Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 34
________________ વસ્તુનો ઉપયોગ કરે કે ડોક્ટરના વચન પ્રમાણે ચાલે? તેમ જેને રાગ થતો હોય તે પુણ્યથી મળેલું ન ભોગવે, ભગવાનના વચનને યાદ કરે. આજે તમારા ઘરમાં શું બનાવવું છે- એ પૂછનારા મળે પણ દીક્ષા ક્યારે લેવી છે એ પૂછનાર કોઈ છે? તમે ઘરવાળાને કહ્યું છે કે તારે રોજ મને એક વાર પૂછવાનું કે દીક્ષા ક્યારે લેવી છે? તમારા મિત્ર-સ્વજનોને પણ કહી દેવાનું કે કેમ છો” એમ ન પૂછો “શું કરવું છે? એમ પૂછો. ભરત મહારાજાને ઘણી ખમ્મા કહેનારા ઘણા મળતા હતા છતાં તેમણે બી વર્ષ કહેનાર વર્ગ ઊભો ક્યો ને? ખાવું ને રાગ ન કરવો આ તો દંભીનું સૂત્ર છે. રાગ કરવો નથી માટે ખાવું નથી – આ ધર્માત્માનું વાક્ય છે. આપણે તો એટલી જ વાત કરી છે કે વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્ય આવતો નથી; વિષયમાં પ્રવૃત્તિ કરવાથી વૈરાગ્ય ટકતો નથી – એવું નથી કહ્યું. જે રક્ષાનું સાધન હોય તે ઉત્પત્તિનું કારણ ન બને. તિજોરીમાં પૈસા મુકાય. પણ તિજોરીમાં પૈસા આવે નહિ, પૈસા કમાવા તો બજારમાં જ જવું પડે. તેવી રીતે વિષયની પ્રવૃત્તિ કરનારમાં વૈરાગ્ય હોઈ શકે પણ વૈરાગ્ય પેદા કરવા તો વિષયોનો ત્યાગ કરવો જ પડે. - સ. વિષયોનો ત્યાગ ન કર્યો હોય પણ મનમાં ડંખ રહ્યો હોય તો? ડંખ હોય તો વિષયોનો ત્યાગ કર્યો કેમ નહિ, એ પૂછવું તો પડે ને? સ. મન કાબૂમાં રહેતું નથી માટે દૂધપાકમાં ઝેર પડ્યું હોય તો દૂધપાક વાપરવાનું મન કાબૂમાં રહે ને? અગ્નિ બાળે છે એમ જાણ્યા પછી મન કાબૂમાં ન રહે ને અડાઈ જાય એવું બને? કોઈ વાર દૂધ ઊભરાતું હોય ને સાણસી ન મળે તો હાથેથી પણ તપેલી ઉપાડી નીચે મૂકી દઈએ- એ બને, પણ “અગ્નિ (૨૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80