Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 37
________________ પ્રકરણ-૫ સ્થાપનાનાં તત્વ-ભેદ-પર્યાય... કોઇપણ પદાર્થની વ્યાખ્યા તત્ત્વ-ભેદ અને પર્યાય દ્વારા કરવામાં આવે છે. તત્ત્વ એટલે જે તે પદાર્થનું સ્વરૂપ. એવું સ્વરૂપ, જે બીજામાં ન ઘટે, એ જ પદાર્થમાં ઘટતું હોય, તેને તત્ત્વ કહેવાય. બીજા નંબ૨માં આવે છે ભેદ, ભેદ એટલે અલગ અલગ પ્રકારો. જે-તે પદાર્થનાં અલગ અલગ મળતાં બધાં જ ભેદ-પ્રભેદો બતાવવાં તે. ત્રીજી વાત છે પર્યાયની. પર્યાય એટલે સમાનાર્થી શબ્દો. જે-તે પદાર્થના સમાનાર્થી જેટલા શબ્દો હોય, તે-તે બધાંયને પર્યાય કહે છે. આ ત્રણેય પ્રકારોમાંથી કોઇ એક પ્રકારે પણ વ્યાખ્યા થઇ શકે, અથવા ત્રણેય પ્રકારે પણ વ્યાખ્યા કરી શકાય છે. “જેનું મોટું પેટ, નાનું મોઢું, ગળે કાંઠલો આવો આકાર હોય, એ ઘડો કહેવાય’’. આ ઘડાની તત્ત્વ પ્રકારની વ્યાખ્યા થઇ. અર્થાત્ તત્ત્વથી વ્યાખ્યા થઇ. ‘માટીનો, તાંબાનો, પિત્તળનો વગેરે હોય એને ઘડો કહેવાય.’ આ ઘડા માત્ર તાંબા, સોના વગેરેના હોય એ રીતે ઘડાનાં ભેદોની નિરૂપણા થઇ. 99 અર્થાત્ ભેદોથી ઘડાની વ્યાખ્યા થઇ. “ઘડો એટલે કુંભ, કળશ...' આ ઘડાની સમાનાર્થી શબ્દોથી, અર્થાત્ પર્યાયોથી વ્યાખ્યા થઇ. ,, “જે પશુને ગળાનાં ભાગે ગોદડી જેવો સ્નાયુ હોય, એ પશુ ગાય કહેવાય'' આ ગાયનું તત્ત્વ થયું. તત્ત્વથી ગાયની વ્યાખ્યા થઇ.'' લાલ, કાળી, સફેદ, ગીરની, ગાયો હોય છે.'' આ ભેદો વડે ગાયની વ્યાખ્યા થઇ. ભેદથી વ્યાખ્યા કરો, ત્યારે જેને જે ભેદ ખ્યાલમાં હોય, તેને તે ભેદ દ્વારા ગાયનું સ્વરૂપ સમજાય છે. ‘ગાય એટલે ગો, ધેનુ, સુરભિ' આ પર્યાયો વડે ગાયની વ્યાખ્યા થઇ. આમાં પણ, જેને જે પર્યાયનો ખ્યાલ હોય, તેને તે પર્યાય દ્વારા શબ્દાર્થ સમજાય છે. હવે સ્થાપનાની તત્ત્વ-ભેદ-પર્યાયથી વ્યાખ્યા કરવી છે. તો સ્થાપના તત્ત્વ શું છે ? એના જવાબમાં સમજવું, કે ભાવોનો આરોપ એ સ્થાપના છે. ૨૨ જૈન ભક્તિમાર્ગ...

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106