Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 32
________________ પ્રકરણ-૪ - સ્થાપના નિક્ષેપાની સિદ્ધિ છે “શ્રી સ્થાનાંગ સૂત્ર'માં દશમા સ્થાનમાં ૧૦ પ્રકારનાં સત્ય બતાવ્યાં છે. जणवयसम्मयठवणा, नामे रूवे पडुच्च सच्चेय । ववहारभावजोगे, दसमे उवम्मसच्चे अ ||१|| ૧) જનપદસત્ય ? એકનાં એક શબ્દનાં તે-તે દેશને હિસાબે અલગ અલગ અર્થો થાય છે, તો તે બધાંય જનપદ સત્ય કહેવાય છે. જનપદ=દેશ. તે જ રીતે એક જ અર્થમાં જુદા જુદા દેશમાં અલગ-અલગ શબ્દ વપરાય છે. જેમકે પાણીને કોઇ દેશમાં જલ કહે, કોઇ દેશમાં વોટર કહે, કોઇ દેશમાં પિચ્ચ કહે...તો પાણી એટલે માત્ર જલ જ એવું ન કહેવાય. જલ પણ સાચું, વોટર પણ સાચું. આ તે-તે દેશને હિસાબે સત્ય થયું. ૨) સમ્મતસત્યઃ સકલ આપ્તજનમાં જે સમ્મત હોય, તે વખતે તેવા શબ્દનો બીજો અર્થ ભલે નીકળતો હોય, તો પણ જનસમ્મત અર્થ જ માન્ય કરાય, બીજા અર્થો સાચાં હોવાં છતાંય અમાન્ય કરાય આ સમ્મત સત્ય છે. જેમ કે પંકજ' આ શબ્દનો અર્થ છે-“કાદવમાં ઉત્પન્ન થનાર'. જેમ કમળ કાદવમાં જન્મે છે, એમ બીજાં ઘણાં પુષ્પો તથા કીડા, ઇયળ આદિ પણ કાદવમાં જન્મે છે. છતાંય લોકમાં પંકજ તરીકે માત્ર કમલ જ માન્ય છે. આથી, પંકજ એટલે કમળ જ મનાય. આ સમ્મત સત્ય થયું. ૩) સ્થાપના સત્યઃ માટી આદિમાંથી નિર્મિત અરિહંત પ્રતિમાને પણ અરિહંત માનવા એ સ્થાપના સત્ય છે. આ રીતે, જ્યાં એકડો (“1') લખ્યો હોય, ત્યાં તેને એક માનવો એ સ્થાપના સત્ય છે. કારણ કે એ અંક નથી, અંકની સ્થાપના છે. અક્ષરોનો આકાર-જેને લિપિ કહે છે-એ પણ અક્ષર રૂપ મનાય છે, કારણ કે સ્થાપના સત્ય છે. ૪) નામસત્ય : “ધનવાન' શબ્દનો અર્થ છે-ધનવાળો. કોઈ ગરીબનું નામ “ધનવાન' રાખ્યું, તો શબ્દનો અર્થ તો ઘટતો નથી, માટે એ ખોટું છે એમ ન માનવું. શબ્દાર્થ ન ઘટવા છતાં'ય લોકો એને ધનવાન જ કહેવાના યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૧૭

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106