નહીં, પરંતુ જિનને જિન તરીકે જાણીને ભગવાનની પૂજા કરતી હતી. તેથી દ્રૌપદી શ્રાવિકા હતી માટે ભગવાનની પૂજા પરણ્યા પહેલાં પણ કરતી હતી તેમ જ માનવું જોઈએ. તેથી દ્રૌપદી પરણ્યા પહેલાં મિથ્યાષ્ટિ હતી તેમ કહીને પ્રતિમાને અપૂજ્ય સ્થાપન કરવાનું સાહસ સ્થાનકવાસીઓ કરી શકે નહિ. Il૩/૧ અવતરણિકા : વળી દ્રૌપદી પરણ્યા પૂર્વે શ્રાવિકા છે તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : વર નવિ માગ્યો પૂજતાં, શકસ્તવે શિવ માગે રે; ભક્તિ સમી સૂરિયાભને, વિરતિ વિશેષથી જાગે રે. શાસન ૨૦ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Go વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩| ગાથા : ૨૦-૨૧ ગાથાર્થ : પૂજતાં જિનપ્રતિમાને પૂજતાં, દ્રોપદીએ વર માગ્યો નથી, પરંતુ શકસ્તવ ક્ય છે તેનાથી શિવ માગે છે મોક્ષ માગે છે. વળી, દ્રોપદીને વિરતિવિશેષથી સૂર્યાભની જેવી ભક્તિ જાગે છે. ll૩/૨૦II ભાવાર્થ - દ્રૌપદીએ લગ્ન પહેલાં જિનપ્રતિમાની પૂજા કરીને મને સુંદર વર મળો તેમ માંગ્યું નથી પરંતુ પ્રતિમા આગળ શકસ્તવ કરેલ છે અને શક્રસ્તવમાં ભગવાન તરેલા છે અને તારનારા છે તે બતાવવા માટે “તિન્નાઇ તારયા” શબ્દ છે અને તેના દ્વારા દ્રૌપદીએ ભગવાન પાસે તરવાની માંગણી કરી છે, માટે દ્રૌપદી પરણ્યા પહેલાં મિથ્યાષ્ટિ છે તેમ કહી શકાય નહિ. વળી જેમ સૂર્યાભદેવને ભગવાનની ભક્તિ વિશેષ છે તેમ દ્રૌપદીને પણ ભક્તિ વિશેષ છે એટલું જ નહિ પણ વિરતિ વિશેષથી દેશવિરતિથી દ્રૌપદીને ભગવાન પ્રત્યે ભક્તિ વિશેષ જાગી છે માટે દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી છે તેના પાઠના બળથી જિનપ્રતિમાને પૂજનીય સ્વીકારવી જોઈએ. Il૩/૨૦થી અવતરણિકા : વળી, લોકોપચાર વિનયથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ બતાવતા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : ધર્મ વિનય અરિહન્તનો, ઈમ એ લોગવિયારો રે; સંભવે સર્વને જાણિએ, સમકિત શુદ્ધ આચારો રે. શાસન ૨૧ ગાથાર્થ : અરિહંતનો વિનય કરવો ધર્મ છે. ઈમ-એ રીતે, એજિનપ્રતિમાની પૂજા કરવી એ, લોકોપચાર વિનય છે, સંભવે સર્વને જાણીએ જ્યાં જે વિનય સંભવે તે સર્વને કર્તવ્યરૂપે જાણીએ, એ સમકિતનો શુદ્ધ આચાર છે. II3/૨૧II. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા ઃ ૨૧-૨૨ ૬૧ ભાવાર્થ : અરિહંતનો વિનય કરવો એ ધર્મ છે; કેમ કે અરિહંત ભગવંતોએ સન્માર્ગ બતાવીને લોકો ઉપર ઘણો ઉપકાર કર્યો છે અને પોતે તે સન્માર્ગને સેવીને વીતરાગ સર્વજ્ઞ બન્યા છે તેથી તેમની ભક્તિ કરવારૂપ વિનયથી આત્મામાં ધર્મ પ્રગટે છે. વળી, જ્યારે આવા ઉત્તમ પુરુષારૂપ અરિહંતોનો વિરહ વર્તતો હોય ત્યારે અરિહંતનો વિનય જિનપ્રતિમાની પૂજા કર્યા સિવાય કઇ રીતે થાય અર્થાત્ થઈ શકે નહિ. આ રીતે તીર્થંકરના વિરહમાં તીર્થકરની પ્રતિમાની પૂજા કરીને જે વિનય કરવામાં આવે છે તે લોકોપચાર વિન રૂપ છે=લોકમાં કરાતા એવા ઉપચાર વિનયરૂપ છે, અને સાક્ષાત્ તીર્થકર વિહરતા હોય ત્યારે તેઓના સન્મુખ ભક્તિ કરવારૂપ લોકોપચારરૂપ વિનય સંભવે છે. તીર્થકરના વિરહમાં પ્રતિમાની ભક્તિ કર્યા સિવાય લોકોપચારવિનય સંભવતો નથી. તેથી સંભવતા સર્વ વિનયને જાણીને ઉચિત વિનય કરવો એ સમકિતનો શુદ્ધ આચાર છે. Il૩/ર૧|| અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સંભવતા સર્વને જાણીને તેનો સ્વીકાર કરવો જોઈએ તે સમકિતનો શુદ્ધ આચાર છે. તેને જ દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : આણદનો વિધિ નહિ કહ્યો, રાયપ્રદેશીને પાઠે રે; સંભવ સર્વ ન માનસ્ય, વીંટાસ્ય તેહ આઠે રે. શાસન૨૨ ગાથાર્થ : આનંદશ્રાવકનો વિધિ-આનંદશ્રાવકે વ્રત ગ્રહણ કર્યા તેનું વિધાન ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં છે અને રાયપ્રદેશના પાઠમાં રાયપણેણીસૂત્રમાં પ્રદેશ રાજાના પાઠમાં, નહિ કહ્યો પ્રદેશી રાજાએ વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેવું કથન નથી કર્યું તોપણ, સંભવ સર્વ ન માનશે-પ્રદેશી રાજાએ વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેવો સંભવ છે છતાં પાઠમાં નથી માટે ન માનશે, તે આઠે કર્મથી વીંટાશે. ll૩/૨૨ll For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉર વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળઃ ૩| ગાથા : ૨૨-૨૩ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તોપણ સંભવ સર્વને માનીને તે પ્રમાણે અરિહંતનો લોકોપચાર વિનય ધર્મ છે તેમ સ્વીકારવું એ સમકિતનો શુદ્ધ આચાર છે તેમાં યુક્તિ આપે છે. ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમાં અંગમાં આનંદશ્રાવકે વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેનું વિધાન મળે છે અને જેમ આનંદશ્રાવક શ્રાવકનાં વ્રતો પાળનારા હતા તેમ પ્રદેશ રાજા પણ ધર્મ પામ્યા પછી શ્રાવકનાં વ્રતો પાળનારા હતા. આમ છતાં પ્રદેશ રાજાના પાઠમાં તેને વ્રત ઉચ્ચરાવવાની વિધિ કહી નથી. હવે, પ્રદેશ રાજાએ વ્રત ઉચ્ચરાવ્યાં છે તેવો સંભવ છે છતાં તેમના વક્તવ્યમાં તેવું કથન નહિ હોવાથી પ્રદેશ રાજાએ વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેવું જેઓ માનશે નહિ તેઓ શ્રુતના યથાર્થ તાત્પર્યને ગ્રહણ કરવાનું છોડીને વિપરીત અર્થ કરનારા હોવાથી આઠ કર્મોથી વીંટાશેઃઘણાં કર્મો બાંધશે. ll૩/૨સા અવતરણિકા - ગાથા-૨૧માં કહેલ કે અરિહંતનો વિનય કરવો તે ધર્મ છે અને અરિહંતોનો વિરહ કાળ હોય ત્યારે અરિહંત ભગવંતનો વિનય તેમની પ્રતિમાની ભક્તિથી થઈ શકે છે. તેથી સંભવ એવા સર્વને જાણીને તેનો સ્વીકાર કરવો જોઈએ તેની જ પુષ્ટિ કરવા અર્થે કહે છે – ગાથા : પડિકમણાદિક ક્રમ નહીં, પાઠ સપ્તમ અંગે રે; પઢમઅણુઓગથી પ્રકરણે, સર્વ કહ્યું વિધિ રંગે રે. શાસન. ૨૩ ગાથાર્થ : સાતમા ઉપાસકદશાંગસૂત્ર નામના અંગમાં પ્રતિક્રમણાદિના ક્રમનો પાઠ નથી અને પ્રથમ અનુયોગથી પ્રકરણમાં પ્રતિક્રમણાદિ ક્રમ સર્વ વિધિ રંગે કહ્યો, તેથી સાતમા અંગમાં પણ તેનો સંભવ હોવાથી સ્વીકારવું જોઈએ. Il3/૨૩|| For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા ૨૩-૨૪ ૬૩ ભાવાર્થ : સાતમા અંગમાં પ્રતિક્રમણાદિનું કોઈક સ્થાને વક્તવ્ય હશે આમછતાં તેનો ક્રમ કહ્યો નથી, પરંતુ દૃષ્ટિવાદના ચોથા ભેદના પ્રથમ ભેટ સ્વરૂપ પ્રથમ અનુયોગમાંથી ઉદ્ધત એવા પ્રકરણમાં પ્રતિક્રમણાદિનો સર્વ વિધિ કહ્યો છે. તેથી અર્થથી સાતમા અંગના પાઠમાં તેનો સંભવ હોવાને કારણે ત્યાં પણ પ્રતિક્રમણાદિ ક્રમનું ગ્રહણ કરવું જોઈએ. આનાથી એ ફલિત થાય કે સાતમા અંગમાં પ્રતિક્રમણાદિનો ક્રમ નહિ હોવા છતાં સંભવ હોવાથી પ્રતિક્રમણાદિના ક્રમને ગ્રહણ કરવો ઉચિત છે. તેમ ગાથા એકવીસમાં કહ્યું તે પ્રમાણે અરિહંતના વિરહકાળમાં જિનપ્રતિમાને પૂજન કરવાથી અરિહંતનો વિનય સંભવે છે, માટે જિનપ્રતિમાને પૂજીને વિનય કરવો જોઈએ તેમ સ્વીકારવું એ સમ્યકત્વનો શુદ્ધ આચાર છે. ll૩/૨all અવતરણિકા : કોઈને પ્રશ્ન થાય કે જેમ આનંદશ્રાવકના કથનમાં વ્રતની વિધિ કહી તેમ પ્રદેશ રાજાએ પણ વ્રતો ઉચ્ચરાવ્યાં હોય તો તેનું વિધાન કેમ ન કર્યું? તેથી કહે છે – ગાથા : કિહાં એક એક દેશ જ ગ્રહે, કિહાં એક ગ્રહે તે અશેષો રે; | કિહાં એક ક્રમ ઉત્ક્રમ ગ્રહે, એ શ્રુતશૈલી વિશેષો રે. શાસન૨૪ ગાથાર્થ :-- | કિંહા આગમમાં કોઈક સ્થાને, એક એક વક્તવ્યનો એક દેશ જ ગ્રહણ કરે, કિંતા એકના ગ્રહણમાંએક વક્તવ્યના ગ્રહણમાં, તે અશેષોને તે વક્તવ્યના અશેષ દેશોને બધા દેશોને, ગ્રહણ કરે. કિહાંકઆગમમાં કોઈક સ્થાને, એક–એક વક્તવ્યના સર્વ દેશોને, ક્રમ ક્રમથી કહે, તો કોઈક સ્થાને ઉત્ક્રમથી ગ્રહે આડા-અવળા ક્રમથી ગ્રહણ કરે, એ શ્રુતની શૈલી વિશેષ છેઆગમની આ પ્રકારના વર્ણનની પદ્ધતિ વિશેષ છે. ll૩/૨૪ll. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૩ | ગાથા : ૨૪-૨૫ ભાવાર્થ - આગમમાં પદાર્થોના નિરૂપણ કરવાની અનેક શૈલી છે. તેથી આગમમાં કોઈક સ્થાને એક વક્તવ્યમાં તે વક્તવ્યના એક દેશનું કથન હોય પણ સર્વ દેશોનું કથન ન હોય. વળી આગમમાં કોઈક સ્થાનોમાં એક વક્તવ્ય હોય ત્યારે તેના સર્વ દેશોનું વક્તવ્ય ઉપલબ્ધ થાય છે. આથી જ પ્રદેશ રાજાના વક્તવ્યમાં વ્રતગ્રહણની વિધિરૂપ દેશ કહેલ નથી અને આનંદશ્રાવકના વક્તવ્યમાં તે વિધિ કહેલ છે. વળી આગમમાં કોઈક સ્થાને એક વક્તવ્ય હોય, તેના સર્વ દેશોનું વક્તવ્ય ક્રમસર પ્રાપ્ત થાય છે તો વળી કોઈક ઠેકાણે તે સર્વ વક્તવ્ય ઉત્ક્રમથી પ્રાપ્ત થાય છે=આડાઅવળા ક્રમથી પ્રાપ્ત થાય છે. જેમ પૂજાની વિધિનું વક્તવ્ય કોઈક સ્થાને જે ક્રમથી પૂજા કરવાની છે તે ક્રમને છોડીને આડા-અવળા ક્રમથી પણ ઉપલબ્ધ થાય છે. કલ્પસૂત્રમાં ભગવાનનાં ચરિત્રોનું વર્ણન ઉત્કમથી છે તે દૃષ્ટાંત પણ આપી શકાય. આમ અનેક રીતે વર્ણન કરવાની શ્રુતની વિશેષ શૈલી છે માટે જે સ્થાનમાં જેનો સંભવ હોય તે સર્વને માનવું જોઈએ અને જે તેમ ન માને તે આઠે કર્મોથી વીંટાશે એમ ગાથા બાવીસ સાથે સંબંધ છે. ll૩/૨૪ અવતરણિકા :વળી જિનપ્રતિમાની પૂજા કર્તવ્ય છે, તે યુક્તિથી બતાવે છે – ગાથા : શાસનની જે પ્રભાવના, તે સમકિતનો આચારો રે; શ્રીજિનપૂજાએ જે કરે, તે લહે સુજશ ભંડારો રે. શાસન, ૨પ ગાથાર્થ : શાસનની જે પ્રભાવના છે તે સમકિતનો આધાર છે. જિનપૂજાએ જે કરે=શાસનની પ્રભાવના જે કરે, તે સુજશના ભંડારને પ્રાપ્ત કરે. Il3/૫] ભાવાર્થ - સમ્યત્વ એ તત્ત્વના શ્રદ્ધાનરૂપ છે અને તત્ત્વ સર્વ કર્મ રહિત આત્માનું For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ GU વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા ઃ ૨૫ પારમાર્થિક સ્વરૂપ છે. તે પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયો પણ તત્ત્વ છે. તેથી જે જીવોને તત્ત્વ શ્રદ્ધાનરૂપ સમ્યત્વ પ્રગટ થયું હોય તે જીવો સમ્યકત્વની શુદ્ધિના ઉચિત આચારોનું પાલન કરે છે. એનાથી ભગવાનના શાસનની પ્રભાવના થાય તે સમકિતનો આચાર છે. તેથી જે જીવો મહાવભવથી વિવેકપૂર્વક જિનપૂજા કરે છે તે જિનપૂજાના નિમિત્તને પામીને ઘણા યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે તેથી જિનપૂજાથી શાસનની પ્રભાવના થાય છે. અને જેઓ આ રીતે સમ્યકત્વના આચારરૂપે જિનપૂજા કરીને શાસનપ્રભાવના કરે છે તેઓ સદ્ગતિની પરંપરારૂપ સુયશના ભંડારને પ્રાપ્ત કરે છે. આ રીતે શાસનપ્રભાવનાના અંગભૂત જિનપ્રતિમાની પૂજા અવશ્ય સ્વીકારવી જોઈએ. ll૩/૨પા. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૧ (રાગ - ઝાંઝરીયા મુનિવર ! ધન ધન તુમ અવતાર – એ દેશી) ગાથા : કોઈ કહે જિન પૂજતાંજી જે ષકાય આરંભ; તે કિમ શ્રાવક આચરેજી? સમકિતમાં થિરથંભ; સુખદાયક તોરી આણા મુજ સુપ્રમાણ. ટેક ૧ ગાથાર્થ : કોઈ કહે=સ્થાનકવાસી કહે, જિનની પૂજા કરતાં જે પટકાયનો આરંભ છે, તે આરંભ સમકિતમાં સ્થિરતંભ એવા શ્રાવક કેમ આયરે ? અર્થાત્ ન આચરે. સુખદાયક તમારી આજ્ઞા મને સુપ્રમાણ છે. ll૪/૧II. ભાવાર્થ - સ્થૂલદષ્ટિથી પદાર્થને જોનારા કેટલાક કહે છે કે ભગવાનની પૂજા કરતાં પાય જીવોનો આરંભ દેખાય છે અર્થાત્ પુષ્પાદિ અને જલાદિ જીવોનો જેમ આરંભ છે તેમ દીપકાદિ પૂજામાં અગ્નિકાયનો આરંભ છે અને અગ્નિકાયનો આરંભ હોય ત્યાં પકાયનો આરંભ હોય. વળી જિનાલય નિર્માણ કરતી વખતે ત્રસાદિ જીવોની પણ વિરાધના થાય છે માટે જિનપ્રતિમાની પૂજા કરવામાં પકાયનો આરંભ છે અને સમ્યકત્વમાં સ્થિર પરિણામવાળા એવા શ્રાવકો તો ષકાયના આરંભ વગરના સંયમજીવનના અત્યંત અર્થી હોય છે. તેથી ધર્મબુદ્ધિથી તો જે પ્રવૃત્તિમાં ષસ્કાયના આરંભનો પરિહાર થતો હોય તેવી જ પ્રવૃત્તિ શ્રાવક કરે માટે પકાયના આરંભવાળી પૂજાની પ્રવૃત્તિ શ્રાવક કેમ આચરે અર્થાત્ આચરે નહિ. આ પ્રકારનું કોઈકનું કથન બતાવીને ગ્રંથકારશ્રી કહે છે કે હે ભગવંત ! સુખદાયક એવી જે તમારી આજ્ઞા છે તે જ મને સુપ્રમાણ છે, અન્ય કોઈનાં વચન પ્રમાણ નથી. II૪/૧ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૭ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૪ | ગાથા : ૨ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જિનપૂજામાં પકાયનો આરંભ છે માટે શ્રાવક જિનપૂજા કઈ રીતે કરે ? એમ કોઈ કહે છે તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે ગાથા : તેહને કહીએ જતના ભક્તિ, કિરિયામાં નહીં દોષ; પડિકમણે મુનિદાન વિહારે, નહીં તો હોય તસ પોષ. સુખ૦ ૨ ગાથાર્થ : તેહને કહીએ=પૂર્વગાથામાં કોઈકે કહ્યું તેમને કહીએ, ક્રિયામાં ભગવાનની પૂજાની ક્રિયામાં, યતના અને ભક્તિ હોય તો દોષ નહિ ષટ્યાયના આરંભનો દોષ નથી. નહીં તોયતના અને ભક્તિપૂર્વકની પૂજામાં ષકાયનો આરંભ નથી એમ સ્વીકારવામાં ન આવે તો, પ્રતિક્રમણમાં, મુનિને અપાતા દાનમાં અને વિહારમાં સાધુના વિહારમાં, તેનો પોષ છેeષકાયના આરંભનું પોષણ છે. ll૪/રચા ભાવાર્થ : કેટલાક સ્થાનકવાસી કહે છે કે ભગવાનની પૂજામાં પકાયનો આરંભ છે માટે ધર્મમાં આરંભના પરિણામના પરિવારવાળા એવા સમ્યગ્દષ્ટિ શ્રાવકો કઇ રીતે પૂજા કરે ? તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાનની ભક્તિમાં અનુપયોગી હોય એવી હિંસાના પરિવાર માટેની યાતનાથી અને ભગવાન પ્રત્યેના ભક્તિના પરિણામથી, જે શ્રાવક પૂજાની ક્રિયા કરે છે તે પૂજાની ક્રિયામાં પકાયના આરંભથી જન્ય એવા કર્મબંધરૂપ કોઈ દોષની પ્રાપ્તિ નથી. ભગવાનની પૂજામાં પકાયના આરંભરૂપ દોષ નથી તેમ ન સ્વીકારવામાં આવે તો શ્રાવકો કે સાધુ પ્રતિક્રમણ કરે છે તે પ્રતિક્રમણની ક્રિયામાં પણ હાથપગ હલાવવાની ચેષ્ટાથી વાયુકાયની હિંસા થાય છે તેથી પ્રતિક્રમણની ક્રિયામાં પણ હિંસારૂપ આરંભ સ્વીકારવો પડે. વળી શ્રાવકો મુનિને દાન કરે છે તે દાનની ક્રિયાથી પણ વાયુકાયની હિંસા થાય છે તેથી For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૨-૩ દાનની ક્રિયામાં પણ હિંસા માનવી પડે. વળી સાધુ વિહાર કરે છે તેમાં પણ વાયુકાયની હિંસા થાય છે તેથી તેમાં પણ હિંસા માનવી પડે. હવે, જો એમ કહેવામાં આવે કે યતનાપૂર્વક પ્રતિક્રમણમાં, મુનિને દાન આપવામાં કે વિહારમાં હિંસાનો દોષ નથી તો યતનાપૂર્વક ભગવાનની ભક્તિમાં પણ પકાયના આરંભનો દોષ નથી. અહીં વિશેષ એ છે કે કોઈ શ્રાવક કે સાધુ શક્ય ઉચિત યતના વગર પ્રતિક્રમણની ક્રિયા કરતા હોય અને પ્રતિક્રમણના ક્રિયાકાળમાં ચૈત્યવંદનાદિ ક્રિયાથી શુભભાવ થતો હોય તો ભક્તિનો પરિણામ છે પણ યતનાનો પરિણામ નથી. તેથી યતનાના અભાવને કારણે ત્યાં હિંસાની પ્રાપ્તિ છે અને ભક્તિના પરિણામને કારણે ત્યાં ધર્મની પ્રાપ્તિ છે. વળી જેઓને પ્રતિક્રમણની ક્રિયામાં યતના પણ નથી અને સૂત્રોના શ્રવણકાળમાં કોઈ શુભભાવ પણ થતો નથી તેઓને યતના અને ભક્તિ બન્નેનો અભાવ હોવાને કારણે પ્રતિક્રમણની ક્રિયાથી થતી હિંસાથી કેવલ કર્મબંધની પ્રાપ્તિ છે. પણ જેઓ સર્વ ઉચિત યતનાપૂર્વક પ્રતિક્રમણની ક્રિયાઓ કરે છે ત્યાં જે દેહની ક્રિયાથી વાયુકાયની હિંસા થાય છે તે અશકયપરિહારરૂપ છે. તેથી યતનાકૃત અને ક્રિયાકૃત શુભભાવ હોવાને કારણે તે ક્રિયાથી હિંસાને અનુકૂળ લેશ પણ કર્મબંધ નથી. તેમ જે શ્રાવકો યતનાપૂર્વક ભગવાનની ભક્તિના પરિણામથી પૂજા કરે છે તે પૂજામાં લેશ પણ હિંસાકૃત કર્મબંધ નથી. I૪/ચા. અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે યતનાપૂર્વક અને ભક્તિપૂર્વક કરાતી જિનપૂજાની ક્રિયામાં પટકાયના આરંભકૃત કર્મબંધ નથી. તેની પુષ્ટિ કરવા અર્થે દાંત આપી કહે છે – ગાથા : સાહમીવચ્છલ પખિયપોસહ, ભગવાઈ અંગ પ્રસિદ્ધ; ઘર નિર્વાહ ચરણ લિએ તેહનાં, જ્ઞાતામાંહિ હરિ કીધ, સુખ૦ ૩ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૩ ૬૯ ગાથાર્થ - સાધર્મિવાત્સલ્ય, ભગવતીચંગમાં પ્રસિદ્ધ એવા પખીના પૌષધ અને ચરણ લિયે ચારિત્ર ગ્રહણ કરે, તેહના ઘરનો નિર્વાહ હરિએ કૃષ્ણ વાસુદેવે, કર્યો એ જ્ઞાતામાંહિ=જ્ઞાતાધર્મકથામાં, પ્રસિદ્ધ છે. તે કઈ રીતે સંગત થાય ? અર્થાત્ જિનપૂજામાં આરંભ સ્વીકારીએ તો સંગત થાય નહિ. ll/3ll ભાવાર્થ : સાધર્મિકવાત્સલ્યમાં પકાયનો આરંભ છે છતાં સાધર્મિક પ્રત્યેના બહુમાનપૂર્વક અને સાધર્મિક ભક્તિમાં અનુપયોગી એવી હિંસાના પરિવાર માટેની યતનાપૂર્વક જે સાધર્મિક ભક્તિ થાય છે તેમાં લેશ પણ કર્મબંધ નથી તેમ જિનપૂજામાં કર્મબંધ નથી. વળી ભગવતીસૂત્ર અંગમાં પમ્પીના પૌષધ કરવા વિષયક શંખશ્રાવકનું વક્તવ્ય આવે છે અને તે શ્રમણોપાસક કહે છે કે “અમે વિપુલ અસણ-પાણ વગેરેનું ભોજન કરીને પખીના દિવસે અવ્યાપારરૂપ પૌષધ કરીને પ્રતિ જાગરણ કરતાં વિચરીશું” તે કથનમાં પષધ કરવા અર્થે જે પૌષધના આગલા દિવસે વિપુલ અસણાદિ વાપર્યું છે તે પૌષધમાં અપ્રમાદની વૃદ્ધિના આશયથી કરાયું છે તેથી એ દોષરૂપ નથી. તેમ ભગવાન પ્રત્યે ભક્તિની વૃદ્ધિના આશયથી જે પુષ્પાદિનો આરંભ થાય છે તે દોષરૂપ નથી. વળી જ્ઞાતાધર્મકથાસૂત્રમાં થાવચ્ચાશેઠાણીના પુત્ર થાવચ્ચપુત્ર દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ મહારાજાએ દ્વારિકાનગરીમાં જાહેરાત કરાવેલ કે “જે કોઈ ચારિત્ર લેશે તેના ઘરનો નિર્વાહ કૃષ્ણ કરશે”, અને તે પ્રમાણે જેઓએ દીક્ષા ગ્રહણ કરી તેઓના ઘરનો નિર્વાહ કૃષ્ણએ કર્યો. તે ઘરના નિર્વાહમાં કૃષ્ણથી જે આરંભ-સમારંભ થયો તેમાં હિંસા નથી પરંતુ દીક્ષા ગ્રહણ કરનારના ચારિત્રના અનુમોદનનો પરિણામ છે. તેમ ભગવાનની પૂજામાં આરંભ-સમારંભ નથી પરંતુ ભગવાનની ભક્તિનો પરિણામ છે. માટે ભગવાનની પૂજામાં થતા આરંભમાં દોષ નથી એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ll૪/ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪/ ગાથા: ૪-૫ અવતરણિકા : વળી અન્ય રીતે પણ જિનપૂજાની ક્રિયામાં ષકાયના આરંભકૃત દોષ નથી એ બતાવવા અર્થે કહે છે – ગાથા : ફૂણિક રાય ઉદાયન કીધા, વંદનમહ સુવિવેક; હાયાકયલલિકમ્મા કહિયા, તુંગીયશ્રાદ્ધ અનેક. સુખ૦ ૪ ગાથાર્થ : કોણિકરાજા અને ઉદાયનરાજાએ સુવિવેકપૂર્વક વંદનમહોત્સવ કર્યા અર્થાત્ વીર ભગવાનના આગમન વખતે સામૈયું કર્યું, હાયાકયબલિકમ્મા-સ્નાનપૂર્વક કર્યું છે બલિકર્મ જેણે સ્નાનપૂર્વક કર્યું છે પૂજાકર્મ જેણે, એવા તંગીયાનગરીના અનેક શ્રાવકો કહ્યા છે. ll૪/૪ ભાવાર્થ : કોણિકરાજા અને ઉદાયનરાજાએ ભગવાન પધાર્યા ત્યારે વિવેકપૂર્વક વંદનમહોત્સવ કર્યો છે મહોત્સવપૂર્વક વંદન કરવા ગયા છે. તે પ્રવૃત્તિમાં ષકાયનો બાહ્યથી આરંભ છે, છતાં ભગવાન પ્રત્યેનો વધતો જતો ભક્તિનો ભાવ હોવાથી તે વંદન-મહોત્સવમાં લેશ પણ કર્મબંધ નથી તેમ જિનપૂજામાં કર્મબંધ નથી. વળી શાસ્ત્રમાં તંગીયાનગરીના શ્રાવકો સ્નાન કરેલા અને કરેલા બલિકર્મવાળા કહેવાયા છે. તેથી તેઓએ જે સ્નાન કરીને ભગવાનની પૂજાકર્મ કર્યું છે તે દોષરૂપ નથી, તેમ યતના અને ભક્તિપૂર્વક જિનની પૂજામાં આરંભનો દોષ નથી. ૪/૪ અવતરણિકા : ગાથા-૩ અને ગાથા-૪માં કહેલ ક્રિયાઓ સંવરભાવની ક્રિયા છે તેમ બતાવીને જિનપૂજા પણ સંવરભાવની ક્રિયા છે તેમ બતાવે છે – ગાથા : સમકિતસંવરની તે કિરિયા, તિમ જિનપૂજા ઉદાર; હિંસા હોય તો અરથદંડમાં, કહે નહી ? તેહ વિચાર. સુખ૦ ૫ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૧ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪| ગાથા : ૫ ગાથાર્થ : સમકિતસંવરની સમ્યકત્વની પ્રાપ્તિ પછી સર્વવિરતિને અનુકૂળ એવા સંવરની તે ક્રિયા-ગાથા ત્રણ-ચારમાં બતાવેલી ક્રિયા છે, તેમ ઉદાર જિનપૂજા છે=વિવેજ્વાળી એવી જિનપૂજા છે. હિંસા હોય જિનપૂજામાં હિંસા હોય તો અર્થદંડમાં કહે શાસ્ત્રમાં અર્થદંડ બતાવ્યા છે તેમાં જિનપૂજાને કહે, પરંતુ તે વિચાર નહિ અર્થદંડના વિચારમાં જિનપૂજાનો વિચાર નથી. ll૪/પા. ભાવાર્થ જીવ સમ્યકત્વ પામે છે ત્યારે સંસારનાં કારણો પ્રત્યે વિમુખભાવ અને મોક્ષનાં કારણો પ્રત્યે સન્મુખભાવ થાય છે અને ગાથા-૩, ગાથા-૪માં બતાવેલી ક્રિયા મોક્ષના ઉપાયભૂત છે તેથી સમકિતપ્રાપ્તિકાળમાં વર્તતા સંવરભાવની તે ક્રિયા છે; કેમ કે સમ્યકત્વની પ્રાપ્તિવાળા જીવમાં જે ભોગની ક્રિયા છે તે આશ્રવરૂપ છે અને તેનાથી વિપરીત એવી સાધર્મિકવાત્સલ્યાદિની ક્રિયા છે તે સંવરની ક્રિયા છે. તેમ વિવેકપૂર્વકની યાતના અને ભક્તિવાળી જિનપૂજા સમ્યક્ત્વના સેવરની ક્રિયા છે; કેમ કે જિનપૂજાથી સમ્યગ્દષ્ટિ જીવ સર્વવિરતિને અનુકૂળ સંવરભાવને પામે છે. વળી, આગમવચનથી જિનપૂજામાં હિંસા નથી તે બતાવતાં કહે છે – જો જિનપૂજામાં હિંસા હોય તો જિનપૂજાને શાસ્ત્રકારો અર્થદંડમાં કહે, પરંતુ સૂયગડાંગસૂત્રમાં તેર ક્રિયા બતાવી છે તેમાં પ્રથમ અર્થદંડનું=પ્રયોજને હિંસા કરે તે અર્થદંડનું, નિરૂપણ છે ત્યાં જિનપૂજાનો ગ્રહણ કરેલ નથી. તેથી અર્થદંડમાં જિનપૂજાનો વિચાર નથી. માટે જિનપૂજામાં પકાયનો આરંભ નથી. અહીં વિશેષ એ છે કે કોઈ જીવ ભૌતિક આશયથી નાગદેવતાદિને પૂજે તો તેનાથી જે કર્મબંધ થાય તે અર્થદંડમાં ગણાય છે અને કોઈ પ્રયોજન વગર કુતૂહલવૃત્તિથી પુષ્પાદિના ત્રાટનાદિની ક્રિયા કરે તે અનર્થદંડમાં કહેવાય છે. વળી, જો જિનપૂજા ષકાયના આરંભરૂપ હોય અને કોઈક શ્રાવક પોતાના આત્મકલ્યાણ અર્થે પણ ભગવાનની પૂજા કરે તો તે પૂજાને અર્થદંડમાં ગ્રહણ કરવું પડે પરંતુ શાસ્ત્રમાં જિનપૂજાની પ્રવૃત્તિથી અર્થદંડની પ્રાપ્તિ કહી નથી માટે જિનપૂજામાં ષકાયનો આરંભ નથી એમ સિદ્ધ થાય છે. ll૪/પII For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૬-૭ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે શાસ્ત્રકારોએ અર્થદંડમાં જિનપૂજાનો વિચાર કર્યો નથી તેથી હવે તે શાસ્ત્રવચન બતાવે છે – ગાથા : નાગ-ભૂત-જક્ષાદિક હેતે, પૂજ હિંસા રે ઉત્ત; સૂયડાંગમાં નવિ જિન હેતે, બોલે જે હોએ જુત્ત. સુખ૦ ૬ ગાથાર્થ : સૂયગડાંગસૂત્રમાં નાગ-ભૂત-જક્ષાદિ હેતે કરાયેલી પૂજા હિંસા છે તે પ્રમાણે ઉત્તરકહેવાયેલ છે, જિનહેતે નવિ જિનના હેતે કરાયેલી પૂજા હિંસા કહેવાઈ નથી, જે જુત્ત હોએ જે યુક્ત હોય, તે શાસ્ત્ર બોલે. Il૪/૬ll. ભાવાર્થ : કોઈ પુરુષ નાગ-ભૂત કે જક્ષાદિની પૂજા કરે તે પૂજામાં હિંસા છે તેમ સૂયગડાંગસૂત્રમાં કહેલ છે અને તે સ્થાનમાં જિનની કોઈ પૂજા કરે તેને હિંસા કહેલ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે નાગાદિ દેવની પૂજામાં અર્થદંડની પ્રાપ્તિ છે અને જિનની પૂજામાં અર્થદંડની પ્રાપ્તિ નથી. વળી, સૂયડાંગસૂત્રમાં જે યુક્ત હોય તે બોલે તેથી સૂયડાંગસૂત્રના વચનથી નક્કી થાય છે કે જિનપૂજામાં હિંસા નથી. l૪/ફા. અવતરણિકા : જિનપૂજામાં હિંસા સ્વીકારીને પૂજાનો નિષેધ કરનારા સ્થાનકવાસી કહે છે કે જ્યાં હિંસા હોય ત્યાં ભગવાનની આજ્ઞા નથી અને પૂજાની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષથી હિંસા છે માટે જિનપૂજામાં ભગવાનની આજ્ઞા નથી તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – ગાથા - જિહાં હિંસા તિહાં નહી જિન-આણા, તો કિમ સાધુ વિહાર? કર્મબન્ધ નહી જયણા ભાવે, એ છે શુભવ્યવહાર. સુખ૦ ૭ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ ગાથા : ૭, ૮-૯-૧૦ ગાથાર્થ : જિહાં હિંસા=જ્યાં બાહ્ય હિંસા હોય ત્યાં જિનની આજ્ઞા નથી, એમ જો સ્થાનકવાસી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તો સાધુને વિહાર કેમ હોય ? હવે ભગવાનની પૂજામાં હિંસામૃત કર્મબંધ નથી તે સ્પષ્ટ કરે છે -- જયણાના ભાવમાં=યતનાપૂર્વક ભગવાનની ભક્તિના પરિણામમાં, કર્મબંધ નથી. કેમ નથી ? એથી કહે છે એ-યતનાપૂર્વક જિનપૂજા એ, શુભવ્યવહાર છે. Il૪/૭।। ૭૩ -- ભાવાર્થ: જિનપૂજામાં પ્રત્યક્ષથી દેખાતી જલાદિ જીવોની હિંસા જોઈને સ્થાનકવાસી કહે છે કે જ્યાં હિંસા હોય ત્યાં ભગવાનની આજ્ઞા હોય નહિ; કેમ કે ભગવાને અહિંસાપ્રધાન ધર્મ કહ્યો છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જો બાહ્ય હિંસાથી ભગવાનની પૂજામાં આજ્ઞા ન હોય તો સાધુને વિહા૨ ક૨વાની ભગવાનની આજ્ઞા કેમ છે ? અર્થાત્ વિહારમાં ભગવાનની આજ્ઞા હોઈ શકે નહિ; કેમ કે વિહાર કરવાથી વાયુકાયાદિ જીવોની હિંસા થાય છે. આ રીતે સાધુના વિહારના દૃષ્ટાંતથી પૂજામાં હિંસા નથી એમ સ્થાપન કરીને પૂજાની પ્રવૃત્તિથી હિંસાકૃત કર્મબંધ થતો નથી તે બતાવવા અર્થે કહે છે. જે શ્રાવક ભગવાનની ભક્તિમાં અનુપયોગી હોય તેવી કોઈ હિંસા ન થાય તે પ્રકારે યતનાપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે ભગવાનની પૂજામાં જયણાનો ભાવ હોવાને કારણે કર્મબંધ નથી, પરંતુ ગુણવાનની ભક્તિ કરવાનો શુભવ્યવહાર છે. શુભવ્યવહારના સેવનથી ધર્મની જ પ્રાપ્તિ થાય, કર્મબંધની નહિ. માટે જિનપૂજામાં હિંસાનો દોષ નથી. II૪/૭ll અવતરણિકા : શાસ્ત્રમાં કૂપદૃષ્ટાંતથી જિનપૂજા શ્રાવકને ઇષ્ટ છે તેમ કહેલ છે તેને ગ્રહણ કરીને કોઈક કહે છે તે બતાવીને તેનું વચન યુક્ત નથી તે બતાવવા અર્થે ગાથા-૮થી ગાથા-૧૦ સુધી કહે છે 1 For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૮-૯-૧૦ ગાથા : પ્રથમ બધ ને પછી નિર્જરા, ફૂપતણો રે દિäત; કહે કોઈ જોડે બુધ ભાખે, ભાવ તે શુચિજલ તંત. સુખ૦ ૮ ગાથાર્થ – પ્રથમ બંધ=જિનપૂજાની પ્રવૃત્તિમાં પ્રથમ બંધ અને પછી નિર્જરા કૂપતણા દષ્ટાંતથી કહી, એમ કોઈ જોડે છે, તેને બુધ ભાખે શાસ્ત્રના જાણ પુરુષો કહે, ભાવ તે શુચિજલ તંતઃપૂજા કાળમાં વર્તતો ઉત્તમ ભાવ આત્માને પવિત્ર કરનાર જલનું સ્થાન છે. ll૪/૮ અવતરણિકા: પૂજામાં થતી બાહ્ય હિંસાથી કર્મબંધ નથી પરંતુ પૂજાકાળમાં વર્તતા પવિત્ર ભાવને કારણે નિર્જરા છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ઉપાદાનવશ બન્ધન કહિયું, તસ હિંસા શિર ઉપચાર; પુષ્પાદિક આરતણો ઇમ, હોય ભાવે પરિહાર. સુખ૦ ૯ ગાથાર્થ - ઉપાદાનવશ=જીવમાં વર્તતા પરિણામવશ કર્મબંધ કહ્યો છે, તસ હિંસા-પુષ્પાદિ જીવોની હિંસા, ઉપચાર અંગ છે ભગવાનની ભક્તિ કરવામાં ઉપચારનો અંગ છે. ઈમ-આ રીતે-ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ રીતે, ભાવમાં ભગવાનની ભક્તિના પરિણામમાં, પુષ્પાદિક આરંભતણો પરિહાર થાય. ll૪/૯II તસ હિંસા શિર ઉપચાર'ના સ્થાને “તસ હિંસા અંગ ઉપચાર' પાઠ હોવો જોઈએ. પાઠશુદ્ધિ મળી નથી. અવતરણિકા - અહીં પૂર્વપક્ષી કહે છે કે ભગવાનની ભક્તિનો શુભભાવ છે તોપણ પુષ્પાદિ જીવોની હિંસા પ્રત્યે ઉપેક્ષા છે તેથી પુષ્પાદિ જીવોનો હિંસામાં આરંભ નથી તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૪ | ગાથા : ૮-૯-૧૦ ૭૫ ગાથા : જલ તરતાં જલ ઉપર મુનિને, જિમ કરૂણાનો રે રંગ; પુષ્પાદિક ઉપર શ્રાવકને, તિમ પૂજામાંહિ ચંગ. સુખ૦ ૧૦ ગાથાર્થ - જલ તરતાં નદી ઊતરતાં, જલના જીવો ઉપર મુનિને જેમ કરુણાનો રંગ છેકરુણાનો પરિણામ છે, તેમ પૂજામાંહિ શ્રાવકને પુષ્પાદિ ઉપર કરુણાનો યંગસુંદર પરિણામ છે. ||૪|૧૦|| ભાવાર્થ - શાસ્ત્રમાં કૂવાનું દૃષ્ટાંત આપીને કહ્યું છે કે કોઈ નગરમાં જળ ન હોય અને જળના અર્થી જીવો કૂવો ખોદે ત્યારે કૂવો ખોદવાની ક્રિયાથી શ્રમની પ્રાપ્તિ થાય છે અને કાદવાદિથી શરીર ખરડાય છે તો પણ સ્વાદુ જળ નીકળે ત્યારે તેનાથી=જલથી, કાદવાદિ દૂર થાય છે અને સ્વાદુ જળપાનથી તૃપ્તિની પ્રાપ્તિ થાય છે. તેને સામે રાખીને કોઈક કહે છે કે “ભગવાનની પૂજામાં પ્રથમ પુષ્પાદિના આરંભને કારણે બંધ થાય છે અને પછી ભગવાનની ભક્તિને કારણે નિર્જરા થાય છે” તેને બુધપુરુષો કહે છે કે “ભગવાનની પૂજામાં ભગવાનની ભક્તિરૂ૫ શુભભાવ છે તે પવિત્ર જળના સ્થાને છે તેથી પૂજાની ક્રિયામાં પુષ્પાદિ જીવોની હિંસાકૃત પ્રથમ બંધ નથી; કેમ કે ભગવાનની ભક્તિ કરું એ પ્રકારના શુભભાવથી જ પૂજાનો આરંભ છે પરંતુ પોતાના કોઈ ભૌતિક સુખ અર્થે પૂજાનો આરંભ નથી.” વળી પૂજામાં પ્રથમ કર્મબંધ નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. ઉપાદાનના વશ કર્મબંધ કહ્યો છે અર્થાત્ ઉપાદાન એવા આત્માના પરિણામને વશ કર્મબંધ કહ્યો છે અને પૂજાના કાળમાં ભગવાનની ભક્તિનો શુભ અધ્યવસાય છે તેથી પ્રથમ પણ હિંસાકૃત કર્મબંધ થાય નહિ. અહીં પ્રશ્ન થાય કે તો પછી ભગવાનની પૂજામાં જે જીવોની હિંસા થાય છે તેનાથી શું થાય છે ? એથી કહે છે -- For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ . વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૪ | ગાથા : ૮-૯-૧૦ જિનપૂજામાં થતી હિંસા એ ભગવાનની ભક્તિની ક્રિયામાં ઉપચારનું અંગ છે તેથી ભગવાનની ભક્તિરૂપ ઉપચારના અંગભૂત એવી હિંસાથી કર્મબંધ થાય નહિ. આ રીતે ભગવાનની પૂજામાં થતા પુષ્પાદિ જીવોના આરંભનો પરિહાર શુભભાવથી થાય છે અર્થાત્ શ્રાવકને શુભભાવ વર્તે છે કે ભગવાનની પૂજા કરીને પકાયના પાલનને અનુકૂળ શક્તિનો સંચય કરું જેથી મારું આ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બને. આ પ્રકારના શુભભાવને કારણે આરંભનો પરિહાર થાય છે. અહીં પ્રશ્ન થાય કે શ્રાવકને ભગવાનની ભક્તિનો શુભભાવ છે તોપણ પુષ્પાદિ જીવો પ્રત્યે કરુણા નથી. આથી જ ભગવાનની પૂજામાં તેઓની હિંસા થતી હોવા છતાં શ્રાવક પુષ્પાદિ જીવોની હિંસાના પરિવારમાં ઉપેક્ષા કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે. જેમ મુનિને પકાયના પાલનનો પરિણામ છે અને તે પકાયના પાલનના પરિણામના રક્ષણ અર્થે અને વૃદ્ધિ અર્થે ચારિત્રની શુદ્ધિના ઉપાયભૂત નદી ઊતરવાની પ્રવૃત્તિ કરે છે તે વખતે મુનિની નદી ઊતરવાની ક્રિયામાં પણ જળના જીવો પ્રત્યે કરુણા જ છે તેમ શ્રાવકને પુષ્પાદિ જીવો પ્રત્યે કરુણા જ છે. આથી જ જેમ નદી ઊતરતી વખતે સાધુ અતિયતનાપૂર્વક નદી ઉતરે છે જેથી શકય એટલા જીવોની રક્ષા થાય તેમ શ્રાવક પણ ભગવાનની પૂજામાં ઉપયોગી ન હોય તેવા પુષ્પાદિ જીવોને કિલામણા ન થાય અને ભગવાનની ભક્તિ કરતી વખતે પણ પુષ્પાદિ જીવોની નિષ્કારણ કિલામણા ન થાય તેની સમ્યમ્ યતના કરે છે. વળી, જેમ સાધુ સંયમના કંડકની વૃદ્ધિ અર્થે નદી ઊતરે છે માટે મુનિની જળના જીવો પ્રત્યે કરુણા છે તેમ શ્રાવક પણ ભગવાનના ચારિત્ર ગુણની સ્મૃતિ કરીને તેમની ભક્તિ દ્વારા ચારિત્રપ્રાપ્તિ કરવાના અર્થી છે તેથી પુષ્પાદિ જીવો પ્રત્યે પણ તેઓને કરુણા છે. અહીં વિશેષ એ છે કે શાસ્ત્રમાં કૂપદૃષ્ટાંત અશુદ્ધ પૂજાને આશ્રયીને કહેલું છે. તેથી જેમ કૂપ ખોદનાર પ્રથમ કાદવથી લેપાય છે અને પછી જળની પ્રાપ્તિથી તે શુદ્ધ થાય છે તેમ જે શ્રાવક પૂર્ણ શાસ્ત્રવિધિ અનુસાર પૂજા કરી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૮-૯-૧૦, ૧૧ શકતા નથી તેઓની પૂજામાં જે અવિધિ દોષ થાય છે તેનાથી કર્મબંધ થાય છે જે કૂવો ખોદતી વખતે થયેલ કાદવના લેપ જેવો છે, પણ તે શ્રાવક ભગવાનની ભક્તિમાં લીન થાય છે ત્યારે શુભ અધ્યવસાયથી અવિધિથી થયેલો કર્મબંધ નાશ પામે છે અને ભગવાનની ભક્તિના ઉત્તમ અધ્યવસાયથી ચારિત્રને અનુકૂળ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે, જે કૂવો ખોદવાથી પ્રાપ્ત થયેલા સ્વાદુ જળથી થનારી તૃપ્તિસ્થાનીય છે. આ પ્રકારનું યોજન ગ્રંથકારશ્રીએ “પ્રતિમાશતક”માં કર્યું છે. ||૪/૮-૯-૧૦|| અવતરણિકા : ગાથા-૧માં કોઇકે શંકા કરી કે પૂજામાં ષટ્કાયનો આરંભ છે માટે સમ્યગ્દષ્ટિ એવા શ્રાવક પૂજાને કેમ કરે ? તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે યતતાપૂર્વક ભક્તિથી પૂજા કરવામાં ષટ્કાયનો આરંભ નથી. ત્યાં કોઈને શંકા થાય કે સમકિતમાં સ્થિર એવા શ્રાવકો શાસ્ત્રાનુસારી થતના અને વિવેકપૂર્વકની ભક્તિ કરી શકે, તેથી તેઓની પૂજામાં ષટ્કાયનો આરંભ નથી તેમ કહી શકાય તોપણ જેઓ હજી સમ્યક્ત્વ પામ્યા નથી તેઓની પૂજાની ક્રિયામાં તો ષટ્કાયનો આરંભ પ્રાપ્ત થશે, તેથી તેઓ માટે પૂજાની ક્રિયા કર્મબંધનું કારણ થશે. તેના નિવારણ માટે કહે છે – ગાથા: ૭૭ પાત્રદાનથી શુભવિપાક જિમ, લહે સુબાહુકુમાર; પહિલે ગુણઠાણે ભદ્રક પણ, તિમ જિનપૂજા ઉદાર. સુખ૦ ૧૧ ગાથાર્થ ઃ પાત્રદાનથી=સુપાત્રના દાનથી, સુબાહુકુમાર જેમ શુભ વિપાકને પામે છે, તેમ પહેલે ગુણસ્થાનકે પણ ભદ્રક જીવ જિનપૂજાથી ઉદાર પરિણામ પ્રાપ્ત કરે છે. ।।૪|૧૧|| ભાવાર્થ : શ્રીવિપાકસૂત્રમાં સુબાહુકુમારે પૂર્વભવમાં સુપાત્રદાન આપ્યું અને તે સુપાત્રદાન આપતી વખતે સમ્યકૃત્વ નથી છતાં શુભ પુણ્યના બંધથી ધર્મની પ્રાપ્તિનું For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૧૧-૧૨ કારણ બને તેવો મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. તેમ જે જીવો ભદ્રક પ્રકૃતિવાળા છે અને પહેલા ગુણસ્થાનકમાં છે તેઓ શાસ્ત્રવિધિ અનુસાર યતનાથી અને ભક્તિથી પૂજાની ક્રિયા કરી શકે તેવો સૂક્ષ્મબોધ નથી તોપણ સામાન્યથી જિન પ્રત્યે બહુમાન ભાવવાળા થઈને જિનપૂજા કરે છે. જેના ફળરૂપે સુબાહુકુમારની જેમ ધર્મની પ્રાપ્તિનું કારણ બને તેવા ઉત્તમ ભવની પ્રાપ્તિ કરશે. તેથી પૂજાની ક્રિયામાં વિવેકના અભાવને કારણે પદ્ધયનો આરંભ હોવા છતાં સન્માર્ગની પ્રાપ્તિનું કારણ તે પૂજા બનશે. માટે પહેલા ગુણસ્થાનકવાળા જીવોને પણ પૂજા કર્તવ્ય છે. અહીં વિશેષ એ છે કે સુબાહુકુમાર પૂર્વભવમાં સમ્યગ્દર્શન પામેલા ન હતા છતાં આ મહાત્માઓ ત્યાગી છે એ પ્રકારના મહાત્માઓના ત્યાગ પ્રત્યેના બહુમાનથી સુપાત્રદાન કર્યું હતું, જેના બળથી ત્યાગરૂપ સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવા મનુષ્યભવની પ્રાપ્તિ થઈ. તેમ મિથ્યાત્વ અવસ્થામાં ભદ્રક પ્રકૃતિવાળા જીવોને, “ભગવાન રાગાદિથી પર વીતરાગ છે અને આ તેમની પ્રતિમા છે” એ પ્રકારના સ્થૂલ બોધથી પ્રેરાઈને ભગવાનની પૂજા કરે છે તેઓની જિનપૂજા ધર્મની પ્રાપ્તિના કારણભૂત એવા ઉત્તમ જન્મની પ્રાપ્તિનું કારણ બનશે. I૪/૧૧TI. અવતરણિકા : પૂર્વગાથામાં પહેલા ગુણસ્થાનકે સુપાત્રદાનની જેમ જિનપૂજા હિતકારી છે તેમ બતાવ્યું. હવે પહેલા ગુણસ્થાનકે દાનથી ભિન્ન એવા શીલ-તપ અને ભાવની જેમ જિનપૂજા હિતકારી છે એમ બતાવે છે – ગાથા : ઉપલક્ષણથી જિમ શીલાદિક, તિમ જિનપૂજા લીધ; મનુજઆયુ બધે તે સુબાહુ, તેણે સમકિત ન પ્રસિદ્ધ. સુખ૦ ૧૨ ગાથાર્થ - ઉપલક્ષણથી=પાત્રદાનના કથન દ્વારા પ્રાપ્ત ઉપલક્ષણથી, શીલાદિક જેમ શુભ વિપાકવાળા છે તેમ જિનપૂજા લીધ લેવી. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૧૨ અહીં પ્રશ્ન થાય કે સુબાહુકુમારે સમ્યકત્વ વગર સુપાત્રદાન આપેલું અને તેના કારણે તેનું હિત થયું તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – મનુષ્યઆયુષ્ય બાંધ્યું તે સુબાહુએ, તેથી સમકિત પ્રસિદ્ધ નથી સુબાહુના જીવમાં પૂર્વભવમાં સમકિત પ્રસિદ્ધ નથી. II૪/૧૨ાાં ભાવાર્થ પૂર્વગાથામાં સુબાહુકુમારના સુપાત્રદાનના દષ્ટાંતથી ગ્રંથકારશ્રીએ કહ્યું કે પહેલા ગુણસ્થાનકે રહેલા જીવો સુપાત્રદાનથી જેમ હિત સાધે છે તેમ જિનપૂજાથી પણ હિત સાધે છે. હવે, પાત્રદાન ઉપલક્ષણ છે. તેથી ઉપલક્ષણથી ભદ્રક પ્રકૃતિવાળા જીવો પહેલા ગુણસ્થાનકે શીલાદિ પાળે અર્થાત્ સંયમની ક્રિયારૂપ શીલ પાળે, તપની આચરણા કરે અને શુભ ભાવોથી આત્માને ભાવિત કરવારૂપ ભાવધર્મને સેવે, તે સર્વ જેમ તેઓના હિતનું કારણ બને છે, તેમ પહેલા ગુણસ્થાનકે રહેલા ભદ્રક જીવો જિનપૂજા કરે છે તેમાં સમ્યગ્દષ્ટિ જેવી યતના અને ભક્તિ નથી તોપણ તે જિનપૂજાથી તેઓનું હિત થાય છે. અહીં પ્રશ્ન થાય કે સુબાહુકુમારે પૂર્વભવમાં સુપાત્રદાનથી શુભ કર્મના વિપાકને પ્રાપ્ત કરેલ તે સમકિતકાળમાં કરેલ નથી તે કેમ નક્કી થાય જેથી સુબાહુકુમારના મિથ્યાત્વ અવસ્થામાં કરાયેલા પાત્રદાનથી શુભ વિપાકની જેમ મિથ્યાત્વ અવસ્થામાં જિનપૂજા હિતનું કારણ છે તેમ સિદ્ધ થઈ શકે ? તેથી કહે છે -- સુબાહુકુમારે પૂર્વભવમાં સુપાત્રદાન કરીને મનુષ્યઆયુષ્ય બાંધેલ, તેથી તે દાનથી પછીના ભાવમાં મનુષ્ય થયેલ છે. સુબાહુકુમારના પાત્રદાનમાં સમકિત પ્રસિદ્ધ નથી; કેમ કે સમકિત હોત તો મનુષ્યઆયુષ્ય ન બાંધત, પણ દેવલોકમાં જાત. તેથી ફલિત થાય છે કે મંદમિથ્યાત્વ અવસ્થામાં ભદ્રક પ્રકૃતિવાળા એવા સુબાહુકુમાર પાત્રદાનથી જેમ ઉત્તમ ભવની પ્રાપ્તિરૂપ શુભ વિપાકને પામે છે તેમ મંદમિથ્યાત્વવાળા અને ભદ્રક પ્રકૃતિવાળા જીવો ભગવાનની પૂજાથી શુભવિપાકવાળા ફળને પ્રાપ્ત કરે છે. માટે મંદમિથ્યાષ્ટિ જીવોની જિનપૂજાની ક્રિયા યતના અને ભક્તિયુક્ત નહિ હોવા છતાં કલ્યાણનું કારણ છે. ll૪/૧ી For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૪ | ગાથા : ૧૩-૧૪ અવતરણિકા : વળી, પહેલા ગુણસ્થાનકમાં પણ ભદ્રક પ્રકૃતિવાળા જીવોની જિનપૂજા કલ્યાણનું કારણ છે તે દાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : મેઘજીવ ગજ શશઅનુકમ્પા, દાન સુબાહુ વિચાર; પહિલે ગુણઠાણે પણ સુન્દર, તિમ જિનપૂજા પ્રકાર. સુખ. ૧૩ ગાથાર્થ : મેઘકુમારનો જીવ જે ગજ હાથી, તેણે સસલા ઉપર જે અનુકંપા કરી અને સુબાહુકુમારે જે દાન કર્યું તે પહેલે ગુણસ્થાનકે સુંદર છે તેમ જિનપૂજાનો પ્રકાર સુંદર છે. ll૪/૧૩|| ભાવાર્થ - મેઘકુમારનો જીવ પૂર્વભવમાં હાથી હતો અને હાથીના ભવમાં સસલા પ્રત્યે અત્યંત દયા કરેલી અને તે શુભભાવથી તે હાથીના જીવે શુભ કર્મ બાંધ્યું જેના કારણે મેઘકુમારના ભવમાં તેને ધર્મની પ્રાપ્તિ થઈ. તેથી હાથીના ભવમાં કરાયેલી દયાથી મેઘકુમારના જીવને યોગબીજની પ્રાપ્તિ થયેલી, ધર્મસામગ્રીયુક્ત મનુષ્યભવ પામે તેવું પુણ્ય બંધાયેલું અને મોક્ષમાર્ગનું કારણ બને તેવી નિર્જરાની પ્રાપ્તિ થયેલી. આ રીતે પહેલા ગુણસ્થાનકે રહેલા મેઘકુમારના જીવને સસલાની અનુકંપાથી ત્રણ ફળો મળ્યાં તેથી પહેલા ગુણસ્થાનકે પણ તે અનુકંપા સુંદર છે. તેમ નક્કી થાય છે. વળી સુબાહુકુમારે પાત્રને દાન આપ્યું તેનાથી પણ મેઘકુમારના જીવની જેમ ત્રણ ફળો મળ્યાં. તેની જેમ પહેલા ગુણસ્થાનકે જિનપૂજા પણ કલ્યાણનું કારણ છે અર્થાત્ પહેલે ગુણસ્થાનકે રહેલા ભદ્રક પ્રકૃતિવાળા જીવને જિનપૂજા ત્રણ પ્રકારના ફળનું કારણ છે. II૪/૧૩ અવતરણિકા - આ રીતે અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ જિનપૂજામાં આરંભ દોષ નથી અને પહેલા ગુણસ્થાનકે પણ જિનપૂજા કલ્યાણનું કારણ છે તેમ સ્થાપન કર્યું. હવે જિનપૂજાના અધિકારી જીવો કોણ છે તે બતાવતાં કહે છે – For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા ઃ ૧૪-૧૫ ગાથા : દાનદેવપૂજાદિક સઘલાં, દ્રવ્યસ્તવ કહ્યાં જેહ; અસદારભી તસ અધિકારી, માંડી રહે જે ગેહ. સુખ૦ ૧૪ ગાથાર્થ : દાન-દેવપૂજાદિ સઘળાં કૃત્યો જેહને દ્રવ્યસ્તવ કહ્યાં છે, તેનો અધિકારી અસદારંભી છે, જેહ ઘર માંડીને રહેલ છે. ll૪/૧૪ll ભાવાર્થ - દાન આપવાની ક્રિયા, દેવની પૂજાની ક્રિયા કે ધનના વ્યયથી થતાં જે શુભ કાર્યો તેને શાસ્ત્રકારોએ દ્રવ્યસ્તવ કહ્યાં છે અર્થાત્ દ્રવ્યના વ્યયથી વીતરાગની ભક્તિ સ્વરૂપ દ્રવ્યસ્તવ કહ્યાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધનના વ્યયથી વીતરાગ થવાને અનુકૂળ જે ઉચિત પ્રવૃત્તિઓ છે તે વીતરાગની સ્તવનારૂપ છે અને દ્રવ્યના વ્યયથી થાય છે અને ભાવતવરૂપ ચારિત્રના કારણ છે માટે દ્રવ્યસ્તવરૂપ છે. આ દ્રવ્યસ્તવના અધિકારી અસદારંભી જીવો છે. વળી અસદારંભી જીવો કોણ છે ? તે પ્રકારની જિજ્ઞાસામાં કહે છે કે જે લોકો ઘર માંડીને રહ્યા છે તે સર્વ અસદારંભી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે હિંસા-ચોરી આદિ કરનારા તો અત્યંત અસદારંભી છે અર્થાત્ અત્યંત ખરાબ કાર્યો કરનારા છે; પરંતુ જેઓ પોતાના રહેવા માટે ગૃહ રાખે છે અને નીતિપૂર્વક ધનાદિ કમાઈને ભોગાદિ કરે છે તે પણ અસદારંભને કરનારા છે અને તેવા જીવો પોતાની સંપત્તિનો વ્યય દાન-દેવપૂજાદિમાં કરે અને તેના દ્વારા ભગવાન પ્રત્યેની ભક્તિનો ભાવ થાય તો તેના દ્વારા તેઓનું કલ્યાણ થાય છે. માટે પરિગ્રહધારી એવા સંસારી જીવો દ્રવ્યસ્તવના અધિકારી છે અને દ્રવ્યસ્તવ કરીને તેઓ આત્મહિત સાધે છે. આના કારણે જ “દ્રવ્યસ્તવમાં પકાયનો આરંભ છે તેથી શ્રાવક દ્રવ્યસ્તવ કરે નહિ” એમ કોઈ કહે છે એ ઉચિત નથી. I૪/૧૪ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે અસદારંભી એવો ગૃહધારી દ્રવ્યસ્તવનો અધિકારી છે અને એવા અસદારંભી જીવો જે દ્રવ્યસ્તવ કરે છે તે સદારંભરૂપ છે અને તે સદારંભમાં અસદારંભીને શું ગુણ થાય છે તે બતાવે છે – For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪/ ગાથા : ૧૫ ગાથા : સદારભમાં ગુણ જાણીએ, અસદારભનિવૃત્તિ; અરમણિકતા ત્યાગે ભાષી, ઈમ જ પ્રદેશી પ્રવૃત્તિ. સુખ૦ ૧૫ ગાથાર્થ – સદારંભમાં અસદારંભી એવા ગૃહસ્થથી સેવાતા દ્રવ્યસ્તવરૂપ સદારંભમાં, અસદારંભની નિવૃત્તિરૂપ ગુણ જાણીજે=જાણવો. ઈમ જ એ રીતે જ દ્રવ્યસ્તવમાં અસદારંભની નિવૃત્તિ થાય છે એ રીતે જ, અરમણિકતાના ત્યાગે પ્રદેશની પ્રવૃત્તિ પ્રદેશ રાજાની પ્રવૃત્તિ, ભાષી છે શાસ્ત્રમાં કહેલ છે. II૪/૧૫ll ભાવાર્થ શ્રાવક કે આદ્ય ભૂમિકામાં રહેલા ભદ્રક પ્રકૃતિવાળા જીવો જે સંસારની પ્રવૃત્તિઓ કરે છે તે અસદારંભરૂપ છે; કેમ કે તે સર્વ પ્રવૃત્તિઓમાં તે તે વિષયો પ્રત્યેના રાગાદિ ભાવો પોષાય છે અને તે જીવો જ્યારે ભગવાનની પૂજા કે સુપાત્રદાનાદિ કરતા હોય ત્યારે તે પ્રવૃત્તિ સદારંભરૂપ છે; કેમ કે તે પૂજાના કે દાનના પ્રવૃત્તિકાળમાં વીતરાગના કે ગુણવાન પુરુષના ગુણ પ્રત્યેના પક્ષપાતવાળું ચિત્ત વર્તે છે. શ્રાવકની આ સદારંભની પ્રવૃત્તિથી અસદારંભની નિવૃત્તિ થાય છે; કેમ કે અસદારંભકાળમાં વર્તતા ભાવોથી વિપરીત ભાવો સદારંભકાળમાં વર્તે છે. વળી સદારંભમાં અસદારંભની નિવૃત્તિ થાય છે તે પ્રદેશ રાજાના કથનને કહેનારા આગમ વચનથી દઢ કરે છે. સદારંભમાં અસદારંભની નિવૃત્તિ થાય છે એ રીતે જ પ્રદેશ રાજાની પ્રવૃત્તિને “અરમણિકતાના ત્યાગે” આગમમાં કહી છે. આશય એ છે કે પ્રદેશીરાજા ધર્મ પામ્યા પછી જે દાનાદિ કરતા હતા તે અરમણિકતાના ત્યાગવાળી પ્રવૃત્તિ હતી અર્થાત્ પૂર્વમાં પ્રદેશ રાજાની પ્રવૃત્તિ મોક્ષમાર્ગને અનુકૂળ ન હતી તેથી આત્માના હિતનું કારણ ન હતી તેથી અરમણીય હતી. અને ધર્મ પામ્યા પછી યોગ્ય જીવોને બીજાધાનનું કારણ બને તે રીતે વિવેકપૂર્વક દાનાદિની પ્રવૃત્તિ કરતા હતા તેથી પૂર્વની અરમણિકતાના ત્યાગવાળી પ્રદેશ રાજાની પ્રવૃત્તિ હતી. તેથી એ ફલિત થાય કે અસદારંભના For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૧૫-૧૬-૧૭ સેવનરૂપ જે અ૨મણિકતા હતી તેના ત્યાગથી પ્રદેશીરાજાની દાનાદિની પ્રવૃત્તિ હતી. તેમ વિવેકવાળી દાનાદિરૂપ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ અસદારંભના નિવૃત્તિ ગુણવાળી છે. II૪/૧૫મા અવતરણિકા : દાન-દેવપૂજાદિ દ્રવ્યસ્તવ અસદારંભની નિવૃત્તિના ફળવાળા છે તેની પુષ્ટિ કરવા અર્થે જ કહે છે ૩ 11211 : લિખિત શિલ્પશત ગણિત પ્રકાશ્યાં, ત્રણે પ્રજાહિત હેત; પ્રથમ રાય શ્રીઋષભજિહિંદે, તિહાં પણ એ સંકેત. ગાથાર્થ ઃ લિખિત=લેખન કળા, શિલ્પશત=સો શિલ્પો અને ગણિત ત્રણેય પ્રથમ રાજા એવા ઋષભદેવ ભગવાને પ્રજાના હિતના હેતુથી પ્રકાશ્યા છે, તેમાં પણ=આ ત્રણેયના પ્રકાશનમાં પણ, એ સંકેત છે=અસદારંભની નિવૃત્તિનો સંકેત છે. II૪/૧૬|| ભાવાર્થ : ઋષભદેવ ભગવાને આલોકમાં અને પરલોકમાં પ્રજાનું હિત થાય તે અર્થે લેખનકળા, શિલ્પકળા અને ગણિતશાસ્ત્રનું પ્રકાશન કર્યું જેથી કલ્પવૃક્ષના અભાવમાં પ્રજા પરસ્પર લડીને વિનાશ ન પામે પરંતુ ઉચિત જીવનવ્યવસ્થા જીવીને ધર્મને અનુકૂળ ભૂમિકાને પ્રાપ્ત કરે. આ રીતે આ ત્રણ કળા શિખવાડવા પાછળ ભગવાનનો આશય પ્રજાને પરસ્પર કલહ કરીને વિનાશ થતા અટકાવવાનો હતો. તેથી જેમ ભગવાને ત્રણ કળા શિખવાડીને અસદારંભની નિવૃત્તિ કરાવી તેમ દાન-દેવપૂજાદિ દ્રવ્યસ્તવ પણ અસદારંભની નિવૃત્તિ કરાવનાર છે. II૪/૧૬|| સુખ૦ ૧૬ અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે અસદારંભની નિવૃત્તિ માટે ભગવાને ત્રણ કલા શીખવી, ત્યાં પ્રશ્ન થાય કે જો આ પ્રકારનાં આર્યકર્મોથી અસદારંભની નિવૃત્તિ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા: ૧૭ થતી હોય તો સાધુએ પણ શ્રાવકોને અસદારંભની નિવૃત્તિ માટે તેવો ઉપદેશ આપવો જોઈએ. વળી, જો આર્યકર્મની પ્રવૃત્તિ સાવધરૂપ છે માટે સાધુ ઉપદેશ આપતા નથી તેમ સ્વીકારવામાં આવે તો ભગવાનની પૂજામાં પણ સાવધ પ્રવૃત્તિ હોવાથી સાધુ ઉપદેશ આપે નહિ તેમ સ્વીકારવું જોઈએ. વળી જો ભગવાનની પૂજાની પ્રવૃત્તિ સાવધ હોય તો ગૃહસ્થને કર્તવ્ય સ્વીકારી શકાય નહીં તે પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે – ગાથા : યતનાએ સૂત્રે કહ્યું મુનિને, આર્યકરમ ઉપદેશ; પારિણામિક બુદ્ધિ વિસ્તારે, સમજે શ્રાદ્ધ અશેષ, સુખ૦ ૧૭ ગાથાર્થ : યતનાથી જયણાપૂર્વક, આર્યકર્મનો=અધિક અનર્થને નિવારે તેવાં ગૃહસ્યકૃત્યોનો, મુનિને ઉપદેશ આપવાનું સૂત્રમાં શાસ્ત્રમાં, કહ્યું છે. પારિણામિકી બુદ્ધિવાળા શ્રાવકો તે આર્યકર્મની પ્રવૃત્તિનો વિસ્તારથી અશેષ સંપૂર્ણ, બોધ કરે છે. ll૪/૧૭ના ભાવાર્થ : સાધુ સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવનારા છે તેથી ગૃહસ્થને માટે ઉચિત એવા આર્યકર્મનો ઉપદેશ પણ સાક્ષાત્ પ્રવૃત્તિનું કારણ બને તે રીતે મુનિ આપે નહિ. આમ છતાં ગૃહસ્થો માટે તે પ્રવૃત્તિ કલ્યાણનું કારણ છે તેથી પોતે તે પ્રવૃત્તિમાં પ્રવર્તક ન બને અને ગૃહસ્થ સ્વયં પોતાનું ઔચિત્ય જાણી તે પ્રવૃત્તિ કરે તે પ્રકારની યાતનાથી મુનિ ગૃહસ્થને તેના કર્તવ્યનો યથાર્થ બોધ કરાવે છે. આથી જ વિવેકી ઉપદેશક એવા સાધુ સંસારમાં ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામ કઈ રીતે પરસ્પર અવિરુદ્ધ રીતે સેવવા જોઈએ ? તેનો શાસ્ત્રાનુસારે બોધ કરાવે છે. જેમ પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તેનું ધર્મબિંદુ ગ્રંથરત્નમાં નિરૂપણ કરેલ છે. આમ છતાં કોઈક શ્રાવક તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ ન કરતો હોય તો “તું આવું કર” તે પ્રકારના પ્રવર્તક શબ્દોથી કરવાનું કહેતા નથી; તે આર્યકર્મના ઉપદેશમાં ઉચિત યતના છે. તે રીતે ભગવાનની પૂજા પણ શ્રાવકનું કર્તવ્ય છે તેમ સાધુ ઉપદેશ આપે છે; આમ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ઢાળ : ૪ | ગાથા: ૧૭-૧૮ છતાં કોઈ શ્રાવક પાસે “તું પૂજા કર, તું મહોત્સવ કર” ઇત્યાદિ વચનો દ્વારા પ્રવૃત્તિ કરાવતા નથી, કેમ કે સાધુજીવનની મર્યાદા અનુસાર તે પ્રકારની યતનાથી ઉપદેશ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે અને સાધુના તે પ્રકારના યતનાવાળા ઉપદેશથી કયાં આર્યકર્મો કર્તવ્ય છે અને ક્યાં આર્યકર્મો કરવાથી અસદારંભની નિવૃત્તિ થાય છે તેનો વિસ્તારથી બોધ પારિણામિકી બુદ્ધિવાળા શ્રાવક સ્વયં કરે છે. આથી જ શાસ્ત્રમાં ત્રણ પ્રકારના ધર્મનું વર્ણન કરતા સતતાભ્યાસને પણ વ્યવહારથી ધર્મ તરીકે સ્વીકાર્યો છે અને માતા-પિતાની ઉચિત ભક્તિ કરવી તે સતતાભ્યાસ છે જે ગૃહસ્થ માટે ઉચિત આર્યકર્મ છે અને સાધુ શ્રાવકને યતનાપૂર્વક તેવું આર્યકર્મ સમજાવે છે. I૪/૧ળા અવતરણિકા : અહીં પૂર્વપક્ષી કહે છે કે શ્રાવકનાં આર્યકાર્યોમાં હિંસા છે તેથી તે હિંસાની પ્રવૃત્તિથી અસદારંભની નિવૃત્તિ થાય છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – ગાથા : આર્ય કાર્ય શ્રાવકનાં જે છે, તેહમાં હિંસા દિ6; હેતુ સ્વરૂપ અનુબધુ વિચારે, નાશ દેઈ નિજ પીઠ. સુખ. ૧૮ ગાથાર્થ : શ્રાવકનાં જે આર્યકાર્યો છે તેમાં હિંસા દેખાય છે પરંતુ હેતુ-સ્વરૂપઅનુબંધના વિચારથી પોતાની પીઠ આપીને નાશે છે હિંસા નાશ પામે છે. II૪/૧૮II. ભાવાર્થ - શ્રાવકનાં જેટલાં પણ ઉચિત કાર્યો છે તેમાં હિંસા દેખાય છે. જેમ શ્રાવક માતા-પિતા આદિ સાથે ઉચિત વર્તન વગેરે કરે, સાધર્મિકની ભક્તિ કરે, જિનપૂજા કરે, જિનાલય નિર્માણ કરે તે સર્વકાર્યમાં હિંસા દેખાય છે. આમ છતાં, વિવેકી શ્રાવક હેતુ-સ્વરૂપ-અનુબંધનો વિચાર કરીને જે જે કાર્યોથી હિંસાના અનુબંધનો ત્યાગ થતો હોય તેવાં ઉચિત કાર્ય કરે છે. જેમ ભગવાનના For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૧૮-૧૯ ગુણો પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ થાય તે પ્રકારે વિવેકપૂર્વક ભગવાનની પૂજા કરે છે. તેથી જિનપૂજામાં થતી હિંસા સ્વરૂપથી હિંસા હોવા છતાં ભગવાનની પૂજાથી થયેલ, શુભભાવો દ્વારા ચારિત્રની પ્રાપ્તિ થશે ત્યારે તે પૂજાના ફળરૂપે ઘણી હિંસાનું નિવર્તન થશે. તેથી જે જિનપૂજાનો અનુબંધ=જે જિનપૂજાનું ફળ, મહાઅહિંસા હોય તે હિંસા પરમાર્થથી હિંસા નથી. તેથી શ્રાવકના જિનપૂજારૂપ આર્યકર્મથી પૂજામાં થતી હિંસા પોતાની પૂંઠ આપીને નાચે છે. આ રીતે અન્ય સર્વ આર્યકર્મોમાં પણ વિવેક હોવાથી તેમાં થતી હિંસા અનુબંધથી અર્થાત્ ફળથી અહિંસાનું કારણ બને છે, માટે તેમાં થતી હિંસા પરમાર્થથી હિંસા નથી. આથી જ જ્ઞાતાધર્મસૂત્રકથામાં રાજાને પ્રતિબોધ કરવા અર્થે સુબુદ્ધિમંત્રીએ દુર્ગધવાળા પાણીને પ્રક્રિયાથી શુદ્ધ કર્યું તે વખતે દુર્ગધી પાણીમાં ઘણા જીવો હતા તે સર્વની વિરાધના થઈ તોપણ તે પ્રવૃત્તિને “પ્રતિમાશતક'માં ગ્રંથકારશ્રીએ અનુબંધથી ફળથી, અહિંસા રૂપે બતાવેલ છે. II૪/૧૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે હેતુ-સ્વરૂપ-અનુબંધનો વિચાર કરવાથી વિવેકી શ્રાવકના આર્મકાર્યમાં હિંસા થતી નથી. તેથી હવે હેતુ-સ્વરૂપ-અનુબંધનો વિચાર શું છે તે સ્પષ્ટ કરે છે – ગાથા : હિંસાહેતુ અયતના ભાવે, જીવ વધે તે સ્વરૂપ; આણાભંગ મિથ્યામતિ ભાવે, તે અનુબન્ધવિરૂપ. સુખ. ૧૯ ગાથાર્થ : હિંસાનો હેતુ અયતનાભાવ છે. જીવનો વધ તે સ્વરૂપહિંસા છે, મિથ્યામતિના ભાવમાં આજ્ઞાનો ભંગ તે અનુબંધવિરૂપ છે અનુબંધથી અર્થાત્ ફળથી હિંસારૂપ વિપરીત સ્વરૂપ છે. ll૪/૧૯II ભાવાર્થ : ધર્મની કોઈ પ્રવૃત્તિમાં અયતનાનો પરિણામ હોય તો તે અયતનાનો પરિણામ હેતુથી હિંસા છે. જેમ સામાયિકની ક્રિયામાં અયતનાથી પ્રવૃત્તિ થતી હોય તો For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૧૯-૨૦ ત્યાં સાક્ષાત્ કોઈ જીવની હિંસા ન હોય તોપણ હિંસાનો હેતુ એવો અયતનાનો પરિણામ છે તેથી તે સામાયિકના કૃત્યમાં હેતુથી હિંસા છે. અથવા સંસારી જીવો સંસારની જે કોઈ પ્રવૃત્તિ કરે છે તેમાં જિનવચનાનુસાર યતના ન હોય તો હેતુથી હિંસા છે. સાક્ષાત્ જીવના વધમાં સ્વરૂપથી હિંસા છે. જેમ કોઈ શ્રાવક યતનાપૂર્વક ભગવાનની પૂજા કરે તે વખતે જલાદિના જીવોનો જે વધ થાય છે તે સ્વરૂપથી હિંસા છે. અથવા સંસારની કોઈ પ્રવૃત્તિમાં સાક્ષાત્ હિંસા થતી હોય તે સ્વરૂપથી હિંસા છે વળી, આજ્ઞાભંગમાં મિથ્યામતિનો ભાવ હોવાને કારણે અનુબંધથી હિંસા છે. જેમ, કોઈ સાધુ યતત્તાપૂર્વક સંયમની ક્રિયા કરતા હોય ત્યારે તે પ્રવૃત્તિમાં હેતુથી હિંસા નથી, વળી તે પ્રવૃત્તિથી કોઈ જીવનો વધ ન થતો હોય તો સ્વરૂપથી હિંસા પણ નથી. આમ છતાં ભગવાનની આજ્ઞાનિરપેક્ષ સ્વમતિ પ્રમાણે તે સાધુ પ્રવૃત્તિ કરતા હોય તો તે ધર્મ-અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં આજ્ઞાભંગના કારણે મિથ્યામતિનો ભાવ છે. અથવા સંસારી જીવો ભગવાનની આજ્ઞાનિરપેક્ષ જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિમાં સાક્ષાત્ હિંસા હોય કે ન પણ હોય તોપણ તે પ્રવૃત્તિમાં અનુબંધથી હિંસા છે. અર્થાત્ ફળથી હિંસા છે; કેમ કે તે મહાત્માને અથવા આજ્ઞાનિરપેક્ષ પ્રવૃત્તિ કરનાર સંસારી જીવોને દુર્ગતિના કડવા ફળરૂપ હિંસાના ફળની પ્રાપ્તિ થાય છે. ૮૭ વળી ભગવાનના વચનથી ભાવિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવને ભોગથી પણ અનુબંધહિંસાની પ્રાપ્તિ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ દૃષ્ટિવાદના ઉપદેશથી ભાવિત હોય છે, તેથી તેની આજ્ઞાનિરપેક્ષ ભોગની પણ પ્રવૃત્તિ નથી. ||૪/૧૯૫ અવતરણિકા : પૂર્વગાથામાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી હિંસાનું સ્વરૂપ બતાવ્યું, હવે, આ ત્રણ પ્રકારની હિંસામાં અનુબંધહિંસા જ અનર્થકારી છે તે બતાવવા અર્થે કહે છે - For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૨૦ ગાથા : હેતુસ્વરૂપ ન હિંસા સાચી, સેવી તે અનુબધ; તો જમાલિપ્રમુખે ફલ પામ્યાં, કઠુઆ કરી બહુ ધબ્ધ. સુખ૦ ૨૦ ગાથાર્થ : હેતુ અને સ્વરૂપ હિંસા સાચી નથી પરમાર્થથી હિંસા નથી, અનુબંધ સેવી તે તો=અનુબંધથી હિંસા સેવી તે તો, જમાલી વગેરે કઠુઆ કરી બહુ ઘંધ ફળ પામ્યા કરવા વિપાકને કરીને સંસારમાં બહુ ભટકવાનાં ફળને પામ્યા. II૪/૨૦I. ભાવાર્થ ત્રણ પ્રકારની હિંસાનું સ્વરૂપ પૂર્વની ગાથામાં બતાવ્યું, તેમાંથી જે હિંસાની પ્રવૃત્તિમાં અનુબંધની હિંસા ન હોય તે હિંસા, હેતુથી હોય કે સ્વરૂપથી હોય તોપણ તે હિંસા સાચી નથી અર્થાત્ કડવા ફળવાળી નથી. જેમ કોઈ વિવેકી શ્રાવક જિનગણના પ્રણિધાનપૂર્વક ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે ભગવાનની ભક્તિકાળમાં કોઈક અયતનાનો પરિણામ થાય તો ત્યાં હેતુથી હિંસાની પ્રાપ્તિ છે અને પુષ્પાદિ જીવોનું ઉપમર્દન થતું હોવાથી સ્વરૂપથી હિંસાની પણ પ્રાપ્તિ છે, તોપણ જિનગણના પ્રણિધાનપૂર્વક કરાતી પૂજા સર્વવિરતિની શક્તિના સંચયનું કારણ હોવાથી અનુબંધથી ફળથી, અહિંસાનું કારણ છે. તેથી શ્રાવકની તે પૂજાની પ્રવૃત્તિમાં જે હેતુહિંસા અને સ્વરૂપહિંસા છે તે અનર્થકારી ફળ આપનાર નથી. વળી કોઈ શ્રાવક જિનવચનથી ભાવિત હોવાને કારણે પોતાની સંયમ સ્વીકારવાની શક્તિના અભાવને કારણે સંસારની પ્રવૃત્તિ કરે ત્યારે યતનાપૂર્વક શક્ય આરંભપરિહાર કરવા યત્ન કરે છે. તેની તે પ્રવૃત્તિ ભોગાદિ માટે હોવાથી તે પ્રવૃત્તિમાં હેતુથી હિંસા છે અને તે પ્રવૃત્તિમાં સ્વરૂપથી પણ હિંસા હોઈ શકે છે, છતાં જિનવચનથી ભાવિત હોવાના કારણે તે પ્રવૃત્તિમાં અનુબંધહિંસા નથી. આથી જ તે પ્રવૃત્તિથી તે શ્રાવકને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. વળી જમાલી વગેરે યતનાપૂર્વક સંયમની ક્રિયા કરતા હતા ત્યારે તેઓની પ્રવૃત્તિમાં હેતુ હિંસા નથી અને યતનાપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરતા હતા ત્યારે For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૨૦-૨૧ સ્વરૂપથી પણ કોઈ હિંસા થતી ન હોય. આમ છતાં ઉત્સૂત્રભાષણને કારણે જમાલી વગેરેએ ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો ત્યારે તેઓની સંયમની પ્રવૃત્તિમાં અનુબંધથી હિંસા હતી. તેના કારણે તેઓ હિંસાના કડવા ફળને પામ્યા, જેથી ઘણા સંસા૨ના પરિભ્રમણના ફળની પ્રાપ્તિ થઈ. માટે ત્રણ પ્રકારની હિંસામાં અનુબંધ હિંસા જ અત્યંત વર્જ્ય છે. વળી, ભગવાનનાં વચનાનુસાર કરાતાં શ્રાવકનાં આર્યકાર્યમાં જે હિંસા દેખાય છે, તેમાં કદાચ પ્રમાદને વશ કોઈ હેતુ હિંસા થાય અથવા તો આર્યકાર્યમાં સ્વરૂપથી હિંસા હોય તોપણ તે આર્યકાર્યમાં અનુબંધથી હિંસા નથી તેથી તે કૃત્યમાં થતી હિંસા પીઠ આપીને નાશે છે એમ ગાથા ૧૮ સાથે પ્રસ્તુત ગાથાનું યોજન કરવું. II૪/૨૦મી અવતરણિકા : ભગવાનની ભક્તિમાં યતતાપરાયણ શ્રાવકને હેતુથી હિંસા નથી, અનુબંધથી પણ હિંસા નથી માત્ર સ્વરૂપથી હિંસા છે અને માત્ર સ્વરૂપથી હિંસા મોક્ષપદની પ્રાપ્તિમાં બાધક નથી, તે બતાવવા અર્થે કહે છે ગાથા : સ્વરૂપથી હિંસા ન ટલે છે, સમુદ્રજલે જે સિદ્ધ; વલી અપવાદપદે જે વરતે, પણ તેણે શિવપદ લીધ. ગાથાર્થ : ૮૯ જે સાધુઓ સમુદ્રજલમાં સિદ્ધ થયા ત્યાં સ્વરૂપથી હિંસા ટળતી નથી, વળી જે સાધુ અપવાદપદથી વર્તે છે, ત્યાં સ્વરૂપથી હિંસા હોવા છતાં, તેમણે પણ શિવપદ લીધ=શિવપદ પ્રાપ્ત કર્યું. ।।૪/૨૧|| સુખ૦ ૨૧ ભાવાર્થ : અઢીદ્વીપમાંથી સર્વસ્થાનોથી જીવો સિદ્ધિગતિને પામે છે. તેથી અઢીદ્વીપમાં વર્તતા સમુદ્રના સ્થાનેથી પણ અત્યાર સુધીમાં ઘણા જીવો સિદ્ધિને પામ્યા છે. વળી, જેઓ સમુદ્રજલમાં કોઈક રીતે દેવતા આદિથી ફેંકાયેલા છે તેઓની કાયાથી જલના જીવોની હિંસા થવા છતાં તેઓ સિદ્ધિને પામ્યા, તેથી સ્વરૂપથી થતી હિંસા સિદ્ધિપદની પ્રાપ્તિમાં બાધક નથી. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૨૧-૨૨ વળી, જેઓ અપવાદપદથી નદી આદિ ઊતરે છે તે વખતે તેઓના ગમનથી જલાદિના જીવોની હિંસા થાય છે, તોપણ યતનાપરાયણ અને ભગવાનની આજ્ઞાનુસાર નદી આદિ ઊતરવાની પ્રવૃત્તિ કરનાર કેટલાક મહાત્માઓએ નદી ઊતરતાં શિવપદની પ્રાપ્તિ કરી. માટે સ્વરૂપથી થતી હિંસા મોક્ષની પ્રાપ્તિમાં બાધક નથી. તેથી કોઈ શ્રાવક યતનાપૂર્વક ભગવાનની ભક્તિ કરે, તેમાં જીવોની હિંસા થાય તે સ્વરૂપહિંસાથી પણ શિવપદની પ્રવૃત્તિનો બાધ થતો નથી. ૯૦ અહીં વિશેષ એ છે કે, જે મહાત્માઓને કોઈ દેવતાદિ સમુદ્રમાં નાંખે તો, તેઓના દેહથી હિંસા થતી હોવા છતાં મોક્ષની પ્રાપ્તિમાં તે હિંસા બાધક નથી, તેની જેમ જિનપૂજાથી થતી હિંસા મોક્ષની પ્રાપ્તિમાં બાધક નથી. હવે ત્યાં સ્થાનકવાસી કહે કે, સમુદ્રમાં નંખાયેલા સાધુ તો પ્રયત્નપૂર્વક હિંસા કરતા નથી, માટે તેમના દેહથી થતી હિંસા મોક્ષપ્રાપ્તિમાં બાધક નથી. પરંતુ શ્રાવક તો પુષ્પાદિમાં હિંસા છે તેમ જાણવા છતાં સ્વપ્રયત્નથી હિંસાને અનુકૂળ વ્યાપારરૂપ પૂજાની ક્રિયા કરે છે માટે તે પૂજાની ક્રિયા મોક્ષનો બાધ કરનારી છે. આના નિવારણ માટે ગાથાના ઉત્તરાર્ધથી બીજું દૃષ્ટાંત આપે છે અને કહે છે કે જેઓ અપવાદપદથી નદી ઊતરતા હોય તેવા પણ સાધુ નદી ઊતરતાં કેવળજ્ઞાનને પામ્યા, તે સ્થાનમાં નદી ઊતરવાની ક્રિયા જલના જીવોની વિરાધનારૂપ છે તેમ તે સાધુ જાણે છે છતાં ભગવાનના વચનના આલંબનથી અપવાદપદે તે સાધુ નદી ઊતરવાની ક્રિયા કરે છે અને તે નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા મોક્ષપદની પ્રાપ્તિમાં બાધક નથી. તેમ શ્રાવકની જિનપૂજામાં થતી હિંસા પણ મોક્ષપદની પ્રાપ્તિમાં બાધક નથી. ||૪/૨૧|| અવતરણિકા : જિનપૂજામાં થતી હિંસા અનુબંધથી હિંસા નથી તેમ સ્વીકારનારા જ શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે, તે બતાવવા અર્થે કહે છે ગાથા : સાધુવિહાર પરિ અનુબન્ધુ, નહીં હિંસા જિનભક્તિ; ઈમ જે માને તેહની વાધે, સુજશ આગમ-શક્તિ. For Personal & Private Use Only - સુખ૦ ૨૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ઢાળ : ૪ | ગાથા : ૨૨ ગાથાર્થ ઃ સાધુના વિહાર પરે=સાધુના વિહારની જેમ, અનુબંધથી જિનભક્તિમાં હિંસા નથી, એમ જે માને તેને સુયશને કરનાર એવી આગમની શક્તિ વાઘે=વધે. ।।૪/૨૨।। ભાવાર્થ : સાધુ નવકલ્પી વિહાર કરે છે અને યતનાપૂર્વક ગમનની ચેષ્ટા કરે છે, ત્યારે સાધુની વિહારની ક્રિયામાં વાઉકાયના જીવોની હિંસા થાય છે; કેમ કે વાઉકાયના જીવો સર્વત્ર વ્યાપક છે, આમ છતાં ભગવાનના વચનાનુસાર વિહાર કરનાર સાધુને સંયમના કંડકોની વૃદ્ધિ થતી હોવાથી વિહારની પ્રવૃત્તિમાં અનુબંધથી હિંસા નથી=ફળથી હિંસા નથી, પરંતુ ફળથી અહિંસા જ છે; કેમ કે તે પ્રવૃત્તિથી પુણ્યાનુબંધીપુણ્ય અને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. વળી, જેમ, સાધુના વિહારમાં અનુબંધથી હિંસા નથી તેમ જિનભક્તિમાં અનુબંધથી હિંસા નથી; કેમ કે ભગવાનની ભક્તિકાળમાં પ્રવર્ધમાન જિનગુણના રાગને કારણે પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. આમ જેઓ માને છે તેઓને સુંદર યશને કરનાર એવી આગમની શક્તિ વધે છે અર્થાત્ આગમનો પારમાર્થિક બોધ થાય છે, જે પારમાર્થિક બોધ સર્વકલ્યાણનું કારણ છે. માટે ભગવાનની પૂજામાં થતી હિંસાને જોઈને પ્રતિમા પૂજનીય નથી તેમ જેઓ કહે છે તે અત્યંત અનુચિત છે. II૪/૨૨ા ** ૯૧ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૫ | ગાથા : ૧-૨ (રાગ - માહરી સહિરે સમાણી - એ દેશી) અવતરણિકા : ભગવાનની પ્રતિમા પૂજનીય છે તે સિદ્ધ કરવા આ ઢાળમાં શાશ્વતી પ્રતિમાના સ્વરૂપનું વર્ણન કરે છે – ગાથા : સાસયપડિમા અડસય માને, સિદ્ધાયતનવિમાનેરે; ધન ધન જિન વાણી. ટેક પ્રભુ તેં ભાષી અંગ ઉવંગે, વરણવશું તિમ રંગે રે. ધન ૧ ગાથાર્થ - સિદ્ધાયતન વિમાનમાં ૧૦૮ સંખ્યાના પ્રમાણમાં શાશ્વત પ્રતિમાઓ છે. ભગવાનની વાણીને ધન્ય છે. ભગવાને તે સિદ્ધાયતન વિમાનમાં શાશ્વત પ્રતિમા છે તે, જેમ અંગ-ઉપાંગમાં ભાખી છે તેમ રંગપૂર્વક વર્ણન કરીશું. 1પ/૧il ભાવાર્થ- સિદ્ધાયતન નામના દેવવિમાનમાં એકસો આઠ સંખ્યાના પ્રમાણમાં શાશ્વત પ્રતિમા છે તે જે પ્રમાણે ભગવાને અંગ-ઉપાંગમાં ભાખી છે તે પ્રમાણે શાસ્ત્રમાં વર્ણન કરાયેલા સ્વરૂપવાળી પ્રતિમાનું વર્ણન કરવાની ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા કરે છે. પ/૧ ગાથા : કંચનમય કરપદતલ સોહે, ભવિજનનાં મન મોહે રે; ધન અંકરતનમય નખ સસનેહા, લોહિતાક્ષમળે રેહા રે. ધન૨ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૫ | ગાથાઃ ૨-૩-૪-૫ ૯૩ ગાથાર્થ : કંચનમય કર અને પગનાં તળિયાં શોભે છે, જેને જોઈને ભવિજનનાં મન મોહે છે. કર અને પદના તલની તળિયાની, મધ્યમાં લોહિતાક્ષ રત્નની રેખાઓ છે. અંકરત્નમય નખ સસનેહા સ્નિગ્ધતાવાળા નખ છે. I૫/રા. ગાથા : ગાત્રયષ્ટિ કંચનમય સારી, નાભિ તે કંચન-ક્યારી રે; ધન રિઠ રતન રોમરાજિ વિરાજે, ચુચુક કંચન છાજે રે. ધન૦ ૩ ગાથાર્થ : ગાત્રયષ્ટિ દેહ, સુંદર એવો કંચનમય છે અને સુવર્ણની ક્યારીવાળી નાભિ છે. રિષ્ટ રત્નની રોમરાજી શોભે છે દેહ પર રિઝ રત્નનાં રૂંવાડાં શોભે છે. યુટ્યુક સ્તનનો અગ્રભાગ, સુવર્ણમય શોભે છે. Im/3II ગાથા : શ્રીવચ્છ તે તપનીય વિશાલા, હોઠ તે લાલ પ્રવાલા રે; ધન દંત ફટિકમય જીહ ધ્યાલુ, વલી તપનીયનું તાજુ રે; ધન ૪ ગાથાર્થ - છાતીમાં સુવર્ણનો વિશાળ “શ્રીવત્સ” શોભે છે અને લાલ પ્રવાલા વિક્મમય હોઠ છે, સ્ફટિકમય દંત છે, જિલ્લા ધ્યાલ છે ધ્યામલ એટલે બાળી નાંખેલા મળવાનું સુવર્ણ થાય છે તેવા સ્વભાવવાળું એ ધ્યાલુ છે. તેથી જીભ સુવર્ણમય છે, તાલુકતાળવું, સુવર્ણમય છે. I૫/૪ll ગાથા : કનક નાશિકા તિહાં સુવિશેષા, લોહિતાક્ષની રેખા રે; ધન, લોહિતાક્ષરેખિત સુવિશાલા, નયન અંક રતનાલા રે. ધન પ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૫ | ગાથા : ૫-૬-૭-૮ ગાથાર્થ : ત્યાં વિશેષ પ્રકારની કનકમય નાસિકા છે અને અંદરમાં લોહિતાક્ષરત્નની રેખા છે. લોહિતાક્ષ રેખાથી સુવિશાલ એવી બે આંખો અંક રતનાલા=અંતરત્નમય છે. પ/પI ગાથા : અચ્છિપત્તિ ભમુહાવલી કીકી, રિઠરતનમય નીકી રે; ધન શ્રવણ નિલાડવટી ગુણશાલા, કંચન ઝાકઝમાલા રે. ધન૬ ગાથાર્થ - અચ્છિપત્તિ અક્ષીનાં પત્રો=આંખની પાંપણ, ભમુહાવલી-ભ્રમરો અને કીકી રિઝરતનમય નીકી=સુંદર છે, શ્રવણ=કાન, નિલાઇવટી કપાળ, કંચનથી ઝાકઝમાલ અને ગુણની શોભાવાળાં છે. પ/li ગાથા : વજરતનમય અતિહિ સોહાણી, શીશઘડી સુખખાણી રે; ધન કેશભૂમિ તપનીયનિવેશા, રિટ્ટરતનમય કેશા રે. ધન- ૭ ગાથાર્થ : વ્રજરત્નમય અતિશોભાયમાન, સુખની ખાણ એવી શીશઘડીક શીર્ષઘટિકા મસ્તકની હઠ્ઠી હાડકાં છે. અને કેશની ભૂમિ તપનીયના= સુવર્ણના, નિવેશવાળી છે અને કેશ રિઝરત્નમય છે. પણ ગાથા : પૂંઠે છત્ર ધરે પ્રત્યેકે, પ્રતિમા એક વિવેકે રે; ધન દોય પાસે દોય ચામર ઢાલ, લીલાએ જિનને ઉવારે રે. ધન, ૮ ગાથાર્થ : પ્રત્યેક એકસો આઠ પ્રતિમામાંથી પ્રત્યેક, પ્રતિમાની પૂંઠે=પાછળ, એક પ્રતિમા છત્રધરની એક પ્રતિમા વિવેકપૂર્વક છત્ર ધારણ કરે છે અને બે બાજુએ બે પ્રતિમા ચામર ઢાળે છે દરેક પ્રતિમાની બે બાજુએ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા : ૮-૯-૧૦-૧૧ ૯૫ ચામર ઢાળનારની બે પ્રતિમા ચામર ઢાળે છે, અને લીલાપૂર્વક જિનને ઉવારે છે=ઓવારણાં લે છે. II૫/૮ાા ગાથા: નાગ ભૂત યક્ષ ને કુંડધારા, આગે દોય ઉદારા રે; ધન૦ તે પડિમા જિનપડિમા આગે, માનું સેવા માગે રે. ધન૦ ૯ ગાથાર્થ : આગે તે દરેક જિનપ્રતિમાની આગળ, દોય ઉદારા=બે ઉદાર નાગદેવની પ્રતિમા, બે ઉદાર યક્ષ પ્રતિમા અને કુંડને ધારણ કરનારી બે ઉદાર પ્રતિમા છે અને તે પ્રતિમા=નાગદેવતા, ભૂતદેવતા, વગેરેની પ્રતિમાઓ જાણે જિનપ્રતિમા આગળ સેવા માંગતી ન હોય તેમ હું માનું છું. ।।૫/૯૫ ગાથા : ઘંટ કલશ શૃંગાર આયંસા, થાલ પાઈ સુપઈટ્ટા રે; ધન૦ મણગુલિયા વાયકરગ પ્રચંડા, ચિંતા રયણકરંડા રે. ધન૦ ૧૦ ગાથાર્થ : તે જિનપ્રતિમા આગળ ૧૦૮ ઘંટ, ૧૦૮ કલશ-ચંદનના કલશો, ૧૦૮ શ્રૃંગાર=કલશ વિશેષ, ૧૦૮ અરીસા, ૧૦૮ થાળા, ૧૦૮ પાત્રી, ૧૦૮ સુપઈઢા=દાભડા, ૧૦૮ મણગુલિયા=પીઠિકાવિશેષ, ૧૦૮ વાયકરગ=અત્યંત શોભનીય વાટકા, ૧૦૮ ચિંતા રયણકરંડા= ચિત્રરત્નના કંરડિયા, છે. II૫/૧૦II ગાથા : હય ગય નર કિન્નર કિંપુરિસા, કંઠ ઉરગ વૃષ સરીસા રે; ધન૦ રયણપુંજ વલી ફૂલ ચંગેરી, માલ્ય ને ચૂર્ણ અનેરી રે. ધન૦ ૧૧ ગાથાર્થ ઃ ૧૦૮ હય સરીસાકંઠ-અશ્વના કંઠ, ૧૦૮ ગય સરીસાકંઠ=હસ્તિના કંઠો, ૧૦૮ નર સરીસાકંઠ=પુરુષના કંઠો, ૧૦૮ કિન્નર સરીસાકંઠ, For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૫ | ગાથા : ૧૧-૧૨-૧૩-૧૪ ૧૦૮ કિં,રિસ સરીસાકંઠ, ૧૦૮ ઉરગ સરીસાકંઠ-સર્પના કંઠ, ૧૦૮ વૃષ સરીસાકંઠ વૃષભના કંઠો, ૧૦૮ રયણપુંજરત્નના ઢગલા, ૧૦૮ ફૂલ ચંગેરીeભાજનવિશેષ, ૧૦૮ માલ્યચંગેરી, ૧૦૮ અનેક પ્રકારની ચૂર્ણ ચંગેરી છે. પ/૧૧II ગાથા : ગંધ વસ્ત્ર આભરણ ચંગેરી, સરસવ પુંજણી કેરી રે; ધન ઈમ પુષ્પાદિક પડલ વખાણ્યાં, આગે સિંહાસન જાણ્યાં રે. ધન) ૧૨ ગાથાર્થ - ૧૦૮ ગંધ અંગેરી, ૧૦૮ વસ્ત્ર ચંગેરી, ૧૦૮ આભરણ ચંગેરી, ૧૦૮ સરસવ ચંગેરી, ૧૦૮ પુંજણી અંગેરી, ૧૦૮ પુષ્પ વગેરેના ઢગલા વખાણ્યા અને ભગવાનની આગળ ૧૦૮ સિંહાસન જાણ્યા શાસ્ત્રથી જાણ્યા. I૫/૧૨ll. ગાથા : છત્ર ને ચામર આગે સમુચ્ચા, તેલ કુષ્ઠભૂત જુગા રે; ધન ભરિયા પત્ર ચોયગ સુવિલાસે, તગર એલા શુચિવાસે રે. ધન ૧૩ ગાથાર્થ - ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર, વળી ભગવાનની આગળ ૧૦૮ તેલ સમુદ્ગકો, ૧૦૮ કુષ્ઠ=કોઇ સમુગકો, ૧૦૮ જગ્ગા સમુગકો, ૧૦૮ પત્ર ભરેલા ચોયગ સમુદ્ગકો શોભે છે. ૧૦૮ તગર સમુદ્ભૂકો, ૧૦૮ એલા-ઈલાયચી સમુગકો, વગેરે પવિત્ર વાસ સુગંધી, પદાર્થથી ભરેલા જાણવા. I/પ/૧all ગાથા : વલિ હરતાલ ને મનસિલ અંજન, સવિ સુગંધ મનરંજન રે; ધન ધ્વજા એક શત આઠ એ પૂરાં, સાધન સર્વ સનૂરાં રે. ધન૦ ૧૪ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા ઃ ૧૪-૧૫, ૧૬ ૯૭ ગાથાર્થ : વળી ૧૦૮ હરતાલ સમુગકો, ૧૦૮ મનસિલ સમુગકો, ૧૦૮ અંજન સમુગકો – સર્વ મનોરંજન સુગંધથી ભરેલા જાણવા, ૧૦૮ ધ્વજાઓ એ સર્વ સનૂરાં સાધન છે જિનપ્રતિમા આગળ સુંદર સાધનો છે. પિ/૧૪ll ગાથા - સુર એ પૂજાસાધન સાથે, જિન પૂજે નિજ હાથે રે; ધન સિદ્ધાયતને આપ વિમાને, શૂભાદિક બહુ માને રે. ધન ૧૫ ગાથાર્થ : દેવો એ પૂજાના સાધન સાથે નિજ હાથે જિનને પૂજે છે અને સિદ્ધાયતન નામના પોતાના વિમાનમાં યૂભાદિકને બહુ માને છે ખંભાદિકને બહુ પૂજે છે. પ/૧૫ll ગાથા : એહ અપૂરવ દરિશણ દીઠું, સુરતરુફલથી મીઠું રે; ધન એ સંસારસમુદ્ર નાવા, તારણતરણસહારા રે. ધન- ૧૬ ગાથાર્થ : એહ આ પ્રકારનું ઉપરમાં વર્ણન કર્યું એ પ્રકારનું, શાસ્ત્ર દ્વારા અપૂર્વ દર્શન જિનપ્રતિમાનું અપૂર્વ દર્શન જોયું, જે કલ્પવૃક્ષના ફલથી પણ મીઠું છે અને તે જિનપ્રતિમાનું દર્શન સંસારસમુદ્ર માટે નાવ સમાન છે અને તારણતરણ સ્વભાવવાળું છે ભગવાનનું વીતરાગ સ્વરૂપ બીજાને અવલંબન દ્વારા તારણ સ્વભાવવાળું છે અને સ્વયં સંસારથી તરણ પર રહેવાના સ્વભાવવાળું છે. પ/૧૬ll. ભાવાર્થ : પૂર્વમાં સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓનું ગ્રંથકારશ્રીએ શાસ્ત્રના વચનાનુસાર વર્ણન કર્યું. મહાવૈભવવાળી તે જિનપ્રતિમાઓ ભગવાનની For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ _ વીરતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૫ | ગાથા : ૧૬-૧૭ મૂર્તિસ્વરૂપ છે અને તેનું દર્શન ગ્રંથકારશ્રીને અપૂર્વ દેખાય છે, કેમ કે ગ્રંથકારશ્રીને સંસારમાં દેખાતાં સર્વ રમ્ય પદાર્થો કરતાં વીતરાગતાના સ્વરૂપને અને તીર્થકરના મહાવૈભવને બતાવે તેવી મૂર્તિનું સ્વરૂપ અપૂર્વ દર્શનરૂપે દેખાય છે અને કલ્પવૃક્ષના ફળ કરતાં પણ તે દર્શન મીઠું લાગે છે, કેમ કે વીતરાગ પ્રત્યે ભક્તિવાળા મહાત્માઓને વીતરાગનું દર્શન સૌથી અધિક મધુર રસથી યુક્ત દેખાય છે. વળી જિનગુણના પ્રણિધાનપૂર્વક જિનપ્રતિમાનું દર્શન સંસારસમુદ્રને તરવા માટે નાવ જેવું છે. જેમ નાવના અવલંબનથી સુખે કરીને સમુદ્ર તરી શકાય છે તેમ વીતરાગના સ્વરૂપના અવલંબનથી સુખે કરીને આ સંસારસમુદ્ર તરી શકાય છે. આ રીતે વીતરાગનું સ્વરૂપ અવલંબન લેનારને તારવાના સ્વભાવવાળું છે. અને ચાર અતિશયવાળા વીતરાગ સ્વયં સંસારસમુદ્રથી પર હોવાને કારણે તરણ સ્વભાવવાળા છે. આથી જ તીર્થકરનો ચરમભવ ફરી જન્મનું કારણ નથી. આવા સ્વભાવવાળા તીર્થકર ભગવંતની પ્રતિમાને જોઈ ગ્રંથકારશ્રીને અપૂર્વ ભક્તિ થાય છે. પ/૧૬ાા ગાથા : ઈમ વિસ્મય ભવભર્યું ગુણરાગે, ઝીલે તેહ અતાગે રે; ધન રાચે માચે ને વલિ નાચે, ધરમધ્યાન મન સાચે રે. ધન ૧૭ ગાથાર્થ : ઈમ વિસ્મયથી શાસ્ત્રમાં જિનપ્રતિમાનું વર્ણન સાંભળ્યું એને વાંચીને થયેલા વિસ્મયથી, ભવના ભયથી=આ સંસાર અત્યંત ભયરૂપ છે તેમાંથી વિસ્તારના આશયથી, અને ગુણના રાગથી જિનપ્રતિમામાં વર્તતા ગુણના રાગથી, તેહ=જેમણે જિનપ્રતિમાનું વર્ણન સાંભળ્યું છે, અતાગે ઝીલે જિનપ્રતિમાના ગુણોના વર્ણનને સ્પર્શે તે રીતે ઝીલે, અને તેવી જિનપ્રતિમાને તે રીતે ઝીલીને જિનગુણમાં રાચે, માચે અને વળી હર્ષમાં આવીને નાચે જેથી સાચા મનથી ધર્મધ્યાનને પ્રાપ્ત કરે. I૫/૧૭ll For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા : ૧૭-૧૮ ભાવાર્થ - ભગવાનની પ્રતિમાનું વર્ણન સાંભળીને ગ્રંથકારશ્રીને કે વિવેકી પુરુષને વિસ્મય થાય છે પુણ્ય પ્રકર્ષવાળા તીર્થકર કેવા હોય ? અને તેના સ્વરૂપને અભિવ્યક્ત કરનાર દેવવિમાનમાં રહેલ જિનપ્રતિમા કેવી હોય છે ? તેનું વર્ણન સાંભળીને વિસ્મય થાય છે. વળી ચાર ગતિમાં પરિભ્રમણરૂપ ભવભ્રમણના ભયને કારણે ભયથી ઉદ્વિગ્ન થયા છે તેવા મહાત્માઓ ભગવાનના ગુણને કારણે ભગવાનના સ્વરૂપના મર્મને દેખાડનાર જિનપ્રતિમાને ઝીલે છે અને ભગવાનની મુદ્રા જોઈને વિચારે છે કે આવા અસંગવાળા જીવોને સંસારમાં કોઈ કદર્થના નથી માટે તેમની ભક્તિ કરીને તેમના જેવા ગુણોને હું પ્રાપ્ત કરું તે પ્રકારના પ્રણિધાનપૂર્વક જિનપ્રતિમાને ઉપસ્થિત કરીને જેઓ મનમાં રાચે છે-માચે છે અને હર્ષમાં આવી ભગવાનની ભક્તિ રૂપે નાચે છે તેવા મહાત્માઓ સાચા મનથી ધર્મધ્યાનને પ્રાપ્ત કરે છે. પ/૧ળા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જિનપ્રતિમાનું વર્ણન સાંભળીને મહાત્માઓ હર્ષમાં આવીને રાચે-માચે અને નાચે છે. તે વખતે તે નાચનારા શું પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – ગાથા : થઈ થેઈ કરતાં દે તે ભમરી, હર્ષે પ્રભુગુણ સમરી રે; ધન યોગ નિરાલંબન લય આણી, વશ કરતા શિવરાણી રે. ધન૧૮ ગાથાર્થ : ભગવાનની પ્રતિમાનું વર્ણન સાંભળીને તે પ્રતિમા આગળ થેઈ થઈ કરતાં ભાવથી નાચતા, હર્ષથી પ્રભુગુણ સ્મરીને હર્ષની અભિવ્યક્તિરૂપ ભમરી ફરે અને યોગ નિરાલંબનમાં લય આણી તે શિવરાણીને વશ કરે છે. I૫/૧૮II. ભાવાર્થ :પૂર્વમાં ગ્રંથકારશ્રીએ શાસ્ત્રવચનના બળથી જિનપ્રતિમાનું વર્ણન કર્યું અને For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા : ૧૮-૧૯ તે વર્ણનને સાંભળીને જે મહાત્માને જિનપ્રતિમા પ્રત્યે અત્યંત ભક્તિ થઈ છે તેથી હર્ષથી પ્રભુના ગુણનું સ્મરણ કરે છે અને થેઈ થેઈ કરતા ભમરી આપે છે અને ભગવાનના વીતરાગતા ગુણનું સ્મરણ કરીને જો તે મહાત્મા ભગવાનના ગુણોમાં તન્મયભાવને પામે તો તે મહાત્મા નિરાલંબનયોગમાં લય પામે છે; કેમ કે વીતરાગના ગુણના સ્મરણથી તન્મય પામેલી અવસ્થા નિરાલંબનયોગને પ્રાપ્ત કરે છે. અને જે મહાત્મા નિરાલંબનયોગને પ્રાપ્ત કરે છે તે શિવરાણીને વશ કરે છે. જેમ ભગવાનના ગુણના સ્મરણપૂર્વક વીર પ્રભુને પારણું કરાવવાના અભિલાષથી જીરણ શ્રેષ્ઠિ નિરાલંબન ધ્યાનને પામે છે તેમ આગળમાં વર્ણવેલ જિનપ્રતિમાના વર્ણનને સાંભળીને જિનગણમાં તન્મય થયેલા મહાત્મા નિરાલંબન ગુણને પ્રાપ્ત કરે છે. પ/૧૮ ગાથા : ઈમ નંદીશ્વરપ્રમુખ અનેરાં, શાશ્વત ચૈત્ય ભલેરાં રે; ધન તિહાં જિન પૂજી તે અનુમાને, જનમ સફલ નિજ માને રે. ધન. ૧૯ ગાથાર્થ - ઈમ પૂર્વમાં વર્ણન કર્યું એમ, નંદીશ્વર પ્રમુખ અનેરાં શાશ્વત ચેત્યો ભાલેરાં છે સુંદર છે. તે અનુમાને પૂર્વમાં જિનપ્રતિમાનું વર્ણન કર્યું તે અનુમાને, તિહાં નંદીશ્વર વગેરેમાં રહેલા, જિનને પૂજીને નિજ જન્મને સફલ માને છે. પ/૧૯ll ભાવાર્થ : પૂર્વમાં જિનપ્રતિમાનું વર્ણન કર્યું તે પ્રકારની મહાવૈભવવાળી જિનપ્રતિમા નંદીશ્વર વગેરે શાશ્વત ચૈત્યોમાં સુંદર છે. જે ચૈત્યો દેવલોક કરતાં અનેરા છે અને તે અનુમાનથી=શાસ્ત્રમાં તેનું વર્ણન કર્યું છે તે અનુમાનથી, ત્યાંની જિનપ્રતિમાને પૂજીને=જે શ્રાવકો ત્યાં જવા સમર્થ નથી તેઓ પણ મનના પ્રણિધાનપૂર્વક ત્યાંની પ્રતિમાને પૂજીને પોતાનો જન્મ સફલ માને છે. II૫/૧૯TI For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા ઃ ૨૦-૨૧ ૧૦૧ અવતરણિકા :વળી દેવતાઓ નંદીશ્વર વગેરેનાં ચૈત્યોની કયારે ભક્તિ કરે છે તે બતાવે છે – ગાથા : કલ્યાણક અઠ્ઠાઈ વરસી, તિથિ ચઉમાસી સરખી રે; ધન તેહ નિમિત્તે સુર જિન અરયે, નિત્ય ભક્તિપણ વિરચે રે. ધન© ૨૦ ગાથાર્થ : જિનના કલ્યાણક નિમિત્તે, ચઉમાસી સરખી અઢાઈ નિમિત્તે, વરસી તિથિ વગેરે નિમિત્તે સુર=દેવો, જિનને અર્થે છે નંદીશ્વરમાં રહેલ જિનપ્રતિમાઓનું અર્ચન કરે છે. અને નિત્ય હંમેશાં, ભક્તિપણે વિરચના કરે છે ત્યાં અનેક પ્રકારની વિરચના કરે છે. પ/૨૦] ભાવાર્થ : દેવતાઓ નંદીશ્વરદ્વીપ વગેરેમાં રહેલાં શાશ્વત ચેત્યોની પાંચ કલ્યાણક વખતે, વરસની તિથિ અને ચોમાસી તિથિમાં અઢાઈ મહોત્સવ કરે છે. ત્યાં જાય છે અને તે નિમિત્તે ભગવાનની પૂજા કરે છે અને હંમેશાં ભક્તિપૂર્વક અનેક વિરચનાઓ કરી તેમાં રચ્યા-પચ્યા રહે છે. તે પ્રકારના શાસ્ત્રવચનથી નક્કી થાય છે કે જિનપ્રતિમા પૂજનીય છે. પ/૨૦ અવતરણિકા : ભગવાનની પ્રતિમાની ભક્તિથી આત્મા કઈ રીતે કલ્યાણને સાધે છે ? તે બતાવવા કહે છે – ગાથા : ભાવ અકખયભાવે જે મલિયો, તે નવિ જાએ ટલિયો રે; ધન ફરિ તાંબુ નવિ હોય નિષેધ, હુઓ હેમરસ વેધે રે. ધન૦ ૨૧ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વીરતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ પ| ગાથા : ૨૧ વાલ - ગાથાર્થ - અક્ષયભાવમાં જે ભાવ મળ્યો-જિનપ્રતિમાને જોઈને જિનના વીતરાગભાવ રૂ૫ અક્ષયભાવમાં ભક્તિ કરનાર શ્રાવકનો જે રાગભાવ મળે છે, તે ક્યારેય ટળતો નથી પરંતુ તે રાગભાવ સદાને માટે આત્મામાં રહે છે. હેમરસના વેધથી સુવર્ણ બનેલું તાંબુ તેના નિષેધમાં હેમરસના નિવારણમાં દૂર કરવામાં, ફરી તાંબું થતું નથી. પ/૨૧ ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કર્યું તેવા વૈભવવાળી જિનપ્રતિમાનું વર્ણન સાંભળીને કોઈ મહાત્માને જિનપ્રતિમા જોઈને જિનગણના પ્રણિધાનપૂર્વક રાગભાવ થાય છે અને તેની ભક્તિ કરવાનો પરિણામ હૈયામાં ઉલ્લસિત થાય છે. તે ભાવ અક્ષયભાવ રૂપ વીતરાગભાવમાં મળેલો છે; કેમ કે વીતરાગનો વીતરાગભાવ કયારેય ક્ષય પામતો નથી પરંતુ શાશ્વતકાળ રહેનારો છે. તેવા અક્ષયભાવમાં જે મહાત્માનો રાગભાવ મળ્યો છે તે કયારેય આત્મામાંથી ટળતો નથી પરંતુ આત્મામાં સદા અવસ્થિત રહે છે અને પ્રકર્ષને પામીને તે રાગભાવ વીતરાગ થવાનું કારણ બને છે. વીતરાગના ગુણમાં થયેલો રાગનો ભાવ ટળતો નથી તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જેમ તાંબા ઉપર હેમરસ નાંખવામાં આવે અને તે હેમરસનો વેધ તાંબામાં થાય અર્થાત્ તે હેમરસ આખા ત્રાંબામાં પ્રવેશીને પરિણમન પામે ત્યારે તે તાંબું સુવર્ણ થાય છે. ત્યાર પછી તે હેમરસને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે અર્થાત્ નિષેધ કરવામાં આવે તો પણ હવે તે સુવર્ણ ફરી તાંબુ થતું નથી. તેમ જે મહાત્મા ભગવાનના અક્ષયભાવરૂપ વીતરાગગુણમાં રાગભાવને ધારણ કરીને ભક્તિ કરે છે તે રાગભાવ તેના આત્મામાં હેમરસની જેમ વેધને પામે છે=વ્યાપીને રહે છે. તેથી તે વખતે તે મહાત્માનું ચિત્ત હેમરસ જેવા વીતરાગભાવથી વેધને પામેલું હોવાથી વીતરાગના ગુણોમાં તન્મયને પામે છે જે સુવર્ણભાવ સદશ ઉત્તમભાવ છે. ત્યારપછી તે મહાત્મા સંસારની અન્ય પ્રવૃત્તિ કરતા હોય તોપણ વીતરાગના ગુણોથી વેધને પામેલો તેમનો આત્મા ફરી તાંબાના ગુણોને પામતો નથી પણ વિતરાગભાવથી વાસિત તે મહાત્માનું For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા ઃ ૨૧-૨૨ ચિત્ત અધિક અધિક વીતરાગભાવને પ્રાપ્ત કરીને અંતે તેના આત્માને વીતરાગ સદેશ કરે છે. પ/૨વા અવતરણિકા : વળી, ભગવદ્ભક્તિમાં થયેલો ભાવ અક્ષયભાવને પામે છે તે અન્ય દાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : એકે જલલવ જલધિ ભલાએ, તો તે અક્ષય થાયે રે; ધન આપભાવ જિનગુણમાંહી આણે, તિમ તે અખયપ્રમાણે રે. ધન૦ ૨૨ ગાથાર્થ - જલનું એક ટીપું સમુદ્રમાં ભલાએ=ભળ્યું, તો તે અક્ષય થાય છે. આપભાવ-ભક્તિ કરનાર શ્રાવક્તો ભાવ, જિનગુણમાંહી આણે સમુદ્ર જેવા ભગવાનના ગુણોમાં આવે, તિમ=સમુદ્રમાં એક જલલવની જેમ, તે=પોતાનો ભાવ=જિનગણમાં આવેલો પોતાનો ભાવ, અક્ષય પ્રમાણ નાશ ન પામે તેવો, થાય છે. પ/રચા ભાવાર્થ : પાણીનું એક ટીપું સ્વતંત્ર પડ્યું હોય તો તે સુકાઈ જાય છે પણ તે ટીપું સમુદ્રમાં ભળે તો સુકાતું નથી પરંતુ અક્ષય થાય છે. તેમ સંસારી જીવનો ભાવ જિનગુણને છોડી અન્યત્ર વર્તે તો વિનાશને પામે છે પરંતુ તેનો ભાવ ભગવદ્ભક્તિરૂપ બને અને સમુદ્ર જેવા ગુણવાળા ભગવાનના ભાવમાં આવે તો તે ભાવ ક્યારેય નાશ પામતો નથી. આથી જ જિનગણના પ્રણિધાનપૂર્વક કરાયેલી પૂજામાં થયેલો ભાવ સદાને માટે આત્મામાં રહે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામી આત્માને પરમાત્મા સદશ બનાવે છે. માટે લોકોત્તમ પુરુષ એવા જિનેશ્વરની પ્રતિમા જિન બનવા પ્રણિધાન કરવાનું પ્રબલ આલંબન હોવાથી જિનપ્રતિમા પૂજનીય છે. પ/રશા For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથાઃ ૨૩ અવતરણિકા : વળી દેવતાઓ જિનપ્રતિમા પાસે સુંદર કાવ્યોથી જે રીતે ભક્તિ કરે છે તે ભક્તિ કરનાર મહાત્માને શું ફળ મળે તે બતાવીને જિનપ્રતિમા પૂજનીય છે તે સ્પષ્ટ કરે છે – ગાથા : અપુણરૂર અડસય વડવૃત્ત, ઈમ સુર ભાવે ચિત્તે રે; ધન ઈમ જિન પૂજી જે ગુણ ગાવે, સુજશ લીલ તે પાવે રે. ધન. ૨૩ ગાથાર્થ : અપુણરૂd=જેમાં પુનરુક્તિ ન હોય તેવા, અડસય=એકસો આઠ, વડવૃત્ત શ્રેષ્ઠ કાવ્યોથી આ રીતે, સુર-દેવતાઓ, જિનપ્રતિમા આગળ સુંદર ભાવથી સ્તુતિ કરે છે. તેમ જે શ્રાવક જિનને પૂજીને જિનગુણ ગાય છે તે શ્રાવક સુજસની લીલાને પામે છે. પ/ર૩| ભાવાર્થ - સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓને દેવતાઓ પૂજે છે અને વિબુધ એવા દેવતા અપુનરુક્તિવાળાં ૧૦૮ પ્રમાણ શ્રેષ્ઠ કાવ્યોથી ભગવાનની સ્તુતિ કરે છે. આ રીતે તે દેવતાઓ જિનગણના પ્રણિધાનપૂર્વક ઉત્તમ સ્તુતિ કરે છે તેમ જે શ્રાવક દિનની પૂજા કરીને જિનગુણના પ્રણિધાનનું કારણ બને તેવાં શ્રેષ્ઠ કાવ્યોથી સ્તુતિ કરે તો તે શ્રાવક સદ્ગતિની પ્રાપ્તિરૂપ સુયશની લીલાને પ્રાપ્ત કરે છે. પરિણા For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૧-૨ ઢાળ ૬ (રાગ - ભોલીડા હંસા રે ! વિષય ન રાચિએ - એ દેશી) ગાથા સમકિત સૂયૂં રે તેહને જાણીએ, જે માને તુજ આણ; સૂત્ર તે વાંચે રે યોગ વહી કરી, કરે પંચાંગી પ્રમાણ. સમકિત૦ ૧ ગાથાર્થ : તેહને સૂઘૂં=સાચું, સમકિત જાણીએ, જે માને તુજ આણ=જે ભગવાનની આજ્ઞા માને, અને જે ભગવાનની આજ્ઞા માને તે યોગ વહી કરી=યોગોહન કરી, સૂત્રને વાંચે અને પંચાંગીને પ્રમાણ કરે. ||૬/૧|| ૧૦૫ ભાવાર્થ : જે જીવો ભગવાનની આજ્ઞાને પ્રમાણ કરે તેઓમાં જ સાચું સમ્યક્ત્વ સંભવે, અન્યમાં નહિ. અને જે ભગવાનની આજ્ઞાને પ્રમાણ કરે તેઓ ભગવાનની આજ્ઞા અનુસાર યોગ વહન કરી સૂત્ર વાંચે પરંતુ યોગ વહન કર્યા વિના સૂત્ર વાંચે નહીં; કેમ કે ભગવાને સાધુને યોગોહનપૂર્વક જ સૂત્ર વાંચવાની અનુજ્ઞા આપી છે. વળી જેઓ ભગવાનની આજ્ઞા માને તે ભગવાનનાં આગમો પર રચાયેલ પંચાંગીને પ્રમાણ માને તેથી પંચાંગીનાં વચનોથી સિદ્ધ થયેલા આગમોના અર્થો જેઓ માને તેઓમાં જ સાચું સમ્યક્ત્વ સંભવે, અન્યમાં નહિ. ૬/૧॥ અવતરણિકા : યોગોહન કર્યા પછી જ સૂત્ર વાંચવું જોઈએ એવી ભગવાનની આજ્ઞા છે તે સ્પષ્ટ કરવા કહે છે 511211: ઉદ્દેશાદિક નહીં ચઉનાણનાં, છે સુઅનાણનાં તેહ; શ્રીઅનુયોગદુવાર થકી લહી, ધરીએ યોગસું નેહ. સમકિત૦ ૨ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૨-૩ ગાથાર્થ : ચાર જ્ઞાનના=શ્રુતજ્ઞાનને છોડી બાકીના ચાર જ્ઞાનના, ઉદ્દેશાદિક નથી=ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ નથી, શ્રુતજ્ઞાનના તે છે શ્રુતજ્ઞાનના ઉદ્દેશ-સમુદ્દેશ, વગેરે છે. અનુયોગદ્વાર થકી લહીe અનુયોગદ્વારના વચનથી શ્રુત-જ્ઞાનના ઉદ્દેશાદિક ચારને જાણીને, યોગ પ્રત્યે સ્નેહ ધારણ કરવો જોઈએ=શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, અનુયોગ ગ્રહણ કરવા માટે જે યોગ વહન કરવાનું કહ્યું છે તેના પ્રત્યે સ્નેહ ધારણ કરવો જોઈએ. II/II ભાવાર્થ - શ્રુતજ્ઞાન ભણવા માટે શાસ્ત્રમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ એમ ચાર ક્રમ બતાવ્યા છે. તેથી જે સાધુ જે જે શ્રુતના અધિકારી હોય તે સાધુ પોતાની યોગ્યતા અનુસાર યોગોદ્વહન કરીને ઉદ્દેશાદિક ચારના ક્રમથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આપી શકાતું નથી કે લઈ શકાતું નથી. માટે શ્રુતજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાનને ઉદ્દેશાદિ નથી. આ વાત અનુયોગદ્વારસૂત્રથી જાણીને ઉદ્દેશાદિ ક્રમથી શાસ્ત્ર ભણવા માટે અધિકારીએ યોગોદ્વહન પ્રત્યે સ્નેહ ધારણ કરવો જોઈએ; કેમ કે યોગને વહન કરીને ઉદ્દેશાદિ ક્રમથી શાસ્ત્ર ભણવાથી વિનયપૂર્વક શાસ્ત્ર ગ્રહણ થાય છે અને તે પ્રકારે જે મહાત્મા શાસ્ત્ર ગ્રહણ કરે છે તે જ સાચું સમ્યક્ત્વ ધારણ કરે છે. શા અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે યોગોદ્રહપૂર્વક ઉદ્દેશાદિ ક્રમથી મૃત ભણવું જોઈએ. હવે, તે ક્રમ વિના સીધા ગ્રંથો ભણવાથી શ્રુતની આશાતના થાય છે, તે બતાવવા કહે છે – ગાથા : ઉદ્દેશાદિક ક્રમ વિણ જે ભણે, આશાતે તેહ નાણ; નાણાવરણી રે બાંધે તેહથી, ભગવાઈ અંગ પ્રમાણ. સમકિત ૩ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા ૩-૪ ગાથાર્થ - ઉદ્દેશાદિ ક્રમ વિના જે ભણે જે આગમ ભણે, તે જ્ઞાનની આશાતના કરે છે, તેથી તે રીતે ભણવાથી, જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે તે ભગવતીસૂત્રના વચનથી પ્રમાણ છે. IIS/3II ભાવાર્થ - તે તે શાસ્ત્ર ભણવા માટે તે તે શાસ્ત્ર પ્રત્યે વિનયની અભિવ્યક્તિ માટે યોગોદ્વહનની ક્રિયા છે. તે ક્રિયામાં પ્રથમ ઉદ્દેશની અનુજ્ઞા અપાય છે. ઉદ્દેશની અનુજ્ઞાને પામેલ સાધુ તે આગમના સામાન્યથી અર્થ ગ્રહણ કરી આગમ કંઠસ્થ કરે છે. ત્યારપછી સમુદેશની અનુજ્ઞા અપાય છે જેમાં તે શાસ્ત્રના વિશેષ અર્થને જાણીને તે સાધુ આગમ સ્થિર કરે છે. ત્યારપછી તે સાધુને ગ્રહણ કરેલા આગમના સૂત્ર અને અર્થને સ્થિર પરિચિત કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે. જેથી તે સાધુ સૂત્ર અને અર્થને સ્થિર પરિચિત કરે છે. પછી અનુયોગની અનુજ્ઞા અપાય છે ત્યારે તે સાધુ ગુરુથી પ્રાપ્ત થયેલ અર્થ અનુસાર યોગ્ય શિષ્ય પાસે તે સૂત્રોનું વ્યાખ્યાન કરે છે. આ ક્રમ વિના જેઓ શાસ્ત્ર વાંચે છે તે ભગવાનના વચનની આશાતના કરી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે એમ ભગવતીસૂત્ર નામના પાંચમાં અંગમાં કહેલ છે. માટે જેને ભગવાનના વચન પ્રત્યે સ્થિર શ્રદ્ધા હોય તે ભગવાનનું વચન માને, અન્યથા સમ્યક્ત્વ રહે નહિ. ૬/૩ અવતરણિકા : વળી યોગોદ્ધહતની વિધિ શાસ્ત્રમાં કહી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : શ્રી નન્દી-અનુયોગદુવારમાં, ઉત્તરાધ્યયને રે યોગ; કાલગ્રહણનો રે વિધિ સઘલો કહ્યો, ધરિએ તે ઉપયોગ. સમકિત ૪ ગાથાર્થ : શ્રી નંદી-અનુયોગદ્વારમાં શ્રીનંદીસૂત્રમાં, અનુયોગદ્વારસૂત્રમાં, અને For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૪-૫ ઉત્તરાધ્યયનસૂત્રમાં યોગોદ્વહન અને કાલગ્રહણનો સઘળો વિધિ કહ્યો છે તે ધરીને તેને ધારણ કરીને, ઉપયોગ રાખવો જોઈએ તે ક્રિયા કરવામાં યત્ન કરવો જોઈએ. ll૧/૪ll. ભાવાર્થ નંદીસૂત્રમાં, અનુયોગદ્વારસૂત્રમાં અને ઉત્તરાધ્યયનસૂત્રમાં સૂત્ર ભણવા માટેના વિનયની ક્રિયારૂપ યોગ વહન કરવાનો કહ્યો છે અને તે માટે કાલગ્રહણની સઘળી વિધિ બતાવી છે. તે સૂત્રોથી તે વિધિને જાણીને તે પ્રમાણે યત્ન કરવામાં આવે તો જ ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધા રહે, અન્યથા સમ્યકત્વનો નાશ થાય. II૬/૪ ગાથા : ઠાણે ત્રીજે રે વલી દશમે કહ્યું, યોગ વહે જેહ સાધ; આગમેરિભદ્દા તે સંપજે, તરે સંસાર અગાધ. સમકિત ૫ ગાથાર્થ - ઠાણાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં, વળી દસમા સ્થાનમાં જે સાધુ યોગો દ્વહન કરે છે તે આગમસીભદ્દા-આગળમાં ભદ્રપણાને પામશે તેવા થાય છે, તેમ કહ્યું છે અને તેઓ અગાધ સંસારને તરે છે. II૬/૫ll . ભાવાર્થ : ઠાણાંગસૂત્રમાં સંસારસાગરથી તરવા માટે ત્રણ સ્થાનો અને દસ સ્થાનો બતાવ્યાં છે તેમાં એક સ્થાન યોગોદ્વહન છે. તેથી જે સાધુ યોગોદ્વહન કરે છે અને તે અનુસાર સૂત્ર ભણે છે તેઓ આગમસીભદ્દા થાય છે અર્થાત્ ભવિષ્યમાં જેનું કલ્યાણ થવાનું છે તેવા થાય છે અને તેથી અગાધ સંસારસાગરને તરે છે. અહીં વિશેષ એ છે કે ઠાણાંગસૂત્ર અનુસાર સ્વ સ્વ ભૂમિકા પ્રમાણે જે સાધુ તે તે યોગોદ્વહન કરે અને ઉદ્દેશ, સમુદેશ આદિના ક્રમથી તે તે આગમો ભણે અને તે તે આગમનો અર્થથી સ્વાધ્યાય કરીને આત્માને અત્યંત ભાવિત કરે For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૫-૬-૭ અને યોગ્ય શિષ્યોને ઉચિત વ્યાખ્યાન કરે તે સાધુ શાસ્ત્રથી ભાવિત મતિવાળા થવાને કારણે અને શાસ્ત્રવિધિ અનુસાર તે સૂત્ર ગ્રહણ કર્યું હોવાને કારણે ભાવિમાં કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે=સુમનુષ્યપણું, સુદેવપણું પ્રાપ્ત કરે છે. પરંતુ માત્ર યોગોદ્વહનની ક્રિયા કરે અને અન્ય કાંઈ કરે નહિ તેવા સાધુને તે પ્રમાણેની કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. II/પા. ગાથા : યોગ વહીને રે સાધુ કૃત ભણે, શ્રાવક તે ઉપધાન; તપઉપધાને રે કૃતપરિગ્રહ કહ્યા, નન્દીએ તેહ નિદાન. સમકિત ૬ ગાથાર્થ : યોગ વહન કરીને સાધુ કૃત ભણે અને શ્રાવક ઉપધાન કરીને તે મૃત ભણે, તપ ઉપધાન તપ અનુષ્ઠાનથી શ્રુતપરિગ્રહ=શ્રતની પૂર્વ ભૂમિકારૂપ અંગ, કહ્યું શ્રીનંદીસૂત્રમાં તે નિદાન તે કથન છે. ભાવાર્થ : નંદીસૂત્રના વચનથી યોગોદ્વહનની વિધિ સ્પષ્ટ કરતાં કહે છે. સાધુ શ્રુતના વિનયરૂપ યોગોદ્વહન કરીને શ્રુત ભણે અને શ્રાવક શ્રાવકાચારની પડાવશ્યકક્રિયાના વિનયરૂપ ઉપધાન કરીને શ્રુત ભણે. તે તપ-અનુષ્ઠાનને નંદીસૂત્રમાં શ્રુતના પરિગ્રહ રૂપ શ્રતના પૂર્વાગ રૂપ કહ્યા છે. તેથી યોગોદ્વહન કરીને જ શ્રુત ભણવું જોઈએ. ligકા ગાથા : ઇરિયાદિકનાં રે ષટ ઉપધાન છે, તેણે આવશ્યક શુદ્ધ; ગૃહી સામાયિક આદિ શ્રુત ભણે, દીક્ષા લેઈ અલુદ્ધ. સમકિત ૭ ગાથાર્થ : ઈરિયાવહીયા આદિનાં છ ઉપધાન છે. તેનાથી શ્રાવકનું આવશ્યક શુદ્ધ થાય છે અને ગૃહી તે ઉપધાન કરીને સામાયિક આદિ શ્રત ભણે For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૭-૮ અને ત્યારપછી શક્તિ સંચય થાય ત્યારે દીક્ષા લઈ અલુદ્ધ બને=નિર્લેપ બને. II૬/૭II ભાવાર્થ : શ્રાવકને ઉપધાન કરીને સૂત્રો અને અર્થ ગ્રહણ કરવાની વિધિ છે. તેથી શ્રાવક તે તે સૂત્રો ગ્રહણ કરવા માટેનાં તપ-ઉપધાન કરે અને તે તપ-ઉપધાનપૂર્વક તે તે સૂત્રો અને તે તે સૂત્રોના અર્થો સ્થિર પરિચિત કરે તો વિધિપૂર્વક ગ્રહણ કરાયેલા, અને અર્થ સાથેની એકવાક્યતાવાળાં તેવાં તે સૂત્રોથી કરાતી આવશ્યક ક્રિયા શુદ્ધ બને; કેમ કે તેવા પરિણત શ્રાવક અવશ્ય તે તે સૂત્રના પરમાર્થને જાણીને તે તે સૂત્રોના અર્થથી ભાવિત થઈને તે છ આવશ્યકની ક્રિયા કરે જેથી છ આવશ્યકમય એવું તેમનું માનસ નિષ્પન્ન થાય. આવા ગૃહસ્થ સામાયિક આદિ શ્રુત ભણે અને સંર્વવિરતિની શક્તિનો સંચય થાય ત્યારે દીક્ષા ગ્રહણ કરી સર્વત્ર અશુદ્ધ થાય=સર્વત્ર નિર્લેપ પરિણામવાળા થાય. II૬/૭ના અવતરણિકા : શ્રાવકને ઈરિયાવહિયાદિકનાં છ ઉપધાનો છે. તેથી ષડાવશ્યક ભણે છે, પરંતુ આગમસૂત્રના યોગોહનરૂપ ક્રિયાનું વિધાન શ્રાવકને આશ્રયીને શાસ્ત્રમાં નથી તેથી કોઈ શ્રાવક આગમસૂત્ર ભણતા નથી. માટે પણ સાધુએ યોગોહનપૂર્વક આગમ ભણવું જોઈએ તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - 21121 : સૂત્ર ભણ્યા કોઈ શ્રાવક નવિ કહ્યા, લદ્ધōા કહ્યા તેહ; પ્રથમ જ્ઞાન ને પછી દયા કહી, તિહાં સંજત ગુણ રેહ. ગાથાર્થ : કોઈ શ્રાવક સૂત્ર ભણ્યા=આગમસૂત્રો ભણ્યા, છે એમ શાસ્ત્રમાં કહ્યું નથી, પરંતુ શાસ્ત્રમાં તેહ-શ્રાવકોને, લબ્ધાર્થવાળા કહ્યા છે. વળી સમકિત૦ ૮ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬| ગાથા : ૮-૯ ૧૧૧ સાધુને પ્રથમ જ્ઞાન અને પછી દયા કહી છે અર્થાત્ પ્રથમ શાસ્ત્ર ભણે પછી ષકાયના પાલનરૂપ દયા થાય છે તેમ કહ્યું છે, અને તેમાં= જ્ઞાનાભ્યાસપૂર્વકની આચરણામાં, સંયતનો ગુણ રેહ=શોભે. II૬/૮ ભાવાર્થ : યોગોદ્વહનપૂર્વક સૂત્ર ભણવાની વિધિ છે તે વગર સૂત્ર ભણવાનો નિષેધ છે. આથી જ શાસ્ત્રમાં શ્રાવક સૂત્ર ભણેલા છે એમ નથી કહ્યું, કેમ કે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા નિર્લેપ મુનિ યોગોદ્વહનના અધિકારી છે, અન્ય નહિ. આમ છતાં શ્રાવકો પણ કલ્યાણના અર્થી છે માટે શ્રાવકોને “લબ્ધાર્થ” કહ્યા છે અર્થાત્ શ્રાવકો સીધાં આગમસૂત્રો ભણી શકતા નથી પણ આગમસૂત્રો પર રચાયેલા મહાપુરુષોના ગ્રંથો ભણીને અને ગીતાર્થો પાસેથી આગમના પરમાર્થને સાંભળીને “લબ્ધાર્થ” થયેલા છે. તેથી ફલિત થાય છે કે ગમે તેવી સુંદર પરિણતિવાળા શ્રાવક પણ યોગોદ્વહનના અનધિકારી હોવાથી સૂત્ર ભણતા નથી. માટે સૂત્ર ભણવાના અધિકારી એવા સાધુને પણ યોગોદ્વહનપૂર્વક જ સૂત્ર ભણવાં જોઈએ. વળી, જે સાધુ શક્તિ હોવા છતાં યોગોદ્વહન કરીને સૂત્ર ભણતા નથી તેઓમાં પરમાર્થથી સંયમ રહેતું નથી તે બતાવવા ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – “પ્રથમ જ્ઞાન પછી દયા કહ્યું છે. એટલે દીક્ષા ગ્રહણ કરીને સાધુ અવશ્ય પ્રથમ જ્ઞાન મેળવે તો તે જ્ઞાનથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ કરીને પકાયના પાલન રૂપ દયા પાળી શકે. અને તેમ કરે તો સાધુમાં સંયમગુણ શોભે. પરંતુ જેઓ વિધિપૂર્વક યોગોદ્વહન કરીને સૂત્રો ભણતા નથી અને તે સૂત્રોને સ્થિર પરિચિત કરીને તે સૂત્રોના અર્થોથી આત્માને ભાવિત કરતા નથી તેઓ સંયમની ક્રિયામાત્ર કરે છે એટલામાત્રથી સંયમ પ્રાપ્ત થતું નથી. ll૧/૮ અવતરણિકા : શ્રાવકો મોક્ષના અર્થી છે પણ સૂત્ર ભણવાના અધિકારી નથી. છતાં સૂત્ર ભણી સૂત્રથી વાસિત થયેલો આત્મા જ સંસારનો શીધ્ર અંત કરે છે તેવો બોધ છે જેને, તેવા શ્રાવકો શક્તિનો સંચય થાય એટલે તરત જ સૂત્ર For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૯ ભણવા અર્થે અવશ્ય સંયમ ગ્રહણ કરે છે તેમ બતાવે છે જેથી નક્કી થાય કે સૂત્ર અધ્યયન માટે સંયમ અને યોગોદ્દવહન આવશ્યક છે. ગાથા : નવમે અધ્યયને રે બીજા અંગમાં, ઘરમાંહિં દીવ ન દિg; વલિય ચઉદમે રે કહ્યું શિક્ષા લહે, ગ્રંથ તજે તે ગરિä. સમકિત૯ ગાથાર્થ : બીજા અંગમાં સૂયગડાંગ નામના બીજા અંગના નવમા અધ્યયનમાં, કહ્યું છે કે ઘરમાં ગૃહવાસમાં, દીવો જોયો નથી=સૂત્ર ગ્રહણરૂપ દીવો જોયો નથી. તેથી સૂત્રગ્રહણના અર્થી શ્રાવકો સંયમ ગ્રહણ કરે છે તે પ્રકારનો અર્થ અધ્યાહાર છે. વળી બીજા અંગના જ ચૌદમા અધ્યયનમાં કહ્યું છે કે જે શ્રાવક ગ્રંથને ત્યજેન્નપરિગ્રહને છોડે, અને શિક્ષા લહે=સંયમ ગ્રહણ કરીને ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા પ્રાપ્ત કરે, તે શ્રાવક સાધુ થઈને ગરિષ્ઠ બને છે. II/II ભાવાર્થ : સૂયગડાંગસૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે શ્રાવકો સૂત્ર ભણવાના અનધિકારી હોવાથી તેઓ જાણે છે કે ગૃહસ્થાવસ્થામાં સૂત્રરૂપ દીવો નથી. તેથી તેવા શ્રાવકો શાસ્ત્ર ભણીને અને ગીતાર્થ પાસેથી શાસ્ત્ર સાંભળીને લબ્ધાર્થ થયા પછી પણ સૂત્રની અપ્રાપ્તિને કારણે પોતે વિશેષ કલ્યાણ સાધી શકતા નથી એમ જાણે છે. માટે જેવો સર્વવિરતિની શક્તિનો સંચય થાય કે તરત જ તે ધીર પુરુષો ગૃહનો ત્યાગ કરે છે. વળી સૂયગડાંગસૂત્રના જ ચૌદમા અધ્યયનમાં કહ્યું છે કે સંયમ લઈને તે ગૃહસ્થો ગ્રંથને ત્યજે છે=અંતરંગ અને બહિરંગ પરિગ્રહને ત્યજે છે અર્થાત્ અંતરંગ મમત્વરૂપ પરિગ્રહને ત્યજે છે અને બહિરંગ ધન, ધાન્ય, કુટુંબરૂપ પરિગ્રહને ત્યજે છે અને શાસ્ત્રવિધિ અનુસાર શિક્ષા ગ્રહણ કરે છે તે સાધુ થઈને ગરિષ્ઠ બને છે. અર્થાત્ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે. સૂયગડાંગસૂત્રના નવમા અધ્યયનનો પાઠ આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૯-૧૦ નવમા અધ્યયનનો પાઠ : " गिहे दीवमपासंता, पुरिसादाणिया नरा ते धीरा बंधणुमुक्का, नावकखंति जीवियं" ઘરમાં દીવાને નહીં જોતા=ગૃહસ્થાવસ્થામાં શ્રુતના સૂત્રરૂપ દીવાને નહીં જોતા પુરુષાદાનીય એવા તે ધીર નરો બંધનથી મુક્ત થયેલા=ગૃહના બંધનથી મુક્ત થયેલા જીવિતની આકાંક્ષા રાખતા નથી-અસંયમપૂર્વકના જીવિતની આકાંક્ષા રાખતા નથી. તેથી દીક્ષા ગ્રહણ કરીને શ્રુતરૂપ દીવાને પ્રાપ્ત કરે છે અને તેના બળથી આત્માને ભાવિત કરીને સંયમને ઉલ્લસિત કરે છે. ૧૧૩ વળી સૂયગડાંગસૂત્રના ચૌદમા અધ્યયનનો પાઠ આ પ્રમાણે છે. "गंथं विहाय इह सिक्खमाणो उट्ठाय सुबंभचरे वसिज्जा ओवायकारी विणयंत सिक्खे जे छे से विप्पमायं न कुज्जा" ગ્રંથને છોડીને–અંતરંગ, બહિરંગ પરિગ્રહરૂપ ગ્રંથને છોડીને, સંયમજીવનમાં શિક્ષા ગ્રહણ કરતા ઉત્થિત થઈને=સંયમમાં ઉત્થિત થઈને, સુબ્રહ્મચર્યમાં વસે, ઉપાયને કરનારા વિનયપૂર્વક શિક્ષાને ગ્રહણ કરતા જે છેય=નિપુણ, છે તે પ્રમાદને કરે નહિ–તે સાધુ પ્રમાદને કરે નહીં. ॥૬/૯ના અવતરણિકા : વળી ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં કહેલા વચનથી પણ શ્રાવકો આચારાંગસૂત્ર આદિ આગમ ભણેલા હોતા નથી તેમ બતાવીને સાધુ યોગોહનપૂર્વક આગમ ભણવાના અધિકારી છે તેમ બતાવતાં કહે છે . ગાથા: સપ્તમ અંગે રે અપઢિયા સંવરી, દાખ્યા શ્રાદ્ધ અનેક; નવિ આચારધરાદિક તે કહ્યા, મોટો એહ વિવેક. સમકિત૦ ૧૦ ગાથાર્થ ઃ ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં આગમસૂત્ર નહીં ભણેલા સંવરવાળા અનેક શ્રાદ્ધ બતાવ્યા છે. પરંતુ તે-તેઓને આચારધરાદિ= For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૧૦-૧૧ આચારાંગ આદિ સૂત્ર ભણેલા, કહ્યા નથી તે મોટો વિવેક છે અર્થાત્ શ્રાવક સૂત્ર ભણવાના અધિકારી નથી તેમ કહ્યું તે મોટો વિવેક છે. ||૬|૧૦|| ભાવાર્થ : ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં ભગવાનના શ્રાવકોનું વર્ણન છે. તેમાં વીરપ્રભુના જે મહાશ્રાવકોના પ્રસંગો છે તે શ્રાવકો પ્રાયઃ સર્વ લબ્ધાર્થ= ગૃહીતાર્થવાળા છે. તોપણ આચારાંગ આદિ આગમસૂત્રો ભણીને તેના ભાવનથી સંવરવાળા થયા નથી તેમ બતાવ્યું છે. અને કહ્યું છે કે અનેક શ્રાવકો આચારાંગ આદિ સૂત્રોને ભણ્યા વિના સંવરભાવને પામેલા છે પણ તેમ કહ્યું નથી કે તેઓ આચારાંગ આદિ સૂત્રોને ધારણ કરનારા છે. આ રીતનું કથન તે શાસ્ત્રનો મોટો વિવેક છે; કેમ કે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા સાધુ જ યોગોહનપૂર્વક આચારાંગ આદિ સૂત્રો ભણવાના અધિકારી છે, અન્ય નહિ. આમ છતાં ભગવાનના વચનથી ભાવિત મતિવાળા તે શ્રાવકો આગમો ભણ્યા વિના ભગવાનના વચનથી પ્રાપ્ત થયેલા અર્થોના બળથી સંવરભાવને પામે છે. તેથી પણ ફલિત થાય છે કે સંવરભાવની પ્રાપ્તિનું પ્રબળ કારણ એવા આચારાંગ આદિ સૂત્રો યોગોહનપૂર્વક ભણવાના અધિકારી સાધુ જ છે, અન્ય નહિ. માટે યોગોહન કર્યા વિના જે સૂત્રો ભણે છે અને અનધિકારી એવા જે સ્થાનકવાસી ગૃહસ્થો સૂત્રો ભણે છે તેમનામાં ભગવાનના વચનની સાચી શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ નથી તેમ પ્રથમ ગાથા સાથે સંબંધ જોડવો. II૬/૧૦/ અવતરણિકા : ૧૧૪ યોગોહન કર્યા વિના શ્રાવક પણ આગમ ભણવાના અધિકારી છે તેમ સ્થાપન કરવા માટે સ્થાનકવાસી ઉત્તરાધ્યયનસૂત્રનું વચન કહે છે તે બતાવીને ગ્રંથકારશ્રી તેના તાત્પર્યને સ્પષ્ટ કરે છે 21121 : ઉત્તરાધ્યયને રે કોવિદ જે કહ્યો, શ્રાવક પાલિત ચંપ; તે પ્રવચન નિગ્રંથ વચન થકી, અરથ વિવેક અકમ્પ. For Personal & Private Use Only સમકિત૦ ૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ / ગાથા : ૧૧-૧૨ ગાથાર્થ : ઉત્તરાધ્યયનસૂત્રમાં ચંપાનગરીના પાલિત નામના શ્રાવકને જે “કોવિદ' કહ્યો છે તે પ્રવચનના નિગ્રંથ વચન થકી કહ્યો છે અને તે શ્રાવક અર્થના વિવેકને કારણે અકંપ છે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળો છે, પરંતુ સૂત્રના અધ્યયનથી અકંપ નથી. II૬/૧૧ ભાવાર્થ ચંપાનગરીનો પાલિત નામનો શ્રાવક જે ભગવાનનાં શાસ્ત્રોના મર્મને જાણનાર હતો માટે તેને ઉત્તરાધ્યયનસૂત્રમાં કોવિદ=પંડિત, કહ્યો છે. આ રીતે શ્રાવકને યોગોદ્વહનની વિધિ નથી છતાં પણ આગમ ભણવાના અધિકારી છે તેમ કહીને સ્થાનકવાસીઓ યોગોદ્વહન વગર શાસ્ત્ર ભણવામાં બાધ નથી તેમ સ્થાપન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તે પાલિત નામનો શ્રાવક નિગ્રંથ પ્રવચનનાં વચન સાંભળી કોવિદ થયેલો છે અને નિગ્રંથ પ્રવચનના વચનના અર્થના વિવેકને કારણે ભગવાનના વચનમાં નિષ્ઠપ થયેલ છે, પણ આચારાંગસૂત્ર આદિ આગમસૂત્રો ભણીને કોવિદ થયેલ નથી. આમ શ્રાવક આગમ ભણવાના અધિકારી નથી. આનાથી અર્થથી એ ફલિત થાય કે સાધુ આગમ ભણીને કોવિદ થાય છે અને સૂત્ર-અર્થના ભાવનથી નિષ્કપ થાય છે. જ્યારે શ્રાવકો તો સૂત્ર ભણવાના અધિકારી નથી તેથી ગીતાર્થો પાસેથી પ્રવચનનાં વચનો સાંભળી સાંભળી તેના અર્થના વિવેકથી આત્મકલ્યાણમાં નિષ્કપ પ્રવૃત્તિ કરે છે. જ્યારે સુસાધુ તો આચારાંગ વગેરે સૂત્રો અને તેના અર્થોના ભાવનથી તે શ્રાવકો કરતાં ઘણી અધિક નિષ્કપ પ્રવૃત્તિ કરી શકે છે. માટે જ શ્રાવકો પણ ગૃહસ્થજીવનમાં સૂત્રરૂપી દીવો નથી તેમ જાણી શક્તિસંચય થાય તો સૂત્રરૂપ દીવાની પ્રાપ્તિ અર્થે સંયમ ગ્રહણ કરે છે એમ ગાથા-૯ સાથે સંબંધ જોડવો. I૬/૧૧/l અવતરણિકા : પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દશમા અંગના વચનથી પણ સાધુ જ સૂત્ર ભણવાના અધિકારી છે, ગૃહસ્થ નહીં તે સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૧૨-૧૩ ગાથા : સૂત્રે દીધું રે સત્ય તે સાધુને, સુરનારને વલી અત્ય; સંવરદ્વારે રે બીજે ઈમ કહ્યું, અંગ દશમે સમરત્વ. સમકિત ૧૨ ગાથાર્થ : ભગવાને સત્યવચનને કહેનારું સૂત્ર સાધુને આપ્યું છે અને દેવમનુષ્યને તેનો અર્થ આપ્યો છે. અર્થાત્ સૂત્ર આપ્યું નથી પરંતુ અર્થ આપ્યો છે તે પ્રમાણે પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દસમા અંગના બીજા સંવરદ્વારમાં કહ્યું છે. II૬/૧૨ા ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દસમા અંગમાં દસ પ્રકારનાં સત્યોનું વર્ણન કહ્યું છે અને તે સત્ય સૂત્રથી સાધુને આપ્યું છે. શ્રાવકને નહીં. વળી દેવતાઓ અને મનુષ્યો જે ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધાવાળા છે તેમને અર્થથી તે દસ પ્રકારનાં સત્યોનું સ્વરૂપ બતાવ્યું છે. આ કથન દસમા અંગના બીજા સંવરદ્વારમાં કહ્યું છે. તેથી એ ફલિત થાય છે કે સાધુ સૂત્ર અને અર્થના બળથી દસ પ્રકારના સત્યના પરમાર્થને જાણીને વચનગુપ્તિ અને ભાષાસમિતિને પ્રાપ્ત કરી સંવરભાવને પામે છે અને શ્રાવકો અને દેવતાઓ તે શાસ્ત્ર વચનના અર્થને સાંભળી સ્વભૂમિકા અનુસાર સંવરભાવને પામે છે. પરંતુ શ્રાવકો સાધુની જેમ સૂત્ર અને અર્થના અવલંબનથી સંવરભાવને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી પણ ફલિત થાય છે કે શ્રાવક સૂત્ર ભણવાના અધિકારી નથી માટે અધિકારી એવા સાધુએ અત્યંત સંવરપૂર્વક અને યોગોદ્વહનપૂર્વક આગમ ભણવાં જોઈએ અને અધિકારી એવા શ્રાવકો સૂત્રો ભણે તો સૂત્રની આશાતનાને કારણે સમકિત રહે નહિ. I/૬/૧રના અવતરણિકા: હવે શ્રાવકને સૂત્ર ભણવાનો નિષેધ છે તે ઠાણાંગસૂત્રના વચનથી સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૧૩-૧૪ ૧૧૭ ગાથા : વલિય વિગપડિબદ્ધને વાચના, શ્રીઠાણાંગે નિષિદ્ધ; નવિય મનોરથ શ્રુત ભણવાતણો, શ્રાવકને સુપ્રસિદ્ધ સમકિત) ૧૩ ગાથાર્થ : શ્રી ઠાણાંગસૂત્રમાં વિગપ્રતિબદ્ધ એવા સાધુને વાચના આપવાનો નિષેધ છે અને શ્રાવકને મૃત ભણવાના મનોરથ પ્રસિદ્ધ નથી, II૬/૧૩ll ભાવાર્થ ઠાણાંગસૂત્રમાં વિગઈમાં પ્રતિબદ્ધ=ધૃતાદિ વિગઈમાં વૃદ્ધ, હોય એટલે યોગવહેતો નથી એવા સાધુને સૂત્રની વાચના આપવાનો નિષેધ કર્યો છે. તેથી અર્થથી એ ફલિત થાય કે ગૃહસ્થ સૂત્રની વાચનાના અધિકારી નથી; કેમ કે ગૃહસ્થો શાતાના અર્થી છે માટે જ સર્વથા પાપવ્યાપારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરતા નથી અને જેઓ શાતાના ભોગના અર્થી છે તેઓ વિગઈમાં પ્રતિબદ્ધ જ છે. આવા ગૃહસ્થો ક્વચિત્ બાહ્યથી વિગઈઓનો ત્યાગ કરતા હોય તોપણ દેહ સંબંધી ભોગાદિના અર્થી એવા તેઓ વાચનાના અધિકારી નથી. વળી શ્રુત ભણવાનો મનોરથ પણ શ્રાવકને સુપ્રસિદ્ધ નથી, પણ સાધુને આશ્રયીને સુપ્રસિદ્ધ છે. આથી જ સાધુ ત્રણ સ્થાનોથી મહાનિર્જરા કરે છે તે ત્રણ સ્થાનોમાંથી એક સ્થાનમાં સાધુ વિચારે છે કે “ક્યારે હું મારી શક્તિ અનુસાર અલ્પ કે ઘણું શ્રુત ભણીશ ?” તે પ્રકારના મનોરથ કરી ઘણી નિર્જરા કરે છે. શ્રાવક સંયમ લેવાના મનોરથો કરે છે પણ શ્રુત ભણવાના મનોરથો કરતા નથી, કેમ કે શ્રાવક આગમરૂપ શ્રુત ભણવાના અધિકારી છે. જો તેઓ આગમરૂપ શ્રુત ભણવાના અધિકારી હોય તો તેઓ પણ સાધુની જેમ તે પ્રકારના મનોરથો કરી ઘણી નિર્જરાને પ્રાપ્ત કરે. II૬/૧૩ અવતરણિકા : હવે, નિશીથસૂત્રના વચનથી શ્રાવકને આગમ ભણવાનો નિષેધ છે, તે બતાવે છે – For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા: ૧૪-૧૫ ગાથા : વાચના દેતાં રે ગૃહિને સાધુને, પાયચ્છિત્ત ચઉમાસ; કહ્યું નિશીથે રે તો શું એવડી, કરવી હુંશ નિરાશ ? સમકિતo ૧૪ ગાથાર્થ : ગૃહસ્થને વાચના દેતા એવા સાધુને ચારમાસનું પ્રાયશ્ચિત્ત નિશીથસૂત્રમાં કહ્યું છે. તો તેવી નિરાશ સૂત્રો ભણવાની એવી ખોટી હોંશ, શું કરવી ? અર્થાત્ ગૃહસ્થોએ સૂત્ર ભણવાની હોંશ કરવી જોઈએ નહીં. II૬/૧૪ll ભાવાર્થ| નિશીથસૂત્રમાં કહ્યું છે કે જે સાધુ ગૃહસ્થને આગમની વાચના આપે છે અર્થાત્ આગમનાં સૂત્રો આપે છે તે સાધુને ચારમાસનું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. તેથી અર્થથી એ ફલિત થાય છે કે ગૃહસ્થ આગમ ભણવાના અધિકારી નથી. છતાં ખોટી એવી આગમ ભણવાની હોંશ કેમ કરવી જોઈએ ? અર્થાત્ કરવી જોઈએ નહીં; કેમ કે તેમ કરવાથી ભગવાનના વચનનો અનાદર થવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે અને મિથ્યાત્વને સ્થિર કરી આગમ ભણવાથી કલ્યાણની નહીં પરંતુ અકલ્યાણની જ પ્રાપ્તિ થાય. માટે ગૃહસ્થ આગમ ભણવાના અધિકારી નથી એમ જ માનવું જોઈએ. li૬/૧૪ll અવતરણિકા : ગાથા-૧માં કહ્યું કે જેઓ ભગવાનની આજ્ઞા માને છે તેઓમાં સાચું સમ્યકત્વ છે અને ભગવાનની આજ્ઞા માને તેઓ યોગોવહન કરી સૂત્રો વાંચે. તેથી ત્યારપછીની ગાથાઓમાં સાધુને યોગોદ્ધહનપૂર્વક સૂત્ર વાંચવાનો અધિકાર છે તેની ગ્રંથકારશ્રીએ અત્યારસુધી સ્પષ્ટતા કરી. વળી, ગાથા૧માં કહેલ કે જે પંચાંગીને પ્રમાણ માને તે ભગવાનની આજ્ઞા માને છે તેથી હવે આગમવચનથી પંચાંગીને પ્રમાણ સ્વીકારવાની યુક્તિ આપે છે – For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૧૫-૧૬ ગાથા : તજિય અસજ્જાઈ ગુરુવાચના, લેઈ યોગ ગુણવંત; જે અનુયોગ ત્રિવિધ સાચો લહે, કરે તે કર્મનો અન્ત. ગાથાર્થ : અસજ્ઝાયનો ત્યાગ કરી ગુણવંત એવા સાધુ યોગ લહીને= યોગોહન કરીને, ગુરુ પાસેથી વાચના લે તે સાધુ ત્રણ પ્રકારનો સાચો અનુયોગ પ્રાપ્ત કરે છે અને તેનાથી સંસારનો અંત કરે ||૬/૧૫।। ૧૧૯ ભાવાર્થ : જે સાધુ સંસારથી ભય પામેલા છે તેઓ ભગવાનના વચન અનુસાર ત્રણ ગુપ્તિને ધારણ કરનારા હોઈ ગુણવંત હોય છે અને શાસ્ત્રવિધિ અનુસાર યોગને વહન કરી, અસજ્ઝાયકાલનો ત્યાગ કરી ગુરુ પાસેથી આગમની વાચના ગ્રહણ કરે છે. આ વાચના ત્રણ પ્રકારની છે. તે ત્રણ પ્રકારની વાચના દ્વારા સાધુ સૂત્રના સાચા અર્થને પ્રાપ્ત કરીને તેનાથી પોતાના આત્માને ભાવિત કરે છે. જેથી તે મહાત્મા કર્મનો અંત કરે છે. આ ત્રણ પ્રકારની વાચનામાં પંચાંગીનો સ્વીકાર થાય છે જે ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. ૬/૧૫ અવતરણિકા : સમકિત૦ ૧૫ પૂર્વગાથામાં કહ્યું કે જેઓ વિધિપૂર્વક વાચના ગ્રહણ કરે છે તે ત્રણ પ્રકારનો સાચો અનુયોગ=સાચું વ્યાખ્યાન પ્રાપ્ત કરે છે. તેથી હવે તે ત્રણ પ્રકારના અનુયોગને સ્પષ્ટ કરે છે - ગાથા : સૂત્ર અરથ પહિલો બીજો કહ્યો, નિજુત્તીએ રે મીસ; નિરવશેષ ત્રીજો અંગ પંચમે, ઈમ કહે તું જગદીશ. સમકિત૦ ૧૬ ગાથાર્થઃ સૂત્ર અર્થ પહેલો કહ્યો=પહેલો અનુયોગ કહ્યો, બીજો અનુયોગ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૧૬ નિર્યુક્તિથી મિશ્ર કહ્યો અને ત્રીજે નિરવશેષ અનુયોગ કહ્યો-તે સૂત્ર ઉપર જે કોઈ ચૂર્ણિ વગેરે છે તે સર્વથી અનુયોગ કહ્યો છે. અને આ પ્રકારનો અનુયોગ પાંચમા અંગમાંeભગવતીસૂત્રમાં, છે એમ જગદીશ= ભગવાન કહે છે. II/૧૬II ભાવાર્થ :-- ગીતાર્થ ગુરુ યોગ્ય શિષ્યને યોગોહનપૂર્વક આગમની ક્રમસર ત્રણ વાચના આપે છે. તે ત્રણ વાચનાથી આગમના અર્થની પ્રાપ્તિરૂપ અનુયોગની પ્રાપ્તિ ત્રણ ભૂમિકાથી થાય છે. અનુયોગ=વ્યાખ્યાનસૂત્ર, તેમાં પહેલું વ્યાખ્યાન અર્થનું કરે છે, જેમાં તે સાધુ સૂત્ર અને સૂત્રના સામાન્ય અર્થને ધારણ કરી સૂત્ર-અર્થને કંઠસ્થ, સ્થિર, પરિચિત કરે છે. આ રીતે સૂત્ર-અર્થથી સંપન્ન થયેલા તે સાધુને ગીતાર્થ ગુરુ નિર્યુક્તિથી યુક્ત બીજો અનુયોગ આપે છે અર્થાત્ બીજું વ્યાખ્યાન કરે છે જેથી તે મહાત્માને નિર્યુક્તિના બળથી સૂત્રના ગંભીર અર્થોની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે તે સાધુ સૂત્ર અને વિશેષ અર્થને સ્થિર કરી લે ત્યારપછી ત્રીજી વાચનામાં તે સૂત્રો પર જે કાંઈ ભાષ્ય, ચૂર્ણિ વગેરે ઉપલબ્ધ હોય તેનાથી તે સૂત્રનો અર્થ કરે છે. આ પ્રમાણે ત્રણ પ્રકારનો અનુયોગ ભગવતીસૂત્ર નામના પાંચમા અંગમાં ભગવાને કહ્યો છે. તેથી પાંચમા અંગના વચનના પ્રમાણથી સૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય વગેરે પંચાંગીને પ્રમાણ સ્વીકારવી જોઈએ અને જેઓ પંચાંગીને પ્રમાણ માનતા નથી તેઓને ભગવાનના વચનમાં શ્રદ્ધા નથી માટે સમ્યકત્વ નથી. અહીં વિશેષ એ છે કે સ્થાનકવાસી જિનપ્રતિમાને પૂજ્ય માનતા નથી અને પંચાંગીના વચનથી જિનપ્રતિમાની પૂજ્યતા સિદ્ધ ન થાય તેના માટે તેઓ કહે છે કે આગમવચન પ્રમાણ છે પણ પંચાંગી પ્રમાણ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જેઓ પંચાંગીને પ્રમાણ માને નહિ તેઓમાં સમકિત નથી માટે પાંચમા અંગના વચનના બળથી પંચાંગીને પ્રમાણ માનવી જોઈએ અને પંચાંગીને પ્રમાણ સ્વીકારીએ તો તેના વચનના બળથી પ્રતિમાને પૂજ્યરૂપે સ્વીકારવી જોઈએ. II૬/૧૧ના For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન ટાળઃ ૬| ગાથા: ૧૭ ૧૨૧ અવતરણિકા : વળી પંચાંગીને પ્રમાણ સ્વીકારવા અર્થે અનુયોગદ્વારસૂત્રની સાક્ષી આપે છે – ગાથા : સૂત્ર નિજુરી રે બિહું ભેદે કહે, ત્રીજું અનુયોગદ્વાર; કૂડા કપટી રે જે માને નહી, તેહને કવણ આધાર? સમકિતo ૧૭ ગાથાર્થ : સૂત્ર અને નિર્યુક્તિના બેઉ ભેદ ત્રીજા અનુયોગદ્વારમાં કહેલ છે. કૂડાકપટી એવા જેઓ માને નહિ–અનુયોગદ્વારના વચનથી નિર્યુક્તિને માને નહિ, તેને કોણ આધાર છે ? અર્થાત્ તેને આ સંસારમાં કોઈ આધાર નથી. li૬/૧૭ના ભાવાર્થ અનુયોગદ્વારસૂત્રમાં ત્રીજું અનુયોગદ્વાર છે તે ત્રીજા અનુયોગદ્વારમાં સૂત્ર અને નિર્યુક્તિ એમ બે ભેદે અનુયોગ કહ્યો છે અર્થાતું વ્યાખ્યાન કહ્યાં છે. આશય એ છે કે અનુયોગનાં ચાર દ્વારો છે (૧) ઉપક્રમઅનુયોગ (૨) નિક્ષેપઅનુયોગ (૩) અનુગમઅનુયોગ અને (૪) નયઅનુયોગ. એ ચાર દ્વારમાંથી ત્રીજું અનુગાનુયોગ નામનું દ્વાર છે અને તે દ્વારમાં કહ્યું છે કે અનુગમ બે પ્રકારના છે. (૧) સૂત્રઅનુગમ (૨) નિયુક્તિઅનુગમ. તેથી તે ફલિત થયું કે આગમના વ્યાખ્યાનને બતાવનાર અનુયોગકારસૂત્રમાં સૂત્ર અનુગમ અને નિર્યુક્તિ અનુગમ કહીને બે અનુગમ સ્વીકાર્યા છે અને જેઓ તેને માને નહીં તે અનુયોગદ્વારસૂત્રનો અપલાપ કરે છે. અને આ રીતે અપલાપ કરનાર કૂડકપટી સ્થાનકવાસીઓને કોણ આધાર થાય? અર્થાત્ આ સંસારમાં ભગવાનનું વચન જ તરવાનો આધાર છે અને જેઓ ભગવાનના વચનનો અપલાપ કરે છે તેઓમાં મિથ્યાત્વ હોવાથી સંસારથી તરવા માટે કોઈ આધાર નથી. I૬/૧૭ના For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૧| ગાથાઃ ૧૮ અવતરણિકા - નિર્યુક્તિ ન માનવામાં આવે તો સૂત્રના અર્થની પ્રાપ્તિ થાય નહીં તેમ બતાવીને નિયુક્તિ પ્રમાણ સ્વીકારવામાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે - ગાથા : બદ્ધ તે સૂગે રે અર્થ નિકાચિયા, નિજુત્તિએ અપાર; ઉપવિમાન ગણનાદિક કિહાં લહે? તે વિણ માર્ગ વિચાર. સમકિત૧૮ ગાથાર્થ : સૂત્રમાં તે અર્થો બદ્ધ છે અને નિર્યુક્તિમાં અપાર ઘણા અર્થો નિકાચિત કરાયા છે દેટ કરાયા છે. માટે નિર્યુક્તિથી જ વિશેષથી અર્થની પ્રાપ્તિ છે. વળી, તે વિષ્ણુ નિર્યુક્તિ વગર, ઉપધિનું માન-સાધુની ઉપધિનું પ્રમાણ, ગણનાનું પ્રમાણ ઉપધિની સંખ્યાનું પ્રમાણ, વિગેરે ક્યાંથી પ્રાપ્ત થાય? અને તે વગર માર્ગનો વિચાર ન લહે સંયમજીવનના માર્ગનો વિચાર પ્રાપ્ત થાય નહિ. II/૧૮ll ભાવાર્થ સૂત્રમાં અર્થ નિબદ્ધ છે અર્થાત્ સૂત્ર સાથે અર્થ વાચ્ય-વાચક ભાવરૂપે જોડાયેલો છે અને તે સૂત્રનો વિશેષ અર્થ નિયુક્તિથી નિકાચિત કરાયો છે=સૂત્ર સાથે સુબદ્ધ કરાયો છે. માટે જો નિર્યુક્તિને પ્રમાણ ન સ્વીકારીએ તો નિર્યુક્તિ દ્વારા સુબદ્ધ કરાયેલો અર્થ માત્ર સૂત્રથી પ્રાપ્ત થાય નહિ. આથી સૂત્રના વિશેષ અર્થની પ્રાપ્તિ માટે નિયુક્તિને પ્રમાણ સ્વીકારવી જોઈએ. વળી, સૂત્રમાં સાધુની ઉપધિનું માન અર્થાત્ સાધુની વસ્ત્રાદિ ઉપધિ કેટલી લાંબી પહોળી જોઈએ તેનું માપ સૂત્રમાં બતાવાયું નથી તે જ રીતે ઉપધિની ગણના અર્થાત્ સાધુને કેટલી સંખ્યામાં કઈ ઉપધિ હોય તેનું પ્રમાણ પણ સૂત્રમાં બતાવાયું નથી પરંતુ નિયુક્તિમાં બતાવાયું છે. હવે જો નિર્યુક્તિ જ ન સ્વીકારીએ તો સંયમજીવનમાં કેટલા માનવાળી ઉપધિ જોઈએ ? કેટલી સંખ્યામાં ઉપધિ જોઈએ ? ઇત્યાદિની પ્રાપ્તિ થાય નહિ અને તે વિના સાધુના સંયમજીવનનો માર્ગ કેવા પ્રકારનો For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથાઃ ૧૮-૧૯ છે? તેનો વિચાર-નિર્ણય સાધુ સ્વયં કરી શકે નહિ. જેથી સંયમનો માર્ગ લોપ થાય. પણ, નિર્યુક્તિને પ્રમાણ સ્વીકારીએ તો નિયુક્તિના વચનથી તે સર્વની પ્રાપ્તિ થવાથી ભગવાને બતાવેલા માર્ગની પ્રાપ્તિ થાય. lls/૧૮ અવતરણિકા : સ્થાનકવાસીઓ આગમસૂત્રોનું પ્રમાણ સ્વીકારે છે અને નિર્યુક્તિ વગેરે પંચાંગીને પ્રમાણ સ્વીકારતા નથી અને તેઓ કહે છે કે નિર્યુક્તિ ભગવાનના વચનાનુસાર નથી, આગમસૂત્ર ભગવાનના વચનાનુસાર છે માટે પ્રમાણભૂત છે, નિર્યુક્તિ નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : જો નિર્યુક્તિ ગઈ કુમતિ કહે, સૂત્ર ગયાં નહિ કેમ? જેહ વાચનાએ આવ્યું તે સવે, માને તો હોએ ખેમ. સમકિત૧૯ ગાથાર્થ : જો કુમતિ=સ્થાનકવાસી, કહે કે નિયુક્તિ ગઈ ભગવાને જે અર્થોને કહ્યા તે અર્થોને કહેનારી આ નિર્યુક્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે સૂત્ર કેમ ગયાં નહિ=ભગવાને જે અર્થ કહ્યા તે અર્થને કહેનારાં સૂત્ર કેમ ગયાં નહિ? અર્થાત્ ભગવાને જે અર્થો કહ્યા તે અર્થોને ગણધર ભગવંતોએ સૂત્રમાં નિબદ્ધ કરેલા અને તે સૂત્ર કંઠોપકંઠ શિષ્યોને પ્રાપ્ત થતાં હતાં. ત્યારપછી તેની વિસ્મૃતિ થવાથી તે પણ નિર્યુક્તિની જેમ સાચા અર્થને કહેનારાં છે તે કેમ સ્વીકારી શકાય? અર્થાત્ જેમ નિર્યુક્તિ સાચા અર્થને બતાવી શકતી નથી તેમ સૂત્રો પણ સાચા અર્થને બતાવતાં નથી એમ માનવું જોઈએ અને જેઓ એમ કહે કે વાચનાએ આવ્યું તે સર્વ પ્રમાણ છે અર્થાત્ જ્યારે સાધુઓને સૂત્રોનું વિસ્મરણ થવા લાગ્યું ત્યારે ભગવાનના નિર્વાણ પછી નવસો વર્ષે જ્યાં આચાર્ય ભગવંતોએ ભેગા થઈ વાચના કરી અને તેમાં જે પ્રાપ્ત થયું તે સર્વ પ્રમાણ છે તેમ માને તો, સૂત્રની જેમ વાચના વખતે નિર્યુક્તિ પણ પ્રાપ્ત થઈ, માટે તેને પ્રમાણ માનવી જોઈએ અને જેઓ વાચનાએ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૧૯-૨૦ આવેલ સૂત્ર-નિર્યુક્તિ સર્વને પ્રમાણ માને તો તેઓના મતે સર્વક્ષેમ થાયરસમ્યક્ત્વ થાય. II૬/૧લા અવતરણિકા : અત્યારસુધી ગ્રંથકારશ્રીએ પ્રતિમાને પૂજ્ય સ્વીકારવાની યુક્તિઓ શાસ્ત્રવચનથી બતાવી અને પંચાંગીને પ્રમાણ સ્વીકારવાની પણ અનેક યુક્તિઓ શાસ્ત્રમતિથી બતાવી. હવે તે યુક્તિઓથી કોને સન્માર્ગનો યથાર્થ બોધ થશે અને કોને નહિ થાય, તે ગાથા-૨૦ અને ગાથા-૨૧થી સ્પષ્ટ કરે છે – ગાથા : આંધા આગે રે દરપણ દાખવો, બહિરા આગે રે ગીત; મૂરખ આગે રે કહેવું યુક્તિનું, એ સવિ એક જ રીત. સમકિત ૨૦ ગાથાર્થ : આંધળા આગળ દર્પણ દેખાડો, બહિરા=બહેરા, આગળ ગીત ગાય તે જેમ નિરર્થક છે તેમ મૂરખ આગળ યુક્તિ કહેવી તે સર્વ એક રીતવાળું છે. અર્થાત્ આંધળા આગળ દર્પણ દેખાડવાની જેમ અને બહેરા આગળ ગીત ગાવા જેવું નિરર્થક છે. II૬/૨oli ભાવાર્થ જેઓ પોતાની માન્યતામાં અભિનિવિષ્ટ છે અને તેથી સ્થિર નિર્ણયવાળા છે કે પથ્થરની પ્રતિમા પૂજવાથી કાંઈ પ્રાપ્ત થાય નહિ. કેવળ પૂજાની પ્રવૃત્તિમાં હિંસા હોવાથી પાપની પ્રાપ્તિ થાય અને તે નિર્ણય હોવાને કારણે આગમને પ્રમાણ તરીકે સ્વીકાર્યા છતાં પંચાંગી પ્રમાણ નથી તેમ માની પંચાંગીના બળથી સિદ્ધ થતી પ્રતિમાની પૂજનીયતાને સ્વીકારવા તૈયાર નથી તેઓ શાસ્ત્રના અર્થના નિર્ણય કરવા માટે મૂર્ખ જેવા છે; કેમ કે સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્ર પ્રમાણ માને છે અને તે શાસ્ત્રના પારમાર્થિક અર્થને માનતા નથી અને સ્વમતિ અનુસાર અર્થ કરીને તેનાથી કલ્યાણ થશે તેમ માને છે. તેવા મૂર્ના આગળ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૨૦-૨૧ આગમના વચનના બળથી પ્રતિમા પૂજ્ય છે અને પંચાંગીને પ્રમાણ સ્વીકારવી જોઈએ તેમ કહેનારી જે અત્યારસુધી યુક્તિઓ ગ્રંથકારશ્રીએ બતાવી તે સર્વે યુક્તિઓ આંધળા આગળ દર્પણ દેખાડવામાં આવે કે બહેરા આગળ ગીત ગાવામાં આવે તેના જેવી રીતવાળી છે; કેમ કે આંધળાને દર્પણ બતાવવાથી તેને દર્પણમાં પોતાનું મોં દેખાતું નથી તેને બહેરા પાસે ગીત ગાવાથી બહેરાને તે ગીતથી કાંઈ બોધ થતો નથી. તેમ મૂર્ખ આગળ ગમે તેવી સુંદર યુક્તિઓ બતાવવામાં આવે તો પણ તેઓને બોધ થતો નથી પરંતુ તેમની બુદ્ધિ જ્યાં અભિનિવિષ્ટ છે તે સ્થાનમાં તે યુક્તિને સંગત કરવા માટે પ્રયત્ન કરે છે માટે તેવા પુરુષને કહેલી યુક્તિથી કોઈ લાભ થતો નથી. તેથી ગ્રંથકારશ્રીએ તેવા પુરુષોને ઉદ્દેશીને આ સર્વ યુક્તિઓ બતાવી નથી. તો પ્રશ્ન થાય કે કેવા પુરુષને આશ્રયી આ યુક્તિઓ બતાવી છે તેથી હવે પછીની ગાથામાં કહે છે – II૬/૨૦| ગાથા : મારગ-અરથી પણ જે જીવ છે, ભદ્રક અતીહિ વિનીત; તેહને એ હિતશિખ સોહામણી, વલી જે સુનય અધીત. સમકિતo ૨૧ ગાથાર્થ : જે જીવ માર્ગના અર્થી પણ છે અને કોઈક રીતે સ્થાનકવાસીનો કહેલો વિપરીત માર્ગ મળેલો છે. આમ છતાં ભદ્રક અને અતિ વિનીત છે અર્થાત્ કદાગ્રહ વગર તત્વને જાણવા માટે અભિમુખ પરિણામવાળા છે, વળી જે સુનય અધીત છે તેવા જીવોને આ હિતશીખ=ગ્રંથકારશ્રીએ આગમવચનથી જિનપ્રતિમા પૂજનીય છે એમ સાબિત કર્યું તે હિતશીખ, સોહામણી છે. II૬/૨૧૫ ભાવાર્થ : કેટલાક જીવો પોતાની કુલમર્યાદાથી કે કોઈ સંયોગોથી સ્થાનકવાસીના માર્ગને પામેલા છે આમ છતાં સંસારથી ભય પામેલા છે અને સર્વજ્ઞએ કહેલા માર્ગના અર્થી છે અને પોતાને પ્રાપ્ત થયેલા સ્થાનકવાસી ધર્મ અનુસાર For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૨૧-૨૨ જિનપ્રતિમાને અપૂજનીય માને છે અને તેઓની પરંપરાથી પ્રાપ્ત શાસ્ત્રના અર્થ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આમ છતાં પ્રકૃતિથી ભદ્રક છે અર્થાત્ કદાગ્રહ વિનાના છે તે અતિહિ વિનીત અર્થાત્ તત્ત્વ જાણવા અતિ અભિમુખ થયેલા છે. દા. ત. સ્થાનકવાસી સંપ્રદાયમાં રહેલા પૂ. આત્મારામજી મ.સા. જિનપ્રતિમાને અપૂજનીય માનતા હતા છતાં માર્ગના અર્થી હતા, ભદ્રક પ્રકૃતિવાળા હતા અને તત્ત્વ જાણવા અતિ અભિમુખ હતા. વળી જેઓ સુનય અધીત છે અર્થાત્ પદાર્થને જોવાની સુંદર યુક્તિઓ કઈ છે? તેને જાણનારા છે તેવા જીવો માટે ગ્રંથકારશ્રીએ આપેલી હિતશિક્ષા સોહામણી છે અર્થાત્ આગમવચનના બળથી જિનપ્રતિમાની પૂજનીયતાની સિદ્ધિ કરી અને પંચાંગીને પ્રમાણ માનવાની યુક્તિ આપી એ રૂપ હિતશિક્ષા સોહામણી છે=માર્ગની પ્રાપ્તિમાં પ્રબલ કારણ છે. ll૧/૨વામાં અવતરણિકા : ગ્રંથકારશ્રીએ જિનપ્રતિમાને પૂજનીય તરીકે સ્થાપવા માટેનું જે વર્ણન કર્યું છે તે સ્વમતિથી કર્યું નથી પણ શાસ્ત્રવચનથી કર્યું છે, માટે આ વર્ણન પ્રમાણભૂત છે તે બતાવવા માટે કહે છે – ગાથા : પ્રવચનસાખે રે એમ એ ભાષિયા, વિગતે અરથવિચાર; તુજ આગમની રે ગ્રહિય પરમ્પરા, લહિએ જગ જયકાર. સમકિત. ૨૨ ગાથાર્થ : પ્રવચનની સાક્ષીથી વર્તમાનમાં ઉપલબ્ધ સર્વજ્ઞનાં આગમોની સાક્ષીથી, આ પ્રમાણે અત્યારસુધી વર્ણન કર્યું તે પ્રકારે, તે ભાષિયા તે કહેવાયું. શું કહેવાયું ? તે સ્પષ્ટ કરે છે – વિગતે અર્થવિચાર વિગતવાર શાસ્ત્રના અર્થનો વિચાર, કરાયો. તમારા આગમની સર્વજ્ઞના આગમની, પરંપરાને ગ્રહણ કરીને ભગવાનના આગમને કહેનારી પરંપરાને સ્વીકારીએ તો જગતમાં જ્યકાર પામીએ જગતમાં સન્માર્ગને પ્રાપ્ત કરીને હિત સાધીએ. II૬/૨શી. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા: ૨૨-૨૩ ભાવાર્થ - જિનપ્રતિમાને પૂજનીય સ્થાપન કરવા માટે અત્યારસુધી ગ્રંથકારશ્રીએ જે યુક્તિઓ આપી તે શ્વેતાંબર મતના સ્થાપન માટે કે સ્થાનકવાસી મતના નિરાકરણ માટે આપી નથી પરંતુ ઉભયને માન્ય એવા સર્વજ્ઞના પ્રવચનની સાક્ષીથી આ અર્થ કહેલ છે. વળી, તે અર્થોનો જે વિગતવાર વિચાર કર્યો છે તે ભગવાનના આગમની ગ્રહણ કરાયેલ પરંપરા અનુસાર છે અને જેઓ આ પરંપરા અનુસાર અર્થ કરશે તે જીવો જગતમાં જયકારને પામશે અર્થાત્ સન્માર્ગ પ્રાપ્ત કરીને આત્મહિત સાધશે. આ જીવનું પારમાર્થિક હિત ભગવાનના વચનથી જ થાય છે, પરંતુ સ્વમતના આગ્રહથી થતું નથી. II૬/૨૨ અવતરણિકા - વળી ગ્રંથકારશ્રીએ આગમની મર્યાદાથી જ આ સર્વ સ્થાપન કર્યું છે તે દઢ કરવા અર્થે કહે છે – ગાથા - ગુણ તુજ સઘલા રે પ્રભુકોણ ગણી શકે ? આહાગુણલવ એક; ઈમ મેં ઘુણતાં રે સમકિત દઢ કર્યું, રાખી આગમટેક. સમકિત. ૨૩ ગાથાર્થ : હે ભગવાન! તમારા સઘળા ગુણ કોણ ગણી શકે? અર્થાત્ કોઈ છદ્મસ્થ ગણી શકે નહીં. તોપણ ભગવાનની આજ્ઞારૂપ ગુણનો લવ એક મારામાં છે તેથી મેં ધુણતાં=પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કર્યું તે પ્રમાણે પોતે સ્તવન કરતાં, સમકિતને દઢ કર્યું. કઈ રીતે સમકિતને દૃઢ કર્યું ? તે કહે છે -- આગમને ટેક રાખીને આગમનો પક્ષપાત રાખીને, સમકિતને દઢ કર્યું. ll૧/૨all ભાવાર્થવીતરાગના ગુણો ઘણા છે. ચૌદપૂર્વી ઘણું શ્રુત ભણેલા છે છતાં તે શ્રતના For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા ઃ ૨૩ બળથી વીતરાગના સઘળા ગુણોના સમૂહને ગણી શકતા નથી. આથી જ વીતરાગતાના અર્થી એવા તે ચૌદપૂર્વી મહાત્મા જેમ જેમ શ્રતનું ભાવન કરે છે તેમ તેમ પ્રજ્ઞા અધિક અધિક નિર્મલ થાય છે. જેમ જેમ પ્રજ્ઞા અધિક નિર્મલ થાય છે તેમ તેમ વીતરાગના અધિક અધિક ગુણોનો બોધ થાય છે અને પ્રાતિભજ્ઞાન વખતે વીતરાગનું પારમાર્થિક સ્વરૂપ ઘણું દેખાવાથી તેમાં ઉદ્યમ કરીને ક્ષપકશ્રેણિ માંડી તે મહાત્મા સ્વયં વીતરાગ બને છે. તેથી વીતરાગમાં વર્તતા ગુણના સમુદાયને ચૌદપૂર્વી પણ પૂર્ણ રીતે ગણી શકતા નથી. તો અન્ય છગસ્થ જીવો તો કઈ રીતે ગણી શકે ? અર્થાત્ ન જ ગણી શકે. આમ છતાં ગ્રંથકારશ્રીને વીતરાગ પ્રત્યે ભક્તિ છે તેથી કહે છે, “ભગવાનની આજ્ઞારૂપ વીતરાગનો ગુણલવ મેં પ્રાપ્ત કર્યો છે અને તેના કારણે ગ્રંથકારશ્રી કહે છે કે મેં પ્રસ્તુત સ્તવનમાં ભગવાનના વચનાનુસાર ભગવાનને ગુણ્યા છે=ભગવાનની સ્તવના કરી છે. તે સ્તવના કરીને ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધારૂપ પોતાનામાં રહેલું સમ્યકત્વ ગ્રંથકારશ્રીએ દઢ કર્યું છે. કઈ રીતે પ્રસ્તુત સ્તવનથી ગ્રંથકારશ્રીએ પોતાનું સમ્યક્ત્વ દૃઢ કર્યું છે તે બતાવવા કહે છે. પ્રસ્તુત સ્તવન રચતી વખતે મારું કથન આગમની ટેકવાળું થાય અર્થાત્ આગમના વચનથી લેશ પણ અન્યથા ન થાય તે પ્રકારનો આગ્રહ રાખીને સ્તવન રચ્યું છે. તેથી આગમ પ્રત્યેનો પોતાનો પક્ષપાત અતિ દઢ થાય છે અને જિનવચન રૂપ આગમ પ્રત્યેનો તીવ્ર પક્ષપાતનો ભાવ જ સમકિત છે. અને જેમ જેમ તીવ્ર પક્ષપાત પૂર્વક આગમવચનની પ્રરૂપણા કરવામાં આવે તેમ તેમ સમ્યકત્વ નિર્મલ બને છે માટે આગમની ટેક=આગમનો પક્ષપાત, રાખીને ગ્રંથકારશ્રીએ પોતાનું સમકિત દઢ કર્યું છે. અહીં વિશેષ છે કે જે જીવો વીતરાગના જેટલા ગુણો જાણે છે અને તેમની સ્તુતિ કરે છે તે સ્તુતિથી તે ગુણોનો પોતાનામાં પક્ષપાત થાય છે અને તેથી તે ગુણો પોતાનામાં પ્રગટ થાય છે. વીતરાગે સન્માર્ગની પ્રરૂપણા કરી યોગ્ય જીવોને તે તે પ્રવૃત્તિ કરવાની આજ્ઞા કરી છે તે ભગવાનનો આજ્ઞાદાયક ગુણ છે. અને તે ગુણની સ્તુતિ કરી ગ્રંથકારશ્રીએ ભગવાનની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર પક્ષપાત કરવારૂપ ગુણ પ્રાપ્ત કર્યો છે. એ આજ્ઞાનુણલવ એકના બળથી For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૨૩-૨૪ ૧૨૯ ગ્રંથકારશ્રીમાં પ્રગટ થયેલું સમ્યકત્વ આજ્ઞાના પક્ષપાતપૂર્વક ભગવાનની સ્તુતિ કરવાથી દઢ થયું. આમ બતાવીને ગ્રંથકારશ્રીને એ પણ સ્પષ્ટ કરવું છે કે તેમણે પ્રસ્તુત ગ્રંથ લેશ પણ સ્વમતિથી રચ્યો નથી પરંતુ આગમરૂપ જે ભગવાનની આજ્ઞા છે તે આગમની પૂર્ણ મર્યાદાથી આ ગ્રંથ રચ્યો છે માટે અત્યંત પ્રમાણભૂત છે. તેથી તત્ત્વના અર્થી જીવો તેને ઉચિતરૂપે જાણવા પ્રયત્ન કરશે તો તેઓને પણ આગમના સાચા અર્થોની પ્રાપ્તિ થશે. ૬/૨૩ અવતરણિકા : વળી, ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સ્તવન રચ્યું છે, તેથી અવિચારકરૂપે સ્વપક્ષના સ્થાપનરૂપ કુમતિનું લેશ પણ જોર પ્રસ્તુત રચનામાં પ્રવર્તતું નથી, તે બતાવે છે – ગાથા : આણા તાહરી રે જો મેં શિર ધરી, તો ક્યે કુમતિનું જોર ? તિહાં નવિ પસરે રે બલ વિષધરતણું, કિંગારે જિહાં મોર. સમકિત ૨૪ ગાથાર્થ - જો તારી આજ્ઞા=ભગવાનની આજ્ઞા, મેં મસ્તક પર ધારણ કરી હોય તો શું કુમતિનું જોર હોય ? અર્થાત્ કુમતિનું જોર હોય નહીં. ગ્રંથકારશ્રી પોતાનું કથન દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જ્યાં મોર કિંગારે મોરનો કેકારવ હોય, તિહાં ત્યાં, વિષધરનું બલ પસરે નહીં સર્પોનું જોર વિસ્તાર પામે નહીં. ૬/૨૪ll ભાવાર્થ : જે જીવોને ભગવાનની આજ્ઞાનો તેવો તીવ્ર પક્ષપાત નથી પરંતુ સ્વ સ્વ મત પ્રત્યેનો તીવ્ર પક્ષપાત છે તેઓ જિનવચનને પ્રમાણ માનતા હોય તેવા પણ સ્થાનકવાસી આદિ ભગવાનના વચનના અર્થ કરતી વખતે સ્વપક્ષના જોરથી For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૨૪-૨૫ સૂત્રોના તે તે રીતે અર્થ કરે છે કે તેનાથી ત્યાં કુમતિ જોરથી પ્રવર્તે છે. પરંતુ ગ્રંથકારશ્રી તો કહે છે કે ‘હે ભગવંત ! હું તમારી આજ્ઞા મસ્તકે ધારણ કરું છું’ અને ભગવાનની આજ્ઞા શાસ્ત્રવચનને યથાર્થ જાણવાની, જાણીને સ્થિર કરવાની, અને શાસ્ત્રવચનથી પોતે જે યથાર્થ પદાર્થ જાણ્યો છે તેની શુદ્ધ પ્રરૂપણા કરીને શક્તિના પ્રકર્ષથી સેવવાની છે. ભગવાનની આવી આજ્ઞાને જ્યારે ગ્રંથકારશ્રીએ મસ્તક પર ધારણ કરી હોય ત્યારે અવિચારક રીતે સ્વમતનો પક્ષપાત કરીને પદાર્થને સ્થાપન કરવાનું કુમતિનું જોર શું હોય ? અર્થાત્ હોય નહીં. હવે, ભગવાનની આજ્ઞા મસ્તકે ધારણ કરનારા જીવોમાં કુમતિનું જોર કેમ વર્તતું નથી ? તે દૃષ્ટાંતથી બતાવે છે. જ્યાં મો૨ કેકારવ કરતો હોય ત્યાં વિષધર એવા સર્પનું બળ=સર્પનું આગમન, પ્રસરણ પામતું નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે સર્પ હંમેશાં મોરથી દૂર ભાગે છે. તેથી જે સ્થાનમાં મોરના કેકારવ થતા હોય તે સ્થાનમાં સર્પ કયારેય આવતો નથી. તેમ જેના હૈયામાં સદા ભગવાનની આજ્ઞા પ્રવર્તતી હોય તેઓ ક્યારેય અવિચારક રીતે સ્વ સ્વ માન્યતામાં પક્ષપાત કરીને કુમતિમાં ઉદ્યમ કરતા નથી. પરંતુ સર્વજ્ઞએ કહેલા શાસ્ત્રબોધની મર્યાદાથી આગમને યથાર્થ જાણે છે. વળી, નવું નવું બીજું ભણવા પ્રયત્ન કરે છે અને આજ્ઞાથી નિર્ણીત થયેલા પદાર્થની શુદ્ધ પ્રરૂપણા કરે છે. માટે ભગવાનની આજ્ઞાને પરતંત્ર રહેનારા આત્મામાં કદી પણ કુમતિનું જોર પ્રવર્તતું નથી. II૬/૨૪॥ અવતરણિકા : વળી ગ્રંથકારશ્રી કલ્યાણની પ્રાપ્તિનો માર્ગ શું છે તે સ્પષ્ટ કરવા કહે છે – - ગાથા = પવિત્ર કરીજે રે જીહા તૂજ ગુણે, શિર ધરીએ તુજ આણ; દિલથી કદિએ રે પ્રભુ ન વિસારીએ, લહીએ સુજશ કલ્યાણ, સમકિત ૨૫ ગાથાર્થ : તમારા ગુણો વડે જિહ્માને પવિત્ર કરવી જોઈએ, તમારી આજ્ઞા શિરે For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૨૫ ધારણ કરવી જોઈએ અને દિલથી=હૈયાથી, કયારેય પ્રભુને વિસારવા જોઈએ નહીં. તો સુંદર યશને કરનાર એવું કલ્યાણ લહીએ=કલ્યાણ પ્રાપ્ત કરીએ. II૬/૨૫ના ભાવાર્થ: ભગવાનના ગુણોની સ્તુતિ કરવાથી જિલ્લા પવિત્ર થાય છે. તેથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં જિનવચનાનુસાર શ્રુતના યથાર્થ અર્થ કરીને ભગવાનના માર્ગનું જે ઉભાષણ કર્યું છે તેનાથી તેમણે પોતાની જિહ્વા પવિત્ર કરી છે. વળી ભગવાનની આજ્ઞાને મસ્તકે ધારણ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને ગ્રંથકારશ્રીએ ભગવાનની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. તેથી ગ્રંથના પદાર્થો ભગવાનની આજ્ઞાથી અન્યથા સ્થાપન કરાયેલા નથી. વળી ભગવાનને હૈયાથી કયારેય વિસારવા જોઈએ નહીં. ગ્રંથકારશ્રીએ હંમેશાં હૈયામાં વીતરાગને યાદ રાખીને વીતરાગ પ્રત્યેના પક્ષપાતપૂર્વક સર્વ કથનો કર્યાં છે તેથી સુયશને-સુંદર યશને, કરાવનાર એવા કલ્યાણને પ્રાપ્ત કરે છે. તેથી કલ્યાણના અર્થી જીવે ભગવાનનાં ગુણગાન કરીને સદા પોતાની જિહ્વા પવિત્ર કરવી જોઈએ. એટલું જ નહીં પણ હંમેશાં ભગવાનની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ ન થાય તે રીતે સમ્યગ્ યત્ન કરવો જોઈએ. દરેક જીવોને પોતાની શક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે, તેથી ભગવાનની આજ્ઞાનું પાલન યોગ્ય જીવો માટે કયારેય અશક્ય અનુષ્ઠાનરૂપ નથી. માટે પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનને જાણીને અને હૈયામાં વીતરાગના વચનનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી સદ્ગતિઓની પરંપરારૂપ સુયશના કલ્યાણની પ્રાપ્તિ થાય. II૬/૨૫॥ ૧૩૧ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગાથા ઃ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ | ગાથા : ૧ ઢાળ (રાગ - ધનાશ્રી) વર્તમાનશાસનનો સ્વામી, ચામીકરસમ દેહોજી; વીરજિનેશ્વર મેં ઈમ થુણિઓ, મન ધરી ધર્મસનેહોજી; ગાથાર્થઃ વર્તમાન શાસનના સ્વામી જે વીર જિનેશ્વર સુવર્ણ જેવી કાયાવાળા છે, ધર્મના સ્નેહને મનમાં ધારણ કરીને મેં તેમની આ રીતે સ્તુતિ કરી છે. ભાવાર્થ : વર્તમાન શાસનના સ્વામી વીર જિનેશ્વર છે અને તેમની કંચનવર્ણી કાયા છે અને ગ્રંથકારશ્રીએ મનમાં ધર્મ પ્રત્યે સ્નેહ ધારણ કરીને આ રીતે તેમની સ્તુતિ કરી છે. જેથી વીર ભગવાનની સ્તુતિથી ઘટમાં=પોતાના આત્મામાં, ઉત્તરોત્તર ધર્મ વૃદ્ધિ પામે. ગાથા: એહ તવન જે ભણશે ગણશે, તસ ઘર મંગલમાલાજી; સમકિતભાણ હોશે ઘટ તેહને, પરગટ ઝાકઝમાલાજી. ૧ ગાથાર્થ ઃ આ સ્તવન જે ભણશે અને જે રોજ ગણશે=બોલશે, તેના ઘટમાં મંગલની માલા થશે તેને સર્વ કલ્યાણની પ્રાપ્તિ થશે, અને તેનો ઘટ=તેનો આત્મા, સમકિતનું ભાજન થશે જેથી તેના આત્મામાં અપૂર્વ તત્ત્વના પ્રકાશરૂપ ઝાકઝમાલા પ્રગટ થશે. ।।૭/૧|| ભાવાર્થ : જે યોગ્ય જીવો આ સ્તવન ભણશે અને તેના ગંભીર અર્થોને વિચારીને રોજ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ / ગાથા ઃ ૧-૨ ૧૩૩ તેને બોલશે તેનાથી તેમને ભગવાનના વચન પ્રત્યેનો અધિક અધિક રાગ થશે. અને તેના કારણે તેમના જીવનમાં કલ્યાણની પરંપરા પ્રાપ્ત થશે. વળી, આ સ્તવનમાં કહેલા સૂક્ષ્મ પદાર્થો પ્રત્યેના પક્ષપાતને કારણે તે મહાત્માઓ ભગવાનની આજ્ઞા પ્રત્યે પક્ષપાતવાળા થશે. જેથી તેઓ સમકિતનું ભાજન થશે. અને જેમ જેમ તેમના આત્મામાં સન્માર્ગનો સ્પષ્ટ સ્પષ્ટતર ઉઘાડ થશે તેમ તેમ પ્રગટ ઝાકઝમાલ થશે અર્થાત્ તે મહાત્માઓ સદા સન્માર્ગના યથાર્થ બોધવાળા થશે જેથી તેઓ સર્વકલ્યાણની પરંપરા પ્રાપ્ત કરશે. II૭/૧II અવતરણિકા : આ રીતે પ્રસ્તુત સ્તવનનું માહાત્મ્ય બતાવ્યા પછી આ સ્તવનના અર્થો અતિ ગંભીર છે તેમ બતાવીને ગંભીરતાપૂર્વક તેના પરમાર્થને જાણવાનો ઉપદેશ આપે છે - ગાથા : અરથ એહના છે અતિસૂક્ષમ, તે ધારો ગુરુ પાસેજી, ગુરુની સેવા કરતાં લહીએ, અનુભવ નિજ અભ્યાસેજી; ગાથાર્થ : તેહના અર્થ=આ સ્તવનના અર્થ, અતિ સૂક્ષ્મ છે. તે ગુરુ પાસેથી ધારણ કરો અને ગુરુની સેવા કરતાં પોતાના અભ્યાસના બળથી અનુભવને પ્રાપ્ત કરીએ. ભાવાર્થ : ગ્રંથકારશ્રી કહે છે કે પ્રસ્તુત સ્તવનના અર્થો અતિ સૂક્ષ્મ છે માટે ગુણવાન ગુરુ પાસેથી તેના અર્થો ગ્રહણ કરવા જોઈએ. જેથી તેના મર્મનો યથાર્થ બોધ થાય અને ગુણવાન ગુરુની સેવા કરતાં તેના મર્મને પ્રાપ્ત કરીએ અને તે પ્રમાણે તેનો અભ્યાસ કરીને પોતાના અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરીએ, જેથી સર્વકલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય. આશય એ છે કે પ્રસ્તુત સ્તવનના મર્મને જાણીને તેનાથી આત્માને અત્યંત ભાવિત કરવામાં આવે તો પોતાના આત્મામાં વર્તતા મોહના ભાવો અલ્પ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ | ગાથા : ૨-૩ અલ્પતર થાય છે, ચિત્ત વીતરાગના વચનથી ભાવિત થાય છે અને તેવા ચિત્તનો અનુભવ સર્વ કલ્યાણનું કારણ છે. અવતરણિકા : હવે, કેવા ગુરુ પાસેથી પ્રસ્તુત સ્તવનના અર્થ જાણવા જોઈએ ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ગાથા : જેહ બહુશ્રુત ગુરુ ગીતારથ, આગમના અનુસારીજી; તેહને પૂછી સંશય ટાલો, એ હિતશીખ છે સારીજી. ૨ ગાથાર્થ : જે બહુશ્રુત ગીતાર્થ ગુરુ છે અને આગમને અનુસરનાર છે ભગવાનના વચનાનુસાર પદાર્થને કહેનારા છે, તેમને પૂછી પ્રસ્તુત સ્તવનના ગંભીર અર્થો તેમને પૂછી, સંશયને ટાળો પ્રસ્તુત જીવનના અર્થના થતા સંશયને ટાળો, એ હિતશીખ છે સારી એ સાચી હિતશિક્ષા છે. II૭/ચા ભાવાર્થ : પૂર્વની ગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ સ્તવનના અર્થો અતિસૂક્ષ્મ છે. તેથી કહે છે કે જે ગુરુ ઘણાં શાસ્ત્રો ભણેલા છે, ગીતાર્થ છે અને ભગવાનના વચનને અનુસરનારા છે પરંતુ ક્યાંય ભગવાનના વચનના અર્થને સ્વમતિ અનુસાર જોડીને કહેનારા નથી તેવા ગુરુ પાસે પ્રસ્તુત સ્તવનના અર્થોને જાણીને ભગવાનના વચનમાં થયેલા સંશયને ટાળો. એ સુંદર હિતશિક્ષા છે અને તે હિતશિક્ષા અનુસાર યત્ન કરીને ભગવાનના વચનમાં સંદેહરહિત થતાં ભગવાનની ભક્તિ કરવાથી સર્વકલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે. Il૭/રા અવતરણિકા - હવે, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સ્તવન કયા નગરે, કયા વર્ષે રચ્યું છે ? તે સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૭ | ગાથા : ૩-૪ ૧૩૫ ગાથા : ઇદલપુરમાં રહિય ચોમાસું, ધર્મધ્યાન સુખ પાયાજી, સંવત સત્તરતેત્રીશા વરસે, વિજયદશમી મન ભાયાજી; ગાથાર્થ : ઈદલપુરમાં ચોમાસું રહીને ધર્મધ્યાનના સુખને પામ્યાપ્રસ્તુત સ્તવન રચના દ્વારા ગ્રંથકારશ્રી ધર્મધ્યાનના સુખને પામ્યા, અને સંવત ૧૭૩૩ના વર્ષે વિજયાદશમીના દિવસે મન ભાયાજી=પ્રસ્તુત સ્તવન રચનાથી મનને ભર્યું પ્રસ્તુત જીવનની રચના ગ્રંથકારશ્રીએ કરી છે. અવતરણિકા :ગ્રંથકારશ્રી પોતાના ગુરુ આદિની પ્રશસ્તિ લખે છે – ગાથા : શ્રીવિજયપ્રભસૂરિ સવાયા, વિજયરતન યુવરાયાજી, તસ રાજે ભવિજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયાજી. ૩ ગાથાર્થ : શ્રીવિજયપ્રભસૂરિ મ.સા. સવાયા છે મુખ્ય આચાર્ય છે, અને વિજયરત્ન યુવાન છે આચાર્યપદવીને યોગ્ય એવા યુવરાજ છે. તેમના રાજ્યમાં તેમના સામ્રાજ્યમાં, ભવિજનના હિતને માટે આ પ્રમાણે વર્ણન કર્યું તે પ્રમાણે, મેં જિનગુણ ગાયા છે. ll/3II ગાથા : શ્રી કલ્યાણવિજય વરવાચક, તપગચ્છગયણદિગિંદાજી; તાસ શિષ્ય શ્રીલાભવિજયબુધ, ભવિજનરવચંદાજી; તાસ શિષ્ય શ્રી જીતવિજય બુધ, શ્રીનવિજય મુરિંદાજી; વાચક જશવિજયે તસ શિષ્ય, યુણિયા વીરજિબિંદાજી. ૪ ગાથાર્થ : શ્રી કલ્યાણવિજય વરવાયક તપગચ્છરૂપી ગગનમાં સૂર્ય જેવા શોભે For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વિરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૭ | ગાથા: ૪-૫ છે. તેમના શિષ્ય લાભવિજયજી બુધ ભવિજનરૂપી કેરવને કમળને, ખીલવવા માટે ચંદ્ર સમાન છે. તેમના શિષ્ય જીતવિજયજી બુધ અને નયવિજયજી બુધમુનિઓમાં ઈંદ્ર જેવા છેઃસુસાધુ છે. તેમના શિષ્ય વાચક પદવી ધરાવનાર શ્રીયશોવિજયજીએ વીર જિનેશ્વરને સ્તવ્યા છે. Il૭/૪ll. અવતરણિકા : આ પ્રમાણે ગ્રંથકારશ્રી પોતાની પરંપરાની સ્તુતિ કરીને સ્તવન કર્યું છે તેમ બતાવીને કોના માટે આ સ્તવન રચ્યું છે? તે બતાવે છે – ગાથા : દોસી મૂલાસુત સુવિવેકી, દોસી મેઘા હેતેજી, એહ તવન મેં કીધું સુંદર, શ્રુત અક્ષર સંકેતેજી; ગાથાર્થ : દોસી મૂલાના પુત્ર સુવિવેકી એવા દોસી મેઘાના માટે આ સુંદર સ્તવન શ્રતના અક્ષરના સંકેતથી મેં કર્યું છે શાસ્ત્રવચનના આધારથી મેં કર્યું છે. ગાથા : એ જિનગુણ સુરતરુનો પરિમલ, અનુભવ તો તે લહશ્કેજી; ભમર પરિ જે અરથી હોઇને, ગુઆણા શિર વહથ્રેજી. ૫ ગાથાર્થ : આ જિનગુણ-સુરતનો પરિમલરૂપ અનુભવ તો તે જીવો લેશે જેઓ ભ્રમરની જેમ અર્થી હોઈને અર્થી થઈને, ગુરુની આજ્ઞા શિરે વહેશે. Il૭/૫ll ભાવાર્થ - પ્રસ્તુત સ્તવનમાં ગ્રંથકારશ્રીએ ભગવાનના ગુણરૂપી સુરતરુનો વિસ્તાર કર્યો છે. તેના પરિમલનો અનુભવ તેઓને થાય કે જે જીવો ખરેખર આગમને For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ / ગાથા : ૫ પ્રમાણ માનતા હોય અને આગમવચનના બળથી ભગવાનની મૂર્તિ કઈ રીતે પૂજનીય છે તે જાણવાના અત્યંત અર્થી હોય અને સદ્ગુરુનાં વચનોને મસ્તકે વહન કરતા હોય. એમ કરીને તેના મર્મને જાણવા યત્ન કરશે તેઓને આગમના વચનના બળથી જિનપ્રતિમા કઈ રીતે પૂજ્ય છે અને જિનપ્રતિમાની પૂજાથી કઈ રીતે આત્માનો ઉત્કર્ષ થાય છે તેનો પારમાર્થિક બોધ થશે. ૭/પા. ઇતિ શ્રી સમસ્ત પંડિત શિરોમણિ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વિરચિત કુમતિ-મદ-ગાલન દોઢસો ગાથાનું શ્રી મહાવીરજિન સ્તુતિ હૂંડીનું સ્તવન સંપૂર્ણ. * * * For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શાસન તાહરું અતિ ભલું, જગિ નહીં કોઈ તસ સરિખું રે; તિમ તિમ રાગ ઘણો વાધે, જિમ જિમ જુગતિસ્યું પરખું રે. હે ભગવાન ! તમારું શાસન અતિ ભલું છે=અત્યંત કલ્યાણને કરનારું છે, જગતમાં તેના જેવું કલ્યાણને કરનારું અન્ય કોઈ નથી. જેમ જેમ જુગતિશું મુક્તિની, પરખ થાય છે તેમ તેમ રાગ ઘણો વધે છે. : પ્રકાશક : DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048680 obcation International For Personal & Private Use Only www jainelibrary