Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 19
________________ વસ્તુ મળતી હોય તો નવેસરથી બનાવવું સારું નહિ, આટલું મગજમાં બેસે? લાઈટ ચાલુ હોય તો તેનો ઉપયોગ કરવો કે દીવો સળગાવવા બેસવું? સ. બંન્ને બંધ હોય તો શું કરવું? જેમાં તમારા પરિણામ નિર્ધ્વસ ન બને- એવું કરવું. પ્રવૃત્તિના કારણે પાપ નથી, નિર્બસ પરિણામ પાપબંધનું કારણ છે. સમકિતીને અલ્પબંધ કહ્યો છે તેનું કારણ પણ એક જ છે કે નેન ન નિઘંઘ ખફા પરિણામ નિર્ધ્વસ ન બને તેની કાળજી રાખવી છે. વ્યવહાર પણ ચોખ્ખો જોઈએ એની ના નહિ, પણ શરૂઆત પરિણામથી કરવી છે. પ્રવૃત્તિના ભોગે પરિણામ સાચવી લેવા છે, પરિણામના ભોગે પ્રવૃત્તિ નથી કરવી. અમારા આચાર્યભગવા કહેતા કે પહેલાં ખાતાં શીખો પછી તપ કરતાં શીખો. તપ કરનાર ખાવામાં લાલચુ બને એ ન ચાલે. અમને પણ ગોચરી લેતી વખતે શીખવ્યું છે કે જે નિર્દોષ મળે તે લઈ નથી આવવાનું, ભગવાને જે કહ્યું હોય તે નિર્દોષ મળે તો લેવાનું. આજે તો તરપણી ભરીને દૂધપાક લઈ આવે અને પાછું ગુરુભગવન્ત પૂછે તો કહે કે ત્યાં ઘણું હતું. ઘણું હોય માટે લાવવાનું કે ભગવાન ના પાડે છે માટે મૂકી આવવાનું? પહેલાં ભગવાનની આજ્ઞા જોવાની પછી નિર્દોષ જોવાનું આજે અમે વિષયોનો ત્યાગ કરવાનું કહીએ તો તરત કહે કે ઈચ્છા પૂરી કર્યા વિના વિષયોનો ત્યાગ કરીએ તો મન સ્પ્રીંગની જેમ ઊછળે છે ! મનને દબાવે જ નહિ તો તે ઊછળવાનું જ. સ. જીવોની મનોવૃત્તિ જ એવી થઈ ગઈ છે. તમે પાછા બધા જીવોની વાત ક્યાં માંડી? હું તમારી વાત કરું છું, તમે બીજા સામે નજર ન કરો. આજે અહીં જે બેઠા છે તેની આપણે વાત કરવી છે, બહારનાની નહિ. કોઈ ડોક્ટર એવો જોયો છે ખરો કે જે ૧૪ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80