Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 26
________________ ક્ષયોપશમભાવથી જ ખારો લાગે. આજે આપણી તો હાલત એ છે કે પુણ્ય જ મળતું હોય તો નિર્જરા જોઈતી નથી. એના બદલે એમ કરવું છે કે નિર્જરા થતી હોય તો પુણ્ય જોઈતું નથી. સ. નિર્જરા થતી હોય તોપણ પુણ્યબંધ ચાલુ હોય છે એવું સાંભળ્યું છે. સાતમા ગુણઠાણાથી આગળ નિર્જરા વિપુલ પ્રમાણમાં થાય છે અને પુણ્યબંધ તો મામૂલી થાય છે. એવો થાય કે જે આ જ ભવમાં ભોગવાઈ જાય. ભવાન્તરમાં ભોગવવા જવું ન પડે. તમને પુણ્યબંધ જોઈએ છે પણ ભવાન્તરમાં ભોગવવા મળે એવો જોઈએ છે- ખરું ને? વિપુલ નિર્જરા થાય ત્યારે જે પુણ્ય બંધાય તે તો માત્ર ગુણસ્થાનકપ્રત્યયિક જ થાય. માત્ર ગુણસ્થાનકપ્રત્યયક જે પુણ્યબંધ થાય તેની કોઈ કિંમત નથી. તેવી જ રીતે ગુણસ્થાનકપ્રત્યધિક જે નિર્જરા થાય તેની ય કોઈ કિંમત નથી. નિર્જરા તો ગુણસ્થાનકપ્રત્યચિક નહિ, પુરુષાર્થપ્રત્યયક જોઈએ અને પુણ્યબંધ પણ જે કષાયપ્રત્યક થયો હોય- તે ભવાન્તરમાં ભોગવવા જવું પડે. યોગપ્રત્યયિક બંધ ક્યાંય નડતો નથી. કેવળી ભગવન્ત બે સમયની શાતા બાંધે છે તે કેવળ યોગપ્રત્યાયિક હોવાથી તરત જ ભોગવાઈને પૂરી થાય છે. ઘણી વાર તો એવું બને કે એ શાતા બંધાયા પછી ભોગવવા ન મળે અને ચૌદમે સુધી અશાતા ભોગવતા મોક્ષે જાય. માટે આવા પુણ્યની કાંઈ કિંમત નથી. જે પુણ્ય સંસારમાં રાખે છે. એની વાત ચાલુ છે. અનુત્તર વિમાનવાસી દેવો પુના યોગે ત્યાં જાય છે પણ ત્યાં જઈને સુખ નથી ભોગવતા, શાસ્ત્રો વાંચે છે. તેમને પુણ્યોદયનો આનંદ નથી હોતો, મોક્ષ ન મળ્યાનો રંજ હોય છે. ત્યાં સંગીત વાગે છે છતાં સાંભળનાર કોઈ નથી. અહીં ભણાવનાર મળે છે છતાં સંગીતનો રસ ભણવા ન દે - એવી પણ દશા હોય ને? ૨છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80