Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 72
________________ સ. નિશ્ચયનયનું સમ્યકત્વ તો સાતમે ગુણઠાણે હોય ને? નિશ્ચયનયનું સમ્યકત્વ ચારિત્રથી અભિન્ન છે અને ચોથા ગુણઠાણાનું સમ્યકત્વ ચારિત્રમોહનીયના ઉદયમાં હોય છે. છતાં પણ જો ચોથા ગુણઠાણે ચારિત્રમોહનીયકર્મના ઉદયને લઈને થતી પ્રવૃત્તિથી કર્મબંધ થયા જ કરે તો ચોથેથી છટ્ટે સાતમે જાય કઈ રીતે? આવી આશંકાના નિરાકરણ માટે આટલી વાત છે. આ બધી વસ્તુ સમજાય એવી છે. માત્ર તમારા મગજમાં જે ભર્યું છે એ કાઢી નાખો તો શાસ્ત્રની વાતોમાં કોઈ જ જાતનો વિસંવાદ જણાશે નહીં. સ. સાચી વસ્તુ હાથમાં આવે એ માટેનો સહેલો ઉપાય શું? - ગુજ્યારતંત્ર કેળવી લેવું તે. સ. બધા શ્રાવકના અભિપ્રાય જુદા જુદા હોય, બધા સાધુઓના પણ અભિપ્રાય જુદા જુદા હોય તો કરવું શું? 1. બજારમાં ખરીદી કરવા જાઓ તો દુકાને દુકાને જુદા જુદા ભાવ હોય ત્યારે શું કરો? સં. વ્યાજબી ભાવે સારામાં સારી વસ્તુ મળે ત્યાં જઈએ. તો અહીં પણ જે વ્યાજબી લાગે તેને ગ્રહણ કરવાનું. જરા પણ શંકા પડે તો ઊભા રહી જવાનું. ત્યાં વ્યાજબી ભાવ અને સારી વસ્તુનું જ્ઞાન છે. પણ અહીં એવું જ્ઞાન નથી, તો તે મેળવવું પડશે ને? ભણ્યા વિના વિસ્તાર નથી. તમે આત્મારામજી મહારાજનો પ્રસંગ સાંભળ્યો છે? સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લઈને મૂર્તિપૂજાનો સખત વિરોધ કરતા. એક વખત મૂર્તિપૂજક સંઘના શ્રી બહેરાયજી સાથે તેમને મૂર્તિપૂજાના વિષયમાં વિવાદ થયો. એ વિવાદમાં મૂર્તિપૂજા વિહિત નથી તેની સિદ્િધ કરીને તેમણે શ્રી બુટ્ટરાયજી મહારાજને હરાવી દીધા હતા. તે છતાં બુકેરાયજી મહારાજે ખુમારીથી જણાવ્યું હતું કે હું તમને સમજાવી નથી શકતો- એ મારી ખામી છે પરંતુ જા બચ્યા જ્યારે પણ તને સાચું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80