Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 40
________________ ભવના હેતુઓ કયા છે? મિથ્યાત્વ, અવિરત, કષાય, પ્રમાદ અને યોગ : આ બધા ભવનાં કારણ છે. આજે આપણને ભવનાં આ કારણો પ્રત્યે દ્વેષ છે કે પ્રેમ છે? અવિરતિ ગમે ને? આજે નિયમ આપી દઉ કે વસ્તુની જરૂર પડે તો લઈ લેવી પણ સારાનરસાનો વિવેક કરવા, પસંદગી કરવા ન બેસવું. કપડું લેવા જવું હોય તો હાથમાં લઈને પોત ન જોવું, રંગ ન જોવો. પેલાને કહી દેવું કે આટલાં મિટરનું કપડું જોઈએ છે. સ. પેલો ગમે તેવું કપડું વળગાડી દે તો લોકો બોધો કહે. જે આવા બોઘા ન બને તેને ઓઘો ન મળે. જે વિષયોના વિષયમાં બોઘા બને તેને જ ઓઘો મળે. જેને વિષયોમાં-પુલમાં સૂઝ પડે તેને ધર્મમાં સૂઝ ન પડે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું તે સમજાયું ને? સ. વિષયોનો સંગ ન કરવો. સંગ તો નહિ, પ્રવૃત્તિ પણ ન કરવી. સંગ તો રાગપૂર્વક થાય છે. સંગ કરવાની ના પાડીએ એટલે રાગ વગર પ્રવૃત્તિ કરવાની છૂટ છે એમ કોઈ માની લે. આથી ગ્રંથકારશ્રીએ અપ્રવૃત્તિ શબ્દ વાપર્યો છે. રાગથી કે રાગ વિના પણ વિષયોમાં પ્રવૃત્તિ નથી કરવી- એ સમજાવવું છે. ઉપાધ્યાયજી મહારાજ જે શબ્દ વાપરે તે વેધક જ હોય, એમ સમજી લેવાનું. આચાર્યભગવન્ત પણ અમને કહ્યું હતું કે ઉપદેશ એવો આપવો જોઈએ કે જે શ્રોતાના હૈયાને વીંધી નાખે. " હવે શિષ્ય શંકા કરે છે કે – ચોથા ગુણઠાણે ભવની નિર્ગુણતાનું દર્શન પણ હોય છે અને ભવના હેતુ પ્રત્યે દ્વેષ પણ હોય છે. કારણ કે અવરતિનો ડંખ પેદા ન થાય ત્યાં સુધી, અવરતિ પ્રત્યે નફરત ન જાગે ત્યાં સુધી સમ્યગ્દર્શન મળે જ નહિ. આથી આ બે હેતુઓને લઈને તેમનામાં વૈરાગ્ય હોય જ, એ નિર્વિવાદ વાત છે, પણ તેઓની વિષયમાં (૩૫) ૩૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80