Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 50
________________ શિષ્યની શંકાનો જવાબ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જેની ભવસંબંધી ઈચ્છા નાશ પામી છે તેની આ સંસારમાં જે કાંઈ પ્રવૃત્તિ થાય તે પ્રેમથી ન થાય પરંતુ ના છૂટકે થાય. આમ છતાં તે વખતે પોતાનું નિકાચિત ભોગાવલી કર્મ ખપી રહ્યું છે. તેનો આનંદ હોય છે. શુભ પુલનું વેદના થાય છે તેની રતિ નથી હોતી પણ તે વખતે કર્મની નિર્જરા થયાના શુભ ભાવનું વદન હોવાથી રતિ હોય છે. આજે તમને પણ આવો અનુભવ છે ને? પ્રવૃત્તિ કરતી વખતે મોઢું હસતું રાખો પણ મનમાં એનો આનંદ ન હોય, મહેમાન આવે ત્યારે મોટું હસતું રાખો પણ મન બગડેલું હોય ને? એવું અહીં બને. સ. એ તો માયા કરી કહેવાય. અત્યાર સુધી માયા કરી-કરીને સંસારમાં છેતરાયા હવે માયા કરીને સંસારને છેતરવો છે. સાથને માથા ની માયા! ધર્મમાં એટલે ધર્મ કરવા માટે માયા કરીએ એ માયા ન કહેવાય. પણ ધર્મ કરતી વખતે જો માયા કરો તો તે ન ચાલે. ધર્મ કરવા માટે માયા કરવાની છૂટ, ધર્મ કરતી વખતે માયા કરવાની છૂટ નથી. દીક્ષા લેવા માટે માયા કરવાની છૂટ પણ દીક્ષા પાળતી વખતે માયા ન કરાય. દીક્ષા લેવા માટે માબાપને છેતરીએ કે મને અશુભ સ્વપ્ન આવ્યું હતું, મારું આયુષ્ય અલ્પ છે, માટે દીક્ષા લેવી છે તો તે કરવાની છૂટ. પણ દીક્ષા પાળતી વખતે ગુરુને છેતરો તે ન ચાલે. સંસારની ઈચ્છા જેની નાશ પામી હોય તેની સંસારની પ્રવૃત્તિ કર્મના યોગે થાય. પરિણામ ન હોય છતાં ય પ્રવૃત્તિ કરવી પડે તેનું નામ સંસાર. કષ્ટ પડ્યા પછી પણ જે પ્રસન્નતા હોય છે તે ભાવના કારણે જ હોય છે ને? તમને પણ અનુભવ છે ને? લગ્નપ્રસંગે શરીર થાકી જાય પણ મોટું પ્રસન્ન હોય, તે શેના કારણે? કષ્ટનો અનુભવ થયો નથી માટે (૫). Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80