Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 60
________________ ન હોય અને માત્ર પાણી ઊલેચીએ તો દુધ જાય? આજે લોકોને આયંબિલ કરીને શાંતિ મેળવવી છે પણ પાપ છોડીને શાંતિ નથી મેળવવી. એક દિવસ આયંબિલ કરે અને ૩૫૯ દિવસ રાત્રિભોજન કરે તો શાંતિ મળે? અઢારમાંથી એક પણ પાપ ચાલુ હશે તો શાંતિ નહિ મળે. પાપ અશાંતિનું કારણ છે. અઢારે ય પાપ ટાળવાં પડશે. સ. એક મિથ્યાત્વ જાય તો બાકીનાં ૧૭ જાય ને? મિથ્યાત્વ ગયા પછી છાસઠ સાગરોપમ સુધીમાં જો અવિરતિને કાઢવાનો પુરુષાર્થ કરવામાં ન આવે તો એ અવિરત જ પાછી મિથ્યાત્વને ખેંચી લાવનારી બને છે. એટલે માત્ર મિથ્યાત્વ કાર્યો સંતોષ કર્યો નહિ ચાલે. તેના પછી અવરતિ, કષાય, પ્રમાદ, યોગ... આ બધાને મિસર કાઢવા જ પડશે. આપણે જોઈ ગયા કે ચોથા ગુણઠાણે આક્ષેપક જ્ઞાન હોવાના કારણે વિષયની પ્રવૃત્તિ થવા છતાં ઈન્દ્રિયો વિષયના વિકારોની સાથે જોડાતી નથી, વિકારને આધીન બનતી નથી, ઉન્માર્ગે જતી નથી તેથી નડતી નથી. આ આક્ષેપકજ્ઞાનનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું હતું કે જે સમજણના કારણે હેયની પ્રત્યે તિરસ્કારભાવ કાયમ માટે બન્યો રહે, તે ઉપાદેય ન લાગી જાય તે સમજણને આક્ષેપક જ્ઞાન કહેવાય છે. જે સાધનનો મહિમા બતાવવો હોય તે સાધનનો કોઈ દુરુપયોગ ન કરી બેસે- એની તકેદારી તો રાખવી જ પડે. આ સંસારમાં રહેવા છતાં સંસારનો એક પણ વિષય અડી ન જાય, નડી ન જાય એવો આચાર સાધુભગવન્તોને બતાવ્યો છે. શરીરનું મમત્વ મારવા કહ્યું પરંતુ સાથે એ શરીરનો નિર્વાહ થાય તેવી ભિક્ષાચર્યા પણ બતાવી. ભિક્ષામાં લાવેલો. આહાર પણ ઉપાદેય ન લાગી જાય તે માટે એવી ભાવના ભાવવાની જણાવી કે કોઈ પણ જાતનું પાપ કર્યા વિના પણ આહાર ગ્રહણ કરવાનો વિધિ ભગવાને બતાવ્યો એ તેઓશ્રીનો મહાન ઉપકાર છે કે પપ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80