Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 18
________________ સાધનો તિજોરીમાં સાચવી રાખવાનું કામ કર્યું છે ને? તમે ચરવળો સાચવો કે પૈસો સાચવો? પૈસા તિજોરીમાં મૂકો કે ચરવળો? તમારે મન કિંમત કોની? ચરવળાની કે પૈસાની? અમારે ત્યાં પણ સાધુપણાના ઉપકરણોની આશાતના થાય. જે ઓધો લઈને નાચ્યા હતા તે ઓઘા ઉપર પગ આવી જાય એવું ય બને ને? સંસારનાં ઉપકરણો કરતાં મોક્ષની સાધનાનાં ઉપકરણો એવાં બતાવેલાં કે જેના કારણે સંસારી અને સાધુ વચ્ચેની ભેદરેખા ઊભી રહે. એવાં પણ ઉપકરણોને ન સાચવે તો સાધુ અને સંસારી વચ્ચેનો ભેદ ઊડી જાય. આજે ઓધો જ્યાં-ત્યાં મૂકે એ આશાતના છે ને? જેઓ ઓધો સાચવે છે તે પણ મેલો ન થાય એ માટે સાચવે કે સંયમનું-ભવનિસ્તારનું સાધન છે માટે સાચવે? આ બધુ શાંતિથી વિચારવાની જરૂર છે. મોક્ષનાં સાધન ઉપર પણ જો મમત્વ જાગે તો તે મોક્ષમાર્ગમાં બાધા કર્યા વિના નહિ રહે. આજે ઘણાને એમ છે કે વિષયોનો ભોગવટો થતો નથી માટે ઈચ્છાઓ મરતી નથી, સતત ઈચ્છાઓ રહે છે તેના બદલે એક વાર ભોગવટો કરી લઈએ તો મન શાંત થઈ જાય. પછી વૈરાગ્ય પેદા થઈ જશે- આવી માન્યતામાં આપણે છીએ કે નહિ? આજે ધર્મ કરવો છે પણ અવિરતિ સાથેનો ધર્મ કરવો ગમે છે. અવિરતિનું પાપ ભયંકર છેએ માનો છો? સ. સંસારમાં એલ્ય પાપ લાગે તેવો ધંધો કયો? ધંધો એ પાપ છે એમ માનો છો? ધંધાને પાપ ન માને અને અલ્પ કે આધક પાપની વાતો કરે તેનો કોઈ અર્થ નથી. શાસ્ત્રમાં અલ્પ કે અધિક પાપની વાત નથી કરી. અલ્પ બંધની વાત કરી છે. પાપ પ્રવૃત્તિના કારણે નથી લાગતું, પરિણામના કારણે બંધ થાય છે. સમદ્ધિ નીવો. ગાથામાં પણ શું કહ્યું છે? બંધ અલ્પ થાય છે. આજે તૈયાર ૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80