Book Title: Veer Vibhuti
Author(s): Nyayavijay
Publisher: Jain Tapagaccha Sangh Pedhi

View full book text
Previous | Next

Page 18
________________ તર્કવાદમાં કે તત્વવાદમાં મુક્તિ નથી. સંપ્રદાય—પક્ષમાં કેફિરકાબંદીમાં મુક્તિ નથી. કિન્તુ કષાયથી-રાગદ્વેષથી-ક્રોધ-લોભ-મદ-માયાથી મુકત થવામાં જ મુક્તિ છે. મહાવીરના વર્તમાન પ્રવચનમાં જેમ તત્વ-વિચારણાને સ્થાને છે, તેમ ચારિત્રસબન્ધી ઉપદેશને પણ એટલું જ સ્થાન છે. જૈન દર્શનને મુખ્ય વિષય નવ તો છે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બન્ધ, નિર્જરા અને મોક્ષ. મુખ્ય તો જીવ, અજીવ એ બેમાં બધાં તત્ત્વોને સમાવેશ થઈ જાય છે. જીવનું મુખ્ય સ્વરૂપ જ્ઞાન-શક્તિ છે. જેમાં જ્ઞાન–શક્તિ નથી. તે અજીવ. સકમ તે પુણ્ય. અસત્કર્મ તે પાપ. કર્મ બંધાય એવાં કામ તે આસવ. કર્મ બંધાતાં અટકે તે સંવર. કર્મ ( આત્મા સાથે ) બંધાવાં તે બધ. બંધાયેલ કર્મને નાશ થવો તે નિ જરા. તમામ કર્મ–અન્ધાથી મુક્તિ તે મેલ. આ નવ તત્તની ટૂંકી અને સાદી સમજ. ચારિત્ર એક ગૃહસ્થાશ્રમને અનુકૂલ અને બીજું સંન્યાસીને અનુકૂલ એમ બે વિભાગોમાં જૈનદર્શન બતાવે છે. સંન્યાસીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ મહાવતે છે, ગૃહસ્થાશ્રમને એ અણુવ્રત છે. જૈન દર્શનમાં જાતિભેદને સ્થાન નથી. આત્મ-વિકાસમાં ચઢે તે ઉચ્ચ અને પડે તે નીચ. જેનાં ગુણ-કર્મો ઉંચાં તે ઉચ્ચ અને નીચાં તે નીચ. મહાવીરના લક્ષાવધિ વ્રતધારી ધર્મી શ્રાવકોની અન્દર કણબી-પટેલ–કુંભાર જાતના પણ હતા. અન્ય અને ચાંડાલો પણ મહાવીરનાં ચરણેનું શરણ લઈને, મહાવીરના સન્માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134