SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા : ૮-૯ દશવિધ અને બહુવિધ વૈયાવચ્ચ જે પ્રમાણે યોગ થાય તે પ્રમાણે કરવાનું કહ્યું છે, તે પમાણે અહીંયાં=પ્રતિમામાં, નયઉપયોગ અનુસાર જોડવું. ||3/૮|| ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જે દશનું વૈયાવચ્ચ અપ્રમાદથી કરે છે તે ત્રીજા વ્રતનો આરાધક છે એમ કહ્યું ત્યાં, જેને જે રીતે વૈયાવચ્ચ સંભવે તે પ્રકારની ક૨વાની કહી છે. તેથી પ્રતિમામાં તેનું યોજન નય અનુસાર કરવું જોઈએ, અર્થાત્ પ્રતિમામાં જે દૃષ્ટિથી વૈયાવચ્ચ સંભવે તે નયદૃષ્ટિને ગ્રહણ કરીને વૈયાવચ્ચ સ્વીકારવું જોઈએ અને ભગવાનની સ્તવનારૂપ ભાવપૂજા સાધુ કરે છે તે પ્રતિમાની વૈયાવચ્ચ જ છે, તેથી પ્રતિમામાં આહારાદિથી સાધુ દાન કરી શકે નહીં. માટે પ્રતિમા શબ્દથી સાધુનું ગ્રહણ છે એમ જે સ્થાનકવાસી કહે છે તે ઉચિત નથી. II૩/૮ll અવતરણિકા : વળી દશમા અંગના વચનથી જિનપ્રતિમા પૂજ્ય નથી એમ જે કુમતિ કહે છે તે ઉચિત નથી, તે બતાવે છે ગાથા : ૫૧ - સાધુને જિનપ્રતિમા તણું, વૈયાવચ્ચ તિહાં બોલ્યું રે; તેહ અરથ થકી કુમતિનું, હિયડું કાંઈ ન ખોલ્યું રે. શાસન૦ ૯ ગાથાર્થ ઃ સાધુને જિનપ્રતિમા તણું વૈયાવચ્ચ કરવાનું તિહાં=દશમા અંગમાં= પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના અંગમાં કહ્યું છે, તે અર્થ થકી=તે વચન થકી, કુમતિનું હૈયું કાંઇ ખોલ્યું નથી=કંઈ વિચારક બન્યું નથી. ||3/૯|| ભાવાર્થ : Jain Education International પ્રશ્નવ્યાકરણસૂત્રમાં સાધુને જિનપ્રતિમાનું વૈયાવચ્ચ કરવાનું કહેલ છે તેના યથાર્થ અર્થને ગ્રહણ કર્યા વગર કુમતિ એવા સ્થાનકવાસી સ્વમતિ અનુસાર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy