Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 83
________________ પ્રકરણ-૧૪ વર્તમાન જિનપૂજન પદ્ધતિ અને તેમાં થતી અવિધિઓ પ્રત્યે નિર્દેશ સર્વોપચારી પૂજામાં શક્ય એટલી દરેક પૂજાસામગ્રીથી ભગવાનની પૂજા કરી શકાય. ગીત-નૃત્ય-વાજિંત્ર-છત્ર-પુષ્પવૃષ્ટિ-જાપ-ધ્યાન વગેરે સર્વ પૂજાનો સમાવેશ થાય છે. વર્તમાનકાળે આમાંથી અમુક પૂજા રોજિંદી છે, અમુક પૂજાઓ પ્રાસંગિકી છે. સુવિહિત ગુરૂ ભગવંતો રચિત અષ્ટાપદ પૂજા, અંતરાય કર્મ-નિવારણ પૂજા, સ્નાત્રપૂજા, સત્તરભેદી પૂજા વગેરે પ્રસંગોપાત થતી હોય છે, માટે પ્રાસંગિકી છે. જ્યારે અષ્ટપ્રકારી પૂજા તથા ચામર-દર્પણ-વીંઝણો આટલી પૂજા દરરોજ કરવામાં આવે છે. માટે તે રોજિંદી પૂજા છે. અષ્ટપ્રકારી પૂજાનાં ૩ ભેદ છે. અંગપૂજાઃ જે ભગવાનને સ્પર્શ કરીને થાય તે. જલપૂજા (અભિષેકપૂજા), પુષ્પ-ચંદનપૂજા...અગ્રપૂજા : જે ભગવાનની આગળ થોડા અંતરે થાય તે, ધૂપ-દીપ-અક્ષત-ફળ-નૈવેદ્ય વગેરે... ભાવપૂજાઃ અવસ્થાચિંતન-ચૈત્યવંદન-સ્તોત્રગાન-ધ્યાન-જાપ વગેરે. વર્તમાન દ્રવ્યપૂજા-સંક્ષેપ : નિર્માલ્ય ઉતારવું, પ્રભુનું મો૨પીંછીથી પ્રમાર્જન-મુલાયમ કપડાંને ભીનું કરી કેશરને કાઢવું, ક્યાંક થોડા હલકા હાથે કેસ૨ જામી ન જાય એટલા માટે વાળાકુંચીનો ઉપયોગ, દૂધનો પ્રક્ષાલ, પ્રતિમાજી સાફ કરવા જળનો પ્રક્ષાલ, અંગપૂંછણાથી પ્રતિમાજી લૂંછવા, ચંદન-વિલેપનકેસરથી નવાંગી પૂજા, સુગંધીદાર પુષ્પોથી પૂજા, ગભારાની બહાર આવી ડાબી બાજુ ઊભા રહી ધૂપપૂજા, જમણી બાજુ ઊભા રહી દીપકપૂજા, પાટલા ૫૨ સ્વસ્તિક રચના, સાથિયા ૫૨ નૈવેદ્ય-સિદ્ધશિલા પર ફળ મૂકી નૈવેદ્યફળપૂજા, ચામર-દર્પણ-વીંઝણોદર્શન... પ્રાચીન વિધિ પ્રમાણે વૈભવોચિત વાહન વગેરેમાં આવવું એવું કહ્યું છે. પરંતુ વર્તમાન વિધિ મુજબ ખુલ્લા પગે-પગપાળા આવવું એવો સુવિહિત આચાર છે. તથા દૂરથી જ ભગવાનનાં જિનાલયની ધ્વજાના દર્શન થતા ભાવથી મસ્તક ઝુકાવી ‘નમો જિણાણું'' બોલવું. અને ભગવાનના મુખના દર્શન થતાં જ અર્ધાઅંગથી ઝૂકીને ‘નમો જિણાણં’ પુનઃ બોલવું. પાંચ અભિગમપૂર્વક ૬૪ જૈન ભક્તિમાર્ગ... 30, 2000.

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106