SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૪-૫ ઉત્તરાધ્યયનસૂત્રમાં યોગોદ્વહન અને કાલગ્રહણનો સઘળો વિધિ કહ્યો છે તે ધરીને તેને ધારણ કરીને, ઉપયોગ રાખવો જોઈએ તે ક્રિયા કરવામાં યત્ન કરવો જોઈએ. ll૧/૪ll. ભાવાર્થ નંદીસૂત્રમાં, અનુયોગદ્વારસૂત્રમાં અને ઉત્તરાધ્યયનસૂત્રમાં સૂત્ર ભણવા માટેના વિનયની ક્રિયારૂપ યોગ વહન કરવાનો કહ્યો છે અને તે માટે કાલગ્રહણની સઘળી વિધિ બતાવી છે. તે સૂત્રોથી તે વિધિને જાણીને તે પ્રમાણે યત્ન કરવામાં આવે તો જ ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધા રહે, અન્યથા સમ્યકત્વનો નાશ થાય. II૬/૪ ગાથા : ઠાણે ત્રીજે રે વલી દશમે કહ્યું, યોગ વહે જેહ સાધ; આગમેરિભદ્દા તે સંપજે, તરે સંસાર અગાધ. સમકિત ૫ ગાથાર્થ - ઠાણાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં, વળી દસમા સ્થાનમાં જે સાધુ યોગો દ્વહન કરે છે તે આગમસીભદ્દા-આગળમાં ભદ્રપણાને પામશે તેવા થાય છે, તેમ કહ્યું છે અને તેઓ અગાધ સંસારને તરે છે. II૬/૫ll . ભાવાર્થ : ઠાણાંગસૂત્રમાં સંસારસાગરથી તરવા માટે ત્રણ સ્થાનો અને દસ સ્થાનો બતાવ્યાં છે તેમાં એક સ્થાન યોગોદ્વહન છે. તેથી જે સાધુ યોગોદ્વહન કરે છે અને તે અનુસાર સૂત્ર ભણે છે તેઓ આગમસીભદ્દા થાય છે અર્થાત્ ભવિષ્યમાં જેનું કલ્યાણ થવાનું છે તેવા થાય છે અને તેથી અગાધ સંસારસાગરને તરે છે. અહીં વિશેષ એ છે કે ઠાણાંગસૂત્ર અનુસાર સ્વ સ્વ ભૂમિકા પ્રમાણે જે સાધુ તે તે યોગોદ્વહન કરે અને ઉદ્દેશ, સમુદેશ આદિના ક્રમથી તે તે આગમો ભણે અને તે તે આગમનો અર્થથી સ્વાધ્યાય કરીને આત્માને અત્યંત ભાવિત કરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy