Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 42
________________ મન જ નથી? જેને મન જ ન હોય તેને તો મિથ્યાત્વમોહનીયનો ઉદય છે - એમ સમજી લેવું. મન હોવા છતાં અને પુરુષાર્થ કરવા છતાં જો દીક્ષા ન મળે તો સમજવું કે ચારિત્રમોહબ્રીય નડે છે. પુરુષાર્થ કર્યા પછી ન મળે તો ચારિત્રમોહનીય નડ્યું કહેવાય. પુરુષાર્થ કરવાનું મન જ ન થાય તો દર્શનમોહનીય જ નડે છે- એ નક્કી છે. નાનું છોકરું ઘોડિયામાંથી નીકળવા માટે જેવો પ્રયત્ન કરે તેવો પ્રયત્ન સમકિતી સંસારમાંથી નીકળવા કરે. છતાં તે ન નીકળી શકે ત્યારે તેને ચારિત્રમોહનીય નડે છે, એમ કહેવું પડે. જે નડે તે ભેગું નથી કરવું. એટલું ય આજે નક્કી કરવું છે? અવિરત જો પ્રેમથી ભોગવીએ તો નબળી પડે કે ગાઢ બંધાય? વીતરાગપરમાત્માના શાસનના પરમાર્થને પામેલાને વૈરાગ્યની કેટલી આવશ્યકતા છે તે સમજાવ્યા વિના ચાલે એમ નથી. આજે આપણે ધર્મ કરવા માટે મહેનત કરીએ છીએ પણ વૈરાગ્ય પામવા માટે મહેનત કરતા નથી. વૈરાગ્ય પામવો એટલે આપણે આપણે પ્રગટ કરવાનું છે. વિભાવની યાચના કરવી એ રાગની પ્રાર્થના છે. સ્વભાવની યાચના કરવી એ રાગની પ્રાર્થના નથી. આપણું પોતાનું મેળવવા માટે જે પ્રયત્ન કરવો, પોતાનું માંગવું એ યાચના જ વૈરાગ્યનું સ્વરૂપ છે. આપણું પોતાનું પ્રગટ કરવાને બદલે પારકું મેળવવા માટે યાચના કરવી અને તેને વૈરાગ્યનું નામ આપવું- એ તો વૈરાગ્યના સ્વરૂપના અજ્ઞાનને સૂચવે છે. પુણ્ય એ આપણું સ્વરૂપ છે કે નિર્જરા? વિષયસુખ આપણું કે જ્ઞાનસુખ આપણું? આજે તો આપણને પુષ્ય ભોગવવા મળતું હોય તો પાપ પણ ચાલે એવું છે અને પાપનું ફળ પણ ભોગવવાનું ફાવે એવું છે. ગઈ કાલે આપણે જોઈ ગયા કે ચોથા ગુણઠાણે વૈરાગ્યના અન્ય હેતુઓ હોવા છતાં પણ ચારિત્રમોહનીય કર્મના યોગે જ્ઞાન પર, સમજણ પર એવું આવરણ આવી જાય છે કે જેના યોગે વિષયની પ્રવૃત્તિ તેમની ચાલ્યા કરે છે. આજે આપણને ચોથે ગુણઠાણે પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય ટકે છે. તેનો ( 3છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80