Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 176
________________ આખ્યાતાર્થ નિરુપકત્વમાં અન્વય થશે. એટલે ઘટવૃત્તિઆશ્રયત્વનિરુપક અર્થાત ઘટવૃત્તિ એવો અર્થ થશે. (ઘટમાં રહેલ આશ્રયત્વનું નિક્ષક, ઘટને આશ્રય બનાવનાર, ઘટમાં રહેલ પદાર્થ જ હોય.) દ્વિતીયાર્થ વિષયિતા સામાન્ય (લૌકિક-અલૌકિક) છે અને આકાશનો તેમાં નિરૂપિતત્વ સંબંધથી અન્વય થશે. એટલે આકાશવિષયકત્વ દ્વિતીયાંતાર્થ થયો. હવે એ નિરુપકત્વ અને વિષયકત્વ વિશિષ્ટ એવું ઉભય લેવું છે, એટલે તે બંનેનો પ્રકારતયા આખ્યાતાર્થ દ્વિવ (ઉભય) માં અન્વય થશે. અને તેવા ઉભયનો અભાવ લેવો છે એટલે, તાદશકિત્વનો નમ્ અર્થ અભાવમાં દ્વિવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય થશે. અને આ ઉભયાભાવ, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષત્વાવચ્છિન્ન એવા ધાત્વર્થમાં અન્વિત થશે. આમ મુખ્ય (પ્રકારતાનવચ્છિન્નવિશેષ્યતાશાલિ)વિશેષ્ય ધાત્વર્થ થશે. શાબ્દબોધનો આકાર થશે. ઘટવૃત્તિઆશ્રયસ્વનિરુપકત્વ - આકાશનિ પિતવિષયત્વ એ ઉભયનો દ્વિવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી જે અભાવ, તદ્વાન અલૌકિકવિષયિતા શૂન્ય ચાક્ષુષ. ૨૨૦, अथवा स्वनिष्ठान्योन्याभावप्रतिोगितानवच्छेदकत्वरुपव्यापकतासंबन्धेन धात्वर्थस्य तादृशोभयाभावेऽन्वयः, तस्य चाख्यातार्थनिरूपकत्वे, तस्य प्रथमान्तार्थपदार्थे घटादौ, घटादेः प्रतियोगितावच्छेदकघटकतया तादृशाभावनिरूपकत्वात्, एवं चान्वयबोधस्य प्रथमान्तपदार्थमुख्यविशेष्यकत्वनियमस्यापि न क्षतिरिति । અથવા સ્વનિષ્ઠ ભેદપ્રતિયોગિતાનવચ્છેદકત્વ રૂપ વ્યાપકતા સંબંધથી, ધાત્વર્થનો તાદશ ઉભયાભાવમાં અન્વય કરવો. તે (અભાવ)નો આખ્યાતાર્થ નિરુપકત્વમાં, તેનો પ્રથમાંતપદાર્થ ઘટમાં અન્વય કરવો. કારણ કે ઘટ એ પ્રતિયોગિતાવચ્છેદક ઘટક હોવાથી તાદેશાભાવનો નિરુપક છે. એ રીતે અન્વય બોધમાં મુખ્ય વિશેષ્ય પ્રથમાંત પદાર્થ જ હોય એ નિયમનો ભંગ પણ નથી થતો. વિવેચનઃ ઉપરના (નં. ૨૦૯) અર્થમાં ધાત્વર્થ મુખ્ય વિશેષ્ય બન્યો. જે અનુભવવિરુદ્ધ છે. પ્રથમાંત પદાર્થ જ મુખ્ય વિશેષ્ય બને છે. એવો નિયમ છે. એટલે કહે છે. વ્યુત્પત્તિવાદ : ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186