Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
વિચ્છેદ થઈ જશે માટે અવિધિ પણ ચલાવવી જોઈએ. અવિધિવાળા ક્રિયા ન કરનારા કરતાં તો સારા છે ઈત્યાદિ વિચારો મનમાં ઘૂમતા હોવાથી અવિધિની પ્રરૂપણા કરવાનો આભોગ (ઉપયોગ-આશય) હૃદયમાં વર્તતો હોતે છતે મુખે ભલે વિધિની જ પ્રરૂપણા થતી હોય પરંતુ અવિધિ હોય તો પણ ચાલે એ વિચારો હૃદયગત હોવાથી મુખે અવિધિનો નિષેધ થવો. અસંભવિત છે. તેથી તે અવિધિનું કથન ન હોવા છતાં અવિધિના કથનનું અનુમોદન લાગે છે એટલે ફળથી તે ઉપદેશક તે અવિધિના પ્રવર્તક જ હોવાથી મુખે અવિધિ ન બોલવા છતાં પણ દોષ જ છે !
ખરેખર ઉપદેશક શ્રોતાને યથાર્થ સમ્યગુ બોધ કરાવવો એ જ કર્તવ્ય છે. તેથી વિધિની પ્રરૂપણાથી કોઈ શ્રોતા અવિધિનો નિષેધ સમજી પણ જાય. પરંતુ સર્વ શ્રોતા સમજી શકે નહિ તેથી વિધિની પ્રરૂપણાની જેમ અવિધિનો નિષેધ પણ જોરશોરથી કરવો જ જોઈએ એ અવિધિનો નિષેધ જો ઉપદેશક ન કરે તો અવિધિના માર્ગનું અનુમોદન થવાથી ઉન્માર્ગના પ્રવર્તક જ કહેવાય એટલે દોષ લાગે જ. તેથી પરોપકારમાં રક્ત એવા ધર્માચાર્યો “આ અવિધિ કરનારાઓ સ્વયં અવિધિમાં પ્રવર્યા છે, તેમાં અમારો કોઈ દોષ નથી (અમે તેઓને અવિધિમાં પ્રવર્તાવ્યા નથી). અમે તો ફક્ત ક્રિયા જ બતાવી છે. પરંતુ અવિધિનો ઉપદેશ આપ્યો નથી, આટલું માત્ર અપુષ્ટ આલંબનનું અવલંબન લઈને ઉદાસ રહેવું જોઈએ નહિ. ઉપેક્ષા કરવી જોઈએ નહિ. પરંતુ સર્વ પ્રકારના ઉદ્યમ વડે અવિધિનો નિષેધ કરવાપૂર્વક શ્રોતાઓને વિધિમાં જ પ્રવર્તાવવા જોઈએ.
સારાંશ કે માત્ર અવિધિના નિષેધથી અને વિધિના કથનથી સંતોષ ન માનતાં સૂક્ષ્મબુદ્ધિથી વારંવાર આ વાત સમજાવવી જોઈએ તથા અવિધિમાં દોષો અને વિધિમાં ગુણો બતાવવા જોઈએ. તથા ભૂતકાળમાં થઈ ગયેલા જીવોમાં અવિધિથી અનર્થ પામેલા અને વિધિથી કલ્યાણ પામેલાનાં દષ્ટાન્તો-દલીલો વારંવાર સમજાવી શ્રોતાઓના મનમાંથી અવિધિનો પક્ષ જ દૂર કરી નાખવો જોઈએ. કારણ કે એમ ઉપદેશક કરે તો જ તે શ્રોતાઓ માર્ગમાં પ્રવેશિત થયેલા બને છે. જો આમ ન કરવામાં આવે તો ઉન્માર્ગમાં શ્રોતાઓને પ્રવેશાવવા દ્વારા શ્રોતાઓનો (ધર્મમાર્ગથી) વિનાશ જ કર્યો છે એમ જાણવું.
/ શ્રી ગોવિંશિક ૮૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org