________________
७२
अस्पृशद्गतिवादः अनन्तशक्तिकवस्त्वभ्युपगमे दोषाभावात्, प्रत्यक्षादि
–અસ્પર્શોપનિષદ્– રીતે રહી શકે ? આ દોષનું નિવારણ કરવા માટે જ અમે એ બને ધર્મોની સિદ્ધિ અન્ય નિમિત્તથી કરીએ છીએ અને અસ્પૃશદ્ગતિના કારણ તરીકે તે તે નિમિત્તોના સમૂહરૂપ “અર્થસમાજને માનીએ છીએ.
ઉત્તરપક્ષ :- હજાર શિલ્પી ભેગા થઈને પણ અયોગ્ય શિલામાંથી શિલ્પ નિર્માણ ન કરી શકે. છેવટે તો એ કબૂલ કરવું જ પડે કે શિલામાં યોગ્યતા હોવી જોઈએ.
એમ જો વસ્તુમાં જ તથાવિધ શક્તિ નહીં હોય તો અર્થસમાજ કાંઈ ન કરી શકે. માટે શક્તિ તો માનવી જ પડશે. હવે પ્રશ્ન રહ્યો વિરુદ્ધધર્મનિર્વાહક એક શક્તિનો, તો એનો જવાબ એ જ છે કે, વસ્તુમાં અનંત શક્તિ છે, એમ માની લેવામાં કોઈ દોષ નથી. આ રીતે તે તે શક્તિથી તે તે ધર્મનો નિર્વાહ થઈ જશે.