Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 16
________________ ભટકવાનું હોય તેને દુઃખ પ્રત્યે નફરત હોય. સુખ પ્રત્યે નફરત તેને હોય કે જેને નિર્વેદ પ્રાપ્ત થયો હોય. આ સંસારમાં દુઃખરૂપ જો કાંઈ હોય તો તે કર્મજન્ય સુખો છે. સંસારનું સુખ એ અપથ્ય છે. આજે સુખની આસક્તિ ભયંકર છે. તેને ઓછી કરવાનું મન પણ નથી થતું ને? સ. ધીરે ધીરે ઓછી કરીએ. રોગ થયા પછી અપથ્યનો ત્યાગ એક ઝાટકે કરો કે ધીરે ધીરે કરો? સુખની આસક્તિથી ભવરોગ વકરે છે એમ જાણવા છતાં પણ તેને ધીરે ધીરે કાઢવી છે ને? આજે તમારી માન્યતા શું છે? પૈસા હશે તો સુખી થઈશું અને સાધુ થઈશું તો દુઃખી થઈશું : આ જ ને? સુખની આસક્તિ અને દુઃખનો દ્વેષ સંસાર છોડીને સાધુ થવા દેતો નથી. સ. બેમાંથી વધારે ખરાબ શું? - જે નડે છે. આપણને જે નડે તે અવરોધ કરવાનું. બન્ને નડે તો બન્ને દૂર કર્યા વગર નહિ ચાલે. અવિરત જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી ધર્મ કરવાની લાયકાત નહિ આવે. જેને અવિરતિ ગમે તેને અઢારેય પાપસ્થાનક સેવવા જ પડવાનાં. અવિરત જેવું ભયંકર કોઈ પાપ નથી. છાસઠ સાગરોપમ પહેલાં ગયેલા મિથ્યાત્વને પાછું લઈ આવવાનું કામ આ અવિરત જ કરે છે. આજે સાધુસાધ્વી પોતે જે છોડીને આવ્યા તે તમને સારું મળે એવો પુરુષાર્થ કરે – એ ચાલે? પોતે સુખ છોડીને આવેલા બીજા સુખી થાય એવી ચિંતા કરે? પોતે પૈસા છોડીને આવ્યા એ બીજાને પૈસા મળે એવો કીમિયો બતાવે? પોતે શરીરનું મમત્વ મારીને આવ્યા તેઓ બીજાને શરીર સારું રહે એવો ઉપાય બતાવે? સાધુ પોતે દવા ન કરે. પોતાની દવા કરવાની ભગવાને ના પાડી હોય તો તેવાઓ બીજાની દવા કરે, મંત્ર તંત્ર જડીબુટી બતાવેએ કેમ ચાલે? ( ૧૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80