Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 17
________________ હવે શિષ્ય શંકા કરે છે કે વિષયોનો ભોગવટો કરીને તૃપ્તિ થાય પછી વૈરાગ્ય સારી રીતે પ્રાપ્ત થાય એમ છે, તો તેવો ઉપાય શા માટે બતાવતા નથી-તેના નિરાકરણમાં આગળની ગાથા જણાવી છે. ભવ નિર્ગુણ છે એમ જાણ્યા પછી સંસાર પ્રત્યે દ્વેષ જાગે અને એના કારણે સંસારના સુખની ઈચ્છાના ઉચ્છેદ માટે જે પરિણામ જાગે તેને વૈરાગ્ય કહેવાય છે. આજે મોટા ભાગના લોકોની એ માન્યતા કહો કે ફરિયાદ કહો- એ છે કે સંસારના સુખની ઈચ્છા મરતી નથી, એક વાર એ ઈચ્છા પ્રમાણેનો ભોગવટો થઈ જાય તો ઈચ્છાની તૃપ્તિ થઈ જાય અને પછી વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું કામ સરળ બની જાય : આ પ્રમાણેની શંકા આજે ઘણાને છે. શાસ્ત્રકારોએ એની નોંધ કરી છે. આપણો નંબર એમાં લાગે છે કે નહિ- એ આપણે વિચારી લેવાનું. આજે આપણને સંસાર ચાલે એવો છે કે સંસાર ચાલે એમ નથી? આજે તમારી–અમારી દશા એ છે કે થોડુંઘણું સુખ મળતું હોય તો દુઃખ નભાવી લેવાની તૈયારી છે. સ્વભાવ આકરો હોય પણ કામ સારું કરતો હોય તો તમે પણ નભાવો અને અમે પણ નભાવીએ. અમારે ત્યાં શિષ્યનો સ્વભાવ ભંગાર હોય પણ કામ સારું કરતો હોય તો નભાવી લઈએ. તેવાને કાઢી ન મૂકીએ અને ગુરુનો સ્વભાવ બરાબર ન હોય તો તરત છૂટા થઈ જાય. ગુરુનો સ્વભાવ નથી નભતો અને શિષ્યનો સ્વભાવ નભી જાય છે તેનું કારણ એક જ છે કે ગુરુ કામ નથી કરતા અને શિષ્ય કામ કરે છે. અનુકૂળતાનો રાગ કેવો ભૂંડો છે-એ સમજાય છે? રાગ દોષો નભાવવાનું કામ કરે છે અને વૈરાગ્ય ગુણને શોધવાનું કામ કરે, દોષોને ન નભાવે. પુણ્યના કારણે રાગ થતો હોય તો તે પુણ્ય છોડી દેવું છે- એટલું નક્કી? રાગના કારણે સારાંમાં સારાં ઉપકરણો પણ મારનારાં બને છે. આજે રાગનાં સાધનોને દૂર કરવાના બદલે એ Jain Education International ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80