________________
अस्पृशद्गतिवादः ऽप्यस्पृशत्ताव्याघातः, आन्तरालिकप्रदेशास्पर्शनेनैवास्पृशत्ताविवक्षणात् । तदिदमुक्तं वादिवेतालेन श्रीमता
–અસ્પર્શોપનિષદ્ પ્રદેશોને સ્પર્શ કરવાથી પણ અસ્પૃશત્વનો વ્યાઘાત થઈ જાય છે.
અર્થાત્ જો સિદ્ધિગમન વખતે પ્રદેશાન્તરનો સ્પર્શ થતો જ નથી એમ માનો તો લોકાગ્રભાગના પ્રદેશનો પણ સ્પર્શ નહીં થાય, કારણ કે અહીં જે પ્રદેશોમાં જીવ રહેલો હતો, તેની અપેક્ષાએ લોકાગ્રગત પ્રદેશ પણ પ્રદેશાંતર જ છે. હવે જો તમારે પ્રદેશાંતરની સ્પર્શના ન જ માનવી હોય, તો સિદ્ધિગમન જ નહીં માની શકાય. શૈલેષીકરણ બાદ જીવ ત્યાં જ રહી જશે. અન્યથા તો પ્રદેશાન્તરનો સ્પર્શ થઈ જાય. બોલો, છે ને તમારું અપૂર્વ શાસ્ત્રસર્જન ?
ઉત્તરપક્ષ - ના, કારણ કે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નથી થતી, આ રીતે જ અસ્પૃશત્વની વિવેક્ષા છે. એટલે કે “પ્રદેશાન્તરનો સ્પર્શ નહીં કરે' આવી જે વાત છે એનો એ જ અર્થ સમજવાનો