Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 25
________________ સ. ચાર મહિના એના વગર ન ચાલે. આવો રાગ ક્યાં લઈ જશે- એની ચિંતા ખરી? સ. ખાવું અને ખરાબ કહેવાનું? ખરાબ કહેશો તો છૂટી જશે. સારું કીધા કરશો તો જિંદગીમાં છૂટશે નહિ. અનન્તા તીર્થંકર ભગવન્તોએ સંસારની નિંદા સંસારમાં રહીને જ કરી હતી. જ્યાં સુધી છૂટતું નથી ત્યાં સુધી નિંદા કરીને અળગા થવા પ્રયત્ન કરવો છે. સ. મેકુમાર કે જંબુકુમારને એક જ દેશનામાં અસર થઈ અને અમને... એમને જોઈતું હતું. જેને જોઈતું હોય તે ભાવતાલ કરવા ન બેસે. જેને ભાવતાલ કરવા હોય તે દસ જગ્યાએ ફરે. જેને જોઈતું હોય તે તો જ્યાં મળે, જે ભાવે મળે ત્યાંથી લઈને ચાલવા માંડે. સ. એમની પાસે એટલી સાહ્યબી હતી, અમારી પાસે તો... એમની પાસે જે હતું તે જોઈતું નતું. તમારી પાસે નથી એય તમને જોઈએ છે– માટે નડે છે. તેમને છ ખંડ અડ્યા નહિ, તમને બે વસ્તુ પણ નડી જાય છે. જેને જોઈતું હોય તેને વૈરાગ્ય ન આવે. જેને જોઈતું નથી તેને વૈરાગ્ય હોય. સ. એમને પુણ્યાનુબંધી પુણ્ય હતું માટે જોઈતું ન'તું. એ પુણ્યાનુબંધી પુણ્ય આવ્યું ક્યાંથી? વૈરાગ્યમાંથી જ ને? વૈરાગ્ય વિના પુણ્યાનુબંધી પુણ્ય હોય નહિ. આ અધ્યાત્મસાર પ્રકરણમાં જ જણાવ્યું છે કે પુણ્યાનુબંધી પુણ્ય નડતું નથી તેમાં મિથ્યાત્વનો ક્ષયોપશમ કામ કરે છે. મિથ્યાત્વના ક્ષયોપશમના કારણે સંસાર ખારો લાગે છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમના કારણે મોક્ષનો ઉત્કટ રાગ પેદા થાય છે. ધર્મ તો ઔયિકભાવથી ય ગમી જાય. સંસાર Jain Education International ૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80