Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 111
________________ યોવવિંશિકાકારશ્રી આવા અવિધિના જ રસિક, વિધિનિરપેક્ષ, અવિધિએ ધર્મક્રિયા કરી માન-અભિમાન કરનારા જીવોને આશ્રયી જણાવે છે કે આવું કાર્ય કરનારા અને કરાવનારા ઉન્માર્ગના પોષક હોવાથી મહાદોષિત છે અને “વિહિય” ઈત્યાદિ શાસ્ત્રવચનો વિધિપાક્ષિક, સહૃદય, સજ્જન, અધ્યાત્મ જીવોને અનાભોગાદિથી કદાચ અવિધિ સેવાઈ જાય તો તેવા ભયથી ક્રિયાત્યાગ ન કરવો. પરંતુ અવિધિકૃત અતિચાર દોષની નિંદા ગહ કરી આત્મશુદ્ધિ કરવી. માટે ન કરનારને ગુરુપ્રાયશ્ચિત્ત અને અનુપયોગાદિથી અવિધિએ કરનારને લઘુપ્રાયશ્ચિત્ત બતાવેલ છે. આવા વિધિપાક્ષિક જીવો ક્રિયા કરવાના પ્રથમ અભ્યાસકાળે તેવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી, અથવા કાળાન્તરે પ્રજ્ઞાપનીય (એટલે કે સમજાવી શકાય તેવા સરળ-સહૃદય-અવક્ર) જીવને આ અવિધિદોષ નિરનુબન્ધ બને છે. ગાઢ કર્મબંધ કરાવે તેવા અનુબંધવાળો હોતો નથી. માટે તેવા વિધિપાક્ષિક જીવનું, તેવું = અવિધિવાળું ધમનુષ્ઠાન પણ દોષ માટે થતું નથી. કારણ કે તે જીવને વિધિપ્રત્યે અતિશય બહુમાન હોવાથી તથા ગુરુભગવન્તોની આજ્ઞાને અનુસરવાપણું હોવાથી તે જીવનું તે અનુષ્ઠાન દ્રવ્યથી અવિધિરૂપ હોવા છતાં પણ ફળથી વિધિરૂપ જ છે. આવા અર્થમાત્રને પ્રતિપાદન કરવામાં જ તત્પર એવાં “વિ”િ ઇત્યાદિ ગાથાનાં વચનો છે. વિધિપાક્ષિક આત્માઓને અનાભોગથી જે અવિધિ દોષ સેવાઈ જાય તે માત્ર કાયિકક્રિયાકત દોષ હોવાથી નિરનુબન્ધ છે. અને વિધિનિરપેક્ષ અવિધિમાત્રમાં જ રસિક, ગમે તેમ ક્રિયા કરનારા જીવો ઉન્માર્ગપોષક હોવાથી અને ભગવાનનાં વચનો પ્રત્યે અનાદર હોવાથી તે દોષ સાનુબન્ધ છે. આ પ્રમાણે શાસ્ત્રનાં વાકયોને યથાર્થપણે સંગત કરવાં જોઈએ. अवोचाम चाध्यात्मसारप्रकरणे :(ટીકાકાર શ્રી પૂ. યશોવિજયજી મહારાજશ્રી જણાવે છે કે અધ્યાત્મસાર પ્રકરણ નામના (અમારા બનાવેલા) ગ્રંથમાં અમે જ કહ્યું છે કે - શ્રી યોગવિંશિશ્ન જ ૯૬ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164