Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 8
________________ ન આવે ને? જ્યાં સુધી “સુખ જોઈએ છે” આ પરિણામ પડ્યો હશે ત્યાં સુધી ધર્મ નહિ આવે. “માંગવું નથી” આ ખાનદાની છે. પણ જોઈતું નથી' આ પરિણામ જેને હોય તેનું નામ ધર્માત્મા. આપણો નંબર શેમાં લાગે? આજે આ સંસાર છોડવાનું મન નથી એનું કારણ શું છે? સંસાર સારો છે માટે કે સંસાર સારો લાગે છે માટે? સ. સંસાર તો અસાર છે. તો તેને સારો બનાવવો છે કે છોડી દેવો છે? આજે સંસારમાં અનુકૂળ વસ્તુઓ ન મળે તો મેળવવા મહેનત કરવી છે કે છોડવું છે? આ સંસારના પદાર્થોની ઈચ્છાઓ કોઈ કાળે પૂરી થવાની નથી. ઈચ્છાને માર્યા વગર કોઈ મોક્ષમાં જતું નથી અને ઈચ્છાને પૂરી કરીને કોઈ મોક્ષમાં ગયું નથી. મોક્ષમાં આ સંસારનું એક પણ સુખ નથી. આજે તો અમારાં સાધુસાધ્વી પણ મોક્ષનું સ્વરૂપ વિકૃતરૂપે રજૂ કરે છે. વિષયના ભોગવટા વગર પણ વિષયનું સુખ ત્યાં ભોગવાય એમ કહીને મોક્ષની લાલચ લગાડે. અસલમાં આપણે તો એ કહેવું છે કે કોઈ જાતનું વિષયસુખ ત્યાં હોતું નથી. વિષય વિનાનું અને વિષયની ઈચ્છા વગરનું માત્ર જ્ઞાનનું સુખ ત્યાં હોય છે. વિષયસુખના લાલચુને મોક્ષનું સ્વરૂપ સમજાય- એ શક્ય નથી. મરતી વખતે પણ આ સુખની અભિલાષા જાગી ન જાય એ માટે રોજ સંલેષણાના અતિચારની આલોચના કરવાની છે. કોઈ પણ જાતના આ લોકના કે પરલોકના સુખની અભિલાષા જાગે તો સંખનામાં અતિચાર લાગ્યા વગર ન રહે. આમ છતાં આજે સંસારના સુખ માટે ધર્મ ન કરે તો પાપ કરે? એમ કહીને સુખ માટે ધર્મ કરવાનું કહેનારાં સાધુસાધ્વી મળી આવે છે. ભવિષ્યમાં પણ સુખની અભિલાષા ન જાગે તેની તકેદારી રખાવનારા શાસ્ત્રકારો અત્યારે સુખની અભિલાષાથી ધર્મ કરવાનું કહે - એ શક્ય છે? (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80