Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 59
________________ સ. ધર્મથી પુણ્ય બંધાય અને પુણ્યથી સુખ મળે- એ પણ સાચું ને? પણ એ સુખ લાગે કેવું? રાખવા જેવું કે છોડવા જેવું દેવલોકનાં સુખોને ઈન્દ્રાદિદેવતાઓ ઘાસજેવું પણ નથી માનતા. સવારે વિશ7ોવન માં તમે બોલો ને? થેલામાં વૃા.. પછી આગળ શું કહો? તૃન નૈવ નાવું. જે ઈન્દ્રાદિને તમે સુખી માનો છો, આદરભાવે જુઓ છો તેઓ પણ પોતાનાં સુખોને ઘાસની તોલે પણ નથી ગણતા. સ. બત્રીસ લાખ વિમાનના સ્વામી એવા ઈન્દ્ર બધો વ્યવહાર કઈ રીતે ચલાવતા હશે? તમે ધર્મ જે રીતે કરો છો- એ રીતે ! તમે આટલો ધર્મ કરો છો છતાં યે કશું અડતું નથી ને? તેવી રીતે ઈન્દ્ર મહારાજાને પણ કશું અડતું નથી. તેઓ સુખ વૈરાગ્યથી ભોગવે અને આપણે ધર્મ “વૈરાગ્યથી” કરીએ ને ? આજે ધર્મ કરવા છતાં ધર્મનું ફળ નથી મળતું તેનો કોઈ વિચાર જ નથી ને? આજે “મળતું નથી” એવી ફરિયાદ ઘણા કરે છે, પણ “જોઈતું નથી” એ કબૂલાત કોઈ કરતું નથી. દીક્ષા મળતી નથીએમ તો કેટલીય વાર કેટલાને કહ્યું. પણ દીક્ષા જોઈતી જ નથી, આ ભાવ ક્યાંય પ્રગટ કર્યો છે? આ તો પાછા કહે કે કુંડલીમાં યોગ નથી. જેને કુંડલી જોવાનું મન થાય તેના નસીબમાં દીક્ષા હોય નહિ. તમે પ્રેમ કરો તો કુંડલી જોઈને કરો? ત્યાં આટલું સત્વ ફોરવો છો તો અહીં કેમ આટલા બધા સત્ત્વહીન થઈ ગયા છો? સ. જાપ જપીએ તો કુંડલીનું નડતર નડે નહિ ને? જાપ જપીને કશું ન થાય, સત્ત્વ ફોરવવું પડે. પુરુષાર્થ ન કરે તેને જાપ ન ફળે, મારા ગુરુમહારાજ કહેતા હતા કે - સમાધિના જાપ જણે સમાધિ ન મળે. એ માટે અસમાધિનાં કારણો દૂર કરવાં પડે. અસમાધિનું કારણ સેવે તેને સમાધિ ન મળે. કૂવામાંથી મડદું ઉલેચાયું પ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80