Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/022475/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः KETICE CRICKERAY प. पू. महोपाध्याय श्रीयशोविजयगणिवराः Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસગુરુભ્યો નમઃ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું-૪૯ न्यायविशारदन्यायाचार्यमहोपाध्याय श्रीयशोविजयगणिवरकृतः नवनिर्मित-अस्पर्शोपनिषद्-वृत्तिविभूषितः अस्पृशद्गतिवादः -: मूलसंशोधनम् + गुर्जरवृत्तिनवसर्जनम् + सम्पादनम् : ___प.पू. प्राचीन श्रुतोद्धारकआचार्यदेव श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः मनभिसरि-14 श Allवश्य શાસન સકે , भांड:.. •26888 स्थान:_06.04 1648सिंडवाडी, AM , महावा. : प्रकाशक: श्री जिनशासन आराधना ट्रस्ट Page #3 -------------------------------------------------------------------------- ________________ મૂળ કૃતિ : અસ્પૃશદ્ગતિવાદ મૂળ કૃતિકાર : ન્યાયવિશારદ ન્યાયાચાર્ય લઘુહરિભદ્ર કૂર્ચાલી સરસ્વતી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા. નવનિર્મિત ગુર્જર વૃત્તિ ઃ અસ્પર્શોપનિદ્ મૂળ કૃતિનું હસ્તાદર્શો દ્વારા સંશોધન + ગુર્જરવૃત્તિ-નવસર્જન + સંપાદન : પ.પૂ. વૈરાગ્યદશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયકલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ. | વિષય : સિદ્ધિગમન સમયે થતી સ્પર્શરહિત ગતિ. વિશેષતા : આકાશપ્રદેશો સર્વવ્યાપી હોવાથી તેમનો સ્પર્શ કર્યા વિના ગતિ ન થઈ શકે, પણ સિદ્ધિગમન સમયે જીવ એક જ સમયમાં લોકાંતે પહોંચી જાય છે અને વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ કરતો નથી. આ અસ્પૃશદ્ગતિ પર પ.પૂ. મહોપાધ્યાયજીએ ખેડેલ વિશદ વાદ. પ્રસ્તુત અતિ ગંભીર-કપરા કોયડા સમાન વિષય પર ઉપલભ્યમાન એક માત્ર સ્વતંત્ર કૃતિ. પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. પ્રતિ : ૫૦૦૦ આવૃત્તિ : પ્રથમ • મૂલ્ય : રૂા. ૧૦૦-૦૦ આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ E-mail : jinshasan 108@gmail.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટઆ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. Copyright held by Shree Jinshasan Aradhana Trust under Indian Copyright Act, 1957. http://copyright.gov.in/documents/copyright rules 1957, pdf. Note : Unauthorised usage, whether uploading on any website or printing in a book or forwarding to others on the internet or putting up on a blog is prohibited. Reproduction of this text by any means whether in part or in full, cannot be made unless express written consent obtained from shree Jinshasan Aradhana Trust. Any violation of this shall be deemed a violation of the intellectual rights of the publisher & of the copyright act, 1957. કંપોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com Page #4 -------------------------------------------------------------------------- ________________ 2016 VEEBATHRASE KHORTAL rewati VIDIURDINATIONOMOU चरमतीर्थपतिः करुणासागरः श्रीमहावीरस्वामी अनन्तलब्धिनिधानः श्रीगौतमस्वामी Page #5 -------------------------------------------------------------------------- ________________ पञ्चमगणधरः श्रीसुधस्विामी - કૃપા વરસે અનરાધાર કિયા 'સિદ્ધાંતમહોદધિ સુવિશાલગચ્છસર્જક પ. પૂ. આચાર્યદેવ 'શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અજોડ ગુરુસમર્પિત ગુણગણનિધિ પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. Page #6 -------------------------------------------------------------------------- ________________ ( સુકૃત સહયોગી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ સમા રોડ, વડોદરા જ્ઞાનનિધિના સર્વિનિયોગ બદલ શ્રીસંઘ તથા ટ્રસ્ટીઓની ભૂરિ ભૂરિ અનુમોદના પ્રાપ્તિસ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ સી. જરીવાલા, શ્રી અક્ષયભાઈ જે. શાહ દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, ૫૦૬, પદ્મએપાર્ટમેન્ટ, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. મુલુંડ (વે.) મુંબઇ-૪૦૦૦૮૦. ફોન : ૨૨૮૧૮૩૯૦ ફોન : ૨૫૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૯૯૦૯૪ ૬૮૫૭૨ અમદાવાદ : શ્રી બાબુભાઈ સરમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, I હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિના સીમાડેથી.. સર્વકર્મોનો ક્ષય કરીને જ્યારે જીવ સિદ્ધિગમન કરે, તે સમયે એક અદ્ભુત ઘટના બને છે. જે સમયે સર્વ કર્મનો ક્ષય થાય છે, તે જ સમયે શરીરનો ત્યાગ થાય છે. તે જ સમયે સિદ્ધિગમન પણ થાય છે અને તેના પછીના જ (Very next) સમયે જીવ લોકાગ્ર ભાગે પહોંચી ગયો હોય છે. અસંખ્ય અસંખ્ય યોજનોનું અંતર માત્ર એક જ સમયમાં કપાઈ જાય છે. સિદ્ધિગમનના સમયની આ ગતિ એટલે જ અસ્પૃશગતિ. આને અસ્પૃશદ્ગતિ એટલા માટે કહી છે, કે તેમાં વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ થતો નથી. જો વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ થાય, તો પ્રત્યેક આકાશપ્રદેશને ઓળંગતા ઓળંગતા અસંખ્ય સમય થઈ જાય. ઉર્ધ્વ આકાશપ્રદેશશ્રેણિમાં જ્યાં સુધી નીચે નીચેના આકાશપ્રદેશોનો સ્પર્શ ન થાય, ત્યાં સુધી ઉપર-ઉપરના આકાશપ્રદેશોનો સ્પર્શ ન થઈ શકે. આ રીતે ક્રમશઃ સિદ્ધિગમન કરતાં અસંખ્ય સમય થઈ જાય. જ્યારે સિદ્ધિગમન તો એક જ સમયમાં થાય છે અને તેનું રહસ્ય છે સિદ્ધ થતા જીવની અસ્પૃશગતિ. પણ આ અસ્પૃશગતિનું રહસ્ય શું છે ? અહીંથી લોકાગ્ર સુધી જાય અને વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શના જ ન થાય, એ શી રીતે શક્ય બને? આ રહસ્યનું ઉદ્ઘાટન એટલે જ અસ્પૃશદ્ગતિવાદ. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય લઘુહરિભદ્ર કૂર્ચાલી સરસ્વતી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજએ પોતાની અદ્ભુત પ્રતિભાશક્તિથી અનેક યુક્તિઓ સાથે, અનેક શાસ્ત્રપાઠોના સમન્વય સાથે, અનેક પૂર્વપક્ષોના ખંડન સાથે અને આગમવાણીના મંડન સાથે આ ગ્રંથમાં પ્રસ્તુત વિષય પર સુંદર પ્રકાશ પાથર્યો છે. આ પ્રકાશ અનેકોના સંશયતિમિરને હરે એ Page #8 -------------------------------------------------------------------------- ________________ આશયથી તેના પર પ્રસ્તુત ગુર્જરવૃત્તિ-અસ્પર્શોપનિષતું સર્જન કર્યું છે. મહોપાધ્યાયશ્રીના ગંભીર આશયને માપવાનું કદાચ આ સાહસ છે. આમ છતાં ‘શુપે યથાશક્તિ યતિતવ્યમ્' એ ન્યાયે આ સાહસ ક્ષન્તવ્ય ગણાશે. ક્ષતિનિર્દેશ કરવા બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના કરું છું. મૂળ ગ્રંથનું સંશોધન બે હસ્તાદર્શો પરથી કરવામાં આવ્યું છે. જેની ઝલક પેજ નં. ૬ અને ૭ ઉપર દર્શાવેલ છે. પરમકૃપાળુ પરમાત્મા તથા અનંતો પકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. ઉપરોક્ત હસ્તાદર્થોમાંથી ૧ હસ્તાદર્શની નકલ જેમના સૌજન્યથી પ્રાપ્ત થઈ તે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા)ના પ્રેરક રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગર-સૂરીશ્વરજી મ.સા.નું પણ કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ છીએ. ભરત ગ્રાફિકવાળા શ્રી ભરતભાઈના પરિશ્રમથી ટાઈપસેટીંગ આદિ કાર્ય સુચારુરૂપે પાર પડેલ છે. પ્રસ્તુત પ્રબંધના અધ્યયન દ્વારા સ્વ-પરને ચરમઅસ્પૃશગતિની પ્રાપ્તિ થાય એ જ અભ્યર્થના સાથે... જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્. પોષ સુદ-૬, વિ.સં. ૨૦૬૬ શ્રી કેવલબાગ તીર્થ, સિરોડી, રાજસ્થાન પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિ Page #9 -------------------------------------------------------------------------- ________________ uct શ્રીભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દી વર્ષ ૧૯૧ ઝળહળશે સુધી ઝળહ નિર્દોષચર્યાચારી ollPlat અપ્રતિમ પ્રભુભક્ત બાળદીક્ષાસંરક્ષક ૧૯૬૭ Paíle lJlJ cloudāc poÀe શ્રેષ્ઠશ્રમણશિલ્પી beloJn [altppe JJpecip PJîtJP) પ્રવચનપ્રભાવક નવા 123]]n]]spe @ વર્ષે 1 1 Go ૨૦૦ સુવિશુદ્ધસંયમી ગુરુકૃપાપાત્ર અધ્યાત્મયોગી અપ્રમત્તસાધક નિર્યામણાનિપુણ ન્યાયવિશારદ સુવિશાળ ગચ્છાધિપતિ વર્ધમાન તપોનિધિ મિક સંઘહિતચિંતક ભાવભીની અજવાળા જી!Đદ શ્રદ્ધાંજલિ ૨૦૬૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ क - श्री उभयन्द्रायार्य छैन नाह२-५॥२५॥. 31. २०१, नं. ८७६२, पत्र-२ पपया प्रमाऊतिमत:त्मोनिन मितानितिःस्मला इसरंदडतमम्पमित्राचार नमनापक्रमार हरिकेविदनिस्सलमत्योंतरालम्रदेशसन्निविनाकघलपम नागप्रदेशमानवरतिबंनाम्पमारापिदिगमनसायमाशातामवातिमतिम दूकेकीलपातास्मातामुत्जयपाश्नावश्यरदिनसमध्यतितिमीकाम प्पारावाविम्याककल्यामास्तएक्सालापरवश म नानाकिलनियामापनामममयबामापासमोसारमजाकिया घातन्तियमाचपरामचकदलायवास्क्लिोतरालिकबादशाहनिनवाधिजावगाहानापयतावस्मलिमताकचगमनलंगाचकान्लापताकारदलाव, लिकादेवशमशनदडकररावड्यफ्यावरविदाकनीयतवास्ततितरानातावातादम्रेपलकरणसंग्ात्याववावगाहनामावादास्तावलेवागचाकतिमाया। तसगारस्मेहिम्मदापडिवले मनमाणगईएसमयमंत्रविणेदेण्उगतासाममोवग्नेसिशक्षिप्रजापनाबलावले अविश्वहेणविग्रहमतावाऽवियदस्चे निकनसमायनाफ्टवलमयांतरप्रदेशीतरामाननली केकस्यविनविपन्नताकतवविथावत्याकजरारोधिहावगाहस्तावतएववादबानुमानपाव गादमानविवळिवाचसमयादन्यत्समयोतरमाटवानगवासायासावकाहारजितारजादेवमाणेवावकिपाएमाहयाएकरोगबनवकवितिभवयम ध्यनसविनायकाव्याद रिजापपिडिवन्तो समयपरसवरंबाकसमायो एण्ममरणतिभातिअदमागारावासात्साहितिवचनसम्तमायामपिनिपायम सिनपनमविषमफामनेषसुत्पश्यामानावतामवदिवादयानामवमवगतयोतलिकप्रदेवमामिपश्चाष्ठयपावानवनिकिन्नावचिन्तबाररामीनच्या प्पशवाव्याघातःमोतराठिकप्रदेशमशीननवासबानाविक्लरणत दिदखतवादिवतालेनमा तिमिणसामाणगइति अपयतिरितिनायमधीयया सर्वानाकाशप्रदेश नम्वनिअपिचवावसुळगावावयाहस्वावतएकामानिनवतावातिरिकामकमपित्र देनामिनिअन्नविवाक्याहाविरकनाशाशीनवाटावा सुपपादितश्चमवावपक्रोचिऊसाडिफ्नोजतिजीवासावरगाहामावतिभाएभवपदणाएननांगबहसावकं अकस्मातीबिवियंसमयणकाति यहवाजमवगहाजेशकसतिनद्वमविगहमाणातचिएचक्मागासपएसेसमावोगावीमचविवाददाघारमाम्नंगषयोपपनि यकाकमसिवित्रप्रदेशांता गलिकप्रदेशमानामानिविवकणात कात्रवप्रयापदायराबानाधिपम्पमळनीलाताहरपालचनभनीकृते विविशेष बच गौणमुरालासागारमा निस्टोफ्यविरक्षकातामारतियदवहिवासनावोमपाडवणटरमजीवचिवासण्याससाविसबनिरहवस्सास्पिले विशेषाक्सकादोशनशएवंमाख्यान निर्ववाद वेवशतिरितिकारखावगाहानिरिक्तात प्रदेशानसशत्यावश्नुतेजावावगाढवावतएवसमशेपास्चालित्पतिद्वतन हत्तावपिकोदोपलावतएवेसनवकारणतिरिक्तववच्चेदात समभएपेसनेनचसिविनिप्रदेशस्परविरवलाचादिम्चिन्नदिवयमेवगरकाष्टमनपराकी । - - Page #11 -------------------------------------------------------------------------- ________________ ख - श्री उभयन्द्रायार्य हैन शनमहि२-५॥८५.. 32. २ ३७, नं. १११८१, पत्र-६ छस्मृति ईवाजयन्वीतरागान्यायविशारद न्यायाचार्य महोपाध्याय श्रीयशोविजयविरचितःअस्पृशतिवाद वादः जयत्यनेकान्तकण्ठीरवाअस्पृशनतिमतीत्यशोमते सिवा तीनदिमत्तिःसुमेधसामाश्त्यवतमपटप एसा चारमधुनसानुपकमः॥श्द दिकेचिदतिस्थून मतोऽन्तराजपदेशा स्पर्शनं दिनाक्यमुपरिभागी प्रदेश स्पर्शन सालव इतिबम्त्रम्यमाणाः सिधिगमनसमये स्थान्तमिव गतिमभिमन्यन्ते सूचोक्तांच सिद्ध तोगतेरस्पृशतासमय पार्श्व प्रदेशास्पर्शनेन समर्थयन्ति तेषांकामप्यदिग्दीमाकजयामाायत एवमुपनि तिनोपरितन प्रदेशस्पर्शनस्याधस्तनाधस्तनदेशपाथर्वक नियमीपगमेसमयनाजल्यापच्या समया मन्तिरास्पर्शनोक्तिव्याघातातन्नियमानुपगमेचैकदेजरीवास्विजान्तरानिकपदेहास्पर्शनेने सिविशेषाव गाहनीयफ्तावस्मदनिमतान्युपगमसंगानकोस्मिलविसमटोऽस्विजान्तरानिकपदेशस्यशीन दएकर सयपत्स्यत प्रतिशङ्कनीयमातथा सतितदानी तावतोदष्टस्यैव करणप्रसङ्गात यावत्यैवावगाहमया जीवोऽगाटस्तावत्यैवगतिइत्युक्तिव्याधात असणासाश्वमेवाहा उकुसेनीयडिवाने असमाणग ई एगसमएणंचविसाहेण नुहंगंता सागारीवक्ते सिन्झइतिखवायनासुपस्थाले छवियोण विग्रहस्या नादोऽवियहस्तेन एकेन समयेनास्ववान समयांतर देशान्तरास्पर्शने नेत्यर्थः ऋतुगणितियन Page #12 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ न्यायविशारद-न्यायाचार्य-महोपाध्यायश्रीयशोविजयगणिप्रणीतः श्रीअस्पृशद्गतिवादः ॥ अस्पृशद्गतिमतीत्य शोभते, 'सिद्धयतो न हि म(ग)तिः सुमेधसाम् ॥ इत्यखण्डतमपण्डपण्डिताचारमण्डनमसावुपक्रमः ॥१॥ -અસ્પર્શોપનિષ સિદ્ધિ પામતા આત્માની ગતિ અસ્પૃશગતિ હોય તો જ એ શોભે છે, અન્યથા એ યુક્તિસંગત થતી નથી. એવા અત્યંત અખંડ એવા શબ્દાર્થને જાણનારા જે પંડિતો છે, તેમના આચારનું મંડન કરનાર એવો આ સુબુદ્ધિઓનો (શાસ્ત્રાનુસારી મતિવાળા એવા અમારો) ઉપક્રમ છે. અર્થાત્ શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ સિદ્ધ થાય ત્યારે મનુષ્યલોકથી એક જ સમયમાં સિદ્ધશિલાની ઉપર પહોંચી જાય છે. વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શન કરતો નથી. શાસ્ત્રનો આ પદાર્થ અબાધ્ય છે. આ પદાર્થનું મંડન કરવા માટે અમારો આ ૨. હૃ-સિંધ્યતો | Page #13 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશાંતિવાવઃ इह हि केचिदतिस्थूलमतयोऽन्तरालप्रदेशस्पर्शनं विना कथमुपरिभागप्रदेशस्पर्शनसम्भव इति बम्भ्रम्यमाणाः सिद्धिगमनसमये स्पृशन्तीमेव गतिमभिमन्यन्ते, सूत्रोक्तां च सिद्ध्यतो गतेरस्पृशत्तामुभयपार्श्वप्रदेशास्पर्शनेन અસ્પર્શોપનિષદ્ પ્રયત્ન છે. અહીં કેટલાક અતિ ધૂળ મતિવાળા છે. તેમને એવી બહુ મોટી ભ્રાંતિ છે કે વચ્ચેના પ્રદેશોને સ્પર્શ કર્યા વિના ઉપરના પ્રદેશને શી રીતે સ્પર્શી શકાય ? એટલે જો ઉપરના પ્રદેશનો સ્પર્શ થતો હોય તો અવશ્યપણે નીચેના સર્વ પ્રદેશોને સ્પર્શ થાય જ છે એમ માનવું પડે. આવું માનીને તેઓ સિદ્ધિગમન સમયે સ્પશન્સી = સ્પર્શ કરતી ગતિ જ માને છે. તેમને જ્યારે પ્રશ્ન કરવામાં આવે કે શાસ્ત્રમાં સિદ્ધિગમનસમયે અસ્પૃશદ્ગતિ કહી છે, તેનું શું? તો તેઓ કહે છે કે જે શ્રેણિમાંથી સિદ્ધિગમન કરતો જીવ પસાર થાય, તેની બન્ને બાજુના જે પ્રદેશો હોય, તેમને તે જીવ સ્પર્શ નહીં કરે પોતાના Page #14 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः समर्थयन्ति, तेषां कामप्यपूर्वां वैदग्धीमाकलयामः । यत एवमुपरितनोपरितनप्रदेशस्पर्शनस्याधस्तनाधस्तन –અસ્પર્શોપનિષદ્ – માર્ગમાં આવતા તો પ્રત્યેક પ્રદેશોનો સ્પર્શ કરશે જ). આ રીતે તેઓ સૂત્રોક્ત અસ્પૃશદ્ગતિનું સમર્થન કરે છે – પોતાની કલ્પિત રીતે તેની સંગતિ કરે છે. તેઓની ચતુરાઈ કાંઈક અપૂર્વ જ છે એવું અમને લાગે છે. કારણ કે જો આ રીતે ઉપર ઉપરના પ્રદેશોની સ્પર્શન નીચે નીચેના પ્રદેશોની સ્પર્શના કરવાપૂર્વક જ થાય છે, એવો નિયમ માનો, તો સિદ્ધશિલાની ઉપર પહોંચતા પહોંચતા તો ઘણો સમય થઈ જશે. કારણ કે મનુષ્યલોકથી લોકાગ્રભાગ સુધી પહોંચતા વચ્ચે અસંખ્ય આકાશપ્રદેશો આવે. હવે જ્યાં સુધી નીચે નીચેના આકાશપ્રદેશને સ્પર્શ નહીં કરે, ત્યાં સુધી ઉપર ઉપરના આકાશપ્રદેશનો સ્પર્શ નહીં થઈ શકે, એટલે પ્રત્યેક આકાશપ્રદેશને સ્પર્શ કરવાનો અલગ અલગ સમય માનવો પડશે. આ રીતે લોકાગ્રભાગે પહોંચતા પહોંચતા અસંખ્ય સમય થઈ જશે. Page #15 -------------------------------------------------------------------------- ________________ < | अस्पृशद्गतिवादः प्रदेशस्पर्शपूर्वकत्वनियमोपगमे समयबाहुल्यापत्त्या समयान्तरास्पर्शनोक्तिव्याघातः । तन्नियमानुपगमे चैकहेलयैवाखिलान्तरालिकप्रदेशास्पर्शनेनैव सिद्धिक्षेत्रावगाहनोपपत्तावस्मदभिमताभ्युपगमप्रसङ्गः । न चैक —–અસ્પર્શોપનિષદ્ગ પૂર્વપક્ષ :- ભલે ને થતાં, શું વાંધો છે? ઉત્તરપક્ષ :- વાંધો એ જ કે સૂત્રમાં એવું પણ કહ્યું છે કે સિદ્ધિગમન માત્ર એક જ સમયમાં થઈ જાય છે. એ ગમનક્રિયામાં સમયાન્તર = બીજા સમયનો સ્પર્શ થતો નથી. તમારી કલ્પનાનુસારે તો અસંખ્ય સમયની સ્પર્શના થઈ જશે. માટે શાસ્ત્રવચનનો વ્યાઘાત થશે. પૂર્વપક્ષ :- ઠીક છે. તો નીચે નીચેના પ્રદેશોને સ્પર્શીને જ ઉપર ઉપરના પ્રદેશનો સ્પર્શ કરી શકાય, એવો નિયમ અમે નહીં માનીએ. ઉત્તરપક્ષ :- શાબાશ, એ નિયમ ન માનો તો એક સાથે જ વચ્ચેના સર્વ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ સિદ્ધિક્ષેત્રનું અવગાહન ઘટી શકે છે. તેથી અમને જે અભિમત છે, એ માની લેવાની તમને આપત્તિ આવશે. એટલે કે તમારે અસ્પૃશગતિ જ Page #16 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः स्मिन्नपि समयेऽखिलान्तरालिकप्रदेशस्पर्शनं दण्डकरणवदुपपत्स्यत इति शङ्कनीयम् । तथा सति तदानीं –અસ્પર્શોપનિષ માની લેવી પડશે. પૂર્વપક્ષ :- કેવલી સમુદ્યાતમાં જીવ પ્રથમ સમયે દંડ કરે છે. તેમાં એક જ સમયે પોતાના આત્મપ્રદેશોને ઉપર અને નીચે લોકાન્ત સુધી પ્રસારે છે. આ ક્રિયા એક જ સમયમાં થઈ જાય છે અને આ ક્રિયામાં વચ્ચેના તમામ પ્રદેશોની સ્પર્શના પણ થાય જ છે. તો આ જ રીતે એક જ સમયમાં સિદ્ધિગમન પણ ઘટી જશે અને વચ્ચેના બધા પ્રદેશોનો સ્પર્શ પણ ઘટી જશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે આ રીતે તો જીવ મનુષ્યલોકથી લોકાગ્રભાગે ગમન કરે એવું નહીં ઘટે, પણ કેવલી સમુદ્ધાતની જેમ દંડકરણ જ ઘટશે. એવું તો પ્રસ્તુતમાં કરવાનું જ નથી. પૂર્વપક્ષ :- ભલે ને દંડ કરે, એક સમયમાં લોકાગ્રભાગે પહોંચી તો ગયો ને ? પછી નીચેના Page #17 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः तावतो दण्डस्यैव करणप्रसङ्गात्, “यावत्यैवावगाहनया जीवोऽवगाढस्तावत्यैव वोर्द्धं गच्छति" इत्युक्तिव्याघातप्रसङ्गात् । इदमेव हि "उज्जुसेढीपडिवन्ने अफुसमाणगई एगसमयेणं अविग्गहेणं उड्ढे गंता सागारोवउत्ते –અસ્પર્શોપનિષઆત્મપ્રદેશોને સંકોચી લેશે. આ રીતે તમારું-અમારું બન્નેનું સચવાઈ જાય છે, પછી શું આપત્તિ છે ? ઉત્તરપક્ષ - આપત્તિ એ જ કે આ રીતે માનતા શાસ્ત્રવચનનો બાધ થશે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ (પોતાના ચરમ ભવના શરીરના ત્રીજા ભાગ) જેટલી અવગાહનામાં રહેલો હોય, તેટલી જ અવગાહનાને ધારણ કરીને ઉપર જાય છે. દંડકરણ દ્વારા સિદ્ધિગમન માનો તો આ શાસ્ત્રવચનની સંગતિ ન થઈ શકે. આ જ વાત અનેક શાસ્ત્રોમાં કહી છે. જુઓ, પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, “જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે, જેની ગતિ અસ્પૃશંતી છે, જે સાકાર ઉપયોગને ધરાવે છે એવો જીવ અવિગ્રહથી એક સમયમાં ઉપર જઈને સિદ્ધ થાય છે.” (પદ-૩૬, Page #18 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः सिज्झइ त्ति" प्रज्ञापना( पद ३६)सूत्रस्थले "अविग्रहेण विग्रहस्याभावोऽविग्रहस्तेन, एकेन समयेनास्पृशन् समयान्तरप्रदेशान्तरास्पर्शनेनेत्यर्थः । ऋजुश्रेणिं च प्रतिपन्नः, एतदुक्तं भवति- यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावत एव प्रदेशानूज़ ऋजुश्रेण्यावगाहमानो विवक्षिताच्चसमयादन्यत्सम –અસ્પર્શોપનિષદ્ર સૂત્ર-૩૪૯) આ સૂત્રની વૃત્તિમાં પૂ. મલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે – વિગ્રહ = વળાંકનો અભાવ તે અવિગ્રહ તેનાથી, એક સમયથી સ્પર્શના નહીં કરતો = બીજા સમયને તથા બીજા પ્રદેશને સ્પર્શ કર્યા વિના એવો અર્થ છે. તથા જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે એવો. અહીં એ સમજવાનું છે કે જીવ અહીં જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય એટલા જ આકાશ-પ્રદેશોને ઉપર ઋજુશ્રેણિથી અવગાહન કરીને અને વિવક્ષિત સમયથી બીજા સમયનો સ્પર્શ કર્યા વિના જઈને... Page #19 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः यान्तरमस्पृशन् गत्वा, तथा चोक्तं आवश्यकचूर्णी"जत्तिए जीवोऽवगाढो तावतियाए ओगाहणाए उज्जुगं गच्छइ, न वंकं, बितियं च समयं न फुसति" । भाष्यकारोऽप्याह-"रिउसेढिं पडिवन्नो, समयपएसंतरं अफुसमाणो ॥ एगसमयेण सिज्झइ, अह सागारोवउत्तो સો રૂ૦૮૮ાા इत्यादि वृत्तिवचनममृतप्रायमपि निपीय समुत्पन्नस्य -અસ્પર્શોપનિષદ્ર તથા આવશ્યકચૂર્ણિમાં પણ કહ્યું છે કે, “જેટલી અવગાહનામાં જીવ રહેલો હોય, તેટલી અવગાહનાથી ઋજુશ્રેણિથી જાય છે. વાંકુ નથી જતો અને બીજા સમયનો સ્પર્શ કરતો નથી.” ભાષ્યકારે પણ કહ્યું છે, “જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે એવો, બીજા સમયને તથા બીજા પ્રદેશને સ્પર્શ નહીં કરતો એવો, સાકાર ઉપયોગમાં ઉપયુક્ત એવો તે જીવ સિદ્ધ થાય છે. ૩૦૮૮ાા (પ્રજ્ઞાપનાવૃત્તિ પૃ. ૬૧૦) ઈત્યાદિ અમૃત જેવા વૃત્તિવચનનું પાન કરીને તમને ઉત્પન્ન થયેલું ભ્રમરૂપી ઝેર ઉતરી જશે. આ શાસ્ત્રવચનો જ એનું Page #20 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः भ्रमविषस्य परमं भेषजमुत्पश्यामः । तावतामेव हि प्रदेशानामूर्ध्वमवगाहनयाऽऽन्तरालिकप्रदेशास्पर्शनस्य स्पष्टमुपपत्तेः । न च सिद्धिक्षेत्रावच्छिन्नप्रदेशस्पर्शनेना –અસ્પર્શોપનિષદપરમ ઔષધ છે, એવું અમને લાગે છે. કારણ કે તેટલા જ પ્રદેશોમાં ઉપર અવગાહન કરશે, એના પરથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ નહીં કરે એ સ્પષ્ટપણે ઘટે છે. આશય એ છે કે જ્યારે બીજા સમયનો સ્પર્શ નથી થતો. એક જ સમયમાં લોકાગ્રભાગે પહોંચી જાય છે. અને અહીં જેટલા આકાશપ્રદેશોમાં અવગાઢ હતો, એટલા જ આકાશપ્રદેશોનું ઉપર અવગાહન કરે છે. એના પરથી સિદ્ધ થઈ જાય છે કે આમાં દંડકરણાદિ કોઈ પ્રક્રિયા ઘટતી નથી અને વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જીવ અસ્પૃશદ્ગતિથી સિદ્ધિગમન કરે છે. પૂર્વપક્ષ :- પ્રદેશાન્તરની અસ્પર્શનાને સિદ્ધ કરવા તમે મથામણ કરી રહ્યા છો. પણ એવું સિદ્ધ થવું શક્ય જ નથી. કારણ કે સિદ્ધિક્ષેત્રમાં રહેલા Page #21 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः ऽप्यस्पृशत्ताव्याघातः, आन्तरालिकप्रदेशास्पर्शनेनैवास्पृशत्ताविवक्षणात् । तदिदमुक्तं वादिवेतालेन श्रीमता –અસ્પર્શોપનિષદ્ પ્રદેશોને સ્પર્શ કરવાથી પણ અસ્પૃશત્વનો વ્યાઘાત થઈ જાય છે. અર્થાત્ જો સિદ્ધિગમન વખતે પ્રદેશાન્તરનો સ્પર્શ થતો જ નથી એમ માનો તો લોકાગ્રભાગના પ્રદેશનો પણ સ્પર્શ નહીં થાય, કારણ કે અહીં જે પ્રદેશોમાં જીવ રહેલો હતો, તેની અપેક્ષાએ લોકાગ્રગત પ્રદેશ પણ પ્રદેશાંતર જ છે. હવે જો તમારે પ્રદેશાંતરની સ્પર્શના ન જ માનવી હોય, તો સિદ્ધિગમન જ નહીં માની શકાય. શૈલેષીકરણ બાદ જીવ ત્યાં જ રહી જશે. અન્યથા તો પ્રદેશાન્તરનો સ્પર્શ થઈ જાય. બોલો, છે ને તમારું અપૂર્વ શાસ્ત્રસર્જન ? ઉત્તરપક્ષ - ના, કારણ કે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નથી થતી, આ રીતે જ અસ્પૃશત્વની વિવેક્ષા છે. એટલે કે “પ્રદેશાન્તરનો સ્પર્શ નહીં કરે' આવી જે વાત છે એનો એ જ અર્થ સમજવાનો Page #22 -------------------------------------------------------------------------- ________________ ११ अस्पृशद्गतिवादः शान्तिसूरिणा (उत्तरा० २९ अ०वृ०)-"अफुसमाणगइत्ति अस्पृशद्गतिरिति नायमर्थो यथा सर्वाना(नऽयमा) काशप्रदेशान्न स्पृशति, अपि तु यावत्सु जीवोऽवगाढस्तावत एव स्पृशति न तु ततोऽतिरिक्तमेकमपि પ્રશમિતિ” | -અસ્પર્શોપનિષદ્ર છે કે, અહીં જે પ્રદેશોમાં જીવ અવગાઢ હતો અને સિદ્ધિક્ષેત્રમાં જે પ્રદેશોમાં અવગાહન કરશે, તેની વચ્ચેના કોઈ પ્રદેશનો સ્પર્શ નહીં કરે. આ રીતે વચ્ચેના પ્રદેશની અપેક્ષાએ જ અસ્પૃશત્વ વિવક્ષિત છે, માટે તમે આપેલી આપત્તિનો અવકાશ જ નથી. આ જ વાત વાદીવેતાલ શ્રી શાન્તિસૂરિએ કહી છે, (ઉત્તરાધ્યયનસૂત્ર ૨૯-૭૩ વૃત્તિ પૃ. ૫૯૭) અસ્પૃશગતિનો અર્થ એ નથી, કે એ જીવ સર્વ આકાશપ્રદેશોનો સ્પર્શ નથી કરતો. પણ એનો અર્થ એ છે કે જેટલા પ્રદેશોમાં જીવ અવગાહન કરીને રહ્યો હોય, તેટલા જ પ્રદેશોનો સ્પર્શ કરે છે, તેનાથી વધુ એક પણ પ્રદેશનો સ્પર્શ કરતો નથી.” અહીં Page #23 -------------------------------------------------------------------------- ________________ १२ अस्पृशद्गतिवादः अत्र हि स्वावगाहातिरिक्तप्रदेशास्पर्शनेनैवास्पृशत्त्वमुपपादितम् । इत्थमेवावश्यकचूर्णी "जधा उज्जुसेढिपत्तो जत्तिए जीवो अवगाढो तावतिआए अवगाहणाए उ8 उजुगं गच्छइ, ण वंकं, अफुसेमाणगती बितियं समयं ण फुसति, अहवा जेसु' अवगाढो जे –અસ્પપનિષદ્ પોતે અવગાહન કર્યું હોય, એનાથી વધુ પ્રદેશને સ્પર્શ નથી કરતો, એ રીતે જ અસ્પૃશત્વની સંગતિ કરી છે. આ જ રીતે આવશ્યકચૂર્ણિમાં પણ કહ્યું છે કે - જ્યારે ઋજુશ્રેણિને પામેલો જેટલામાં જીવ અવગાઢ હોય, તેટલી અવગાહનાથી ઉપર ઋજુગતિ કરે છે, વાંકો નથી જતો. વળી અસ્પૃશદ્ગતિ હોય છે. બીજા સમયને સ્પર્શ કરતો નથી. અથવા તો જેટલા પ્રદેશમાં રહેલો છે, અને જેટલા પ્રદેશોને સ્પર્શ કરે છે, ઉપર જતાં પણ તેટલા જ આકાશપ્રદેશોને સ્પર્શ કરતો જાય છે.” ઉપરોક્ત બન્ને ગ્રંથોના પાઠોમાં પણ અમુક ૨. -નેતુ I Page #24 -------------------------------------------------------------------------- ________________ १३ अस्पृशद्गतिवादः अ फुसति उड्डमवि गच्छमाणो तत्तिए चेव आगासपएसे ફસેમાળો છત” કૃતિ ! ____ अत्र विवक्षाभेदाद् व्याख्यानभङ्गद्वयोपपत्तिः, यथाक्रमं सिद्धिक्षेत्रप्रदेशाऽऽन्तरालिकप्रदेशस्पर्शनाऽस्पर्श –અસ્પર્શોપનિષદ્ર અપેક્ષાએ જ અસ્પૃશત્વ છે. એકાંતે અસ્પૃશત્વ નથી એવું જોવા મળે છે. માટે અસ્પૃશત્વ માનીએ તો સિદ્ધિક્ષેત્રના પ્રદેશોનો પણ સ્પર્શ નહીં થાય એવી તમે આપેલી આપત્તિ ઉચિત નથી. અહીં વિવક્ષાના ભેદથી બે પ્રકારની વ્યાખ્યા ઘટે છે. કારણ કે એમાં એકમાં સિદ્ધિક્ષેત્રના પ્રદેશની સ્પર્શના થાય છે એમ વિચક્ષા કરી છે અને બીજામાં વચ્ચેના પ્રદેશની સ્પર્શના નથી થતી એમ વિચક્ષા કરી છે. (?) અહીં પ્રથમ પક્ષમાં પ્રદેશની અપેક્ષાએ અસ્પર્શના ગૌણ કરી છે. માટે ઉપલી દૃષ્ટિએ એવું લાગે છે કે અહીં અસ્પૃશદ્ગતિ કહી જ નથી. પછીના પક્ષમાં પ્રદેશની અપેક્ષાએ અસ્પર્શનાને પ્રાધાન્ય આપ્યું છે. એટલો અહીં વિશેષ છે. પૂર્વપક્ષ :- જે સાક્ષીપાઠ તમને ટેકો ન આપે, Page #25 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः नविवक्षणात् । अत्र च प्रदेशापेक्षयाऽस्पृशत्ता प्राचि पक्ष उपसर्जनीकृता, उत्तरपक्षे च प्रधानीकृतेति विशेषः । न चैवं गौणमुख्यत्वाभ्यां व्याख्यानभेदोपपत्तिरदृष्टचरी । नामाइतियं दव्वट्ठियस्स भावो अ पज्जवणयस्स ॥ भावं चिय सद्दणया, सेसा इच्छंति सव्वनिक्खेवे ॥७५॥ इत्यादिस्थले विशेषावश्यकादौ शतश एवं व्याख्यानभेदस्य दृष्टपूर्वत्वात् । અસ્પર્શોપનિષ ત્યાં આ બધી ગૌણ-મુખ્યતાની વાતો કરો છો. આવી રીતે કાંઈ ગૌણ-મુખ્યતાથી બે પ્રકારની વ્યાખ્યા હોતી હશે? આવું તો ક્યાંય જોયું નથી. ઉત્તરપક્ષ - સેંકડો સ્થળોએ આ રીતે વ્યાખ્યાભેદ જોવા મળે છે. જેમકે વિશેષાવશ્યક ભાષ્યમાં એક ગાથા છે - નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાસ્તિક નયને માન્ય છે. પર્યાયાસ્તિક નયને ભાવનિક્ષેપ જ માન્ય છે. શબ્દનયો ભાવનિક્ષેપને જ ઈચ્છે છે અને બાકીના નયો સર્વનિક્ષેપોને ઈચ્છે Page #26 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः હસ્તેવ—અસ્પૃશદ્રતિનિતિ વોડર્થ ?, “વાવણ –અસ્પર્શોપનિષ છે. ૭પો વિશેષાવશ્યક ભાષ્યમાં આ મુજબ ગાથા જોવા મળે છે - नामाइतियं दव्वट्ठियस्स भावो य पज्जवणयस्स । संगहववहारा पढमगस्स सेसा य इयरस्स ॥७५॥ આ ગાથાની ટીકામાં પણ આ રીતે વ્યાખ્યાભેદ છે – નીવાર્યસિદ્ધસેનામતનેદ ઋગુસૂત્ર) પર્યાયાસ્તિकेऽन्तर्भावो दर्शितः, सिद्धान्ताभिप्रायेण तु सङ्ग्रहव्यवहारवद् ऋजुसूत्रस्यापि द्रव्यास्तिक एवान्तर्भावो દ્રષ્ટ: I સિદ્ધસેનસૂરિજીના મતથી અહીં ઋજુસૂત્રનો પર્યાયાસ્તિક નયમાં અંતર્ભાવ બતાવ્યો છે. સિદ્ધાન્તના અભિપ્રાયથી તો સંગ્રહ-વ્યવહારની જેમ ઋજુસૂત્રનો પણ દ્રવ્યાસ્તિકનયમાં જ અંતર્ભાવ સમજવો. આ રીતે અહીં પણ વિવક્ષાભેદથી વ્યાખ્યાભેદ છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. પૂર્વપક્ષ:- અરે, આ રીતે તો અસ્પૃશદ્ગતિનો Page #27 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः तिरिक्तनभः प्रदेशानस्पृशन् यावत्सु तेषु जीवोऽवगाढस्तावत एव समश्रेण्या स्पृशन्नित्यर्थः" इति नूतन - वृत्तावपि को दोष: ? तावत एव इत्यत्र एवकारेणातिरिक्तव्यवच्छेदात्, समश्रेण्या इत्यनेन च सिद्धक्षेत्रप्रदेशस्पर्शनस्यैव लाभादिति चेत् । नहि वयमेतदक्षरकाष्ठस्यैव -અસ્પર્શોપનિષદ્ શું અર્થ રહેશે ? અને અમે નવી વ્યાખ્યા કરીએ કે, “પોતાની અવગાહના સિવાયના આકાશ પ્રદેશોને સ્પર્શ કર્યા વિના, જેટલા પ્રદેશોમાં જીવ રહેલો હોય, તેટલા જ પ્રદેશોને સમશ્રેણિથી સ્પર્શ કરતો જાય છે.” તો આ નૂતનવૃત્તિમાં પણ શું દોષ છે ? કારણ કે ‘તેટલા જ' એમ અહીં ‘જ’કારથી બાકીના પ્રદેશોનો વ્યવચ્છેદ થાય છે અને ‘સમશ્રેણિથી’ આવું કહેવાથી સિદ્ધિક્ષેત્રના પ્રદેશોની સ્પર્શના થાય છે એવો અર્થ મળી જાય છે. એટલે કે સિદ્ધિગમન પણ સિદ્ધ થઈ જાય છે. તો પછી અમે કરેલી નવી વ્યાખ્યાનું તમે ખંડન કેમ કરી શકો ? १६ ઉત્તરપક્ષ :- અમે આ નવી વ્યાખ્યાના અક્ષરોરૂપી કાષ્ઠ (લાકડા)નું ખંડન નથી કરતાં. પણ આંતરાલિક પ્રદેશોની સ્પર્શના થાય છે એવા Page #28 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः पराकर्तारः किन्त्वान्तरालिकप्रदेशा(श?)स्पर्शनाभिप्रायસરચૈવ | -અસ્પર્શોપનિષઅભિપ્રાયરૂપી સારવાળા એ અક્ષરો છે એનું જ ખંડન કરીએ છીએ. આશય એ છે કે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ અને આવશ્યકચૂર્ણિકારની વ્યાખ્યાનું આલંબન લઈને તમે તમારા મતની પુષ્ટિ કરવા માંગો છો અને તમારી નૂતનવૃત્તિ તેને અનુસરે છે, માટે સાચી છે આવું કહેવા માંગો છો. અમારી સામે એ પ્રશ્ન પણ ઉઠાવો છો કે જો એ પૂર્વાચાર્યોની વૃત્તિ અબાધ્ય હોય, તો આ નૂતનવૃત્તિનું ખંડન કેમ થઈ શકે ? પણ અમારો જવાબ છે કે બન્નેમાં ઘણો ફરક છે. પૂર્વાચાર્યોએ વ્યાખ્યાભેદનો આશ્રય લીધો હોવા છતાં પણ તેમણે વચ્ચેના પ્રદેશોની અસ્પર્શનાનું ખંડન નથી કર્યું. બક્કે અસ્પર્શનાને ગૌણ કરી છે. જ્યારે તમારી નૂતનવૃત્તિમાં શબ્દો ગમે તે હોય, તેની પાછળનો આશય તો વચ્ચેના પ્રદેશોની અસ્પર્શનાનું ખંડન Page #29 -------------------------------------------------------------------------- ________________ १८ अस्पृशद्गतिवादः अथेगभिप्राय एवात्र कथमुदञ्चेदिति चेत्, सोऽयमाशयितारं 'प्रत्येवानुयोगः शोभते, परमन्यत्रापि -અસ્પર્શોપનિષદ્ - કરવાનો છે. એટલે કે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના સિદ્ધ કરવાનો છે. માટે આવા આશયવાળી નૂતનવૃત્તિનું જ અમે ખંડન કરીએ છીએ. - પૂર્વપક્ષ :- અમે જે નૂતનવૃત્તિ બનાવી એ તમે જોઈ લો, એ સાચી કે ખોટી એ તમે કહી દો. એમાં આવો જ અભિપ્રાય છે, આ વ્યાખ્યાની પાછળ આવો જ આશય છે, એવું તમે શી રીતે કહી શકો ? આની પાછળ આવો જ આશય કેમ હોય ? ઉત્તરપક્ષ :- આ પ્રશ્ન તો આશયકર્તાને જ પૂછો એ શોભાસ્પદ છે. વળી આ આશય પણ તો જ સંભવે કે જો અન્યત્ર પણ પોતાના અવગાહની ભ્રાન્તિ હોય. એટલે કે જે સમયે સિદ્ધિગમન થાય એ સમયે મનુષ્યલોકથી સિદ્ધિક્ષેત્ર સુધીના પ્રદેશોની શ્રેણિમાં આત્મા રહેલો હોય છે, એવો ભ્રમ હોય. ૨. રઘ-પ્રત્યેગા ! Page #30 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः स्वावगाहभ्रान्त्यैवायं सम्भाव्यते सा चाऽयुक्ता > दण्डप्रसङ्गाद् अस्पृशत्ताव्याघाताच्च । पार्श्ववर्त्तिप्रदेशा १९ -અસ્પર્શોપનિષદ્અને આ ભ્રમ તો અનુચિત છે. કારણ કે એવું માનીએ તો પૂર્વે કહ્યું તેમ દંડ માનવાની આપત્તિ આવશે અને અસ્પૃશત્તાનો વ્યાઘાત થશે. વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નથી થતી એવા આગમવચનનો બાધ થશે. પૂર્વપક્ષ :- અરે, અમે કેટલી વાર તો કહ્યું. અસ્પૃશત્તા વચ્ચેના પ્રદેશોની અપેક્ષાએ નહીં પણ આજુ-બાજુના પ્રદેશોની અપેક્ષાએ છે. માટે અસ્પૃશત્ત્વના બાધનો પ્રશ્ન આવતો જ નથી. ઉત્તરપક્ષ :- ભલા માણસ, આ રીતે તો સ્પૃશતિ પણ અસ્પૃશતિ બની જશે. જે ક્રમશઃ એક પછી એક પ્રદેશને સ્પર્શ કરતો જતો હોય, તે પણ આસ-પાસના પ્રદેશોને સ્પર્શ કરીને જતો હોય, એવું સંભવતું નથી. જે કોઈ પણ સ્પર્શતી ગતિ હશે, તેમાં ય પોતાની શ્રેણિના પ્રદેશોનો જ સ્પર્શ થશે, બીજા-આસપાસના પ્રદેશોનો નહીં. એટલે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ अस्पृशद्गतिवादः स्पर्शनेनास्पृशत्तायां च स्पृशद्गतेरप्यस्पृशत्त्वापत्तिः । न हि योऽप्यानुपूर्व्या स्पृशन् गच्छति सोऽपि पार्श्वतोऽपि स्पृशतीति सम्भवति, अपि च स्पृष्ट्वा गच्छतः पार्श्ववर्तिप्रदेशास्पर्शनमसम्भवदुक्तिकमेव । षड्दिक्प्रदेश समालिङ्गनेनैव क्षेत्रतः स्पर्शनाया विशेषात् । –અસ્પર્શોપનિષદજે ગતિમાં આસપાસના (પાર્થવર્તી) પ્રદેશોનો સ્પર્શ ન થાય તે અસ્પૃશદ્ગતિ, આવો અર્થ કરશો, તો પછી સ્પૃશદ્ગતિ જેવું કાંઈ રહેશે જ નહીં. બધુ અસ્પૃશદ્ગતિ જ બની જશે. બોલો, તમારી વ્યાખ્યા અલૌકિક છે કે નહીં ? આ તો અમે તમારી માન્યતાના આધારે જ તમારું ખંડન કરીએ છીએ. બાકી તો જે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરીને જાય છે, એ પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ ન કરે આવું કહેવું એ અસંભવતી વાત છે. કારણ કે જે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરીને જાય, તેને અવશ્યપણે પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ થવાનો જ છે. કારણ કે છ દિશામાં રહેલા પ્રદેશોને સમાલિંગન કરવાથી જ ક્ષેત્રથી સ્પર્શનાનો વિશેષ છે. એટલે કે પુગલનો પ્રદેશ (પરમાણુ) કે જીવનો Page #32 -------------------------------------------------------------------------- ________________ २१ अस्पृशद्गतिवादः तथा च बभाषे भाष्यकारः - "एगपएसं खेत्तं, सत्तपएसा य से फुसणा ।" इति ॥ नन्वेवं "यावत्सु जीवोऽवगाढस्तावत एव स्पृशति न तु ततोऽतिरिक्त -અસ્પર્શોપનિષદ્ પ્રદેશ જ્યાં અવગાહન કરીને રહ્યો હોય, તેની છ દિશામાં અનંતર રહેલા પ્રદેશોનો સ્પર્શ તેને થાય જ છે. ભાષ્યકારે પણ આ જ વાત કરી છે કે, એક પ્રદેશનું તેનું ક્ષેત્ર હોય છે અને સાત પ્રદેશમાં તેની સ્પર્શના થાય છે. એક તો પોતે જે પ્રદેશમાં અવગાહન કર્યું છે તેની સ્પર્શના અને બીજા છ દિશાના છે પ્રદેશોની સ્પર્શના. ચાર દિશાના ચાર તથા ઉપર અને નીચે એમ છ દિશાના પ્રદેશોની તદ્દન લગોલગ હોય, તેને એ પ્રદેશોની સ્પર્શના તો થવાની જ છે. જો એ પ્રદેશોની સ્પર્શના ન માનો તો વચ્ચે અંતર માનવું પડે અને અંતર હોય તો એ પાર્શ્વવર્તી પ્રદેશ જ ન કહેવાય. માટે જે પાર્શ્વવર્તી પ્રદેશો છે, તેની સ્પર્શના અવશ્ય માનવી જ પડે. પૂર્વપક્ષ :- અરે, પણ આ રીતે તો વાદિવેતાલા શ્રી શાંતિસૂરિએ જે કહ્યું કે, “જેટલા પ્રદેશોમાં જીવ Page #33 -------------------------------------------------------------------------- ________________ २२ अस्पृशद्गतिवादः मेकमपि प्रदेशम्", इति वादिवेतालोक्तिरसङ्गता स्यात्, स्पर्शनायामवगाहनातः षड्दिक्प्रदेशाधिक्यस्यावश्यकत्वादिति 'अजामपनयतः क्रमेलकागम'न्यायापात इति चेत्, सत्यम्, अत्रावगाहनावच्छिन्नस्पर्शनायामेवाति –અસ્પર્શોપનિષદ્ર રહેલો હોય, તેટલા જ પ્રદેશોનો સ્પર્શ કરે છે. તેનાથી વધુ એક પણ પ્રદેશનો સ્પર્શ કરતો નથી.” આ વચન અસંગત થઈ જશે. કારણ કે પોતે જેટલા પ્રદેશોમાં અવગાહન કર્યું છે, તેમાં છ દિશાના પ્રદેશો ઉમેરીએ, એટલા પ્રદેશોની સ્પર્શના માનવી આવશ્યક છે. જ્યારે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ તો “માત્ર અવગાહનાના પ્રદેશોની જ સ્પર્શના થાય છે, એ સિવાયના એક પણ પ્રદેશની નહીં એમ ચોખ્ખું કહે છે. બોલો, બકરી કાઢતાં ઊંટ પેઠું - એવો ઘાટ તમારો ઘડાયો છે કે નહીં ? ઉત્તરપક્ષ :- સાચી વાત છે, કારણ કે અહીં અતિરિક્તપ્રદેશનો સંબંધ થતો નથી આવું જે ૨. સ્વ-fધણા | Page #34 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः रिक्तप्रदेशसम्बन्धाभावसमर्थने तात्पर्यात्, यतो "येष्वव -અસ્પર્શોપનિષદ્સમર્થન કર્યું છે, તેનું તાત્પર્ય એ જ છે કે પોતાની અવગાહનામાં રહેલા પ્રદેશોની સ્પર્શના થાય છે. આશય એ છે કે પોતાની અવગાહનાના પ્રદેશો સિવાય એક પણ પ્રદેશોને સ્પર્શતો નથી” આવી જે વાત કરી છે, તેમ કહેવામાં ‘પાર્થવર્તી પ્રદેશોની સ્પર્શના નથી થતી,” એવું પ્રતિપાદન કરવાનો અભિપ્રાય નથી. પણ “પોતાની અવગાહનામાં રહેલા પ્રદેશોની સ્પર્શના થાય છે એવું જ પ્રતિપાદન કરવાનો અભિપ્રાય છે. અર્થાત અહીં પોતાની અવગાહનામાં રહેલા પ્રદેશોની સ્પર્શનાને મુખ્ય કરી છે અને પાર્શ્વવર્તી પ્રદેશોની સ્પર્શનાને ગૌણ કરી છે, એટલું જ, પાર્શ્વવર્તી પ્રદેશોની સ્પર્શનાનું ખંડન નથી કર્યું. પૂર્વપક્ષ:- તમને તો મન:પર્યાયજ્ઞાન થયું લાગે છે, એટલે જ પૂર્વાચાર્યોના તાત્પર્યો તમને જ સમજાઈ જાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ २४ अस्पृशद्गतिवादः गाढो याँश्च स्पृशति ऊर्ध्वमपि गच्छन् तावत एवाकाशप्रदेशान् स्पृशन् गच्छति" इत्यावश्यकचर्णिकारवचनाद व्यक्तमेवेदं लक्ष्यते । अत्र हि स्वावगाहकस्पृष्टोभयप्रदेशावच्छेदेनैव सिध्यतः स्पर्शनं नियम्यान्यत्र च स्पर्शनसामान्यवाचकपदेनाभिधीयमाना -અસ્પર્શોપનિષદ્ ઉત્તરપક્ષ :- ના, કારણ કે “જીવ જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય અને જેટલા પ્રદેશોમાં સ્પર્શના કરતો હોય, ઉપર જતાં પણ તેટલા જ આકાશપ્રદેશોનો સ્પર્શ કરતો જાય છે. આ પ્રમાણે આવશ્યકચૂર્ણિકારના વચનથી સ્પષ્ટપણે જ એ તાત્પર્ય જણાય છે. એટલે કે ચૂર્ણિકાર “પૂર્વ અવગાહના અને સ્પર્શના જેટલા પ્રદેશોમાં હોય છે, તેટલા જ પ્રદેશોની અવગાહના અને સ્પર્શના સિદ્ધિક્ષેત્રમાં હોય છે એવું જ પ્રતિપાદન કરવા માંગે છે. અહીં એવો નિયમ બાંધ્યો છે કે સિદ્ધિગમન વખતે જીવ પોતાની અવગાહનાના પ્રદેશો અને પોતે જેને સ્પર્શેલો છે એ પ્રદેશો, આ બન્ને પ્રદેશોમાં જ સ્પર્શના કરે છે અને અન્યત્ર એવો નિયમ બાંધ્યો Page #36 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः २५ यामवगाहनावच्छिन्नस्पर्शनायामतिरिक्तप्रदेशसम्बन्धाभावो नियम्यते इति । न चैवमवगाहनावच्छिन्नत्वे -અસ્પર્શોપનિષદ્છે કે સ્પર્શન સામાન્યના વાચક પદથી કહેવાતી અવગાહનાથી અવચ્છિન્ન સ્પર્શનામાં અતિરિક્ત પ્રદેશના સંબંધનો અભાવ હોય છે. એટલે કે અહીં ‘સ્પૃશતિ’ આવું જે કહ્યું છે, તેમાં ભલે સ્પર્શના એમ સામાન્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. પણ તે શબ્દથી વિશેષ સ્પર્શનાનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય છે. આ વિશેષ સ્પર્શના એટલે જે પ્રદેશોમાં જીવ અવગાહન કરીને રહેલો છે, તે પ્રદેશોને થતી સ્પર્શના. હવે આ સ્પર્શનામાં તો અતિરિક્ત પ્રદેશનો સંબંધ નથી જ. અતિરિક્ત પ્રદેશોની સ્પર્શના તો આ વિશેષ સ્પર્શનાથી અલગ જ છે. આ રીતે અવગાહનાવચ્છિન્ન સ્પર્શનામાં અતિરિક્ત પ્રદેશના સંબંધનો અભાવ છે, એવો નિયમ બાંધ્યો છે. પૂર્વપક્ષ :- સિદ્ધિગમન સમયે જે અંતરાલના પ્રદેશોમાં પોતે અવગાહન કરે છે, તેનો પણ સ્પર્શ ન થવો જોઈએ. કારણ કે જો એ પ્રદેશોનો સ્પર્શ Page #37 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः नान्तरालप्रदेशान् मा स्पाक्षीद्, अन्यथा स्पर्शनशङ्का तु दुर्निवारेति वाच्यम्, ऋजुश्रेण्याऽन्तरास्पर्शनस्यावगाहननियतत्वात् । अस्तु वाऽतिरिक्तपदस्य ‘अतिरिच्यते –અસ્પર્શોપનિષદ્ર કરશે, તો તેના પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ થશે જ ને? આ શંકાનું નિવારણ કરવું મુશ્કેલ થશે. અથવા તો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ ભલે થાય પણ એ પ્રદેશોનું અવગાહન નહીં થાય. એટલે વચ્ચેના પ્રદેશોની અવગાહનાથી અવચ્છિન્ન સ્પર્શને નહીં થાય. અન્યથા “પાર્થવર્તી પ્રદેશોનો પણ સ્પર્શ થશે', એવી શંકાનું નિવારણ કરવું મુશ્કેલ થશે. (?) ઉત્તરપક્ષ :- ના, આવું ન કહી શકાય. કારણ કે ઋજુશ્રેણિથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે તો અવશ્યપણે એ પ્રદેશોમાં અવગાહના કરે જ. આ રીતે ઋજુશ્રેણિથી વચ્ચેના પ્રદેશોની સ્પર્શના એ અવગાહનાનિયત છે. (?) અથવા તો અતિરિક્ત થાય છે = વ્યવહિત Page #38 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः व्यवधीयते' इति व्युत्पत्त्या व्यवहितत्वमर्थः । २७ – न ह्यन्तरालस्पर्शनं विनाऽवगाहनाव्यवहितः प्रदेशः સ્ત્રછું શવત રૂતિ, અયમેવાર્થીઽસ્પૃશવૃત્તિરિતિ। જોડર્થ:“स्वावगाहातिरिक्तनभःप्रदेशानस्पृशन्नचिन्त्यया शक्त्या -અસ્પર્શોપનિષદ્થાય છે - એવી વ્યુત્પત્તિથી અતિરિક્ત પદનો અર્થ વ્યવહિતપણું કરીએ. વચ્ચેના પ્રદેશોને સ્પર્શ કર્યા વિના અવગાહનાથી વ્યવહિત હોય એવા પ્રદેશને સ્પર્શ કરવો શક્ય નથી. જીવ પોતે જે અવગાહનામાં રહ્યો છે તે અવગાહનાને સ્પર્શીને જે પ્રદેશો રહેલા છે, તે સિવાયના પ્રદેશો ૨૪ વ્યવહિત કહેવાય. વ્યવહિત પ્રદેશોનો સ્પર્શ તો જ થઈ શકે, કે જો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે. આનો જ અર્થ અસ્પૃશતિ છે. (? વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ વ્યવહિતપ્રદેશોનો સ્પર્શ કરવો એનું જ નામ અસ્પૃશતિ). આનો શું અર્થ થયો ? કે પોતે જેમાં અવગાહન કરીને રહ્યો છે, તેનાથી અતિરિક્ત આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના અચિત્ત્વ શક્તિથી મોક્ષે જાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ २८ अस्पृशद्गतिवादः सिद्धिं गच्छति" इति । विशेषावश्यकवृत्तावपि મયમેવાશયો દ્રષ્ટ: | અસ્પર્શોપનિષદુ વિશેષાવશ્યકની વૃત્તિમાં પણ આ જ આશય સમજવો. વિશેષાવશ્યકમાં કહ્યું છે – रिउसेढीपडिवन्नो समयपएसंतरं अफुसमाणो एगसमएण सिज्झइ, अह सागारोवउत्तो सो ॥३०८८॥ જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે, જે બીજા સમયનો કે બીજા પ્રદેશનો સ્પર્શ નથી કરતો, એવો સાકારોપયુક્ત જીવ એક સમયમાં સિદ્ધ થાય છે. આ ગાથાની વૃત્તિમાં આ મુજબ કહ્યું છે – सुबोधा, नवरं समयेत्यादि, एकसमयादन्यत् समयान्तरमस्पृशन्नवगाढप्रदेशेभ्योऽपराकाशप्रदेशाश्चास्पृशन्नचिन्त्यया शक्त्या सिद्धिं गच्छतीति भावार्थः । સુગમ છે. માત્ર સમય ઈત્યાદિ જે કહ્યું, તેનો અર્થ એ છે કે એક સમયથી અન્ય બીજા સમયને નહીં સ્પર્શતો અને પોતે જેમાં અવગાહન કર્યું છે, એ પ્રદેશો સિવાયના આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના અચિન્ય શક્તિથી મોક્ષે જાય છે. ઉપરોક્ત વૃત્તિના પાઠમાં જે અપરાપર (અપર Page #40 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः २९ अपरापरपदस्यापि व्यवहितार्थलाक्षणिकत्वसम्भ વાત્ । चूर्ण्यादिवचनसमर्थनाय चेयं सूक्ष्मेक्षिका । -અસ્પર્શોપનિષદ્ ?) શબ્દ છે એમાં પણ વ્યવહિતાર્થની લક્ષણા થવી સંભવિત છે. માટે અમે જેમ અતિરિક્તનો અર્થ વ્યવહિત કર્યો, એ જ આશય વિશેષા-વશ્યક ભાષ્યમાં પણ સમજવો જોઈએ. આવશ્યક-ચૂર્ણિ વગેરેના વચનનું સમર્થન ક૨વા માટે આ સૂક્ષ્મદ્રષ્ટિ અપનાવી છે. મુખ્યવૃત્તિએ જે સિદ્ધાન્તાભિમત પદાર્થ છે એ તો અમે શરૂઆતમાં જ રજુ કર્યો છે કે, સિદ્ધિગમન વખતે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ થતો જ નથી. હમણા અતિરિક્તનો અર્થ વ્યવહિત લઈને જે રીતે અવગાહનાથી વ્યવહિત પ્રદેશોનો સ્પર્શ થતો નથી, એ રીતે સંગતિ કરીએ છીએ. એ ચૂર્ણિકાર અને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિના વચનના સમર્થન માટે Page #41 -------------------------------------------------------------------------- ________________ રૂ૦ अस्पृशद्गतिवादः यदि च बहुश्रुता अपरथाऽपि समर्थयन्ति । तदा नास्माकमाग्रहः । न च ग्रन्थकृदभिप्रायमविविच्य शून्यतामात्रेणावस्थानमपि हितावहमिति विभा –અસ્પર્શોપનિષદ્ – કરીએ છીએ. તેમાં વિવક્ષાભેદથી ગૌણ-મુખ્યભાવ દ્વારા જે તાત્પર્ય છે, તે પણ પૂર્વે જણાવ્યું જ છે અને જો બહુતો બીજી રીતે પણ તેનું સમર્થન કરતાં હોય, તો અમારી રીતમાં અમારો આગ્રહ નથી, કે આ જ રીતે સમર્થન કરવું જોઈએ. પણ ગ્રંથકારના અભિપ્રાયનો વિવેક કર્યા વિના શૂન્યતામાત્રથી – સુનમુન બેઠા રહેવું એ હિતાવહ નથી, એ વિદ્વાનોએ વિચારવું જોઈએ. આશય એ છે કે ચૂર્ણિકાર અને વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીએ જે વ્યાખ્યા કરી છે, તેના તાત્પર્યનું અન્વેષણ કરવું જોઈએ. અનેક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જે પદાર્થ કહ્યો છે, તેની સાથે વિરોધ આવે એવી વ્યાખ્યા તે મહાપુરુષો શી રીતે કરે ? માટે આપણે તેમની વિવક્ષાનો વિવેક કરીને તેમના અભિપ્રાયને શોધવો જોઈએ, જેનાથી કોઈ વિરોધ કે અસંગતિ ન થાય. આ પ્રયાસ અમે કર્યો જ છે. બીજા કોઈ પણ Page #42 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः वनीयं सुधीभि: । “यत्र च सर्वोर्ध्वं गच्छन्नृजुश्रेण्या यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावतः प्रदेशानूर्ध्वमप्यवगाहमानो विवक्षितसमयाच्चान्यत् समयान्तरमस्पृशन् गच्छति । उक्तं च चूर्णौ जत्तिए जीवोऽवगाढो इत्यादि" मलयगिरिकृतकर्मग्रन्थटीकायाम् । तथा "साकारोपयोगोपयुक्त ऊर्ध्वं गच्छन्नृजुश्रेण्या यावत्स्वाઅસ્પર્શોપનિષદ્ ३१ આવો પ્રયાસ કરીને તે મહાપુરુષોના વચનની ઉચિત સંગતિ કરતા હોય, તો તે પણ અમને માન્ય જ છે. પણ અભિપ્રાયનો વિવેક કર્યા વિના માત્ર શબ્દો પકડીને બેસી રહેવું સારું નથી. જુઓ, અન્ય શાસ્ત્રોમાં શું કહ્યું છે - શ્રી મલયગિરિસૂરિ મહારાજે કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે - અને જ્યાં સૌથી ઉપર ઋજુશ્રેણિથી જતાં અહીં જેટલા આકાશપ્રદેશોનું અવગાહન કર્યું હતું, એટલા જ પ્રદેશોમાં ઉપર પણ અવગાહન કરે છે અને વિવક્ષિત સમયથી અન્ય બીજા સમયનો સ્પર્શ કરતો નથી. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે જેટલામાં જીવે અવગાહન કર્યું હોય, ઈત્યાદિ. Page #43 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः काशप्रदेशेष्विहावगाढस्तावत एव प्रदेशानूर्ध्वमप्यवगाहमानस्तस्मिन्नेव समये लोकान्तमुपैति" इति समयसारवृत्तौ । तथा "कर्मविमोक्षसमये यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावतः प्रदेशानूर्ध्वमप्यवगाहमानो विवक्षितसमयाच्चान्यत्समयान्तरमस्पृशन् गच्छति, उक्तं च चूर्णी इत्यादि" मलयगिरिकृतावश्यकवृत्तौ । “एत्तो(अओ -અસ્પર્શોપનિષ સમયસારની વૃત્તિમાં કહ્યું છે – સાકારોપયોગમાં ઉપયુક્ત એવો જીવ ઋજુશ્રેણિથી ઉપર જતાં જેટલા આકાશપ્રદેશોમાં અહીં રહેલો હતો, ઉપર પણ એટલા પ્રદેશોનું અવગાહન કરતો તે જ સમયે લોકાત્તે પહોંચી જાય છે. તથા શ્રી મલયગિરિસૂરિ મહારાજા કૃત આવશ્યકવૃત્તિમાં કહ્યું છે - કર્મક્ષય સમયે અહીં જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય. તેટલા પ્રદેશોમાં ઉપર પણ અવગાહન કરે છે અને વિવક્ષિત સમયથી અન્ય બીજા સમયને સ્પર્શ કર્યા વિના જાય છે. ચૂર્ણિમાં પણ કહ્યું છે... ઈત્યાદિ. Page #44 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः चेव) अफुसमाणगईए चेव गमणं उक्करिसविसेसओ इयं" इति पञ्चसूत्रे । अन्यत्राप्येतज्जातीयस्थलेऽत्रत्यतत्रत्यावगाहनयोरेवतुल्यत्वेनास्पृशत्त्वमुपपादितं वर्तते, तत्र तु न किमपि विवेचनीयमवशिष्यते । अत्रत्यतत्र-અસ્પર્શોપનિષદ્ ३३ પંચસૂત્રમાં કહ્યું છે - માટે જ અસ્પૃશતિથી ગમન કરે છે. અસ્પૃશદ્દ્ગતિ ઉત્કૃષ્ટવિશેષથી (અચિત્ત્વ અતિશયથી) થાય છે. બીજા શાસ્ત્રમાં પણ આવા સ્થળમાં અહીંથી અવગાહના અને ત્યાંની (સિદ્ધિક્ષેત્રની) અવગાહનાની તુલ્યતાથી અસ્પૃશત્વની સંગતિ કરી છે. એટલે કે જેટલા આકાશપ્રદેશોમાં અહીં રહેલો હતો, તેટલા જ આકાશપ્રદેશોમાં ઉપર પણ રહેશે. તેનાથી વધારે પ્રદેશોની અવગાહનાવચ્છિન્ન સ્પર્શના નહીં કરે. આ રીતે અસ્પૃશત્વ ઘટાવ્યું છે. તેમાં તો તેમનો અભિપ્રાય સ્પષ્ટ જ છે, માટે તેમાં કોઈ વિવેચન કરવાનું બાકી રહેતું નથી. અને અહીંની અને ત્યાંની અવગાહનાને અને સ્પર્શનાને Page #45 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः त्यावगाहनस्पर्शनयोस्तौल्योक्तिश्च विवक्षामपेक्षत एवेति सूक्ष्ममीक्षणीयम् ॥ अन्तरालप्रदेशस्पर्शनन्तु प्रवचनवचनस्य लेशमपि जानता न वक्तुं शक्यमिति दृढमवधारणीयम् । तथा चाऽऽचचक्षिरे 'उज्जुसेढीपडिवन्ने'-इत्याद्यौपपातिकोपाङ्गप्रतीकव्याख्यानावसरे श्रीमदभयदेवसूरयः । ऋजुः-अवक्रा, श्रेणिः-आकाशप्रदेशपङ्क्तिः , ताम् ऋजुश्रेणिं प्रतिपन्न:- आश्रितः । अफुसमाणगइत्ति અસ્પર્શોપનિષદ્ તુલ્ય કહેવી, એમાં વિવક્ષાની અપેક્ષા છે જ એ સૂક્ષ્મ દૃષ્ટિએ જોવું જોઈએ. પણ જે પ્રવચનના વચનનો અંશ પણ જાણે છે, તે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના થાય છે એવું ન જ કહી શકે એવો દઢતાથી નિશ્ચય કરવો જોઈએ. ઔપપાતિક-ઉપાંગસૂત્રનું એક પ્રતિક છે ઋજુશ્રેણિપ્રતિપન્ન'. તેની વ્યાખ્યાના અવસરે શ્રી અભયદેવસૂરિજીએ પણ તે પ્રમાણે કહ્યું છે – ઋજુ એટલે અવક્ર. શ્રેણિ એટલે આકાશપ્રદેશોની પંક્તિ, તે 8 જ શ્રેણિને પ્રતિપન્ન એટલે આશ્રિત. અસ્પૃશદ્ગતિમાનું, “એટલે જેની ગતિ સિદ્ધિક્ષેત્ર અને Page #46 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः अस्पृशन्ती सिद्ध्यन्तरालप्रदेशान् गतिर्यस्य सोऽस्पृशद्गतिः । अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिः, इष्यते च तत्रैक एव समयः । य एव चायुष्कादिकर्मणां क्षयसमयः स एव निर्वाणसमयः, अतोऽन्तराले समयान्तरस्याभावादन्तरालप्रदेशानामसंस्पर्शनमिति, सूक्ष्मश्चायमर्थः केवलिगम्यो भावत इति॥ एगेणं समयेणं ति । 'कुत इत्याह-अविग्गहेणं ति –અસ્પર્શોપનિષ મનુષ્યલોકની વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરતી નથી તેવો. જો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે, તો એક સમયમાં સિદ્ધિ ન થઈ શકે. (આ વાત પૂર્વે સ્પષ્ટ કરી છે.) અને તેમાં એક જ સમય ઈષ્ટ છે. આયુષ્યાદિ કર્મોના ક્ષયનો જે સમય છે, તે જ નિર્વાણનો સમય છે. માટે વચ્ચે બીજો સમય ન હોવાથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ થતો નથી. આ પદાર્થ સૂક્ષ્મ છે અને પરમાર્થથી તેને કેવળી જાણી શકે છે. એક સમયથી, કેમ? એ કહે છે – અવિગ્રહથી = વળાંક વિના. કારણ કે વળાંકમાં જ બીજો સમય ૨. ર-વૃતઃ | Page #47 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः अविग्रहेण वक्ररहितेन, वक्र एव हि समयान्तरं लगति प्रदेशान्तरं च स्पृशतीति । उड्डूं गंता-ऊर्ध्वं गत्वा सागारोवउत्तेति - ज्ञानोपयोगवान् सिद्ध्यति-कृतकृत्यतां लभते इति" ॥ "सोऽस्पृष्टया हि गत्याऽनन्तरमेव समये जगच्छिखरम् ॥ अवगाहतेऽन्तरा (तेतरां) तेन नास्ति ननु भो व्रजत्कालः ॥१॥ सिद्धयति गत्वा ह्यस्मात्, सिद्धिक्षेत्रेऽपहाय देहमिह ॥ न ह्यन्तराऽस्ति सिद्धि –અસ્પર્શોપનિષ લાગે છે અને બીજા પ્રદેશનો સ્પર્શ થાય છે. ઉપર જઈને સાકારોપયુક્ત = જ્ઞાનોપયોગવાન સિદ્ધ થાય છે = કૃત-કૃત્યતાને મેળવે છે. - તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં કહ્યું છે – સિદ્ધનો જીવ અસ્પૃષ્ટ ગતિથી પછીના જ સમયે જગતના શિખરનું અવગાહન કરે છે. વચ્ચે તેના પ્રદેશોને સ્પર્શવાનો) ગમનકાળ તો છે જ નહીં તેના માટે તે અહીં શરીરને છોડીને સિદ્ધિક્ષેત્રમાં જઈને સિદ્ધ થાય છે. મુક્તને વચ્ચે સિદ્ધિ પણ નથી અને અસિદ્ધિ પણ નથી. //રો એ જીવ સ્વાધીન છે. તેને ક્યાંય . - ત્ય | Page #48 -------------------------------------------------------------------------- ________________ ३७ अस्पृशद्गतिवादः सिद्धिश्चास्ति मुक्तस्य ॥२॥ (स्ववशस्यानभिसन्धेः, कृतकृत्यस्य च यथा स्वभावेन ॥ तस्योपयोग इष्टस्तथा गतिः सा स्वभावेन ॥३॥" अ० १० सूत्र० ७) इति तत्त्वार्थवृत्तौ ॥ अत्र कश्चिदविपश्चित् 'सूक्ष्मश्चायमर्थः केवलिगम्यो भावतः' इतिवचनश्रवणादुत्कन्धरीभूय प्रकृतार्थस्य सन्दिह्यमानतामवलम्बमान आचार्य –અસ્પર્શોપનિષજવાનો આશય નથી. વળી એ કૃતકૃત્ય છે. તેને જેમ જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ થાઓ, એવો તેમનો આશય હોતો નથી. એ જ રીતે સિદ્ધની તથાવિધ ગતિ પણ સ્વભાવથી થાય છે. (અધ્યયન૧૦, સૂત્ર-૭) “આ અર્થ સૂક્ષ્મ છે અને પરમાર્થથી કેવલીગમ્ય છે', આવું ઔપપાતિકસૂત્રની વૃત્તિનું વચન સાંભળીને કોઈ ગળું ઊંચું કરીને એમ માને છે કે પ્રસ્તુત અર્થ સંદિગ્ધ છે. એટલે કે ખરેખર, સિદ્ધિગમન સમયે અસ્પૃશદ્ગતિ થાય છે કે નહીં એ જ સંદેહાસ્પદ છે.” અભયદેવસૂરિજી તો સૂક્ષ્મ છે, એવું કહે છે, પણ એ અજ્ઞ એને સંદિગ્ધ માની લે છે. વાસ્તવમાં આચાર્યોની પરંપરાએ આ Page #49 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः परम्परया विप्रतिपन्नतयाऽनुपदर्शितमप्यर्थं विप्रतिपन्नत्वेनोद्भावयन् कृतान्तव्याकोपभाग्' भवति । तदुक्तम् ‘આયરિયપરંપરળ, આણં નો ૩ આળુપુથ્વીર્ ॥ कोवेइ छेयवाइ, जमालिनासं स णासिहिइ २ ॥ १ ॥ | " इति । अथ सुहृद्भावेनैव पृच्छामः, सूक्ष्मत्वं केवलि - -અસ્પર્શોપનિષદ્અર્થને વિપ્રતિપન્ન તરીકે બતાવ્યો જ નથી. આ અર્થમાં પરસ્પર વિરોધી એવા મત-મતાંતરો છે જ નહીં, તો પણ આ અર્થ વિપ્રતિપન્ન છે, એવું તે અન્ન ઉદ્ભાવન કરે છે. માટે તે સિદ્ધાન્તવ્યાકોપનો ભાગી બને છે. તે આગમની સાથે મન ફાવે એવા ચેડા કરીને તેની આશાતના કરે છે. કહ્યું પણ છે કે - જે ક્રમશઃ આચાર્યોની પરંપરાથી આવેલું હોય, તેને જે પંડિતમાની (દુર્વિદગ્ધ) કોપિત કરે, (તેનો અપલાપાદિ કરે) તે જેમ જમાલિ નાશ પામ્યો, તેમ નાશ પામે છે. (ધર્મભ્રષ્ટ થઈને પોતાનો સંસાર વધારે છે.) ॥૧॥ ३८ પૂર્વપક્ષ :- જુઓ, અમે હવે મૈત્રીભાવથી જ ૧. સ્વ-માન । ૨. -સિર્હિ । Page #50 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः गम्यत्वं चात्र' कथमुक्तमिति चेत्, एकसमयावच्छेदेन प्रभूतान्तरालप्रदेशस्पर्शनातिक्रमेणारे- स्पृशद्गतिप्रक्रमस्य सांव्यवहारिकप्रत्यक्षेणादृष्टपूर्वत्वात् । –અસ્પર્શોપનિષદુ પૂછીએ છીએ કે અહીં સૂક્ષ્મપણું અને કેવલિગમ્યપણું કેમ કહ્યું ? ઉત્તરપક્ષ:- એટલા માટે જ કે એક જ સમયમાં વચ્ચેના ઘણા પ્રદેશોની સ્પર્શનાને ઓળંગીને જે અસ્પૃશદ્ગતિની પ્રક્રિયા થાય છે તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષથી પહેલા કદી જોવાઈ નથી. આશય એ છે, કે એક ઝાટકે જીર્ણ વસ્ત્રને ફાડવામાં આવે, ત્યારે પણ એના પ્રત્યેક તંતુઓ ક્રમશઃ જ તૂટે છે. પૂર્વ-પૂર્વનો તંતુ તૂટે પછી જ પછી પછીનો તંતુ તૂટે છે. એક માણસ થાણાથી દાદર જાય એટલે મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર એમ ક્રમશઃ સ્પર્શના કરતો જ જાય છે. એના વિના એ દાદર ન જ પહોંચી શકે. આવું છમસ્થ જીવે પોતાના સાંવ્યાવહારિક પ્રત્યક્ષથી જોયું 8. -ત્રીત્ર | ૨. રીં-મૂળ મૃ / Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ अस्पृशद्गतिवादः न त्वेवंविधवचनभङ्ग्याऽऽज्ञाम्राह्यत्वमात्रमत्रोद्भाव्य मूकतयाऽवस्थानं सङ्गतम्, –અસ્પર્શોપનિષદ્ર છે. પણ એક જ સમયમાં ઘણા પ્રદેશોને ઓળંગી જવાય, સુદૂર રહેલા પ્રદેશોમાં અવગાહન કરાય અને વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ જ ન થાય, એવી અસ્પૃશદ્ગતિ તો છમયે પોતાના સાંવ્યવહારિક પ્રત્યક્ષથી જોઈ જ નથી. માટે આ અર્થ છદ્મસ્થ જોઈ નથી શક્તો માટે સૂક્ષ્મ છે, અને સ્પષ્ટરૂપે જાણી પણ નથી શકતો માટે પરમાર્થથી કેવલીગમ્ય છે. પૂર્વપક્ષ - જો એવું જ છે, તો પછી આ પદાર્થ આજ્ઞા ગ્રાહ્ય જ છે. આમાં કોઈ તર્ક કે યુક્તિ થઈ જ ન શકે. તો પછી તમે આટલું પિંજણ કેમ કરો છો ? ઉત્તરપક્ષ :- ના, આ પદાર્થ માત્ર આજ્ઞાગ્રાહ્ય છે, એવું ઉદ્દભાવન કરીને આ વિષયમાં મૂક થઈને બેસી રહેવું એ ઉચિત નથી. પૂર્વપક્ષ :- આ તમારો પોતાનો જ મત છે કે Page #52 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः "ततो भवोपग्राहिकर्मजालं क्षपयित्वा ऋजुश्रेणिं प्रतिपन्नोऽस्पर्शमान(ऽस्पृशद्)गत्या सिद्ध्यतीत्यत्र बहुवक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति गाथार्थः" इति हारिभद्रयामावश्यकवृत्तावस्यार्थस्य बहुवक्तव्येनोक्तत्वात् । न चाऽऽज्ञामात्रग्राह्येऽर्थे बहुवचनावस -અસ્પર્શોપનિષદ્ર પૂર્વાચાર્યો પણ આવું માનતા હતાં ? ઉત્તરપક્ષ :- પૂર્વાચાર્યો પણ આ મતમાં સમ્મત હતાં. જેમકે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે - “પછી ભવોપગ્રાહી કર્મોના સમૂહનો ક્ષય કરીને ઋજશ્રેણિને સ્વીકારીને અસ્પૃશદ્ગતિથી સિદ્ધ થાય છે. આ સ્થાનમાં ઘણું કહેવા જેવું છે. પણ તે અમે કહેતા નથી. કારણ કે એ કહેવામાં ગ્રંથ બહુ વિસ્તૃત થઈ જાય એવો ભય છે.” આ રીતે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે આ અર્થમાં ઘણું કહેવા જેવું છે, એમ કહ્યું છે. જો આ અર્થ આજ્ઞામાત્રથી ગ્રાહ્ય હોય તો એમાં ઘણું કહેવાનો અવસર જ ન હોય. કારણ કે જે ૭. -તત્ત | Page #53 -------------------------------------------------------------------------- ________________ ४२ अस्पृशद्गतिवादः रोऽस्ति, आज्ञाग्राह्यमर्थं युक्त्या समर्थयतोऽपसिद्धान्ताવાતાત્ | तदाह भगवान् सम्मतिकारः-"जो हेउवायपक्खम्मि, हेउओ आगमे अ आगमिओ ॥ सो ससमयपण्णवओ, सिद्धन्तविराहगो अण्णो ॥३-४५॥" રુતિ | –અસ્પર્શોપનિષદ્આજ્ઞા ગ્રાહ્ય અર્થ હોય, તે અર્થનું યુક્તિથી સમર્થન કરે, તેને અપસિદ્ધાન્તનો દોષ લાગે. સમ્મતિપ્રકરણકાર ભગવાન શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે કહ્યું છે કે, જે હેતુવાદપક્ષમાં હેતુથી સમર્થન કરે અને આગમવાદ પક્ષમાં આગમથી સમર્થન કરે, તે સ્વસિદ્ધાંતનો પ્રજ્ઞાપક છે. તેનાથી અન્ય હોય, એ સિદ્ધાંતનો વિરાધક છે. (૩-૪પો આશય એ છે કે જે પદાર્થ માત્ર આજ્ઞા ગ્રાહ્ય હોય, જેમ કે નિગોદના અનંત જીવો, સૂક્ષ્મ જીવો વગેરે, આવો પદાર્થ માત્ર આજ્ઞાથી જ સમજાવાય. ભગવાને કેવળજ્ઞાનમાં જોઈને આ મુજબ કહ્યું છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ४३ अस्पृशद्गतिवादः __नन्वेवं बहुवक्तव्यत्वेन हेतुवादप्रविष्टस्यार्थस्य –અસ્પર્શોપનિષ છમસ્થ પોતાની સીમિત શક્તિથી આ જાણી શકે તેમ નથી. માટે જિનાજ્ઞા પરની શ્રદ્ધાથી આ વાત સ્વીકારવી જોઈએ.” આ મુજબ પ્રજ્ઞાપના કરાય. એ વિષયમાં યુક્તિઓ ન લગાડાય. અને જે અર્થ યુક્તિગ્રાહ્ય પણ હોય, જેમકે વનસ્પતિની સજીવતા વગેરે. તો એ અર્થમાં યુક્તિઓ પણ સમજાવવી પડે. જેમ કે વનસ્પતિ સજીવ છે, કારણ કે તે યોગ્ય આહારથી વૃદ્ધિ પામે છે અને છેદન વગેરેથી પ્લાન થાય છે, મનુષ્ય શરીરની જેમ.” આવા અર્થમાં એમ ન કહેવાય કે “ભગવાને કહ્યું છે, એટલા માત્રથી જ માની લો કે વનસ્પતિ સજીવ છે.” કારણ કે આવું કહેતા પ્રવચનલાઘવ થાય અને શ્રોતાને અશ્રદ્ધા. મિથ્યાત્વગમન વગેરે અનર્થો પણ થાય. પૂર્વપક્ષ - તમે એક બાજુ સાંધો, એમાં બીજી બાજુથી છેડો ફાટી જાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः केवलिगम्यत्ववचनमपसिद्धान्तदोषग्रस्तं स्याद् इति चेत्, न, निरपेक्षाज्ञाग्राह्यत्वाभावेनात्र हेतुग्राह्यत्वाद्, अत एव ४४ -અસ્પર્શોપનિષદ્આ અર્થમાં ઘણું કહેવા જેવું હોવાથી આ અર્થ હેતુવાદમાં અંતર્ભૂત થાય છે, એવું તમે કહો છો. તો આ અર્થ કેવલીગમ્ય છે એવું જે પૂ. અભયદેવસૂરિ મહારાજે કહ્યું, એમાં અપસિદ્ધાન્તનો દોષ નહીં આવે ? એની સંગતિ તમે શી રીતે કરશો ? ઉત્તરપક્ષ :- અપસિદ્ધાન્તનો દોષ છે જ નહીં. કારણ કે આ અર્થ નિરપેક્ષ આજ્ઞાગ્રાહ્ય નથી, એ રીતે હેતુગ્રાહ્ય છે. આશય એ છે કે જે અર્થમાં કોઈ રીતે યુક્તિ લાગી જ ન શકે, જે એકાંતે આજ્ઞાગ્રાહ્ય હોય, એને નિરપેક્ષ આજ્ઞાગ્રાહ્ય કહેવાય. આ અર્થ તેવો નથી. માટે હેતુગ્રાહ્ય છે. જે અર્થ હેતુગ્રાહ્ય હોય એ પણ આજ્ઞાગ્રાહ્ય તો હોય જ. ફરક એટલો છે કે એ સાપેક્ષ આજ્ઞાગ્રાહ્ય હોય. હેતુવાદની પ્રજ્ઞાપનામાં અનેક યુક્તિઓનું નિરૂપણ કર્યા પછી પણ એમ કહેવાય Page #56 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः 'भव्यो ज्ञानादिमान् सिद्धयति' इत्याज्ञागम्येऽर्थे हेतुग्राह्यत्वमविरुद्धम् । तथा च सम्मतिकारः - "भविओ सम्मइंसण-नाणचरित्तगुणलद्धिसंपन्नो नियमा –અસ્પશપનિષ કે સર્વજ્ઞ ભગવંતોએ આમ કહ્યું છે. માટે પણ આ માનવું જોઈએ. માટે જ “ભવ્ય જ્ઞાનાદિમાન્ સિદ્ધ થાય છે, આ આજ્ઞા ગ્રાહ્ય અર્થ પણ હેતુગ્રાહ્ય છે, એમાં વિરોધ નથી. સમ્મતિકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે પણ કહ્યું છે - ભવ્ય, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિથી યુક્ત એવો જીવ અવશ્ય દુઃખનો અંત કરે છે આ હેતુવાદનું લક્ષણ છે. ૩-૪૪ો આશય એ છે કે જીવની ભવ્યતા, પરમાર્થથી સમ્યગ્દર્શનાદિથી યુક્તતા અને તેનો દુઃખાન્ત (મોક્ષ) આ બધું છમસ્થ જોઈ શકતો નથી. એ દૃષ્ટિએ જોતા ઉપરોક્ત અર્થ આજ્ઞા ગ્રાહ્ય છે. પણ જેમ અનુમાનથી કર્મ, કર્મફળ, પરલોક વગેરેની સિદ્ધિ થઈ શકે છે, પાપ કરે એ દુઃખી થાય ઈત્યાદિ અર્થોની સિદ્ધિ થઈ શકે છે, તેમ ધર્મથી સુખ મળે, સમ્યગ્દર્શનાદિની આરાધનાથી મોક્ષ મળે એ પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४६ अस्पृशद्गतिवादः दुक्खन्तकडो-त्ति लक्खणं हेउवायस्स ॥३-४४॥ अथ 'तत्त्वं पुनः केवलिनो विदन्ति'इत्यादि-जातीयवचनानामन्यत्र विप्रतिपत्तिसूचकत्वेनैव दर्शनात्, 'सूक्ष्मश्चायमर्थ' इत्यादिवचनस्यापिविप्रतिपत्तिसूचकत्वमेवास्तु, 'अत्र बहु वक्तव्यम्'-इतिवचनस्यापि बहुविप्रतिपत्तिकत्वव्यञ्जकतयैव समर्थयितुं शक्यत्वाद् इति चेत्, स्वकीयवचनश्रद्धालुमुग्धजनपर्षन्मध्य एवेदं निगद्यमानं शोभते, न तु पण्डाकण्डूलवदनपण्डितपर्षदि, यतो बलवदनेकजनसम्मतविरुद्धनानार्थप्रदर्शनपूर्वकमेव केवलिगम्यत्ववचनं विप्रतिपत्तिव्यञ्जकमुपलभामहे, न त्वन्यथाऽपि । अन्यथा 'सुहुमा आणागिज्झा, चक्खुप्फासं न ते जन्ति'-इत्यादिवचनानामपि विप्रतिपत्तिप्रदर्शकत्वापत्ते -मस्पर्शोपनिषदસિદ્ધ થઈ શકે છે. માટે ઉપરોક્ત અર્થને હેતુવાદના લક્ષણ તરીકે પ્રસ્તુત કર્યો છે. આ રીતે આ આજ્ઞા ગ્રાહ્ય અર્થ હેતુગ્રાહ્ય પણ છે, એમાં વિરોધ નથી. એમ અસ્પૃશદ્ગતિનો અર્થ પણ આજ્ઞા ગ્રાહ્ય હોવા સાથે હેતુગ્રાહ્ય છે. માટે એ અર્થને કેવલિગમ્ય કહ્યો છે, એમાં અપસિદ્ધાન્ત દોષનો કોઈ અવકાશ नथी. Page #58 -------------------------------------------------------------------------- ________________ ४७ अस्पृशद्गतिवादः પૂર્વપક્ષ :- ટીકાઓ વગેરેમાં ઘણીવાર “તત્ત્વ તો કેવળીઓ જાણે છે” આવા વચનો જોવા મળે છે. આવા વચનો વિપ્રતિપત્તિ સૂચક હોય છે, એવું જ જોવા મળે છે. એટલે કે વિવક્ષિત અર્થમાં પરસ્પર વિરુદ્ધ મતમતાંતરો છે, એવું એ વચનો સૂચન કરે છે. તે જ રીતે પૂ. અભયદેવસૂરિ મહારાજે પણ પપાતિકવૃત્તિમાં “અને આ અર્થ સૂક્ષ્મ છે' વગેરે જે કહ્યું છે (વગેરેથી કેવળીગમ્ય છે એ વચન સમજવું) એ પણ વિપ્રતિપત્તિસૂચક જ છે, એમ માની લો ને? વળી પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે કે “આમાં ઘણું કહેવા જેવું છે.” એ વચનનું પણ એ રીતે જ સમર્થન કરી શકાય, કે આમાં ઘણી વિપ્રતિપત્તિઓ છે. આ રીતે અસ્પૃશદ્ગતિનો અર્થ પરસ્પર વિરુદ્ધ મતમતાંતરોવાળો હોવાથી કેવળીગમ્ય છે, એમ સિદ્ધ થઈ જાય છે. પછી એમાં કોઈ પિંજણ કરવાનું રહેતું નથી. ઉત્તરપક્ષ :- આવી વાત તો તમારા વચન પર Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ अस्पृशद्गतिवादः रिति किमधिकबालचेष्टितक्षोदेन ॥ कश्चित्त्वत्यन्तप्रगल्भस्तावत्यैवावगाहनयाऽपि स्पृशन्तीं गतिमचिन्त्यशक्तिकत्वेन कल्पयति, प्रष्टारं प्रति –અસ્પર્શોપનિષદ્ – આંધળો વિશ્વાસ કરનારા મુગ્ધ લોકો હોય, તેમની પાસે જ શોભે. પણ જે તત્ત્વાનુસારિણી મતિના રસિક હોય, તાત્ત્વિક વચનો કહેવાના આગ્રહી હોય, એવી વિદ્વાનોની પર્ષદામાં ન શોભે. કારણ કે શાસ્ત્રોનું નિરીક્ષણ કરતાં અમને એવું જ જોવા મળે છે કે જ્યાં પહેલા બળવાન એવા ઘણા લોકોને સમ્મત અર્થથી વિરુદ્ધ એવા અનેક પ્રકારના અર્થો કહ્યા હોય, એટલે કે પરસ્પર વિરુદ્ધ એવા અનેક મત-મતાંતરો કહ્યા હોય, અને પછી એવું કહ્યું હોય કે “આ અર્થ કેવળીગમ્ય છે' તો જ એ કેવળીગમ્યતાનું વચન વિપ્રતિપત્તિનું સૂચક બને છે. અન્યથા એટલે કે પૂર્વે વિરુદ્ધ અર્થોનો ઉપન્યાસ ન કર્યો હોય તો કેવળીગમ્યતાનું પ્રતિપાદન વિપ્રતિપત્તિનું સૂચક ન બની શકે. અન્યથા “સૂક્ષ્મ જીવો આજ્ઞા ગ્રાહ્ય છે. તે જીવો ચક્ષુનો વિષય બનતા નથી.” ઈત્યાદિ વચનો પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ ५९ अस्पृशद्गतिवादः चाऽचिन्त्यशक्तिकत्वमेवप्रत्युपदिशति 'हरीतकीमात्र –અસ્પર્શોપનિષ– વિપ્રતિપત્તિના પ્રદર્શક બની જાય, એવી આપત્તિ આવશે. માટે નાના બાળકના ચેડાઓનું વધુ ખંડન કરીને શું ફાયદો છે ? એટલે કે તમે જે રીતે પ્રસ્તુતમાં વિપ્રતિપત્તિની સિદ્ધિ કરવા પ્રયત્ન કરો છો એ વિદ્વાનોની દૃષ્ટિમાં સાવ બાલિશ ચેષ્ટા છે. એનું ખંડન કરવાની પણ જરૂર નથી. કોઈ તો અત્યંત સાહસિક છે. “જીવ જેટલી અવગાહનામાં અહીં રહેતો હતો, એટલી જ અવગાહનાથી લોકાગ્ર સુધીના પ્રદેશોનો સ્પર્શ કરે. સિદ્ધિગમન સમયે અચિત્યશક્તિથી આવી સ્પર્શતી ગતિ થાય છે.” એવી કલ્પના તે કરે છે. એને કોઈ પૂછે કે, “ભાઈ ! આવું તો શી રીતે બને ? પોતે જેટલી અવગાહનામાં રહ્યો હોય, એ તો કેટલી નાની હોય. એનાથી લોકાગ્ર સુધીના પ્રદેશોને શી રીતે સ્પર્શી શકાય ?” તો એ એના જવાબમાં એમ જ કહે કે “એ ગતિમાં આવી અચિન્ય શક્તિ છે, માટે આવું સંભવે છે.” આમ એ “અચિજ્યનો ઝંડો લઈને મનઘટિત કલ્પના કરે છે. જેમ કોઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૦ अस्पृशद्गतिवादः प्रतिकारज्ञाता कुवैद्य इव यत्र तत्रामयचिकित्सायां हरीतकीभक्षणोपयोगम् ।' स एवं प्रतिबोद्धव्यः सौम्य ! किमेवं कुगुरूपदेशाद्विप्रलब्धोऽसि ? न हि वयमचिन्त्यशक्तिकत्वेन बाधितमप्यर्थमबाधितवदुपदिशामः, शक्तिसहस्रेणापि बाधितस्याबाधितवत् –અસ્પર્શોપનિષદ્ – અભણ વૈદ હોય, એને માત્ર હરડેની જ ચિકિત્સાનું જ્ઞાન હોય. એ ગમે તે રોગની ચિકિત્સામાં પણ હરડે ખાવાની જ સલાહ આપે. તેમ એ પણ કોઈ પણ પ્રશ્ન કે તર્કની સામે આ અચિન્તત્વની ઢાલ ધરી દે છે. એ સાહસિકને આ રીતે પ્રતિબોધ કરવો જોઈએ - હે સૌમ્ય ! શું તું કોઈ કુગુરુના ઉપદેશથી છેતરાયો છે ? જે અર્થ અચિન્ય શક્તિમાન રૂપે બાધિત છે, તેને અમે અબાધિત રૂપે નથી કહેતા. કારણ કે હજાર શક્તિ ભેગી થાય તો ય તેઓ બાધિતને અબાધિત કરવા માટે સમર્થ નથી. તેટલી Page #62 -------------------------------------------------------------------------- ________________ ५१ अस्पृशद्गतिवादः कर्तुमशक्यत्वात्, तावत्यैवावगाहनया सकलान्तरस्पर्शनं त्वङ्गुल्यग्रेण त्रैलोक्यस्पर्शनवद्बाधितमेव, किञ्चि -અસ્પર્શોપનિષદ્જ અવગાહનાથી મનુષ્યલોકથી લોકાગ્ર સુધીની શ્રેણિની સ્પર્શના તો તે જ રીતે બાધિત છે કે જે રીતે આંગળીના ટેરવાથી સમસ્ત ત્રણ લોકની સ્પર્શના બાધિત છે. આશય એ છે કે, તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેની વૃત્તિમાં જે કહ્યું છે - “અચિન્ત-સામર્થ્યથી દેહવિયોગ, સિદ્ધિ પામતા જીવની ગતિ અને લોકાન્તપ્રાપ્તિ આ બધું એક સાથે થાય છે.” અહીં અચિત્યશક્તિ દ્વારા પ્રસ્તુત અર્થનું સમર્થન કર્યું છે. પણ કોઈ સાહસિક અચિન્યશક્તિને કારણ તરીકે રજૂ કરીને આગમમાં નહીં કહેલી અને તદ્દન અશક્ય અર્થનું પ્રતિપાદન કરે કે, “અહીં જીવ જેટલી અવગાહનામાં રહ્યો છે તેટલી અવગાહનાથી જ સિદ્ધિક્ષેત્ર સુધીના વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ કરે છે. એવી સ્પૃશંતિ ગતિથી સિદ્ધિગમન થાય છે.” આવું પ્રતિપાદન તો તદન બાધિત જ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः दन्तरालस्पर्शनमपि समयाभेदात् तथैवेति, किन्त्वेकसामयिक्याः सिद्ध्यतोऽस्पृशद्गतेरितरास्पृशद्गतिवैलक्षण्यમેવ । તથાદિ – વહુતરાન્તર/તપ્રવેશસંયોગવ્યાપાર॥ ५२ -અસ્પર્શોપનિષદ્ વળી, ‘વચ્ચેના બધા પ્રદેશોને નહીં સ્પર્શે પણ અમુક પ્રદેશોને સ્પર્શશે', એવું જો કહે, તો એ પણ બાધિત જ છે. કારણ કે દેહવિયોગ અને લોકાન્તપ્રાપ્તિનો સમય તો એક જ છે. વચ્ચેના પ્રદેશનો સ્પર્શ કરે તો સમયવૃદ્ધિ નિશ્ચિત જ છે. માટે વચ્ચેના અમુક પ્રદેશોનો સ્પર્શ પણ સંભવિત નથી. પણ સિદ્ધ થતા જીવની એક સમયની જે અસ્પૃશદ્ગતિ છે, તે બીજી અસ્પૃશદ્દ્ગતિથી વિલક્ષણ જ છે. તે આ મુજબ - સ્પૃશત્ત્વનો અર્થ છે ઘણા વચ્ચેના પ્રદેશોના સંયોગનો વ્યાપાર જેમાં છે એવી પ્રાપ્તિના જનકપણું. અર્થાત્ ર્સ્પર્શતી ગતિ ઘણા વચ્ચેના પ્રદેશોનો સંયોગ જેનાથી થાય એવા વ્યાપારવાળી જે પ્રાપ્તિ હોય તેની જનક છે. જેમકે ૧. જ-રાજસ્પર્શનવિ સપ્રવેશ । Page #64 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः प्राप्तिजनकत्वरूपं स्पृशत्त्वम्, अल्पतरान्तरालप्रदेशसंयोगव्यापारकप्राप्तिजनकत्वरूपमस्पृशत्त्वं च मन्दतीव्रक्रिययोरापेक्षिकं प्रसिद्धमेवोपलभ्यते, मन्दं गच्छति तीव्रं -અસ્પર્શોપનિષદ્ કોઈ માણસ ટાવરમાં ૫૦મા માળે ગયો, તો ૫૦મા માળની તેની જે પ્રાપ્તિ (તેનું ૫૦મા માળે પહોંચવું) છે, એ પ્રાપ્તિમાં વચ્ચેના ૧ થી ૪૯ માળોના સંયોગનો વ્યાપાર રહેલો છે, તે પ્રાપ્તિની જનક તેની સ્પર્શતી ગતિ છે. માટે સ્પૃશત્ત્વ તેવી પ્રાપ્તિનું જનકત્વ. = ५३ હવે એવા અસ્પૃશત્ત્વની વાત છે, કે જેમાં એકાંતે અસ્પૃશત્ત્વ નથી, પણ અલ્પતર વચ્ચેના પ્રદેશોનો સંયોગનો વ્યાપાર જેમાં છે એવી પ્રાપ્તિનું જનકત્વ છે. ઉપરોક્ત સ્પૃશત્ત્વમાં ઘણા પ્રદેશોનો સંયોગ ઘટક હતો. પ્રસ્તુતમાં ઓછા પ્રદેશોનો સંયોગ ઘટક છે. આ અલ્પત્વમાં અભાવની વિવક્ષા કરીને એને અસ્પૃશતિ કહી છે. આ રીતે સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ જોયું, જે મંદક્રિયા અને તીવ્રક્રિયાની અપેક્ષા રાખે છે. અર્થાત્ Page #65 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः ५४ गच्छति इत्यादिव्यवहाराणां स्पृशत्त्वास्पृशत्त्वावलम्बनतयैवोपपत्तेः । एतेन " वेगेन गच्छतीत्यादिव्यवहाराद् वेगाख्यस्य गुणान्तरस्य सिद्धिः" इति वैशेषिकादिमत-અસ્પર્શોપનિષદ્ મંદક્રિયાથી વચ્ચેના ઘણા પ્રદેશોનો સંયોગ થશે અને તીવ્ર ક્રિયાથી અલ્પપ્રદેશોનો સંયોગ થશે. આવું સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ પ્રસિદ્ધરૂપે જ પ્રાપ્ત થાય છે. કારણ કે આ ધીમે જાય છે, આ જલ્દી જાય છે વગેરે જે વ્યવહારો થાય છે, તે ઉપરોક્ત સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વના આધારે જ સંગત થાય છે. આ રીતે અસ્પૃશદ્ગતિ જ તીવ્રત્વનું આલંબન એવું સિદ્ધ થવાથી વેગને એક અલગ ગુણ માનતા વૈશેષિકોના મતનું નિરાકરણ થાય છે. વૈશેષિકો પોતાના મતના સમર્થનમાં એમ કહે છે કે તે વેગથી જાય છે વગેરે જે વ્યવહાર થાય છે, તેના આધારે વેગને એક જુદો ગુણ માનવો જોઈએ. પણ જ્યારે ઉપરોક્ત તીવ્રત્વનો વ્યવહાર અસ્પૃશત્ત્વના આધારે જ થઈ જાય છે, ત્યારે તે વ્યવહારના આધારે અલગ ગુણની કલ્પના કરવાની આવશ્યકતા રહેતી નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः मपास्तं निरवधिकवेगव्यवहारदर्शनाद् वेगस्यास्पृशत्त्वाख्यतीव्रत्वाऽतिरिक्तत्वे मानाभावात्, तस्य गुणान्तरत्वे मान्द्यस्यापि गुणान्तरत्वापत्तेश्च, मन्दं गच्छतीत्यादि -અસ્પર્શોપનિષ— કારણ કે નિરવધિક વેગનો વ્યવહાર દેખાય છે. (? આ અસીમ વેગથી જાય છે એવો વ્યવહાર દેખાય છે. અથવા તો જ્યાંથી વેગનો પ્રારંભ થયો કે અંત થયો, એવી પૂર્વ-પશ્ચાત્ અવધિથી રહિત એવા વેગનો વ્યવહાર દેખાય છે ?) માટે અસ્પૃશત્ત્વ નામના તીવ્રત્વથી વેગ અલગ છે, એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. એટલે જે તીવ્રત્વ છે, તે જ વેગ છે. વળી જો વેગને જુદો ગુણ માનશો, તો માન્ધ (મંદતા)ને પણ જુદો ગુણ માનવો પડશે. કારણ કે “એ ધીમે જાય છે', એવો વ્યવહાર પણ થાય છે. એટલે “વેગથી જાય છે એના પરથી જો વેગ અલગ ગુણ તરીકે સિદ્ધ થતો હોય, તો “ધીમે જાય છે' એના પરથી “માંદ્ય' પણ અલગ ગુણ સિદ્ધ થઈ જશે. આદિથી હળવે જાય છે ( જીત) વગેરે વ્યવહાર સમજી લેવા. Page #67 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः व्यवहारस्यापि जागरूकत्वात् । मान्द्यं वेगाभाव एवेति चेत्, वेग एव मान्द्याभाव इत्यपि किं न स्यात् । न च पातप्रतिबन्धकत्वाद्वेगसिद्धिः, क्रिया –અસ્પર્શોપનિષ– વૈશેષિક :- ના, માંદ્યની સિદ્ધિ તો વેગાભાવ તરીકે જ થઈ જાય છે. વેગાભાવ છે, તે જ માંદ્ય છે. માટે વેગને અલગ ગુણ માની લો એટલું જ પૂરતું છે, માંદ્યને અલગ ગુણ માનવાની જરૂર નથી. જૈન :- જો આવું માની શકાતું હોય, તો પછી વેગ જ માન્ધાભાવ છે, એવું પણ કેમ ન માની શકાય ? પછી તો માંદ્ય જ અલગ ગુણ તરીકે સિદ્ધ થશે. વેગ તો માંદ્યાભાવ જ છે, માટે તેને અલગ ગુણ માનવાની જરૂર નથી. વૈશેષિક - “વેગથી જાય છે. આ વ્યવહારથી વેગની સિદ્ધિ ગુણાન્તર તરીકે કરવા જઈએ તો ઉપરોક્ત દોષ આવે છે. માટે અમે બીજી રીતે વેગની સિદ્ધિ કરશું. જ્યારે કોઈ મોટા ખાડા, નાળા વગેરેને ઓળંગવા હોય ત્યારે માણસ થોડા ડગલા Page #68 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः विशेषस्यैव पातहेतुत्वाद्वेगेन पततीत्यादिव्यवहाराद्वेगविशेषस्य पातानुकूलत्वाच्चेत्यन्यत्र विस्तरः । न च सन्निहितदेशसंयोगं विना व्यवहितदेशसंयोगस्या-અસ્પર્શોપનિષદ્ ५७ પાછળ જઈને વેગથી દોડીને છલાંગ લગાવે છે. વાંદરાને એક ડાળથી બીજી ડાળે જવું હોય તો એ કદી મંદ ગતિએ નહીં જાય, પણ વેગથી જ જશે. કારણ કે આવા સમયે નીચે પડી ન જવાય, તે માટે વેગ જરૂરી હોય છે. વેગ જ પતનનો પ્રતિબંધક બને છે. આ રીતે પતનના પ્રતિબંધક તરીકે વેગની ગુણાન્તરરૂપે સિદ્ધિ થઈ જશે. જૈન ઃ- ના, આ રીતે પણ વેગને અલગ ગુણ તરીકે સિદ્ધ નહીં કરી શકાય, કારણ કે પતનનું કારણ વેગાભાવ નહીં પણ ક્રિયાવિશેષ જ છે. માટે વેગ જ પતનમાં પ્રતિબંધક છે એવું ન કહી શકાય. વળી એવો પણ વ્યવહાર થાય છે કે ‘તે વેગથી પડે છે.’ હવે આ વ્યવહાર તમે શી રીતે ઘટાવશો ? વેગ જો પતનનો પ્રતિબંધક છે, તો વેગથી પતન Page #69 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः सम्भवादस्पृशद्गतिविरुद्धैवेति शङ्कनीयम्-तत्तत्क्रियायास्तत्तदुत्तरदेशसंयोगहेतुत्वेनाविरोधात्, तदिदमुक्तं -અસ્પર્શોપનિષદ શી રીતે થઈ શકે? “વેગથી પડે છે આવો વ્યવહાર જ બતાવે છે કે વેગવિશેષ એ પતનને અનુકૂળ છે. વેગવિશેષના કારણે પતન થાય છે. આ વિષયમાં અમે અન્યત્ર વિસ્તારથી કહ્યું છે. પૂર્વપક્ષ :- અસ્પૃશદ્ગતિની સિદ્ધિ માટે તમે ગમે તે તર્કો લગાડો, પણ અસ્પૃશદ્ગતિ તો પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ જ છે. કારણ કે સન્નિહિત દેશના સંયોગ વિના વ્યવહિત દેશનો સંયોગ સંભવિત જ નથી. દશમે માળે જવા માટે નવ માળોમાંથી પસાર તો થવું જ પડે ને? એના વિના દશમે માળે શી રીતે જઈ શકાય ? ઉત્તરપક્ષ :- આવી શંકા કરવી ઉચિત નથી. કારણ કે તે તે ક્રિયા તેના ઉત્તરદેશના સંયોગનો હેતું હોવાથી વિરોધ નથી. તથા સ્વભાવથી સિદ્ધિગમનસમયે એવી જ ક્રિયા થશે, કે જે Page #70 -------------------------------------------------------------------------- ________________ ५९ अस्पृशद्गतिवादः दर्शनान्तरीयैरपि “अचिन्त्यो हि तेजसो वेगातिशयो यत् सन्निहितदेशविशेषं विमुच्यैव व्यवहितदेशे संयुज्यते" इति, इदमेवाभिप्रेत्य च स्थानाङ्गवृत्तिकृतोक्तं दशमस्थानके दशविधमजीवपरिणामं विवृण्वता "गतिपरिणामो द्विविधः स्पृशद्गति-परिणाम इतरश्च, तत्राद्यो येन प्रयत्नविशेषात् क्षेत्रप्रदेशान् स्पृशन् –અસ્પર્શોપનિષદ્ – ક્રિયાવિશેષથી સનિહિત નહીં પણ તદુત્તર-વ્યવહિત દેશનો જ સંયોગ થશે. માટે વિરોધ નથી. પરદર્શનીઓએ પણ કહ્યું છે કે – તેજનો વેગાતિશય અચિન્હ છે કે જેનાથી એ સન્નિહિત દેશને છોડીને વ્યવહિત દેશમાં સંયોગ કરે છે. અને આ જ અભિપ્રાયથી પૂ. અભયદેવસૂરિ મહારાજે ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં દશમા સ્થાનકે દશ પ્રકારના અજીવ-પરિણામનું વિવરણ કરતા કહ્યું છે કે ગતિ પરિણામ બે પ્રકારનો છે. એક સ્પેશદ્ગતિ પરિણામ અને બીજો અસ્પૃશદ્ગતિ પરિણામ. તેમાં પહેલો પરિણામ એવો છે કે જેનાથી પ્રયત્નવિશેષથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કરતો જાય છે. બીજો પરિણામ Page #71 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः गच्छतीति, द्वितीयस्तु येनास्पृशन्नेव तान् गच्छति, न चायं न सम्भाव्यते, गतिमद्रव्याणां प्रयत्नभेदोपलब्धेः, तथाहि, अभ्रङ्कषहर्म्यतले गगने (तलगत) विमुक्ताऽश्मपातकालभेद उपलभ्यते, अनवरतगति અસ્પર્શોપનિષદ્ એવો છે કે જેનાથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ જાય છે. આવો પરિણામ ન સંભવે તેવું નથી. કારણ કે ગતિવાળા દ્રવ્યમાં પ્રયત્નભેદ જોવા મળે છે. એટલે કે જે જે દ્રવ્યો ગતિવાળા દેખાય છે, તેમાં ભિન્ન ભિન્ન પ્રયત્નવિશેષ દેખાય છે. પ્રયત્નના ભેદથી ગતિમાં પણ ભેદ થાય એ સંભવે જ છે. જેમ કે ગગનચુંબી અગાશીમાં(થી) આકાશમાં છોડેલા પથ્થરના પડવામાં કાળભેદ જોવા મળે છે. ઊંચી અગાશીમાંથી ઉપર તરફ પથ્થરનો ઘા કરવામાં આવે તો તેનો પડવાનો જે કાળ હોય, તેના કરતાં સામાન્ય ઊંચાઈથી પથ્થર પડે તેનો પડવાનો કાળ જુદો હોય છે. પ્રથમમાં ઊંચાઈ આદિથી વિશિષ્ટ વેગ હોય અને બીજામાં તદ્દન સામાન્ય વેગ હોય એવું સંભવે છે. ભૂમિ પર તે Page #72 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः प्रवृत्तानां वा देशान्तरप्राप्तिकालभेदश्चेत्यतः सम्भाव्यतेऽ –અસ્પર્શોપનિષપથ્થરના અભિઘાત વગેરેથી ઉક્ત અનુમાન થઈ શકે છે. રબરનો દડો ઊભા ઊભા હાથમાંથી છોડી દઈએ તો એ કદાચ ૧-૨ ફૂટ જેટલો ઉછળે. પણ દશમા માળેથી પ્રયત્નવિશેષથી છોડે તો ૨૫ ફૂટ પણ ઉછળે, આ ઉછાળા પરથી તે બન્નેના વેગભેદ અને કાળભેદ જણાય છે. અથવા તો જેઓ સતત ગતિપ્રવૃત્ત હોય, તેમની પણ દેશાંતરપ્રાપ્તિમાં કાળભેદ જણાય છે. જેમકે દશ મહાત્માઓએ એક સાથે વિહાર ચાલુ કર્યો હોય. તો તેમાંથી બે મહાત્મા એક કલાકે પહોંચે, બીજા બે સવા કલાકે પહોંચે, ત્રીજા બે દોઢ કલાકે પહોંચે. આવું થાય છે. તેમાં વિશેષતા એ છે કે બધા મહાત્માઓ એક જ સ્થાનેથી નીકળ્યા છે અને એક જ સ્થાને પહોંચ્યા છે. તથા કોઈ વચ્ચે ઊભા રહ્યા નથી સતત ચાલતા જ રહ્યા છે. આમ છતાં પણ તેમની દેશાંતરપ્રાપ્તિમાં કાળભેદ જોવા મળે Page #73 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः પૃશતિપરિણામ તિ” | [પ્રજ્ઞાપનાત્રયો શપરિમपदगताजीवपरिणामभेदेषु "गइपरिणामेणं भंते" इत्यादि, द्विविधो गतिपरिणामः, तद्यथा, स्पृशद्गति-परिणामोऽस्पृशद्गतिपरिणामश्च । तत्र वस्त्वन्तरं स्पृशतो यो -અસ્પર્શોપનિષદુછે. તેના પરથી ગતિપરિણામના ભેદનો નિશ્ચય થઈ જ જાય છે. જેમ ગતિપરિણામમાં આવો ભેદ છે તેમ અન્ય ભેદ પણ સંભવે કે જે સર્વજ્ઞોની દૃષ્ટિમાં પૂર્ણપણે પ્રત્યક્ષ હોય, માટે આ રીતે અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવે છે. (પ્રજ્ઞાપના સૂત્રોના તેરમાં પરિણામપદમાં અજીવપરિણામના ભેદોનું નિરૂપણ છે. તેમાં ગૌતમસ્વામિએ પ્રભુ વરને પ્રશ્ન કર્યો છે કે તે ભગવંત ! ગતિપરિણામ કેટલા પ્રકારનો છે ? પ્રભુએ જવાબ આપ્યો છે કે હે ગૌતમ ! બે પ્રકારનો ગતિપરિણામ છે. એક સ્પેશદ્ગતિ પરિણામ અને બીજો અસ્પૃશદ્ગતિપરિણામ. આ સૂત્રની વૃત્તિમાં પૂ. મલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે કે બીજી વસ્તુનો સ્પર્શ કરતાં Page #74 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः गतिपरिणामः स स्पृशद्गतिपरिणामः, यथा ठिक्करिकाया जलस्योपरि प्रयत्नेन तीर्यक्प्रक्षिप्तायाः, सा हि तथा प्रक्षिप्ता सत्यपान्तराले जलं स्पृशन्ती स्पृशन्ती गच्छति, बालजनप्रसिद्धमेतत् ॥ तथाऽस्पृशतो गतिपरिणामोऽस्पृशद्गतिपरिणामः, यद्वस्तु न केनापि सहापान्तराले -અસ્પર્શોપનિષદ્ – દ્રવ્યનો જે ગતિપરિણામ છે, તે સ્પેશદ્ગતિ પરિણામ છે, જેમ કે પ્રયત્નપૂર્વક ઠિકરીને તળાવ વગેરેના પાણી પર ત્રાંસી નાખવામાં આવે તો તેમાં સ્પૃશદ્ગતિ પરિણામ થાય છે. ઠીકરીને તે પ્રમાણે નાંખીએ તો એ વચ્ચે પાણીને અડતી અડતી જાય છે. છોકરાઓમાં આ વાત પ્રસિદ્ધ છે. તથા સ્પર્શ નહીં કરતા દ્રવ્યનો જે ગતિપરિણામ છે, તે અસ્પૃશદ્ગતિપરિણામ. જે વસ્તુ કોઈની પણ સાથે વચ્ચે સ્પર્શ અનુભવતી નથી. ઠીકરીની જેમ અન્ય વસ્તુનો સ્પર્શ કરતી કરતી નથી જતી. તે વસ્તુનો ગતિપરિણામ અસ્પૃશદ્ગતિ પરિણામ છે. એવો અહીં અભિપ્રાય છે. અહીં બીજા એવું કહે છે કે જેના વડે Page #75 -------------------------------------------------------------------------- ________________ ६४ अस्पृशद्गतिवादः संस्पर्शनमनुभवति तस्यास्पृशद्गतिपरिणाम इति भावः ॥ अन्ये तु व्याचक्षते, "स्पृशद्गतिपरिणामो नाम येन प्रयत्नविशेषात्क्षेत्रप्रदेशान्स्पृशन् गच्छति ॥ अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति" इति, तन्न बुद्ध्यामहे, नभसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात् ॥ बहुश्रुतेभ्यो वा परिभावनीयम् ॥" इति तवृत्तौ मलयगिरिपादाः I] તવેવમાપક્ષાશ્રુદ્રિત્યપેક્ષા સાન્તરીત –અસ્પર્શોપનિષપ્રયત્નવિશેષથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કરતો જાય છે, તે સ્પેશગતિપરિણામ છે અને જેનાથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ જાય છે, તે અસ્પૃશદ્ગતિ પરિણામ છે. - આ વ્યાખ્યા અમને સમજાતી નથી. કારણ કે આકાશ તો સર્વવ્યાપી છે. માટે તેના પ્રદેશનો સંસ્પર્શ કર્યા વિના ગતિ કરવી સંભવિત નથી. અથવા તો બહુશ્રુતો પાસેથી પ્રસ્તુત પદાર્થનું પરિભાવન કરવું). આ રીતે આપેક્ષિક અસ્પૃશગતિની અપેક્ષાએ સિદ્ધ થતા જીવની અસ્પૃશદ્ગતિ વિલક્ષણ છે, એમ Page #76 -------------------------------------------------------------------------- ________________ ६५ अस्पृशद्गतिवादः प्रदेशास्पर्शनावगुण्ठितायां सिद्ध्यतोऽस्पृशद्गतौ वैलक्षण्यं न्यायप्राप्तमेव, तत्र चाचिन्त्यशक्तिकत्वमेव निर्वाहबीजम्। -અસ્પર્શોપનિષ માનવું ઉચિત જ છે. આશય એ છે કે ઉપરોક્ત અસ્પૃશદ્ગતિમાં બીજી વસ્તુના અસ્પર્શની અપેક્ષાએ અસ્પૃશદ્ગતિ કહી છે. પોતાના ગતિમાર્ગમાં પ્રદેશોની સ્પર્શના તો થાય જ છે. અથવા તો તીવ્રમંદની અપેક્ષાએ વચ્ચેના ઘણા પ્રદેશો કે ઓછા પ્રદેશોનો સંયોગ થાય છે એવી જે વાત કરી. તેમાં ઓછા પ્રદેશોના સંયોગવાળી ગતિને અસ્પૃશદ્ગતિ કહી, એ પણ જે પ્રદેશોનો સંયોગ નથી થતો તે પ્રદેશોના અસ્પર્શની અપેક્ષાએ જ અસ્પૃશદ્ગતિ કહી છે. આ રીતે આ અસ્પૃશદ્ગતિ આપેક્ષિક છે. જ્યારે સિદ્ધિગમન સમયે જે અસ્પૃશદ્ગતિ થાય છે, એમાં તો વચ્ચેના કોઈ પ્રદેશોની સ્પર્શના થતી નથી. આમ સિદ્ધિગમનમાં વચ્ચેના સર્વ પ્રદેશોનો અસ્પર્શ છે. તેથી આ અસ્પૃશદગતિ આપેક્ષિક અસ્પૃશ-ગતિથી વિલક્ષણ જ છે અને તેની આ વિલક્ષણતામાં તેની અચિત્યશક્તિ જ નિર્વાહહેતુ Page #77 -------------------------------------------------------------------------- ________________ ६६ अस्पृशद्गतिवादः यथा दण्डादिक्रमवत्यां सर्वथा । आपेक्षिक અસ્પર્શોપનિષ છે. એટલે કે અચિન્ય શક્તિ માનીએ તો જ વચ્ચેના કોઈપણ પ્રદેશનો સ્પર્શ નહીં કરનારી એવી આ અસ્પૃશદ્ગતિ ઘટી શકે છે. જેમકે દંડ વગેરેના ક્રમવાળી સર્વથા અસ્પૃશગતિમાં આપેક્ષિક સ્પૃશગતિથી જે વિલક્ષણતા છે તે પણ અચિન્યશક્તિથી જ સંગત થઈ શકે છે. આશય એ છે કે કેવલીસમુદ્ધાતના પ્રથમાદિ સમયે ક્રમશઃ દંડ વગેરે કરાય છે. તેમાં પ્રથમ સમયે દંડ કરે, ત્યારે આત્મપ્રદેશોને ઉપર અને નીચે લોકાન્ત સુધી પ્રસારે છે. આ પ્રક્રિયામાં અમુક આત્મપ્રદેશ શરીરમાં જ રહે છે. અમુક આત્મપ્રદેશ શરીરથી એક આકાશપ્રદેશ ઉપર જાય છે. અમુક આત્મપ્રદેશ એનાથી એક આકાશપ્રદેશ ઉપર જાય છે. એમ ક્રમશઃ બે, ત્રણ, ચાર, પાંચ... સો.. હજાર... લાખ... કરોડ... અસંખ્ય... આકાશપ્રદેશોને ઓળંગીને આત્મપ્રદેશો ગતિ કરે છે, યાવત્ ઉપર લોકાન્ત સુધી અમુક આત્મપ્રદેશો Page #78 -------------------------------------------------------------------------- ________________ ६७ अस्पृशद्गतिवादः પહોંચી જાય છે. આ જ રીતે નીચે પણ સમજવું. દંડકરણમાં એક જ સમય લાગે છે. માટે જે આત્મપ્રદેશોએ એક આકાશપ્રદેશ જેટલી જ ગતિ કરી છે, તેમની સિવાયના બધા આત્મપ્રદેશોની અસ્પૃશદ્ગતિ જ છે. કારણ કે જે આત્મપ્રદેશ માત્ર ૧ આકાશપ્રદેશ ઓળંગીને એકાંતરિત આકાશપ્રદેશે પહોંચ્યો છે, તેનાથી માંડીને લોકાંતે પહોચેલા આકાશ-પ્રદેશોએ વચ્ચેના કોઈપણ પ્રદેશોની સ્પર્શન કર્યા વિના જ ગતિ કરી છે. જો તેઓ વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શના કરીને જાય તો પોતાના પ્રાપ્તવ્ય સ્થાને એક સમયમાં પહોચી જ ન શકે. આ જ રીતે, કપાટ, મંથાન, લોકવ્યાપન વગેરે પ્રક્રિયામાં પણ સમજવું જોઈએ. આ પ્રક્રિયાઓ પણ એક-એક સમયની જ છે અને તેમાં અસ્પૃશદ્ગતિ થાય જ છે. આ અસ્પૃશદ્ગતિ પણ આપેક્ષિક અસ્પૃશગતિથી વિલક્ષણ છે અને તેની એ વિલક્ષણતાના કારણ તરીકે તેની અચિત્યશક્તિ જ ઘટી શકે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ___ अस्पृशद्गतिवादः स्पृशद्गतिवैलक्षण्ये तदेव निर्वाहबीजमिति । अथापेक्षिकं स्पृशत्त्वमस्पृशत्त्वं च नाचिन्त्यशक्तिकत्वनिर्वाह्यम, अर्थसमाजत्वात्, एकापेक्षया स्पृशत्त्वस्येवान्यापेक्षया -અસ્પર્શોપનિષદ્ એ સિવાય એ વિલક્ષણતામાં બીજું કોઈ કારણ નથી ઘટતું. પૂર્વપક્ષ :- આપેક્ષિક એવું સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ અચિન્ય શક્તિથી નિર્વાહ પામે છે એવું નથી. એટલે કે અસ્પૃશદ્ગતિના કારણ તરીકે અચિન્યશક્તિને ગણાવવી ઉચિત નથી. કારણ કે આપેક્ષિક સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ અર્થસમાજરૂપ છે. ગતિમાન દ્રવ્ય, ગતિનિમિત્ત વગેરે અર્થોના સન્નિધાનથી જ આપેક્ષિક અસ્પૃશગતિનું નિર્માણ થાય છે. માટે તે તે સામગ્રીથી જ આપેક્ષિક અસ્પૃશદ્ગતિ થાય છે એવું માની લેવાથી કામ સરી જાય છે. માટે તેમાં અચિત્યશક્તિની કલ્પના કરવાની કોઈ જરૂર રહેતી નથી. એવી જાય છે 3 - यदर्थं हि यत् कल्प्यते तदन्यथासिद्धिरेव तदभावः જેના માટે કોઈ વસ્તુની કલ્પના કરાય, તેની અન્યથા Page #80 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः ६९ ऽस्पृशत्त्वस्यापि जन्यतावच्छेदकत्वे विनिगमकाभावाच्च, एवं सर्वथा स्पृशत्त्वमस्पृशत्त्वमपि च तथैव, सकलान्त -અસ્પર્શોપનિષદ સિદ્ધિ જ તેના અભાવને પુરવાર કરી દે છે. પ્રસ્તુતમાં અચિત્યશક્તિ વિના જ આપેક્ષિક અસ્પશદગતિ સિદ્ધ થઈ જાય છે. માટે અચિત્યશક્તિની કલ્પના કરવાની કોઈ જરૂર નથી. વળી અચિજ્યશક્તિને તમે અસ્પૃશ ગતિની જનક માનો છો, તો અસ્પૃશગતિજન્ય બનશે. જન્યતાવચ્છેદક બનશે અસ્પૃશત્ત્વ. પણ જ્યાં સ્પૃશત્ત્વ છે, ત્યાં પણ બીજા પ્રદેશો, કે જેમની સ્પર્શના નથી થતી, તેમની અપેક્ષાએ તો અસ્પૃશત્ત્વ છે જ. તો એ અસ્પૃશત્ત્વ પણ જન્યતાવચ્છેદક બનશે. તો આ બેમાંથી કોને જન્યતાવચ્છેદક બનાવવા? અચિત્યશક્તિથી કોનો જન્મ માનવો ? સ્પૃશત્ત્વનો કે અસ્પૃશત્ત્વનો ? એમાં વિનિગમનાવિરહ છે = એનું કોઈ નિયામક નથી. માટે અચિજ્યશક્તિને જનક ન માની શકાય. આ રીતે જેમ આપેક્ષિક અસ્પૃશગતિમાં અચિજ્યશક્તિને કારણ ન માની શકાય, તેમ સર્વથા અસ્પૃશદ્ગતિમાં પણ અચિજ્યશક્તિને કારણ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ अस्पृशद्गतिवादः रास्पर्शस्पर्शपूर्वकत्वयोरपि तथात्वादिति चेत्, न, तादृशधर्मस्यापि शक्तिनिर्वाह्यत्वाद्, अन्यथाऽतिप्रसङ्गाद् -અસ્પર્શોપનિષદ્ર ન માની શકાય. કારણ કે સર્વથા અસ્પૃશદ્ગતિમાં પણ વચ્ચેના બધા પ્રદેશોનો અસ્પર્શ અને સિદ્ધિક્ષેત્રના પ્રદેશોનો સ્પર્શ આ રીતે અસ્પૃશત્ત્વ અને સ્પૃશત્ત્વ રહેલું જ છે. એમાં તમે અચિજ્યશક્તિને જનક માનો છો તો. જન્ય કોને માનશો, સ્પેશદ્ગતિને કે અસ્પૃશદ્ગતિને ? જન્યતાવચ્છક કોણ બનશે ?, સ્પૃશત્ત્વ કે અસ્પૃશત્ત્વ? આ રીતે અહીં પણ પૂર્વવતું વિનિગમનાવિરહ છે. માટે અહીં પણ તમે અર્થસમાજને જ કારણ માની લો એ ઉચિત છે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે અમુક અપેક્ષાએ સ્પૃશત્ત્વ અને અમુક અપેક્ષાએ અસ્પૃશત્ત્વ હોવું એવો જે ધર્મ છે એનો પણ શક્તિથી નિર્વાહ થાય છે. આશય એ છે કે જેવા ધર્મના આધારે તમે વિનિગમનાવિરહ બતાવીને શક્તિનું નિરાકરણ Page #82 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः ७१ કરવા માંગો છો, એવો ધર્મ પણ વસ્તુમાં શી રીતે આવ્યો, એનો તમારી પાસે શું જવાબ છે ? છેવટે તો તમારે એમ જ માનવું પડશે કે એ વસ્તુમાં એવી શક્તિ જ છે કે જેનાથી તેનામાં એવો ધર્મ છે. જો આ ન માનો તો અતિપ્રસંગ આવશે. વસ્તુમાં એવી શક્તિ ન હોવા છતાં પણ જો તાદશ ધર્મ રહી શકતો હોય તો અન્યાદેશ ધર્મ પણ કેમ ન રહે. આપેક્ષિક સ્પૃશત્ત્વ કે અસ્પૃશત્ત્વની બદલે સર્વથા સ્પૃશત્ત્વ કે સર્વથા અસ્પૃશત્ત્વરૂપી ધર્મ કેમ ન રહે ? કારણ કે ધર્મનું કોઈ નિયામક તત્ત્વ તો માન્યું જ નથી. પણ આવો યદચ્છાવાદ તો તમને ય ઈષ્ટ નથી. માટે તમારે તથાવિધ શક્તિનો સ્વીકાર કરવો જ પડશે. પૂર્વપક્ષ :- પણ સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ આ બન્ને ધર્મોની નિર્વાહક શક્તિ એક જ વસ્તુમાં શી Page #83 -------------------------------------------------------------------------- ________________ ७२ अस्पृशद्गतिवादः अनन्तशक्तिकवस्त्वभ्युपगमे दोषाभावात्, प्रत्यक्षादि –અસ્પર્શોપનિષદ્– રીતે રહી શકે ? આ દોષનું નિવારણ કરવા માટે જ અમે એ બને ધર્મોની સિદ્ધિ અન્ય નિમિત્તથી કરીએ છીએ અને અસ્પૃશદ્ગતિના કારણ તરીકે તે તે નિમિત્તોના સમૂહરૂપ “અર્થસમાજને માનીએ છીએ. ઉત્તરપક્ષ :- હજાર શિલ્પી ભેગા થઈને પણ અયોગ્ય શિલામાંથી શિલ્પ નિર્માણ ન કરી શકે. છેવટે તો એ કબૂલ કરવું જ પડે કે શિલામાં યોગ્યતા હોવી જોઈએ. એમ જો વસ્તુમાં જ તથાવિધ શક્તિ નહીં હોય તો અર્થસમાજ કાંઈ ન કરી શકે. માટે શક્તિ તો માનવી જ પડશે. હવે પ્રશ્ન રહ્યો વિરુદ્ધધર્મનિર્વાહક એક શક્તિનો, તો એનો જવાબ એ જ છે કે, વસ્તુમાં અનંત શક્તિ છે, એમ માની લેવામાં કોઈ દોષ નથી. આ રીતે તે તે શક્તિથી તે તે ધર્મનો નિર્વાહ થઈ જશે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨ अस्पृशद्गतिवादः प्रमाणप्रसिद्ध्यविरोधाच्च ॥ इत्यधिकं व्युत्पादितमस्माभिः स्याद्वादकल्पलतायाम् ॥ सुहृदनुग्रहमात्रं पुनरेतल्लिखनप्रयोजनमिति श्रेयः ॥ इति अस्पृशद्गतिवादः समाप्तः ॥ -અસ્પર્શોપનિષદ્ વળી આવું માનવામાં પ્રત્યક્ષાદિ પ્રમાણની પ્રસિદ્ધિનો વિરોધ નથી. જેમ એક જ દેવદત્તમાં પુત્રત્વ, પિતૃત્વ, પતિત્વ, મિત્રત્વ, શિક્ષકત્વ વગેરે અનેક ધર્મો રહેલા છે અને તેમાં માત્ર તેના પિતા, પુત્રાદિ બાહ્ય નિમિત્તો જ કારણ નથી બનતા. દેવદત્તમાં પણ તે તે ધર્મોને પ્રાયોગ્ય શક્તિ માનવી જ પડે. અન્યથા પૂર્વવત્ અતિપ્રસંગ દોષ ઉભો જ છે. આ રીતે અચિન્યશક્તિથી સર્વથા અસ્પૃશગતિની સિદ્ધિ થાય છે. આ વિષયમાં અમે સ્યાદ્વાદકલ્પલતામાં (શાસ્ત્રવાર્તાસમુચ્ચય-વૃત્તિમાં) વધુ વ્યુત્પાદન કર્યું છે. ફરીથી આ પ્રબંધ લખ્યો છે તેનું પ્રયોજન સજ્જનો પર અનુગ્રહ કરવાનો છે. ઈતિ કલ્યાણ થાઓ. આ રીતે અસ્પૃશગતિવાદ સમાપ્ત થયો. Page #85 -------------------------------------------------------------------------- ________________ ७४ अस्पृशद्गतिवादः ઈતિ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામિશાસને કરુણાસાગર શ્રી મુનિસુવ્રતસ્વામી સાન્નિધ્યે વી.સં. ૨૫૩૬, મા.વ. ૨ દિને શ્રી કેવલબાગતીર્થ-સિરોડી-રાજસ્થાન મધ્યે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુપદ્મ-જયઘોષ-હેમચન્દ્રસૂરીશ્વર શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ સંસ્તુત ન્યાયવિશારદ મહો. શ્રી યશોવિજયજી મહારાજા કૃત અસ્પૃશગતિવાદ પર ગુર્જર વૃત્તિરૂપ અસ્પર્શોપનિષદ્ Page #86 -------------------------------------------------------------------------- ________________ अस्पृशद्गतिवादः પરિશિષ્ટ-૧ પ્રસ્તુત વિષયને સ્પર્શતો શાસ્ત્રપાઠ :શ્રી ભગવતી સૂત્ર શતક-૮, ઉદ્દેશ-૭. से किं तं फूसमाणगती ? फूसमाणगती जण्णं परमाणुपोग्गले दुपदेसिए० जाव अणंतपदेसियाणं खंधाणं अन्नमन्नं फुसित्ताण गती पवत्तइ । सेत्तं फूसमाणगती। से किं अफूसमाणगती ? अफूसमाणगती जन्नं एतेसिं चेव अफुसित्ताण गती पवत्तइ । सेत्तं अफूसमाणगती । (આ સુગમ છે, એમ કહી ટીકાકારશ્રીએ વ્યાખ્યા કરી નથી.) પરિશિષ્ટ-૨ જેમાં અસ્પૃશદ્ગતિ થાય છે તેવા સ્થાનો - (૧) કેવલીસમુઘાતમાં દંડકરણાદિના પ્રત્યેક સમયે. (૨) સિદ્ધિગમન સમયે. (૩) અચિત્ત મહાત્કંધના લોકવ્યાપનાદિ સમયે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ७६ अस्पृशद्गतिवादः (૪) પરમાણુ લોકાન્ત વગેરે સુધી એક સમયમાં ગમન કરે ત્યારે. (૫) જીવ ભવાંતર ગતિ કરે ત્યારે. (ચાર સમયની વિગ્રહગતિ હશે, તો એમાં વળાંકના ત્રણ સ્થાનોના આકાશપ્રદેશોની સ્પર્શના થશે. એ સિવાય વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નહીં થાય. એ રીતે ત્રણ સમય વગેરેની વિગ્રહગતિમાં પણ સમજવું. સમશ્રેણિમાં એક સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચે, તે સ્થાન જો મૃત્યુસ્થાનથી વ્યવહિત હોય તો અસ્પૃશદ્ગતિથી ત્યાં જશે. Page #88 -------------------------------------------------------------------------- ________________ Cher યુગો શ્રીભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દી વર્ષ ૧૯૬૭ જન્મશતાબ્દી સુધી ઝળહળ બાળદીક્ષાસંરક્ષક ૧૯૬૭ llclānāc p3e અપ્રતિમ પ્રભુભક્ત Pahle lJlJ [PI]h]]] {tbeloÇí ]]PPE JJlécip PřînaØ શ્રેષ્ઠશ્રમણશિલ્પી ના ૪ *3]]plઢ) ।। । પ્રવચનપ્રભાવક 2011 ભુવનભાનુના અધ્યાત્મયોગી અપ્રમત્તસાધક નિર્યામણાનિપુણ ન્યાયવિશારદ સુવિશુદ્ધસંયમી ગુરુકૃપાપાત્ર સંઘહિતચિંતક સુવિશાળ ગચ્છાધિપતિ વર્ધમાન તપોનિધિ વર્ષે મીની અજવાળા ass sales sa Gley શ્રદ્ધાંજલિ ૨૦૬૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ છે સમાન સૂરિ પ્રેમના જમણા હાથ સમાન (સાગર પં. / પરિષહોમાં - પં, શ્રી પદ્મવિજય વિરાટ સમુદાય સંયમ શિલ્પી ધાં ય પરમ સમી "જમતા વનરાજી ગ નિરીeતાનિરધિ કલિકાળના એક મહાસાદક ૨૦૧૭ ૨૦૧૭ છે. Helical શતાબ્દી વર્ષે ભાવભી સરની યાતનામાં , માસક્ષમણની સાધના ૧ તિતિક્ષાની એક પરાકાષ્ઠા Page #90 -------------------------------------------------------------------------- ________________ अथ प्रशस्तिः श्रीमते वीरनाथाय, कारूण्यपुण्यपाथसे । चरमतीर्थनाथाय, परोपकारिणे नमः ||१|| गौतमस्वामिने स्वस्ति, सुधर्मस्वामिने नमः । तत्परम्परयाऽऽयात-यतीन्द्रेभ्यो नमो नमः ||२|| शुभ्राभ्रशुभ्रसन्तत्या-मेतस्यामभवत् किल । विजयानन्दसूरीशः, सुरीशसेव्यतां गतः ||३|| ततोऽपि कमलः सूरिः, संयमकमलाकरः | उपाध्यायस्तथा वीरो, वीर आन्तरविग्रहे ||४|| सर्वागमरहस्यज्ञ-स्ततो दानसूरीश्वरः । ततोऽपि प्रेमसूरीशः, सिद्धान्तैकमहोदधिः ||५|| भुवनभानुसूरीश-स्ततो न्यायविशारदः | पंन्यासोऽस्यानुजः पद्मः, समतारससागरः ||६|| विराजते विनेयोऽस्य, मादृशेषु कृपापरः | वैराग्यदेशनादक्षः, श्रीहेमचन्द्रसूरिपः ||७|| तत्पादपङ्कजालिना, सूरिकल्याणबोधिना । सन्दृब्धोऽयं प्रबन्धस्तु, कुर्यात् सर्वस्य मङ्गलम् ।।८।। Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ (૧) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર - હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા - મુંબઈ. (૨) શ્રી મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર હ. રમાબેન પુંડરીકભાઈ શાહ, ખંભાત - મુંબઈ. (૩) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા - મુંબઈ (૪) શ્રી સાયરકંવર યાદવસિંહજી કોઠારી પરિવાર હ. મીનાબેન વિનયચન્દ્ર કોઠારી (આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ બની શકો છો.) - શ્રી જિનશાસન સુકત આધારસ્તંભ (૧) શ્રી કમળાબેન કાંતિલાલ શાહ પરિવાર હ. બીનાબેન કીર્તિભાઈ શાહ (ઘાટકોપર-સાંઘાણી) (૨) પ.પૂ. આ હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. પં. અક્ષયબોધિવિજયજી મ.સા.ના આશીર્વાદથી પ.પૂ. આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.ની ૧૦૫ મી વર્ધમાનતપની ઓળીની અનુમોદનાર્થે જાગૃતિબેન કૌશિકભાઈ બાવીશી ડાલીની જયકુમાર મહેતા, મહેંક (આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ બની શકો છો.) શ્રી કૃતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ (૧) શ્રી અઠવાલાઈન્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. (આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી શ્રતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ બની શકો છો.) શ્રી કૃતોદ્ધાર આધારસ્તંભ (૧) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પાવાપુરી તીર્થ જીવમૈત્રી ધામ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી માટુંગા શ્વે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૩) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ (૪) શ્રી મનફરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - મનફરા પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મહારાજા (૫) શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘ - મુંબઈ (૬) શ્રી નવજીવન શ્વે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૭) નડિયાદ શ્રી શ્વે.મૂ. જૈન સંઘ - નડિયાદ (૮) શ્રી બાબુભાઈ સી. જરીવાલા રિલિજીયસ ટ્રસ્ટ. હ. શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘ, નિઝામપુરા, વડોદરા. (૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ. ઘાટકોપર (પૂર્વ), મુંબઈ. (૧૦) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સાયન, મુંબઈ. (આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી શ્રુતોદ્ધાર આધારસ્તંભ બની શકો છો.) ૨) ૪) ૫) ૬) ૭) ૮) શ્રુતસમુદ્ધારક ભાણબાઇ નાનજી ગડા, મુંબઇ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂ. મ.સા.ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાલા બાબુભાઇ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાલા ટ્રસ્ટ, દાદર, મુંબઇ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૩) ૯) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૦) શ્રી સાંતાક્રુઝ શ્વેતાં. મૂર્તિ તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૧૧) શ્રીદેવકરણ મૂલજીભાઇ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજ શ્રી સંયમબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) ૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૧૭) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) શ્રી કલ્યાણજી સૌભાગચંદજી જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૨૦) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) . ૨૧) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ, (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૨) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૨૩) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૪) શ્રી માટુંગા જૈન શ્વેતાં. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫) શ્રી જીવિત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી) ૧૯) Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૬) ૨૭) ૨૮) ૨૯) ૩૦) ૩૨) ૩૩) ૩૪) શ્રી વિશા ઓશવાલ તપાગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઇ-૪૦૦ ૦૦૭. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં. ૨૦૫૩ના પાલિતાણા મથે ચાતુર્માસ પ્રસંગે જ્ઞાનનિધિમાંથી) શ્રી સીમંધરજિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ), મુંબઈ. (મુનિરાજશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી બાબુભાઇ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (પ. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઇ. (મુનિરાજશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ. સંઘ, ગોરેગાવ, મુંબઇ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પ.પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા., પૂ. પ્ર. સા. શ્રી ઈદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પ. પૂ. સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા પ.પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી). શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી કોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર. ૩૫) ૩૬) ૩૯) ૪૦) ૪૧) ૪૨) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૪) ૪૫) ૪૬) ૪૭) ૪૮) ૪૯) ૫૦) ૫૧) પ૨) પ૩) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંચાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.) શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી) જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઇ. શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (૫. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાથે) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી સત્યસુંદર વિ. મ.સા.ની પ્રેરણાથી) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ. (પ્રેરક-પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ. સા.) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઇ. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઇ (પ્રેરક-મુનિરાજ શ્રી સત્તભૂષણવિજયજી મ.) શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ મુંબઇ. (પ્રેરક : પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ. શ્રી વાડિલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસ શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈન સંઘ. (પ્રેરકઃ પૂ. ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક-મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પં.શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) સા. શ્રી સૂર્યયશાશ્રીજી તથા સા. શ્રી સુશીલયશાશ્રીના પાર્લા (ઈ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. શ્રી પ્રેમવર્ધક દેવાસ જે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ની શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક-પૂ. મુનિરાજશ્રી પ્રેમસુંદરવિજયજી મ.) શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર જે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક - પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યરત્નવિજયજી ગણિ) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક - પૂ.પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે પ. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૫૪) ૫૫) પ૬) પ૭) ૫૮) પ૯) Page #96 -------------------------------------------------------------------------- ________________ ૐકારસૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિરાજશ્રી જિનેશરત્નવિજયજી મ.) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ. ૬૫) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ-મુંબઇ. ૬૬) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક-પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૬૮) શ્રી વિલેપાર્લા જે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા (પૂર્વ), મુંબઈ. ૬૯) શ્રી નેનસી કોલોની જૈન . મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ. ૭૦) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર. (પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી ભકિતવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનીલાલ દિલીપ, હિતેશ. ૭૧) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઇ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ધર્મવર્ધક થે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (પ. પૂ. વૈરાગ્યદેશનાદ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૭૩) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી જિનેશરત્નવિજયજી મ.સા.) ૭૪) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ. (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મેરૂચંદ્ર વિ. મ. તથા પં. શ્રી હિરણ્યબોધિ વિ. ગ.) ૭૫) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ. મ.) ૭૭) ૭૮) શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈની આરાધક બહેનો તરફથી (જ્ઞાનનિધિમાંથી) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ. (પ્રેરક - પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) શાહ જેસિંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે હ. પ્રકાશચંદ્ર જે. શાહ (આફિકાવાળા) (પ્રેરક : પ. કલ્યાણબોધિ વિ. ગણિવર). ૭૯) Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬) ૮૦) શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરીટેબલ ટ્રસ્ટ, ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ. ૮૧) શ્રી નવા ડીસા શ્વે.મૂ.પૂ. જૈન સંઘ (બનાસકાંઠા) ૮૨) શ્રી પાલનપુર જૈન મિત્ર મંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય.) ૮૩) શ્રી ઉઝા જૈન મહાજન (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર શ્રી અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ. મ.) ૮૪) શ્રી સીમંધર જૈન દેરાસર, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ. (પ્રેરક - પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજીના શિષ્યા પૂ.સા. શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫) શ્રી બાપુનગર જે. મૂ. જૈન સંઘ, અમદાવાદ. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ. શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ. (પ્રેરક- સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮) શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ (પ્રેરક - આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯) શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા એવં શ્રી શ્રેયસ્કર મંડલ, મહેસાણા. ૯૦) શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વિરમગામ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૧) શ્રી મહાવીર જે. મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ ૯૨) શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩) શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૪) શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તથા શ્રી ફૂલચન્દ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત ૯૫) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, ખ્યાવર (રાજસ્થાન) (પ્રેરક : આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬) પાલનપુરનિવાસી મંજૂલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ), (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જે.મૂ.જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૮) શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વે.), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ, પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી (પ.પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોની સ્મૃતિમાં) ૧૦0) શ્રી કુંદનપુર જૈન સંઘ, કુંદનપુર - રાજસ્થાન, હ. શ્રી શાંતિલાલજી મુથા. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું જ્ઞાનામૃત મોનનમ્... પરિવેષક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વર શિષ્ય આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. સિદ્ધાન્તમહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. ભુવનભાનવીયમ્ મહાકાવ્યમ્ - સાનુવાદ, સવાર્તિક. ૩. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્-સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્- કલ્યાણમંદિર પાદપૂર્તિ સ્તોત્ર-સાનુવાદ, સવાર્તિક. ૭. છંદોલંકારનિરૂપણમ્ -કવિ બનવાનો શોર્ટકટ-પોકેટડાયરી. ૮. તત્ત્વોપનિષદ્ - ) શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિકૃત ષષ્ઠી, ૯. વાદોપનિષદ્ - અષ્ટમી, નવમી, અષ્ટાદશી ૧૦. વેદોપનિષદ્ - દ્વાર્નાિશિકા પર સંસ્કૃત વૃત્તિ-સાનુવાદ. ૧૧. શિક્ષોપનિષદ્ | ૧૨. સ્તવોપનિષદ્ - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત અભુત સ્તુતિઓના રહસ્ય -સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ-સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષ- મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા. ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાય શ્રીયશોવિજયજી આદિ કૃત પાંચ પરમકૃતિઓ પર ગુર્જરવૃત્તિ, Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીપ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત (ઈસિભાસિયાઈ) આગમસૂત્ર૫૨ સંસ્કૃત ૧૬. આર્ષોપનિષદ્-૧ ૧૭. આર્યોપનિષદ્-૨ ૧૮. વૈરાગ્યોપનિષદ્ ૧૯. સૂક્તોપનિષદ્ - ૨૦. કર્મોપનિષદ્ - ૨૧. વિશેષોપનિષદ્ - તથા રહસ્યાનુવાદ. સિદ્ધાન્તમહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવસૂરિ અલંકૃતહિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. ૨૨. હિંસોપનિષદ્ - ૨૩. અહિંસોપનિષદ્ -અજ્ઞાતકર્તૃક (પ્રવાદઃ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ પર ૨૪. ધર્મોપનિષદ્ - ૨૫. શમોપનિષદ્ - ૨૬. લોકોપનિષદ્ - ૨૭. આત્મોપનિષદ ૨૮. સામ્યોપનિષદ્ - ૨૯. આગમોપનિષદ્ - ટીકા. શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તૃહરિનિર્વેદ S નાટક-ભાવાનુવાદ. પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય સંસ્કૃત ટીકા-સાનુવાદ. વેદથી માંડીને બાઇબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. નવનિર્મિત સપ્તકપ્રકરણ -સાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત લોકતત્ત્વનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧). મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ - સામ્યદ્વાત્રિંશિકા સચિત્ર સાનુવાદ. વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ) પરવિશદ વિવરણ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ૩૦. સ્તોત્રોપનિષદ્ - શ્રી વજસ્વામિકૃત શ્રી ગૌતમસ્વામીસ્તોત્ર -સચિત્ર સાનુવાદ. ૩૧. દર્શનોપનિષદ્ - શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જરટીકા. ભાગઃ ૧-૨ ૩૩-૩૪-૩૫. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત આલંબન. ભાગ-૧-૨-૩. ૩૬. જ્ઞાનોપનિષદ્ - અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. ૩૭. સંબોધોપનિષદ્ સટીક શ્રી રત્નશેખરસૂરિકૃત સંબોધસપ્તતિ ૩૮. ગ્રંથ પર ગુર્જરવૃત્તિ. ભાગઃ ૧-૨ ૩૯. ઈષ્ટોપનિષદ્ - શ્રી પૂજ્યપાદસ્વામિકૃત ઈબ્દોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૪૦. વિમોહોપનિષદ્ - શ્રી યશપાલમંત્રીકૃત મોહરાજપરાજય ૪૧. નાટક પર વિષમપદવ્યાખ્યા અને અનુવાદ. ભાગ : ૧-૨ ૪૨. શ્રમણ્યોપનિષદ્ - દશવિધ યતિધર્મ પર નવનિર્મિત પ્રકરણ | (બીજું નામ શ્રમણશતક). ૪૩. સફળતાનું સરનામું - સફળતાની ઈચ્છુક વ્યક્તિએ વાંચવા યોગ્ય ગુર્જર ગ્રંથ. ૪૪. પ્રસન્નતાની પરબ - વક્તા-શ્રોતા બન્નેને ઉપયોગી વૈરાગ્યાદિ રસઝરણા. ૪૫. સૂત્રોપનિષદ્ - શ્રીસૂત્રકૃતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધની સંસ્કૃત સંગ્રહણી. શ્રી સૂત્રકૃતાંગદીપિકા ભાગ-૨ ના પુનઃસંપાદન સાથે. ૪૬. પ્રવ્રજ્યોપનિષદ્ - અજ્ઞાતકર્તક પ્રવ્રજ્યાવિધાન પર ગુર્જર વૃત્તિ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૭. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીના વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૮. જીરાવલા જુહારીએ-ગીત ગુંજન. ૪૯. અસ્પર્શોપનિષદ્ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત અસ્પૃશદ્ગતિવાદ પર ગુર્જરવૃત્તિ. ૫૦. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર તથા યતિશિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક-સાનુવાદ સાવચૂરિયતિવિચાર. ૫૧. ઉપદેશોપનિષદ્ - ઉપદેશરત્નકોષ પર સંસ્કૃતવૃત્તિ સાનુવાદ. પર. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. ૫૩. સદ્ગોધોપનિષદ્ - સમ્બોધચન્દ્રોદય પંચાશિકા પર સંસ્કૃત સાનુવાદ વાર્તિક. ૫૪. અંગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ ૫૫. શ્રી અંગચૂલિકાસૂત્રપર સંસ્કૃત વૃત્તિ ભાગ-૧-૨ પ૬. વર્ગોપનિષદ્ અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ શ્રી વર્ગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ. પ૭. આગમની આછી ઝલક ૪૫ આગમ સંક્ષિપ્ત પરિચય ૫૮. જૈન જયતિ શાસનમ્ - બુદ્ધિજીવીઓને અવિશ્વસનીય જૈન | સિદ્ધાન્તોની આધુનિક પ્રસંગો દ્વારા સિદ્ધિ. ૫૯. આઈ આઈ રે અંજનશલાકા - અંજનશલાકા-સ્ટેજ પ્રોગ્રામ માટે આલંબન. ૬૦. પંચકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત જ્ઞાનપંચક વિવરણ ગ્રંથ પરનૂતન સંસ્કૃત વૃત્તિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૧. અવધૂતોપનિષદ્ શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની મનનીય સૂક્તિઓ પરનૂતન સંસ્કૃત વૃત્તિ. ૬૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ, સાનુવાદ ૬૩. પ્રથમોપનિષદ પ્રથમવાર પ્રકાશિત થતી વિશિષ્ટ કૃતિઓ, રત્નાકરપંચવિંશતિકાપ્રાચીન ટીકા, વન સ્પતિસપ્તતિકા-સાવચૂરિ, જંબૂ અધ્યયન, ગિરનારતીર્થપ્રતિષ્ઠા પ્રશસ્તિ. ૬૪. અહંન્નામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ + સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ કૃતિઓ-સચિત્ર સાનુવાદ. ૬૬. સુખોપનિષદ્ - પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર સાનુવાદ, ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ સાનુવાદ ૬૮. શંખેશ્વર સ્તોત્ર- મહો. યશોવિજયજી મહારાજાની કૃતિ, સચિત્ર-સાનુવાદ. ૬૯. દાનાદિ પ્રકરણ - શ્રી સૂરાચાર્યકૃત પ્રકરણ, ત્રુટિતકાવ્યપૂર્તિ + અનુવાદ સહ. ૭૦. ધ્યાનોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી લિખિત ધ્યાન અને જીવન પુસ્તકનો સંસ્કૃત તાત્પર્યાનુવાદ.. ૭૧. પંચસૂત્રોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી લિખિત ઉચ્ચ પ્રકાશના પંથે પુસ્તકનો સંસ્કૃત તાત્પર્યાનુવાદ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨. પૂર્વોપનિષદ્ મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત પૂર્ણાષ્ટકસચિત્ર - સાનુવાદ. ૭૩. મગ્નોપનિષદ્ - મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત મગ્નાષ્ટક સચિત્ર -સાનુવાદ. ૭૪. ગૌતમાષ્ટક - પૂર્વાચાર્યકૃત મહાપ્રભાવક કૃતિ સચિત્ર - સાનુવાદ. ૭૫. વીરોપનિષદ્ - શ્રીભદ્રબાહુસ્વામીકૃત કલ્પસૂત્ર અંતર્ગત પ્રભુ વીરનું સ્વરૂપ સચિત્ર-સાનુવાદ. ૭૬. આચારોપનિષદ્ દશ સામાચારી વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ - સાનુવાદ. ૭૭ થી ૧00 અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ આનંદઘનની આત્માનુભૂતિ પ્રણીત આધ્યાત્મિક પદ આધારિત પરિશીલન શૃંખલા (સચિત્ર). सचित्र हिन्दी प्रकाशन स्टोरी स्टोरी ડાયમંડાયરી लाइफ स्टायल નોર્વેનીઆ Page #104 -------------------------------------------------------------------------- ________________ | | | - આકાશપ્રદેશો સર્વવ્યાપી હોવાથી તેમનો સ્પર્શ કર્યા વિના ગતિ ન થઈ શકે, પણ સિદ્ધિગમન સમયે જીવ એક જ સમયમાં લોકાંતે પહોંચી જાય છે અને વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ કરતો નથી. ' આ અસ્પૃશદ્ગતિ પર - પ. પૂ. મહોપાધ્યાયજીએ ખેડેલ વિશદ વાદ. પ્રસ્તુત અતિ ગંભીર-કપરા કોયડા સમાને વિષય પર | ઉપલભ્યમાન એક માત્ર સ્વતંત્ર કૃતિ. | | ભવનમાંનુરિ જજ વનભાનુરિમ થનાખી. | રાજગુરીયા મM MULTY GRAPHICS 022) 23873822 23884222