Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 103
________________ ઓળવા. ૧૨) નખ કાઢવા. ૧૩) લોહી-માંસ નાંખવું. ૧૪) શેકેલાં ધાન્ય વગેરે નાંખવા. ૧૫) ચામડી વગેરે નાંખવા. ૧૬) ઉલટી કરવી (ઔષધ ખાઇને). ૧૭) ઉલટી કરવી (સહજથી). ૧૮) દાતણ કરવું. ૧૯) આરામ કરવો, પગ દબાવવા. ૨૦) બકરી, ભેંસ, ગાય, ઘોડા, હાથી બાંધવા. ૨૧) થી ૨૭) દાંત, આંખ, નખ, ગંડસ્થળ, નાક, કાન, માથા આદિ સર્વનો મેલ કાઢવો. ૨૮) સૂવું. ૨૯) મંત્ર, ભૂત, રાજા વગેરેનો વિચાર કરવો. ૩૦) વાદ-વિવાદ કરવો. ૩૧) નામ લખવા. (હિસાબના ચોપડા લખવા.) ૩૨) ધન વગેરેની વહેંચણી કરવી. ૩૩) પોતાનો દ્રવ્ય-ભંડાર ત્યાં આપવો. ૩૪) પગ પર પગ ચડાવી બેસવું. ૩૫) છાણાં થાપવા. ૩૬) કપડાં સૂકવવા. ૩૭) દાળ વગેરે ઉગાડવું. ૩૮) પાપડ વણવા. ૩૯) સેવ વણવી, વડી મૂકવી. ૪૦) રાજા વગેરેનાં ભયથી મંદિરમાં સંતાઇ જવું. ૪૧) શોકથી રડવુ. ૪૨) વિકથા કરવી. ૪૩) હથિયાર ઘડવા કે સજવા. ૪૪) ગાય, ભેંસ રાખવા. ૪૫) તાપણી તાપવી. ૪૬) અન્નાદિ રાંધવું. ૪૭) નાણું પારખવું. ૪૮) નિસીહ વિના દેરાસરમાં જવું. ૪૯) થી પ૨) છત્ર, પગરખાં, હથિયાર-ચામર સાથે પ્રવેશ કરવો. પ૩) મનને ચંચલ રાખવું. ૫૪) તેલ વગેરે ચોપડવું. ૫૫) સચિત્ત પુષ્પ-ફલ બહાર ન મૂકવા. પ૬) હાર, વીંટી વગેરે બહાર મૂકી શોભા વિનાના થઇ દેરાસરમાં દાખલ થવું. પ૭) ભગવાન જોતાં જ હાથ ન જોડવા. ૫૮) ઉત્તરાસંગ ન રાખવું. ૫૯) મસ્તકે મુગટ ધરવો. ૬૦) બુકાની બાંધી હોય તે છોડવી નહીં. ૬૧) કુલનાં હાર-તોરા મૂકીને ન જવું. ૬૨) શરત મારવી ૬૩) ગેડીદડે રમવું. ૬૪) મહેમાન વગેરેનો સત્કાર કરવો. ૬૫) ભાંડ વગેરેની રમતો કરવી. ૬૬) કોઇને હુંકારે બોલાવવો. ૬૭) લેવા-દેવા વિશે ધરણું માંડવું, લાંઘણ કરવી. ૬૮) રણ-સંગ્રામ કરવો. ૬૯) માથું ખંજવાળવું, વાળ જુદા કરવા. ૭૦) પલાંઠી વાળી બેસવું. ૭૧) ઊંચે આસન બેસવું. ૭૨) પગ લાંબા કરી બેસવું. ૭૩) સિટી વગેરે બનાવવી. ૭૪) પગનો મેલ કાઢવો. ૭૫) કપડાં ઝાટકવા. ૭૬) માંકડ-જૂ વીણવા. ૭૭) મૈથુનક્રીડા કરવી. ૭૮) જમણ કરવું. ૭૯) વેપાર-લેવું, દેવું, વેચવું કરવો. ૮૦) વૈદું કરવું. ૮૧) પથારી-ખાટલો ખંખેરવા. ૮૨) ગુહ્ય ભાગ ઉઘાડવો કે સમારવો. ૮૩) મુક્કાબાજી, કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું. ૮૪) ચોમાસામાં પાણી ત્યાં ૮૪ જેન ભક્તિમાર્ગ...

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106