________________
જેના યોગે મોક્ષના સાધન- ભૂત દેહનો નિર્વાહ થાય છે. દુઃખ ભોગવવાનું કહ્યું, શરીરને કસવાનું કહ્યું છતાં આપણે મરી ન જઈએ તેની કાળજી રાખી. આમ છતાં આજે આપણી માન્યતા શું? દુઃખ ભોગવીશું તો મરી જઈશું? કે આજ્ઞા મુજબ દુ:ખ ભોગવીશું તો કાયમ માટે મરણથી મુક્ત થઈ જઈશું? મરણ ક્યારે ટળે? જન્મ ટળે ત્યારે જ ને? જન્મ, જરા, મૃત્યુ નિવારવા માટે જ ધર્મ છે ને? તમે રોજ બોલો ને “જન્મજરામૃત્યુનિવારણાચ”. જેને મરણ ન ગમે તેને જન્મ ગમે એ ચાલે? કારણ કે જન્મ ટળ્યા વગર મરણ ન ટળે. આજે આપણે જન્મ પુણ્યથી મળ્યો એમ કહીએ કે જન્મ ધાતીના ઉદયથી મળ્યો એમ માનીએ? ઘાતી કર્મના ઉદય વિના જન્મ ન થાય ને? જે ઘાતીના ઉદયથી મળે તેને હેય કહેવાય કે ઉપાદેય? જેનો નાશ કરવાનો હોય તેને હેય માનવું પડે ને? જન્મને પુણ્યથી મળેલો માને તે જન્મનો નાશ કરેએ વાતમાં માલ નથી. એ તો આનાથી સારો જન્મ મેળવવા માટે મહેનત કરવાનો. ધર્મના ઓઠા નીચે આજે આપણે સુખ ભોગવવાનું અને દુઃખ ટાળવાનું જ કામ કર્યું છે ને?
આક્ષેપકજ્ઞાન આપણી ઈન્દ્રિયોને કાબૂમાં રાખે છે. ક્ષણ વાર માટે પણ જો ઉન્માર્ગે જવાનું મન થાય તો તરત ભગવાનના વચનનું આલંબન લઈ લેવાનું આ આક્ષેપકજ્ઞાન શીખવે છે. એના બદલે આજે સાધુપણામાં આવેલા પણ બાહ્યપ્રવૃત્તિમાં મન લગાવીને બેઠા છે. ગુરુને આવડતું નથી અથવા ભણાવતા નથી માટે અર્થ ભણવાનું બંધ કર્યું. અને સૂત્ર ભણવાનું ગમતું નથી. એટલે એ બન્ને માંડી વાળીને વિકથા કરવા મંડી પડ્યા છે. - સ. લોકો પર ઉપકાર થાય ને?
પોતાનું શું થાય? પોતાનું ભણવાનું છોડીને બીજાનું ઘર સંભાળે તેનું પોતાનું ઘર ચાલે ખરું? આ તો જાણે એમ માની બેઠા છે કે
૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org