Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 35
________________ બાળે છે એ શ્રદ્ધામાં ખામી ન આવે ને? આજે તો તપ કરવા છતાં પણ વિષયોનો રાગ ઘટતો નથી. કારણ કે અભ્યાસ છે, શરીર કેળવેલું છે, દર વરસે વરસોથી કરું છું માટે તપ કરે છે, વિષયોનો ત્યાગ કરવા માટે નહિ. જ્યાં સુધી વિષયની લાલસા ન મરે અને ચારિત્ર લેવાનું મન ન થાય ત્યાં સુધી બધો તપ નકામો. સ. સાવ નકામો? અમે દીક્ષા લઈને કેવળજ્ઞાન ન પામીએ તો અમારું ચારિત્ર નકામું અને તમે તપ કરો એ કામનો? સ. અહીંથી તો સાધુપણું પાળીને દેવલોકમાં જવાનું છે ને? - દેવલોક એ સાધુપણાનું ફળ નથી. ગૃહસ્થ પણ અહીંથી દેવલોકમાં જાય અને સાધુ પણ જાય તો બન્નેની સાધના સરખી કહેવાય? જો દીક્ષા લીધા વિના પણ દેવલોક મળતો હોય તો આજના કાળમાં દીક્ષા લેવાનું કહ્યું જ ન હોત. દેવલોકમાં જવા માટે દીક્ષા નથી. દીક્ષા લીધા પછી આરાધના તો મોક્ષની જ કરવાની છે પણ એ અધૂરી રહી જવાથી દેવલોકમાં જવું પડે છે અને ત્યાંથી અવીને ફરીને મનુષ્ય લોકમાં આવીને અધૂરી સાધના પૂરી કરીને મોક્ષમાં જવાય છે. માટે અહીં દીક્ષા લેવાની છે. ગૃહસ્થની તો સાધના શરૂ જ થઈ નથી. ચક્રવર્તીનો ઘોડો આઠમાં દેવલોકમાં જાય અને સનસ્કુમાર ચક્રવર્તી ત્રીજા દેવલોકમાં ગયા તો આરાધક કોણ? ઘોડો? દેવલોકની પ્રાપ્તિના આધારે સાધુની સાધનાનું માપ ન કઢાય. સ. અત્યાર સુધી અનન્તા ઓઘા લીધા તો આ ભવમાં દીક્ષા લેવાનું મન કેમ થતું નથી? . અનન્તા ઓધા લીધા છતાં સુખનો રાગ ગયો ન હતો. એ ત્યાગમાં પણ રાગ હતો માટે ત્યાગના સંસ્કાર ન પડ્યા. જો રાગનો ત્યાગ કર્યો હોત તો ચારિત્ર ઉદયમાં આવી જાત. રાગ ન થઈ જાય એ માટે સાધુને (૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80