Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 48
________________ અહીં શિષ્ય શંકા કરે છે કે રતિ તો રાગનું કાર્ય છે. રાગમોહનીયના ઉદયથી રતિ થાય છે. જો વૈરાગ્ય હોય તો આવી રતિ કઈ રીતે સંભવે? આપણે હોત તો શું પૂછત? જો રતિ હોય તો વૈરાગ્ય ક્યાંથી સંભવે?એમ જ ને? રતિ કઈ રીતે ઘટે- એવું પૂછવાની પાછળ પણ કારણ છે. આપણે વૈરાગ્ય ક્યારે માનીએ, મોઢું દીવેલ પીધા જેવું હોય તો ને? મોઢું હસતું હોય છતાં વૈરાગ્ય હોય એવું તો ન માનીએ ને? મોઢા પર પ્રસન્નતા હોય છતાં મનમાં ઔદાસીન્ય હોય- આ વસ્તુ માનવા માટે મન તૈયાર થાય ખરું? ગ્રંથકારશ્રી આ શંકાનો જવાબ આપવાનું કામ આગળની ગાથામાં કરે છે. પરંતુ શંકા કેવી રીતે કરાય- એ સમજાય છે ને? ગુરુભગવન્ત જ્ઞાની છે અને આપણે અજ્ઞાની છીએ, આ પરિણામ જળવાય તો વિનયપૂર્વક શંકા કરતાં આવડે. શ્રી ગૌતમસ્વામી મહારાજા પણ જ્યારે ભગવાન પાસે આવ્યા ત્યારે કેવી રીતે આવ્યા હતા. પોતાની શંકાને પણ જો કહી આપે તોપણ સર્વજ્ઞ માનવા તૈયાર હતા ને? આપણને જવાબ આપવા છતાંય શ્રદ્ધા ન જાગે ને? અહીં શિષ્ય કહે છે કે વૈરાગ્ય જો અખંડિત હોય તો રતિ કેવી રીતે હોય? રતિ અને વિરાગ બંન્ને સાથે કેમ ચાલે? સ. ચોથે વૈરાગ્ય તરતમતાવાળો હોય, અધૂરો હોય તો તે અખંડિત કેવી રીતે કહેવાય? વૈરાગ્ય અખંડિત છે એનો અર્થ એ છે કે વૈરાગ્યમાં કોઈ અતિચાર નથી લાગતો. તમે સામાયિક લો અને બત્રીસ દોષથી રહિત એવું કરો તો અખંડિત હોય પરંતુ તે છઠ્ઠાના સામાયિક કરતાં તરતમતાવાળું અપૂર્ણ હોય ને? એવું સમજવું. છઠ્ઠા ગુણઠાણા કરતાં તરતમતાવાળો વૈરાગ્ય હોવા છતાં તે અખંડિત છે. વૈરાગ્ય અખંડિત રાખવો અને પ્રવૃત્તિ નડવા ન દેવી, કેવી સમતુલા રાખવી પડે? તમને પણ ગાડી ચલાવવી અને અકસ્માત થવા ન દેવો આ બેય સાથે ફાવે ને? તેવી રીતે ચોથા Jain Education International ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80