________________
तदर्थबोधकत्वमात्रं तु न तदर्थतात्पर्येण स्वारसिकप्रयोगनियामकम्, तथा सति शक्तिभ्रमादिना घटपदस्यापि पटादिबोधकतया पटादितात्पर्येणापि स्वारसिकघटादिपदप्रयोगापत्तेः । नापि शक्तया
बोधकत्वं तथा, निरूढलक्षणयाऽपि स्वारसिकपदप्रयोगात् । ભાવાર્થ એ જ રીતે ચણ, અમ્ વિ. ના સમભિવ્યાપારમાં દ્વિતીયા કર્મપ્રત્યયનું
અનાદિતાત્પર્ય અનુક્રમે વિભાગ-સંયોગરૂ૫ ફળ વિશેષમાં જ હોય છે. એટલે વિભાગના અર્થમાં પ્રામં છત એવો પ્રયોગ થતો નથી. ૧ જે પદથી જે અર્થનો બોધ થઈ શકતો હોય, તે અર્થના તાત્પર્યમાં તે પદનો પ્રયોગ થઈ શકે, એવું કહી શકાય નહીં, કારણ કે તો પછી કોઈને શક્તિભ્રમથી ઘટ પદથી પણ પટનો બોધ થઈ શકે છે, તેથી પટ ના તાત્પર્યમાં ઘટ પદનો પ્રયોગ થઈ શકશે. ૨ જે અર્થમાં શક્તિ હોય તે અર્થમાં જ તે પદનો પ્રયોગ થઈ શકે, એવું પણ નથી કારણ કે નિસઢલક્ષણાથી જે અર્થનો બોધ થતો હોય તે
અર્થમાં પણ પદનો સ્વારસિક પ્રયોગ થાય છે. વિવેચન : (૧) ધાતની શક્તિ વ્યાપારમાં અને અનાદિતાત્પર્ય ફળાવચ્છિન્નવ્યાપારમાં
એવું નિશ્ચિત થયું. દ્વિતીયા ફળની બોધક નક્કી થઈ. હવે કોઈ કહે કે દ્વિતીયા ફળને જણાવે છે, તો ત્યમ્ ના સમભિવ્યાપારમાં વિભાગની બોધક બનશે. ના સમભિવ્યાપારમાં સંયોગની બોધક બનશે. એટલે દ્વિતીયામાં બંને ફળનું બોધકત્વ તો છે જ. તો પછી ગામ ના સમભિવ્યાપારમાં તે વિભાગની બોધક કેમ ન બને ? કારણ કે દ્વિતીયાસમભિવ્યાહાર ક્યાં છે, ત્યાં ધાતુ તો માત્ર વ્યાપારની જ બોધક છે. ફળ તો દ્વિતીયાથી જ જણાવાય છે. એટલે પ્રામં છતમાં, અમ્ થી સ્પન્દવ્યાપાર અને દ્વિતીયાથી વિભાગ જણાશે અને તેથી વિભાગના તાત્પર્યથી ગ્રામ નચ્છતિ પ્રયોગ થઈ શકશે. તેનો જવાબ આપે છે કે, ચન્ ના સમભિવ્યાપારમાં દ્વિતીયાનું અનાદિતાત્પર્ય વિભાગમાં જ છે, અમ્ ના સમભિવ્યાપારમાં દ્વિતીયાનું અનાદિતાત્પર્ય સંયોગમાં જ છે. એટલે વિભાગના તાત્પર્યથી અમ્ ની સાથે દ્વિતીયાનો પ્રયોગ થઈ જ ન શકે. એટલે વિભાગ અર્થમાં પ્રામ
છતિ કોઈ કહેતું નથી.
વ્યુત્પત્તિવાદ * ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org