Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
કાઈ સળંગ છંદ ભ્રષ્ટ થઈ જવાને કારણે, તેના ટુકડાઓ છૂટા પડી જતાં બન્યાં હોય એવાં એ વાકયે છે. “વસુદેવ-હિંડી'ની રચના થઈ તે પૂર્વે લેકમાં અથવા અનુગધર આચાર્યોને મુખે કોઈ પઘાત્મક વસુદેવચરિત અથવા વસુદેવચરિતના અમુક ખડે પ્રચલિત હોય એવું અનુમાન આ ઉપરથી થાય છે.
વસુદેવ-હિંડીની ભાષા એકંદરે જોતાં સરલ અને પ્રાસાદિક છે, પણ આજે એ પ્રખ્ય દુર્ગમ લાગે છે; કારણ કે એ અતિપ્રાચીન ગ્રન્થનું પઠન પાઠન વચ્ચેના કાળમાં લુપ્તપ્રાય: થઈ ગયું હતું, કેટલાક લંકે અને કેટલાયે પાઠો નાશ પામી ગયા હોવાથી અને સંખ્યાબંધ પાઠ ભ્રષ્ટ થઈ ગયા હોવાથી અમુક સ્થાનેએ-ખાસ કરીને પ્રિયંગસુન્દરી અને કેતુમતી સંભકમાં–અર્થસન્દર્ભનું અનુસંધાન કરવું પણ મુશ્કેલ થઈ પડે છે. “વસુદેવ-હિંડી ”માં પ્રયોજાયેલા કેટલાયે શબ્દો કઈ પણ શબ્દકેશમાં મળતા નથી અથવા કાળાન્તરે અપભ્રષ્ટ બન્યા હોવાને કારણે એ શબ્દોના મૂળ સ્વરૂપની કલ્પના થઈ શકતી નથી, અને પરિણામે અનુમાનથી અર્થ કરવો પડે છે અથવા મુદ્દલ અર્થ થઈ શકતું નથી. જૂનામાં જૂની તાડપત્રીય હાથપ્રતમાં પણ પાઠોની દષ્ટિએ આ સ્થિતિ છે. મૂળ રચનાની દૃષ્ટિએ જોતાં “વસુદેવ-હિંડી ” એક સરળ ગ્રન્થ હોવા છતાં આ પ્રકારનાં ઐતિહાસિક કારણોને લીધે વર્તમાન કાળમાં તેને અભ્યાસ ઠીક ઠીક શ્રમ માંગી લે છે.
“વસુદેવ-હિડી'ની ભાષા એ આ પ્રાકૃત છે, અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તે ચૂર્ણિપ્રન્થો આદિમાં મળે છે તેવી આર્ષ જૈન મહારાષ્ટ્ર પ્રાકૃત છે. આચાર્ય હેમચન્ટે પોતાનાં વ્યાકરણુસૂત્રાના પ્રારંભમાં આર્ષ પ્રાકૃતનો માત્ર નામનિર્દેશ કર્યો છે, પણ એ ભાષાના સ્વરૂપનું વિશેષતયા નિર્વચન જૂના વ્યાકરણગ્રન્થોમાં કયાંય મળતું નથી. આ રીતે વસુદેવ-હિંડી'ની ભાષાનો અભ્યાસ આપણી સમક્ષ અનેક ભાષાકીય નવીનતાઓ રજૂ કરે છે. પ્રાકૃત વૈયાકરણોએ જેની નોંધ લીધી નથી તેમ પછીના કાળના પ્રાકત ગ્રન્થોમાં ભાગ્યેજ નજરે પડે છે એવાં નાનાં રૂપે “વસુદેવ-હિંડીમાં મળે છે. “વસુદેવ-હિંડીની ભાષા પ્રાચીન ભૂમિકા રજૂ કરતી હોવાથી સામાન્ય જૈન મહારાષ્ટ્રની તુલનાએ સૂત્રગ્રન્થોની ભાષાની વધારે નજદીક છે; અને તેમાં એવાં જૂનાં રૂપો મળે છે કે તેના રચનાકાળની ઉત્તરમર્યાદા આપણે વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં નિર્મીત કરી હોવા છતાં એની સાચેસાચ રચના એ કરતાંયે બે-ત્રણ શતાબ્દી પૂર્વે થઈ હોય એ અસંભવિત નથી.
“વસુદેવ-હિડીની ભાષાનાં મુખ્ય લક્ષણે આપણે અહીં સંક્ષેપમાં જોઈ લઈએ. પ્રથમ ક્રિયાપદનાં રૂપ લઈએ. ક્રિયાપદનાં સંખ્યાબંધ જૂનાં અને રસપ્રદ રૂપ “વસુદેવ-હિંડીમાં મળે છે.
વસુદેવ-હિંડી'માં સંખ્યાબંધ સ્થાનોએ વર્તમાનકાળના નિશ્ચયાર્થ પહેલા પુરુષ એકવચનમાં શામિને બદલે –અંતવાળું રૂ૫ મળે છે. ભવિષ્યકાળમાં તો આવાં રૂપે સામાન્ય છે જ ( દા. ત. મવિલં), પણ વર્તમાન કાળમાં ૯પીશલે તે નોંધ્યાં નથી. આ પ્રકારનાં રૂપ સૂત્રની ભાષામાં મળે છે, ઉદાહરણ તરીકે જુઓ
આચારદશામાં-વંતિ સુવે માગો માસત્ત, ગઠ્ઠા નાળ વા “ના” નાલં વા “નો ગાળે ” વળી જુઓ “મહાનિશીથ સૂત્ર”માં–શું રેઢું સુવં ૩É પાર્વ નાલં પૂજાય ૩. વળી રે, ન નિugવું, (=રાક્ટોfમ ?) એવાં રૂપે પણ તેમાં છે ( શુબ્રિગનું “મહાનિશીથ સૂત્ર', પૃ. ૯૦ ). “વસુદેવ-નહેડી’માં
૯ અહીં તથા હવે પછી પીશલના નિર્દેશથી જર્મન વિદ્વાન ડો. પીશલે પ્રાપ્ત પ્રાકૃત વ્યાકરણ તેમજ ગ્રન્થસ્થ અને ઉત્કીર્ણ પ્રાકૃત ઉપરથી લખેલે પ્રાકૃત વ્યાકરણને પ્રમાણભૂત ગ્રન્થ-Grammatik Der Prakrit Sprachen ઉદ્દિષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 544