________________
બેસી જાય. પ્રતિબોધ પણ ભગવાનની આજ્ઞા મુજબ કરવાનો હોય. પોતાની આરાધના, પોતાનું ભણવાનું બાકી રાખીને બીજાને પ્રતિબોધવા બેસે તો શું પરિણામ આવે? શાસ્ત્રમાં તો કહ્યું છે કે ભણી ગયા પછી પણ બધા પ્રતિબોધવા ન બેસે. જે વખતે મહાવીર પરમાત્મા અને ગૌતમસ્વામી મહારાજા દેશના આપતા ત્યારે બીજા ગણધર ભગવન્તો હોવા છતાં દેશના આપતા ન હતા. બીજાને પ્રતિબોધ્યા વિના મોક્ષ ન થાય એવું નથી. ગમે તેવા પ્રભાવકને પણ ભગવાનની આજ્ઞાના પાલનમાંથી મુક્તિ ન મળે.
પરપદાર્થને અતાત્વિક માન્યા વિના વૈરાગ્ય ટકે નહિ. પુણ્ય આપણું કે જ્ઞાન આપણું? પૈસો આપણો કે જ્ઞાન આપણું? છતાં મહેનત શેના માટે ચાલે છે? જેને પરભાવમાં મજા આવે તેને સ્વભાવની પ્રાપ્તિ ન થાય. જે ભોગોને તાત્ત્વિક માને તે સંસારના પારને પામી ન શકે. ભોગને તાત્વિક માને તેનું સંસારનું પ્રયાણ અનાબાધ રહે. જે મોક્ષને તાત્વિક માને તેનું મોક્ષનું પ્રયાણ અનાબાધ રહે. પતનનાં નિમિત્ત તો આ સંસારમાં ઠેર - ઠેર પડેલાં છે. આથી જ ઉપયોગ અને સાવધાની રાખવાની છે. આપણે મોહના છીએ માટે મોહ આપણને સુખના ટુકડા નાંખીને લલચાવે છે કે જેથી આપણે મોહના મટી ન જઈએ. આથી જ આપણે મોહની કરામતમાં ન ફસાઈએ તે માટે આક્ષેપક જ્ઞાનને કામે લગાડવું છે.
હવે શિષ્ય ફરી શંકા કરે છે કે આક્ષેપક જ્ઞાનને લઈને ભવનો ઉદ્વેગ હોવાથી વિષયોમાં ફસાય નહિ- એ બરાબર. પરંતુ આટલી સારામાં સારી વસ્તુ, અનુકૂળ વસ્તુઓ મળી જાય તો તેની વચ્ચે ઉગ ટકે કઈ રીતે? ભવમાં બેઠા પછી ભવ સારો ન લાગે અને ઉદ્વેગ ઊભો રહે તેનું કારણ શું? આ પ્રમાણે શિષ્યની શંકા છે. આવી શંકા આપણને પડે ને? વિષયોની નફરત જાગ્યા પછી, તેને છોડ્યા પછી એકાદ વાર
ઉ૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org