Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 39
________________ વિષયાભિલાષા એટલી ભયંકર છે કે જે આવેલા વૈરાગ્યને પણ પાછો ખેંચી લે છે. અહીં બીજા બે દષ્ટાન્ત આપતાં જણાવ્યું છે કે અમાસની રાત્રિએ આકાશમાં ચન્દ્ર જેમ ન દેખાય અને જે વૃક્ષમાં ફળ આવવાની યોગ્યતા ન હોય તે વૃક્ષ ગમે તેટલું વિકસે તોય તેમાં ફળ ન આવે, તેમ વિષયથી આસક્ત બનેલા ચિતમાં વૈરાગ્ય ટકે જ નહિ, બોલો વૈરાગ્ય સહેલો છે કે કઠિન? સ. જાગૃતિ માટે સહેલો અને પ્રમાદી માટે કઠિન. તમારો નબંર શેમાં? સ. અમારી જાતનો નિર્ણય અમે જ નથી કરી શકતા. તો પછી અમે જે કહીએ છીએ તે માની લો. વિષયની આસક્તિ પ્રમાદી બનાવે છે અને પ્રમાદીને વૈરાગ્ય પામવાનું કામ કઠિન છે. આ પ્રમાણે સાંભળીને આપણે તો લગભગ વૈરાગ્ય પામવાનું કામ માંડી વાળીએ ને? જ્યારે આ શિષ્ય કહે છે કે જો આવી સ્થિતિ હોય તો વૈરાગ્યને પામવાનો ઉપાય શું? આ શંકાના નિરાકરણમાં આગળની ગાથાથી વૈરાગ્ય પામવાના ઉપાય જણાવે છે કે વિષયમાં પ્રવૃત્તિ કરે નહિ, ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ હોય અને સંસારમાં નિર્ગુણતાનું દર્શન થાય તો વૈરાગ્ય નિરાબાધ છે. વૈરાગ્ય પામવા, ટકાવવા કે નિરાબાધ બનાવવાના ઉપાય આ ત્રણ જ છે. આજે આપણે વૈરાગ્ય પામવા માટે કેટલો પુરુષાર્થ કર્યો? લાભાન્તરાયના ક્ષયોપશમ માટે જેટલો પ્રયત્ન કર્યો તેટલો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ માટે કર્યો હોત તો આજે ચારિત્ર મળી ગયું હોત. સાહેબે કહ્યું હતું કે અર્થકામ માટે જેટલો પુરુષાર્થ છે, તેના સોમા ભાગનો પુરુષાર્થ પણ જો ધર્મ પામવા માટે કર્યો હોત તો ધર્મ ક્યારનો પામી ગયા હોત. આજે એટલો પણ પુરુષાર્થ અહીં નથી કરવો ને? પુરુષાર્થ કરીએ તો સિદ્ધિ મળે એમ છે પરંતુ સિદ્ધિ જોઈતી જ નથી માટે પુરુષાર્થ કરતા નથી ને? ? ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80