Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 55
________________ અને પાપથી મેળવેલું મારે, એવું માનીએ તે ચાલે? આજે અમારે ત્યાં બે પક્ષ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલાં સુખો વિષ જેવા નહિ ગણવાના એમ કહે છે. પુણ્યથી મળેલું સુખ ખરાબ કે પાપથી મળેલું ખરાબ? અનીતિથી મળેલું ધન ખરાબ કે નીતિથી મળેલું ધન પણ ખરાબ? સ. નીતિ તો આત્માના ગુણ તરીકે તારવી શકાય ને? નીતિ પણ ગુણ કયારે? ધન કમાવાની જરૂર હોય ત્યારે કે ધન કમાવાની જરૂર ન હોય ત્યારે? જેને પૈસાની જરૂર હોય તે નીતિથી કમાય તો સારો પણ જેને પૈસાની જરૂર નથી છતાં તે કમાવા જાય તો તેને લોભિયો કહેવાય. એમ અમારે ત્યાં પણ એ જ રીતે સમજવું. દૂધપાક નિર્દોષ છે માટે લેવાની છૂટ ન મળે. નિદોંષ હોય તે નથી લેવાનું, જે મળે તે નથી લેવાનું, જે ભગવાને કહ્યું હોય તે લેવાનું. આજે તો દીક્ષા લીધા પછી પણ અવિરતિની ઉપાદેયતા જતી નથી. એના કારણે વૈરાગ્ય આવતો નથી. આજે વિરતિ ગમે છે માટે દીક્ષા લીધી છે. પણ અવિરત ભૂંડી લાગે છે માટે દીક્ષા લીધી છે. એવું નથી. માટે જ દીક્ષા લીધા પછી ય અવરતિ ભોગવવાનું કામ ચાલુ છે. ઈચ્છા મુજબનું મળી જાય ત્યારે આર્તધ્યાન ન થાય અને પ્રસન્નતા જળવાઈ રહે એને વૈરાગ્ય ન કહેવાય. ઈચ્છા મુજબનું ન મળે છતાં પણ આર્તધ્યાન ન થાય અને પ્રસન્નતા ટકી રહે તેને વૈરાગ્ય કહેવાય. દુઃખના કારણે આર્તધ્યાન થાય છે એવું નથી. એથી દુઃખ ટાળીને આર્તધ્યાન ટાળવું એ માર્ગ નથી. દુઃખ આવે ત્યારે વધારે દુઃખ ભોગવવા તૈયાર થઈ જઈએ તો વર્તમાનનું દુઃખ માફકસરનું બની જાય અને આર્તધ્યાન ટળી જાય. એક વાર દુઃખ વેઠવાનો અભ્યાસ પડે તો દુઃખ આર્તધ્યાનનું કારણ ન બને. આચાર્ય ભગવત્તે એક વાર કહ્યું હતું કે દુઃખ વેઠતાં વેઠતાં તો કોઠે પડી જાય. રાણી અભ્યાસથી પાડો પણ ઉપાડતી થઈ ને? (૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80