Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 54
________________ કંટ્રોલમાં રાખે તે આક્ષેપકજ્ઞાન. હેયરૂપે, તિસ્કરણીયરૂપે વસ્તુને વાપરવી તેનું નામ આક્ષેપક જ્ઞાન. જે વસ્તુ બિલકુલ ભાવતી ન હોય તે વાપરતી વખતે એંઠી થઈ જાય તો કેવી રીતે વાપરીએ? એ રીતે આક્ષેપકજ્ઞાનની હાજરીમાં ભોગની પ્રવૃત્તિ થતી હોય છે. સ. આટલી લાલચ આપનારી ચીજોની વચ્ચે મન કાબૂમાં કઈ રીતે રહે? નોકર પૈસાની લાલચે-જરૂરિયાતે નોકરી કરે છતાં તેનું મન કેવું હોય છે? નોકરી ગમે? તેમ અહીં સમજવું. એક વાર સમજણ ટકી રહી હોય તો મળેલા ગુણો ગમે તેવા સંયોગોમાં પણ ટકાવી શકાય. ગાડી ગમે તેટલી વેગમાં દોડતી હોય છતાં તે ખાડામાં નથી જતી તે નિયંત્રણના કારણે. તેમ અહીં પ્રવૃત્તિ ગમે તેટલી અશુદ્ધ હોય તો પણ શુદ્ધિ હણાતી નથી- એ આ આક્ષેપક જ્ઞાનના કારણે આજે ધર્મ કરતી વખતે આપણી ગાડી ખાડામાં ગઈ છે ને? ધર્મ કરવા છતાં પ્રમાદ ગયો ખરો? સ. એવો ને એવો જ છે. એવો જ છે કે વધ્યો? હવે તો ધર્મના નામે પ્રમાદ કરવાનો પરવાનો મળી ગયો, એવું ને? આજે તપ કરવા છતાં પણ ગુસ્સો વધ્યા કરે ને? - સ. એવું કેમ બનતું હશે? આ સંસારમાં દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે ધર્મ કરીએ છીએ માટે આવું થાય છે. સંસાર ટાળવા માટે, મોક્ષ મેળવવા માટે ધર્મ કર્યો હોત તો આવું ન બનત. બીજાના દુઃખનો વિચાર કરીએ તો જાતે દુઃખ ભોગવવાનું સરળ બને અને પોતાને સુખ ભોગવવાનું મન હોય તો બીજાને દુઃખ આપવાનું બને. આ આક્ષેપક જ્ઞાનના કારણે વિષયોને તિરસ્કરણીયરૂપે ભોગવે છે. વિષ મીઠું હોય તો ન મારે અને કડવું હોય તો જ મારે એવું છે ખરું? એવી રીતે સુખ પણ પુણ્યથી મળેલું ન મારે (૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80