Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 46
________________ જોઈએ એવો વૈરાગ્ય ન હોવા છતાં ય તે વૈરાગ્ય ચોક્કસ પોતાનું કાર્ય કરે છે. વિષયની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં આ વૈરાગ્યના યોગે ઈન્દ્રિયોનો પ્રત્યાહાર ચાલુ હોય છે. પ્રવૃત્તિ થવા છતા અવિરતિપ્રયિક રાગને આગળ ન વધવા દે એવો એ વૈરાગ્ય હોય છે. વિષયો સાથે ઈન્દ્રિયોનું જોડાણ થવા છતાં વિષયના વિકાર સાથે ઈન્દ્રિયો બિલકુલ જોડાતી નથી. વૈરાગ્યના કારણે વિષયના વ્યાપારમાં પણ ઈન્દ્રિયોને પાછી ખેંચી લે છે. જેને પ્રવૃત્તિનું પરિણામ નજરે દેખાતું હોય તેને પ્રવૃત્તિ કરવી પડે તો કઈ રીતે કરે? આતંગ વગર ને? તપેલા લોઢા પર પગ મૂકવો પડે તો કઈ રીતે મૂકીએ? અંગૂઠો કે આંગળીથી ચાલે તો પાની ન ટેકવીએ ને? અને ગાલીચા ઉપર કઈ રીત ચાલો? અમારાં સાધુસાધ્વી પણ વિહારમાં જો ધૂળવાળી જગ્યા હોય તો બધું થોડામાં જ મૂકે અને સંકોચાઈને બેસે અને જો ચોખ્ખી જગ્યા હોય તો પહોળાં થઈને બેસે. એ રીતે આપણે પણ અહીં ધ્યાન રાખવું કે ચૌદ રાજલોકમાં કર્મ બધે જ લાગે છે માટે ત્યાંથી ખસી જવું છે અને જ્યાં સુધી ન ખસાય ત્યાં સુધી સંસારમાં પહોળા નથી થવું. ચોથા ગુણઠાણે વિષયની પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય હોય છે. એમાં કોઈ બે મત છે નહિ. આ વાત આપણી વિષયપ્રવૃત્તિને વૈરાગ્યમૂલક ગણાવવા માટે નથી કરી. વૈરાગ્યવાસિત ચિત્તવાળાની કર્મપરવશતાના કારણે કેવી વિષમતા આવે છે એ જણાવવા માટે કરી છે. આ વિષયમાં કોઈ શાસ્ત્રપાઠ છે કે નહિ એવું શિષ્ય પૂછે એના પહેલાં જ ગ્રંથકારશ્રી અહીં વીતરાગસ્તોત્રનો હવાલો ટાંકે છે કે यदा मरुन्नरेन्द्र श्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदाऽपि ते ॥ હે નાથ! આપ જ્યારે દેવલોક સંબંધી કે ચક્રવર્તી વગેરેનાં સુખો Jain Education International ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80