SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા : ૧૮-૧૯ તે વર્ણનને સાંભળીને જે મહાત્માને જિનપ્રતિમા પ્રત્યે અત્યંત ભક્તિ થઈ છે તેથી હર્ષથી પ્રભુના ગુણનું સ્મરણ કરે છે અને થેઈ થેઈ કરતા ભમરી આપે છે અને ભગવાનના વીતરાગતા ગુણનું સ્મરણ કરીને જો તે મહાત્મા ભગવાનના ગુણોમાં તન્મયભાવને પામે તો તે મહાત્મા નિરાલંબનયોગમાં લય પામે છે; કેમ કે વીતરાગના ગુણના સ્મરણથી તન્મય પામેલી અવસ્થા નિરાલંબનયોગને પ્રાપ્ત કરે છે. અને જે મહાત્મા નિરાલંબનયોગને પ્રાપ્ત કરે છે તે શિવરાણીને વશ કરે છે. જેમ ભગવાનના ગુણના સ્મરણપૂર્વક વીર પ્રભુને પારણું કરાવવાના અભિલાષથી જીરણ શ્રેષ્ઠિ નિરાલંબન ધ્યાનને પામે છે તેમ આગળમાં વર્ણવેલ જિનપ્રતિમાના વર્ણનને સાંભળીને જિનગણમાં તન્મય થયેલા મહાત્મા નિરાલંબન ગુણને પ્રાપ્ત કરે છે. પ/૧૮ ગાથા : ઈમ નંદીશ્વરપ્રમુખ અનેરાં, શાશ્વત ચૈત્ય ભલેરાં રે; ધન તિહાં જિન પૂજી તે અનુમાને, જનમ સફલ નિજ માને રે. ધન. ૧૯ ગાથાર્થ - ઈમ પૂર્વમાં વર્ણન કર્યું એમ, નંદીશ્વર પ્રમુખ અનેરાં શાશ્વત ચેત્યો ભાલેરાં છે સુંદર છે. તે અનુમાને પૂર્વમાં જિનપ્રતિમાનું વર્ણન કર્યું તે અનુમાને, તિહાં નંદીશ્વર વગેરેમાં રહેલા, જિનને પૂજીને નિજ જન્મને સફલ માને છે. પ/૧૯ll ભાવાર્થ : પૂર્વમાં જિનપ્રતિમાનું વર્ણન કર્યું તે પ્રકારની મહાવૈભવવાળી જિનપ્રતિમા નંદીશ્વર વગેરે શાશ્વત ચૈત્યોમાં સુંદર છે. જે ચૈત્યો દેવલોક કરતાં અનેરા છે અને તે અનુમાનથી=શાસ્ત્રમાં તેનું વર્ણન કર્યું છે તે અનુમાનથી, ત્યાંની જિનપ્રતિમાને પૂજીને=જે શ્રાવકો ત્યાં જવા સમર્થ નથી તેઓ પણ મનના પ્રણિધાનપૂર્વક ત્યાંની પ્રતિમાને પૂજીને પોતાનો જન્મ સફલ માને છે. II૫/૧૯TI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy