Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 58
________________ સ. માયારૂપ. તો સુખ મળે તો સારું કે ન મળે તો સારું? પૈસો મળે તો સારું કે ન મળે તો સારું? દુઃખનું આર્તધ્યાન ટાળવું છે એમ સુખનું આર્તધ્યાન પણ ટાળવું પડશે ને? શરીર કેળવવું હોય તો સવારના પહોરમાં સુખ છોડીને કસરત કરવા નીકળી પડો ને? શરીર પ્રત્યેનો પ્રેમ જો સત્વ કેળવી આપે છે તો અહીં સત્ત્વ ન કેળવાય? શરીર માટે સુખ છોડાય ને? સ. શરીર તો નાશવંત છે ને? એટલા માટે જ આત્માને તારી લેવો છે. શરીર નાશવંત છે તો તેનો ઉપયોગ કરી લેવો છે- એટલું નક્કી કરવું છે. અત્યાર સુધી શરીરને ઘણું સાચવ્યું. હવે શરીરને કહી દેવાનું કે તારા માટે અત્યાર સુધી ઘણું કર્યું, હવે મારા માટે મને કરવા દે. પરલોકમાં જવાનો વખત આવી ગયો છતાં શરીર જ સાચવવું છે? શરીર કામ આપે છે ત્યાં સુધી કામ લઈ લેવું છે. પણ જે કામ જ ન કરે તેને સાચવવાનો શો અર્થ? મહાત્માઓ અણસણ પણ આ જ કારણે લેતા. શરીર સાધના માટે નકામું થઈ ગયું છે- એમ જાણીને તેઓ શરીર વોસિરાવી દેતા. આપણે અણસણ ન કરીએ પણ આખો દિવસ એની સારવાર જ કર્યા કરીએ – એ ચાલે? આ સંસાર માયાનું પાણી છે. સંસારનું સુખ પણ કાલ્પનિક છે અને દુઃખ પણ કાલ્પનિક છે, એના માટે આપણા આત્માનું બગાડવું એ હિતાવહ નથી. દીક્ષામાં તકલીફ કાંઈ નથી, સંસારમાં જ તકલીફ છે. દીક્ષાની તકલીફ તો એવી છે કે જેનાથી કાયમ માટેની તકલીફ જાય. સુખ તાત્વિક નથી. છતાં એ મળે તો ગમે ને? સ. ધર્મ સુખ આપે તો ગમે. ધર્મ સુખ ન આપે, સુખ છોડાવે. સુખ તો કર્મ આપે, ધર્મ નહિ. ધર્મથી પુણ્ય બંધાય અને એથી સુખ મળે. આથી જ તો સુખ તાત્વિક નથી. સુખ અને દુઃખ કમેં આપેલાં છે, માટે તે તાત્વિક નથી. ૫૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80