Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 30
________________ વૈરાગ્ય ન મળે. આ વસ્તુને સમજાવતાં અહીં ઉપમા આપીને સમજાવ્યું છે કે સિંહમાં જેમ સૌમ્યતા નથી હોતી, સર્પમાં જેમ ક્ષમા નથી હોતી તેમ વિષયની આસક્તિની હાજરીમાં વૈરાગ્ય હોતો નથી. સિંહમાં સૌમ્યતા ક્યારે ય જોઈ છે? સ. મરેલા સિંહમાં ય ન હોય. બહુ સારું સમજ્યા. આપણે એ જ સમજાવવું છે કે જે વિષયોનો ભોગવટો કરેલો છે તેની પણ નિંદા આ જ આશયથી કરવાની છે, કે જેથી ક્યાંય પણ પાપ ઉપાદેય ન લાગી જાય. આથી જ શાસ્ત્રમાં ઠેર ४२ तं निंदे तं च गरिहामि, अईयं निंदामि, निंदामि गरिहामि.... આવું દિવસમાં કેટલીય વાર બોલવાનું જણાવ્યું છે. અતીત વિષયો પણ સિંહ અને સર્પ જેવા ફૂર છે. ઝેરની રાખ પણ ખરાબ ને? વિષયોનો ત્યાગ કર્યા પછી વિષયો સારા લાગવા માંડે તો સાવધ થવું પડે ને? સ. વિષયો મળ્યા પછી ગલગલિયાં થાય છે. એટલે જ ગાદી છોડીને સંથારામાં સૂવું છે. ગાદીમાં બેસીને પરિષહ વેઠતાં નહિં શિખાય. એ માટે ઘર છોડીને અમારી પાસે આવવું પડશે. તરવું હોય તો ઘરમાં બેસીને તરાય કે એ માટે પાણીમાં પડવું પડે? પાણીમાં પડ્યા વિના તરતાં ન શિખાય તેમ સંસાર છોડ્યા વગર, ઘર છોડ્યા વગર, વૈરાગ્યના કષ્ટ વેઠવાના સંસ્કાર ન પડે. - સાચી વસ્તુનો પરિચય આપવો હોય તો નકલી વસ્તુ સમજાવવી જ પડે, તે રીત સત્ય સમજાવવા માટે અસત્ય સમજાવવાનો કીમિયો અપનાવવો જ પડે. અસત્યને અસત્ય કહેવાની હિંમત આજે ઘણામાં નથી. શાસ્ત્રકારોએ મિથ્યાત્વનું ખંડન કરીને સમ્યકત્વનું મંડન કર્યું છે. આજે સાચું સમજવાનું, પણ ખોટાને ખોટું ન કહેવું-એવો વાયરો ચાલી રહ્યો છે. કારણ કે સાચું આવે કે ન આવે પણ આપણે ખોટું ચાલ્યું જશે એનો કાલ્પનિક ભય સતાવે છે. આથી આપણે ખોટાનો ત્યાગ નથી કરી ૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80