Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ કરતાં વિપરીત વાતો કરનારા પણ પોતાના મતના રાગના કારણે પ્રવૃત્તિ કરે છે. પોતે પહેલાં સિદ્ધાન્ત નક્કી કરે અને પછી શાસ્ત્રપાઠ શોધવા નીકળે, આ વૈરાગ્યનાં લક્ષણ નથી, રાગમૂલક પ્રવૃત્તિ છે. આવાઓ પાસે જવું તેના કરતાં ઘેર બેસીને આરાધના કરવી સારી. સ. એના કરતાં સારા સાધુ પાસે જવું એમ કહો ને? એમ કહું તો તમે માનવાના છો? તમારે તો જે વેષ પહેરે તે બધાને સારા અને તમારા કરતાં ઊંચા ગણવા છે ને? ડોક્ટરનો વેષ હોય તો તેને ડોક્ટર માની લો કે સારા ડોક્ટરની શોધમાં નીકળો? અહીં તો કહે કે ધર્મ એકાને સારો, સાધુ બધા ઊંચાઃ એમાં “સુ” અને “કુ નો ભેદ ન કરવો ! ડોક્ટરમાં સુ-કુનો ભેદ હોય, દવામાં સુ-કુનો ભેદ હોય તો દેવ-ગુરુ-ધર્મમાં પણ એ ભેદ હોય જ ને? જેમાં સારામાં સારું મેળવવાની ભાવના હોય તેમાં સારા-ખોટાનો વિવેક કર્યા વગર ન ચાલે. આપણને ભગવાન ગમે અને ભગવાનની આજ્ઞા ન ગમે એ સારું નથી. ભગવાન ગમે - એ સારું નહિ, આજ્ઞા ગમે એ સારું. ભગવાન ગમે, તે સુખ મેળવવા અને દુઃખ ટાળવા ભગવાન પાસે જાય. ભગવાનની આજ્ઞા ગમે તે સુખ સામે ન જુએ અને દુઃખ મજેથી ભોગવી લે. ભગવાને આ સંસારને નિર્ગુણ કહ્યો છે. જ્યાં સુધી સંસાર સગુણ લાગે ત્યાં સુધી ભગવાનની આજ્ઞા સમજાઈ નથી. આજે અમે ગમે તેટલા જ્ઞાની હોઈએ, સાધુપણું પાળતા હોઈએ, લોકો અમને વિદ્વાન ગણતા હોય પણ જો સંસારનું સ્વરૂપ અમને ઓળખાયું ન હોય તો અમારામાં વૈરાગ્યનો છાંટો નથી. સાધુપણામાં આવેલાને પણ માનસન્માનાદ ગમવા માંડે, અનુકૂળતા સારી લાગે તો માનવું પડે ને કે હજુ સંસાર નિર્ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80