SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ ગાથા : ૭, ૮-૯-૧૦ ગાથાર્થ : જિહાં હિંસા=જ્યાં બાહ્ય હિંસા હોય ત્યાં જિનની આજ્ઞા નથી, એમ જો સ્થાનકવાસી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તો સાધુને વિહાર કેમ હોય ? હવે ભગવાનની પૂજામાં હિંસામૃત કર્મબંધ નથી તે સ્પષ્ટ કરે છે -- જયણાના ભાવમાં=યતનાપૂર્વક ભગવાનની ભક્તિના પરિણામમાં, કર્મબંધ નથી. કેમ નથી ? એથી કહે છે એ-યતનાપૂર્વક જિનપૂજા એ, શુભવ્યવહાર છે. Il૪/૭।। ૭૩ -- ભાવાર્થ: જિનપૂજામાં પ્રત્યક્ષથી દેખાતી જલાદિ જીવોની હિંસા જોઈને સ્થાનકવાસી કહે છે કે જ્યાં હિંસા હોય ત્યાં ભગવાનની આજ્ઞા હોય નહિ; કેમ કે ભગવાને અહિંસાપ્રધાન ધર્મ કહ્યો છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જો બાહ્ય હિંસાથી ભગવાનની પૂજામાં આજ્ઞા ન હોય તો સાધુને વિહા૨ ક૨વાની ભગવાનની આજ્ઞા કેમ છે ? અર્થાત્ વિહારમાં ભગવાનની આજ્ઞા હોઈ શકે નહિ; કેમ કે વિહાર કરવાથી વાયુકાયાદિ જીવોની હિંસા થાય છે. આ રીતે સાધુના વિહારના દૃષ્ટાંતથી પૂજામાં હિંસા નથી એમ સ્થાપન કરીને પૂજાની પ્રવૃત્તિથી હિંસાકૃત કર્મબંધ થતો નથી તે બતાવવા અર્થે કહે છે. જે શ્રાવક ભગવાનની ભક્તિમાં અનુપયોગી હોય તેવી કોઈ હિંસા ન થાય તે પ્રકારે યતનાપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે ભગવાનની પૂજામાં જયણાનો ભાવ હોવાને કારણે કર્મબંધ નથી, પરંતુ ગુણવાનની ભક્તિ કરવાનો શુભવ્યવહાર છે. શુભવ્યવહારના સેવનથી ધર્મની જ પ્રાપ્તિ થાય, કર્મબંધની નહિ. માટે જિનપૂજામાં હિંસાનો દોષ નથી. II૪/૭ll Jain Education International અવતરણિકા : શાસ્ત્રમાં કૂપદૃષ્ટાંતથી જિનપૂજા શ્રાવકને ઇષ્ટ છે તેમ કહેલ છે તેને ગ્રહણ કરીને કોઈક કહે છે તે બતાવીને તેનું વચન યુક્ત નથી તે બતાવવા અર્થે ગાથા-૮થી ગાથા-૧૦ સુધી કહે છે 1 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy