Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 69
________________ સંસારમાં રખડવું નથી. તેને આવી શંકા પડે. વિષયની પ્રવૃત્તિ કરીને સંસારમાં મજા કરવાની વાત નથી. કર્મયોગે થતી વિષયપ્રવૃતિ મોક્ષમાં બાધક ન બને એની વાત છે. આવા પ્રકારની શંકાના નિરાકરણમાં જણાવે છે કે શ્લેખ ઉપર માખી બેસે તો ચોંટી પડે, જ્યારે સૂકી માટીના ગોળા ઉપર બેસેલી માખી ચોટે નહિ. ચિકાસના કારણે જ ચોંટવાનું થાય છે. આથી માખી ત્યાં ચોંટી પડે છે. સૂકા ગોળા પર બેસેલી માખી તો એની મેળે ઊડી જાય છે. શ્લેષ્મ પરની માખી હાથેથી કાઢવી પડે છે. એ જ રીતે અહીં આસક્તિ ચિકાસના સ્થાને છે. આસક્તિ વિના થતી વિષયપ્રવૃત્તિ કર્મબંધનું કારણ ન બને. અહીં દુષ્ટ પ્રવૃત્તિ કરવાની વાત નથી, કર્મયોગે થતી દુષ્ટ પ્રવૃત્તિ નડે નહિ એ કઈ રીતે બને છે- તે જણાવવાની વાત છે. જો પ્રવૃત્તિથી આસક્તિ થતી હોય તો કર્મબંધ થવાનો જ છે. તેવા વખતે પ્રવૃત્તિ પણ ટાળવા માટે મહેનત કરવાની. પ્રવૃત્તિના કારણે કોઈનું માપદંડ નીકળે નહિ. પરિમાણના કારણે માપદંડ નીકળે. આથી કોઈના પરિણામ જાણ્યા વિના કોઈના માટે અભિપ્રાય આપવો નહિ. મારા ગુરુ મહારાજ કહેતા હતા કે જેનું આપણે જાણતા નથી તેનું સર્ટિફિકેટ ફાડવું નહિ. જેનું જાણતા હોઈએ તેનું સર્ટિફિકેટ ફાડવું. આપણે બીજાનું પાપ જાણીએ કે આપણું પાપ જાણીએ? બીજાનું પાપ આપણે જાણતા નથી- માટે તેમનું સર્ટિફિકેટ ફાડવું નથી. આપણું પાપ જાણીએ છીએ તો તેનું સર્ટિફિકેટ ફાડ્યા વિના ન રહેવું. આપણું પાપ કોણ જાણે? આપણે જ ને? લોકમાં પણ કહેવત છે ને? મા જાણે બાપ અને મન જાણે પાપ. પાપબંધ પરિણામના કારણે થાય છે, પ્રવૃત્તિના કારણે નહિ. તો એ પરિણામ કેવા બનાવવા છે? આસક્તિ કાઢવી છે ને? આસક્તિ શ્લેષ્મના સ્થાને છે અને સૂકો ગોળો પ્રવૃત્તિના સ્થાને છે. કર્મબંધ માખીના સ્થાને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80